છોટા ઉદયપુર સમાચાર
-
સાકળ(પી), આમતા રોડના કામમાં બેદરકારી મેટલ ઉખડતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી
- 20, નવેમ્બર 2022 11:17 PM
- 4648 comments
- 5435 Views
નસવાડી,તા.૨૦ છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના ડુંગર વિસ્તારના દસ ગામને જાેડતો સાકળ (પી)થી આમતાનો છે. જે કાચો રોડ આઝાદીના સાત દાયકા બાદ નવીન મંજુર થયો. પરંતુ જંગલ જમીનના પ્રશ્નને લઈ આ રોડ બન્યો ન હોઇ આખરે આજુબાજુના ગામડાના લોકોએ તંત્રને જગાડવા ડુંગર ઉપર ઢોલ વગાડ્યા હતા. ત્યારબાદ આ કાચો રસ્તો પાકો બનાવવાની શરૂઆત થઈ. અંદાજિત રૂા. ૨.૭૬ કરોડનું આ રોડનું ટેન્ડર હોતું. રોડમા આવતા સ્ટ્રક્ચરનુ કામ થયા બાદ રોડ ઉપર મેટલ અને ડસ્ટની કામગીરી કરાઈ જેમા મેટલ ઉપર ડસ્ટ નાખ્યા બાદ તેને પાણી છાટી રોલીગ કરી દબાવામાં આવે છે. જે કામગીરી ઉપટ જાપટ કરાઈ હોય. હાલ ૨ કિમીના રોડમા મેટલ રોડ ઉપર દેખાઈ રહ્યા છે. પૂરતું વ્યવસ્થિત રોલીંગ, વોટરીંગ કરાયું નથી. હાલ બાઈક સવારો હેરાન છે. નસવાડી પંચાયત આર એન્ડ બીના અધિકારીઓ સાઈટ પર પૂરતી દેખરેખ રાખી શકતા ન હોઇ આઝાદીના વર્ષો બાદ ડુંગર વિસ્તારના જીવ સમાન રોડની કામગીરી પર ગુણવતાને લઈ લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. હવે ડામર ઉપર કરવાની કામગીરીની તૈયારીઓ કરાઈ રહી છે. ત્યારે મેટલ રોડ ઉપરથી ઉખડી ગયા હોઇ ડામર ચોંટશે કઈ રીતે? નો ગ્રામજનો પ્રશ્ન કરી રહ્યા છે. વર્ષો પછી રોડ બને છે મેટલ ઉખડી ગયા છેમેટલ, ડસ્ટ પર પાણી અને રોલીંગનુ વ્યવસ્થિત કામ હોય તો આવું થાય જ ના આ તો મેટલ ઉપર ડસ્ટના ઢગલા કરાયા તો ડસ્ટ ઉપર ફીટ કઈ રીતે થાય. પાણીથી કચકચ કરવું પડે.વધુ વાંચો -
બોડેલી અલીપુરા ચાર રસ્તા પાસે હરખલી કોતર તેમજ ખુલ્લી ગટરોનું પાણી રેલાતા ગંદકીનું સામ્રાજ્ય
- 20, નવેમ્બર 2022 11:14 PM
- 8272 comments
- 9036 Views
બોડેલી,તા.૨૦ બોડેલીના અલીપુરા વિસ્તારમાં આવેલ અલીપુરા ચાર રસ્તા પાસે દિવસભર હજારો લોકોની અવરજવર રહે છે પોલીસ ચોકીની બિલકુલ નજીક આવેલ આ કોતરમાં ગંદુ પાણી તેમજ તેમાં નાખવામાં આવતો ઘન કચરો અહીંથી પસાર થતાં રાહદારીઓ માટે માંદગી નોતરે તેટલી હદે દુર્ગંધ મારે છે બોડેલી નગરના હાર્દ સમા અલીપુરા ચાર રસ્તા વિસ્તાર માંથી પસાર થતું હરખલી કોતર નું પાણી તેમજ ગટરોનું પાણી રોકાઈ રહેતા આ હાર્દ સમા અલીપુરા ચાર રસ્તા વિસ્તારમાંથી રોજે રોજ હજારોની સંખ્યામાં અવરજવર કરતા રાહદારીઓ ને આ દુર્ગધ ને લઇ અનેક મુસીબતોનો સામનો કરવો પડે છે અહીંથી પસાર થતાં તમામ નાગરિકો ને આ દુર્ગધ મારતા કોતર ના રોકાયેલા પાણી તેમજ ગટર ના પાણી ને લઈ અવશ્ય નાક ઉપર રૂમાલ કે હાથ વડે નાક દબાવી પસાર થવું પડે છે જેથી અહીં ભયંકર બીમારી ફેલાય તેવી સ્થિતિ સર્જાઈ છે પાણી એટલું બધું દુર્ગંધ મારી રહ્યું છે કે દૂર દૂર સુધી કચરો અને પાણી દુર્ગંધ મારી રહ્યું છે ત્યારે અહીંથી પસાર થતા લોકોને ખૂબ મુશ્કેલી વેટવાનો વારો આવી રહ્યો છે અલીપુરા ચોકડી પરજ આવી ગંદકી થતા અહીંથી પસાર થતા લોકોને વાહન ચાલકો જાેડાઈ રહ્યા છે કે વહેલી તકે આ પાણીના ઉપર સ્લેબ ભરવામાં આવે અને એક કુંડી બનાવવામાં આવે જેથી કરીને પાણી દુર્ગંધ મારતું અટકી જાય અને રોગચાળો પણ ન ફેલાઈ તેમ વાહન ચાલકો અને ત્યાંના નાગરિકો જણાઈ રહ્યા છે બોડેલી નગરના હાર્દ સમા અલીપુરા ચાર રસ્તા પાસે હરખલી કોતર નું પાણી તેમજ ખુલ્લી ગટરોનું ગંદુ પાણી ને લઈ ગંદકીનું સામ્રાજ્ય દુર્ગંધ મારતા પાણીથી લોકોને પડતી હાલાકી.વધુ વાંચો -
બોડેલીમાં પાણીના ટાંકામાં પડેલી બાળકીને કેવડિયાના યુવાન નરેન્દ્ર તડવીએ બચાવી લીધી
- 20, નવેમ્બર 2022 11:12 PM
- 9445 comments
- 7184 Views
બોડેલી,તા.૨૦ બોડેલી ના ડભોઇ રોડ ઉપર આવેલ ગોવર્ધન સોસાયટી ના નાકે આવેલ રેણુકા ઑટો મોબાઇલ સ્પેર પાર્ટ ની દુકાન ની બાજુ માં બંધ મકાન ની બહાર ના ઓટલે બનાવવા માં આવેલ પાણી ના ટાંકા માં ઓટલા ઉપર રમી રહેલાત્રણ ચાર બાળકો પૈકી ની બે વર્ષ ની માસૂમ બાળકી ટાંકા માં પડી હતી બાળકી ટાંકા માં પડતા અન્ય બાળકોએ બુમરાડ મચાવતા બાજુમાં રેણુકા ઓટો મોબાઇલ્સ નામની સ્પેરપાર્ટ ની દુકાન માં કેવડિયા થી સ્પેરપાર્ટ લેવા આવેલા અને આ બાળકી માટે બનેલા નરેન્દ્રભાઈ તડવીએ તેમજ ઈશાનભાઇ ઠક્કરે દોડી આવી નરેન્દ્રભાઈ પાણીમાં કુદી જઈ બાળકીને બહાર કાઢી હતી. બાળકીને બહાર કાઢ્યા બાદ બેભાન થયેલી જણાતા ઈશાનભાઇ ઠક્કરે તેને ઊંધી સુવડાવી પુસ કરી પાણી બહાર કાઢ્યું હતું અને ત્યારબાદ બંને એ આ બાળકીના માતા પિતા ની શોધ ખોળ કર્યા વગર બોડેલી ની રેમ્બો હોસ્પીટલ લઈ જઈને સારવાર કરાવડાવી પરત તે ત્યા આવી તેણી માતા ચતી બેન ને સુપ્રત કરી માનવતા નુ ઉમદા ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું હતું. બોડેલી ગોવર્ધન સોસાયટી નજીક ઝૂંપડા બાંધી મજૂરી કરતા અને મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના સોંડવા તાલુકાના માંડલ ગામના દિનેશભાઈ ડાવર સહિતના પાંચેક પરિવારો પાછલા ઘણા વર્ષોથી બોડેલીમાં રહી છૂટક મજૂરી કરે છે અને હાલ તેઓ ગોવર્ધન સોસાયટી નજીક ના ખુલ્લા પડેલા પ્લોટમાં નાના નાના ઝુપડા બાંધી રહે છે અને તેઓ બધા પરિવારો ના સભ્યો દિવસ ભર બોડેલી નગરમાં છૂટક મજૂરી કરે છે અને તેઓના બાળકો સમગ્ર દિવસ દરમિયાન આમતેમ રમી દિવસ પસાર કરે છે આજરોજ બપોરના સાડા ત્રણેક વાગ્યા ના સુમારે આ પરિવારોના નાના નાના ભૂલકાઓ ગોવર્ધન સોસાયટીના નાકે આવેલ રેણુકા ઓટો મોબાઇલ નામની સ્પેરપાર્ટ ની દુકાન પાસે ના બંધ મકાનની આગળ આવેલ ઓટલા ઉપર રમી રહ્યા હતા આ પૈકી જયશ્રીબેન દિનેશભાઈ ડાવર ઉંમર બે વર્ષ તે રમતા સમયે ઓટલા ઉપર આવેલ પાણીની ખુલ્લી ટાંકીમાં પડી જતા અન્ય બાળકોએ બૂમરાણ મચાવી હતી. આ સમયે યમરાજ ના મુખ માં જતી રહેલી બે વર્ષની માસુમ જયશ્રીબેન ડાવર માટે મૃત્યુંજય (મસીહા) બનીને કેવડિયા કોલોની થી બાજુ ની દુકાને સ્પેર પાર્ટ નો સામાન ખરીદવા આવેલા નરેન્દ્ર ભાઇ તડવી એ બુમરાણ સાંભળી દોડી આવી ટાંકી માં કુદી જઈ બાળકી ને બચાવી લીધી હતી અને તેની મદદ માટે રોડ નજીક ઉભા રહી મોબાઇલ ફોન પર વાત કરી રહેલા બોડેલી ના રહીશ ઈશાન ભાઇ ઠકકરે પણ તરત બેભાન અવસ્થા માં બહાર કાઢેલી બાળકી ને ઊંધી સુવડાવી બરડામાં પુસ કરી પાણી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો.વધુ વાંચો -
છોાઉદેપુરની ગુરુકૃપા સોસાયટીના બાયપાસ રસ્તા પર સ્પીડ બ્રેકર્સ મૂકવા માટે લોકમાંગ
- 20, નવેમ્બર 2022 11:11 PM
- 4900 comments
- 9765 Views
છોટાઉદેપુર,તા.૨૦ છોટા ઉદેપુર નગર ની ગુરૂકૃપા વિસ્તારના રહેશો દ્વારા પસાર થતા નેશનલ હાઇવે નંબર ૧૧ ઉપર અક્સ્માતી સ્થળો એ બમ્પ બનાવવા માટે તેમજ સરકાર ની જાેગવાઈ નું પાલન કરાવવા પ્રાંત અધિકારી છોટાઉદેપુર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગુરુકૃપા વિસ્તારના રહીશોએ છોટાઉદેપુર જિલ્લા સેવા સદન સ્થિત પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતુ. જેમાં જણાવ્યું કે નગરમાંથી પસાર થતા હાઇવે રોડ ઉપર અવારનવાર ગંભીર અકસ્માતો બનતા રહે છે અને આ રસ્તો ગુજરાત અને મધ્યપ્રદેશને જાેડતો એકમાત્ર માર્ગ છે જેને લઇ આ રસ્તા ઉપર ભારદારી વાહનોની અવરજવર સતત રહે છે. માટે નગરના નાના વાહનો જેવા કે સ્કુટી અને બાઈક સાથેના અકસ્માતો થતા હોય છે. જેનું પરિણામ ઘણું જ ગંભીર આવતું હોય છે. તો આના નિવારણ રુપ આ જ હાઇવે ઉપર ધંધોળામાં બે બમ્પ અને ગોપાલપુરા અને ગામડી ગામમાંથી પસાર થતાં આજ રોડ પર મોટા બંપ મુકવામાં આવ્યા છે. ત્યારે છોટા ઉદેપુર ગુરુકૃપા રહીશો વતી વિસ્તારના સામાજિક કાર્યકરો કનુભાઈ ગઢવી રાહુલભાઈ પરમાર, અંકુરભાઈ પંચોલી, હરિભાઈ ગોરાના ની માંગ છે કે આ હાઈવે ની આસપાસ શાળાઓ બાલમંદિર કોલેજ રહેણાંક વિસ્તારો હોય આ રસ્તા ઉપર અવર-જવર વધારે રહે છે. અને ભૂતકાળમાં ખૂબ જ ગંભીર અકસ્માતો થયા છે, અને ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. અને હાલ આ રસ્તાનું કામ ચાલુ હોય સરકાર ની જાેગવાઈ મુજબ કોઈ બાંધકામ નું કામ ચાલતું હોય ત્યાં કામની વિગત દર્શાવતું સાઈનબોર્ડ મારવાની જાેગવાઈ છે. પરંતુ હાલ ચાલતા કામની અંદર કોઈપણ પ્રકારનું રસ્તા ઉપર કે આજુબાજુ આવું સાઈનબોર્ડ જાેવા મળતું નથી. તો આ આ રોડ ઉપર બમ્પ સ્પ્રીડ બ્રેકર મૂકવા માંગ કરવામાં આવી છે. આ હાઇવે મધ્યપ્રદેશ ને જાેડતો હોઈ અહીંયા થી કેટલાક સરકારી અનાજ ના દુકાનદારો ( અનાજ ના કૌભાંડીઓ ) દ્વારા ઘઉં,ચોખા દાળ તેલ ના કાળા બજારિયા ઓ તેમના વાહનો પુર ઝડપે ચલાવતા હોય તેઓ આવા સ્પીડ બ્રેકરો નો વિરોધ કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યુ છે.વધુ વાંચો -
સુખી ડેમથી લઈ તરગોડ સુધી કેનાલમાં ઠેર ઠેર ગાબડા અને ઝારી ઝાંખરા ઉગી નિક્ળ્યા
- 20, નવેમ્બર 2022 11:08 PM
- 9760 comments
- 8969 Views
બોડેલી,તા.૨૦ બોડેલીની સુખી સિંચાઈની કચેરીમાં મુખ્ય અધિકારી જ જાેવા મળતા નથી તેમ જ ડેપ્યુટી ઇજનેરો પણ પોતાની ફરજની કચેરીએ હાજર રહેતા નથી તેમ આ વિભાગના ધરતી પુત્રો જણાવી રહ્યા છેદર વર્ષે લાખો અને કરોડો રૂપિયાનું મેન્ટેનન્સ તેમજ નવીન કામ કરતી બોડેલી સુખી સિંચાઈ વિભાગની સ્થિત કચેરીના અંધેર વહીવટ નો બેનમૂન નમૂનો જાેવો હોય તો ડુંગરવાટથી લઈ છેક તરગોડ સુધીની કેનાલ ઉપર વિઝીટ મારવામાં આવે તો આ સુખી સિંચાઈ વિભાગની સુખી ડેમથી નીકળી તરગોળ ડેમ જતી કેનાલ ઉપર ઠેર ઠેર ગાબડા તેમજ કેનાલમાં ઊગી નીકળેલા જાડી જાખરા ચાડી કરતા નજરે પડે છે બોડલી સ્થિત સુખી સિંચાઈ વિભાગની કચેરીના સુખી ડેમથી લઈ તરગોડ સુધી ની કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડી ગયા છે તેમજ જ્યાં જુઓ ત્યાં સમગ્ર કેનાલ ઉપર ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે જ્યારે આ મેન કેનાલ માંથી પસાર થતી અનેક માઇનોર કેનાલો માં પણ જ્યાં જુઓ ત્યાં ભંગાણ થયેલું જાેવા મળે છે જ્યારે આ નાની કેનાલોમાં પણ અત્યંત ગીચ જંગલ જેવાઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે અને આ મુખ્ય કેનાલ તેમજ માઇનોર કેનાલોમાં હિંસક પ્રાણીઓ પણ રહે તે હદે ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે જેથી અહીં કેનાલની આસપાસ ખેતરો ધરાવતા ધરતીપુત્રોમાં પણ હિંસક પ્રાણીઓને લઈ ડરનો માહોલ ફેલાયેલો જાેવા મળી રહે છે આગામી ટૂંક સમયમાં ધરતીપુત્રોને શિયાળુ પાક માટે સુખી સિંચાઈ વિભાગ દ્રારા સુખી ડેમમાંથી પાણી છોડી સિંચાઈ માટે આપવાની શરૂઆત કરવાની હોવાનું જાણવા મળ્યું છે તંત્ર દ્વારા આ કેનાલોમાંથી વેડફાટ થતુ પાણી રોકવું હોય તો સૌથી પહેલા આ કેનાલોની મરામત કરાવવામાં આવે તે અત્યંત જરૂરી છે સુખી સિંચાઈ વિભાગની બોડેલીની કચેરીમાં મુખ્ય અધિકારી જ જાેવા મળતા નથી તેમ આ વિસ્તારના ખેડૂતો જણાઈ રહ્યા છે.વધુ વાંચો -
નસવાડી તાલુકામાંથી રોજગારી અર્થે ગ્રામજનો બહાર જતાં મતદાનને અસર થવાની સંભાવના
- 16, નવેમ્બર 2022 11:11 PM
- 2642 comments
- 2556 Views
