આણંદ સમાચાર
-
ગરમી ૪૩.ર ડિગ્રી ઃ લૂ લગાડતો ધગધગતો પવન અને આકરા તાપ વચ્ચે ગળાકાપ સ્પર્ધા
- 13, મે 2023 01:15 AM
- 1256 comments
- 9232 Views
વડોદરા, તા. ૧૨ઓરેન્જ એલર્ટ વચ્ચે મહત્તમ તાપમાનનો પારામાં આંશિક ધટાડા વચ્ચે મહત્તમ તાપમાનનો પારો ૪૩.૨ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયો હતો. છેલ્લા ત્રણ દિવસથી અંગદઝાડતી ગરમીને કારણે બપોર દરમ્યાન અનેક લોકો ઘરની બહાર નિકળવાનું ટાળતા હોવાથી મોટાભાગના રોડ – રસ્તાઓ સૂમસામ નઝરે પડ્યા હતા. રાજ્યભરમાં અસહ્ય ગરમીની આગાહી વચ્ચે આજે મહત્તમ તાપમાનમાં આંશિક રાહત જાેવા મળી હતી. છ રાજ્ય પૈકી વડોદરા શહેરમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવાની સાથે મહત્તમ તાપમાન ૪૩.૨ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાઈ હતી. અસહ્ય ગરમીને કારણે લૂ લાગવાના બનાવ , ચામડીના રોગો તેમજ ઝાડા ઉલ્ટી સહિતના વાયરલ બિમારીઓમાં વધારો જાેવા મળ્યો હતો. માનવીની સાથે પશી – પક્ષીઓમાં પણ ગરમીની અસર જાેવા મળી હતી. અસહ્ય તાપના કારણે તેમજ પીવાના પાણીના અભાવને કારણે મોટા પ્રમાણમાં પક્ષીઓ મૃત્યુ પામેલા જાેવા મળ્યા હતા. અસહ્ય તાપને પગલે મોટાભાગના રસ્તાઓ પર ડામર પીગળવાના કારણે અકસ્માતના બનાવમાં પણ વધારો જાેવા મળ્યો હતો. આજે દિવસ દરમ્યાન મહત્તમ તાપમાનમાં ૦.૬ ડીગ્રી સેન્ટીગ્રેડના ઘટાડા વચ્ચે તાપમાન ૪૩.૨ ડીગ્રી સેન્ટીગ્રેડ સાથે લધુત્તમ તાપમાન ૨૭ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. તે સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ દિવસ દરમ્યાન ૪૫ ટકાની સાથે સાંજે ૧૫ ટકા નોંધાયું હતું. તે સિવાય હવાનું દબાણ ૧૦૦૪.૧ મીલીબાર્સની સાથે પશ્ચિમ દિશા તરફથી નવ કિં.મી.ની ઝડપે પવન ફૂકાંયા હતા. પાલિકા દ્વારા ઠેર-ઠેર પાણીની પરબો શરૂ કરવામાં આવી અસહ્ય ગરમીને કારણે રાહદારીઓને શુધ્ધ પાણીની સુવિધા મળી રહે તે માટે પાલીકા દ્વારા વિવિધ વિસ્તારોમાં પાણીની પરબો શરુ કરવામાં આવી હતી. શહેરના મુખ્ય ત્રણ વિસ્તારો કારેલીબાગ , પાણીગેટ અને હરિનગર પાણીની ટાંકી પાસે પાણીની પરબો શરુ કરવામાં આવી હતી. તે સિવાય સયાજીબાગ ખાતે પણ પાણીની પરબ શરુ કરવામાં આવી છે. મેયર , સ્ટેન્ડીંગ કમિટી સહિતના અગ્રણીઓ દ્વારા પરબનો પ્રાંરભ કરવામાં આવ્યો હતો. પાલીકા સિવાય અન્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણીની સાથે છાશનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.વધુ વાંચો -
સૂર્યના શ્રાપથી શહેરીજનો સ્તબ્ધ તાપમાન ૩૮.૬ ઃ રસ્તાઓ સૂમસામ
- 08, એપ્રીલ 2023 01:15 AM
- 7401 comments
- 6991 Views
વડોદરા, તા. ૭ સાઈક્લોન સક્ર્યુલેશનના કારણે સતત એક મહિનાથી વાદળછાયા વાતાવરણ અને માવઠાંના કારણે ઉનાળામાં પણ ચોેમાસાનો અહેસાસ શહેરીજનોને થયો હતો. સાયકલોનનો વેગ ફંટાઈ જતા કાળઝાળ ગરમીની અનુભૂતિ શહેરીજનોને છેલ્લા બે દિવસથી થઈ રહી છે ત્યારે આજે ઉનાળાની ઋતુમાં સૌ પ્રથમવાર મહત્તમ તાપમાનનો પારો ૩૮.૬ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાતા બપોર દરમ્યાન મોટાભાગના રોડ – રસ્તા સુમસામ જાેવા મળ્યા હતા. તે સિવાય ઉત્તર - પશ્ચિમ દિશા તરફથી તેર કીમીની ઝડપે ગરમ પવન ફૂંકાતા લૂ સહિતની વાયરલ બિમારીઓમાં વધારો જાેવા મળ્યો હતો. ઉનાળાની શરુઆત બાદ સતત સાયકલોન સક્ર્યુલેશનના કારણે વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદને પગલે ઠંડકની સાથે બફારાની સ્થિતીનો અહેસાસ શહેરીજનોને થયો હતો. છેલ્લા બે દિવસથી મહત્તમ તાપમાનમાં સતત વધારો નોંધાતા બળબળતા તાપનો અહેસાસ શહેરીજનોને થયો હતો. આજે પણ દિવસ દરમ્યાન મહત્તમ તાપમાનમાં એક ડીગ્રી સેન્ટીગ્રેડ જેટલો વધારો મહત્તમ તાપમાનમાં નોંધાતા ઉનાળાની ઋતુ દરમ્યાન સૌ પ્રથમવાર તાપમાનનો પારો ૩૮.૬ ડીગ્રી નોંધાતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. અસહ્ય ગરમીને પગલે મોટાભાગના રોડ રસ્તા બપોર દરમ્યાન સુમસામ નઝરે પડયા હતા. ઠેકઠેકાણે સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણીની પરબો શરુ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા લૂ થી બચવા માટેના પ્રયાસો અને લૂ લાગે ત્યારે કેવા પ્રકારના ઉપચાર કરવા તે માટેની ગાઈડલાઈન પણ બહાર પાડી દેવામાં આવી છે. તે સિવાય અન્ય વાયરલ બિમારીઓ જેમકે તાવ , શરદી , ખાંસી અને પાણીજન્ય રોગોમાં વધારો નોંધાતા શહેરના વિવધ સરકારી અને ખાનગી હોસ્પીટલમાં દર્દીઓની ભારે ભીડ જાેવા મળી હતી. તે સિવાય કેરી , તડબૂચ , શક્કરટેટી જેવા ફળો બજારમાં જાેવા મળી રહ્યા છે જ્યારે લીલી શાકભાજીના ભાવમાં વધારો જાેવા મળ્યો હતો. આજે દિવસ દરમ્યાન તાપમાનના પારામાં ૧.૨ ડીગ્રી સેન્ટીગ્રેડના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૮.૬ ડીગ્રી સેન્ટીગ્રેડ સાથે લધુત્તમ તાપમાન ૨૩.૬ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. તે સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ દિવસ દરમ્યાન ૫૨ ટકાની સાથે સાંજે ૧૨ ટકા નોંધાયું હતું. તે સિવાય હવાનું દબાણ ૧૦૧૦.૨ મીલીબાર્સની સાથે ઉત્તર - પશ્ચિમ દિશા તરફથી ૧૩ કિં.મી.ની ઝડપે પવન ફૂકાંયા હતા.વધુ વાંચો -
શહેર રખડતાં કૂતરાઓના હવાલે ઃ ૧ દિવસમાં ૨૩ને કરડયાં!
- 08, એપ્રીલ 2023 01:15 AM
- 4457 comments
- 7227 Views
વડોદરા, તા.૭વડોદરા શહેર-જિલ્લામાં માર્ગો પર રખડતી ગાયોના અસહ્ય ત્રાસ બાદ હવે રસ્તાઓ પર રખડતાં કૂતરાઓનો ત્રાસ ચરમસીમાએ પહોંચી ગયો છે. આજે વિતેલા છેલ્લા ર૪ કલાક દરમિયાન રપથી વધુ લોકોને કૂતરાઓ કરડવા અને બચકાં ભરી હિંસક હુમલો કર્યાના બનાવો સત્તાવાર સયાજી હોસ્પિટલમાં નોંધાયા છે. આ તમામને એન્ટિ રેબિટસના ઈન્જેકશનો આપી સારવાર આપવામાં આવી રહી છે. કૂતરાઓના હુમલાઓમાં ત્રણ નાનાં બાળકોનો પણ સમાવેશ થાય છે. આજે સયાજી હોસ્પિટલમાં એક કરતાં વધુ કૂતરાઓના કેસો આવતાં તબીબો અને સ્ટાફના કર્મચારીઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો. વડોદરા શહેરમાં અને તેની આસપાસ તેમજ જિલ્લામાં છેલ્લાં કેટલાંય સમયથી રસ્તાઓ ઉપર રખડતાં ગાય-કૂતરાઓનો ત્રાસ શહેરીજનો અને નિર્દોષ પ્રજા સહન કરી રહી છે. આ મામલે ઉચ્ચકક્ષાએ રજૂઆતો અને ફરિયાદો થઈ ચૂકી છે. પરંતુ અત્યાર સુધી કોઈ નિર્ણાયક પરિણામ આવ્યું નથી. જાે કે, સ્થાનિક પાલિકાના સત્તાધીશો ગાયો અને કૂતરાઓ પકડવાની કામગીરીને સંતોષ માણી રહ્યા છે. પાલિકાના સત્તાધીશો રસ્તે રખડતી ગાયો પકડયાની કામગીરીની પ્રસિદ્ધિ જણાવી રહ્યા છે પરંતુ લોકોની સમસ્યા હલ થવામાં કોઈ સુધારો જાેવા મળતો નથી. ખાસ જાણવા જેવી બાબત એ છે કે રસ્તે રખડતી ગાયોના ત્રાસ અસહ્ય બની રહ્યો છે, જેને કારણે નિર્દોષ લોકોને જાનહાનિ પહોંચે છે. આ બનાવની હજુ શાહી સુકાઈ નથી ત્યાં શહેરમાં વરસોવરસ કૂતરાઓની વધી રહેલી સંખ્યાને કારણે ગાયોની સાથે સાથે હવે રસ્તે રખડતાં કૂતરાઓનો ત્રાસ પર ચરમસીમાએ પહોંચી રહ્યો છે. કૂતરાઓ કરડવાના અને હિંસક બચકાં ભરવાના બનાવોમાં રોજબરોજ વધારો જાેવા મળી રહ્યો છે, જે ખરેખર પાલિકાના સત્તાધીશો માટે પડકારરૂપ બની રહ્યો છે. શહેરની સયાજી હોસ્પિટલમાં વિતેલા છેલ્લા ર૪ કલાક દરમિયાન રપથી વધુ લોકોને કૂતરાઓ કરડવાના અને બચકાં ભરવાના બનાવો રજિસ્ટરમાં નોંધાયા છે જેમાં તા.૭ એપ્રિલે ર૩ નાના મોટા લોકો સારવાર માટે હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતા. જ્યારે ગત તા.૬ના રોજ સાત લોકો સારવાર માટે આવ્યા હતા. હાલ આ તમામ લોકોને એન્ટિ રેબિટસના ઈન્જેકશનો આપી સારવાર આપવામાં આવી રહી છે. હવે કૂતરાઓની વસતી ઓછી કરવાનો નિર્ણય લેવાનો સમય આવી ગયો હોય તેમ લાગી રહ્યું છે.વધુ વાંચો -
રામનવમીએ કોમી ભડકોઃ ઠેરઠેર પથ્થરમારો ઃ ૧૭ની ધરપકડ
- 31, માર્ચ 2023 01:15 AM
- 4653 comments
- 5058 Views
વડોદરા, તા.૩૦રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ સહિતની કેટલીક ધાર્મિક સંસ્થાઓ દ્વારા આયોજીત શોભાયાત્રા પર બપોરે ફતેપુરા વિસ્તાર સહિત અનેક સ્થળે ભારે પથ્થરમારાના પગલે દહેશતનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં અનેકને ઈજાઓ પહોંચી હતી તથા પરિસ્થિત પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. દરમ્યાન પોલીસે ૩૫૦થી વધુ સીસીટીવી કેમેરાને આધારે મોડીરાત સુધીમા ૧૭ તોફાનીઓની ધરપકડ કરી લીધી હતી. આ તોફાનો દરમ્યાન અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યુ હતું. છેલ્લા અનેક વર્ષોથી શાંતિપૂર્ણ માહોલનો અહેસાસ કરી રહેલું વડોદરા આજે કોમી રમખાણોના છમકલાઓથી ફરી એકવાર અભડાયું હતું. આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત શ્રીરામની શોભાયાત્રા બપોરના સમયે ફતેપુરા વિસ્તારના કુભારવાડા ખાતેથી પસાર થઈ રહી હતી.આ તબક્કે ડીજે પર મોટા અવાજે હનુમાનચાલીસા વાગતા જ એ વિસ્તારના કેટલાં યુવાનો અને વિહિપના કાર્યકરો વચ્ચે બોલાચાલી થતાં વાતાવરણ ગરમાયુ હતું આ તબક્કે પોલીસે મધ્યસ્થી કરી બંને ટોળાઓને શાંત કરી વિખેરી નાંખ્યા હતા. પરંતુ થોડી જ વારમાં આ સમાધાન પડી ભાંગ્યુ હોય એમ અચાનક આજુબાજુની ગલીઓમાંથી પથ્થરમારો શરૂ થયો હતો. આ તબકકે શોભાયાત્રામાં સામેલ એક હજારથી વધુ વીએચપી કાર્યકરોમાં ઉશ્કેરાટનો માહોલ ફેલાયો હતો. જાે કે ઘટના સ્થળે ઉપસ્થિત પોલીસે તાત્કાલિક પરિસ્થિતિ પર કાબુ મેળવવા તોફાનીઓની દિશામાં ઘસી જતાં મામલો થોડા સમય માટે શાંત પડયો હતો. પરંતુ શ્રધ્ધેય ભગવાન રામની શોભાયાત્રા પરના પથ્થરમારાથી ઉશ્કેરાયેલા કાર્યકરોને માંડ માંડ શાંતિ જાળવવા સમજાવાયા હતા. એસ.એસ.જી. હોસ્પિટલની સામે આવેલ પંચમુખી હનુમાન મંદિરથી શરૂ થયેલી આ યાત્રા શાંતિપૂર્ણ રીતે અને ધાર્મિક માહોલ સાથે આગળ વધી રહી હતી. ત્યારે પાંજરીગર મહોલ્લા ખાતે તેના પર ભારે પથ્થરમારો થયો હતો. જાે કે આ યાત્રા એરપોર્ટ, સંગમ, ફતેપુરા, કારેલીબાગ પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી.ત્યાર બાદ એ યાત્રા જીવનભારતી સ્કુલ એલ એન્ડ ટી એરપોર્ટ થઈ ફરી પંચમુખી હનુમાન મંદિર ખાતે સંપન્ન થઈ હતી.દરમ્યાન ફતેપુરા કંુભારવાડા ખાતેથી નિકળેલી શ્રી રામની આવી જ એક અન્ય શોભાયાત્રા પર તલાટીની ઓફિસની બાજુની ગલીમાંથી તથા સામેની બાજુ આવેલા એક ધાર્મિક સ્થળ પરથી અચાનક ભારે પથ્થરમારો શરૂ થયો હતો. પોલીસે માંડ માંડ પરિસ્થિત થાળે પાડતા શોભાયાત્રા આગળ વધી હતી. પરંતુ ચાંપાનેર દરવજા પાસે ફરીથી આ શોભાયાત્રા પર ભારે પથ્થરમારો થયો હતો. યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે અગાઉ સમગ્ર માર્ગ પર ઠેર ઠેર પથ્થરમારો થતાં વડોદરામાં ભારેલો અગ્નિ છે તથા મોડીરાત્રે એ કોમી રમખાણોના જવાળામુખીમાં ન ફેલાય તે માટે સ્થાનિક પોલીસે કડક હાથે કામ લેવાનુ શરૂ કર્યું છે.આજે શ્રી રામની ત્રીજી શોભાયાત્રા ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા યોજાઈ હતી. જે પ્રતાપનગર વિસ્તારના રણમુકતેશ્વર મહાદેવ ખાતેથી નિકળી પથ્થરગેટ વિસ્તારના તાડફળિયા ખાતે આવેલા રામજીમંદિર ખાતે સંપન્ન થઈ હતી. આ સમગ્ર રૂટ સંવેદનશીલ વિસ્તાર હોવાથી પોલીસે અગાઉ બે શોભાયાત્રાઓ પર થયેલા ભારે પથ્થરમારાના પગલે અગમચેતીના પગલારૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો.એક તરફ પવિત્ર રમઝાન મહિનો ચાલુ છે તથા સમગ્ર લઘુમતી વિસ્તારોમાં સાંજ બાદ ધાર્મિક માહોલ સર્જાય છે ત્યારે આજે દિવસ દરમ્યાન થયેલા કોમી છમકલાઓ વધુ વકરે નહીં તે માટે પોલીસે ચારેબાજુ ઘોસ વધારી છે.વધુ વાંચો -
મુખ્યમંત્રીના રૂટના રસ્તા બંધ કરાતાં ઠેર-ઠેર ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં ઃ લોકો અટવાયાં
- 13, ઓક્ટોબર 2022 01:15 AM
- 3004 comments
- 4802 Views
વડોદરા, તા.૭સંસ્કારી અને ઉત્સવ પ્રિય નગરી વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થાપિત કરાયેલા ગણેશજીના દર્શન માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી સાથે વિવિઘ મંડળો દ્વારા સ્થાપિત શ્રીજીના દર્શન કર્યા હતા.જ્યારે બીજી તરફ મુખ્યમંત્રીના આગમનને લઈને પોલીસ દ્વારા જેતે વિસ્તારોના રસ્તાઓ બંઘ કરાતા ટ્રાફીક જામના દ્રષ્યો સર્જાયા હતા. તેમજ પરીવાર સાથે દર્શનાર્થે નિકળેલા લોકો અચવાઈ ગયા હતા. ગણેશોત્સવ નિમિત્તે આજે વડોદરા શહેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને રાત્રે ૮ થી ૧૦ વાગ્યા સુધી વિવિધ પંડાલોમાં બિરાજમાન શ્રીજીના દર્શન કર્યા હતા.તેઓ સાથે પ્રદેશ ભાજપા મહામંત્રી ભાર્ગવ ભટ્ટ ,કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી રાજ્યના બાળ વિકાસ કલ્યાણ મંત્રી મનિષાબેન વકીલ, સાંસદ રંજનબેન ભટ્ટ મેયર કેયુર રોકડિયા તથા ધારાસભ્યો કાઉન્સિલરો તેમજ શહેરના હોદ્દેદારો,પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ ભારે ધામધૂમ પૂર્વક ઉજવાઈ રહ્યો છે ત્યારે વર્ષો ની પરંપરા મુજબ રાજ્યના મુખ્યમંત્રીઓ વડોદરાના ગણેશ ઉત્સવમાં ગણેશજી ના દર્શન માટે અચૂક હાજરી આપે છે આજે વડોદરા શહેરમાં રાજ્યના મુખ્યમંત્રી શ્ર ભુપેન્દ્ર પટેલ ખાસ દર્શન માટે આવ્યા હતા અને વિવિધ વિસ્તારોમાં સ્થાપિત કરાયેલા શ્રીજીના દર્શન કર્યા હતા. જાેકે, મુખ્યમંત્રીનો કાફલો જેજે રૂટ પરથી પસાર થઈને જે ગણેશજીના પંડાલ માં જવાનો હતો જે માર્ગ બંઘ કરાતા ટ્રાફીક જામના દ્રષ્યો સર્જાયા હતા સાથે પરીવારના સભ્યો સાથે ગણેશજીના દર્શનાર્થે નિકળેલા લોકો અટવાઈ ગયા હતા.મુખ્યમંત્રીએ હરણી રોડ, નવા બજાર, દાંડિયા બજાર એસવીપીસી ટ્રસ્ટ ખાતે મુખ્યમંત્રીના હસ્તે શ્રજીને સુવર્ણ માળા અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ પોલો ગ્રાઉન્ડ બગીખાના, વારસિયા રીંગ રોડ માંજલપુર , ઇલોરા પાર્ક તથા સુભાનપુરા હાઈ ટેન્શન વિસ્તારમાં સ્થાપના કરાયેલા ગણેશજીના દર્શન કર્યા હતા.વધુ વાંચો -
કોંગી અગ્રણીના અતીત પ્રેમપ્રકરણ નો વિવાદ નેતાએ ઘર છોડતા જ પત્નીએ કબજાે જમાવ્યો
- 29, માર્ચ 2022 12:30 AM
- 455 comments
- 1585 Views
