રમત ગમત સમાચાર

  • રમત ગમત

    દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર લિઝાદ વિલિયમ્સ દિલ્હી કેપિટલ્સ સાથે જાેડાયા

    મુંબઇ,તા.૮દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર લિઝાદ વિલિયમ્સને દિલ્હી કેપિટલ્સે ખરીદ્યો હતો. તે ઈંગ્લેન્ડના હેરી બ્રુકના સ્થાને ટીમમાં સામેલ થયો છે. ઇંગ્લિશ બેટ્‌સમેન હેરી બ્રુકે અંગત કારણોસર સિઝનની શરૂઆત પહેલા જ ૈંઁન્માંથી ખસી ગયો હતો. ૨૫ વર્ષીય બ્રુકને છેલ્લી હરાજીમાં દિલ્હી કેપિટલ્સે ૪ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.ટીમે લિઝાદ વિલિયમ્સને ૫૦ લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝ પર સામેલ કર્યો છે.વિલિયમ્સે ્‌૨૦ ક્રિકેટમાં ૧૦૬ વિકેટ લીધી હતી૨૦૨૧ માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યા પછી, વિલિયમ્સ દક્ષિણ આફ્રિકા માટે બે ટેસ્ટ, ચાર વનડે અને ૧૧ ્‌૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. આ સિવાય લિઝાડ વિલિયમ્સે પોતાની કારકિર્દીમાં કુલ ૮૩ મેચ રમી છે જેમાં તેણે ૧૦૬ વિકેટ ઝડપી છે.જીછ૨૦ લીગમાં ચોથો ટોચનો વિકેટ લેનારલિઝાદ વિલિયમ્સ જીછ૨૦ લીગમાં ચોથો સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલી લીગમાં વિલિયમ્સે જાેબર્ગ સુપર કિંગ્સ તરફથી રમતા ૯ મેચમાં કુલ ૧૫ વિકેટ ઝડપી હતી.વિલિયમ્સ પણ વર્લ્ડ કપનો ભાગ હતોલિઝાદ વિલિયમ્સ ભારતમાં યોજાયેલા ૨૦૨૩ ર્ંડ્ઢૈં વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાની ટીમનો પણ ભાગ હતો. વિલિયમ્સ વર્લ્ડ કપમાં માત્ર એક જ મેચ રમ્યો હતો. આ એકમાત્ર મેચમાં તેણે ૨ વિકેટ ઝડપી છે.
    વધુ વાંચો
  • રમત ગમત

    યુએસમાં સ્થાયી વડોદરાના પ્લેયરના ટીટી સેન્ટરને આઈટીટીએફની હોટસ્પોટ ટ્રેનિંગ સેન્ટર તરીકે માન્યતા

    વડોદરા, તા.૮મૂળ વડોદરાના એન્જિનિયર નેશનલ ટેબલટેનિસ પ્લેયર અને પાછલાં કેટલાંક વર્ષોથી અમેરિકામાં આઈસીસી ટેનિસ સેન્ટર નામે લાર્જેસ્ટ ટેબલ ટેનિસ પ્રોગ્રામ ચલાવતાં રાજુલ શેઠને વર્ષ ૨૦૧૯માં કેલિફોર્નિયાના કોમ્યુનિટી હીરો એવોર્ડ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા છે. જ્યારે તેમનો પુત્ર વેદ અમેરિકાની અન્ડર-૧૯ ટીટીમાં બીજાે રેન્ક ધરાવે છે.અમેરિકામાં છેલ્લાં ૧૪ વર્ષથી રાજુલ શેઠ આઈટીટીએફ રેકગ્નાઈઝ આઈસીસી ટેબલ ટેનિસ સેન્ટર ચલાવે છે જેમાં ૧ર ફૂલટાઈમ અને ૧૦ પાર્ટટાઈમ કોચિસ છે. આ સેન્ટર ખાતે ટીટીના ૩૦ ટેબલ્સ છે અને ટેનિસ પ્રોગ્રામ અંતર્ગત યોજાતી લીગ ટુર્નામેન્ટમાં પ૦૦ પ્લેયર્સ ભાગ લે છે. દર વર્ષે ભારતમાંથી ૧૦ પ્લેયર્સને સ્પોન્સરશિપ આપીને સમરકેમ્પ માટે આમંત્રિત કરવામાં આવે છે.રાજુલ શેઠ ભૂતપૂર્વ સ્ટેટ ચેમ્પિયન અને નેશનલ પ્લેયર રહી ચૂકયા છે. જ્યારે તેમનો પુત્ર વેદ યુએસએની અન્ડર-૧૯ ટીમમાં બીજાે રેન્ક અને મેન્સ ટીમમાં પાંચમો રેન્ક ધરાવે છે.
    વધુ વાંચો
  • રમત ગમત

