છોટા ઉદયપુર સમાચાર

  • ગુજરાત

    કાનાબેડા ગામે પીવાના પાણી સિંચાઈના પ્રશ્નો બાબતેે ગ્રામજનોમાં રોષની લાગણી

    બોડેલી કવાંટ તાલુકાના કાનાબેડા ગામે પીવાના પાણી સિંચાઈના પ્રશ્નો ને પગલે ગ્રામજનોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. કુવા બોરમાં પાણી ઊંડા ગયા છે.નલસે જલમાં પાણી મળતા નથી. સિંચાઈના પાણી તો ક્યારે ય જાેયા જ નથી. હજારથી પંદરસો ની વસ્તીમાં અડધું ગામ કાઠીયાવાડ રોજગાર માટે હિજરત કરી જાય છે. અમે નેતાઓને ચૂંટ્યા! પણ કોઇએ પીવાના પાણી અને સિંચાઈ માટે અમારી દરકાર ન કરી .ગ્રામજનો હવે નેતાઓ ગામમાં આવે એટલે ડીંગા લઈ પાછળ પડવાના છે! આમ કહેતા ગ્રામજનોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. કવાંટ તાલુકાની આથાડુંગરી જૂથ ગ્રા.પં. હેઠળના કાનાબેડા ગામના રોડ ફળિયામાં એકત્રિત ગ્રામજનોએ લોકસભા ચૂંટણીને  ધ્યાને લઇ પોતાના પાયાના વણ ઉકલ્યા પ્રશ્નો તરફ લોક આગેવાનોનું ધ્યાન દોરતા વર્ષોથી તેમની તરફ અનદેખી કરવામાં આવતી હોવાની રજુઆત કરી હતી. ગામની નજીકના રામી ડેમમાં નર્મદાનું પાણી છોડવાનું વચન અપાયું હતું પણ તેનો પાલન થતું નથી. ગ્રામજનોએ જેઓ પીવાના પાણી અને સિંચાઈના પાણી પૂરું પાડવા નક્કર વચન આપશે તેમને અમે લોકસભા ચૂંટણીમાં વોટ આપીશું.
    વધુ વાંચો
  • ગુજરાત