નસવાડી, તા.૧૬છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ૨૧૨ ગામડા છે. નસવાડી તાલુકો સંખેડા ૧૩૯ વિધાનસભા મત વિસ્તારમાં આવે છે. અંદાજિત ૨.૭૦ લાખથી વધુ મતદારો નોંધાયેલ છે. ત્યારે હાલ એકબાજુ વિધાનસભાની ચૂંટણીને લઈ ઉમેદવાર જાહેર થઈ ગયા છે અને સંખેડા વિધાનસભાના કેટલાક ઉમેદવાર તો ઉમેદવારી ફોર્મ ભરી ગામડાઓમાં પ્રચારમાં પણ લાગી ગયા છે.પરંતુ નસવાડી તાલુકાના ગામડાઓ હાલ મતદારો વગર સુમસામ ભાસી રહ્યા છે. નસવાડી તાલુકામાં સૌથી મોટો પ્રશ્ન રોજગારીનો છે. દિવાળી પહેલાં સૌરાષ્ટ્રમાં કપાસની આવક શરૂ થતાં નસવાડી તાલુકાના ગામે ગામમાંથી હજારો આદિવાસી લોકો તેમના બાળકો સાથે મજૂરી કામ માટે સૌરાષ્ટ્ર રવાના થયા છે. એકબાજુ ચૂંટણીના પ્રચારને લઈ ઉમેદવાર ગામડાઓમાં જાય છે ત્યારે મતદારોને ભેગા કરવા પણ મુશ્કેલ બન્યા છે. કેટલાય ગામોમાં તો ફક્ત વૃદ્ધ લોકો ઘર સાચવી બેસી રહ્યા છે. પાંચ વર્ષે મત લેવા જતા નેતાઓ હાલ ગામડાઓ ખાલી હોઇ અને ઘર પર તાળા લટકતા હોઇ ઉમેદવાર પણ મૂઝવણમાં મૂકાયા છે. સરપંચની ચૂંટણીમાં એક એક મતની કિંમત હોઇ તેને લઈ સરપંચો મતદારોને છેલ્લા દિવસે બોલાવે છે. જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં મતદારોને ઉમેદવાર બોલાવે નહીં તો મતદાનની ટકાવારી પર અસર દેખાશે.મોંઘવારી અને રોજગાર અહીંનો સૌથી મોટો પ્રશ્ન છે. સિંચાઈની સુવિધાઓ નથી. મારા ભણેલા મિત્રો હમણાં સૌરાષ્ટ્ર જઈ કપાસ વીણી રહ્યા છે. મોટા ભાગના ગામડાઓ ખાલીખમ છે. મજૂરી માટે સૌરાષ્ટ્ર ગયા છે. પહેલાં સો બસો લોકો જતા હતા. હવે હજારો લોકો મજૂરી કરવા જાય છે. જે ચિતાનો વિષય છે. મજૂરી કરીએ તો જીવી શકીએ. જેને લઈ બધા મજૂરી કરવા સૌરાષ્ટ્ર બાજુ ગયા છે. અમે ઘેર છે. ચૂંટણી આવી રહી છે. કોણ ઉભું છે ખબર નહીં. પણ મત લેવા આવશે તો આ બધા ઘર બંધ હશે.વધુ વાંચો -
છોટાઉદેપુર પંથકમાં નળથી જળ પહોંચાડવાનું સપનું હજુ અધૂરું, કેટલાંક ગામો પાણીથી વંચિત
- 16, નવેમ્બર 2022 11:08 PM
- 6000 comments
- 3053 Views
છોટાઉદેપુર, તા.૧૬છોટાઉદેપુર જિલ્લામાં પ્રજાના ઘરે નળથી જળ પહોંચાડવાનું સપનું અધૂરું રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ગ્રામીણ વિસ્તારોમાં પાણી પહોંચતું નથી તેવી ફરિયાદો ઉઠી છે. ઘણા વિસ્તારોમાં ઘરે ઘરે નળ તૂટેલી હાલતમાં જાેવા મળી રહ્યા છે. ઘણા અંતરિયાળ ગામોમાં બનાવેલા નળ તૂટેલા છે. આમ કામોમાં ગેરરીતિ થઈ હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. માત્ર ૧ વર્ષના સમયગાળામા જ બનાવેલા નળ તૂટેલી હાલતમાં જાેવા મળી રહ્યા છે. છોટાઉદેપુર પંથકમાં બનાવેલા નળ હાલ પ્રજાના ઘરે પાણી આવતાં પહેલાં જ તૂટી ગયા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. જેના કારણે પાણી પણ આવતું નથી. ગ્રામીણ વિસ્તારની પ્રજા ફરિયાદ કરી રહી છે કે અમારા ઘરો સુધી હજુ પાણી પહોંચ્યું નથી. આજે પણ હેન્ડપંપ દ્વારા પાણી લાવવું પડે છે અને સમયનો વેડફાટ થાય છે. જેના કારણે પ્રજામાં રોષ જાેવા મળી રહ્યો છે. નળથી પાણી તો આવતું નથી પરંતુ હેન્ડપંપ પણ બગડેલા જાેવા મળી રહ્યા છે. મિલીભગતને કારણે પ્રજાની સમસ્યાઓનો કોઈ ઉકેલ આવતો નથી. કરોડો ખર્ચ્યા પછી પણ જૈસે થે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઘણી જગ્યાએ પાઇપો માટે ખોદવામાં આવેલા ખાડા ૧ ફૂટથી પણ ઓછા ખોદવામાં આવ્યા હોવાની બૂમો સંભળાઈ રહી છે. પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ શુ ધ્યાન આપ્યું? એ અંગે પ્રજામાં ચર્ચાનો વિષય બન્યો છે. છોટાઉદેપુર પંથકમાં આવેલા એકલબારા, ડોલરીયા, સીમલફળિયા જેવા ગામોમાં સર્વે કરતાં ઘણી જગ્યાએ નળ તૂટેલા જાેવા મળી રહ્યા છે. પાણી આવતું નથી તેવી ફરિયાદ પ્રજા કરી રહી છે. હેન્ડપંપ ચાલતા નથી. જ્યારે રસ્તાના નાળા તથા કોઝવે પણ તૂટેલા જાેવા મળી રહ્યા છે. થોડા સમય અગાઉ જ નળથી પાણી પહોંચાડવા નળ તો બન્યા પરંતુ તૂટી ગયા છે. પાઇપો ફાટી ગઈ છે. સિમેન્ટના પોલ ઉભા કરી નળ ફિટ કરવામાં આવ્યા પરંતુ ઘણી જગ્યાએ પોલ સાથે નળ તૂટી ગયા છે. દર વર્ષે પ્રજાએ ઉનાળામાં પાણી માટે વલખા મારવાનો વારો આવે છે. પરંતુ જિલ્લાના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં ખૂબ મોટા પાયે ગેરરીતિ થતી હોવાની બૂમો ઉઠી રહી છે. આ તૂટેલા નળ રીપેર થશે કે નવો ખર્ચો કરવામાં આવશે તે જાેવાનું રહ્યું. હાલમાં પાણી અંગેની જે યોજના છે. તેમાં ઘણા વિસ્તારોમાં હજુ ઘણા કામો બાકી છે. પરંતુ જે થઈ ગયા છે તેમાં પણ પાણી પ્રજાને મળતું નથી.વધુ વાંચો -
માહિતી અધિકારી દ્વારા માહિતી નહીં અપાતાં રોષ!
- 16, નવેમ્બર 2022 10:58 PM
- 8959 comments
- 237 Views
છોટાઉદેપુર, તા.૧૬છોટાઉદેપુરના એક જાગૃત નાગરિક દ્વારા પ્રાયોજના વહીવટદાર ની કચેરી મારફત ચાલતી શાળામાં અનેક ખર્ચ ગ્રાન્ટ તેમજ બાળકોની હાજરી વિગેરીની માહિતી જાહેર માહિતી અધિકારી જી .એલ .આર .એસ ધારસીમલ શાળા લીંડા ટેકરા કેમ્પસ નસવાડી પાસે માંગ્યાની મુદત પૂરી થઈ હોવા છતાં ના અપાતા કંઈ ભીનું સંકેલાયો હોય તેવા શંકાના વાદળો બંધાયા હોવાનું જાણવા મળી આવેલ છે. આંતરે દિવસે થતી વહીવટી ગેર રીતોની ફરિયાદો ઉઠવાનો ઇતિહાસ હવે સામાન્ય બનવા પામેલ છે. ત્યારે છોટાઉદેપુરના એક જાગૃત નાગરિક દ્વારા નસવાડી તાલુકાના લીંડા ટેકરા કેમ્પસમાં જી .એલ .આર .એસ ધારસીમલ શાળામાં ૩૧ મુદ્દામાં જાહેર માહિતી અધિકારી અધિનિયમ ૨૦૦૫ હેઠળ માહિતી માંગવામાં આવી હતી. જે સમય મર્યાદા પૂરી થતાં સુધી તેઓને માહિતી ના મળતા તેઓને પ્રથમ અપીલ કરવાની ફરજ પડી છે, ત્યારે તેઓ દ્વારા રૂબરૂમાં જણાવેલ કે જાહેર માહિતી અધિકારીએ માહિતી છુપાવવા પાછળ કે ન આપવા પાછળ કોઈ ભીનું સંકેલાયો હોય તેવી ગંધ આવી રહી છે. માટે જ માહિતી આપવામાં આવી નથી. બાકી તો તમામ માહિતી ઓન રેકોર્ડ ઉપર હોય અને સરળતાથી મળી જાય તેવી હોવા છતાં માહિતી ના આપવા પાછળના કારણ એ શંકા ઉપજાવનાર હોવાનું જણાવેલ હતું. માંગેલ માહિતીમાં શાળામાં શૈક્ષણિક વર્ષ ૨૧ -૨૨ના માટે કુલ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા નામ સરનામા, અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓની સંખ્યા તથા તેમના નામ સરનામા, હાજરી ટકાવારી તથા શાળાના પ્રારંભિક બે કલાક અને શાળા છૂટવાના સમય અગાઉ ના બે કલાક અથવા આખા દિવસના સી.સી ફૂટેજ ની માહિતી, સતત ગેરહાજર રહેતા હોય તેવા વિદ્યાર્થીઓની યાદી, ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓ ને શાળા કક્ષાએથી કોઈ પગલાં લેવા છે કે કેમ તેની માહિતી, વિદ્યાર્થીઓને શાળા તરફ લાવવા આકર્ષવા કરેલ આયોજનો ની વિગતો, વર્ષ દરમિયાન પ્રાપ્ત થતી ગ્રાન્ટ તેમજ તેના ખર્ચ ની વિગતો, શાળાને પ્રાપ્ત થયેલ ગ્રાન્ટનો ઉપયોગ કરવા કયા કામો ટેન્ડર પદ્ધતિથી આપવામાં આવ્યા અથવા તો કઈ એજન્સીઓ દ્વારા કામ કરવામાં આવ્યા તેની વિગતો, શાળામાં ગણવેશ પેટે વિદ્યાર્થી દીઠ કેટલી રકમ ફાળવવામાં આવે છે અને આ રકમ કયા માધ્યમથી ચૂકવવામાં આવે છે તેની વિગતો, શાળામાં કામ કરતા શિક્ષકો ના નામ સરનામા અને લાયકાત, શાળામાં સ્ટાફ સિવાય ના કોઈ વ્યક્તિઓ ૩૦ મિનિટથી વધુ સમય રોકાયા હોય તેવી વ્યક્તિઓ નાં નામ અને કામ નાં કારણો, શાળામાં કરવામાં આવેલ કામો ના ભાવ પત્રકો એજન્સીઓ સાથે કરાયેલ કરારની વિગતો, શાળામાં પ્રાયોગિક ઇન્સ્ટ્રૂમેન્ટ ની માહિતી, શાળા દ્વારા કરવામાં આવતી વાલી મીટીંગ ની માહિતી, શાળામાં વર્ષ ૨૦૧૯ થી આદિવાસી કેટલી વાર વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવી તેના તમામ અહેવાલો, વર્ષ ૨૧-૨૨ દરમિયાન શાળામાં સ્ટાફ સિવાય છોટાઉદેપુર જિલ્લાની અન્ય શાળાના કયા કયા શિક્ષકો આવ્યા તેની સમગ્ર માહિતી, શાળાના ગણવેશ ની ખરીદી કોણ કરે છે તેની માહિતી, શાળાને મળેલ કુલ ગ્રાન્ટ માંથી વાઉચર ઉપર ખર્ચ કયા સંજાેગોમાં કરી શકાય, શાળામાં આવા વાઉચર પદ્ધતિથી કુલ કેટલી વખત કઈ રકમનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેની વિગતો, શાળા કેમ્પસ ના ઇન્ચાર્જની માહિતી, વિગેરેની માહિતી માંગવામાં આવી હતી પરંતુ શાળા દ્વારા માહિતી આપવામાં ન આવતા જાગૃત નાગરિકને પ્રથમ અપીલ કરવાની ફરજ પડી છે.વધુ વાંચો -
દાહોદના નેતાજી બજારમાં ટ્રાફિક સમસ્યા જટીલ બની
- 16, નવેમ્બર 2022 01:15 AM
- 1907 comments
- 6885 Views
દાહોદ,તા.૧૫દાહોદ શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યા હળવી થવાને બદલે દિન પ્રતિદિન વધુને વધુ જટિલ બનતી જાેવા મળી રહી છે. દાહોદ નગરપાલિકા દ્વારા શહેરમાં ભૂતકાળમાં ઘણી જગ્યાએ શોપિંગ સેન્ટરો બનાવવામાં આવ્યા છે. પરંતુ તેમાંના એકેય શોપિંગ સેન્ટરમાં પાર્કિંગની સુવિધા પ્રદાન કરવામાં ન આવતા તે તમામ શોપિંગ સેન્ટરના દુકાનદારો પોતાના વાહનો પોતાની દુકાન આગળ જ પાર્ક કરવા મજબૂર બનતા ટ્રાફિક સમસ્યા દિન પ્રતિદિન જટિલ બનતી જાેવા મળી રહી છે. આ ટ્રાફિક સમસ્યા હલ કરવા પાલિકા તેમજ પોલીસ તંત્રના સહિયારા પ્રયાસની તાતી જરૂર છે.પરંતુ આ પ્રયાસમાં પોલીસ તંત્ર તો તૈયાર છે પણ પાલિકા તંત્ર તૈયાર નથી તેવું લાગી રહ્યું છે. વાત નેતાજી બજારની કરીએ તો ભૂતકાળમાં નેતાજી બજારમાં શાકભાજીના પથારા વાળાઓને કારણે ટ્રાફિક સમસ્યા ઘેરી બનતા તે પથારા વાળાઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા માટેની માગણી બુલંદ બનતા નગરપાલિકા દ્વારા તે પથારા વાળાઓને ચાકલિયા રોડ પર શાકમાર્કેટ બનાવી તેમાં જગ્યા ફાળવી આપવામાં આવી અને નેતાજી બજારમાં શાકભાજીના પથારા વાળા કતાર બંધ જ્યાં બેસતા હતા. ત્યાં લોખંડની રેલિંગ બનાવી વાહન પાર્કિંગ માટેની સુવિધા ઉભી કરવામાં આવી હતી. પાર્કિંગ ની જગ્યામાં શરૂઆતના થોડાક દિવસો તો દુકાનદારો પોતાના વાહનો પાર્ક કરતા હતા. અને થોડા દિવસ બાદ દુકાનદારો પોતાની દુકાન ખોલે તે પહેલા જ વાહન પાર્કિંગની જગ્યામાં ફરીવાર શાકભાજીના પથારા વાળાઓ એ અડીંગો જમાવો શરૂ કર્યો હતો. અને જાેત જાેતામાં તો આ પાર્કિંગની જગ્યામાં કતાર બંધ શાકભાજીવાળા બેસતા થઈ જતા પાર્કિંગ ની જગ્યા શાકભાજીના પથારા વાળાઓને જ હાઇજેક કરી હોય તેવું લાગતા અને દુકાનદારોને પોતાના વાહનો પાર્ક કરવા માં તકલીફ પડતા ફરીવાર દુકાનદારો પોતાની દુકાનો આગળ જ પોતાના વાહનો પાર્ક કરવા મજબૂર બનતા નેતાજી બજારની ટ્રાફિક સમસ્યા પુના જટિલ બની જવા પામી છે. હવે તો શાકભાજીના પથારા વાળાઓ કાયમી ધોરણે આ પાર્કિંગ સ્ટેન્ડમાં બેસવા લાગી જતા આ પથારા વાળાઓ પાસેથી રોજબરોજ નગરપાલિકા દ્વારા વહીવટી ખર્ચના નામે નાણા ઉઘરાવતા હોવાનું પણ આ જાેરશોરથી ચર્ચાઈ રહ્યું છે. જેના કારણે શાકભાજીના કેટલાક પથારા વાળાઓ તો એટલા માથાભારે થઈ ગયા છે કે વાહન ધારકોને પોતાના વાહન પાર્ક કરવા માટે તે લોકો સાથે ઘણીવાર ઉગ્ર ચાલી ઝઘડો કરવા ના છૂટકે મજબૂર થવું પડે છે. નેતાજી બજારમાં વાહન પાર કરવા માટે સારો એવો માતબર ખર્ચ કરી બનાવવામાં આવેલ પાર્કિંગ સ્ટેન્ડનો ઉપયોગ માત્રને માત્ર વાહનો પાર કરવા માટે કરવામાં આવે અને પાર્કિંગ સ્ટેન્ડમાં બેસતા શાકભાજીના આ પથારા વાળાઓને અન્ય સ્થળે વૈકલ્પિક જગ્યા ફાળવી આપવામાં આવે તો નેતાજી બજારની ટ્રાફિક સમસ્યા મહદંશે હળવી બનાવી શકાય તેમાં કોઈ બેમત નથી આ રીતે પૈસા લઈને પાર્કિંગ સ્ટેન્ડમાં શાકભાજીના પથારા વાળાઓને સીધી રીતે નહીં તો આડકતરી રીતે બેસવાની મંજૂરી આપનાર નગરપાલિકાને ટ્રાફિક સમસ્યાને હળવી કરવામાં કોઈ રસ નથી તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે.વધુ વાંચો -
મુખ્યમંત્રીના રૂટના રસ્તા બંધ કરાતાં ઠેર-ઠેર ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં ઃ લોકો અટવાયાં
- 13, ઓક્ટોબર 2022 01:15 AM
- 1745 comments
- 295 Views
