સુરત સમાચાર
-
રામનવમીએ કોમી ભડકોઃ ઠેરઠેર પથ્થરમારો ઃ ૧૭ની ધરપકડ
- 31, માર્ચ 2023 01:15 AM
- 1327 comments
- 7635 Views
વડોદરા, તા.૩૦રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ સહિતની કેટલીક ધાર્મિક સંસ્થાઓ દ્વારા આયોજીત શોભાયાત્રા પર બપોરે ફતેપુરા વિસ્તાર સહિત અનેક સ્થળે ભારે પથ્થરમારાના પગલે દહેશતનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં અનેકને ઈજાઓ પહોંચી હતી તથા પરિસ્થિત પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. દરમ્યાન પોલીસે ૩૫૦થી વધુ સીસીટીવી કેમેરાને આધારે મોડીરાત સુધીમા ૧૭ તોફાનીઓની ધરપકડ કરી લીધી હતી. આ તોફાનો દરમ્યાન અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યુ હતું. છેલ્લા અનેક વર્ષોથી શાંતિપૂર્ણ માહોલનો અહેસાસ કરી રહેલું વડોદરા આજે કોમી રમખાણોના છમકલાઓથી ફરી એકવાર અભડાયું હતું. આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત શ્રીરામની શોભાયાત્રા બપોરના સમયે ફતેપુરા વિસ્તારના કુભારવાડા ખાતેથી પસાર થઈ રહી હતી.આ તબક્કે ડીજે પર મોટા અવાજે હનુમાનચાલીસા વાગતા જ એ વિસ્તારના કેટલાં યુવાનો અને વિહિપના કાર્યકરો વચ્ચે બોલાચાલી થતાં વાતાવરણ ગરમાયુ હતું આ તબક્કે પોલીસે મધ્યસ્થી કરી બંને ટોળાઓને શાંત કરી વિખેરી નાંખ્યા હતા. પરંતુ થોડી જ વારમાં આ સમાધાન પડી ભાંગ્યુ હોય એમ અચાનક આજુબાજુની ગલીઓમાંથી પથ્થરમારો શરૂ થયો હતો. આ તબકકે શોભાયાત્રામાં સામેલ એક હજારથી વધુ વીએચપી કાર્યકરોમાં ઉશ્કેરાટનો માહોલ ફેલાયો હતો. જાે કે ઘટના સ્થળે ઉપસ્થિત પોલીસે તાત્કાલિક પરિસ્થિતિ પર કાબુ મેળવવા તોફાનીઓની દિશામાં ઘસી જતાં મામલો થોડા સમય માટે શાંત પડયો હતો. પરંતુ શ્રધ્ધેય ભગવાન રામની શોભાયાત્રા પરના પથ્થરમારાથી ઉશ્કેરાયેલા કાર્યકરોને માંડ માંડ શાંતિ જાળવવા સમજાવાયા હતા. એસ.એસ.જી. હોસ્પિટલની સામે આવેલ પંચમુખી હનુમાન મંદિરથી શરૂ થયેલી આ યાત્રા શાંતિપૂર્ણ રીતે અને ધાર્મિક માહોલ સાથે આગળ વધી રહી હતી. ત્યારે પાંજરીગર મહોલ્લા ખાતે તેના પર ભારે પથ્થરમારો થયો હતો. જાે કે આ યાત્રા એરપોર્ટ, સંગમ, ફતેપુરા, કારેલીબાગ પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી.ત્યાર બાદ એ યાત્રા જીવનભારતી સ્કુલ એલ એન્ડ ટી એરપોર્ટ થઈ ફરી પંચમુખી હનુમાન મંદિર ખાતે સંપન્ન થઈ હતી.દરમ્યાન ફતેપુરા કંુભારવાડા ખાતેથી નિકળેલી શ્રી રામની આવી જ એક અન્ય શોભાયાત્રા પર તલાટીની ઓફિસની બાજુની ગલીમાંથી તથા સામેની બાજુ આવેલા એક ધાર્મિક સ્થળ પરથી અચાનક ભારે પથ્થરમારો શરૂ થયો હતો. પોલીસે માંડ માંડ પરિસ્થિત થાળે પાડતા શોભાયાત્રા આગળ વધી હતી. પરંતુ ચાંપાનેર દરવજા પાસે ફરીથી આ શોભાયાત્રા પર ભારે પથ્થરમારો થયો હતો. યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે અગાઉ સમગ્ર માર્ગ પર ઠેર ઠેર પથ્થરમારો થતાં વડોદરામાં ભારેલો અગ્નિ છે તથા મોડીરાત્રે એ કોમી રમખાણોના જવાળામુખીમાં ન ફેલાય તે માટે સ્થાનિક પોલીસે કડક હાથે કામ લેવાનુ શરૂ કર્યું છે.આજે શ્રી રામની ત્રીજી શોભાયાત્રા ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા યોજાઈ હતી. જે પ્રતાપનગર વિસ્તારના રણમુકતેશ્વર મહાદેવ ખાતેથી નિકળી પથ્થરગેટ વિસ્તારના તાડફળિયા ખાતે આવેલા રામજીમંદિર ખાતે સંપન્ન થઈ હતી. આ સમગ્ર રૂટ સંવેદનશીલ વિસ્તાર હોવાથી પોલીસે અગાઉ બે શોભાયાત્રાઓ પર થયેલા ભારે પથ્થરમારાના પગલે અગમચેતીના પગલારૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો.એક તરફ પવિત્ર રમઝાન મહિનો ચાલુ છે તથા સમગ્ર લઘુમતી વિસ્તારોમાં સાંજ બાદ ધાર્મિક માહોલ સર્જાય છે ત્યારે આજે દિવસ દરમ્યાન થયેલા કોમી છમકલાઓ વધુ વકરે નહીં તે માટે પોલીસે ચારેબાજુ ઘોસ વધારી છે.વધુ વાંચો -
સુરતમાં બસમાં લાગેલી આગમાં ભાવનગરની મહિલાનું કરૂણ મોત નિપજ્તા પરિવારમાં શોક
- 21, જાન્યુઆરી 2022 01:30 AM
- 4077 comments
- 3282 Views
ભાવનગર, સુરત શહેરમાં ગઈકાલે રાત્રે એક બસમાં આગ લાગી હતી. જેમાં ભાવનગરની એક મહિલાનું મોત થયું છે. સુરતથી ભાવનગર જવા નીકળેલી રાજધાની ટ્રાવેલ્સની બસમાં ગઈકાલે એકાએક આગ લાગી હતી. આ બનાવમાં ભાવનગરનું નવયુગલ ભોગ બન્યું છે. જે પૈકી પરિણીતા ઘટના સ્થળે જ ભડથું થઈ જતા કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જયારે તેના પતિ પણ ગંભીર રીતે દાજી જતા હાલ હોસ્પિટલની બિછાને છે. આ ઘટનાથી ભારે અરેરાટી સાથે આઘાત છવાઈ ગયો હતો. આ બનાવની વિગતો મુજબ સુરતના યોગીચોક પાસે મંગળવારે મોડી રાત્રે રાજધાની ટ્રાવેલ્સની લકઝરી બસમાં આગ લાગતાં જ એસીનું કોમ્પ્રેસર ધડાકાભેર ફાટ્યું હતું. જેને કારણે આગ વધુ વિકરાળ બની હતી. બસમાં જમણી બાજુ ડબલ સીટ કેબિનમાં બેઠેલા યુગલમાંથી યુવક તો બહાર નીકળી ગયો હતો, પરંતુ મહિલા ત્યાં જ ફસાઈ જતાં તે જીવતી સળગી ગઈ હતી. આજે મૃતકના પરિવારજનોએ સુરત પહોંચી પરિણીતાએ પહેરેલી વીંટી, ઝાંઝર અને કપડાના આધારે શબ પરિણીતાનું જ હોવાનું ઓળખી બતાવ્યું હતું. પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી વિધિ બાદ મૃતદેહ સોપાતા બપોરે પરિવારજનો તાન્યાબેનનું શબ અને ઈજાગ્રસ્ત વિશાલભાઈને લઈને ભાવનગર આવવા નીકળ્યા હતા. જ્યા ભાવનગરમાં યુવતીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા.આ બનાવમાં ભોગ બનનાર સિંધી દંપતીની ગોવાથી અમદાવાદની આજે બુધવારની ફ્લાઈટ હતી પરંતુ કોવિડના કારણે તે ફ્લાઈટ કેન્સલ થઈ હતી. જયારે હવાઈ સેવાની કંપનીએ એક દિવસ અગાઉની સૂરતની ફ્લાઈટમાં ટિકિટની વ્યવસ્થા કરી આપતા મંગળવારે જ ગોવાથી પીકઅપ કરી દંપતી સૂરત જવા નીકળ્યું હતું, સાંજે ૫ વાગ્યા આસપાસ સુરત પહોંચ્યા અને ભાવનગર આવવા રાજધાની ટ્રાવેલ્સમાં હીરાબાગથી બેઠા હતા. તેની થોડી વારમાં જ આગ ફાટી નીકળી હતી.આ બનાવમાં ભોગ ગ્રસ્ત દંપતીના લગ્ન થયાને હજુ બે વર્ષ જ થયા હતા, ૧૭મીએ એનિવર્સરી હોવાથી આ દંપતી ગોવા ફરવા ગયું હતું. પીરછલ્લા શેરીમાં સાગર દુપટ્ટા નામે વ્યવસાય કરતા વિશાલ નારાયણભાઇ નવલાણી (રે. રસાલા કેમ્પ, ડોકટર હાઉસ સામે, રમ નંબર ૭, ઘર નં ૧૮૨) તેમના પત્ની તાન્યાબેન સાથે ગોવા ફરવા ગયા હતા. રિટર્ન ફરતી વખતે સુરતથી ખાનગી બસમાં ભાવનગર આવવા નીકળ્યા હતા.રાજધાની ટ્રાવેલ્સની બસની ડીકીમાં સેનેટાઇઝર હોવાથી આગ વધુ ભડકી હોવાનું ભોગગ્રસ્તના સગાઓએ જણાવ્યું હતું. આ મામલે ઊંડી તપાસ કરવા માંગ કરાઈ છે. સુરત બસ અકસ્માતમાં મૃત્યુ પામેલ ભાવનગરની દીકરી અને ઈજાગ્રસ્ત વ્યક્તિઓને સરકાર સહાય આપે તેમની ઉચ્ચ સારવાર કરાવે અને ઘટનાના જવાબદાર લોકો પર કાયદેસરની કડક કાર્યવાહી થાયે તેવી સમાજ સેવી કમલેશ ચંદાણીએ માંગ કરી છે.વધુ વાંચો -
જીએસટી વધારાના વિરોધમાં અમદાવાદના કાપડ ઉદ્યોગની ધોરી નસ સમાન મસ્કતી માર્કેટ જડબેસલાક બંધ
- 31, ડિસેમ્બર 2021 01:30 AM
- 5932 comments
- 2396 Views
કેન્દ્ર સરકારે કાપડ ઉદ્યોગ પર જીએસટી ના પાંચ ટકાથી વધારીને ૧૨% નો અધધ વધારો નાખતા આ વધારો કાપડના વેપારીઓને અસહ્ય થઈ પડતાં શહેરની કાપડ ઉદ્યોગની ધોરીનસ કહેવાતી મસ્કતી માર્કેટ સહિત ૨૫ નાના-મોટા કાપડ ઉદ્યોગની માર્કેટ હોય ૧૨% જી.એસ.ટી ના વિરોધમાં સજ્જડ બંધ પાળ્યો હતો કોરોના મહામારી દરમિયાન ધંધો પડી ભાંગ્યો હતો તેમાંથી માંડ બહાર આવી વેપાર-ધંધાની ગાડી ફરીથી પાટે ચડાવવાનો ભગીરથ પ્રયાસ કરતા વેપારી ને માથે ૧૨% જી.એસ.ટી નો માર પડતા શહેરના કાપડ ઉદ્યોગની ધોરી નસ કહેવાતી મસ્કતી માર્કેટના વેપારીઓએ નછૂટકે જીએસટીના મુદ્દે સરકાર સામે વિરોધનું રણશિંગુ ફુક્યું છે જીએસટી મુદ્દે વેપારીઓએ અનેકવાર સરકારને વિનંતી કરવા છતાં સરકારે કોઇ દાદ ન આપતા છે માટે વેપારીઓ એ અંધારપટ નો પ્રોગ્રામ આપી રસ્તા પર ઉતરી આવ્યા હતા છતાં સરકારના પેટનું પાણી ન હાલતા છેવટે મસ્કતી માર્કેટના તમામ વેપારીઓએ તાળાબંધી નો કાર્યક્રમ આપ્યો હતો સમગ્ર મસ્કતી માર્કેટ એ સજ્જડ બંધ પાળી સરકારની નીતિનો વિરોધ કર્યો હતો આ વિરોધમાં ૨૫ કાપડ ઉદ્યોગની માર્કેટ પણ જાેડાઈ હતી.વધુ વાંચો -
એલઆરડી પીએસઆઈ ની ભરતી પારદર્શક રીતે થશે હર્ષ સંઘવી
- 27, નવેમ્બર 2021 01:30 AM
- 6222 comments
- 9407 Views
ગાંધીનગર/સુરત, ગુજરાતમાં આગામી દિવસોમાં ૧૦ હજારથી વધુ એલઆરડી અને ૧૩૦૦ જેટલા પીએસઆઈની જગ્યાઓ માટે ભરતી થવાની છે. ત્યારે આ ભરતીને લઈને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, આ ભરતીમાં કોઈ પણ જાતની ગેરરીતિ કે લાગવગને કોઈ સ્થાન નથી. આ ભરતી પારદર્શક રીતે થશે. તેમજ ઉમેદવારોએ એજન્ટો કે વચેટિયાઓની વાતોમાં ભોળવાઈ ન જવા ગૃહ રાજ્ય મંત્રીએ અપીલ કરી છે. રાજ્ય સરકારના પોલીસ ભરતી બોર્ડ દ્વારા આગામી દિવસોમાં લોક રક્ષક દળ (એલઆરડી)માં ૧૦,૪૫૯ જેટલી જગ્યાઓ તેમજ ૧૩૦૦ જેટલા પીએસઆઈની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જેમાં એલઆરડીની ૧૦,૪૫૯ જગ્યાઓ માટે ૯.૬૦ લાખ કરતા વધુ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. તેવી જ રીતે ૧૩૦૦ પીએસઆઈની જગ્યાઓ માટે પણ લાખોની સંખ્યામાં યુવાનોએ અરજીઓ કરી છે. એલઆરડી અને પીએસઆઈની ભરતી માટે રાજ્યના લાખો યુવાનો તેઓ સફળ થશે તેવી આશાઓ સાથે મહેનત કરી રહ્યા છે. ત્યારે આ યુવાનોમાં કઈક અંશે અંદર ખાને એવો ડર પણ છે કે, અગાઉની પરીક્ષાઓની જેમ પેપર લીક નહી થાય ને? આ સંજાેગોમાં પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ દ્વારા તાજેતરમાં એવું જણાવાયું છે કે, આ ભરતી પ્રક્રિયામાં કોઈ ગેરરીતિને સ્થાન નથી. ત્યારે આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ હસમુખ પટેલની આ વાતને દોહરાવી હતી. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ ભરતી સંપૂર્ણ પારદર્શક રીતે કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ કોઈ સ્થાન નથી. ગૃહ રાજ્ય મંત્રીએ ઉમેદવારોને એમ પણ જણાવ્યું હતું કે, ઉમેદવારો કોઈ પણ એજન્ટોની ચંગુલમાં આવે નહિ, તેમજ કોઈ પ્રલોભનનો શિકાર બને નહિ. આ સમગ્ર ભરતી પ્રક્રિયા ઉપર જિલ્લાભરની પોલીસ પણ ચાંપતી નજર રાખી રહી છે. પોલીસ આવા એજન્ટોને શોધી રહી છે. હજુ કેટલાક ઉમેદ્વ્વારો લાગવગ થશે તેવી આશાઓ રાખીને બેઠાં છે. ક્યાંક ને ક્યાંક વચેટિયાઓ પણ પૈસા લઈને નોકરી અપાવવાની વાતો કરીને ઉમેદવારો સાથે છેતરપીંડી કરી રહ્યા છે. ભૂતકાળમાં પણ આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા પોલીસ ભરતી બોર્ડની રચના કરવામાં આવી છે. ત્યારે આ ભરતી પ્રક્રિયામાં સંપૂર્ણ ગોપનિયતા જળવાય તેમજ મહેનતુ ઉમેદવારોને ન્યાય મળે તેવી દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે તેમ પણ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.વધુ વાંચો -
પીડિતાના કહેવાતા આપઘાતનો વીડિયો વાયરલ ઃ હત્યાની શંકા દૃઢ બની?
