આણંદ સમાચાર
-
હાય રે મજબૂરી! પુુત્ર મોતને હાથતાળી ના આપે તે માટે ખુદ માતા-પિતાએ તેનાં હાથ બાંધી દીધાં!
- 02, ઓગ્સ્ટ 2023 01:15 AM
- 9010 comments
- 8062 Views
વડોદરામાં વધુ એક મંગળવારની સવાર ગોઝારી સાબિત થઈ શહેરના કારેલીબાગ વિસ્તારના આનંદનગરમાં ભાડાના મકાનમાં ઉપરના માળે પોતાની બે પુત્રીઓ સાથે રહેતી ૪૨ વર્ષીય ડિવોર્સી દક્ષા ચૈાહાણે પણ આર્થિક ભીંસના કારણે રાત્રિના સમયે તેની બંને પુત્રીઓ ૧૯ વર્ષીય હની અને ૧૪ વર્ષીય શાલીનીને જમવામાં ઝેર આપ્યા બાદ બંને પુત્રીઓના ગળે ટુંપો આપીને હત્યા કરી હતી અને ત્યારબાદ ગત ૧૧મી જુલાઈના મંગળવારની સવારે તેણે પણ મકાનમાં ફાંસો ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જાેકે આ સમયે તેના મકાનમાં સરનામુ પુછવા માટે આવેલી અજાણી વ્યકિતએ બુમરાણ મચાવતા મકાનમાલિક અને તેમના પરિવારજનોએ દક્ષાને ફાંસો ખાતા અટકાવતા તેનો બચાવ થયો હતો. આ ઘટના મંગળવારે સવારે બન્યા બાદ આજે પંચાલ પરિવારે પણ મંગળવારના સવારે જ સામુહિક આપઘાત કરતા શહેરમાં એક જ માસમાં મંગળવારની સવાર વધુ એક વાર ગોઝારી સાબિત થઈ છે. દર્દ સહન થતું નોહતું છતાં મુકેશભાઈએ જાતે ગળા પર બ્લેડના ચીરા માર્યા મુકેશભાઈને તેમના પુત્રનું ફાંસો ખાવાના કારણે અને પત્નીએ વિષપાન કરવાના કારણે મોત થયાની જાણ થતાં તેમણે પણ આપઘાત કરવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો. એક હુંકમાં પુત્રનો મૃતદેહ લટકેલો હોઈ અને ઘરમાં લાવેલી ઝેરની બંને બોટલો પત્નીએ ખાલી કરી નાખી હોઈ મુકેશભાઈને આપઘાત માટે અત્યંત પિડાદાયક માર્ગ પસંદ કરવાની ફરજ પડી હતી. મુકેશભાઈએ રસોડામાંથી ચાકુ લાવી ગળા પર જાતે ઘા કર્યા બાદ દાઢી કરવાની બ્લેડથી ગળા પર ચીરા મારવાની શરૂઆત કરી હતી. ગળા પર બ્લેડના ચીરા મારતી વખતે પિડા સહન નહી થતાં તેમણે બચાવ માટે બુમો પાડી હતી. જાેકે પત્ની અને પુત્રના મૃતદેહો નજર સામે હોઈ પિડા સહન નહી થવા છતાં તેમણે વધુ ઝનુનપુર્વક જાતે ગળા પર ચીરા માર્યા હતા અને ગળાની ઠેક અંદર સુધી તેમને ગંભીર ઈજાઓ પહોંચતા ટુંકી સારવાર બાદ તેમનું પણ મોત નિપજ્યું હતું. નયનાબેને એક્સેસ પોઈઝન ડ્રિન્કિંગ કર્યાનો રિપોર્ટ નયનાબેન પંચાલનું ઝેરી દવા પીવાના કારણે મોત નિપજ્યું હોઈ તેમણે જાતે દવા પીધી છે કે પછી તેમને પતિ કે પુત્રએ બળજબરીથી ઝેરી દવા પીવડાવી છે તેની ખરાઈ માટે નયનાબેનનું સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ હાથ ધરાયું હતું. પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં નયનાબેનના શરીરમાંથી વધુ પડતા ઝેરનો જથ્થો મળ્યો હતો. આ અંગે પીઆઈ તિવારીએ જણાવ્યું હતું કે નયનાબેનના શરીરમાંથી જેટલુ ઝેર મળ્યું છે તે કોઈ પણ વ્યક્તિને બળજબરીથી પીવડાવવાનું અશક્ય છે. નયનાબેનના શરીરમાંથી એક્સેસ પોઈઝન મળતા તેમણે પોતે કોઈ પણ રીતે બચી ના શકે તેવું નક્કી કરીને જ વધુ પડતુ ઝેર પીધું હતું. તેમનું આશરે ચારેક વાગે મોત થયાનું અનુમાન હોઈ તેમણે ગત રાત્રે જ ઝેર પીધું હોવાની શંકા છે. પરિવારને આજે ભાડાનું મકાન ખાલી કરવાની તાકીદ કરાયેલી મુકેશભાઈ જે મકાનમાં ભાડેથી રહે છે તે મકાન હાલમાં વિવેક સિંહ નામના યુવકે જુના માલિક પાસેથી ખરીદયુ છે. વિવેક સિંહે મુકેશભાઈને જાણ કરી હતી કે તેણે આ મકાન ખરીદયુ છે એટલે તે એક માસમાં આ મકાન ખાલી કરી દે. એક માસની મુદત આજે પૂરી થતાં મુકેશભાઈને આજે મકાન ખાલી કરવાનું હતું અને મુકેશભાઈ દાંડિયાબજાર વિસ્તારમાં જ ભાડાનું એક મકાન નક્કી પણ કરી આવ્યા હતા. જાેકે મકાન ખાલી કરવાના દિવસે મુકેશભાઈએ પરિવાર સાથે સામુહિક આપઘાત કરતા પોલીસે નવા મકાનમાલિકની પણ પૂછપરછ કરી હતી. યુવાન પુત્ર બેકાર હોઈ મુકેશભાઈ વારંવાર ઓવરટાઈમ કરતા હતા મુકેશભાઈ ખાનગી સિક્યુરીટી કંપનીમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા અને તેમને દર મહિને માત્ર ૭૫૦૦ રૂપિયાનો પગાર મળતો હતો. હાલની કારમી મોંઘવારીમાં ભાડાના મકાનમાં રહીને પોતાનું તેમજ પત્ની અને યુવાન પુત્રનું ગુજરાન ચલાવવાનું અઘરુ હોઈ મુકેશભાઈ વારંવાર ઓવરટાઈમ કરતા હતા જેની તેમણે પોતાની એક ડાયરીમાં પણ નોંધ કરી હતી. આ ઉપરાંત તેમણે ખર્ચાઓને પહોંચી વળવા માટે કંપનીમાંથી ઉપાડ પણ લીધો હોઈ તેની પણ નોંધ ડાયરીમાંથી મળી આવી છે. કરુણાંતિકાની પરાકાષ્ઠા! પુુત્ર ફાંસો ખાધા બાદ શ્વાસ રૂંધાઈ ને બચાવનો પ્રયાસ ન કરી શકે એ માટે માતા-પિતાએ તેનાં હાથ બાંધ્યા! આજે સવારે પંચાલ પરિવારના મકાનમાં માતા અને પુત્રના મૃતદેહો અલગ અલગ રૂમમાં મળ્યા હતા જેમાં યુવાન પુત્ર મિત્તુલે બનિયન પહેરેલી હાલતમાં ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. મિત્તુલની લાશના બંને પગ જમીનને અડેલા હતાં જયારે તેના બંને હાથ ભૂરાં રંગના દુપટ્ટાથી ડબલગાંઠ મારીને બાંધેલી હાલતમાં જાેવા મળતા મિત્તુલે આપઘાત કર્યો છે કે પછી તેની હત્યા કરીને લટકાવી દેવાયો છે તે અંગે પણ શંકાઓ ઉભી થઈ હતી. પ્રારંભીક તપાસમાં પરિવારના ત્રણેય સભ્યોએ જાતે જ આપઘાત કર્યો હોવાની વિગતો સપાટી પર આવતા આ બનાવમાં કરૂણતાની પરાકાષ્ઠાએ સૌને હચમચાવી મૂક્યા હતા. મિત્તુલ ફાંસો ખાઈને આપઘાત કરવાનું નક્કી કરતા ફાંસો ખાધા બાદ શ્વાસ રૂંધાતા જ તે બચાવ માટે