છોટા ઉદયપુર સમાચાર

  • ગુજરાત

    હું ગૃહમંત્રીનો પીએ છું, કાલે બદલી કરાવી દઈશ

    વડોદરા, તા. ૮ રાજયમાં છેલ્લા કેટલાક સમયથી પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીની કચેરીના અધિકારી બાદ કેન્દ્રિય અને રાજયકક્ષાના મંત્રીઓના પીએ તરીકેની બોગસ ઓળખ આપવાનો સિલસિલો હવે વડોદરા સુધી આવી પહોંચ્યો છે. શહેરના છેવાડે ગોલ્ડનચોકડી પાસેના સર્વિસરોડ પર ગત મધરાતે રોડ પર ઉભા રહેલા યુવકોને ટ્રાફિક પોલીસે સાઈડમાં ઉભા રહેવાનું કહેતા જ નશામાં ધુત ત્રિપુટીએ અપશબ્દો બોલી પોલીસ પર હુમલો કર્યા બાદ એક યુવકે યુવકે ‘હું ગૃહમંત્રીનો પીએ છું, કાલે તમારી બદલી કરાવી દઈશ’ તેવી ધમકી આપી હતી. ધમકી બાદ કારમાં ફરાર થઈ રહેલા યુવકને ઝડપી પાડવા પોલીસે પીછો કરતા યુવકના અન્ય સાગરીતોએ પોલીસનો પીછો કર્યો હતો. બનાવની ગંભીરતા જાેતા આ અંગેની પોલીસે કન્ટ્રોલ રૂમમાં જાણ કરતા પોલીસની અન્ય ગાડીઓ હાઈવે પર દોડી આવી હતી જેના પગલે ત્રિપુટી ઝડપાઈ જતાં તેઓની ધરપકડ કરાઈ હતી. શહેર ટ્રાફિક શાખા પુર્વ ઝોનના હેડ કોન્સ્ટેબલ નવીનચંદ્ર મથુરભાઈ ગત રાત્રે ટ્રાફિક બ્રિગેડના ડ્‌ાઈવર જ્યોતિષકુમાર પરમાર સાથે સ્પિડ ગન વન મોબાઈલમાં પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. તેઓ હાઈવે પર ગોલ્ડનચોકડી પાસેના સર્વિસરોડ પર આવેલા પારસ ઢાબા પાસેથી પસાર થતાં હતા તે સમયે તેઓએ રોડ પર ઉભા રહેલા બે યુવકોને સાઈડમાં ઉભા રહીને વાત કરવા જણાવ્યું હતું. પોલીસની વાત સાંભળીને બંને યુવકો એકદમ પોલીસની ગાડી પાસે ગયા હતા જે પૈકીના એક વરુણ નારાયણભાઈ પટેલ (દરજીપુરાગામ, વડોદરા)ને નવીનચંદ્ર ઓળખી ગયા હતા. બંને યુવકોએ દારૂનો નશો કરેલી હાલતમાં પોલીસની ગાડીનો દરવાજાે ખોલી તમે કેમ અહીંયા આવ્યા છો ? તેવું પુછ્યું હતું. નવીનચંદ્રએ યુવકોને દારૂનો નશો કર્યો હોવાનું કહેતા જ તેઓએ ઉશ્કેરાઈને તમે ટ્રાફિકવાળા છો તમારે કોઈ લેવાદેવા નથી તેમ કહીને ડ્રાઈવર સાથે ઝપાઝપી કરીને ડ્રાઈવરને રોડ પર પછાડીને ઈજા પહોંચાડી હતી. આ હુમલામાં નવીનચંદ્રએ દરમિયાનગીરી કરતા તેમને પણ અપશબ્દો બોલીને બંને યુવકોએ છુટ્ટાહાથની મારામારી કરી હતી જે પૈકી વરુણ પટેલે ધમકી આપી હતી કે ‘હું ગૃહમંત્રીનો પી.એ.છું, હું કાલે તમારી બદલી કરાવી દઈશ, તમે અહીંયા કેવી નોકરી કરો છો’ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ધમકી બદલ નવીનચંદ્રએ તેને પકડવાનો પ્રયાસ કરતાં તે નજીક ઉભેલી સફેદ રંગની કિયા કારમાં બેસીને ભાગ્યો હતો. નવીનચંદ્ર અને ડ્રાઈવરે વરુણનો પીછો કરતા જ વરુણના સાગરીતોએ થાર અને અન્ય એક સફેદ રંગની કારમાં પોલીસનો પીછો કર્યો હતો અને પોલીસની વાનની આગળ-પાછળ કાર હંકારી હતી. આ બનાવના પગલે નવીનચંદ્રએ સવા બે વાગે પોલીસ કન્ટ્રોલ રૂમમાં વાયરલેસ મેસેજથી જાણ કરી હતી. નવીનચંદ્ર હરણી પોલીસ મથકે આવતા વરુણના સાગરીતોએ પોલીસ મથક સુધી પીછો કર્યો હતો પરંતું ત્યાં હરણી પીઆઈની ગાડી અને પીસીઆર વાન આવી જતા પોલીસે કોર્ડન કરીને વરુણ પટેલ તેમજ તેના બે સાગરીતો આકાશ સુરેશભાઈ પટેલ (હરણીગામ, મોટુ ફળિયું) અને પિનાક વિનેશભાઈ પટેલ (હરણીગામ)ને નશો કરેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા. આ બનાવની નવીનચંદ્રની ફરિયાદના પગલે હરણી પોલીસે ઉક્ત ત્રિપુટીની હુમલો અને ધમકીના ગુનાની તેમજ દારૂબંધીના ગુનાની બે ફરિયાદો નોંધી હતી.ગૃહમંત્રીના પીએની બોગસ ઓળખ આપી છતાં તેનો ગુનો નહીં નોંધ્યો પોલીસ પર હુમલો કરનાર વરુણ પટેલે પોતે ગૃહમંત્રીનો પીએ હોવાની બોગસ ઓળખ આપી પોલીસની બદલી કરાવી દેવાની ધમકી ઉચ્ચારી હતી. તાજેતરમાં રાજ્યમાં સરકારી અધિકારી કે કર્મચારીની બોગસ ઓળખ આપી ઠગાઈ કરતા ઝડપાયેલા ગઠિયાઓ વિરુદ્ધ પોલીસે બોગસ ઓળખ આપવા બદલનો અલાયદો ગુનો નોંધ્યો છે, પરંતુ ગત રાતના કિસ્સામાં પોલીસે વરુણ વિરુદ્ધ બોગસ ઓળખ આપવાનો ગુનો નહી નોંધતા પોલીસ કામગીરીએ વિવાદ ઉભો કર્યો છે. રાજ્યગૃહમંત્રી હર્ષ સંઘવીએ આરોપીઓના સાથે ખભે હાથ મુકેલા ફોટા વાયરલ થયાં ગત રાત્રે ટ્રાફિક પોલીસને જાહેરમાં અપશબ્દો બોલીને માર માર્યા બાદ પોલીસને બદલી કરાવી દેવાની ધમકી આપનાર વરુણ પટેલ અને આકાશ પટેલ તેમજ પોલીસનો પીછો કરનાર સાગરીતો પણ ભાજપા સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે. એટલું જ નહીં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પૈકીના વરુણ પટેલ અને આકાશ પટેલ સાથે તેઓના ખભે હાથ મૂકીને ફોટા પડાવ્યાં હતાં, જે ફોટા આ બંનેએ સોશ્યલ મીડિયા પર મૂક્યા હતા, જે આજે બંનેની ધરપકડ થતાં વાયરલ થયા હતા. નશેબાજાે પોલીસ પર હુમલો કરતા છેક પોલીસ મથક સુધી પહોંચી ગયા! રાત્રે દારૂનો નશો કરીને મધરાતે વૈભવી કારોમાં ફરીને રોડ વચ્ચે ઉભા રહીને ટોળટપ્પા કરતા નબીરાઓની હિમ્મત એટલી હદે વધી ગઈ હતી કે તેઓએ પોલીસની ગાડીનો પીછો કરીને તેઓની આગળ પાછળ ગાડી હંકારીને પોલીસને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહી ટ્રાફિક પોલીસની ગાડી હરણી પોલીસ મથકે પહોંચતા આ ટોળકી ઠેક પોલીસ મથક સુધી પહોંચી ગઈ હતી. નશેબાજ ત્રિપુટી અને તેઓના સાગરીતોને કોનું પીઠબળ છે કે તેઓને પોલીસનો કોઈ જ ડર નથી રહ્યો ?. જાે તે દિશામાં પોલીસ તપાસ થાય તો ઘણી વિગતો સપાટી પર આવશે.
    વધુ વાંચો
  • ગુજરાત