- 27, નવેમ્બર 2021 01:15 AM
- 7244 comments
- 4238 Views
વડોદરા, તા.૨૬વેક્સિન ગ્રાઉન્ડ રેપકાંડનો ભોગ બનેલી પીડિતાનો અંતિમ વીડિયો બહાર આવ્યો છે. ટ્રેનમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં આ વીડિયોએ અનેક સવાલો ઊભા કર્યા છે. વીડિયોમાં સ્પષ્ટપણે જાેઈ શકાય છે કે પીડિતાના મૃતદેહના પગ જમીન ઉપર અડેલા છે અને જે ઓઢણીથી ગળાફાંસો ખાધો હોવાનું દેખાય છે એ ફંદો માત્ર ગળા પર છે, જ્યારે ગરદન આખી ખૂલ્લી છે. ફાંસાનો ફંદો ગળા અને ગરદન બંને પર ઘટ્ટ ભીંસાય તો જ વ્યક્તિનું મોત થઈ શકે એ જાેતાં આ મામલો આત્મહત્યાનો છે કે હત્યાનો એવી શંકા ઊભી થઈ છે. વલસાડ રેલવે સ્ટેશન ખાતે ટ્રેનમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં પીડિતાનો વીડિયો આજે બહાર આવ્યો છે જેમાં પોલીસ પંચક્યાસ કરી રહેલી દેખાય છે. વીડિયોને ધ્યાનથી જાેતાં આ મામલો આત્મહત્યાને બદલે હત્યાનો હોવાનું લાગી રહ્યું હોય એવા તર્કવિતર્ક ખુદ પોલીસ માટે ઊભા થયા છે. પીડિતાના કહેવાતા આપઘાત બાદનો વીડિયો અનેક સવાલ ઊભા કરે છે. જાે કે, પોલીસ અગાઉથી જ આ મામલો હત્યાનો હોઈ શકે છે એવું માની એ દિશામાં પણ તપાસ કરી છે. ત્યારે એનું મોત નીપજાવાથી કોને લાભ થશે અને કયા કારણોસર એની હત્યા થઈ હોઈ શકે એવા કારણોની શોધખોળ પણ પોલીસ કરી રહી છે. શું એ મીડિયા સમક્ષ જઈને કોઈ વ્યક્તિના, કે વ્યક્તિ સમૂહના ગુનાહિત ભંડા ફોડી નાખશે એવી કોઈ બીક ધરાવનારાઓએ એનું મોઢું કાયમ માટે બંધ નથી કરાવ્યું ને? એ દિશામાં પોલીસ વધુ ગંભીરતાથી તપાસ કરી રહી છે. જે વીડિયો બહાર આવ્યો છે એમાં જાેઈ શકાય છે કે પીડિતાના પગ કોચના ફલોરને અડેલા છે અને યુવતીની બાજુમાં સીટ છે તેને પણ તેનો દેહ અડેલો છે. મહત્ત્વની વાત તો એ છે કે જે ઓઢણી લટકાવી એને ફાંસો ખાધો હોવાનું કહેવાય છે. એ ફંદાને ગાંઠ પણ મારેલી નહીં હોવાનું વીડિયોમાં સ્પષ્ટપણે જાેઈ શકાય છે જેને લઈને અનેક શંકાઓ ઊભી થઈ છે. વલસાડ રેલવે સ્ટેશન પર ૪ નવેમ્બરના રોજ ગુજરાત ક્વિન એક્સપ્રેસ ટ્રેનની સફાઈ કરતા કામદારને ખાલી કોચમાંથી યુવતીની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી. તાત્કાલિક વલસાડ રેલવે સ્ટેશન માસ્તર અને રેલવે પોલીસની ટીમને ઘટના અંગે જાણ કરી હતી. પોલીસે તરત જ પહોંચી તપાસ કરતાં પીડિતા પાસેથી ટિકિટ કે પાસ મળી આવ્યા ન હતા. જાે કે, યુવતી પાસેથી મળેલા ફોનના આધારે નવસારી રહેતા પરિવારનો સંપર્ક કરાયો હતો. રેલવે પોલીસે યુવતીના મોત અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી નવસારી જઈ તપાસ કરતાં એના રૂમમાંથી મળેલી ડાયરીમાં સામૂહિક દુષ્કર્મ ગુજારાયો હોવાનું બહાર આવતાં પોલીસ ચોંકી ઊઠી હતી અને તપાસ માટે વડોદરા આવી વેક્સિન મેદાન અને જે સંસ્થામાં કામ કરતી હતી એ ઓએસીસમાં તપાસ હાથ ધરી હતી. બાદમાં શહેર ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જાેડાઈ હતી અને દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. બીસીએનો કર્મચારી બાયોબબલ છોડી પોલીસને સીસીટીવી ફુટેજ આપવા દોડયો વડોદરા. ગેંગરેપની ઘટનાની તપાસમાં વેક્સિન મેદાન અને ઓએસીસની ઓફિસની આસપાસના માર્ગો-રહેઠાણો, દુકાનો, શો-રૂમ, ઓફિસોના સીસીટીવી ફુટેજ પોલીસ મેળવી રહી છે. ત્યારે બરોડા ક્રિકેટ એસોસિયેશનની ઓફિસ પણ નજીકમાં જ આવેલી હોવાથી પોલીસે બીસીએ પાસેથી સીસીટીવી ફુટેજની માગણી કરતાં જવાબદાર ઈસમ દિનેશ ગંગવાણી કુચબિહાર ટ્રોફીને લઈ બાયોબબલ હેઠળ વેલકમ હોટલમાં હોવા છતાં બબલ છોડી બીસીએની કચેરીએ દોડી આવ્યો હતો. ઓએસીસના સંચાલકોએ બચાવ માટે વાલીઓ-વિદ્યાર્થીઓને ઢાલ બનાવ્યાં? વડોદરા, તા. ૨૬ ઓેએસીસ સંસ્થાના સંચાલકોએ ૧૮ વર્ષની યુવતી પર વેકસીન ઈન્સ્ટીટ્યુટના મેદાનમાં થયેલા પાશવી બળાત્કારની વાત ઈરાદાપુર્વક છુપાવી રાખવાનું પાપ આચર્યું છે અને તેના કારણે બળાત્કાર પિડીતાને આપઘાત કરવાની ફરજ પડી છે. જાેકે યુવતીએ આપઘાત કર્યો કે તેની હત્યા કરાઈ છે તે મામલે પણ વિવાદ છે પરંતું આવું હિનકૃત્ય કર્યા બાદ પણ ઓએસીસ સંસ્થાના સંચાલકોએ ભુલ સ્વીકારવાના બદલે છેલ્લા ૨૨ દિવસથી સતત ચુપકિદી સેવી છે. દરમિયાન ઓએસીસ સંસ્થાની ભેદી પ્રવૃત્તીઓની તપાસ માટે શહેર પોલીસ કમિ.એ એસીપી ચૈાહાણને આદેશ કરતા જ સંસ્થાના સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. અત્યાર સુધી માધ્યમોથી સતત અંતર રાખતા ઓએસીસ સંસ્થાના સંચાલકોએ હવે બચાવ માટે પોતાની સંસ્થામાં ફેલોશીપ કરતી માસુમ વિદ્યાર્થીઓ અને તેઓના વાલીઓને ઢાલ બનાવીને પોલીસ સમક્ષ સંસ્થાની તરફેણ માટે આગળ ધર્યા છે. ગઈ કાલે સુરત અને નવસારીથી આવેલા કેટલાક વાલીઓએ તેઓના સંતાનો સાથે શહેર પોલીસ કમિ.કચેરી ખાતે આવેદનપત્ર આપવા ગયા હતા. જાેકે પોલીસ કમિ. નહી મળતા આજે આ ટોળું રેલવે પોલીસના એસપી પરિક્ષીતા રાઠોડને મળ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્ર આપ્યા બાદ કેટલાક વાલીઓએ માધ્યમો સાથે વાતચિત કરી હતી જેમાં તેઓએ ઓએસીસ સંસ્થામાં તેઓના સંતાનો ફેલોશીપ કરે છે અને તેઓને કોઈ સમસ્યા નથી તેમ જણાવી સંસ્થાને આ વિવાદમાં નહી લાવવા માટે જણાવ્યું હતું. તેઓની સાથે હાજર કેટલીક ચબરાક વિદ્યાર્થીનીઓએ પણ તેઓની સહકર્મી વિદ્યાર્થિની પર બળાત્કારના મુદ્દે કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો પરંતું તેઓની સંસ્થાને ટાર્ગેટ નહી બનાવવા માટે માધ્યમોમાં વિનંતી કરી હતી. બ્રેઈનવોશ્ડ યુવતી કહે છે વાલીઓ તેઓની મરજી સંતાનો પર થોપી ના શકે રેલવે પોલીસના એસપી કચેરી ખાતે ઓએસીસ સંસ્થામાં ફ્ેલોશીપ કરતી યુવતીઓ પણ આવી હતી. આ યુવતીઓનું સંસ્થામાં કેટલી હદે બ્રેઈનવોશ કરાયુ છે તેનો જીવંત દાખલો માધ્યમોને મળ્યો હતો. યુવતીઓએ તેઓ આ સંસ્થામાં સ્વેચ્છાથી આવી છે તેમ કહેતા એવી પણ વણમાંગી સુફિયાણી સલાહ આપી હતી કે પુત્રીઓ હમેંશા પિતાને વ્હાલી હોય છે પરંતું ૧૮ વર્ષની થયા બાદ હવે તેઓ પોતાનો નિર્ણય લેવા આઝાદ છે અને વાલીઓએ પણ તેઓની મરજી તેઓના પુખ્તવયના સંતાનો પર થોપવી ના જાેઈએ. પોલીસ વિદ્યાર્થીઓને કનડગત ના કરે તેવી વાલીઓની રજૂઆત રેલવે એસપી કચેરી ખાતે નવસારીના બે વાલીઓ સંજય ગાયકવાડ અને મહેન્દ્ર કોરાટે માધ્યમોને જણાવ્યું હતું કે તેઓના સંતાનો ઓએસીસમાં ફેલોશીપ કરી રહ્યા છે અને તેઓને કોઈ તકલીફ નથી. તેેઓએ બળાત્કાર પિડીતા અને તેના પરિવારજનો પ્રત્યે સહાનુભુતિ દાખવવાના બદલે પિડીતાની માતા તેમજ અન્ય વાલીઓએ સંસ્થા સામે ઉઠાવેલા વાંધા ખોટા છે તેમ કહી સંસ્થાને બચાવવાનો ભરપુર પ્રયાસ કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે પોલીસ નિતિમત્તા રાખી તપાસ કરે અને સંસ્થામાં વાલીઓ વિના રહેતા વિદ્યાર્થીઓને ખોટી રીતે હેરાનગતિ ના થાય તે રીતે કામગીરી કરે. ઓએસીસમાં રહીને મળતી આઝાદી કાલની ગુલામી છે માતા-પિતા અને પરિવારથી અલગ રહીને મનફાવતી પ્રવૃત્તી કરતા વિદ્યાર્થીઓ અને ઓએસીસ સંસ્થા સામે જાણીતા યુટ્યુબર શુભમ મિશ્રાએ આજે વેકસીન મેદાન પર બળાત્કારના ઘટનાસ્થળે મિડિયા સમક્ષ બળાપો ઠાલવ્યો હતો કે જે વિદ્યાર્થીઓને હાલમાં પરિવારથી અલગ રહે છે તેને આઝાદી માને છે ખરેખરમાં તે જ આવતીકાલની ગુલામી હશે. ઓએસીસ સંસ્થાએ ખરેખરમાં પિડીતાને બળાત્કારની ઘટનાબાદ તુરંત મદદ કરવાની જરૂર હતી પરંતું તેઓએ મદદ નહી કરતા યુવતીએ આપઘાત કર્યો છે. સંસ્થાની આવી કાર્યનિતી અને યુવતી સાથે ફેલોશીપ કરતી અને સંસ્થાની વાહવાહ કરી રહેલી સહવિદ્યાર્થિનીઓને પણ તેમણે સવાલ કર્યો હતો કે તમે મદદ કરવાના બદલે કેમ ચુપ રહ્યા ? અને હવે સંસ્થાને બચાવવા માટે કેમ આગળ આવો છો ? રાજકીય અગ્રણીઓ કેમ ચૂપ છે? સંસ્કારી નગરી વડોદરામાં બહારની યુવતી પર આ રીતે થયેલા બળાત્કારના ઘટનાથી ભારે વ્યથિત યુુટ્યુબર શુભમ મિશ્રાએ આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વડોદરામાં રાજયકક્ષાના મંત્રીઓ અને રાજકિય અગ્રણીઓ હાજર છે છતાં તેઓએ આવી ગંભીર ઘટના થવા છતાં ઓએસીસ સંસ્થા સામે કેમ ચુપકિદી સેવી છે ?. તેમણે એવો પણ ભય વ્યક્ત કર્યો હતો કે વડોદરાની છબિ ‘રેપ સિટી’ તરીકે ખરડાશે તો કોઈ પણ બહારની યુવતી-મહિલા વડોદરામાં રહેવા માટે ગભરાશે. સંસ્કારીનગરીની છબિ આ રીતે ના ખરડાય અને કોઈ પણ મહિલા વડોદરામાં તે સલામત હશે તેવી ખાત્રી સાથે આવે તે માટે રાજકિય અગ્રણીઓએ પણ આગળ આવવું પડશે. શું સ્ફોટક ડાયરી મેળવવા માટે જ કોઈ વ્યકિત પીડિતાનો પીછો કરતી હતી? ગેંગરે૫ની પીડિતાની અંગત ડાયરીના પાનાં કોણે ફાડ્યા એ વિષયે હજુ કોઈ ભેદ નથી ખૂલી રહ્યો, ત્યારે પીડિતા જે સંસ્થા સાથે સંકળાયેલી એના અગ્રણીઓએ વાજબી દલીલ કરતાં કહ્યું કે જાે અમારામાંથી કોઈએ એ પાનાં ફાડ્યાં હોય તો આખી ડાયરી જ ના ફાડી નાખત? આ સંજાેગોમાં હવે એવો પ્રશ્ન પણ ઊભો થયો કે ડાયરીના બે પાનાંનો નાશ થયા બાદ એ ડાયરીમાં બીજું પણ ઘણું બધું ગંભીર અને જેલ સુધી લઈ જાય એવા લખાણો હશે તો? એવા વિચારે બે પાનાં ફાડનાર અથવા યુવતી પાસે બળજબરીથી ફડાવનારને પાછળથી એ સંપૂર્ણ ડાયરીનો નાશ કરવાની જરૂરિયાત ઊભી થઈ હોઈ શકે અને એટલે જ એ ડાયરી મેળવવાના ઈરાદે કોઈએ પીડિતાનો પીછો કર્યો હોય જે અંગે ખુદ પીડિતાએ પોતાના આખરી સંદેશામાં પણ જણાવ્યું છે. પીછો કરનારે જ્યારે એને ખાલી ટ્રેનના કોચમાં ઝડપી હોય ત્યારે એની પાસેથી ડાયરી નહીં મળી આવતાં સંભવિત ગંભીર આક્ષેપોથી ડરેલી વ્યક્તિએ કે તેના ઈશારે અન્યએ યુવતીને ગળાફાંસો આપી અથવા પહેલાં મોતને ઘાટ ઉતારી પાછળથી ગળાફાંસો હોવાનું ગેરમાર્ગે દોરવા ઓઢણી ગળામાં નાખી એને લટકાવી દીધી હોય એવી પણ એક શક્યતા પોલીસ ચકાસી રહી છે. જે કોઈ વ્યક્તિ આવું કરવામાં સંડોવાયેલી હોય એ સ્વાભાવિક રીતે જ એવો મુદ્દો ઉઠાવી સંતોષ લઈ રહી હશે કે સીસીટીવી ફુટેજમાં કોઈ વ્યક્તિ એનો પીછો કરતી કે ખાલી ટ્રેનમાં એની પાછળ જતી દેખાઈ નથી. પોલીસ તપાસની માહિતીના આધારે આ મુદ્ાને હાશકારા સાથે ઉઠાવાઈ રહ્યાનું પણ પોલીસને લાગી રહ્યું છે. પીડિતાની એ ડાયરી એના સામાનમાં ન હતી અને પાછળથી એના નવસારીના ઘરેથી મળી એ તો પોલીસના દસ્તાવેજી રેકોર્ડ પર છે. જાે એ ડાયરી યુવતીનો પીછો કરનાર વ્યક્તિને મળી ગઈ હોત તો કદાચ પીડિતા પર ગેંગરેપ થયાની બાબત પણ ક્યારેય બહાર જ નહીં આવત અને ગેંગરેપની જાણ હોવા છતાં જવાબદાર નાગરિકો તરીકે પોલીસને જાણ નહીં કર્યાના ગુનાની પણ હાલ ચાલતી ચર્ચા શરૂ જ ન થઈ હોત.વધુ વાંચો -
સુરત લવાયેલા ૧ કરોડના ગાંજા સાથે ત્રણની ધરપકડ
- 23, નવેમ્બર 2021 01:30 AM
- 2714 comments
- 4563 Views
સુરત, સુરત શહેરમાં ટ્રાન્સપોર્ટની આડમાં ગાંજાનો જથ્થો ઘુસાડવાનાં નેટવર્કને ઝડપી પાડવામાં શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસને સફળતા હાથ લાગી છે. પોલીસે વેડછા પાટિયા પાસે વોચ ગોઠવી ગાંજાનો જથ્થો ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો. પોલીસે એક કરોડના ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જયારે ત્રીજા આરોપીને ડીંડોલીમાંથી ઝડપી લીધો હતો. પોલીસે ત્રણેયની ધરપકડ કરી એક કરોડનો ગાંજા ઉપરાંત મોબાઈલ, રોકડા રકમ, ટેમ્પો મળી કુલ ૧.૧૨ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જયારે પોલીસે એકને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે ઓરિસ્સાથી એક ટેમ્પોમાં ટ્રાન્સપોર્ટ મારફતે ગાંજાનો મોટો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે. જે ટેમ્પો વેડછા પાટિયા તરફથી સુરત શહેરમાં પ્રવેશ કરશે. જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રવિવારે પોણા સાતેક વાગ્યાના આરસામાં સુરત કડોદરા રોડ વેડછા પાટીયા વિનાયક પેટ્રોલપંપ નજીક માધવપાર્ક ટ્રાન્સપોર્ટના ગોડાઉનની બાજુમાં વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીમાં વર્ણનવાળો ટેમ્પો (એમ.એચ.૧૮.બીજી.૨૮૯૧) નજરે પડતા પોલીસે તેને અટકાવી તલાશી લેતા તેમાંથી ગાંજાનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો. જેથી આખરે પોલીસે ટેમ્પો સાથે મોહમદ ફઈમ મોહમદ રફીક શેખ (રહે. ખલીફા સ્ટ્રીટ અઘારીની ચાલ નાનપુરા) તથા મોહમદ યુસુફ ગોસ મોહમદ શેખ (રહે. ખ્વાજાના દરગાહ બડેખા ચકલા) અને અરૂણ સાહેબરાવ મહાડીક (રહે. ડિંડોલી)ને ઝડપી પાડયા હતા. ક્રાઈમ બ્રાન્ચે ટેમ્પોમાંથી ૧૦૦.૨૯ કિલો વજનનો ગાંજા જેની કિંમત રૂપિયા ૧,૦૦,૯૨,૯૦૦, મોબાઈલ નંગ-૪, રોકડા ૭૭૦ અને અશોક લેલન કંપનીનો ટેમ્પો મળી કુલ રૂપિયા ૧,૧૨,૧૪,૬૭૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓની પુછપરછ દરમિયાન કરેલી કબુલાતને પગલે ગાંજાનો જથ્થો મોકલનાર દિલીપ ગોડા (રહે. ઓડિશાના ગંજામના બરામપુર )ને વોન્ટેડ જાહેર કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસનું દબાણ વધતા ઓડિશાથી ગાંજાના સપ્લાયરો હવે ટ્રેનના બદલે ટ્રાન્સપોર્ટ મારફતે શહેરમાં ગાંજા ઘુસાડવાનો કિમીયો અપનાવ્યો છે પરંતુ પોલીસની નજરથી તેઓ ટ્રાન્સપોર્ટ મારફતે પણ શહેરમાં ગાંજાે ઘુસાડવાના પ્રયાસો નિષ્ફળ નીવડી રહ્યા છે. મોટા માથાઓનાં નામો ખુલવાની શક્યતા ડીસીબી પોલીસે એક કરોડથી વધુની રકમના ગાંજાના જથ્થા સાથે બે આરોપીને ઝડપી પાડ્યા છે. જે બે પૈકી એક સુરતનો જ બડેખાંચકલાંનો છે. પોલીસે આખી રાત આરોપીની પૂછપરછ કરી હતી. જેમાં મોટા માથાઓના નામો ખુલવાની સંભાવના પોલીસ સેવી રહી છે. હાલ તો પોલીસે સુરતમાં આટલા મોટા પ્રમાણમાં ગાંજાે મગાવનાર કોણ છે? ગાંજા માટે ફાયનાન્સર કોણ છે? અગાઉ કેટલી વાર લાવ્યા અને સુરતમાં કોને કોને સપ્લાય કરવામાં આવે છે તે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરી છે. આરોપીઓના ચાર તારીખ સુધીના રીમાન્ડ મંજુર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મોડીરાત્રે આખું નેટવર્ક ઝડપી પાડ્યા બાદ આજે બપોરે મોહમદ ફઈમ મોહમદ રફીક શેખ, મોહમદ યુસુફ ગોસ મોહમદ શેખ અને અરૂણ સાહેબરાવ મહાડીક ને કોર્ટમાં રજુ કર્યા હતા. પોલીસે આ ત્રણેય આરોપીઓના આગામી તારીખ ૪ ડિસેમ્બર સુધીના રીમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રીમાન્ડ દરમિયાન સમગ્ર નેટવર્કમાં કોનો-કોનો હાથ છે,ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યા અને કોને આપવાનો હતો, કેટલા સમયથી આ હેરાફેરી ચાલે છે તે તમામ દિશામાં તપાસ કરવામાં આવશે.વધુ વાંચો -
માનહાનિ કેસમાં આજે સુરત કોર્ટમાં હાજર થશે રાહુલ ગાંધી, જાણો શું છે સમગ્ર મામલો
- 29, ઓક્ટોબર 2021 02:59 PM
- 967 comments
- 4949 Views