જાતે પ્રયાસ કરશે અને મોતને કદાચ હાથતાળી આપશે તેવી ખાતરી હોઈ ખુદ માતા-પિતાએ જ યુવાન પુત્રના બંને હાથ દુપટ્ટાથી બાંધી દીધા હતા અને ત્યારબાદ પુત્રએ ફાંસો ખાધો હતો. મરી જ જવાનો નિર્ધાર કરી પરિવાર કાયમ માટે પોઢી ગયું કાછિયાપોળમાં પંચાલ પરિવારના સામુહિક આપઘાત પ્રકરણની પોલીસ તપાસમાં એવી ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે કે પરિવાર આર્થિક ભીંસથી એટલી હદે કંટાળ્યું હતું કે તેઓએ ગમે તે ભોગે એક સાથે જ જીવનનો અંત લાવવાનું સામુહિક નિર્ણય લીધો હતો. ત્રણેય જણાએ એક જ પધ્ધતીથી આપઘાત કરશે તો કદાચ કોઈનો બચાવ થઈ જશે તેવુ લાગતા પુત્રએ બંને હાથ બાંધીને ફાંસો ખાઘો હતો જયારે માતાએ અત્યંત તીવ્ર જંતુનાશક ઝેરી દવા પીધી હતી. અંતે પિતાએ જાતે ગળા પર બ્લેડના ચીરા માર્યા અને પરિવાર કાયમ માટે પોઢી ગયું હતું. પુત્ર મિત્તુલને શેરબજારમાં દેવું થતાં પરિવાર ભીંસમાં મૂકાયું મુકેશભાઈનો યુવાન પુત્ર મિત્તુલ હાલમાં કોઈ કામધંધો કરતો ન હોઈ મુકેશભાઈને બેકાર પુત્રનું પણ ભરણપોષણ કરવાની ફરજ પડી હતી. મળતી વિગતો મુજબ મિત્તુલને તેના આડોશપાડોશમાં કોઈની સાથે મિત્રતા નહોંતી અને અગાઉ તે શેરબજારનું કામ કરતો હતો તેમાં તેને ખોટ ગઈ હતી. પુત્રએ દેવાળું ફુંકતા મધ્યમવર્ગીય પરિવાર આર્થિક ભીંસમાં મુકાયું હતું અને પુત્રની નિષ્ફળતાના કારણે સમગ્ર પરિવારનો ભોગ લેવાયો હોવાનું પણ મનાઈ રહ્યું છે. પરિવારને સંબંધી કે પડોશીઓ સાથે કોઈ સંપર્ક ન હતો! મુકેશભાઈ પંચાલે પુત્ર અને પત્ની સાથે આપઘાત કર્યાની જાણ થતાં જ મુકેશભાઈના બે સગા ભાઈઓ જે વડોદરામાં રહે છે તે પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. પોલીસે આ બંને ભાઈઓની તેમજ મુકેશભાઈના પાડોશીઓની પુછપરછ કરી હતી જેમાં એવી વિગતો મળી હતી કે મુકેશભાઈ અને તેમના પરિવારને છેલ્લા દસેક વર્ષથી ભાઈઓ કે અત્રે રહેતા સંબંધીઓ સાથે સંપર્ક નહોંતો અને માત્ર મરણપ્રસંગોમ ક્યારેક ભેગા થતા હતા.વધુ વાંચો -
દાંડિયાબજાર કાછિયાપોળમાં મોડી રાત્રે સર્જાઈ હૃદયદ્રાવક કરુણાંતિકા : માતા-પિતા અને પુત્રનો સામુહિક આપઘાત
- 02, ઓગ્સ્ટ 2023 01:15 AM
- 6163 comments
- 9892 Views
વડોદરા, તા.૧શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતી ડિવોર્સી માતાએ તેની સગી બે પુત્રીઓની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યાના બનાવની શાહી સૂકાય તે અગાઉ આજે રાવપુરા વિસ્તારમાં રહેતાં પંચાલ પરિવારના દંપતી અને તેઓના યુવાન પુત્રએ સામુહિક આપઘાત કરી લેતા ચકચાર મચી છે. ભાડાના મકાનમાં રહેતાં પરિવારના સામૂહિક આપઘાતના બનાવમાં આર્થિક ભીંસ કારણ કારણભૂત હોવાની વિગતો સપાટી પર આવતાં કાળઝાળ મોંઘવારીમાં વધુ એક પરિવાર પીંખાયું છે. આ બનાવની જાણ થતાં જ શહેર પોલીસ તંત્રના ઉચ્ચાધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો અને માતા-પુત્રના મૃતદેહને તેમજ ગંભીર રીતે ઈજાગ્રસ્ત પિતાને સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જેમાં પિતાનું પણ સારવારના અંતે મોડી સાંજે મોત નીપજ્યું હતું. શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં પિરામિતાર રોડ પર કાછિયાપોળમાં આવેલી પીઠ્ઠળ કૃપા બિલ્ડિંગના બીજા માળે ભાડાના મકાનમાં રહેતા ૪૭ વર્ષિય મુકેશભાઈ ભોગીલાલ પંચાલ સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા જયારે તેમના પત્ની ૪૫ વર્ષીય નયનાબેન વ્યવસાયે ગૃહિણી હતી અને ૨૨ વર્ષીય પુત્ર મિત્તુલ શેરબજારનું કામ કરતો હતો. આજે વહેલી સવારે મુકેશભાઈના મકાનમાંથી બચાવો..બચાવો..ની ચીસો સાંભળવા મળતા જ નીચેના પહેલા માળે રહેતા મકાનમાલિકની પત્ની તુરંત ઉપરના માળે દોડી ગયા હતા. તેમણે ઉપરના માળે જાેતા જ પહેલા રૂમમાં મુકેશભાઈ લોહીલુહાણ હાલતમાં હતા અને તેમણે જણાવ્યું હતું કે અંદરના રૂમમાં મારી પત્ની અને પુત્રએ આપઘાત કરી લીધો છે એટલે મેં પણ મરી જવા માટે મારા ગળા પર ચાકુ અને બ્લેડના ચીરા માર્યા છે. મકાનમાલિકની પત્નીએ અંદર જાેતા મિત્તુલે સિલીંગ ફેનની બાજુની હીંચકાના હુકમાં દોરડી વડે ફાંસો ખાઈને લટકતો હોવાની તેમજ અન્ય રૂમમાં નયનાબેન પણ ચત્તા મોંઢે જમીન પર પડેલા હોવાની અને તેમની આજુબાજુમાં લીલા રંગનું પ્રવાહી અને ઝેરની બોટલો પડેલી જાેતા જ તેમણે તુરંત બહાર દોટ મૂકી હતી અને તેમના પરિવારજનો અને પાડોશીઓને મદદ માટે આવવા માટે બુમો પાડી હતી. મુકેશભાઈ લોહીલુહાણ હાલતમાં કણસતા હોઈ તેમને તુરંત ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. બીજીતરફ ભરચક વિસ્તારમાં આ બનાવની જાણ થતાં ટોળેટોળે ઘટનાસ્થળે ભેગા થયા હતા જેમાં પુત્ર અને માતા સંભવિત મૃત હાલતમાં હોવાની જાણ થતાં આ બનાવની પોલીસને જાણ કરાઈ હતી. બનાવના પગલે ઝોન-૨ના ડીસીપી અભય સોની તેમજ રાવપુરા પોલીસ મથકના પીઆઈ પી.જે.