આણંદ પોતાના પ્રેમ પ્રકરણને કારણે હંમેશા વગોવાયેલા કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી ભરતસિંહ સોલકીં ફરી પાછા વિવાદમાં ફસાયા છે.આ વખતનો વિવાદ મસમોટો છે. પોતાની પત્ની સાથે જ વિખવાદ બાદ હવે પત્ની રેશમા પટેલે એવો ખેલ પાડી દીધો હતો કે ભરતસિંહને હવે જીદંગી ભર યાદ રહેશે. કોંગ્રેસના દિગ્ગજ નેતાના ઇલુઇલુની લીલાનો ભાંડો ફૂટતા સ્થળ છોડી ભાગ્યાની ચર્ચા વચ્ચે પત્નીએ ખેલ પાડી બંગલામાં ઘૂસી જતાં રાજકીય કારકિર્દી પર પ્રશ્નાર્થ સર્જાયો હતો. આણંદ પંથકના કોંગ્રેસના દિગ્ગજ નેતા શહેરની યુવતી સાથે ઇલુઇલુની લીલા રચવા જતાં યુવતીના પરિવારને જાણ થતાં બંગલા સ્થળે હોહા મચાવતા દિગ્ગજ નેતાને સ્થળ છોડી ભાગવાની સ્થિતિ સજૉઇ હતી. જે તકનો લાભ લઇ નેતાની ગેરહાજરીમાં તંત્રના સહયોગથી નેતાના પત્નીએ બોરસદ સ્થિત બંગલામાં પ્રવેશ કરી કાયદેસરના હક્ક દાવા કરતાં કોગ્રેસના નેતાની સાંસારિક સહિત ઇલુઇલુ મનસા ચર્ચાની એરણે ચઢવા પામી હોવાનું જાણવા મળેલ છે. જાેકે નજીકના વર્તુળના જણાવ્યા પ્રમાણે વિધાનસભા જંગ નજીક આવી રહ્યો હોય દિગ્ગજ નેતાની કારકિર્દી પર પ્રશ્નાર્થ મૂકવાના શકુનિ ખેલ રચવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત વિગત અનુસાર રાજ્ય વિધાનસભા જંગના પડઘમ વાગી રહ્યા છે. રાજકીય પક્ષો દ્વારા સત્તા પ્રાપ્તિની કવાયત હાથ ધરવામાં આવી રહી છે.જેના પગલે એકબીજાની છબી ખરડાવી શકુનિ પાસા ગોષ્ટીના પણ ખેલ રચવામાં આવી રહ્યા હોય તેમ આણંદ પંથકના અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીને કોઇ યુવતી સાથે લીવ ઇન રીલેશન શીપ શહેરના આશ્રય સોસાયટીના બંગલાનં.૫૫માં સજાવવા જવા સમયે યુવતીના પરિવાર આવી ચઢતાં ચડભડ થતાં સ્થળ છોડી રવાના થવું પડયું હતું તેવી ચર્ચા એરણે ચઢતા પક્ષનું રાજકારણ પણ ગરમાયું છે. ત્યાં છેલ્લા કેટલાક મહિનાથી ભરતસિંહ અને તેમના પત્ની વચ્ચે ચાલી રહેલા વિવાદમાં હોળીનુ નારીયેળ અન્ય સંસ્થા સાથે જાેડાયેલ મહિલા તથા નેતાએ બની તાગ કરી તંત્રના સથવારે ભરતસિંહના બંગલામાં તેમની ગેરહાજરીમાં પ્રવેશ કરી પોતાના હકક દાવા ઉભા કરતાં ભરતસિંહની સ્થિતિ એક બાજુ ખાઇ અને બીજી બાજુ કુવા જેવી બની ગઇ છે. જાેકે સમગ્ર મામલે ભરતસિંહના નીકટવર્તી વર્તુળના જણાવ્યા પ્રમાણે બે દિવસ પૂર્વ તેઓ દિલ્હી ગયા હતા જ્યાં પક્ષના ઉચ્ચ નેતાને મળી આગામી વિધાનસભા જંગ અંતર્ગત જીત માટે કોઇ પદપ્રાપ્તીની વ્યુહરચના સફળતાથી પાર પાડી હોય પક્ષના જ કેટલાક નેતાના પેટમાં તેલ રેડાયું હતું. મહિલાનો ઉપયોગ કરી ભરતસિંહની રાજકીય કારકિર્દી પર પ્રશ્નાર્થ ઉભા કરવામાં આવ્યા હોવાના સંદેહ વ્યક્ત કરાયાનું જાણવા મળેલ છે. હવે આ ઘરમાંથી મારો મૃતદેહ જશે છૂટાછેડા તો નહીં જ આપુ રેશ્મા પટેલ રાજ્ય કોંગ્રેસના દિગ્ગજ નેતા પૂવૅ પ્રદેશ પ્રમુખ, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીના સાંસારિક જીવનમાં છેલ્લા કેટલાક માસથી વિધ્ન સંતોષ પ્રવતૅવા પામતા આખરે તેમના પત્ની રેશ્મા પટેલે બોરસદ ખાતે ભરતસિંહ ના બંગલામાં હકક દાવા સાથે પ્રવેશ કરતાં પુનઃ વિવાદ વકરતા આજે રેશ્મા પટેલે હવે આ મકાનમાંથી મારો મૃતદેહ જશે પરંતુ છુટાછેડા તો નહીં જ આપું નો સ્પષ્ટ ઉચ્ચાર કરી હવે ખરૂ નારી સશક્તિકરણ બતાવીશ.પ્રાપ્ત વિગત અનુસાર આણંદ ના પૂર્વ સાસદ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી ના પત્ની રેશ્માબેન પટેલ સાથે છેલ્લા કેટલાક માસથી વિવાદ ઉભો થતાં અગાઉ ભરતસિંહ દ્વારા છુટાછેડા આપવાના દબાણ કયૉનો આક્ષેપ કરી ભરતસિંહ ના બોરસદ સ્થીત બંગલા ખાતે રેશ્માબેન પરત આવી પોતાના હકક હોય પ્રવેશ કરતાં પુનઃ સમગ્ર મામલો એરણે ચઢવા પામતા રેશ્માબેન પરત ફરતા જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક માસથી મને ધરમાથી ધકકા મારી કાઢી મૂકતા મારા માટે આશરો શોધવો અધરૂ થઇ પડતા અમેરિકા ગયાબાદ પુનઃ પાંચ દિવસ પૂર્વ પરત આવી ભરતસિંહ ના બંગલામાં પ્રવેશ કરી હુકાર કર્યો હતો કે બંને પરિવાર ની ઇજ્જત બંધ મુઠ્ઠીમાં રહે તેવા પ્રયાસ કયૉ હતા. છતાં મને તરછોડવાના પ્રયાસ કરવામાં આવતા હવે ચૂપ નહીં રહું બહુ સહન કર્યું હવે મારો મૃતદેહ અહીં થી જશે પરંતુ છૂટાછેડા તો નહીં જ આપું. હવે બતાવીશ નારી શક્તિ શું છે?આ ઉપરાંત આણંદ માં બનેલ લીવ ઇન રીલેશન સંબંધ દરમ્યાન થયેલ બબાલ પર તેમની મનોવૃત્તિ ઉજાગર થઇ ગઇ છે. બહાર જે કરવું હોય તે કરે પરંતુ બંગલામાં હું જ હોઇશ ની મકકમતા વ્યક્ત કરી હતી.વધુ વાંચો -
આરડા શેષના નામે ૨૮ કરોડ ઉઘરાવાયા હોવાનો આરોપ
- 22, જાન્યુઆરી 2022 01:30 AM
- 6840 comments
- 8777 Views
ખેડા, આશરે સાત દાયકા પૂર્વ સહકારની ભાવના અને પશુપાલકોના આર્થિક ઉધ્ધાર માટે સાકાર થયેલ ધી ખેડા જીલ્લા દૂધ ઉત્પાદક સંધ દ્વારા આરડા શેષના નામે ઉધરાવાતા નાણાં મુદ્દે કરોડોનું રચાયેલ કૌભાંડ ઉજાગર થતાં અમૂલના ચેરમેન દ્વારા લૂલો બચાવ કરી હવાતિયાં મારતા હોવાની લાગણી વ્યક્ત થવા પામી છે. જ્યારે આ મુદ્દે તપાસ હાથ ધરતા વાસ્તવિકતા અલગ હોવાનું તારણ ઉજાગર થવા પામ્યા નું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર સાતદાયકા પૂર્વ સહકારની ભાવનાથી અને પશુપાલકોના આર્થિક ઉધ્ધારને લક્ષમાં લઇ ધી ખેડા દૂધ ઉત્પાદક સંધ અમૂલ સાકાર કરતાં તે સમયે બંધારણમાં દૂધ ઉત્પાદકની સુવિધા અંતર્ગત ૧૨ પૈસા લીટર દીઠ આરડા શેષના નામે લેવાનું ઠરાવવામાં આવ્યું હતું. જેની પાછળ નો આશય પશુપાલકોને જરૂરિયાત મુજબ સેવા પૂરી પાડવાનો હતો. જાેકે તે સમયે દૂધ પણ લીમીટેડ માત્રામાં ડેરી માં આવતું હતું. પરંતુ ડેરી નો વ્યાપ વધતા હાલમાં પ્રતિદિન લાખો લીટર દૂધ એકત્ર કરવામાં આવી રહ્યું છે.જેના પગલે પશુપાલકોને પોષણક્ષમ ભાવ આપવામાં આવતા હોય અગાઉ લાદવામાં આવેલ આરડા શેષને રદ કરવાના બદલે ડેરી સંચાલકો દ્વારા બાદમાં ૧૮ પૈસા અને વતૅમાનમા ૩૦ પૈસા સભાસદ પાસેથી લીટરે બારોબાર આરડા શેષના નામે ઉધરાવ્યા બાદ પશુપાલકો ને સુવિધા આપવામાં ધાંધીયા કરવામાં આવતા ઓડિટ દરમ્યાન ઉજાગર થતાં રાજ્ય ના સહકારી રજીસ્ટ્રાર દ્વારા રૂપિયા ૨૮ કરોડ ઉપરાંત નું કૌભાંડ થયાનુ બહાર આવતા રિકવરી ના આદેશ કરવામાં આવ્યાં હતા. સંધના ડીરેકટર્સ પાસેથી વસૂલવાના કરવાના આદેશ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જે અહેવાલ ઉજાગર થતાં આજે અમૂલના ચેરમેન રામસિંહ પરમાર દ્વારા સમગ્ર મામલે લૂલો બચાવ કરતાં હોય તેમ આરડા ટ્રસ્ટ ના નામે લેવામાં આવતા શેષ થી પશુપાલકો ને પશુચિકિત્સા ધાસચારો જેવી સુવિધા આપવામાં આવતી હોવાના દાવા કયૉ હતા. જેની તપાસ હાથ ધરતા એક દૂધમંડળીના કર્મચારી ને પૃચ્છા કરતાં ચેરમેન ના બચાવને બાલિશતા જણાવી ડો.કુરિયન ના જન્મદિનની ઉજવણી પાછળ કરોડોના આધણ કરવામાં આવે અને ડેરીના આદ્યસ્થાપકના જન્મદિનની ઉજવણી ને સાદાઈ થી ઉજવાય નો ભેદભાવ કેમ?બીજું કે ચરોતર પંથકમાં દુષ્કાળ ની કદી સ્થીતી સજૉતી નથી તો ધાસચારો કોને આપવામાં આવે છે?પશુ ના આરોગ્ય ની ચિકિત્સા મુદ્દે વિઝીટ પર આવતા તબીબ કચકચાવીને ફી વસુલતા હોય છે. તો આરડા ની સુવિધા કયા?જેતે સમયે લીમીટેડ સભ્ય સંધમા હતા તેના પગલે દૂધ પણ ઓછું એકત્રીકરણ થતું હતું જેથી પશુપાલકો ની સુવિધા અંતર્ગત આરડા ટ્રસ્ટ દ્વારા બાર પૈસા શેષ લેવામાં આવતો હોય વતૅમાનમા લાખો લીટર દૂધનું એકત્રીકરણ થાય છે અને છલાખ ઉપરાંત સભાસદો છે તો શેષ નાબૂદ કરવો જાેઈએ કે વધારો કરી સભાસદ ની જાણ બહાર બારોબાર વસુલવા પાછળ કારણ શું?અમૂલ કે જીસીએમએમએફ દ્વારા વર્ષ ના અંતે ટનૅઓવરના આકડા જાહેર થાય પરંતુ નફાતોટાના હિસાબ કેમ જાહેર કરવામાં આવતા નથી?જેવા સવાલ ઉઠતા ચેરમેન ના સમગ્ર મામલે લૂલો બચાવ સામે વાસ્તવિકતા અલગ હોવાનું તારણ ઉજાગર થવા પામ્યું છે. નવાઈ ની વાત એછેકે જાે આરડા ટ્રસ્ટ ના નામે બારોબાર શેષ પશુપાલકો ની સુવિધા ઉભી કરવા વસુલાતો હોય તો દોઢવર્ષ પૂર્વ પંથકમાં દોઢસો ઉપરાંત દૂધાળા પશુ અમૂલના દાણથી મૃત થયા તો સહાય કેમ આપવામાં આવી નહીં જેવા સવાલ પણ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.અગાઉ ચારસો કરોડોના ચીઝ કૌભાંડ મુદ્દે ઢાકપીછોડાના ખેલ ખેડા જીલ્લા દૂધ ઉત્પાદક સંધના આરડા ટ્રસ્ટના નેજા હેઠળ બારોબાર દૂધ ઉત્પાદક સભાસદ પાસેથી શેષના બહાને સુવિધા મુદ્દે પ્રતિલીટરે ૩૦પૈસા વસુલવામાં આવતા હોવાનો ઘટસ્ફોટ થતાં રાજ્ય સહકારી રજીસ્ટ્રાર દ્વારા રૂપિયા ૨૮ કરોડ ઉપરાંત ના ગેરરીતી થી લેવાયેલ નાણાં બોડૅ ડીરેકટર્સ પાસેથી વસુલવા ના આદેશ કરતાં અમૂલના ચેરમેન દ્વારા લૂલો બચાવ કરતાં અગાઉ વર્ષ ૨૦૧૫/૧૬ દરમ્યાન અમૂલના પૂર્વ એમ.ડી.દ્વારા ચારસો કરોડ ઉપરાંત નું ચીઝ કૌભાંડ આચયૉનો પર્દાફાશ અમૂલના જ તે સમયના વાઇસ ચેરમેન સહિત છ સભ્યો એ કરતાં તે સમયે એમ.ડી.ને તીનપાચ ચંબૂ આપી સમગ્ર મામલે ઢાકપીછોડા કરવાના ખેલ રચાયા હતા. જે મુદ્દે સરકાર સુધી રજૂઆત કરવા છતાં અમૂલ ચેરમેન ભાજપમાં જાેડાતા સરકારે પણ મામલાને અભરાઇએ ચઢાવી દીધો હતો. જેના પગલે વતૅમાનમા શેષના નામે કરોડોનું કૌભાંડ ઉજાગર થતાં ચીઝ કૌભાંડ ની ચર્ચા ઉઠવા પામી નું જાણવા મળેલ છેવધુ વાંચો -
રોડના રૂા.૧૩૦ કરોડના કામોમાં રીંગ ટેન્ડર મંજૂર કરાવવા માટે રૂા.૩,૦૦,૦૦,૦૦૦ નું સેટિંગ
- 13, જાન્યુઆરી 2022 01:15 AM
- 8411 comments
- 3733 Views
લોકસત્તા વિશેષ, તા.૧૨ લાંબા સમયથી રગસીયા ગાડાની જેમ ચાલતા શહેરના વિકાસ માટે ખાલી તિજાેરી કારણભૂત માનવામાં આવે છે. ત્યારે કોર્પોરેશનની ખાલી તિજાેરી પર ધાડ પાડવા માટે કોર્પોરેશનના રોડના કોન્ટ્રાકટરોએ શહેર ભાજપ સંગઠનના એક વરિષ્ઠ નેતાના આશિર્વાદથી રીંગ કરવાનો કારસો રચ્યો છે. જેમાં રૃપિયા ૧૩૦ કરોડના કામો ભરવા માટે ક્વોલીફાઈડ થતા તમામ કોન્ટ્રાકટરોએ પોતપોતાના કામો વહેચી લીધા હતા. રૃપિયા ૧૩૦ કરોડના કામો કોઈ પણ જાતના વિઘ્ન વગર આવતીકાલે સ્થાયી સમિતિની બેઠકમાં મંજુર થઈ જાય તે માટે રૃપિયા ૩ કરોડની કટકી આપવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. આટલી જંગી રકમ આપી આવતીકાલે મળનાર સ્થાયી સમિતિની બેઠકમાં નિર્વિધ્ન ટેન્ડર મંજુર કરવાનો કારસો રચાયો હોવાનું સામે આવ્યું છે. લોકસત્તા જનસત્તાને પ્રાપ્ત જાણકારી અનુસાર શહેરમાં રસ્તાઓને કારપેટ અને સિલકોટ કરવા માટે રસ્તા શાખા દ્વારા ઝોન મુજબ નવા કામોના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. આ ટેન્ડરમાં શહેરના જુદા જુદા વિસ્તારમાં આગામી એક વર્ષ દરમ્યાન રસ્તાને કારપેટ સિલકોટ કરવા માટે આશરે રૃપિયા ૧૩૦ કરોડના જુદા જુદા ટેન્ડર જાહેર કરાયા હતા. જેમાં રોડ પ્રોજેક્ટ શાખા મારફતે થનાર રસ્તા અને ઝોન કક્ષાએ થનાર રસ્તાના જુદા જુદા વાર્ષિક ઈજારા જાહેર કરવામાં આવ્યા હતા. સામાન્ય રીતે તંદુરસ્ત સ્પર્ધા થઈ સારી ગુણવતાના કામો થાય તે રીતે ટેન્ડર પ્રક્રિયા કરવાની રહેતી હોય છે. પરંતું કોર્પોરેશનમાં વર્ષોથી ઉધઈની જેમ કાર્યરત કોન્ટ્રાકટરોએ રીંગ બનાવી તમામ કામોની આંતરીક વહેંચણી કરી લીધી હતી. જે કામોમાં કોર્પોરેશનની તિજાેરીને સ્પર્ધાત્મકતાનો લાભ મળે તે મુજબ ટેન્ડર ભરવાના બદલે રીંગ કરી એક સરખા ભાવે ટેન્ડરો ભરવામાં આવ્યા છે. જેમાં દરેક કોન્ટ્રાકટરે એક એક ઝોન વહેંચી લીધો છે. કોર્પોરેશનના નિયમો વિરૃધ્ધ રીંગ કરીને ભરવામાં આવેલા ટેન્ડર મંજુર કરવા માટે કોઈ વિધ્ન ન આવે તે માટે કોન્ટ્રાકટરોએ રાજકીય આકાઓને વિશ્વાસમાં લઈ આશરે રૃપિયા ૩ કરોડ જેટલી જંગી રકમની વહેંચણી કરવાનું નક્કી કર્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જેમાં વાર્ષિક ઈજારામાં જેમ જેમ ગ્રાંટની ફાળવણી થશે તેમ તેમ તબક્કાવાર આ કટકીના રૃપિયા આપવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આવતીકાલે મળનાર સ્થાયી સમિતિની બેઠકમાં આ તમામ કામો કોઈ પણ વિવાદ વગર મંજુર થઈ જાય તે માટે તમામ રાજકીય વિરોધીઓને એક માળામાં પોરવી દેવામાં આવ્યા હોવાનુ પણ કહેવાય છે. ત્યારે આટલી જંગી ગોઠવણ સાથેના ટેન્ડર અંગે સ્થાયી સમિતિ શું ર્નિણય લે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. રાજકીય દબાણ હોવાનું ટેન્ડર કમિટીની બેઠકમાં કોને કહ્યું? ટેન્ડર પ્રક્રિયામાં સ્થાયી સમિતિ સમક્ષ ટેન્ડર મોકલતા પૂર્વે તેને અધિકારીઓની બનેલી ટેન્ડર કમિટિમાં રજુ કરવામાં આવે છે. આ કમિટિમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા ટેન્ડરની સમીક્ષા કરી તેના ભાવ અંગે એક તુલનાત્મક અભિપ્રયા નક્કી કરવામાં આવતો હોય છે. રોડના રૃપિયા ૧૩૦ કરોડના ટેન્ડર માટે મળેલી ટેન્ડર કમિટીની બેઠકમાં રજુ થયેલ તુલનાત્મક પત્રકની વિસંગતતા અંગે એક અધિકારી દ્વારા ટકોર કરવામાં આવી હતી. પરંતું આ સમયે અન્ય એક ઉચ્ચ અધિકારી દ્વારા ટેન્ડર મંજુર કરવા માટે રાજકીય દબાણ હોવાનું કહ્યું હતું. જેના કારણે ટેન્ડર કમિટિએ ચૂપચાપ મંજુરીનો અભિપ્રાય આપી દીધો હતો. અલ્પેશ લીમ્બાચિયા થકી એક જૂથને મનાવાયું કોર્પોરેશનમાં ચાલતી જુથબંધી વર્તમાન બોર્ડમાં તેની ચરમસીમાએ જાેવા મળે છે. આ જુથબંધીના ખેલમાં સંગઠન જુથ સામે કોર્પોરેશનમાં પદાધિકારીઓના જુથમાંથી સ્થાયી સમિતિમાં અલ્પેશ લિંબાચીયા હાજર રહેતા હોય છે. ત્યારે રોડના ટેન્ડરમાં આખો ખેલ પાર પાડવા માટે કોન્ટ્રાકટરોએ અલ્પેશ લિંમ્બાચીયા સાથે પણ બેઠક કરી હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છેકે અલ્પેશ લિમ્બાચીયાએ મેયરને મનવવા માટેના પ્રયાસ કર્યા હોવાનું પણ કહેવાય છે. સ્થાયી અધ્યક્ષ સાથે અલગમાં ખાનગી મુલાકાત? રોડના કોન્ટ્રાકટરોએ કરેલી રીંગની વાત બહાર આવી જતાં તેના ઘેરા પ્રત્યાધાતો પડ્યા હતા. જેમાં તમામને મળીને ટેન્ડર મંજુર કરવા માટે કાલાવાલા કરતી રોડ કોન્ટ્રાકટરોની ગેંગ સ્થાયી અધ્યક્ષને મળવા માટે નહતી પહોંચી. પરંતું કોઈ ઠેકાણે સ્થાયી અધ્યક્ષ નારાજ હોવાનો સંદેશો વહેતો થતાં તમામ રોડ કોન્ટ્રાકટરો પુછડી દબાવીને સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી આવ્યું હોવાનું કહેવાય છે. પોતાને કોન્ટ્રાકટરોનો ડોન સમજતો દત્તુ કોણ? કોર્પોરેશન સહિત તમામ સરકારી વિભાગોમાં પોતાને રોડ કોન્ટ્રાકટરની દુનિયાના ડોન તરીકે ઓળખાવતા દત્તુની ભૂમિકા પણ મોટી હોવાનું કહેવાય છે. દત્તુ નામનો કોન્ટ્રાકટર રાજકીય આકાઓની આડમાં અધિકારીઓને ધમકાવવામાં પણ પાછી પાણી નથી કરતો. એટલું જ નહીં પોતાનું ધાર્યુ કામ નહીં કરનાર અધિકારીને ભ્રષ્ટાચારી ચિતરી તેની બદલી કરવા માટે પણ આ ભાઈ જાણીતા છે. ત્યારે કોર્પોરેશન અને શહેર ભાજપની નેતાગીરી થોડાક રૃપિયા માટે આવા કોન્ટ્રાકટરોને ત્યાં ગીરવે મુકાઈ હોય તેવી ચર્ચાએ જાેર પકડ્યું છે. કમલમ્ બનાવવા માટે ૨ ટકાની કટકીનો ખેલ ઊંધો પડ્યો?શહેર ભાજપનું કાયમી કાર્યાલય બનાવવા માટે સંગઠનની વર્તમાન ટીમ સતત પ્રયત્ન કરી રહી છે. જે માટે જરૂરી આર્થિક ભંડોળ એકત્રિત કરવા માટે કોર્પોરેશનના કોન્ટ્રાકટરો પાસે મોટી નજર રાખવામાં આવતી હોય છે. ખાસ કરીને કોર્પોરેશનમાં થતા કામોમાં ૧ ટકો પાર્ટી ફંડ માટે લેવાની પ્રથા ભાજપમાં વર્ષોથી ચાલતી આવે છે. પરંતું રૃપિયા ૧૩૦ કરોડન રોડના કામોમાં રીંગ કરાવી તેમાં ૨ ટકો કમલમ માટે લેવા માટે ભાજપના એક મોટા નેતાએ વચન આપ્યું હતું. એટેલેક રૃપિયા ૨.૬૦ કરોડ કમલમ માટે લેવાનું નક્કી થયું હતું. પરંતું સંગઠનની ગોઠવણ કોર્પોરેશનમાં સંગઠન વિરોધી જુથના ધ્યાને આવતા તેઓએ ટેન્ડરનો ખેલ ઉંધો પાડવા માટેનો તખ્તો તૈયાર કર્યો હતો. જેના કારણે કોન્ટ્રાકટરોને અન્ય જુથ સાથે પણ સમાંતર બેઠક કરવાની ફરજ પડી હોવાનું કોર્પોરેશનમાં ચર્ચાઈ રહ્યું છે.વધુ વાંચો -
વેજ-નોનવેજની વાત નથી ઃટ્રાફિકને નડશે તેવી લારીઓ હટાવાશેઃ મુખ્યમંત્રી
- 16, નવેમ્બર 2021 01:30 AM
- 9107 comments
- 4910 Views
