પંચમહાલ સમાચાર

  • ગુજરાત

    પંચમહાલમાં ખાનગી બસના ચાલકોએ પરપ્રાંતિય મજૂરોને બસના છાપરા પર બેસાડી મુસાફરી કરાવી

    ગોધરા ગોધરા-વડોદરા હાઇવે ઉપર રાજસ્થાનથી આવતી ખાનગી બસોના ચાલકો મજૂરી અર્થે જતા લોકોને પોતાનો જીવ જાેખમમાં મૂકાવી જાણે મોતની મુસાફરી કરાવી રહ્યા છે. ગોધરા શહેર અને બાયપાસ રોડ પર આવા દૃશ્યો જાણે હવે સામાન્ય થઈ રહ્યા છે. આવી જાેખમી મુસાફરી થતી હોવા છતાં પોલીસ તંત્રને આ કેમ નજરે આવતુ નથી. બીજુ કે હાલમાં લોકસભાની ચૂંટણીને લઈ વિવિધ જગ્યાઓ પર ચેકપોસ્ટ પણ ઉભા કરવામા આવ્યા છે. ત્યારે પોલીસને આ આંખે આવતું નહીં હોય તે પણ એક સવાલ છે. જાે આ રીતની જાેખમી મુસાફરીથી કોઈ અઘટીત ઘટના બને તો જવાબદાર કોણ તેવા સવાલો પણ થઈ રહ્યા છે. પંચમહાલ જિલ્લાને અડીને દાહોદ જિલ્લો આવેલો છે અને ત્યાંથી મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં જઈ શકાય છે. આ રાજ્યોમાંથી ગુજરાતમાં આવેલા મોટા શહેરોમાંથી ખાનગી બસોની અવરજવર રહેતી હોય છે. ખાસ કરીને જે ગુજરાતમાં મજુરી કામ કરતા હોય તે લોકો અવરજવર આ ખાનગી બસોમાં કરતા હોય છે. તહેવારોનો સમય હોય ત્યારે આ બસોમાં ચિક્કાર ભીડ જાેવા મળે છે. હાલમાં લગ્નસરાની મોસમ ચાલી રહી છે ત્યારે ગોધરા શહેર અને બાયપાસ રોડ પરથી ખાનગી બસચાલકો બસની ઉપર મુસાફરો બેસાડીને ખુલ્લેઆમ આરટીઓના નિયમોની ઐસીતૈસી કરી રહ્યા છે અને મોતની મુસાફરી કરાવી રહ્યા છે. 
    વધુ વાંચો
  • ગુજરાત

    કેનાલમાં ઝંપલાવનાર હાલોલના યુવાન શોધખોળ

    હાલોલ હાલોલ વડોદરા હાઇવે રોડ પર આવેલી નર્મદા કેનાલમાં બુધવારે કુદેલા હાલોલના આશાસ્પદ યુવાન નરેન્દ્ર ઉર્ફે નયલુનો ૩૦ કલાક બાદ પણ કોઈ પત્તો નહીં ટીમ પણ સર્ચ ઓપરેશનમાં જાેડાઈ છે. હાલોલ શહેરના વોર્ડ નંબર ૨ ના મહિલા કોર્પોરેટર અને વોર્ડ નંબર ૨ માં આવેલ ગુરુકૃપા સોસાયટીમાં રહેતા સુખીબેન ભાઈલાલભાઈ ચૌહાણનો યુવાન પરણિત પુત્ર નરેન્દ્ર ઉર્ફે નયલું ચૌહાણ ગઈકાલે બુધવારે વહેલી સવારના સુમારે હાલોલ વડોદરા હાઇવે રોડ પર આવેલી ખંડીવાળા ગામ પાસેની નર્મદાની મુખ્ય કેનાલમાં કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરવાના ઇરાદે કુદી પડ્યો હતો જેમાં તેને બચાવવા જતા તેની પાછળ પડેલી તેની પત્ની પણ કેનાલમાં ડૂબવા લાગી હતી જેમાં બનાવ જાેઈ આસપાસથી દોડી આવેલા લોકો પૈકીના કોઈ એક વ્યક્તિએ તેને ડૂબતી હાલતમાંથી બચાવી લઇએ પાણીમાંથી બહાર કાઢી સારવાર માટે મોકલી આપી હતી જેને લઈને તેનો આબાદ બચાવ થયો હતો જાેકે આપઘાત કરવાના ઈરાદે નર્મદા કેનાલના ઊંડા વહેતા પાણીમાં કુદેલ નરેન્દ્ર ઉર્ફે નયલું ઊંડા વહેતા પાણીમાં તણાઈ જઈ પાણીમાં ગરકાવ થઈ જતા તાત્કાલિક બનાવ અંગેની જાણ હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમને કરવામાં આવતા ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ફાયર ફાઈટરની ટીમે વહેતા નર્મદા કેનાલના પાણીમાં બોટ મારફતે નરેન્દ્ર ઉર્ફે નયલુની તપાસ હાથ ધરી હતી પરંતુ તેનો બપોર સુધી કોઈ પત્તો ન લાગતા વડોદરાની ફાયર ફાઈટરની ટીમની પણ મદદ લેવાઈ હતી જેમાં આ બંન્ને ટીમોએ ગઈ કાલે બુધવારે મોડી સાંજે અંધારું થતા સુધી નયલુને પાણીમાંથી શોધવાની ભારે કોશિષ હાથ ધરી હતી પરંતુ નયલુનો કોઈ પત્તો ન લાગતા આખરે સર્ચ ઓપરેશન મૂલતવી રાખી આજે ગુરુવારે વહેલી સવારે ૭ઃ૦૦ કલાકથી ફરી એકવાર હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમના કર્મચારીઓ બોટ મારફતે નર્મદા કેનાલના વહેતા પાણીમાં ઉતરીને નરેન્દ્ર ઉર્ફે નયલુની શોધખોળમાં લાગ્યા હતા પરંતુ બપોર સુધી તેનો કોઈ પત્તો ન લાગતાં આખરે બપોરે ૨ઃ૦૦ કલાકના સુમારે વડોદરાની એનડીઆરએફ ટીમની મદદ લેવાઈ હતી જેના વડોદરા ની એનડીઆરએફની ટીમે ઘટના સ્થળે દોડી આવી નર્મદા કેનાલના ઊંડા વહેતા પાણીમાં ઉતરી પાણીમાં બોટ મારફતે ઉતરી શોધખોળમાં જાેતરાઈ હતી જેમાં એનડીઆરએફની અને હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમે નર્મદા કેનાલના વહેતા પાણીમાં કેટલા કિલોમીટર સુધીની કેનાલ ને ફેંસી નાખી વહેતા પાણીમાંથી નરેન્દ્ર ઉર્ફે નયલુને શોધવા કવાયત હાથ ધરી છે પરંતુ આ લખાઈ રહ્યું છે ત્યારે આજે ગુરુવારે ૪ઃ૦૦ વાગ્યા સુધી બનાવના ૩૦ કલાક ઉપરાંતનો સમય વીતી જવા છતાં નરેન્દ્ર ઉર્ફે નયલુનો કોઈ સગડ ન મળ્યા હોવાની માહિતી મળી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    સંજેલી બસ સ્ટેશનના કમ્પાઉન્ડના ઝાડી ઝાખરામાંથી નવજાત બાળકી મળતા ચકચાર