વડોદરા, તા.૭સંસ્કારી અને ઉત્સવ પ્રિય નગરી વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થાપિત કરાયેલા ગણેશજીના દર્શન માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી સાથે વિવિઘ મંડળો દ્વારા સ્થાપિત શ્રીજીના દર્શન કર્યા હતા.જ્યારે બીજી તરફ મુખ્યમંત્રીના આગમનને લઈને પોલીસ દ્વારા જેતે વિસ્તારોના રસ્તાઓ બંઘ કરાતા ટ્રાફીક જામના દ્રષ્યો સર્જાયા હતા. તેમજ પરીવાર સાથે દર્શનાર્થે નિકળેલા લોકો અચવાઈ ગયા હતા. ગણેશોત્સવ નિમિત્તે આજે વડોદરા શહેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને રાત્રે ૮ થી ૧૦ વાગ્યા સુધી વિવિધ પંડાલોમાં બિરાજમાન શ્રીજીના દર્શન કર્યા હતા.તેઓ સાથે પ્રદેશ ભાજપા મહામંત્રી ભાર્ગવ ભટ્ટ ,કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી રાજ્યના બાળ વિકાસ કલ્યાણ મંત્રી મનિષાબેન વકીલ, સાંસદ રંજનબેન ભટ્ટ મેયર કેયુર રોકડિયા તથા ધારાસભ્યો કાઉન્સિલરો તેમજ શહેરના હોદ્દેદારો,પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ ભારે ધામધૂમ પૂર્વક ઉજવાઈ રહ્યો છે ત્યારે વર્ષો ની પરંપરા મુજબ રાજ્યના મુખ્યમંત્રીઓ વડોદરાના ગણેશ ઉત્સવમાં ગણેશજી ના દર્શન માટે અચૂક હાજરી આપે છે આજે વડોદરા શહેરમાં રાજ્યના મુખ્યમંત્રી શ્ર ભુપેન્દ્ર પટેલ ખાસ દર્શન માટે આવ્યા હતા અને વિવિધ વિસ્તારોમાં સ્થાપિત કરાયેલા શ્રીજીના દર્શન કર્યા હતા. જાેકે, મુખ્યમંત્રીનો કાફલો જેજે રૂટ પરથી પસાર થઈને જે ગણેશજીના પંડાલ માં જવાનો હતો જે માર્ગ બંઘ કરાતા ટ્રાફીક જામના દ્રષ્યો સર્જાયા હતા સાથે પરીવારના સભ્યો સાથે ગણેશજીના દર્શનાર્થે નિકળેલા લોકો અટવાઈ ગયા હતા.મુખ્યમંત્રીએ હરણી રોડ, નવા બજાર, દાંડિયા બજાર એસવીપીસી ટ્રસ્ટ ખાતે મુખ્યમંત્રીના હસ્તે શ્રજીને સુવર્ણ માળા અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ પોલો ગ્રાઉન્ડ બગીખાના, વારસિયા રીંગ રોડ માંજલપુર , ઇલોરા પાર્ક તથા સુભાનપુરા હાઈ ટેન્શન વિસ્તારમાં સ્થાપના કરાયેલા ગણેશજીના દર્શન કર્યા હતા.વધુ વાંચો -
ગૃહમાતાઓને છુટી કરવાનાં વિરોધમાં ભાજપના નેતાઓ દ્વારા શાળાના ડાયરેક્ટરને રજૂઆત
- 22, ડિસેમ્બર 2021 10:39 PM
- 1641 comments
- 7713 Views
નસવાડીઃનસવાડી તાલુકાના લિંડા ખાતે કન્યા સાક્ષરતા શાળામાં ભાજપના નેતાઓએ એકલવ્ય મોર્ડલ શાળાના ડાયરેક્ટરને લિન્ડા મોર્ડલ શાળાની ગૃહમાતાઓને છુટી કરવાનાં વિરોધમા રજૂઆત કરી છે.૮ દિવસમા ગૃહમાતાઓને નોકરીમાં નહિ લેવામાં આવે તો મોર્ડલ સ્કૂલને ભાજપ અને આદિવાસી સમાજના નેતાઓ તાળા મારી દેવાની ચિમકી ઉચ્ચારી છે.નસવાડી તાલુકાના લિંડા ખાતે ચાલતી એકલવ્ય મોર્ડલ સ્કૂલ તેમજ કન્યા સાક્ષરતા શાળા આવેલી છે જેમાં વિધાર્થીઓએ ભોજનને લઈને રજૂઆતો કરી હતી અને જેમાં પ્રાયોજના વહીવટ દ્રારા રાતો રાત ગૂહમાતાઓને સસ્પેન્ડ કરી દેવાનો આદેશ કરતા આદિવાસી સમાજના તેમજ ભાજપના નેતાઓ રજૂઆત કરતા ખરભરાત મચી ગયો છે અને આદિવાસીઓ વાલીઓ મોટા પાયે રજૂઆત કરવા માટે ભાજપ નેતાઓ પાસે જતા ભાજપના પ્રમુખ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ તેમજ આદિવાસી સંઘના ટીનાભાઈ સહીત અન્ય લોકો અને સમાજના લોકો ભેગા મળી લિંડા ખાતે પહોંચ્યા હતા અને લિંડા શાળાની મુલાકાતે આવેલા મોડલ સ્કૂલના ડાયરેક્ટર અર્જુનભાઈ ચૌધરીને આક્રમક રજુવાતો કરી હતી ભાજપના સંગઠન અને આદિવાસી સંઘના લોકોએ રજુવાત કરી હતી કે કન્યાઓને હલકી કક્ષાનુ ભોજન આપવામાં આવે છે અને જેમાં આચાર્ય અને ભોજનના ઈજારદાર ની જવાબદારી હોય છે. વોર્ડનની જવાબદારી ઓછી હોય છે અને વોર્ડન એ આચાર્યને લેખિતમા ૪થી૫ વાર રજૂઆત કરવા છતાંય આચાર્યએ ધ્યાન આપ્યું નથી વોર્ડનની રજૂઆત ધ્યાને લીધી નથી જયારે વિદ્યાર્થીઓએ પણ રજૂઆત કરી હતી પરંતુ તેવોની રજૂઆત સાંભળવામાં આવી ના હતી તપાસમા આવનાર અધિકારીઓએ વોર્ડનને ખોટી રીતના જવાબદાર ગણી સસ્પેન્ડ કર્યા છે તે ખોટું છે વોર્ડનને ૮ દિવસમા નોકરીમા નહિ લેવા આવે તો ભાજપ સંગઠન અને આદિવાસી સંઘ દ્વવારા લિંડા શાળાને તાળા મારી દેવામા આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી અજુનભાઈ ચૌધરી - એકલવ્ય મોડલ શાળા ડિરેક્ટરના જણાવ્યા મુજબ નસવાડી એકલવ્ય મોર્ડલના વોર્ડનોને સસ્પેન્ડ કર્યા છે તેને ૮ દિવસમા સમસ્યાનું નિરાકરણ લાવીશું ગોપાલસિંહ ચૌહાણ - ભાજપ તાલુકા પ્રમુખના જણાવ્યા મુજબ ૮ દિવસમા સમસ્યાનું નિરાકરણ નહિ આવે તો અને ગૂહમાતાઓને નોકરીમા નહિ લેવામાં આવે તો શાળાને તાળા મારી દેશુ ભાજપના નેતાઓ અને આદિવાસી સંઘ દ્વવારા લિંડા ગામે એકલવ્ય મોર્ડન સ્કૂલના ડિરેક્ટરને રજૂઆત કરી હતી.વધુ વાંચો -
કુપ્પા પાણી પુરવઠા યોજના હેઠળ ફિલ્ટર કરીને નર્મદાનું પાણી આપવામાં આવશે
- 01, ઓક્ટોબર 2021 01:15 AM
- 8977 comments
- 4901 Views
નસવાડી,તા.૩૦નસવાડી તાલુકાના ૭૨ ગામોને કુપ્પા પાણી પુરવઠા યોજનામાં નર્મદાનું પાણી ફિલ્ટર કરીને ૭૨ ગામોને ૮૨ કરોડના ખર્ચે બે વર્ષમાં આ યોજના પુરી કરવામાં આવશે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાર વિસ્તારમાં બોર અને હેન્ડ પંપનું પાણી પીવા લાઈક ના હોવાથી પાણીના સેમ્પલોમાં ટીડીએસનું પ્રમાણ વધુ વાળું પાણી હોવાથી આદિવાસી સમાજના લોકોને પથરી તેમજ અન્ય રોગો થી પીડાતા હતા જેને લઈને સરકાર ઘ્વારા નસવાડી તાલુકાના ૭૨ ગામો માટે નર્મદા નદીના પટમાંથી પાઇપલાઈન ઘ્વારા કુપ્પા ગામે સંપ બનાવી પાણી સંગ્રહ કરી ફિલ્ટર કરીને ૭૨ ગામોને પીવાના પાણી પોહ્ચાડવા માટે છોટાઉદેપુર પાણી પુરવઠા બોર્ડ ઘ્વારા કામગીરી શરૂ કરાઈ હાલ ૨૫૦ કિલો મીટર પાણીની પાઇપ લાઈન નાખવાની કામગીરી શરૂ કરાઈ છે અને ૩ કરોડ રૂપિયાની પાઇપો ખરીદવામાં આવી છે જયારે આખી યોજના ૨ વર્ષમાં પૂણ કરવાની છે આ યોજનામાં સરકારનો આશય સારો છે પરંતુ આજે પણ સ્થાનિક લોકો માંથી મળતી માહિતી મુજબ જે વિસ્તારોથી પાઇપ લાઈન લઇ જવાની છે ત્યાં ડામર રસ્તાની સુવિધા નથી ફક્ત બે વર્ષમાં કામગીરી પૂણ કરવાની છે તે સમયમાં ૭૨ ગામો જે છે તે પહાડી ઇલાકા છે આવા વિસ્તારોમાં ઓછી મુદતના ટેન્ડરમાં કોન્ટ્રાક્ટર સમય મર્યાદામાં કામ પૂણ ના કરી શકે અને કામ અધૂરું મૂકી ભાગી જાય ત્યારે પ્રજા માટે સરકારએ ફાળવેલ કરોડો રૂપિયાના કામો અધૂરા રહી જાય હાલ કુપ્પા ગામે થી પીવાના પાણીની પાઇપ લાઈનની શરૂવાત કરવી જાેઈતી હતી પરંતુ અન્ય ગામોમાં શરૂવાત પાઈપલાઈન નાખવાની કરાઈ હોવાથી એ જગ્યા અગ્રી છે ત્યાં થી શરૂવાત કરવી જાેઈએ પ્રજાના ટેક્ક્ષના નાણાંમાંથી આવી મોટી યોજનાઓ અધૂરી ના રહી જાય તે માટે અધિકારીઓએ ધ્યાન આપવું જાેઈએ હાલ તો ૩ કરોડ રૂપિયાની પાઈપલાઈન નખની કામગીરી શરુ છે.વધુ વાંચો -
નસવાડી તાલુકાના સેંગપુર અને સરીપાણી ગામોના ધરતીપુત્રોને સિંચાઈનુ પાણી નહિ મળે
- 01, ઓક્ટોબર 2021 01:15 AM
- 1554 comments
- 5639 Views
નસવાડી,તા.૩૦નસવાડી તાલુકાના સેંગપુર સરીપાણી છકતર ઉંમરવાના ખેડૂતોને નસવાડી સિંચાઈ વિભાગની બેદરકારીના કારણે ૪ કિલોમીટર કેનાલ બનાવવા માટે ૮૦ લાખ નો ખર્ચ કર્યો. પછી પણ ખેડૂતો ને સિંચાઈ નુ પાણી આ વર્ષે નહિ મળે. હાલ તળાવ ઓવર ફોલ થયું છે. પાણી વ્યર્થ વહી જાય છે.જાે કેનાલમાં પાણી પહોંચતું હોત તો પાણી વ્યર્થ ના જાત. પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકાના ધનિયા ઉંમરવા ગામે સિંચાઈ વિભાગનુ છોટાઉદેપુર જિલ્લામાં સૌથી મોટુ તળાવ છે. છોટાઉદેપુર જિલ્લા પંચાયતની સિંચાઈ વિભાગની પેટા ઓફિસ નસવાડી ખાતે આવેલી છે. અને આ કચેરી દ્રારા તળાવનુ સંચાલન કરવામાં આવે છે. અહીંયા મહત્વની બાબત એ છે કે ૪ કિલોમીટરના વિસ્તાર માં તળાવનુ પાણી સિંચાઈ માટે મળે તે માટે ૮૦ લાખના ખચે ધનિયા ઉંમરવા - છકતરઉંમરવા - સેંગપુર - સરિપાણી આ ૪ ગામોને સિંચાયનુ પાણી શિયાળો ઉનાળો ખેતી માટે મળી રહે તે માટે ખર્ચ કરવામાં આવ્યો.પરંતુ સિંચાઈ વિભાગના અધિકારીઓ કામગીરી કરતી વખતે પૂરતું ધ્યાન ન આપતાં છકતરઉંમરવા સેંગપુર અને સરીપાણી ગામોના ખેડૂતોને સિંચાઈ નુ પાણી નહિ મળે હાલ તળાવ ઓવર ફ્લો થયું છે. પરંતુ આ ૪ ગામોના ખેડૂતોને અવકાસી ખેતી ઉપર જ ર્નિભર રહેવું પડશે.ધારાસભ્ય અને સાંસદ તેવોની ગ્રાન્ટ માંથી અન્ય કામગીરી બાકી છે તે પુરી કરાવે તેવી ખેડૂતો ની માગ ઊઠી છે.વધુ વાંચો -
ગોઝાલી ગામે નવીનગરી વિસ્તારમાં ધૂટણ સમા પાણીનો નિકાલ કરાયો
- 01, ઓક્ટોબર 2021 01:15 AM
- 2337 comments
- 8185 Views
ડભોઇ,તા. ૩૦.ડભોઇ તાલુકાના ગોઝાલી ગામે નવીનગરી વિસ્તારમાં ધૂટણ સામા પાણી ભરાતા પાણીના નિકાલ માટે શિક્ષણ સમિતિ ચેરમેને જે.સી.બી.ની મદદ્દથી પાણીનો નિકાલ કરાવ્યો હતો. ડભોઇ ઢાઢર નદી માં પૂર ની સ્થીતી વચ્ચે ગત રાત્રીના ડભોઇ તાલુકાના ગોઝાલી ગામે આવેલ નવીનગરી વિસ્તારમાં પાણી ભરાયા હતા નદીમાં મગર સહિત જળચર પ્રાણીનો ભય વધતાં તાત્કાલીક ધોરણે શિક્ષણ સમિતિ ચેરમેન અશ્વિન વકીલ ધટના સ્થળે દોડી જે.સી.બી.ની મદદ્દ થી પાણીના નિકાલ માટે કાર્યવાહી કરવામાં આવી હતી. પાણીનો નિકાલ થતાં ગ્રામજનો એ આનંદ વ્યક્ત કર્યો હતો.ડભોઇ ઢાઢર નદીમાં ઉપરવાસ માં ભારે વરસાદ ને પગલે પૂરની પરિસ્થીતી ઊભી થઈ હતી અનેક નીચાણ વાડા ગામો માં પાણી ભરાયા હતા. બંબોજ, દંગીવાડા સહિત ૫ ગામો સંપર્ક વિહોણા બન્યા હતા.વધુ વાંચો -
છોટાઉદેપુર તાલુકાના માર્ગો બિસ્માર હાલતમાં તંત્ર ઘોર નિંદ્રામાં
- 25, સપ્ટેમ્બર 2021 10:50 PM
- 100 comments
- 9254 Views
છોટાઉદેપુરછોટાઉદેપુર તાલુકાના સમગ્ર વિસ્તારમાં આવેલા તમામ માર્ગો પર મસમોટા ખાડા પડી જવાના કારણે રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે હાલ ચોમાસાની સીઝન ચાલતી હોય રસ્તાઓ મા ઠેરઠેર ગાબડું પડી જવા પામ્યા છે છોટાઉદેપુર જિલ્લા કક્ષાનો ગામ હોય જિલ્લાવાસીઓ રોજ બરોજ સરકારી કામો તેમજ બજારમાં નાની-મોટી ખરીદી કરવા માટે આવતા હોય છે તેમજ છોટાઉદેપુર ને અડીને આવેલું આંતરરાજ્ય એટલે કે મધ્યપ્રદેશ ની સરહદ આવેલી હોય ત્યાંથી માલવાહક ભારે વાહનો અહીં અવર જવરના કારણે ટ્રાફિકનું ભારણ વધુ હોય ત્યારે આવા બિસ્માર માર્ગ ઉપરથી પસાર થવું ખૂબ મુશ્કેલી બન્યું છે અને તેના લીધે વાહનચાલકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવે છે તેમજ રોજના દ્વિચક્રી વાહન ચાલકો ના ખાડાઓના કારણે પડી જવાના નાના મોટા બનાવો રોજ ના રોજ અવાર-નવાર બનતા હોય છે કેટલીકવાર તો દ્વિચક્રી વાહનો વાહનચાલકોને અકસ્માતનો ભોગ પણ બનવું પડતું હોય છે હાલ આજ વાર ભારતની અંદર જે રોડ છે એ રોડ ઉપર જિલ્લાના અધિકારીઓ પણ અવરજવર કરે છે જેઓની લક્ઝરિયસ ગાડીઓમાં માર્ગ પરના ખાડા ઓની અસર થતી નથી પરંતુ માર્ગ જાેઈ ગ્રામ્ય પ્રજાની મુશ્કેલીના નિરાકરણ માટે સત્વરે કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છેવધુ વાંચો -
બોડેલી ઓરસંગ નદીનો બ્રિજ જર્જરિત
- 25, સપ્ટેમ્બર 2021 10:48 PM
- 8689 comments
- 4649 Views
બોડેલીબોડેલી ઓરસંગ નદી નો બ્રિજ જર્જરિત હાલતમાં કોઈ દુર્ઘટના સર્જાય એ પહેલા બ્રિજ નું સમારકામ જરૂરી બન્યું છેબોડેલી પાસે થી પસાર થતી ઓરસંગ નદી પરનો લગભગ એક કિ.મી. જેટલો લાંબો બ્રિજ ની વચ્ચે ઢોકલિયા તરફની દીવાલ તૂટી જત્તા વાહન ચાલકો ભયભીત થઈ ગયા છે. જર્જરિત બ્રિજના કાંગરા ખરવા માંડતા હવે બ્રિજનુ અને તેના ખખડધજ માર્ગ નુ સમારકામ જરૂરી બન્યું છે. ઓરસંગ બ્રિજના ઉપર પણ ઠેર ઠેર ખાડા જાેવા મળી રહ્યા છે વાહનચાલકોને અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે અનેક વાહનચાલકો અને ખાસ કરીને બાઇકચાલકો ખાડા ને લઈને પડ્યા હોય એવા બનાવ પણ સામે આવ્યા છે નોંધવું રહ્યું, કે ૧૯૯૦ માં ઓરસંગ બ્રિજ ભારે પુર ને લીધે તૂટી ગયો હતો. ત્યાર પછી અડધા બ્રિજ નુ કામ હાથ પર લીધું ત્યાર થી અડધો જૂનો અને અડધો નવો બ્રિજ દેખાતો હતો. પણ છેલ્લા કેટલાક વર્ષો થી બ્રિજ જર્જરિત બન્યો છે. તેના પાયા પણ રેતી ખનન ને લીધે ડોકાવા માંડ્યા છે. બ્રિજ ની આવરદા ઘટી છે. તેવા સમયે જ બ્રિજ ની વચ્ચે થી એક તરફ ની દીવાલ તૂટી ગઈ હોવાની ચર્ચાએ તંત્રની લાપરવાહી છતી કરી છે. ત્યાંથી દિવસ રાત સતત વાહનો ની અવર જવર વચ્ચે અકસ્માત નો ભય સેવાઈ રહ્યો છે. બ્રિજ નો માર્ગ પણ ખૂબ જ ખરાબ થઈ ગયો છે.વાહન ચાલકોના જણાવ્યા મુજબ વહેલી તકે બ્રિજ નું સમારકામ થાય તે ખૂબ જરૂરી છે.વધુ વાંચો -
છોટાઉદેપુર ટાઉનમાં ચોરીમાં સંડોવાયેલા આરોપીને પાસા
- 18, સપ્ટેમ્બર 2021 11:26 PM
- 4689 comments
- 6962 Views