    શિનોર તાલુકાના કંજેઠા ગામે ખેડૂતના વાડામાંથી દિપડો આખરે પાંજરે પુરાયો

    શિનોર,તા.૮ શિનોર તાલુકાના કંજેઠા ગામેછેલ્લા ઘણા સમયથીખેડૂતો ખેતમજૂરો અને મુંગા પશુઓને નિશાન બનાવી ભારે ફફડાટ ફેલાવનાર શિકારી દિપડો પાંજરે પૂરતાગ્રામજનોમાં હાશકારાની લાગણી જાેવા મળી છે.. બનાવ સંદર્ભે શિનોર વનવિભાગ દ્વારા પાંજરે પૂરાયેલા દિપડાને સલામત સ્થળે છોડવા અંગે ની કાર્યવાહી હાથ ધરી છે. શિનોર તાલુકાના કંજેઠા ગામે છેલ્લા ઘણા સમયથી દિપડાએ ભારે આતંક મચાવતાંરાત્રીના સમયે પશુપાલકો ના મુંગા પશુઓને નિશાન બનાવી મારણ કરતાં ગ્રામજનો માં ભારે ફફડાટ ફેલાયો હતો..બીજી તરફ દિપડાના આતંક થીખેડૂતો અને ખેતમજૂરો ખેતી કામ માટે ખેતરે જતાં ભય ની લાગણી અનુભવતાં હતાં..આ અંગે ગ્રામજનો ધ્વારા વન વિભાગ ને જાણ કરતાં,વન વિભાગ ના ઇર્હ્લં બી.આર.દવે,બીટગાર્ડ વી.આર.રબારી સહિત ની વનવિભાગ ની ટીમ ધ્વારા દિપડા ને પકડવા પાંજરૂ મુકવામાં આવ્યું હતું. મંગળવારની રાત્રી દરમિયાન વનવિભાગ દ્વારા મુકાયેલ પિંજરામાં દિપડો આવી જતાં, વનવિભાગ નો પ્રયાસ સફળ રહ્યો હતો.. બુધવાર ની સવારે દિપડો પાંજરે પૂરાયા ની વાત વાયુવેગે પ્રસરતા, દિપડાને જાેવા ગ્રામજનો ઉમટ્યા હતા.. ત્યારે આ અંગેની જાણ વનવિભાગ ને કરાતાં વહેલી સવારે આવી પહોંચેલી વનવિભાગ ની ટીમે, દિપડાને સલામત સ્થળે ખસેડવાની કવાયત હાથ ધરી હતી.. અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ ૨૧ ઓક્ટોબર ના રોજ દિપડાના આતંક થી ભયની લાગણી અનુભવી રહેલા કંજેઠા ગામના ખેડૂતો એશિનોર સ્ય્ફઝ્રન્ કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપીરાત્રીના બદલે દિવસે વિજળી આપવાની માંગ કરી હતી..જે રજુઆત સાચી હોવાની બાબતને સમર્થન મળ્યું છે..
    વધુ વાંચો
  • ગુજરાત

