પંચમહાલ સમાચાર
-
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 575 પોઝીટીવ કેસ, 01 ના મોત, કુલ 2,73,386 કેસ
- 08, માર્ચ 2021 03:06 PM
- 428 comments
- 9586 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 575 થી વધુ નોંધાયા છે. જેની સામે 459 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4415 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 575 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,73,386 થયો છે. તેની સામે 2,65,831 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,73,386 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3041 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,73,386 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3041 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 46 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3094 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,65,831 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4415 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીના મૃત્યુ નોંધાયેલ છે.વધુ વાંચો -
ઉનાળાની એન્ટ્રીઃ ગુજરાતમાં ધીમે ધીમે ગરમીના પારામાં વધારો
- 08, માર્ચ 2021 02:31 PM
- 5689 comments
- 8615 Views
ગાંધીનગર-ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે ગરમીના પારામાં વધારો થયો છે. રાજ્યમાં ગરમીના પ્રભુત્વમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે ૧૧ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો ૩૭ ડિગ્રીથી વધુ રહ્યો હતો જ્યારે ૩૯ ડિગ્રી સાથે ગાંધીનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ૩૮.૯ ડિગ્રી સાથે વર્તમાન સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૪.૯ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી ૩ દિવસ દરમિયાન અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન ૩૮ જ્યારે સરેરાશ લઘુતમ તાપમાન ૧૯ ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. રાજ્યમાંથી અન્યત્ર જ્યાં ૩૮ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું તેમાં ડીસા, વલ્લભ વિદ્યાનગર, વડોદરા, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં હાલ ઉત્તર પશ્ચિમ દિશાનો પવન છે. આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની કોઇ સંભાવના નથી. પરંતુ ઉત્તર ગુજરાત, સૌરષ્ટ્ર-કચ્છમાં આગામી ૨૪ કલાક દરમિયાન તાપમાન ૩૭થી ૩૯ ડિગ્રીની વચ્ચે રહેશે. આગામી ૪-૫ દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની પણ સંભાવના નથી.વધુ વાંચો -
પંચમહાલની આ મહિલા માટે મહિલાદિને જ પુત્ર સાથે આત્મહત્યાનો પ્રયાસ કરવાનો વારો કેમ આવ્યો
- 08, માર્ચ 2021 10:54 AM
- 4324 comments
- 7268 Views