    માધ્યમિક શાળાઓમાં ૧૭૦ સ્માર્ટ બોર્ડની ફાળવણી

    નસવાડી છોટાઉદેપુર જિલ્લાના ૬ તાલુકામાં માધ્યમિક શાળાઓમાં ૧૭૦ સ્માર્ટ બોર્ડની ફાળવણી આઝાદીના વર્ષો પછી બ્લેક બોર્ડ દરેક શાળાઓમાંથી નાબૂદ થશે આદિવાસી વિધાર્થીઓને હવે સ્માર્ટ બોર્ડ ઉપર ભણાવવામાં આવશે શિક્ષકોને સમય પણ બચશે આધુનિક યુગમાં નવી ટેક્નોલોજીથી આદિવાસી બાળકોને અભ્યાસ કરવામાં આવશે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી સંખેડા બોડેલી કવાંટ છોટાઉદેપુર પાવીજેતપુર આમ ૬ તાલુકાઓમાં ધોરણ ૯ થી ૧૨ ની માધ્યમિક શાળાઓમાં અત્યાર સુધી બ્લેક બોર્ડ ઉપર ચોકના સહારે શિક્ષકો બાળકોને અભ્યાસ કરાવતા હતા પરંતુ સરકાર દ્વારા આદિવાસી વિસ્તારમાં ચાલતી શાળાઓમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે અને શિક્ષકોનો સમય બચે તે માટે ૧૭૦ સ્માર્ટ બોર્ડ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા દરેક શાળાઓમાં ફાળવણી કરવામાં આવી છે અને દરેક શાળાઓમાં સ્માર્ટ બોર્ડ લગાડવાની કામગીરી શરૂ થઇ છેજયારે નવા સત્રમાં વિધાર્થીઓને સ્માર્ટ બોર્ડ ઉપર શિક્ષકો શિક્ષણ આપશે આ સ્માર્ટ બોર્ડમાં વિષય વાઈઝ દરેક પીરીયડમાં શિક્ષણ આપવામાં આવશે જેનાથી દરેક વિષયનું શિક્ષણ કોમ્પ્યુટર રાઇઝ થઇ જશે અને જેનાથી શિક્ષકોને અભ્યાસમાં સરળતા રહે છે જયારે શિક્ષકો બોર્ડ ઉપર ચોક થી લખી ભણાવતા હતા પરંતુ હવે ચોકનો પણ ખર્ચ બચશે પેહલા ૩૦ થી ૪૫ મિનિટના પિરિયડમાં શિક્ષકોને અભ્યાસ બોર્ડ ઉપર ચોક થી લખી કરાવું પડતું હતું જેનાથી સમય પણ વધુ જતો હતો પરંતુ હવે સ્માર્ટ બોર્ડ ઉપર વિષયના ફ્યુઝર સેટ કરેલા હશે અને જેનાથી ટેક્નોલોજીનો ઉપયૉગ કરી ઓછા સમયમાં વધુ ભણતર આપી સારું શિક્ષણ આદિવાસી બાળકોને મળશે આઝાદીના વર્ષો પછી આ સિસ્ટમ આદિવાસી વિસ્તારની શાળાઓમાં લાગતા આદિવાસી બાળકોમાં પણ ખુશી છે હાલ તો શાળાઓમાં સ્માર્ટ બોર્ડ લાગતા હવે શિક્ષકો તેનો અભ્યાસ કરવા લાગી ગયા છે અને ત્યાર બાદ બાળકોને શિક્ષણ આપશે આગામી દિવસોમાં પેપર લેસ પરીક્ષા અને પેપર લેસ ભણતર આપવાની તૈયારીઓ માધ્યમિક શિક્ષણ બોર્ડ કરી હોય તેવું હાલ લાગી રહ્યું છે આદિવાસી વિસ્તારની શાળાઓમાં સ્માર્ટ બોર્ડ તો લાખો રૂપિયાના ખર્ચ લગાડવામાં આવ્યા પરંતુ હવે સ્માર્ટ શિક્ષણ બાળકોને કેટલું મળે છે અધિકારીઓ કેટલું ધ્યાન શાળાઓ ઉપર આપશે તે જાેવાનું રહ્યું  છોટાઉદેપુર જિલ્લામાં કેટલીક શાળાઓના ઓરડા વર્ષો થી જર્જરિત હાલતમાં છે અને માધ્યમિક શાળાઓમાં કેટલીક સુવિધાઓનો પણ અભાવ છે જેને લઇ માધ્યમિક શિક્ષણ બોર્ડ અને સરકાર આ શાળાઓમાં સ્માર્ટ બોર્ડ સાથે શાળાના ઓરડા રીપેરીંગ કરી આપે તો નવા સત્રમાં બાળકોને મુશ્કેલી ના પડે તેમ છે આગામી દિવસોમાં ચોમાસો આવી રહ્યું છે ત્યારે કેટલીક શાળાઓની ઓરડાની છતમાંથી પાણી ટપકતું હોય છે ત્યારે તે ઓરડા રીપેર થાય તો આગામી દિવાસોમાં સ્માર્ટ બોર્ડને નુકશાન ના થાય તેમ છે
    વધુ વાંચો
  • ગુજરાત

    નસવાડી તાલુકા રાજપૂત સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવા સુત્રોચ્ચાર