    સંજેલી સંજેલી નગરના બસ સ્ટેશનના કમ્પાઉન્ડની અંદર રોડની ડાબી બાજુમાં આવેલ ઝાડી ઝાંખરામાંથી ૧૫દિવસની જીવિત બાળકી કપડા ભરેલી થેલીમાંથી મળી આવતા સંજેલી તાલુકા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગત અનુસાર ફતેપુરા તાલુકાના હિંદોલીયા ગામના રહેવાસી અને સંજેલી બસ સ્ટેશનમાં હાલ ટ્રાફિક કંટ્રોલર તરીકે ફરજ બજાવતા મહેશભાઈ તેરસિંગભાઈ ભાભોર આજરોજ સવારે સાતેક વાગ્યાના સુમારે સંજેલી બસ સ્ટેશનમાં પોતાની ફરજ પર હાજર હતા. અને તે સમયે તેઓ પોતાની ફરજના ભાગરૂપે બસ સ્ટેશનના દક્ષિણ દિશાના ગેટ બાજુ ચેકિંગ કરવા માટે ગયા હતા. તે સમયે બસ સ્ટેશનના કમ્પાઉન્ડની અંદર રોડની ડાબી બાજુ આવેલ ઝાડી ઝાંખરામાંથી નવજાત બાળકના રડવાનો અવાજ આવતા તેઓ તે દિશામાં આગળ વધી ઝાડી ઝાંખરા નજીક જઈને જાેતા ત્યાં કપડાં ભરેલી લાલ કલરની વાદળી પટ્ટાવાળી એક થેલીમાં નવજાત શિશુ નજરે પડતા તેઓએ આજુબાજુ તપાસ કરતા કોઈ મહિલા કે પુરુષ ત્યાં જાેવા ન મળતા તેઓએ આ અંગેની જાણ સંજેલી પોલીસને કરતા તાબડતોબ ઘટના સ્થળે દોડી આવેલ સંજેલી પોલીસે નવજાત બાળકીનો કબજાે લઈ પ્રાથમિક સારવાર કરાવવાની તજવીજ હાથ ધરી હતી. 
    વધુ વાંચો
  • ગુજરાત

    ગોધરાના કાકણપુર પાસે ગેરકાયદેસર ખનન કરતા બે ઈસમોને પકડી પાડ્યા

    ગોધરા ગોધરા ખાણ ખનીજ વિભાગની ટીમને ચેકીંગ દરમિયાન બાતમી મળી હતી કે, ગોધરા તાલુકાના કાકણપુર પાસે આવેલા નંદીસર રોડ ખાતે પસાર થતી કુણ નદી પાસે ગેરકાયદેસર રીતે જેસીબી મશીન દ્વારા એક ટ્રેક્ટરમાં રેતી અને મોરમ ભરાઈ રહ્યું છે. જેથી ખાણ ખનીજ વિભાગની ટીમે રેડ કરી અને એક ટ્રેક્ટર અને જેસીબી મશીન સહિત ૫૦ લાખનો મુદ્દામાલ કબજે કરી બે ઈસમોની અટકાયત કરી દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ગઇકાલે રાત્રિના ૧૨થી ૧૨.૩૦ વાગ્યાની આસપાસ પંચમહાલ જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમ ગેરકાયદેસર હેરાફેરી કરતા ખનીજ માફીયાઓ ઉપર બાજ નજર રાખી નાઈટ પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે ખાનગી બાતમીદારો પાસેથી બાતમી મળી હતી કે, ગોધરા તાલુકા કાકણપુર પાસે આવેલા નંદીસર રોડ ખાતે પસાર થતી કુણ નદી પાસે એક જેસીબી મશીન દ્વારા એક ટ્રેક્ટરમાં મોરમ અને રેતી ભરીને ગેરકાયદેસર જઈ રહ્યું છે. જે બાતમીના આધારે ગોધરા ખાણ ખનીજ વિભાગની ટીમ રેડ દરમિયાન ગોધરા તાલુકા કાકણપુર પાસે આવેલા નંદીસર રોડ ખાતે એક જેસીબી મશીન અને ટ્રેક્ટર સહિત ૫૦ લાખનો મુદ્દામાલ કબજે કરી બે ઈસમોની અટકાયત કરી દંડની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે પકડાયેલા મુદ્દામાલને ગોધરા કલેક્ટર કચેરી ખાતે સીઝ કરીને મુકવામાં આવ્યો હતો.
    વધુ વાંચો
  • ગુજરાત