પંચમહાલ- વિકાસની દ્રષ્ટિએ આજે માનવસમાજે પ્રગતિ કરી છે છતાં મહિલાઓની લાચારી અને દયનીય હાલતના કિસ્સાઓ અવારનવાર આવતાં જ રહે છે. પંચમહાલ જિલ્લામાં આજે વિશ્વ આંતરરાષ્ટ્રીય દિવસના દિવસે જ પોતાના પુત્ર સાથે આત્મહત્યા કરવા જતી મહિલાને બચાવી લેવાઈ હતી. આ મહિલા પોતાના પુત્ર સાથે તળાવમાં ઝંપલાવીને આત્મહત્યા કરવા જતાં તેને અટકાવીને પૂછતાં ચોકાવનારું કારણ જણાવ્યું હતું. મહિલાએ જણાવ્યું હતું કે તે પોતાના પુત્ર સાથે તળાવમાં છલાંગ લગાવવા જઈ રહી હતી. એક જાગૃત નાગરિકે મહિલાને આવું કરતા અટકાવી હતી અને પોલીસને જાણ કરી હતી. આ કેસમાં એવી વિગત સામે આવી છે કે મહિલાના પતિને જેલમાં પુરાવનાર વ્યક્તિએ મહિલા પાસે બીભત્સ માંગણી કરી હતી. મહિલા જ્યારે ફરિયાદ પાછી ખેંચવા માટે આજીજી કરવા પહોંચી હતી ત્યારે ફરિયાદીએ તેની સાથે સંબંધ બાંધવાની માંગ કર્યાનો આક્ષેપ કર્યો હતો. પંચમહાલના હાલોલમાં વિશ્વ મહિલા દિવસે જ એક મહિલા પોતાના 16 વર્ષના દીકરા સાથે હાલોલ તળાવમાં આપઘાત કરવા માટે પહોંચી હતી. આ દરમિયાન તળાવ પાસે ઊભેલા એક વ્યક્તિની નજર મહિલા પર પડતા તેણે મહિલાને આપઘાત કરતા અટકાવી હતી. આ વ્યક્તિએ મહિલાને બચાવી લીધા બાદ તે બાબતની વિગતોની પોલીસને જાણ કરી હતી.આપઘાત કરવા માટે જઈ રહેલી મહિલાનો પતિ જેલમાં હોવાનું સામે આવ્યું છે. પૂછપરછમાં આવી પણ વિગતો ખુલી છે કે, મહિલાના પતિને જે વ્યક્તિએ જેલમાં પુરાવ્યો હતો તેણે મહિલા પાસે અભદ્ર માગણી કરી હતી. જે બાદમાં મહિલાને લાગી આવતા પુત્ર સાથે આપઘાત કરવા માટે દોડી આવી હતી. મહિલાએ જણાવ્યું છે કે તે પતિ સામેની ફરિયાદ પાછી ખેંચવાની આજીજી કરવા માટે ફરિયાદી પાસે ગઈ હતી. આ દરમિયાન પતિને જેલમાં પુરાવનાર ફરિયાદીએ મહિલાને તેની સાથે અંગતપળો માણવાની માંગણી કરી હતી. જે બાદમાં મહિલાને લાગી આવ્યું હતું અને તેણી આપઘાત કરવા માટે દોડી ગઈ હતી.પ્રાપ્ત વિગત પ્રમાણે આત્મહત્યાનો પ્રયાસ કરનાર મહિલાના પતિ વિરુદ્ધ ટ્રક વેચાણના પૈસાની લેતીદેતી મામલે કલમ 138 મુજબ ફરિયાદ થઈ હતી. આ કેસમાં ગુના મુજબ સજા કાપી રહેલો પતિ કોર્ટ મુદત હોવાથી હાલોલ કોર્ટમાં આવ્યો હતો. જ્યાં મહિલા પતિને મળવા પહોંચી હતી. મહિલાના આત્મહત્યાના પ્રયાસ બાદ સમગ્ર મામલો હાલોલ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. પોલીસે આ કેસમાં ગુનો દાખલ કરીને ઘટતી કાર્યવાહી હાથ ધરી છે.વધુ વાંચો -
રાજ્યમાં મધ્યપ્રદેશની યુવતીની લાશ મળવા પાછળ કયું રહસ્ય
- 06, માર્ચ 2021 09:13 AM
- 7949 comments
- 6335 Views
દાહોદ-લીમખેડા તાલુકા મંગલમહુડી નજીક રેલ્વે ગરનાળામાંથી યુવતીની રહસ્યમય સંજાેગોમાં લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. મૃતક યુવતી અમદાવાદથી સોમનાથ-જબલપુર એક્સપ્રેસમાં બેસીને ભોપાલ જતી હતી. જાેકે, ચાલુ મુસાફરી દરમ્યાન મૃતક મહિલા ગુમ થતા પરિજનોએ પીલીસને જાણ કરી હતી. રેલવે પોલીસે યુવતીની શોધખોળમાં લીમખેડા નજીક હોવાનું બહાર આવ્યું હતું. યુવતી મધ્ય પ્રદેશના અનુપનગરની છે. લીમખેડા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. લીમખેડા પોલીસે મૃતક યુવતીનું પેનલ પીએમ કરી મૃતદેહને પરિવારને સોંપ્યો છે. ત્યારે રેલવેના ગરનાળામાં યુવતીની લાશ કેવી રીતે પહોંચી તેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.વધુ વાંચો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- ભારત - ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૦
- ભારત - ઈંગ્લેન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૧
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