    એસ.આઈ.ટી ની સત્તા વધારીે તમામ પ્રાયોજના કચેરીઓમાં તપાસ કરાવવા માગણી

    નસવાડી,તા.૮છોટા ઉદેપુર જિલ્લામાં નકલી કચેરી મામલે આજરોજ આદિવાસી આગેવાનોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય તપાસ કરવા તેમજ એસ.આઈ.ટીની સત્તામાં વધારો કરી તમામ પ્રાયોજના કચેરીમાં તપાસ કરવાની માગ કરવામાં આવી છે. છોટા ઉદેપુર જિલ્લા પ્રાયોજના કચેરી દ્વારા નકલી કચેરી અસલી કૌભાંડ મળે દરરોજ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે, પ્રાયોજના કચેરીમાં કર્મચારી તેમજ અધિકારીઓની પણ ધરપકડ કરવામાં આવી છે, આ મામલે પોલીસે અત્યાર સુધીમાં કુલ ૭ જણાની ધરપકડ કરી લીધી છે, અને હજુ વધુ નામો ખૂલે તેવી શક્યતાઓ જાેવાઈ રહી છે. આજરોજ વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લા રાઠવા એસોસિએશન - વડોદરા દ્વારા છોટા ઉદેપુર અધિક કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ સમયે સુખરામ રાઠવાએ કેટલાક સવાલો ઉભા કર્યા. અને કેટલીક માંગણીઓ પણ કરી છે. સરકારની નકલી કચેરી, નકલી અધિકારીઓ, નકલી કામો, તમારા બધાના માધ્યમથી ને અમારા બધા મિત્રોના ઉજાગર થી આ કામો બહાર આવ્યા છે. હવે જ્યારે સરકાર એસ.આઈ.ટીની રચના કરીને તપાસ કરી રહી છે. ત્યારે એને વાઈડ પાવર આપવામાં આવે, વાઈડ પાવર કરીને માત્ર છોટા ઉદેપુર પ્રાયોજના વિસ્તાર નહિં, પણ રાજ્યના જેટલા પ્રાયોજના વિસ્તાર છે આ તમામ જગ્યાએ આવા કામો થયા હોવાની શંકા ઉદભવી રહી છે. એની પાછળનું કારણ છે કે પ્રાયોજના વહીવટદાર કક્ષાએ જે કુલ બજેટ હોય છે. એની ૫ % રકમ જેટલી એમને પોતે નક્કી કરતા હોય છે. ક્યા કામો લેવા તે અને એમાં શક્ય છે કે કંઈક ને કંઇક ભોપાળું બહાર આવે. એની તપાસ થવી જરૂરી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    હવે છોટાઉદેપુર જિલ્લામાં પણ હવે નાગલીનું વાવેતર કરવામાં આવશે

    છોટાઉદેપુર,તા.૮ગુજરાતમાં વવાતા તૃણ ધાન્ય પાકોમાં નાગલીના પાકનું મુખ્યત્વે દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. ત્યારે જેતપુરપાવીના હિરપરી ગામના ખેડૂત વિજય રાઠવાએ નાગલીના પાકનું છોટાઉદેપુર જિલ્લાની આબોહવા માફક આવે છે કે કેમ તે બાબતનું પરીક્ષણ કરવા નાગલીનું બિયારણ લાવી ૫૦૦ ગ્રામ બિયારણના ધરુનું વાવેતર કરી ડાંગરની રોપણી કરે તે જ રીતે કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર વગર વાવેતર કરતાં જિલ્લાની આબોહવા માફક આવતાં હવે છોટાઉદેપુર જિલ્લાના ઘણા ખેડૂતો આવતા વર્ષથી નાગલીની ખેતી કરવાની તૈયારી દર્શાવી રહ્યા છે. આમ તો વર્ષો પહેલાં છોટાઉદેપુર જિલ્લામાં પણ કોદરી ( હામેલ ) બાવટો ચેનો, જુવાર જેવા તૃણ ધાન્ય પાકોનું વાવેતર કરાતું હતું, પરંતુ સમય જતાં સુધારેલા હાઇબ્રિડ બિયારણ બજારમાં આવતાં વર્ષો જૂના નાગલી, બંટી, બાવટો, કોદરી જેવા તૃણ ધાન્યના પાકો લુપ્ત થયાં છે. ગુજરાતમાં નાગલીનું વાવેતર ડાંગ, વલસાડ, નવસારી, તાપી અને પંચમહાલ જિલ્લામાં થાય છે. નાગલીને અંગ્રેજીમાં ફિંગર મિલેટ અથવા આફ્રિકન મિલેટ અને ગુજરાતીમાં રાગી, બાવટાના નામથી પણ ઓળખવામાં આવે છે. અને આ હલકા તૃણ ધાન્ય પાકોના ખોરાકથી હાડકાં ભાંગવાનું જાેખમ પણ ઓછું થાય છે. જે લોકોને દૂધની એલર્જિ છે તેમના માટે નાગલી એક પૂરક ખોરાક છે તેમ માનવામાં આવે છે. નાગલીનાં દાણામાં રેસાનું પ્રમાણ (૩.૬ ગ્રામ/૧૦૦ ગ્રામ દાણા) સારું છે. નાગલીનો ગ્લાયસેમિક ઈન્ડેક્ષ ખૂબ જ ઓછો હોવાથી લોહીમાં સાકરનું પ્રમાણ ઘટાડી ઈન્સ્યુલીન કાર્યક્ષમતા વધારે છે. આમ લોહીમાં સાકરનું પ્રમાણ જાળવી રાખે છે. ટૂંકમાં નાગલી એ ડાયાબિટીસ અને મેદસ્વીતાવાળા માટે આર્શીવાદ સમાન છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    છોટાઉદેપુર જિલ્લામાં સતત બે માસ સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા પરિભ્રમણ કરશે