    નસવાડી નસવાડી તાલુકાના ૨૧૦ ગામો માં રહેતા રાજપૂત સમાજ ના આગેવાનો ભાજપ સામે જાણે મોરચો માંડ્યો હોય તે રીતના નસવાડી ની રેવા જીન ખાતે ભેગા થયા હતા અને ક્ષત્રિય સમાજ ના લોકો નસવાડી તાલુકા સેવાસદન ખાતે મોટી સંખ્યા માં ભેગા થઈને સૂત્રોચારો કરી અને ભાજપ સામે આક્રોશ ઠાલવતાં ક્ષત્રિય સમાજ ની માંગ છે કે પરસોત્તમ રૂપાલા એ ક્ષત્રિય સમાજ ને લલકાર્યો છે અને અભદ્ર ટિપ્પણી કરી છે તે ટિપ્પણી માફી ને લાયક નથી પરસોત્તમ રૂપાલા ની ટિકિટ ભાજપ પરત નહિ લે તો આગામી દિવસો માં છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકામાં ભાજપ સામે મોરચો માંડ્યો અને ક્ષત્રિય સમાજ ની તાકાત બતાવી દઇશું ક્ષત્રિય સમાજ ના લોકો ઉગ્ર સૂત્રોચ્ચાર કરી તાલુકા નું સેવાસદન ગજવી મૂક્યું હતું જયારે રાજપુત સમાજ ના લોકો નો આક્રોશ ભાજપ સામે પણ હતો કારણ કે કેટલાક દિવસો થી રાજપૂત સમાજ રૂપાલા ની ટિકિટ રદ કરવા માટે માંગ રહ્યું છે પરંતુ ભાજપ ના મોવડી મંડળ ર્નિણય ના લેતા સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં ગામે ગામ રાજપૂત સમાજ ના આગેવાનો ભેગા થઈને ભાજપ ના ચૂંટણી પ્રચાર માં આવતા નેતાઓને ગામ માં નહિ આવવા દેવાની ચીમકી ઉચ્ચારી છે જયારે રાજપૂત સમાજ ના લોકો માં આક્રોશ હતો અને માથા વાળવાની તાકાત રાજપુતો માં છે અમારી તલવારો હજુ કટાઈ નથી અને અમારા સમાજ માટે અમે કઈ પણ કરવા માટે તૈયાર છે જલદ આંદોલન કરવામાં ખટકાઈશું નહિ તેમ યુવાનોએ પણ મન બનાવ્યું છે. 
    વધુ વાંચો
  • ગુજરાત

    કુંડા ગામે નોલીયા બારી ફળિયામાંથી સગર્ભાને ત્રણ કિલોમીટર ચાલી ૧૦૮ સુધી લઈ જવાની નોબત

    નસવાડી નસવાડી તાલુકાના કુંડા ગામે નોલીયા બારી ફળિયામાંથી સગર્ભા મહિલાને ત્રણ કિલોમીટર ચાલીને ખાનગી ગાડીમાં સગર્ભા મહિલાને ૧૦૮ સુધી લઈ જવામાં આવી હતી. આઝાદીના વર્ષો પછી પણ આવી સ્થિતિ છે. રસ્તાની સુવિધા ક્યારે મળશે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના આઝાદીના વર્ષો પછી પણ કુંડા ગામે રસ્તાની સુવિધા મળી નથી. એક મહિલાને સગર્ભા મહિલા ને પ્રસુતિનો દુખાવો પડતાં તેના સગા વાળાઓ તેને દવાખાને લઈ જવા માટે જાેલીમાં નાખીને ત્રણ કિલોમીટર ચાલીને પાકા રસ્તા સુધી લઈ ગયા હતા. ત્યારબાદ ૧૦૮ એમ્બ્યુલન્સમાં દવાખાને પહોંચાડી હતી. આઝાદીના આટલા વર્ષો પછી પણ વિકસિત ભારત ગુજરાતની વાતો કરતી સરકાર રસ્તાની સુવિધા આપતી નથી. આદિવાસીઓ જ્યારે બીમાર પડે ત્યારે આવી રીતે જાેલીમાં નાખીને લઈ જવા માટે મજબૂર છે. આ આદિવાસી વિસ્તારના લોકોને પંચાયત માર્ગ મકાન વિભાગ અને રાજ્ય સરકાર રસ્તા માટે ભંડોળ ક્યારે ફાળવશે. નસવાડી તાલુકાના ઊંડાણના ગામડાઓમાં રહેતા આદિવાસીઓને રસ્તાની સુવિધા ન મળતા સરકાર સામે આક્રોશ ઠારવ્યો હતો. જ્યારે નાગરિકોનો મૂળભૂત અધિકાર રસ્તા પાણી વીજળી સુવિધા આપવાની સરકારની જવાબદારી છે અને મૂળભૂત અધિકારો પ્રજાના છે. જ્યારે સરકાર મૂળભૂત અધિકારો આપવામાં પણ પાછી પાણી કરે છે. છોટાઉદેપુર જિલ્લાના અધિકારીઓની નિષ્કાળથી કારણે જેનો ભોગ પ્રજા બની રહી છે. સરકાર આદિવાસીઓની ચિંતા કરી અહીં રસ્તાની સુવિધા કરી આપે તેવી ગ્રામજનોની માંગ છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા બોડેલી ખાતે રૂપાલા વિરુદ્ધ સુત્રોચાર કરાયા