છોટાઉદેપુરહરેકૃષ્ણ પટેલ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે છોટાઉદેપુર જિલ્લના એવા આરોપીઓ કે જે એક થી વધુ મિલ્કત સબંધી કે શરીર સબંધી ગુનાઓમાં સંડોવાયેલ હોય અને જાહેર સુલેહ શાન્તિનો ભંગ કરે અથવા ચોરી છુપી રીતે પોતાની ગે.કા પ્રવૃતિ ચાલુ રાખતો હોય અને સમાજમાં અશાન્તી ઉભી કરે અને અસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલ હોય તેવા માથાભારે ઇસમો વિરૂધ્ધ પાસા તથા તડીપારની કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ જે મુજબ આફતાબ ઉર્ફૅ અપ્પુ હુસેનભાઇ પંજાબી (મુસ્લીમ) રહે.છોટાઉદેપુર સ્ટેશન વિસ્તાર, વસેડી કૌસર મસ્જીદની સામે ઝોઝ રોડ તા.જી.છોટાઉદેપુર નાની વિરૂદ્ધમાં છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલ હતા જે સબંધે સામાવાળા વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ જેથી જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી છોટાઉદેપુર નાઓ દ્વારા સામાવાળાની પાસા દરખાસ્ત મંજુર કરતા એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ આજરોજ પાસા હેઠળ અટકાયત કરી “ મહેસાણા જિલ્લા ” જેલ ખાતે મોકલી આપેલ છે.વધુ વાંચો -
બાડવાવ ગામેથી રૂ.૩૦ હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
- 18, સપ્ટેમ્બર 2021 11:24 PM
- 3685 comments
- 4134 Views
છોટાઉદેપુરલોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર દ્વારા છોટાઉદેપુર પો.સ્ટે. વિસ્તારના બાડવાવ ગામેથી કિ.રૂ.૩૦,૦૦૦/- ના ભારતીય બનાવટના વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. એમ.એસ.ભરાડા ઇન્ચા.પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગનાઓ તથા ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સુચના કરેલ. જે અન્વયે એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને ખાનગી રાહે બાતમી હકીકત મેળવી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરા-ફેરી બંધ થાય તે મુજબ કાર્યવાહી કરવા સમજ કરેલ જે અનુંસંધાને એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બાડવાવ ગામેથી એક કાળા કલરની હિરો પેશન-પ્રો રજીસ્ટ્રેશન નંબર વગરની મોટરસાયકલ ઉપર લઇ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડી પાડી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નં.૯૬ કિ.રૂ.૩૦,૦૦૦/- તેમજ પેશન-પ્રો રજીસ્ટ્રેશન નંબર વગરની મોટરસાયકલ કિ.રૂ.૨૫,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.વધુ વાંચો -
મધ્ય ગુજરાતના આ જીલ્લામાં સામાન્ય વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી
- 19, ઓગ્સ્ટ 2021 02:48 PM
- 4147 comments
- 8486 Views
છોટાઉદ્દેપુર-છોટાઉદેપુર જિલ્લો મધ્ય પ્રદેશના અડીને આવેલા આદિવાસી જિલ્લો છે અહીં ગરીબ આદિવાસી લોકો ખેતી કરીને જીવન ગુજરાત ચલાવે છે હાલ ચોમાસાની સીઝન ચાલતી હોય ચાલુ વર્ષે વરસાદની અછત વર્તાઇ છે એના લીધે ગરીબ ખેડૂત બિયારણ ખાતર મોંઘા ભાવનું લાવતા હોય છે. આવા સંજોગોમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા ભરાઈ છે. છોટાઉદેપુર જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી અને આ વરસાદ જિલ્લામાં મોટા ભાગમાં થતા ખેડૂતોનું જ મોંઘું બિયારણ છે જે બિયારણ નુકસાન થતાં અટકી જવા પામ્યું હતું હાલ છોટાઉદેપુર જિલ્લામાં મુખ્યત્વે કપાસ તુવર ડાંગર મકાઈ નો મુખ્ય પાક ખેડૂતો દ્વારા કરવામાં આવે છે આ પાકને સામાન્ય વરસાદ થતા ખેતીમાં જીવતદાન મળી ગયું છે હાલવરસાદ થતા ખેડૂતો ખેતીકામમાં જોતરાયા હતા. જીલ્લામાં સામાન્ય વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી હતી.વધુ વાંચો -
છોટાઉદેપુરના છુછાપરા ગામ નજીક અકસ્માત,કારનો કુચ્ચો વળી ગયો,4નાં મોત
- 28, જુલાઈ 2021 11:14 AM
- 3900 comments
- 3907 Views
છોટાઉદેપુર-હાલ કુદરતી આફત ઓછી હોય તેવામાં અકસ્માતનાં સમાચાર સૌને વિચલિત કરી દે છે...મોડી રાત્રે લગભગ 2.30 વાગ્યા આસપાસ એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.વાત છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના છુછાપુરા ગામ નજીકની છે.જ્યાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. ધડાકાભેર સર્જાયેલા અકસ્માતને પગલે આસપાસથી સ્થાનિકો દોડી આવ્યા હતા, જેમણે બચાવ કામગીરી હાથ ધરી હતી તથા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.છોટાઉદેપુરના છુછાપુરા પાસે સર્જાયેલા અકસ્માતમાં કારના બોનેટના ભાગે ભારે નુકસાન થયું હતું. આગળનો ભાગ કચડાઈ ગયો હતો, જેથી કારમાં સવાર મૃતકોના મૃતદેહો કાઢવા માટે દરવાજા તોડવાની ફરજ પડી હતી. દરવાજા તોડીને સ્થાનિકોએ મૃતદેહો બહાર કાઢ્યા હતા, સાથે જ રાહત કામગીરી માટે તથા કારને દૂર ખસેડવા માટે જેસીબી મશીનની મદદ લેવી પડી હતી.મધ્યપ્રદેશ પાસિંગની (એમપી 10 સીએ 6938) હ્યુન્ડાઈ કંપનીની સફેદ કલરની ક્રેટા કારનો મધરાતે એક્સિડન્ટ સર્જાયો હતો, જેમાં મૃતકોમાં મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના આ તમામ મૃતકો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ પોલીસે ઘટનાસ્થળે વધુ તપાસ હાથ ધરી છે.વધુ વાંચો -
પાવી જેતપુર ઓરસંગ નદીમાંથી ત્રણ દીવસથી ગુમ થયેલ યુવાનની લાશ મળી
- 24, જુલાઈ 2021 02:37 PM
- 7455 comments
- 6442 Views
પાવી જેતપુરપાવી જેતપુર તાલુકાના હીરપરી ગામનો ત્રણ દીવસથી ગુમ થયેલો યુવાનની ઓરસંગ નદીના પૂલ નીચેથી લાશ મળી આવી છે.પ્રાપ્ત માહીતી અનુસાર પાવી જેતપુર તાલુકાના હીરપરી ગામનો યુવાન અશ્વિન રાઠવા સાસરીમા સામાજિક પ્રસંગમાં જવાનું કહીને નીકળ્યો હતો, નદીના પુલ ઉપરથી જવાના બદલે નદીના રસ્તે ગયો હતો પરંતુ સાંજ સુધી ત્યાં ન પહોચતા ઘરવાળાઓ ચિંતામાં મુકાઇ ગયા હતા. છેલ્લા ત્રણ દીવસથી ગુમ થઈ ગયો. ગઇકાલે સાંજે પાવી જેતપુર ગામના એક આગેવાન નદીના પુલ ઉપર રોજિંદા ક્રમાનુસાર ફરવા ગયા ત્યારે પુલના પીલ્લર પાસે લાશ જોતાં પોલીસને જાણ કરી હતી.પાવી જેતપુર પોલીસે ઘટના સ્થળે પહોચી લાશનો કબજો મેળવી પોસ્ટ મોર્ટમ માટે મોકલી જાણવાજોગ ફરીયાદ દાખલ કરી હતી.જોકે હિરપરી ગામનો યુવક ગુમ થયા અંગે કોઈ માહિતી, અરજી કે ફરિયાદ પાવી જેતપુર પોલીસને કરવામાં ન આવી હોવાનું પી.એસ.આઈ.એ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.વધુ વાંચો -
છોટા ઉદેપુરમાં પ્રેમ કરવા બદલ તાલીબાની સજા,યુવક-યુવતીને ઝાડ સાથે બાંધીને માર માર્યો
- 21, જુલાઈ 2021 12:33 PM
- 6364 comments
- 3456 Views
છોટા ઉદેપુર આજે સમગ્ર દેશમાં ગુજરાત એક મોડેલ છે..પરંતુ ગુજરાતના આદિવાસી વિસ્તાર એવા છોટા ઉદેપુરમાં એવા તાલીબાની કિસ્સા સામે આવે છે કે લોકો વિચારતા થઇ જાય છે...હાલમાં જ એક યુવક-યુવતીને માર મારતાનો કિસ્સો સામે આવ્યો હતો જેમાં રાજ્યનાં મુખ્યમંત્રીએ નોંધ લીધી હતી.પરંતુ ફરી જ એવી ઘટના સામે આવી છે.તમે જોઇને ચોંકી જશો...એક વિડીયો વાયરલ થયો છે.જેમાં એક યુવતી અને યુવકને ઝાડ સાથે બાંધીને માર મારી રહ્યા છે.યુવતીને પ્રેમ કરવા બદલ આ તાલીબાની સજા મળી રહી છે.એક યુવાન અને એક યુવતીને ઝાડ સાથે નિર્દયતાથી બાંધીને માર મારવાનો વીડિયો વાયરલ થયો છે.આદિજાતિ વિસ્તારોમાં તાલિબાન દ્વારા આવી સજાની ઘટનાઓમાં વધારો થયો છે.એકલા છેલ્લા એક મહિનામાં આદિવાસી વિસ્તારોમાં ત્રણથી ચાર કેસ નોંધાયા છે.જો કે છોટા ઉદેપુર જિલ્લા પોલીસે અત્યાચાર કરનારા 9 લોકો સામે ગુનો નોંધ્યો છે.વધુ વાંચો -
અહીં કાકડી ભરેલી ટ્રકે પલટી મારી,ગામ લોકોએ ખેડૂતની તમામ કાકડી ભરી સેવાભાવી કાર્ય કર્યુ
- 20, જુલાઈ 2021 02:15 PM
- 9396 comments
- 5323 Views
છોટાઉદેપુરછોટાઉદેપુર પસાર કરી કંડોળા ગામ પાસે ટ્રક ચાલકે પોતાની સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.રંગપુર સરલીના ખેડૂતો પોતાના ખેતરમાં પકવેલી કાકડી રાજકોટ માર્કેટમાં વેચવા જઈ રહ્યો હતો.ત્યાં રસ્તામાં જ અકસ્માત નડ્યો હતો.આ અકસ્માતની જાણ થતા ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવી અને સામાન્ય ઇજા પામેલા લોકોને તાત્કાલિક સારવાર કરાવવી અન્ય ગાડી બોલાવી ગ્રામજનોએ ખેડૂતને તમામ કાકડી બીજી ગાડીમાં ભરી આપી સેવાનું કાર્ય કર્યું હતું.વધુ વાંચો -
બોડેલીના મેરીયા પુલ પાસે ટ્રકે ટક્કર મારતા બાઈક ચાલકનું મોત
- 13, જુન 2021 01:30 AM
- 3593 comments
- 1304 Views
બોડેલી,બોડેલી ના મેરીયા પુલ પાસે ગંભીર અકસ્માત સર્જાતાબાઇક સવાર ને રેતી ની ટ્રકે અડફેટે લેતા એક વ્યક્તિ નુ ઘટના સ્થળે મોત નિપજ્યું હતુંઅકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુંઆ વિસ્તારમાં રેતીની ટ્રકો ના ડ્રાઈવર બેફામ રીતે ચલાવતા હોય તેવી આ વિસ્તારના લોકો જણાવી રહ્યાં છે જેને લઇને નિર્દોષ માણસ ભોગ બનતા હોય છે બોડેલીના મેરયા પુલની નીચે સર્જાયેલા અકસ્માત માં મૃત્યુ પામેલ બાઇક સવાર મધ્ય પ્રદેશ નો હોવાનુ જાણવા મળ્યુ હતુંઅકસ્માત સર્જાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતીઅકસ્માત મા મોત થનારના મૃતદેહ ને પોષ્ટમટમ માટે મોકલાયો હતોવધુ વાંચો -
મહિલાના બિભત્સ ફોટા અપલોડ કરનાર આરોપીની ધરપકડ કરાઈ
- 13, જુન 2021 01:30 AM
- 2209 comments
- 5238 Views
છોટાઉદેપુર, આજ કાલ દીવસે ને દિવસે કેટલાક અસામાજીક તત્વો દ્રારા સોશીયલ મીડીયાનો દુર ઉપયોગ કરી ઘણી યુવતીઓના ફેસબુક તેમજ વોટસઅપ એકાઉન્ટ હેક કરી મહિલાઓને સોશીયલ મીડીયામાં બદનામ કરવાની ઘટનાઓ અવાર-નવાર પ્રકાશીત થવાપામેલ છે. તેવી જ એક ઘટના છોટાઉદેપુર જીલ્લાના નસવાડીપો.સ્ટે. વિસ્તારમાં રહેતી એકપરણિત મહિલા સાથે બનેલ છે.પરણિત મહિલાને બદનામ કરવાના ઇરાદે એક અજાણ્યા ઇસમ દ્રારાપરણિત મહિલાના નામનું જ ખોટું ફેસબુક એકાઉન્ટ બનાવી તેના ફોટાઓનો ઉપયોગ કરી ખરાબપોસ્ટ મુકી અશ્લીલ ફોટાઓ વાયરલ કરીપરણિત મહિલાને બદનામ કરવાના ઇરાદાથી બિભત્સ હરકતો કરી હેરાન કરવાની ફરીયાદપરણિત મહિલાએ તા.૦૪/૦૬/૨૦૨૧ ના રોજ નસવાડીપોલીસ સ્ટેશનમાં આપતા નસવાડીપો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૭ ૨૧૦૪૩૦/૨૦૨૧ આઇ.ટી એકટ કલમ ૬૬(સી), ૬૬(ઇ) ૬૭ મુજબ ગુનો નોંધાયેલ અને સદર ગુનાની તપાસ છોટાઉદેપુર જીલ્લા સાયબર ક્રાઇમ/ એલ.સી.બીને સોંપવામાં આવેલ હતી. ઉપરોકત ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ હરિકૃષ્ણપટેલ,પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા તથા ધર્મેન્દ્ર શર્મા,પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ છોટાઉદેપુર જીલ્લામાં સાયબર ક્રાઇમને લગતા ગુનાઓ અટકાવવા તેમજ સાયબર ક્રાઇમના ગુનાઓને અંજામ આપતા આરોપીનેપકડીપાડી અસરકારક કામગીરી કરવા અંગે આપેલ સુચના અનુંસંધાને શ્રી એચ.એચ.રાઉલજી ઇન્ચા.પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ શ્રી જે.પી.મેવાડા ઇન્ચા.પોલીસ ઇન્સપેક્ટર એસ.ઓ.જી નાઓએ નસવાડીપોલીસ સ્ટેશનમાં સાયબર એકટ મુજબના ગુનાનો આરોપી સંજીવકુમાર બિન્દેશ્વર ઠાકુર રહે.પાલનપુર ડીસા રોડ, જી.બનાસકાંઠા ખાતેથી સદર ગુનાને અંજામ આપતો હોવાની હકીકત આધારે એલ.સી.બી તથા એ.સો.જીનાપોલીસ માણસો સાથે બનાસકાંઠા ખાતેપહોંચી જઇપાલનપુર તાલુકાપો.સ્ટેના માણસોને સાથે રાખી સદર આરોપીની તપાસ કરતા આરોપીને ચડોતર ગામેથીપકડીપાડી સદર ગુના અંગેપૂછ-પરછ કરતાપોતે ગુનાની કબુલાત કરેલ અને ફરીયાદી બહેને આરોપીને ઓળખી કાઢી તેણીની મરજી વિરૂધ્ધ તેની સાથે દુષ્કર્મ આચરેલ હોવાની હકીકત જણાવતા આરોપીની ઘનિષ્ઠ અને ઉડાણપૂર્વકપૂછ-પરછ કરતા આરોપી સદર ગુનાની કબુલાત કરતા તેને તા.૧૧/૦૬/૨૦૨૧ ના રોજ અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.વધુ વાંચો -
દાહોદ જિલ્લા કોંગ્રેસ દ્વારા જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ વધારાનો વિરોધ
- 12, જુન 2021 01:30 AM
- 1499 comments
- 3751 Views