સુરત-કોંગ્રેસના નેતા અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી શુક્રવારે સુરતમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર થશે અને ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા તેમની "મોદી અટકની ટિપ્પણી" પર દાખલ કરવામાં આવેલા ફોજદારી માનહાનિ કેસમાં તેમનું નિવેદન નોંધશે. એ.એન.દવેની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે કોર્ટમાં બે સાક્ષીઓના નિવેદનો બાદ રાહુલને 25 ઓક્ટોબરે કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો છે.રાહુલ અગાઉ 24 જૂને કોર્ટમાં હાજર થયો હતો.આ કેસ 13 એપ્રિલે કર્ણાટકમાં ચાલી રહ્યો હતો. 2019. કે કોલારમાં લોકસભાની ચૂંટણી રેલીમાં રાહુલની કથિત ટિપ્પણી સાથે સંબંધિત છે. રેલી દરમિયાન, રાહુલે કથિત રીતે કહ્યું હતું કે, "મોદીના નામે બધા ચોર કેમ છે, પછી તે નીરવ મોદી, લલિત મોદી અને નરેન્દ્ર મોદી હોય?"ગુજરાત મોઢવાણિક સમાજના પ્રમુખ પૂર્ણેશ મોદીની ફરિયાદ પર સુરતમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ IPCની કલમ 499 અને 500 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.પૂર્ણેશ મોદી ગુજરાત સરકારમાં પ્રવાસન અને પરિવહન મંત્રી છે. આ કેસમાં રાહુલ બે વખત સુરત કોર્ટમાં હાજર થઈ ચૂક્યો છે. બે નવા સાક્ષીઓની જુબાની બાદ કોર્ટે રાહુલને ફરી હાજર થવા મૌખિક સૂચના આપી છે. ગુજરાતમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી છે, તેથી રાહુલની આ મુલાકાતને ઉત્સવ અને રાજકીય રેલીમાં પરિવર્તિત કરવા ગુજરાત કોંગ્રેસ જોરશોરથી તૈયારી કરી રહી છે.ગુરુવારે સુરત શહેર કોંગ્રેસ સમિતિની બેઠક મળી હતી. જેમાં રાહુલ ગાંધીની સુરત મુલાકાતની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાહુલ બપોરે 2 વાગ્યાની આસપાસ સુરત એરપોર્ટ પહોંચશે. અહીં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે. નોંધનીય છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષના નેતા માટે રાજ્યમાં નેતાઓની શોધ ચાલી રહી છે અને રાહુલે નવી દિલ્હીમાં પ્રદેશ કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે બેઠકોના અનેક રાઉન્ડ પણ કર્યા છે.ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને રાજસ્થાનના આરોગ્ય મંત્રી ડો.રઘુ શર્માએ મામલાને નવો વળાંક આપતા ભાજપ પર તેમને હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે કોંગ્રેસ દેશમાં દાયકાઓ સુધી સત્તામાં રહી. આ દરમિયાન ભાજપના નેતાઓએ કોંગ્રેસના નેતાઓ અને વડાપ્રધાનો વિરુદ્ધ વિવિધ નિવેદનો કર્યા હતા, પરંતુ કોંગ્રેસના નેતાઓ ક્યારેય તેમની વિરુદ્ધ કોર્ટમાં ગયા નથી. રઘુ શર્માએ કહ્યું કે ભાજપ કોંગ્રેસ અને વિપક્ષના નેતાઓને પરેશાન કરવાની રણનીતિ અપનાવી રહી છે. શર્માનો આરોપ છે કે ભાજપે સત્તામાં રહીને ગરીબ પછાત માટે કોઈ સારું કામ કર્યું નથી. કોરોના મહામારી દરમિયાન ભાજપ સરકારોનું વલણ જનવિરોધી અને પ્રજાની ઉપેક્ષાથી ભરેલું હતું. શર્માએ કહ્યું કે કોંગ્રેસ મોંઘવારી, ભ્રષ્ટાચાર અને ભાજપની જનવિરોધી નીતિઓ સામે રસ્તા પર ઉતરશે અને પુરી તાકાતથી આંદોલન ચલાવશે.વધુ વાંચો -
સુરત મહાનગર પાલિકાએ લીધો મહત્વનો નિર્ણય,દિવાળીમાં ફરવા જતા લોકો માટે RTPCR ટેસ્ટ ફરજિયાત
- 27, ઓક્ટોબર 2021 05:47 PM
- 2877 comments
- 3127 Views
સુરત-દિવાળીના તહેવાર દરમિયાન કોરોનાના કેસ ન વધે તે માટે સુરત મહાનગર પાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. દિવાળીના તહેવાર માટે બહાર જનારા લોકો માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકાએ દિવાળી પર બહાર જતા લોકોને પરત ફરતી વખતે ફરજિયાત RTPCR ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે. શહેરની બહાર ગયા બાદ ઘરે પરત ફરવાના 72 કલાક પહેલા RTPCR ટેસ્ટ માન્ય ગણવામાં આવશે.મોટા ભાગના લોકો દિવાળી પર વતન જાય છે જ્યારે કેટલાક દિવાળી વેકેશનમાં વિદેશ જાય છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સાવચેતીના ભાગ રૂપે કોરો ગામમાં સંક્રમણ ફેલાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. તેથી જ રાજ્યભરમાં લોકો દિવાળી માટે ઉમટી રહ્યા છે. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. આ સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. જેથી કોરોના રોગચાળો ફાટી નીકળતો અટકાવી શકાય. આવી સ્થિતિમાં લોકોએ હજુ પણ સાવચેત રહેવાની જરૂર છે. અન્યથા કોરોના મહામારીમાં સ્થિતિ ફરી વણસી શકે છે.વધુ વાંચો -
રત્નકલાકારોને બોનસ નહીં આપતી કંપનીને ડાયમંડ વર્કર યુનિયનની નોટિસ
- 25, ઓક્ટોબર 2021 11:56 AM
- 4593 comments
- 4263 Views
સુરત-સુરત શહેરની અમુક હીરા પેઢીઓ દ્વારા રત્નકલાકારોને બોનસ એક્ટ હેઠળ બોનસ આપવામાં આવતું નથી, ત્યારે શનિવારના રોજ લેબર વિભાગ દ્વારા રત્નકલાકારોને દિવાળીનું બોનસ ચૂકવવામાં આવે એ માટે સુરત ડાયમંડ એસોસિએશનને પત્ર લખી રત્નકલાકારો અને કંપનીઓ વચ્ચે બેઠક કરી બોનસના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માટે જાણ કરી છે. ડાયમંડ વર્કર યુનિયનના વાઈસ પ્રમુખ ભાવેશ ટાંક કહ્યું કે, હીરા ફેક્ટરીઓમાં કામ કરતાં કર્મચારીઓને બોનસ એક્ટ હેઠળ બોનસ અપાતું નથી એટલા માટે અમે બે દિવસ પહેલા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. જે અંતર્ગત આજે વરાછા અને કતારગામની ત્રણ હીરા પેઢીને લેબર વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે.હીરા ઉદ્યોગમાં તેજી છે તેમ છતાં અમુક હીરા પેઢી દ્વારા રત્નકલાકારોને બોનસ એક્ટ હેઠળ બોનસ આપવામાં આવતું નથી, જેથી લેબર વિભાગે વરાછા અને કતારગામની ૩ હીરા પેઢીને નોટીસ ફટકારી હતી. શહેરના હીરા ઉદ્યોગના કારખાનાઓ અને કંપનીમાં રત્ન કલાકારોને દિવાળી બોનસ સહિત અન્ય લાભો આપવામાં આવતા નથી. જેને લઈને બે દિવસ પહેલા ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કલેક્ટરને આવદન પત્ર અપાયું હતું. ૫૦ જેટલી હીરા પેઢી દ્વારા રત્નકલાકારોને દિવાળીના તહેવારે બોનસ તથા ઓવર ટાઈમનો પગાર સહિત અન્ય લાભો આપવામાં આવતા નથી. કલેકટરને રજૂઆત બાદ સુરત લેબર વિભાગે તપાસ હાથ ધરી વરાછા-કતારગામની અહંમ જેમ્સ, ધરતી ડાયમંડ અને મારૂતિ ડાયમંડ કંપનીને નોટિસ ફટકારી હતી. જેમાં બોનસ ચૂકવણી અધિનિયમ ૧૯૬૫ અન્વયે તથા અન્ય શ્રમકાયદા બાબતે નોટિસ ફટકારીને જવાબ માંગવામાં આવ્યો છે.વધુ વાંચો -
સુરત સ્વામિનારાયણ સંતે માતાજી પર ટિપ્પણી કરતા વિવાદ, પાંચ શખ્સોએ મંદિરમાં ઘૂસીને કરી તોડફોડ
- 18, ઓક્ટોબર 2021 11:09 AM
- 1069 comments
- 9429 Views
સુરત-સુરત અમરોલી વિસ્તારના હરસિધ્ધિ સોસાયટીમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં થોડા દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. સ્વામિનારાયણ મંદિરના સ્વામીને ધમકી આપવાની ઘટના સામે આવી છે. ફોન પર ધમકી આપનારા માવદાન અને હાર્દિક ગઢવી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ ચારથી પાંચ શખ્સોએ મંદિરમાં ઘૂસીને કરી તોડફોડ પણ કરી હતી. સ્વામીએ જૂનાગઢમાં અતિ પ્રસિદ્ધ એવા નાગબાઈ માતાજીને લઈને ટિપ્પણી કરી હતી. મંદિરમાં જઈને જ્ઞાનપ્રકાશદાસજી સ્વામીએ અપમાનજનક ટીપ્પણી કરી હોવાના નામે કારણે માર માર્યો હતો. જ્ઞાનપ્રકાશદાસજી સ્વામીએ માફી માગવા માટે ભક્તોએ કહ્યું હતું. જૂનાગઢમાં અતિ પ્રસિદ્ધ એવા નાગબાઈ માતાજીને લઈને તેમની સરખામણી અપ્સરા તેમ જ સુંદર મહિલા સાથે કરી હોવાનો સંદર્ભ અને તેની વાત કરી હતી છતા ભાવિકોએ હુમલો કર્યો હતો. મંદિરના સ્વામી દ્વારા દેવીનું અપમાન કરતી ટિપ્પણીઓ કરી હોવાનો આરોપ લાગ્યો હતો બાદમાં માતાજીના ભક્તોનો રોષ વધ્યો.માફી માગ્યા બાદ વિવાદનો અંત આવ્યો હતો છતા હુમલો કરવામાં આવ્યો છે. આ બાબતે 2 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદ અમરોલી પોલીસ સ્ટેશનમાં લખવા માટે અમે પહોંચ્યા હતા પરંતુ ચારણ સમાજના કેટલાક આગેવાનો દ્વારા સંતો ની માફી માંગી લેતા અમે તેને મોકૂફ રાખી હતી. વડતાલ મંદિરના ચેરમેન અને ચારણ સમાજના અગ્રણીઓ વચ્ચે વાતચીત થઈ હતી. હાલ પૂરતું અમે જે લોકોએ મારામારી કરી છે. તેમની સામે કાયદાકીય પગલાં લેવા કે કેમ તે અંગે વિચારી રહ્યા છે.વધુ વાંચો -
સુરત: કડોદરા GIDCની વિવા પેકેજીંગ મિલમાં લાગી ભીષણ આગ, 2ના મોત
- 18, ઓક્ટોબર 2021 10:21 AM
- 3923 comments
- 8818 Views
સુરત-સુરતથી આગ અકસ્માતની મોટી ઘટના સામે આવી છે. સુરત કડોદરા GIDCની મિલમાં ભીષણ આગ લાગી. GIDCની વિવા પેકેજિંગ મિલમાં આ ઘટના બની.આગ લાગતા જ સુરત શહેર અને જિલ્લાની 10થી વધુ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ લાગ્યા બાદ કામદારોએ 5 મા માળેથી કૂદવાનું શરુ કર્યું હતું, જેમાં અત્યાર સુધી 2 કામદારોનું મોત નીપજ્યું છે. પ્રશાસનનો દાવો છે કે 125 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળ પર આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં 5 મા માળેથી કૂદીને કેટલા મજૂરો ઘાયલ થયા તે જાણી શકાયું નથી.સોમવારે સુરતના કડોદરા વિસ્તારમાં વરેલી સ્થિત પેકેજિંગ યુનિટમાં આગ લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે જણાવ્યું કે આગ લાગી ત્યારે ઘણા મજૂરો પાંચમા માળે કામ કરી રહ્યા હતા. જ્વાળાઓ વધતી જોઈને કામદારો ડરી ગયા અને પોતાનો જીવ બચાવવા માટે પાંચમા માળેથી કૂદવાનું શરૂ કર્યું. આ ઘટનામાં એક મજૂરનું મોત થયું છે. 5 મા માળેથી કૂદકો મારનારા ઘણા મજૂરો ખરાબ રીતે ઘાયલ થયા છે. જોકે, પેકેજીંગ યુનિટમાં આગ લાગ્યાની માહિતી મળ્યા બાદ પહોંચેલા ફાયર બ્રિગેડના જવાનોએ તેને હાઇડ્રોલિક લિફ્ટમાંથી નીચે ઉતાર્યો હતો. એવું કહેવાય છે કે પેકેજિંગ યુનિટમાંથી સોથી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હજુ પણ ફાયર બ્રિગેડના જવાનો આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ફાયર બ્રિગેડના ડઝન જેટલા વાહનો સ્થળ પર છે. SDM એ કહ્યું કે ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર આગને કાબૂમાં લેવાની કોશિશમાં લાગેલી છે. અત્સાર સુધીમાં ફાયર બ્રિગેડની ટીમે 125 લોકોને બિલ્ડિંગમાંથી બચાવી લીધા છે.વધુ વાંચો -
PM મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્મિત છાત્રાલયનું ભૂમિ પૂજન કર્યું
- 15, ઓક્ટોબર 2021 12:59 PM
- 5785 comments
- 2810 Views
સુરત-વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા બાંધવામાં આવેલી છાત્રાલય ફેઝ -1નું ભૂમિપૂજન કર્યું હતું. વર્ષ 2024 સુધીમાં બંને તબક્કાઓનું કામ પૂર્ણ થઈ જશે. પીએમ મોદીએ કહ્યું કે આ પ્રયાસો દ્વારા ઘણા યુવાનોને તેમના સપના સાકાર કરવાની તક મળશે. હું સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજને અભિનંદન આપું છું. આ દરમિયાન પીએમ મોદીએ એમ પણ કહ્યું કે ભારત હાલમાં આઝાદીના 75 માં વર્ષમાં છે. નવા સંકલ્પોની સાથે આ અમૃતકલ આપણને તે લોકોને યાદ કરવા પ્રેરણા આપે છે જેમણે જાહેર ચેતના જાગૃત કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી. આજની પેઢી માટે તે લોકો વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરદાર સાહેબે પણ એવું કહ્યું હતું. 'જાતિ અને સંપ્રદાય આપણા માટે અડચણરૂપ ન હોવા જોઈએ. આપણે બધા ભારતના પુત્રો અને પુત્રીઓ છીએ.ગામના વિકાસને લગતા કામને વેગ આપોઆ જગ્યા એટલા માટે વિકસાવવામાં આવી હતી કે જેથી શિક્ષણનો ફેલાવો થાય, ગામના વિકાસને લગતા કામને વેગ મળી શકે. જેઓ ગુજરાત વિશે ઓછું જાણે છે તેમને આજે હું વલ્લભ વિદ્યાનગર વિશે જણાવવા માંગુ છું. તમારામાંથી ઘણાને ખબર હશે કે આ સ્થળ કરમસદ-બાકરોલ અને આણંદ વચ્ચે આવેલું છે. આ જગ્યા એટલા માટે વિકસાવવામાં આવી હતી કે જેથી શિક્ષણનો ફેલાવો થાય, ગામના વિકાસને લગતા કામને વેગ મળી શકે.મેં ગુજરાતમાંથી આ શીખ્યોબધા માટે વિકાસની શક્તિ શું છે, મેં ગુજરાતમાંથી પણ આ શીખ્યા છે. એક વખત ગુજરાતમાં સારી શાળાઓનો અભાવ હતો ત્યારે સારા શિક્ષણ માટે શિક્ષકોની અછત હતી. ઉમિયા માતાના આશીર્વાદ લઈને, ખોડલ ધામની મુલાકાત લીધા પછી, મેં આ સમસ્યાને ઉકેલવા માટે લોકોને મારી સાથે જોડ્યા. પીએમ મોદીએ કહ્યું કે તમારા બધાના આશીર્વાદથી, મારા જેવા ખૂબ જ સામાન્ય વ્યક્તિ, જેની કોઈ પારિવારિક કે રાજકીય પૃષ્ઠભૂમિ નથી, જેની પાસે જાતિવાદી રાજકારણનો કોઈ આધાર નથી, મારા જેવા સામાન્ય માણસને આશીર્વાદ આપીને ગુજરાતની સેવા કરવાની તક મળી. માં આપવામાં આવી હતીપીએમ મોદીએ કહ્યું કે તમારા આશીર્વાદની શક્તિ એટલી મહાન છે કે આજે તેને 20 વર્ષથી વધુ સમય થઈ ગયો છે, તેમ છતાં મને સૌપ્રથમ ગુજરાત અને સમગ્ર દેશની અખંડ રીતે સેવા કરવાનો લહાવો મળ્યો છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સ્થાનિક ભાષામાં વ્યાવસાયિક અભ્યાસક્રમો ભણાવવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. હવે અભ્યાસનો અર્થ માત્ર ડિગ્રી સુધી મર્યાદિત નથી, પરંતુ અભ્યાસને કૌશલ્ય સાથે જોડી દેવામાં આવી રહ્યો છે. દેશ તેની પરંપરાગત આવડતોને આધુનિક શક્યતાઓ સાથે પણ જોડી રહ્યો છે.વડાપ્રધાને કહ્યું કે કોરોનાના મુશ્કેલ સમય પછી આપણી અર્થવ્યવસ્થાએ જે ઝડપે પુનરાગમન કર્યું છે તેનાથી ભારત વિશે આખું વિશ્વ આશાથી ભરેલું છે. તાજેતરમાં, એક વિશ્વ સંસ્થાએ એમ પણ કહ્યું છે કે ભારત ફરીથી વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે. આપણા બધા માટે ખૂબ ગૌરવની વાત છે કે ભૂપેન્દ્ર પટેલ આવા મુખ્યમંત્રી છે જે ટેકનોલોજીમાં પણ જાણકાર છે અને જમીન સાથે સમાન રીતે જોડાયેલા છે. વિવિધ સ્તરે કામ કરવાનો તેમનો અનુભવ ગુજરાતના વિકાસમાં ખૂબ ઉપયોગી સાબિત થવાનો છે. આપણી નવી પેઢીએ દેશ અને સમાજ માટે જીવતા શીખવું જોઈએ, તેની પ્રેરણા પણ તમારા પ્રયત્નોનો મહત્વનો ભાગ હોવો જોઈએ. સિદ્ધિ માટે સેવાના મંત્રને અનુસરીને, અમે ગુજરાત અને દેશને નવી ઉંચાઈઓ પર લઈ જઈશું.વધુ વાંચો -
PM મોદી સુરતની હોસ્ટેલ ફેઝ વનનું ભૂમિપૂજન કરશે, વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમ યોજાશે
- 14, ઓક્ટોબર 2021 04:48 PM
- 1786 comments
- 9361 Views
સુરત-વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે 15 ઓક્ટોબરે સુરતના હોસ્ટેલ ફેઝ વનનું ભૂમિપૂજન કરશે. આ છોકરાઓની છાત્રાલય છે જે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા બનાવવામાં આવી છે. પીએમ મોદીના કાર્યક્રમ વિશે માહિતી આપતા પીએમઓએ કહ્યું છે કે તેઓ શુક્રવારે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભૂમિ પૂજન કરશે. છાત્રાલયની ઇમારતમાં લગભગ 1500 વિદ્યાર્થીઓ માટે રહેવાની વ્યવસ્થા છે. તેમાં વિદ્યાર્થીઓ માટે સભાગૃહ અને પુસ્તકાલય પણ છે. તે જ સમયે, બીજા તબક્કાની છાત્રાલયનું નિર્માણ આગામી વર્ષથી શરૂ થશે જેમાં 500 છોકરીઓ માટે વ્યવસ્થા કરવામાં આવશે.પીએમ મોદી યુકેની મુલાકાતેવડા પ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્રની આબોહવા પરિવર્તન પરિષદમાં ભાગ લેવા માટે બ્રિટન જઈ રહ્યા છે. પીએમની આ મુલાકાત માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. માનવામાં આવે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત ઇટાલીમાં જી -20 સમિટમાં તેમની ભાગીદારી સાથે થશે. જોકે આ પ્રવાસો અંગે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુકેના ગ્લાસગોમાં આયોજિત સંયુક્ત રાષ્ટ્ર આબોહવાની પરિષદની શરૂઆતમાં ભાગ લેશે. COP 26 તરીકે ઓળખાતી આ ક્લાઇમેટ કોન્ફરન્સ 31 ઓક્ટોબરથી 12 નવેમ્બર દરમિયાન આયોજિત કરવામાં આવી રહી છે. વિશ્વભરના ઘણા રાજ્યોના વડા તેમાં ભાગ લેશે. વડાપ્રધાન મોદી 1 અથવા 2 નવેમ્બરે ક્લાઇમેટ કોન્ફરન્સને પણ સંબોધિત કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસની અમેરિકાની મુલાકાતે આવ્યા હતા. તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને મળ્યા હતા. તેમણે બરાક ઓબામા અને ડોનાલ્ડ ટ્રમ્પના શાસન દરમિયાન અમેરિકાનો પ્રવાસ પણ કર્યો છે. વડાપ્રધાન તરીકે વડાપ્રધાને અત્યાર સુધીમાં સાત વખત અમેરિકાની મુલાકાત લીધી છે. તેમનો પ્રથમ પ્રવાસ 2014 માં થયો હતો. વડાપ્રધાન તરીકે આ તેમની પ્રથમ મુલાકાત હતી અને તેમણે મેડિસન સ્ક્વેરમાં ભાષણ પણ આપ્યું હતું. આ પછી, તે 2015, 2016, 2017 અને 2019 માં પણ અમેરિકા ગયો છે.વધુ વાંચો -