તિવારી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે નયનાબેન અને મિત્તુલના મૃતદેહોને સયાજી હોસ્પિટલમાં ખસેડી એફએસએલની ટીમને ઘટનાસ્થળે બોલાવી બનાવની તપાસ શરૂ કરી હતી. આ બનાવ હત્યા કે આપઘાતનો છે તેની પ્રાથમિક વિગતો મેળવવા મેળવવા માટે પોલીસે ઈજાગ્રસ્ત મુકેશભાઈની પુછપરછ કરી હતી જેમાં તેમણે આર્થિક સંકળામણના કારણે પત્ની અને પુત્રએ આપઘાત કરી તેમણે પણ જાતે ગળા પર ચીરા મારી આપઘાતનો પ્રયાસ કર્યો છે તેટલી વિગતો જણાવી હતી. જાેકે મુકેશભાઈને ગળાના ભાગે ઉંડે સુધી ઈજા હોઈ તેમની ઘનિષ્ટ સારવાર હાથ ધરાઈ હતી પરંતું મોડી સાંજે તેમનું પણ કરુણ મોત નીપજતા સમગ્ર પરિવાર આર્થિક ભીંસના કારણે પીંખાયો હતો. આ બનાવનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે ઘટનાસ્થળેથી મિત્તુલનો મોબાઈલ ફોન તેમજ જંતુનાશક દવાની બે બોટલ તેમજ લોહીથી ખરડાયેલા ચાકુ અને બ્લેડ કબજે કર્યા હતા. આ પૈકીના નયનાબેનના મૃતદેહ પાસેથી ડાયરી પણ મળી હતી જે પોલીસે કબજે કરી હતી, પરંતું ડાયરીમાં કોઈ ફળદાઈ વિગતો મળી નથી તેમ ડીસીપી અભય સોનીએ જણાવ્યું હતું. પંચાલ પરિવાર આર્થિક ભીંસમાં હોઈ અને તેમને એક માસમાં મકાન ખાલી કરવાની તાકિદ કરાઈ હતી અને આજે મુદતનો છેલ્લો દિવસ હોવાની પોલીસને વિગતો સાંપડતા પોલીસે નવા મકાનમાલિક વિવેક સિંહાની પણ પુછપછર હાથ ધરી હતી.વધુ વાંચો -
માત્ર ૨ ઈંચમાં વડોદરા ફરી ડૂબ્યું
- 20, જુલાઈ 2023 01:15 AM
- 3402 comments
- 3881 Views
વડોદરા, તા.૧૯શહેરમાં બપોર સુધી છૂટોછવાયો વરસાદ થયા બાદ સમીસાંજે ઓફિસ છૂટવાના સમયે કાળાંડિબાંગ વાદળાં ઘેરાયાં હતાં અને ધોધમાર વરસાદ શરૂ થયો હતો. માત્ર બે ઈંચ વરસાદમાં જ ફરી એકવખત વડોદરા શહેરના વિવિધ વિસ્તારો ડૂબી ગયા હતા. એકધારો ધોધમાર વરસાદ ખાબકતાં શહેરના અલકાપુરી ગરનાળા સહિત મોટાભાગના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમાં પાણી ભરાતાં અનેક મુખ્ય જંકશનો અને માર્ગો પર ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં હતાં. સાંજના ત્રણ કલાકમાં થયેલા બે ઈંચ જેટલા વરસાદમાં પાલિકાતંત્રની પોલ ખૂલી ગઈ હતી. હવામાન વિભાગની આગાહી વચ્ચે વડોદરામાં સવારથી બપોર સુધી છૂટોછવાયો હળવો વરસાદ થયા બાદ બપોરે તો તડકો નીકળતાં ઉકળાટથી લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠયા હતા. ત્યાં સાંજ થતાં જ કાળાંડિબાંગ વાદળાં ઘેરાવાની સાથે ધોધમાર વરસાદ શરૂ થતાં ઓફિસેથી છૂટીને ઘર તરફ જઈ રહેલા લોકો અટવાઈ ગયા હતા. જાે કે, એકધારો સતત વરસાદ વરસતાં રાવપુરા, માંડવી, ચાર દરવાજા, દાંડિયા બજાર, જેલ રોડ, કાશીવિશ્વનાથ મંદિર રોડ, અલકાપુરી રોડ, ગેંડા સર્કલ, અલકાપુરી ગરનાળું સહિત અનેક વિસ્તારો, મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાતાં ઠેરઠેર ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં હતાં.સાંજે લગભગ પ.૩૦ વાગે શરૂ થયેલો વરસાદ ૭.૩૦ સુધી એટલે કે બેથી અઢી કલાક એકધારો વરસેલા બે ઈંચ જેટલા વરસાદમાં શહેર જળબંબાકાર થતાં પાલિકાતંત્રની પોલ ખૂલી ગઈ હતી. જ્યારે મુખ્ય માર્ગો લહેરીપુરા રોડ પર આવેલી કેટલીક દુકાનોમાં તેમજ મુખ્ય માર્ગો પર ઘૂંટણસમાં પાણી ભરાતાં આ રોડ પર પાણીના ભરાવાથી વાહનોની અવરજવર લગભગ બંધ થઈ ગઈ હતી. જાે કે, સમીસાંજે થયેલા વરસાદને પગલે ઠંડક થતાં લોકોએ રાહત અનુભવી હતી. યાકુતપુરામાં ગેલેરીનો ભાગ ઘરાશાયી સમી સાંજે વરસાદમાં યાકુતપુરા મદાર મહોલ્લામાં આવેલા એક વર્ષો જૂના મકાનના પ્રથમ માળની ગેલેરીનો ભાગ ઘરાશાયી થતા દોડઘામ મચી હતી. સદ્નસીબે આ ઘટનામાં કોઈને ઈજા થવા પામી ન હતી, પરંતુ નીચે રોડ પર પાર્ક કરેલા એક ટુ વ્હીલરને નુકસાન થયું હતંુ.બનાવની જાણ થતા ફાયર બ્રિગેડના લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા. આજવાની સપાટી ર૦૯.૭પ ફૂટ થઈ ઃ વિશ્વામિત્રી બે કાંઠે શહેરની પીવાનું પાણી પૂરું પાડતા આજવા સરોવર અને તેના સ્ત્રાવ વિસ્તાર હાલોલ, પ્રતાપપુરા, ઘનોરા, ઘનસર વાવ, પિલોલમાં છેલ્લા બે દિવસથી નોંધપાત્ર વરસાદ થતાં આજવામાં નવા નીરના આગમન સાથે રાત્રે ૯ વાગે સપાટી વધીને ર૦૯.૭પ ફૂટ થઈ હતી. જ્યારે સમીસાંજે થયેલા ધોધમાર વરસાદને પગલે વિશ્વામિત્રી નદીની સપાટીમાં પણ સતત વધારો થતાં બે કાંઠે વહેતી થયેલી વિશ્વામિત્રી નદીની સપાટી રાત્રે વધીને ૧ર ફૂટ થઈ હતી.વધુ વાંચો -
બપોરે ૧૨ વાગ્યે કોમર્સ ને અઢી વાગ્યે લો ફેકલ્ટીમાં છૂટા હાથની મારામારી
- 28, જુન 2023 01:00 AM
- 2976 comments
- 1665 Views
વડોદરા, તા. ૨૭યુનિ.ની સુરક્ષા સામે અગાઉ પણ પ્રશ્નો ઉઠયા છે! આજે એક જ દિવસમાં બે ફેકલ્ટીઓમાં વિદ્યાર્થી જૂથો દ્વારા છૂટા હાથની મારામારી કરાતા યુનિ. અને વિજિલન્સની ટીમ સામે અનેક સવાલો ઉભા થયા છે.મારામારી કાબૂમાં ન આવતા આખરે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને મામલો થાળે પાડ્યો હતો. આમ, વિવાદોના વંટોળમાં ઘેરાયેલી મ.સ. યુનિ. મારામારી તેમજ અસામાજીક પ્રવૃતિઓનો અડ્ડો બની ગઈ હોય તેમ જણાઈ આવે છે. છેલ્લા કેટલાક સમયથી યુનિ.ના તંત્રની બેદરકારીના પાપે વિવિધ વિદ્યાર્થી સંગઠનો તેમજ સેનેટ સભ્યો દ્વારા સતત અવગણના કરવામાં આવી રહી છે. જેને કારણે સંગઠનો દ્વારા ગાંધી ચિધ્યા માર્ગ અને વિર ભગતસિંહજીના માર્ગ પર જવાની ફરજ પડી રહી છે. ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની સીટ વધારવાની માગણી સાથે અનેક સંગઠનો ધરણાં પર ઉતરેલા જાેવા મળી રહ્યા છે ત્યારે આજે વિરોધ દરમ્યાન જ એજીએસજી ગ્રૂપ અને એજીએસયુ ગ્રૂપ વચ્ચે લોહિયાળ મારામારી થઈ હતી, જેમાં બે વિદ્યાર્થીઓને ઈજા પહોંચતા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અન્ય એક બનાવમાં લો ફેકલ્ટી ખાતે ઉદ્ભવેલા વિવાદ સંદર્ભે એલએફએસએ ગ્રૂપ દ્વારા તાળાબંધી કરીને વિરોધ પ્રદર્શન યોજયું હતું. તાળાબંધી સમયે સામાન્ય વાતોમાં બોલાચાલી ઉગ્ર બનતા બન્ને જૂથો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. આમ, એક જ દિવસે બે ફેકલ્ટીમાં મારામારીના બનાવ બનતા વિજિલન્સ ટીમની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા હતા. યુનિ.માં સુરક્ષાના ફરી લીરેલીરા, તમાશો જાેતાં સત્તાધિશો મારામારી દરમ્યાન એજીએસયુ ગ્રુપનો એક યુવક જેને અન્ય ગ્રુપના વિદ્યાર્થીના માથામાં કડુ મારી દેતા તેને માથાના ભાગે ઈજા પહોંચી હતી. પરતું કડુ મારનાર યુવક યુનિ.નો ન હોવાનો આક્ષેપ એજીએસજી ગ્રુપના હર્ષિલ રબારીએ લગાવ્યો હતો આક્ષેપ બાદ યુનિ.માં ચાલતા વહિવટ અને તંત્રની બેજવાબદારી સામે આવી છે. લોકોએ યુનિ.ની સુરક્ષા બાબતે અનેે નિષ્ફળ તંત્ર સામે પણ અનેક સવાલો ઉઠાવ્યા હતા. સત્તાધિશોનું વિજિલન્સ ઓફિસરની નિમણૂક પર મૌન નોટીસ પીરીયડ પર ફરજ બજાવતા વિજીલન્સ ઓફિસર પી.પી. કાનાણીને ફરજ મુકત થવાને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે સત્તાધીશો નવા ઓફિસરની નિમણૂક બાબતે હજી મૌન જ ધારણ કર્યું હોવાથી યુનિ.ની સુરક્ષા બાબતે નિષ્કાળજીના દર્શન લોકોને કરાવ્યા છે. એક જ દિવસમાં બે ફેકલ્ટીમાં થયેલી મારામારીને કંટ્રોલ ન કરી શકતા તેમને પોલીસને બોલાવવાની ફરજ પડી હતી ત્યારે ઓફિસરની નિમણૂક થશે કે કેમ? તેમજ કોઈ નેતાની જેમ નિમણૂક બાબતે મૌન સેવાયું હોવાથી પાછલાં બારણે કયો ખેલ ખેલાઈ રહ્યો છે તેની ચર્ચાએ પણ જાેર પક્ડયુ છે. મારામારી બાબતે ફરિયાદ થશે કે સમાધાન, ચર્ચાનો વિષય એક તરફ એજીએસયુ ગ્રુપની વિદ્યાર્થીનીએ વગર વાંકે અન્ય ગ્રુપના વિદ્યાર્થીને લાફો ચોડી દીધો હતો અને પૂર્વ કાવતરું હોવાના આક્ષેપ સાથે મારામારી થઈ હોવાના આક્ષેપ થયા હતા. જેથી એજીએસજી ગ્રુપ દ્વારા સયાજીગંજ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવવા બાબતેની વાત કહી હતી જ્યારે એજીએસયુ ગ્રુપ દ્વારા સમાધાન બાબતનું જણાવતા બન્ને બાબતે અસમંજસ જાેવા મળી હતી જેથી ફરીયાદ થશે કે સમાધાન તે બાબતે પ્રશ્નાર્થ ચિહ્ન જાેવા મળ્યું હતું.વધુ વાંચો -
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆરનું તેડું છતાં ૧૧ પૈકી માત્ર ૪ ગયા ઃ કોકડું વધુ ગૂંચવાયું
- 28, જુન 2023 01:00 AM
- 849 comments
- 2372 Views
વડોદરા,તા.૨૭વડોદરા ડેરીની ચૂંટણીમાં ભાજપની સંપૂર્ણ બહુમતી હોવા છત્તા ૩ જુલાઈ ઉપર મુલતવી રાખવાની ફરજ ફાડી હતી.ત્યારબાદ પોતાના જ પક્ષના સભ્યોના બળવાને ખાળવાને માટે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ -ચંદ્રકાન્ત પાટીલ દ્વારા બરોડા ડેરીના ભાજપના તમામ ચૂંટાયેલા સભ્યોને બોલાવવામાં આવ્યા હતા.પરંતુ એ મુલાકાતને માટે જે બે સભ્યોના નામનો મેન્ડેટ આવ્યો હતો.એ બે સભ્યો ઉપરાંત વધુ નવ પૈકી માત્ર બે જ સભ્યો ગયા હતા.જયારે ૧૧ પૈકી મોટાભાગના સાત સભ્યો ગયા નહોતા. બલ્કે પ્રદેશ અધ્યક્ષના આદેશને જાણેકે ઘોળીને પી ગયા હોય એવો વ્યવહાર કર્યો હતો.એટલુંજ નહિ આ સાતે સાત સભ્યોએ સવારથી જ પોતાનો મોબાઈલ ફોન સ્વીટ્ચ ઓફ કરી દીધો હતો. જેને લઈને બરોડા ડેરીના મલાઈદાર હોદ્દદાને માટેનો બળવો યથાવત રહેવા પામ્યો છે. તેમજ દૂધના રાજકારણમાંથી મલાઈ આરોગવાને માટેનો સંઘર્ષ વધુને વધુ ઘેરો બનતો જાય છે.જે સમસ્યાનું સમાધાન કે ઉકેલ કેવી રીતે લાવવો એ બાબતને લઈને પ્રદેશ ભાજપના નેતાઓ ખુદ માથું ખંજવાળવા લાગ્યા છે.ત્યારે ભાજપને માટે ઘર ફૂટે ઘર જાય એવા સંજાેગોમાં આટલી નાની સંસ્થાની ચૂંટણીમાં થયેલો બળવો માથાના દુખાવા સમાન બની ગયો છે.આજે પ્રદેશ પ્રમુખનું તેડું છત્તા મોટાભાગના ૧૧ પૈકી ૭ સભ્યો ગેર હાજર રહેતા પ્રદેશથી બુધવારે નિરીક્ષકો મોકલવાની સ્થિતિ સર્જાવા પામી છે.તેમ છત્તા બળવાખોરો એમના હાથમાં આવશે કે કેમ એ બાબતે શંકા પ્રવર્તી રહી છે. જાે કે નિરીક્ષકોની હાજરીમાં બળવાખોરોને ફરજીયાત મળવાના આદેશો કરી દેવામાં આવ્યા છે.પરંતુ હાલના સંજાેગોમાં જે સ્થિતિ પ્રવર્તી રહી છે.એમાં શેઠની શિખામણ ઝાપા સુધી હોવાનું સ્પષ્ટ ચિત્ર ઉપસી રહ્યું છે. ત્યારે નિરીક્ષકો આ ઉકળતા ચરુમાં શું ઉકાળીને જશે એતો આવતીકાલે બુધવારે મોકલવામાં આવેલા તેડામાં કેટલા બળવાખોરો હાજર રહે છે એના પરથી ચિત્ર સ્પષ્ટ થઇ જશે. કે નિરીક્ષકોમાં કેટલું પાણી છે? એ એમાં મપાઈ જશે એમ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. બળવાખોરોના બળવા પાછળ કોણ? બરોડા ડેરીની ચૂંટણી ટાણે ગ્રહણ ટાણે સાપ નીકળયા જેવી સ્થિતિ સર્જાવા પયામિ છે.ત્યારે આ બળવાખોરોને ભાજપના જ કોઈ મોટા માથાના નેતાનું પડદા પાછળ પીઠબળ હોવાનું મનાય છે.અલબત્ત એવી પણ ચર્ચાઓ થઇ રહી છે કે આ બળવાની પાછળ બળવાખોરોને કોઈ મોટું રાજકીય પીઠબળ કામ કરી રહ્યું છે. જેને લઈને બળવાખોરો ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલના આદેશને પણ ઘોળીને પી ગયા છે. તેમજ આ બાબતે ટસના મસ થવા તૈયાર થતા નથી. બરોડા ડેરીનો બળવો, એનો મતલબ પાટીલનું ઉપજતું ન હોવાની રાજકીય ચર્ચા શરૂ થઈ બરોડા ડેરીમાં કુલ ૧૩ ડિરેક્ટરોમાં ભાજપાના ૧૧ છે. જયારે વિપક્ષ કોંગ્રેસના માત્ર બે સભ્યો છે.