    બોડેલી રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનનો છોટાઉદેપુરમાં ઉગ્ર વિરોધ જાેવા મળી રહ્યો છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે પણ રાજપૂત સમાજના યુવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો સાથે જણાવવામાં આવ્યું હતું કે પરષોત્તમ રૂપાલાની ટીકીટ કાપવામાં આવે તેવી માંગ સાથે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રીને ક્ષત્રિય સમાજે આવેદન આપી રજૂઆત કરી હતી ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા બોડેલી ખાતે આવેલ છોટાઉદેપુર લોકસભા ભાજપ કાર્યલય સામે પરષોત્તમ રૂપાલા વિરુદ્ધ ભારે સુત્રોચાર કર્યા હતા.પરષોત્તમ રૂપાલાની ટીકીટ કાપવામાં આવે તેવી માંગ સાથે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રીને ક્ષત્રિય સમાજે આવેદન પાઠવ્યું હતું.બોડેલીમાં ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા ના ક્ષત્રિય સમાજ વિરુદ્ધના વાણી વિલાસ સામે ભારે વિરોધ વંટોળ જાેવા મળ્યો હતો. 
    વધુ વાંચો
  • ગુજરાત

    હું ગૃહમંત્રીનો પીએ છું, કાલે બદલી કરાવી દઈશ

    વડોદરા, તા. ૮ રાજયમાં છેલ્લા કેટલાક સમયથી પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીની કચેરીના અધિકારી બાદ કેન્દ્રિય અને રાજયકક્ષાના મંત્રીઓના પીએ તરીકેની બોગસ ઓળખ આપવાનો સિલસિલો હવે વડોદરા સુધી આવી પહોંચ્યો છે. શહેરના છેવાડે ગોલ્ડનચોકડી પાસેના સર્વિસરોડ પર ગત મધરાતે રોડ પર ઉભા રહેલા યુવકોને ટ્રાફિક પોલીસે સાઈડમાં ઉભા રહેવાનું કહેતા જ નશામાં ધુત ત્રિપુટીએ અપશબ્દો બોલી પોલીસ પર હુમલો કર્યા બાદ એક યુવકે યુવકે ‘હું ગૃહમંત્રીનો પીએ છું, કાલે તમારી બદલી કરાવી દઈશ’ તેવી ધમકી આપી હતી. ધમકી બાદ કારમાં ફરાર થઈ રહેલા યુવકને ઝડપી પાડવા પોલીસે પીછો કરતા યુવકના અન્ય સાગરીતોએ પોલીસનો પીછો કર્યો હતો. બનાવની ગંભીરતા જાેતા આ અંગેની પોલીસે કન્ટ્રોલ રૂમમાં જાણ કરતા પોલીસની અન્ય ગાડીઓ હાઈવે પર દોડી આવી હતી જેના પગલે ત્રિપુટી ઝડપાઈ જતાં તેઓની ધરપકડ કરાઈ હતી. શહેર ટ્રાફિક શાખા પુર્વ ઝોનના હેડ કોન્સ્ટેબલ નવીનચંદ્ર મથુરભાઈ ગત રાત્રે ટ્રાફિક બ્રિગેડના ડ્‌ાઈવર જ્યોતિષકુમાર પરમાર સાથે સ્પિડ ગન વન મોબાઈલમાં પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. તેઓ હાઈવે પર ગોલ્ડનચોકડી પાસેના સર્વિસરોડ પર આવેલા પારસ ઢાબા પાસેથી પસાર થતાં હતા તે સમયે તેઓએ રોડ પર ઉભા રહેલા બે યુવકોને સાઈડમાં ઉભા રહીને વાત કરવા જણાવ્યું હતું. પોલીસની વાત સાંભળીને બંને યુવકો એકદમ પોલીસની ગાડી પાસે ગયા હતા જે પૈકીના એક વરુણ નારાયણભાઈ પટેલ (દરજીપુરાગામ, વડોદરા)ને નવીનચંદ્ર ઓળખી ગયા હતા. બંને યુવકોએ દારૂનો નશો કરેલી હાલતમાં પોલીસની ગાડીનો દરવાજાે ખોલી તમે કેમ અહીંયા આવ્યા છો ? તેવું પુછ્યું હતું. નવીનચંદ્રએ યુવકોને દારૂનો નશો કર્યો હોવાનું કહેતા જ તેઓએ ઉશ્કેરાઈને તમે ટ્રાફિકવાળા છો તમારે કોઈ લેવાદેવા નથી તેમ કહીને ડ્રાઈવર સાથે ઝપાઝપી કરીને ડ્રાઈવરને રોડ પર પછાડીને ઈજા પહોંચાડી હતી. આ હુમલામાં નવીનચંદ્રએ દરમિયાનગીરી કરતા તેમને પણ અપશબ્દો બોલીને બંને યુવકોએ છુટ્ટાહાથની મારામારી કરી હતી જે પૈકી વરુણ પટેલે ધમકી આપી હતી કે ‘હું ગૃહમંત્રીનો પી.