ABVPનું આંદોલન ઉગ્ર:સુરતમાં ગરબા મામલે વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ, યુનિવર્સિટીને તાળાબંધી
- 13, ઓક્ટોબર 2021 03:44 PM
- 7875 comments
- 8082 Views
સુરત-સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ABVP દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાત્રે પોલીસે યુનિવર્સિટી કેમ્પસમાં ઘૂસી જઇને વિદ્યાર્થીઓને કેટલીક બાબતો અંગે સૂચના આપતાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે વચ્ચે મારામારી થઈ હતી. પોલીસે દંડાવાળી કરતાં સાત વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયા હતા. જોકે આ જ પોલીસ થોડા દિવસ પહેલાં ગૃહ રાજ્યમંત્રીની જન આશીર્વાદ યાત્રામાં ઊમટેલી ભીડ સામે ચૂપ રહી હતી. એ સમયે પોલીસ ક્યાં ગઈ હતી?યુનિવર્સિટી કેમ્પસમાં પોલીસે ગેરકાયદે પ્રવેશ કર્યો હોય એ પ્રકારની ચર્ચા સમગ્ર શહેરમાં શરૂ થઇ છે.હાલ સમગ્ર મામલે પોલીસ કમિશનર દ્વારા જેસીપીની અધ્યક્ષતામાં તપાસ સોંપાઈ છે. જોકે વિદ્યાર્થી સંગઠન દ્વારા પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાની માગ કરાઈ છે. વિરોધપ્રદર્શન ઉગ્ર કરવાની સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.સુરતમાં ગરબા રમવા મામલે વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ મામલે સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થીઓનું આંદોલન પ્રસરી ગયું છે. ખાસ કરીને રાજ્યના મોટા શહેરોની સાથે અન્ય યુનિવર્સિટીઓમાં પણ ભાજપની વિદ્યાર્થી પાંખ ABVP દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટી, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ભાવનગર યુનિવર્સિટીમાં પણ છેલ્લા બે દિવસથી ABVPના કાર્યકરો સુરતના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. જેમાં આજે ABVPના કાર્યકરોએ ગુજરાત યુનિવર્સિટીના વિવિધ વિભાગો જબરદસ્તીથી બંધ કરાવી રહ્યાં છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સહિત જામનગરમાં પણ આજે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. વિદ્યાર્થીઓના ટોળે ટોળા ઉમટી રહ્યાં છે. જ્યારે બીજી બાજુ પોલીસ મૂક પ્રેક્ષકની જેમ આંદોલનકારીઓ સામે પગલાં લેવામાં સરકારના આદેશની રાહ જોઈ રહી હોય તેવી પરિસ્થિતિ છે.ગુજરાત યુનિવર્સિટીમાં ABVPના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. યુનિવર્સિટી કેમ્પસમાં સુરત પોલીસ હાય હાય, પોલીસ કા એજન્ડા સાફ હૈ ગરબા ખેલના પાપ હૈ જેવા નારા લાગ્યા હતાં. ABVPના કાર્યકરોએ યુનિવર્સિટીમાં શિક્ષણ અને વહિવટી કાર્ય બંધ કરાવવા પ્રયાસ કરાયો હતો.કે.એસ.સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટમાં અભ્યાસ ચાલુ હતો તે બંધ કરાવવામાં આવ્યો, વિદ્યાર્થીઓને કલાસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતાં. યુનિવર્સિટીમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ બંધ કરાવવાનું શરૂ કર્યું છે.ABVPના કાર્યકરોએ કહ્યું હતું કે, ગુજરાતના ગૃહમંત્રી જે વિસ્તારમાંથી આવે છે ત્યાં જ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી પરિષદ પર પોલીસ દ્વારા મારામારી કરવામાં આવી તે કેટલું યોગ્ય છે?ABVP એ ગુજરાત યુનિવર્સિટીમાં આવેદન આપ્યું.વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ની અંદર થયેલા ઘર્ષણ આ મામલાને લઈને ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કર્યા બાદ ભાજપના કેટલાક સિનિયર નેતાઓ દ્વારા વિદ્યાર્થીઓને હવે આ સમગ્ર પ્રકરણ ઉપર પૂર્ણવિરામ મૂકવા માટે કહેવામાં આવ્યું છે. છતાં પણ વિદ્યાર્થીઓ તેમની ઉપરવટ જઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ABVP દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાત્રે પોલીસે યુનિવર્સિટી કેમ્પસમાં ઘૂસી જઇને વિદ્યાર્થીઓને કેટલીક બાબતો અંગે સૂચના આપતાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે વચ્ચે મારામારી થઈ હતી. પોલીસે દંડાવાળી કરતાં સાત વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયા હતા. જેના પડઘા રાજકોટમાં પડ્યાં છે. શહેરમાં સતત બીજે દિવસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ABVPના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. યુનિવર્સિટી કેમ્પસમાં સુરત પોલીસ હાય હાય, પીઆઇ મોદી કો સસ્પેન્ડ કરો જેવા નારા લાગ્યા હતા.તેમજ પોલીસે દારૂ પીને વિદ્યાર્થીઓને માર માર્યાનો આક્ષેપ કર્યો હતો.વધુ વાંચો -
Surat : મનપાનો મોટો નિર્ણય, રસી લીધી હશે તે જ લોકો ગરબામાં ભાગ લઈ શકશે
- 01, ઓક્ટોબર 2021 03:19 PM
- 4551 comments
- 1657 Views
આગામી નવરાત્રીને લઈ મનપાએ મહત્વનો નિર્ણય લીધો છે. તાજેતરમાં રાંદેર અઠવાલાઇન્સ વિસ્તારમાં એક પરિવાર અને બિલ્ડીંગના લોકો સંક્રમિત થતાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે લોકો હાલમાં સંક્રમિત આવી રહ્યા છે તેમની હિસ્ટ્રીમાં ગણેશ ઉત્સવનું કારણ જોવા મળે છે. માનપાએ લીધેલા આ નિર્ણય બાદ નવરાત્રીમાં ગરબાના આયોજન કરનારાઓએ રસી મામલે ધ્યાન આપવું પડશે. ગરબા આયોજનમાં મનપા આકસ્મિક ચેકિંગ પણ હાથ ધરશે. મનપાને આશા છે કે ગરબે રમવા માટે પણ બાકી રહી ગયેલા લોકો રસી લેશે.તમને જણાવી દઈએ કે રાજ્યમાં નવરાત્રીને લઈને કેટલીક છૂટ આપવામાં આવી છે. આ વચ્ચે સુરતમાં કોરોનાના કેસને ધ્યાનમાં લઈને SMC એ મોટો નિર્ણય કર્યો છે. તેમજ તમને જણાવી દઈએ કે સુરત અઠવામાં સીલ કરાયેલ મેઘ મયુર અને આવિષ્કારમાં વધુ ત્રણ કેસ કોરોનાના આવ્યા છે. ચિંતાજનક બાબત એ છે કે 3 બાળકોને પોઝિટિવ કેસ આવ્યા છે. અગાઉ મેઘમયુરમાં એક સાથે 9 લોકોને પોઝિટિવ કેસ આવ્યા હતા. ક્લસ્ટર કરાયેલા વિસ્તારમાં કોન્ટેક્ટ ટ્રેસિંગના બાળકો પોઝિટિવ મળ્યા છે. ત્યારે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.વધુ વાંચો -
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત બે દિવસ સુરત પ્રવાસે,કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પર કરશે ચર્ચા
- 28, સપ્ટેમ્બર 2021 05:50 PM
- 3341 comments
- 5778 Views
સુરત-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત સુરતના પ્રવાસે છે. અડાજણ ખાંતે આંબેડકર ભવન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યાલય ખાતે રોકાણ કરશે. આજે સવારે તેઓ ટ્રેન મારફત સુરત પહોંચ્યા હતા. બે દિવસ દરમિયાન તેઓ સુરત શહેરમાં વિવિધ સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગકારોને મળશે. સાયન્સ સેન્ટર ખાતે આજે સાંજે તેઓ હિન્દુત્વ વિષય પર પ્રવચન આપશે મોહન ભાગવતના સુરત રોકાણ દરમિયાન સામાજિક અગ્રણીઓ ને વર્તમાન સમયના કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પર કરશે ચર્ચા. સુરતના જાણીતા હીરા ઉદ્યોગકારો અને રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા કેટલાક ઉદ્યોગપતિઓ સાથે પણ તેઓ આરએસએસ કાર્યાલય ખાતે મીટિંગ કરશે. સાયન્સ સેન્ટર ખાતે આજે સાંજે તેઓ કાર્યક્રમમાં હાજરી આપશે, જેમાં કેટલાક સિલેક્ટેડ વ્યક્તિઓને જ આમંત્રિત કરાયા છે.મોહન ભાગવત અને મુલાકાતથી ભાજપ સંગઠન સક્રિય થઇ ગયું છે. મોહન ભાગવત જ્યારે પણ આ પ્રકારના પ્રવાસ કરે છે ત્યારે સ્થાનિક નગરની અંદર રાજકીય અને સામાજિક રીતે જે મહત્ત્વના મુદ્દા હોય છે એના પર તેઓ ચર્ચા કરતા હોય છે. ભાજપના સંગઠનના કેટલાક મહત્ત્વના હોદ્દેદારો પણ મોહન ભાગવત સાથે બેઠક કરે એવી શક્યતા છે.વધુ વાંચો -
ગુજરાતના હીરા વેપારી પર આવકવેરાના દરોડા, 500 કરોડની છેતરપિંડી પકડાઈ
- 25, સપ્ટેમ્બર 2021 01:48 PM
- 9193 comments
- 7319 Views
સુરત-આવકવેરા વિભાગે ગુજરાતમાં હીરાના વેપારીના સ્થળે દરોડા પાડ્યા છે. વેપારીના 23 સ્થળો પર કરાયેલા આ દરોડામાં 500 કરોડથી વધુની છેતરપિંડી પકડાઈ હતી. આવકવેરા વિભાગના નિવેદન મુજબ ગુજરાતનો આ ઉદ્યોગપતિ હીરાનું ઉત્પાદન અને નિકાસ કરવાનું કામ કરે છે. ઉદ્યોગપતિના સુરત, નવસારી, / મોરબી, વાંકાનેર અને મુંબઈમાં કુલ 23 સ્થળોએ દરોડા પાડીને 22 સપ્ટેમ્બરે જપ્ત કરવામાં આવ્યા હતા.આવકવેરા અધિકારીઓએ માહિતી આપી હતી કે ગુપ્ત માહિતીથી મળેલી માહિતીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન 518 કરોડ રૂપિયાના હીરાનો અઘોષિત વેપાર દસ્તાવેજો વગેરેની શોધમાં પકડાયો હતો. આવકવેરા વિભાગના નિવેદન અનુસાર, ઉદ્યોગપતિએ હીરાના આ અઘોષિત વેપારના નાણાં મિલકત અને શેરબજારમાં રોક્યા છે. દરોડા દરમિયાન વિભાગે મોટી માત્રામાં અઘોષિત દાગીના અને 1.95 કરોડની રોકડ પણ જપ્ત કરી છે. આ સાથે 10.98 કરોડ રૂપિયાના 8900 કેરેટ હીરા પણ જપ્ત કરવામાં આવ્યા છે.વધુ વાંચો -
ઉકાઇની ડેમની સપાટી 341 ફૂટને પાર, ઉપરવાસમાં ફરી વરસાદથી આવક વધી
- 22, સપ્ટેમ્બર 2021 04:05 PM
- 8961 comments
- 5125 Views
સુરત-ઉપરવાસમાં વરસાદને લઇ ઉકાઇ ડેમમાં ફરી એકવાર પાણીની આવક શરૂ થઇ છે. મંગળવારે દિવસભર ઉકાઇ ડેમમાં 36 હજાર ક્યુસેકથી લઇ 53 હજાર ક્યુસેક પાણીની આવક ચાલુ રહેતા સપાટી 341 ફૂટને પાર થઇ ગઇ છે. એક જ દિવસમાં ડેમની સપાટીમાં 0.70 ફૂટનો વધારો થયો છે. મોડીરાતે 8 કલાકે ઉકાઇ ડેમની સપાટી 341.20 ફૂટ નોંધાઇ છે. હાલની સપાટી રૂલ લેવલ 340 ફૂટથી 1.20 ફૂટ ઉપર છે. જો કે, આગામી દિવસમાં ઉપરવાસમાં ભારે વરસાદની શક્યતા ન હોવાથી ડિસ્ચાર્જ 1100 ક્યુસેક યથાવત રાખવામાં આવ્યો છે. વિતેલા 24 કલાકમાં 21 રેઇન ગેજસ્ટેશનમાં કુલ 117 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. હથનુર ડેમની સપાટી 213.190 મીટર જ્યારે ડિસ્ચાર્જ 20723 ક્યુસેક છે. હાલમાં ઉકાઇ ડેમ ભયજનક સપાટીથી 4 ફૂટ અને હથનુર ડેમ માત્ર 1 મીટર જ દૂર છે. હવે ભારે વરસાદની શક્યતા ઓછી હોવાથી સત્તાધીશોએ ડેમ સંપૂર્ણ ભરવા કવાયત હાથ ધરી છે.વધુ વાંચો -
સુરત: નવા 13 ફાયર સ્ટેશન બનાવવા SMCની મંજૂરી, ઓક્ટોબરમાં પુણા વિસ્તારનું નવું ફાયર સ્ટેશન ખુલ્લુ મુકાશે
- 22, સપ્ટેમ્બર 2021 03:52 PM
- 9616 comments
- 5183 Views
સુરત- શહેરની વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને હવે વધારાના 13 ફાયર સ્ટેશન બનાવવાના કામને પણ મંજૂરી આપવામાં આવી રહી છે. સાથે જ ફાયર ફાઇટિંગ માટે જરૂરી મહેકમ પણ ઉભા કરવાની દિશામાં કોર્પોરેશન આગળ વધી રહ્યું છે. એટલું જ નહીં ફાયર ફાઇટિંગ માં મદદરૂપ થઇ રહે તેવા અત્યાધુનિક સાધનો પણ વસાવવાની દિશામાં કોર્પોરેશને કામગિરી શરૂ કરી દીધી છે. આવનારા ઓક્ટોબર મહિનાના પહેલા સપ્તાહમાં પુણા ગામ વિસ્તારમાં આવેલા પુણા ફાયર સ્ટેશનનું ઉદ્ઘાટન કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ફાયરસ્ટેશનનું કામ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. હાલ સુરતમાં 16 જેટલા ફાયર સ્ટેશન કાર્યરત છે. અને હજી બીજા નવા 13 ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી પુણા વિસ્તારમાં આવેલ ફાયર સ્ટેશનનું ઉદઘાટન ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં કરવામાં આવે તેવી સંભાવના છે. ફાયર વિભાગના વિવિધ પ્રશ્નો અને કામગીરી બાબતે મેયર અને સબંધીત ફાયર અધિકારીઓ વચ્ચે એક બેઠક પણ મળી હતી. વિવિધ કેટેગરીની 1055 શીડ્યુલ્ડ પૈકીની જગ્યામાંથી હાલ 902 જેટલી જગ્યાઓ ભરવામાં આવી છે. જયારે અન્ય જેટલી પણ ખાલી જગ્યાઓ છે તે જગ્યાઓ પર પણ ભરતી કરવાની પ્રક્રિયા હાલ કરવામાં આવી રહી છે. શહરમાં આયોજન હેઠળના નવા ફાયર સ્ટેશનો બાબતે સ્ટાફની જરૂરિયાત બાબતની દરખાસ્ત પર સ્થાયી સમિતિએ મંજૂરીની મહોર મારી દીધી છે. ફાયર વિભાગના કુલ 48 ડ્રાઈવરો પૈકી માત્ર 20 ડ્રાઇવરોને જ યુનિફોર્મ મળ્યા છે. ડ્રાઈવર, ક્લીનર, માર્શલ, લીડર, જમાદારને દોઢ વર્ષથી યુનિફોર્મ મળ્યા નથી. અને ઝડપથી તેઓ તમામને પણ યુનિફોર્મ ઉપલબ્ધ કરવાની સૂચના આપવામાં આવી છે.વધુ વાંચો -
ગુજરાતની આ 7 સિનિયર મહિલા ખેલાડીઓની ગુજરાત ટીમમાં પસંદગી, રેણુકા ચૌધરીની સુકાની તરીકે પસંદગી
- 21, સપ્ટેમ્બર 2021 02:22 PM
- 4533 comments
- 6861 Views
સુરત- BCCI દ્વારા 31 ઓક્ટોબરથી વિશાખાપટ્ટનમ ખાતે સિનિયર વુમન્સ વન્ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં બધાજ રાજ્યના સિનિયર મહિલા ખિલાડીઓની પસંદગી કરવામાં આવી છે. તેમાં ગુજરાતની ટીમમાં સૌપ્રથમ વખત સુરતની એક સાથે 7 સિનિયર મહિલા ખિલાડીઓની પસંદગી કરવામાં આવી છે. આ પેહલા સિનિયર વુમન્સ વન્ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં બે ખિલાડીઓ ત્રણ ખિલાડીઓ તથા ચાર ખિલાડીઓની પસંદગી કરવામાં આવતી હતી. પરંતુ આ વખતે એક સાથે સુરતની 7 સિનિયર મહિલા ખિલાડીઓની પસંદગી કરવામાં આવી છે. તે સુરત માટે ખુબજ ગૌરવની વાત છે. BCCI દ્વારા 31 ઓક્ટોબરથી વિશાખાપટ્ટનમ ખાતે સિનિયર વુમન્સ વન્ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.તેમાં સુરતની 7 સિનિયર મહિલા ખિલાડીઓની પસંદગી કરવામાં આવી છે. ગુજરાત ટીમની કેપટન રેણુકા ચૌધરી જેઓ બેટિંગ-તથા ઓલરાઉન્ડર છે. કૃતિકા ચૌધરી જેઓ ટીમના વાઇસ કેપટન છે અને સ્પિનર તથા ઓલરાઉન્ડર છે. ગોપી મેદપરા તેઓ વિકેટ કીપર છે. પ્રજ્ઞા ચૌધરી તેઓ પણ સ્પિનર તથા ઓલરાઉન્ડર છે. તોરલ પટેલ તેઓ ઓફ સ્પિનર છે. મૈત્રી પટેલ તેઓ પેસ બોલર તથા ઓલરાઉન્ડર છે. અને શ્વેતા ચૌધરી તેઓ પણ સ્પિનર તથા ઓલરાઉન્ડર છે. આ તમામ ખિલાડીઓ છેલ્લા 10 વર્ષથી ક્રિકેટ રમી રહ્યા છે. તથા તમામ ખિલાડીઓ ચીફ સિલેક્ટર ખ્યાતિ શાહ, ભૂમિ માખણીયા, પૂર્વી પટેલ તથા હેડ કોચ પ્રતીક પટેલના દેખરેખમાં તાલીમ લઇ રહ્યા છે.વધુ વાંચો -
ગુજરાતના આ શહેરમાં ફરી કોરોના ની દસ્તક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ, સ્કૂલ 25 સપ્ટેમ્બર સુધી બંધ
- 20, સપ્ટેમ્બર 2021 06:57 PM
- 9322 comments
- 7147 Views