આણંદ, જાહેરમાં નોનવેજ અને ઈંડાની લારીઓ પર પ્રતિબંધની રાજકોટ કોર્પોરેશને કરેલી જાહેરાત બાદ તો આ ર્નિણય જાણે જંગલની આગ બની ચુક્યો છે. એક પછી એક પાલિકાઓ ઇંડા અને નોનવેજની લારીઓ પર પ્રતિબંધ લગાવી રહ્યા છે. અનેક મહાનગર પાલિકાઓ બાદ હવે ગુજરાતની સૌથી મોટી મહાનગરનગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ નોનવેજ અને ઇંડાની લારીઓને જાહેરમાં નહી લગાવવા અંર્ગનિણય લેવાયો છે. જાે કે આ અંગે સ્પષ્ટતા કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વેજ નોનવેજની કોઇ વાત નથી. ટ્રાફીકમાં કે નાગરિકોને અડચણરૂપ હશે તેવી તમામ લારીઓ હટાવવામાં આવશે.મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, જેને જે ખાવું હોય તે ખાય એમાં સરકાર કોઇ હસ્તક્ષેપ ન કરે. જેમને જે ભાવતું હોય તે ખાય તેમાં સરકાર ક્યારે પણ હસ્તક્ષેપ કરવા માંગતી નથી. પરંતુ રોડમાં અડચણરૂપ લારીઓ હોય તેને હટાવવાની જવાબદારી તો સ્થાનિક તંત્ર અને ત્યાર બાદ સરકારની છે. જેથી આવી લારીઓ હટાવાશે. આ અંગેની વૈકલ્પિક જગ્યાઓ આપવી સરકારની જવાબદારી નથી. પરંતુ ટ્રાફીકને નડશે તેવી તમામ લારીઓ અને બાંધકામો હટાવવામાં આવશે. તેમાં વેજ-નોનવેજ કે જાતી ધર્મ જાેઇને આ કાર્યવાહી નહી થાય. માત્ર અગવડતા જાેઇને જ કાર્યવાહી થશે. મુખ્યમંત્રીએ પોતાના ભાષણ દરમિયાન જણાવ્યું કે, ભાજપના કાર્યકરો કામકાજમાં ખુબ જ મજબુત છે. કાર્યકરોનું કામ થાય તો તેમાં અમે ખુશ છીએ અમારો પણ વટ પડશે. તમારો અને અમારો બંન્નેનો વટ પડશે. નગર પાલિકાએ ૩૦૦થી ૪૦૦ કરોડનાં કામ કર્યા છે. ભાજપનો કાર્યકર સુખમાં કોઇને સાથે ન ઉભો રહે તો કાંઇ નહી પરંતુ દુખમાં તો જરૂર ઉભો જ હશે. ભાજપનો કાર્યકર કોરોના દરમિયાન પ્રજાની પડખે ઉભો છે. કાર્યકરો હવે કામમાં મજબુત થઇ ગયા છે. ગાંધીનગરનો કાંટો આ વખતે કાઢી નાખ્યો છે. પહેલા આંચકા મારીને બેસતા હતા આ વખતે બહુમતી લાવી દીધી છે. ખુબ જ વિકાસના કામો કર્યા છે. નલ સે જલ યોજના આણંદ જિલ્લામાં ૧૦૦ ટકાએ પહોંચી ચુકી છે. ભુલ બતાવશો તો અમારી સુધારાની તૈયારી પણ છે. અમે કર્યું તે જ સાચું એવું અમે માનતા જ નથી. માણસ હોય તો ભુલ થાય. લારીમાં વેચાતા પદાર્થો સ્વચ્છ અને સારા હોય તે જાેવાની અમારી જવાબદારી છે. ટ્રાફીકને અડચણ રૂપ હોય તે કોર્પોરેશન ઇચ્છે તે લારી હટાવી શકે છે. કાર્યકરો માટે સૌથી મોટા અને આનંદના સમાચાર જણાવી દઉ. મારૂ જ ઉદાહરણ લઇને કાર્યકરોએ આગળ ચાલવાનું છે. તેમનો નંબર પણ ગમે તે ક્ષણે આવી શકે છે. એક વખતનો ધારાસભ્ય મુખ્યમંત્રી બની શકતો હોય તો કાર્યકર પણ ધારાસભ્ય બની જ શકે છે. આપણે ૨૦-૨૦ નથી રમવાની. આપણે સ્ટેડિયમમાં રમવા વાળા છીએ. ભાજપનું શાસન હતું છે અને રહેશે. ઉતાવળ કરવાની જરૂર નથી. દરેકનો નંબર વારાફરતી આવશે. લોકો ભાજપને જ ઓળખે છે. ભાજપને જ મત્ત આપે છે. તેથી કોઇ નેતાએ સત્તામાં મદમસ્ત થઇ જવાની પણ જરૂર નથી.વધુ વાંચો -
વિદ્યાનગરમાં માતાજીના ગરબામાં કેટલાંક લોકોએ ખુલ્લેઆમ દારૂ ઢીંચ્યો
- 22, ઓક્ટોબર 2021 01:30 AM
- 831 comments
- 9390 Views
આણંદ, દેશના રાષ્ટ્રપતિા અને ગુજરાતના પનોતા પુત્ર ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના નામે લીરેલીરા ઉડતા જ હોય છે. આણંદના વિદ્યાનગરમાં વધુ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. જેમાં શરદ પૂનમના રોજ યોજાયેલા ગરબામાં લોકો દારૂની મિજબાની માણતા નજરે પડ્યા છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમા અમુક શખ્શો હાથમાં દારૂના ગ્લાસ સાથે ઝુમી રહ્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. વીડિયોમાં શખ્સો જાહેરમાં જ લોકોની સામે દારૂની પાર્ટી કરી રહ્યા છે. વિદ્યાનગરમાં આવેલ વૈભવ સિનેમાની પાસે કલીકુંજ સોસાયટીમાં આ ગરબા યોજાયા હતા. જેના સોસાયટીના શેરી ગરબામાં જ આ શખ્સો દારૂ પીને નાચતા નજરે પડી રહ્યા છે. વીડિયો સામે આવ્યા બાદ વિવાદ સર્જાયો છે.વધુ વાંચો -
વારાદારી બે બહેનો પૂજા કરવા પહોંચે તે પહેલા મંદિરને તાળાં મારી દેવાયા
- 03, ઓક્ટોબર 2021 01:30 AM
- 9707 comments
- 1926 Views
ડાકોર ડાકોર મંદિરના ૧૨૦૦ વર્ષના ઈતિહાસમાં પહેલીવાર નવાજૂની થવા જઈ રઈ છે. મંદિરના પ્રાંગણમાં બે બહેનોએ પૂજા કરવા માટે મોરચો માંડ્યો છે. ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ ડાકોરમા ફરી એકવાર વિવાદનો મધપૂડો છંછેડાયો છે. રણછોડરાયની સેવાને લઈને વારાદારી બહેનો દ્વારા માંગ કરાઈ છે. મંદિરના ૧૨૦૦ વર્ષના ઈતિહાસમાં કોઈ મહિલાએ ભગવાનની પૂજા નથી કરી, ત્યારે ઇન્દિરાબેન અને ભગવતીબેન નામની બંન્ને બહેનોએ કોઈપણ સંજાેગોમાં રણછોડરાયની સેવા પૂજા કરશે તેવી જાહેરાત કરી છે. શનિવારના રોજ બંને બહેનો મંદિરમાં પહોંચી હતી. રણછોડરાય મંદિરે પૂજા કરવા મહિલાઓ પહોંચી હતી, ત્યારે મંદિરને તાળાં મારી દઈ પ્રવેશ કરતાં અટકાવાઈ હતી. ચાર કલાક માથાકૂટ ચાલી હતી. છતાં બંને મહિલાઓ મંદિરમાં પૂજા કરવા મક્કમ છે. આ કારણે મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મહિલાઓએ કહ્યું કે, અમારે મંદિરમાં પૂજા કરવી છે. અમને પણ મંદિરમાં પૂજા કરવાનો હક છે. કોર્ટે અમને આપેલા અધિકારોનું શું ? અમે ૨૫ વર્ષ મંદિરમાં સેવા કરી છે. કોર્ટમાંથી અમને પૂજા કરવાનો હક મળ્યો છે. બંને મહિલાએ જણાવ્યું હતું કે તેમના પિતા કુષ્ણલાલા સેવક વંશ અનુસાર પૂજા કરતા હતા. તેમનું નિધન થતાં વંશ પરંપરા મુજબ તેમને પૂજા કરવાનો અધિકાર મળવો જાેઈએ.મંદિરના વહીવટકર્તાઓએ કહ્યુ કે, કોર્ટનો કોઈ આદેશ હોય તો ભગવાનની સામે જઈને સેવા-પૂજા કરી શકે છે. પૂજા કરવી હોય તો કોર્ટનો હુકમ આપો. ડાકોર મંદિરના ૧૨૦૦ વર્ષના ઈતિહાસમાં ક્યારેય મહિલાઓએ પૂજા નથી કરી. આટલા દિવસ બંને બહેનો પૂજા માટે કેમ ન આવી. આખરે હવે પૂજા કરવાનુ કેમ નક્કી કર્યું. કોર્ટમાં બંને બહેનોની હાર થઈ છે. ડાકોરના મંદિરના ઈતિહાસમાં આજદિન સુધી કોઈ મહિલાએ પૂજા નથી કરી. ડાકોરમાં રણછોડરાયની પૂજા કરવા દેવા માટે વંશ પરંપરાગત વારાદારી મહિલા બહેનો દ્વારા માંગ કરાઈ છે. આ બંને મહિલાઓએ કહ્યું કે, તા.૨ અને ૩ ઓક્ટોબરના રોજ તેમના પરિવારનો સેવા પૂજાનો વારો આવતો હોઈ મંદિર દ્વારા તેમના પ્રતિનિધિને પૂજા કરવા મોકલે તેવો પત્ર પાઠવાયો હતો. જેથી આ બંને બહેનો દ્વારા જાતે જ સેવા પૂજા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બંને બહેનોએ પૂજા કરવા માટે સુરક્ષાની પણ માંગ કરી છે. તેમના પર આ સમયે કોઈ હુમલો થઈ શકે છે, તેથી સુરક્ષાના ભાગરૂપે તેમણે આ માંગણી કરી છે. મંદિરમાં ૧૯૭૮ પહેલા કૃષ્ણલાલ સેવકનો પરિવાર વારાદારી તરીકે પૂજા કરતો આવ્યો છે. પરંતુ તેમને સંતાનમાં બે દીકરીઓ હોવાથી મંદિરમા પૂજા કરવા વિશે વિવાદ ઉઠ્યો હતો. કૃષ્ણલાલ સેવકના ભાઈ જયંતિલાલ સેવક અને ગરાધર સેવકે પોતે પૂજા કરશે તેવો કોર્ટ કેસ કર્યો હતો. જાેકે, ૨૦૧૮ ના વર્ષમાં કેસનો ચુકાદો પોતાની તરફેણમાં આવ્યો હોવાનો ઇન્દિરાબેન અને ભગવતીબેનનો દાવો છે.મંદિરના ૧૨૦૦ વર્ષના ઈતિહાસમાં મહિલાઓએ પૂજા કર્યાનુ ક્યાંય ઉલ્લેખાયેલુ નથી.વધુ વાંચો -
વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે ગુજરાતનાં આ શહેરમાં કાગળમાંથી બેગ બનાવી ફ્રીમાં વિતરણ કરાશે
- 17, સપ્ટેમ્બર 2021 10:51 AM
- 3358 comments
- 144 Views
આંણદ -આણંદ નિવેદિતા ફાઉન્ડેશનના પ્રમુખ અને ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના મંત્રી નીપાબેન પટેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રમોદીના ‘પ્લાસ્ટીક હટાવો અભિયાન’ ના ભાગરૂપે આણંદ શહેર અને આજુબાજુના ગામોમાંથી જૂના છાપા દાનમાં મેળવી તેમાંથી બેગ બનાવવાનો નવતર અભિગમ અપનાવ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઇને નીપાબેન પટેલ દ્વારા જુના ન્યૂઝપેપરમાંથી થેલી બનાવવાની નવીન પહેલ શરૂ કરવામાં આવી છે. ‘‘જુના છાપાનું દાન કરીએ’’ના સ્લોગન સાથે ગાના, મોગરી, રાસનોલ, નવાપુરા વગેરે ગામની પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને નવી સ્કીલ જાેવા મળી છે અને ભવિષ્યમાં આર્ત્મનિભર થાય તે હેતુથી જુના ન્યુઝ પેપરમાંથી થેલી બનાવવામા આવી રહી છે. આ અંગે નીપાબેન પટેલે જણાવ્યું હતું કે,‘છેલ્લાં પંદર વર્ષથી નિવેદીતા ફાઉન્ડેશન દ્વારા જિલ્લાની શાળાઓમાં વર્કશોપ કરવામાં આવે છે અને પર્યાવરણના રક્ષણ માટે પ્લાસ્ટીક હટાઓની સાથે સાથે ‘જુના છાપાનું દાન કરીએ’ અને ‘પર્યાવરણને પ્રાણ આધાર બનાવીએ’’ ના સ્લોગન સાથે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જુના છાપામાંથી ૭૧૦૦ થેલીઓ બનાવવામાં આવી છે જેને વિવિધ મેડીકલ સ્ટોર અને કરિયાણાની દુકાનો અને ફ્રૂટની લારીઓ ઉપર વિદ્યાર્થીઓના હાથે વિતરણ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે. સીએમટુ પીએમ અભિયાન હેઠળ તા.૧૭મી થી ૭ ઓક્ટોબર સુધીમાં વિતરણ કરાશે. જુના કપડાંમાંથી પણ બેગ બનાવી બજારમાં વિતરણ કરવામાં આવશે તેના થકી ગામના છેવાડાના વિદ્યાર્થીઓને એક નવી તક મળશે. નિવેદિતા ફાઉન્ડેશનના નીપાબેન દ્વારા ગાના, નાવલી, મોગરી, રાસનોલ, ગબાપુરા વગેરે પ્રા.શાળાના બાળકોની મદદ લઇ ૭૧૦૦ બેગ બનાવવામાં આવી છે ‘‘પ્લાસ્ટીક હટાવો’’ અભિયાનના ભાગરૂપે આણંદ નિવેદિતા ફાઉન્ડેશન દ્વારા જૂના છાપાં દાનમાં મેળવી તેનાં કાગળમાંથી બેગ બનાવી બજારમાં વિનામૂલ્યે વિતરણ કરવાની અનોખી પહેલ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ તા.૧૭ સપ્ટેમ્બર થી ૭ ઓક્ટોબર સુધી આણંદ અને આણંદની આજુબાજુ આ બેગનું વિતરણ કરવામાં આવશે.વધુ વાંચો -
ગુરૂ પૂર્ણિમા નિમિત્તે ડાકોર મંદિરના દર્શનમાં કરાયો ફેરફાર
- 22, જુલાઈ 2021 12:56 PM
- 5755 comments
- 4616 Views
ડાકોરકોરોના કાળમાં લાંબા સમય સુધી રાજ્યનાં અનેક મંદિરોમાં દર્શન બંધ રાખવામાં આવ્યા હતા. પરંતુ હવે ધીમે ધીમે બધુ ખુલતુ જાય છે ત્યારે ભક્તો માટે મંદિરના દ્વાર પણ ખુલ્યા છે. ત્યારે તા.24 જુલાઈને શનિવારના રોજ ડાકોર રણછોડરાયજી મહારાજના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.આગામી સંવત 2077 અષાઢ સુદ-15 એટલે કે તા.24 જુલાઈને શનિવારના રોજ ડાકોર રણછોડરાયજી મહારાજના દર્શનના સમયમાં સેવક આગેવાનો અને મેનેજર સાથે થયેલ ચર્ચા મુજબ સમયમાં ફેરફાર કર્યો છે.બદલાયેલા સમય મુજબ સવારે 5 વાગ્યે નીજ મંદિર ખુલી 5.15 વાગ્યાના અરસામાં મંગળા આરતી થશે. જોકે સમગ્ર દિવસ દરમિયાન એક પણ આરતીમાં વૈષ્ણવો માટે મંદિર પ્રવેશ બંધ રખાયો છે.-પરોઢીયે 5.20 થી 8.30 દરમ્યાન વૈષ્ણવો માટે દર્શન ખુલ્લા રહેશે. -8.30 થી 9 વાગ્યાના અરસામાં ઠાકોરજી બાલભોગ, શુંગાર ભોગ, ગોવાળ ભોગ, ત્રણેવ બોગ ટેરામા આરોગવા બિરાજશે જેથી દર્શન બંધ રહેશે.-9 વાગ્યે આરતી થશે, જેથી 9.05 થી 12 વાગ્યા સુધી વૈષ્ણવો માટે દર્શન ખુલ્લા રહેશે. -12.00 થી 12.30 દરમિયાન ઠાકોરજીના રાજભોગ તથા મહાભોગ આરોગવા બિરાજશે જેથી દર્શન બંધ રહેશે.-12.30 વાગ્યે મહાભોગ આરતી થશે. -જે બાદ 12.35 થી 2 વાગ્યા દરમ્યાન મંદિર ખુલ્લા રહેશે. -ત્યારબાદ ઠાકોરજી અનુકુળતાએ પોઢી જશે. -બપોરના 3.45 વાગ્યે નીજ મંદર ખુલી 4 વાગ્યે ઉથ્થાપન આરતી થશે.-4.05 વાગ્યે વૈષ્ણવો માટે દર્શન ખુલશે જે નિત્ય ક્રમાનુસાર સેવા-પૂજા થઇ ઠાકોરજી અનુકુળતાએ પોઢી જશે અને મંદિર પ્રવેશ બંધ થશે.વધુ વાંચો -
કોરોનાથી સ્વસ્થ થયા બાદ ભરતસિંહ સોલંકીનું વર્તન બદલાયું :પત્ની રેશ્મા
- 14, જુલાઈ 2021 07:37 PM
- 9972 comments
- 8822 Views
આણંદ- 12 જુલાઈ એ કોંગ્રેસના દિગજ્જનેતા ભરતસિંહ સોલંકીએ તેમના પત્ની રેશમાબહેનને સમાચાર પત્ર દ્વારા જાહેર નોટિસ આપ્યા બાદ રાજકીય ચર્ચાઓ તેજ બની ગઈ હતી. જે બાદ આજે 14 જુલાઇના રોજ ભરતસિંહ સોલંકીના પત્ની રેશ્માબેન પટેલે વકીલ મરફતે ખુલાસો કર્યો છે. રેશમા પટેલેના કોંગી નેતા અને તેમના પતિ ભરતસિંહ સોલંકી દ્વારા પાઠવવામા આવેલી નોટીસનો ખુલાસો કર્યો છે. આ ખુલાસો તેમણે વકિલ નિખલ જોષી મારફતે કર્યો છે. ભરતસિંહ સોલંકીના પત્ની રેશ્મા પટેલે વકીલ નિખિલ જોશીના મારફતે જાહેર ખુલાસો કરતા જણાવ્યું હતું કે ભરતસિંહ સોલંકી જ્યારે કોરાનાથી ગંભીર બિમાર હતા ત્યારે સેવા ચાકરી કરી તેમને પુનઃજીવન આપ્યું હતું. કોરોનાથી સ્વસ્થ થયા બાદ ભરતસિંહ સોલંકીનું વર્તન બદલાયું છે. ભરતસિંહ સોલંકી પત્ની રેશ્મા પટેલ સાથે ગાળાગાળી કરતા હતા.અને ભરતસિંહ સોલંકીએ પત્ની રેશ્માને પહેરેલે કપડે ઘરમાંથી કાઢી મુકી હતી. રાજકારણના હોદ્દાનો દુરુપયોગ કરી છુટાછેડા માટે ભરતસિંહ સોલંકી ખૂબ દબાણ કરી રહ્યા હોવાનો પણ ખુલાસો કર્યો હતો.12 જુલાઈના રોજ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પત્ની રેશ્મા પટેલ સામે અખબારમાં નોટિસ આપી હતી. તેમણે વકીલ કે.પી. તપોધન મારફતે તેમનાં પત્ની રેશ્મા પટેલને સમાચાર પત્રકમાં જાહેર નોટિસ પાઠવી હતી, જે નોટિસમાં ઉલ્લેખ કર્યો હતો કે, રેશ્મા પટેલ તેમના પત્ની છેલ્લાં ચાર વર્ષથી તેમના પતિ ભરતસિંહ સાથે રહેતાં નથી અને તેમના કહ્યામાં નથી. એ સિવાય આ નોટિસમાં જણાવાયું હતું કે, ભરતસિંહ સોલંકી રાજકીય તેમજ સામાજિક પ્રતિષ્ઠા ધરાવે છે અને તેમના નામ તથા ઓળખનો દુરુપયોગ કરી કોઈપણ પ્રકારની નાણાકીય લેવડદેવડ કે અન્ય સંબંધો રાખવા નહીં. જો આમ થશે તો ભરતસિંહ સોલંકી એ માટે જવાબદાર રહેશે નહીં. રાજ્યમાં 2021માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને રાજ્યમાં રાજકિય હલચલ થઈ રહી છે. આ વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકિના ઘરનો પારિવારિક મામલો બહાર આવ્યો છે જેને લઈને સમગ્ર રાજ્યમાં હલચલ થઈ રહી છે. 12 જૂલાઈએ ભરત સિંહ સોલંકિએ તેમની પત્નિ વિરૂદ્ધ એક નોટીસ જારી કરી હતી જે નોટીસનો તેમની પત્ની દ્વારા આજે જવાબ આપવામાં આવ્યો હતો.વધુ વાંચો -
ખંભાતમાં મુસ્લિમ યુવતીએ હિન્દુ યુવક સાથે લગ્ન કર્યા
- 24, જુન 2021 01:30 AM
- 5533 comments
- 3993 Views
આણંદ, રાજ્યમાં લવ જેહાદનાં કાયદો લાગુ કર્યા બાદ વડોદરા અને વલસાડમાં મળીને કુલ બે કેસ નોંધાઇ ચૂક્યા છે. આણંદ જિલ્લાનાં ખંભાત ખાતે તેનાથી વિપરિત કિસ્સો સામે આવ્યો છે. અહીં ૨૦ વર્ષની મુસ્લિમ યુવતી ફરમીનબાનુ સૈયદે હિન્દુ યુવક ઉત્કર્ષ પ્રદિપકુમાર પુરાણી સાથે ૧૯મી જૂનના રોજ રાજીખુશીથી લગ્ન કર્યા છે. જે બાદ યુવતીએ આણંદ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં અરજી કરી તેણેએ તેના પરિવારજનો દ્વારા તેણીને તથા તેના પતિને જાનનું જાેખમ હોય પોલીસ રક્ષણ મેળવવાની માંગ કરી છે. હાલ આ બંન્નેનો ૩૦ સેકન્ડનો વીડિયો પણ સ્થાનિક પંથકમાં ઘણો વાયરલ થઇ રહ્યો છે. આણંદ જિલ્લાના સંવેદનશીલ વિસ્તાર ખંભાત તાલુકાના જૂની મંડાઈ સ્થિત સૈયદવાડા ખાતે રહેતી ફરમીનબાનુ મો. ફરુકાન સૈયદે હિન્દુ યુવક ઉત્કર્ષ પ્રદિપકુમાર પુરાણી સાથે લગ્ન કરી લીધા છે. જે બાદ તેણે પોલીસ વડા તથા ખંભાત શહેર પોલીસ સ્ટેશને સ્વ અને પતિનું રક્ષણ માંગતી લેખિત અરજી કરી છે. જેમાં જણાવાયું છે કે, તેણે૧૯મી જૂનના રોજ ઉત્કર્ષ પ્રદિપકુમાર પુરાણી સાથે લગ્ન કર્યા હતા. ૧૭મી જૂનના રોજ તેણે તેના પિતાનું ઘર પહેરેલે કપડે ત્યજી દીધું હતું. હાલમાં તેણીના પિતા અને અન્ય પરિવારજનોને લગ્ન મંજૂર ન હોય તેઓ તેમને છૂટ્ટા પાડવા હિંસક પ્રયાસો કરી રહ્યા છે. તેણીને તેમજ તેના પતિ ઉત્કર્ષને મારી નાંખવાની ધમકીઓ પણ આપવામાં આવે છે. તેણીએ હિન્દુ યુવક સાથે તેની મરજીથી લગ્ન કર્યા છે. હાલમાં દંપતી ગભરાયેલા હોવાથી ખંભાત છોડી, સલામત સ્થળે આશરો લીધો હોવાનું પણ અરજીમાં ઉલ્લેખ કરાયો છે. આ સાથે ફરમીન સૈયદે આપેલી લેખિત અરજીમાં કેટલાક નામો સૂચવીને તેમનાથી ડર હોવાનું પણ જણાવ્યું છે. જેમાં પિતા મો. ફુરકાન સૈયદથી, તેના કૌટુંબિક મામા એઝાઝ સૈયદ (રહે. પાંચ હાટડી) તથા તાકીર સૈયદ (રહે. સૈયદવાડો) તથા માથાભારે શખ્સ ફિરોઝ પઠાણ ઉર્ફે (ફન્ટર), સોહિલ ઉર્ફે કાંટો, સદ્દામ સૈયદ ઉર્ફે મારૂફ ઉર્ફે ચપ્પલ, હમ્દાનઅલી સૈયદ ઉર્ફે દલાલ, તૌસિફ સૈયદ, જમશેદ જાેરાવરખાન પઠાણથી ડર હોવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે.વધુ વાંચો -
મુસ્લિમ યુવતીએ હિન્દુ યુવક સાથે કર્યા લગ્ન, શા માટે માંગ્યું પોલીસ પાસે રક્ષણ
- 23, જુન 2021 03:54 PM
- 4894 comments
- 6690 Views