તેમ છતાં ભાજપના પ્રદેશ અધ્યક્ષની કક્ષાએથી બરોડા ડેરીના માટે અપાયેલા મેન્ડેટ પછીથી ખુદ ભાજપના જ સભ્યોએ બળવો કરતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલનું કઈ ચાલતું નથી એવી રાજકીય ચર્ચાઓએ જાેર પકડ્યું છે. સીઆર પાટીલનું બધાને તેડું ઃ ૪ પૈકી બે મેન્ડેટવાળા ગયા! ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે બરોડા ડેરીમાં પોતાના જ પક્ષના સભ્યો દ્વારા થયેલા બળવા પછીથી એની ગંભીર નોંધ લીધી હતી.તેમજ આ બળવાને ખાળવાને માટે બળવાખોરો સહિત તમામ ૧૧ સભ્યોને મંગળવારે તાત્કાલિક તેડું મોકલી બોલાવ્યા હતા.પરંતુ આ અગિયાર સભ્યો પૈકી માત્ર ચાર સભ્યો ગાંધીનગર ખાતે સી.આર.પાટીલને મળવા ગયા હતા. જેમાં સતીષ નિશાળિયા ઉપરાંત સાવલીના સભ્ય રામસિંહ વાઘેલા, કૃપાલસિંહ મહારાઉલજીનો સમાવેશ થાય છે. બળવાખોરોનો આક્રોશ ઠારવા સેન્સ લેવાશે ભાજપના પ્રદેશ અધ્યક્ષના તેડાને લઈને ગાંધીનગર સી.આર.પાટીલને મળવા ગયેલા વડોદરા ડેરીના ડિરેક્ટરો અને વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર. સાવલીના બરોડા ડેરીના સભ્ય રામસિંહ વાઘેલા, છોટા ઉદેપુરના બે ધારાસભ્યો,સતીષ પટેલ નિશાળિયા અને કૃપાલસિંહ મહારાઉલજી સાથે લંબાણપૂર્વક ચર્ચા વિચારણાઓ થઇ હતી. જેમાં લંબાણપૂર્વકની ચર્ચા વિચારણાને અંતે આવતીકાલે બુધવારની બદલે પહેલી જુલાઈના રોજ સેન્સ પ્રક્રિયા લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું.વધુ વાંચો -
વ્હિલચેર પર દર્શનાર્થે પહોંચ્યા
- 21, જુન 2023 01:15 AM
- 7088 comments
- 7894 Views
નિઝામપૂરા વિસ્તારમાં રહેતા વિનોદ મિસ્ત્રી છેલ્લા દસ વર્ષથી રથયાત્રામાં આવવા માટેનો ભાવ મનમાં રાખતા હતા પરતું અશક્તિને કારણે તે ભક્તોેના મહેરામણ સાથે જાેડાવવાની હિંમત ન કરી શક્તા હતા પરતું આ વર્ષે તેમને મનથી મક્કમ થઈને કોઈના પણ સહારા વિના વ્હીલચેર પર ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા.ડ્ઢઝ્રમ્,ઁઝ્રમ્,ર્જીંય્ અને ન્ઝ્રમ્ના ડ્રેસકોર્ડ રથયાત્રામાં શહેર પોલીસ તંત્રના ઉચ્ચાધિકારીઓ તેમજ વિવિધ પોલીસ મથકોનો સ્ટાફ ખાખી વર્દીમાં તૈનાત રહ્યો હતો પરંતું પોલીસતંત્રની અલગ અલગ એજન્સીના જવાનોને ખાખી વર્દીના બદલે અલગ અલગ રંગોના ડ્રેસકોર્ડ અપાયા હતા. ડીસીપી ઝોનના એલસીબીના જવાનોએ આંખી બાયના વ્હાઈટ શર્ટમાં જયારે ડીસીબીના જવાનો ગ્રે રંગની અને ક્રાઈમ બ્રાન્ચ લખેલી હાફ બાયની ટી-શર્ટમાં તો એસઓજીના જવાના પીળા રંગની ટીશર્ટમાં અને પીસીબીના સ્ટાફે વ્હાઈટ શર્ટ અને ટી-શર્ટ પહેરીને અલગ ઓળખ ઉભી કરી હતી. રથયાત્રા પસાર થયા બાદ વિદ્યાર્થીઓએ રોડની સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો ભગવાન જગન્નાથજીની રથયાત્રા હરે રામા રહે ક્રિષ્ણા અને જય જગન્નાથના જયઘોષ સાથે નિકળી હતી.જેમાં મોટી સંખ્યામાં લોકો નગરચર્યાએ નિકળેલા ભગવાન જગન્નાથજીના દર્શનાર્થે ઉમટ્યા હતા.શહેરના રાજમાર્ગો પર રથયાત્રાનુ ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ.ત્યારે ભગવાનની રથયાત્રા પાછળ પડેલા કચરાને સાફ કરવાની જવાબદારી સ્ટુડન્ટ્સ ફોર સેવાના ૧૦૦ જેટલા કાર્યકરોએ ઉપાડી રથયાત્રા પસાર થયા બાદ પાછળ પડેલો કચરો ઝાડુ તેમજ બ્રશ થી રોડ સ્વચ્છ કરીને પાછળ રહેલી પાલિકાની ડોર-ટુ-ડોરની ગાડીમાં નાંખીને રોડને સ્વચ્છ કરવાની સાથે સ્વચ્છતાનો મેસેજ આપ્યો હતો.આ ગૃપમાં એમ.એસ.યુનિવર્સિટી તેમજ ખાનગી કોલેજાેના વિધ્યાર્થીઓ પણ સફાઈમાં જાેડાયા હતા.મિ.કમિશનર, શહેરની પ્રજા તો ઠીક, જગતના નાથના રથને પણ ખાડાઓ નડ્યાં! વડોદરા,તા.૨૦ અષાઢી બીજે પરંપરાગત ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે ભગવાનનો રથ આગલી રાત્રે નિજ મંદિરેથી નિર્ધારીત માર્ગ પરથી સ્ટેશન વિસ્તારમાં લાવવામાં આવે છે. જાેકે, આ વખતે ભગવાનના રથને પણ રસ્તા પરના ખાડાનો અનુભવ થયો હતો. રથ જે રૂટ પરથી રાત્રીના સમયે પસાર થઈને સ્ટેશન જવાનો હતો તે રૂટ પર જ ગેંડા સર્કલથી શાસ્ત્રી બ્રિજ સુધીના સર્વિસ રોડ પર પાલિકાએ વરસાદી ગટરોની કામગીરી કરી હતી. કામગીરી કરી તે તો ઠીક પરંતુ કામગીરી બાદ ખોદવામાં આવેલાં ડામર સહિતનું ડેબ્રિસ ત્યાં જ રોડની વચ્ચે છોડી દેવાતા રથને લાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ દ્શ્યોના વીડિયો સોશિયલ મીડિયા પર ફરતાં થતાં પાલિકા તંત્રની ટીકાઓ થઈ હતી. ઈસ્કોન મંદિરના રસોડામાં સાંસદે પૂરીઓ બનાવી વહેલી સવારે સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા ઈસ્કોન મંદિર ખાતેના રસોડામાં પૂરીઓ તળીને સેવા આપી હતી. રશિયા યુક્રેન વચ્ચે તણાવ હજી યથાવત પણ રથયાત્રામાં મિત્રતાના દર્શન થયાં સનાતન ધર્મ વિશે અને વેદ , ઉપનિષદો સહિતના ધાર્મિક ગ્રંથો તેમજ સંસ્કુતિ વિશે અભ્યાસ કરવા માટે આવી પહોંચેલા યુક્રેન અને રશીયાના બે ભકતો અભ્યાસ દરમ્યાન જ કુષ્ણભક્તિમાં લીન થઈ જઈને ઈસ્કોન સંસ્થા સાથે જાેડાઈ ગયા હતા. વર્ષ ૨૦૦૫થી તેઓ ઈસ્કોન સાથે જાેડાઈને સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે આજે યોજાયેલી રથયાત્રામાં મૂળ યુક્રેનના ગોપાલદાસ અને રશિયાના હરિદાસે સનાતન ધર્મ અંગીકાર કરીને પ્રભુ ભક્તિમાં લીન થયેલા જાેવા મળ્યા હતા. રથયાત્રાના માર્ગ પર આકર્ષક રંગોળી રથયાત્રા જે રૂટ પરથી પસાર થવાની હતી તે સમગ્ર રૂટ પર ચાર થી પાંચ રંગોળી કલાકાર મહિલાઓએ ભગવાનના રથના સ્વાગત માટે મહિલાઓ દ્વારા આકર્ષક રંગોળી બનાવી હતી.જેમ જેમ રથ પસાર થતો હતો ત્યા આગળના માર્ગ પર મહિલાઓ દ્વારા અલગ અલગ પ્રકારની આકર્ષક રંગોળી બનાવવામાં આવી હતી.રંગોળી બનાવનાર મહિલાઓએ કહ્યુ હતુ કે, મંદિર પરીસરમાં પણ રંગોળી બનાવી હતી.ત્યારબાદ રથયાત્રાના રૂટ પર મુખ્ય જંક્શન છે ત્યા ૭ થી ૮ પ્રકારની અલગ અલગ ભગવાની પ્રીય એવી રંગોળી બનાવી હતી.વધુ વાંચો -
