સુરત સમાચાર

  • ક્રાઈમ વોચ

    કોર્પોરેટ કલ્ચરના ઝાકમઝોળની વરવી અંધારી બાજુ આંતરરાષ્ટ્રીય કક્ષાની ફાર્મા કંપનીમાં ચાલતા સેક્સ કૈાભાંડથી ખળભળાટ કંપનીના રંગીન મિજાજના એમડીએ ૩૭થી વધુ ભારતીય અને વિદેશી યુવતીઓનું શારીરિક શોષણ

    વડોદરા, તા. ૯આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાણીતી અમદાવાદની એક ફાર્મા કંપનીમાં ભારતીય તેમજ વિદેશી યુવતીઓને વાર્ષિક લાખો –કરોડો રૂપિયાના પેકેજ પર નોકરીએ રાખ્યા બાદ યુવતીઓનું ખુદ કંપનીના એમડી દ્વારા વારંવાર શારીરિક શોષણ કરી સેક્સ કૈાભાંડ આચરવામાં આવ્યું હોવાની વાતે ખળભળાટ મચ્યો છે. કંપનીના એમડીની રાતો રંગીન કરવા માટે મજબુર બનેલી યુવતીઓ આ મુદ્દે કોઈ હોબાળો મચાવે તે અગાઉ તેઓને શામ-દામ-દંડ-ભેદની નિતીથી ચુપ કરાવી દેવામાં આવતી હોઈ અત્યાર સુધી આ સેક્સ રેકેટની કોઈ વિગતો બહાર આવી શકી નહોંતી. જાેકે આ જ ફાર્મા કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતી એક યુવતીને પણ શારીરિક શોષણ માટે ફરજ પાડી બળજબરી કરાતા આ સેક્સ કૈાભાંડને ઉજાગર કરવા માટે યુવતીએ પહેલ કરી હતી. જાેકે કંપનીના વગદાર સંચાલક સામે કાર્યવાહી કરવા માટે પોલીસ તંત્રના હાથ ધ્રુજતા હોઈ પોલીસે ફરિયાદ નોંધવા માટે સ્પષ્ટ નનૈયો ભણતા યુવતીને આ સેક્સ રેકેટમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે આખરે હાઈકોર્ટમાં દાદ માંગવાની ફરજ પડી હતી. થોડાક સમય પહેલા આવેલી દિગદર્શક મધુર ભંડારકરની જાણીતી હિન્દી ફિલ્મ ‘કોર્પોરેટ’માં મોટા ઉદ્યોગપતિઓ દ્વારા મની એન્ડ મસલ્સ પાવર સાથે લેધર કરન્સીનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે તેનો ચિતાર આપી ઝાકમઝાળ ભરેલે કોર્પોરેટ કલ્ચરના બીજી વરવી બાજુને ઉજાગર કરવામાં આવી હતી. જાેકે ફિલ્મના દ્રશ્યો અને સ્ટોરીને પણ ટક્કર મારે તેવો વાસ્તવિક કિસ્સો અમદાવાદની જ એક જાણીતી મલ્ટીનેશનલ ફાર્મા કંપનીમાં સપાટી પર આવ્યો છે અને તેને કંપનીની જ એક ઉચ્ચાધિકારી કર્મચારી યુવતીએ ઉજાગર કર્યો છે. અન્ય રાજયની વતની અને હાલમાં અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતી ૨૬ વર્ષીય યુવતી અમદાવાદની ફાર્મા કંપનીમાં ઉચ્ચાધિકારી તરીકે ફરજ બજાવે અને કંપનીમાં કામગીરીના ભાગરૂપે કંપનીના તમામ કર્મચારીઓ તેના સંપર્કમાં આવે છે. આ યુવતીની તેના જ વિભાગના વડાએ જાતિય સતામની શરૂ કરી હતી અને તેણે કંપનીના સંચાલક- એમડી જે વ્યભિચાર અને રંગીન મિજાજના આક્ષેપોમાં અગાઉ ઘેરાયેલા છે તેમના સેક્સ કૈાભાંડના સિલસિલાબધ્ધ કિસ્સા વર્ણવ્યા હતા અને યુવતીને પણ એમડી સાથે શારીરિક સંબંધ બાંધવા માટે સતત દબાણ શરૂ કરાયું હતું. પોતાના વિભાગના વડાએ કંપનીના એમડીના સેક્સ કૈાભાંડ અંગે એવી ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો કે કંપનીમાં ૨૪થી ૨૭ વર્ષની રશિયન, સ્પેનીશ અને યુરોપીયન યુવતીઓને વર્ક વિઝા નહી હોવા છતાં કંપનીમાં દોઢથી બે કરોડના વાર્ષિક પગારે પર્સનલ સેક્રેટરી તરીકે નોકરીએ રાખવામાં આવી હતી અને એફઆરઆરઓ (ફોરેનર્સ રિજયોનલ રજીસ્ટ્રેશન ઓફિસર) પ્રોસેસ વિના પરત મોકલી દેવામાં આવી છે. આ યુવતીઓને કંપનીના એમડીના વૈભવી રહેણાંક સ્થળે રાખવામાં આવતી હતી જયાં એમડી દ્વારા તેઓની પર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. એમડી દ્વારા યુવતીઓ સાથે ક્રુરતાપુર્વક અકુદરતી સેક્સ પણ આચરવામાં આવ્યું છે જેના કારણે અનેક યુવતીઓને શારિરીક પીડાઓ પણ થઈ હતી પરંતું મની અને મસલ્સ પાવરના જાેરે તેઓને ચુપ કરાવી દઈ તેઓને વતનમાં રવાના કરી દેવાઈ છે. આ યુવતીએ કંપનીમાં મહિલાઓની જાતિય સતામણી સામે રક્ષણ આપવા માટે બનાવેલી કમિટીમાં પોતાના જાતિય સતામની કરતા તેના વિભાગના વડાની ફરિયાદ કરી હતી જેના પગલે કંપનીના બોર્ડ ઓફ ડિરેકટરોમાં ખળભળાટ મચ્યો હતો અને યુવતી પર આ મુદ્દે ચુપકીદી રાખવા માટે તેમજ વિભાગીય વડા કે કંપનીના એમડી સામે કોઈ પણ પ્રકારની ફરિયાદ નહી કરવા માટે દબાણ કરી ધમકીઓ આપવાનો દોર શરૂ થયો છે. જાેકે આ અંગે યુવતીએ અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં અને પોલીસ ઉચ્ચાધિકારીઓને રજુઆતો કરી હતી પરંતું તેની કંપનીનું નામ અને કંપનીના એમડીનું નામ સાંભળતા જ મનોમન ફફડી ઉઠેલી પોલીસે આ કેસમાં ફરિયાદ નોંધવાની વાત તો ઠીક પરંતું ત્યારબાદ યુવતીના ફોન પણ રિસીવ કરવાનું બંધ કરી દેતા યુવતીએ આ કેસની પોલીસ ફરિયાદ નોંધે તેવો આદેશ કરાવવા માટે અમદાવાદના યુવાન ધારાશાસ્ત્રી મારફત હાઈકોર્ટમાં દાદ માંગી હતી. બોક્સ.. હાઈકોર્ટમાં દાખલ થયેલો કેસ સુનાવણી પુર્વે વીથ ડ્રો કરાયો આગામી સપ્તાહે ફરી દાખલ કરાશે ઃ ફરિયાદીના વકીલ ઉદ્યોગપતિ સામે શારીરિક શોષણનો આક્ષેપ કરનાર યુવતીએ તેના વકીલ મારફત તારીખ પાંચમીએ નામદાર હાઈકોર્ટમાં પોલીસ ફરિયાદ દાખલ કરે તેવી માંગ સાથે દાવો દાખલ કરેલ કરેલો જેની આજે શુક્રવારના રોજ સુનાવણી હાથ ધરાય તે પુર્વે જ ક્રિમીનલ મિસેલીનિયસ એપ્લીકેશનને આગામી દિવસોમાં ક્રિમીનલ રિવિઝન એપ્લીકેશન તરીકે દાખલ કરવાની ન્યાયાધીશની મંજુરી સાથે વીથ ડ્રો કરવામાં આવી હતી અને તે સિનિયર વકીલોને સાથે રાખી આગામી સપ્તાહમાં નવેસરથી દાખલ કરવામાં આવશે તેવું ફરિયાદીના વકીલે ‘લોકસત્તા જનસત્તા’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું. બોક્સ..  ૭૫ લાખમાં સમાધાન કરી નોકરી છોડી દેવા દબાણ યુવતીએ અરજીમાં આક્ષેપ કર્યો હતો કે તેણે કંપનીના એમડી અને વિભાગીય વડા સહિતના અધિકારીઓ વિરુધ્ધ કંપનીની ફરિયાદની તજવીજ કરતા જ કંપનીના અન્ય એક ઉચ્ચાધિકારીએ તેને હોટલ અને જાણીતા ક્લબમાં બોલાવીને કંપનીના આ કેસમાં સમાધાન કરી લેવા માટે જણાવ્યું હતું અને સમાધાન માટે ૭૫ લાખની ઓફર કરાઈ હતી. તેને પૈસા લઈ કંપનીમાં રાજીનામુ આપી દેવા માટે દબાણ કરી કંપની અધિકારીએ કંપનીના એમડી વગદાર છે માટે તું તેનું કંઈ બગાડી નહી શકે તેવી ગર્ભિત ધમકી આપી હતી. બોક્સ.. ફાર્મા કંપનીમાં યુવતીઓને ફલ્મી હિરોઈન જેટલી ફી કેમ ચુકવાઈ ? યુવતીએ જણાવ્યું હતું કે તેની કંપની ફાર્મા કંપની છે જેમાં દવાઓનું ઉત્પાદન થાય છે તેની કંપની ફિલ્મો નથી બનાવતી કે જેમાં થોડાક સમય માટે આવતી યુવતીઓને ફિલ્મી હિરોઈનની જેમ કરોડો રૂપિયા ચુકવવામાં આવ્યા છે. એરલાઈન્સમાં ફરજ બજાવતી વિદેશી યુવતી જેનો પગાર આશરે સાત લાખ હતો તે યુવતી તેની કંપનીમાં ૫૦ લાખના પગારે નોકરીએ જાેડાતા તેની પર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. યુવતીઓને આટલો જંગી પગાર કેમ ચુકવાયો તેની સીબીઆઈ અને પોલીસે તપાસ કરવાની માંગણી કરી છે. યુવતીએ કંપનીના એમડી દ્વારા ૩૫ જેટલી વિદેશી યુવતીઓનું શારીરિક શોષણ કર્યાનો આક્ષેપ કરી યુવતીનો ગણતરી દિવસો માટે ચુકવાયેલા તોતીંગ પગારની યાદી રજુ કરાઈ છે. બોક્સ.. અમદાવાદ ગ્રામ્ય પોલીસને વકીલની હાજરીમાં ફરિયાદ આપી છે છતાં કોઈ કાર્યવાહી નહી જે ફાર્મા કંપનીના એમડી અને ઉચ્ચાધિકારીઓ પર સેક્સ રેકેટ કૈાભાંડના આક્ષેપો કરાયા છે તે કંપની અમદાવાદના ગ્રામ્ય પોલીસની હદમાં છે. યુવતીએ આ અંગે ગત મે માસમાં જ ગ્રામ્ય વિસ્તારના એક પોલીસ મથકમાં પીઆઈને બે વકીલોની હાજરીમાં ફરિયાદ નોંધવા માટે કોપી આપી હતી જે એક પીઆઈએ સ્વીકારી કરી હતી પરંતું પીઆઈએ તેની સ્ટેશન ડાયરીમાં કોઈ નોંધ કરી નહોંતી કે ફરિયાદની નકલ પર કોપી મળ્યાનો સિક્કો મારી આપ્યો નહોંતો. ફરિયાદ વાંચીને જ પીઆઈએ કહ્યું હતું કે આ રેરેસ્ટ ઓફ રેર ક્રાઈમ પરંતું તે ડીએસપીની મંજુરી વિના ફરિયાદ નહી નોંધી શકે. જાેકે યુવતીએ ત્યારબાદ પીઆઈ, ડીવાયએસપી અને રાજયના પોલીસ વડાને પણ ઈમેલથી ફરિયાદ કરી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ નથી જેની હાઈકોર્ટમાં માંગેલી દાદમાં પુરાવા સાથે રજુઆત કરી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    રામનવમીએ કોમી ભડકોઃ ઠેરઠેર પથ્થરમારો ઃ ૧૭ની ધરપકડ

