સુરેન્દ્રનગર સમાચાર
-
૧૫૦ જેટલા કામદારો દ્વારા અચોક્કસ મુદતના ધરણાં પ્રદર્શન
- 11, જુન 2022 01:30 AM
- 6825 comments
- 6531 Views
લખપત તાલુકાના ઉમરસર ખાતે લિગ્નાઇટ ખાણમાં યોગ્ય વેતન અને સ્થાનિક લોકોને રોજગાર આપવાની રજૂઆત સાથે ૧૫૦ જેટલા કામદારો દ્વારા અચોક્કસ મુદતના ધરણાં પ્રદર્શન છેલ્લા ચાર દિવસથી શરૂ કરવામાં આવ્યા છે. ખાનગી એકમ અને તેના અંદરની પેટા કોન્ટ્રાક્ટ કંપની પાસે સ્થાનિક કામદારોની માગ છે કે બહારના વ્યક્તિઓના બદલે સ્થાનિક લોકોને નોકરી અપાય. તેમજ જે કામ કરી રહ્યા છે એ કામદારોને પૂરતું વેતન આપવામાં આવે. જાે કે કંપની તરફથી હજુ સુધી કામદારોની માગ સંતોષવામાં ના આવતાં ધરણાં પ્રદર્શન ચાલુ રહેવા પામ્યું છે.વધુ વાંચો -
ધ્રાંગધ્રા આપની પરિવર્તન યાત્રા પૂર્વે જ નગરપાલિકા દ્વારા ઝંડા ઉતારી લેતા વિવાદ
- 29, મે 2022 01:30 AM
- 7588 comments
- 2686 Views
ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમા આમ આદમી પાટીઁના પરીવતીઁત યાત્રા નિકળે તે પુવેઁ જ ઠેર-ઠેર જગ્યા પર લગાવેલા આપના ઝંડા તથા બેનરો નગરપાલિકા દ્વારા ઉતારી લેવામા આવતા વિવાદ ઉભો થયો હતો. જાણવા મળતી વિગતો અનુસાર રાજ્યમા વિધાનસભા નજીક આવતા જ આમ આદમી પાટીઁ પણ મેદાને ઉતરી છે ત્યારે હાલ આમ આદમી પાટીઁના પરીવતીઁત યાત્રા રાજ્યના લગભગ મોટાભાગના વિસ્તારોમાં ફરતી નજરે પડે છે ત્યારે ૨૮મે શનિવારના રોજ ધ્રાંગધ્રા ખાતે આવનારી પરીવતઁન યાત્રા પુવેઁ આમ આદમી પાટીઁના સ્થાનિક કાયઁકરો દ્વારા શહેરના હળવદ રોડથી લઇને છેક આંમ્બેડકર સકઁલ સુધી ઝંડા તથા બેનરો મારવામાં આવ્યા હતા.ધ્રાંગધ્રામા આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા નિકળી રાજ્યમા આવનારી વિધાનસભા સંદભેઁ દરેક રાજકીય પક્ષે પોતાની ગતિવિધી તેજ કરી છે તેવામાં આ વખતે કેટલાક વિધાનસભામાં ત્રિપાંખિયો જંગ થવાની પણ શકયતા વતાઁઇ રહી છે ભાજપ, કોગ્રેસ અને હવે આમ આદમી પાટીઁના ગુજરાત પ્રવેશથી બંન્ને રાજકીય પક્ષ મુંઝવણમાં છે તેવામાં હાલ આમ આદમી પાટી દ્વારા ગુજરાતમા પરીવતઁન યાત્રાની શરુવાત કરાઇ હોવાથી ધ્રાંગધ્રા ખાતે પણ આ પરીવતઁન યાત્રા પહોચી હતી જેમા ધ્રાંગધ્રા શહેરની મુખ્ય બજાર પર પરીવતઁન યાત્રા દ્વારા શહેરીજનોને આમ આદમી પાટીઁ દ્વારા વચનો આપી આવનારી વિધાનસભામાં પ્રજા સાથ સહકાર આપે તેવી વિનંતી કરાઇ હતી.વધુ વાંચો -
કરોડોની ઠગાઈ મામલે ત્રણ ઝબ્બે ૪૨.૧૦નો મુદ્દામાલ જપ્ત
- 29, મે 2022 01:30 AM
- 3299 comments
- 9165 Views
ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નાવીયાણી ગામના ખેડૂતની જમીનનો દસ્તાવેજ કરી રૂપિયા ૮.૪૦ કરોડ જેવી માતબર રકમ ન ચૂકવવામાં આવતા ખેડૂતે કુલ ૮ શખ્સો સામે છેતરપિંડી અંગેની ફરીયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ત્રણ આરોપીને રૂપિયા ૪૨ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પાટડી તાલુકાનાં નાવીયાણી ગામે ખેડુત સાથે છેતરપીંડીના કેસ મામલે પોલીસે ગણતરીની કલાકોમાં જ ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા આ સાથે ૩૨.૧૦ લાખ રોકડ પણ જપ્ત કરાયા હતા. પાટડી સબ રજીસ્ટ્રાર ઓફિસમાં નાવીયાણી ગામના ખેડુત જેરામભાઇ દ્વારા દસ્તાવેજ કરી આપ્યા બાદ બાકી નિકળતી રકમ નહિ આપી છેતરપીંડી કયાઁની પાટડી પીએસઆઇ ડી.જે.ઝાલાને અરજી કરી હતી પરંતુ સ્થાનિક પોલીસે ૧૪ દિવસ સુધી જમીન ખરીદનારને બોલાવી દસ્તાવેજ રદ કરવા દબાણ કરી દલાલોને બનાવવાનો પ્રયાસ કરાયો હતો જેથી પાટડી પોલીસની કામગીરી પર અનેક શંકા અને આક્ષેપો થયા હતા આ તરફ જીલ્લા પોલીસ વડા હરેશ દુધાત તથા આઇ.જી સંદિપસિંહને સમગ્ર મામલો ધ્યાને આવતા ગંભીરતાથી તાત્કાલિક ફરીયાદ દાખલ કરવા આદેશ આપવામા આવ્યા હતા જ્યારે ન છુટકે પાટડી પીએસઆઇ ફરીયાદ દાખલ કરવી પડી હતી જેથી ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર કેસની તપાસ પણ ધ્રાંગધ્રા ડિવીઝનના ડી.વાય.એસ.પી જે.ડી.પુરોહિતને સોંપવામાં આવી હતી જે તપાસને લઇને જે.ડી.પુરોહીત તથા સી.પી.આઇ યુ.એલ.વાઘેલા દ્વારા તમામ આરોપીઓની શોધખોળ આદરી કુલ ૩ શખ્સોની ધરપકડ કરવામા આવી હતી. આ ત્રણેય શખ્સોને ઝડપી પાડી તેઓની પાસે ૩૨.૧૦ લાખ રોકડ તથા ૧૦ લાખની બે કાર સહિત ૪૨.૧૦ લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરી આ બનાવમાં સંડોવાયેલા અન્ય શખ્સોને ઝડપી પાડવા કાયઁવાહી હાથ ધરી હતી.વધુ વાંચો -
જશાપરમાં તળાવની પાળનું સમારકામ કામે લોકોની માંગ
- 26, મે 2022 01:30 AM
- 767 comments
- 2710 Views
ધ્રાંગધ્રા તાલુકાના જશાપર ગામે છેલ્લા બે વષઁથી તળાવની પાળ(દિવાલ) ભાંગી પડી છે અને વરસાદનું પાણી એકત્ર કરવા માટે ગામમા અન્ય કોઇ સ્ત્રોત નહિ હોય જેથી તળાવની દિવાલનુ સમારકામ કરવા ગ્રામજનો દ્વારા માંગ ઉઠવા પામી છે. જાણવા મળતી વિગતો અનુશાર ધ્રાંગધ્રા તાલુકાના જશાપર ગામે વષોઁ જુના તળાવમાં ગત વષેઁ વધુ વરસાદના લીધે જજઁરીત થયેલી તળાવની પાળ ભાંગી પડી હતી અને દિવાલના ગાબડુ પડવાથી તળાવમા પાણીનો સંગ્રહ રહિ શકતો નથી ત્યારે હાલ ઉનાળાની સિઝન પુણઁ થવાના આરે હોય અને વરસાદનું આગમન કોઇપણ સમયે થવાના એંધાણ હોવાથી જશાપર ગામે આવેલા આ તળાવમાં વરસાદનું પાણી એકત્ર થતા પાણીની છલોછલ ભરાય છે જે આશરે એક વષઁ સુધી ચાલે છે જેના લીધે ગ્રામજનોને પાણીની તંગી સજાઁતા નથી પરંતુ હાલ તળાવની દિવાલના ગાબડુ હોવાથી પાણીનો સંગ્રહ થઇ શકતો ન હોવાના લીધે પાણી વરસાદી પાણી વેડફાઇ જાય તેવી સ્થિતી હોય જેને ધ્યાને લઇ ગ્રામજનો દ્વારા ચોમાસા પહેલા તળાવની પાળ બાંધવા અથવા તો તેનુ સમારકામ થાય તેવી તંત્ર પાસે માંગ કરાઇ છે.વધુ વાંચો -
પાણી માટે વલખાં નાના રણમાં ૨૦૦૦ અગરિયા પરિવારોને આકરા ઉનાળામાં ૨૦ દિવસે પાણી
- 26, મે 2022 01:30 AM
- 1916 comments
- 7548 Views