એ.છું, હું કાલે તમારી બદલી કરાવી દઈશ, તમે અહીંયા કેવી નોકરી કરો છો’ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ધમકી બદલ નવીનચંદ્રએ તેને પકડવાનો પ્રયાસ કરતાં તે નજીક ઉભેલી સફેદ રંગની કિયા કારમાં બેસીને ભાગ્યો હતો. નવીનચંદ્ર અને ડ્રાઈવરે વરુણનો પીછો કરતા જ વરુણના સાગરીતોએ થાર અને અન્ય એક સફેદ રંગની કારમાં પોલીસનો પીછો કર્યો હતો અને પોલીસની વાનની આગળ-પાછળ કાર હંકારી હતી. આ બનાવના પગલે નવીનચંદ્રએ સવા બે વાગે પોલીસ કન્ટ્રોલ રૂમમાં વાયરલેસ મેસેજથી જાણ કરી હતી. નવીનચંદ્ર હરણી પોલીસ મથકે આવતા વરુણના સાગરીતોએ પોલીસ મથક સુધી પીછો કર્યો હતો પરંતું ત્યાં હરણી પીઆઈની ગાડી અને પીસીઆર વાન આવી જતા પોલીસે કોર્ડન કરીને વરુણ પટેલ તેમજ તેના બે સાગરીતો આકાશ સુરેશભાઈ પટેલ (હરણીગામ, મોટુ ફળિયું) અને પિનાક વિનેશભાઈ પટેલ (હરણીગામ)ને નશો કરેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા. આ બનાવની નવીનચંદ્રની ફરિયાદના પગલે હરણી પોલીસે ઉક્ત ત્રિપુટીની હુમલો અને ધમકીના ગુનાની તેમજ દારૂબંધીના ગુનાની બે ફરિયાદો નોંધી હતી.ગૃહમંત્રીના પીએની બોગસ ઓળખ આપી છતાં તેનો ગુનો નહીં નોંધ્યો પોલીસ પર હુમલો કરનાર વરુણ પટેલે પોતે ગૃહમંત્રીનો પીએ હોવાની બોગસ ઓળખ આપી પોલીસની બદલી કરાવી દેવાની ધમકી ઉચ્ચારી હતી. તાજેતરમાં રાજ્યમાં સરકારી અધિકારી કે કર્મચારીની બોગસ ઓળખ આપી ઠગાઈ કરતા ઝડપાયેલા ગઠિયાઓ વિરુદ્ધ પોલીસે બોગસ ઓળખ આપવા બદલનો અલાયદો ગુનો નોંધ્યો છે, પરંતુ ગત રાતના કિસ્સામાં પોલીસે વરુણ વિરુદ્ધ બોગસ ઓળખ આપવાનો ગુનો નહી નોંધતા પોલીસ કામગીરીએ વિવાદ ઉભો કર્યો છે. રાજ્યગૃહમંત્રી હર્ષ સંઘવીએ આરોપીઓના સાથે ખભે હાથ મુકેલા ફોટા વાયરલ થયાં ગત રાત્રે ટ્રાફિક પોલીસને જાહેરમાં અપશબ્દો બોલીને માર માર્યા બાદ પોલીસને બદલી કરાવી દેવાની ધમકી આપનાર વરુણ પટેલ અને આકાશ પટેલ તેમજ પોલીસનો પીછો કરનાર સાગરીતો પણ ભાજપા સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે. એટલું જ નહીં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પૈકીના વરુણ પટેલ અને આકાશ પટેલ સાથે તેઓના ખભે હાથ મૂકીને ફોટા પડાવ્યાં હતાં, જે ફોટા આ બંનેએ સોશ્યલ મીડિયા પર મૂક્યા હતા, જે આજે બંનેની ધરપકડ થતાં વાયરલ થયા હતા. નશેબાજાે પોલીસ પર હુમલો કરતા છેક પોલીસ મથક સુધી પહોંચી ગયા! રાત્રે દારૂનો નશો કરીને મધરાતે વૈભવી કારોમાં ફરીને રોડ વચ્ચે ઉભા રહીને ટોળટપ્પા કરતા નબીરાઓની હિમ્મત એટલી હદે વધી ગઈ હતી કે તેઓએ પોલીસની ગાડીનો પીછો કરીને તેઓની આગળ પાછળ ગાડી હંકારીને પોલીસને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહી ટ્રાફિક પોલીસની ગાડી હરણી પોલીસ મથકે પહોંચતા આ ટોળકી ઠેક પોલીસ મથક સુધી પહોંચી ગઈ હતી. નશેબાજ ત્રિપુટી અને તેઓના સાગરીતોને કોનું પીઠબળ છે કે તેઓને પોલીસનો કોઈ જ ડર નથી રહ્યો ?. જાે તે દિશામાં પોલીસ તપાસ થાય તો ઘણી વિગતો સપાટી પર આવશે.
    વધુ વાંચો
  • ગુજરાત