    બોડેલી ,તા.૮સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો ઘરઘર સુધી પહોંચાડવા માટે આપણા જિલ્લામાં આગામી તા.૧૫થી લગલગાટ બે માસ સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરેક ગ્રામ પંચાયતમાં ફરવાની છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા છોટાઉદેપુર જિલ્લાને બે આધુનિક પ્રકારના રથોની ફાળવણી કરવામાં આવી છે. આ રથ તા. ૧૫ નવે.થી આપણા ગામમાં આગમન સાથે વિવિધ પ્રકારના કાર્યક્રમો પણ ફરશે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સુચારૂ સંચાલન માટે ગાંધીનગરથી વિકાસ કમિશનર દ્વારા એક વીસી યોજવામાં આવી હતી. જનસેવાના ઉદ્દેશ સાથે યોજનાર આ યાત્રા દરમિયાન સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો પાત્રતા ધરાવતા નાગરિકોને આપવાના છે. યાત્રા દરમિયાન ૧૦૦% લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ આવરી લેવાના આયોજન સાથે યોજનાની માહિતી લોકો સુધી પહોંચે તે માટે ગામડાઓમાં સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવશે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ચૈતર વસાવા વિરુદ્ધ ફરિયાદને લઈ ડેડિયાપાડા બંધને સજ્જડ પ્રતિસાદ

    રાજપીપળા ઃ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ફરિયાદ બાદ પોલિસે ચૈતર વસાવાના પત્ની, પીએ અને અન્ય ખેડૂતની ધરપકડ કરી હતી. બીજી બાજુ એડવોકેટ અને આમ આદમી પાર્ટીનાં નેતા ગોપાલ ઇટાલિયા સહિત અન્ય વકીલોની ટીમની દલીલ બાદ તમના રિમાન્ડ ના મંજૂર કરવામાં આવતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ ફરિયાદને પગલે ચૈતર વસાવાના સમર્થકોમાં ભારે રોષ ફેલાતા છે. ડેડિયાપાડાના વિવિધ વિસ્તારોમાં બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું. ડેડિયાપાડા બંધન એલાનને પગલે જિલ્લાની પોલીસ ખડકી દેવામાં આવી છે. ડેડિયાપાડા બંધને સજજડ પ્રતિસાદ મળ્યો હતો.ભાજપના આગેવાનોએ ડેડિયાપાડાના બજારો ખોલવા માટે વેપારીઓને અપીલ કરી હતી, તો બીજી બાજુ ચૈતર વસાવાના સમર્થકો પણ ડેડિયાપાડામાં ઉતરી પડ્યા હતા.જાેકે, ત્યાં હાજર પોલીસ ટીમે ચૈતર વસાવાના સમર્થકોને હટાવવામાં સફળતા મેળવી હતી. ખોટો ગુનો દાખલ કરવામાં આવ્યો ઃ ગોપાલ ઇટાલિયા એડવોકેટ અને આપ નેતા ગોપાલ ઇટાલિયા વકીલોની ટીમ સાથે ડેડિયાપાડા આવી પહોંચ્યા હતા. એમણે જણાવ્યું હતું કે ચૈતર વસાવા વિરુદ્ધ ખોટો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ડેડિયાપાડા પોલીસે ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા, પીએ જીતેન્દ્ર વસાવા અને અન્ય એક ખેડૂતની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી અલગ અલગ કારણો દર્શાવી ૧૦ દિવસના રિમાન્ડની માગ કરી હતી. અમારી વકીલોની ટીમે આ કેસ ખોટો છે, ઉપજાવી કાઢેલો છે એવી રજૂઆત કરતાં ડેડિયાપાડા કોર્ટે રિમાન્ડ ના મંજૂર કર્યા છે. ચૈતરે વનકર્મીઓને માર્યા, એ વાત ખોટી ઃ દેવેન્દ્ર વસાવા નર્મદા જિલ્લા આપ ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવાએ આક્રોશ સાથે જણાવ્યું કે ચૈતર વસાવાના કાકાની જમીન ખેડવા બાબતે માથાકૂટ થઈ છે, એ જમીન એમને વન અધિકાર કાયદા હેઠળ સનત મળેલી છે. સનત હોવાનાં કારણે તેઓ વર્ષોથી ખેતી કરે છે, તે છતાં વન વિભાગે ચૈતરભાઈના કાકાને ટાર્ગેટ કરી જમીનમાંથી કપાસ ઉખેડ્યો એટલે ચૈતર વસાવાએ વન કર્મીઓને બોલાવી નુકશાની બાબતે વાત કરી ત્યારે સમાધાન પણ થઈ ગયું હતું. તે છતાં ૫ દિવસ પછી ચૈતર વસાવાને ફસાવવા પ્લાનિંગ સાથે ધરપકડ અને સર્ચ વોરંટ વગર પોલીસની ૩૫ ગાડીઓ રાત્રે એમનાં ઘરે આવી ગઈ હતી. ચૈતર વસાવાને સમર્થન કરતાં ભાજપના સભ્યો બંધ કરાવવા મેદાને ઃ મનસુખ વસાવા ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ચૈતર વસાવા વિરુદ્ધ કોઈ ખોટી ફરિયાદ નથી. પ્રજાને ગેરમાર્ગે દોરવા ચૈતર વસાવાના સમર્થકોએ બંધનું એલાન આપ્યું છે. બજાર બંધ ન રહે એ માટે મે પ્રયત્ન કર્યાં, વેપારીઓ પોતાની દુકાન ખોલે એટલે કેટલાંક લોકો એમનો ફોટો પાડી એવી ધમકી આપે છે કે તમે કાલે ક્યાં જવાના છો, જેથી વેપારીઓ બીકનાં માર્યા બજાર બંધ કરી દે છે. જેમણે વિધાનસભા ચૂંટણીમાં ચૈતર વસાવાને મદદ કરી છે, એવા ભાજપના કાર્યકરો પણ બજાર બંધમાં સમર્થન કરી રહ્યા છે. આવી વાત મને વેપારીઓએ રૂબરૂમાં કહી છે. આગામી સમયમાં પ્રદેશ સમક્ષ હું આવા ભાજપ કાર્યકરોને ખુલ્લા પાડીશ. ચૈતર વસાવા જાે ગુનેગાર ન હોય તો એણે સામે આવી ચેલેંજનો સામનો કરવો જાેઈએ, બજાર બંધ કરાવી વેપારીઓને નુક્શાન થાય એવું ન કરવું જાેઈએ.
    વધુ વાંચો
  • ગુજરાત