    નીતા અંબાણી અને તેંડુલકરે બાળકોની જિંદગીમાં રમત-ગમતના રંગ પૂર્યા

    મુંબઈ, તા.૮સમગ્ર મુંબઈની વિવિધ એનજીઓના ૧૮,૦૦૦ બાળકોની હાજરીમાં મુંબઈ ઈન્ડિયન્સે રવિવારે દિલ્હી કેપિટલ્સ સામે વિજય મેળવ્યો એ સાથે મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા એમ અંબાણી અને મુંબઈ ઈન્ડિયન્સના આઇકન સચિન તેંડુલકરે શા માટે એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્‌સ ફોર ઓલ (ઇએસએ) દિવસ આટલો ખાસ છે અને મુંબઈ ઈન્ડિયન્સની ઈકોસિસ્ટમમાં દરેક માટે તે કેમ અનોખો છે તે વિશે વાત કરી હતી.નીતા અંબાણીએ મેચ દરમિયાન સ્ટેન્ડમાં બાળકો સાથે સમય વિતાવ્યો અને તેમના અનુભવો અંગે તેમની સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્‌સ ફોર ઓલ પહેલના મહત્વ વિશે બોલતા નીતા અંબાણીએ કહ્યું કે “બાળકોના કારણે સ્ટેડિયમમાં ઘણી હકારાત્મકતા અને આનંદ આવ્યો છે. પ્રેક્ષકોમાં હાજર ૧૮૦૦૦ બાળકો વિવિધ એનજીઓ તરફથી આવ્યા છે. હું માનું છું કે રમત ક્યાંય ભેદભાવ કરતી નથી અને પ્રતિભા ગમે ત્યાંથી આવી શકે છે. કદાચ આમાંથી એક બાળક રમત-ગમતના શિખરે પહોંચશે અને હું આશા રાખું છું કે તેઓ આ અનુભવમાંથી ઘણી આનંદપ્રદ યાદો લઈને જશે અને તેઓ પોતાના સપનામાં વિશ્વાસ મૂકવાની શક્તિ અને હિંમત મેળવશે.”તેંડુલકરે પોતાની સ્ટેડિયમની પ્રથમ મુલાકાત કેવી હતી તે વિશે અને તેને એ મુલાકાત હજુ પણ બરાબર કેવી રીતે યાદ છે તે વિશે વાત કરી હતી. તેમણે બાળકોને જીવન બદલી શકે તેવા અનુભવો પૂરા પાડવાના શ્રીમતી અંબાણીના વિઝનને પણ શ્રેય આપ્યો હતો અને કહ્યું કે “ખેલાડીઓ આ જ ઈચ્છે છેઃ સકારાત્મકતા. આ એવું જ છે જે મેં વર્ષો વર્ષ અનુભવ્યું છે અને તે ઉત્તરોત્તર સારું બની રહ્યું છે. મારા માટે બાળકો ભવિષ્ય છે. જાે આપણે આવતીકાલ સારી ઈચ્છીએ છીએ તો આપણે આજે તેના પર કામ કરવાની જરૂર છે. નીતા અંબાણીના માર્ગદર્શન હેઠળ રિલાયન્સ ફાઉન્ડેશને વિશ્વભરના અનેક બાળકોને તકો પૂરી પાડી છે. મને આશા છે કે શિક્ષણની સાથે સાથે રમત-ગમતના ક્ષેત્રે પણ તેઓ પોતાનું યોગદાન આપવાનું ચાલુ રાખશે.