પંચમહાલ સમાચાર

  • ગુજરાત

    ગરમી ૪૩.ર ડિગ્રી ઃ લૂ લગાડતો ધગધગતો પવન અને આકરા તાપ વચ્ચે ગળાકાપ સ્પર્ધા

    વડોદરા, તા. ૧૨ઓરેન્જ એલર્ટ વચ્ચે મહત્તમ તાપમાનનો પારામાં આંશિક ધટાડા વચ્ચે મહત્તમ તાપમાનનો પારો ૪૩.૨ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયો હતો. છેલ્લા ત્રણ દિવસથી અંગદઝાડતી ગરમીને કારણે બપોર દરમ્યાન અનેક લોકો ઘરની બહાર નિકળવાનું ટાળતા હોવાથી મોટાભાગના રોડ – રસ્તાઓ સૂમસામ નઝરે પડ્યા હતા. રાજ્યભરમાં અસહ્ય ગરમીની આગાહી વચ્ચે આજે મહત્તમ તાપમાનમાં આંશિક રાહત જાેવા મળી હતી. છ રાજ્ય પૈકી વડોદરા શહેરમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવાની સાથે મહત્તમ તાપમાન ૪૩.૨ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાઈ હતી. અસહ્ય ગરમીને કારણે લૂ લાગવાના બનાવ , ચામડીના રોગો તેમજ ઝાડા ઉલ્ટી સહિતના વાયરલ બિમારીઓમાં વધારો જાેવા મળ્યો હતો. માનવીની સાથે પશી – પક્ષીઓમાં પણ ગરમીની અસર જાેવા મળી હતી. અસહ્ય તાપના કારણે તેમજ પીવાના પાણીના અભાવને કારણે મોટા પ્રમાણમાં પક્ષીઓ મૃત્યુ પામેલા જાેવા મળ્યા હતા. અસહ્ય તાપને પગલે મોટાભાગના રસ્તાઓ પર ડામર પીગળવાના કારણે અકસ્માતના બનાવમાં પણ વધારો જાેવા મળ્યો હતો. આજે દિવસ દરમ્યાન મહત્તમ તાપમાનમાં ૦.૬ ડીગ્રી સેન્ટીગ્રેડના ઘટાડા વચ્ચે તાપમાન ૪૩.૨ ડીગ્રી સેન્ટીગ્રેડ સાથે લધુત્તમ તાપમાન ૨૭ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. તે સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ દિવસ દરમ્યાન ૪૫ ટકાની સાથે સાંજે ૧૫ ટકા નોંધાયું હતું. તે સિવાય હવાનું દબાણ ૧૦૦૪.૧ મીલીબાર્સની સાથે પશ્ચિમ દિશા તરફથી નવ કિં.મી.ની ઝડપે પવન ફૂકાંયા હતા. પાલિકા દ્વારા ઠેર-ઠેર પાણીની પરબો શરૂ કરવામાં આવી અસહ્ય ગરમીને કારણે રાહદારીઓને શુધ્ધ પાણીની સુવિધા મળી રહે તે માટે પાલીકા દ્વારા વિવિધ વિસ્તારોમાં પાણીની પરબો શરુ કરવામાં આવી હતી. શહેરના મુખ્ય ત્રણ વિસ્તારો કારેલીબાગ , પાણીગેટ અને હરિનગર પાણીની ટાંકી પાસે પાણીની પરબો શરુ કરવામાં આવી હતી. તે સિવાય સયાજીબાગ ખાતે પણ પાણીની પરબ શરુ કરવામાં આવી છે. મેયર , સ્ટેન્ડીંગ કમિટી સહિતના અગ્રણીઓ દ્વારા પરબનો પ્રાંરભ કરવામાં આવ્યો હતો. પાલીકા સિવાય અન્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણીની સાથે છાશનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
    વધુ વાંચો
  • ગુજરાત

    સૂર્યના શ્રાપથી શહેરીજનો સ્તબ્ધ તાપમાન ૩૮.૬ ઃ રસ્તાઓ સૂમસામ

    વડોદરા, તા. ૭ સાઈક્લોન સક્ર્યુલેશનના કારણે સતત એક મહિનાથી વાદળછાયા વાતાવરણ અને માવઠાંના કારણે ઉનાળામાં પણ ચોેમાસાનો અહેસાસ શહેરીજનોને થયો હતો. સાયકલોનનો વેગ ફંટાઈ જતા કાળઝાળ ગરમીની અનુભૂતિ શહેરીજનોને છેલ્લા બે દિવસથી થઈ રહી છે ત્યારે આજે ઉનાળાની ઋતુમાં સૌ પ્રથમવાર મહત્તમ તાપમાનનો પારો ૩૮.૬ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાતા બપોર દરમ્યાન મોટાભાગના રોડ – રસ્તા સુમસામ જાેવા મળ્યા હતા. તે સિવાય ઉત્તર - પશ્ચિમ દિશા તરફથી તેર કીમીની ઝડપે ગરમ પવન ફૂંકાતા લૂ સહિતની વાયરલ બિમારીઓમાં વધારો જાેવા મળ્યો હતો. ઉનાળાની શરુઆત બાદ સતત સાયકલોન સક્ર્યુલેશનના કારણે વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદને પગલે ઠંડકની સાથે બફારાની સ્થિતીનો અહેસાસ શહેરીજનોને થયો હતો. છેલ્લા બે દિવસથી મહત્તમ તાપમાનમાં સતત વધારો નોંધાતા બળબળતા તાપનો અહેસાસ શહેરીજનોને થયો હતો. આજે પણ દિવસ દરમ્યાન મહત્તમ તાપમાનમાં એક ડીગ્રી સેન્ટીગ્રેડ જેટલો વધારો મહત્તમ તાપમાનમાં નોંધાતા ઉનાળાની ઋતુ દરમ્યાન સૌ પ્રથમવાર તાપમાનનો પારો ૩૮.૬ ડીગ્રી નોંધાતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. અસહ્ય ગરમીને પગલે મોટાભાગના રોડ રસ્તા બપોર દરમ્યાન સુમસામ નઝરે પડયા હતા. ઠેકઠેકાણે સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણીની પરબો શરુ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા લૂ થી બચવા માટેના પ્રયાસો અને લૂ લાગે ત્યારે કેવા પ્રકારના ઉપચાર કરવા તે માટેની ગાઈડલાઈન પણ બહાર પાડી દેવામાં આવી છે. તે સિવાય અન્ય વાયરલ બિમારીઓ જેમકે તાવ , શરદી , ખાંસી અને પાણીજન્ય રોગોમાં વધારો નોંધાતા શહેરના વિવધ સરકારી અને ખાનગી હોસ્પીટલમાં દર્દીઓની ભારે ભીડ જાેવા મળી હતી. તે સિવાય કેરી , તડબૂચ , શક્કરટેટી જેવા ફળો બજારમાં જાેવા મળી રહ્યા છે જ્યારે લીલી શાકભાજીના ભાવમાં વધારો જાેવા મળ્યો હતો. આજે દિવસ દરમ્યાન તાપમાનના પારામાં ૧.૨ ડીગ્રી સેન્ટીગ્રેડના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૮.૬ ડીગ્રી સેન્ટીગ્રેડ સાથે લધુત્તમ તાપમાન ૨૩.૬ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. તે સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ દિવસ દરમ્યાન ૫૨ ટકાની સાથે સાંજે ૧૨ ટકા નોંધાયું હતું. તે સિવાય હવાનું દબાણ ૧૦૧૦.૨ મીલીબાર્સની સાથે ઉત્તર - પશ્ચિમ દિશા તરફથી ૧૩ કિં.મી.ની ઝડપે પવન ફૂકાંયા હતા.
    વધુ વાંચો
  • ગુજરાત

    શહેર રખડતાં કૂતરાઓના હવાલે ઃ ૧ દિવસમાં ૨૩ને કરડયાં!

    વડોદરા, તા.૭વડોદરા શહેર-જિલ્લામાં માર્ગો પર રખડતી ગાયોના અસહ્ય ત્રાસ બાદ હવે રસ્તાઓ પર રખડતાં કૂતરાઓનો ત્રાસ ચરમસીમાએ પહોંચી ગયો છે. આજે વિતેલા છેલ્લા ર૪ કલાક દરમિયાન રપથી વધુ લોકોને કૂતરાઓ કરડવા અને બચકાં ભરી હિંસક હુમલો કર્યાના બનાવો સત્તાવાર સયાજી હોસ્પિટલમાં નોંધાયા છે. આ તમામને એન્ટિ રેબિટસના ઈન્જેકશનો આપી સારવાર આપવામાં આવી રહી છે. કૂતરાઓના હુમલાઓમાં ત્રણ નાનાં બાળકોનો પણ સમાવેશ થાય છે. આજે સયાજી હોસ્પિટલમાં એક કરતાં વધુ કૂતરાઓના કેસો આવતાં તબીબો અને સ્ટાફના કર્મચારીઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો. વડોદરા શહેરમાં અને તેની આસપાસ તેમજ જિલ્લામાં છેલ્લાં કેટલાંય સમયથી રસ્તાઓ ઉપર રખડતાં ગાય-કૂતરાઓનો ત્રાસ શહેરીજનો અને નિર્દોષ પ્રજા સહન કરી રહી છે. આ મામલે ઉચ્ચકક્ષાએ રજૂઆતો અને ફરિયાદો થઈ ચૂકી છે. પરંતુ અત્યાર સુધી કોઈ નિર્ણાયક પરિણામ આવ્યું નથી. જાે કે, સ્થાનિક પાલિકાના સત્તાધીશો ગાયો અને કૂતરાઓ પકડવાની કામગીરીને સંતોષ માણી રહ્યા છે. પાલિકાના સત્તાધીશો રસ્તે રખડતી ગાયો પકડયાની કામગીરીની પ્રસિદ્ધિ જણાવી રહ્યા છે પરંતુ લોકોની સમસ્યા હલ થવામાં કોઈ સુધારો જાેવા મળતો નથી. ખાસ જાણવા જેવી બાબત એ છે કે રસ્તે રખડતી ગાયોના ત્રાસ અસહ્ય બની રહ્યો છે, જેને કારણે નિર્દોષ લોકોને જાનહાનિ પહોંચે છે. આ બનાવની હજુ શાહી સુકાઈ નથી ત્યાં શહેરમાં વરસોવરસ કૂતરાઓની વધી રહેલી સંખ્યાને કારણે ગાયોની સાથે સાથે હવે રસ્તે રખડતાં કૂતરાઓનો ત્રાસ પર ચરમસીમાએ પહોંચી રહ્યો છે. કૂતરાઓ કરડવાના અને હિંસક બચકાં ભરવાના બનાવોમાં રોજબરોજ વધારો જાેવા મળી રહ્યો છે, જે ખરેખર પાલિકાના સત્તાધીશો માટે પડકારરૂપ બની રહ્યો છે. શહેરની સયાજી હોસ્પિટલમાં વિતેલા છેલ્લા ર૪ કલાક દરમિયાન રપથી વધુ લોકોને કૂતરાઓ કરડવાના અને બચકાં ભરવાના બનાવો રજિસ્ટરમાં નોંધાયા છે જેમાં તા.૭ એપ્રિલે ર૩ નાના મોટા લોકો સારવાર માટે હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતા. જ્યારે ગત તા.૬ના રોજ સાત લોકો સારવાર માટે આવ્યા હતા. હાલ આ તમામ લોકોને એન્ટિ રેબિટસના ઈન્જેકશનો આપી સારવાર આપવામાં આવી રહી છે. હવે કૂતરાઓની વસતી ઓછી કરવાનો નિર્ણય લેવાનો સમય આવી ગયો હોય તેમ લાગી રહ્યું છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    રામનવમીએ કોમી ભડકોઃ ઠેરઠેર પથ્થરમારો ઃ ૧૭ની ધરપકડ

    વડોદરા, તા.૩૦રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ સહિતની કેટલીક ધાર્મિક સંસ્થાઓ દ્વારા આયોજીત શોભાયાત્રા પર બપોરે ફતેપુરા વિસ્તાર સહિત અનેક સ્થળે ભારે પથ્થરમારાના પગલે દહેશતનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં અનેકને ઈજાઓ પહોંચી હતી તથા પરિસ્થિત પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. દરમ્યાન પોલીસે ૩૫૦થી વધુ સીસીટીવી કેમેરાને આધારે મોડીરાત સુધીમા ૧૭ તોફાનીઓની ધરપકડ કરી લીધી હતી. આ તોફાનો દરમ્યાન અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યુ હતું. છેલ્લા અનેક વર્ષોથી શાંતિપૂર્ણ માહોલનો અહેસાસ કરી રહેલું વડોદરા આજે કોમી રમખાણોના છમકલાઓથી ફરી એકવાર અભડાયું હતું. આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત શ્રીરામની શોભાયાત્રા બપોરના સમયે ફતેપુરા વિસ્તારના કુભારવાડા ખાતેથી પસાર થઈ રહી હતી.આ તબક્કે ડીજે પર મોટા અવાજે હનુમાનચાલીસા વાગતા જ એ વિસ્તારના કેટલાં યુવાનો અને વિહિપના કાર્યકરો વચ્ચે બોલાચાલી થતાં વાતાવરણ ગરમાયુ હતું આ તબક્કે પોલીસે મધ્યસ્થી કરી બંને ટોળાઓને શાંત કરી વિખેરી નાંખ્યા હતા. પરંતુ થોડી જ વારમાં આ સમાધાન પડી ભાંગ્યુ હોય એમ અચાનક આજુબાજુની ગલીઓમાંથી પથ્થરમારો શરૂ થયો હતો. આ તબકકે શોભાયાત્રામાં સામેલ એક હજારથી વધુ વીએચપી કાર્યકરોમાં ઉશ્કેરાટનો માહોલ ફેલાયો હતો. જાે કે ઘટના સ્થળે ઉપસ્થિત પોલીસે તાત્કાલિક પરિસ્થિતિ પર કાબુ મેળવવા તોફાનીઓની દિશામાં ઘસી જતાં મામલો થોડા સમય માટે શાંત પડયો હતો. પરંતુ શ્રધ્ધેય ભગવાન રામની શોભાયાત્રા પરના પથ્થરમારાથી ઉશ્કેરાયેલા કાર્યકરોને માંડ માંડ શાંતિ જાળવવા સમજાવાયા હતા. એસ.એસ.જી. હોસ્પિટલની સામે આવેલ પંચમુખી હનુમાન મંદિરથી શરૂ થયેલી આ યાત્રા શાંતિપૂર્ણ રીતે અને ધાર્મિક માહોલ સાથે આગળ વધી રહી હતી. ત્યારે પાંજરીગર મહોલ્લા ખાતે તેના પર ભારે પથ્થરમારો થયો હતો. જાે કે આ યાત્રા એરપોર્ટ, સંગમ, ફતેપુરા, કારેલીબાગ પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી.ત્યાર બાદ એ યાત્રા જીવનભારતી સ્કુલ એલ એન્ડ ટી એરપોર્ટ થઈ ફરી પંચમુખી હનુમાન મંદિર ખાતે સંપન્ન થઈ હતી.દરમ્યાન ફતેપુરા કંુભારવાડા ખાતેથી નિકળેલી શ્રી રામની આવી જ એક અન્ય શોભાયાત્રા પર તલાટીની ઓફિસની બાજુની ગલીમાંથી તથા સામેની બાજુ આવેલા એક ધાર્મિક સ્થળ પરથી અચાનક ભારે પથ્થરમારો શરૂ થયો હતો. પોલીસે માંડ માંડ પરિસ્થિત થાળે પાડતા શોભાયાત્રા આગળ વધી હતી. પરંતુ ચાંપાનેર દરવજા પાસે ફરીથી આ શોભાયાત્રા પર ભારે પથ્થરમારો થયો હતો. યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે અગાઉ સમગ્ર માર્ગ પર ઠેર ઠેર પથ્થરમારો થતાં વડોદરામાં ભારેલો અગ્નિ છે તથા મોડીરાત્રે એ કોમી રમખાણોના જવાળામુખીમાં ન ફેલાય તે માટે સ્થાનિક પોલીસે કડક હાથે કામ લેવાનુ શરૂ કર્યું છે.આજે શ્રી રામની ત્રીજી શોભાયાત્રા ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા યોજાઈ હતી. જે પ્રતાપનગર વિસ્તારના રણમુકતેશ્વર મહાદેવ ખાતેથી નિકળી પથ્થરગેટ વિસ્તારના તાડફળિયા ખાતે આવેલા રામજીમંદિર ખાતે સંપન્ન થઈ હતી. આ સમગ્ર રૂટ સંવેદનશીલ વિસ્તાર હોવાથી પોલીસે અગાઉ બે શોભાયાત્રાઓ પર થયેલા ભારે પથ્થરમારાના પગલે અગમચેતીના પગલારૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો.એક તરફ પવિત્ર રમઝાન મહિનો ચાલુ છે તથા સમગ્ર લઘુમતી વિસ્તારોમાં સાંજ બાદ ધાર્મિક માહોલ સર્જાય છે ત્યારે આજે દિવસ દરમ્યાન થયેલા કોમી છમકલાઓ વધુ વકરે નહીં તે માટે પોલીસે ચારેબાજુ ઘોસ વધારી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    મુખ્યમંત્રીના રૂટના રસ્તા બંધ કરાતાં ઠેર-ઠેર ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં ઃ લોકો અટવાયાં

    વડોદરા, તા.૭સંસ્કારી અને ઉત્સવ પ્રિય નગરી વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થાપિત કરાયેલા ગણેશજીના દર્શન માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી સાથે વિવિઘ મંડળો દ્વારા સ્થાપિત શ્રીજીના દર્શન કર્યા હતા.જ્યારે બીજી તરફ મુખ્યમંત્રીના આગમનને લઈને પોલીસ દ્વારા જેતે વિસ્તારોના રસ્તાઓ બંઘ કરાતા ટ્રાફીક જામના દ્રષ્યો સર્જાયા હતા. તેમજ પરીવાર સાથે દર્શનાર્થે નિકળેલા લોકો અચવાઈ ગયા હતા. ગણેશોત્સવ નિમિત્તે આજે વડોદરા શહેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને રાત્રે ૮ થી ૧૦ વાગ્યા સુધી વિવિધ પંડાલોમાં બિરાજમાન શ્રીજીના દર્શન કર્યા હતા.તેઓ સાથે પ્રદેશ ભાજપા મહામંત્રી ભાર્ગવ ભટ્ટ ,કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી રાજ્યના બાળ વિકાસ કલ્યાણ મંત્રી મનિષાબેન વકીલ, સાંસદ રંજનબેન ભટ્ટ મેયર કેયુર રોકડિયા તથા ધારાસભ્યો કાઉન્સિલરો તેમજ શહેરના હોદ્દેદારો,પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ ભારે ધામધૂમ પૂર્વક ઉજવાઈ રહ્યો છે ત્યારે વર્ષો ની પરંપરા મુજબ રાજ્યના મુખ્યમંત્રીઓ વડોદરાના ગણેશ ઉત્સવમાં ગણેશજી ના દર્શન માટે અચૂક હાજરી આપે છે આજે વડોદરા શહેરમાં રાજ્યના મુખ્યમંત્રી શ્ર ભુપેન્દ્ર પટેલ ખાસ દર્શન માટે આવ્યા હતા અને વિવિધ વિસ્તારોમાં સ્થાપિત કરાયેલા શ્રીજીના દર્શન કર્યા હતા. જાેકે, મુખ્યમંત્રીનો કાફલો જેજે રૂટ પરથી પસાર થઈને જે ગણેશજીના પંડાલ માં જવાનો હતો જે માર્ગ બંઘ કરાતા ટ્રાફીક જામના દ્રષ્યો સર્જાયા હતા સાથે પરીવારના સભ્યો સાથે ગણેશજીના દર્શનાર્થે નિકળેલા લોકો અટવાઈ ગયા હતા.મુખ્યમંત્રીએ હરણી રોડ, નવા બજાર, દાંડિયા બજાર એસવીપીસી ટ્રસ્ટ ખાતે મુખ્યમંત્રીના હસ્તે શ્રજીને સુવર્ણ માળા અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ પોલો ગ્રાઉન્ડ બગીખાના, વારસિયા રીંગ રોડ માંજલપુર , ઇલોરા પાર્ક તથા સુભાનપુરા હાઈ ટેન્શન વિસ્તારમાં સ્થાપના કરાયેલા ગણેશજીના દર્શન કર્યા હતા.
    વધુ વાંચો
  • ગુજરાત

    સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં પરીણામો જાહેર થતાં આનંદોત્સવ