સુરત- અડાજણ વિસ્તારમાં આવેલી ભૂલકાવિહાર સ્કૂલમાં ગત શનિવારના રોજ સુરત મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલા કોરોના ટેસ્ટિંગ જે કોર્પોરેશન દ્વારા શહેરના શાળા-કોલેજોમાં કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગત શનિવારના રોજ શહેરમાં ફરીથી ધોરણ-8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને કોરોના ટેસ્ટિંગ કર્યા બાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે ત્યારબાદ બધા જ વિદ્યાર્થીઓ અને સ્કૂલ સંચાલકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તે બધા નેગેટિવ આવ્યા હતા. સુરત શહેરમાં ગત શનિવારના રોજ અડાજણ વિસ્તારમાં આવેલી ભૂલકાવિહાર સ્કૂલની ધોરણ-8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું કોરોના ટેસ્ટિંગ કર્યા બાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે ત્યારબાદ બધા જ વિદ્યાર્થીઓનું તેમજ સ્કૂલ સંચાલકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. ત્યારબાદ સુરત કૉર્પોરેશન દ્વારા સ્કૂલને 25 સપ્ટેમ્બર સુધી બંધ રાખવા આવી છે, તથા વિદ્યાર્થિનીના ઘરે પણ તમામનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. પરિવારના તમામ સભ્યોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી ભૂલકાવિહારની વિદ્યાર્થિનીને કોરોના પોઝિટિવ આવતા સ્કૂલને 25 સપ્ટેમ્બર સુધી બંધ કરવામાં આવી.વધુ વાંચો -
વડોદરાના રાજેન્દ્ર ત્રિવેદી અને સુરતના પુર્ણેશ મોદીને પ્રવકતા મંત્રી બનાવાયા
- 18, સપ્ટેમ્બર 2021 11:07 PM
- 1424 comments
- 289 Views
ગાંધીનગર, ગુજરાતનાં નવા મંત્રીમંડળના બે સભ્યોને સરકારના પ્રવકતા મંત્રી તરીકે જવાબદારી આપવામાં આવી છે. આ બંને મંત્રીઓ સરકારના ર્નિણયો અંગે મીડિયા સાથે સંકલન કરીને સરકારની વાત રજૂ કરશે. રાજયની વિજય રૂપાણી અને નીતિન પટેલની સરકારના રાજીનામાં લઈ લીધા બાદ ભાજપ દ્વારા પ્રથમ વખત ચૂંટાયેલા ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી પદનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળની ગુરુવારે શપથવિધિ યોજાઇ હતી. ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના સભ્યોને તેમની ચેમ્બરની ફાળવણી કરી દેવામાં આવી છે. જે પૈકીનાં મોટાભાગના સભ્યોએ આજે પોતાની ચેમ્બરમાં પ્રવેશ કરીને વિધિવત રીતે કાર્યભાર સંભાળી લીધો હતો. દરમિયાનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સરકારના પ્રવકતા મંત્રી તરીકે બે મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે. સરકારના પ્રવકતા મંત્રી તરીકે મહેસૂલ તેમજ કાયદો અને ન્યાય મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તથા માર્ગ-મકાન અને વાહન વ્યવહાર મંત્રી પુર્ણેશ મોદીને જવાબદારી સોંપવામાં આવી છે. આ બંને મંત્રીઓ મીડિયા સાથે સંકલનની કામગીરી કરશે.વધુ વાંચો -
રાજ્ય ગૃહ મંત્રીનો ચાર્જ લેતા અગાઉ હર્ષ સંઘવીએ જાડેજા પાસેથી લેશન લીધું
- 18, સપ્ટેમ્બર 2021 11:06 PM
- 2096 comments
- 4202 Views
ગાંધીનગર, ગુજરાતમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રી મંડળના મોટાભાગના મંત્રીઓએ સત્તાવાર રીતે પોતાને ફાળવેલી ઓફિસમાં જઈને લીધો છે. ત્યારે રાજ્યકક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પણ પોતાને ફાળવેલી ચેમ્બરમાં ભારત માતાની તસવીરની પૂજા સાથે ગણેશ સ્થાપના કરીને ઓફિસનો વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. સંઘવી વધુમાં જણાવ્યું હતું કે, હું પ્રથમ વખત મારા માતા-પિતાને લઈને ગાંધીનગર આવ્યો છું અને ગૃહ રાજ્ય મંત્રી તરીકે મારા માતા-પિતાના આશીર્વાદ લીધા બાદ મંત્રી પદનો ચાર્જ સંભાળ્યો છે.ગૃહ રાજ્ય મંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ કે, જે અત્યારે જે તે જિલ્લામાં ફરજ નિભાવી રહ્યા છે. તેઓએ શુભેચ્છા આપવા માટે ગાંધીનગર આવવું નહીં, પરંતુ હું ટૂંક સમયમાં જ તમામ જિલ્લાઓમાં પ્રવાસ કરીને જિલ્લામાં આવીને માહિતીઓ પ્રાપ્ત કરીશ.ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, ચાર્જ લેતા અગાઉ વિજય રૂપાણીના સરકારના તમામ મંત્રીઓ સાથે ટેલિફોનિક ચર્ચા કરીને તેમના આશીર્વાદ લીધા બાદ હું ઓફિસમાં ચાર્જ લેવા માટે આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મને ગૃહ વિભાગનો ચાર્જ સોંપાયો છે, ત્યારે મારા પુરોગામી એવા પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથે સવા કલાક બેસીને તેમની પાસેથી માર્ગદર્શન અને લેશન લઈને તમામ માહિતીઓ મેળવી હતી ત્યાર બાદ મેં ગૃહ રાજ્ય મંત્રી પદનો ચાર્જ સંભાળ્યો છે. ગૃહ રાજ્ય મંત્રી સંઘવીએ ચાર્જ લેતાની સાથે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, કોઈપણ વ્યક્તિએ કે અધિકારીઓએ સ્વર્ણિમ સંકુલ- ૨ માં શુભેચ્છા માટે બુકે લઈને આવવું નહીં. સાથે તેમણે એવી અપીલ કરી હતી કે, કોઈએ પણ શુભેચ્છા આપવા માટે સમયનો બગાડ કરીને શુભેચ્છા આપવી નહીં, જ્યારે જે લોકો શુભેચ્છા આપવા માંગે છે, તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી શુભેચ્છા આપી શકે છે.વધુ વાંચો -
ગુજરાતનું આ શેહર વેક્સિનેશનમાં નં.1 એક દિવસમાં રેકોર્ડબ્રેક 2.05 લાખને રસી મુકાઈ
- 18, સપ્ટેમ્બર 2021 04:57 PM
- 3317 comments
- 6590 Views
સુરત-પીએમના જન્મદિવસે વેક્સિનેશન ડ્રાઈવમાં સાંજે 7.41 વાગ્યા સુધીમાં 1,78,752ને વેક્સિન મુકાઇ છે, લોકોમાં ઉત્સાહ વધુ હોય મહાપાલિકા એ સેન્ટરો વધારી 310 કર્યા છે. પ્રથમ ડોઝ 77,050 અને બીજો ડોઝ 1,01,702 થયા છે. ત્યારે 34,32,737ના ટાર્ગેટ સામે પ્રથમ ડોઝ 31,86,501 પહોંચતાં 92.08 ટકા અને બીજો ડોઝ 13,50,811 થતાં 42.40 ટકા સુધી પહોંચી ગયો છે. મહાપાલિકાએ મેગા ડ્રાઇવ પૂર્વ દિવસે જ 4 લાખને મેસેજ કરી દેવાયા હતાં તેથી સવારથી જ લોકોનો વેક્સિન માટે ઉત્સાહ જણાતાં સેન્ટરો પર લાઇનો લાગવા માંડી હતી. શહેરભરના કોમ્યુનિટી હોલ, સમાજની વાડી, ખાનગી સ્કૂલ સમિતિની સ્કૂલ, હેલ્થ સેન્ટરો તથા મોબાઇલ વેક્સિનેશન ટીમ ખાતે ઠેર ઠેર વેક્સિનેશન કરાયું હતું. સામાજિક સંસ્થાઓ અને લોક પ્રતિનિધિઓ મોટાપાયે વેક્સિન કામગીરીમાં જોતરાયા હતાં. પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, અગાઉ વધુમાં વધુ 78,908ને રસી મુકાઇ હતી પરંતુ પીએમના જન્મદિવસે આ રેકર્ડ તુટ્યો છે. સાંજે 7.41 વાગ્યા સુધીમાં 1.78 લાખથી વધુને વેક્સિન મુકાઇ છે. રાત્રિ સુધી 2.20 લાખ જેટલું રસીકરણ થાય તેમ છે.વધુ વાંચો -
ગુજરાતના આ શહેરમાં હવે ગીચ અને સાંકડી વસ્તીમાં આગ બુઝાવવા માટે રોબટ ખરીદાશે
- 17, સપ્ટેમ્બર 2021 01:33 PM
- 8365 comments
- 4287 Views
સુરત-સુરતની તક્ષશિલા દુર્ઘટનામાં જે ૨૨ બાળકોના મૃત્યુ થયા હતા. તે પછી સુરત ફાયર વિભાગ દ્વારા ફાયર સ્ટેશનનો સ્ટાફ વધારવાની સાથે સાથે અત્યાધુનિક સાધનો પણ ખરીદવામાં આવ્યા હતા. જેમાં ૧૬ માળ સુધી જઈ શકે તેવી ટર્ન ટેબલ લેડર, જમ્પિંગ કુશન , અંધારામાં ફાયર ફાઇટિંગમાં મદદ કરી શકે તેવા એડવાન્સ કેમેરા સહીત ના સાધનો ખરીદવામાં આવ્યા હતા. જાેકે હવે શહેરનો વિસ્તાર પણ વધ્યો છે. અને વસ્તી પણ વધી છે. ખાસ કરીને હજી પણ જુના વિસ્તારો અને ટેક્સ્ટાઇલ માર્કેટ જેવા વિસ્તારોમાં ફાયર ફાઇટિંગ માટે ફાયર વિભાગને મુશ્કેલી પડે છે. તેવામાં ફાયર ફાઇટિંગ માટે ખરીદવામાં આવનાર આ રોબટ સુરત ફાયર વિભાગની તાકાત બનશે. જાેકે કિંમત ઊંચી હોવાના કારણે તેની ખરીદી પર કઈ રીતે ર્નિણય લેવામાં આવે છે કે નહીં તે જાેવાનું રહેશે. સુરત શહેરમાં આગ બુઝાવવા માટે ફાયર વિભાગ દ્વારા હવે દોઢ કરોડના ખર્ચે એક રોબટ ખરીદવામાં આવશે. જે સાંકડી ગલીઓ અને ઊંચી બિલ્ડીંગમાં જાનમાલના નુકસાન કર્યા વિના આગને કાબૂમાં કરશે. સુરત શહેર નો વ્યાપ અને વિસ્તાર ખુબ ઝડપથી વધી રહ્યો છે. ત્યારે શહેર ફાયર વિભાગ પણ હવે તેને લઈને સજ્જ થાય તે જરૂરી છે. સુરત મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ દ્વારા ફાયર ફાઈટિંગ માટે દોઢ કરોડના ખર્ચે ફાયર રોબટ ખરીદવાની તૈયારી માટે સ્થાયી સમિતિમાં ર્નિણય લેવા આવશે. ફાયર વિભાગ દ્વારા ચીફ ફાયર ઓફિસર પાસેથી મળેલી જાણકારી પ્રમાણે સુરતમાં સાંકડી ગલીઓ અને ઉંચી બિલ્ડીંગમાં આગ બુઝાવવા ફાયર ફાઇટરો ને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આગની દુર્ઘટના રોકવા માટે મહાનગરપાલિકાએ ઘણી આધુનિક સાધન સામગ્રીઓ ખરીદી છે. અમદાવાદ મહાનગર પાલિકા પાસે ફાયર રોબટ કાર્યરત છે. સુરત મહાનગરપાલિકા પણ આ પ્રકારના ખરીદવા માટે બજેટમાં જાેગવાઈ કરવામાં આવી હતી. જેને અનુસરીને હવે સુરત મહાનગરપાલિકાએ સાંકડી અને નાની ગલીઓ અને ઊંચી ઇમારતોમાં ફાયર ફાઈટિંગ કરવા માટે રોબટ ખરીદવાનો ર્નિણય કર્યો છે. આ ફાયર રોબોટ આગ બુઝાવવાની કામગીરી માં મદદ કરશે. જે રોબટ ની કિંમત દોઢ કરોડ રૂપિયા લગાવવામાં આવી છે. અમદાવાદની રેસ્ક્યુ ટેકનોલોજી કંપની દ્વારા ટેન્ડર મહાનગરપાલિકામાં આપવામાં આવ્યું છે. સ્થાયી સમિતિની બેઠક માટે તેના ઉપર ર્નિણય લેવામાં આવશે.વધુ વાંચો -
જાણો,આખરે કયા કારણોસર કોરોના સંકટમાં સુરતના હીરા ઉદ્યોગમાં ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાયો
- 17, સપ્ટેમ્બર 2021 11:31 AM
- 6020 comments
- 2289 Views
સુરત-એક તરફ દેશમાં બેરોજગારી એક મોટો મુદ્દો છે, તો બીજી તરફ ગુજરાતમાં સુરતની હાલત એવી છે કે અહીંના હીરા ઉદ્યોગને કામદારોની ભારે અછતનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોનાની પ્રથમ લહેર દરમિયાન ભાગી ગયેલા હીરા ઉદ્યોગના લાખો કામદારો હજુ પાછા ફર્યા નથી.નોંધપાત્ર વાત એ છે કે સરેરાશ વિશ્વના દર ૧૫ હીરામાંથી ૧૪ હીરા ગુજરાતના સુરતમાં કારખાનાઓમાં કોતરેલા છે. સુરત ડાયમંડ ફેક્ટરીઓમાં ઉત્પાદિત હીરા દેશના વિવિધ વિસ્તારોમાં અને વિશ્વભરમાં મોકલવામાં આવે છે.સુરત હીરાનું હબ છેસમગ્ર ગુજરાતમાં આશરે એક કરોડ લોકો પરોક્ષ રીતે હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે જ્યારે ૧૫ થી ૧૬ લાખ લોકો સીધા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. સુરત શહેર હીરાનું હબ છે, અહીંના કારખાનાઓમાં રફ હીરા કોતરવામાં આવ્યા છે અને પોલિશ કરવામાં આવ્યા છે. પરંતુ આજે સ્થિતિ એ છે કે સુરતનો હીરા ઉદ્યોગ કામદારોની તીવ્ર અછતનો સામનો કરી રહ્યો છે.કોરોના સમયગાળાના પ્રથમ તબક્કામાં શહેર છોડીને ગયેલા હીરા કંપનીઓના કામદારો હજુ પાછા ફર્યા નથી, જેના કારણે ઉત્પાદનમાં મોટો ઘટાડો થયો છે.સુરતના હીરા ઉદ્યોગપતિ દિનેશ ભાઈ નાવડિયા, સુરત ડાયમંડ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ અને જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પ્રાદેશિક અધ્યક્ષ કહે છે કે કોરોના સમયગાળા પછી વિશ્વભરમાં હીરાની માંગ વધી છે, પરંતુ આવા સમયે સુરતના હીરા કારખાનાઓમાં કામદારોની ૨૫% અછત છે.સુરતના કારખાનાઓમાં કામ કરતા ગુજરાતના વિવિધ વિસ્તારોના કામદારો જ નહીં પરંતુ અન્ય રાજ્યોના કામદારો પણ પાછા ફર્યા નથી. આવી સ્થિતિમાં હીરા ઉદ્યોગની સંસ્થાઓ કામદારોને પરત લાવવા અને નવા કામદારો તૈયાર કરવા માટે ઘણા પ્રયત્નો કરી રહી છે.મનરેગા પણ એક કારણ છેકોરોના સમયગાળાએ દરેક માનવીનું જીવન બદલી નાખ્યું છે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કામદારોના જીવનમાં પણ પરિવર્તન જોવા મળી રહ્યું છે. કેન્દ્ર સરકારની મનરેગા યોજના પણ સુરતમાં કામદારોની અછતનું કારણ હોવાનું માનવામાં આવે છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે જે કામદારો લોકડાઉન દરમિયાન તેમના ગામ ગયા હતા તેમને તેમના રાજ્યોમાં સરકારની મનરેગા યોજના હેઠળ કામ મળી રહ્યું છે. ત્રીજા મોજા આવવાની સંભાવનાને જોતા કેટલાક કામદારો સુરત પરત ફરવા માંગતા નથી.કામદારોને પરત લાવવા માટે સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલી સંસ્થાઓ હીરાના કારખાનાઓના માલિકોને પગાર અને અન્ય સુવિધાઓ વધારવાની માંગ કરી રહી છે.વધુ વાંચો -
ગુજરાતના આ શહેરના સ્ટેશનનો 1285 કરોડના ખર્ચે વિકાસ કરી આંતરરાષ્ટ્રીય સુવિધા ઉભી કરાશે
- 16, સપ્ટેમ્બર 2021 01:04 PM
- 3105 comments
- 1805 Views
સુરત-સુરતના ઉધના અને રાજસ્થાનના ઉદયપુર રેલ્વે સ્ટેશનોના રીડેવલપમેન્ટ માટે તારીખ 14 સપ્ટેમ્બરના રોજ ભારતીય રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ દ્વારા વર્ચ્યુઅલ પ્રિ બીડ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મુસાફરોને વધુ સારી મુસાફરીના અનુભવ સાથે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અત્યાધુનિક સુવિધાઓ તેમજ રેલવે સ્ટેશનોને રેલોપોલીસ માં રૂપાંતરિત કરવાના ઉદ્દેશ સાથે યોજાયેલી બેઠકમાં 14 ડેવલપર્સ અને કન્સલ્ટન્ટ ઉપસ્થિત રહ્યા હતા.સુરત ઉધના અને ઉદયપુર રેલવે સ્ટેશનના પુનઃ વિકાસ માટેની તારીખ 14 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી વર્ચ્યુઅલ પ્રિ બીડ બેઠક ને મળેલા પ્રતિસાદથી ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પ્રિ બીડમાં જાણીતા ડેવલપર્સ પણ જોડાયા હતા. રેલવે દ્વારા સુરત અને ઉધના એમ બંને રેલવે સ્ટેશનના ડેલવપમેન્ટને લઈને તૈયારી બતાવવામાં આવી છે. રેલવે સ્ટેશન પર ઉતરતા મુસાફરોને ઇન્ટરનેશનલ એરપોર્ટ જેવી સુવિધાઓ મળી રહે તેવા આયોજનથી આખું ડેવલપમેન્ટ હાથ ધરવામાં આવશે. રૂપિયા 1285 કરોડના ખર્ચે સુરત અને ઉધના રેલવે સ્ટેશનનો આવનારાં ચાર વર્ષની સમય મર્યાદામાં રીડેવલપમેન્ટ થશે. સ્ટેશનને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જેવા બનાવવા અને મુસાફરોને વિશ્વસ્તરીય સુવિધાઓ આપવા નિયત ધારાધોરણો અનુસાર રીડેવલપમેન્ટ કરાશે. સ્ટેશનોમાં વધુ સારી કનેક્ટિવિટી, મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ ઇન્ટીગ્રેશન અને રિટેલ અને રિયલ એસ્ટેટને વેગ મળવા સાથે રોજગારીની વિપુલ તકો પણ ઊભી થશે. જેનાથી સંબંધિત ક્ષેત્રોની સામાજિક-આર્થિક પરિવર્તનની શરૂઆત થશે.સુરત MMTH રેલવે સ્ટેશન માટે 3,40,131 ચોરસ મીટર અને ઉધના રેલવે સ્ટેશન માટે 7,38,088 ચોરસ મીટર છે. જેને ચાર વર્ષના ગાળામાં ડેવલપ કરવામાં આવશે.વધુ વાંચો -
ગુજરાતની આ પાલિકાએ શહેરની હોટલ રેસ્ટોરન્ટનો વેરો માફ કર્યો, જાણો કેમ
- 14, સપ્ટેમ્બર 2021 03:08 PM
- 4999 comments
- 4792 Views
સુરત-સુરત મહાનગરપાલિકા કોરોનાની મહામારીને કારણે હોટલ, રેસ્ટોરન્ટ તથા એમ્યુઝમેન્ટ અને સિનેમાગૃહનો વેરો માફ કરવાની જાહેરાત કરી હતી. આ કેટેગરીમાં આવતી ૨૮૦૦ મિલકતનો મહાનગરપાલિકાએ ૨૦ કરોડ જેટલો વેરો માફ કર્યો છે. કોરોનાને કારણે હરવા-ફરવાના સ્થળો અને લોકો ભેગા થાય તેવા સ્થળો પર પાલિકાએ પ્રતિબંધ મૂક્યો હતો જેના કારણે વેરામાફી જાહેર કરવામાં આવી હતી.મહાનગરપાલિકાએ ૯૯૫ કરોડના વેરાના બિલ ઇસ્યુ કર્યા હતા જેની સામે અત્યાર સુધીમાં ૪૮૫ કરોડનો વેરો વસૂલાયો છે. કોરોનાની મહામારીને પગલે સુરત મહાનગરપાલિકાએ હોટેલ, રેસ્ટોરન્ટ અને સિનેમાગૃહો પાસે ૨૦ કરોડનો વેરો માફ કર્યો છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં મિલકત વેરા માટે ૧,૫૩૫ કરોડના માંગળા સામે ૯૯૫ કરોડના બિલ ઇસ્યુ કર્યા હતા. જેમાંથી આજદિન સુધીમાં ૪૮૫ કરોડના વેરાની વસૂલાત થઈ ચૂકી છે. સુરત મહાનગર પાલિકા દ્વારા વેરા માટે ભેટ આપવામાં આવતું હોય એપ્રિલ અને મે મહિનામાં ૧૩૦ કરોડના વેરાની વસૂલાત થઈ હતી. અને હાલમાં આ આંકડો ૪૮૫ કરોડ પર પહોંચી ગયો છે. આગામી દિવસોમાં વધુ ને વધુ વેરા વસૂલાત ઝડપી બને તે પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે.વધુ વાંચો -
સરકાર કોરોના મૃત્યુના આંકડા છુપાવે છે: કોંગ્રેસ
- 14, સપ્ટેમ્બર 2021 03:06 PM
- 1167 comments
- 2874 Views