બાળકો રમતના ક્ષેત્રમાંથી લઈ શકે અને જે તેમને આગળ વધવામાં અને તેમના વિકાસમાં મદદ કરી શકે તેવા વિવિધ બોધપાઠો અંગે પણ નીતા અંબાણીએ વાત કરી હતી. “અમે ૧૪ વર્ષ પહેલા ઇએસએની શરૂઆત કરી હતી અને આ પહેલ સમગ્ર ભારતમાં ૨૨ મિલિયન બાળકો સુધી પહોંચી છે. જેમ સચિન કહે છે તેમ હું માનું છું કે દરેક બાળકને રમવાનો અધિકાર અને શિક્ષણનો અધિકાર હોવો જાેઈએ. બાળકો જેટલું વર્ગખંડમાં શીખે છે તેટલું જ રમતના મેદાનમાં પણ શીખે છે. રમતગમત તેમને ઘણી બધી બાબતો શીખવે છે જેમ કે શિસ્ત અને સખત પરિશ્રમ અને સૌથી વધારે તો તેમના પ્રગતિપથમાં જીત અને હારને કઈ રીતે લેવી. ઇએસએ ભારતના છેવાડાના ગામડાં અને શહેરોના નાના બાળકો માટે લાખો તકોના દરવાજા ખોલે છે.”નીતા અંબાણીએ એમ પણ કહ્યું હતું કે આ મેચ એક એવી મેચ છે જેની દરેક વ્યક્તિ સૌથી વધુ રાહ જાેવે છે અને ખેલાડીઓએ પણ આ ઉત્સાહી બાળકોની સામે રમવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. “આ મેચ ખેલાડીઓ, સ્ટાફ અને કોચની સૌથી મનગમતી મેચ છે. અમે આ દિવસની ખૂબ જ ઉત્સાહ સાથે રાહ જાેઈ રહ્યા છીએ,” તેમ અંતે તેમણે કહ્યું હતું.એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્‌સનો સમન્વય, ઇએસએ (એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્‌સ ફોર ઓલ)ના સંદેશને એમઆઇ ગર્વથી તેની તમામ ટીમોની સ્લીવ્ઝ પર ધારણ છે, આ સંદેશ તમામ પૃષ્ઠભૂમિના બાળકો માટે શૈક્ષણિક તકો અને રમતગમતના અનુભવોને સુલભ બનાવવાનો પ્રયાસ કરે છે અને તે બાળકોને સપનાં સાકાર કરવા માટે પ્રોત્સાહિત કરે છે. વર્ષ ૨૦૧૦માં તેની શરૂઆત થઈ ત્યારથી ઇએસએ પહેલ મુંબઈ ઈન્ડિયન્સની યુવાનોને મનોરંજન અને પ્રેરણા આપવાની પ્રતિબદ્ધતાના મૂળમાં રહી છે અને તે હજારો બાળકોને જીવનને પરિવર્તિત કરી શકે તેવી તકો પૂરી પાડે છે.રિલાયન્સ ફાઉન્ડેશન તેની સર્વગ્રાહી ‘વી કેર’ ફિલસૂફી મુજબ વર્ષ દરમિયાન ઇએસએ દ્વારા શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિઓ કરે છે.
    વધુ વાંચો
  • રમત ગમત