    પંચમહાલ જીલ્લામાં સમાવિષ્ટ ૩૫૦ ગ્રામ પંચાયતોની ચૂંટણી રવિવારના રોજ યોજાઈ હતી શાંતિપુર્ણ વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થઈ હતી અને જીલ્લા નું ૭૯.૪૭ % જેટલું મતદાન નોંધાયુ હતું જેની આજે જીલ્લા ના તાલુકા મથકો ખાતે મતગણતરી ચૂંટણી અધિકારી અને પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાથ ધરવામાં આવી હતી ગોધરા મતગણતરી કેન્દ્ર ખાતે તંત્ર ના યોગ્ય આયોજન ના અભાવે મતગણતરી મંથરગતિએ ચાલતા ઉમેદવારો ના સમર્થકોને કલાકો સુધી બહાર બેસી રહેવાની નોબત આવી હતી જેને લઈ લોકોમાં પણ એક પ્રકારે નારાજગી જાેવા મળી હતી એક પછી એક ચૂંટણી પરીણામો જાહેર થતા સવાર થી મત ગણતરી કેન્દ્ર બહાર સમર્થકોનો મેળાવડો જામ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. પંચમહાલ જીલ્લામાં ૧૯મી ડીસેમ્બર ના રોજ ૩૫૦ ગ્રામ પંચાયતોની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી જીલ્લા નું ૭૯.૪૭ % ટકા મતદાન યોજાયુ જેની આજે જીલ્લા ના તાલુકા મથકો ગોધરા,શહેરા, કાલોલ, હાલોલ, મોરવા, જાંબુઘોડા, ધોધંબા સહીતના તાલુકા મથક ખાતે ચૂંટણી અધિકારી ની ઉપસ્થિતમાં વહેલી સવારથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી રાઉન્ડ મુજબ મતપેટી ખોલી મતગણતરી થયા બાદ ચૂંટણીના એક પછી એક દરેક ગામોના પરીણામ જાહેર કરવામાં આવ્યા હતા જેને લઈ મતગણતરી સ્થળે મોટી સંખ્યામાં ઉમેદવારો અને સમર્થકોના ટોળે ટોળા ઉમટયા હતા જેને પોલીસ નો પણ ચુસ્ત બંદોબસ્ત જાેવા મળ્યો હતો ચૂંટણી પરીણામ જાહેર થતા ની સાથે કહી ખુશી કહી ગમનો માહોલ સર્જાયો હોય તેવા પણ દ્રશ્યો જાેવા મળ્યા હતા ગોધરા તાલુકામાં સમાવિષ્ટ ૬૫ ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી ગદુકપુર પોલિટેક્નિક કોલેજ ખાતે હાથ ધરવામાં આવી હતી જયાં તંત્રના યોગ્ય આયોજન ના અભાવે મતગણતરી મંથરગતિએ ચાલતી હોવાનું ચર્ચાઈ રહ્યું હતું મીડીયાકર્મી માટે યોગ્ય આયોજન ન હોવાથી પરીણામ જાણવા માં ભારે હાલાકી પડી રહી હતી.મતગણતરી સ્થળે વહેલી સવારથી ઉમેદવારોના સમર્થકોના ટોળા મોટી સંખ્યામાં ઉમટયા હતા જેને લઈ પોલીસે સમગ્ર વિસ્તારમાં ચૂસ્ત બંદોબસ્ત તૈનાત કરી દીધો હતો વિજેતા ઉમેદવારો ના એક પછી એક ઢોલ નગારા અને ડીજે સાથે વિજય સરઘસ નીકળ્યા હતા વિજેતા ઉમેદવારોને તેમના સમર્થકોએ જાહેર શુભેચ્છાઓ પાઠવી મોં મીઠું કરાવ્યું હતું પોલીસ ના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી મોડી રાત્રે સંપન્ન થતા પોલીસ તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.સિંગવડ ખાતે તાલુકાની ૩૦ પંચાયતોની મતગણતરી હાથ ઃ વિજેતાઓમાં ભારે ઉત્સાહ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકા મથક ખાતે આજે સિંગવડ તાલુકાની ૩૦ ગ્રામ પંચાયતોની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. મામલતદાર કચેરી ખાતેના ભવન સવારથી જ મતગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો જેમાં ધીમી ગતિએ મતગણતરી ચાલતા પરિણામો બપોર બાદ આવતા હતા દરમિયાન કહી ખુશી કહી ગમ જેવો માહોલ ઉમેદવારો અને સભ્યોમાં જાેવા મળ્યો હતો મોડી સાંજે ૫ વાગ્યા દરમિયાન સિંગવડ તાલુકાની ૩૦ ગ્રામ પંચાયતો માંથી માત્ર ૧૦ ગ્રામ પંચાયતના સરપંચ પદ અને સભ્યોના નામો વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે ગ્રામ પંચાયત સાકરીયા ના સવલી બેન નરવતભાઈ ભગોરા મેળવેલ મત ૩૮૨ , ગ્રામ પંચાયત પિસોઈ મુકેશભાઈ રતનસિંહ બારીયા ૪૧૫, માતાના ગ્રામ પંચાયતની ધીરાભાઈ રામસિંગભાઈ નીનામા ૫૩૩ મત, સરજુમી ગ્રામ પંચાયતના અંજનાબેન રમેશભાઈ હઠીલાને ૪૬૨ મત,કાલીયાગોટા ગ્રામ પંચાયત રીનાબેન નિલેશભાઈ સંગાડા ને ૬૩૬ મત, નાના આંબલીયા ગ્રામ પંચાયત મહેન્દ્રભાઈ નીરુ ભાઈ પટેલ ૧૦૩૩ મત, અગારા ગ્રામ પંચાયતના તાજ સિંહ દલસીગભાઈ બારીયા ને ૧૦૪૯ મત મળ્યા હતા. પુંસરી ગામે પંચાયતની ચૂંટણીના મતદાન બાદ ધીંગાણામાં ચાર જણાને જીવલેણ ઈજાઓ દાહોદ જિલ્લામાં જ્યારે જ્યારે પણ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાય છે ત્યારે ત્યારે ચૂંટણી બાદ મારામારી તેમજ રાયોટિંગના બનાવો બનતા આવ્યા છે ત્યારે દાહોદ તાલુકાના પુંસરી ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીના મતદાન બાદ ઉમેદવારી નોંધાવવાના મામલે થયેલ ધીંગાણામાં તલવાર ધારીયા લોખંડની પાઈપો તેમજ લાકડી જેવા મારક હથિયારોનો છૂટથી ઉપયોગ કરાતા એક મહિલા સહિત ચાર જણાને ગંભીર જીવલેણ ઈજાઓ થતા આ મામલે ૧૭ જેટલા ઇસમોના ટોળા વિરુદ્ધ હત્યાની કોશિશ તથા રાયોટિંગનો ગુનો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ તાલુકાના પુંસરી ગામના રાકેશ મથુર ભુરીયા સહિત ૧૭ જેટલા ઈસમો નું ટોળું ગ્રામ પંચાયતની ચૂંટણીના મતદાનના દિવસે મોડી સાંજના સાડા છ વાગ્યાના સુમારે ગેરકાયદેસર મંડળી બનાવી હાથમાં તલવાર ધારિયા લોખંડની પાઈપો તેમજ લાકડી જેવા મારક હથિયારો લઇ મતદાન મથક નજીક આવી અરવિંદ રત્નાભાઇ ભુરીયા ને બેફામ ગાળો બોલી ધાક-ધમકી આપી તમે કેમ અમારી સામે ઉમેદવારી નોંધાવેલ આજે તમોને છોડવાના નથી. પિસોઈ ગામમાં પથ્થર મારતા વિજેતા ઉમેદવારના સમર્થકને માથાના ભાગે ઈજા સીંગવડ તાલુકાના ચુંટણી પરિણામને લઈ ને વહિવટી તંત્રએની નિષ્કાળજીના કારણે ટ્રાફિક જામ ના દ્ર્‌શ્યો સર્જાયા .જ્યારે વાહનઓનો ટ્રાફિક જામ થતાં ભારે રોષ જૉવા મળ્યો હતો. વહીવટી તંત્ર ની નિષ્કાળજી ના કારણે ઉમેદવારો અને સમર્થકો સહિત સંખ્યા બંધ મતદારો રસ્તા પર ઉભા રહેતા ટ્રાફિક જામ થયો હતો. જી એલ શેઠ હાઇસ્કુલ સીંગવડ ના મેદાન ખાલી હોવા છતા વ્યવસ્થા ના કરવામાં આવતા ભારે રોષ જાેવા મળ્યો હતો જ્યારે. દિવસ દરમિયાન ચાલેલી મતગણતરીમાં સીંગવડ તાલુકાના પિસોઈ કેસરપુર સહિતના ગામોમાં નાની-મોટા ઝઘડા થવા થયા હતા જ્યારે પિસોઈ ગામમાં પથ્થર મારતા વિજેતા ઉમેદવારના સમર્થક ને માથાના ભાગે ગંભીર ઈજા થતાં સિંગવડ હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી હતી બોડેલી ,કવાંટ, છોટાઉદેપુર ,સંખેડા સહિત કેન્દ્રો પર મત ગણતરી ઃભારે ભીડ જાેવા મળી બોડેલી ,કવાંટ, છોટાઉદેપુર ,સંખેડા સહિત કેન્દ્રો પર મત ગણતરીની કામગીરી હાથ ધરાઈ હતી. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. છોટાઉદેપુર જિલ્લામાં ૨૩૦ ગ્રામ પંચાયતમા સામાન્ય ચૂંટણી અને ૦૨ ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી યોજાઇ હતી.સમગ્ર જિલ્લામાં ૭ ગ્રામ પંચાયત સમરસ , થઈ છે૨૨૭ સરપંચ પદ માટે ૯૨૨ ઉમેદવાર ,૧૪૪૧ વોર્ડ સભ્યો માટે ૩૮૫૫ ઉમેદવારો મેદાનમાં હતા.જિલ્લામાં કુલ ૭૦૮ મથદાન મથકો , અતિસંવેદન ૯૪ મતદાન મથક હતા.૨,૬૫,૭૮૮ પુરુષ મતદારો, ૨,૪૯,૯૮૮ મહિલા મતદારો હતા. નગવાવ ગામે પથ્થરમારામાં પોલીસ કર્મીને ઈજાઓ દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના નગવાવ ગામે બુથની બહાર બોગસ વોટીંગ કરવાના પ્રયાસો કરી રહેલ નગવાવ ગામના નવ જેટલા ઈસમોએ ફરજ પરની પોલીસ પર પથ્થરમારો કરતા બે એક પોલીસ કર્મીઓને સામાન્ય ઈજાઓ થવા પામી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર નગવાવ ગામના નિશાળ ફળિયામાં રહેતા પરમાર કુટુંબના હરીશ વીરસીંગભાઇ, દિનેશભાઈ સલુભાઈ, શૈલેષભાઈ સનાભાઇ, રતન કાનજીભાઈ, પરસોત્તમ ફારમભાઈ પ્રકાશ સલુભાઈ, સુરેશ પર્વતભાઈ, જવાહર બાબરભાઈ, પ્રતાપ પર્વતભાઈ ગુલજીભાઈ એમ નવે જણા મતદાનના દિવસે સાંજના સાડા પાંચ વાગ્યાના સુમારે નગવાવ બુથની બહાર ઉભા રહી બોગસ વોટિંગ કરવા ના પ્રયાસો કરી રહ્યા હતા.
    વધુ વાંચો
  • ગુજરાત

    માઇ ભક્ત તલવારની ઘાર પર ચાલીને પાવાગઢ મહાકાળીના દર્શને પહોંચ્યો

    અમદાવાદ નવરાત્રિના નવ દિવસોમાં ભક્તો ભાવપૂર્વક નવદુર્ગાની પૂજા અર્ચના કરે તો માતાજી તેમને મનોવાંછિત ફળ આપે છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન નવદુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા અર્ચના થાય છે. પ્રથમ દિવસ પર્વતપુત્રીને સમર્પિત છે. ત્યારે માતાના મંદિરે જતા માઈ ભક્તોમાં ભક્તિનો અનેરો રંગ જાેવા મળી રહ્યો છે. પાવાગઢ મા કાળીના દર્શને પહોંચેલા એક માઈ ભક્ત તલવારની ધાર પર ચાલતા જાેવા મળ્યા હતા. આજથી શરૂ થયેલા નવરાત્રિના પવિત્ર પર્વ માતાની આરાધનાનો પર્વ છે. અમદાવાદની નવરાત્રિના પહેલા દિવસે જ નગરદેવી ભદ્રકાળીના દર્શન કરવા અને માંના મનોહર રૂપના દર્શન કરવા માટે ભક્તો ઉમટ્યા છે. વર્ષમાં ૫ નવરાત્રી આવે છે. પરંતુ આસો મહિનાની નવરાત્રિનું વિશે મહત્વ હોય છે. શક્તિપીઠ અંબાજી ધામમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી હતી. આજે નવરાત્રિએ મંદિર ૭.૩૦ કલાકે ખૂલતાની સાથે જ ભક્તો દર્શન માટે તૂટી પડ્યા હતા. શ્રદ્ધાળુઓ મોડી રાતથી જ લાઇનમાં ઉભા રહ્યા હતા.સવારે દર્શન કર્યા હતા. ત્યારે આજે અંબાજી મંદિરમાં પરંપારિક રીતે ઘટ સ્થાપના વિધિ કરવામાં આવી હતી. વૈદિક મંત્રોચ્ચાર સાથે વહીવટદારના હસ્તે ઘટ સ્થાપન વિધિનું પૂજન કરાવામાં આવ્યું. આસો નવરાત્રિના પ્રથમ નોરતે યાત્રાધામ પાવાગઢ ભક્તોનુ ઘોડાપૂર ઉમટી પડ્યુ છે. કોરોના કાળમાં માતાજીના પ્રત્યક્ષ દર્શન ભક્તો માટે બંધ હતા. ત્યારે આ નવરાત્રિમાં માતાજીના પ્રત્યક્ષ દર્શનની છૂટ આપવામાં આવતા માઇ ભક્તોમાં અનેરો ઉત્સાહ જાેવા મળ્યો છે. વહેલી સવારે ૫ વાગે મંદિર ખુલતા જ માતાજીના જય ઘોષથી પરિસર ગુંજી ઉઠ્‌યું હતું. હજારો ભક્તોએ વહેલી સવારે જ મંદિર સુધી પહોંચી જઈ કર્યા માતાજીના દર્શન અને અનુભવી ધન્યતા અનુભવી છે. કચ્છના કુળદેવી માં આશાપુરાના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે આ વર્ષે માઇ ભક્તો સવારના ૪ વાગ્યાથી રાત્રીના ૧૨ વાગ્યા સુધી આશાપુરા માના દર્શન કરવા ઉમટી પડ્યા છે. પરંતુ દર વર્ષે જે મેળો યોજાતો હતો તેની મંજૂરી આ વર્ષે વહીવટી તંત્ર દ્વારા આપવામાં નથી આવી. માતાના મઢ ખાતે પરંપરાગત ધાર્મિક વિધિ સાથે ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું. મઢ જાગીરના અધ્યક્ષ યોગેન્દ્રસિંહ રાજાબાવાના હસ્તે કુંભ ઘટ સ્થાપન કરાયું હતું.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગોધરામાં બે અને હાલોલમાં એક મળી ત્રણ મતદાન મથક ખાતે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન

    ગોધરાપંચમહાલ જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના વિવિધ સંવર્ગોની સામાન્ય ચૂંટણી માટે ગોધરામાં બે અને હાલોલમાં એક મળી ને કુલ ત્રણ મતદાન મથક ખાતે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પૂર્ણ થઈ હતી.જિલ્લામાં આવેલ ૩૧૮ જેટલી હાઈસ્કૂલ ના વિવિધ વિભાગમાં ફરજ બજાવતા તેમજ સંચાલક મંડળ સહિતનાઓ એ ઉત્સાહપૂર્વક મતદાન કરેલ હતુ. આ ચૂંટણીનું પરિણામ ૨૮મી સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે જાહેર થનાર છે.ગુજરાત શિક્ષણ બોર્ડ ની કુલ સાત બેઠકો માટે ની ચૂંટણીમાં ૨૪ ઉમેદવારો મેદાનમાં છે. આજે પંચમહાલ જિલ્લા સહિત રાજ્યમાં આવેલ ૧૦૭ જેટલા મતદાન મથક ખાતે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ હતી. જ્યારે ગોધરા સેન્ટ આર્નોલ્ડ ,તેલંગ વિદ્યાલય અને હાલોલની ઘ એમ. એસ હાઈસ્કૂલ ખાતેના મતદાન મથક ખાતે જિલ્લા માં આવેલ ૩૧૮ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ફરજ બજાવતા આચાર્ય, શિક્ષકો, ક્લાર્ક, પટાવાળા તેમજ સંચાલક મંડળ ના સભ્યો પોતાનો મત નાખવા માટે આવ્યા હતા. જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ફાળવવામાં આવેલ ત્રણ મતદાન મથક ખાતે સવારથી જ મતદારોનો ઉત્સાહ જાેવા મળવા સાથે મત નાખવા માટે લાંબી લાઈનો પણ લાગી હતી. જ્યારે ચૂંટણીના મતદાન મથક ખાતે કોરોના ના ગાઈડ લાઇન નું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યુ હતું. જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિવિધ વિભાગમાં ફરજ બજાવતા ઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા સાથે મતદાન મથક ખાતે માસ્ક અવશ્ય પહેરીને આવ્યા હતા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના વિવિધ વિભાગ બોર્ડની સાત બેઠકોની ૨૪ઉમેદવારો માટેની ચૂંટણી પંચમહાલ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    કતલના ઈરાદે લઈ જવાતા ૧૦ ગૌવંશને બચાવી લેવાયા

    હાલોલપાવાગઢ પોલીસે શિવરાજપુર પાસેના ટાઢોડિયા ગામે થી કતલ ના ઈરાદે લઈ જવાતા ૧૦ ગૌવંશ ને ઝડપી પાડવામાં આવ્યા હતા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તારીખ ૨૩, ૯, ૨૦૨૧ ના રોજ પંચમહાલ રેન્જના ડી.આઇ.જી. એમ.એસ.ભરાડા અને પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ ના ઓ આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ ને નેસ્તનાબૂદ કરવા માટે સુચના સંદર્ભે પાવાગઢ પી.એસ.આઇ આર.જે. જાડેજા. સ્ટાફના માણસો સાથે શિવરાજપુર તરફ વાહન ચેકિંગમાં હતા તે સમયે સામેથી આવતી મહિન્દ્રા ટેમ્પો નંબર જી.જે ૦૯. ઢ.૪૩૮૯ ના ચાલકને વાહન ચેકિંગ દરમિયાન રોકતા મહિન્દ્રા ગાડીનો ચાલક પોલીસને જાેઇ પોતાનું વાહન પુરઝડપે હંકારી નાશી છુટતા પોલીસ ને સંકા જતા પોલીસે ખાનગી વાહનમાં મહિન્દ્રા ચાલકનો ફિલ્મી ઢબે પીછો કરતા શિવરાજપુર ના ટાઢોડિયા પાસે મહેન્દ્રા ગાડી ના ચાલકે રોડની સાઈડમાં પોતાનું વાહન ઉતારી નાસી જતા પોતાનું વાહન ત્યાજ મૂકી જંગલ વિસ્તાર નો લાભ લઈ ડ્રાઇવર અને કલીનર નાસી છૂટયા હતા જ્યારે રોડની સાઈડમાં ઉભેલી મહિન્દ્રા ગાડી માં પોલીસે તાટપત્રી હટાવી જાેતા પ્લાસ્ટિક ના થેલા મુકેલા હોય જ્યારે પ્લાસ્ટિક ના થેલા હટાવી જાેતા નીચે લોખંડ ની જાળી નીચે ટૂંકા દોરડા વડે ખીચોખીચ અને દયનીય હાલતમાં ઘાસ ચારા તથા પાણીની સગવડ વિના દસ જેટલાં ગૌવંશ જેમાં ગાયો નંગ આઠ અને વાછરડાં નંગ બે જેમાંથી એક વાછરડાનું મરણ થયેલ નજરે પડયું હતું પોલીસે તમામ પશુઓને સલામત રીતે નીચે ઉતારી જાંબુઘોડા તાલુકાના ખાખરીયા ખાતે આવેલ પાંજરાપોળ ખાતે રવાના કરાયા હતા જ્યારે પાવાગઢ પી.એસ.ઈ. આર.જે.જાડેજા એ રૂ ૩,૯૫૦૦ ના મુદ્દામાલ સાથે નાસી છુટેલ બે ઇસમો સામે પશુ સંરક્ષણ અને પ્રાણી ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા,
    વધુ વાંચો
  • ગુજરાત

    સાથરોટા ગામના યુવાનનું વાહનની ટક્કરે મોત અજાણ્યા વાહન ચાલકની ભાળ મેળવવા પ્રયાસ હાલોલ

    હાલોલ ગોધરા હાઇવે પર મઘાસર ગામ નજીક રસ્તો ઓળંગી રહેલા સાથરોટા ગામના આશાસ્પદ યુવાન ને કોઈક અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતાં, તેને ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. હાલોલ રૂરલ પોલીસે અકસ્માત નો ગુનો નોંધી, નાસી ગયેલ અજાણ્યા વાહન ચાલકની ભાળ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા હતા, ને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી તેના વાલી વારસને સોંપ્યો હતો. પ્રાપ્ત થયેલ માહિતી મુજબ ગત શુક્રવારના રોજ મોડી સાંજે હાલોલ ગોધરા હાઈવે રોડ પર મઘાસર ગામ નજીક, રસ્તો ઓળંગી રહેલા સાથરોટા ગામના કિરણભાઈ ઉર્ફે નાનો મનુભાઈ પરમાર ઉંવર્ષ ૩૦ કે જે જીઆઇડીસી માં છુટક મજુરી કરતો હતો, તેને પુરઝડપે ને ગફલતભરી રીતે હંકારી ને આવતા કોઈક અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતાં, તે ઉછળી ને રોડ પર પટકાતા, તેને મોઢામાં, માથાની પાછળ તેમજ કમરમાં ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે અકસ્માત કરી વાહનચાલક નાસી છુટ્યો હતો. અકસ્માતને પગલે હાઈવે પર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. જ્યારે ઘટના અંગે મૃતકના કાકાના દિકરા દ્વારા હાલોલ રૂરલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા, પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ અકસ્માત નો ગુનો નોંધી, તેની ભાળ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા હતા, ને હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહને તેના વાલી વારસને સોંપ્યો હતો.
    વધુ વાંચો
  • ગુજરાત

    ભુતપગલા ગામના પ્રદિપસિંહના પાર્થિવદેહના ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર

    દે.બારીયાછેલ્લા ૧૭ વર્ષથી દેશ અને રાષ્ટ્રની સુરક્ષા માટે ભારતીય સેનામાં ફરજ બજાવતા અને આવતી ૩૧ મી ઓકટોબર મહિના ૨૦૨૧ પછી ફરજ મુક્ત થઈ નોકરી પરથી પોતાના માદરે વતનમાં પરત ફરવાના હતા. એવા દેવગઢબારિયા તાલુકાના ભુતપગલા ગામના પનોતા પુત્ર પ્રદિપસિંહ બારીયા પંજાબ મુકામે ચાલુ નોકરીએ અચાનક બીમાર થતાં ચંદીગઢની કમાંન્ડ આર્મી હોસ્પિટલમાં સારવાર દરમિયાન દુઃખદ નિધન થતાં આજરોજ તેઓના પાર્થિવ દેહને સન્માન સાથે તેમના માદરે વતન ભૂત પગલા લઈ જતા પહેલા આર્મીના વાહનમાં દેવગઢબારિયા ખાતે લાવવામાં આવતાં તેઓના અંતિમ દર્શન માટે તેમજ વીરને શ્રદ્ધાંજલિ આપવા દેવગઢબારિયા નગરમાં આજે માનવ કિડીયારૂ ઉભરાયું હતું અને દેવગઢબારીયા થી તેમના પાર્થિવ દેહને આર્મીની ગાડીમાં તેમના માદરે વતન ભૂતપગલા ગામએ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ગાર્ડ ઓફ ઓનર સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તેઓના ક્રિયાકર્મ માટે સેનાના જવાનોએ રૂપિયા ૧૫,૦૦૦/- શહીદ પ્રદીપભાઈ બારીયાના પરિવારજનોને આપ્યા હતા. ગ્રામજનોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પોતાના ગામના વીર (શહિદ) જવાનને ભીની આંખે શ્રદ્ધાંજલિ આપી હતી. શહીદ પ્રદીપભાઈએ પ્રાથમિક શિક્ષણ પોતાના ગામની પ્રાથમિક શાળામાં લીધા પછી ધોરણ ૮ થી ૧૦ નો અભ્યાસ તેઓએ દુધિયા ગામની જ્ઞાનદીપ હાઈસ્કૂલમાં કર્યો હતો. જ્યારે અગિયારમું ધોરણ તેઓ દેવગઢબારિયાની મોદી સ્કૂલમાં ભણ્યા હતા. ત્યારબાદ ૨૫/૯/૨૦૦૦ ની સાલમાં તેઓ આર્મીમાં ભરતી થયા હતા અને નાસિક ખાતે આર્મીની ટ્રેનિંગ લીધી હતી. તે પછી તેઓએ આર્મીમાં દેશમાં વિવિધ જગ્યાએ તેમજ સરહદે સેવા બજાવી હતી. તેઓના લગ્ન પ્રભાબેન સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. સંતાનમાં તેઓને બે પુત્રો અને એક પુત્રી છે. જેમાં તુષાર પ્રદીપસિંહ ઉ. વ. ૧૩, વનરાજસિંહ પ્રદીપસિંહ ઉ.વ.૧૨ તથા પુત્રી જ્યોતિબેન પ્રદીપસિંહ ઉ. વ. ૧૮ નો સમાવેશ થાય છે. પ્રદિપસિંહ બારીયા આગામી ૩૧/૧૦/૨૦૨૧ ના રોજ ફરજ નિવૃત્ત થવાના હતા. જેથી તેમના પરિવારજનો તેમના સ્વાગતની તૈયારીઓમાં વ્યસ્ત હતા. તે દરમિયાન અચાનક તબિયત બગડતા ચંદીગઢ આર્મી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ પ્રદિપસિંહ બારીયાએ ગતરોજ સારવાર દરમિયાન આર્મીની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધાની ખબર આવતા જ તેમના પરિવારજનોના માથે દુઃખના પહાડ તૂટી પડ્યા હતા અને પરિવારજનોમાં આવવાની ખુશી જગ્યાએ મોતનો માતમ છવાયો હતો અને તેમના અંતિમ દર્શન માટે પરિવારજનોની આખો તરતી રહી હતી.  પ્રદિપસિંહનો પાર્થિવ દેહ અંતિમ ક્રિયા માટે તેમના માદરે વતન ભૂતપગલા ગામએ ગાર્ડ ઓફ ઓનર સાથે કરાતા તેઓનો પાર્થિવ દેવ પંચમહાભૂતમાં વિલીન થઇ ગયો હતો. તેમના ક્રિયાકર્મ માટે આર્મીના જવાનોએ પ્રદિપસિંહ બારીયાના પરિવારજનોને રૂપિયા ૧૫,૦૦૦/- ની રોકડ આપી હતી. આ પ્રસંગે દાહોદ જિલ્લના માજી સૈનિક સંગઠન દાહોદ સહિત દેવગઢબારીયાના ધારાસભ્ય બચુભાઈ ખાબડ, અનેક રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
    વધુ વાંચો
  • ગુજરાત

    ક્વોરીઓમાં ખનન માટે વિસ્ફોટોથી મકાનોમાં તિરાડો પડવાની ઘટનાઓ

    ગોધરાપંચમહાલ જિલ્લાના મહીસાગર નદીને તટની આસપાસ પથ્થરોની ક્વોરી ઉદ્યોગ વર્ષોથી ધમધમી રહ્યો છે.ગોધરા અમદાવાદરોડ ,ગોધરા બાલાસિનોર બાયપાસ રોડ પર આવેલ ક્વોરીઓના કારણે તેની આસપાસ આવેલ ગ્રામ્ય વિસ્તારોના રહેવાસીઓ અને રહેઠાણોને નુકશાન થઇ રહ્યું છે.આ ગામ્ય વિસ્તારોમાં આવેલ કાચા અને પાકા મકાનોમાં પણ તિરાડો પડવાની ઘટનાઓ બની રહી છે .ક્વોરીમાં થતા ખનન માટે વિસ્ફોટો કરવામાં આવે છે તેના કારણે રહેઠાણોને પણ અસર પડી રહી છે.આ વિસ્તારની પ્રજા ખેતી પર ર્નિભર છે.ક્વોરી ડસ્ટ ઉડવાથી ખેતીના પાકને ભારે નુકશાન થવાનો ભય રહેલો છે.આની અસર જે લોકોને થઇ રહી છે તેમના દ્વારા સબંધિત તંત્રના અધિકારીઓને જાણ કરવા છતાં જાડી ચામડી જેવા અધિકારીઓ દ્વારા કોઈવાત કે રજૂઆત સાંભળવામાં આવતી નથી ગોધરા તાલુકાના મહીસાગર નદી કિનારે ક્વોરી ઉદ્યોગ મોટી સંખ્યામાં ધમધમી રહ્યો છે.ગોધરા તાલુકાના નદીસર ગામ પાસેથી વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પટ્ટામાં વધુ ક્વોરીઓ ધમધમી રહી છે.આ ક્વોરીઓમાંથી સેકડો ટન કળા પથ્થર કાઢીને તેની કપચી બનાવવામાં આવે છે.મહીસાગર નદીના પટ્ટનો આ વિસ્તાર ક્વોરી માટેનું જાણે સ્ટેશન હોય તેમ કહીએ તો જરા પણ અતિશયોક્તિ નથી.અહીં મોટાભાગની ક્વોરીઓ કાયદેસર હોવા છતાં તે ક્વોરીઓ ના નિયમો નો અમલ કરતી નથી નિયમ મુજબ ઓછી તીવ્રતા વાળા દારૂગોળા વાળાથી વધારે તીવ્રતા વાળા દારૂગોળા વાપરી શકાય નહિ પરંતુ કેટલાક ક્વોરી માલિકો નિયમોને નેવે મૂકીને વધારે તીવ્રતાવાળા વિસ્ફોટ કરતા હોવાનું ચર્ચાય છે જેથી નજીક ના વિસ્તારોમાં આંચકા અનુભવાઈ રહ્યા છે પંચમહાલ જિલ્લાના ગોઠડા,સુખપુર જેવા ગામો અને તેની આસપાસ આવેલા અંતરિયાળ વિસ્તારોમાં તેની ભારે અસર જાેવા મળી રહી છે ક્વોરી ઉદ્યોગના કારણે આરોગ્ય પર પણ ગંભીર અસરો પડી રહી છે અને ટીબી અને શ્વાસ ના રોગો પણ ગ્રામ્ય લોકોને થઇ રહ્યા છે આ વિસ્તારમાં ખેતી આવકનું સાધન છે જયારે રોગોની સારવાર કરાવવા માટે પૈસાની ની પણ પૂરતી સગવડ હોતી નથી ઘણીવાર તો રોગો ની ગંભીરતા જાેઈને વડોદરા કે અમદાવાદ જવું પડે છે તેની માટે ગરીબ લોકો પૈસા ની સગવડ ક્યાંથી કરી શકે તેવા પણ અનેક સવાલો ઉભા થયા છે.
    વધુ વાંચો
  • રાજકીય

    AAPનો જન સંવેદના કાર્યક્રમ: આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાના સરકાર પર પ્રહાર, જાણો શું કહ્યુ.. 

    ગોધરા-કોરોનામાં મૃત્યુ પામનાર લોકોને શ્રધ્ધાજલી કાર્યક્રમ ને લઈ આમ આદમી પાર્ટી દવારા પંચમહાલ જિલ્લાના વિવધ તાલુકામાં જન સંવેદના કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.ત્યારે આજરોજ પંચમહાલ જિલ્લાના ઘોઘમ્બા તાલુકાના સીમલિયા ફાંટામહુડા ખાતે યોજનાર હતો પરંતુ રાતો રાત કોઈક કારણો સર આ કાર્યક્રમ નિર્ધારીત જગ્યાએ યોજાયો નહતો.અને દામાવાવા ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.આજ રોજ આ કાર્યક્રમ માં આપ ના નેતા ગોપાલ ઇટાલીયા ,ઈશુદાન ગઢવી તેમજ પંચમહાલ જિલ્લાના આપના નેતાઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ ની જગ્યા બદલાતા ગોપાલ ઇટાલિયા એ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અમુક જગાએ એ ભાજપ દવારા આમ આદમીના આ જન સંવેદના કાર્યક્રમ અટકવામાં આવ્યા છે એ ભાજપ ની નબળી માનસિકતા છે. ભાજપ ડરી ગયું છે.ભાજપના લોકો કાર્યક્રમ અટકાવી ને ના મરદો જેવું કામ કરી રહ્યા છે .પોતની સત્તાનો દૂર ઉપયોગ કરી રહ્યા છે.ભાજપવાળા ચોર છે .ડરી રહ્યા છે આમ આદમી પાર્ટી થી એટલે આમારા કાર્યક્રમોમાં આડખીલી બનો છો.આતો બેસણાનો કાર્યક્રમ છે નહીં કે કોઈ ચૂંટણી સભા .આવા કર્યક્રમો અટકવામાં તમારી તાકાત વાપરો છો એના કરતાં ઘોઘમ્બા તાલુકાના ગામોના વિકાસ માં તમારી શક્તિ વાપરો .સરકારી હોસ્પિટલમાં સુવિધાઓ પુરી પાડો .જો જગ્યા બદલવાથી કાર્યક્રમો બંધ રહ્યા હોત તો આપડો દેશ હજુ અંગ્રેજોનો ગુલામ હોત.વધુ માં તેમને જણાવ્યું હતું કે પેહલા અંગ્રેજો હતા અને હવે દેશી અંગ્રેજો રાજ કરી રહ્યા છે .કોરોના કાળમાં જ્યારે લોકો ઓક્સીજન વગર અને બેડ વગર મરી રહ્યા હતા ત્યારે ક્યાં હતા આ ભાજપ ના નેતાઓ .હવે તેમને ડર લાગે છે આમ આદમી પાર્ટી નો એટલે તો અમારા કાર્યક્રમો બંધ રહે એવો પ્રયત્નો કરી રહ્યા છે.વધુ માં ઇસુદાન ગઢવીએ આ ક્રાર્યક્રમની જગ્યા બદલાતા પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે જે ભારતીય સંસ્કૃતિ ને સમજી નથી રહ્યા એવા લોકો આવા બેસણા અને શ્રધ્ધાનજલીના કાર્યક્રમો અટકાવી રહ્યા છે.પેહલા ના સમયમાં રાક્ષસો આવા વિઘ્નો ઉભા કરતા હતા. હવે આ કલિયુગમાં ભાજપના સિંગડા વગર ના દેશી અંગ્રેજો વિઘ્નો ઉભા કરે છે.ભાજપને કોઈ કર્યક્રમ કરવો હોય તો લોકોને કોન્ટ્રકટ આપી ને લોકો ભેગા કરવાપડે છે પણ આમ આદમી પાર્ટી ને ભલે આજે બીજી જગ્યાએ કાર્યકેમ કર્યો પણ લોકચાહના છે એટલે આટલી મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ જોડાયા છે.આપણા સ્વજનોને જે કોરોના માં ગુમાવ્યા છે તેમને સાચી શ્રધ્ધાજંલી ભાજપને ભગાડી ને જ મળશે. કેજરીવાલ સરકારે દિલ્લી માં કોરોનામાં મોત ને ભેટનાર ના ખાતામાં 50 હજાર રૂપિયા નાખ્યા છે.જ્યારે ગુજરાત સરકારે ફૂટી કોડી પણ આપી નથી.ભાજપ તો ગેસ ના બોટલમાં 25 રૂપિયા નો વધારો કરીને જન આર્શિવાદ યાત્રાઓ યોજે છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    મોરવા હડફ તાલુકામાં સારો વરસાદ થતાં ખેડૂતો ખુશખુશાલ

    શહેરા,મોરવા હડફ તાલુકામાં ગુરૂવારના રોજ સારો વરસાદ થતાં જગતનો તાત ખુશખુશાલ થયો હતો. વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો પોતાના ખેતરમાં ખેતીકામમાં જાેતરાઇ ને પરિવાર અને ખેત મજૂરો સાથે ડાંગરની રોપણી કરવામાં વ્યસ્ત બન્યા હતા. જાેકે ખેડૂતો પણ હવે કંઈક નવું કરતા હોય તેમ ખુરશીમાં બેસીને ડાંગરની રોપણી કરતા દ્રશ્યો જાેવા મળ્યા હતા.મોરવા હડફ તાલુકાના ગ્રામીણ વિસ્તારના મોટા ભાગના ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરતા હોય છે. ખેડૂતો મોંઘા ભાવના બિયારણો અને ખાતર લાવીને ખેતીકામમાં જાેતરાયા હતા. પાછલા કેટલાક દિવસથી વરસાદ ખેંચાતા આ વિસ્તારના ખેડૂતો ભારે ચિંતિત થવા સાથે મેઘરાજાને મન ભરીને વરસવા માટે પ્રાર્થના કરી રહયા હતા. ગુરૂવારના રોજ મેઘરાજા મન ભરીને વરસતા જગતનો તાત ખુશખુશાલ થઇ ઉઠ્‌યો હતો. ખેતરના ચાયડા પાણીથી ભરાઇ જતાં ખેડૂત પોતાના પરિવાર સાથે ડાંગર રોપણી મા વ્યસ્ત બન્યા હતા. જ્યારે ખેડૂત સમરસિંહ નાનુસિંહ બારીઆ પોતાના ખેતરમાં પરિવાર સાથે ખુરશીમાં બેસીને ડાંગરની રોપણી કરતાં હોવાથી રસ્તા પરથી જતા રાહદારીઓ આ ખેડૂત પરિવાર ને જાેઈને ખુશ થતા હતા.
    વધુ વાંચો
  • ગુજરાત

    પંચમહાલ જીલ્લામાં તલાટીઓની ઘટના કારણે પ્રજાજનો હેરાન

    શહેરા, શહેરા સહિત જિલ્લા મા આવેલ તાલુકા પંચાયત કચેરી ખાતે મહેકમ મુજબ તલાટી નો સ્ટાફ નહીં હોવાથી એક તલાટી કમ મંત્રી પાસે બે કે ત્રણ ગ્રામ પંચાયતનો ચાર્જ હોય છે તલાટીઓની મોટી ઘટ ના કારણે પ્રજાજનો ને હાલાકી ભોગવવી પડતી હોય છે. અને કેટલાક ઈન્ચાર્જ તલાટીઓ હોવાથી લોકોને કામ માટે ધરમ-ધકકા ખાવાનો વારો આવ્યો છે. જીલ્લામાં અનેક પછાત તાલુકા હોવાથી અને અંતરિયાળ ગામડાઓમાં તલાટીઓની અછતના કારણે જીલ્લાની પ્રજા પારાવાર મુશ્કેલી ભોગવી રહી હોવાનું સામે આવી રહ્યું છે. પંચમહાલ જીલ્લો વિસ્તારની દ્રષ્ટિએ મોટો ગણાય છે. પંચમહાલ જીલ્લામાંથી મહિસાગર જીલ્લો છુટો થયા બાદ જીલ્લામાં ૫૦૧ ગ્રામ પંચાયત કાર્યરત છે. હાલમાં ગ્રામીણ વિસ્તારમાં સર્વાંગી વિકાસ થાય તે હેતુથી ગ્રામ પંચાયતોમાં સરકારની વિવિધ યોજનાઓની કામગીરી ચાલી રહી છે. તેમજ આ બાબતે જીલ્લાકક્ષાએ થી ગ્રામ પંચાયતોમાં સીધુ સંચાલન કરવામાં આવી રહ્યું છે. જેમાં એક તલાટીને ૨ થી ૩ ગ્રામ પંચાયતનો ચાર્જ સોંપવામાં આવતા સરકારી વિકાસલક્ષી કામો પર અસર પડી રહી જાેવા મળી રહી છે. જેના કારણે સરકારી યોજના તથા ગ્રામજનોના દાખલાઓ સહીતના કામો અટવાયા જતા જાેવા મળી રહ્યા છે. જીલ્લામાં તલાટીઓના અછતના મામલે ગ્રામ પંચાયતોના સરપંચોમાં પણ છુપો રોષ વ્યાપેલો જાેવા મળી રહયો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. જીલ્લામાં તલાટી કમ મંત્રીઓની અછત અને ધટ હોવાથી અન્ય ગ્રામ પંચાયતોના ભાર તલાટી કમ મંત્રીઓના હવાલે હોવાથી દોડધામ કરવાનો વારો તલાટીઓને પણ આવે છે.પંચમહાલ જીલ્લામાં ૫૦૧ ગ્રામ પંચાયતોમાં ૫૦ ટકા પણ તલાટી કમ મંત્રીઓ નથી. ત્યારે ગ્રામ પંચાયતોમાં તલાટી કમ મંત્રીઓ દ્વારા કેવો વહીવટ કરવામાં આવતો હશે એવા અનેક સવાલો લોકોમાં ચર્ચાનો મુદ્દો બની રહયો છે. પંચમહાલ જીલ્લામાં સાત તાલુકાઓનો સમાવેશ થાય છે. જેમાં ગોધરા, શહેરા, મોરવા(હ), કાલોલ, હાલોલ, ઘોઘંબા અને જાંબુધોડા આવેલા છે. જીલ્લાના આ સાત તાલુકાઓમાં કુલ ૫૦૧ ગ્રામ પંચાયત અસ્તીત્વમાં છે. જેના સામે ૨૪૫ તલાટીઓ છે. જેના કારણે ગામડાઓના લોકોને સામાન્ય આવકના દાખલા, જાતિના દાખલા, રેશનકાર્ડ, પછાતવર્ગના ફોર્મ જેવા અનેક દસ્તાવેજાે તેમજ અન્ય કાગળો ઉપર તલાટીના સહી-સિકકા કરાવવા માટે ગ્રામજનોને દિવસોના દિવસ સુધી આંટાફેરા કરવા પડતા હોય છે. છાશવારે તલાટીઓના ચાર્જ બદલવામાં આવતા ગ્રામ પંચાયતમાં તલાટી કોન છે... તે શોધવામાં પ્રજાને દિવસોના દિવસો લાગી રહ્યા છે. પંચમહાલ જીલ્લામાં તલાટીઓના અછતના કારણે ગણતરીના તલાટીઓથી સમગ્ર જીલ્લાના ગ્રામપંચાયતોના વહીવટોના અંધારૂ છવાયું તેમ લાગી રહ્યું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. એક તલાટીને ૨ - ૩ ગ્રામ પંચાયતોના ચાર્જ સોંપવામાં આવતાં તલાટી કમ મંત્રી અઠવાડિયામાં બે દિવસ ગામની મુલાકાતે જતા હોય છે. જેથી જીલ્લાની પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. તલાટીઓના અછતને કારણે જીલ્લાના ગામડાઓમાં થતો વિકાસ અટવાયો હોય તેમ લાગી રહ્યું છે. જીલ્લામાં પંચાયતક્ષેત્રે તલાટીઓની પડેલી મોટી અછતને નિવારવા માટે અને પંચાયત રાજમાં સરળ મહેસુલી સેવા મળી રહે તે માટે રાજ્ય સરકારે પ્રયાસો હાથ ધરવું જરૂરી જણાય છે. જેથી લોકોની હાલાકી દુર થશે. બે કે ત્રણ ગ્રામ પંચાયતો વચ્ચે એક તલાટી પંચમહાલ જીલ્લાના કેટલાક તાલુકાઓમાં એક તલાટીને બે- ત્રણ ગ્રામ પંચાયતોનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જેના પરિણામે તલાટીઓ કામને ન્યાય આપી શકતા નથી અને તેમના ઉપર કામનું ભારણ પણ વધી ગયેલું જાેવા મળી રહયુ છે. જેના કારણે આવી ગ્રામ પંચાયતોમાં વિકાસના કામો અને પંચાયતોનો વહીવટ ઠપ્પ થઈ ગયો છે. અને સામાન્ય કામ માટે પ્રજા રઝળપાટ કરતી જાેવા મળી રહી છે. ગામડાઓની અભણ પ્રજા તલાટીની રાહમાં ગ્રામ પંચાયતની કચેરીએ સવાર થી સાંજ સુધી ધરમના ધકકા ખાતી હોવાનું પણ જાણવા મળી રહયુ છે. પરંતુ તલાટી અઠવાડિયામાં બે દિવસ ગામની ઉડતી મુલાકાતે આવતા ગામની પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે. પંચમહાલ જીલ્લાના તલાટીઓની હાલની સ્થિતી.તાલુકા સેજા મંજુર સેજા ભરતીગોધરા ૭૪ -૬૧,કાલોલ ૭૩ -૫૨,હાલોલ ૬૫-૩૯,શહેરા ૫૦ -૩૩,મોરવા(હ) ૩૩ -૨૮,ઘોઘંબા ૩૪ -૨૭,જાંબુધોડા ૧૭ – ૦૫ છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    પાવાગઢ જતા યાત્રાળુઓના ખિસ્સા પર ભાર પડશેઃ રોપ-વેના ભાડામાં 29 રુ.નો વધારો કરાયો