જગતના નાથની ઝલક પામવા શ્રદ્ધાનો સાગર
- 21, જુન 2023 01:15 AM
- 8589 comments
- 7687 Views
જય જગન્નાથના જયઘોષ સાથે ગાયકવાડી નગરીના રાજમાર્ગો પર જગતના નાથની નગરચર્યા નીકળી ઃ પ્રજાજનોએ ઠેર-ઠેર હર્ષોલ્લાસ સાથે સ્વાગત કર્યુંવડોદરા, તા. ૨૦ અષાઢીબીજ અને રથયાત્રાના તહેવાર નિમિત્તે શહેરમાં ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યા પર નીકળ્યા હતા. ભગવાન જગન્નાથજીની પરંપરાગત રીતે ૪૨મી રથ યાત્રા યોજવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો જાેડાયાં હતાં. હરે રામા... હરે કૃષ્ણા...ના ગગનભેદી નાદ સાથે કીર્તનથી શહેર ભક્તિમય વાતાવારણમાં તરબોળ થઈ ગયું હતું. વહેલી સવારથી જ ઈસ્કોન મંદિર ખાતેથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે પહોંચી ગયા હતા. જ્યાં ભગવાનની લીલા સ્વરુપે જળયાત્રા અને નેત્રોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આજે બપોરે ૩.૧૫ વાગ્યે મેયર નિલેશ રાઠોડે પહિંદવિધિ કરીને ભગવાન જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાથે ભક્તોએ જય જગન્નાથ, હરે રામ હરે કૃષ્ણના નાદ સાથે ભગવાનને વધાવી લીધા હતાં. રથયાત્રા પૂર્વે ઇસ્કોન મંદિરમાં શ્રૃંગાર દર્શન, આરતી, બપોરે રાજભોગ અને આરતી પછી ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલરામની કાષ્ઠની મૂર્તિઓ વિધિવત રીતે રથયાત્રા માટે રેલ્વે સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી. આ મૂર્તિઓને રથમાં આરૂઢ કરાવી શ્રૃંગાર અને આરતી બાદ બપોરે ૩ કલાકે ભગવાનની રથયાત્રાનો પ્રારંભ થયો હતો. રથયાત્રામાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. ભક્તો ભક્તિના રસમાં ઝૂમી ઉઠયા હતા તો કેટલાંક લોકો અસહ્ય તાપમાં પણ ભગવાનને દંડવત પ્રણામ કર્યા હતા. ઠેર – ઠેર વિવિધ સમાજ અને સંપ્રદાયના લોકોએ રથયાત્રાનું સ્વાગત કર્યું હતું. રેલ્વે સ્ટેશનથી શરુ થયેલી રથયાત્રા રા ત્રીએ પોલોગ્રાઉન્ડ પાસે પૂર્ણ થઈ હતી. રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી. જગન્નાથજીનો રથ શહેરના રાજમાર્ગ પર ફરી સાંજે મંદિર ખાતે પરત ફર્યો હતો. રથનું દોરડંુ તૂટ્યું નથી, અફવા માત્ર ઃ મહંત વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પ્રસ્થાન થયા બાદ શાંતિપૂર્ણ માહોલમાં રાત્રીના ૮ વાગ્યાની આસપાસ સંપન્ન થઈ હતી. જાેકે, રથયાત્રા દરમિયાન ભગવાનના રથનું દોરડું તૂટ્યું હોંવાના અહેવાલ વહેતા થયા હતા.જાેકે, મંદિરના મહંતે આ વાતનું ખંડન કરતા આ અફવા હોંવાનું કહ્યંુ હતંુ.ઈસ્કોન મંદિરના મહંતે કહ્યંુ હતંુ કે,રસ્સો તૂટે તો તેને જાેડવામાં આવે,નડિયાદથી નવો રસ્સો ખરીદવામાં આવ્યો હતો. કેટલાકે કહ્યું હતંુ કે,જૂના રસ્સાનો ઉપયોગ કરી શકાય છે,પરંતુ અમે જાેખમ લીધું ન હતું.વધુ વાંચો -
શાંતિપૂર્ણ માહોલમાં જગન્નાથજીની નગરચર્યાં સંપન્ન
- 21, જુન 2023 01:15 AM
- 1385 comments
- 1873 Views
વડોદરા, તા. ૨૦શહેરમાં આજે નીકળેલી ભગવાન જગન્નાથજીની ૪૨મી રથયાત્રા કોઈ પણ જાતના વિઘ્ન વિના કોમી એખલાસ અને શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થતા વહીવટી તંત્ર સાથે પોલીસ તંત્રએ રાહતનો દમ લીધો હતો. ત્રણ માસ અગાઉ શહેરમાં રામનવમીના દિવસે નીકળેલ શોભાયાત્રામાં સંવેદનશીલ વિસ્તારમાં કાંકરીચાળો થયો હતો, જે બનાવને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ તંત્રએ આજે રથયાત્રામાં લોખંડી પોલીસ બંદોબસ્તનું આયોજન કર્યું હતું. રથયાત્રાના તમામ રૂટ પર પોલીસે વ્યુહાત્મક બંદોબસ્ત ગોઠવ્યો હતો જેના કારણે અસામાજિક તત્વો પોલીસના ડરથી આજે તેઓના રહેણાંક વિસ્તારમાં ફરક્યા પણ નહોતા. શહેર પોલીસે રથયાત્રાના રૂટ પર આવતા તમામ સંવેદનશીલ વિસ્તારમાં પ્રવેશવાના અને બહાર નીકળવાના તમામ માર્ગો પર આજે સવારથી જ પોલીસ પોઈન્ટ ગોઠવી દીધા હતા. સંવેદનશીલ વિસ્તારમાં ધાબાઓ પરથી પણ પોલીસ જવાનોને પરિસ્થિતીનું નિરક્ષણ હાથ ધર્યું હતું. રથયાત્રા સંવેદનશીલ રાવપુરા મચ્છીપીઠના નાકે આવતા મુસ્લીમ અગ્રણીઓએ સમગ્ર મુસ્લીમ સમાજ વતી રથયાત્રાનું સ્વાગત કરતા કોમી એખલાસના દ્રશ્યો સર્જાયા હતા. ઢળતી સાંજે રથયાત્રા રાજમહેલરોડ પર આવ્યા બાદ મદનઝાંપા થઈ કેવડાબાગ ખાતે પહોંચી હતી જયાં રથયાત્રાનું સમાપન થયું હતું. રથયાત્રા શાંતિપુર્ણ અને કોમી એખલાસના માહોલ વચ્ચે સંપન્ન થતાં પોલીસ અને વહીવટી તંત્રએ હાશકારો લીધો હતો.વધુ વાંચો -