સુરત-કોંગ્રેસની બે અઠવાડીયાની ન્યાય યાત્રા બાદ સુરતમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તંત્રની લાપરવાહીના કારણે ગુજરાતમાં ૨,૮૧,૦૦૦ નાગરિકોએ જીવ ગુમાવ્યાનો સર્વેની વાત મૂકવામાં આવી હતી. કોંગ્રેસે જણાવ્યું હતું કે બે અઠવાડીયાની આ યાત્રામાં વીસ હજાર કરતા વધુ પરિવારો ની મુલાકાત લેવામાં આવી છે. કોરોનામાં જે પરિવારોએ સ્વજનને ગુમાવ્યા છે તેઓને ન્યાય આપવા માટેની માંગણી કરવામાં આવી છે. કોંગ્રેસે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમદાવાદમાં "નમસ્તે ટ્રમ્પ"ના કાર્યક્રમથી ગુજરાત કોરોનાની મહામારી ફેલાઈ હતી. ત્યાર બાદ સુરતમાં "નમસ્તે ભાઉ"ના કાર્યક્રમને કારણે સંક્રમણમાં વધારો થયો છે. મહામારીમાં સરકાર વારંવાર આંકડા છુપાવતી હોવા સાથે મૃતકોના આંકડા પણ છુપાવ્યા છે. સરકાર જેવી રીતે કામ કરે છે તેનાથી ગુજરાતના નાગરિકોની શારીરીક માનસિક અને સામાજિક સ્થિતિને મોટું નુકસાન થયું છે તેથી હાઇકોર્ટે અવલોકન કરવો પડ્યો છે.અવાજ ગંભીર આક્ષેપ સાથે કોંગ્રેસે કોવિડથી મૃત્યુ પામેલા દરેક ઘટના પરિવારને ૪ લાખનું વળતર આપવાની માગણી કરી છે. આ સાથે સારવાર લઈ ચૂકેલા દર્દીઓના હોસ્પિટલના ખર્ચની ચુકવણી, સરકારની નિષ્ફળતાની ન્યાયિક તપાસ અને કોઈથી મૃત્યુ પામેલા સરકારી કર્મચારીઓના સંતાનને કાયમી નોકરીની માંગણી કરી છે.કોરોનાની મહામારી બાદ કોંગ્રેસની ન્યાય યાત્રામાં બે અઠવાડિયામાં ૨૦૦૦૦થી વધુ પરિવારોની મુલાકાત લીધી હોવાનો દાવો કરાયો છે. જેમાં ગુજરાતના ચાર ઝોનમાં ૨૧૧૧૫ પરિવારોએ આ ન્યાય યાત્રામાં ફોર્મ ભર્યા છે.વધુ વાંચો -
BCCI એ પસંદ કર્યાં સુરતના ખેલાડીઓ, પહેલીવાર એકસાથે 5 ખેલાડીઓની પસંદગી
- 11, સપ્ટેમ્બર 2021 01:57 PM
- 2874 comments
- 5618 Views
સુરત- BCCI દ્વારા દિલ્હી ખાતે આયોજિત ટુર્નામેન્ટમાં ગુજરાતની ટીમમાં સુરત શહેરના પાંચ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.તેમાં સુરતના આર્ય દેસાઈ ઓપનિંગ બેટ્સમેન તરીકે જાણીતા છે. બીજા નંબરના ખેલાડી કિશન ગુપ્તા જેઓ ઓલ રાઉન્ડર છે. યશ સોલંકી વિકેટકીપર છે. સેન પટેલ પેસ બોલર છે અને હર્ષિલ પટેલ પણ પેસ બોલર છે. આ પાંચ ખેલાડીઓની સૌપ્રથમ વખત સુરતમાંથી પસંદગી કરવામાં આવી છે. આ પહેલા સુરતમાંથી બે થી ત્રણ જ ખેલાડીઓની પસંદગી કરવામાં આવતી હતી. BCCI દ્વારા દિલ્હી ખાતે 27 સપ્ટેમ્બરના રોજ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. તેમાં ગુજરાતની ટીમમાં સુરત શહેરના પાંચ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. તેમાં સુરતના આર્ય દેસાઈની ગુજરાતની ટીમના સુકાની તરીકે તેમની વરણી કરવામાં આવી છે. દેસાઈ આઠ વર્ષથી ક્રિકેટ સાથે જોડાયેલા છે. તેમની અંડર-14-16 બાદ અંડર-19માં પસંદગી કરવામાં આવી છે. BCCI દ્વારા આયોજિત દિલ્હી ખાતે 27 સપ્ટેમ્બરથી અંડર-19 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. તેમાં ગુજરાતના સુરતની ટીમના 5 ખેલાડીની સૌપ્રથમ વખત પસંદગી કરવામાં આવી છે. તેમાં સુરતના જ આર્ય દેસાઈને આ ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યાં છેવધુ વાંચો -
સુરતના હિરા વેપારીએ બનાવેલ ગણેશજીની મુર્તિની કિંમત છે કરોડમાં, જાણો તેમાં શું છે ખાસ
- 11, સપ્ટેમ્બર 2021 11:58 AM
- 4431 comments
- 6116 Views
સુરત -સુરત શહેર હીરાનગરી તરીકે ઓળખાય છે. અહી હીરાનું અવનવુ સો ટકા જાેવા મળે, પણ અહીં કાચા હીરાની ૧૮૨.૩ કેરેટની ગણેશજીની મૂર્તિ છે. આ મૂર્તિનું વજન ૩૬.૫ ગ્રામ છે. માર્કેટમાં તેની કિંમત ૬૦૦ કરોડ રૂપિયા છે. હીરાના આ ગણેશજીની સૌથી મોટી ખાસિયત એ છે કે, તે કુદરતી છે. તેને ઘડવામાં આવી નથી. સુરતના જાણીતા હીરા વેપારી કનુભાઈ અસોદરિયા પાસે ૬૦૦ કરોડના આ ગણપતિ છે. તેઓ પોતાના ઘરે જ આ ગણપતિ રાખે છે. તે રફ ડાયમંડ છે. આ મૂર્તિની વિશેષતા વિશે કનુભાઈ જણાવે છે કે, અમે છેલ્લા ૩૦ વર્ષથી વિદેશથી રફ ડાયમંડ આયાત કરે છે. મારા પિતાએ ૧૨ વર્ષથી બેલ્જિયમથી રફ ડાયમંડ મંગાવ્યા હતા. ત્યારે અમે પણ આ હીરાનો આકાર જાેઈ અમે ચકિત થઈ ગયા હતા. તે ગણેશજીની પ્રતિમા જેવો હતો. તેથી અમે તેને વેંચ્યો નહિ, અને અમારા ઘરના મંદિરમાં જ રાખવાનો ર્નિણય લીધો હતો. આ હીરાને અમે સર્ટિફાઈડ કરાયો છે. તેને કિંમતમાં ગણીએ તો તે દુનિયાની દુર્લભ વસ્તુ છે. અમે રોજ તેની પૂજા કરીએ છીએ. આ ગણેશજીની પૂજા કનુભાઈ અને તેમનો પરિવાર રોજ કરે છે. ગણેશોત્સવમાં મૂર્તિની ખાસ પૂજા થાય છે. આ ગણેશજીની પૂજા અન્ય લોકો પણ કરી શકે છે. વિદેશથી પણ અનેક લોકો આ ગણપતિના દર્શને આવે છે. આ પરિવારને અત્યાર સુધી ૬૦૦ કરોડ રૂપિયાની ઓફર આવી ચૂકી છે. પરંતુ અસોદરિયા પરિવાર તેને વેચવા નથી માંગતું. તમે દુનિયામાં અનેક પ્રકારના ગણેશજીની મૂર્તિઓ જાેઈ હશે. કોઈ સાવ નાની, તો કોઈ વિશાળકાય, તો કોઈ મોંઘીદાટ. પણ દુનિયામાં એવી પણ મૂર્તિ છે જેની કિંમત ૬૦૦ કરોડને આંબી જાય છે. તમને જણાવી દઈએ કે ગણેશજીના ભક્તો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો દિવસ છે. આજથી ગણેશ મહાપર્વનો પ્રારંભ થયો છે. પરંતુ શું તમે જાણો છો વિશ્વભરમાં સૌથી અમૂલ્ય ગણેશજીની સ્થાપના ક્યાં થાય છે. તો આ મૂર્તિ એક ગુજરાતી પાસે જ છે.વધુ વાંચો -
ગુજરાતના આ શહેરમાં પ્રથમ વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીનો પ્રારંભ થયો
- 08, સપ્ટેમ્બર 2021 04:06 PM
- 1397 comments
- 3624 Views
સુરત-શહેરમાં રાજ્યની પ્રથમ વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીનો પ્રારંભ થઇ ચુક્યો છે.આ યુનિવર્સિટીમાં એમતો કુલ તેર હાજરથી વધુ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહ્યા છે.તેમાં મંગળવારથી યુનિવર્સિટીનો પ્રારંભ થવું એ સુરત શહેર અને રાજ્ય માટે ખુબજ ગૌરવની વાત છે.આ પેહલા વુમન્સ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આપણી રાજ્યની મહિલાઓ રાજ્યની બહાર અભ્યાસ માટે જતા હતા પરંતુ હવે રાજ્યમાંજ મહિલા યુનિવર્સિટીનો પ્રારંભ થઇ ચુક્યો છે. રાજ્યની પ્રથમ વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીનો પ્રારંભ થઇ ચુક્યો છે.આ યુનિવર્સિટીમાં એમતો કુલ તેર હાજરથી વધુ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહ્યા છે.તેમાં આજથી 1200 જેટલા વિદ્યાર્થીનીઓએ આ યુનિવર્સિટીમાં FYમાં પ્રવેશ મેળવ્યો છે. એમાં ખાશ કરીને ગુજરાત, રાજસ્થાન તથા મહારાટ્રના વિદ્યાર્થીનીઓ પણ છે.જેમ ચાર ફેકલ્ટીના કુલ 24 કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે. તેમાં UGના 12 કોર્ષ માટે કુલ 1200 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં છે. સુરત શહેરમાં રાજ્યની પ્રથમ વનિતા વિશ્રામ યુનિવર્સિટીમાં FYમાં 1200 જેટલા વિદ્યાર્થિનીઓએ પ્રવેશ મેળવ્યો હતો જેના પ્રથમ સત્રની શરૂઆત મંગળવારે કરવામાં આવી છે.એ સાથે યુનિવર્સિટીનો પ્રારંભ પણ થઇ ચૂક્યો છેવધુ વાંચો -
સુરત શહેર-જિલ્લામાં સાર્વત્રિક વરસાદ : ઉકાઈ ડેમ 333.28 ફૂટ પર
- 08, સપ્ટેમ્બર 2021 03:48 PM
- 3436 comments
- 358 Views
સુરત-રાજ્યના હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ સમુદ્રમાં ડીપ ડિપ્રેશનની સિસ્ટમ સક્રિય થતાં હાલ ગુજરાતભરમાં વરસાદ પડી રહ્યો છે.ત્યારે મંગળવારે સુરત શહેરમાં ચાર કલાકમાં ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.બીજી તરફ સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.બીજી તરફ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં સતત પાણીના નવા નીરની આવકના પગલે મંગળવારે સાંજે 6 કલાકે ઉકાઈ ડેમની સપાટી 333.28 ફૂટ નોંધાઈ છે. અને હજુ પણ અપનીની આવક ચાલુ હોઈને ઉકાઇનું જળસ્તર વધે તેવી સંભાવના છે. સુરત શહેર સહિત સમગ્ર જિલ્લામાં પણ સારો વરસાદ થઇ રહ્યો હોઈને ધરતીપુત્રોમાં ખુશીની લાગણી છવાઈ છે. સુરત જિલ્લા ફ્લડ કન્ટ્રોલ રૂમ દ્વારા મળેલી જાણકારી અનુસાર મંગળવારે સવારે 6 કલાકથી રાત્રીના 8 કલાક સુધીમાં જિલ્લાના બારડોલીમાં 33, ચોર્યાસીમાં 43, કામરેજમાં 59, મહુવામાં 27, માંડવીમાં 4, માંગરોળમાં 7, ઓલપાડમાં 36, પલસાણામાં 83, ઉમરપાડામાં 44 જયારે સૌથી વધુ સુરત શહેરમાં 93 મિ.મી વરસાદ નોંધાયો છે.આ સાથે સુરત શહેરમાં અત્યાર સુધીનો કુલ વરસાદ 1093 મિ.મી નોંધાયો છે.સુરત શહેરમાં આજે દિવસ દરમિયાન પડેલા વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થયું છે અને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.આ લખાઈ રહ્યું છે ત્યારે સુરત શહેરમાં હાલ વીજળી થવા સાથે ઝરમર વરસાદ શરૂ થયો છે ત્યારે, આગાહીના પગલે રાત્રીના વરસાદ વર્ષે તેવી સંભાવના છે .વધુ વાંચો -
રાજયના આ શહેરમાં હવે ગર્ભવતી મહિલાઓ માટે વોટર બર્થ ડિલિવરીનો વિકલ્પ ઉપલબ્ધ, જાણો શું છે વોટર બર્થ ડિલિવરી
- 07, સપ્ટેમ્બર 2021 12:07 PM
- 8650 comments
- 3052 Views
સુરત-હાલ વિદેશમાં આ પ્રકારની ટેક્નિકથી જ ડિલિવરી કરવામાં આવે છે. અને હવે ભારતમાં પણ વોટર બર્થ ડિલિવરીનો ટ્રેન્ડ જાેવા મળી રહ્યો છે. ડિલિવરી બાદ બાળક ઓટોમેટિક બહારની તરફ ડ્રાઈવ કરે છે. અને બાથપૂલમાં આપમેળે સ્વીમ કરે છે. ડિલિવરી બાદ તરત જ બાળક અને માતા વચ્ચેની ગર્ભનાળ પણ કાપવામાં આવતી નથી. આથી બાળક તેના વડે શ્વાસ લઇ શકે છે. અને વોટર ટબનું પાણી બાળક પી શકે તેવો કોઈ ભય રહેતો નથી. માતાનું વધારાનું બ્લડ પણ નાળના માધ્યમથી બાળકમાં જતું રહે છે. આથી બ્લડ લોસ થવાની સંભાવના રહેતી નથી. ડિલિવરી થયાની સાથે જ બાળકને મધરની ચેસ્ટ પર મૂકીને ફીડિંગ શરૂ કરી દેવામાં આવે છે. વોટર બર્થ ડિલિવરી માટે ૬’૩ ફૂટનો હૂંફાળા પાણીનો બેધીંગ પુલ બનાવવામાં આવે છે. જેમાં અંદાજે ૩૦૦ થી ૫૦૦ લીટર સુધીનો સ્ટરીલાઈઝડ કરેલું પાણી ભરવામાં આવે છે. તેને મહિલાના શરીર પ્રમાણે એડજસ્ટ કરી શકાય છે. આ પુલનું ટેમ્પરેચર આશરે ૩૨થી ૩૯ અંશ સેલ્સિયસ વચ્ચે રાખવામાં આવે છે. લેબર પેઈન શરૂ થયાના ત્રણથી ચાર કલાક બાદ મહિલાને તેમાં લઇ જવામાં આવે છે. આ બાથ પુલમાં મહિલા અને બાળક પોતાની મરજીથી સરળતાથી ડ્રાઈવે કરી શકે તે રીતે પોઝિશન સેટ કરવામાં આવે છે. ડિલિવરી બાદ મહિલાને તરત જ આરામ મળે તે માટે પુલની નજીક બેડની વ્યવસ્થા કરવામાં આવે છે. આ ઉપરાંત વોટર બર્થ ડિલિવરી રૂમમાં ૐ નમઃ શિવાયનું સ્લો મ્યુઝિક પણ વગાડવામાં આવે છે. જેથી માતાને પોઝિટિવ વાઈબ્સ મળે. સુરતમાં વોટર બર્થ ડિલિવરી કરી આપતા તબીબનું કહેવું છે કે સીઝર અને નોર્મલ ડિલિવરી કરતા વોટર બર્થ ડિલિવરી બેસ્ટ ઓપશન છે. આ ડિલિવરીમાં મહિલાનું પેઈન અને સ્ટ્રેસ બંને ઓછા થઇ જાય છે.બાળક તેની માતાની કૂખમાં સૌથી વધારે સુરક્ષિત હોય છે. અને ડિલિવરી પછી જયારે નવજાત બાળક તેની માતાના ગર્ભાશયમાંથી બહાર આવે છે ત્યારે તેને બીજી સુરક્ષિત જગ્યામાં પહોંચાડવાનું માધ્યમ એટલે વોટર બર્થ. હાલ વોટર બર્થ ડિલિવરીનો ટ્રેન્ડ જાેવા મળી રહ્યો છે. આપણે અંડર વોટર ફોટોગ્રાફી કે અંડર વોટર યોગા વિષે તો સાંભળ્યું જ હશે. પણ સુરતમાં પહેલી વાર વોટર બર્થ ડિલિવરીનું સેન્ટર ખુલ્યું છે. વોટર બર્થ ડિલિવરી ગર્ભવતી મહિલાઓ માટે એક નોર્મલ ડીલીવરીની જ પ્રક્રિયા છે. પહેલાના સમયમાં ગામડાઓમાં દાયમાં ગરમ પાણી વડે બાળકોની ડિલિવરી કરતા હતા. તેવી જ રીતે વોટર બર્થ ડિલિવરીમાં પણ ગરમ પાણી ભરેલા ટબમાં માતા બાળકને જન્મ આપે છે. જેમાં મહિલાને કોઈપણ પ્રકારના આર્ટિફિશ્યલ પુશ આપ્યા વિના નોર્મલ ડિલિવરી કરાવવામાં આવે છે. ડિલિવરીમાં લેબર પેઈન બાદ પાંચથી છ કલાકનો સમય લાગે છે. આ પ્રક્રિયામાં મહિલાના યોનિમાર્ગમાં કોઈપણ કટ મુકવામાં આવતો નથી. આ ટેક્નિકમાં માતા અને બાળકને ઇન્ફેક્શનનું જાેખમ ૮૦ ટકા જેટલું ઓછું થઇ જાય છે.વધુ વાંચો -
ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ખાસ ગુડ્સ ટ્રેનની શરૂઆત: સુરતથી બિહાર માટે રવાના થઇ પહેલી કપડા પાર્સલ ટ્રેન
- 06, સપ્ટેમ્બર 2021 05:33 PM
- 5442 comments
- 3183 Views
સુરત-કોરોના કાળ દરમિયાન કપડા ઉદ્યોગ સહિતના તમામ ઉદ્યોગો પર માઠી અસર પડી હતી. તમામ ઉદ્યોગો હવે ધીમે ધીમે આ સંકટમાંથી ઉભરી રહ્યા છે. એવામાં સુરત કપડા ઉદ્યોગને વેગ આપવા માટે મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. સુરતથી કપડા સામગ્રીને બિહાર સુધી પહોંચાડવા માટે ૨૫ ડબ્બાની પહેલી ખાસ કપડા પાર્સલ ટ્રેન શરું કરવામા આવી છે, જેને શનિવારે સુરતથી બિહાર માટે રવાના કરવામાં આવી હતી. પશ્ચિમ રેલવેના અધિકારીઓએ આ અંગેની માહિતી આપતાં જણાવ્યું કે, સસ્તા, ઝડપી અને સુરક્ષિત ટ્રાન્સપોર્ટ દ્વારા સુરતના કપડા બજારને વેગ આપવાના હેતુસર આ ખાસ ટ્રેન શરુ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેએ જણાવ્યું કે રેલવે અને કપડા રાજ્યમંત્રી દર્શના જરદોશે શનિવારે સુરતના ઉધના ન્યૂ ગુડ્સ શેડથી પટના નજીક દાનાપુર અને મુઝફ્ફરપુરના રામદયાળુ નગર માટે આ ખાસ ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી. આ દરમિયાન રેલવેના વરિષ્ઠ અધિકારીઓ સહિત સ્થાનિક ધારાસભ્ય અને ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ હાજર રહ્યા હતા. રેલવે તરફથી જણાવવામાં આવ્યું કે, ઉધના ન્યૂ ગુડ્સ શેડમાં એનએમજી ડબ્બામાં પહેલી વાર કપડા સામગ્રીને લોડ કરવામાં આવી હતી. આ દિશામાં પહેલી વાર કપડા પાર્સલ ટ્રેન ઉધનાથી કપડા સામગ્રી લઇને પટનાના મુઝફ્ફરપુર માટે ચલાવવામાં આવી છે. આ પહેલા પશ્ચિમ રેલવેના મુંબઇ વિભાગે હાલમાં જ પહેલી વાર ૨૦૨.૪ ટન કપડા સામગ્રીને સુરત પાસે ચલથણથી કોલકાતાના શાલીમાર સુધી પહોંચાડી હતી.વધુ વાંચો -
સુરત: 2 કલાકમાં 2 ઇંચ ધોધમાર વરસાદ વરસતા કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
- 06, સપ્ટેમ્બર 2021 01:54 PM
- 9813 comments
- 4764 Views
સુરત-શહેરમાં આજે વહેલી સવારથી જ ફરી મેઘરાજાની ગાજવીજ સાથે સવારી આવી પહોંચી હતી. સવારે 6 થી 8 સુધીના સમયમાં જ બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેથી ઉકળાટ અને બફારાથી ત્રસ્ત થયેલા સુરતીઓએ થોડી રાહત અનુભવી હતી. સમગ્ર સુરત શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં.સુરત શહેરમાં આજે વહેલી સવારથી જ ફરી મેઘરાજાની ગાજવીજ સાથેની સવારી આવી પહોંચી હતી. સવારે 6થી 8 સુધીના સમયમાં જ બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેથી ઉકળાટ અને બફારાથી ત્રસ્ત થયેલા સુરતીઓએ થોડી રાહત અનુભવી હતી. સમગ્ર સુરત શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. ઉધના, લિંબાયત, પાંડેસરા, અઠવાલાઇન, પાલનપુર પાટિયા વિસ્તાર સહિત સમગ્ર શહેરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. માત્ર બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબકતાં ચારે તરફ પાણી પાણી થઇ ગયું હતું. પાલનપુર વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાયાં હોવાની ફરિયાદો ઊઠી હતી. રસ્તા ઉપર પાણી ફરી વળ્યાં હતાં. વાહનચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી.વધુ વાંચો -
ડાયમંડ સીટી બાદ સુરત બનવા જઇ રહ્યું છે સોનાની મુરત!