    પાવાગઢ-વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં રોજ હજારો લોકો પ્રવાસ માટે આવતા હોય છે પરતું હવે પાવાગઢ યાત્રિકો માટે મોંઘુ પડી શકે છે. પાવાગઢમાં રોપ-વેની સુવિધા મોંઘુ પડી શકે છે કેમ કે રોપ-વેનું સંચાલન કરતી કંપનીએ તેના ભાડામાં વધારો કર્યો છે.પાવાગઢમાં ઉષા બ્રેકો કંપનીએ રોપ-વેના ભાડામાં વધારો કર્યો છે. પ્રવાસીઓની રોપ-વેના માધ્યમથી પાવાગઢ પર ચઢવા હવે વધારો ચાર્જ ચુકવવો પડશે. રોપ-વેએ તેના ભાડામાં ૨૯ રૂપિયાનો વધારો કર્યો છે. ટિકિટના દરોમાં વધારો કરાતા હવે રોપ-વેનું ભાડું ૧૬૯ રૂપિયા થઈ ગયું છે.અગાઉ રોપવેનું ભાડું ૧૪૦ રૂપિયા હતું જે હવે વધીને ૧૬૯ રૂપિયા થયું છે. જાે કે વર્ષ ૨૦૧૯માં રોપ-વેમાં આ ભાડુ રૂ.૧૧૬ હતું. જે બે વર્ષમાં વધીરને રૂ.૧૬૯એ પહોચ્યું છે. એક તરફ મોંઘવારીના મારથી સામાન્ય જનતા ત્રસ્ત બની છે રાજ્યમાં પેટ્રોલ ડીઝલ, સીએસજી,પીએનજી તેમજ અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ વધ્યા છે ત્યારે હવે યાત્રાધામ પાવાગઢમાં દર્શન પણ હવે પ્રવાસીઓ માટે મોંઘું બન્યું છે.મહત્વનું છે કે રોપ-વેની સુવિધા વધ્યા બાદ પાવાગઢમાં યાત્રીકોનો ધરખમ વધારો થયો છે પરતું હવે ઉષા બ્રેકો કંપનીએ રોપ-વેએ ભાડામાં વધારો કરતા હવે રોપ-વેના માધ્યમથી પાવાગઢ પર ચઢવું મુશ્કેલ બની શકે છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગોધરા પાલિકાની વિવિધ સમિતિના સભ્યોએ પદગ્રહણ કરતાં અચરજ

    ગોધરા, ગોધરા નગરપાલિકામાં વિરોધપક્ષની ભુમિકા અદા કરતાં ભાજપના સભ્યોએ શુક્રવારે સરદાર નગર ખંડ ખાતે હાઈવોલ્ટેજ ડ્રામા સાથે વિવિધ કમીટીઓની રચના કર્યાબાદ સોમવારે બપોરે ભાજપ ના સભ્યોએ બપોરે બાર વાગ્યા બાદ કોઈપણ સરકારી અધિકારી તથા ચાલુ સત્તાધારી અપક્ષ પ્રમુખ અને ઉપપ્રમુખની હાજરી વગર પદગ્રહણ કરતા ભાજપ ની આ અલગ પ્રકારની કામગીરી ની ઢબથી સૌ કોઈ અચંબામાં મુકાયા હતા જાેકે ભાજપ ધ્વારા બનાવાયેલા સમિતિઓ આવનારા દિવસોમાં માન્ય ગણાશે કે કેમ તેવા અનેક સવાલો ચર્ચાના કેન્દ્રસ્થાને છે જાેકે પદગ્રહણ ની સમગ્ર પ્રક્રિયા દરમ્યાન કોવિડ ગાઈડલાઈન ના ધજાગરા ઉડયા હતા.ગત શુક્રવારે ગોધરા નગરપાલિકાના ભાજપના સભ્યો ધ્વારા સરદારનગર ખંડના તાળાતોડી સત્તાધારી પ્રમુખે રદ કરેલી સામાન્ય સભા ના આદેશો ની અવગણના કરી ચીફ ઓફીસર ની હાજરીમાં સભ્ય જયેશ ચૌહાણ ના અધ્યક્ષ સ્થાને વિવિધ ૧૯ સમિતિઓની રચના કરવામાં આવી દરેક સમિતિના ભાજપ ના ચેરમેનો અને પાર્ટી ના કાર્યકરોએ પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ફટાકડા ફોડી વધામણાં કર્યા હતા તો બીજીબાજુ સત્તાધારી અપક્ષના પ્રમુખ સંજય સોનીએ ભાજપ સભ્યો સરદાર નગર ખંડના તાળાતોડી અંદર બળજબરી પુર્વક ધુસી એકસંપ કરી સમિતિઓની રચનાઓ કરી હોવાના આક્ષેપો વચ્ચે આજે સોમવારે ભાજપના સભ્યોએ સરકારી અધિકારી કે સત્તાધારી પક્ષના પ્રમુખ તથા ઉપપ્રમુખની ગેરહાજરીમાં જાતે જ પદગ્રહણ કરી લેતાં ચર્ચા જાગી હતી.૧૯ જેટલા ભાજપના સભ્યો ની આવી કામગીરી થી સૌકોઈ અચંબામાં મુકયા હતા કે ભાજપના દરેક સભ્યોને પોતાના મનગમતા ખાતાના ચેરમેન પદ મળતા એક અલગ પ્રકારનો સંતોષ મુખ પર જાેવાતો હતો પરંતુ આ રચાયેલી સમિતિઓ આવનારા દિવસોમાં માન્ય ગણાશે કે કેમ તેવાં અનેક સવાલો આજે ગોધરા ના નગરજનોમાં ઉઠયા છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગૌમાંસના મુદ્દે કાલોલમાં કોમી તોફાનોઃફાયરિંગ

    ગોધરા, પાછલા ઘણા વર્ષોથી કોમી એકતાની મિશાલ માટે જાણીતા કાલોલ શહેરમાં શનિવારે અશાંતિનો શનિ ભારે થતાં કેટલાક અશાંતિપ્રિય તત્વોએ શાંત શહેરને કોમીદાઝથી દઝાડતા ચકચાર મચી જવા પામી હતી. જે સમગ્ર ઘટના અંગે સાંપડેલી વિગતો મુજબ કાલોલ શહેરમાં ગત અઠવાડિયે મોટરસાયકલ પર વહન કરી જતા ઝડપાયેલા ગૌમાંસના કિસ્સામાં શુક્રવારે મોડી રાત્રે ગૌમાંસ અંગેની પોલીસને બાતમી આપવાની અદાવતે ગધેડી ફળિયાના એક દુકાનદારને બોરુ ટર્નિંગ પાસે આંતરીને કેટલાક લઘુમતી કોમના યુવકોએ હિન્દુ દુકાનદારને માર માર્યો હતો.મારામારી અંગે દુકાનદારે કાલોલ પોલીસને કરેલી ફરિયાદ અનુસાર શનિવારે સવારે કાલોલ પોલીસે કાર્યવાહી કરી દુકાનદાર સાથે મારામારી કરતા ત્રણ મુસ્લિમ યુવકોને પોલીસ સ્ટેશનમાં અટકાયત કરી લાવવા સામે શનિવારે બપોરના બાર એક વાગ્યાના સુમારે કેટલાક લઘુમતી કોમના લોકટોળાં પોલીસ સ્ટેશન સામે જમા થઈને પછી મોટા પ્રમાણમાં ટોળેટોળાં ઉમટી પડતા પોલીસ કાર્યવાહી સામે ઉશ્કેરાટમાં આવીને કાફિરોને મારો.. ગાયોને કાપો જેવી કિકિયારીઓ પાડીને લઘુમતી કોમના લોકટોળાંઓએ પોલીસ સ્ટેશન સામેના હાઈવે રોડથી ગધેડી ફળિયા વિસ્તારમાં મારો. કાપોની બુમો પાડી છુટા હાથથી પથ્થરમારો કરી આતંક મચાવ્યો હતો. જે સુમારે કેટલાક તોફાની તત્વોએ ગધેડી ફળિયામાં દુકાન ધરાવતા ફરીયાદી દુકાનદારની દુકાન સહિત હિન્દુ માલિકોની દુકાનોમાં ઘુસીને દુકાનની તોડફોડ કરીને દુકાનનો સામાન રસ્તા પર ફેંકી દીધો હતો. આમ કાલોલ શહેરમાં શનિવારે બપોરના સુમારે અચાનક લઘુમતી કોમના ટોળાંઓએ રસ્તા પર આવીને છુટા હાથે પથ્થરમારો કરી આતંક મચાવતા વાયુવેગે શહેરનું વાતાવરણ તંગ બની જતાં બજારોમાં દુકાનદારોએ પોતાના શટર બંધ કરીને સુરક્ષિત સ્થળે પહોંચી પોતાનો બચાવ કર્યો હતો પરંતુ ત્યાં સુધીમાં ટોળામાં જાેવા મળતા ઉપદ્રવીઓએ ગધેડી ફળિયાથી ભાથીજી મંદિર સુધીની દુકાનો, રહેણાંક વિસ્તારો અને એકલ દોકલ વાહનો અને વાહન ચાલકોની તોડફોડ કરી ઉપદ્રવ મચાવી દીધો હતો. સમગ્ર ઘટના અને લોકટોળાં સામે કાલોલ પોલીસે સમયસર જિલ્લા પોલીસની મદદ માગતા જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ સહિત પોલીસ કાફલો કાલોલ દોડી આવ્યો હતો. જેથી પોલીસે અસરગ્રસ્ત વિસ્તારોમાં હવામાં ફાયરીંગ સહિત ટીયર ગેસના સેલ છોડીને લોકટોળાંઓને પાછા પાડવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. જ્યારે બીજી તરફ લઘુમતી કોમના ઉપદ્રવ સામે કેટલાક હિન્દુ રક્ષા સમિતિના પણ લોકટોળા આવી જતાં એક સમયે કાલોલ શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે લઘુમતી કોમના ઉપદ્રવ સામે કેટલાક હિન્દુ સમિતિના પણ લોકટોળા આવી જતાં એક સમયે કાલોલ શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેથી બપોર પછી જીલ્લા પોલીસ વડા ડૉ. લીના પાટીલે અસરગ્રસ્ત એવા મસ્જિદ ફળિયામાં તોફાનીઓ સામે ઘસી જઈને સૌને શાંત રહેવા અને પોતાના ઘરમાં જવા માટે પણ સમજાવ્યા હતા. તેમ છતાં પણ તોફાની તત્વોએ મકાનોના ઘાબાઓ પરથી પોલીસ પર પથ્થરમારો કરતા પરિસ્થિતિ વણસી હતી જેથી પોલીસે ટીયરગેસના સંખ્યાબંધ સેલ છોડવા પડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ પથ્થરમારામાં એલસીબી પીઆઇ ડી એન ચુડાસમાને મોઢા અને માથાના ભાગે એક છુટો પત્થર વાગવાથી પીઆઈ લોહિલુહાણ થઈ ગયા હતા. તદ્‌ઉપરાંત અન્ય બે પોલીસ કર્મચારીઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા. બીજી તરફ મદની મસ્જીદમાંથી પણ કેટલાક તોફાની ટોળાએ પોલીસ કાફલા પર પત્થરમારો કરતાં સમયસૂચકતાને આધારે પોલીસ કાફલાને પીછેહઠ કરવી પડી હતી. અંતે પરિસ્થિતિ મુજબ એ વિસ્તારમાં પણ ટીયરગેસ છોડીને તોફાની તત્વોને હટાવ્યા હતા. જે પછી સાંજ સુધીમાં સમગ્ર પરિસ્થિતિ કાબુમાં આવતા પોલીસે અસરગ્રસ્ત વિસ્તારોના મુસ્લિમ અગ્રણીઓ સાથે વાતચીત કરી મસ્જિદ ખાતેથી શાંતિની અપીલ કરી લોકોને ઘરની બહાર નહીં નીકળવા જાહેરાત કરતાં સાંજ સુધીમાં પરિસ્થિતી કાબૂમાં લીધી હતી. 
    વધુ વાંચો
  • ગુજરાત

    પંચમહાલ: કાલોલમાં અસામાજીક તત્વોના ટોળાએ પોલીસ પર કર્યો પથ્થરમારો, પોલીસ જવાનો ઈજાગ્રસ્ત

    પંચમહાલ-પંચમહાલના કાલોલમાં બે જૂથો વચ્ચે અથડામણ બાદ તોફાનો જેવી સ્થિતિ સર્જાઈ છે. ખુદ જિલ્લા SP સહિતના કાફલાને દોડી જવું પડ્યું છે. પરિસ્થિતિ એ હદ સુધી વણસી કે, જિલ્લામાંથી પોલીસ પાર્ટીને પણ બોલાવવી પડે તેમ છે. અસામજીક તત્વોના આશરે 100થી વધુ લોકોના ટોળું બેકાબુ બન્યું હતું. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. આ ટોળાએ તોડફોડ મચાવતા શહેરમાં અશાંતિનું વાતાવરણ ફેલાયું છે. અને દુકાનો સહિત લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોએ ધંધો બંધ કરી ધર તરફ દોડી ગયા હતા. બેકાબુ ટોળા પર પોલીસ દ્વારા લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ પણ છોડવા પડ્યા હતા. પરંતુ આ ટોળું કોઈ રીતે કાબૂમાં આવ્યું નહોતું. પોલીસના જવાનો સહિત PI અને PSI પણ ઈજાગ્રસ્ત બન્યા છે. સૂત્રો દ્વારા મળતી પ્રાથમિક માહિતી અનુસાર, કાલોલ સ્થિત ગધેડી ફળીયા અને કસબા વિસ્તારમાં બપોરે 3 વાગ્યાની આસપાસ અચાનક તંગદીલી ભર્યું વિતાવરણ સર્જાયુ હતુ. જેમાં બન્ને કોમના ટોળા વચ્ચે હીંસક જુથ અથડામણ થતાં વાતાવરણ અતિ તંગ બનતા પરિસ્થિતિ કાબુ બહાર થઇ ગઇ હતી. ટોળા દ્વારા પત્થરમારો કરાતા વિસ્તારની દુકાનો ટપો ટપ બંધ થવા માંડી હતી. તેવામાં હીંસક બનેલા ટોળાએ દુકાનોમાં તોડફોડ કરી વાહનોને પણ નુકશાન પહોંચાડ્યું હતુ.
    વધુ વાંચો
  • ગુજરાત

    કોરોના વેકસીનેશન માટે જાગૃતિ અભીયાનઃરીક્ષા પાછળ સ્લોગન લખાયાં

    ગોધરા. ગોધરા સીટી ટ્રાફિક પોલીસ દ્વારા કોરોના વેકસીનેશન અંગે શહેરીજનો માં જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય થી અનોખી પહેલ કરવામાં આવી.રાજ્ય સરકાર દ્વારા કોરોના વેકસીનેશન ની પ્રક્રિયા રાજ્યના દરેક જિલ્લા અને શહેરોમાં અમલમાં મુકવામાં આવી છે અને તે માટે ૧૮ થી ૬૦ વયજુથના લોકોને કોરોના વેકસીનેશન કરાવવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે.જેના ફળ સ્વરૂપ નાગરિકો વેકસીનેશન કરાવી પણ રહ્યા છે.ત્યારે હજી પણ બાકી રહેલા નાગરિકો કોરોના વેકસીનેશન માં સહભાગી થાય તેવા પ્રયાસો સરકાર કરી રહી છે.ત્યારે સરકારના આ પ્રયાસ ને સફળ બનાવવા માટે ગોધરા સીટી ટ્રાફિક પોલીસ ના મહિલા અધિકારી જે.એન.જાડેજા તેમજ ટ્રાફિક પોલીસ કર્મીઓ ગીરીશભાઈ બારીઆ,વિરસિંહ ભુરિયા, પ્રવીણભાઈ વાઘેલા તેમજ ટી.આર.બી જવાનો દ્વારા આજ રોજ શહેરીજનો માં કોરોના વેકસીનેશન અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય થી ત્રીસ ઉપરાંત રિક્ષાઓ પર કોરોના વેકસીનેશન ના સૂત્રો અંકિત કરી ગોધરા નગરમા આ રિક્ષાઓ તમામ વિસ્તારોમાં ફરી નાગરિકો ને જાગૃત કરી રહ્યા છે.ત્યારે ગોધરા સીટી ટ્રાફિક પોલીસ નો આ પ્રયાસ ખરેખર સરાહનીય કહી શકાય.ગોધરા સીટી ટ્રાફિક પોલીસ દ્વારા ટુક સમય પહેલાં શહેરના લારી,પથારાવાળા,શાકભાજી અને ફ્રુટવાળાઓને શહેરના પટેલવાડા વિસ્તારમાં આવેલા કોરોના વેકસીનેશન સેન્ટર ખાતે લઈ જઈ વેકસીનેશન કરાવ્યું હતું.
    વધુ વાંચો
  • ગુજરાત

    ધરકંકાશ થી કંટાળી યુવકે જાતે જ ગોળી મારી હોવાની હકીકત સામે આવી

    ગોધરા.ધોધંબા તાલુકાના કાલસર ગામના ડેપ્યુટી સરપંચ ના પુત્ર પર ફાયરીંગ પ્રકરણમાં પોલીસે તપાસ હાથ ધરતા યુવકે જાતે ધરકંકાશ ઝધડા થી કંટાળી પોતાની જાતે જ ગોળી મારી હોવાની હકીકત સામે આવી છે પોલીસે દેશી તમંચો કબ્જે લઇ પિતા પુત્ર સામે પોલીસ ને ગેરમાર્ગે દોરવા સહીત આર્મ્સ એક્ટ મુજબ નો ગુનો નોંધી ની ડેપ્યુટી સરપંચ પિતાની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી હતી.ઘોઘંબા તાલુકાના કાલસર ગામે રવિવાર ની સંધ્યાએ ગામના ડેપ્યુટી સરપંચ હરસિંગ નનુંભાઈ રાઠવા ના પુત્ર અનિલ રાઠવાને મધ્યપ્રદેશ બાજુના કોઈ અજાણ્યા મોટરસાયકલ સવાર ત્રણ ઈસમો સાથે નજીવી બોલાચાલી થઈ હતી.જે પૈકીના એક યુવકે ડેપ્યુટી સરપંચના પુત્ર ને ગોળી મારી નાસી ગયા હોવાની ઘટના બની હતી જે પ્રકરણમાં કાલસર ગામે રાજગઢ પોલીસ તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ સ્ટાફ દોડતો થઈ ગયો હતો. પોલીસ દ્વારા બનાવની તલસ્પર્શી તપાસ કરતા ઇજાગ્રસ્ત અનિલના પત્ની તેમજ તેના ઘરના સભ્યો ની પૂછપરછ હાથ ધરી હતી.દરમ્યાન પોલીસ દ્વારા ડેપ્યુટી સરપંચ હરસિંગ રાઠવા ની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે ઘરકંકાશ,લડાઈ અને ઝઘડા થી કંટાળી મારા છોકરાએ જાતેજ દેશી તમંચા થી પોતાને ગોળી મારી હોવાની કબૂલાત કરી હતી અને મારો છોકરો પોલીસ કેસ માં ના ફસાય તે માટે આખા બનાવ ને ઉપજાવી કાઢયો હોવાની કબુલાત કરી હતી પોલીસે હાલ તો ડેપ્યુટી સરપંચ હરસિંગ રાઠવા ની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે દેશી બનાવટનો તમંચો અનિલ રાઠવા ક્યાંથી લાવ્યો તેને કોણ આપી ગયું તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે વધુમાં પોલીસે પિતા પુત્ર સામે આર્મ્સ એક્ટ અને પોલીસ ને ગેરમાર્ગે દોરવાની કલમો લગાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    માતરના ધારાસભ્ય અને અર્ધનગ્ન સ્ત્રીઓ સહિત ૨૬ ઝડપાયા