    વડોદરા, તા.૩૦રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ સહિતની કેટલીક ધાર્મિક સંસ્થાઓ દ્વારા આયોજીત શોભાયાત્રા પર બપોરે ફતેપુરા વિસ્તાર સહિત અનેક સ્થળે ભારે પથ્થરમારાના પગલે દહેશતનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં અનેકને ઈજાઓ પહોંચી હતી તથા પરિસ્થિત પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. દરમ્યાન પોલીસે ૩૫૦થી વધુ સીસીટીવી કેમેરાને આધારે મોડીરાત સુધીમા ૧૭ તોફાનીઓની ધરપકડ કરી લીધી હતી. આ તોફાનો દરમ્યાન અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યુ હતું. છેલ્લા અનેક વર્ષોથી શાંતિપૂર્ણ માહોલનો અહેસાસ કરી રહેલું વડોદરા આજે કોમી રમખાણોના છમકલાઓથી ફરી એકવાર અભડાયું હતું. આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત શ્રીરામની શોભાયાત્રા બપોરના સમયે ફતેપુરા વિસ્તારના કુભારવાડા ખાતેથી પસાર થઈ રહી હતી.આ તબક્કે ડીજે પર મોટા અવાજે હનુમાનચાલીસા વાગતા જ એ વિસ્તારના કેટલાં યુવાનો અને વિહિપના કાર્યકરો વચ્ચે બોલાચાલી થતાં વાતાવરણ ગરમાયુ હતું આ તબક્કે પોલીસે મધ્યસ્થી કરી બંને ટોળાઓને શાંત કરી વિખેરી નાંખ્યા હતા. પરંતુ થોડી જ વારમાં આ સમાધાન પડી ભાંગ્યુ હોય એમ અચાનક આજુબાજુની ગલીઓમાંથી પથ્થરમારો શરૂ થયો હતો. આ તબકકે શોભાયાત્રામાં સામેલ એક હજારથી વધુ વીએચપી કાર્યકરોમાં ઉશ્કેરાટનો માહોલ ફેલાયો હતો. જાે કે ઘટના સ્થળે ઉપસ્થિત પોલીસે તાત્કાલિક પરિસ્થિતિ પર કાબુ મેળવવા તોફાનીઓની દિશામાં ઘસી જતાં મામલો થોડા સમય માટે શાંત પડયો હતો. પરંતુ શ્રધ્ધેય ભગવાન રામની શોભાયાત્રા પરના પથ્થરમારાથી ઉશ્કેરાયેલા કાર્યકરોને માંડ માંડ શાંતિ જાળવવા સમજાવાયા હતા. એસ.એસ.જી. હોસ્પિટલની સામે આવેલ પંચમુખી હનુમાન મંદિરથી શરૂ થયેલી આ યાત્રા શાંતિપૂર્ણ રીતે અને ધાર્મિક માહોલ સાથે આગળ વધી રહી હતી. ત્યારે પાંજરીગર મહોલ્લા ખાતે તેના પર ભારે પથ્થરમારો થયો હતો. જાે કે આ યાત્રા એરપોર્ટ, સંગમ, ફતેપુરા, કારેલીબાગ પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી.ત્યાર બાદ એ યાત્રા જીવનભારતી સ્કુલ એલ એન્ડ ટી એરપોર્ટ થઈ ફરી પંચમુખી હનુમાન મંદિર ખાતે સંપન્ન થઈ હતી.દરમ્યાન ફતેપુરા કંુભારવાડા ખાતેથી નિકળેલી શ્રી રામની આવી જ એક અન્ય શોભાયાત્રા પર તલાટીની ઓફિસની બાજુની ગલીમાંથી તથા સામેની બાજુ આવેલા એક ધાર્મિક સ્થળ પરથી અચાનક ભારે પથ્થરમારો શરૂ થયો હતો. પોલીસે માંડ માંડ પરિસ્થિત થાળે પાડતા શોભાયાત્રા આગળ વધી હતી. પરંતુ ચાંપાનેર દરવજા પાસે ફરીથી આ શોભાયાત્રા પર ભારે પથ્થરમારો થયો હતો. યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે અગાઉ સમગ્ર માર્ગ પર ઠેર ઠેર પથ્થરમારો થતાં વડોદરામાં ભારેલો અગ્નિ છે તથા મોડીરાત્રે એ કોમી રમખાણોના જવાળામુખીમાં ન ફેલાય તે માટે સ્થાનિક પોલીસે કડક હાથે કામ લેવાનુ શરૂ કર્યું છે.આજે શ્રી રામની ત્રીજી શોભાયાત્રા ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા યોજાઈ હતી. જે પ્રતાપનગર વિસ્તારના રણમુકતેશ્વર મહાદેવ ખાતેથી નિકળી પથ્થરગેટ વિસ્તારના તાડફળિયા ખાતે આવેલા રામજીમંદિર ખાતે સંપન્ન થઈ હતી. આ સમગ્ર રૂટ સંવેદનશીલ વિસ્તાર હોવાથી પોલીસે અગાઉ બે શોભાયાત્રાઓ પર થયેલા ભારે પથ્થરમારાના પગલે અગમચેતીના પગલારૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો.એક તરફ પવિત્ર રમઝાન મહિનો ચાલુ છે તથા સમગ્ર લઘુમતી વિસ્તારોમાં સાંજ બાદ ધાર્મિક માહોલ સર્જાય છે ત્યારે આજે દિવસ દરમ્યાન થયેલા કોમી છમકલાઓ વધુ વકરે નહીં તે માટે પોલીસે ચારેબાજુ ઘોસ વધારી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    સુરતમાં બસમાં લાગેલી આગમાં ભાવનગરની મહિલાનું કરૂણ મોત નિપજ્તા પરિવારમાં શોક