    રાધિકા રાઠવાએ કહ્યું, તમે મહિલા વિરોધી નેતા છો, તમારી ઈચ્છા નથી કે આદિવાસી મહિલાઓનો અવાજ બુલંદ થાય

    રાજપીપળા, તા.૯હાલમાં જ આદિવાસી મહિલા રેશમા વસાવાએ નિવેદન આપ્યું કે મનસુખભાઈ વસાવાની જગ્યાએ મોદી સરનેમ લખાવે, ત્યારે એ મુદ્દે ભાજપ સાંસદ મનસુખ વસાવા અને છોટાઉદેપુર આપ પ્રમુખ રાધિકા રાઠવા સામ સામે આવી ગયા છે.ડેડીયાપાડાના ગંગાપુર ખાતે ભારત વિકસીત સંકલ્પ યાત્રામાં મનસુખ વસાવાએ જણાવ્યું કે આપ વાળા મહીલાઓને આગળ કરે છે હિંમત હોય તો સામે આવે. ડેડીયાપાડાના ગંગાપુર ખાતે ભારત વિકસીત સંકલ્પ યાત્રા દરમિયાન મનસુખ વસાવાએ જણાવ્યુ હતુ કે એક આદિવાસી મહિલાએ સોશિયલ મીડિયામાં નિવેદન આપ્યું કે મનસુખભાઈ વસાવાની જગ્યાએ મોદી સરનેમ લખાવે.મારા બાપ દાદા આદિવાસી હતા તો હું શું કરવા મોદી સરનેમ લખાવું, કહેતા ભી દિવાના સુનતા ભી દિવાના.આપ વાળા કહે છે કે ચુંટણી આવી એટલે મનસુખ વસાવા ચૈતર વસાવાથી ડરી ગયા જેથી મનસુખ વસાવાએ ચૈતર વસાવાને ફસાવ્યા છે.પણ હું હિન્દુસ્તાનમાં કોઈનાથી ડર્યો નથી અને ડરવાનો પણ નથી.બની બેઠેલા લોકો અને ઠગવા વાળા જુઠા લોકોથી હુ નથી ડરતો. ચૈતર વસાવા પર થયેલી ફરીયાદ મુદ્દે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ઈશુદાન ગઢવીને અમદાવાદમાં બેઠા બેઠા ખબર ન પડે કે ફોરેસ્ટનો કાયદો કેવો છે, જાે એ કાયદા સામે ચેન ચાડા કરશો તો ખબર પડી જશે.આપ વાળા મારી સામે જેટલા પ્રશ્નો ઉભા કરશે એનો હું જવાબ આપીશ.જાે કોઈ પણ રાજનેતા સરકારી અધિકારીઓને દબાવતા હોય કે હેરાન કરે તો એમણે પણ સંગઠીત થવું પડશે, બાકી આગળ જતા અઘરું પડશે. તો બીજી બાજુ છોટાઉદેપુર આપ પ્રમુખ રાધિકા રાઠવાએ જણાવ્યું હતું કે ચૈતર વસાવાની પત્નિને ખોટી રીતે ફસાવી ત્યારે મનસુખ વસાવા કેમ ન બોલ્યા, તમે ભાજપ મહીલા ધારાસભ્ય વિરુદ્ધ ખોટા આક્ષેપો કરો છો.તમે મહીલા વિરોધી આદિવાસી નેતા છો.તમારી ઈચ્છા નથી કે આદિવાસી મહિલાઓનો અવાજ બુલંદ થાય.તમારે ખરેખર મોદી સરનેમ લખાવવી જાેઈએ.હું આદીવાસી છું એમ બોલવાથી આદિવાસી ન થવાય એના માટે કામ કરવું પડે.
    વધુ વાંચો
  • ગુજરાત