દાહોદ,દેશમાં એક તરફ સમગ્ર દેશમાં એક તરફ કોરોના ના કાળા કહેરે શારીરિક અને આર્થિક રીતે સૌને તોડી નાખ્યા છે ત્યારે બીજી તરફ કેન્દ્ર અને રાજ્ય સરકારની વધી રહેલા ભાવોને અંકુશમાં લાવવા મા નિષ્ફળતાને કારણે વધેલી કારમી કમરતોડ મોંઘવારી માં તમામ જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાનને આંબી જતા તે ભાવ વધારાના વિરોધમાં આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બળદ ગાડા સાથે શહેરના રાજમાર્ગો પર મોંઘો ગેસ મોઘું તેલ બંધ કરો આ લૂંટ નો ખેલ તેમજ વધેલા ભાવના પોસ્ટર સાથે ભાજપ હાય.. હાય.. ના સૂત્રોચ્ચાર સાથે ફરી ભાવ વધારાનો વિરોધ કરી દેખાવો યોજયા હતા છેલ્લા દોઢ વર્ષથી કાળમુખા કોરોના એ કાળો કેર વર્તાવતા ઘરે-ઘરે કોરોના ના દર્દીઓ ના ખાટલા જાેવા મળ્યા અને શહેરની તમામ હોસ્પિટલોમાં બેડ ની અછત સર્જાઈ મોતનો આંકડો પણ વધુ હોવાના કારણે અનેક પરિવારોના માળો વિખરાઈ ગયા કોઈ નો ઘરનો લાલ તો કોઈના ઘરનો કમાનાર કોરોના મોતને ભેટ્યો હતો ઘરે-ઘરે મોતનો માતમ જાેવા મળ્યો કોરોના એ સૌને આર્થિક રીતે તોડી નાખ્યા આવા કપરા સમયમાં પડતા પર પાટુ ની જેમ કેન્દ્ર અને રાજ્ય સરકારની વધતા ભાવોને અંકુશમાં લેવા માં થયેલી નિષ્ફળતાને કારણે ખાદ્ય ચીજાે ગેસ પેટ્રોલ ડીઝલ અનાજ કઠોળ દાળ તેલ તેમજ જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવો આસમાનને આંબી જતા મધ્યમ વર્ગના લોકોને બે ટંકનો રોટલો કાઢવો મુશ્કેલ બન્યો છે ક્યારે ગરીબોની સ્થિતિ ની કલ્પના જ શું કરવી કેન્દ્ર તેમજ રાજ્ય સરકારે કાળઝાળ મોંઘવારીમાં ભાવો પર અંકુશ લાવવાના મુદ્દે હાથ ઉચા કરી દેતાં જનતા ની હાલત અત્યંત કફોડી બની છે ત્યારે ગૃહના રસોડા નું બજેટ પણ તૂટ્યું છે તેવા સમયે જનતા વહારે આવે કોંગ્રેસ ભાવ વધારાના વિરોધમાં સડકો પર આવી વિરોધ પ્રદર્શન કરી રહી છે તેના પગલે આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવ વધારાના વિરોધમાં ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરાયા હતા.છોટાઉદેપુરમા કોગ્રેસ ધ્વારા પેટ્રોલ અને ડિઝલ ના ભાવ વધારા સામે વિરોધ છોટાઉદેપુર, કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવો પર એક્સાઇઝ ડ્યુટી નો ભાવ વધારો કરતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો થયો છે જેને પગલે સામાન્ય અને મધ્યમ વર્ગીય પ્રજા ને બોજાે સહન કરવો પડી રહ્યો છે છેલ્લા ૧૪ વર્ષમાં પ્રથમ વાર એવું બન્યું છે કે પેટ્રોલના ભાવ હાલ આસમાને પહોંચી ગયા છે જેના કારણે પ્રજાને મુશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો છે ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે દરેક જિલ્લામાં પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારાના મુદ્દે જિલ્લા કક્ષાએ પ્રદર્શનનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેને અનુલક્ષીને છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર શહેર ખાતે આવેલા નારાયણ પેટ્રોલ પંપ ઉપર સૂત્રોચ્ચાર કરી મોદી સરકારની હાય-હાયના નારા લાગ્યા હતા છોટાઉદેપુર જિલ્લા યુથ કોંગ્રેસના સંગામસિહ રાઠવા દ્વારા પેટ્રોલ પંપ નરેન્દ્ર મોદી અને વિજયભાઇ રુપાણી સરકાર નો વિરોધ કરાયો હતો સાથે જ વિરોધ પ્રદર્શન કરનારાઓને છોટાઉદેપુર પોલીસે ડિટેઈન કરતા કોંગી કાર્યકરોએ અનેક સૂત્રોચ્ચાર કર્યા હતા છોટાઉદેપુર પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા છોટાઉદેપુર કોંગ્રેસના પ્રમુખ તેમજ નગરપાલિકાના કાઉન્સિલરોઅને કોંગી કાર્યકરોને અટકાયત કરી હતી તાલુકા પંચાયતના સભ્ય સહિત કોંગ્રેસી કાર્યકરો જાેડાયા હતા અને તેમણે પેટ્રોલના ભાવ વધારા સામે મોદી સરકારની હાયના સૂત્રોચ્ચાર બોલાવ્યા હતાપેટ્રોલ-ડિઝલના વધતા ભાવ તેમજ મોંઘવારી અંગે પાવીજેતપુર કોંગ્રેસ દ્વારા આવેદન અપાયુ પાવીજેતપુર વર્તમાન સમયમાં પેટ્રોલ ડિઝલના ભાવ આસમાને પહોંચતા તેમજ મોંઘવારી ચરમસીમાએ પહોચી જતા પાવીજેતપુર તાલુકા કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને પાવીજેતપુર મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના વસવાટ કરતા મોટે ભાગે આકાશી ખેતી કરી જીવન નિર્વાહ કરતા ખેડૂતો, ખેત મજૂરો તથા આદિવાસીઓ, અને કોંગ્રેસીઓએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ભારત દેશમાં ભારત સરકારનો પેટ્રોલ-ડીઝલ અને તેની ગૌણ પેદાશોના ભાવો આસમાને પહોંચ્યા છે. જે ભાવવધારો અસહ્ય છે ભારત દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવો રોજબરોજ વધતા જાય છે, જેને કેન્દ્રની ભાજપ સરકાર લગામ મારી શક્તિ નથી. વહીવટમાં નિષ્ફળ ગયેલી સરકાર કોઈ નક્કર પગલાં લેવાના બદલે આંતરરાષ્ટ્રીય બજાર ના ભાવના બહાના હેઠળ પેટ્રોલ-ડીઝલના ભાવને અંકુશમાં રાખી નથી પેટ્રોલ-ડીઝલના ભાવ ઉપર ૧૦૦ ટકા જેટલો ટેક્ષ લઈને પ્રજા પાસે પૈસા ખંખેરવાનું કામ કરે છે. જીવન જરૂરિયાતની વસ્તુ સીંગતેલ અનાજ ના ભાવ આસમાને છે. ત્યારે ખેડૂતોને કાચા માલના પોષણક્ષમ ભાવ મળતા નથી. આ સરકાર ના ભાવ વધારવા અંગે નું ગણિત સમજાતું નથી. ખેડૂતોને ખેત વપરાશ માટે ડીઝલથી ચાલતા વાહનો ટ્રેક્ટર, ઓઇલ એન્જિન, પંપ સેટ, થરેસર વગેરેમાં રોજ-બરોજ ડીઝલની જરૂર પડે છે. નાનામાં નાનો ખેડૂત અને મધ્યમ વર્ગ તથા ગરીબો, યુવાનો, ખેત મજૂરો અને બેરોજગારને પેટ્રોલ-ડીઝલના ભાવ ખૂબ જ આર્થિક રીતે નડે છે.વધુ વાંચો -
પાવીજેતપુરતા.નાં તંબોલીયા ગામે જૂની અદાવતે એક પરિવાર પર હુમલો
- 07, જુન 2021 01:30 AM
- 2952 comments
- 476 Views
છોટાઉદેપુર,પાવીજેતપુર તાલુકાના તંબોલીયા ગામે જૂની અદાવતે ૭ ઈસમો દ્વારા ઘરની બહાર બેઠેલા અરવિંદભાઈ ચીમનભાઈ રાઠવાના પરિવાર ઉપર લાકડી વડે હુમલો કરી ગમે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ થવા પામી છે.પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના તંબોલીયા ગામના રહીશ અરવિંદભાઈ ચીમનભાઈ રાઠવાની ભત્રીજીની સાસરીમાં તંબોલીયાના જ યુવાન જીતુભાઈ ઇશ્વરભાઇ રાઠવાએ ફોન કર્યો હતો. જેના કારણે અરવિંદભાઈની ભત્રીજીના પતિ તેણીનીને તેડતા ન હોય જે અંગે અરવિંદભાઈએ જીતુભાઈને ઠપકો આપ્યો હતો. જેની અદાવત રાખી ૩ જૂનના રોજ રાત્રિના આશરે દસેક વાગ્યાના સુમારે અરવિંદભાઈનો પરિવાર ઘરની બહાર જમી પરવારી બેઠો હતો. ત્યારે ગામના જ ઈશ્વરભાઈ કાગુભાઈ રાઠવા, અલ્પેશભાઈ ઇશ્વરભાઇ રાઠવા અને જીતુભાઈ ઇશ્વરભાઇ રાઠવા આવી ગમેતેમ ગાળો બોલી કહેવા લાગેલ કે તમે અમારું નામ ખોટું લીધું છે તેમ કહી ઝઘડો કરવા લાગ્યા હતા. અને અરવિંદભાઈને, તેમના પિતા ચીમનભાઈને અને કાકાના છોકરા મુકેશભાઈને લાકડીથી ઝાપટો મારી ગંભીર ઇજાઓ કરી હતી.અરવિંદભાઈને માથામાં તથા ડાબી બાજુ પાંસળીના ભાગે તથા ડાબા હાથના ખભાના ભાગે, ચીમનભાઈને લાકડીની ઝાપટો માથાના પાછળના ભાગે, બરડાના ભાગે, ડાબા હાથના બાવડાના ભાગે જ્યારે મુકેશભાઈ ને લાકડીની ઝાપટો મારતા ડાબી આંખના ઉપરના ભાગે, જમણા ગાલના ભાગે અને ડાબા હાથના પંજાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. આ ત્રણેય ઇસમો જતા જતા કહેવા લાગેલ કે તમે આજે બચી ગયા છો હવે પછી મળશો તો જીવતા છોડીશું નહિ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.વધુ વાંચો -
ધરોલિયા ગામમાં વિચિત્ર અકસ્માત રાડા પીલતું ટ્રેક્ટર કૂવામાં ખાબક્યું
- 06, જુન 2021 01:30 AM
- 8552 comments
- 4406 Views
બોડેલી,બોડેલી તાલુકા ના ધરોલીયા માં એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. હાલમાં ચોમાસુ ના આગમન ની ત્યારી હોય. ધરતીપુત્રો પોતાના ખેતરમાંથી પોતાના મકાઈના રાડા ને પીલવા ની પુર જાેસ માં કામગીરી કરી રહ્યા છે. તે દરમિયાન બોડેલી નાં ધરોલીયા ગામે.વડ ફળિયામાં ઇશ્વરભાઇ મંત્રી નું ટ્રેકટર પ્રવીણભાઈ બારીયાના ઘરે રાડા પીલવા અર્થે ગયું હતું.તે દરમિયાન અચાનક ટ્રેક્ટર નો ગેર પડી જવાથી દોડવા લાગ્યું હતું. અને નજીક માં આવેલ ખુલ્લા કૂવામાં ખાબકયું હતું.તેમાં કોઈ જાન હાની ન થતા ઘર માલિકે રાહતનો શ્વાસ લીધો હતો.અને અકસ્માત થયા બાદ. બોડેલી થી ક્રેન મંગાવ્યા બાદ કુવામાંથી ટ્રેક્ટર ને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઇ હતી.અને ટ્રેક્ટરને ભારે નુકસાન થવા પામ્યું હતું. આમ બોડેલી તાલુકા નાં ધરોલીયામાં વિચિત્ર અકસ્માત રાડા પીલતું ટ્રેક્ટર કુવામાં ખાબક્યું ટ્રેક્ટર ચાલકનો આબાદ બચાવ થયો હતો.વધુ વાંચો -
છોટાઉદેપુર ૧૦૮ સેવાના કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ
- 06, જુન 2021 01:30 AM
- 6016 comments
- 890 Views
છોટાઉદેપુર ૧૦૮ ઈમરજન્સી સેવા તથા ખિલખિલાટ સેવા તથા ય્ફદ્ભ ઈસ્ઇૈં સંસ્થા અંતર્ગત ચાલતા તમામ પ્રોજેક્ટના કર્મચારીઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી કરાઈ હતી. જેમાં અંદાજિત ૨૦ જેટલા સ્થળો આશરે ૫૦ છોડ વાવીને વૃક્ષારોપણ કરાવ્યું હતું અને એમ્બ્યુલન્સ અને એમ્બ્યુલન્સમાં વપરાતા તમામ સાધન સામગ્રીની સાફસફાઈ કરવામાં આવી હતી.મોરવા હડફમાં વન વિભાગે પર્યાવરણ દિવસની ઉજવણી કરી શહેરા, મોરવા હડફમા પર્યાવરણ દિવસ ઉજવણી વન વિભાગે કરી હતી.ધારાસભ્ય નિમીષાબેન સૂથાર સહિત વિવિધ કચેરીના અધિકારી અને વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરીને વિવિધ છોડોનુ વિતરણ કરેલ હતુ. મોરવા હડફ મા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ધારાસભ્ય નિમિષાબેન સુથાર ની વિશેષ ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમનૂ આયોજન કરવા માં આવ્યું હતું. નિમિષા બેન સુથાર સહિત બક્ષીપંચ મોર્ચા ના જીલ્લા અધ્યક્ષ વિજયભાઈ પટેલ, તાલુકા ભાજપ ના અધ્યક્ષ તખતસિંહ પટેલ તથા જીલ્લા પંચાયત સભ્યો તાલુકા પંચાયત ના સભ્યો સહિત પાર્ટી ના પદાધિકારીઓ એ તુલસી, લીમડો સહિત વિવિધ છોડોનું વૃક્ષારોપણ કરેલ હતુ. જ્યારે વનવિભાગ દ્વારા મામલતદાર સહિત અન્ય કચેરીમાં વિવિધ છોડોનું વૃક્ષારોપણ કરવા સાથે દરેક પર્યાવરણ પ્રેમીઓને વૃક્ષો વાવવા માટે અપીલ કરીને જનજાગૃતિ સંદેશો આપ્યો હતો. વનવિભાગ દ્વારા તાલુકા પંથકમા વિશ્વ પર્યાવરણ દિવસની વૃક્ષારોપણ કરવા સાથે વિવિધ છોડો નુ વિતરણ કરીને ઉજવણી કરાઇ હતી.વધુ વાંચો -
છોટાઉદેપુર જીલ્લાના ઓલીયાઆંબાથી ઝોલાછાપ તબીબને ઝડપી પાડી કાર્યવાહી
- 05, જુન 2021 01:30 AM
- 2592 comments
- 6016 Views
છોટાઉદેપુર,પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓના પત્ર અન્વયે તથા, પોલીસ મહાનિરીક્ષક, હરીકૃષ્ણ પટેલ વડોદરા, રેન્જ તથા છોટાઉદેપુર જીલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ શર્મા નાઓએ હાલમાં છોટાઉદેપુર શહેર વિસ્તારમાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા નકલી ડોકટર પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક એ.વી.કાટકડના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લા વિસ્તારમાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોકટર પર પોલીસ ઇન્સ. જે.કે પટેલ તેઓના સ્ટાફના માણસો દ્વારા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના પો.કો.લાલજીભાઈ હિરાભાઈ તથા શૈલેષભાઈ જયંતિભાઈ તથા પો.કો.સંજયભાઈ રમણભાઈ તથા એલ.આર.પો.કો. રમણભાઈ રતનભાઈ નાઓને મળેલ બાતમી આધારે અસીમભાઈ શ્રીધરભાઈ મલેક રહે ઓલીયાઆંબા હેઠવાસ ફળીયા મુળ રહે, રામચંદ્રપુર તા.ગોપાલનગર જી. ૨૪ પરગોનાસ (પશ્ચિમ બંગાળ) વાળો ધોરણ ૧૨ સાયન્સ પાસ હોય જે છેલ્લા ત્રણ માસથી ઓલીયાઆંબા ગામમા રોડ ઉપર આવેલ ભુરસીંગભાઈ ફતભાઈ રાઠવાના મકાનમાં રુલ્સ ૮૭ (૨) મુજબનું ગુજરાત રાજ્ય દ્વારા આપવામાં આવતુ રીન્યુઅલ સ્લીપ વગર પોતે ડોક્ટર હોવાનું લોકોને જણાવી ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટીસ કરી દવા આમ બિમાર વ્યક્તિઓને પોતે ડોકટરી સારવાર આપી છેતરપીંડી કરી પોતાના કજામાં એલોપેથીક દવાઓ કિ.રૂ.૧૦,૦૮૯.૩૭/- ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન મળી આવતા ધોરણસર કરી આરોપી વિરૂધ્ધ છોટાઉદેપુર પો.સ્ટે. ખાતે ગુન્હો દાખલ કરવામાં આવેલ છે. વધુ તપાસ છોટાઉદેપુર પો.સ્ટે. ખાતે ચાલુ છે.વધુ વાંચો -
પરીક્ષાની રાહ જાેતા ધો. ૧૨ના ૧૦ હજાર જેટલા વિદ્યાર્થીઓ
- 25, મે 2021 01:30 AM