    ભાવનગર, સુરત શહેરમાં ગઈકાલે રાત્રે એક બસમાં આગ લાગી હતી. જેમાં ભાવનગરની એક મહિલાનું મોત થયું છે. સુરતથી ભાવનગર જવા નીકળેલી રાજધાની ટ્રાવેલ્સની બસમાં ગઈકાલે એકાએક આગ લાગી હતી. આ બનાવમાં ભાવનગરનું નવયુગલ ભોગ બન્યું છે. જે પૈકી પરિણીતા ઘટના સ્થળે જ ભડથું થઈ જતા કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જયારે તેના પતિ પણ ગંભીર રીતે દાજી જતા હાલ હોસ્પિટલની બિછાને છે. આ ઘટનાથી ભારે અરેરાટી સાથે આઘાત છવાઈ ગયો હતો. આ બનાવની વિગતો મુજબ સુરતના યોગીચોક પાસે મંગળવારે મોડી રાત્રે રાજધાની ટ્રાવેલ્સની લકઝરી બસમાં આગ લાગતાં જ એસીનું કોમ્પ્રેસર ધડાકાભેર ફાટ્યું હતું. જેને કારણે આગ વધુ વિકરાળ બની હતી. બસમાં જમણી બાજુ ડબલ સીટ કેબિનમાં બેઠેલા યુગલમાંથી યુવક તો બહાર નીકળી ગયો હતો, પરંતુ મહિલા ત્યાં જ ફસાઈ જતાં તે જીવતી સળગી ગઈ હતી. આજે મૃતકના પરિવારજનોએ સુરત પહોંચી પરિણીતાએ પહેરેલી વીંટી, ઝાંઝર અને કપડાના આધારે શબ પરિણીતાનું જ હોવાનું ઓળખી બતાવ્યું હતું. પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી વિધિ બાદ મૃતદેહ સોપાતા બપોરે પરિવારજનો તાન્યાબેનનું શબ અને ઈજાગ્રસ્ત વિશાલભાઈને લઈને ભાવનગર આવવા નીકળ્યા હતા. જ્યા ભાવનગરમાં યુવતીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા.આ બનાવમાં ભોગ બનનાર સિંધી દંપતીની ગોવાથી અમદાવાદની આજે બુધવારની ફ્લાઈટ હતી પરંતુ કોવિડના કારણે તે ફ્લાઈટ કેન્સલ થઈ હતી. જયારે હવાઈ સેવાની કંપનીએ એક દિવસ અગાઉની સૂરતની ફ્લાઈટમાં ટિકિટની વ્યવસ્થા કરી આપતા મંગળવારે જ ગોવાથી પીકઅપ કરી દંપતી સૂરત જવા નીકળ્યું હતું, સાંજે ૫ વાગ્યા આસપાસ સુરત પહોંચ્યા અને ભાવનગર આવવા રાજધાની ટ્રાવેલ્સમાં હીરાબાગથી બેઠા હતા. તેની થોડી વારમાં જ આગ ફાટી નીકળી હતી.આ બનાવમાં ભોગ ગ્રસ્ત દંપતીના લગ્ન થયાને હજુ બે વર્ષ જ થયા હતા, ૧૭મીએ એનિવર્સરી હોવાથી આ દંપતી ગોવા ફરવા ગયું હતું. પીરછલ્લા શેરીમાં સાગર દુપટ્ટા નામે વ્યવસાય કરતા વિશાલ નારાયણભાઇ નવલાણી (રે. રસાલા કેમ્પ, ડોકટર હાઉસ સામે, રમ નંબર ૭, ઘર નં ૧૮૨) તેમના પત્ની તાન્યાબેન સાથે ગોવા ફરવા ગયા હતા. રિટર્ન ફરતી વખતે સુરતથી ખાનગી બસમાં ભાવનગર આવવા નીકળ્યા હતા.રાજધાની ટ્રાવેલ્સની બસની ડીકીમાં સેનેટાઇઝર હોવાથી આગ વધુ ભડકી હોવાનું ભોગગ્રસ્તના સગાઓએ જણાવ્યું હતું. આ મામલે ઊંડી તપાસ કરવા માંગ કરાઈ છે. સુરત બસ અકસ્માતમાં મૃત્યુ પામેલ ભાવનગરની દીકરી અને ઈજાગ્રસ્ત વ્યક્તિઓને સરકાર સહાય આપે તેમની ઉચ્ચ સારવાર કરાવે અને ઘટનાના જવાબદાર લોકો પર કાયદેસરની કડક કાર્યવાહી થાયે તેવી સમાજ સેવી કમલેશ ચંદાણીએ માંગ કરી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    જીએસટી વધારાના વિરોધમાં અમદાવાદના કાપડ ઉદ્યોગની ધોરી નસ સમાન મસ્કતી માર્કેટ જડબેસલાક બંધ