- 06, સપ્ટેમ્બર 2021 12:20 PM
- 330 comments
- 1238 Views
સુરત-સુરતના ઇચ્છાપોર ખાતે સાકાર થઇ રહેલા જેમ એન્ડ જ્વેલરી પાર્કમાં માત્ર ડાયમંડ જ્વેલરી ઉત્પાદન થવાનું નથી. પરંતુ અહીંયા આંતરરાષ્ટ્રીય કક્ષાના ડાયમંડ ગોલ્ડ જ્વેલરીના શોરૂમ પણ બનવાનો છે. લગભગ વિશ્વની તમામ જાણીતી જ્વેલરી બ્રાન્ડના શોરૂમ અહીંયા શરૂ થાય તેવી શક્યતા છે. સાથે સાથે આજકાલ સિન્થેટિક ડાયમંડ એટલે કે લેબ્રોન ડાયમંડ ચર્ચામાં છે તેનું પણ ઉત્પાદન થવાની શક્યતા છે. લગભગ સો હેક્ટર જમીન ઉપર સાકારિત થનારા આ જેમ એન્ડ જ્વેલરી પાર્કમાં પર્યાવરણનું સૌથી વધુ ધ્યાન રાખવામાં આવ્યું છે. અહીંયા અલાયદો સુએજ પાણીનો ટ્રીટમેંટ પ્લાન નાખવામાં આવ્યો છે. એટલે કે આ પાર્કનું સુએજનું જે પણ પાણી નીકળશે તેને રીટ કરી તેનું અહીંયા જ રીયુઝ કરાશે. સાથે સાથે વૃક્ષો લોન અને ક્લીન એનર્જીનો પણ પૂરેપૂરો ખ્યાલ રાખવામાં આવ્યો છે. અહીંયાનું વાતાવરણ અને પ્રોજેક્ટ વિશ્વના શ્રેષ્ઠ મેન્યુફેક્ચર યુનિટ જેવો બનાવવાનું પ્રયાસ પણ કરવામાં આવ્યું છે. સુરત હવે સાચા અર્થમાં સોનાની મુરત બનવા જઈ રહ્યું છે હીરા ઉદ્યોગમાં ડાયમંડ બુર્સ પછી જ્વેલરી પાર્કનું નિર્માણ થતાં સુરતની સુરત બદલાઈ જવાની છે એ વાત ચોક્કસ છે. સુરત દુનિયાના સૌથી વધુ વિકાસ પામતા શહેરો પૈકીનું એક શહેર ગણાય છે. ત્યારે સુરતની આ સમૃદ્ધિ ને ચાર ચાંદ લાગે તેવો વધુ એક પ્રોજેકટ ખૂબ ઝડપભેર સાકાર થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ એટલે ઇચ્છાપોર ખાતે આવેલા જેમ એન્ડ જ્વેલરી પાર્ક. અત્યાર સુધી આ જેમ એન્ડ જ્વેલરી પાર્કમાં માંડ ૧૦૧ યુનિટ કાર્યરત હતા. જાેકે હવે સરકારી ૯૮ દૂર થતાં નવા સો જેટલા યુનિટ આવ્યા. એટલું જ નહીં ૧૦૦ હેક્ટરમાં બની રહેલા આ જેમ એન્ડ જ્વેલરી પાર્કમાં ડાયમંડ કટિંગ પોલિશિંગ ની સાથે સાથે ડાયમંડ અને ગોલ્ડ જ્વેલરી તેમજ લેબ્રોન ડાયમંડ નો પણ ઉત્પાદન થવાનું છે.વધુ વાંચો -
ગુજરાતમાં કોરોના બાદ વાઈરલ ઈન્ફેક્શનનું પ્રમાણ વધ્યું
- 04, સપ્ટેમ્બર 2021 06:30 PM
- 4954 comments
- 2327 Views
સુરત-દર વર્ષે ચોમાસા દરમિયાન વાઈરલ ઇન્ફેક્શનના કેસ વધે છે. જે આ વર્ષે પણ દેખાઈ રહ્યાં છે. મારા ત્યાં ૧૦૦ દર્દીની ઓપીડીમાં વાઈરલ ઇન્ફેક્શનના ૭૦થી ૮૦ કેસ આવે છે. ભટાર, વેસુ, સિટીલાઈટ સહિતના વિસ્તારના દર્દી આવે છે. મોટાભાગના દર્દીને શરદી, ખાંસી, તાવની ફરિયાદ હોય છે. જરૂરી ટેસ્ટ કરાતા ડેન્ગ્યુ, મેલેરિયા પણ ડિટેક્ટ થાય છે. પરિસ્થિતિ ગંભીર નથી. દર્દી ત્રણ-ચાર દિવસે સારા થઈ જાય છે. પરંતુ બીમારીને લઈ સાવચેતી જરૂરી છે. મારા ત્યાં આભાવા, વેસુ, પીપલોદ સહિતના વિસ્તારમાંથી દર્દી આવી રહ્યાં છે. ૧૦૦માંથી ૪૦ કેસવાઈરલ ઇન્ફેક્શનના હોય છે. મોટાભાગના દર્દીઓમાં તાવ, માથું દુઃખવું, શરીર દુઃખવું, રાત્રીના તાવ વધી જવા સહિતના ફરિયાદો હોય છે. જાેકે, યોગ્ય સારવાર બાદ ત્રણ-ચાર દિવસે દર્દી સાજાે થઈ જાય છે. કોઈ દર્દીને દાખલ કરવાની નોબત આવી નથી. કોરોનાનો રિપોર્ટ કરાવીએ પણ તે નેગેટિવ આવે છે. સુરત સહિત ગુજરાતમાં ત્રીજી લહેરની દહેશત વચ્ચે કોરોના માંડ શાંત પડયો છે, ત્યારે રાજ્યભરમાં વાઈરલ ઇન્ફેક્શનના કેસોનું પ્રમાણ ખુબ વધી ગયું હોવાની બુમ ઉઠી છે. દર વર્ષે ચોમાસા દરમિયાન વાઈરલ ઇન્ફેક્શનના કેસો વધે છે, પરંતુ આ વખતે વાઈરલ ઇન્ફેક્શનના કેસોમાં ખુબ ઝડપથી વધારો થઈ રહ્યો છે. પરિવારનો એક સભ્ય સંક્રમિત થયા બાદ એક પછી એક આખા પરિવારમાં ઇન્ફેક્શન લાગી રહ્યું હોવાની ફરિયાદ છે. શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોની સાથે ફેમિલી ફિઝીશીયન્સની ક્લિનીક પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે. રાજ્યભરમાં હાલ ઘરમાં એક સભ્ય રોગચાળાથી સંક્રમિત થાય, એટલે આખા પરિવારમાં ઇન્ફેક્શનની ફરિયાદ નોંધાઈ રહી છે. વાઈરલ ઇન્ફેક્શનની સાથે શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ગેસ્ટ્રો, ડાયરીયા, ટાઈફોઇડ જેવા કેસોમાં પણ ઉછાળો આવ્યો છે. શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવતા આરોગ્ય તંત્ર દ્વારા અન્ય રોગો સંબંધિત પ્રિવેન્શનની કામગીરી તરફ દુર્લક્ષ સેવાયું હોય તેમજ લાંબા સમય બાદ બજારો ખુલવા સાથે લોકો છુટછાટ હરતા-ફરતા થયા છે, અને બહાર ખાણી-પીણુનું પ્રમાણ પણ વધતા હાલ શહેરમાં વાઈરલ ઇન્ફેક્શનની સાથે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધ્યું હોવાનું તબીબોનો મત છે. શહેરમાં વાઈરલ ઇન્ફેક્શનની સાથે ડેન્ગ્યુ, મેલેરિયા, ગેસ્ટ્રો, ડાયરીયા, ટાઈફોઇડ જેવા કેસોનું પણ પ્રમાણ વધ્યું છે. સામાન્ય દિવસોની તુલનામાં મારા ક્લિનીક પર વાઈરલ ઇન્ફેક્શનના કેસ ૫૦થી ૬૦ ટકા વધી ગયા છે. ખરાદી શેરી, ગલેમંડી મેઈન રોડ, સ્ટેશન વિસ્તાર સહિતના એરિયામાંથી કેસ આવી રહ્યાં છે. જાેકે, આ દર્દીઓ યોગ્ય સારવાર બાદ ત્રણ-ચાર દિવસે સારા પણ થઈ જાય છે. પરંતુ સમયસર સારવાર લેવી હિતાવહ છે. આ વખતે પરિવારનો એક સભ્ય સંક્રમિત થયા બાદ એક પછી એક આખા પરિવારમાં ઇન્ફેક્શન લાગી રહ્યું હોવાની ફરિયાદો વધુ છે. લોકો બહાર હરતા-ફરતા થયા હોય વોટર બોર્ન અને ફુડ બોર્ન ડિસીઝનું પ્રમાણ વધ્યું છે. દર્દી ત્રણ ચાર-દિવસમાં સારો થઈ જાય છે. દરરોજ ૧૫-૨૦ નવા કેસ આવે છે. મારા ત્યાં ઉધના, પાંડેસરા, ભેસ્તાન, સચિન, ઉન, લિંબાયત, ભટાર સહિતના વિસ્તારમાંથી દર્દી આવી રહ્યાં છે.વધુ વાંચો -
ગુજરાતમાં લક્ઝુરિયસ કારના વેચાણમાં વધારો, આ કારની પસંદગી સૌથી વધારે
- 04, સપ્ટેમ્બર 2021 12:43 PM
- 5340 comments
- 8171 Views
સુરત- સુરતમાં ૮૦ ટકા ડીઝલ કાર અને ૨૦ ટકા પેટ્રોલ કારનું વેચાણ થાય છે. શહેરમાં વિશ્વકક્ષાનું ડાયમંડ બુર્સ આકાર લઈ રહ્યું છે ત્યારે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લાખો ઉદ્યોગકારો મુંબઈથી સુરતમાં વસવાટ કરવા આવશે. એને કારણે પણ સુરતમાં લક્ઝુરિયસ કારના વેચાણમાં વધારો થશે, એવો સ્થાનિક શોરૂમમાલિકોનો મત છે, જેથી લક્ઝુરિયસ કાર કંપનીઓ હવે સુરતમાં આ પ્રમાણેનું પ્લાનિંગ કરી રહી છે.સૌથી વધારે લક્ઝુરિયસ કાર બિઝનેસમેનો જ વસાવતા હતા, પરંતુ કોરોનાકાળ બાદ ૪૫થી ૬૦ વય જૂથના લોકો તેમજ ખાસ કરીને સીએ, ડોક્ટર, વકીલ વગેરે પણ ખરીદી કરી રહ્યા છે. બીજી તરફ, કોરોના હોવાથી મુંબઈ, અમદાવાદ, વડોદરા જવા ટ્રેન કે પ્લેનની મુસાફરી ટાળી લોકો આરામદાયક કારમાં સફર કરવાનું વધારે પસંદ કરે છે. અમારી સંસ્થાએ ૧૦ મહિનામાં ૩૦૦ ટકાનો ગ્રોથ કર્યો છે કોરોના પહેલાં માત્ર બિઝનેસમેન જ લક્ઝુરિયસ કાર ખરીદતા હતા, પરંતુ હવે વકીલ, ડોક્ટર અને સીએ સહિતના વ્યવસાયકારો પણ મોભાદાર કારોની ખરીદી કરતા થઈ ગયા છે. કોરોનાની કથિત મંદી વચ્ચે એક તરફ રાજ્યભરમાં લક્ઝુરિયસ કારના વેચાણમાં વધારો થયો છે. ત્યારે માત્ર સુરતમાં જ છેલ્લા આઠ મહિનામાં ૩૩૮ લક્ઝુરિયસ કારોનું વેચાણ થયું છે, જે રાજ્યના ૨૫ ટકા થાય છે. આ વેચાણમાં સૌથી વધારે ૧૩૧ મર્સિડીઝ કાર છે, જ્યારે ૯૨ મ્સ્ઉ અને ૩૨ જેગુઆર છે.રાજ્યમાં અંદાજે દર વર્ષે ૨૪૦૦ લક્ઝુરિયસ કારનું વેચાણ થાય છે. એકલા સુરતમાં જ ૫૫૦ જેટલી કાર વેચાય છે, જેમાંથી ૫૦ ટકા મર્સિડીઝ હોય છે. ગુજરાતમાં લક્ઝુરિયસ કારના કુલ વેચાણમાંથી ૭૫ ટકા ડીઝલ કાર અને ૨૫ ટકા પેટ્રોલ કારનું હોય છે.વધુ વાંચો -
અજીબો ગરીબ કિસ્સો: 2 વર્ષમાં 10 સર્જરી કરી યુવક બન્યો યુવતી
- 02, સપ્ટેમ્બર 2021 04:01 PM
- 8817 comments
- 3706 Views
સુરત-સુરતમાં પ્રથમવાર પુરુષના માથાના વાળથી લઈને પગના નખ સુધીની સંપૂર્ણ સર્જરી મહિલા બનાવવા થઈ છે. એમાં એક પુરુષને મહિલા તરીકે શારીરિક રૂપ આપવામાં આવ્યું છે. મુંબઈમાં જન્મેલા અને રહેતા આરવ પટેલે ૨૦ લાખ રૂપિયાના ખર્ચે ૧૦ સર્જરી કરાવી છે, જેથી તે પુરુષમાંથી મહિલા (આયશા) બની ગયો છે. આરવે આ સર્જરી સુરત ખાતે કરાવી છે. આરવના લગ્ન એક યુવક સાથે થયા હતા. ત્યાર બાદ બંનેએ પોતાની મરજીથી સર્જરી કરાવી એક(આરવ)ને મહિલા બનવાની સંમતિ આપી હતી.આરવ જ્યારે નાનો હતો ત્યારે તેને છોકરાઓની જગ્યાએ છોકરીઓનાં વસ્ત્રો પહેરવા ખૂબ જ ગમતા હતા. તેને ઢીંગલીઓ વધારે ગમતી હતી. નાનાપણમાં ખબર ન હતી કે તેને આવું શા માટે થઈ રહ્યું છે. પરિવારે તેના લગ્ન પણ બળજબરીથી એક યુવતી સાથે કરાવી તો દીધા પણ આખરે તેને છૂટાછેડા લેવા પડ્યા હતા. આરવ જાણતો હતો કે તે શારીરિક રીતે પુરુષ છે, પરંતુ અંદરથી એક મહિલા છે.આરવ પટેલની સુરતના રહેવાસી રોહન પટેલ સાથે ફેસબુક પર મિત્રતા થઈ હતી. બન્ને વચ્ચે નિકટતા વધતી ગઈ અને વાત લગ્ન સુધી પહોંચી હતી. રોહન પટેલ અને આરવ પટેલે લગ્ન કરી લીધા હતા. ત્યાર બાદ બંનેની સંમતિથી મહિલા બનવાની સર્જરી કરાઈ હતી. આરવ પટેલ એટલે આયશા પટેલે જણાવ્યું હતું કે જ્યારે તે ૬ વર્ષનો હતો ત્યારે તેને ખબર પડી કે તેને છોકરાઓને ગમતી વસ્તુ નહીં, પરંતુ છોકરીઓને ગમતી વસ્તુઓ પસંદ છે. હું પહેલેથી જ જાણતો હતો કે મારી અંદર એક મહિલા છે. મેં મારા પતિ સાથે વાત કરી અને પછી અમે નક્કી કર્યું કે હવેથી હું એક મહિલા બની જઈશ. હું ખૂબ જ ખુશ છું કે મેં જે સ્વપ્ન જાેયું હતું એ સાકાર થયું છે અને હું સંપૂર્ણપણે સ્થાયી જીવન જીવી રહી છું. હું મારા પતિ સાથે ખૂબ ખુશ છું.સુરતમાં પ્રથમવાર કોઇ પુરુષને સ્ત્રી સંપૂર્ણ રીતે બનાવવામાં આવી હોય એવી સર્જરી કરાવી છે. અત્યારસુધી અમદાવાદ-વડોદરા મુંબઈમાં સર્જરી થતી હતી. સુરતમાં પહેલી વખત આ સર્જરી કરવા માટે તબીબોએ પણ તેમને માનસિક રીતે તૈયાર કર્યા હતા, કારણ કે તેમાં દર્દીને કોઈ નુકસાન ન થાય એનું પણ ધ્યાન રાખવાનું હોય છે, પણ જ્યારે આરવ આયશા બની ગયો ત્યારે તેની ખુશીનો કોઈ પાર નહોતો. રોહન અને આયશા આજે બંને ખુશ છે, કારણ કે તેઓ જેવી રીતે જીવવા માગતા હતા એ હવે ડોક્ટરોને કારણે શક્ય બન્યું છે. આયશા અને રોહન આજે તેમની દુનિયામાં ઘણા ખુશ છે. સર્જરી દરમિયાન જાે દર્દી સ્ત્રી બનવા માગે છે તો સ્તન સર્જરી કરવામાં આવે છે, જેમાં તેમની છાતીના વિસ્તારમાં સ્તન પ્રત્યારોપણ કરવામાં આવે છે અથવા જાે દર્દી પુરુષ બનવા માગે છે તો શસ્ત્રક્રિયા દ્વારા સ્તનને દૂર કરીને છાતી બનાવવામાં આવે છે. એ બાદ તેણે એક વર્ષ વિપરીત લિંગના કપડાં પહેરીને સમાજમાં રહેવું પડે છે. ટોપની શસ્ત્રક્રિયા પછી દર્દીએ સમાજ અને આસપાસના વાતાવરણમાં સમાયોજિત થવા માટે શરીરમાં થતા ફેરફારો સાથે જીવન જીવવું પડે છે. ટોપની શસ્ત્રક્રિયા ઊલટાવી શકાય છે, પરંતુ નીચેની શસ્ત્રક્રિયા સંપૂર્ણપણે બદલી ન શકાય એવી છે.વધુ વાંચો -
ગુજરાતમાં 8 મહાનગરપાલિકામાં 15 સપ્ટેમ્બર સુધી કરફ્યૂ યથાવત
- 26, ઓગ્સ્ટ 2021 07:08 PM
- 2458 comments
- 4838 Views
ગાંધીનગર-ગુજરાતમાં આઠ મહાનગરપાલિકામાં 15 સપ્ટેમ્બર સુધી કરફ્યૂ યથાવત રાખવામાં આવ્યો છે. જેમાં સરકારે 28 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી રાત્રે 11થી સવારે 6 સુધી કરફ્યૂ યથાવત રાખ્યો છે. તેમજ સમયમાં કોઇ છૂટ આપવામાં આવી નથી. જો કે જન્માષ્ટમી અને ગણેશ ઉત્સવ દરમ્યાન આપેલી છૂટ અમલી રહેશે. ગુજરાતના આઠ મહાનગરો, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, જામનગર, ભાવનગર અને જૂનાગઠમાં 15 સપ્ટેમ્બર સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે. જેમાં રાત્રે 11 વાગેથી સવારે છ વાગે સુધી કર્ફ્યૂ અમલી રહેશે. જ્યારે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં યોજાનાર જન્માષ્ટમી અને ગણેશોત્સવના પર્વ નિમિત્તે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. કોર કમિટીની બેઠકમાં રાજ્ય સરકારે કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે. સૌપ્રથમ જન્માષ્ટમીના પર્વની વાત કરીએ તો, 8 મહાનગરોમાં 30 ઓગસ્ટે એટલે કે જન્માષ્ટમીની રાત્રે નાઇટ કર્ફ્યૂમાં 2 કલાકની વધુ છૂટ અપાઇ છે.એટલે કે 8 મહાનગરોમાં રાત્રીના 11ના બદલે 1 વાગ્યા સુધી રાત્રી કરફ્યૂમાં છૂટ અપાશે. તો મંદિર પરિસરમાં એક સાથે વધુમાં વધુ 200 લોકોને દર્શનની છૂટ અપાઇ છે. તો દર્શન કરતી વખતે દર્શનાર્થીઓએ SOPનું ફરજિયાત પાલન કરવું પડશે. સાથે જ મંદિર સંચાલકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ અંગે વ્યવસ્થા કરવી પડશે. તો જન્માષ્ટમીના પર્વે રાજ્યમાં લોકમેળા નહીં યોજી શકાય. તો મટકી ફોડના આયોજન પર પણ પ્રતિબંધ મુકાયો છે. તો ગણેશોત્સવ માટે પણ રાજ્ય સરકારે ગાઇડલાઇન જાહેર કરી છે. ગણેશોત્સવની ગાઇડલાઇન પર નજર કરીએ તો, સાર્વજનિક ગણેશોત્સવમાં માત્ર 4 ફૂટની મૂર્તિનું જ સ્થાપન કરી શકાશે. અને ગણેશ ભક્તો પણ ઘરમાં 2 ફૂટની શ્રીજીની મૂર્તિનું સ્થાપન કરી શકશે. ખાસ કરીને ગણેશ મંડળોએ પંડાલમાં દર્શન માટે SOP પાલન કરાવવું પડશે. અને પંડાલમાં સોશિયલ ડિસ્ટન્સિંગ માટે આયોજકોએ વ્યવસ્થા કરવી પડશે.વધુ વાંચો -
CM વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને "46મો ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી એવોર્ડ્સ" સમારોહ યોજાશે
- 26, ઓગ્સ્ટ 2021 02:57 PM
- 5895 comments
- 5464 Views
ગાંધીનગર-ભારતની ડાયમંડ સિટી અને સ્માર્ટ સિટી સુરત ખાતે આવતીકાલે તા. ૨૭ ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને “૪૬મો ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી એવોર્ડ્સ” સમારોહ યોજાશે. આવતીકાલે સાંજે ૫.૦૦ કલાકે લે મેરિડિયન હોટલ, સુરત ખાતે યોજાનાર એવોર્ડ્સ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ જ્યારે ખાસ મહેમાન તરીકે આરોગ્ય રાજ્ય મંત્રી કુમાર કાનાણી ઉપસ્થિત રહેશે. કેન્દ્રિય કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય આયોજિત ધ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ- GJEPCના કાર્યક્રમમાં GJEPC ઇન્ડિયાના ચેરમેન શ્રી કોલિન શાહ, GJEPCના વાઇસ ચેરમેન વિપુલ શાહ, GJEPCના હોદ્દેદારો સહિત જેમ્સ એન્ડ જ્વેલરી સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે.વધુ વાંચો -
સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં 5 હજાર ઝૂપડપટ્ટીઓ તોડી પાડવા પર મૂક્યો પ્રતિબંધ
- 24, ઓગ્સ્ટ 2021 06:36 PM
- 6543 comments
- 894 Views
અમદાવાદ-ઉધના સુરત વચ્ચે રેલવેની જગ્યા પરના ઝૂપડા ખાલી કરાવવા માટે નોટીસ આપવામાં આવી હતી. જેથી રહીશોએ વૈકલ્પિક આવાસ અને થોડો સમય આપવાની માંગ કરી હતી, પરંતુ આજથી જ મેગા ડીમોલીશનની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. પોલીસ બંદોબસ્તને સાથે રાખી આ ડીમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન સુપ્રીમ કોર્ટમાંથી આ ડીમોલીશન અંગે સ્ટે આપવામાં આવ્યો છે. જેની વધુ સુનાવણી આવતી કાલે હાથ ધરાશે. ઉત્રાણથી ઉધના રેલવે સ્ટેશન સુધી રેલવે ટ્રેકની આસપાસ રેલવેની હદમાં વર્ષો જુના નવ હજારથી વધુ ઝૂપડાઓ છે. ઝૂપડપટ્ટી ખાલી કરાવવા સામે ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાખલ થતા સ્ટે આપવામાં આવ્યો હતો. હાઈકોર્ટમાં આ સ્ટે ઉઠી જતા રેલવે એ 24 કલાકમાં ઝૂપડપટ્ટી ખાલી કરવા પરિવારોને નોટીસ આપી હતી. આ મુદ્દે 100થી વધુ રહીશો કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશના ઘરે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ દર્શનાબેન ઘરે ન હતા. દેશની સર્વોચ્ચ અદાલતે ગુજરાતમાં એક સ્થળે લગભગ પાંચ હજાર ઝૂંપડપટ્ટીઓ તોડી પાડવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે કોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી બુધવાર સુધી યથાવત સ્થિતિ જાળવી રાખવાનો નિર્દેશ આપ્યો હતો. ત્યારે ઉધના સુરત વચ્ચે રેલવેની જગ્યા પરના ઝૂપડા ખાલી કરાવવા માટે નોટીસ આપવામાં આવી હતી, ત્યારે સુપ્રીમ કોર્ટમાં સ્ટે આવી જતા શ્રમિકોમાં ખુશીની લહેર જોવા મળી હતી.વધુ વાંચો -