કોર્પોરેટ કલ્ચરના ઝાકમઝોળની વરવી અંધારી બાજુ આંતરરાષ્ટ્રીય કક્ષાની ફાર્મા કંપનીમાં ચાલતા સેક્સ કૈાભાંડથી ખળભળાટ કંપનીના રંગીન મિજાજના એમડીએ ૩૭થી વધુ ભારતીય અને વિદેશી યુવતીઓનું શારીરિક શોષણ
- 09, જુન 2023 11:46 PM
- 4590 comments
- 4870 Views
વડોદરા, તા. ૯આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાણીતી અમદાવાદની એક ફાર્મા કંપનીમાં ભારતીય તેમજ વિદેશી યુવતીઓને વાર્ષિક લાખો –કરોડો રૂપિયાના પેકેજ પર નોકરીએ રાખ્યા બાદ યુવતીઓનું ખુદ કંપનીના એમડી દ્વારા વારંવાર શારીરિક શોષણ કરી સેક્સ કૈાભાંડ આચરવામાં આવ્યું હોવાની વાતે ખળભળાટ મચ્યો છે. કંપનીના એમડીની રાતો રંગીન કરવા માટે મજબુર બનેલી યુવતીઓ આ મુદ્દે કોઈ હોબાળો મચાવે તે અગાઉ તેઓને શામ-દામ-દંડ-ભેદની નિતીથી ચુપ કરાવી દેવામાં આવતી હોઈ અત્યાર સુધી આ સેક્સ રેકેટની કોઈ વિગતો બહાર આવી શકી નહોંતી. જાેકે આ જ ફાર્મા કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતી એક યુવતીને પણ શારીરિક શોષણ માટે ફરજ પાડી બળજબરી કરાતા આ સેક્સ કૈાભાંડને ઉજાગર કરવા માટે યુવતીએ પહેલ કરી હતી. જાેકે કંપનીના વગદાર સંચાલક સામે કાર્યવાહી કરવા માટે પોલીસ તંત્રના હાથ ધ્રુજતા હોઈ પોલીસે ફરિયાદ નોંધવા માટે સ્પષ્ટ નનૈયો ભણતા યુવતીને આ સેક્સ રેકેટમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે આખરે હાઈકોર્ટમાં દાદ માંગવાની ફરજ પડી હતી. થોડાક સમય પહેલા આવેલી દિગદર્શક મધુર ભંડારકરની જાણીતી હિન્દી ફિલ્મ ‘કોર્પોરેટ’માં મોટા ઉદ્યોગપતિઓ દ્વારા મની એન્ડ મસલ્સ પાવર સાથે લેધર કરન્સીનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે તેનો ચિતાર આપી ઝાકમઝાળ ભરેલે કોર્પોરેટ કલ્ચરના બીજી વરવી બાજુને ઉજાગર કરવામાં આવી હતી. જાેકે ફિલ્મના દ્રશ્યો અને સ્ટોરીને પણ ટક્કર મારે તેવો વાસ્તવિક કિસ્સો અમદાવાદની જ એક જાણીતી મલ્ટીનેશનલ ફાર્મા કંપનીમાં સપાટી પર આવ્યો છે અને તેને કંપનીની જ એક ઉચ્ચાધિકારી કર્મચારી યુવતીએ ઉજાગર કર્યો છે. અન્ય રાજયની વતની અને હાલમાં અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતી ૨૬ વર્ષીય યુવતી અમદાવાદની ફાર્મા કંપનીમાં ઉચ્ચાધિકારી તરીકે ફરજ બજાવે અને કંપનીમાં કામગીરીના ભાગરૂપે કંપનીના તમામ કર્મચારીઓ તેના સંપર્કમાં આવે છે. આ યુવતીની તેના જ વિભાગના વડાએ જાતિય સતામની શરૂ કરી હતી અને તેણે કંપનીના સંચાલક- એમડી જે વ્યભિચાર અને રંગીન મિજાજના આક્ષેપોમાં અગાઉ ઘેરાયેલા છે તેમના સેક્સ કૈાભાંડના સિલસિલાબધ્ધ કિસ્સા વર્ણવ્યા હતા અને યુવતીને પણ એમડી સાથે શારીરિક સંબંધ બાંધવા માટે સતત દબાણ શરૂ કરાયું હતું. પોતાના વિભાગના વડાએ કંપનીના એમડીના સેક્સ કૈાભાંડ અંગે એવી ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો કે કંપનીમાં ૨૪થી ૨૭ વર્ષની રશિયન, સ્પેનીશ અને યુરોપીયન યુવતીઓને વર્ક વિઝા નહી હોવા છતાં કંપનીમાં દોઢથી બે કરોડના વાર્ષિક પગારે પર્સનલ સેક્રેટરી તરીકે નોકરીએ રાખવામાં આવી હતી અને એફઆરઆરઓ (ફોરેનર્સ રિજયોનલ રજીસ્ટ્રેશન ઓફિસર) પ્રોસેસ વિના પરત મોકલી દેવામાં આવી છે. આ યુવતીઓને કંપનીના એમડીના વૈભવી રહેણાંક સ્થળે રાખવામાં આવતી હતી જયાં એમડી દ્વારા તેઓની પર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. એમડી દ્વારા યુવતીઓ સાથે ક્રુરતાપુર્વક અકુદરતી સેક્સ પણ આચરવામાં આવ્યું છે જેના કારણે અનેક યુવતીઓને શારિરીક પીડાઓ પણ થઈ હતી પરંતું મની અને મસલ્સ પાવરના જાેરે તેઓને ચુપ કરાવી દઈ તેઓને વતનમાં રવાના કરી દેવાઈ છે. આ યુવતીએ કંપનીમાં મહિલાઓની જાતિય સતામણી સામે રક્ષણ આપવા માટે બનાવેલી કમિટીમાં પોતાના જાતિય સતામની કરતા તેના વિભાગના વડાની ફરિયાદ કરી હતી જેના પગલે કંપનીના બોર્ડ ઓફ ડિરેકટરોમાં ખળભળાટ મચ્યો હતો અને યુવતી પર આ મુદ્દે ચુપકીદી રાખવા માટે તેમજ વિભાગીય વડા કે કંપનીના એમડી સામે કોઈ પણ પ્રકારની ફરિયાદ નહી કરવા માટે દબાણ કરી ધમકીઓ આપવાનો દોર શરૂ થયો છે. જાેકે આ અંગે યુવતીએ અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં અને પોલીસ ઉચ્ચાધિકારીઓને રજુઆતો કરી હતી પરંતું તેની કંપનીનું નામ અને કંપનીના એમડીનું નામ સાંભળતા જ મનોમન ફફડી ઉઠેલી પોલીસે આ કેસમાં ફરિયાદ નોંધવાની વાત તો ઠીક પરંતું ત્યારબાદ યુવતીના ફોન પણ રિસીવ કરવાનું બંધ કરી દેતા યુવતીએ આ કેસની પોલીસ ફરિયાદ નોંધે તેવો આદેશ કરાવવા માટે અમદાવાદના યુવાન ધારાશાસ્ત્રી મારફત હાઈકોર્ટમાં દાદ માંગી હતી. બોક્સ.. હાઈકોર્ટમાં દાખલ થયેલો કેસ સુનાવણી પુર્વે વીથ ડ્રો કરાયો આગામી સપ્તાહે ફરી દાખલ કરાશે ઃ ફરિયાદીના વકીલ ઉદ્યોગપતિ સામે શારીરિક શોષણનો આક્ષેપ કરનાર યુવતીએ તેના વકીલ મારફત તારીખ પાંચમીએ નામદાર હાઈકોર્ટમાં પોલીસ ફરિયાદ દાખલ કરે તેવી માંગ સાથે દાવો દાખલ કરેલ કરેલો જેની આજે શુક્રવારના રોજ સુનાવણી હાથ ધરાય તે પુર્વે જ ક્રિમીનલ મિસેલીનિયસ એપ્લીકેશનને આગામી દિવસોમાં ક્રિમીનલ રિવિઝન એપ્લીકેશન તરીકે દાખલ કરવાની ન્યાયાધીશની મંજુરી સાથે વીથ ડ્રો કરવામાં આવી હતી અને તે સિનિયર વકીલોને સાથે રાખી આગામી સપ્તાહમાં નવેસરથી દાખલ કરવામાં આવશે તેવું ફરિયાદીના વકીલે ‘લોકસત્તા જનસત્તા’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું. બોક્સ.. ૭૫ લાખમાં સમાધાન કરી નોકરી છોડી દેવા દબાણ યુવતીએ અરજીમાં આક્ષેપ કર્યો હતો કે તેણે કંપનીના એમડી અને વિભાગીય વડા સહિતના અધિકારીઓ વિરુધ્ધ કંપનીની ફરિયાદની તજવીજ કરતા જ કંપનીના અન્ય એક ઉચ્ચાધિકારીએ તેને હોટલ અને જાણીતા ક્લબમાં બોલાવીને કંપનીના આ કેસમાં સમાધાન કરી લેવા માટે જણાવ્યું હતું અને સમાધાન માટે ૭૫ લાખની ઓફર કરાઈ હતી. તેને પૈસા લઈ કંપનીમાં રાજીનામુ આપી દેવા માટે દબાણ કરી કંપની અધિકારીએ કંપનીના એમડી વગદાર છે માટે તું તેનું કંઈ બગાડી નહી શકે તેવી ગર્ભિત ધમકી આપી હતી. બોક્સ.. ફાર્મા કંપનીમાં યુવતીઓને ફલ્મી હિરોઈન જેટલી ફી કેમ ચુકવાઈ ? યુવતીએ જણાવ્યું હતું કે તેની કંપની ફાર્મા કંપની છે જેમાં દવાઓનું ઉત્પાદન થાય છે તેની કંપની ફિલ્મો નથી બનાવતી કે જેમાં થોડાક સમય માટે આવતી યુવતીઓને ફિલ્મી હિરોઈનની જેમ કરોડો રૂપિયા ચુકવવામાં આવ્યા છે. એરલાઈન્સમાં ફરજ બજાવતી વિદેશી યુવતી જેનો પગાર આશરે સાત લાખ હતો તે યુવતી તેની કંપનીમાં ૫૦ લાખના પગારે નોકરીએ જાેડાતા તેની પર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. યુવતીઓને આટલો જંગી પગાર કેમ ચુકવાયો તેની સીબીઆઈ અને પોલીસે તપાસ કરવાની માંગણી કરી છે. યુવતીએ કંપનીના એમડી દ્વારા ૩૫ જેટલી વિદેશી યુવતીઓનું શારીરિક શોષણ કર્યાનો આક્ષેપ કરી યુવતીનો ગણતરી દિવસો માટે ચુકવાયેલા તોતીંગ પગારની યાદી રજુ કરાઈ છે. બોક્સ.. અમદાવાદ ગ્રામ્ય પોલીસને વકીલની હાજરીમાં ફરિયાદ આપી છે છતાં કોઈ કાર્યવાહી નહી જે ફાર્મા કંપનીના એમડી અને ઉચ્ચાધિકારીઓ પર સેક્સ રેકેટ કૈાભાંડના આક્ષેપો કરાયા છે તે કંપની અમદાવાદના ગ્રામ્ય પોલીસની હદમાં છે. યુવતીએ આ અંગે ગત મે માસમાં જ ગ્રામ્ય વિસ્તારના એક પોલીસ મથકમાં પીઆઈને બે વકીલોની હાજરીમાં ફરિયાદ નોંધવા માટે કોપી આપી હતી જે એક પીઆઈએ સ્વીકારી કરી હતી પરંતું પીઆઈએ તેની સ્ટેશન ડાયરીમાં કોઈ નોંધ કરી નહોંતી કે ફરિયાદની નકલ પર કોપી મળ્યાનો સિક્કો મારી આપ્યો નહોંતો. ફરિયાદ વાંચીને જ પીઆઈએ કહ્યું હતું કે આ રેરેસ્ટ ઓફ રેર ક્રાઈમ પરંતું તે ડીએસપીની મંજુરી વિના ફરિયાદ નહી નોંધી શકે. જાેકે યુવતીએ ત્યારબાદ પીઆઈ, ડીવાયએસપી અને રાજયના પોલીસ વડાને પણ ઈમેલથી ફરિયાદ કરી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ નથી જેની હાઈકોર્ટમાં માંગેલી દાદમાં પુરાવા સાથે રજુઆત કરી છે.વધુ વાંચો -
જિલ્લાના રાજકારણમાં પ્રભુત્વ મેળવવા નિશાળીયાએ શું ખાખરિયાને ‘ખો’ આપી?
- 09, જુન 2023 01:15 AM
- 9395 comments
- 6650 Views
વડોદરા, તા.૮ગત વિઘાનસભાની ચૂટણીમાં કરજણ વિઘાનસભાની બેઠક પર સતીષ પટેલ ( નિશાળીયા ) ને ટીકીટ આપવામાં આવી ન હતી.પરંતુ ચૂંટણી બાદ જિલ્લા ભાજપ પ્રમુખ પદેથી અશ્વીન પટેલને બદલીને સતીષ નિશાળીયાને પ્રમુખ પદની જવાબદારી સોંપવામાં આવી હતી.જ્યારે તાજેતરમાંજ જિલ્લાના સહકારી ક્ષેત્રમાં મહત્વની એવી બરોડા ડેરીના પ્રમુખ તરીકેની જવાબદારી પણ સોંપવામાં આવી હતી.જ્યારે આજે બરોડા સેન્ટ્રલ કો.બેન્કના પ્રમુખ,ઉપપ્રમુખની યોજાયેલી ચૂંટણીમાં પણ પાછલા વર્ષો થી સત્તા ભોગવતા પ્રમુખ - ઉપ પ્રમુખને બદલીને સાવલીના રાજુ પટેલ ( ખાખરીયા ) અને ઉપપ્રમુખ તરીકે હેમરાજસિહ મહારાઉલની નિમણૂંક કરવામાં આવી હતી.ત્યારે જિલ્લાના રાજકારણમાં પ્રભુત્વ મેળવવા નિશાળીયાએ ખાખરીયાને પ્રમુખ બનાવ્યા હોંવાની ચર્ચા જિલ્લા ભાજપ તેમજ સહકારી ક્ષેત્રમાં થઈ રહી છે.ડેરી બાદ જિલ્લાની સહકારી ક્ષેત્રની સૌથી મહત્વની સહકારી બેન્ક પર પણ પરોક્ષ રીતે નિશાળીયાએ કબજાે જમાવીને સર્વે સર્વા બન્યાની ચર્ચા જિલ્લા ના રાજકારણમાં થઈ રહી છે. પટેલોને પાણીચું, ક્ષત્રિયની એન્ટ્રી બરોડા સેન્ટ્રલ કો.ઓપ.બેન્ક પર વર્ષો થી પ્રમુખ અને ઉપ પ્રમુખ પદે પાટીદાર ઉમેદવાર સત્તા પર રહ્યા છે.ત્યારે ઉપ પ્રમુખ પદે બેન્કના ઉતિહાસમાં પ્રથમ વખત ક્ષત્રીય ઉમેદવાર હેમરાજસિંહ મહારાઉલની વરણી કરવામાં આવી છે.ત્યારે આ મુદ્દો પણ સહકારી ક્ષેત્રે ચર્ચાનો વિષય આજે રહ્યો હતો. અતુલ પટેલ પર અમિત શાહ-આનંદીબેનના સમાન આશીર્વાદની ચર્ચા છતાં કેમ ખસેડાયા છેલ્લા ૧૫ વર્ષ થી બરોડા સેન્ટ્રલ કો.ઓપ બેન્કમાં શાસન ઘરાવતા અતુલ પટેલ પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહ અને પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના સમાન આર્શીવાદ હોંવાની ચર્ચા ભાજપા વર્તુળોમાં લાંબા સમય થી ચાલે છે.ત્યારે તમ છતા તેમને કેમ ખસેડાયા તેવી ચર્ચા પણ હવે શરૂ થઈ છે. કોંગીના દિલીપ નાગજી પટેલને ઉથલાવી અતુલ પટેલે ભાજપનુંં શાસન પ્રસ્થાપિત કર્યુ હતું બરોડા સેન્ટ્રલ કો.બેન્કમાં પાછલા અનેક વર્ષોથી કોંગ્રેસના દિલીપ નાગજી પટેલનુ શાસન હતુ.જાેકે, તેને ઉથલાવીને અતુલ પટેલે ભાજપનુ શાસન પ્રસ્થાપિત કર્યુ હતુ.ઉપરાંત ખોટમાં જતી બેન્કને પાછલા બે વર્ષ થી નફામાં પણ લાવવામાં આવી હતી.ત્યારે જિલ્લાના સહકારી ક્ષેત્રમાં બન્ને મહત્વની સંસ્થાઓમાં હોદ્દેદારોને બદલવા પાછળ સહકારી ક્ષેત્ર ની સાથે જિલ્લાના રાજકારણ માં પણ અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.વધુ વાંચો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