    કેન્દ્ર સરકારે કાપડ ઉદ્યોગ પર જીએસટી ના પાંચ ટકાથી વધારીને ૧૨% નો અધધ વધારો નાખતા આ વધારો કાપડના વેપારીઓને અસહ્ય થઈ પડતાં શહેરની કાપડ ઉદ્યોગની ધોરીનસ કહેવાતી મસ્કતી માર્કેટ સહિત ૨૫ નાના-મોટા કાપડ ઉદ્યોગની માર્કેટ હોય ૧૨% જી.એસ.ટી ના વિરોધમાં સજ્જડ બંધ પાળ્યો હતો કોરોના મહામારી દરમિયાન ધંધો પડી ભાંગ્યો હતો તેમાંથી માંડ બહાર આવી વેપાર-ધંધાની ગાડી ફરીથી પાટે ચડાવવાનો ભગીરથ પ્રયાસ કરતા વેપારી ને માથે ૧૨% જી.એસ.ટી નો માર પડતા શહેરના કાપડ ઉદ્યોગની ધોરી નસ કહેવાતી મસ્કતી માર્કેટના વેપારીઓએ નછૂટકે જીએસટીના મુદ્દે સરકાર સામે વિરોધનું રણશિંગુ ફુક્યું છે જીએસટી મુદ્દે વેપારીઓએ અનેકવાર સરકારને વિનંતી કરવા છતાં સરકારે કોઇ દાદ ન આપતા છે માટે વેપારીઓ એ અંધારપટ નો પ્રોગ્રામ આપી રસ્તા પર ઉતરી આવ્યા હતા છતાં સરકારના પેટનું પાણી ન હાલતા છેવટે મસ્કતી માર્કેટના તમામ વેપારીઓએ તાળાબંધી નો કાર્યક્રમ આપ્યો હતો સમગ્ર મસ્કતી માર્કેટ એ સજ્જડ બંધ પાળી સરકારની નીતિનો વિરોધ કર્યો હતો આ વિરોધમાં ૨૫ કાપડ ઉદ્યોગની માર્કેટ પણ જાેડાઈ હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    એલઆરડી પીએસઆઈ ની ભરતી પારદર્શક રીતે થશે  હર્ષ સંઘવી

    ગાંધીનગર/સુરત, ગુજરાતમાં આગામી દિવસોમાં ૧૦ હજારથી વધુ એલઆરડી અને ૧૩૦૦ જેટલા પીએસઆઈની જગ્યાઓ માટે ભરતી થવાની છે. ત્યારે આ ભરતીને લઈને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, આ ભરતીમાં કોઈ પણ જાતની ગેરરીતિ કે લાગવગને કોઈ સ્થાન નથી. આ ભરતી પારદર્શક રીતે થશે. તેમજ ઉમેદવારોએ એજન્ટો કે વચેટિયાઓની વાતોમાં ભોળવાઈ ન જવા ગૃહ રાજ્ય મંત્રીએ અપીલ કરી છે. રાજ્ય સરકારના પોલીસ ભરતી બોર્ડ દ્વારા આગામી દિવસોમાં લોક રક્ષક દળ (એલઆરડી)માં ૧૦,૪૫૯ જેટલી જગ્યાઓ તેમજ ૧૩૦૦ જેટલા પીએસઆઈની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જેમાં એલઆરડીની ૧૦,૪૫૯ જગ્યાઓ માટે ૯.૬૦ લાખ કરતા વધુ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. તેવી જ રીતે ૧૩૦૦ પીએસઆઈની જગ્યાઓ માટે પણ લાખોની સંખ્યામાં યુવાનોએ અરજીઓ કરી છે. એલઆરડી અને પીએસઆઈની ભરતી માટે રાજ્યના લાખો યુવાનો તેઓ સફળ થશે તેવી આશાઓ સાથે મહેનત કરી રહ્યા છે. ત્યારે આ યુવાનોમાં કઈક અંશે અંદર ખાને એવો ડર પણ છે કે, અગાઉની પરીક્ષાઓની જેમ પેપર લીક નહી થાય ને? આ સંજાેગોમાં પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ દ્વારા તાજેતરમાં એવું જણાવાયું છે કે, આ ભરતી પ્રક્રિયામાં કોઈ ગેરરીતિને સ્થાન નથી. ત્યારે આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ હસમુખ પટેલની આ વાતને દોહરાવી હતી. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ ભરતી સંપૂર્ણ પારદર્શક રીતે કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ કોઈ સ્થાન નથી. ગૃહ રાજ્ય મંત્રીએ ઉમેદવારોને એમ પણ જણાવ્યું હતું કે, ઉમેદવારો કોઈ પણ એજન્ટોની ચંગુલમાં આવે નહિ, તેમજ કોઈ પ્રલોભનનો શિકાર બને નહિ. આ સમગ્ર ભરતી પ્રક્રિયા ઉપર જિલ્લાભરની પોલીસ પણ ચાંપતી નજર રાખી રહી છે. પોલીસ આવા એજન્ટોને શોધી રહી છે. હજુ કેટલાક ઉમેદ્વ્‌વારો લાગવગ થશે તેવી આશાઓ રાખીને બેઠાં છે. ક્યાંક ને ક્યાંક વચેટિયાઓ પણ પૈસા લઈને નોકરી અપાવવાની વાતો કરીને ઉમેદવારો સાથે છેતરપીંડી કરી રહ્યા છે. ભૂતકાળમાં પણ આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા પોલીસ ભરતી બોર્ડની રચના કરવામાં આવી છે. ત્યારે આ ભરતી પ્રક્રિયામાં સંપૂર્ણ ગોપનિયતા જળવાય તેમજ મહેનતુ ઉમેદવારોને ન્યાય મળે તેવી દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે તેમ પણ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.
    વધુ વાંચો
  • ગુજરાત

    પીડિતાના કહેવાતા આપઘાતનો વીડિયો વાયરલ ઃ હત્યાની શંકા દૃઢ બની?