અમદાવાદ-આણંદ જિલ્લાનાં ખંભાત ખાતે તેનાથી વિપરિત કિસ્સો સામે આવ્યો છે. અહીં 20 વર્ષની મુસ્લિમ યુવતી ફરમીનબાનુ મો. ફરુકાન સૈયદે હિન્દુ યુવક ઉત્કર્ષ પ્રદિપકુમાર પુરાણી સાથે 19મી જૂનના રોજ રાજીખુશીથી લગ્ન કર્યા છે. જે બાદ યુવતીએ આણંદ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં અરજી કરી તેણેએ તેના પરિવારજનો દ્વારા તેણીને તથા તેના પતિને જાનનું જોખમ હોય પોલીસ રક્ષણ મેળવવાની માંગ કરી છે. હાલ આ બંન્નેનો 30 સેકન્ડનો વીડિયો પણ સ્થાનિક પંથકમાં ઘણો વાયરલ થઇ રહ્યો છે. આણંદ જિલ્લાના ખંભાતમાં મુસ્લિમ યુવતીએ હિંદુ યુવક સાથે લગ્ન કર્યાં છે પણ યુવતીના પરિવાર તરફથી દંપતિને જોખમ હોવાથી યુવતીએ પોલીસ રક્ષણ માગ્યું છે. ફરમીનબાનુ નામની યુવતીએ આણંદ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં અરજી કરી જણાવ્યું છે કે, મેં મારી પોતાની મરજી અને રાજીખુશીથી હિંદુ યુવક સાથે લગ્ન કર્યા છે. મારો પરિવાર આ લગ્નની વિરૂદ્ધ હોવાથી મારા પરિવારજનોથી મને તથા મારા પતિને જાનનું જોખમ હોઈ પોલીસ રક્ષણ આપવા વિનંતી છે.વધુ વાંચો -
આણંદ અને દક્ષિણ ગુજરાતમાં મેઘાની રમઝટઃ વૃક્ષો ધરાશાયી, નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર
- 18, જુન 2021 02:15 PM
- 3226 comments
- 2295 Views
સુરત-દક્ષિણ ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું સક્રિય થયાં બાદ ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક સ્થળોએ મેઘરાજા મનમૂકીને વરસ્યો હતો. પરંતુ આજે સુરત અને નવસારી બાદ વડોદરામાં પણ મેઘો ધડબડાટી બોલાવી રહ્યો છે. વલસાડ જિલ્લામાં વરસાદે બે દિવસના વિરામ બાદ આજે વરસ્યો. અહીં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જાેવા મળ્યો હતો. ત્યારબાદ ધીમી ધારે વરસાદ શરૂ થતા અનેક વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઇ હતી. આણંદમાં છેલ્લા 4 કલાકમાં 7 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે આણંદના જાહેર માર્ગો બેટમાં ફેરવાય ગયા છે. નીચાણવાળા વિસ્તારો અતિ પ્રભાવિત થયા છે. ચોતરફ જળ બંબાકાર જેવી સ્થિતિ ઉભી થઈ છે.દક્ષિણ ગુજરાતથી ચોમાસું આગળ વધતા વડોદરાથી આણંદ અને ઉમરેઠ પહોંચ્યું હતું. પવન સાથે વરસાદનું આગમન થતાં જ ઉમરેઠમાં લાઇટો ગુલ થઇ ગઇ હતી. ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં ભારે વરસાદ પડ્યો હતો. તો ઠાસરા, ડાકોર, સેવાલીયામાં વરસાદી માહોલ જાેવા મળ્યો હતો. મેઘરાજાના આગમનથી ચરોતરના ખેડૂતોમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો હતો. નવસારી શહેરમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થઇ ગયો છે. ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદ પડતા શહેરીજનોએ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો.મોડીરાત્રે ભારે પવન બાદ ગોધરા સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા ચોમાસાની સિઝનનો પ્રથમ વરસાદ નોંધાયો હતો. ગોધરા તાલુકાના બગીડોળ, મહેલોલ, દરુણીયા, પોપટપુરા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. મહેસાણા જિલ્લામાં ગતરાત્રીમાં સાવર્ત્રિક વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ જિલ્લામાં છુટા છવાયા ઝાપટા બાદ વહેલી સવારથી મેઘરાજાએ ધોધમાર ઇનિંગ શરૂ કરી હતી. તમામ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. બહુચરાજી, જાેટાણામાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. વહેલું ચોમાસુ શરૂ થતાં ખેડૂતોમાં આનંદ આવી ગયા છે.વધુ વાંચો -
આણંદમાં ધુવારણના પાવર પ્લાન્ટમાં ૫ાંચ કરોડની કિંમતના ટર્બાઇન બકેટ્સની ચોરી
- 18, જુન 2021 01:30 AM
- 3681 comments
- 7583 Views
આણંદ, ધુવારણના પાવર પ્લાન્ટ એટલે જી.એસ.ઇ.સી.એલના અંદાજીત પાંચ કરોડની કિંમતના ટર્બાઇન બકેટ્સ અને સાઉન્ડ ગાયબ થવાની ફરીયાદ એડીશનલ ચીફ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા દિલમસીંગ વસાવાએ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે નોંધાવી છે. ફરજમાં પાવર પ્લાન્ટની તમામ વહીવટી કામગીરી મારી દેખરેખ એડી.ચીફ એન્જિનિયરના નીચે કરવાની હોય છે. ધુવારણ જી.એસ.ઇ. સી.એલ ખાતે કુલ ત્રણ ગેસ આધારીત પ્લાન્ટ તથા એક સોલર આધારીત પ્લાન્ટ આવેલો છે. તથા એક સોલર આધારીત પ્લાન્ટના બાંધકામનુ કામ ચાલુ છે. ધુવારણ જી.એસ.ઇ. સી. એલ ખાતે સુરક્ષાના હેતુસર સરકારની એક તેમજ ખાનગી કોન્ટ્રાક્ટ દ્રારા સિક્યોરિટી ગાર્ડના માણસો દ્રારા સુરક્ષાની કામગીરી કરવામાં આવે છે.જે સિક્યુરિટી કર્મચારીઓમાં સરકારી તથા ખાનગી કોન્ટ્રાક્ટના માણસો તેમાં ફરજ બજાવે છે. જે સીક્યુરીટી કર્મચારીઓના સુપરવિઝનની તેમજ પ્લાન્ટના સલામતીને સંલગ્ન તમામ જવાબદારી સીનીયર એસ.ઓ. બી.એમ. મકવાણા તથા એસ. જી. લેવાનાઓની છે. ધુવારણ જી. એસ. ઇ. સી. એલ ખાતે સ્ટોર રૂમમાં રાખેલ પ્લાન્ટના મટીરીયલનું વાર્ષિક ઓડીટ થતુ હોય છે. જેમાં ઓડીટની એક ટીમની રચના કરવામાં આવે છે. જે ટીમમાં અન્ય ડીપાર્ટમેન્ટના કર્મચારીઓની નિમણૂંક થતી હોય છે. જે ટીમ દ્રારા સ્ટોરના તમામ મટીરીયલની ખરાઇ કરવામાં આવે છે અને જેનો અહેવાલ અમોને તથા અમારી ઉપરી કચેરીને રીપોર્ટ સબમીટ કરતા હોય છે. જી.એ સ. ઇ. સી.એલ ધુવારણ ખાતે છેલ્લે સને ૨૦૨૦ જુન/જુલાઇ મહિનામાં ઓડીટ કરેલ હતુ. અને ૨૦૨૧નું વાર્ષિક ઇન્વેન્ટરી ઓડીટ હાલ ચાલુ છે. જી.એસ.ઇ. સી. એલ ધુવારણ ખાતે ગેસ આધારીત પાવર પ્લાન્ટ આવેલો છે. જેના અલગ-અલગ ત્રણ પ્લાન્ટ છે જે પૈકી એક પ્લાન્ટ સીસીપીપી–૧ આવેલ છે.વધુ વાંચો -
આણંદ તારાપુર હાઇવે પર ટ્રક-ઇકો કાર વચ્ચે ભયંકર અકસ્માત,1 બાળકી સહિત 10નાં મોત
- 16, જુન 2021 10:24 AM
- 9423 comments
- 8235 Views
આણંદબુધવારની સવાર એક માઠા સમાચાર આવ્યા હતા...આણંદ તારાપુર હાઇવે પર ટ્રક અને ઇકો કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો...જેમાં 10 લોકોનાં મોતના સમાચાર છે.આ અકસ્માત વહેલી સવારે થયો છે.મળતી માહિતી મુજબ ઇકોમાં સવાર લોકો સુરતથી ભાવનગર તરફ જઈ રહ્યા હતા. અસ્કમાતને પગલે લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં અને પોલીસને જાણ કરતાં PI અને DYSP સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને મૃતકોને ગાડીમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અકસ્માત તારાપુર પોલીસ સ્ટેશનની હદમાં બનાવ બન્યો છે.પ્રાપ્ત માહિતી મુજબ, તારાપુરના ઇન્દ્રણજ દુરાવેટ ફેકટરી પાસે વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના ઘટી છે. સુરતથી ભાવનગર જતી ઇકો ગાડી અને ટ્રક વચ્ચે ધડાકાભેર થયેલા અકસ્માતમાં ગાડીમાં સવાર એક નાની બાળકી સહિત 10 વ્યક્તિનાં મોત થયાંની બાબતથી સમગ્ર પંથકમાં ગમગીની વ્યાપી ગઈ છે. એટલુ જ નહીં અકસ્માત એટલો ગંભીર હતો કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કર્યુ હતુ. અને તંત્રને કામે લગાડ્યુ હતુ.આ સાથે મૃતકના પરિવારજનોને સાંત્વના આપી હતી.વધુ વાંચો -
એસઓયુ પાસે રૂ. ૫૯ લાખના ખર્ચે કમલની વિશાળ આભા ઉભી કરાશે
- 10, જુન 2021 12:00 AM
- 2641 comments
- 2427 Views
આણંદરાજકીય ચોપાલમા સરદાર પટેલના બ્રાન્ડ નેમ બાદ પક્ષના ચિન્હનો ઉપયોગ, ગત જાન્યુઆરીમાં રાજયના મુખ્યમંત્રીએ ડ્રેગન ફ્રુટને કમલમ્ નામ આપી પક્ષનું ચિન્હ લોકજીભે રહે તેવા આડકતરા આયોજન બાદ દોઢ દાયકાથી રાજકીય ચોપાલમા સરદાર પટેલને સત્તા માટે બ્રાન્ડ નેમ બનાવી વિશ્વની સૌથી ઉચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનીટી કેવડિયા નજીક સાકાર થતાં દેશ તથા વિશ્વનું આકર્ષણ બન્યું છે. પ્રવાસીઓ મુલાકાત લેતા હોય એસઓયુ નજીક આગામી દિવસોમાં એસએસએનએલ દ્વારા રૂ. ૫૯ લાખના ખર્ચે વિશાળ કમલને ઉભું કરવાનું આયોજન કરતાં સરકારે એક તીર બે નિશાન તાકયા હોય તેમ આકર્ષણનું આકર્ષણ અને પક્ષ ચિન્હનો પ્રચાર માટે ઉપયોગ કરવામાં આવ્યો હોવાની ચર્ચા ઉઠી છે. દોઢ દાયકાથી રાજકીય ચોપાલમા સરદાર પટેલને બ્રાન્ડ નેમ બનાવી સત્તા સાકાર કરવાના ઉપયોગ બાદ કેવડિયા સરદાર સરોવર નજીક રૂ.૩૦૦૦ હજાર કરોડના ખર્ચે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સાકાર કરવામાં આવતા દેશ વિદેશના પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તેનો રાજકીય લાભ લેવા કે એસઓયુના આકર્ષણમાં વધારો થાય તેવા આશયથી સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા ગ્લો ગાર્ડન ખાતે દેશની ધાર્મિક વિવિધતામાં એકતાનું પ્રતિબિંબ ઉભું થાય તે અંતર્ગત રૂ. ૫૯.૫૦ લાખના ખર્ચે ૩ડી એલઇડી કમળની પ્રતિકૃતિનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જાેકે આ મુદ્દે ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવ્યા છે. જેમાં નક્કી થનાર એજન્સી દ્વારા ત્રણ વર્ષ સુધી નિભાવણી કરવાની રહેશે. ૩ડી ગ્લોઇગ કમળની બહાર બાજુ આઠ પાંખડી બનાવવા સાથે મધ્યમાં એક કળી સાથે પાંચ પાખડી રાખવામાં આવશે. દરેક ફુલની ઉંચાઇ ૫ ફુટ, લંબાઈ ૬ ફુટ તથા પહોળાઈ ૮ ઇંચ જેટલી રહેશે. જેની સાથે વિવિધ ધર્મ હિંદુ, ઇસ્લામ, શીખ,ખ્રિસ્તી, જૈન તથા બૌદ્ધ ધર્મના ધાર્મિક પ્રતિક સાથેનું કમળ આકારનું મોડેલ સાકાર થશે. મુખ્યમંત્રી રૂપાણી દ્વારા જે રીતે ડ્રેગન ફ્રુટને કમલમ્ નામ આપી પક્ષના ચિન્હને લોકજીભે રાખવામાં આવ્યાની ચર્ચા ઉઠયા બાદ હવે એસઓયુ સ્થળે કે જયાં હજારો પ્રવાસીઓ મુલાકાત લેતાં હોય તે સ્થળ નજીક આકર્ષિત કમળ ઉભું કરી એક તીર બે નિશાન ઉભા કરવામાં આવ્યા હોય તેમ આકર્ષણનું આકર્ષણ અને પક્ષ ચિન્હની છબી ઉભી કરવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા હોવાની ચર્ચા ઉઠી છે.વધુ વાંચો -
અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા,આણંદ જિલ્લાના 35 વર્ષીય યુવાનનું મોત
- 21, મે 2021 12:20 PM
- 3038 comments
- 2997 Views
અમેરિકાઅમેરિકામાં વધુ એક ભારતીયની લૂંટના ઇરાદે હત્યા અમેરિકાના ન્યૂયોર્કમાં રહેતા મૂળ બોરસદ તાલુકાના ભાદરણ ગામના પટેલ યુવાનની લૂંટારાઓ એ લૂંટના ઇરાદે હુમલો કર્યો. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલ યુવકનું આખરે મોત નીપજ્યું હતું આ ઘટનાથી અમેરિકામાં સમગ્ર ગુજરાતીઓમાં રોષ ફેલાયો છે .લૂંટારાઓને ઝડપી માં ઝડપી સજા મળે એ માટે માંગ ઉઠી છે . આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ભાદરણ ગામના 35 વર્ષીય કિંશૂક પટેલ ન્યૂયોર્ક શહેરમાં પોતાનો સ્ટોર વસ્તી કરી ઘરે જવાની તૈયારીમાં હતા તે સમયે બે લોકો એ સ્ટોર માંથી વસ્તુની માંગ કરી પરંતુ સ્ટોર કલોઝ હોવાના કારણે તેમણેના પડતા યુવાન પણ માથા પાર જીવલેણ ઘા મારી હુમલો કર્યો હતો જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયા આખરે મોત નીપજ્યું હતું કિંશૂક જયારે પોતાના ઘરે સમયસર ના પહોંચતા તેના પિતા એ તેના મામા ને જાણ કરી મામા અને તેમના કઝીન ભાઈ દુકાને જોવા ગયા તો ત્યાં કિંશૂક લોહીલુહાણ હાલત માં પડ્યો હતો તેને તુરંત જ હોસ્પિટાલ ખસેડવાનો પ્રયત્ન કર્યો પરંતુ હોસ્પિટલ પહોંચતા પેહલાજ કિંશૂક મોતને ભેટે થયી ગયો હતો. ગુજરાતમાં રહેતા મૃતકના મિત્રના જણાવ્યા અનુસાર કિંશૂકપટેલ 9-10 વર્ષ ઉમરથી અમેરિકામાં સ્થાયી થયો હતો તેને નાની ઉમર થી મેહનત કરી અમેરિકામાં ત્રણ જેટલા સ્ટોર ઉભા કર્યા હતા.2015માં જ તેના લગ્ન ધર્મજની યુવતી રૂચિતા સાથે થયા હતા તેને બે પુત્ર છે એક પુત્ર લગભગ 4 વર્ષનો જયારે બીજો પુત્ર હજી તો 6 મહિના નો જ છે.વધુ વાંચો -
તાઉ તેની તારાજીનું નિરીક્ષણ કર્યા બાદ કેન્દ્રની ગુજરાતને 1000 કરોડ રૂપિયાની સહાય જાહેર
- 19, મે 2021 05:00 PM
- 3913 comments
- 9779 Views
અમદાવાદ-તાઉ તેની તારાજીનું નિરીક્ષણ કર્યા બાદ પીએમ મોદીએ સહાયની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર દ્વારા ગુજરાતને 1000 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ સિવાય મૃતકોના પરીજનોને 2 લાખ રૂપિયા આપવામાં આવશે. આ અંગે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી જાહેરાત કરી હતી. આ સાથે જ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું છે કે વાવાઝોડામાં ઘાયલ થયેલા છે તેમને 50,000 રૂપિયાની મદદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આજે સવારથી વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે હતા. તેમણે વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે નુકસાન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જેમાં ઉનાળુ પાકને પણ નુકસાન થયા છે. અને બાગાયતી ખેતીમાં કેસર કેરીને સૌથી મોટું નુકસાન સામે આવ્યું છે. જે બાદ અનેક લોકોના ઘરનું નુકસાન થયું છે. અનેક જગ્યાએ કાચા અને ઝૂપડાઓ તૂટી ગયા છે. આ પ્રકારના તમામ નુકસાનના તાત્કાલિક સર્વે બાદ સહાય ચૂકવવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ખેડૂતોને ત્રણ ચાર પ્રકારનું નુકસાન થયું છે. તેમજ ઉનાળુ પાકને અસર થઈ છે. કેરી અને નાળિયેરના પાકને પણ અસર થઈ છે. કાચા મકાનો અને ઝુપડા ઉડી ગયા છે. જે પશુઓના મોત થયા તેને સહાયતા તથા ચોથુ કેશડોલ આપવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, નુકસાનના સર્વેની કામગીરી તત્કાલ શરૂ કરવામાં આવશે અને બધાને સહાય ચુકવવામાં આવશે. માછીમારોને થયેલા નુકસાનનો પણ સર્વે કરવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આગામી બે દિવસમાં તંત્ર બધુ રાબેતા મુજબ થાય તે માટેની કામગીરી કરાશે.વધુ વાંચો -
ગુજરાતના 36 શહેરોમાં લગાવાયેલા રાત્રિ કર્ફ્યૂને લઈને જુઓ શું લેવાયો નિર્ણય, આ તારીખ સુધી કર્ફ્યૂ યથાવત
- 11, મે 2021 05:49 PM
- 1774 comments
- 2324 Views
ગાંધીનગર-ગુજરાતની 8 મનપા સહિત 36 શહેરોમાં કર્ફ્યૂનો સમય યથાવત રખાયો છે. આગામી 18 મે સુધી રાજ્યના 36 શહેરોમાં કર્ફ્યૂ યથાવત રહેશે. રાત્રીના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી આ શહેરોમાં કર્ફ્યૂ લંબાવવામાં આવ્યું છે. કોરોના સંક્રમણના પગલે સરકારે ગુજરાતના 36 શહેરોમાં લાગેલા કર્ફ્યૂને લંબાવ્યું છે, આગામી 18 મે સુધી કર્ફ્યૂનો સમય લંબાવવામાં આવ્યો છે. આજે ફરી ગુજરાત હાઈકોર્ટમાં કોરોનાને લઈને સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે લગ્ન સમારોહ અને ધાર્મિક કાર્યક્રમો ઉપર વધુ નિયંત્રણો મુકવા કરેલા સૂચનનો સરકાર સ્વીકાર કરી લગ્નો અને ધાર્મિક કાર્યક્રમો ઉપર વધુ કડક હાથે કામ લ્યે તેવી શકયતા છે. એટલુ જ નહિ લગ્ન સમારોહ ઉપર ૧૫ દિવસનો પ્રતિબંધ લાદવામાં આવે તેવી શકયતા છે. ધાર્મિક કાર્યક્રમોમા પણ સંખ્યા સીમીત કરવામાં આવે તેવી શકયતા છે. હાઈકોર્ટમાં એવી દરખાસ્ત થઈ હતી કે લગ્નોમાં લોકો ભેગા થાય તેવા કાર્યક્રમો ૧૫ દિવસ માટે પ્રતિબંધીત કરવામાં આવે. અનેક ધાર્મિક કાર્યક્રમો અને લગ્ન કાર્યક્રમોમાં ભીડ થાય છે તે બંધ થવુ જોઈએ. હાલ લગ્ન સમારોહમાં ૫૦ લોકોની હાજરી નિશ્ચિત કરવામાં આવી છે. તેમા ઘટાડો કરવામા આવે તેવુ સૂચન થયુ છે. સરકારે પણ આ સંખ્યા ઘટાડવા તૈયારી દર્શાવી છે.વધુ વાંચો -
ગુજરાતના આ શહેરમાં ઓક્સિજનની ટ્રક માટે ગ્રીન કોરિડોર બનાવ્યો
- 05, મે 2021 03:56 PM
- 3513 comments
- 882 Views