સુરેન્દ્રનગર, કચ્છના નાના રણમાં મીઠું પકવતા ૨૦૦૦ અગરિયા પરિવારોને આકરા ઉનાળાની ૪૫ ડીગ્રી આગ ઓકતી ગરમીમાં ૨૦ દિવસે એક વખત પીવાનું પાણી ટેન્કર દ્વારા મળે છે. સોફ્ટવેરની ખામીના કારણે રણમાં પીવાનું પાણી પુરૂ પાડતી એજન્સીને બિલ ન ચૂકવાતા અગરિયા પરિવારોને તંત્રના વાંકે પાણીની એક એક બુંદ માટે રઝળપાટ કરવાની નોબત આવી છે.પાણી પુરવઠા વિભાગે ગત વર્ષના અને ચાલુ વર્ષના બિલ સોફ્ટવેર ખામીના કારણે ન ચુકવતા કોન્ટ્રાક્ટરે રણમાં પાણી બંધ કરવાની નાછૂટકે લાચારી બતાવી છે. કચ્છના નાના રણમાં ૫૦૦૦ ચો.કિ.મી. વિસ્તારમાં અંદાજે ૨૦૦૦ અગરિયા પરિવારો દર વર્ષ ઓકટોબરથી મે માસ દરમિયાન “કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું” પકવવાનું આકરૂ કામ કરે છે. ત્યારે રણના મીઠું પકવતા અગરિયાઓને ૨૦ દિવસે એક વખત પીવાનું પાણી મળે છે. ત્યારે રણમાં અગરિયા માટે રોજ નહાવાની કલ્પના કરવી એ દુષ્કર બાબત છે. આથી મીઠું પકવતા ૯૮ % અગરિયાઓ આજેય ચામડીના રોગથી પીડાય છે. હાલમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા રણમાં ૫૦૦૦ ચો.કિ.મી. વિસ્તારમાં મીઠું પકવતા ૨૦૦૦ અગરિયા પરિવારોને માત્ર ત્રણથી ચાર ટેન્કરો દ્વારા ટેન્કરો દ્વારા પીવાનું પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે. પાણી પુરવઠા વિભાગે ગત વર્ષના અને ચાલુ વર્ષના બિલ સોફ્ટવેર ખામીના કારણે ન ચુકવતા કોન્ટ્રાક્ટરે રણમાં પાણી બંધ કરવાની નાછૂટકે લાચારી બતાવી છે. મીઠું પકવતા ૨૦૦૦ અગરિયા પરિવારોને તંત્રના વાંકે પાણીની એક એક બુંદ માટે રઝળપાટ કરવાની નોબત આવી છે.વધુ વાંચો -
ઘરકંકાસથી ત્રસ્ત માતાએ પુત્રીની હત્યા કરી પોતે પણ આત્મહત્યા કરી લેતા ચકચાર
- 26, મે 2022 01:30 AM
- 9130 comments
- 1388 Views
સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લાના થાનના નવાગામ વિસ્તારમાં ખુદ માતાએ પોતાની ૯ માસની પુત્રીની હત્યા કરી હતી તેમજ જ્યારે પરિવારજનો બાળકીને હોસ્પિટલ લઇ ગયા હતા ત્યારે તેણે પોતે પણ ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આ સમગ્ર ઘટનામાં માતા જ પુત્રીની હત્યારી બનતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાની જાણકારી થતાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા પણ ઘટનાસ્થળે દોડી ગયા છે અને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જાેકે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે લગ્નજીવન બાદ અલગ રહેવા અને ઘરકંકાસથી દૂર રહેવા અને ઘણા સમયથી પતિ-પત્ની સાસુ-સસરા સાથે ઝઘડો ચાલતા હતા, જેથી પતિથી અલગ ન થતાં માતાએ પોતાની નવ મહિનાની પુત્રીને પોતાના ઘરમાં જ સૂતરની દોરી સાથે લટકાવી મોતને ઘાટ ઉતારી હતી. ત્યાર બાદ પરિવારજનો બાળકીને દવાખાને લઇ જતાં ઘરમાં એકલી રહેલી માતાએ પણ ઘરમાં જ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસ ઘટનાસ્થળે