    વડોદરા, તા.૨૬વેક્સિન ગ્રાઉન્ડ રેપકાંડનો ભોગ બનેલી પીડિતાનો અંતિમ વીડિયો બહાર આવ્યો છે. ટ્રેનમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં આ વીડિયોએ અનેક સવાલો ઊભા કર્યા છે. વીડિયોમાં સ્પષ્ટપણે જાેઈ શકાય છે કે પીડિતાના મૃતદેહના પગ જમીન ઉપર અડેલા છે અને જે ઓઢણીથી ગળાફાંસો ખાધો હોવાનું દેખાય છે એ ફંદો માત્ર ગળા પર છે, જ્યારે ગરદન આખી ખૂલ્લી છે. ફાંસાનો ફંદો ગળા અને ગરદન બંને પર ઘટ્ટ ભીંસાય તો જ વ્યક્તિનું મોત થઈ શકે એ જાેતાં આ મામલો આત્મહત્યાનો છે કે હત્યાનો એવી શંકા ઊભી થઈ છે. વલસાડ રેલવે સ્ટેશન ખાતે ટ્રેનમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં પીડિતાનો વીડિયો આજે બહાર આવ્યો છે જેમાં પોલીસ પંચક્યાસ કરી રહેલી દેખાય છે. વીડિયોને ધ્યાનથી જાેતાં આ મામલો આત્મહત્યાને બદલે હત્યાનો હોવાનું લાગી રહ્યું હોય એવા તર્કવિતર્ક ખુદ પોલીસ માટે ઊભા થયા છે. પીડિતાના કહેવાતા આપઘાત બાદનો વીડિયો અનેક સવાલ ઊભા કરે છે. જાે કે, પોલીસ અગાઉથી જ આ મામલો હત્યાનો હોઈ શકે છે એવું માની એ દિશામાં પણ તપાસ કરી છે. ત્યારે એનું મોત નીપજાવાથી કોને લાભ થશે અને કયા કારણોસર એની હત્યા થઈ હોઈ શકે એવા કારણોની શોધખોળ પણ પોલીસ કરી રહી છે. શું એ મીડિયા સમક્ષ જઈને કોઈ વ્યક્તિના, કે વ્યક્તિ સમૂહના ગુનાહિત ભંડા ફોડી નાખશે એવી કોઈ બીક ધરાવનારાઓએ એનું મોઢું કાયમ માટે બંધ નથી કરાવ્યું ને? એ દિશામાં પોલીસ વધુ ગંભીરતાથી તપાસ કરી રહી છે. જે વીડિયો બહાર આવ્યો છે એમાં જાેઈ શકાય છે કે પીડિતાના પગ કોચના ફલોરને અડેલા છે અને યુવતીની બાજુમાં સીટ છે તેને પણ તેનો દેહ અડેલો છે. મહત્ત્વની વાત તો એ છે કે જે ઓઢણી લટકાવી એને ફાંસો ખાધો હોવાનું કહેવાય છે. એ ફંદાને ગાંઠ પણ મારેલી નહીં હોવાનું વીડિયોમાં સ્પષ્ટપણે જાેઈ શકાય છે જેને લઈને અનેક શંકાઓ ઊભી થઈ છે. વલસાડ રેલવે સ્ટેશન પર ૪ નવેમ્બરના રોજ ગુજરાત ક્વિન એક્સપ્રેસ ટ્રેનની સફાઈ કરતા કામદારને ખાલી કોચમાંથી યુવતીની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી. તાત્કાલિક વલસાડ રેલવે સ્ટેશન માસ્તર અને રેલવે પોલીસની ટીમને ઘટના અંગે જાણ કરી હતી. પોલીસે તરત જ પહોંચી તપાસ કરતાં પીડિતા પાસેથી ટિકિટ કે પાસ મળી આવ્યા ન હતા. જાે કે, યુવતી પાસેથી મળેલા ફોનના આધારે નવસારી રહેતા પરિવારનો સંપર્ક કરાયો હતો. રેલવે પોલીસે યુવતીના મોત અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી નવસારી જઈ તપાસ કરતાં એના રૂમમાંથી મળેલી ડાયરીમાં સામૂહિક દુષ્કર્મ ગુજારાયો હોવાનું બહાર આવતાં પોલીસ ચોંકી ઊઠી હતી અને તપાસ માટે વડોદરા આવી વેક્સિન મેદાન અને જે સંસ્થામાં કામ કરતી હતી એ ઓએસીસમાં તપાસ હાથ ધરી હતી. બાદમાં શહેર ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જાેડાઈ હતી અને દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. બીસીએનો કર્મચારી બાયોબબલ છોડી પોલીસને સીસીટીવી ફુટેજ આપવા દોડયો વડોદરા. ગેંગરેપની ઘટનાની તપાસમાં વેક્સિન મેદાન અને ઓએસીસની ઓફિસની આસપાસના માર્ગો-રહેઠાણો, દુકાનો, શો-રૂમ, ઓફિસોના સીસીટીવી ફુટેજ પોલીસ મેળવી રહી છે. ત્યારે બરોડા ક્રિકેટ એસોસિયેશનની ઓફિસ પણ નજીકમાં જ આવેલી હોવાથી પોલીસે બીસીએ પાસેથી સીસીટીવી ફુટેજની માગણી કરતાં જવાબદાર ઈસમ દિનેશ ગંગવાણી કુચબિહાર ટ્રોફીને લઈ બાયોબબલ હેઠળ વેલકમ હોટલમાં હોવા છતાં બબલ છોડી બીસીએની કચેરીએ દોડી આવ્યો હતો. ઓએસીસના સંચાલકોએ બચાવ માટે વાલીઓ-વિદ્યાર્થીઓને ઢાલ બનાવ્યાં? વડોદરા, તા. ૨૬ ઓેએસીસ સંસ્થાના સંચાલકોએ ૧૮ વર્ષની યુવતી પર વેકસીન ઈન્સ્ટીટ્યુટના મેદાનમાં થયેલા પાશવી બળાત્કારની વાત ઈરાદાપુર્વક છુપાવી રાખવાનું પાપ આચર્યું છે અને તેના કારણે બળાત્કાર પિડીતાને આપઘાત કરવાની ફરજ પડી છે. જાેકે યુવતીએ આપઘાત કર્યો કે તેની હત્યા કરાઈ છે તે મામલે પણ વિવાદ છે પરંતું આવું હિનકૃત્ય કર્યા બાદ પણ ઓએસીસ સંસ્થાના સંચાલકોએ ભુલ સ્વીકારવાના બદલે છેલ્લા ૨૨ દિવસથી સતત ચુપકિદી સેવી છે. દરમિયાન ઓએસીસ સંસ્થાની ભેદી પ્રવૃત્તીઓની તપાસ માટે શહેર પોલીસ કમિ.એ એસીપી ચૈાહાણને આદેશ કરતા જ સંસ્થાના સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. અત્યાર સુધી માધ્યમોથી સતત અંતર રાખતા ઓએસીસ સંસ્થાના સંચાલકોએ હવે બચાવ માટે પોતાની સંસ્થામાં ફેલોશીપ કરતી માસુમ વિદ્યાર્થીઓ અને તેઓના વાલીઓને ઢાલ બનાવીને પોલીસ સમક્ષ સંસ્થાની તરફેણ માટે આગળ ધર્યા છે. ગઈ કાલે સુરત અને નવસારીથી આવેલા કેટલાક વાલીઓએ તેઓના સંતાનો સાથે શહેર પોલીસ કમિ.