આણંદ-ગુજરાતમાં કોરોના મહામારી ચાલી રહી છે.કોરોના સામે લડવા માટે તંત્ર લડી રહ્યું છે .કોરોનામાં ઓક્સિજની જરૂરિયાત હાલ વધુ છે. કોરોનાના દર્દીઓને પડતી ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા માટે તંત્ર અને હોસ્પિટલ બન્ને સાથે મળીને કામગીરી કરતા નજરે પડી રહ્યા છે. આણંદ જિલ્લામાં સૌથી વધુ કોરોનાના દર્દીઓને સારવાર આપતી કરમસદની શ્રી કૃષ્ણ મેડિકલ હોસ્પિટલમાં આજે ઓક્સિજનની આવી રહેલી ટ્રક માટે હોસ્પિટલની વિશેષ માંગ પ્રમાણે ગ્રીન કોરિડોરની માંગણી તંત્ર પાસે કરવામાં આવી હતી. જેના ભાગ રૂપે આણંદ પોલીસે વાસદથી કરમસદ સુધીના માર્ગને આ ઓક્સિજનની ટ્રક માટે ગ્રીન કોરિડોર બનાવી છે. દર્દીઓ માટે જરૂરી ઓક્સિજનને હોસ્પિટલ સુધી ઝડપથી પહોંચવામાં મદદ પુરી પાડી હતી. કરમસદ મેડિકલમાં ઓક્સિજનની જરૂરિયાતને ધ્યાને રાખી હોસ્પિટલ દ્વારા જિલ્લા પ્રશાસનને દહેજથી આવી રહેલી લિક્વિડ ઓક્સિજનની ટ્રકને કરમસદ હોસ્પિટલમાં પહોંચાડવા માટે જરૂરી મદદ મળી રહે તે માટે ગ્રીન કોરિડોર બનાવવા માટે માંગ કરી હતી. જેમાં આણંદ પોલીસ, વાસદ પોલીસ, વિદ્યાનગર પોલીસ સાથે ડિવિઝનના પોલીસ જવાનોને પોલીસની ગાડીઓના કાફલાના એસકોટિંગ સાથે હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવી હતી. હોસ્પિટલના સ્ટાફે પોલીસ તંત્રનો આભાર માન્યો હતો.વધુ વાંચો -
શું ગુજરાતમાં મિની લોકડાઉન લંબાશે ? આજે સાંજે નિર્ણયની જાહેરાત થઇ શકે છે
- 04, મે 2021 03:16 PM
- 7134 comments
- 4244 Views
અમદાવાદ-ગુજરાતમાં કોરોના સંક્રમણને ડામવા માટે રાજય સરકાર દ્વારા જે મીની લોકડાઉન જેવા નિયંત્રણો લાદયા છે તે આગામી તા. 1ર સુધી લંબાવવાશે તેવા સંકેત છે. સરકાર દ્વારા આ અંગે આજે સતાવાર નિર્ણયની જાહેરાત થઇ શકે છે. ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોના સંક્રમણના કેસમાં મામુલી ઘટાડો થયો છે. કોરોનાના દર્દીઓ માટેની બેડ સહીતની વ્યવસ્થા વધારી છે તે જોતા હાલ રાજયમાં હવે હોસ્પિટલો માટે લાંબી લાઇન જોવા મળતી નથી. ખાસ કરીને સરકારી હોસ્પિટલોમાં અગાઉ જે 108ની લાંબી લાઇન હતી તે છેલ્લા બે દિવસથી અદૃશ્ય થઇ ગઇ છે. ગુજરાતમાં રીકવરી રેટ પણ વધ્યો છે પરંતુ રાજય સરકાર હાલ કોઇ ગફલતમાં રહેવા માંગતી નથી અને વર્તમાન નિયંત્રણો જે લાગુ છે તે યથાવત રાખીને પણ સરકાર કફર્યુના સમયમાં હજી પણ થોડો વધારો કરી શકે છે. અથવા તો રાત્રીના 8 થી સવારના 6 સુધીનો કફર્યુ છે તે ચાલુ રહેશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અધ્યક્ષ પદે આજ કોર કમીટીની મીટીંગ મળનાર છે અને તેમાં આ નિયંત્રણો લંબાવાશે. હાલ આવશ્યક સેવાઓ સિવાય અન્ય કોઇ વ્યાપારને મંજુરી નથી અને દુકાનો પણ ખોલવા દેવામાં આવતી નથી. જોકે ઉધોગ યથાવત રીતે ચાલુ છે અને તેમાં કોઇ પ્રતિબંધાત્મક આદેશો આવશે નહીં.વધુ વાંચો -
કોરોના મહામારી 'ગવર્મેન્ટ મેડ ડિઝાસ્ટર' છે: અમિત ચાવડા
- 26, એપ્રીલ 2021 05:49 PM
- 273 comments
- 6842 Views
આણંદ- રાજ્યમાં કોરોના પરિસ્થિતિ દિન પ્રતિદિન વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. એવામાં આણંદ જિલ્લામાં સારવાર લેતા કોરોના દર્દીઓની કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મુલાકાત કરી કલેક્ટર અને સિવિલ સર્જન સાથે બેઠક યોજીને મહામારીની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. સરકારની અનાવડતના કારણે લોકો મરી રહ્યા છે. આણંદ જિલ્લાની વાત કરતા તેમણે કહ્યું હતું કે, જિલ્લામાં છેલ્લા એક વર્ષ દરમિયાન જેટલા લોકોના મોત થયા છે, તેટલા ફક્ત એક માસમાં થયા છે. રાજ્યમાં 25 વર્ષથી ભાજપ સત્તા પર છે. સવા વર્ષથી WHOની ગાઈડલાઈન હોવા છતાં ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યમાં લોકોને હોસ્પિટલમાં બેડ, ઇન્જેક્શનો, વેન્ટિલેટર અને ઓક્સિજન નથી મળી રહ્યા. સેંકડો લોકો મરી રહ્યા છે. જે સ્પષ્ટ કરી રહ્યું છે કે, એક વર્ષનો સમય મળ્યો હોવા છતાં સરકાર ઉત્સવો, જાહેરાતો કરવામાં અને ચૂંટણીઓ યોજવામાં વ્યસ્ત રહી હતી. જે લોકોને પ્રજાએ ખૂબ વિશ્વાસથી સત્તા સોંપી હતી, તેમણે મહામારીના સમયે પ્રજાની સેવા કરવાના બદલે તેમને ખાનગી દવાખાનાઓમાં સારવાર લેવા મજબૂર કર્યા છે. બીજી તરફ સરકાર સબ સલામત હોવાનો દાવો કરી રહી છે. લોકો પોતાના સ્વજનોની આંખો સામે મરી રહ્યા છે. જેની સાથે અમિત ચાવડાએ સરકારને વિનંતી કરી હતી કે, સરકાર સર્વપક્ષીય બેઠક બોલાવે. બધા જ નિષ્ણાતો અને સેવાભાવી સંસ્થાઓ સરકારની સાથે છે. અમે બધા મહામારીના આ સમયમાં જે કાંઈ પણ કરવાનું થાય તે કરવા તૈયાર છીએ, સરકાર અહંકાર છોડીને માત્ર કામ કરવા પર ધ્યાન આપે.વધુ વાંચો -
ગુજરાતમાં આગામી 10 દિવસ કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બનશે ?
- 10, એપ્રીલ 2021 03:37 PM
- 6071 comments
- 3532 Views
વડોદરા-વડોદરા સહિત ગુજરાતની કોવિડ હોસ્પિટલોમાં રોજ દર્દીઓના દાખલ થવાની સંખ્યા વધતી જાય છે. આરોગ્ય વિભાગ બેડની સંખ્યા વધારે તો છે, પરંતુ દાખલ દર્દીઓની વધતી જતી સંખ્યા વધુ ચિંતાજનક છે. વડોદરામાં એક જ દિવસમાં ૬૩૦ દર્દીઓ હોસ્પિટલોમાં દાખલ થયા હતા. એટલે પ્રતિ કલાકે સરેરાશ ૨૬ દર્દીઓ દાખલ થયા હતા. જેથી ૬૭૮૦ બેડ ભરાયેલા રહ્યા હતાં અને ૨૬૯૨ બેડ જ ખાલી રહ્યાં હતાં. છેલ્લાં એક સપ્તાહથી હોસ્પિટલોમાં જે રીતે બેડની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે જાેતા આગામી ૧૦ દિવસ કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બનશે તેવુ જાણકારોનુ અનુમાન છે. લોકો તંત્રના ભરોશે બેસી ન રહે. લોકોએ માસ્ક અવશ્ય પહેરવુ જાેઈએ અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવુ જાેઈએ. બને તો કામ વિના ઘરની બહાર જ ન નીકળવુ જાેઈએ. આરોગ્ય વિભાગ કોરોનાના સરકારી આંકડા જાહેર કરે છે, પરંતુ તે આંકડા પાછળનુ સત્ય તેઓ પોતે સારી રીતે જાણે છે અને વડોદરાની આગામી ટૂંકા દિવસોની ભાવી સંભવિત ડરાવની પરિસ્થિતિથી તેઓ વાકેફ હશે. વિશ્વાસપાત્ર સૂત્રોએ કહ્યું હતું કે, શહેરમાં કોરોનાના કેસો માત્ર વધતા નથી, પરંતુ તે ચોંકાવી દે તે રીતે વધી રહ્યાં છે જે ચિંતાનો વિષય છે. તંત્ર તરફથી હોસ્પિટલોમાં બેડની સંખ્યા આગોતરા આયોજન પ્રમાણે સમ્યાંતરે વધારવામાં આવી રહી છે. તેમ છતાં પણ હોસ્પિટલામાં જે રીતે દર્દીઓની દાખલ થવાની સંખ્યા વધી છે તેના કારણે ચિંતાના વાદળો ઘેરી રહ્યાં છે. વડોદરામાં તા.૩જી એપ્રિલે ૮૪૪૮ બેડ ઉપલબ્ધ કરાવાયા હતા. તો તે દિવસે વિવિધ હોસ્પિટલોમાં મળીને કુલ ૫૮૬૯ દર્દીઓ દાખલ હતાં. એટલે કે ૨૫૭૯ બેડ ખાલી હતાં. તા. ૫મી એપ્રિલે ૪૫૮ દર્દીઓ એક જ દિવસમાં દાખલ થયા હતાં. જેથી ૬૩૨૭ બેડ ભરાઈ ગયા હતા. તંત્રએ તે દિવસે ૩૪૧ બેડ વધાર્યા હતા ત્યારે ૨૪૬૨ બેડ જ ખાલી રહ્યાં હતાં. ૬ઠ્ઠી એપ્રિલે ૮૯૯૯ બેડની વ્યવસ્થા કરાઈ હતી. જેમાં વધુ ૭૮ દર્દીઓ દાખલ થતા કુલ ૬૪૦૫ બેડ ભરાઈ ગયા હતા અને ૨૪૯૪ બેડ ખાલી હતા અને ૭મી એપ્રિલે ૯૪૭૨ બેડ ઉપલબ્ધ કરાવાયા હતા, પરંતુ તેની સામે ૩૭૫ દર્દીઓ આજે એક જ દિવસમાં દાખલ થયા હતાં. એક જ દિવસમાં ૩૯૫ દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા તે પૈકી ૩૭૫ દર્દીઓ તો હોસ્પિટલમાં જ દાખલ થયા હતાં. જેથી ૨૬૯૨ બેડ જ ખાલી રહ્યાં હતાં. જ્યારે તા.૮મી એપ્રિલે રાતે ૯.૩૦ કલાકની સ્થિતિએ જાેઈએ તો ૯૭૬૩ બેડ ઉપલબ્ધ હતાં. તે પૈકી ૭૦૨૫ બેડ ભરાઈ ગયા હતા અને ૨૭૩૯ બેડ જ ખાલી હતાં. એટલે કે મોતને ભેટેલા દર્દીઓ અને સ્વસ્થ્ય થઈને ડીસ્ચાર્જ કરી દીધેલા દર્દીઓને બાદ કર્યા પછી પણ બરોબર ૨૪ કલાક બાદ હોસ્પિટલમાં આજે વધુ ૬૨૦ દર્દીઓ દાખલ થયા હતા. એટલે કે પ્રતિ કલાકે સરેરાશ ૨૬ દર્દીઓ દાખલ થતા રહેતા હતા. તંત્ર બેડ વધારતુ જાય છે અને દાખલ થતા દર્દીઓની સંખ્યા પણ ચિંતાજનક રીતે વધતી જ જાય છે. આખરે તંત્ર બેડ વધારી વધારીને કેટલા વધારી શકશે ? એક સમય એવો આવશે કે હોસ્પિટલનુ ઈન્સ્ટ્રાક્ચર જ જવાબ આપી દેશે ત્યારે શું કરી શકાશે ? દર્દીઓની દાખલ થવાની સંખ્યા તો સતત વધી રહી છે. હાલની પરિસ્થિતિ અંગે જાણકારોએ કહ્યું હતું કે, આગામી ૧૦ દિવસ તંત્ર માટે ચેલેન્જીંગ રહેશે અને શહેર માટે ખુબ જ વિકટ બની રહેશે તેવા સંકેતો મળી રહ્યાં છે. શહેરમાં કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બને તો નવાઈ નહીં. લોકો તંત્રના ભરોશે બેસી ન રહે, જાતે જાગૃત્તતા દાખવે તે હવે ખુબ જરૂરી બન્યુ છે. તંત્ર પોતાનુ કામ કરે છે, પરંતુ જનતાએ ઘરની બહાર નીકળતી વખતે ફેસ માસ્ક અવશ્ય પહેરવુ જાેઈએ અને પૂરતા સમય માટે પહેરવુ જાેઈએ તેમજ સોશ્યલ ડિસ્ટન્સિંગનુ ખાસ ધ્યાન રાખવુ જાેઈએ. જેથી સંક્રમણથી બચી શકાય. તેમજ બને તો લોકોએ જરૂરી કામ વિના ઘરની બહાર જ નીકળવુ ન જાેઈએ અને ટોળે તો વળવુ જ ન જાેઈએ. હવે કોરોનાનુ સંક્રમણ રોકવુ પ્રજાના હાથમાં છે. આગામી ૧૦ દિવસ શહેર માટે ખુબ મુશ્કેલીભર્યા સાબિત થઈ શકે છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 4541 પોઝીટીવ કેસ, 42 ના મોત, કુલ 3,37,015 કેસ
- 10, એપ્રીલ 2021 03:13 PM
- 6886 comments
- 1826 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 4541 થી વધુ નોંધાયા છે. જેની સામે 2280 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 42 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4697 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 4541 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,37,015 થયો છે. તેની સામે 3,09,626 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. અમદાવાદમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 3500 થી વધુ થઈ જાય છે, જ્યારે રાજ્યના 3,37,015 ની સામે પોઝીટીવ કેસોની સંખ્યા 22692 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,37,015 જેટલી થઈ જાય છે. રાજ્યમાં હાલ 22692 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 187 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 22505 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,09,626 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4697 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 12 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર હાહાકાર મચાવતા અનેક ગામડાઓ થયા સ્વયંભૂ લોકડાઉન
- 08, એપ્રીલ 2021 07:30 PM
- 8049 comments
- 6859 Views
ગાંધીનગરગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર હાહાકાર મચાવતા ગામડાઓમાં સ્વયંભૂ લોકડાઉન લાગવા માંડ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં જ ૧૦ ગામોએ સ્વૈચ્છિક લોકડાઉન લગાવી દીધું છે. બનાસકાંઠાના ભાભરમાં કોરોનાનું સંક્રમણ વધતા નગરપાલિકા અને વેપારીઓએ બેઠક યોજી હતી ભાભર નગરપાલીકાના પ્રમુખ ચીફઓફીસરના અધ્યક્ષ સ્થાને વેપારીઓ સાથે બેઠકમાં ર્નિણય લેવાયો છે. શનિવારે સાંજે ૬ વાગ્યાથી સોમવારે સવારના ૬ વાગ્યા સુધી બજારો બંધ રાખવાનો સ્વૈચ્છિક નિણર્ય કરાયો છે. મોરબીમાં માળીયાના ખાખરેચી ગામે પાંચ દિવસ સંપૂર્ણ લોકડાઉન જાહેર કરાયું છે. જરુરી ચીજવસ્તુ માટે ૮થી ૧૧ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે. કોરોનાની સ્થિતિને લઈને ર્નિણય લેવામાં આવ્યો છે. મોરબીમાં હડમતીયા ગામે સ્વયંભૂ બંધનો ર્નિણય લેવાયો છે. ગ્રામ પંચાયત દ્વારા ર્નિણય લેવાયો છે. કોરોનાના કેસ વધતા સ્વયંભુ બંધનો ર્નિણય લેવાયો છે. ગામમાં માત્ર જીવન જરૂરિયાત ચીજ વસ્તુ સવારે ૬ થી ૮ અને સાંજે ૬ થી ૭ સુધી ખુલ્લી રહેશે, તો અન્ય ચા-પાણી, નાસ્તા સહિતની દુકાનો બંધ રહેશે. તા.૯ થી ૧૩ સુધી ગામમાં લોકડાઉન ર્નિણય કરવામાં આવ્યો છે. જામનગરમાં કાલાવડ તાલુકાના નિકાવા ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં કોરોના ના ૬૭ કેસ આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયા માં ૬૭ કેસ આવતા ફફડાટ ફેલાયો છે. આવેલ કેસોમાંથી નિકાવા ગામના જ ૩૫ કેસ સામે આવ્યા છે. કોરોનાના કેસ વધતા નિકાવા ગામના લોકોએ સ્વયંભુ લોકડાઉન રાખવાનું નક્કી કર્યું છે. નિકાવ ગામમાં આજથી સાંજના સાતથી સવારના છ વાગ્યા સુધી સજ્જડ લોકડાઉન રહેશે. નિકાવાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના કેસનો રાફડો ફાટતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગઈકાલે એક જ દિવસમાં બે વ્યક્તિના કોરોનામાં મોતથી ગામ લોકો ફફડી ઊઠયા છે. રાજકોટમાં હડાળા ગામ આજથી ૧૫ એપ્રિલ સુધી બંધ રહેશે. કોરોના સામે લડવા માટે રાજકોટ જિલ્લાના ત્રીજા ગામે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. કોરોના ન ફેલાઈ એ માટે ગામના લોકોએ ર્નિણય કર્યો છે. ગામ સવારે ૭ થી ૯ ગામ ૨ કલાક ખુલ્લું રહેશે. સાંજે ૫ થી ૭ સુધી ૨ કલાક ખુલ્લું રહેશે. રાજકોટ જિલ્લાનું પહેલું ગામ જે સ્વૈચ્છિક રૂપથી કોરોના સામે લડવા સજ્જ બન્યું છે. ગાંધીનગરના સરપંચોએ ગામોમાં લોકડાઉન કરવાનું શરૂ કરી દીધું છે. લવારપુરમાં કેસ વધે નહીં તે માટે ૧૪ દિવસનું બંધ અને આરોગ્યલક્ષી કામગીરી સઘન બનાવવા સુચના આપવામાં આવી છે. ધણપમાં પણ ગંભીર સ્થિતિને પગલે લોકડાઉનની સ્થિતિ છે. મહિસાગરમાં બાલાસિનોરના જેઠોલીમાં ૧૮ કેસ નોંધાતા ૩ દિવસ સ્વયંભૂ લોકડાઉન લગાવી દેવાયું છે. ગામના મુખી વડા ફળિયાને ક્વોરેન્ટાઈન કરાયું છે. તંત્ર દ્વારા માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી છે.કેશોદ તાલુકાના બામણાંસા ગામમાં કોરોના કેસ વધવાથી બામણાસા ગ્રામ પંચાયતની બેઠક યોજાઇ હતી. બેઠકમાં પંદર દિવસ લોકડાઉન રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. બામણાસા ગામમાં કોરોનાના કેસ આશરે ૧૫ જેટલા જાેવા મળી રહ્યા છે. ગામની તમામ દુકાનો બપોરનાં ચાર વાગ્યાથી નવ વાગ્યા સુધી ખુલી રાખવા ર્નિણય કરાયો છે. ગ્રામ પંચાયતનાં નિયમનું પાલન ન કરનાર પાસેથી રૂપિયા એક હજાર દંડ બામણાસા ગ્રામ પંચાયત વસૂલ કરશે. સુરત જિલ્લામાં વધી રહેલા કોરોના કહેરને લઈ હવે લોકો સતર્ક બન્યા છે ત્યારે એક બાદ એક ગામ અને નગરો સયંભુ લોકડાઉનનો સહારો લઈ રહ્યા છે ત્યારે બારડોલીના કડોદ બાદ માંડવી નગરજનોએ પણ ૫ તારીખ થી લઈ ૧૫ તારીખ સુધી સવારે ૭ વાગ્યા થી બપોરે ત્રણ વાગ્ય સુધીજ દુકાનો ખુલ્લી રાખશે. ત્યાર બાદ તમામ વ્યાપરીઓ અને નગર જનો સ્વૈચ્છીક લોક ડાઉન નું પાલન કરશે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 3575 પોઝીટીવ કેસ, 22 ના મોત, કુલ 3,28,453 કેસ
- 08, એપ્રીલ 2021 03:03 PM
- 648 comments
- 3583 Views
ગાંધીનગર-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 3575 થી વધુ નોંધાયા છે. જેની સામે 2217 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 22 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4620 ઉપર પહોચી ગયો છે. ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 3280 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,28,453 થયો છે. તેની સામે 3,05,149 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. અમદાવાદમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 3200 થી વધુ થવા જાય છે, જ્યારે રાજ્યના 3,28,453 ની સામે પોઝીટીવ કેસોની સંખ્યા 18684 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,28,453 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 18684 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 175 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 18509 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,05,149 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4620 દર્દીઓના મોત થયા છે.વધુ વાંચો -
રાજયના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે રેમડેસિવીર ઈન્જેક્શનને લઈને શું કરી જાહેરાત, જાણો વધુ