    નસવાડીમાં દબાણો દુર કરવા માપણીની કામગીરી

    નસવાડી ઃ નસવાડી ટાઉન ના દબાણો હટાવવા માટે સંખેડા વિધાનસભાના ધારાસભ્ય છોટાઉદેપુર સંકલન સમિતિની બેઠકમાં રજૂઆત કરતા સ્ટેટ આર એન્ડ બી વિભાગ ના અધિકારીઓ નસવાડીમાં દબાણો ની માપણી કરવા માટે કામગીરી શરૂ કરતા વેપારીઓની દિવાળી નો વેપાર બગડશે જયારે બીજી તરફ આ રોડ સ્ટેટ આર એન્ડ બી વિભાગ નો નથી અને ૬ મીટર નો રસ્તો ગામ તળનો બોલે છે અને સીટી સર્વેના નકશામાં ગામ તળ નો રસ્તો દર્શાવવામાં આવેલ છે સ્ટેટ આર એન્ડ બી ની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છેનસવાડી નો વિસ્તાર બે કિલોમીટર છે અને નસવાડી ગામનો વસવાટ અને જમીન રજવાડી શાસનની માલિકીની હતી અને તેવોએ ગામનો મુખ્ય રોડ ઉપર વેપારીઓને ધંધા રોજગાર માટે રજવાડી શાસન વખતે જમીન આપી હતી જ્યારે નસવાડી ટાઉનમાં મુખ્ય માર્ગ સી ટી સર્વેના નકશામાં ગામ તળ નો માર્ગ બોલે છે તેમજ મુખ્ય રસ્તો સ્ટેટ આર એન્ડ બી ની માલિકીનો નથી જયારે નસવાડી જૂથ ગ્રામ પંચાયતે આ રસ્તો સ્ટેટ આર એન્ડ બી ને સોંપ્યો નથી જ્યારે સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંગ તડવી છોટાઉદેપુર સંકલન સમિતિની બેઠકમાં દબાણ વિશે પ્રશ્ન કરીને માપણી કરાવવા માટે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરતા સ્ટેટ આર એન્ડ બી વિભાગ ના અધિકારીઓ નસવાડી ખાતે આવીને રસ્તા રેસા ના નિયમ હેઠળ રસ્તાની માપણી કરવામાં આવી પરંતુ જે વિસ્તારોમાં માપણી કરવામાં આવી તે વેપારીઓની જમીનો ૫૦ વર્ષ પહેલાની છે અને રસ્તા રેસાના નિયમમાં આવતી નથી કારણકે ગામ તળની જમીન રસ્તામાં બોલે છે સ્ટેટ આર એન્ડ બી ના અધિકારીઓ પાસે પણ રસ્તાની વિગત ના હતી જયારે નસવાડી ગામમા ગ્રામ પંચાયતે રસ્તાની સુવિધા મળે તે માટે સરકાર ને રજૂઆત કરી હતી જેને લઈને સ્ટેટ આર એન્ડ બી વિભાગ નો રસ્તો નસવાડી પેટ્રોલ પમ્પથી દેવલીયા જવાનો રસ્તો ધામસીયા સુધી હાઇવે સ્ટેટ આર એન્ડ બી વિભાગ છે જયારે નસવાડી મધ્ય ગુજરાત વીજ કંપનીની કચેરી કવાંટ છોટાઉદેપુર હાઇવે ની હદ શરુ થાય છે જયારે નસવાડી ગામનો રસ્તો ગામ તળનો છે અને તેની નિભાવણી માટે સ્ટેટ આર એન્ડ બી ૧૦ વર્ષમાં બે વાર રસ્તો બનાવીયો બે કિલોમીટરનો માર્ગ નસવાડી ગામ તળમાં છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    બોડેલી ખાતે નવજીવન હાઈસ્કૂલની વિધાર્થીનીઓને સ્વબચાવની તાલીમ

    બોડેલી, ઃ છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખ ના આદેશથી અને જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક ધર્મેન્દ્રસિંહ કે. રાઠોડ ના માર્ગદર્શન હેઠળ જાસ્મીન ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા અને નયા સંકલ્પ ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગ થી અને જે.ટી.એ. સ્પોર્ટ્‌સ એન્ડ સેલ્ફ ડિફેન્સ એકેડમી ના સંકલન થી બોડેલી તાલુકાની નવજીવન હાઈસ્કૂલ ની ર૦૦ વિધાર્થીની બહેનોને સ્વબચાવ ની તાલીમ સંસ્થા ના કોચ રાજેશ ત્રિવેદી દ્વારા આપવામા આવી હતી. પોલીસ કોસ્ટેબલ ચિંતનભાઇ તેમજ સુરક્ષસેતુ ના સુરેખા મેડમ દ્વારા આપવામા આવી હતી. તેમજ બોડેલી પોલિસ સ્ટેશન ના પી એસ આઈ ચૌહાણ નવજીવન શાળા ના આચાર્ય એકનાથ જાદવ તેમજ સંસ્થા ના પ્રમુખ જાબીરહુસેન એન.મલેક દ્વારા વિધાર્થીની ભવિષ્યમા આવા આવનાર સમયમા પોતાની સૂરક્ષા કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામા આવી હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    હાય રે મજબૂરી! પુુત્ર મોતને હાથતાળી ના આપે તે માટે ખુદ માતા-પિતાએ તેનાં હાથ બાંધી દીધાં!