    હું ગૃહમંત્રીનો પીએ છું, કાલે બદલી કરાવી દઈશ

    વડોદરા, તા. ૮ રાજયમાં છેલ્લા કેટલાક સમયથી પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીની કચેરીના અધિકારી બાદ કેન્દ્રિય અને રાજયકક્ષાના મંત્રીઓના પીએ તરીકેની બોગસ ઓળખ આપવાનો સિલસિલો હવે વડોદરા સુધી આવી પહોંચ્યો છે. શહેરના છેવાડે ગોલ્ડનચોકડી પાસેના સર્વિસરોડ પર ગત મધરાતે રોડ પર ઉભા રહેલા યુવકોને ટ્રાફિક પોલીસે સાઈડમાં ઉભા રહેવાનું કહેતા જ નશામાં ધુત ત્રિપુટીએ અપશબ્દો બોલી પોલીસ પર હુમલો કર્યા બાદ એક યુવકે યુવકે ‘હું ગૃહમંત્રીનો પીએ છું, કાલે તમારી બદલી કરાવી દઈશ’ તેવી ધમકી આપી હતી. ધમકી બાદ કારમાં ફરાર થઈ રહેલા યુવકને ઝડપી પાડવા પોલીસે પીછો કરતા યુવકના અન્ય સાગરીતોએ પોલીસનો પીછો કર્યો હતો. બનાવની ગંભીરતા જાેતા આ અંગેની પોલીસે કન્ટ્રોલ રૂમમાં જાણ કરતા પોલીસની અન્ય ગાડીઓ હાઈવે પર દોડી આવી હતી જેના પગલે ત્રિપુટી ઝડપાઈ જતાં તેઓની ધરપકડ કરાઈ હતી. શહેર ટ્રાફિક શાખા પુર્વ ઝોનના હેડ કોન્સ્ટેબલ નવીનચંદ્ર મથુરભાઈ ગત રાત્રે ટ્રાફિક બ્રિગેડના ડ્‌ાઈવર જ્યોતિષકુમાર પરમાર સાથે સ્પિડ ગન વન મોબાઈલમાં પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. તેઓ હાઈવે પર ગોલ્ડનચોકડી પાસેના સર્વિસરોડ પર આવેલા પારસ ઢાબા પાસેથી પસાર થતાં હતા તે સમયે તેઓએ રોડ પર ઉભા રહેલા બે યુવકોને સાઈડમાં ઉભા રહીને વાત કરવા જણાવ્યું હતું. પોલીસની વાત સાંભળીને બંને યુવકો એકદમ પોલીસની ગાડી પાસે ગયા હતા જે પૈકીના એક વરુણ નારાયણભાઈ પટેલ (દરજીપુરાગામ, વડોદરા)ને નવીનચંદ્ર ઓળખી ગયા હતા. બંને યુવકોએ દારૂનો નશો કરેલી હાલતમાં પોલીસની ગાડીનો દરવાજાે ખોલી તમે કેમ અહીંયા આવ્યા છો ? તેવું પુછ્યું હતું. નવીનચંદ્રએ યુવકોને દારૂનો નશો કર્યો હોવાનું કહેતા જ તેઓએ ઉશ્કેરાઈને તમે ટ્રાફિકવાળા છો તમારે કોઈ લેવાદેવા નથી તેમ કહીને ડ્રાઈવર સાથે ઝપાઝપી કરીને ડ્રાઈવરને રોડ પર પછાડીને ઈજા પહોંચાડી હતી. આ હુમલામાં નવીનચંદ્રએ દરમિયાનગીરી કરતા તેમને પણ અપશબ્દો બોલીને બંને યુવકોએ છુટ્ટાહાથની મારામારી કરી હતી જે પૈકી વરુણ પટેલે ધમકી આપી હતી કે ‘હું ગૃહમંત્રીનો પી.એ.છું, હું કાલે તમારી બદલી કરાવી દઈશ, તમે અહીંયા કેવી નોકરી કરો છો’ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ધમકી બદલ નવીનચંદ્રએ તેને પકડવાનો પ્રયાસ કરતાં તે નજીક ઉભેલી સફેદ રંગની કિયા કારમાં બેસીને ભાગ્યો હતો. નવીનચંદ્ર અને ડ્રાઈવરે વરુણનો પીછો કરતા જ વરુણના સાગરીતોએ થાર અને અન્ય એક સફેદ રંગની કારમાં પોલીસનો પીછો કર્યો હતો અને પોલીસની વાનની આગળ-પાછળ કાર હંકારી હતી. આ બનાવના પગલે નવીનચંદ્રએ સવા બે વાગે પોલીસ કન્ટ્રોલ રૂમમાં વાયરલેસ મેસેજથી જાણ કરી હતી. નવીનચંદ્ર હરણી પોલીસ મથકે આવતા વરુણના સાગરીતોએ પોલીસ મથક સુધી પીછો કર્યો હતો પરંતું ત્યાં હરણી પીઆઈની ગાડી અને પીસીઆર વાન આવી જતા પોલીસે કોર્ડન કરીને વરુણ પટેલ તેમજ તેના બે સાગરીતો આકાશ સુરેશભાઈ પટેલ (હરણીગામ, મોટુ ફળિયું) અને પિનાક વિનેશભાઈ પટેલ (હરણીગામ)ને નશો કરેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા. આ બનાવની નવીનચંદ્રની ફરિયાદના પગલે હરણી પોલીસે ઉક્ત ત્રિપુટીની હુમલો અને ધમકીના ગુનાની તેમજ દારૂબંધીના ગુનાની બે ફરિયાદો નોંધી હતી.ગૃહમંત્રીના પીએની બોગસ ઓળખ આપી છતાં તેનો ગુનો નહીં નોંધ્યો પોલીસ પર હુમલો કરનાર વરુણ પટેલે પોતે ગૃહમંત્રીનો પીએ હોવાની બોગસ ઓળખ આપી પોલીસની બદલી કરાવી દેવાની ધમકી ઉચ્ચારી હતી. તાજેતરમાં રાજ્યમાં સરકારી અધિકારી કે કર્મચારીની બોગસ ઓળખ આપી ઠગાઈ કરતા ઝડપાયેલા ગઠિયાઓ વિરુદ્ધ પોલીસે બોગસ ઓળખ આપવા બદલનો અલાયદો ગુનો નોંધ્યો છે, પરંતુ ગત રાતના કિસ્સામાં પોલીસે વરુણ વિરુદ્ધ બોગસ ઓળખ આપવાનો ગુનો નહી નોંધતા પોલીસ કામગીરીએ વિવાદ ઉભો કર્યો છે. રાજ્યગૃહમંત્રી હર્ષ સંઘવીએ આરોપીઓના સાથે ખભે હાથ મુકેલા ફોટા વાયરલ થયાં ગત રાત્રે ટ્રાફિક પોલીસને જાહેરમાં અપશબ્દો બોલીને માર માર્યા બાદ પોલીસને બદલી કરાવી દેવાની ધમકી આપનાર વરુણ પટેલ અને આકાશ પટેલ તેમજ પોલીસનો પીછો કરનાર સાગરીતો પણ ભાજપા સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે. એટલું જ નહીં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પૈકીના વરુણ પટેલ અને આકાશ પટેલ સાથે તેઓના ખભે હાથ મૂકીને ફોટા પડાવ્યાં હતાં, જે ફોટા આ બંનેએ સોશ્યલ મીડિયા પર મૂક્યા હતા, જે આજે બંનેની ધરપકડ થતાં વાયરલ થયા હતા. નશેબાજાે પોલીસ પર હુમલો કરતા છેક પોલીસ મથક સુધી પહોંચી ગયા! રાત્રે દારૂનો નશો કરીને મધરાતે વૈભવી કારોમાં ફરીને રોડ વચ્ચે ઉભા રહીને ટોળટપ્પા કરતા નબીરાઓની હિમ્મત એટલી હદે વધી ગઈ હતી કે તેઓએ પોલીસની ગાડીનો પીછો કરીને તેઓની આગળ પાછળ ગાડી હંકારીને પોલીસને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહી ટ્રાફિક પોલીસની ગાડી હરણી પોલીસ મથકે પહોંચતા આ ટોળકી ઠેક પોલીસ મથક સુધી પહોંચી ગઈ હતી. નશેબાજ ત્રિપુટી અને તેઓના સાગરીતોને કોનું પીઠબળ છે કે તેઓને પોલીસનો કોઈ જ ડર નથી રહ્યો ?. જાે તે દિશામાં પોલીસ તપાસ થાય તો ઘણી વિગતો સપાટી પર આવશે.
    વધુ વાંચો
  • ગુજરાત