- 08, એપ્રીલ 2021 02:31 PM
- 852 comments
- 5443 Views
અમદાવાદ-કોરોનાની બીજી લહેરની શરૂઆતમાં સમગ્ર રાજ્યમાં 200-300 કેસથી થઇ હતી, તો એક્ટિવ કેસનો આંકડો પણ 1000 આસપાસ આવી પહોંચ્યો હતો પરંતુ ત્યારબાદ સ્થિતિ વણસણતા મહાનગરોમાં અમદાવાદ અને સુરતની સ્થિતિ વધુ કફોડી છે. ગણતરીના દિવસો પહેલા સમગ્ર રાજ્યમાં જેટલા કેસ નોઁધાતા હતા તેટલા કેસ આજે માત્ર અમદાવાદમાં નોંધાયા છે.કોરોના મુદ્દે નીતિન પટેલનું નિવેદન સામે આવ્યુ છે જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ફરી કેસ વધતા હોસ્પિટલમાં બેડ વધારવા પડ્યા છે. સુરત શહેરની સ્થિતિને રીવ્યુ કરી એક અધિકારીની નિમણૂંક કરી છે. રાજકોટ અને વડોદરાની પણ સમીક્ષા કરી હતી હતી. કિડની, યુ.એન.મહેતા હોસ્પિટલ કોવિડ માટે ચાલુ છે. પંકજકુમાર સંક્રમિત થતા અવંતિકા સિંહની નિમણૂંક કરાઈ છે. હવે રેમડેસિવર ઈન્જેક્શન લઈને દર્દી ઘરે જઈ શકશે. દર્દીએ દાખલ નહીં રહેવું પડે. 1-2 કલાક કોમ્યુનિટી હોલમાં દર્દી રોકાઈને ઘરે જઈ શકશે.કોમ્યુનિટી હોલમાં ઈન્જેક્શન લીધેલા દર્દીઓનું ધ્યાન નર્સિંગ સ્ટાફ રાખશે નર્સિંગ હોમમાં ઈન્જેક્શન લઈને દર્દી ઘરે જઈ શકશે. જેથી હોસ્પિટલમાં ખરેખર જરૂરિયાત વાળા દર્દીઓ માટે પથારી ખાલી રહી શકશે. ગુજરાતમાં રેકોર્ડબ્રેક કોરોના કેસ નોંધાઈ રહ્યા છે ત્યારેકોરોના મુદ્દે DyCM નીતિન પટેલનું નિવેદન સામે આવ્યુ છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 3280 પોઝીટીવ કેસ, 17 ના મોત, કુલ 3,24,878 કેસ
- 07, એપ્રીલ 2021 03:05 PM
- 273 comments
- 3979 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 3280 થી વધુ નોંધાયા છે. જેની સામે 2167 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા, તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 17 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4598 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 3280 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,24,878 થયો છે. તેની સામે 3,02,932 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 17348 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,24,878 જેટલી થઇ જાય છે. રાજ્યમાં હાલ 17,348 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 171 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 17177 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,02,932 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4598 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 07 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 3160 પોઝીટીવ કેસ, 15 ના મોત, કુલ 3,21,598 કેસ
- 06, એપ્રીલ 2021 02:45 PM
- 7639 comments
- 3855 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 3160 થી વધુ નોંધાયા છે. જેની સામે 2018 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 15 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4581 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 2410 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,21,598 થયો છે. તેની સામે 3,00,765 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા સામે એક્ટીવ કેસોની સંખ્યા 16252 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,21,598 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 16252 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 167 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 16085 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,00,765 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4581 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 06 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાતમાં આગ ઝરતી ગરમી, કામ સિવાય જો બહાર ગયા તો થશે આવા હાલ
- 06, એપ્રીલ 2021 02:30 PM
- 1562 comments
- 7063 Views
અમદાવાદ-રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગે મોટા આગાહી કરી છે. જે મુજબ આગામી બે દિવસ અમદાવાદમાં યલો અલર્ટ રહેશે. ત્રણ દિવસ બાદ તાપમાનમાં વધારો થશે. કાળઝાળ ગરમી માટે અમદાવાદવાસીઓએ તૈયાર રહેવું પડશે. બે ત્રણ દિવસથી અમદાવાદમાં વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી ૩ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં વધારે ફેરફાર થવાની સંભાવના નથી. પરંતુ આ તાપમાનમાં વધારો થશે. ૮ અને ૯ એપ્રિલના ગીર સોમનાથ, પોરબંદર માં હિટવેવની આગાહી છે. અમદાવાદમાં આગામી ૩ દિવસ દરમિયાન ૪૨ ડિગ્રી સુધી તાપમાન જઇ શકે છે.ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ભારે વધારો થઈ રહ્યો છે. તેની સાથે ગરમીનું પ્રભુત્વ પણ લોકોને અસર કરી રહ્યું છે. કોરોના સંક્રમણની સાથે ગરમી વધવાથી લોકોમાં વધુ ભય ફેલાયો છે. ત્યારે હવામાન વિભાગે પણ આગામી બે દિવસ રાજકોએ ઓરેન્જ એલર્ટ રહેશે તેવી આગાહી કરી છે. છેલ્લા બે ત્રણ દિવસથી શહેરમાં વહેલી સવારે ઠંડી અને બપોરે હિટવેવનો અનુભવ થઈ રહ્યો છે. તે ઉપરાંત રાજકોટમાં તાપમાનનો પારો 41 ડિગ્રીએ પહોંચતા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.ગરમીમાં લૂ લાગવા (હીટ વેવ)ના બનાવો પણ બનતા હોય છે જેથી આવા બનાવો ના બને તે માટે શુ તકેદારી રાખવી તે અંગેની પણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવતી હોય છે. ગરમીમાં ત્રણ એલર્ટ હોય છે જેમાં યલો એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટનો સમાવેશ થાય છે. આ ત્રણે એલર્ટમાં ગરમીનો પારો કેટલો હોય તે પણ સુનિશ્ચિત કરાયુ છે. સામાન્ય સંજાેગોમાં ગરમીની સીઝનમાં ત્રણ પ્રકારના એલર્ટો જાહેર થતા હોય છે. જેમાં ૪૧.૧ ડિગ્રી સેન્ટીગ્રેડથી ૪૩ ડિગ્રી સેન્ટીગ્રેડ ગરમી હોય ત્યારે યલો એલર્ટ જાહેર કરાય છે. આ ઉપરાંત બીજુ એલર્ટ ઓરેન્જ એલર્ટ કહેવાય છે. આ એલર્ટ ૪૩.૧થી ૪૪.૯ ડિગ્રી સેન્ટીગ્રેડ ગરમી હોય ત્યારે જાહેર થાય છે. ત્રીજું રેડ એલર્ટ છે. જે ૪૫ ડિગ્રીથી વધારે તાપમાન માટે જાહેર કરવામાં આવે છે.વધુ વાંચો -
ગુજરાતના આ જિલ્લામાં કોરોનાનો કેરઃ વધુ બે ગામોએ સ્વૈચ્છિક લોકડાઉન આપ્યું
- 05, એપ્રીલ 2021 07:22 PM
- 2091 comments
- 4104 Views
આણંદ-સ્થાનિક ચૂંટણી બાદ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે. આણંદ જિલ્લામાં કોરોના કેસો વધી રહ્યા હોવાથી હાહાકાર મચી જવા પામ્યો છે. કોરોનાને કારણે આણંદના એક પછી એક ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. કોરોના સંક્રમણ વધતાં આણંદમાં સતર્કતા દાખવવામાં આવી રહી છે, ત્યારે આણંદ જિલ્લામાં વધુ બે ગામમાં સ્વૈચ્છિક લૉકડાઉન આપવામાં આવ્યું છે. આણંદના બોરસદના બોદાલ ગામમાં ૧૪ દિવસનું સ્વૈચ્છિક લૉકડાઉન જાહેર કરાયું છે અને ઉમરેઠના લીગડામાં પણ ૬ દિવસનું લૉકડાઉન અપાયું છે. આણંદમાં અત્યાર સુધી જિલ્લામા ૮ ગામમાં લૉકડાઉન આપી દેવામાં આવ્યું છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે આણંદ જિલ્લામાં કોરોના કેસ વધતા જઈ રહ્યા છે, ત્યારે આણંદમાં ફેલાયેલું સંક્રમણ ગામડાઓમાં ન પહોંચે તેના માટે ગામપંચાયતો દ્વારા ધડાધડ ર્નિણયો લઈને લોકડાઉન આપવામાં આવી રહ્યું છે. આજે આણંદના બે ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. જેમાં બોરસદના બોદાલ ગામમાં ૧૪ દિવસનું સ્વૈચ્છિક લૉકડાઉન અને ઉમરેઠના લીગડામાં ૬ દિવસનું લોકડાઉન અપાયું છે. કોરોના સંક્રમણ વધતાં ગ્રામજનોએ સ્વૈચ્છિક ર્નિણય લીધો છે. આણંદના સારસા ગામે અગાઉ એક સાથે ૨૫ કેસ નોંધાતા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. આણંદના સારસા ગામે ૭ દિવસ માટે લોકડાઉન જાહેર થયું હતું. પરંતુ ઘરવપરાશની વસ્તુ માટે સવારે ૧૦ વાગ્યા સુધી છૂટ આપવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. સારસા ગ્રામપંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો ર્નિણય લેવાયો હતો.વધુ વાંચો -
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 2,875 પોઝીટીવ કેસ: 14 ના મોત, કુલ 3,18,238 કેસ
- 05, એપ્રીલ 2021 02:51 PM
- 9390 comments
- 5029 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 2875 થી વધુ નોંધાયા છે. જેની સામે 2024 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 14 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4566 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 2410 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,18,238 થયો છે. તેની સામે 2,98,737 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 3,18,238 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 15135 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,18,238 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 15135 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 163 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 14972 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,98,737 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4566 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 04 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
આણંદગરાં તૈયાર રહેજો : ૨૦૨૨ની ચૂંટણી પહેલાં સિવિલનું ગાજર લટકાવાશે!
- 17, માર્ચ 2021 12:00 AM
- 7001 comments
- 3304 Views
આણંદ : છેલ્લાં બે દાયકાથી આણંદ ખાતે સિવિલ હોસ્પિટલ સાકાર કરવાની વારંવાર માગ કરવા છતાં સરકાર બાઇબાઇ ચારણી કરી રહી છે. ગતરોજના આણંદના ધારાસભ્યએ વિધાનસભામાં આણંદમાં સિવિલ ક્યારે બનશે? એવો સવાલ ઊઠાવતાં, ઉપરાંત અગાઉ ખાતમુહૂર્ત કર્યું હોય, એ વિશે પૂછતાં ડેપ્યૂટી સીએમ નીતિન પટેલ અકળાઇ ગયાં હતાં. નવાઈની વાત તો એ છે કે, અગાઉ ૨૦૧૨ તથા ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી પૂર્વે આણંદમાં સિવિલ હોસ્પિટલના ખાતમુહૂર્ત કરીને મત મેળવી લેવાનો કારસો રચ્યો હતો. હવે ફરી ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. આ વખતે આણંદગરો છેતરાશે નહીં!આણંદને જિલ્લા બન્યાને બે દાયકાથી વધુ સમય પસાર થઈ ગયો છે. જનસુખાકારી માટે સિવિલ હોસ્પિટલ સાકાર કરવાની વારંવાર માગ ઊઠવા પામી છે. વર્ષ ૨૦૧૨ના વિધાનસભાની ચૂંટણી પૂર્વે તત્કાલીન આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસના હસ્તે આણંદના બાકરોલ નજીક સિવિલ બનાવવા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. બાદમાં વિરોધ ઊઠતાં ૨૦૧૬માં પૂર્વ કલેક્ટર દ્વારા શહેરની વ્યાયામશાળાની જગ્યાની લીઝ રદ કરી સિવિલ બનાવવા આરોગ્ય વિભાગને ફાળવી આપી હતી. જાેકે, આ જગ્યાએ સિવિલ બનાવવા પર કોઈકના ઇશારે કે નબળી નેતાગીરીના કારણે વિરોધ ઊભો થતાં પુનઃ સિવિલ ઘોંચમાં પડી ગઈ હતી. એ પછી ફરી શહેરથી સાત કિમી દૂર નાવલીની ચરાવાળી જગ્યા પર સિવિલ બનાવવાનું આયોજન કરાયું હતું. વર્ષ ૨૦૧૭ના વિધાનસભા જંગ પૂર્વે આ સ્થળે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. બાદમાં આ જગ્યાએ પણ સિવિલનો મુદ્દો ઘોંચમાં પડતા ગત જુલાઈ માસમાં વિધાનસભા સત્રમાં આણંદ, બોરસદના ધારાસભ્ય કાંતિ સોઢાપરમાર તથા રાજેન્દ્રસિંહ પરમાર દ્વારા સિવિલ સાકાર કરવાની માગ કરતાં સરકાર દ્વારા વ્યાયામશાળાની જગ્યાએ સિવિલ બનાવાની હૈયા ધરપત આપવામાં આવી હતી. ગુજરાતમાં કોરોના મહામારીને કારણે સંક્રમણ વચ્ચે નવ માસ ઉપરનો સમય વિતવા છતાં સરકાર દ્વારા આણંદમાં સિવિલ સાકર કરવા હજુ સુધી નક્કર કાર્ય હાથ ધરવામાં ન આવતાં આણંદના ધારાસભ્ય કાંતિભાઇ સોઢાપરમારે વિધાનસભામાં સવાલ પૂછતાં આરોગ્ય મંત્રી નીતિન પટેલ અકળાઇ ઊઠતાં કહ્યું હતું કે, ખાતમુહૂર્ત અગાઉ કર્યાં જ નથી. અલબત્ત, આણંદની જનતા અગાઉ બબ્બે વખત ખાતમૂહૂર્ત જાેઈ ચૂકી છે ત્યારે સિવિલ મુદ્દે જમીન વિશે બહાનું આગળ ધરતાં એવી ચર્ચા નગરમાં થઈ રહી છે કે, રાજ્ય સરકારની આણંદ ખાતે સિવિલ બનાવવાની મહેચ્છા હોય તેવું લાગતું નથી. અલબત્ત, લોકોનું એવું પણ માનવું છે કે, આણંદમાં સિવિલ હોસ્પિટલનું સપનું સાકાર નહીં થવા દેવા પાછળ કાં તો નબળી નેતાગીરી કારણભૂત છે. સિવિલ મુદ્દે નબળી નેતાગીરી, રાજકીય દ્વેષ કે અન્ય?! છેલ્લા દશકથી આણંદ ખાતે સિવિલ હોસ્પિટલ સાકાર કરવા સરકાર બાઇબાઇ ચારણીના ખેલ રચતી હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં પણ વિધાનસભા ગૃહમાં આણંદના ધારાસભ્ય દ્વારા સવાલ કરાતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ છંછેડાઇ ઊઠ્યાં હતાં. હવે આણંદમાં સિવિલનું સપનું સાકાર કરવા પાછળ સરકારની ઈચ્છા શક્તિમાં ઉણપ, સ્થાનિક નબળી નેતાગીરી કે પછી અન્ય કોઈ કારણ વચ્ચે આવી રહ્યાંની ચર્ચા લોકોમાં થઈ રહી છે. બબ્બે વખત વિધાનસભા ચૂંટણીટાણે ખાતમૂહુર્ત કરી જનતાને સિવિલનું ગાજર લટકાવ્યું! અગાઉ ૨૦૧૨ તથા ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી પૂર્વે આણંદમાં સિવિલ હોસ્પિટલના ખાતમુહૂર્ત કરીને મત મેળવી લેવાનો કારસો રચવામાં આવ્યો હોવાના આક્ષેપ લોકો કરી રહ્યાં છે. હવે ફરી ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યાકે આણંદમાં સિવિલ હોસ્પિટલનું ગાજર લટકાવી મત ગજવે કરવાનો કારસો રચવામાં આવશે.વધુ વાંચો -
શ્વેતનગરીની ભૂમિ પર દાંડીયાત્રાનું ભવ્ય સ્વાગત
- 17, માર્ચ 2021 12:00 AM
- 4809 comments
- 8676 Views