    વડોદરામાં વધુ એક મંગળવારની સવાર ગોઝારી સાબિત થઈ શહેરના કારેલીબાગ વિસ્તારના આનંદનગરમાં ભાડાના મકાનમાં ઉપરના માળે પોતાની બે પુત્રીઓ સાથે રહેતી ૪૨ વર્ષીય ડિવોર્સી દક્ષા ચૈાહાણે પણ આર્થિક ભીંસના કારણે રાત્રિના સમયે તેની બંને પુત્રીઓ ૧૯ વર્ષીય હની અને ૧૪ વર્ષીય શાલીનીને જમવામાં ઝેર આપ્યા બાદ બંને પુત્રીઓના ગળે ટુંપો આપીને હત્યા કરી હતી અને ત્યારબાદ ગત ૧૧મી જુલાઈના મંગળવારની સવારે તેણે પણ મકાનમાં ફાંસો ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જાેકે આ સમયે તેના મકાનમાં સરનામુ પુછવા માટે આવેલી અજાણી વ્યકિતએ બુમરાણ મચાવતા મકાનમાલિક અને તેમના પરિવારજનોએ દક્ષાને ફાંસો ખાતા અટકાવતા તેનો બચાવ થયો હતો. આ ઘટના મંગળવારે સવારે બન્યા બાદ આજે પંચાલ પરિવારે પણ મંગળવારના સવારે જ સામુહિક આપઘાત કરતા શહેરમાં એક જ માસમાં મંગળવારની સવાર વધુ એક વાર ગોઝારી સાબિત થઈ છે. દર્દ સહન થતું નોહતું છતાં મુકેશભાઈએ જાતે ગળા પર બ્લેડના ચીરા માર્યા મુકેશભાઈને તેમના પુત્રનું ફાંસો ખાવાના કારણે અને પત્નીએ વિષપાન કરવાના કારણે મોત થયાની જાણ થતાં તેમણે પણ આપઘાત કરવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો. એક હુંકમાં પુત્રનો મૃતદેહ લટકેલો હોઈ અને ઘરમાં લાવેલી ઝેરની બંને બોટલો પત્નીએ ખાલી કરી નાખી હોઈ મુકેશભાઈને આપઘાત માટે અત્યંત પિડાદાયક માર્ગ પસંદ કરવાની ફરજ પડી હતી. મુકેશભાઈએ રસોડામાંથી ચાકુ લાવી ગળા પર જાતે ઘા કર્યા બાદ દાઢી કરવાની બ્લેડથી ગળા પર ચીરા મારવાની શરૂઆત કરી હતી. ગળા પર બ્લેડના ચીરા મારતી વખતે પિડા સહન નહી થતાં તેમણે બચાવ માટે બુમો પાડી હતી. જાેકે પત્ની અને પુત્રના મૃતદેહો નજર સામે હોઈ પિડા સહન નહી થવા છતાં તેમણે વધુ ઝનુનપુર્વક જાતે ગળા પર ચીરા માર્યા હતા અને ગળાની ઠેક અંદર સુધી તેમને ગંભીર ઈજાઓ પહોંચતા ટુંકી સારવાર બાદ તેમનું પણ મોત નિપજ્યું હતું. નયનાબેને એક્સેસ પોઈઝન ડ્રિન્કિંગ કર્યાનો રિપોર્ટ નયનાબેન પંચાલનું ઝેરી દવા પીવાના કારણે મોત નિપજ્યું હોઈ તેમણે જાતે દવા પીધી છે કે પછી તેમને પતિ કે પુત્રએ બળજબરીથી ઝેરી દવા પીવડાવી છે તેની ખરાઈ માટે નયનાબેનનું સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ હાથ ધરાયું હતું. પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં નયનાબેનના શરીરમાંથી વધુ પડતા ઝેરનો જથ્થો મળ્યો હતો. આ અંગે પીઆઈ તિવારીએ જણાવ્યું હતું કે નયનાબેનના શરીરમાંથી જેટલુ ઝેર મળ્યું છે તે કોઈ પણ વ્યક્તિને બળજબરીથી પીવડાવવાનું અશક્ય છે. નયનાબેનના શરીરમાંથી એક્સેસ પોઈઝન મળતા તેમણે પોતે કોઈ પણ રીતે બચી ના શકે તેવું નક્કી કરીને જ વધુ પડતુ ઝેર પીધું હતું. તેમનું આશરે ચારેક વાગે મોત થયાનું અનુમાન હોઈ તેમણે ગત રાત્રે જ ઝેર પીધું હોવાની શંકા છે. પરિવારને આજે ભાડાનું મકાન ખાલી કરવાની તાકીદ કરાયેલી મુકેશભાઈ જે મકાનમાં ભાડેથી રહે છે તે મકાન હાલમાં વિવેક સિંહ નામના યુવકે જુના માલિક પાસેથી ખરીદયુ છે. વિવેક સિંહે મુકેશભાઈને જાણ કરી હતી કે તેણે આ મકાન ખરીદયુ છે એટલે તે એક માસમાં આ મકાન ખાલી કરી દે. એક માસની મુદત આજે પૂરી થતાં મુકેશભાઈને આજે મકાન ખાલી કરવાનું હતું અને મુકેશભાઈ દાંડિયાબજાર વિસ્તારમાં જ ભાડાનું એક મકાન નક્કી પણ કરી આવ્યા હતા. જાેકે મકાન ખાલી કરવાના દિવસે મુકેશભાઈએ પરિવાર સાથે સામુહિક આપઘાત કરતા પોલીસે નવા મકાનમાલિકની પણ પૂછપરછ કરી હતી. યુવાન પુત્ર બેકાર હોઈ મુકેશભાઈ વારંવાર