પોલીસ દોડી ગઈ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એમાં આરોપી ભાવુબેન રાજેશભાઇ વિઠ્ઠલભાઇ ડાભી પોતાનાં સાસુ-સસરા, પતિ તથા દીકરી નિહારિકા સાથે સંયુક્ત પરિવારમાં રહેતાં હતાં. તેઓ તેમનાં સાસુ-સસરા તથા ભાઇઓથી અલગ રહેવા માગતા હોવાથી તેમના પતિને અવારનવાર સમજાવવા છતાં તેઓ માનતા નહોતા. એમાં તેઓ અલગ રહેવાની જીદ કરતાં હોવાથી આરોપી ભાવુબેનને લાગી આવતાં તેમના પતિ જ્યારે દૂધ ભરાવા ગયા હતા ત્યારે તેમણે આ ચકચારી ઘટનાને અંજામ આપ્યો હતો. ભાવુબેને તેમની દીકરી નિહારિકાને ગળે દોરી બાંધી લટકાવી ગળોફાંસો આપી મોત નિપજાવ્યું હતું.વધુ વાંચો -
ધ્રાંગધ્રા શહેરના ઋતુ રાજ સિનેમા નજીક બે શખ્સો પર હુમલો કરનાર પાંચ ઝડપાયાં
- 10, મે 2022 01:30 AM
- 821 comments
- 3094 Views
ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રા શહેરના ઋતુ રાજ સિનેમા નજીક રમજાન ઇદની સંધ્યાએ ગાળા ગામના બે યુવાનો પર બાઇક ધીમુ ચલાવવાનું કહેતા હુમલો કરાયો હતો. જે પાંચ હુમલો કચરો દ્વારા કરવામા આવેલા છરી વડે હુમલામાં ઇજાઁ પામેલા યુવાનોને સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યા સારવાર બાદ તેઓ દ્વારા અજાણ્યા પાંચ ઇશમો પર ફરીયાદ નોંધી હતી. ઇજાઁગ્રસ્ત બંન્ને યુવાનો હુમલાખોરોને નામ-ઠામની પણ જાણ ન હોય અને બનાવ બનેલા સ્થળ નજીક ક્યાય પણ સીસીટીવી કેમેરા નહિ હોવાના લીધે પોલીસને આ હુમલાખોરોની ઓળખ કરવા ખુબ જ કઠીન હતી જાેકે હુમલાની ઘટના બાદ તુરંત ડ્ઢઅજॅ જે.ડી પુરોહીત સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી ચુક્યો હતો પરંતુ ત્યા સુધીમા તો હુમલાખોરો નાશી છુટ્યા હતા. પરંતુ રમજાન ઇદ હોવાના લીધે ઋતુરાજ સિનેમા પાસે આવેલા મયુર બાગ ખાતે આવતા-જતા રાહદારીઓ દ્વારા આ ઘટનાને પ્રત્યક્ષ નિહાળી હશે તેવી પુણઁ શક્યતા સાથે સામાન્ય લોકોની પુછપરછ કરાઇ જેમા પોલીસને માત્ર એટલુ જાણવા મળ્યુ કે હુમલાખોરો જે બાઇકમા સવાર હતા તે બાઇક નંબરપ્લેટ વગરનું હતુ માત્ર નંબરપ્લેટ વગરના બાઇકના આધારે ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે.ડી.પુરોહીત તથા પીઆઇ એસ.બી.સોલંકી દ્વારા જુદી-જુદી ટીમો બનાવી હતી જેમા અજીતસિંહ ડોડીયા, યુવરાજસિંહ સોલંકી, દશરથભાઇ રબારી, મહાવીરસિંહ રાઠોડ સહિતની ટીમે ખાનગી રાહે તપાસ કરી ઘટના બાદ ગણતરીની કલાકોમાં જ પાંચેક જેટલા શખ્સોને ઝડપી પાડી એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટના હાજરીમા ઇજાઁગ્રસ્તની સામે તમામ પાંચેય શખ્સોની ઓળખ કરાઇ હતી. આ તરફ હુમલાની ઘટના બાદ તુરંત સતઁકતા દાખવી ગણતરીની કલાકોમાં જ પોલીસે તમામ હુમલાખોરોની ઝડપી પાડતા પોલીસની કામગીરીના ચો તરફ વખાણ થયા હતા.વધુ વાંચો -
ધ્રાંગધ્રા - માલવણ હાઇવે પર જ્વલનશીલ પદાર્થ ભરેલું ટેન્કર અથડાતા આગમાં સ્વાહા
- 08, મે 2022 01:30 AM
- 8667 comments
- 7812 Views
ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર સામસામે ટેન્કર અથડાતા આગ લાગવાની ઘટના સામે આવી હતી જેમા ગત વહેલી સવારે કચ્છ ધ્રાંગધ્રા તરફથી માલવણ તરફ જતા ટેન્કરમાં જ્વલનસીલ પદાથઁ ભરેલુ હોય જેની સામેથી આવતા અન્ય એક ટ્રક અથડાયો હતો આ અકસ્માત દરમિયાન ટેન્કરમાં અચાનક આગ લાગી હતી અને ટેન્કરમા જ્વલન પદાથઁ હોવાથી પલભરમા તો બંન્ને સામ-સામે જાેડાયેલા ટ્રકોમાં આગ લાગી હતી આ બનાવ વહેલી સવારનો હોવાથી અહિથી નિકળતા વાહન ચાલકોને સ્થાનિક ફાયર ફાઇટરનો સંપકઁ થઇ શક્યો ન હતો જેને લઇને એક બાદ એક છ જેટલા વાહનમાં આગનું વિકરાળ સ્વરુપ જાેવા મળ્યુ હતુ ત્યારે સમય જતા પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી ફાયર ફાઇટરનો મદદથી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કયોઁ હતો પરંતુ ત્યા સુધીમા બંન્ને ટ્રકો બળીને મળતું થયા હતા આ તરફ ટ્રકમાં ચાલક ભવરલાલ ચૌધરી ઉઃ૨૨નુ ઘટના સ્થળે મોત હોવાની પોલીસે આશંકા વ્યક્ત કરી છે. પરંતુ ટ્રકમાં લાગેલી આગ સમગ્ર રીતે બજારમા બાદ જ કેટલાક લોકોના મોત થયા છે તેનો સ્પષ્ટ આંકડો આવશે તેમ જણાવ્યુ હતુ જાેકે આજ લાગવાનુ મુખ્ય કારણ ટેન્કરમાં ભરેલો જ્વલનશીલ પદાથઁ હોવા છતા કોઇ જાતની સેફ્ટી રાખ્યા વગર નિકળતા અકસ્માતનો બનાવ બનાવની સાથે થોડા સ્પાકઁથી જ ટ્રક સળગી ઉઠ્યો હોવાનુ તારણ કાઢવામા આવ્યુ હતુ જ્યારે ટ્રકમા આગ લાગવાનુ ઘટનાને લઇને હાઇવે પર પાંચ કિમી સુધીના અંતરથી પણ આગ નજરે પડતી હતી અને આ બનાવથી કલાકો સુધી ટ્રાફીક ગામના દ્રશ્યો પણ સજાઁયા હતા.વધુ વાંચો -
ધ્રાંગધ્રા તાલુકા પંચાયતના મહિલા સદસ્ય દ્વારા રાજીનામુંધરતા રાજકીય ખળભળાટ
- 08, મે 2022 01:30 AM
- 1443 comments
- 7623 Views
ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રા તાલુકા પંચાયતના મહિલા સદશ્ય ઉમીઁલાબેન કડીવાર દ્વારા વિધાનસભાની ચુંટણી પુવેઁ જ પોતાના સભ્યપદેથી રાજીનામુ ધરી દેતા રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે જેમા રાજચરાડી સીટ પરથી ભાજપના નેજા નીચે આશરે એક વષઁ પહેલા ચુંટણી લડીને વિજય થયેલા મહિલા ઉમેદવાર ઉમીઁલાબેન કડીવાર દ્વારા અચાનક જ રાજીનામુ ધરતા ગણગણાટ શરુ થયો છે. ત્યારે મહિલા સદશ્ય રહેલા ઉમીઁલાબેન કડીવાર દ્વારા જણાવાયુ હતુ કે “ તાલુકા પંચાયતની ચુંટણી પુવેઁ પોતે ભાજપ પક્ષમાથી ઉમેદવારી નોંધાવી હતી અને ચુંટણી પ્રચાર દરમિયાન સ્થાનિક જનતાને આપેલા વાયદા-વચનો પુણઁ કરવાની ખાત્રી પણ આપી હતી જેથી સ્થાનિક મતદાતાઓ દ્વારા તેઓને વિજય બનાવ્યા હતા પરંતુ સ્થાનિક પ્રજા તેઓની પાસે આશા લઇને આવે છે તે આશા પુણઁ થતી નથી સાથે જ પ્રજા લક્ષી કામગીરી થવી જાેઇએ તે કરવામા અનેક બાધાઓ સામે આવે છે જેના લીધે પોતે રાજીનામુ ધરી રહ્યા છે” આ તરફ ભારતીય જનતા પાટીઁમા તાલુકા પંચાયતના સદશ્ય દ્વારા વિધાનસભાની ચુંટણી પુવેઁ રાજીનામુ ધરી દેતા અનેક તકઁ-વિતઁક પણ સજાઁયા છે જાેકે હજુ મહિલા સદશ્ય ઉમીઁલાબેન દ્વારા પોતાના પતિ સાથે ધ્રાંગધ્રા તાલુકા પંચાયત ખાતે રાજીનામુ ધરી દીધુ છે પરંતુ હજુ સુધી રાજીનામુ સ્વીકારાયું છે.