આણંદ : આઝાદીને ૭૫ વર્ષ પૂરાં થતાં આઝાદીનો અમૃતમહોત્સવની દેશભરમાં થઈ રહેલી ઉજવણીના ભાગરૂપે સાબરમતી આશ્રમ અમદાવાદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રસ્થાન કરાવેલી ૮૧ યાત્રીઓની પ્રતીકાત્મક દાંડી યાત્રા આજે સવારે નડિયાદથી પ્રસ્થાન થઇ આણંદ જિલ્લામાં બોરીયાવી નગરમાં પ્રવેશ કર્યો હતો. આ પ્રસંગે કલેક્ટર આર.જી.ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી આશિષ કુમાર અને બોરીયાવીના નગરજનો અને આગેવાનોએ યાત્રીઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું.બોરીયાવી ખાતે પ્રતીકાત્મક દાંડી યાત્રા પ્રવેશતાં રાસ-ગરબા અને ઢોલ શરણાઈ, પોલીસ બેન્ડ અને પોલીસ મોટર સાઈકલ સાથે યાત્રીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ દાંડીયાત્રીઓને નગર મધ્યે ગાંધીજીની પ્રતિમાચોક જ્યાં ૯૧ વર્ષ પૂર્વે પૂ.ગાંધીબાપુની મૂળ દાંડીયાત્રાને પડાવ આપી તે વેળાના સ્વાતંત્ર સેનાનીઓ અને નગરજનોએ સ્વાગત કર્યું હતું. એ જ સ્થળે સ્વાગત અને નાનકડી સભા યોજવામાં આવી હતી. તેમજ દાંડીયાત્રીઓને પીવાનું પાણી અપાયું અને ગાંધી પ્રતિમાને સૂતરની આંટી અર્પણ કરી હતી. મહત્વનું છે કે બોરીયાવી ખાતે દાંડીયાત્રીઓનું સ્વાગત કર્યા બાદ રાજ્યના પંચાયત વિભાગના મંત્રી જયદ્રથ સિંહ પરમાર દાંડીયાત્રીઓ સાથે પદયાત્રામાં જાેડાયા હતા. દાંડીયાત્રિકો બોરીઆવીથી નીકળી લાંભવેલ ગામ તરફ રવાના થયાં હતાં. આ પ્રસંગે ભારત માતા કી જય, વંદે માતરમ, મહાત્મા ગાંધી અમર રહોના નાદથી સમગ્ર વાતાવરણ દેશભકિતના રંગે રંગાઇ જવા પામ્યું હતું. દાંડી યાત્રિકો સાથે એક વિદ્યાર્થી ગાંધી બાપુની વેશભૂષામાં સજ્જ થઇને યાત્રામાં અગ્રેસર રહેતાં તેને દાંડી યાત્રિકો અને ગ્રામજનો તથા શહેરીજનોમાં આકર્ષણ જમાવ્યું હતું. મંત્રી જયદ્રથસિંહ પરમારે પ્રસ્થાન કરાવેલી આ દાંડી યાત્રિકો સાથે ગ્રામજનો પણ મોટી સંખ્યામાં જાેડાયા હતા. બોરીયાવી ખાતેથી પ્રસ્થાન પામેલ દાંડી યાત્રાનું માર્ગમાં ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દાંડી યાત્રિકો માટે માર્ગમાં ઠંડા પાણી, ઠંડા પીણા, છાસની વ્યવસ્થા કરવામાં આવી હતી. દાંડી યાત્રિકો લાંભવેલ ગામે આવી પહોંચતા ગામના સરપંચમહેશભાઇ રાઠોડ સહિત ગ્રામજનો દ્વારા યાત્રિકોનું સૂતરની આંટીથી સ્વાગત કરવામાં આવ્યું હતું. યાત્રિકોએ લાંભવેલ ગામ પાસે આવેલ પૂ. મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી ભાવાંજલિ અર્પી હતી. લાંભવેલ ગામે દાંડી યાત્રા આવી પહોંચતા આણંદના સાંસદ મિતેષભાઇ પટેલ દાંડી યાત્રાનું સ્વાગત કર્યું હતું અને યાત્રિકો સાથે પગપાળા જાેડાયા હતા. યાત્રા સાથે ગાંધી બાપુની વેશભૂષામાં સામેલ બાળકનું એક બાળકે અભિવાદન કરતાં લોકોમાં જાેમ-જુસ્સો વધવા પામ્યો હતો. લાંભવેલ ગામના ગ્રામજનોએ રસ્તાની બંને બાજુએ ઉભા રહીને યાત્રિકો પર પુષ્પવર્ષા કરી હતી. તેમજ માર્ગમાં ઠેર-ઠેર નાગરિકો, વ્યાપારીઓ, ખાનગી કંપનીઓ દ્વારા યાત્રિકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમયે ડીજે ઢોલ-નગારાથી ભવ્ય સ્વાગત કરવાની સાથે દેશભકિતના ગીતો વગાડવામાં આવ્યા હતા. દેશભકિતના ગીતો વાગતા હોવાને કારણે સમગ્ર વાતાવરણમાં દેશભકિતની એક અલગ ખુશ્બુ પ્રસરવા પામી હતી. ધીમે ધીમે લાંભવેલ ગામથી પસાર થઇ રહેલી દાંડી યાત્રાએ આણંદ શહેરમાં પ્રવેશ કર્યો હતો. આણંદ શહેરમાં પ્રવેશ પામેલ દાંડી યાત્રા આણંદ શહેરના જે માર્ગો પરથી પસાર થઇ તે માર્ગ પર દાંડી યાત્રિકો પર સાધુ-સંતો, શહેરીજનો અને વરિષ્ઠ નાગરીકોએ દ્વારા ફૂલો વરસાવીને ભાવસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. આણંદ શહેરમાંથી પસાર થતાં નગરપાલિકા ભવન ખાતે દાંડી યાત્રા આવી પહોંચતા વેપારીઓ અગ્રણી વિપુલભાઇ પટેલ, નિરવભાઇ પટેલ, મહેશભાઇ પટેલ, દિપકભાઇ પટેલ, યોગેશભાઇ પટેલ નગરપાલિકાના નવાં વરાયેલાં પ્રમુખ રૂપલબેન પટેલ સહિત નગરસેવકો, ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે દાંડી યાત્રિકોનું ભવ્ય સ્વાગત કર્યું હતું. નગરપાલિકા ભવન ખાતે સ્વાગત કરાયા બાદ યાત્રિકો આણંદ ખાતેના નિર્ધારીત મુકામ ડી.એન.હાઇસ્કૂલ ખાતે આવી પહોંચતા યાત્રિકોનું ડી.એન.હાઇસ્કૂલ ખાતે હાઇસ્કૂલના ટ્રસ્ટીઓ, અગ્રણીઓ, પદાધિકારીઓ દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પૂ. મહાત્મા ગાંધીજીની મૂળ દાંડીયાત્રા ૧૯૩૦ના માર્ચના તા.૧૬મીના રોજ ડી.એન.હાઇસ્કૂલ ખાતે યાત્રિકો સાથે રાત્રિ રોકાણ કર્યું હતું, તે મુજબ આ દાંડી યાત્રાના યાત્રિકો રોકાણ કરશે. આવતીકાલે તા.૧૭મીના રોજ આણંદ ખાતેની ડી.એન.હાઇસ્કૂલ ખાતે જ વિશ્રામ કરશે.વધુ વાંચો -
તુલસી ગરનાળું પહોળું કરવા મહેનત કોઈએ કરી અને હવે લાભ ખાટવા નેતાઓની દોડધામ!
- 17, માર્ચ 2021 12:00 AM
- 5529 comments
- 8222 Views
આણંદ : આશરે ત્રણ દાયકાની લડત બાદ છેલ્લાં બે વર્ષથી શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જાેડતંુ તુલસી ગરનાળું પહોળું કરવાનું કાર્ય પૂર્ણતાને આરે હોય હવે ગરનાળાને કાયાર્ન્વિત કરાવી શીરપાવ લેવા નેતાઓમાં હોડ લાગી છે. જાેકે, તેની પાછળનું કારણ પાલિકામાં મલાઇદાર કમિટીમાં ઉચ્ચ પદ મેળવવાનો ખેલ હોવાનું પણ કહેવાય રહ્યું છે.મળતી માહિતી અનુસાર શહેરના પૂર્વ તથા પશ્ચિમ વિસ્તારમાંથી વાહનોની સરળતાથી આવાગમન થઇ શકે તેવાં આશયથી ત્રણ દાયકાથી તુલસી ગરનાળાને પહોળું કરવાની માગ ઉઠવા પામી હતી. જેનાં પગલે પૂર્વ કેન્દ્રીય રેલ મંત્રી ભરતસિંહ સોલંકીએ આ મુદ્દે ૫.૮૫ કરોડની જે-તે સમયે ગ્રાન્ટ ફાળવી હતી. જાેકે, તેમનાં પદગમન સાથે તંત્ર દ્વારા ગ્રાન્ટ ગાય ચરી ગયાંની શંકા ઊઠતાં ગામડી વિસ્તારના જાગૃત નાગરિક અતુલ કોલી દ્વારા આરટીઆઈ કરવામાં આવી હતી. આ આરટીઆઇમાં સત્ય ઉજાગર થતાં રેલવે દ્વારા બે વર્ષ પૂર્વ પુનઃ કાર્યવાહી હાથ ધરી ગરનાળંુ પહોળું કરવાનું મંજૂર કરતાં તે સમયે સ્થાનિક નેતાઓ જશ લેવા દોડી ગયાં હતાં. હવે બે વર્ષ બાદ ગરનાળું પહોળું કરવાનું કાર્ય પૂર્ણતાને આરે છે ત્યારે તાજેતરમાં પાલિકાના ચૂંટણી જંગમાં વિજયી થયાં બાદ પાલિકાની મલાઇદાર કમિટીમાં ઉચ્ચ પદ મેળવવા વિવિધ નેતાઓ દ્વારા તુલસી ગરનાળાને પહોળું કરાવવામાં તેઓનો હાથ હોવાના દાવા કરી શીરપાવ મેળવવાના ખેલ શરૂ થયાં છે. જાેકે, આ કારણે સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે, મહેનત કોઇની અને ફળ કોઇ પામે એવો ઘાટ રચાયો છે.વધુ વાંચો -
સત્તાનું સુકાન નારીશક્તિનાં હાથમાં
- 17, માર્ચ 2021 12:00 AM
- 9459 comments
- 2664 Views
આણંદ : ગત તા.૨જી માર્ચે આણંદ પંથકની છ પાલિકામાં ભાજપે જ્વલંત વિજય મેળવી કબજાે કર્યો હતો. આજે આણંદની પાલિકા સહિત જિલ્લાની પાંચ પાલિકાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખની સાથે મહત્ત્વના હોદ્દાઓ પર વરણીઓ કરવામાં આવી હતી. અલબત્ત, ચરોતરમાં મલાઇદાર ગણાતી આણંદ પાલિકાના પ્રમુખપદે રૂપલબેન પટેલ, ઉપપ્રમુખપદે છાયાબેન ઝાલા તથા કારોબારીના ચેરમેન પદે સચિન પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.ગત મંગળવારને તા.૨ માર્ચે આણંદ પંથકની છ પાલિકાના ચૂંટણી જંગમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. આજે પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતની અન્ય પદ વરણી હાથ ધરવામાં આવી હતી. મહત્વની મનાતી આણંદ પાલિકામાં પ્રમુખપદે રૂપલબેન પટેલ, ઉપપ્રમુખપદે છાયાબેન ઝાલાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત કારોબારી ચેરમેનપદે સચીન પટેલની વરણી કરવામાં આવી હતી. પક્ષના નેતાપદે હેતલબેન તેમજ દંડકપદે દિપેન પટેલની નિમણૂક કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આણંદ પાલિકામાં પૂર્ણતઃ મહિલા શાસન લાવવાનો તખતો ગોઠવાયો હતો. બેકસીટ ડ્રાઇવિંગ કરવાનો કારસો પણ રચાયો હતો. જાેકે, પ્રદેશ ભાજપે સ્થાનિક ખેલ પર પાણી ફેરવી દીધું હતું. આજે પંથકની અન્ય પાંચ પાલિકાઓમાં પણ પ્રમુખ, ઉપપ્રમુખ સહિતની વરણી કરવામાં આવી હતી. ઉમરેઠ પાલિકામાં રમીલાબેન પટેલ, ઉપપ્રમુખપદે રમેશભાઇ તળપદા, કારોબારી ચેરમેનપદે ઈશ્વરભાઇ પટેલની વરણી કરાઈ હતી. તેમજ પેટલાદ પાલિકામાં પ્રમુખપદે ગીતાબેન પટેલ, ઉપપ્રમુખપદે ગોવિંદભાઈ તળપદા અને કારોબારી ચેરમેનપદે કેતન ગાંધીની નિમણૂક કરાઈ છે. આ ઉપરાંત બોરસદ પાલિકામાં પ્રમુખપદે આરતીબેન પટેલ, ઉપપ્રમુખપદે રણજીતસિંહ પરમાર તથા કારોબારી ચેરમેનપદે ડો.અપેક્ષાબેન મહીડાની નિમણૂક કરવામાં આવી છે. ખંભાત પાલિકામાં પ્રમુખ તરીકે કામિનીબેન ગાંધી, ઉપપ્રમુખ તરીકે વિજયસિંહ પરમાર અને કારોબારી ચેરમેન તરીકે અશોકભાઈ કા.પટેલની વરણી કરાઈ છે. સોજિત્રા પાલિકામાં પ્રમુખપદે રજનીકાંત પટેલ, ઉપપ્રમુખપદે કલ્પનાબેન મકવાણા અને કારોબારી ચેરમેનપદે જીમીતભાઇ ભટ્ટની નિમણૂક કરાઈ છે. લોકસત્તા-જનસત્તાનો અહેવાલ અત્રે ઉલ્લેખનીય છે કે, આણંદ પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખનો બે દિવસ પૂર્વ લોકસત્તા જનસત્તાએ પ્રસિદ્ધ કરેલો અહેવાલ સત્ય સાબિત થયો છે. આજે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખની વરણી આણંદ ઃ આણંદ પંથકની છ પાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના વિવિધ હોદ્દાઓ પર વરણી કરવામાં આવ્યા બાદ આવતીકાલે જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત અન્ય વરણી કરવામાં આવશે. સુમાહિતગાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખપદે દહેવાણ બેઠક પરથી જીતેલાં હંસાબેન પરમાર તથા ઉપપ્રમુખપદે સારસા બેઠકથી જીતેલા સંજય પટેલનું નામ ઓલમોસ્ટ નક્કી છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 890 પોઝીટીવ કેસ, 01 મોત, કુલ 2,79,097 કેસ
- 16, માર્ચ 2021 03:11 PM
- 2466 comments
- 9632 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 890 થી વધુ નોંધાયા છે. જેની સામે 594 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4425 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 890 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,79,097 થયો છે. તેની સામે 2,69,955 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,79,097 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 4717 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,79,097 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 4717 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 56 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 4661 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,69,955 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4425 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીનુ મૃત્યુ નોંધાયેલ છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 810 પોઝીટીવ કેસ, 02 ના મોત, કુલ 2,78,207 કેસ
- 15, માર્ચ 2021 02:49 PM
- 9406 comments
- 8438 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 810 થી વધુ નોંધાયા છે. જેની સામે 586 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 02 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4424 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 810 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,78,207 થયો છે. તેની સામે 2,69,361 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,78,207 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 4422 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,78,207 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 4422 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 54 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 4368 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,69,361 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4424 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 02 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગાંધીજીએ જે ઝરૂખામાં ઊભાં રહીને સંબોધન કર્યું હતું એ ગમે ત્યારે તૂટી પડશે!
- 14, માર્ચ 2021 12:00 AM
- 3165 comments
- 6293 Views
વિરસદ : ગુજરાત સરકાર દ્વારા આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે અમૃત મહોત્સવ ૭૫ની ઉજવણીનાં ઝાકમઝોળ ભરેલાં આયોજન વચ્ચે દાંડીયાત્રા સાથે જાેડાયેલી અનેક ઐતિહાસિક ધરોહર આજે પણ ધૂળ ખાય રહી છે! ઉજવણી અંતર્ગત પ્રતીકાત્મક દાંડી યાત્રાની સરકાર દ્વારા જાેરશોરથી શરૂઆત કરવામાં આવી છે, જેમાં દાંડીરૂટ પર આવતાં સ્થળો પર બેનર ,હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યાં છે. તેમજ સમગ્ર દાંડી રૂટના માર્ગ પર ખાડાં કે જર્જરિત રસ્તાઓને દુરસ્ત કરી માર્ગને ચકાચક બનાવવામાં આવી રહ્યો છે. દાંડી યાત્રાને ૯૦ વર્ષ પૂરાં થઈને ૯૧મા પ્રારંભ જાેરશોરથી કરવામાં આવ્યો છે. આ બધા વચ્ચે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની દાંડી યાત્રાની અનેક સ્મૃતિઓ બાબતે તંત્ર દુર્લક્ષ રાખી રહ્યું છે, જેને કારણે ગાંધીપ્રેમીઓમાં નારાજગી જાેવા મળી રહી છે.વર્ષ ૧૯૩૦ની ૧૨મી માર્ચે સાબરમતી આશ્રમ અમદાવાદથી પ્રસ્થાન કરવામાં આવેલી દાંડીયાત્રા ૧૮મી માર્ચે બોરસદમાં ઝવેરબેન ડાહ્યાભાઈ પટેલ કન્યા વિદ્યાલય ખાતે આવી પહોંચી હતી. બોરસદમાં દાંડીયાત્રાના તમામ યાત્રિકો અને આઝાદી ઝંખી રહેેેલાં લોકોએ બોરસદમાં આવેલાં આ શૈૈક્ષણિક સંસ્થાનાં ઝરૂખામાં ઊભાં રહી મહાત્મા ગાંધીજીએ જંગી સભાને સંબોધન કર્યું હતું. આજે વર્ષો બાદ મહાત્મા ગાંધીના યાદગાર સંબોધનનો સાક્ષી બનેલો એ ઝરૂખો જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયો છે. મહાત્મા ગાંધીની દાંડીયાત્રા દરમિયાન બોરસદ શહેર અને આજુબાજુના ગામોમાંથી ઉમટી પડેલી વિશાળ જનમેદનીને આ ઝરૂખામાં ઊબાં રહીને પૂ.બાપુએ સંબોધન કર્યું હતું. જાેકે, આજેે આ ઝરૂખો જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયો છે. આ ઐતિહાસિક ફલોના સાક્ષી ઝરૂખાની તંત્ર દ્વારા કોઈ જ દરકાર રાખવામાં આવી નથી. એક તરફ અમૃત મહોત્સવ પાછળ લખલૂંટ ખર્ચ કરતું તંત્ર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સ્મૃતિઓ વિસરી રહ્યું છે! અહીં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ સ્થળ પાસેથી વારંવાર પસાર થાય છે. ત્યારે ગમે ત્યારે ધસી પડે તેવી સ્થિતિમાં આવી ગયેલો આ ઝરૂખો અકસ્માત નોંતરે તેવી સ્થિતિ પણ ઊભી થઈ છે. મહાત્મા ગાંધીજીની યાદ સાથે જાેડાયેલાં ઐતિહાસિક આ ઝરૂખાની દરકાર લેવામાં નહિ આવે તો દાંડીકૂચની યાદ અપાવી રહેલો અમૂલ્ય વારસો અને બોરસદમાં ગાંધીજીની એક માત્ર યાદગીરીનો સાક્ષી આ ઝરૂખો ભવિષ્યમાં જાેવા નહિ મળે. હાલ આ ઝરૂખાને જાેઈ ગાંધીપ્રેમીઓમાં આઘાતની લાગણી જાેવાં મળી રહી છે. ત્યારે અમૃત મહોત્સવ પાછળ કરવામાં આવતાં લાખો રૂપિયાના ખર્ચ સાથે સાથે ગાંધીજીની અસલ સ્મૃતિ સચવાય તેવું આયોજન સરકાર કરે તેવી માગ ગાંધીપ્રેમીઓ સહિત સ્થાનિક લોકોમાં વ્યક્ત થઈ રહી છે.વધુ વાંચો -
દીકરી સાથે આવો અન્યાય કરતા મા-બાપનું કાળજું કેમ કંપી ન ગયું
- 13, માર્ચ 2021 09:38 AM
- 264 comments
- 1214 Views
આણંદ-આણંદ શહેર સહિત સમગ્ર વિશ્વમાં મહિલા દિવસની ઊજવણી જાેરશોરથી કરવામાં આવી રહી હતી ત્યારે મહિલા દિવસે જ આણંદ જિલ્લામાં સવારે કઠણ કાળજાના માનવીને પણ કંપાવી દે તેવી એક ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં સગા મા-બાપે પોતાની ૧૩ વર્ષીય પુત્રીને સુરતથી ટ્રકમાં બેસાડી અને તેને આણંદ સુધી સાથે લાવીને ધર્મજ પાસે ટ્રકમાંથી નીચે ઉતારી ભાગી ગયા હતા. સમગ્ર ઘટના અંગેની જાણ ૧૮૧ની ટીમને થતાં જ તેમણે તુરંત જ બાળકીનો કબ્જાે મેળવી સલામત તેને સખી વન સ્ટોપ સેન્ટરમાં મોકલી આપી હતી. આ અંગે વાત કરતાં અભયમ ટીમના કાઉન્સિલેર કૈલાશબેને જણાવ્યું હતું કે, શ્રમજીવી પરિવારની ૧૩ વર્ષીય બાળકી ધર્મજ પાસે રડતાં-રડતાં જઈ રહી હોવાની માહિતી અમને ત્રાહિત વ્યક્તિના કોલ દ્વારા મળી હતી. જેને પગલે અમે તુરંત જ ધર્મજ ચોકડી પાસે પહોંચ્યા હતા. એ સમયે બાળકી ખૂબ રડતી હતી. તેની પ્રાથમિક પૂછપરછ કરતાં તેણીએ જણાવ્યું હતું કે, તે મૂળ સુરતની છે અને અહીં આણંદના ભાદરણમાં તેઓ વર્ષો અગાઉ રહેતા હતા. રવિવારે રાત્રિના તેના મા-બાપે આણંદ જવાનું કહીને તેમની સાથે તેને ટ્રકમાં બેસાડી હતી. દરમિયાન માતા-પિતા તેણીને આણંદ લઈ આવ્યા હતા. બાદમાં ધર્મજ આવતાં જ તેમણે તેણીને નીચે ઉતારી દીધી હતી. કિશોરી જેવી નીચે ઉતરી કે તુરંત જ ટ્રકમાં બેઠેલા મા-બાપ તેને તે જ હાલતમાં મૂકી ફરાર થઈ ગયા હતા. બાળકી એ પછી સીધા જતા રોડ પર ચાલવા લાગી હતી.હાલમાં બાળકીને સલામત રીતે સખી વન સ્ટોપ સેન્ટરમાં મૂકવામાં આવી છે. તેનું સતત કાઉન્સેલિંગ કરાઈ રહ્યું છે. બીજી તરફ પોલીસના માધ્યમ થકી તેના મા-બાપના સઘડ મેળવી તેની પૂછપરછ કરી પછીથી બાળકીનો કબ્જાે સોંપવામાં આવશે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 700 પોઝીટીવ કેસ, કુલ 2,75,907 કેસ