- 144 comments
- 1282 Views
છોટાઉદેપુર, છોટાઉદેપુર જિલ્લામાં હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીને કારણે સમગ્ર શાળાઓ બંધ છે. સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જેમાં ધો ૧૦ના વિદ્યાર્થીઓને તો સરકાર દ્વારા માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. પરંતુ ધો ૧૨ના અંદાજિત ૧૦ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષાની કાગડોળે રાહ જાેઇને બેસી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીને કારણે સરકાર દ્વારા ધો ૧૨નું ઓન લાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. પરંતુ ચાલી રહેલ કોરોના મહામારીને કારણે સરકાર દ્વારા પરીક્ષા અંગે શુ ર્નિણય લેવામાં આવે છે. જે અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓ રાહ જાેઇને બેઠા છે. ધો ૧૨એ વિદ્યાર્થીના ભવિષ્યનું મહત્વનું પાસું ગણવામાં આવે છે. જેને કારણે વાલીઓમાં પરીક્ષા અંગે ભારે ચિંતા જાેવા મળી રહી છે.હાલમાં ઓનલાઈન શિક્ષણ અંગે છોટાઉદેપુર જિલ્લામાં વિદ્યાર્થીઓની રુચિ ઓછી જાેવા મળી રહી છે. તેમ શિક્ષકો દ્વારા જાણવા મળ્યું હતું. ઓનલાઈન કલાસમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી થતી જાય છે. શાળામાં જે ભણવામાં અનુકૂળતા રહે છે તે ઓનલાઈનમાં મળતું નથી. તેમ વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે. સાક્ષરતાની દ્રષ્ટિએ દર વર્ષે ધો ૧૦ અને ધો ૧૨નું પરિણામ ભારે નબળું આવે છે. જિલ્લામાં રોજગારીના અભાવને કારણે ઘણા વિદ્યાર્થીઓ ખેતી તથા મજૂરી પણ કરતા હોય છે. અને સાથે સાથે ભણતા પણ હોય છે. પરંતુ હાલની મોંઘવારીમાં અને મંદીના માહોલમાં ભણવાની સાથે ઘર ચલાવવું પણ જરૂરી છે. જેથી વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણમાં ધ્યાન આપી શકતા નથી. છોટાઉદેપુર જિલ્લામાં અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં ઘણા વિદ્યાર્થીઓની પાસે સ્માર્ટ મોબાઈલ ફોન હોતા નથી. અંતરિયાળ ગામડાઓમાં નેટવર્ક પણ આવતા નથી. જેને કારણે ઘણા વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણથી વંચિત રહી જતા હોય છે.વધુ વાંચો -
તાઉ તેની તારાજીનું નિરીક્ષણ કર્યા બાદ કેન્દ્રની ગુજરાતને 1000 કરોડ રૂપિયાની સહાય જાહેર
- 19, મે 2021 05:00 PM
- 665 comments
- 4734 Views
અમદાવાદ-તાઉ તેની તારાજીનું નિરીક્ષણ કર્યા બાદ પીએમ મોદીએ સહાયની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર દ્વારા ગુજરાતને 1000 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ સિવાય મૃતકોના પરીજનોને 2 લાખ રૂપિયા આપવામાં આવશે. આ અંગે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી જાહેરાત કરી હતી. આ સાથે જ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું છે કે વાવાઝોડામાં ઘાયલ થયેલા છે તેમને 50,000 રૂપિયાની મદદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આજે સવારથી વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે હતા. તેમણે વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે નુકસાન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જેમાં ઉનાળુ પાકને પણ નુકસાન થયા છે. અને બાગાયતી ખેતીમાં કેસર કેરીને સૌથી મોટું નુકસાન સામે આવ્યું છે. જે બાદ અનેક લોકોના ઘરનું નુકસાન થયું છે. અનેક જગ્યાએ કાચા અને ઝૂપડાઓ તૂટી ગયા છે. આ પ્રકારના તમામ નુકસાનના તાત્કાલિક સર્વે બાદ સહાય ચૂકવવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ખેડૂતોને ત્રણ ચાર પ્રકારનું નુકસાન થયું છે. તેમજ ઉનાળુ પાકને અસર થઈ છે. કેરી અને નાળિયેરના પાકને પણ અસર થઈ છે. કાચા મકાનો અને ઝુપડા ઉડી ગયા છે. જે પશુઓના મોત થયા તેને સહાયતા તથા ચોથુ કેશડોલ આપવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, નુકસાનના સર્વેની કામગીરી તત્કાલ શરૂ કરવામાં આવશે અને બધાને સહાય ચુકવવામાં આવશે. માછીમારોને થયેલા નુકસાનનો પણ સર્વે કરવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આગામી બે દિવસમાં તંત્ર બધુ રાબેતા મુજબ થાય તે માટેની કામગીરી કરાશે.વધુ વાંચો -
કોવિડ-૧૯ની સારવાર દરમિયાન મૃત્યુ પામેલ દર્દીની ડેડ બોડી પરિવારને મળશે નહિ
- 13, મે 2021 12:00 AM
- 8145 comments
- 4250 Views
છોટાઉદેપુરછોટાઉદેપુર કલેક્ટર એ તારીખ ૧૧ મેં ના રોજ થી તાત્કાલિક અમલ માં આવે તે રીતે જાહેરનામું બહાર પાડ્યું છે જે મુજબ હવે પછીથી સિવિલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે કોવિડ ૧૯ ની સારવાર દરમિયાન મૃત્યુ પામેલ દર્દી ના ડેડ બોડી તેના પરિવાર ને સોંપવામાં આવશે નહિ. કોરોના વાયરસ ના ઝડપી સંક્રમણ ને ધ્યાન માં લઇ વાયરસ નું સંક્રમણ વધારે લોકો માં ના ફેલાય તે માટે આ ર્નિણય લેવાં,આ આવ્યો છે. સાથે સાથે આ ડેડ બોડી ના જે તે દર્દીના ધાર્મિક રીત રિવાજ મુજબ અગ્નિસંસ્કાર અથવા દફનવિધિ કોરોના સંક્રમિત મૃતદેહો ના નિકાલ અંગે ની ગાઇડલાઇન તેમજ પ્રોટોકોલ ના પાલન સાથે છોટાઉદેપુર નગરપાલિકા એ જવાબદારી નિભાવવા ની રહેશે.આ જાહેરનામા નો ભંગ કરનાર જુદી જુદી કલમો હેઠળ શિક્ષા ને પાત્ર રહેશે. છેલ્લા ઘણા સમય થી આ પ્રકાર ના જાહેરનામા અને મૃતદેહો ના નિકાલ ની વ્યવસ્થા ની ખુબજ જરૂરિયાત જણાતી હતી.ખાસ કરી ને કેટલાક કેસો માં કોરોના સંક્રમણ ની ગંભીરતા થી અજાણ અને બેદરકાર એવા લોકો સ્વજન પ્રત્યે ની લાગણી કે ભાવાવેશ માં તણાઈ જતા લોકો સલામતી ના નિયમો નો ખુલ્લેઆમ ભંગ કરી ડેડબોડી ઘરે લઇ જતા હતા તેમજ ડેડબોડી સ્નાન કરાવવા સહીત જુદી જુદી રીતે સીધા સ્પર્શ માં આવવા નું થતું હતું. જેના પરિણામે પરિવાર ના અન્ય સભ્યો ને સંક્રમણ નું જાેખમ વધી જતું હતું. આનાથી અલગ કેટલાક કેસો માં એવું પણ થતું હતું કે પરિવાર પાસે જાતે અંતિમક્રિયા કરવા જરૂરી માણસો ના હોય તેવા કેસ પણ જાેવા મળ્યા છે. તેવામાં પોતાના સ્વજન ની અંતિમક્રિયા માટે પરિવાર હાલાકી ભોગવતા હતા. આ જાહેરનામા થી ખરેખર નાગરિકો ને રાહત થશે અને તેઓ ની સલામતી જળવાશે. જાે કે નાગરિકો માં એક ચર્ચા એવી પણ જાેવા મળી હતી કે માત્ર સિવિલ હોસ્પિટલ છોટાઉદેપુર માટે જ જાહેરનામું કેમ?? જિલ્લા ની બીજી અનેક કોવિડ હોસ્પિટલો માં અને ખાનગી દવાખાનાઓ માં પણ કોરોના ના દર્દીઓ ના મૃત્યુ થાય જ છે તો તે માટે કોઈ જાહેરનામું થશે કે કેમ ??વધુ વાંચો -
ગુજરાતના 36 શહેરોમાં લગાવાયેલા રાત્રિ કર્ફ્યૂને લઈને જુઓ શું લેવાયો નિર્ણય, આ તારીખ સુધી કર્ફ્યૂ યથાવત
- 11, મે 2021 05:49 PM
- 8769 comments
- 2292 Views
ગાંધીનગર-ગુજરાતની 8 મનપા સહિત 36 શહેરોમાં કર્ફ્યૂનો સમય યથાવત રખાયો છે. આગામી 18 મે સુધી રાજ્યના 36 શહેરોમાં કર્ફ્યૂ યથાવત રહેશે. રાત્રીના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી આ શહેરોમાં કર્ફ્યૂ લંબાવવામાં આવ્યું છે. કોરોના સંક્રમણના પગલે સરકારે ગુજરાતના 36 શહેરોમાં લાગેલા કર્ફ્યૂને લંબાવ્યું છે, આગામી 18 મે સુધી કર્ફ્યૂનો સમય લંબાવવામાં આવ્યો છે. આજે ફરી ગુજરાત હાઈકોર્ટમાં કોરોનાને લઈને સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે લગ્ન સમારોહ અને ધાર્મિક કાર્યક્રમો ઉપર વધુ નિયંત્રણો મુકવા કરેલા સૂચનનો સરકાર સ્વીકાર કરી લગ્નો અને ધાર્મિક કાર્યક્રમો ઉપર વધુ કડક હાથે કામ લ્યે તેવી શકયતા છે. એટલુ જ નહિ લગ્ન સમારોહ ઉપર ૧૫ દિવસનો પ્રતિબંધ લાદવામાં આવે તેવી શકયતા છે. ધાર્મિક કાર્યક્રમોમા પણ સંખ્યા સીમીત કરવામાં આવે તેવી શકયતા છે. હાઈકોર્ટમાં એવી દરખાસ્ત થઈ હતી કે લગ્નોમાં લોકો ભેગા થાય તેવા કાર્યક્રમો ૧૫ દિવસ માટે પ્રતિબંધીત કરવામાં આવે. અનેક ધાર્મિક કાર્યક્રમો અને લગ્ન કાર્યક્રમોમાં ભીડ થાય છે તે બંધ થવુ જોઈએ. હાલ લગ્ન સમારોહમાં ૫૦ લોકોની હાજરી નિશ્ચિત કરવામાં આવી છે. તેમા ઘટાડો કરવામા આવે તેવુ સૂચન થયુ છે. સરકારે પણ આ સંખ્યા ઘટાડવા તૈયારી દર્શાવી છે.વધુ વાંચો -
છોટાઉદેપુરના ક્ષય વિભાગના કર્મીઓ દ્વારા કલેક્ટરને આવેદન
- 11, મે 2021 01:30 AM
- 2737 comments
- 2669 Views
છોટાઉદેપુર, વિવિધ માંગણીના ઉકેલ માટે છોટાઉદેપુના ક્ષય વિભાગનાં કોન્ટ્રાક્ટના કર્મીઓ દ્વારા કલેકટરને આવેદન આપ્યું હતું. ૭મી મે થી ગુજરાત રાજ્ય આર એન ટી સી પી કરારબધ્ધ કર્મચારી સંધ દ્વારા પાડવામાં આવેલ પેનડાઉન હડતાળ નુ રાજ્ય સરકાર ધ્યાને લાવવા માટે આજે છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં તમામ જિલ્લા કલેકટરને સંબોધીને આપવામાં આવેલ આવેદન પત્ર માં અવારનવાર રજૂઆતો કરવામાં આવી હતી જેમાં (૧)સૌથી જૂની રજૂઆત ૧૫/૧૧/૨૦૧૮ ના મિશન ડાયરેક્ટર ગાંધીનગર ના પત્ર ક્રમાંક મહેનતાણું વધારો/આદેશ/૨૦૧૮/૧૩૨૩ અન્વયે પગાર વધારા માં વિવિધ કેડરોમાં પગાર વધારા માં અન્યાય.(૨) ૫/૪/૨૦૨૧ ના પત્ર થી સ્ટેટ ટીબી ઓફિસર સહિત તમામ વર્ષ ૨૦૧૭ થી જિલ્લા બદલી, ગંભીર માંદગીમાં ૧૦૦ દિવસ ની સવેતન રજાઓ ની મંજુરી જેવી બાબતો.(૩) પ્રવર્તમાન સમયમાં પેટ્રોલ ના ઉંચા ભાવ અને ૨૦૨૨-૨૦૨૫ માં ટીબી મૂક્ત ગુજરાત -ભારત ની માટે સઘનતા માં કામ ના કલાકો અન્વયે પેટ્રોલ એલાઉન્સ માં અને ટીએ -ડીએ માં વધારો તથા ૧૦% ઇનક્રીમેન્ટ.(૪)વય નિવૃત્તિ અથવા શારીરિક અક્ષમતા નાં કારણોસર સેવા નિવૃત્તિ સમયે કમ્પેનસેનની જાેગવાઈ.(૫) આર એન ટી સી પી કરારબધ્ધ કર્મચારી સંધના કર્મચારીઓ પોતાના કાયમી સહિત ના બંધારણીય હક્કો માટે નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ વિવિધ એસીએ થી પ્રસ્તુત છે અને સ્ટેટ્સ કો થી તેઓ ની સેવાઓ રક્ષિત છે આમ છતાં રાજ્ય સ્તરીય જવાબદાર સત્તાધીશો અને જિલ્લા કક્ષાએ ફરજ બજાવતા અધિકારી ઓ દ્વારા હોદ્દા ના રૂઆબ અને રુએ માનસિક ટોર્ચરિગ સહિત ના અયોગ્ય પૂરાવા ઉભા કરી ને નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા પાઠવવામાં આવેલ આદેશ નુ ઉલ્લંઘન કરી કાયદા વિરુદ્ધની માનસિકતા અને મફત વકિલ સુવિધા હેઠળ કર્મચારીઓ ને સેવા મૂક્ત કરવા માં આવે છે.સહિત ની માંગણી ઓ અને માટે રજુઆત કરતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.વધુ વાંચો -
બસમાં સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતાં ચાલક સહિત ત્રણ વ્યક્તિની અટકાયત
- 11, મે 2021 01:30 AM
- 6100 comments
- 192 Views
બોડેલી, બોડેલી પોલીસે જબુગામ પાસે આવેલ મેરિયા પુલ પાસે વાહન ચેકીંગ દરમિયાન પસાર થઇ રહેલી ખાનગી લકઝરી બસ અટકાવી તપાસ કરતા બસમાં સોસીયલ ડિસ્ટન્સ ન જળવાતા સરકારની કોરોના અંગેની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતા પોલીસે લકઝરીના ચાલક, કંડકટર તેમજ ક્લીનરની અટકાયત કરી બસને કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત સરકાર તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ છોટાઉદેપુરના જાહેરનામા તેમજ ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરાવવા જરૂરી સૂચનાઓ આપેલ જે અનુસંધાને જિલ્લાના સુપરવીઝન અધિકારી, છોટાઉદેપુર એસ.ટી / એસ.સી.સેલના નાયબ પોલીસ અધિક્ષક એ.એસ પટણી તેમજ સર્કલ પોલીસ ઇન્સ્પેકટર એ. એસ દેસાઈ માર્ગદર્શન હેઠળ બોડેલીના પીએસઆઇ એ.એસ સરવૈયા તેમજ એ.એસ.આઈ ભરતભાઈ તેમજ સ્ટાફના પોલીસ કર્મચારીઓ જબુગામ પાસે આવેલ મેરિયા પુલ પાસે વાહન ચેકીંગ કરી રહ્યા હતા તે સમય દરમિયાન સુરત થી કુકસી (માધ્ય પ્રદેશ) જઈ રહેલ ખાનગી લકઝરી બસને અટકાવી તપાસ કરતા બસમાં વધારે મુસાફરો બેસાડી સોસીયલ ડિસ્ટન્સ ન જળવાતા સરકારની કોરોઅંગેની ગાઈડલાઈન નું ઉલ્લંઘન થતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વધુ વાંચો -
ગુજરાતમાં આગામી 10 દિવસ કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બનશે ?
- 10, એપ્રીલ 2021 03:37 PM
- 9012 comments