તાલુકા પંચાયત સદશ્ય ઉમીઁલાબેનના પતિ સાથે વાત ચીત દરમિયાન તેઓ દ્વારા જણાવાયુ હતુ કે રાજચરાડી તાલુકા પંચાયત સીટ ૪૦ વષઁમા પ્રથમ વખત ભાજપના ફાળે ગઇ છે અને પ્રજાના કામ તો ઠીક પરંતુ મારા સાથળીની દિકરી નિલમબેન પટેલ પોતે તલાટી હોય અને હાલમા જ તમામ તલાટીઓના બદલી દરમિયાન તેઓની પણ બદલી ધ્રાંગધ્રા ગામે થઇ હોય પરંતુ નિલમબેનની બદલી માનપર ગામે થાય તે માટે પ્રયત્ન હાથ ધયોઁ હતો છતા પક્ષમા કોઇપણ આગેવાન તલાટીની બદલી જેટલુ સામાન્ય કામ પણ નહિ કરવી શકતા રાજીનામાનું પગલુ ભરવુ પડ્યુ છે. વિધાનસભા ચૂંટણી પુવેઁ ભાજપના સમશ્યાનુ રાજીનામુ પડતા રાજકીય માહોલ ગરમાયો છે. જેમા તાલુકા પંચાયત સદશ્ય ઉમીઁલાબેન દ્વારા રાજીનામુ ધરતા જ સ્થાનિક આગેવાનો દ્વારા મનામણા શરુ થયા છે. પરંતુ હજુ સુધી તાલુકા પંચાયત ખાતેથી રાજીનામુ સ્વીકારું છે કે નહિ તેની સ્પષ્ટતા થઇ નથી જ્યારે આ સમગ્ર પ્રકરણ બાદ ટુંક સમયમા હજુપણ વધુ રાજીનામા પડશે તેવી આશંકા દશાઁવાઇ છે.વધુ વાંચો -
પીવાના પાણીની વિકટ સમસ્યાના મામલે દસાડા ગ્રામ પંચાયત કચેરીમાં હલ્લાબોલ
- 30, એપ્રીલ 2022 01:30 AM
- 6829 comments
- 5872 Views
સુરેન્દ્રનગર, ઉનાળાની સીઝન હાલ શરૂ થઈ ગઈ છે. ત્યારે ઠેર-ઠેર પાણીની સમસ્યા જાેવા મળી રહી છે. અત્યારે એક બાજુ રમજાન માસ ચાલે છે અને બીજી બાજુ લગ્નસરાની સીઝન ચાલી રહી છે. ત્યારે સુરેન્દ્રનગરમાં દસાડાના પરાવિસ્તાર, ઠાકોરવાસ અને સોલંકીવાસ સહિતના ઘણા વિસ્તારોમાં હજુ પણ પીવાનું પાણી પહોંચતું નથી. આ વિસ્તારોમાં પીવાના પાણીની વિકટ સમસ્યાના મામલે દસાડા ગામ પંચાયતમાં ઘર્ષણના દ્રશ્યો જાેવા મળે છે. ગ્રામ પંચાયતમાં પીવાના પાણીને લઈ મહિલાઓએ ઉગ્ર રજૂઆત સાથે હલ્લાબોલ કર્યો હતો. દસાડા ગામ પંચાયતના વિવિધ પ્રશ્નો બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવા છતાં અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યાં છે. દસાડા ગ્રામ પંચાયતમા છેલ્લા ઘણાં સમયથી કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા અતિ વિકટ બની છે. દસાડાના સોલંકી વાસમાં ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા છે. મહિલાઓ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતા કોઈ સાંભળતુ નથી. તલાટીને કહે તો કહે સરપંચને કહો. ગરમીમાં ભર બપોરે મહિલાઓને માથે બેડા ઉંચકી પીવાના પાણીની એક એક બુંદ માટે વલખાં મારવા પડી રહ્યાં છે. વિસ્તારની મહિલાઓ પીવાના પાણીની વિકટ સમસ્યા મામલે ગ્રામ પંચાયત કચેરીએ ધસી જઇ ઉગ્ર રજૂઆતો સાથે હલ્લાબોલ મચાવ્યો હતો.વધુ વાંચો -
સુજાનગઢમાં બે વર્ષથી તળાવ તૂટેલી હાલતમાં ભારે વરસાદમાં તૂટ્યા બાદ આજ સુધી જૈસે થૈ!
