રમત ગમત સમાચાર
-
IPL 2021 : મુંબઈમાં કોરોનાનું સંક્રમણ વધતા આ રાજયમાં રમાઇ શકે છે IPL
- 28, ફેબ્રુઆરી 2021 03:42 PM
- 3715 comments
- 6455 Views
મુંબઈ-મુંબઈમાં કોરોનાનું સંક્રમણ વધતા IPL 2021 નું સ્થળ બદલાય તેવી શક્યતા છે. IPLની 2021ની સિઝન ભારતમાં રમાશે. જેની જાહેરાત BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કરી હતી. પણ હાલ મળતી માહિતી પ્રમાણે અમદાવાદના ક્રિકેટ પ્રેમીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. PTI ના જણાવ્યા પ્રમાણે આઇપીએલ 2021ની સિઝનની પ્લે ઓફ અને ફાઇનલ મેચ અમદાવાદમાં નવનિર્મિત નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાઇ શકે છે. જ્યારે આઇપીએલ 2021ની લીગ કક્ષાની મેચ દેશના ત્રણ શહેરોમાં રમાડવા માટે ચર્ચાઓ ચાલી રહી છે. આ શહેરમાં હૈદરાબાદ, બેંગલુરૂ અને કલકત્તા પ્રમુખ સ્થાને ચાલી રહ્યા છે. જોકે મુંબઇમાં પણ મેચના આયોજન માટે વિચારણા છે. પરંતુ કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને મુંબઇમાં મેચ રમાડવી કે નહીં તેનો નિર્ણય હાલ લેવાયો નથી. આઇપીએલની મેચ અમદાવાદમાં થવા માટેનું સૌથી મોટું કારણ આ સ્ટેડિયમની સૌથી વધુ બેઠક ક્ષમતા છે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં કુલ બેઠક ક્ષમતા 1.32 લાખની છે. જો કોરોનાની હાલની ગાઇડલાઇનને પણ ધ્યાનમાં લેવામાં આવે તો 50 ટકા બેઠક ક્ષમતા પ્રમાણે 66,000 દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. જ્યારે આ સ્ટેડિયમમાં કુલ 11 પિચ છે જે ટીમો માટે અનુકુળ રહેશે.વધુ વાંચો -
મોટેરાની પીચ એવી નહોતી જ્યાં બોલ સતત ખરાબ વ્યવહાર કરી રહ્યો હતોઃ ગાવસ્કર
- 27, ફેબ્રુઆરી 2021 07:28 PM
- 9219 comments
- 6046 Views
મુંબઇ-ભારતીય ટીમએ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાતી સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને ૧૦ વિકેટથી હરાવી દીધું. આ મેચ બે દિવસ જ ચાલી શકી ત્યારબાદ પિચને લઇ ચર્ચા શરૂ થઇ ગઇ. આ અંગે દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગવાસ્કરએ કહ્યું કે પિચ પર જરૂરી ટર્ન અને બાઉન્સ મળી રહ્યા હતા પરંતુ ટેસ્ટ બેટસમેનને આ પ્રકારની બોલિંગનો સામનો કરતા આવડવું જાેઇએ. ગવાસ્કરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે અમદાવાદમાં બેટસમેન ખુદ પોતાની વિકેટ માટે જવાબદાર હતા. તેમણે કહ્યું કે આ એવી પિચ નહોતી જ્યાં બોલ સતત ખરાબ વ્યવહાર કરી રહ્યા હતા. કંઇ જ એવું નહોતું જે ખતરનાક લાગે. ના તો કોઇ મોટો બાઉન્સ દેખાયો. અહીં ઉછાળો હતો પરંતુ સ્પિન પણ મળી રહ્યો હતો. મારું માનવું છે કે ટેસ્ટ મેચ રમનાર બેટસમેનને ટર્ન કે સ્પિનને સંભાળવામાં સક્ષમ હોવું જાેઇએ. તેમણે આગળ કહ્યું કે પડકારજનક હતું પરંતુ એટલું પણ નહીં. જાે તમે બેટસમેનને જુઓ તો તેમણે પોતાની વિકેટ ખુદ ગુમાવી. પિચ કરતાં એ માનસિકતા અંગે વધુ હતી જે તેમને નીચે પાડી રહી હતી. રોહિત શર્માએ બંને ઇનિંગ્સમાં બેટિંગ કરી દેખાડ્યું કે તમે આ પિચ પર પણ રન બનાવી શકો છો. ડાબા હાથના સ્પિનર અક્ષર પટેલ અને અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનના દમ પર ભારતે ઇંગ્લેન્ડને ત્રીજી ટેસ્ટ મેચમાં ૧૦ વિકેટથી હરાવી દીધું. આ મેચ માત્ર ૨ દિવસ સુધી ચાલી અને માત્ર ૮૪૨ બોલ ફેંકાયા.વધુ વાંચો -
શ્રીલંકા વિરુદ્ધ વન-ડે, T-20 માટે વિન્ડિઝ ટીમ જાહેરઃ ક્રિસ ગેલની બે વર્ષ બાદ વાપસી
- 27, ફેબ્રુઆરી 2021 07:17 PM
- 8023 comments
- 8551 Views