કચેરી ખાતે આવેદનપત્ર આપવા ગયા હતા. જાેકે પોલીસ કમિ. નહી મળતા આજે આ ટોળું રેલવે પોલીસના એસપી પરિક્ષીતા રાઠોડને મળ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્ર આપ્યા બાદ કેટલાક વાલીઓએ માધ્યમો સાથે વાતચિત કરી હતી જેમાં તેઓએ ઓએસીસ સંસ્થામાં તેઓના સંતાનો ફેલોશીપ કરે છે અને તેઓને કોઈ સમસ્યા નથી તેમ જણાવી સંસ્થાને આ વિવાદમાં નહી લાવવા માટે જણાવ્યું હતું. તેઓની સાથે હાજર કેટલીક ચબરાક વિદ્યાર્થીનીઓએ પણ તેઓની સહકર્મી વિદ્યાર્થિની પર બળાત્કારના મુદ્દે કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો પરંતું તેઓની સંસ્થાને ટાર્ગેટ નહી બનાવવા માટે માધ્યમોમાં વિનંતી કરી હતી. બ્રેઈનવોશ્ડ યુવતી કહે છે વાલીઓ તેઓની મરજી સંતાનો પર થોપી ના શકે રેલવે પોલીસના એસપી કચેરી ખાતે ઓએસીસ સંસ્થામાં ફ્ેલોશીપ કરતી યુવતીઓ પણ આવી હતી. આ યુવતીઓનું સંસ્થામાં કેટલી હદે બ્રેઈનવોશ કરાયુ છે તેનો જીવંત દાખલો માધ્યમોને મળ્યો હતો. યુવતીઓએ તેઓ આ સંસ્થામાં સ્વેચ્છાથી આવી છે તેમ કહેતા એવી પણ વણમાંગી સુફિયાણી સલાહ આપી હતી કે પુત્રીઓ હમેંશા પિતાને વ્હાલી હોય છે પરંતું ૧૮ વર્ષની થયા બાદ હવે તેઓ પોતાનો નિર્ણય લેવા આઝાદ છે અને વાલીઓએ પણ તેઓની મરજી તેઓના પુખ્તવયના સંતાનો પર થોપવી ના જાેઈએ. પોલીસ વિદ્યાર્થીઓને કનડગત ના કરે તેવી વાલીઓની રજૂઆત રેલવે એસપી કચેરી ખાતે નવસારીના બે વાલીઓ સંજય ગાયકવાડ અને મહેન્દ્ર કોરાટે માધ્યમોને જણાવ્યું હતું કે તેઓના સંતાનો ઓએસીસમાં ફેલોશીપ કરી રહ્યા છે અને તેઓને કોઈ તકલીફ નથી. તેેઓએ બળાત્કાર પિડીતા અને તેના પરિવારજનો પ્રત્યે સહાનુભુતિ દાખવવાના બદલે પિડીતાની માતા તેમજ અન્ય વાલીઓએ સંસ્થા સામે ઉઠાવેલા વાંધા ખોટા છે તેમ કહી સંસ્થાને બચાવવાનો ભરપુર પ્રયાસ કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે પોલીસ નિતિમત્તા રાખી તપાસ કરે અને સંસ્થામાં વાલીઓ વિના રહેતા વિદ્યાર્થીઓને ખોટી રીતે હેરાનગતિ ના થાય તે રીતે કામગીરી કરે. ઓએસીસમાં રહીને મળતી આઝાદી કાલની ગુલામી છે માતા-પિતા અને પરિવારથી અલગ રહીને મનફાવતી પ્રવૃત્તી કરતા વિદ્યાર્થીઓ અને ઓએસીસ સંસ્થા સામે જાણીતા યુટ્‌યુબર શુભમ મિશ્રાએ આજે વેકસીન મેદાન પર બળાત્કારના ઘટનાસ્થળે મિડિયા સમક્ષ બળાપો ઠાલવ્યો હતો કે જે વિદ્યાર્થીઓને હાલમાં પરિવારથી અલગ રહે છે તેને આઝાદી માને છે ખરેખરમાં તે જ આવતીકાલની ગુલામી હશે. ઓએસીસ સંસ્થાએ ખરેખરમાં પિડીતાને બળાત્કારની ઘટનાબાદ તુરંત મદદ કરવાની જરૂર હતી પરંતું તેઓએ મદદ નહી કરતા યુવતીએ આપઘાત કર્યો છે. સંસ્થાની આવી કાર્યનિતી અને યુવતી સાથે ફેલોશીપ કરતી અને સંસ્થાની વાહવાહ કરી રહેલી સહવિદ્યાર્થિનીઓને પણ તેમણે સવાલ કર્યો હતો કે તમે મદદ કરવાના બદલે કેમ ચુપ રહ્યા ? અને હવે સંસ્થાને બચાવવા માટે કેમ આગળ આવો છો ? રાજકીય અગ્રણીઓ કેમ ચૂપ છે? સંસ્કારી નગરી વડોદરામાં બહારની યુવતી પર આ રીતે થયેલા બળાત્કારના ઘટનાથી ભારે વ્યથિત યુુટ્યુબર શુભમ મિશ્રાએ આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વડોદરામાં રાજયકક્ષાના મંત્રીઓ અને રાજકિય અગ્રણીઓ હાજર છે છતાં તેઓએ આવી ગંભીર ઘટના થવા છતાં ઓએસીસ સંસ્થા સામે કેમ ચુપકિદી સેવી છે ?. તેમણે એવો પણ ભય વ્યક્ત કર્યો હતો કે વડોદરાની છબિ ‘રેપ સિટી’ તરીકે ખરડાશે તો કોઈ પણ બહારની યુવતી-મહિલા વડોદરામાં રહેવા માટે ગભરાશે. સંસ્કારીનગરીની છબિ આ રીતે ના ખરડાય અને કોઈ પણ મહિલા વડોદરામાં તે સલામત હશે તેવી ખાત્રી સાથે આવે તે માટે રાજકિય અગ્રણીઓએ પણ આગળ આવવું પડશે. શું સ્ફોટક ડાયરી મેળવવા માટે જ કોઈ વ્યકિત પીડિતાનો પીછો કરતી હતી? ગેંગરે૫ની પીડિતાની અંગત ડાયરીના પાનાં કોણે ફાડ્યા એ વિષયે હજુ કોઈ ભેદ નથી ખૂલી રહ્યો, ત્યારે પીડિતા જે સંસ્થા સાથે સંકળાયેલી એના અગ્રણીઓએ વાજબી દલીલ કરતાં કહ્યું કે જાે અમારામાંથી કોઈએ એ પાનાં ફાડ્યાં હોય તો આખી ડાયરી જ ના ફાડી નાખત? આ સંજાેગોમાં હવે એવો પ્રશ્ન પણ ઊભો થયો કે ડાયરીના બે પાનાંનો નાશ થયા બાદ એ ડાયરીમાં બીજું પણ ઘણું બધું ગંભીર અને જેલ સુધી લઈ જાય એવા લખાણો હશે તો? એવા વિચારે બે પાનાં ફાડનાર અથવા યુવતી પાસે બળજબરીથી ફડાવનારને પાછળથી એ સંપૂર્ણ ડાયરીનો નાશ કરવાની જરૂરિયાત ઊભી થઈ હોઈ શકે અને એટલે જ એ ડાયરી મેળવવાના ઈરાદે કોઈએ પીડિતાનો પીછો કર્યો હોય જે અંગે ખુદ પીડિતાએ પોતાના આખરી સંદેશામાં પણ જણાવ્યું છે. પીછો કરનારે જ્યારે એને ખાલી ટ્રેનના કોચમાં ઝડપી હોય ત્યારે એની પાસેથી ડાયરી નહીં મળી આવતાં સંભવિત ગંભીર આક્ષેપોથી ડરેલી વ્યક્તિએ કે તેના ઈશારે અન્યએ યુવતીને ગળાફાંસો આપી અથવા પહેલાં મોતને ઘાટ ઉતારી પાછળથી ગળાફાંસો હોવાનું ગેરમાર્ગે દોરવા ઓઢણી ગળામાં નાખી એને લટકાવી દીધી હોય એવી પણ એક શક્યતા પોલીસ ચકાસી રહી છે. જે કોઈ વ્યક્તિ આવું કરવામાં સંડોવાયેલી હોય એ સ્વાભાવિક રીતે જ એવો મુદ્દો ઉઠાવી સંતોષ લઈ રહી હશે કે સીસીટીવી ફુટેજમાં કોઈ વ્યક્તિ એનો પીછો કરતી કે ખાલી ટ્રેનમાં એની પાછળ જતી દેખાઈ નથી. પોલીસ તપાસની માહિતીના આધારે આ મુદ્‌ાને હાશકારા સાથે ઉઠાવાઈ રહ્યાનું પણ પોલીસને લાગી રહ્યું છે. પીડિતાની એ ડાયરી એના સામાનમાં ન હતી અને પાછળથી એના નવસારીના ઘરેથી મળી એ તો પોલીસના દસ્તાવેજી રેકોર્ડ પર છે. જાે એ ડાયરી યુવતીનો પીછો કરનાર વ્યક્તિને મળી ગઈ હોત તો કદાચ પીડિતા પર ગેંગરેપ થયાની બાબત પણ ક્યારેય બહાર જ નહીં આવત અને ગેંગરેપની જાણ હોવા છતાં જવાબદાર નાગરિકો તરીકે પોલીસને જાણ નહીં કર્યાના ગુનાની પણ હાલ ચાલતી ચર્ચા શરૂ જ ન થઈ હોત.
    વધુ વાંચો
  • ગુજરાત