- 2465 Views
વડોદરા-વડોદરા સહિત ગુજરાતની કોવિડ હોસ્પિટલોમાં રોજ દર્દીઓના દાખલ થવાની સંખ્યા વધતી જાય છે. આરોગ્ય વિભાગ બેડની સંખ્યા વધારે તો છે, પરંતુ દાખલ દર્દીઓની વધતી જતી સંખ્યા વધુ ચિંતાજનક છે. વડોદરામાં એક જ દિવસમાં ૬૩૦ દર્દીઓ હોસ્પિટલોમાં દાખલ થયા હતા. એટલે પ્રતિ કલાકે સરેરાશ ૨૬ દર્દીઓ દાખલ થયા હતા. જેથી ૬૭૮૦ બેડ ભરાયેલા રહ્યા હતાં અને ૨૬૯૨ બેડ જ ખાલી રહ્યાં હતાં. છેલ્લાં એક સપ્તાહથી હોસ્પિટલોમાં જે રીતે બેડની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે જાેતા આગામી ૧૦ દિવસ કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બનશે તેવુ જાણકારોનુ અનુમાન છે. લોકો તંત્રના ભરોશે બેસી ન રહે. લોકોએ માસ્ક અવશ્ય પહેરવુ જાેઈએ અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવુ જાેઈએ. બને તો કામ વિના ઘરની બહાર જ ન નીકળવુ જાેઈએ. આરોગ્ય વિભાગ કોરોનાના સરકારી આંકડા જાહેર કરે છે, પરંતુ તે આંકડા પાછળનુ સત્ય તેઓ પોતે સારી રીતે જાણે છે અને વડોદરાની આગામી ટૂંકા દિવસોની ભાવી સંભવિત ડરાવની પરિસ્થિતિથી તેઓ વાકેફ હશે. વિશ્વાસપાત્ર સૂત્રોએ કહ્યું હતું કે, શહેરમાં કોરોનાના કેસો માત્ર વધતા નથી, પરંતુ તે ચોંકાવી દે તે રીતે વધી રહ્યાં છે જે ચિંતાનો વિષય છે. તંત્ર તરફથી હોસ્પિટલોમાં બેડની સંખ્યા આગોતરા આયોજન પ્રમાણે સમ્યાંતરે વધારવામાં આવી રહી છે. તેમ છતાં પણ હોસ્પિટલામાં જે રીતે દર્દીઓની દાખલ થવાની સંખ્યા વધી છે તેના કારણે ચિંતાના વાદળો ઘેરી રહ્યાં છે. વડોદરામાં તા.૩જી એપ્રિલે ૮૪૪૮ બેડ ઉપલબ્ધ કરાવાયા હતા. તો તે દિવસે વિવિધ હોસ્પિટલોમાં મળીને કુલ ૫૮૬૯ દર્દીઓ દાખલ હતાં. એટલે કે ૨૫૭૯ બેડ ખાલી હતાં. તા. ૫મી એપ્રિલે ૪૫૮ દર્દીઓ એક જ દિવસમાં દાખલ થયા હતાં. જેથી ૬૩૨૭ બેડ ભરાઈ ગયા હતા. તંત્રએ તે દિવસે ૩૪૧ બેડ વધાર્યા હતા ત્યારે ૨૪૬૨ બેડ જ ખાલી રહ્યાં હતાં. ૬ઠ્ઠી એપ્રિલે ૮૯૯૯ બેડની વ્યવસ્થા કરાઈ હતી. જેમાં વધુ ૭૮ દર્દીઓ દાખલ થતા કુલ ૬૪૦૫ બેડ ભરાઈ ગયા હતા અને ૨૪૯૪ બેડ ખાલી હતા અને ૭મી એપ્રિલે ૯૪૭૨ બેડ ઉપલબ્ધ કરાવાયા હતા, પરંતુ તેની સામે ૩૭૫ દર્દીઓ આજે એક જ દિવસમાં દાખલ થયા હતાં. એક જ દિવસમાં ૩૯૫ દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા તે પૈકી ૩૭૫ દર્દીઓ તો હોસ્પિટલમાં જ દાખલ થયા હતાં. જેથી ૨૬૯૨ બેડ જ ખાલી રહ્યાં હતાં. જ્યારે તા.૮મી એપ્રિલે રાતે ૯.૩૦ કલાકની સ્થિતિએ જાેઈએ તો ૯૭૬૩ બેડ ઉપલબ્ધ હતાં. તે પૈકી ૭૦૨૫ બેડ ભરાઈ ગયા હતા અને ૨૭૩૯ બેડ જ ખાલી હતાં. એટલે કે મોતને ભેટેલા દર્દીઓ અને સ્વસ્થ્ય થઈને ડીસ્ચાર્જ કરી દીધેલા દર્દીઓને બાદ કર્યા પછી પણ બરોબર ૨૪ કલાક બાદ હોસ્પિટલમાં આજે વધુ ૬૨૦ દર્દીઓ દાખલ થયા હતા. એટલે કે પ્રતિ કલાકે સરેરાશ ૨૬ દર્દીઓ દાખલ થતા રહેતા હતા. તંત્ર બેડ વધારતુ જાય છે અને દાખલ થતા દર્દીઓની સંખ્યા પણ ચિંતાજનક રીતે વધતી જ જાય છે. આખરે તંત્ર બેડ વધારી વધારીને કેટલા વધારી શકશે ? એક સમય એવો આવશે કે હોસ્પિટલનુ ઈન્સ્ટ્રાક્ચર જ જવાબ આપી દેશે ત્યારે શું કરી શકાશે ? દર્દીઓની દાખલ થવાની સંખ્યા તો સતત વધી રહી છે. હાલની પરિસ્થિતિ અંગે જાણકારોએ કહ્યું હતું કે, આગામી ૧૦ દિવસ તંત્ર માટે ચેલેન્જીંગ રહેશે અને શહેર માટે ખુબ જ વિકટ બની રહેશે તેવા સંકેતો મળી રહ્યાં છે. શહેરમાં કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બને તો નવાઈ નહીં. લોકો તંત્રના ભરોશે બેસી ન રહે, જાતે જાગૃત્તતા દાખવે તે હવે ખુબ જરૂરી બન્યુ છે. તંત્ર પોતાનુ કામ કરે છે, પરંતુ જનતાએ ઘરની બહાર નીકળતી વખતે ફેસ માસ્ક અવશ્ય પહેરવુ જાેઈએ અને પૂરતા સમય માટે પહેરવુ જાેઈએ તેમજ સોશ્યલ ડિસ્ટન્સિંગનુ ખાસ ધ્યાન રાખવુ જાેઈએ. જેથી સંક્રમણથી બચી શકાય. તેમજ બને તો લોકોએ જરૂરી કામ વિના ઘરની બહાર જ નીકળવુ ન જાેઈએ અને ટોળે તો વળવુ જ ન જાેઈએ. હવે કોરોનાનુ સંક્રમણ રોકવુ પ્રજાના હાથમાં છે. આગામી ૧૦ દિવસ શહેર માટે ખુબ મુશ્કેલીભર્યા સાબિત થઈ શકે છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 4541 પોઝીટીવ કેસ, 42 ના મોત, કુલ 3,37,015 કેસ
- 10, એપ્રીલ 2021 03:13 PM
- 3549 comments
- 8409 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 4541 થી વધુ નોંધાયા છે. જેની સામે 2280 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 42 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4697 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 4541 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,37,015 થયો છે. તેની સામે 3,09,626 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. અમદાવાદમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 3500 થી વધુ થઈ જાય છે, જ્યારે રાજ્યના 3,37,015 ની સામે પોઝીટીવ કેસોની સંખ્યા 22692 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,37,015 જેટલી થઈ જાય છે. રાજ્યમાં હાલ 22692 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 187 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 22505 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,09,626 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4697 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 12 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 3575 પોઝીટીવ કેસ, 22 ના મોત, કુલ 3,28,453 કેસ
- 08, એપ્રીલ 2021 03:03 PM
- 7689 comments
- 7042 Views
ગાંધીનગર-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 3575 થી વધુ નોંધાયા છે. જેની સામે 2217 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 22 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4620 ઉપર પહોચી ગયો છે. ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 3280 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,28,453 થયો છે. તેની સામે 3,05,149 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. અમદાવાદમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 3200 થી વધુ થવા જાય છે, જ્યારે રાજ્યના 3,28,453 ની સામે પોઝીટીવ કેસોની સંખ્યા 18684 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,28,453 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 18684 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 175 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 18509 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,05,149 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4620 દર્દીઓના મોત થયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 3280 પોઝીટીવ કેસ, 17 ના મોત, કુલ 3,24,878 કેસ
- 07, એપ્રીલ 2021 03:05 PM
- 9613 comments
- 9799 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 3280 થી વધુ નોંધાયા છે. જેની સામે 2167 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા, તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 17 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4598 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 3280 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,24,878 થયો છે. તેની સામે 3,02,932 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 17348 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,24,878 જેટલી થઇ જાય છે. રાજ્યમાં હાલ 17,348 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 171 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 17177 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,02,932 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4598 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 07 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 3160 પોઝીટીવ કેસ, 15 ના મોત, કુલ 3,21,598 કેસ
- 06, એપ્રીલ 2021 02:45 PM
- 2281 comments
- 1113 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 3160 થી વધુ નોંધાયા છે. જેની સામે 2018 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 15 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4581 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 2410 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,21,598 થયો છે. તેની સામે 3,00,765 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા સામે એક્ટીવ કેસોની સંખ્યા 16252 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,21,598 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 16252 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 167 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 16085 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,00,765 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4581 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 06 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 2,875 પોઝીટીવ કેસ: 14 ના મોત, કુલ 3,18,238 કેસ
- 05, એપ્રીલ 2021 02:51 PM
- 3550 comments
- 5133 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 2875 થી વધુ નોંધાયા છે. જેની સામે 2024 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 14 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4566 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 2410 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,18,238 થયો છે. તેની સામે 2,98,737 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 3,18,238 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 15135 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,18,238 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 15135 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 163 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 14972 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,98,737 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4566 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 04 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
છોટાઉદેપુર વર્કશોપ પાસેથી બસ ઉઠાવી જતો ઈસમ ઝડપાયો
- 23, માર્ચ 2021 01:30 AM
- 1489 comments
- 2103 Views
છોટાઉદેપુર, છોટાઉદેપુર એસ ટી ડેપોના વર્કશોપ પાસે પાર્કિંગમાં મુકેલી છોટાઉદેપુર - માંડવી રૂટની એસ ટી બસ ન જી જે ૧૮ ઝેડ ૫૯૫૧ આજરોજ બપોરના ૧ વાગ્યાના સમયમાં ગોવિંદભાઇ સવલાભાઈ ધાણુંક નામનો ઈસમ બસ લઈને રવાના થઈ ગયો હતો. તંત્ર દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર એસ ટી ડેપોના વર્કશોપ પાસે પાર્કિંગમાં મુકેલ છોટાઉદેપુર માંડવી રૂટની એ ટી બસ લઈ ને ગોવિંગભાઈ સવલાભાઈ ધાણુંક નામનો ઈસમ રવાના થઈ ગયો હતો જેનાથી એસ ટી તંત્રમાં બસ કોણ લઇ ગયું તે અંગે શોધખોળ શરૂ થઈ ગઈ હતી. સદર ગાયબ થયેલી બસ છોટાઉદેપુર તાલુકાના રંગપુર રાઠ વિસ્તાર માં આવેલ જાેડાવાંટ ખડકવાડા સિંગલ પટ્ટી રોડ ઉપર થી મળી આવી હતી.રંગપુર ખડકવાડા રોડ ઉપર જતી બસની સામેંથી આવતી આર્ટિગા કાર પસાર થતા સિંગલ પટ્ટી રોડ હોય બસ રોડ ઉપરથી ખાડામાં ઉતરી ગઈ હતી. આર્ટિગા કાર ચાલકે બસ ઉપરના બોર્ડ જાેયું ત્યારે છોટાઉદેપુર માંડવી રૂટની બસ અહીંયા કેમ ફરે છે. જે અંગે શંકા જતા પોલીસને જાણ કરી હતી. અને બસ સાથે આરોપી ગોવિંદભાઇ સવલાભાઈ ધાણુંક પણ મળી આવ્યા હતા. આ અંગે પકડાયેલ આરોપી ની વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરી હતી. છોટાઉદેપુર બસ ડેપો માંથી બસ ઉઠાવી લઇ જનાર નો આશય શું હોઈ શકે ? એ તપાસ નો વિષય છે.વધુ વાંચો -