    પંચમહાલ જિલ્લામાં ફુડ સેફ્ટી વિભાગ દ્વારા ખાદ્ય-પદાર્થોનું ચેકીંગ હાથ ધરાયું

    હાલોલ, ગોધરા,તા. ૮ખોરાક અને ઔષધ નિયમન તંત્ર,ગોધરાના ફુડ સેફ્ટી ઓફિસરઓ દ્વારા તહેવારોને અનુલક્ષીને ખાદ્ય-પદાર્થોનું ચેકીંગ સતત હાથ ધરવામાં આવેલું છે.જેમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ઉત્પાદન તથા વેચાણ કરતા ફુડ બિઝનેસ ઓપરેટરોના એકમોમાં તહેવાર દરમ્યાન વપરાતા રો-મટીરિયલ્સ જેવા કે દુધ, ઘી, પનીર, ખાદ્ય-તેલ, મરી-મસાલા,માવો, મુખવાસ જેવા ખાદ્ય-પધાર્થોના ફુડ સેફ્ટી એક્ટ હેઠળ ૩૦ નમુના લઈ તપાસ અર્થે ફુડ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.વધુમાં દિવાળીના તહેવાર નિમિત્તે ફુડ સેફ્ટી ઓન વ્હીલ્સ (મોબાઈલ ટેસ્ટીંગ લેબોરેટરી) દ્વારા મીઠાઇ, માવો, પાણી,ચટણી,બળેલું તેલ વગેરેના ૧૭૬ નમૂના સ્થળ પર જ તપાસવામ આવ્યા છે અને બિન આરોગ્યપ્રદ ૨૮૨ કિલો ખાદ્ય-પદાર્થોનો નાશ કરાયો છે. મીઠાઈ-ફરસાણનું ઉત્પાદન-વેચાણ કરતી પેઢીઓમાં સઘન તપાસ કરીને મીઠાઈના ૨૩ નમૂના અને ફરસાણના ૩૮ નમુના લઇ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ રીતે તંત્ર ધ્વારા દિવાળીના તહેવારમાં જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વિવિધ ખાદ્ય-ચીજાેનું ઉત્પાદન અને વેચાણ કરતા ૧૪૮ પેઢીઓનું કડક ચેકીંગ કરી ૯૧ નમુનાઓ લઈ તપાસ માટે ફુડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓએ ૧૮૮ જેટલા વિદ્યાર્થીઓએ માનગઢ ધામની મુલાકાત લીધી