    સુરત લવાયેલા ૧ કરોડના ગાંજા સાથે ત્રણની ધરપકડ

    સુરત, સુરત શહેરમાં ટ્રાન્સપોર્ટની આડમાં ગાંજાનો જથ્થો ઘુસાડવાનાં નેટવર્કને ઝડપી પાડવામાં શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસને સફળતા હાથ લાગી છે. પોલીસે વેડછા પાટિયા પાસે વોચ ગોઠવી ગાંજાનો જથ્થો ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો. પોલીસે એક કરોડના ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જયારે ત્રીજા આરોપીને ડીંડોલીમાંથી ઝડપી લીધો હતો. પોલીસે ત્રણેયની ધરપકડ કરી એક કરોડનો ગાંજા ઉપરાંત મોબાઈલ, રોકડા રકમ, ટેમ્પો મળી કુલ ૧.૧૨ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જયારે પોલીસે એકને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે ઓરિસ્સાથી એક ટેમ્પોમાં ટ્રાન્સપોર્ટ મારફતે ગાંજાનો મોટો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે. જે ટેમ્પો વેડછા પાટિયા તરફથી સુરત શહેરમાં પ્રવેશ કરશે. જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રવિવારે પોણા સાતેક વાગ્યાના આરસામાં સુરત કડોદરા રોડ વેડછા પાટીયા વિનાયક પેટ્રોલપંપ નજીક માધવપાર્ક ટ્રાન્સપોર્ટના ગોડાઉનની બાજુમાં વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીમાં વર્ણનવાળો ટેમ્પો (એમ.એચ.૧૮.બીજી.૨૮૯૧) નજરે પડતા પોલીસે તેને અટકાવી તલાશી લેતા તેમાંથી ગાંજાનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો. જેથી આખરે પોલીસે ટેમ્પો સાથે મોહમદ ફઈમ મોહમદ રફીક શેખ (રહે. ખલીફા સ્ટ્રીટ અઘારીની ચાલ નાનપુરા) તથા મોહમદ યુસુફ ગોસ મોહમદ શેખ (રહે. ખ્વાજાના દરગાહ બડેખા ચકલા) અને અરૂણ સાહેબરાવ મહાડીક (રહે. ડિંડોલી)ને ઝડપી પાડયા હતા. ક્રાઈમ બ્રાન્ચે ટેમ્પોમાંથી ૧૦૦.૨૯ કિલો વજનનો ગાંજા જેની કિંમત રૂપિયા ૧,૦૦,૯૨,૯૦૦, મોબાઈલ નંગ-૪, રોકડા ૭૭૦ અને અશોક લેલન કંપનીનો ટેમ્પો મળી કુલ રૂપિયા ૧,૧૨,૧૪,૬૭૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓની પુછપરછ દરમિયાન કરેલી કબુલાતને પગલે ગાંજાનો જથ્થો મોકલનાર દિલીપ ગોડા (રહે. ઓડિશાના ગંજામના બરામપુર )ને વોન્ટેડ જાહેર કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસનું દબાણ વધતા ઓડિશાથી ગાંજાના સપ્લાયરો હવે ટ્રેનના બદલે ટ્રાન્સપોર્ટ મારફતે શહેરમાં ગાંજા ઘુસાડવાનો કિમીયો અપનાવ્યો છે પરંતુ પોલીસની નજરથી તેઓ ટ્રાન્સપોર્ટ મારફતે પણ શહેરમાં ગાંજાે ઘુસાડવાના પ્રયાસો નિષ્ફળ નીવડી રહ્યા છે. મોટા માથાઓનાં નામો ખુલવાની શક્યતા ડીસીબી પોલીસે એક કરોડથી વધુની રકમના ગાંજાના જથ્થા સાથે બે આરોપીને ઝડપી પાડ્યા છે. જે બે પૈકી એક સુરતનો જ બડેખાંચકલાંનો છે. પોલીસે આખી રાત આરોપીની પૂછપરછ કરી હતી. જેમાં મોટા માથાઓના નામો ખુલવાની સંભાવના પોલીસ સેવી રહી છે. હાલ તો પોલીસે સુરતમાં આટલા મોટા પ્રમાણમાં ગાંજાે મગાવનાર કોણ છે? ગાંજા માટે ફાયનાન્સર કોણ છે? અગાઉ કેટલી વાર લાવ્યા અને સુરતમાં કોને કોને સપ્લાય કરવામાં આવે છે તે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરી છે. આરોપીઓના ચાર તારીખ સુધીના રીમાન્ડ મંજુર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મોડીરાત્રે આખું નેટવર્ક ઝડપી પાડ્યા બાદ આજે બપોરે મોહમદ ફઈમ મોહમદ રફીક શેખ, મોહમદ યુસુફ ગોસ મોહમદ શેખ અને અરૂણ સાહેબરાવ મહાડીક ને કોર્ટમાં રજુ કર્યા હતા. પોલીસે આ ત્રણેય આરોપીઓના આગામી તારીખ ૪ ડિસેમ્બર સુધીના રીમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રીમાન્ડ દરમિયાન સમગ્ર નેટવર્કમાં કોનો-કોનો હાથ છે,ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યા અને કોને આપવાનો હતો, કેટલા સમયથી આ હેરાફેરી ચાલે છે તે તમામ દિશામાં તપાસ કરવામાં આવશે.
    વધુ વાંચો
  • રાજકીય