    આઈપીએલ ૨૦૨૪માં કોલકાતા નાઈટ રાઈડર્સની મેચમાં જાેવા મળેલી પહેલી ‘મિસ્ટ્રી ગર્લ’

    મુંબઇ,તા.૬આઈપીએલ ૨૦૨૪નો ઉત્સાહ ચરમસીમાએ છે. તમામ ટીમો લગભગ ૪-૪ મેચ રમી છે. ટૂર્નામેન્ટ દરમિયાન ચાહકોને ઘણી રોમાંચક મેચો જાેવા મળી રહી છે. અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં માત્ર બે જ ટીમો એવી છે જેણે પોતાની તમામ મેચ જીતી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ આ બંને ટીમો આઈપીએલ૨૦૨૪માં અત્યાર સુધી ૩-૩ મેચ રમી ચૂકી છે અને બંને ટીમોએ ત્રણમાંથી ત્રણ મેચ જીતી છે.હાલમાં શ્રેયસ અય્યરની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ ૩ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. જ્યારે અત્યાર સુધી શ્રેયસ અય્યર આઈપીએલ ૨૦૨૪માં કંઈ ખાસ કરી શક્યો નથી, તેમ છતાં કેકેઆરનો કેપ્ટન આ કારણે સોશિયલ મીડિયા પર છવાયેલો છે. કારણ છે આઈપીએલ ૨૦૨૪માં દેખાતી મિસ્ટ્રી ગર્લ અને શ્રેયસને ચીયર અપ કરી રહી છે.ખરેખર, આઈપીએલ ૨૦૨૪માં જ્યારે પણ કેકેઆરની મેચ હોય છે ત્યારે કેમેરામેનનું ધ્યાન એક મિસ્ટ્રી ગર્લ પર જાય છે. જે દરેક મેચમાં કેકેઆરને સપોર્ટ કરવા આવે છે. જેનો એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે વીડિયો દેખાઈ રહ્યા છે, જેમાં એક વર્લ્ડ કપ ૨૦૨૩નો છે જેમાં સ્ટેડિયમમાં હાજર મિસ્ટ્રી ગર્લ શ્રેયસ અય્યરની શાનદાર બેટિંગ બાદ ઉભા રહીને તાળીઓ પાડતી જાેવા મળે છે.જ્યારે બીજા વીડિયોમાં દ્ભદ્ભઇ મેચ દરમિયાન ઐય્યરની બેટિંગ દરમિયાન , તે જાેવા મળે છે મિસ્ટ્રી ગર્લ દ્ભદ્ભઇનો ધ્વજ લહેરાવતી જાેવા મળે છે.
    વધુ વાંચો
  • રમત ગમત

    છેલ્લી ટેસ્માં શ્રીલંકાએ બાંગ્લાદેશને ૧૯૨ રને હરાવીને ૨-૦થી ક્લીન સ્વીપ

    ચટ્ટોગામ,તા.૩બે ટેસ્ટ મેચની શ્રેણીની છેલ્લી મેચમાં શ્રીલંકાએ બાંગ્લાદેશને ૧૯૨ રને હરાવીને ૨-૦થી ક્લીન સ્વીપ કર્યું હતું. શ્રીલંકા તરફથી ચોથી ઇનિંગમાં ફાસ્ટ બોલર લાહિરુ કુમારાએ ૫૦ રનમાં ચાર વિકેટ ઝડપી હતી. શ્રીલંકાએ પ્રથમ ટેસ્ટ મેચ ૩૨૮ રને જીતી હતી અને બીજી મેચ જીતીને તેણે બાંગ્લાદેશમાં ટેસ્ટ મેચ ન હારવાનો રેકોર્ડ જાળવી રાખ્યો હતો. શ્રીલંકાએ અગાઉ ટી-૨૦ શ્રેણી ૨-૧થી જીતી હતી.જાેકે, તે સમાન અંતરથી ર્ંડ્ઢૈં શ્રેણી હારી ગઈ હતી. ૫૧૧ રનના લક્ષ્યાંતકનો પીછો કરતા બાંગ્લાદેશે મેચના પાંચમા અને અંતિમ દિવસે સવારે ૭ વિકેટે ૨૬૮ રન બનાવીને તેનો દાવ આગળ વધાર્યો હતો અને તેની આખી ટીમ ૩૧૮ રનમાં આઉટ થઈ ગઈ હતી. મેહદી હસન મિરાજ ૮૧ રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે પોતાની ઈનિંગમાં ૧૦૦ બોલ રમ્યા અને ૧૪ ચોગ્ગા ફટકાર્યા.કમિન્દુ મેન્ડિસે દિવસની ચોથી ઓવરમાં તૈજુલ ઈસ્લામને આઉટ કરીને શ્રીલંકાને દિવસની પ્રથમ સફળતા અપાવી. ત્યારબાદ કુમારાએ હસન મહમૂદ અને સૈયદ ખાલિદ અહેમદને આઉટ કરીને શ્રીલંકાને જીત અપાવી હતી. શ્રીલંકાએ પ્રથમ દાવમાં ૫૩૧ રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં છ બેટ્‌સમેનોએ અડધી સદી ફટકારી હતી.આ રીતે કોઈ પણ બેટ્‌સમેન સદી ફટકાર્યા વિના સર્વોચ્ચ સ્કોર બનાવવાનો રેકોર્ડ શ્રીલંકાના નામે નોંધાયો હતો. શ્રીલંકાએ બાંગ્લાદેશને ૧૭૮ રનમાં ઓલઆઉટ કરીને ૩૫૩ રનની લીડ મેળવી હતી પરંતુ ફોલોઅપ કર્યું ન હતું. શ્રીલંકાએ તેનો બીજાે દાવ સાત વિકેટે ૧૫૭ રન પર ડિકલેર કર્યો હતો.
    વધુ વાંચો
  • રમત ગમત

    ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ૨૮ એપ્રિલથી પાંચ મેચની ટી૨૦ શ્રેણી માટે બાંગ્લાદેશના પ્રવાસે જશે

    ઢાકા,તા.૩ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ૨૮ એપ્રિલથી ૯ મે સુધી પાંચ મેચની ટી૨૦ આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે બાંગ્લાદેશના પ્રવાસે જશે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) દ્વારા શેર કરવામાં આવેલા પ્રવાસ કાર્યક્રમ મુજબ, ભારત ૨૩ એપ્રિલે બાંગ્લાદેશ પહોંચશે અને ૧૦ મેના રોજ ઘરે જવા રવાના થશે. સિરીઝની પ્રથમ મેચ ડે-નાઈટ હશે અને ૨૮ એપ્રિલે રમાશે. અન્ય મેચો બાદમાં ૩૦ એપ્રિલ (ડે-નાઈટ), ૨ મે, ૬ મે અને ૯ મે (ડે-નાઈટ) રમાશે. તમામ મેચ સિલ્હટમાં રમાશે.ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પાંચ મેચની સીરિઝ ્‌૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ માટે બંને ટીમો માટે શાનદાર તૈયારી હશે. આ ટુર્નામેન્ટ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં બાંગ્લાદેશમાં યોજાશે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ માટે મોટી ટૂર્નામેન્ટ પહેલા પરિસ્થિતિને અનુરૂપ બનવાની આ એક મોટી તક હશે.ભારતીય ટીમ ૨૩ એપ્રિલે બાંગ્લાદેશ પહોંચશે. તેની પાસે શ્રેણીની તૈયારી માટે સારો સમય હશે. ટી૨૦ સીરીઝ માટે ભારતીય ટીમમાં કોણ હશે તે હજુ સુધી જાણી શકાયું નથી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ઉઁન્ ૨૦૨૪માં સારું પ્રદર્શન કરનાર કેટલાક ખેલાડીઓને શ્રેણીમાં તક મળી શકે છે.છેલ્લા બે વર્ષમાં ભારતીય મહિલાઓનો બાંગ્લાદેશનો આ બીજાે પ્રવાસ છે અને એકંદરે ત્રીજાે પ્રવાસ છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમે ગત પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
    વધુ વાંચો
  • રમત ગમત

    ચાર ખેલાડીઓને સુપરમેન સૂટ પહેરવાની સજા

    મુંબઇ,તા.૩આઈપીએલ ૨૦૨૪માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં રમી રહી છે. આ સિઝનમાં હાર્દિકની કેપ્ટનશિપમાં મુંબઈની શરૂઆત ખૂબ જ ખરાબ રહી છે. ટીમે અત્યાર સુધી ત્રણ મેચ રમી છે અને ત્રણેયમાં હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પણ પોતાના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં જીતી શકી નથી. ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી હાર બાદ ફ્રેન્ચાઈઝીએ મુંબઈ ઈન્ડિયન્સના કેટલાક ખેલાડીઓને ખાસ સજા આપી હતી. જે બાદ મુંબઈના ખેલાડીઓએ આ કામ કરવું પડ્યું. જેમાં ટીમનો વિકેટકીપર બેટ્‌સમેન ઈશાન કિશન પણ સામેલ છે.ત્રીજી મેચ દરમિયાન એરપોર્ટ પર ઈશાન કિશન સહિતના ચાહકો અને કેટલાક ખેલાડીઓ સુપરમેન સૂટ પહેરેલા જાેવા મળ્યા હતા. આ ખેલાડીઓને જાેઈને ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જે પછી ચાહકો એ પણ જાણવા માંગે છે કે ફ્રેન્ચાઇઝીએ આ ખેલાડીઓને આ વિચિત્ર સજા કેમ આપી. વાસ્તવમાં આ ચારેય ખેલાડીઓ ફ્રેન્ચાઈઝી મીટિંગમાં મોડા પહોંચ્યા હતા. મીટિંગમાં મોડા પહોંચવા બદલ, ફ્રેન્ચાઇઝીએ તેને આ સુપરમેન સૂટ પહેરીને સજા કરી. આ ખેલાડીઓના આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સે પોતે આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જે બાદ ચાહકો આ ખેલાડીઓની ખૂબ મજા લઈ રહ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આઈપીએલ ૨૦૨૪ની પ્રથમ જીતની શોધમાં છે. આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી મુંબઈને ગુજરાત ટાઇટન્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો છે. હવે મુંબઈની આગામી મેચ દિલ્હી કેપિટલ્સ સાથે ૭ એપ્રિલે વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મેચ જીતીને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ જીત હાંસલ કરવા ઈચ્છશે.
    વધુ વાંચો
  • રમત ગમત