    ગોધરા,તા.૮દેશના રાજ્યોમાંથી આવેલા ૧૮૮ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય એકતા શિબીર દરમિયાન અલગ અલગ એક્ટિવિટીમાં ભાગ લીધો હતો. સાત દિવસ સુધી ચાલનારા આ આદિવાસી અસ્મિતા પર્વ કાર્યક્રમમાં ગુજરાત, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કેરળ અને તેલંગાણા રાજ્યોના વિદ્યાર્થીઓએ આ શિબિરમાં ભાગ લીધો હતો. ત્યારે એકતા શિબીર અંતર્ગત અલગ અલગ રાજ્યોમાંથી આવેલા વિદ્યાથીઓને માનગઢ ધામની મુલાકાત કરવામાં આવી હતી. રાષ્ટ્રીય એકતા શિબિર એટલે કે એનઆઇસી જેનું આયોજન શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના એન એસ એસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત સહિત કુલ નવ રાજ્યોના ૨૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓએ તાજેતરમાં માનગઢ ધામની મુલાકાત લઈ માનગઢનો ઇતિહાસ જાણ્યો હતો. છત્તીસગઢ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, કેરાલા, મધ્યપ્રદેશ,ઓરિસ્સા, રાજસ્થાન સહિતના વિદ્યાર્થીઓએ ગુરુ ગોવિંદનો ઇતિહાસ જાણી જલિયાવાલા બાગથી પણ જધન્ય અપરાધ અંગ્રેજાેએ માનગઢ ધામ ખાતે કર્યો હતો. ત્યારે દેશને આઝાદી આપવામાં ગુરુ ગોવિંદની ભૂમિકા જાણી સૌ કોઈ અભિભૂત થઈ ગયા હતા. સમગ્ર પ્રવાસનું આયોજન એનએસએસના યુનિવર્સિટીના કોર્ડીનેટર ડો.મયંક શાહની આગેવાનીમાં એનએસએસ ટીમ દ્વારા સંપન્ન થયું હતું.
    વધુ વાંચો
  • ગુજરાત

    શહેરા તાલુકાના ધારાપુર ચોકડી પાસે પાનમ સિંચાઈ વિભાગની ચોકીની જગ્યા પર દબાણ

    શહેરા ઃ શહેરા તાલુકાના ધારાપુર ચોકડી પાસે પાનમ સિંચાઈ વિભાગની ચોકીની જગ્યા પર દબાણ થતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જાેકે તંત્ર દ્વારા દબાણ કરનારને દસ દિવસનો સમય આપવા સાથે પોલીસ બંદોબસ્ત વચ્ચે ચાર દુકાનમાંથી એક દુકાન જેસીબી મશીનથી તોડી પાડવામાં આવી હતી. શહેરા તાલુકામાં સરકારી જગ્યાઓમાં દિન પ્રતિદિન દબાણ વધતા હોય એવા કિસ્સાઓ ધીમે ધીમે બહાર આવતા હોય એમ લાગી રહ્યું છે. તાલુકાના ધારાપુર ગ્રામ પંચાયત એ વર્ષ ૧૯૮૦માં પાનમ સિંચાઈ વિભાગને માઇનોર સાંકળ ૩,૦૫૦ મીટર પર ચોકી માટે જગ્યા ફાળવવામાં આવી હતી. ગ્રામ પંચાયત દ્વારા મળેલ ખરાબાની જમીનમા પાનમ સિંચાઇ વિભાગ એ પાકી ઈંટોની દીવાલની પતરાના શેડની ચોકી કર્મચારીઓ ને બેસવા માટે બનાવવામાં આવી હતી.વર્ષ ૨૦૨૧ માં વરસાદના કારણે ચોકી ધરાશાયી થઈ જતા આ જગ્યા પર થોડા મહિનાઓ પહેલા એક વ્યક્તિ દ્વારા દબાણ કરવામાં આવેલ હોવાનું પાનમ સિંચાઈ વિભાગને માલુમ થતા ગ્રામ પંચાયત દ્વારા દબાણ કરનાર ભરવાડ ખાતુભાઇ ને આ અંગે નોટિસ પાઠવવામાં આવી હતી. બુધવારના રોજ પાનમ સિંચાઈ વિભાગ, તાલુકા વિકાસ અધિકારી, ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તેમજ સબંધિત તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં પોલીસ બંદોબસ્ત સાથે રાખીને ચાર દુકાનો પાકી ઉભી કરવામાં આવી હતી તે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેસીબીના મદદથી ચાર માંથી એક દુકાન નું દબાણ દૂર કરવામાં આવવા સાથે દબાણ કરનાર ભરવાડ ખાતુભાઈએ આ જગ્યા માલિકીની હોવાનું તંત્ર સામે અનેક વખત જણાવી રહ્યા હોવાથી સંબંધિત તંત્રના અધિકારીઓ દ્વારા વધુ દસ દિવસની મુદત આપવામાં આવી હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    હાય રે મજબૂરી! પુુત્ર મોતને હાથતાળી ના આપે તે માટે ખુદ માતા-પિતાએ તેનાં હાથ બાંધી દીધાં!