    માનહાનિ કેસમાં આજે સુરત કોર્ટમાં હાજર થશે રાહુલ ગાંધી, જાણો શું છે સમગ્ર મામલો

    સુરત-કોંગ્રેસના નેતા અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી શુક્રવારે સુરતમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર થશે અને ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા તેમની "મોદી અટકની ટિપ્પણી" પર દાખલ કરવામાં આવેલા ફોજદારી માનહાનિ કેસમાં તેમનું નિવેદન નોંધશે. એ.એન.દવેની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે કોર્ટમાં બે સાક્ષીઓના નિવેદનો બાદ રાહુલને 25 ઓક્ટોબરે કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો છે.રાહુલ અગાઉ 24 જૂને કોર્ટમાં હાજર થયો હતો.આ કેસ 13 એપ્રિલે કર્ણાટકમાં ચાલી રહ્યો હતો. 2019. કે કોલારમાં લોકસભાની ચૂંટણી રેલીમાં રાહુલની કથિત ટિપ્પણી સાથે સંબંધિત છે. રેલી દરમિયાન, રાહુલે કથિત રીતે કહ્યું હતું કે, "મોદીના નામે બધા ચોર કેમ છે, પછી તે નીરવ મોદી, લલિત મોદી અને નરેન્દ્ર મોદી હોય?"ગુજરાત મોઢવાણિક સમાજના પ્રમુખ પૂર્ણેશ મોદીની ફરિયાદ પર સુરતમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ IPCની કલમ 499 અને 500 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.પૂર્ણેશ મોદી ગુજરાત સરકારમાં પ્રવાસન અને પરિવહન મંત્રી છે. આ કેસમાં રાહુલ બે વખત સુરત કોર્ટમાં હાજર થઈ ચૂક્યો છે. બે નવા સાક્ષીઓની જુબાની બાદ કોર્ટે રાહુલને ફરી હાજર થવા મૌખિક સૂચના આપી છે. ગુજરાતમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી છે, તેથી રાહુલની આ મુલાકાતને ઉત્સવ અને રાજકીય રેલીમાં પરિવર્તિત કરવા ગુજરાત કોંગ્રેસ જોરશોરથી તૈયારી કરી રહી છે.ગુરુવારે સુરત શહેર કોંગ્રેસ સમિતિની બેઠક મળી હતી. જેમાં રાહુલ ગાંધીની સુરત મુલાકાતની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાહુલ બપોરે 2 વાગ્યાની આસપાસ સુરત એરપોર્ટ પહોંચશે. અહીં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે. નોંધનીય છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષના નેતા માટે રાજ્યમાં નેતાઓની શોધ ચાલી રહી છે અને રાહુલે નવી દિલ્હીમાં પ્રદેશ કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે બેઠકોના અનેક રાઉન્ડ પણ કર્યા છે.ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને રાજસ્થાનના આરોગ્ય મંત્રી ડો.રઘુ શર્માએ મામલાને નવો વળાંક આપતા ભાજપ પર તેમને હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે કોંગ્રેસ દેશમાં દાયકાઓ સુધી સત્તામાં રહી. આ દરમિયાન ભાજપના નેતાઓએ કોંગ્રેસના નેતાઓ અને વડાપ્રધાનો વિરુદ્ધ વિવિધ નિવેદનો કર્યા હતા, પરંતુ કોંગ્રેસના નેતાઓ ક્યારેય તેમની વિરુદ્ધ કોર્ટમાં ગયા નથી. રઘુ શર્માએ કહ્યું કે ભાજપ કોંગ્રેસ અને વિપક્ષના નેતાઓને પરેશાન કરવાની રણનીતિ અપનાવી રહી છે. શર્માનો આરોપ છે કે ભાજપે સત્તામાં રહીને ગરીબ પછાત માટે કોઈ સારું કામ કર્યું નથી. કોરોના મહામારી દરમિયાન ભાજપ સરકારોનું વલણ જનવિરોધી અને પ્રજાની ઉપેક્ષાથી ભરેલું હતું. શર્માએ કહ્યું કે કોંગ્રેસ મોંઘવારી, ભ્રષ્ટાચાર અને ભાજપની જનવિરોધી નીતિઓ સામે રસ્તા પર ઉતરશે અને પુરી તાકાતથી આંદોલન ચલાવશે.
    વધુ વાંચો
  • ગુજરાત

    સુરત મહાનગર પાલિકાએ લીધો મહત્વનો નિર્ણય,દિવાળીમાં ફરવા જતા લોકો માટે RTPCR ટેસ્ટ ફરજિયાત

    સુરત-દિવાળીના તહેવાર દરમિયાન કોરોનાના કેસ ન વધે તે માટે સુરત મહાનગર પાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. દિવાળીના તહેવાર માટે બહાર જનારા લોકો માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકાએ દિવાળી પર બહાર જતા લોકોને પરત ફરતી વખતે ફરજિયાત RTPCR ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે. શહેરની બહાર ગયા બાદ ઘરે પરત ફરવાના 72 કલાક પહેલા RTPCR ટેસ્ટ માન્ય ગણવામાં આવશે.મોટા ભાગના લોકો દિવાળી પર વતન જાય છે જ્યારે કેટલાક દિવાળી વેકેશનમાં વિદેશ જાય છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સાવચેતીના ભાગ રૂપે કોરો ગામમાં સંક્રમણ ફેલાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. તેથી જ રાજ્યભરમાં લોકો દિવાળી માટે ઉમટી રહ્યા છે. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. આ સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. જેથી કોરોના રોગચાળો ફાટી નીકળતો અટકાવી શકાય. આવી સ્થિતિમાં લોકોએ હજુ પણ સાવચેત રહેવાની જરૂર છે. અન્યથા કોરોના મહામારીમાં સ્થિતિ ફરી વણસી શકે છે.
    વધુ વાંચો
  • બિઝનેસ

    રત્નકલાકારોને બોનસ નહીં આપતી કંપનીને ડાયમંડ વર્કર યુનિયનની નોટિસ

    સુરત-સુરત શહેરની અમુક હીરા પેઢીઓ દ્વારા રત્નકલાકારોને બોનસ એક્ટ હેઠળ બોનસ આપવામાં આવતું નથી, ત્યારે શનિવારના રોજ લેબર વિભાગ દ્વારા રત્નકલાકારોને દિવાળીનું બોનસ ચૂકવવામાં આવે એ માટે સુરત ડાયમંડ એસોસિએશનને પત્ર લખી રત્નકલાકારો અને કંપનીઓ વચ્ચે બેઠક કરી બોનસના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માટે જાણ કરી છે. ડાયમંડ વર્કર યુનિયનના વાઈસ પ્રમુખ ભાવેશ ટાંક કહ્યું કે, હીરા ફેક્ટરીઓમાં કામ કરતાં કર્મચારીઓને બોનસ એક્ટ હેઠળ બોનસ અપાતું નથી એટલા માટે અમે બે દિવસ પહેલા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. જે અંતર્ગત આજે વરાછા અને કતારગામની ત્રણ હીરા પેઢીને લેબર વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે.હીરા ઉદ્યોગમાં તેજી છે તેમ છતાં અમુક હીરા પેઢી દ્વારા રત્નકલાકારોને બોનસ એક્ટ હેઠળ બોનસ આપવામાં આવતું નથી, જેથી લેબર વિભાગે વરાછા અને કતારગામની ૩ હીરા પેઢીને નોટીસ ફટકારી હતી. શહેરના હીરા ઉદ્યોગના કારખાનાઓ અને કંપનીમાં રત્ન કલાકારોને દિવાળી બોનસ સહિત અન્ય લાભો આપવામાં આવતા નથી. જેને લઈને બે દિવસ પહેલા ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કલેક્ટરને આવદન પત્ર અપાયું હતું. ૫૦ જેટલી હીરા પેઢી દ્વારા રત્નકલાકારોને દિવાળીના તહેવારે બોનસ તથા ઓવર ટાઈમનો પગાર સહિત અન્ય લાભો આપવામાં આવતા નથી. કલેકટરને રજૂઆત બાદ સુરત લેબર વિભાગે તપાસ હાથ ધરી વરાછા-કતારગામની અહંમ જેમ્સ, ધરતી ડાયમંડ અને મારૂતિ ડાયમંડ કંપનીને નોટિસ ફટકારી હતી. જેમાં બોનસ ચૂકવણી અધિનિયમ ૧૯૬૫ અન્વયે તથા અન્ય શ્રમકાયદા બાબતે નોટિસ ફટકારીને જવાબ માંગવામાં આવ્યો છે.
    વધુ વાંચો