    આજે દિલ્હી અને કેકેઆર વચ્ચે મેચ રમાશે બોલિંગમાં ધડાકો થશે કે બેટિંગમાં તોફાન?

    વિશાખાપટ્ટનમ,તા.૨ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૪ની ૧૬મી મેચ દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. આઈપીએલની ૧૭મી સિઝનની આ ટક્કર ડૉ. વાય.એસ. રાજશેખર રેડ્ડી વિશાખાપટ્ટનમ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે. આ મેદાન પર દિલ્હી કેપિટલ્સ ટીમ તેની બીજી મેચ રમવા જઈ રહી છે. દિલ્હીએ વિશાખાપટ્ટનમમાં જ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે આ સિઝનની પ્રથમ જીત મેળવી હતી. આવી સ્થિતિમાં ઋષભ પંતની આગેવાની હેઠળની દિલ્હીની ટીમ કેકેઆર સામે પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવા માંગશે. જાે કે, તે તેના માટે બિલકુલ સરળ રહેશે નહીં. કેકેઆર ટીમ આ સિઝનમાં પોતાની બંને મેચ જીતીને દિલ્હીને ટક્કર આપવા જઈ રહી છે. દિલ્હી અને કેકેઆર વચ્ચેની મેચ માટે પિચ કેવી રહેશે.વિશાખાપટ્ટનમના મેદાનની પીચ બેટ્‌સમેનોને ઘણી મદદ કરે છે. સારા બાઉન્સને કારણે બોલ અને બેટનો સંપર્ક ઘણો સારો છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે મેચ હાઇ સ્કોરિંગ હશે. જાે કે બોલરોને પણ આ પીચમાંથી મદદ મળી શકે છે, પરંતુ આ માટે તેમણે યોર્કર અને બાઉન્સરનો યોગ્ય રીતે ઉપયોગ કરવો પડશે. આ સિવાય સપાટ પિચને કારણે બેટ્‌સમેનોને સ્પિન સામે મુક્તપણે રમવાની સ્વતંત્રતા મળે છે. આવી સ્થિતિમાં દિલ્હી અને કેકેઆર વચ્ચેની મેચમાં ચોગ્ગા અને છગ્ગાની બોલબાલા જાેવા મળી શકે છે.ટોસની વાત કરીએ તો આ પિચ પર તેની વધારે અસર જાેવા મળતી નથી.
    વધુ વાંચો
  • રમત ગમત