ઓવરટાઈમ કરતા હતા મુકેશભાઈ ખાનગી સિક્યુરીટી કંપનીમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા અને તેમને દર મહિને માત્ર ૭૫૦૦ રૂપિયાનો પગાર મળતો હતો. હાલની કારમી મોંઘવારીમાં ભાડાના મકાનમાં રહીને પોતાનું તેમજ પત્ની અને યુવાન પુત્રનું ગુજરાન ચલાવવાનું અઘરુ હોઈ મુકેશભાઈ વારંવાર ઓવરટાઈમ કરતા હતા જેની તેમણે પોતાની એક ડાયરીમાં પણ નોંધ કરી હતી. આ ઉપરાંત તેમણે ખર્ચાઓને પહોંચી વળવા માટે કંપનીમાંથી ઉપાડ પણ લીધો હોઈ તેની પણ નોંધ ડાયરીમાંથી મળી આવી છે. કરુણાંતિકાની પરાકાષ્ઠા! પુુત્ર ફાંસો ખાધા બાદ શ્વાસ રૂંધાઈ ને બચાવનો પ્રયાસ ન કરી શકે એ માટે માતા-પિતાએ તેનાં હાથ બાંધ્યા! આજે સવારે પંચાલ પરિવારના મકાનમાં માતા અને પુત્રના મૃતદેહો અલગ અલગ રૂમમાં મળ્યા હતા જેમાં યુવાન પુત્ર મિત્તુલે બનિયન પહેરેલી હાલતમાં ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. મિત્તુલની લાશના બંને પગ જમીનને અડેલા હતાં જયારે તેના બંને હાથ ભૂરાં રંગના દુપટ્ટાથી ડબલગાંઠ મારીને બાંધેલી હાલતમાં જાેવા મળતા મિત્તુલે આપઘાત કર્યો છે કે પછી તેની હત્યા કરીને લટકાવી દેવાયો છે તે અંગે પણ શંકાઓ ઉભી થઈ હતી. પ્રારંભીક તપાસમાં પરિવારના ત્રણેય સભ્યોએ જાતે જ આપઘાત કર્યો હોવાની વિગતો સપાટી પર આવતા આ બનાવમાં કરૂણતાની પરાકાષ્ઠાએ સૌને હચમચાવી મૂક્યા હતા. મિત્તુલ ફાંસો ખાઈને આપઘાત કરવાનું નક્કી કરતા ફાંસો ખાધા બાદ શ્વાસ રૂંધાતા જ તે બચાવ માટે જાતે પ્રયાસ કરશે અને મોતને કદાચ હાથતાળી આપશે તેવી ખાતરી હોઈ ખુદ માતા-પિતાએ જ યુવાન પુત્રના બંને હાથ દુપટ્ટાથી બાંધી દીધા હતા અને ત્યારબાદ પુત્રએ ફાંસો ખાધો હતો. મરી જ જવાનો નિર્ધાર કરી પરિવાર કાયમ માટે પોઢી ગયું કાછિયાપોળમાં પંચાલ પરિવારના સામુહિક આપઘાત પ્રકરણની પોલીસ તપાસમાં એવી ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે કે પરિવાર આર્થિક ભીંસથી એટલી હદે કંટાળ્યું હતું કે તેઓએ ગમે તે ભોગે એક સાથે જ જીવનનો અંત લાવવાનું સામુહિક નિર્ણય લીધો હતો. ત્રણેય જણાએ એક જ પધ્ધતીથી આપઘાત કરશે તો કદાચ કોઈનો બચાવ થઈ જશે તેવુ લાગતા પુત્રએ બંને હાથ બાંધીને ફાંસો ખાઘો હતો જયારે માતાએ અત્યંત તીવ્ર જંતુનાશક ઝેરી દવા પીધી હતી. અંતે પિતાએ જાતે ગળા પર બ્લેડના ચીરા માર્યા અને પરિવાર કાયમ માટે પોઢી ગયું હતું. પુત્ર મિત્તુલને શેરબજારમાં દેવું થતાં પરિવાર ભીંસમાં મૂકાયું મુકેશભાઈનો યુવાન પુત્ર મિત્તુલ હાલમાં કોઈ કામધંધો કરતો ન હોઈ મુકેશભાઈને બેકાર પુત્રનું પણ ભરણપોષણ કરવાની ફરજ પડી હતી. મળતી વિગતો મુજબ મિત્તુલને તેના આડોશપાડોશમાં કોઈની સાથે મિત્રતા નહોંતી અને અગાઉ તે શેરબજારનું કામ કરતો હતો તેમાં તેને ખોટ ગઈ હતી. પુત્રએ દેવાળું ફુંકતા મધ્યમવર્ગીય પરિવાર આર્થિક ભીંસમાં મુકાયું હતું અને પુત્રની નિષ્ફળતાના કારણે સમગ્ર પરિવારનો ભોગ લેવાયો હોવાનું પણ મનાઈ રહ્યું છે. પરિવારને સંબંધી કે પડોશીઓ સાથે કોઈ સંપર્ક ન હતો! મુકેશભાઈ પંચાલે પુત્ર અને પત્ની સાથે આપઘાત કર્યાની જાણ થતાં જ મુકેશભાઈના બે સગા ભાઈઓ જે વડોદરામાં રહે છે તે પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. પોલીસે આ બંને ભાઈઓની તેમજ મુકેશભાઈના પાડોશીઓની પુછપરછ કરી હતી જેમાં એવી વિગતો મળી હતી કે મુકેશભાઈ અને તેમના પરિવારને છેલ્લા દસેક વર્ષથી ભાઈઓ કે અત્રે રહેતા સંબંધીઓ સાથે સંપર્ક નહોંતો અને માત્ર મરણપ્રસંગોમ ક્યારેક ભેગા થતા હતા.
    વધુ વાંચો
  • ગુજરાત