    ગોધરા, પંચમહાલ જિલ્લાના શિવરાજપુરમાં આવેલા જીમીરા રિસોર્ટમાં માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી જુગાર રમતા ઝડપાઇ જતાં અટકાયત કરાઇ હતી. પોલીસના દરોડા બાદ ધારાસભ્યની સાથે ૧૯ પુરુષ અને ૭ મહિલાની પણ અટકાયત કરવામાં આવી છે. આજે શુક્રવારે અન્ય ૧૫૦ જેટલાં મોટામાથાઓ પણ જુગાર રમવા આવવાના હતા પણ એ અગાઉ પોલીસ ત્રાટકતા સૌ સુન્ન થઇ ગયા હતા.પંચમહાલ જિલ્લાના શિવરાજપુર નજીક આવેલા જીમીરા રિસોર્ટમાં વિદેશી મશીનો પર મોટાપાયે જુગાર રમવાનું આયોજન કરવામાં આવ્યું છે એવી પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે અચાનક રેડ કરતા ૧૫ ખાનદાન નબીરોઓને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા છે. ઝડપાયેલામાં માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી પણ હોવાનું સામે આવ્યું છે. પોલીસે દરોડા દરમિયાન વિદેશી બનાવટની દારૂની નવ બોટલો પણ કબ્જે કરી હતી. આ લોકો પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ પોલીસે કબ્જે લીધો છે.પોલીસે પાડેલા દરોડાના પગલે ભારે સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો પ્રજાએ જેને મતો આપી ભાજપના ધારાસભ્ય તરીકે ચુંટાયેલા છે એવા ખેડા જીલ્લાના માતર વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેસરીસિંહ જુગાર રમતા પોલીસના હાથે રંગેહાથ ઝડપાતા રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે આ સાથે પોલીસના હાથે ઝડપાયેલા લોકો દારૂ પાર્ટી પણ કરી રહ્યા હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે.જુગાર રમવામાં કયા કયા ખાનદાની નબીરાઓ સામેલ છે તે પોલીસ ફરીયાદ બાદ જ બહાર આવશે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. રીસોર્ટનો મુખ્ય માલિક કોણ છે, જુગારનો મુખ્ય સુત્રધાર કોણ છે. જે ૧૫ જેટલા લોકો છે તે ક્યાંના ખાનદાની નબીરા છે અને કેટલા સમય થી આ પ્રકારે જુગાર રમાડવામાં આવતો હતો તે દિશામાં પોલીસે હાલ તપાસ હાથ ધરી છે.
    વધુ વાંચો
  • રાજકીય

    ગુજરાત ભાજપના ધારાસભ્ય કેશરીસિંહ સોલંકી સહિત 15થી વધુ લોકો જુગાર રમતા ઝડપાયા

    પંચમહાલ-પંચમહાલના શિવરાજપુર નજીક આવેલા રિસોર્ટમાં LCBએ અચાનક રેડ કરતા 15થી વધુ નબીરોઓને જુગટું રમતા રંગેહાથ ઝડપી લીધા છે. જેમાં 1 ધારાસભ્ય પણ હોવાનું સામે આવ્યું છે. પંચમહાલના શિવરાજપુર નજીક આવેલા ઝીમીરા રિસોર્ટમાં LCBએ દરોડા પાડતા જુગાર રમતા 15 લોકોને રંગેહાથ ઝડપી લીધા છે. આ લોકો પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ પોલીસે હાથ ધર્યો છે. નડિયાદ જિલ્લાના માતર બેઠકથી ભાજપના ધારાસભ્ય જુગાર રમતા ઝડપાયા છે. હાલોલના શિવરાજપુર નજીક આવેલ જીમીરાં રિસોર્ટમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા તમામ લોકોની અટકાયત કરીને પુછપરછ ચલાવવામાં આવી રહી છે. ભાજપનાં ધારાસભ્ય કેશરી સિંહ સોલંકી પણ જુગાર રમતા ઝડપાયા છે. કેશરી સિંહ ખેડાની માતરના ધારાસભ્ય છે. હાલ તો તેમની અટકાયત કરીને પુછપરછ ચાલી રહી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    પાવાગઢમાં માતાજીના દર્શન માટે દોઢ લાખ માઇભક્તો ઉમટી પડ્યા

    હાલોલ, યાત્રાધામો ખુલ્યા પછી પાવાગઢમાં રવિવારે દોઢ લાખ જેટલા યાત્રાળુઓ ઉમટી પડ્યા હતા. જેને પગલે ઠેર-ઠેર ટ્રાફિકજામ સાથે અફરાતફરીનો માહોલ જાેવા મળ્યો હતો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સ જળવાયું નહોતુ અને કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપતા દ્રશ્યો જાેવા મળ્યા હતા.આટલી મોટી સંખ્યામાં ભક્તો મહાકાળી માતાના દર્શને ઉમટી પડતા તંત્ર પણ અવઢવમાં મૂકાઇ ગયું હતું.બીજી તરફ તળેટીથી માચી જવા જી્‌ બસની સુવિધા ન હોવાથી યાત્રાળુઓને બસ કરતા ૬ ઘણુ ભાડું આપીને ખાનગી જીપોમાં જીવના જાેખમે મુસાફરી કરવાનો વારો આવ્યો હતો. જી્‌ બસમાં મુસાફર દીઠ માત્ર ૮ રૂપિયા ભાડું છે, જ્યારે ખાનગી જીપ ચાલકો ૫૦ રૂપિયા ભાડું વસૂલે છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેર પહેલા જ પાવાગઢમાં આટલી મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડતા તંત્ર માટે મોટી ચિંતાનો વિષય બન્યો છે. કોરોનાના ડર વગર હજારોની સંખ્યામાં લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરતા જાેવા મળ્યા હતા. રવિવારને લઇને મોટી સંખ્યામાં ઉમટેલા યાત્રાળુઓમાં ૭ હજારથી વધુ લોકોએ રોપ-વે સેવાનો લાભ લીધો હતો. છેલ્લા ૬ મહિના બાદ પહેલી વખત આટલી મોટી સંખ્યામાં યાત્રાળુઓ પાવાગઢમાં ઉમટી પડ્યા હતા.કોરોનાની બીજી લહેર બાદ યાત્રાધામો ખુલ્યા પછી પાવાગઢમાં રવિવારે દોઢ લાખ જેટલા યાત્રાળુઓ ઉમટી પડ્યા હતા. જેને પગલે ઠેર-ઠેર ટ્રાફિકજામ સાથે અફરાતફરીનો માહોલ જાેવા મળ્યો હતો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સ જળવાયું નહોતુ અને કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપતા દ્રશ્યો જાેવા મળ્યા હતા. આટલી મોટી સંખ્યામાં ભક્તો મહાકાળી માતાના દર્શને ઉમટી પડતા તંત્ર પણ અવઢવમાં મૂકાઇ ગયું હતું.
    વધુ વાંચો
  • ગુજરાત

    હવે આ શકિતપીઠ ભાવિક ભક્તો માટે ખુલશે, આ તારીખથી શ્રધ્ધાળુઓ કરી શકશે દર્શન

    અમદાવાદ-સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર ઉપર બિરાજેલ સાક્ષાત માં મહાકાળીકાના મંદિરે માતાજી ના સાક્ષાત દર્શન કરવા માટે થઈને ભાવિક ભક્તોની આતુરતાનો અંત આવી રહ્યો છે. કોરોના મહામારીને પગલે મંદિર ભાવિક ભક્તોના દર્શન માટે બે માસથી બંધ રાખવામાં આવેલ હતું. ત્યારે આગામી શુક્રવારથી મંદિરના દ્વાર ભાવ્ક ભક્તોના દર્શન માટે ખુલ્લા મુકવામાં આવનાર હોવાનું મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બિરાજમાન જગત જનની માં કાલી ના દર્શન કોરોના મહામારીની બીજી લહેર ના પગલે તા. ૧૨. ૪. ૨૧ થી ૧૭ દિવસ માટે બંધ કરવામાં આવ્યા હતા. જોકે દિન-પ્રતિદિન કોરોના નો પ્રકોપ વધતાં મંદિર ભાવિક ભક્તોના દર્શનાર્થે બંધ રાખવાનો સમય વધારવામાં આવ્યો હતો. જ્યારે બે માસ જેટલો સમય બાદ કોરોના ની રફતાર મંદ થતા મંદિર ટ્રસ્ટ દ્વારા ૫૯ દિવસ બાદ તા. ૧૧. ૬. ૨૧ શુક્રવારના રોજથી સવારે ૬ કલાકથી સાંજના ૭. ૩૦ કલાક સુધી રાબેતા મુજબ નીજ મંદિરના દ્વાર ભક્તો ના દર્શન માટે ખુલ્લા મૂકવામાં આવનાર હોવાનું મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવાય રહ્યું છે . તેમજ મંદિર પરિસરમાં દર્શન કરવા આવનાર ભક્તો દ્વારા સરકારશ્રી ની કોવિડ અંગેની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તેની પણ તકેદારી રાખવામાં આવશે, તેવું પણ આધારભૂત સૂત્રોએ જણાવેલ હતું.
    વધુ વાંચો
  • ગુજરાત

    લાલપુરી ગામમાં રીંગણી, ગવારની આડમાં ગાંજાનું ગેરકાયદે વાવેતર

    હાલોલ, ઘોઘંબા તાલુકાના રાજગઢ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ લાલપુરી ગામમાં રહેતા કાકા અને ભત્રીજા દ્વારા પોતાના ખેતરમાં રીંગણી અને ગવાર ની આડમાં ગેરકાયદેસર ગાંજાના છોડ ઉગાડવામાં આવી રહ્યા હોવાની મળેલી ચોક્કસ બાતમીના આધારે ગત શુક્રવારે ગોધરા એસ.ઓ.જી પોલીસ અને રાજગઢ પોલીસે સંયુક્ત રીતે બાતમી વાળા ખેતરોમાં રેડ કરતા, બંન્ને ના ખેતરોમાંથી ગેરકાયદેસર રીતે ઉગાડેલ ગાંજાના કુલ ૧૧૧૧ છોડ મળી આવ્યા હતા. જેનું વજન ૧૪ કિલો, ને અંદાજે કિંમત થાય ૧,૪૦,૦૦૦/- રૂ. પોલીસે મુદ્દામાલ કબજે કરી,બંન્ને કાકા ને ભતરીજા વિરૂદ્ધ નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી, ગાંજાના સેમ્પલ એફ એસ એલ ને મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી.પ્રાપ્ત થયેલ માહિતી મુજબ, ઘોઘંબા તાલુકાના રાજગઢ પોલીસને શુક્રવારના રોજ ચોક્કસ બાતમી મળેળ હતી, કે તાલુકાના લાલપુરી ગામના માતાવાળા ફળીયામાં રહેતા બિપીનભાઈ જાલમસિંહ પરમાર અને તેના કાકા અર્જુનસિંહ ભુપતસિંહ પરમાર નાઓ પોતાના કબજાના ખેતરોમાં રીંગણી અને ગવાર ની આડમાં ગેરકાયદેસર રીતે ગાંજાના છોડ ઉગાડી રહ્યા છે. જેથી જીલ્લાના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગોધરા એસ ઓ જી પોલીસ ને રાજગઢ પોલીસે સંયુક્ત રીતે, ઉપરોક્ત બાતમીવાળા ખેતરોમાં રેઈડ કરતાં, બિપીનભાઈ તેમના ખેતરમાં મળી આવ્યા હતા,ને ખેતરમાંથી ગાંજાના છોડ મળી આવતા, તેમના કાકા અર્જુનસિંહે છ માસ પહેલા ગાંજાના બીજ આપ્યા હતા હોવાનું તેણે જણાવ્યું હતું. જેથી પોલીસે તેની બાજુમાં આવેલ અર્જુનસિંહ ના ખેતરમાં તપાસ કરતા, તેમાં પણ ગાંજા ના છોડ ઉગાડેલ મળી આવ્યા હતા. જેથી પોલીસે બંન્ને ખેતરોમાંથી ગેરકાયદેસર રીતે ઉગાડેલ ગાંજાના કુલ ૧૧૧૧ છોડ જેનું વજન થાય ૧૪ કિલો ને અંદાજે કિંમત થાય ૧,૪૦,૦૦૦/- રૂ નો મુદ્દામાલ કબજે કરી, બંન્ને આરોપીઓ કાકા ને ભતરીજા અર્જુનસિંહ ને બિપીનભાઈ ની અટકાયત કરી તેમના વિરૂદ્ધ એન ડી પી એસ એક્ટ હેઠળ ગુનો નોંધી, ગાંજા ના સેમ્પલ એફ એસ એલ ને મોકલી આપી, આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    છોટાઉદેપુર ૧૦૮ સેવાના કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ

    છોટાઉદેપુર ૧૦૮ ઈમરજન્સી સેવા તથા ખિલખિલાટ સેવા તથા ય્ફદ્ભ ઈસ્ઇૈં સંસ્થા અંતર્ગત ચાલતા તમામ પ્રોજેક્ટના કર્મચારીઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી કરાઈ હતી. જેમાં અંદાજિત ૨૦ જેટલા સ્થળો આશરે ૫૦ છોડ વાવીને વૃક્ષારોપણ કરાવ્યું હતું અને એમ્બ્યુલન્સ અને એમ્બ્યુલન્સમાં વપરાતા તમામ સાધન સામગ્રીની સાફસફાઈ કરવામાં આવી હતી.મોરવા હડફમાં વન વિભાગે પર્યાવરણ દિવસની ઉજવણી કરી શહેરા, મોરવા હડફમા પર્યાવરણ દિવસ ઉજવણી વન વિભાગે કરી હતી.ધારાસભ્ય નિમીષાબેન સૂથાર સહિત વિવિધ કચેરીના અધિકારી અને વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરીને વિવિધ છોડોનુ વિતરણ કરેલ હતુ. મોરવા હડફ મા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ધારાસભ્ય નિમિષાબેન સુથાર ની વિશેષ ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમનૂ આયોજન કરવા માં આવ્યું હતું. નિમિષા બેન સુથાર સહિત બક્ષીપંચ મોર્ચા ના જીલ્લા અધ્યક્ષ વિજયભાઈ પટેલ, તાલુકા ભાજપ ના અધ્યક્ષ તખતસિંહ પટેલ તથા જીલ્લા પંચાયત સભ્યો તાલુકા પંચાયત ના સભ્યો સહિત પાર્ટી ના પદાધિકારીઓ એ તુલસી, લીમડો સહિત વિવિધ છોડોનું વૃક્ષારોપણ કરેલ હતુ. જ્યારે વનવિભાગ દ્વારા મામલતદાર સહિત અન્ય કચેરીમાં વિવિધ છોડોનું વૃક્ષારોપણ કરવા સાથે દરેક પર્યાવરણ પ્રેમીઓને વૃક્ષો વાવવા માટે અપીલ કરીને જનજાગૃતિ સંદેશો આપ્યો હતો. વનવિભાગ દ્વારા તાલુકા પંથકમા વિશ્વ પર્યાવરણ દિવસની વૃક્ષારોપણ કરવા સાથે વિવિધ છોડો નુ વિતરણ કરીને ઉજવણી કરાઇ હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી

    શહેરા, શહેરા તાલુકાના બિલિથા ગામે માસીયાઇ ભાઈ બહેન ના આડા સબંધની શંકા એ પતી એ પત્ની ને તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હતી.પોલીસ દ્વારા ઘટનાની જાણ થતાં કાયદેસરની કાર્યવાહી હાથધરી હત્યારા આરોપી પતિ ને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. બનાવની પોલીસ પ્રાપ્ત વિગત અનુસાર શહેરા તાલુકાના બિલીથા ગામના હડકાયા માતાના મુવાડા ફળિયામા રહેતા રતિલાલ અને તેઓના સાઢુભાઈ આજથી એક માસ અગાઉ બાધા અર્થે લાડવેલ ગામે ગયા હતા.ત્યાંથી પરત ફરતા મૃતકની બહેનો દીકરો પોતાની જ માસીયાઈ બહેન સામે ટગર ટગર જાેઈ ઈશારો કરતા મૃતકના પતિએ જાેઈ લેતા તેઓ વચ્ચે ખટરાગ ઉભો થયો હતો,અને તેઓ ખટરાગ ના કારણે રસ્તા વચ્ચે જ ઉતરી ગયા હતા. આ તરફ મૃતક ના પતી અને આરોપી રતિલાલે ઘરે જઈને પોતાની સાળી ને કહ્યું કે મારી દીકરી ને કેમ બદનામ કરો તેમ કહી બીભત્સ ગાળો બોલવા માંડ્યા હતા.ઘટના ના પાંચ દિવસ પહેલાં પોતાના સાડા ની હાજરી માં આરોપીની સાડી દ્વારા પોતાની પુત્રીને બદનામ કરવામાં આવતી હોય પંચ ભેગુ કરવાનું કહેતા હત્યારા આરોપી રતિલાલ ની પત્ની એ સમાજ માં પોતાની બદનામી થશે તે આશયથી પંચ ભેગુ નહી કરવાની સલાહ આપી હતી. આવી વાત કરતા આરોપી પોતાની પત્ની પર ગુસ્સો થઈ ગયો હતો. પરંતુ તેને સમજાવી શાંત પાડવામાં આવ્યો હતો.ગુરુવારના રોજ હત્યાના આરોપી એ સમાજનું પંચ ખેડા જિલ્લાના સેવાલિયા મુકામે રાખેલ હતુ,જેમાં ક્થીત માસિયાઈ ભાઈ સાથેના પ્રેમ પ્રકરણ ના કારણે હત્યારા આરોપી ના સાળી,તેનો પતિ અને પુત્ર પંચ મા આવેલ હતા નહી. આ વાતનો મનમાં રોષ રાખી શુક્રવાર ના રોજ હત્યારા આરોપીની પત્ની નંદા બેન સવારના નવ વાગ્યાના અરસામા કુદરતી હાજતે જતા પંચમાં વાત નો ઉકેલ ના આવતા તે વાતની રિશ રાખી આરોપી પાછળ પાછળ જઈને કોઈ તીક્ષ્ણ હથિયાર ગળા માં મારતા સ્થળ પર જ તેઓ નુ પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. ઘટનાની પોલીસને જાણ થતા શહેરા પીઆઇ એચ.સી.રાઠવા તેમજ અન્ય પોલીસ કર્મીઓ ઘટના સ્થળે પહોંચી જઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહનો પંચનામુ કરી શહેરા સરકારી દવાખાના ખાતે પી.એમ અર્થે મોકલી દેવામાં આવ્યો હતો.હાલ તબક્કે હત્યાનો આરોપી રતિલાલ વાઘરી ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયો છે.અને પોલીસની વિવિધ ટીમો દ્વારા તેને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    રાશન અને જીવનજરૂરી ચીજવસ્તુઓ ભરેલી કીટ પહોંચાડવાનું અભિયાન

    ગોધરા, કોરોના મહામારી સમયે દિવસ-રાત સેવા બજાવતા કોરોના વોરિયર્સના લાભાર્થે ગોધરાના અભરામ પટેલના મુવાડા ખાતેથી રાશન અને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની ૧૦,૦૦૦ કીટના જથ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ ગોધરા ધારાસભ્ય જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી ધ્વારા પ્રસ્થાન કરાવ્યું હતું. ૧૪થી વધુ ટ્રકોમાં આ જથ્થો દરેક તાલુકામથકે પહોંચાડી માનદ વેતન, અંશકાલીન વેતન મેળવતા કે આઉટસોર્સિંગ પર ફરજ બજાવતા કોરોના વોરિયર્સ કર્મચારીઓને વિતરીત કરાશે. ૧૪૦૦ આશાવર્કરો, નગરપાલિકાના ૮૫૦ સફાઈ કર્મચારીઓ, ૨૦૦૦ જેટલા આરોગ્ય કર્મીઓ, ૧૮૦૦ જેવા હોમગાર્ડ, ટીઆરબી અને જીઆરડી જવાનો સહિત જરૂરતમંદ ૧૦,૦૦૦ જેટલા કર્મચારીઓને વિતરણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે યુવા અનસ્ટોપેબલના સહયોગથી ગુજરાત રાજભવન દ્વારા શરૂ કરાયેલા કોરોના સેવાયજ્ઞ અંતર્ગત એક લાખ પાયાના કોરોના વોરિયર્સને રાશન અને જીવનજરૂરી ચીજવસ્તુઓની કીટ પહોંચાડવાનું જન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના ત્રીજા ચરણ અંતર્ગત પંચમહાલના કોરોના કર્મીઓ માટે ૧૦,૦૦૦ કીટનો જથ્થો ફાળવવામાં આવ્યો છે. રાજ્યપાલ એ શરૂ કરેલા કોરોના સેવાયજ્ઞને ઉમદા અભિયાન તરીકે પ્રશંસા કરતા ધારાસભ્ય એ જણાવ્યું હતું કે દિવસ-રાત દર્દીઓની સેવા કરતા કોરોના વોરિયર્સને ઈશ્વરે સેવાનો અવસર આપ્યો છે ત્યારે સરકાર અને સમાજ પણ તેમની કાળજી રાખવામાં પાછા નહીં પડે તેવો ભાવ અને દિશા આ અભિયાનની છે. દરેક કીટમાં ૧૪ કિલો રાશન કે જેમાં ૫ કિલો લોટ, ૫ કિલો ચોખા, ૨ કિલો ચણા દાળ, ૫૦૦ ગ્રામ ઈમ્યુનિટી બૂસ્ટર તેમજ હળવો નાસ્તો સામેલ છે. આ ઉપરાંત ૨ કિલો ખાદ્ય તેલ પણ આપવામાં આવશે.
    વધુ વાંચો
  • ગુજરાત