    વાનખેડે સ્ટેડિયમમાં ક્રાઉડે ફરીથી હાર્દિક પંડ્યા વિરુદ્ધ ખુબ હૂટિંગ કર્યું

    મુંબઇ,તા.૨મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સોમવારે વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી રાજસ્થાન રોયલ્સ સામેની મેચ ગુમાવ્યા બાદ સ્વીકારી લીધુ કે તેની વિકેટે અંતર પેદા કર્યું અને તે વધુ સારું પ્રદર્શન કરી શકે તેમ હતો. મુંબઈના ૧૨૬ રનના લક્ષ્યાંકનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સે રિયાન પરાગના ૩૯ બોલમાં ૫ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી કરાયેલા ૫૪ રનની મદદથી ૧૫.૩ ઓવરમાં જ ચાર વિકેટ પર ૧૨૭ રન બનાવીને જીત નોંધાવી દીધી. મુંબઈની આ સતત ત્રીજી હાર છે અને તે હજુ પણ આ સીઝનમાં ખાતું ખોલાવવાની જદ્દોજહેમત કરી રહ્યું છે. હાર્દિક પંડ્યાએ મેચ બાદ કહ્યું કે અમે એ રીતે શરૂઆત ન કરી શક્યા જેવી અમે ઈચ્છતા હતા. મને લાગે છે કે અમે ૧૫૦ કે ૧૬૦ રન સુધી પહોંચવા માટે ખુબ સારી સ્થિતિમાં હતા પરંતુ મને લાગે છે કે મારી વિકેટે રમત પલટી નાખી અને તેમણે મેચની સારી સ્થિતિમાં લાવી દીધી. મને લાગે છે કે હું સારું કરી શકું તેમ હતો. બોલરને કઈક મદદ મળે તે સારું છે. આ ખેલ બોલરો માટે ખુબ ક્રૂર છે. એક સમૂહ તરીકે અમારું માનવું છે કે અમે આગળ જઈને અનેક સારી વસ્તું કરી શકીએ તેમ છીએ અને અમારે બસ વધુ અનુશાસિત થવાની જરૂર છે અને વધુ સાહસ દેખાડવાની જરૂર છે. ટોસ દરમિયાન વાનખેડે સ્ટેડિયમમાં ક્રાઉડે ફરીથી હાર્દિક પંડ્યા વિરુદ્ધ ખુબ હૂટિંગ કર્યું. હાલત એટલા ખરાબ હતા કે કોમેન્ટેટર સંજય માંજરેકરે ટોસ દરમિયાન ફેન્સને શાલીનતાથી વર્તવાની અપીલ કરવી પડી.
    વધુ વાંચો
  • રમત ગમત

    અચાનક ગ્રાઉન્ડ પર એક વ્યક્તિ દોડયો ઃરોહિતને ગળે લગાવી અને હાથ મિલાવ્યો

    મુંબઇ,તા.૨વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચમાં રોહિત શર્મા થોડી ક્ષણો માટે ડરી ગયો. બન્યું એવું કે ચાલુ મેચ દરમિયાન એક પ્રશંસક પાછળથી રોહિત શર્માનો સંપર્ક કર્યો. રોહિતનો ફેન એ રીતે તેની પાસે ગયો કે રોહિત એકદમ ચોંકી ગયો. આ પછી પ્રશંસકે તેને ગળે લગાવ્યો અને પછી સુરક્ષાકર્મીઓ તેને લઈ ગયા.આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ મેચમાં ફરી એકવાર ફેન્સ રોહિતને સપોર્ટ કરી રહ્યા છે. આ પહેલા આરસીબી મેચમાં પણ એક દર્શક મેદાનમાં ઘુસીને વિરાટ કોહલીને મળ્યો હતો. જ્યારે આ ફેન રોહિત પાસે પહોંચ્યો ત્યારે તે સ્લિપમાં ઉભો હતો અને બીજા ફિલ્ડરને કેટલીક સૂચનાઓ આપી રહ્યો હતો. તેણે તેના પર બિલકુલ ધ્યાન ન આપ્યું. આટલું જ નહીં તેની બાજુમાં ઊભેલો વિકેટ કીપર ઈશાન પણ આ તરફ ધ્યાન આપી શક્યો નહીં. આવી સ્થિતિમાં, જ્યારે ફેન અચાનક રોહિતને ગળે લગાવવા માંગતો હતો, ત્યારે તે ચોંકી ગયો હતો અને પાછળ ગયો હતો. તે જ સમયે તેની બાજુમાં ઉભેલા ઈશાન કિશન પણ ચોંકી ગયો. જાે કે આ પછી રોહિતે પોતાના ફેન્સની ઈચ્છા પૂરી કરી અને તેને ગળે લગાડ્યો. આ પછી ફેન્સ પણ તેની સાથે હાથ મિલાવવા માંગતો હતો.ગ્રાઉન્ડ પર હાજર રોહિતને ગળે લગાવ્યા અને હાથ મિલાવ્યા પછી આ ફેન ઈશાન કિશન તરફ વળ્યો. પછી તેણે ઈશાન કિશનને પણ ગળે લગાડ્યો અને આ પછી તે પોતાના બંને હાથ હવામાં લહેરાતા ખુશીથી મેદાનની બહાર ભાગવા લાગ્યો.
    વધુ વાંચો