    વડોદરામાં વધુ એક મંગળવારની સવાર ગોઝારી સાબિત થઈ શહેરના કારેલીબાગ વિસ્તારના આનંદનગરમાં ભાડાના મકાનમાં ઉપરના માળે પોતાની બે પુત્રીઓ સાથે રહેતી ૪૨ વર્ષીય ડિવોર્સી દક્ષા ચૈાહાણે પણ આર્થિક ભીંસના કારણે રાત્રિના સમયે તેની બંને પુત્રીઓ ૧૯ વર્ષીય હની અને ૧૪ વર્ષીય શાલીનીને જમવામાં ઝેર આપ્યા બાદ બંને પુત્રીઓના ગળે ટુંપો આપીને હત્યા કરી હતી અને ત્યારબાદ ગત ૧૧મી જુલાઈના મંગળવારની સવારે તેણે પણ મકાનમાં ફાંસો ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જાેકે આ સમયે તેના મકાનમાં સરનામુ પુછવા માટે આવેલી અજાણી વ્યકિતએ બુમરાણ મચાવતા મકાનમાલિક અને તેમના પરિવારજનોએ દક્ષાને ફાંસો ખાતા અટકાવતા તેનો બચાવ થયો હતો. આ ઘટના મંગળવારે સવારે બન્યા બાદ આજે પંચાલ પરિવારે પણ મંગળવારના સવારે જ સામુહિક આપઘાત કરતા શહેરમાં એક જ માસમાં મંગળવારની સવાર વધુ એક વાર ગોઝારી સાબિત થઈ છે. દર્દ સહન થતું નોહતું છતાં મુકેશભાઈએ જાતે ગળા પર બ્લેડના ચીરા માર્યા મુકેશભાઈને તેમના પુત્રનું ફાંસો ખાવાના કારણે અને પત્નીએ વિષપાન કરવાના કારણે મોત થયાની જાણ થતાં તેમણે પણ આપઘાત કરવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો. એક હુંકમાં પુત્રનો મૃતદેહ લટકેલો હોઈ અને ઘરમાં લાવેલી ઝેરની બંને બોટલો પત્નીએ ખાલી કરી નાખી હોઈ મુકેશભાઈને આપઘાત માટે અત્યંત પિડાદાયક માર્ગ પસંદ કરવાની ફરજ પડી હતી. મુકેશભાઈએ રસોડામાંથી ચાકુ લાવી ગળા પર જાતે ઘા કર્યા બાદ દાઢી કરવાની બ્લેડથી ગળા પર ચીરા મારવાની શરૂઆત કરી હતી. ગળા પર બ્લેડના ચીરા મારતી વખતે પિડા સહન નહી થતાં તેમણે બચાવ માટે બુમો પાડી હતી. જાેકે પત્ની અને પુત્રના મૃતદેહો નજર સામે હોઈ પિડા સહન નહી થવા છતાં તેમણે વધુ ઝનુનપુર્વક જાતે ગળા પર ચીરા માર્યા હતા અને ગળાની ઠેક અંદર સુધી તેમને ગંભીર ઈજાઓ પહોંચતા ટુંકી સારવાર બાદ તેમનું પણ મોત નિપજ્યું હતું. નયનાબેને એક્સેસ પોઈઝન ડ્રિન્કિંગ કર્યાનો રિપોર્ટ નયનાબેન પંચાલનું ઝેરી દવા પીવાના કારણે મોત નિપજ્યું હોઈ તેમણે જાતે દવા પીધી છે કે પછી તેમને પતિ કે પુત્રએ બળજબરીથી ઝેરી દવા પીવડાવી છે તેની ખરાઈ માટે નયનાબેનનું સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ હાથ ધરાયું હતું. પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં નયનાબેનના શરીરમાંથી વધુ પડતા ઝેરનો જથ્થો મળ્યો હતો. આ અંગે પીઆઈ તિવારીએ જણાવ્યું હતું કે નયનાબેનના શરીરમાંથી જેટલુ ઝેર મળ્યું છે તે કોઈ પણ વ્યક્તિને બળજબરીથી પીવડાવવાનું અશક્ય છે. નયનાબેનના શરીરમાંથી એક્સેસ પોઈઝન મળતા તેમણે પોતે કોઈ પણ રીતે બચી ના શકે તેવું નક્કી કરીને જ વધુ પડતુ ઝેર પીધું હતું. તેમનું આશરે ચારેક વાગે મોત થયાનું અનુમાન હોઈ તેમણે ગત રાત્રે જ ઝેર પીધું હોવાની શંકા છે. પરિવારને આજે ભાડાનું મકાન ખાલી કરવાની તાકીદ કરાયેલી મુકેશભાઈ જે મકાનમાં ભાડેથી રહે છે તે મકાન હાલમાં વિવેક સિંહ નામના યુવકે જુના માલિક પાસેથી ખરીદયુ છે. વિવેક સિંહે મુકેશભાઈને જાણ કરી હતી કે તેણે આ મકાન ખરીદયુ છે એટલે તે એક માસમાં આ મકાન ખાલી કરી દે. એક માસની મુદત આજે પૂરી થતાં મુકેશભાઈને આજે મકાન ખાલી કરવાનું હતું અને મુકેશભાઈ દાંડિયાબજાર વિસ્તારમાં જ ભાડાનું એક મકાન નક્કી પણ કરી આવ્યા હતા. જાેકે મકાન ખાલી કરવાના દિવસે મુકેશભાઈએ પરિવાર સાથે સામુહિક આપઘાત કરતા પોલીસે નવા મકાનમાલિકની પણ પૂછપરછ કરી હતી. યુવાન પુત્ર બેકાર હોઈ મુકેશભાઈ વારંવાર ઓવરટાઈમ કરતા હતા મુકેશભાઈ ખાનગી સિક્યુરીટી કંપનીમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા અને તેમને દર મહિને માત્ર ૭૫૦૦ રૂપિયાનો પગાર મળતો હતો. હાલની કારમી મોંઘવારીમાં ભાડાના મકાનમાં રહીને પોતાનું તેમજ પત્ની અને યુવાન પુત્રનું ગુજરાન ચલાવવાનું અઘરુ હોઈ મુકેશભાઈ વારંવાર ઓવરટાઈમ કરતા હતા જેની તેમણે પોતાની એક ડાયરીમાં પણ નોંધ કરી હતી. આ ઉપરાંત તેમણે ખર્ચાઓને પહોંચી વળવા માટે કંપનીમાંથી ઉપાડ પણ લીધો હોઈ તેની પણ નોંધ ડાયરીમાંથી મળી આવી છે. કરુણાંતિકાની પરાકાષ્ઠા! પુુત્ર ફાંસો ખાધા બાદ શ્વાસ રૂંધાઈ ને બચાવનો પ્રયાસ ન કરી શકે એ માટે માતા-પિતાએ તેનાં હાથ બાંધ્યા! આજે સવારે પંચાલ પરિવારના મકાનમાં માતા અને પુત્રના મૃતદેહો અલગ અલગ રૂમમાં મળ્યા હતા જેમાં યુવાન પુત્ર મિત્તુલે બનિયન પહેરેલી હાલતમાં ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. મિત્તુલની લાશના બંને પગ જમીનને અડેલા હતાં જયારે તેના બંને હાથ ભૂરાં રંગના દુપટ્ટાથી ડબલગાંઠ મારીને બાંધેલી હાલતમાં જાેવા મળતા મિત્તુલે આપઘાત કર્યો છે કે પછી તેની હત્યા કરીને લટકાવી દેવાયો છે તે અંગે પણ શંકાઓ ઉભી થઈ હતી. પ્રારંભીક તપાસમાં પરિવારના ત્રણેય સભ્યોએ જાતે જ આપઘાત કર્યો હોવાની વિગતો સપાટી પર આવતા આ બનાવમાં કરૂણતાની પરાકાષ્ઠાએ સૌને હચમચાવી મૂક્યા હતા. મિત્તુલ ફાંસો ખાઈને આપઘાત કરવાનું નક્કી કરતા ફાંસો ખાધા બાદ શ્વાસ રૂંધાતા જ તે બચાવ માટે જાતે પ્રયાસ કરશે અને મોતને કદાચ હાથતાળી આપશે તેવી ખાતરી હોઈ ખુદ માતા-પિતાએ જ યુવાન પુત્રના બંને હાથ દુપટ્ટાથી બાંધી દીધા હતા અને ત્યારબાદ પુત્રએ ફાંસો ખાધો હતો. મરી જ જવાનો નિર્ધાર કરી પરિવાર કાયમ માટે પોઢી ગયું કાછિયાપોળમાં પંચાલ પરિવારના સામુહિક આપઘાત પ્રકરણની પોલીસ તપાસમાં એવી ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે કે પરિવાર આર્થિક ભીંસથી એટલી હદે કંટાળ્યું હતું કે તેઓએ ગમે તે ભોગે એક સાથે જ જીવનનો અંત લાવવાનું સામુહિક નિર્ણય લીધો હતો. ત્રણેય જણાએ એક જ પધ્ધતીથી આપઘાત કરશે તો કદાચ કોઈનો બચાવ થઈ જશે તેવુ લાગતા પુત્રએ બંને હાથ બાંધીને ફાંસો ખાઘો હતો જયારે માતાએ અત્યંત તીવ્ર જંતુનાશક ઝેરી દવા પીધી હતી. અંતે પિતાએ જાતે ગળા પર બ્લેડના ચીરા માર્યા અને પરિવાર કાયમ માટે પોઢી ગયું હતું. પુત્ર મિત્તુલને શેરબજારમાં દેવું થતાં પરિવાર ભીંસમાં મૂકાયું મુકેશભાઈનો યુવાન પુત્ર મિત્તુલ હાલમાં કોઈ કામધંધો કરતો ન હોઈ મુકેશભાઈને બેકાર પુત્રનું પણ ભરણપોષણ કરવાની ફરજ પડી હતી. મળતી વિગતો મુજબ મિત્તુલને તેના આડોશપાડોશમાં કોઈની સાથે મિત્રતા નહોંતી અને અગાઉ તે શેરબજારનું કામ કરતો હતો તેમાં તેને ખોટ ગઈ હતી. પુત્રએ દેવાળું ફુંકતા મધ્યમવર્ગીય પરિવાર આર્થિક ભીંસમાં મુકાયું હતું અને પુત્રની નિષ્ફળતાના કારણે સમગ્ર પરિવારનો ભોગ લેવાયો હોવાનું પણ મનાઈ રહ્યું છે. પરિવારને સંબંધી કે પડોશીઓ સાથે કોઈ સંપર્ક ન હતો! મુકેશભાઈ પંચાલે પુત્ર અને પત્ની સાથે આપઘાત કર્યાની જાણ થતાં જ મુકેશભાઈના બે સગા ભાઈઓ જે વડોદરામાં રહે છે તે પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. પોલીસે આ બંને ભાઈઓની તેમજ મુકેશભાઈના પાડોશીઓની પુછપરછ કરી હતી જેમાં એવી વિગતો મળી હતી કે મુકેશભાઈ અને તેમના પરિવારને છેલ્લા દસેક વર્ષથી ભાઈઓ કે અત્રે રહેતા સંબંધીઓ સાથે સંપર્ક નહોંતો અને માત્ર મરણપ્રસંગોમ ક્યારેક ભેગા થતા હતા.
    વધુ વાંચો