છોટાઉદેપુર જિલ્લામા હોળીના સપ્તાહ અગાઉ યોજાતા ભંગોરીયા હાટનું મહત્વ
- 23, માર્ચ 2021 01:30 AM
- 9440 comments
- 7406 Views
છોટાઉદેપુર, મધ્યપ્રદેશ સરહદી ગુજરાત નો છોટાઉદેપુર જિલ્લો મોટા ભાગે આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે, હોળી ની અગાઉ એક સપ્તાહ પહેલા આ વિસ્તારમાં ભંગોરીયા હાટ ની શરૂઆત થઈ જતી હોય છે. ભંગોરીયા એ કોઇ તહેવાર કે મેળા નહીં પણ હોળી ના અગાઉ ના સપ્તાહ માં જે સ્થળે અઠવાડિક હાટ ભરાઈ છે તે જ સ્થળે હોળીના તહેવાર માટે ની ખરીદી માટે ભરાતો પારંપારિક વિશેષ હાટ છે, જેમાં અહીં ના આદિવાસી લોકો હોળી પર્વ માટેની જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉપરાંત હોળી ના તહેવાર માટે ની વિશેષ ખરીદી માટે ઉમટી પડતા હોય છે, સાથે આદિવાસી વાજિંત્રો વાંસળી તથા મોટલા ઢોલ અને કરતાલ ના તાલે નાચગાન કરીને હોળી પૂર્વે ના ભંગોરીયા હાટ ની મોજ માણતા હોય છે.ખાસ કરીને જુવાનિયા ઓ પહેરવા માટે એક જ ડિઝાઈને તૈયાર કરવામાં આવેલા કપડાં ઉપરાંત આદિવાસી યુવતી ઓ એકજ ડિઝાઇનર કપડાં ઉપરાંત પારંપારિક આભૂષણો જેવા કે ચાંદીના હાર, ચાંદીની હાંહડી,ચાંદીના કલ્લાં ( કડીવાળાં અને મૂંડળીયા, એમ બે પ્રકારના) ચાંદી ના કડાં, ચાંદીના આંમળીયા, ચાંદીના પાંચીયા, ચાંદીના બાહટીયાં, ચાંદીની હાંકળી(સાંકળી), ચાંદીના કહળા (કંદોરા), કેડ ઝૂડો, ચાંદીના લોળીયા, ચાંદીના વિટલા, ચાંદીની ફાંસી વગેરે ખાસ કરીને ચાંદીના જ આભૂષણો નો ભરપૂર ઉપયોગ કરતા હોય છે, જ્યારે આદિવાસી યુવાનો ચાંદીના ભોરીયાં, ચાંદીના કડાં ચાંદીના કાંટલા (બટન) ,ચાંદીની કિકરી, કહળો (કંદોરા)વગેરે આભૂષણો થી સજ્જ થઈ ને ભંગોરીયા હાટ ની મજા માણવા ઉમટી પડે છે. એક જ ડિઝાઇન ના પહેરવેશ માં સજ્જ પોતાના ગામ કે પોતાના ફળીયા ની એક પ્રકારની એકતા અને વિશેષતા બતાવવા નો પ્રયાસ કરાતો હોય છે, એક જ ડિઝાઇનર કે એક જ રંગ ના કપડાં પહેરવા માટે નો હેતુ એ પણ રહેલો છે કે ભંગોરીયા હાટ ની એટલી મોટી ભીડમાં પોતાનો સાથી કે પોતાની સખી ક્યાંક અટવાઈ કે ભૂલા ન પડે.વધુ વાંચો -
છોટાઉદેપુરમાં શનિવારના રોજ ભરતા અઠવાડિક હાંટ ને કોરોના નું ગ્રહણ નડયું
- 22, માર્ચ 2021 12:00 AM
- 2893 comments
- 2033 Views
છોટાઉદેપુરછોટાઉદેપુર જિલ્લામાં અઠવાડિયાના ૭ દિવસોમાં જુદા જુદા દિવસે અલગ અલગ ગામોમાં અઠવાડિક હાંટ બજાર ભરાય છે. જેમાં આજરોજ શનિવાર નો હાંટ છોટાઉદેપુર ખાતે ભરાવવાનો હોય પરંતુ કોરોના ર્ષ્ઠદૃૈઙ્ઘ૧૯ ના વધતા જતા કેસો ને કારણે જિલ્લા કલેકટર દ્વારા હાંટ બજાર, સરઘસ સભાઓ, ધાર્મિક મેળાવડાઓ ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને વધુ મેદની એકત્રિત ન થાય અને કોરોના સંક્રમણ અટકે તે હેતુથી છોટાઉદેપુર નગરમાં ભરાતો શનિવારનો હાંટ બજાર બંધ રાખવામાં આવ્યો હતો છોટાઉદેપુર જિલ્લામાં કોવિડ ૧૯ કેસોનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. અત્યાર સુધીમાં કુલ ૯૧૧ જેટલા કેસ થઈ ગયા છે. છેલ્લા ૨૩ જેટલા દિવસથી કેસો ની સંખ્યામાં ભારે વધારો થતાં નગરમાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે. વધતા જતા કોરોના કેસના કારણે તંત્ર પણ ભારે એક્શનમાં આવી ગયું છે. અને સાવચેતીના રૂપે કડક પગલાં ભરાઈ રહ્યા છે. આજરોજ નગરમાં ભરાતો શનિવારનો હાંટ બંધ રાખવામાં આવતા ગ્રામ્ય વિસ્તારમાંથી આવતી પ્રજા અટવાઈ ગઈ હતી. ગ્રામ્ય વિસ્તારોમાં હાંટ બજાર ઉપર પ્રતિબંધ અંગે ખાસ જાણકારી ન હોય ન હોય જેથી વેપાર અર્થે આવતા વેપારીઓ, ગ્રામીણ વિસ્તારમામાંથી આવતા શાકભાજી વેચવા અર્થે આવતા આદિવાસીઓ તથા ખરીદી કરવા અર્થે આવતી પ્રજા અટવાઈ પડી હતી અને પરત ફરવાનો વારો આવ્યો હતો. શનિવારના દિવસે ભરાતા હાટમાં ચિક્કાર મેદની જાેવા મળતી હોય છે. પરંતુ આજરોજ આખું નગર સુમસામ જાેવા મળ્યું હતું. શનિવાર ના હાંટ ને કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય તેમ લાગતું હતું. છોટાઉદેપુર નગરમાં તંત્ર દ્વારા જાહેર માર્ગો ઉપર ટ્રેકટર ની ટ્રોલીઓ મૂકી તથા ટેન્કરો મૂકી મુખ્ય બજારની અંદર મેદની એકત્રિત ન થાય તે હેતુથી રસ્તા રોક લગાવવામાં આવી હતી. હોળી પર્વનો છોટાઉદેપુર વિસ્તારમાં હોળી પર્વનો તહેવાર મુખ્ય હોય અને નજીકના દિવસોમા હોળીનો તહેવાર આવતો હોય છે.વધુ વાંચો -
છોટાઉદેપુર તા. પંચા.માં ભાજપના બળવાખોર રાજેશ રાઠવા પ્રમુખ
- 19, માર્ચ 2021 01:30 AM
- 3422 comments
- 2938 Views
છોટાઉદેપુર, છોટાઉદેપુર તાલુકા પંચાયત માં ૨૬ બેઠકો માંથી ૨૦ બેઠકો ઉપર ભાજપ ના ઉમેદવારો વિજયી થતા છોટાઉદેપુર તાલુકા પંચાયત ભાજપે કોંગ્રેસ પાસે થી ખુંચવી લીધી હતી પરંતુ પ્રમુખ અંગે મંડાગાંઠ સર્જાતા ફરીથી કોંગ્રેસ ના મોમાં બગાસું ખાતા પતાસું આવ્યું હતું. જિલ્લા ભાજપ ના પદાધિકારીઓ દ્વારા જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયત માટે મેન્ડેટ જાહેર કરાયા હતા જેમાં છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે જયસિંહ હિંમતસિંહ રાઠવા અને ઉપપ્રમુખ પદ માટે રાજેશભાઈ રાઠવા નું નામ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ ગત દિવસે પ્રમુખ પદ માટે ૨ ફોર્મ ભરાયા હતા જયસિંહ રાઠવા એ ભાજપના મેન્ડેટ થી પ્રમુખ ની દાવેદારી નોંધાવી હતી જયારે રાજેશ રાઠવા એ પણ પ્રમુખ માટે દાવેદારી જાહેર કરી હતી. જેથી ભાજપની મોવડી મંડળ દોડતું થયું હતું. આજે તાલુકા પંચાયત ના સભાખંડ માં પ્રમુખ અને ઉપપ્રમુખ ની ચૂંટણી યોજાતા ભાજપના બાગી ઉમેદવાર રાજેશ રાઠવા ને કોંગ્રેસ ના ૬ સભ્યોએ ટેકો જાહેર કરતા ૨૬ માંથી ૧૫ વોટ મેળવી વિજયી બન્યા હતા જયારે જયસિંહ રાઠવા ને ૧૦ મત મળ્યા હતા ઉપપ્રમુખ પદ માટે ભાજપના બરોજ બેઠક ના નકુંડીબેન સુરસીંગભાઇ ૧૫ મત મેળવી વિજેતા બન્યા હતા.વધુ વાંચો -
છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે મલકાબેનની વરણી કરવામા આવી
- 19, માર્ચ 2021 01:30 AM
- 3215 comments
- 3988 Views
છોટાઉદેપુર, છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં કુલ ૩૨ બેઠકો માંથી ૨૮ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો હતો. જેમાં પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી આજરોજ તા ૧૮/૩/૨૧ ના રોજ જિલ્લા પંચાયત સભાખંડમાં યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે મલકાબેન પટેલ બિનહરીફ ચૂંટાયા હતા. અને ઉપ પ્રમુખ તરીકે રમણભાઈ બારીયા બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. છોટાઉદેપુર જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ના ૩૨ માંથી ૨૮ સભ્યો વિજેતા થયા હોય ભાજપનો બહુમત હોય જેથી ભાજપ દ્વારા પ્રમુખ તરીકે મલકાબેન પટેલ અને ઉપ પ્રમુખ તરીકે રમણભાઈ બારીયાને મેન્ડેડ આપવામાં આવ્યો હતો. અને ફોર્મ ભરાયા હતા. આજરોજ તા ૧૮/૩/૨૧ પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી યોજાતા પ્રમુખ તરીકે મલકાબેન પટેલ અને ઉપ પ્રમુખ તરીકે રમણભાઈ બારીયા સર્વાનુમતે વિજેતા થયા હતા. છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં આજરોજ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી થતા ભાજપે સત્તાનું સુકાન સાંભળતા કાર્યકરો માં ભારે ખુશી જાેવા મળી હતી. ફટાકડા ફોડી એક બીજાને અભિનંદન પાઠવી આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ભાજપના મુખ્ય આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આવનારું નવું બોર્ડ જિલ્લાને વિકાસના પંથે લઈ જશે તેવી પ્રજામાં આશા બંધાઈ હતી.વધુ વાંચો -
છોટાઉદેપુર તાલુકા પંચા.ના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીમાં બળવાના એંધાણ
- 18, માર્ચ 2021 12:00 AM
- 7572 comments
- 1360 Views
છોટાઉદેપુરછોટાઉદેપુર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ ને સંપૂર્ણ બહુમતી મળી હતી. તાલુકા પંચાયત ની ૨૬ બેઠકો માંથી ૨૦ બેઠકો ઉપર ભાજપ ના ઉમેદવારોએ જીત મેળવી હતી. છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ઉપર થયેલી બેઠક માં જિલ્લા પંચાયત તેમજ જિલ્લામાં આવવતી તમામ તાલુકા પંચાયતો ના પ્રમુખ અને ઉપપ્રમુખ ની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં છોટાઉદેપુર તાલુકા પંચાયત માટે પ્રમુખ તરીકે જયસિંહ રાઠવા અને ઉપપ્રમુખ તરીકે રાજેશભાઈ રાઠવા ના શિરે કળશ ઢોળવામાં આવ્યો હતો. પરંતુ. કંઈક મંડાગાંઠ સર્જાતા આજ રોજ પ્રમુખ તરીકે જયસિંહ હિમંતસિંહ રાઠવાને પક્ષ માંથી મેન્ડેટ આવતા દાવેદારી નોંધાવી હતી. પરંતુ સાથે જ પક્ષમાંથી ઉપપ્રમુખ નો મેન્ડેન્ટ આવતા નારાજ રાજેશભાઈ વીરસીંગભાઇ રાઠવાએ પણ પ્રમુખપદ માટે દાવેદારી નોંધાવી હતી. હવે તા.૧૮ ના રોજ છોટાઉદેપુર તાલુકા પંચાયત ની કમાન કોના હાથમાં આવશે ? કોનો રાજતિલક કરાશે ? એ જ જાેવાનું રહ્યુંવધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 890 પોઝીટીવ કેસ, 01 મોત, કુલ 2,79,097 કેસ
- 16, માર્ચ 2021 03:11 PM
- 8139 comments
- 6342 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 890 થી વધુ નોંધાયા છે. જેની સામે 594 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4425 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 890 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,79,097 થયો છે. તેની સામે 2,69,955 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,79,097 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 4717 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,79,097 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 4717 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 56 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 4661 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,69,955 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4425 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીનુ મૃત્યુ નોંધાયેલ છે.વધુ વાંચો -
જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે વર્ગ ૩ અને ૪ ના કર્મચારીઓની હડતાલ
- 16, માર્ચ 2021 01:30 AM
- 3553 comments
- 876 Views
છોટાઉદેપુર, છોટાઉદેપુર ખાતેની જનરલ હોસ્પિટલમાં આઉટસોર્સ એજન્સી દ્વારા વર્ગ-૩ અને વર્ગ-૪ની જગ્યા પર કામગીરી કરાવાય છે.અને તેનો કોન્ટ્રાક્ટ એક પ્રાઇવેટ એજન્સી ડી.જી નાકરાણી અને એમ.જે સોલંકી ને સોપવામાં આવેલ છે. જે કોન્ટ્રાક ઓગષ્ટમાં પુર્ણ થયેલ હતો પરતું સરકારે તેમનો કોંટ્રાક્ટ એપ્રિલ-૨૧ સુધી લંબાવી આપેલ છે. પરતું અત્રેની જનરલ હોસ્પિટલ ખાતે કામ કરતા વર્ગ-૩ અને વર્ગ-૪ના - ૩૬ (છત્રીસ) જેટલા કર્મચારીઓનો પગાર છેલ્લા નવેમ્બર-૨૦૨૦ ( ચાર મહીના પુરા થઇ આ પાચમો મહીનો ચાલુ) પગાર બાકી છે.અને તે પગાર કીવે રીતે ચુકવવો ? અને કોણ આપશે ?, કઇ ગ્રાંટમાંથી આપશે ? ક્યારે આપશે ? અને ખાતામાં આવશે ? જે પગાર ચુકવાય છે તે કર્મચારીના ઓરીજીનલ પગાર કરતા અડધો ચુકવાય છે, અને બાકીના મહીનાનો પગાર પણ કેટલો મળશે તેની કોઇ જ જાણકારી અમોને કોઇ પાસેથી મળતી નથી. વધુમાં આટલી મોઘવારીમાં અને માત્ર એક વ્યક્તિના પગારથી ચાલતા ઘર ખર્ચને પહોચી વળવા અન્ય કોઇ બીજી આવક ન હોવાથી હાલ ચાર મહીનાથી વર્ગ-૩ અને વર્ગ-૪ ની. ખુબજ દયનીય હાલત થઇ છે.અને ઉછીના નાણાં લઇ, વ્યાજે નાણાં લઇ ઘર ચલાવવાનો વારો આવ્યો છે.વધુ વાંચો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