- 27, એપ્રીલ 2022 01:30 AM
- 3793 comments
- 519 Views
સુરેન્દ્રનગર, સરકાર દ્વારા ગામો ગામ તળાવ ઊંડા ઉતારવા સહિતની કામગીરી પાછળ લાખો રૂપિયા વાપરવામાં આવી રહ્યા છે. ત્યારે સુજાનગઢ ગામે આવેલા તળાવ છેલ્લા ૨ વર્ષથી તૂટેલું હોવા છતાં તંત્ર દ્વારા આજ સુધી કોઇ જ કાર્યવાહી ન કરાતા આગામી ચોમાસા પહેલા યોગ્ય કરવા સ્થાનિકો માગ કરી રહ્યા છે.મૂળી તાલુકામાં સુજાનગઢ ગામનાં લોકોને પીયત માટે પાણી મળી રહે તે માટે પાંડવરા રોડ પર મોટું તળાવ બનાવાયું છે. અને આ તળાવ ગત ચોમાસમાં ભારે વરસાદનાં કારણે તૂટી જતાં ભારે તારાજી સર્જી હતી. ત્યારથી તે તળાવ તૂટેલું છે. હાલમાં સરકાર દ્વારા ગામો ગામ સુજલામ સુફલામ યોજના થકી તળાવ ઊંડા ઉતારવા સહિતની કામગીરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરાઈ રહ્યો છે. પરંતુ સુજાનગઢ ગામે છેલ્લાં ૨ વર્ષથી તળાવ તૂટી ગયું હોવા છતાં અને સરપંચ દ્વારા સિંચાઇ વિભાગમાં લેખિત જાણ કરવા છતાં કોઇ જ કાર્યવાહી કરાઈ નથી. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તેવી સ્થાનિકો ખેડૂતો માગ કરી રહ્યા છે. સુજાનગઢ સરપંચ એમ.બી. ઉદેશાએ જણાવ્યું કે આ તળાવમાંથી ખેડૂતો પિયત માટે ઉપયોગ કરી રહ્યા છે. જાે વરસાદ પહેલાં યોગ્ય નહી કરાય તો દિગસર સહિતનાં નીચાણવાળા ગામોને પાણીનું જાેખમ રહેલું છે. ખેડૂતો પિયત માટે પાણી નહીં મેળવી શકે. તંત્ર દ્વારા કાર્યવાહી કરાય તેવી અમારી માગ છે.વધુ વાંચો -
સુરેન્દ્રનગર - રાજકોટમાં ડબલ ટ્રેકની કામગીરીથી રેલવે વ્યવહારને અસર
- 24, એપ્રીલ 2022 01:30 AM
- 6291 comments
- 6367 Views
રાજકોટ રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શન માં આવેલા દિગસર-મુળી રોડ સ્ટેશનો વચ્ચે ડબલ ટ્રેક ની કામગીરી માટે બ્લોક લેવામાં આવશે જેના લીધે ૨૩.૦૪.૨૦૨૨ થી ૦૨.૦૫.૨૦૨૨ સુધી રેલ વ્યવહારને અસર થશે. રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.જે ટ્રેનોને અસર થશે તેની વિગતો નીચે મુજબ છે રદ કરાયેલી ટ્રેનો ટ્રેન નં ૨૨૯૫૯ વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ૨૪.૦૪.૨૦૨૨ થી ૦૧.૦૫.૨૦૨૨ સુધી રદ. ટ્રેન નં ૨૨૯૬૦ જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ ૨૫.૦૪.૨૦૨૨ થી ૦૨.૦૫.૨૦૨૨ સુધી રદ. આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનોટ્રેન નં ૧૯૧૧૯ અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ ૨૪.૦૪.૨૦૨૨ થી ૦૧.૦૫.૨૦૨૨ સુધી અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી દોડશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-સોમનાથ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નં ૧૯૧૨૦ સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ ૨૪.૦૪.૨૦૨૨ થી ૦૧.૦૫.૨૦૨૨ સુધી સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી દોડશે. આમ આ ટ્રેન સોમનાથ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. છે કે ઉપરોક્ત તમામ તારીખો ટ્રેનોના મૂળ સ્ટેશન પરથી ઉપડવાની છે. ૨૪.૦૪.૨૦૨૨ થી ૦૧.૦૫.૨૦૨૨ સુધી માર્ગમાં રેગ્યુલેટ (લેટ) થનારી ટ્રેનોઃ ટ્રેન નં ૧૨૨૬૮ હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરાન્તો એક્સપ્રેસ દરરોજ ૩૦ મિનિટ ટ્રેન નં ૧૯૦૧૫ મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ દરરોજ ૧૦ મિનિટ ટ્રેન નં ૧૯૫૭૮ જામનગર-તિરુનાલવેલી એક્સપ્રેસ દર રવિવારે ૨૫ મિનિટ ટ્રેન નં ૨૨૯૩૯ હાપા-બિલાસપુર એક્સપ્રેસ દર રવિવાર ૨૫ મિનિટ ટ્રેન નં ૨૨૯૨૪ જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસ દર રવિવાર, મંગળવાર અને શુક્રવાર ૨૫ મિનિટવધુ વાંચો -