    શિનોર તાલુકાના કંજેઠા ગામે ખેડૂતના વાડામાંથી દિપડો આખરે પાંજરે પુરાયો

    શિનોર,તા.૮ શિનોર તાલુકાના કંજેઠા ગામેછેલ્લા ઘણા સમયથીખેડૂતો ખેતમજૂરો અને મુંગા પશુઓને નિશાન બનાવી ભારે ફફડાટ ફેલાવનાર શિકારી દિપડો પાંજરે પૂરતાગ્રામજનોમાં હાશકારાની લાગણી જાેવા મળી છે.. બનાવ સંદર્ભે શિનોર વનવિભાગ દ્વારા પાંજરે પૂરાયેલા દિપડાને સલામત સ્થળે છોડવા અંગે ની કાર્યવાહી હાથ ધરી છે. શિનોર તાલુકાના કંજેઠા ગામે છેલ્લા ઘણા સમયથી દિપડાએ ભારે આતંક મચાવતાંરાત્રીના સમયે પશુપાલકો ના મુંગા પશુઓને નિશાન બનાવી મારણ કરતાં ગ્રામજનો માં ભારે ફફડાટ ફેલાયો હતો..બીજી તરફ દિપડાના આતંક થીખેડૂતો અને ખેતમજૂરો ખેતી કામ માટે ખેતરે જતાં ભય ની લાગણી અનુભવતાં હતાં..આ અંગે ગ્રામજનો ધ્વારા વન વિભાગ ને જાણ કરતાં,વન વિભાગ ના ઇર્હ્લં બી.આર.દવે,બીટગાર્ડ વી.આર.રબારી સહિત ની વનવિભાગ ની ટીમ ધ્વારા દિપડા ને પકડવા પાંજરૂ મુકવામાં આવ્યું હતું. મંગળવારની રાત્રી દરમિયાન વનવિભાગ દ્વારા મુકાયેલ પિંજરામાં દિપડો આવી જતાં, વનવિભાગ નો પ્રયાસ સફળ રહ્યો હતો.. બુધવાર ની સવારે દિપડો પાંજરે પૂરાયા ની વાત વાયુવેગે પ્રસરતા, દિપડાને જાેવા ગ્રામજનો ઉમટ્યા હતા.. ત્યારે આ અંગેની જાણ વનવિભાગ ને કરાતાં વહેલી સવારે આવી પહોંચેલી વનવિભાગ ની ટીમે, દિપડાને સલામત સ્થળે ખસેડવાની કવાયત હાથ ધરી હતી.. અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ ૨૧ ઓક્ટોબર ના રોજ દિપડાના આતંક થી ભયની લાગણી અનુભવી રહેલા કંજેઠા ગામના ખેડૂતો એશિનોર સ્ય્ફઝ્રન્ કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપીરાત્રીના બદલે દિવસે વિજળી આપવાની માંગ કરી હતી..જે રજુઆત સાચી હોવાની બાબતને સમર્થન મળ્યું છે..
    વધુ વાંચો
  • ગુજરાત