- 12, માર્ચ 2021 03:01 PM
- 3152 comments
- 813 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 700 થી વધુ નોંધાયા છે. જેની સામે 451 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4418 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 700 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,75,907 થયો છે. તેની સામે 2,67,701 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. અગર રાજ્યવાર માહિતી જોવા જઈએ તો રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,75,907 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3788 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,75,907 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3788 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 49 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3739 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,67,701 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4418 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે કોરોના થી કોઈ મૃત્યુ નોંધાયા નથી.વધુ વાંચો -
આઝાદીના અમૃત મહોત્સવ ૭૫ના ભાગરૂપે નીકળનારી દાંડીયાત્રાને લઇ આણંદ જિલ્લામાં ઉજવણી કાર્યક્રમનું આયોજન કરાયું
- 12, માર્ચ 2021 12:00 AM
- 4697 comments
- 3905 Views
આણંદ : સાબરમતી આશ્રમ અમદાવાદથી તા.૧૨ માર્ચના રોજ આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે નીકળનારી દાંડી યાત્રાના તા.૧૨ માર્ચના આવતીકાલના દિવસે આણંદ જિલ્લામાં કરમસદ, આણંદ, રાસ અને બોરસદ ખાતે વિવિધ ઉજવણી કાર્યક્રમોનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.તા.૧૨ માર્ચના રોજ સવારે ૯ઃ૩૦ કલાકે કરમસદના સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે આઝાદી અમૃત મહોત્સવનો વિશેસ કાર્યક્રમ યોજાશે, જેમાં રાજ્ય સરકારના ઊર્જા વિભાગના મંત્રી સૌરભ પટેલ ઉપસ્થિત રહેશે, જ્યારે ટાઉન હોલ આણંદ ખાતે યોજાનારા કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી યોગેશભાઈ પટેલ હાજરી આપશે. આ ઉપરાંત રાસ ગામે હાઈસ્કૂલ સંકુલમાં યોજાનારા અમૃત મહોત્સવ ઉજવણી કાર્યક્રમમાં સાંસદ મિતેશભાઈ પટેલ અને ધારાસભ્ય મહેશભાઈ રાવલ હાજર રહેશે. બોરસદ વેરા એક્સેલેન્ટ સ્કૂલ ખાતે યોજાનારાં કાર્યક્રમમાં ધારાસભ્ય ગોવિંદભાઇ પરમાર ઉપસ્થિત રહેશે. તા.૧૨મી માર્ચના રોજ યોજાનારા આઝાદી અમૃત મહોત્સવ કાર્યક્રમમાં જાહેર જનતાને ઉપસ્થિત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.વધુ વાંચો -
પોલીસે આરોપીના ઘરની તલાશી લેતાં લોહીથી લથપથ ટી-શર્ટ અને પિસ્તોલ મળી આવી
- 12, માર્ચ 2021 12:00 AM
- 6156 comments
- 4871 Views
આણંદ : આણંદ શહેરના ગણેશ ચોકડી નજીક આવેલાં મંગળપુરા ખાતે બે દિવસ પહેલાં એક નિર્દોષ માલધારી યુવકની કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી. આ મામલે ઝડપાયેલાં ફરહાન મેમણ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ મલી આવતાં ચકચાર મચી ગઈ છે. આ અંગે આણંદ પોલીસે અલગથી આર્મ્સ એક્ટની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ, આણંદની ગણેશ ચોકડી પાસે ચકચારી માલધારી યુવકની હત્યાના કેસમાં હત્યા, હત્યાના પ્રયાસ અને બાઇક લૂંટના ગુનામાં ઝડપાયેલાં આરોપી ફરહાન ઉસ્માન મેમણના રોશન પ્લાઝાની બાજુમાં આવેલાં જી. કે. દેવની ચાલી સ્થિત ઘરની ગઈકાલે આણંદ પોલીસ દ્વારા ઝડતી કરી તપાસ હાથ ધરતાં એક રૂમના કબાટમાંથી હત્યા સમયે ફરહાને પહેરેલી ટી-શર્ટ લોહીથી ખરડાયેલ હાલતમાં મળી આવી હતી. આ ઉપરાંત સ્થળની ઝીણવટભરી તપાસ કરતાં એક પ્લાસ્ટિકથી વીંટાળેલી થેલી શંકાસ્પદ હાલતમાં જણાતાં થેલીને ખોલીને જાેતાં દેશી બનાવટની પિસ્તોલ મળી હતી. આ જાેઈને પોલીસ ચોંકી ઊઠી હતી. પોલીસે પિસ્તોલ રાખવા અંગે ફરહાન મેમણ પાસે લાયસન્સની માગણી કરતાં તેની પાસે હતું નહીં, જેથી પિસ્તોલ ગેરકાયદે રાખતો હોવાનું ખુલ્લું પડી ગયું હતું. પોલીસે પિસ્તોલ કબજે લઈને ફરહાનની વધુ પૂછપરછ કરતાં તેણે કબૂલ્યું હતું કે, છ મહિના પહેલાં હાડગુડ તાબે જહાંગીરપુરા ખાતે રહેતાં મોઈનખાન ઐયુબખાન પઠાણ પાસેથી ૮૫૦૦ રૂપિયામાં આ પિસ્તોલ વેચાતી લીધી હતી. આણંદમાં આ પ્રકારની વૃત્તિ-પ્રવૃત્તિ કરતા આવા તત્વો જાહેર સમાજ માટે જાેખમી પુરવાર થઇ શકે છે. જાેકે, આણંદ પોલીસે આ બાબતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. હવે પોલીસે નવી દિશામાં તપાસ શરૂ કરી! ફરહાન દ્વારા આ પિસ્તોલ બતાવી કોઈ ગુનાહિત કાર્ય કર્યું છે કે કેમ? અને તેને આ પિસ્તોલ લેવાની જરૂર શા માટે પડી? જેવાં વણઉકેલ્યા પ્રશ્નોની ઊંડી તપાસ કરવા માટે પોલીસે તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.વધુ વાંચો -
શિવ અને જીવનો એકાકાર
- 12, માર્ચ 2021 12:00 AM
- 7784 comments
- 3796 Views
આણંદ : આજે શિવરાત્રીના મહાપર્વને લઈ આણંદ અને નડિયાદ જિલ્લામાં ભોલેનાથની ભક્તિનો માહોલ જામ્યો હતો. ભગવાન શિવશંભુની ભક્તિ અને આરાધના માટે આજનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આણંદ અને નડિયાદ શહેર સહિત ચરોતરના ગામડાંઓમાં આવેલાં શિવાલયો હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય અને જય ભોલેનાથના નાદથી ગુંજી ઊઠ્યાં હતાં. ભગવાન શિવને બિલ્વપત્રો, પુષ્પો, કમળના ફૂલ અર્પણ કરીને ભક્તો ધન્ય થયાં હતાં. આજના પવિત્ર દિવસે ભોળાનાથની આરાધના સાથે દૂધ અને પાણીનો અભિષેક કરવા શ્રદ્ધાળુઓએ લાઇનો લગાવી હતી.આણંદના વઘાસી ખાતે ભૂતનાથ મહાદેવ મંદિરે શિવરાત્રીની ઉજવણીમાં ભારે ધામધૂમ નજરે ચઢી હતી. ૧૦૦ વર્ષથી પણ વધુ પૌરાણિક આ શિવ મંદિરમાં ભાવિક ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે, એવી માન્યતા છે. અહીં ભૂતનાથ મહાદેવનું શિવલિંગ સ્વંયભૂ પ્રગટ થયું હોવાથી આસપાસના ગામો તો ઠીક પણ દૂર દૂરથી ભક્તો બાધા અને માનતા લઈ અહીં પહોંચે છે. આજે શિવરાત્રીના પાવન પર્વે સવારે ૬ઃ૩૦ વાગ્યાની પ્રથમ આરતી બાદ દર ૩ કલાકે બદલાતાં પ્રહરે શિવજીની આરતી કરવામાં આવં હતી. બીજી તરફ આણંદના જાગનાથ મહાદેવ, લોટેશ્વર મહાદેવ, કામનાથ મહાદેવ, વ્રજનાથ મહાદેવ (જિટોડિયા), કુબેરેશ્વર મહાદેવ, રાલજ મહાદેવ, ખંભાતના રણમુક્તશ્વર મહાદેવ, સિદ્ધનાથ મહાદેવ, પતંગેશ્વર મહાદેવ મંદિર ઉપરાંત બોરસદમાં જાગનાથ મહાદેવ, કામનાથ મહાદેવ, ઉમરેઠ - પેટલાદ - તારાપુરના શિવમંદિરોમાં પણ શ્રદ્ધાળુઓ બિલ્વપત્ર અને પૂજા વિધિની સામગ્રી સાથે ઉમટી પડ્યાં હતાં. આજે શ્રદ્ધાળુઓએ મહાદેવની ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ માટે ભોલેનાથની કૃપા અવિરત રહે તેવી પ્રાર્થના કરી હતી. વિવિધ શિવમંદિરોમાં આજે અનેક ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓએ કર્મકાંડી બ્રાહ્મણ દ્વારા પૂજાપાઠ, અર્ચના, દુગ્ધાભિષેક, જળાભિષેક, રૂદ્રી, લઘુરૂદ્રી તથા સ્વર્ણાભિષેક જેવાં ધાર્મિક વિધિ વિધાન પણ કરાવ્યાં હતાં. બીજી તરફ ખેડા જિલ્લામાં આજે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરાઈ હતી. વહેલી સવારથી જ શિવમંદિરોમાં ભક્તોની ભીડ જાેવા મળી હતી. શિવાલયોમાં મહાલઘુરુદ્ર યજ્ઞ, રુદ્રી, શિવમહાસ્ત્રોતમના પાઠ સહિત અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીને લઇને આ વખતે લોક મેળા ઉપર પ્રતિબંધ હોવાથી કપડવંજના ઉત્કંઠેશ્વર, ખેડાના શંકરાચાર્ય નગર વગેરે શિવાલયોના પટાંગણ ખાલીખમ જાેવાં મળ્યાં હતાં. જાેકે, ભક્તોની ભીડ ઉમટી પડતાં આ ખાલીખમ બનેલાં પટાંગણો હર હર મહાદેવના નાદ સાથે ગૂંજી ઊઠ્યાં હતાં. નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ગુરુવારે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરાઈ હતી. જિલ્લાના કપડવંજ, ઠાસરા, ગળતેશ્વર, માતર, મહેમદાવાદ, ખેડા, કઠલાલ વગેરે તાલુકા મથકોએ પર્વની હર્ષોઉલ્લાસભેર ઉજવણી કરાઈ હતી. અહીં આવેલાં શિવાલયોમાં સવારથી જ શિવભક્તોની ભારે ભીડ જાેવા મળી હતી. શિવ ભક્તોએ શિવલીંગ પર દૂધ, જળ, બિલ્વપત્રનો અભિષેક કરી ધન્યતા અનુભવી છે. આ પ્રંસગે અમૂક મોટાભાગના શિવાલયોમાં મહાલઘુરુદ્ર યજ્ઞ, શિવમહાસ્ત્રોતમના પાઠ સહિત અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે દિવસ દરમિયાન ચાલું રહેશ. ભક્તોએ આ ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ ધન્યતા અનુભવી છે. ઉપરાંત મંદિરની બહાર ભાંગની હાટડીઓ ધમધમી ઊઠી છે. ભક્તોએ આ ભાંગની પ્રસાદી પણ ગ્રહણ કરી છે. જિલ્લાના કપડવંજ પાસેના પૌરાણિક શિવ મંદિર ઉતકંઠેશ્વર, ખેડાના શંકરાચાર્ય નગર, ગળતેશ્વરના શિવ મંદિર તેમજ નડિયાદ ખાતે આવેલ માઈ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. દિવસ દરમિયાન અહીં સમગ્ર ગુજરાતમાંથી ભક્તોનો પ્રવાહ ઉમટી પડ્યો હતો. ભક્તો શિવલીંગ પર અભિષેક કરી શકે તે માટે લાંબી પાઇપ મૂકવામાં આવી મંદિર પ્રસાશન દ્વારા આ વખતે કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવ્યું હતું. નડિયાદ શહેરના અમુક શિવાલયોમાં તો ભક્તોને શિવલીંગ સુધી પહોંચવા દેવામાં આવતાં ન હતાં. ભક્તો શિવલીંગ પર અભિષેક કરી શકે તે માટે લાંબી પાઇપ મૂકવામાં આવી હતી. તેનાં મારફત અભિષેક કરાયો હતોે. શિવભક્તો એ આજે ઉપવાસ કર્યાં, ફરાળી વસ્તુઓ આરોગી આજના આ પવિત્ર દિવસે શિવ ભક્તો દ્વારા દિવસ દરમિયાન ઉપવાસ કરી શક્કરીયા-બટાકા સાથે ફરાળી વસ્તુઓ જ આરોગવામાં આવી હતી. મહા પર્વ શિવરાત્રીની ઉજવણી ભક્તિભાવથી કરવામાં આવી હતી. આજે જિલ્લાભરના શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગૂંજી ઊઠ્યાં હતાં.વધુ વાંચો -
આણંદ રેલવે હદમાં તંત્રની ‘વહીવટી’ ઓથ નીચે
- 12, માર્ચ 2021 12:00 AM
- 8626 comments
- 9247 Views
આણંદ : બે દિવસ પૂર્વ રાજ્યના મુખ્યમંત્રીએ દારૂબંધીના કડક કાયદાની અમલવારી વિશે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું, પરંતુ બીજી તરફ ચરોતરના આણંદમાં જે દૃશ્યો ઊભાં થયાં છે એ જાેતાં આ વાતો માત્ર કાગળ પર જ હોવાનો ગણગણાટ સાંભળવા મળ્યો હતો. આણંદ રેલવે હદમાં વિદેશી તથા દેશી દારૂના, નશીલા પદાર્થો તથા વરલી મટકાના વેપલા બેરોકટોક ચાલતાં હોવાની અનેક ફરિયાદો જાગ્રૃત નાગરિકોના મોંઢે સાંભળવા મલી રહી છે. એવાં પણ આક્ષેપો થયાં છે કે, સામાન્ય જનતાને આ બધું દેખાઈ રહ્યું છે તો શું તંત્રને આની જાણ નહીં હોય! એવાં પણ આક્ષેપો થઈ રહ્યાં છે કે, ઓથોરિટીના આશીર્વાદ લઈને જ આ બે નંંબરી વેપલાઓ થઈ રહ્યાં છે!સૂત્રોનું કહેવું છે આમ તો રેલવે હદમાં પ્રવેશ મુદ્દે સામાન્ય નાગરિક માટે કાયદાઓ બનાવવામાં આવ્યાં છે. તો શું આ કાયદાઓ બે નંબરિયાઓને લાગું પડતાં નથી? તેઓને કેમ બધી છુટ મલી રહી છે? તંત્રની બેધારી નીતિ ઉજાગર થતાં લોકોમાં રોષ વ્યાપ્યો છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર, રાજ્યમાં દારૂ બંધીનો કડક અમલ વિશે બે દિવસ પૂર્વે જ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાર મૂક્યો હતો. આ કાયદો કાગળ પર હોવાની ભ્રાંતિ આણંદ રેલવે હદમાં ઊભી થવા પામી હોય તેમ રેલવે હદના ગોદી વિસ્તારથી લઈ પોલસન ફાટક સુધી વિદેશી તથા દેશીદારૂના વેપલાએ માઝા મૂકી છે. બીજી તરફ વરલી મટકાના ચાલતાં ખેલથી અહીંનું યુવાધન બરબાદીના ખપ્પરમાં હોમાઈ રહ્યું છે. અહીં નશીલા પદાર્થોનો વેપલો બેરોકટોક ચાલી રહ્યો છે. સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે, આની પાછળ તંત્રના કેટલાંક વચેટિયાઓ કારણબૂત છે! સ્થાનિકોમાં ચાલતી ચર્ચા મુજબ, તંત્રના જ એક કર્મચારી દ્વારા સાયંકાળે આવતી ટ્રેનમાં સાઠગાંઠથી વિદેશી દારૂની ડિલીવરી મેળવી ખેપીયાગીરી કરવામાં આવતી હોવાનું જાણવા મળ્યું હતું. નવાઈની વાત એ છે કે રેલવે તંત્ર સેન્ટ્રલના તાબામાં આવતું હોવાથી દારૂની હેરાફેરી આ હદમાંથી કરાતી હોય રાજ્ય દારૂબંધીના કડક કાયદા કાગળ પર રહેવા પામ્યાં છે. બે દિવસ પૂર્વે પોલસન ફાટક નજીકની રેલવે મિલકતને કરવામાં આવેલાં નુકશાન મામલે પણ કોઇ કાર્યવાહી હાથ ધરવામાં ન આવતાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યાં છે. રેલવેની આ મિલકત અસામિજક તત્ત્વોનો અડ્ડો બની ગયો હોવાથી સ્થાનિકો ખુબ જ ત્રાંસી ગયાં છે. સ્થાનિકોનું કહેવું છે કે, એક વર્ષથી કોરોના મહામારીને કારણે રેલવે આવાગમન સીમિત બનતાં આવાં સ્થળો પર બે નંબરના વેપલાનો વ્યાપ વધ્યો છે. તંત્ર હાથ પર હાથ ચડાવીને કેમ બેઠું છે એ સમજાતું નથી!?વધુ વાંચો -
કર્મભૂમિના વિશેષ દરજ્જાની માગ અભરાઈ ચડ્યાં બાદ હવે વધુ એક ન્યાયિક લડત શરૂ
- 12, માર્ચ 2021 12:00 AM
- 859 comments
- 717 Views
આણંદ : છેલ્લાં દોઢ દાયકાથી સરદાર પટેલનું નામ રાજકીય પક્ષો માટે સત્તાનું કેન્દ્ર બની ગયું છે. તાજેતરમાં અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલી નરેન્દ્ર મોદીના નામ સાથે જાેડવામાં આવતાં વિવાદ છેડાયો છે. ખાસ કરીને સરદાર પ્રેમીઓમાં નારાજગી પ્રવર્તતા આજે તેમની કર્મભૂમિ કરમસદ ખાતે વિરોધનું રણશીંગંુ ફૂંકી ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નવાઈની વાત તો એ છે કે, સરદારની કર્મભૂમિ કરમસદને વિશેષ દરજ્જાે આપવાની કરાયેલી માગ અભરાઈએ ચઢ્યાં બાદ વધુ એક વિવાદ છંછેડાયો છે.સૂત્રોનું જણાવવું છે કે, છેલ્લાં દોઢ દાયકાથી સરદાર પટેલનું નામ રાજકીય પક્ષો માટે સત્તા મેળવવાનું સાધન બની ગયું છે. સરદાર પટેલની કર્મભૂમિ કરમસદને વિશેષ દરજ્જાે આપવાની માગ અહીંથી જ સરદાર પ્રેમીઓ દ્વારા કરવામાં આવી હતી. આ મુદ્દે ચાર વર્ષ પૂર્વ આમરણાંત અનશન ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જાેકે, તે સમયે સરકારના પ્રતિનિધીઓ દ્વારા માગ મુદ્દે આશ્વાસન આપી બાદમાં મામલો અભરાઈએ ચઢાવી દેવામાં આવ્યો હતો. તાજેતરમાં અમદાવાદના મોટેરા સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવામાં આવતાં સરદાર પ્રેમીઓમાં નારાજગી વ્યાપી છે. ખાસ કરીને સરદારની કર્મભૂમિ ખાતે કરમસદ નાગરિક સમિતી દ્વારા ધરણાં કરી વિરોધ કરવામાં આવ્યો હતો. સૂત્રોનું જણાવવું છે કે, કરમસદના બસસ્ટેન્ડ વિસ્તારમાં યોજાયેલાં ધરણાં પ્રદર્શનમાં સમિતિના અતુલ પટેલ, મીથીલેશ અમીને અખંડ ભારતના શિલ્પ સરદાર પટેલનું અપમાન થયું હોવાની લાગણી વ્યક્ત કરી સરકાર દ્વારા ર્નિણય પરત લેવાની માગ કરી હતી. સરદાર પટેલના સમ્માન સાથે આ મુદ્દાને જાેડી આ આંદોલનને વેગ આપવામાં આવી રહ્યો હોવાનું ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યંુ છે. ‘સરદાર કા કર્જ ચૂકાના હૈ ખોયા સન્માન વાપસ દિલાના હૈ’ના સૂત્ર સાથે ધરણાં પ્રદર્શન થયું હતું. કરમસદ નાગરિક સમિતિ દ્વારા કરમસદ બસ સ્ટેન્ડ પાસે ધરણાં કાર્યક્રમ આયોજિત થયો હતો. આ ધરણાં પ્રદર્શનમાં આણંદના ધારાસભ્ય કાંતિ પરમારે પણ ઉપસ્થિત રહી વિરોધ પ્રદર્શનને સમર્થન આપ્યું હતું. આ કાર્યક્રમમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાસંદ ભરતભાઈ સોલંકી પણ ઉપસ્થિત રહ્યાં હતાં. તેઓએ આ આંદોલનને મુદ્દે ભાજપ સરકાર અને નરેન્દ્ર મોદીની નીતિ રીતિને વખોડી હતી. મોટેરા સ્ટેડિયમનું નરેન્દ્ર મોદી નામકરણ રદ કરવા માગણી કરી હતી. જાેકે, કોઈ અનિચ્છનીય ઘટના ના ઘટે તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.વધુ વાંચો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