    તાજપુરા કોવિડ હોસ્પિટલમાં પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ

    હાલોલ, હાલોલ તાજપુરા સ્થિત કોરોના હોસ્પિટલને પાવાગઢ કાલિકા માતા મંદિર ટ્રસ્ટના યોગદાન દ્વારા રૂા. ૫૦ લાખના ઓક્સિજન પ્લાન્ટનુ ગુરૂવારે મંદિરના ટ્રસ્ટીઓ જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ધાર્મિક પૂજા વિધિ બાદ લોકાર્પણ કરાયું હતું. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, યાત્રાધામ મંત્રી વિભાવરીબેન દવે, રાજ્ય મંત્રી અને હાલોલ ધારાસભ્ય જયદ્રથ સિંહ પરમારે શુભેચ્છા સંદેશો આપ્યો હતો. કોરોનાની વૈશ્વિક મહામારી દેશ સહિત રાજ્યને પ્રભાવીત કરી કેર વાર્તાવતા મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે હાલ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. પંચમહાલ જિલ્લામાં પણ મોટી સંખ્યામાં લોકો કોરોના કાળનો ભોગ બન્યા છે ત્યારે કોરોના ગ્રસ્ત લોકોની સારવાર માટે સરકારી તંત્ર એ પણ એડીચોટીનું જાેર લગાવી દીધું હતું તેમ છતાં વિકરાળ કોરોના રોકેટગતી સામે તંત્રને મદદરૂપ થવા ખાનગી સંસ્થાઓ વહારે આવતા તંત્ર બેવડાયું હતું તાજપૂરા કોવિડ હોસ્પિટલ માં આવતા દર્દીઓ ને ઓક્સિજન ની ઉણપ ન રહે તે માટે રાજ્યનું પ્રથમ એવું પાવાગઢ કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા ટૂંક સમય પેહલાજ રોજનું ૧૦૦ બોટલ ઉત્પાદન કરી શકે તેવો ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરવા ટ્રસ્ટ દ્વારા રૂા.૫૦ લાખના યોગદાનની જાહેરાત કરાઈ હતી.ઓક્સિજન પ્લાન્ટ ત્યાર થઈ જતા ગુરૂવારે ટ્રસ્ટના પ્રમુખ સુરેન્દ્રભાઈ, સેક્રેટરી રાજુભાઇ ભટ્ટ, ટ્રસ્ટી દુસયંત પાઠક, હીરાલાલ પાવાગઢ મંદિર પૂજારી, ડો ઉદય પ્રકાશ તાજપુરા કોવિડ હોસ્પિટલ નોડલ અધિકારી, જિલ્લા કલેક્ટર અમિત અરોરા જિલ્લા પોલીસ વડા ડો લીના પાટીલ હાલોલ પ્રાંત આલોક ગૌતમ મામલતદાર કટારા સહિતના મહાનુભવો ઉપસ્થિતીમાં લોકાર્પણ વિધિ યોજાઈ હતી. તાજપુરા ખાતે કાર્યરત થયેલા ઑક્સિજન પ્લાન્ટને લઈ તાજપુરા કોવિડ હોસ્પિટલને અન્ય સપ્લાય પર ર્નિભય નહીં રહેવું પડે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગોધરામાં કારની ટક્કરે ત્રણ બાઈક સવારના મોત

    ગોધરા.ગોધરાના એક જ ફળિયામાં રહેતા ત્રણ શખ્સો રાત્રિના સમયે બાઈક પર આંટો મારવા નીકળ્યા હતા. ત્રણેય એક જ બાઈક પર સવાર હતા. ત્યારે દાહોદ ગોધરા હાઈવે પર એક કારે તેમની બાઈકને ટક્કર મારી હતી. જેમાં ત્રણેય શખ્સોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. ત્રણેયના મોત બાદ પોલીસ તથા એમ્બ્યુલન્સ પણ સમયસર પહોંચી ન હતી. તેથી સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો યોગ્ય સમયે એમ્બ્યુલન્સ અને પોલીસ સહિતની મદદ સમયસર નહિ મળવા સહિતના આક્ષેપો લોકોએ કર્યા હતા. આ આક્ષેપોને લઈ મોડી રાત્રે મૃતકોના સ્વજનો સહિત મોટી સંખ્યામાં લોક ટોળા કલેક્ટર કચેરીએ જમા થયા હતા. આક્ષેપો સાથે કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં લાશનો સ્વીકાર નહિ કરી ધરણા પર બેઠા હતા. ત્યારે મોડી રાત્રે ડીવાય એસપીએ જઈ સમજવટ કરી મામલો પાડ્યો થાળે પાડ્યો હતો. તો બીજી તરફ, જે કારે બાઈકને ટક્કર મારી તે કારમાં બે કાચના ગ્લાસ જાેવા મળ્યા હતા. ત્યારે મૃતકના સ્વજનોએ કાર સવાર નશામાં હોવાના આક્ષેપો કર્યા છે. કારમાં સવાર વ્યક્તિને પણ ઈજાઓ પહોંચી હતી પોલીસે કારના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ત્રણેય મૃતકોનું ગોધરા સીવીલ હોસ્પીટલ ખાતે પીએમ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે મોડીરાત્રે સર્જાયેલા અકસ્માત ના પગલે રાત્રી દરમ્યાન પોલીસ પેટ્રોલીંગ પણ સતત જાેવા મળ્યું હતું. મૃતકોના નામ (૧) સમીર મોહંમદ શેખ ઉર્ફે રાજુ(૨) ફિરોજખાન ઈનાયતખાન પઠાણ(૩) ઝહીર મજીદભાઈ શેખ મૃતક તમામ રહે. ગોન્દ્રા નવા બહારપુરા ગોધરા.
    વધુ વાંચો
  • ગુજરાત

    આ શકિતપીઠ હજુ 10 જૂન સુધી રહેશે બંધ, આરક્ષિત મોન્યુમેન્ટમાં મુલાકાતીઓ માટે પણ નો એન્ટ્રી

    હાલોલ-કોરોના મહામારીને કારણે આગામી ૧૦ જૂન સુધી પાવાગઢ મંદિર બંધ રહેશે. પાવાગઢ મંદિર ટ્રસ્ટે મંદિર બંધ રાખવાની સમયમર્યાદામાં વધારો કર્યો છે. તેમજ પાવાગઢ અને ચાંપાનેર ખાતે આવેલા આરક્ષિત મોન્યુમેન્ટમાં મુલાકાતીઓ માટે પ્રવેશ બંધની મુદતમાં પણ વધારો કરાયો છે. ત્યારે પાવાગઢ આવતા ભક્તોને મહાકાળી માતાજીના પ્રત્યેક્ષ દર્શન માટે રાહ જાેવી પડશે. રાજ્યમાં હાલ કોરોના કહેર યથાવત છે. ત્યારે સરકાર દ્વારા કોરોનાને રોકવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેમાં કોરોના ગાઈડલાઈનનું કડક પાલન, રાત્રી કફ્ર્યૂ , મિની લોકડાઉન અને માસ્ક ફરજિયાત વગેરે જેવા નિયમોની કડક અમલવારી કરાવવામાં આવી રહી છે. ત્યારે પાવાગઢ જતા ભક્તો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી ૧૦ જૂન સુધી પાવાગઢ મંદિર બંધ રાખવાનો ર્નિણ લેવામાં આવ્યો છે. પાવાગઢ આવતા ભક્તોને મહાકાળી માતાજીના પ્રત્યેક્ષ દર્શન માટે રાહ જાેવી પડશે. પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર બંધ રાખવાની અવધીમાં વધારો કરાયો છે. આ અગાઉ ૩૧ એપ્રિલ સુધી મંદિર બંધ રાખવાનો ર્નિણય કારાયો હતો. પરંતુ કોરોના મહામારીને લઇને પાવાગઢ અને ચાંપાનેર ખાતે આવેલા આરક્ષિત મોન્યુમેન્ટમાં મુલાકાતીઓ માટે પ્રવેશ બંધની મુદતમાં વધારો કરાયો છે. ભારતીય પુરાતત્વ વિભાગે કોરોના મહામારીને લઇને આ ર્નિણય કર્યો છે. પુરાતત્વ વિભાગ દ્વારા આગામી ૧૫ જૂન એટલે કે ૧૬ દિવસ સુધી પ્રવેશ બંધ કરાયો છે.વર્લ્ડ હેરિટેજમાં સ્થાન ધરાવતાં પાવાગઢના ચાંપાનેર ખાતે આવેલા ૧૧૪ મોન્યુમેન્ટમાંથી ૩૯ મોન્યુમેન્ટને પુરાતત્વ વિભાગ દ્વારા આરક્ષિત કરાયા હતા. ત્યારે આ સ્મારકોને નિહાળવા માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવતા હોય છે. જાે કે, કોરોના મહામારીને કારણે લોકોમાં સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે પાવાગઢ તેમજ ચાંપાનેર ખાતે મુલાકાતીઓના પ્રવેશ બંધની સમયમાર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    પાનમ નદીમાં હોડીમાં જાેખમી જળ યાત્રા કરતા ગ્રામજનો

    શહેરા, શહેરા ના બોરીયાવી ગામ પાસે પસાર થતી પાનમ નદી મા ગોઝારી ઘટના બન્યા બાદ પણ રવિવારના રોજ  પાનમ નદીમાં જાેખમી જળ યાત્રા કરતા હોડી માં લોકો જાેવા મળ્યા હતા. પાનમ નદી પર પુલ બનાવવામાં આવે તેવી સ્થાનિક ગામ સહિતના અન્ય ગામના ગ્રામજનો ની માંગ ઉઠી છે.. પાનમ નદીમાં ગોઝારી ઘટના બને કલાકો થયા હતા. ત્યારે એક તરફ નાવિક નો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.જ્યારે બીજી તરફ  જાેખમી જળ યાત્રા કરતા પાનમ નદીમાં લોકો જાેવા મળ્યા હતા. એક નાની હોડીમાં ૧૨ જેટલા લોકો બોરીયાવી ગામેથી બેસીને નદીના  કિનારાથી પેલા કિનારે  જતા હતા.  પાનમ નદીમાં વર્ષ દરમિયાન ત્રણ કે ચાર  આવી ઘટના બનતી હોય છે. તાલુકા  પ્રશાસન ઉપરોક્ત આ  બાબતે કોઈ ગંભીરતા નહિ લેતી હોવાથી ફરીથી પણ આવી ઘટનાનુ પુનરાવર્તન  થાય તો નવાઇ નહી, પાછલા ત્રણ વર્ષમાં આ ગામના જાગૃત નાગરિક ના જણાવ્યા અનુસાર ૧૫ થી વધુ લોકોના આ  પાનમ નદીમાં ડૂબી જવાથી મોત થયા છે. આ ગામના મહેન્દ્ર સિંહ ડાભી ,ભૂપત સિંહ , સાલમ સિંહ અને જશવતસિંહ તેમજ ક્રાંતિ ભાઈ   સહિતના  ૧૫થી વધુ ગામના  ગામજનોની  પાનમ નદી પર પુલ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. હાલતો આ બનેલ ઘટનામાં ચાર ના મોત થવા છતાં   સમય  અને રૂપિયા બચાવવા સાથે ૪૦ કિલો મીટર વાહન લઇને ફરીને નહી  જવું પડે એટલા માટે સ્થાનિક ગામ બોરીયાવી સહિત આજુબાજના ગામ ના ગ્રામજનો કામ અર્થે કે સગા સબંધી ના ત્યાં નદીમાં હોડી મા બેસીને  ટૂંકો માર્ગ સમજી ને જાેખમી જળ યાત્રા  નાછૂટકે એક તાલુકામાંથી બીજા તાલુકામાં જવા માટે કરતા હોય છે. આ બનેલ ઘટના બાદ સંબંધિત તંત્ર જે ગ્રામજનોની માંગ ઉઠી છે પાનમ નદીમાં પુલ બનાવવામાં આવે તે પૂરી થાય છે કે પછી આમ જ જાેખમી જળયાત્રા પાનમ નદીમાં ગ્રામજનોને કરવી પડશે એ તો સમય આવે ખબર પડશે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ઘાટા ગામના જંગલ વિસ્તારમા છાતીમાં ખંજર ભોંકી યુવકની હત્યા

    હાલોલ, પાવાગઢ પોલીસ સ્ટેશન ની હદમાં આવેલ ઘાટા ગામે રહેતા મહેશભાઈ સોમાભાઈ રાઠવા નાઓ ગત રોજ તેમના ઘેર હતા ત્યારે અમરાપુરા ગામે રહેતા તેના મિત્ર સંજયભાઈ કંચનભાઈ પરમારે મોબાઈલ પર ફોન કરી મળવાનું જણાવી, તેની સાથે તેના જ ગામમાં રહેતા જયદેવભાઈ વિઠ્ઠલભાઈ પરમારનું મોટરસાયકલ લઈ ને ઘાટા ગામે આવ્યા હતાં. જ્યાંથી મહેશભાઈ તેમની સાથે ગામ બહાર તલાવડી સ્મશાનની સામે આવેલ જંગલ વિસ્તારમાં બેસવા માટે ગયા હતાં. જ્યાં સંજયભાઈ ની સાથે આવેલ તેના મિત્ર જયદેવભાઈ એ મહેશભાઈને વેડ ગામે રહેતા તેમના મિત્ર હિતેન્દ્રભાઈ રાજેશભાઈ બારીયાનું કામ હોવાથી ફોન કરી બાલાવવાનું જણાવ્યું હતું. જેથી મહેશભાઈ એ ફોન કરતા, બપોરના સમયે વેડ ગામે રેહતા હિતેન્દ્રભાઈ તેમના ગામ ના જ મિત્ર દશરથભાઈ અમરસિંહ બારીયાને લઈને ત્યાં આવી પહોંચ્યા હતાં, જ્યાં પાંચેય મિત્રો વાતો કરી રહ્યા હતા, તેવામાં જયદેવભાઈ હિતેન્દ્રભાઈ ને અંગત વાત કરવી હોવાનું જણાવી થોડેક દુર લઈ ગયા હતા, જેથી તેઓને આવતા વાર લાગતા ને મહેશભાઈ તે બંન્નેની વચ્ચે કોઈક છોકરીની બાબતને લઈને મનદુખ હોવાનું જાણતા હોવાથી તેઓ બંન્ને ને બોલાવવા જતાં, જયદેવે તેઓની વાત ચાલતી હોવાનું જણાવી, અચાનક જ પોતાની પાસે રાખેલ ખંજરથી હિતેન્દ્ર પર હુમલો કરી તેને ખભાના ભાગે, છાતી પર ને હાથમાં ખંજર માર્યુ હતું, જેથી મહેશભાઈ છોડાવવા માટે વચ્ચે પડતાં, સંજયભાઈએ તેમને પાછળથી પકડી લેતા, જયદેવે મહેશભાઈને પણ હથેળીમાં ખંજર માર્યુ હતું, જ્યારે દશરથભાઈ પણ વચ્ચે પડતા સંજયે તેમને પકડી રાખ્યા હતા ને જયદેવે તેમની છાતીમાં ખંજર ગોપી દેતાં, તેઓ જમીન પર ફસડાઈ પડ્યા હતાં, જ્યારે બીક ના માર્યા ઈજાગ્રસ્ત મહેશ ને હિતેન્દ્ર તલાવડી બસ સ્ટેન્ડની પાછળ સંતાઈ ગયા હતા, જ્યારે બંન્ને આરોપીઓ ખુની ખેલ ખેલીને ત્યાંથી ફરાર થઈ ગયા હતાં.
    વધુ વાંચો
  • ગુજરાત

    સરકારી ચોખાના જથ્થામાંથી પલાસ્ટીકના ચોખા નિકળ્યાની ફરિયાદ

    શહેરા, પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં આવેલ ત્રણ નંબરની સસ્તા અનાજની દુકાનમાંથી આપવામાં આવેલ સરકારી ચોખાના જથ્થામાંથી પલાસ્ટીકના ચોખા નિકળ્યા હોવાની કાર્ડધારક દ્વારા ફરિયાદ કરવામાં આવતા શહેરા મામલતદાર દ્વારા આ દુકાન ખાતે રાખવામાં આવેલ તમામ ચોખાના જથ્થાને સરકારી ગોડાઉન ખાતે પરત મોકલી આપ્યો હતો, તો બીજી તરફ સમગ્ર મામલે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા પ્લાસ્ટિકના ચોખા હોવાની વાતને નકારીને સરકાર દ્વારા આપવામાં આવતો ફોર્ટિફાઇડ ચોખાના દાણા હોવાનું જણાવ્યું હતું .  શહેરા ખાતે આવેલ શહેરા અર્થક્ષમ સેવા સહકારી મંડળીની શાખા ૩ પરથી કાર્ડ ધારકને સરકાર દ્વારા આપવામાં આવતા જાહેર વિતરણનો અનાજનો જથ્થો આપવામાં આવ્યો હતો, આપવામાં આવેલા ચોખાના જથ્થામાં પ્લાસ્ટિકના ચોખા હોવાની ફરિયાદ કાર્ડધારક દ્વારા મામલતદારને કરવામાં આવી હતી તો બીજી તરફ શહૅરા મામલતદારને આજ પ્રકારની ખાનગી રાહે બાતમી પણ મળી હતી જે આધારે મામલતદાર દ્વારા આ સસ્તા અનાજની દુકાન પર રાખવામાં આવેલ ચોખાનો ૭૦૦ કિલો ઉપરાંતનો જથ્થો પરત સરકારી ગોડાઉન ખાતે મોકલી આપવામાં આવ્યો હતો . સમગ્ર મામલાની તપાસ પુરવઠા નિગમ તેમજ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી હતી , જિલ્લા પુરવઠા નિગમની ટીમ દ્વારા શહેરા સરકારી ગોડાઉન ખાતે ચોખાના સેમ્પલ મેળવીને તપાસ હાથ ધરવામાં આવી હતી તો બીજી તરફ સરકારી ગોડાઉન ખાતે આવેલા જિલ્લા પુરવઠા અધિકારીએ ખુલાસો કર્યો હતો કે પ્લાસ્ટિકના ચોખા મળી આવવામાં આવ્યા હોવાની વાત પ્રાથમિક તપાસમાં તથ્ય વિહોણી છે, ચોખાના જથ્થામાંથી મળી આવેલા અલગ રંગના ચોખાના દાણા સરકાર દ્વારા ચોખાને ફોર્ટિફાઇડ કરીને ઉમેરવામાં આવતા હોય છે , ચોખાને વધુ પોષણક્ષમ બનાવવા માટે સરકાર દ્વારા અલગથી બનાવડાવીને ૫૦ કિલોની ૫બેગમાં ૫૦૦ ગ્રામ ફોર્ટિફાઇડ ચોખા ઉમેરવામાં આવે છે તે જ છે , તેમ છતાં ગાંધીનગર ખાતેથી તપાસ ટીમ શુક્રવારના રોજ શહૅરા ખાતે આવી આ ચોખાના જથ્થાની તપાસ કરનાર છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    બસ સ્ટેશન સહિત અન્ય વિસ્તારમાં માસ્ક નહિ પહરેલ સામે કાર્યવાહી

    શહેરા, શહેરા પોલીસ દ્વારા બસ સ્ટેશન સહિત અન્ય વિસ્તારમાં માસ્ક નહિ પહરેલ સામે કાર્યવાહી હાથધરી હતી. પી.એસ.આઇ માસ્ક નહિ પહરેલ સામે કાર્યવાહી કરી ને નિયમો શીખવાડી રહયા હોય ત્યારે જાહેર માર્ગ ઉપર મો ઉપર પી.એસ.આઇ બી.આર. ક્રિશ્ચયન માસ્ક નીચે રાખીને મોબાઈલ પર વાત કરતા નજરે પડયા હતા.શહેરા પોલીસ એ રહી રહીને બસ સ્ટેશન , સિંધી ચોકડી સહિત અન્ય વિસ્તારમાં માસ્ક નહિ પહેરીને ફરતા લોકો સામે કાર્યવાહી હાથધરી હતી.પોલીસ મથક ના પી.એસ આઈ બી.આર. ક્રિશ્ચયન અને બે પી.એસ.આઇ સહિતનો પોલીસ સ્ટાફ બજાર વિસ્તારમાં રાહદારી તેમજ દુકાનોમાં માસ્ક નહિ પહેરેલ હોય તેવા દુકાનદારોને તેમજ ત્યાં કામ કરતા લોકો સામે દંડ ની કાર્યવાહી કરવા સાથે નિયમોનું પાલન કરવા જણાવી રહ્યા હતા. પોલીસ માસ્ક થોડું નીચે હોય તો સામાન્ય વ્યક્તિ સામે તે સમયે રૂપિયા ૧૦૦૦ સુધીનો દંડ વસૂલ કરી રહયા હતા.ત્યારે જાહેર માર્ગ ઉપર પી.એસ આઈ બી.આર. ક્રિશ્ચયન માસ્ક નાકથી નીચે ઉતારી ને બિંદાસ્ત મોબાઈલ પર વાત કરતા નજરે પડ્યા હતા. પોલીસ એક તરફ માસ્ક થોડું નીચે હોય કે મો ઉપર માસ્ક પહેરેલ નહી હોય તેવા પાંચ થી વધુ લોકોને રૂપિયા ૧૦૦૦સુધીનો દંડ કરી ને દંડની પાવતી આપતી હોય બીજી તરફ પી.એસ.આઇ. બી.આર. ક્રિશ્ચયન જાતે તે સમયે બજાર માં નિયમોનું પાલન ના કરે તો ચાલે વાહ...રે....પોલીસ વાહ .....પ્રજાજનો માથી કોઈના ચહેરા ઉપર થોડું માસ્ક નીચે હોય તો પોલીસ કડક કાર્યવાહી સાથે નિયમો સમજાવતા હોય જ્યારે પી.એસ આઈ બી.આર. ક્રિશ્ચયન માસ્ક નીચે રાખે તો તેમના માટે નિયમો નહિ લાગતા હોય કે શું? શહેરા માં પોલીસ એ જ્યારે બજારમાં ભીડ ભાડ જાેવા મળી રહી હતી ત્યારે કાર્યવાહી કરવામાં આવી નહિ હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા નિયમોનું પાલન હાલની પરિસ્થિતિને જાેતા કરાવવું તે સારી બાબત કહેવાય પણ જ્યારે પોલીસ મથકના પી.એસ આઈ બી.આર. ક્રિશ્ચયન નિયમોનું પાલન કરવા બીજાને કહેતા હોય અને ત્યારે પોતે જ બજાર મા માસ્ક મો ઉપર થી નીચે રાખે તે ચાલે જ્યારે બીજી તરફ તેજ સમયે તેમના સાથેનો પોલીસ સ્ટાફ માસ્ક ને લઈને દંડ કરતો નજરે પડી રહયો હતો. જિલ્લા પોલીસ વડા દ્વારા ઉપરોક્ત આ બાબતને કેટલી ગંભીરતાથી લેવામાં આવશે તે જાેવુંજ બની રહયુ છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગોધરામાં રાયોટિંગના ગુનામાં છ વ્યક્તિ સામે કાર્યવાહી કરાઇ