    એસ.આઈ.ટી ની સત્તા વધારીે તમામ પ્રાયોજના કચેરીઓમાં તપાસ કરાવવા માગણી

    નસવાડી,તા.૮છોટા ઉદેપુર જિલ્લામાં નકલી કચેરી મામલે આજરોજ આદિવાસી આગેવાનોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય તપાસ કરવા તેમજ એસ.આઈ.ટીની સત્તામાં વધારો કરી તમામ પ્રાયોજના કચેરીમાં તપાસ કરવાની માગ કરવામાં આવી છે. છોટા ઉદેપુર જિલ્લા પ્રાયોજના કચેરી દ્વારા નકલી કચેરી અસલી કૌભાંડ મળે દરરોજ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે, પ્રાયોજના કચેરીમાં કર્મચારી તેમજ અધિકારીઓની પણ ધરપકડ કરવામાં આવી છે, આ મામલે પોલીસે અત્યાર સુધીમાં કુલ ૭ જણાની ધરપકડ કરી લીધી છે, અને હજુ વધુ નામો ખૂલે તેવી શક્યતાઓ જાેવાઈ રહી છે. આજરોજ વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લા રાઠવા એસોસિએશન - વડોદરા દ્વારા છોટા ઉદેપુર અધિક કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ સમયે સુખરામ રાઠવાએ કેટલાક સવાલો ઉભા કર્યા. અને કેટલીક માંગણીઓ પણ કરી છે. સરકારની નકલી કચેરી, નકલી અધિકારીઓ, નકલી કામો, તમારા બધાના માધ્યમથી ને અમારા બધા મિત્રોના ઉજાગર થી આ કામો બહાર આવ્યા છે. હવે જ્યારે સરકાર એસ.આઈ.ટીની રચના કરીને તપાસ કરી રહી છે. ત્યારે એને વાઈડ પાવર આપવામાં આવે, વાઈડ પાવર કરીને માત્ર છોટા ઉદેપુર પ્રાયોજના વિસ્તાર નહિં, પણ રાજ્યના જેટલા પ્રાયોજના વિસ્તાર છે આ તમામ જગ્યાએ આવા કામો થયા હોવાની શંકા ઉદભવી રહી છે. એની પાછળનું કારણ છે કે પ્રાયોજના વહીવટદાર કક્ષાએ જે કુલ બજેટ હોય છે. એની ૫ % રકમ જેટલી એમને પોતે નક્કી કરતા હોય છે. ક્યા કામો લેવા તે અને એમાં શક્ય છે કે કંઈક ને કંઇક ભોપાળું બહાર આવે. એની તપાસ થવી જરૂરી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    હવે છોટાઉદેપુર જિલ્લામાં પણ હવે નાગલીનું વાવેતર કરવામાં આવશે

    છોટાઉદેપુર,તા.૮ગુજરાતમાં વવાતા તૃણ ધાન્ય પાકોમાં નાગલીના પાકનું મુખ્યત્વે દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. ત્યારે જેતપુરપાવીના હિરપરી ગામના ખેડૂત વિજય રાઠવાએ નાગલીના પાકનું છોટાઉદેપુર જિલ્લાની આબોહવા માફક આવે છે કે કેમ તે બાબતનું પરીક્ષણ કરવા નાગલીનું બિયારણ લાવી ૫૦૦ ગ્રામ બિયારણના ધરુનું વાવેતર કરી ડાંગરની રોપણી કરે તે જ રીતે કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર વગર વાવેતર કરતાં જિલ્લાની આબોહવા માફક આવતાં હવે છોટાઉદેપુર જિલ્લાના ઘણા ખેડૂતો આવતા વર્ષથી નાગલીની ખેતી કરવાની તૈયારી દર્શાવી રહ્યા છે. આમ તો વર્ષો પહેલાં છોટાઉદેપુર જિલ્લામાં પણ કોદરી ( હામેલ ) બાવટો ચેનો, જુવાર જેવા તૃણ ધાન્ય પાકોનું વાવેતર કરાતું હતું, પરંતુ સમય જતાં સુધારેલા હાઇબ્રિડ બિયારણ બજારમાં આવતાં વર્ષો જૂના નાગલી, બંટી, બાવટો, કોદરી જેવા તૃણ ધાન્યના પાકો લુપ્ત થયાં છે. ગુજરાતમાં નાગલીનું વાવેતર ડાંગ, વલસાડ, નવસારી, તાપી અને પંચમહાલ જિલ્લામાં થાય છે. નાગલીને અંગ્રેજીમાં ફિંગર મિલેટ અથવા આફ્રિકન મિલેટ અને ગુજરાતીમાં રાગી, બાવટાના નામથી પણ ઓળખવામાં આવે છે. અને આ હલકા તૃણ ધાન્ય પાકોના ખોરાકથી હાડકાં ભાંગવાનું જાેખમ પણ ઓછું થાય છે. જે લોકોને દૂધની એલર્જિ છે તેમના માટે નાગલી એક પૂરક ખોરાક છે તેમ માનવામાં આવે છે. નાગલીનાં દાણામાં રેસાનું પ્રમાણ (૩.૬ ગ્રામ/૧૦૦ ગ્રામ દાણા) સારું છે. નાગલીનો ગ્લાયસેમિક ઈન્ડેક્ષ ખૂબ જ ઓછો હોવાથી લોહીમાં સાકરનું પ્રમાણ ઘટાડી ઈન્સ્યુલીન કાર્યક્ષમતા વધારે છે. આમ લોહીમાં સાકરનું પ્રમાણ જાળવી રાખે છે. ટૂંકમાં નાગલી એ ડાયાબિટીસ અને મેદસ્વીતાવાળા માટે આર્શીવાદ સમાન છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    છોટાઉદેપુર જિલ્લામાં સતત બે માસ સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા પરિભ્રમણ કરશે

    બોડેલી ,તા.૮સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો ઘરઘર સુધી પહોંચાડવા માટે આપણા જિલ્લામાં આગામી તા.૧૫થી લગલગાટ બે માસ સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરેક ગ્રામ પંચાયતમાં ફરવાની છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા છોટાઉદેપુર જિલ્લાને બે આધુનિક પ્રકારના રથોની ફાળવણી કરવામાં આવી છે. આ રથ તા. ૧૫ નવે.થી આપણા ગામમાં આગમન સાથે વિવિધ પ્રકારના કાર્યક્રમો પણ ફરશે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સુચારૂ સંચાલન માટે ગાંધીનગરથી વિકાસ કમિશનર દ્વારા એક વીસી યોજવામાં આવી હતી. જનસેવાના ઉદ્દેશ સાથે યોજનાર આ યાત્રા દરમિયાન સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો પાત્રતા ધરાવતા નાગરિકોને આપવાના છે. યાત્રા દરમિયાન ૧૦૦% લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ આવરી લેવાના આયોજન સાથે યોજનાની માહિતી લોકો સુધી પહોંચે તે માટે ગામડાઓમાં સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવશે.
    વધુ વાંચો