    દાંડિયાબજાર કાછિયાપોળમાં મોડી રાત્રે સર્જાઈ હૃદયદ્રાવક કરુણાંતિકા : માતા-પિતા અને પુત્રનો સામુહિક આપઘાત

    વડોદરા, તા.૧શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતી ડિવોર્સી માતાએ તેની સગી બે પુત્રીઓની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યાના બનાવની શાહી સૂકાય તે અગાઉ આજે રાવપુરા વિસ્તારમાં રહેતાં પંચાલ પરિવારના દંપતી અને તેઓના યુવાન પુત્રએ સામુહિક આપઘાત કરી લેતા ચકચાર મચી છે. ભાડાના મકાનમાં રહેતાં પરિવારના સામૂહિક આપઘાતના બનાવમાં આર્થિક ભીંસ કારણ કારણભૂત હોવાની વિગતો સપાટી પર આવતાં કાળઝાળ મોંઘવારીમાં વધુ એક પરિવાર પીંખાયું છે. આ બનાવની જાણ થતાં જ શહેર પોલીસ તંત્રના ઉચ્ચાધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો અને માતા-પુત્રના મૃતદેહને તેમજ ગંભીર રીતે ઈજાગ્રસ્ત પિતાને સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જેમાં પિતાનું પણ સારવારના અંતે મોડી સાંજે મોત નીપજ્યું હતું. શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં પિરામિતાર રોડ પર કાછિયાપોળમાં આવેલી પીઠ્ઠળ કૃપા બિલ્ડિંગના બીજા માળે ભાડાના મકાનમાં રહેતા ૪૭ વર્ષિય મુકેશભાઈ ભોગીલાલ પંચાલ સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા જયારે તેમના પત્ની ૪૫ વર્ષીય નયનાબેન વ્યવસાયે ગૃહિણી હતી અને ૨૨ વર્ષીય પુત્ર મિત્તુલ શેરબજારનું કામ કરતો હતો. આજે વહેલી સવારે મુકેશભાઈના મકાનમાંથી બચાવો..બચાવો..ની ચીસો સાંભળવા મળતા જ નીચેના પહેલા માળે રહેતા મકાનમાલિકની પત્ની તુરંત ઉપરના માળે દોડી ગયા હતા. તેમણે ઉપરના માળે જાેતા જ પહેલા રૂમમાં મુકેશભાઈ લોહીલુહાણ હાલતમાં હતા અને તેમણે જણાવ્યું હતું કે અંદરના રૂમમાં મારી પત્ની અને પુત્રએ આપઘાત કરી લીધો છે એટલે મેં પણ મરી જવા માટે મારા ગળા પર ચાકુ અને બ્લેડના ચીરા માર્યા છે. મકાનમાલિકની પત્નીએ અંદર જાેતા મિત્તુલે સિલીંગ ફેનની બાજુની હીંચકાના હુકમાં દોરડી વડે ફાંસો ખાઈને લટકતો હોવાની તેમજ અન્ય રૂમમાં નયનાબેન પણ ચત્તા મોંઢે જમીન પર પડેલા હોવાની અને તેમની આજુબાજુમાં લીલા રંગનું પ્રવાહી અને ઝેરની બોટલો પડેલી જાેતા જ તેમણે તુરંત બહાર દોટ મૂકી હતી અને તેમના પરિવારજનો અને પાડોશીઓને મદદ માટે આવવા માટે બુમો પાડી હતી. મુકેશભાઈ લોહીલુહાણ હાલતમાં કણસતા હોઈ તેમને તુરંત ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. બીજીતરફ ભરચક વિસ્તારમાં આ બનાવની જાણ થતાં ટોળેટોળે ઘટનાસ્થળે ભેગા થયા હતા જેમાં પુત્ર અને માતા સંભવિત મૃત હાલતમાં હોવાની જાણ થતાં આ બનાવની પોલીસને જાણ કરાઈ હતી. બનાવના પગલે ઝોન-૨ના ડીસીપી અભય સોની તેમજ રાવપુરા પોલીસ મથકના પીઆઈ પી.જે.તિવારી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે નયનાબેન અને મિત્તુલના મૃતદેહોને સયાજી હોસ્પિટલમાં ખસેડી એફએસએલની ટીમને ઘટનાસ્થળે બોલાવી બનાવની તપાસ શરૂ કરી હતી. આ બનાવ હત્યા કે આપઘાતનો છે તેની પ્રાથમિક વિગતો મેળવવા મેળવવા માટે પોલીસે ઈજાગ્રસ્ત મુકેશભાઈની પુછપરછ કરી હતી જેમાં તેમણે આર્થિક સંકળામણના કારણે પત્ની અને પુત્રએ આપઘાત કરી તેમણે પણ જાતે ગળા પર ચીરા મારી આપઘાતનો પ્રયાસ કર્યો છે તેટલી વિગતો જણાવી હતી. જાેકે મુકેશભાઈને ગળાના ભાગે ઉંડે સુધી ઈજા હોઈ તેમની ઘનિષ્ટ સારવાર હાથ ધરાઈ હતી પરંતું મોડી સાંજે તેમનું પણ કરુણ મોત નીપજતા સમગ્ર પરિવાર આર્થિક ભીંસના કારણે પીંખાયો હતો. આ બનાવનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે ઘટનાસ્થળેથી મિત્તુલનો મોબાઈલ ફોન તેમજ જંતુનાશક દવાની બે બોટલ તેમજ લોહીથી ખરડાયેલા ચાકુ અને બ્લેડ કબજે કર્યા હતા. આ પૈકીના નયનાબેનના મૃતદેહ પાસેથી ડાયરી પણ મળી હતી જે પોલીસે કબજે કરી હતી, પરંતું ડાયરીમાં કોઈ ફળદાઈ વિગતો મળી નથી તેમ ડીસીપી અભય સોનીએ જણાવ્યું હતું. પંચાલ પરિવાર આર્થિક ભીંસમાં હોઈ અને તેમને એક માસમાં મકાન ખાલી કરવાની તાકિદ કરાઈ હતી અને આજે મુદતનો છેલ્લો દિવસ હોવાની પોલીસને વિગતો સાંપડતા પોલીસે નવા મકાનમાલિક વિવેક સિંહાની પણ પુછપછર હાથ ધરી હતી.
    વધુ વાંચો