    ગોધરા. છેલ્લા સાતેક માસથી રાયોટીંગના ગુનામાં નાસતા-ફરતા છ આરોપીઓને શહેર બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ ને બાતમી મળી હતી કે રાયોટીંગ ના ગુનામાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપીઓ (૧)મહમદ અલી હુસેન ચુરમલી (૨) આબેદા હુસેન ઇસ્માઇલ ચુરમલી (૩) સલમા તાહીર મહમદ દર ત્રણેય રહે.વચલા ઓઢા મુસ્લીમ એ સોસાયટી યુસુફ મસ્જીદ પાછળ ગોધરા તથા (૪)શબ્બીર અબ્દુલ રઝાક કલંદર (૫)મરીયમ શબ્બીર અબ્દુલ રઝાક કલંદર બંન્ને રહે.સિંગલ ફળીયા મીમ મસ્જીદ પાછળ ગોધરા તથા (૬)સુમૈયા ઇસ્માઇલ હુસેન જુજારા રહે.લીલેસરા રોડ ફાતમા મસ્જીદ આગળ ગોન્દ્વા ગોધરા નાઓ ઉપરોકત ગુનામાં નાસતા ફરતા હોય જેઓ હાલ પોતાના ઘરે હોવાની માહિતી ના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી તેઓના ધરે તપાસ કરતા વોન્ટેડ આરોપીઓ પોલીસ ને મળી આવતા પોલીસે તમામ ની અટકાયત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    લગ્નમાં કોરોના ગાઇડલાઇનનો ભંગ કરનાર ૨૦ સામે ફરિયાદ

    ગોધરા. ગોધરા તાલુકાના જુનિધરી ગામે લગ્ન પ્રસંગમાં વરઘોડા દરમિયાન લોકોએ માસ્ક નહીં પહેરી તેમજ સોશિઅલ ડિસ્ટન્સ નહીં જાળવી સરકાર ના જાહેરનામા નો ખુલ્લેઆમ ભંગ કરતા કાંકણપુર પોલીસે ૨૦ જેટલા વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.હાલમાં વૈશ્વિક કોરોના મહામારી ના કારણે સરકાર દ્વારા લગ્ન પ્રસંગ માં ૫૦ કરતા વધુ માણસો એકત્રિત નહીં કરવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે ત્યારે આ જાહેરનામા નો ખુલ્લેઆમ ભંગ ગોધરા તાલુકાના જુનિધરી ગામે લગ્ન પ્રસંગ દરમિયાન જાેવા મળ્યો હતો.લગ્ન પ્રસંગ દરમિયાન વરરાજા નો વરઘોડો ગામમાં ફેરવવામાં આવ્યો હતો.જેમાં લોકો ડી.જે.ના તાલે મન મૂકી નાચ્યાં હતા.જેની સાથે સાથે લોકો માસ્ક વગર અને સોશિઅલ ડિસ્ટન્સ નો સરેઆમ ભંગ કરતા વાયરલ થયેલા વિડીઓ માં જાેવા મળ્યા હતા.ત્યારે વરઘોડા નો વાયરલ વિડીઓ પોલીસ ના ધ્યાનમાં આવતા કાંકણપુર પોલીસે લગ્નના આયોજકો તેમજ અન્ય મળી કુલ ૨૦ કરતા વધુ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો પરવાનગી વગર યોજવામાં આવેલા લગ્ન પ્રસંગમાં પોલિસે વરરાજા અને તેના પિતા તેમજ દાદા સહિત ના લોકો સામે ફરિયાદ નોંધી હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    દેવગઢબારિયાના ભથવાડા ગામે આગથી ઘરવખરી બળીને ખાખ કોઇ જાનહાની નહીં

    દે.બારીયા, આકરા ઉનાળાના દિવસોમાં આગ લાગવાના બનાવોમાં પણ વધારો જાેવા મળી રહ્યો છે. તેવા સમયે દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના ભથવાડા ગામે પટેલ ફળિયામાં રહેતા પટેલ પરિવારના એક ઘરમાં બપોરના સમયે અકસ્માતે લાગેલ આગમાં ઘરવખરી સર સામાન અનાજ કપડાં લતા રોકડ તેમજ ઘરમાં મૂકી રાખેલ દીકરીના કરિયાવરના દર દાગીના તથા કપડા લતા વગેરે સહિત ઘર બળીને રાખ થઈ જતા આગમાં અંદાજે રૂપિયા સાત લાખ જેટલું નુકસાન થયાનું દેવગઢબારિયા ફાયર સૂત્રો દ્વારા સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. પરંતુ આગ લાગવાનું સાચું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી.દેવગઢબારિયા તાલુકાના ભથવાડા ગામે પટેલ ફળિયામાં રહેતા અમરસિંગ ધીરુભાઈ પટેલના નળિયાવાળા મકાનમાં બપોરના ચારેક વાગ્યાના સુમારે અચાનક અકસ્માતે આગ લાગી જતા તેઓના ઘરવાળાઓ તથા ફળિયાના લોકોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ વધુને વધુ ફેલાઈને પ્રચંડ બનતા ફળિયા વાળાનો પ્રયાસ કારગત ન નિવડતા દેવગઢબારિયા ફાયર સ્ટેશને આગ અંગેની જાણ કરતા ફાયર બ્રિગેડના લાશ્કરો ફાયર ફાઈટર સાથે તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પ્રચંડ આગને કાબૂમાં લેવા પાણીનો સતત મારો ચલાવ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી આગ ઓલવી નાખી વધુ નુકસાન થતું અટકાવ્યું હતું. આગમાં ઘરવખરીનો સરસામાન, કપડા, અનાજ, ચાંદી રોકડ તથા આવનાર દિવસોમાં છોકરીના લગ્ન હોય છોકરીને આપવા માટે કરિયાવરના સોના ચાંદીના ઘરેણા તેમજ કપડા વગેરે ઘરની સાથે સાથે બળીને રાખ થઈ જતા આગમાં અંદાજે રૂપિયા ૭ લાખનું નુકસાન કયાનું સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આગના કારણે ઘરબાર બળી જતા અમરસિંહ ધીરુભાઈ પટેલ તથા તેમનો પરિવાર રોડ પર આવી ગયો હતો. તેની આખી જિંદગીની કમાણી પળભરમાં બળીને રાખ થઈ જતા તે પરિવારના માથે દુઃખના ડુંગર ખડકાયા હતા. આવા સમયે દેવગઢબારિયા વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી બચુભાઈ ખાબડ ઘટનાની જાણ થતાં જ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગથી પ્રભાવિત પરિવારને મુસીબતના સમયમાં ફુલ નહિ તો ફુલની પાંખડી જેટલી રૂપિયા ૧૦,૦૦૦/- ની મદદ કરી આગ થી પ્રભાવિત પરિવારને સાંત્વના આપી હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુજરાતને ફરી પાટા પર લાવવા સરકારની કવાયત શરૂ, ક્યાં કેટલું નુકસાન? સર્વેની કામગીરી શરૂ 

    ગાંધીનગર-કોરોનાના ભયાનક મારનો સામનો કરી રહેલા ગુજરાતથી કુદરત જાણે કે રુઠી હોય તેવી રીતે 'તાઉતે' નામનું મહાભયાનક વાવાઝોડું આવી પડતાં સરકાર તેમજ લોકોના શ્વાસ અધ્ધર ચડી ગયા હતા. બે દિવસ સુધી ખૌફના મંજર ઉભા કરીને વાવાઝોડું હવે પસાર થઈ ગયું છે ત્યારે સરકાર દ્વારા પણ વાવાઝોડાને કારણે ક્યાં કેટલું નુક્સાન થયું છે તેના સર્વે સહિતની કામગીરી 'બંબાટ' શરૂ કરી દેવામાં આવી છે. એકંદરે રાજ્યને ફરી 'ધબકતું' કરવા માટે સરકારે મથામણ શરૂ કરી દીધી છે. વાવાઝોડાએ જે-જે જિલ્લાઓમાં વિનાશ વેર્યો છે તે જિલ્લાઓને બે દિવસની અંદર 'બેઠા' કરી દેવા સરકાર તેમજ સ્થાનિક તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.વાવાઝોડાએ ખાસ કરીને ખેતીવાડી, પશુપાલન અને મત્સ્યોદ્યોગને ખાસ્સું નુકસાન પહોંચાડ્યું હોય તેનો સર્વે કરવા પર સરકાર પ્રાથમિકતા આપી રહી છે. આ ઉપરાંત જે જિલ્લાઓમાં ઝુંપડા અને કાચા મકાનો તૂટી પડ્યા છે ત્યાં તાકિદે કેશડોલ્સ ચૂકવવાની કામગીરી શરૂ કરી દેવા સરકારે આદેશ આપ્યો છે. પત્રકાર પરિષદને સંબોધન કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે વાવાઝોડાએ ગુજરાતમાં 13 લોકોનો ભોગ લીધો છે. આગોતરા આયોજન, આગમચેની, સહિયારા અને સક્રિય પ્રયત્નો તેમજ લોકોના સહકારથી ગુજરાત વાવાઝોડારૂપી આફતમાંથી હેમખેમ બહાર આવી ગયું છે. વાવાઝોડાગ્રસ્ત જિલ્લાઓમાં બે દિવસમાં પરિસ્થિતિ પૂર્વવત થઈ જાય તે રીતે રિસ્ટોરેશન અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવશે. સરકાર દ્વારા અસરગ્રસ્ત જિલ્લાઓમાં નુકસાનીના સર્વેક્ષણની કામગીરી શરૂકરી દેવાઈ છે. પ્રાથમિક તબક્મે મકાનો, ખેતીવાડી, પશુપાલન અને મત્સ્યોદ્યોગને જે નુકસાન થયું છે તેનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવશે. જે જિલ્લાઓમાં વિશે નુકસાન થયું છે ત્યાં પાડોશી જિલ્લાઓના અધિકારીઓને પણ સર્વેક્ષણની કામગરીમાં સામેલ કરવામાં આવ્યા છે જેથી કામગીરીમાં ઝડપ આવી શકે. યોગ્ય તમામ વ્યક્તિઓને સરકારી ધારા-ધોરણ મુજબ કેશડોલ્સ, ઘરવખરી સહાય અને અન્ય આર્થિક સહાય તાત્કાલિક ચૂકવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. રાહતની વાત એ છે કે એક પણ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને વાવાઝોડાને કારણે કોઈ તકલીફ પડ નથી. રાજ્યમાં કુલ 425 કોવિડ હોસ્પિટલ પૈકી 122 હોસ્પિટલ વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં હતી અને તેમાંથી 83 હોસ્પિટલોમાં વીજ પૂરવઠો ખોરવાયો હતો આમ છતાં તંત્રની આગોતરી વ્યવસ્થા હોવાને કારણે ક્યાંય વીજ સપ્લાયને લઈને સમસ્યા સર્જાવા પામી નથી. વાવાઝોડાની સૌથી વધુ અસર ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ અને ગાંધીનગરમાં જોવા મળી છે તેથી સરકાર દ્વારા આ જિલ્લાના કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરીને વિસ્તૃત વિગતો મેળવવામાં આવી રહી છે. 
    વધુ વાંચો
  • ગુજરાત

    જાંબુઘોડા સામુહિક આરોગ્ય કેન્દ્રમા કોરોના રસી બાબતે રકઝક

    હાલોલકોરોના ની રસી નું ઓનલાઈન બુકીંગ કરવી ભરૂચ જિલ્લા ના અંકલેશ્વર તેમજ દહેજ અને જામનગર જિલ્લાના તેમજ વડોદરા ના મળી ૪૫ વર્ષ થી નીચેના કુલ ૧૫ યુવક યુવતીઓ જાંબુઘોડા સામુહિક આરોગ્ય કેન્દ્ર માં રસી લેવા દોડી આવ્યા હતા પરંતુ જાંબુઘોડા સા. આ. કેન્દ્ર ખાતે ૪૫ વર્ષ થી નીચેના કોઈ પણ વ્યક્તિ ને રસી કરણ કરવા માં આવતું ન હોઈ ફરજ પર ના તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટે રસી મુકવાની ના પાડતા તુતુ મેમે (શાબ્દિક બોલાચાલી ) થઈ હતી સમગ્ર હકીકત ની જાણ જાંબુઘોડા પી એસ આઈ જાડેજા ને થતા તેઓ એ સા. આ. કેન્દ્ર ખાતે જઇ રસી લેવા આવેલા તમામ ને વિગત વાર સમજ પાડતા મામલો થાળે પડ્યો હતો જાણવા મળ્યા મુજબ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી મુકનાર કોરોના વાયરસ ને પગલે હાલ ઠેરઠેર ગાઈડ લાઈન ના પાલન થી માંડી માસ્ક અને તમામ પ્રકારની રોજની મગજ મારીઓ હાલ સમગ્ર ભારત દેશના ખુણે ખુણે જાેવા મળી રહી છે ત્યારે આજ રોજ સાંજ ના જાંબુઘોડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અલગ અલગ ત્રણ જિલ્લા ભરૂચ ના અંકલેશ્વર થી ૮ દહેજથી ૪ અને વડોદરા થી ૨ અને જામનગર થી એક મળી ૪૫ વર્ષ થી નીચેની કુલ ૧૫ વ્યક્તિઓ એ કોરોના વાયરસ ની રસી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ અને તેઓ ની આજે રસી મુકાવવા ની તારીખ હતી જેઓ રસી માટે ઓનલાઈન તપાસ કરતા જાંબુઘોડા સેન્ટર પર રસી માટે દોડી આવ્યા હતાજાંબુઘોડા સા. આ. કેન્દ્ર ના તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ ને તેઓ એ ઓનલાઈન રજિસ્ટ્રેશન ની સ્લીપ બતાવી હતી જાંબુઘોડા મુકેશ ભાઈ પરમારે સ્લીપ જાેતા તમામ વ્યક્તિ ૪૫ વર્ષ થી નીચે ના હોઈ તેઓ એ જણાવ્યું હતુ કે અમારે ત્યાં ૪૫ થી ઉપર ની ઉંમર વાળી કોઈ પણ વ્યક્તિ હોય તેને રસી આપવા માં આવે છે અમને ૪૫ વર્ષ થી નીચેના ને રસી આપવાની હજી જિલ્લા માંથી છુટ મળેલ નથી તેમ જણાવતા અલગ અલગ સ્થળે થી રસી લેવા દોડી આવેલા ખાનગી કમ્પનીઓ માં સર્વિસ કરતા કેટલાક કર્મી ઓ એ શાબ્દિક બોલાચાલી તુતુ મેમે થતા સ્થાનિક પી એસ આઈ જાડેજા ને બોલાવવા માં આવ્યા હતા જાંબુઘોડા પી એસ આઈ જાડેજા એ તમામ મામલે આરોગ્ય ના ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી રસી લેવા આવેલા ને હકીકત જણાવતા મામલો થાળે પડ્યો હતો અને રસી લીધા વીના તમામ પરત ફર્યા હતા
    વધુ વાંચો
  • ગુજરાત

    ગોધરામા ત્રણ મેડીકલ સ્ટોર્સ સંચાલકોને નોટિસથી ફફડાટ

    ગોધરાકોરોનાકાળમાં આવશ્યક દવાઓનું બ્લેક માર્કેટીંગ અને સંગ્રહખોરી અટકાવવા ગોધરા એસ.ઓ.જી પોલીસ સહીત જીલ્લા પોલીસવડા અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીને સાથે રાખી મેડીકલ સ્ટોર્સ પર સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવતા ૧૦ પૈકીના ૩ સ્ટોર્સ પર ક્ષતિ જણાઈ આવતા ત્રણ સ્ટોર્સ સંચાલકો ને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવતા મેડીકલ સ્ટોર્સ સંચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.કોરોના મહામારી માં કોવિડ ની સારવારમાં ઉપયોગી ફેવીપીરાવીર તથા અન્ય આવશ્યક દવાઓનું બ્લેક માર્કેટીંગ અને સંગ્રહખોરી ન થાય તે માટે અને જરૂરીયાતમંદ લોકોને સરળતાથી વ્યાજબીભાવે દવાઓ મળી રહે જેને લઈ પંચમહાલ જીલ્લા પોલીસવડા સહીત એસ.ઓ.જી પોલીસ ની ટીમોઅને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીને સાથે રાખી ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા દસ જેટલા મેડીકલ સ્ટોર્સ પર સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવતા મેડીકલ સ્ટોર્સ સંચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો ચેકીંગ દરમ્યાન દવાના બીલો સ્ટોક લાયસન્સ વગેરે નું ચેકીંગ કરવામાં આવતાત્રણ મેડીકલ સ્ટોર્સમાં ક્ષતિ જણાઈ આવતા મેડીકલસ્ટોર્સ સંચાલકોને નોટિસ ફટકારવામાં આવી હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુજરાતના 36 શહેરોમાં લગાવાયેલા રાત્રિ કર્ફ્યૂને લઈને જુઓ શું લેવાયો નિર્ણય, આ તારીખ સુધી કર્ફ્યૂ યથાવત

    ગાંધીનગર-ગુજરાતની 8 મનપા સહિત 36 શહેરોમાં કર્ફ્યૂનો સમય યથાવત રખાયો છે. આગામી 18 મે સુધી રાજ્યના 36 શહેરોમાં કર્ફ્યૂ યથાવત રહેશે. રાત્રીના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી આ શહેરોમાં કર્ફ્યૂ લંબાવવામાં આવ્યું છે. કોરોના સંક્રમણના પગલે સરકારે ગુજરાતના 36 શહેરોમાં લાગેલા કર્ફ્યૂને લંબાવ્યું છે, આગામી 18 મે સુધી કર્ફ્યૂનો સમય લંબાવવામાં આવ્યો છે. આજે ફરી ગુજરાત હાઈકોર્ટમાં કોરોનાને લઈને સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે લગ્ન સમારોહ અને ધાર્મિક કાર્યક્રમો ઉપર વધુ નિયંત્રણો મુકવા કરેલા સૂચનનો સરકાર સ્વીકાર કરી લગ્નો અને ધાર્મિક કાર્યક્રમો ઉપર વધુ કડક હાથે કામ લ્યે તેવી શકયતા છે. એટલુ જ નહિ લગ્ન સમારોહ ઉપર ૧૫ દિવસનો પ્રતિબંધ લાદવામાં આવે તેવી શકયતા છે. ધાર્મિક કાર્યક્રમોમા પણ સંખ્યા સીમીત કરવામાં આવે તેવી શકયતા છે. હાઈકોર્ટમાં એવી દરખાસ્ત થઈ હતી કે લગ્નોમાં લોકો ભેગા થાય તેવા કાર્યક્રમો ૧૫ દિવસ માટે પ્રતિબંધીત કરવામાં આવે. અનેક ધાર્મિક કાર્યક્રમો અને લગ્ન કાર્યક્રમોમાં ભીડ થાય છે તે બંધ થવુ જોઈએ. હાલ લગ્ન સમારોહમાં ૫૦ લોકોની હાજરી નિશ્ચિત કરવામાં આવી છે. તેમા ઘટાડો કરવામા આવે તેવુ સૂચન થયુ છે. સરકારે પણ આ સંખ્યા ઘટાડવા તૈયારી દર્શાવી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    કોવિડ કેર સેન્ટરમાં દર્દીનું મોત થતાં સગાંસંબંધીઓ વોર્ડમાં ઘૂસી ગયા

    ગોધરા : ગોધરાની સરકારી નર્સીગ સ્કૂલમાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં દર્દીનું મોત થતા સગા સંબંધીઓ સહિતના લોક ટોળા કોવિડ પોઝિટિવ વોર્ડમાં ઘુસી ગયા હતા મોટી સંખ્યામાં કોવિડ પોઝિટિવ વોર્ડમાં દર્દી સિવાયના અન્ય લોકો હોવાની માહિતી જિલ્લા કલેકટરને મળતા જિલ્લા કલેકટરે અચાનક કોવિડ કેરની મુલાકાત લીધી હતી દરમ્યાન ૩૦ ઉપરાંત લોકોની પોલીસ ધ્વારા અટકાયત કરવામાં આવી હતી ઉપસ્થિત લોકોનો એન્ટીઝન ટેસ્ટ કરવામાં આવતા એક વ્યક્તિનો એન્ટીઝન રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.ગોધરા શહેર સહીત પંચમહાલ જીલ્લામાં કોરોના સંક્રમણ રોકેટગતિએ વધી રહ્યું છે જેને લઈ તંત્રની ચિંતામાં વધારો થયો છે સરકારી તથા પ્રાઈવેટ હોસ્પિટલો દર્દીઓ થી ઉભરાય છે મોડી સાંજે ગોધરાની સરકારી નર્સીગ સ્કૂલમાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં દર્દીનું મોત થતા સગા સંબંધીઓ સહિતના લોક ટોળા કોવિડ પોઝિટિવ વોર્ડમાં ઘુસી ગયા હતા મોટી સંખ્યામાં કોવિડ પોઝિટિવ વોર્ડમાં દર્દી સિવાયના અન્ય લોકો હોવાની માહિતી જિલ્લા કલેકટરને મળતા જિલ્લા કલેકટરે અચાનક કોવિડ કેરની મુલાકાત લીધી હતી અને સ્થિતિ અંગે સ્ટાફ સાથે જરૂરી સમિક્ષા કરી હતી કોવિડ કેર સેન્ટર ખાતે પહોંચેલા કલેકટરએ કોવિડ પોઝિટિવ વોર્ડમાં ફરતા લોકોને બહાર કાઢી તમામને એન્ટીઝન ટેસ્ટ કરવો તે અંગેની સુચના આપી હતી દરમ્યાન પોલીસે ૩૦ ઉપરાંત લોકોની અટકાયત કરી હતી સ્થળ પર જ ઉપસ્થિત લોકોના કરવામાં આવેલા એન્ટીઝન ટેસ્ટમાંથી ૧ વ્યક્તિનો એન્ટીઝન રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે જેના પગલે ઉપસ્થિત લોકોમાં પણ ભારે ફફડાટ ફેલાયો હતો...
    વધુ વાંચો
  • ગુજરાત

    મોરવા હડફ ચૂંટણી પ્રચાર માટે વિશાળ બાઈક રેલી : ગાઈડલાઈન છૂમંતર!