જમૈકા-વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડે શ્રીલંકા સામે ઘરેલુ ટી-૨૦ અને વનડે શ્રેણી માટે ૧૪ સદસ્યની ટીમ જાહેર કરી છે. ૪૧ વર્ષીય ક્રિસ ગેલની લગભગ ૨ વર્ષ પછી ટી-૨૦ ટીમમાં વાપસી થઈ છે. જ્યારે, ફાસ્ટ બોલર ફિડેલ એડવડ્ર્સને ૮ વર્ષ પછી તક મળી છે. ગેલે છેલ્લી ટી-૨૦ ૮ માર્ચ ૨૦૧૯ના રોજ ઘરે જ ઇંગ્લેન્ડ સામે રમી હતી. ૩૯ વર્ષીય ફિડેલે પોતાની અંતિમ ટી-૨૦ ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ શ્રીલંકા સામે રમી હતી.આ વર્ષના અંતે ભારત ટી-૨૦ વર્લ્ડ કપની યજમાની કરશે. તેને ધ્યાનમાં રાખતાં વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડે ગેલને ટીમમાં જગ્યા આપી છે. આ દિગ્ગજ પ્લેયર અત્યારે પાકિસ્તાન સુપર લીગમાં રમી રહ્યો છે. એડવડ્ર્સે હાલમાં જ અબુ ધાબી ટી-૧૦ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. શ્રીલંકા સામે ૩ ટી-૨૦ શ્રેણીની પહેલી મેચ ૩ માર્ચે રમાશે. બીજી મેચ ૫ અને ત્રીજી ૭ માર્ચે રમાશે. તે પછી ૩ વનડેની શ્રેણી રમાશે. ત્રણેય વનડે ૧૦, ૧૨ અને ૧૪ માર્ચે રમાશે. અંતે બંને ટીમ ૨૧ અને ૨૯ માર્ચે ૨ ટેસ્ટમાં પણ ટકરાશે. વેસ્ટ ઇન્ડિઝની ટીમ ટી-૨૦ઃ કાયરન પોલાર્ડ (કપ્તાન), નિકોલસ પૂરન, ફેબિયન એલેન, ડ્વેન બ્રાવો, ફિડેલ એડવડ્ર્સ, આન્દ્રે ફ્લેચર, ક્રિસ ગેલ, જેસન હોલ્ડર, અકીલ હુસેન, એવીન લુઈસ, ઓબેડ મેકોય, રોમન પોવેલ, લેન્ડલ સિમન્સ અને કેવિન સિંક્લેર વનડેઃ કાયરન પોલાર્ડ (કપ્તાન), શાઈ હોપ, ફેબિયન એલેન, ડેરેન બ્રાવો, જેસન હોલ્ડર, અકીલ હુસેન, અલઝારી જાેસેફ, એવીન લુઈસ, કાઈલ મેયર્સ, જેસન મોહમ્મદ, નિકોલસ પૂરન, રોમારિયો શેફર્ડ અને કેવિન સિંક્લેર.વધુ વાંચો -
કોરોના કહેરના કારણે ભારત-ઇંગ્લેન્ડ વન-ડે સિરીઝ અન્ય સ્થળે ખસેડાય તેવી શક્યતા
- 27, ફેબ્રુઆરી 2021 07:14 PM
- 3095 comments
- 5012 Views
મુંબઇ-ભારત અત્યારે ઇંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટની શ્રેણી રમી રહ્યું છે. ૩ મેચ પછી ભારત ૨-૧થી આગળ છે. અંતિમ ટેસ્ટ અને તે પછી ્-૨૦ સીરિઝની પાંચેય મેચ અમદાવાદમાં જ રમવાની છે. જ્યારે ત્યારબાદ બંને દેશ ૩ વનડેની શ્રેણીમાં ટકરાશે. આ ત્રણેય વનડે ૨૩, ૨૬ અને ૨૮ માર્ચના રોજ પુણેમાં રમાવવા માટે શેડ્યુલ્ડ છે. જાેકે, કોરોનાને કારણે પુણે વનડે શ્રેણીની યજમાની ગુમાવી શકે છે. પુણેમાં સતત વધતા કેસના લીધે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઇન્ડિયા (મ્ઝ્રઝ્રૈં) વનડે શ્રેણી માટે અન્ય કોઈ જગ્યા લોક કરવાનું વિચારી રહ્યું છે. મહારાષ્ટ્રમાં પણ કોરોનાનો કહેર ચાલુ છે. પુણેમાં ગુરુવારે કોરોનાના નવા ૧૫૪૨ કેસ નોંધાયા હતા, જ્યારે ૮ લોકોએ જીવ ગુમાવ્યા. તો શુક્રવારે રાજ્યમાં ૮,૩૩૩ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, તેમાંથી ૭૬૫ લોકો પુણેના હતા. ઇન્ડિયન ક્રિકેટ બોર્ડ તરફથી ઓફિશિયલ સ્ટેટમેન્ટ રિલીઝ થયું નથી પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે અત્યારે ચાલતી વિજય હઝારે ટ્રોફીમાંથી કોઈ એક જગ્યાને ઇન્ડિયા-ઇંગ્લેન્ડ વનડે શ્રેણી માટે લોક કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, વિજય હઝારે ટ્રોફીની મેચો સુરત, અલુર, બેંગલોર, ઇન્દોર, કોલકાતા, ચેન્નઈ અને જયપુરમાં રમાઈ રહી છે.વધુ વાંચો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- ભારત - ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૦
- ભારત - ઈંગ્લેન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૧
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