ગુજરાતના આ શહેરમાં પ્રથમ ડોઝનું 80% વેક્સિનેશન પૂર્ણ થયું, 25% લોકોને રસીના બંને ડોઝ મળ્યા
- 24, ઓગ્સ્ટ 2021 05:46 PM
- 256 comments
- 7610 Views
સુરત-કોરોના સંક્રમણના કેસમાં મોટો ઘટાડો થઈ ગયો છે. પરંતુ દેશમાં હજુ ત્રીજી લહેર આવવાની પણ આશંકા છે. આ વચ્ચે રાજ્યમાં જાેરશોરથી રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધી ૪.૩૧ કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. દરેક શહેરમાં રસીકરણ અભિયાનને પણ ગતિ મળી છે. તો સુરત શહેરમાં પણ પ્રથમ ડોઝનું ૮૦ ટકા વેક્સિનેશન પૂર્ણ થઈ ગયું છે. સુરત શહેરમાં અત્યાર સુધી ચાલેલા રસીકરણ અભિયાનની વાત કરવામાં આવે તો શહેરમાં પ્રથમ ડોઝનું ૮૦ ટકા વેક્સિનેશન પૂર્ણ થઈ ગયું છે. તો અત્યાર સુધી ૮,૫૨,૫૬૮ લોકોને કોરોના વેક્સિનના બંને ડોઝ લાગી ચુક્યા છે. સુરત શહેરમાં રસીના બંને ડોઝ લીધા હોય તેવા લોકોની સંખ્યા ૨૫ ટકા છે. સુરતમાં દીવાળી પહેલાં મહાનગર પાલિકા દ્વારા ૩૩ લાખ લોકોને વેક્સિન આપવાની કવાયત હાથ ધરાશે. પાલિકા ટાર્ગેટ પૂરો કરવા માટે 'નોક ધ ડોર' કેમ્પેન પણ શરૂ કરશે. જે લોકોએ વેક્સિન લીધી નથી તેને ઘરે જઈને રસી લેવા માટે સમજાવવામાં આવશે. ગુજરાતમાં રસીકરણની વાત કરવામાં આવે તો ૨૩ ઓગસ્ટે સરકારે આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં વેક્સિન ઝૂંબેશ વેગવંતી બની છે. રાજ્યમાં અત્યાર સુધી ૪ કરોડ ૩૧ લાખ ૬૮ હજાર ૪૯૭ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા ૨૩ દિવસમાં જ રસીના ૧ કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગુજરાતમાં ૧૮ વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ ૪ કરોડ ૯૩ લાખ ૨૦ હજાર ૯૦૩ લોકોમાંથી અત્યાર સુધીમાં ૩ કરોડ ૨૫ લાખ ૮૪ હજાર ૧૯૮ પ્રથમ ડોઝ અને ૧ કરોડ ૦૫ લાખ ૮૪ હજાર ૨૯૯ બીજાે ડોઝ મળી સમગ્રતયા ૪,૩૧,૬૮,૪૯૭ ડોઝ વેકસીનેશનના આપવામાં આવ્યા છે. ગુજરાત પર મિલિયન વેક્સિનેશનમાં દેશના મોટા રાજ્યોમાં અગ્રેસર રાજ્ય રહ્યું છે. એટલુ જ નહીં, સોમવાર તારીખ ૨૩ ઓગસ્ટના એક જ દિવસમાં રાજ્યમાં ૫ લાખ ૧ હજાર ૮૪૫ રસીના ડોઝ આપવાની સિદ્ધિ પણ ગુજરાતે મેળવી છે.વધુ વાંચો -
કામ અમે કરીએ અને જશ તમે લો છો: મંત્રી દર્શનાબેન જરદોશ
- 21, ઓગ્સ્ટ 2021 06:11 PM
- 3669 comments
- 3030 Views
સુરત-મંત્રી દર્શનાબેન જરદોશે બિલ્ડરો સામે જાેરદાર ઝાટકણી કાઢી નાંખી, ‘મંત્રી બન્યાના બે દિવસ પછી જ ચેમ્બરના વેપારીઓ મને દિલ્હી મળવા આવ્યા હતા અને વિસ્કોસ યાર્ન પર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી મુદ્દે રજૂઆત કરી હતી. ૨૪ કલાકમાં જ આ પ્રશ્નનો ઉકેલ લાવી દીધો હતો.પરંતુ મીડિયામાં ચેમ્બરે ક્રેડિટ લીધી હતી. કામ અમે કરીએ તો અમને ક્રેડિટ મળવી જ જાેઈએ.’ તેવું રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષે ક્રેડાઇ (બિલ્ડરો) દ્વારા યોજાયેલા સન્માન સમારંભમાં કહ્યું હતું. શનિવારે ચેમ્બર દર્શના જરદોશનું સન્માન કરશે. મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, ‘ટેક્સટાઈલ મંત્રાલય ખુબ જ મોટું છે. સુરતનું વોલ્યુમ ભલે મોટું રહ્યું પરંતુ તમિલનાડુનું કોટન,બંગળાનું જ્યૂટ, લુધિયાણાની નીટિંગ ઈન્ડસ્ટ્રી પણ ખુબ જ મોટી છે, ૩૭૦ થયા પછી કાશ્મીર પશ્મીની સાલ બને છે તેનું પણ માર્કેટિંગ કરવું પડશે. કચ્છમાં બનતા કપડાં હોય કે, રાજસ્થાનની કોટન ઈન્ડસ્ટ્રી હોય. આ બધુ જ જ્યારે વિચારીએ ત્યારે થાય કે, ટેક્સટાઈલ કેટલું મોટું છે. મને તો ખુબ જ કામ કરવાનું ગમશે, પરંતુ ક્યારેક કામ કરતાં કરતાં એવું થાય કે, કામ થયું છે તો જઈને લોકોને બોલો. તેમણે કહ્યું કે, ‘મંત્રી બન્યા પછી માત્ર ૨ દિવસમાં મને ચેમ્બરમાંથી ફોન આવ્યો. મેં એમને અને ડિજીટીઆરના અધિકારીઓને બોલાવ્યા. બીજે જ દિવસે હું અને સી.આર ભાઈ ગયા. જ્યારે અમે વ્યવસ્થિત રીતે આંકડા રજૂ કર્યા તો વિસ્કોસ યાર્નની એન્ટિડમ્પિંગ ડ્યૂટીનું ડિસિઝન બીજે જ દિવસે આવી ગયું. તમે મને બતાવો, જે ૨૪ કલાકમાં, કોઈ ઈન્ડસ્ટ્રી એવી છે, કોઈ એવા મંત્રી છે જે તમને કામ કરીને બતાવે. છતાં મીડિયામાં જ્યારે વાત આવતી હોય ત્યારે બધામાં જ ચેમ્બરે કૂદી પડવાનું? અમે લેટર લખેલા, મહુવા ટ્રેન તો અમે માંગેલી. એટલે ખબર નહીં પોલિટિકલ વિંગમાં અમે કશું કરીએ છીએ કે નહીં તે ખબર નથી પડતી. કોઈ વાર તો થાય કે, કામ કરવા જ નથી. એવી ઈચ્છા પણ થાય કે, પાઠ ભણાવી દઈએ. પણ શહેર હિતની વાત હોય આ બધુ ભૂલી જઈએ છીએ. કારણ કે, મને અને સી.આર.ભાઈને ૧૦૦માંથી ૭૫ મત મળ્યા છે. અપેક્ષા તો એટલી જ છે જ્યારે વખત આવે કામ થયું હોય ત્યારે તેની ક્રેટિડ અને ૧૦૦ ટકા મળવી જ જાેઈએ.’વધુ વાંચો -
હવે 'બચપન કા પ્યાર મીઠાઈ' આ રક્ષા બંધને ભાઈ-બહેનને યાદ અપાવશે નાનપણનો પ્રેમ, જાણો કેવી રીતે
- 19, ઓગ્સ્ટ 2021 03:04 PM
- 3229 comments
- 8000 Views
સુરત-મીઠાઈ વગર દરેક તહેવાર અને શુભ પ્રસંગ અધૂરા છે. દિવાળી હોય કે રક્ષાબંધન, મીઠાઈથી મોઢું મીઠું કરાવતા જ તહેવારનો આનંદ બમણો થઈ જતો હોય છે. જેથી મીઠાઈ વિક્રેતાઓ દ્વારા પણ ઘણી તૈયારીઓ કરી દેવામાં આવી છે. સુરતમાં રક્ષાબંધનના તહેવારને ધ્યાને રાખી આ વર્ષે માર્કેટમાં અનોખા પ્રકારની મીઠાઈઓ જોવા મળી છે. સુરતમાં રક્ષાબંધનના તહેવાર નિમિત્તે અવનવી મીઠાઈઓ બને છે. જેમાં આ વખતે વધુ ત્રણ નવી મીઠાઈનો ઉમેરો થયો છે. આ વર્ષે સોનાની મીઠાઈ સાથે કાર્બનમાંથી બનેલી ચારકોલ કાજુકત્રી અને બબલ્સ ગમ મીઠાઈ એટલે કે હાલમાં જ ખૂબ ચર્ચામાં રહેલું ગીત હવે મીઠાઈ સ્વરૂપે પણ જોવા મળ્યું છે. ભાઈ-બહેનના બચપનના પ્યારની યાદ અપાવતી આ મીઠાઈએ ખૂબ આકર્ષણ જગાવ્યું છે. લોકોના જીભે ચડેલું 'બચપન કા પ્યાર' ગીત હવે મીઠાઈ સ્વરૂપે જોવા મળ્યું છે. સુરતની એક મીઠાઈની દુકાનમાં કાર્બનમાંથી બનેલી ચારકોલ કાજુકત્રી, બબલ્સ ગમ મીઠાઈ અને બચપન કા પ્યાર નામથી મીઠાઈ વેચાણ માટે જોવા મળી છે. જેમાંથી 'બચપન કા પ્યાર' મીઠાઈ લોકો માટે હાલ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. જે રીતે 'બચપન કા પ્યાર' ગીત ફેમસ થયું છે તેને ધ્યાને રાખી આ મીઠાઈ બનાવામાં આવી છે. લોકો પણ આ મીઠાઈને ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકોને પ્રથમ આ નવીન મીઠાઈ ટેસ્ટ કરાવામાં આવે છે. ટેસ્ટ કરતા જ ગ્રાહકો આકર્ષિત થઈ જાય છે.વધુ વાંચો -
અફઘાનિસ્તાનમાં અરાજકતા, કાપડના વેપારીઓના 400 કરોડ રૂપિયા ડૂબી જવાનો ભય
- 18, ઓગ્સ્ટ 2021 06:23 PM
- 9047 comments
- 4526 Views
સુરત-અફઘાનિસ્તાનમાં રાજકીય અનિશ્ચિતતા અને તાલિબાનોએ દેશને ઝડપી લીધા પછી જાેવા મળી રહેલી અંધાધૂંધીની અસર ટેક્સટાઈલના હબ ગણાતા સુરતમાં પણ જાેવા મળી રહી છે. જ્યાં એક તરફ સંઘર્ષગ્રસ્ત દેશમાં ધંધાનું નુકસાન થવાનું નિકટવર્તી લાગે છે ત્યારે બીજી તરફ કાપડના પ્રોડક્ટના નિકાસકારો અને દલાલોનો દાવો છે કે અશાંતિના કારણે આશરે ૪૦૦ કરોડ રૂપિયાનું પેમેન્ટ અટવાયું છે. અફઘાનિસ્તાનમાં જે પ્રકારની સ્થિતિ છે તે જાેઈને તેમને ખૂબ જલ્દી ૪૦૦ કરોડ રૂપિયાનું પેમેન્ટ નહીં મળે તેવો તેમને ડર છે. સુરતમાં બનતા પંજાબી સૂટ અને દુપટ્ટાની અફઘાનિસ્તાન તેમજ પાકિસ્તાનમાં વધારે માગ છે. ત્રણ વર્ષ પહેલા સુધી, મહિલાઓ માટેના તૈયાર કપડા ખરીદવા માટે અફઘાનિસ્તાનના વેપારીઓ અવાર-નવાર શહેરની મુલાકાત લેતા હતા. તેઓ અંગત રીતે વસ્તુઓની પસંદ કરતા હતા અને દિલ્હીમાં તેમના ધંધાના સહયોગીઓના માધ્યમથી ચૂકવણી કરતા હતા. એક અંદાજ મુજબ ઓછામાં ઓછા ૧૦૦ કરોડ રૂપિયાના કપડા દર મહિને પાકિસ્તાન અથવા દુબઈ મારફતે અફઘાનિસ્તાન મોકલવામાં આવતા હતા. ઘણા નિકાસકારો માટે કામ કરતા દલાલ રાજુ ભાટિયાએ જણાવ્યું હતું કે, 'કાપડ બજારમાં ક્રેડિટનો સમયગાળો ત્રણ મહિના સુધીનો હોય છે અને પાકિસ્તાન અથવા દુબઈ મારફતે અફઘાનિસ્તાનને પૂરા પાડવામાં આવતા માલમાં, પેમેન્ટ ત્રણથી ચાર મહિનામાં પ્રાપ્ત થાય છે. જાે કે, અશાંતિના કારણે ઘણા નિકાસકારોનું આશરે ૪૦૦ કરોડ રૂપિયાનું પેમેન્ટ અટવાયું છે'. અશાંતિના કારણે પાકિસ્તાન અથવા દુબઇ દ્વારા નિકાસ પણ પ્રભાવિત થયું છે. ક્વોલિટી અને વેરાયટીના કારણે શહેરમાં બનતા પંજાબી સૂટ અને દુપટ્ટાની પાકિસ્તાન તેમજ અફઘાનિસ્તાનમાં ભારે માગ છે. આયાતકારો આ પ્રોડક્ટ્સ ઈચ્છે છે પરંતુ અનિયમિત સપ્લાયના કારણે કોઈ પણ વર્તમાન પરિસ્થિતિમાં નિકાસ કરવાનું જાેખમ લેવા માગતા નથી', તેમ કાપડના ઉત્પાદક અને નિકાસકાર ગુરપાલ સિંહે જણાવ્યું હતું. અફઘાનિસ્તાનમાં દર મહિને ૧૦૦ કરોડ રૂપિયાથી વધારેના કપડા અલગ-અલગ રૂટથી નિકાસ કરવામાં આવતા હતા. પરંતુ હાલની સ્થિતિના કારણે તે અટકી ગયું છે', તેમ ગુરપાલ સિંહે ઉમેર્યું હતું. કાપડના ઉત્પાદક રવિ જૈને ઉમેર્યું હતું કે, 'ઘણા નિકાસકારોને ભારે નુકસાન થયું છે અને સ્થિતિ ક્યારે સુધરશે તેના વિશે કોઈને જાણ નથી.વધુ વાંચો -
દેશની સૌથી મોંઘી રાખડી ગુજરાતના આ શહેરમાં બની, કિંમત જાણીને ચોંકી જશો..
- 13, ઓગ્સ્ટ 2021 05:28 PM
- 1625 comments
- 2483 Views
સુરત-રક્ષાબંધન ભાઈ અને બહેનના સંબંધને દર્શાવતો મહત્વનો તહેવાર છે. રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને ભાઈ પાસેથી રક્ષણનું વચન લે છે, પછી બદલામાં ભાઈ વચન આપીને કેટલીક ભેટ આપે છે. રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને દેશની સૌથી મોંઘી રાખડી ગુજરાતના સુરતમાં તૈયાર કરવામાં આવી છે, જેની કિંમત ૫ લાખ રૂપિયા છે. રાખડીની કિંમત સાંભળીને તમે ચોંકી ગયા હશો પણ તે સાચું છે. રક્ષાબંધન નિમિત્તે માત્ર બહેનો જ તેમના ભાઈઓના કાંડા પર રેશમી દોરાથી બનેલી રાખડીઓ બાંધતી હતી, જાેકે ગ્રામીણ વિસ્તારોમાં આ પ્રથા હજુ સુધી સમાપ્ત થઈ નથી. પરંતુ શહેરી વિસ્તારોમાં બદલાતા સમયની સાથે રાખીઓની વ્યાખ્યા પણ બદલાઈ ગઈ છે. તમે તસવીરોમાં પણ જાેઈ શકો છો કે સુરતના એક જ્વેલર્સ શોરૂમમાં સોના, ચાંદી અને પ્લેટિનમથી વિવિધ પ્રકારની રાખડીઓ બનાવવામાં આવી છે. આ શોરૂમમાં રક્ષાબંધનના તહેવાર માટે ૩૫૦ થી ૫ લાખ રૂપિયા સુધીની રાખડીઓ તૈયાર કરવામાં આવી છે. જ્વેલર્સ દીપક ભાઈ ચોકસી કહે છે કે તેમના દ્વારા તૈયાર કરેલી રાખડીઓ રક્ષાબંધન પછી પણ ઘરેણા તરીકે પહેરી શકાય છે. સુરતના ડી ખુશાલદાસ નામના જ્વેલર્સના માલિક દીપક ચોકસી દ્વારા જ્વેલરીમાં વિવિધ પ્રકારની રાખડીઓ તૈયાર કરવામાં આવી છે, જેમાં સૌથી મોંઘી અને આકર્ષણનું કેન્દ્ર ૫ લાખ રૂપિયાની આ રાખડી છે. જાે કે આ રાખડી જ્વેલરે ગ્રાહક બહેનની માંગ પર તૈયાર કરી છે.જેને કદાચ દેશની સૌથી મોંઘી રાખડી કહી શકાય, તે સોના અને હીરાની બનેલી છે. આ રાખડીમાં દોરાને બદલે સોનાનું બંગડી અને હીરાનું પેન્ડન્ટ છે. જે રક્ષાબંધન પછી પણ પુરુષો હાથમાં બંગડી અને ગળામાં સોનાની સાંકળમાં હીરાનું લોકેટ પહેરી શકે છે. અથવા તો, ભાઈને મળેલી આ મોંઘી રાખી તેની પત્ની ગળામાં પહેરી શકે છે જાે દીપક ભાઈની વાત માની લેવામાં આવે તો સોના -ચાંદીમાં રોકાણ મુજબ આવી રાખડીઓ પણ ખરીદવામાં આવે છે. જાે કે, કોવિડ સમયગાળાને કારણે, પહેલાની જેમ કોઈ માંગ નથી. ગુજરાતનું સુરત શહેર દેશ અને દુનિયામાં ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે. વિશ્વભરમાં કોતરવામાં આવનારા ૧૦૦ હીરામાંથી ૯૫ હીરા આ સુરતમાં કોતરવામાં આવ્યા છે, તેથી સુરતના શ્રીમંત પરિવારોમાં અલગ અલગ તહેવારો પર આવા અનોખા ઘરેણાં ખરીદવાનો ટ્રેન્ડ છે.વધુ વાંચો -
ગુજરાતમાં ગરબા ખૈલયાઓ માટે એક માઠા સમાચાર: કોરોનાના ડરથી આયોજકો નહીં કરે ગરબાનું આયોજન
- 13, ઓગ્સ્ટ 2021 02:46 PM
- 4785 comments
- 275 Views
અમદાવાદ-ગુજરાતમાં ગરબા ખૈલયાઓ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. આ વખતે પણ કોરોનાની દહેશતને પગલે ગરબા ન યોજવાન માટે આયોજકોએ નિર્ણય લીધો છે. રાજ્યમાં મોટા શહેરોમાં દર વર્ષ મોટા આયોજનકો દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે. પરતું બે વર્ષથી કોરોના કહેરને પગલે ગરબા યોજી શકાતા નથી ત્યારે આ વર્ષે પણ ગરબા નહીં યોજાય તેવું લાગી રહ્યું છે કેમ કે ગરબા આયોજકોએ કોરોનાની સંભવિત ત્રીજી લહેરની આશંકાએ આ વખતે ગરબા નહીં યોજવા તેવો નિર્ણય લીધો છે.મહત્વનું છે કે અમદાવાદ, સુરત,રાજકોટ, વડોદરા, ગાંધીનગર જેવા શહેરોમાં મોટા ગરબાના મોટા આયોજનકો થતા હોય છે તેમજ પાર્ટી પ્લોટમાં પણ ખૈલયાઓ દ્વારા ગરબાની રમઝટ બોલાવાતી હોય છે ત્યારે વડોદરા અને અમદાવાદના આયોજકો આ વખતે ગરબા નહી યોજે તેવું જણાવી રહ્યા છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરની કારણે વડોદરા શહેરમાં પણ ગરબા યોજાશે કે નહીં તેને લઈને આશંકા જોવા મળી રહી છે. ત્યારે આયોજકો દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યા છે કે આ વખતે ગરબા નહીં યોજાય કોરોનાની ત્રીજી લહેરની આશંકાને લઈ યુનાઈટેડ વે અને માં શક્તિના આયોજકો ગરબાના આયોજન માટે તૈયાર નથી. યુનાઈટેડ વે ગરબાના આયોજક હેમંત શાહે કહ્યું કે, લોકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને આ વખતે ગરબા નહીં કરવાનો નિર્ણય કર્યો છે ગયા બર્ષની જેમ અમે આ વર્ષે પણ ગરબાનું આયોજન નહી કરીએ તેવું જણાવતા કહ્યું કે ગરબામાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન થઈ શકતું નથી એટલું આ વખતે ગરબા યોજવા સંભવ નથી.વધુ વાંચો -
આજે વર્લ્ડ ઓર્ગન ડે: ગુજરાતમાં અંગદાન કરવામાં પણ આ શહેર પ્રથમ
- 13, ઓગ્સ્ટ 2021 02:28 PM
- 5436 comments
- 227 Views
અમદાવાદ-વિશ્વમાં દર વર્ષે 13 ઓગસ્ટને વર્લ્ડ ઓર્ગન ડોનેશનડે તરીકે ઉજવાય છે. જેનો હેતુ લોકોમાં ઓર્ગન ડોનેશનનું મહત્વ સમજાવી લોકો તેને કરવા પ્રેરાય તે છે.ડાયમંડ સીટી,સિલ્ક સીટી બાદ સુરત શહેર હવે દાનવીર શહેર તરીકે ઓળખાય તો પણ નવાઇ નથી. ડોનેટ લાઇફ સંસ્થાએ અંગદાન માટે હાથ ધરેલાં ઉમદા કાર્યને પગલે સમગ્ર રાજ્યમાં સુરત શહેર અંગદાન બાબતે અગ્રેસર બન્યું છે. ડોનેટ લાઇફ સંસ્થા સમગ્ર વિશ્વમાં તેનાંકેવી રીતે થાય છે ઓર્ગન ડોનેશન..?? જ્યારે હોસ્પિટલમાંથી ડોનેટ લાઇફને દર્દીનો બ્રેઇન ડેડ અંગેનો કોલ આપવામાં આવે છે, ત્યારે તેઓની ટીમ હોસ્પિટલ પહોંચી જતી હોય છે. જ્યાં પહેલા તો દર્દીના પરિવારજનોને બ્રેઇન ડેડ એટલે શું તે અંગે માહિતી આપવામાં આવે છે અને તેઓને કન્વીન્સ કરવામાં આવે છે કે, જો દર્દીનું મોત નીપજે અને બાદમાં તેને અગ્નિદાહ આપવામાં આવે તો તે, તો અંતે તો રાખ જ બની જવાનું છે, પરંતુ જો તેના ઓર્ગન ડોનેટ કરાવામાં આવે તો કેટલાયને નવજીવન આપી શકાય. જો બ્રેઇન ડેડના પરિવારજનો હાર્ટ ડોનેટ કરવા માટે તૈયાર થાય તો, તાત્કાલિક ધોરણે મુંબઇ ખાતે આ અંગે જાણ કરવામાં આવે છે અને જો જરૂર જણાય તો મુંબઇથી ડોકટરની ટીમ સુરત આવી પહોંચે છે. મહત્વની વાત એ છે કે, હ્દય ટ્રાન્સપ્લાન્ટમાં સમય ખુબ જ ઓછો હોય છે. દર્દીના બ્લડ બંધ થવાથી લઇને સામે વાળા દર્દીનું બ્લડ ચાલુ થાય તે માટે ફકત 4 કલાકનો જ સમય હોય છે. આ સમયમાં દર્દીના ઓપરેશનથી માંડીને ટ્રાવેલિંગનો સમાવેશ થઇ જતો હોય છે.સામાન્ય રીતે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે રૂપિયા 20 લાખનો ખર્ચ થતો હોય છે અને જો સમયસર જો હ્દયને ટ્રાન્સપ્લાન કરવામાં નહીં આવે તો તે બિનઉપયોગી બની જતું હોય છે. ઓર્ગન સમયસર હોસ્પિટલથી એરપોર્ટ સુધી પહોંચે તે માટે પોલિસ દ્રારા ગ્રીન કોડીનોરની સેવા ઉપલબ્ધ કરાય છે. જેમાં એમ્બ્યુલન્સ નીકળવાની હોય તે પહેલા એરપોર્ટ સુધીનો રસ્તા પર અંદાજિત 100થી વધુ ટ્રાફિક જવાનો ગોઠવી દેવામાં આવે છે અને રસ્તો એમ્બ્યુલન્સ માટે ખુલ્લો કરી દેવામાં આવે છે કે જેને લઇને સમયનો બચાવ થાય. કાર્યો થકી ઓર્ગન ડોનેશન અંગે કાર્ય કરતી એક આગવી સંસ્થા તરીકે નામના મેળવીને સુરતનું નામ રોશન કરી રહી છે.વધુ વાંચો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