    ગોધરા : ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી રદ કર્યા પછી પણ પંચમહાલ જિલ્લાના મોરવા હડફની ચૂંટણીમાં ભાજપ દ્વારા એક વિશાળ બાઈક રેલીથી પ્રચાર કરતું હોવાનું સામે આવ્યું છે. કોરોનાકાળમાં ભાજપની બાઈક રેલીથી ચારેબાજુ હોબાળો મચ્યો છે. મોરવા હડફની ચૂંટણીમાં ભાજપ દ્વારા ડ્ઢત્નના તાલે બાઈક રેલી કરીને પ્રચાર પ્રસાર કરતું હોવાનું સામે આવ્યું છે. અહીં ભાજપ કાર્યકરો રીતસર બાઈક પર રીતસર માસ્ક વગર નજરે પડ્યા છે. મોરવા હડફની વિધાનસભાની પેટાચૂંટણીમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા છે. પંચમહાલ જિલ્લાના મોરવાહડફ પેટાચૂંટણીનો પ્રચાર અંતિમ ચરણમાં પહોંચી ગયો છે. ત્યારે ભાજપ દ્વારા મત વિસ્તારમાં ભવ્ય બાઇક રેલી યોજવામાં આવી છે. ભાજપની બાઇક રેલીમાં અમુક કાર્યકરો માસ્ક નહી પહેરેલ નજરે પડ્યા હતા. કોરોનાના કહેર વચ્ચે ભાજપે બાઇક રેલી કાઢી હતી, જે શું સૂચવે છે? શું નેતાઓને કોરોના ગાઈડલાઈનના નિયમો પાળવાનો નથી હોતા? શું કોરોનાના નિયમો જનતા માટે જ બનાવવામાં આવી રહ્યા છે. અહીં ભાજપે બાઈક રેલી કાઢીને કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કર્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે પંચમહાલ જિલ્લામાં મંગળવારે ૪૦ કેસ નોંધાયા છે. તો નેતાઓ અહીં લોકોના જીવન સાથે રમી રહ્યા છે. કોરોનાકાળમાં પણ ભાજપના નેતાઓ અને કાર્યકરો બાઈક રેલી યોજીને જિલ્લાના લોકો સાથે ખિલવાડ કરી રહ્યા છે. મોરવા હડફની ચૂંટણીમાં ભાજપનો પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચ્યો છે ત્યારે આજે ડીજેના તાલે ભાજપની બાઈક રેલીએ લોકોને વિચારતા મૂકી દીધા છે. આજે ગુજરાતમાં માણસ પોતાની જિંદગી બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે, ત્યારે ભાજપના નેતાઓને જાણે કોઈ ડર જ ના હોય તેમ રેલીઓ કરી રહ્યા છે. નેતાઓને કોરોનાની નહીં, પણ ચૂંટણીની પડી છે. દંડ વસૂલતી પોલીસ પણ પૂંછડી દબાવી બેસી ગઈ ભાજપ ધ્વારા ભવ્ય બાઈક રેલી યોજવામાં આવી તેમ છતાં  મોરવા પોલીસ ધ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવી જેને લઈ પંચમહાલ પોલીસ ની કામગીરી બાબતે અનેક સવાલો ઉઠી રહ્યા છે સામાન્ય રીતે જયારે કોઈ વ્યક્તિએ માસ્ક ન પહેરીયુ હોય તો રૂ.૧૦૦૦ નો દંડ વસુલવામાં આવતો હોય છે ત્યારે સવાલ એ થાય કે કેમ પોલીસ ધ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી જયારે આ મામલે મોરવા પોલીસ મથકના પીએસઆઇ ભરવાડ નો સંપર્ક કરવા નો પ્રયત્ન કર્યો હતો પરંતુ ફોન રીસીવ ન કરવાની સાથે ઉપાડવાનું ટાળ્યું હતું જાે પંચમહાલ પોલીસ આ કોરોના જેવી ગંભીર મહામારી માં ભાજપ કાર્યકરો સામે કોઈ કાર્યવાહી ન કરી શકતી હોય તો સ્વાભાવિક પણે સામાન્ય વ્યક્તિ સામે પણ ના જ થવી જાેઈએ અને હવે પબ્લિકે પણ ગભરાવાની જરૂર નથી તેવી ચર્ચાએ ભારે જાેર પકડયું હતું
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુજરાતમાં આગામી 10 દિવસ કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બનશે ?

    વડોદરા-વડોદરા સહિત ગુજરાતની કોવિડ હોસ્પિટલોમાં રોજ દર્દીઓના દાખલ થવાની સંખ્યા વધતી જાય છે. આરોગ્ય વિભાગ બેડની સંખ્યા વધારે તો છે, પરંતુ દાખલ દર્દીઓની વધતી જતી સંખ્યા વધુ ચિંતાજનક છે. વડોદરામાં એક જ દિવસમાં ૬૩૦ દર્દીઓ હોસ્પિટલોમાં દાખલ થયા હતા. એટલે પ્રતિ કલાકે સરેરાશ ૨૬ દર્દીઓ દાખલ થયા હતા. જેથી ૬૭૮૦ બેડ ભરાયેલા રહ્યા હતાં અને ૨૬૯૨ બેડ જ ખાલી રહ્યાં હતાં. છેલ્લાં એક સપ્તાહથી હોસ્પિટલોમાં જે રીતે બેડની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે જાેતા આગામી ૧૦ દિવસ કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બનશે તેવુ જાણકારોનુ અનુમાન છે. લોકો તંત્રના ભરોશે બેસી ન રહે. લોકોએ માસ્ક અવશ્ય પહેરવુ જાેઈએ અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવુ જાેઈએ. બને તો કામ વિના ઘરની બહાર જ ન નીકળવુ જાેઈએ. આરોગ્ય વિભાગ કોરોનાના સરકારી આંકડા જાહેર કરે છે, પરંતુ તે આંકડા પાછળનુ સત્ય તેઓ પોતે સારી રીતે જાણે છે અને વડોદરાની આગામી ટૂંકા દિવસોની ભાવી સંભવિત ડરાવની પરિસ્થિતિથી તેઓ વાકેફ હશે. વિશ્વાસપાત્ર સૂત્રોએ કહ્યું હતું કે, શહેરમાં કોરોનાના કેસો માત્ર વધતા નથી, પરંતુ તે ચોંકાવી દે તે રીતે વધી રહ્યાં છે જે ચિંતાનો વિષય છે. તંત્ર તરફથી હોસ્પિટલોમાં બેડની સંખ્યા આગોતરા આયોજન પ્રમાણે સમ્યાંતરે વધારવામાં આવી રહી છે. તેમ છતાં પણ હોસ્પિટલામાં જે રીતે દર્દીઓની દાખલ થવાની સંખ્યા વધી છે તેના કારણે ચિંતાના વાદળો ઘેરી રહ્યાં છે. વડોદરામાં તા.૩જી એપ્રિલે ૮૪૪૮ બેડ ઉપલબ્ધ કરાવાયા હતા. તો તે દિવસે વિવિધ હોસ્પિટલોમાં મળીને કુલ ૫૮૬૯ દર્દીઓ દાખલ હતાં. એટલે કે ૨૫૭૯ બેડ ખાલી હતાં. તા. ૫મી એપ્રિલે ૪૫૮ દર્દીઓ એક જ દિવસમાં દાખલ થયા હતાં. જેથી ૬૩૨૭ બેડ ભરાઈ ગયા હતા. તંત્રએ તે દિવસે ૩૪૧ બેડ વધાર્યા હતા ત્યારે ૨૪૬૨ બેડ જ ખાલી રહ્યાં હતાં. ૬ઠ્ઠી એપ્રિલે ૮૯૯૯ બેડની વ્યવસ્થા કરાઈ હતી. જેમાં વધુ ૭૮ દર્દીઓ દાખલ થતા કુલ ૬૪૦૫ બેડ ભરાઈ ગયા હતા અને ૨૪૯૪ બેડ ખાલી હતા અને ૭મી એપ્રિલે ૯૪૭૨ બેડ ઉપલબ્ધ કરાવાયા હતા, પરંતુ તેની સામે ૩૭૫ દર્દીઓ આજે એક જ દિવસમાં દાખલ થયા હતાં. એક જ દિવસમાં ૩૯૫ દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા તે પૈકી ૩૭૫ દર્દીઓ તો હોસ્પિટલમાં જ દાખલ થયા હતાં. જેથી ૨૬૯૨ બેડ જ ખાલી રહ્યાં હતાં. જ્યારે તા.૮મી એપ્રિલે રાતે ૯.૩૦ કલાકની સ્થિતિએ જાેઈએ તો ૯૭૬૩ બેડ ઉપલબ્ધ હતાં. તે પૈકી ૭૦૨૫ બેડ ભરાઈ ગયા હતા અને ૨૭૩૯ બેડ જ ખાલી હતાં. એટલે કે મોતને ભેટેલા દર્દીઓ અને સ્વસ્થ્ય થઈને ડીસ્ચાર્જ કરી દીધેલા દર્દીઓને બાદ કર્યા પછી પણ બરોબર ૨૪ કલાક બાદ હોસ્પિટલમાં આજે વધુ ૬૨૦ દર્દીઓ દાખલ થયા હતા. એટલે કે પ્રતિ કલાકે સરેરાશ ૨૬ દર્દીઓ દાખલ થતા રહેતા હતા. તંત્ર બેડ વધારતુ જાય છે અને દાખલ થતા દર્દીઓની સંખ્યા પણ ચિંતાજનક રીતે વધતી જ જાય છે. આખરે તંત્ર બેડ વધારી વધારીને કેટલા વધારી શકશે ? એક સમય એવો આવશે કે હોસ્પિટલનુ ઈન્સ્ટ્રાક્ચર જ જવાબ આપી દેશે ત્યારે શું કરી શકાશે ? દર્દીઓની દાખલ થવાની સંખ્યા તો સતત વધી રહી છે. હાલની પરિસ્થિતિ અંગે જાણકારોએ કહ્યું હતું કે, આગામી ૧૦ દિવસ તંત્ર માટે ચેલેન્જીંગ રહેશે અને શહેર માટે ખુબ જ વિકટ બની રહેશે તેવા સંકેતો મળી રહ્યાં છે. શહેરમાં કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બને તો નવાઈ નહીં. લોકો તંત્રના ભરોશે બેસી ન રહે, જાતે જાગૃત્તતા દાખવે તે હવે ખુબ જરૂરી બન્યુ છે. તંત્ર પોતાનુ કામ કરે છે, પરંતુ જનતાએ ઘરની બહાર નીકળતી વખતે ફેસ માસ્ક અવશ્ય પહેરવુ જાેઈએ અને પૂરતા સમય માટે પહેરવુ જાેઈએ તેમજ સોશ્યલ ડિસ્ટન્સિંગનુ ખાસ ધ્યાન રાખવુ જાેઈએ. જેથી સંક્રમણથી બચી શકાય. તેમજ બને તો લોકોએ જરૂરી કામ વિના ઘરની બહાર જ નીકળવુ ન જાેઈએ અને ટોળે તો વળવુ જ ન જાેઈએ. હવે કોરોનાનુ સંક્રમણ રોકવુ પ્રજાના હાથમાં છે. આગામી ૧૦ દિવસ શહેર માટે ખુબ મુશ્કેલીભર્યા સાબિત થઈ શકે છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 4541 પોઝીટીવ કેસ, 42 ના મોત, કુલ 3,37,015 કેસ

    અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 4541 થી વધુ નોંધાયા છે. જેની સામે 2280 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 42 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4697 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 4541 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,37,015 થયો છે. તેની સામે 3,09,626 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. અમદાવાદમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 3500 થી વધુ થઈ જાય છે, જ્યારે રાજ્યના 3,37,015 ની સામે પોઝીટીવ કેસોની સંખ્યા 22692 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,37,015 જેટલી થઈ જાય છે. રાજ્યમાં હાલ 22692 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 187 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 22505 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,09,626 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4697 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 12 દર્દીના મૃત્યુ નોંધાયા છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર હાહાકાર મચાવતા અનેક ગામડાઓ થયા સ્વયંભૂ લોકડાઉન

    ગાંધીનગરગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર હાહાકાર મચાવતા ગામડાઓમાં સ્વયંભૂ લોકડાઉન લાગવા માંડ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં જ ૧૦ ગામોએ સ્વૈચ્છિક લોકડાઉન લગાવી દીધું છે. બનાસકાંઠાના ભાભરમાં કોરોનાનું સંક્રમણ વધતા નગરપાલિકા અને વેપારીઓએ બેઠક યોજી હતી ભાભર નગરપાલીકાના પ્રમુખ ચીફઓફીસરના અધ્યક્ષ સ્થાને વેપારીઓ સાથે બેઠકમાં ર્નિણય લેવાયો છે. શનિવારે સાંજે ૬ વાગ્યાથી સોમવારે સવારના ૬ વાગ્યા સુધી બજારો બંધ રાખવાનો સ્વૈચ્છિક નિણર્ય કરાયો છે. મોરબીમાં માળીયાના ખાખરેચી ગામે પાંચ દિવસ સંપૂર્ણ લોકડાઉન જાહેર કરાયું છે. જરુરી ચીજવસ્તુ માટે ૮થી ૧૧ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે. કોરોનાની સ્થિતિને લઈને ર્નિણય લેવામાં આવ્યો છે. મોરબીમાં હડમતીયા ગામે સ્વયંભૂ બંધનો ર્નિણય લેવાયો છે. ગ્રામ પંચાયત દ્વારા ર્નિણય લેવાયો છે. કોરોનાના કેસ વધતા સ્વયંભુ બંધનો ર્નિણય લેવાયો છે. ગામમાં માત્ર જીવન જરૂરિયાત ચીજ વસ્તુ સવારે ૬ થી ૮ અને સાંજે ૬ થી ૭ સુધી ખુલ્લી રહેશે, તો અન્ય ચા-પાણી, નાસ્તા સહિતની દુકાનો બંધ રહેશે. તા.૯ થી ૧૩ સુધી ગામમાં લોકડાઉન ર્નિણય કરવામાં આવ્યો છે. જામનગરમાં કાલાવડ તાલુકાના નિકાવા ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં કોરોના ના ૬૭ કેસ આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયા માં ૬૭ કેસ આવતા ફફડાટ ફેલાયો છે. આવેલ કેસોમાંથી નિકાવા ગામના જ ૩૫ કેસ સામે આવ્યા છે. કોરોનાના કેસ વધતા નિકાવા ગામના લોકોએ સ્વયંભુ લોકડાઉન રાખવાનું નક્કી કર્યું છે. નિકાવ ગામમાં આજથી સાંજના સાતથી સવારના છ વાગ્યા સુધી સજ્જડ લોકડાઉન રહેશે. નિકાવાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના કેસનો રાફડો ફાટતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગઈકાલે એક જ દિવસમાં બે વ્યક્તિના કોરોનામાં મોતથી ગામ લોકો ફફડી ઊઠયા છે. રાજકોટમાં હડાળા ગામ આજથી ૧૫ એપ્રિલ સુધી બંધ રહેશે. કોરોના સામે લડવા માટે રાજકોટ જિલ્લાના ત્રીજા ગામે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. કોરોના ન ફેલાઈ એ માટે ગામના લોકોએ ર્નિણય કર્યો છે. ગામ સવારે ૭ થી ૯ ગામ ૨ કલાક ખુલ્લું રહેશે. સાંજે ૫ થી ૭ સુધી ૨ કલાક ખુલ્લું રહેશે. રાજકોટ જિલ્લાનું પહેલું ગામ જે સ્વૈચ્છિક રૂપથી કોરોના સામે લડવા સજ્જ બન્યું છે. ગાંધીનગરના સરપંચોએ ગામોમાં લોકડાઉન કરવાનું શરૂ કરી દીધું છે. લવારપુરમાં કેસ વધે નહીં તે માટે ૧૪ દિવસનું બંધ અને આરોગ્યલક્ષી કામગીરી સઘન બનાવવા સુચના આપવામાં આવી છે. ધણપમાં પણ ગંભીર સ્થિતિને પગલે લોકડાઉનની સ્થિતિ છે. મહિસાગરમાં બાલાસિનોરના જેઠોલીમાં ૧૮ કેસ નોંધાતા ૩ દિવસ સ્વયંભૂ લોકડાઉન લગાવી દેવાયું છે. ગામના મુખી વડા ફળિયાને ક્વોરેન્ટાઈન કરાયું છે. તંત્ર દ્વારા માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી છે.કેશોદ તાલુકાના બામણાંસા ગામમાં કોરોના કેસ વધવાથી બામણાસા ગ્રામ પંચાયતની બેઠક યોજાઇ હતી. બેઠકમાં પંદર દિવસ લોકડાઉન રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. બામણાસા ગામમાં કોરોનાના કેસ આશરે ૧૫ જેટલા જાેવા મળી રહ્યા છે. ગામની તમામ દુકાનો બપોરનાં ચાર વાગ્યાથી નવ વાગ્યા સુધી ખુલી રાખવા ર્નિણય કરાયો છે. ગ્રામ પંચાયતનાં નિયમનું પાલન ન કરનાર પાસેથી રૂપિયા એક હજાર દંડ બામણાસા ગ્રામ પંચાયત વસૂલ કરશે. સુરત જિલ્લામાં વધી રહેલા કોરોના કહેરને લઈ હવે લોકો સતર્ક બન્યા છે ત્યારે એક બાદ એક ગામ અને નગરો સયંભુ લોકડાઉનનો સહારો લઈ રહ્યા છે ત્યારે બારડોલીના કડોદ બાદ માંડવી નગરજનોએ પણ ૫ તારીખ થી લઈ ૧૫ તારીખ સુધી સવારે ૭ વાગ્યા થી બપોરે ત્રણ વાગ્ય સુધીજ દુકાનો ખુલ્લી રાખશે. ત્યાર બાદ તમામ વ્યાપરીઓ અને નગર જનો સ્વૈચ્છીક લોક ડાઉન નું પાલન કરશે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 3575 પોઝીટીવ કેસ, 22 ના મોત, કુલ 3,28,453 કેસ

    ગાંધીનગર-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 3575 થી વધુ નોંધાયા છે. જેની સામે 2217 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 22 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4620 ઉપર પહોચી ગયો છે. ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 3280 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,28,453 થયો છે. તેની સામે 3,05,149 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. અમદાવાદમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 3200 થી વધુ થવા જાય છે, જ્યારે રાજ્યના 3,28,453 ની સામે પોઝીટીવ કેસોની સંખ્યા 18684 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,28,453 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 18684 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 175 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 18509 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,05,149 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4620 દર્દીઓના મોત થયા છે. 
    વધુ વાંચો
  • ગુજરાત

    રાજયના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે રેમડેસિવીર ઈન્જેક્શનને લઈને શું કરી જાહેરાત, જાણો વધુ

    અમદાવાદ-કોરોનાની બીજી લહેરની શરૂઆતમાં સમગ્ર રાજ્યમાં 200-300 કેસથી થઇ હતી, તો એક્ટિવ કેસનો આંકડો પણ 1000 આસપાસ આવી પહોંચ્યો હતો પરંતુ ત્યારબાદ સ્થિતિ વણસણતા મહાનગરોમાં અમદાવાદ અને સુરતની સ્થિતિ વધુ કફોડી છે. ગણતરીના દિવસો પહેલા સમગ્ર રાજ્યમાં જેટલા કેસ નોઁધાતા હતા તેટલા કેસ આજે માત્ર અમદાવાદમાં નોંધાયા છે.કોરોના મુદ્દે નીતિન પટેલનું નિવેદન સામે આવ્યુ છે જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ફરી કેસ વધતા હોસ્પિટલમાં બેડ વધારવા પડ્યા છે. સુરત શહેરની સ્થિતિને રીવ્યુ કરી એક અધિકારીની નિમણૂંક કરી છે. રાજકોટ અને વડોદરાની પણ સમીક્ષા કરી હતી હતી. કિડની, યુ.એન.મહેતા હોસ્પિટલ કોવિડ માટે ચાલુ છે. પંકજકુમાર સંક્રમિત થતા અવંતિકા સિંહની નિમણૂંક કરાઈ છે. હવે રેમડેસિવર ઈન્જેક્શન લઈને દર્દી ઘરે જઈ શકશે. દર્દીએ દાખલ નહીં રહેવું પડે. 1-2 કલાક કોમ્યુનિટી હોલમાં દર્દી રોકાઈને ઘરે જઈ શકશે.કોમ્યુનિટી હોલમાં ઈન્જેક્શન લીધેલા દર્દીઓનું ધ્યાન નર્સિંગ સ્ટાફ રાખશે નર્સિંગ હોમમાં ઈન્જેક્શન લઈને દર્દી ઘરે જઈ શકશે. જેથી હોસ્પિટલમાં ખરેખર જરૂરિયાત વાળા દર્દીઓ માટે પથારી ખાલી રહી શકશે. ગુજરાતમાં રેકોર્ડબ્રેક કોરોના કેસ નોંધાઈ રહ્યા છે ત્યારેકોરોના મુદ્દે DyCM નીતિન પટેલનું નિવેદન સામે આવ્યુ છે.
    વધુ વાંચો