સમાજના દિકરા - દિકરીઓમાં શિક્ષણનું સ્તર વધારવા ઘનશ્યામપુરી બાપુનું લોકોને આહવાન
- 19, એપ્રીલ 2022 01:30 AM
- 5156 comments
- 1159 Views
ધ્રાંગધ્રા,ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર આવેલા ગાત્રાડ માતાજીના મંદિર ખાતે સમસ્ત ભરવાડ સમાજના સમુહ લગ્નનું આયોજન કરવામા આવ્યુ હતુ જેમા ૧૯ નવદંપતિ લગ્નગ્રંથીથી જાેડાઇને પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. મહંત ૧૦૦૮ મહામંડલેશ્વર ઘનશ્યામપુરી બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેઓએ તમામ નવદંપતિને આશીઁવાદ આપી ભરવાડ સમાજના હજુપણ શિક્ષણને સ્તર નીચુ હોવાના લીધે કેટલાક સ્થાન પર ભરવાડ સમાજને અધિક્ષક માનવામાં આવે છે જેથી તમામ પોતાના દિકરા તથા દિકરીઓને અભ્યાસથી કરાવે અને સમાજમાં કોઇ નબળુ ઘર હોય તો સ્થાનિક આગેવાનો આ ઘરના દિકરા-દિકરીઓને અભ્યાસ માટે આથીઁક મદદ કરે તેવુ આહવાન કરાયુ હતુ. ઘનશ્યામપુરી બાપુના શિક્ષણ પ્રત્યે આહવાનથી ભુરાભાઈ મેવાડા દ્વારા સમાજના દિકરા-દિકરીઓને અભ્યાસ માટે રુપિયા પાંચ લાખનું અનુદાન પણ આપ્યુ હતુ.વધુ વાંચો -
ખેડૂતોએ પણ હુંકાર કર્યો કે, હવે કોઈ પણ સંજાેગોમાં નર્મદાના નીર લઈને જ ઝંપીશું
- 16, એપ્રીલ 2022 01:30 AM
- 6690 comments
- 7393 Views
સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરના મુળી તાલુકાના રાણીપાટ ગામે ખેડૂતોની સભા યોજાઈ હતી. ખેડૂતોએ વિવિધ પ્રશ્નો બાબતે એક ખાટલા બેઠક કરી હતી. જેમાં આમ આદમી પાર્ટીના કીસાન સંગઠનના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ હાજરી આપી હતી અને જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને લડત આપશે. ખેડૂતોએ પણ હુંકાર કર્યો હતો કે, હવે કોઈ પણ સંજાેગોમાં નર્મદાના નીર લઈને જ ઝંપીશું.રાત્રી સભામાં ખેડૂતોએ ખાટલા બેઠક યોજી હતી. જેમાં ખેડૂતોના પ્રશ્નો બાબતે લડત આપવા આમ આદમી પાર્ટી ખેડૂતો સાથે છે તેમ આપના કિસાન સંગઠનના પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું. હાલ ખેડૂતોને મોટા પ્રશ્નો નર્મદાનાં નીર, વિજ પુરવઠો અને જમીન માપણીમાં ગેરરીતિઓ મુખ્ય છે. તે માટે આગામી સમયમાં લડત આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. અનેક ખેડૂતો અને આગેવાનોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. રાણીપાટ ગામે આપના કિસાન સંગઠનના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડા , સુરેન્દ્રનગર જિલ્લા કીસાન સંગઠન પ્રમુખ અશોક મકવાણા, ગણપત કાવર, કીશોર સોળમીયા સહિતના આગેવાનોએ હાજરી આપી ખેડૂતોને સંબોધન કર્યું હતું. જેમાં આજુબાજુના ગામોમાંથી ખેડૂતોએ વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી.વધુ વાંચો -
ખનીજચોરો સામે લાલ આંખ ઃ૧૨ વાહનો સાથે બે કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો
- 27, માર્ચ 2022 01:30 AM
- 7382 comments
- 7697 Views
સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં ખનીજનું ખનન અને વહનને લઇને ખનીજ સાથે હવે પોલીસ તંત્રે પણ કાર્યવાહી શરૂ કરી છે. તંત્રે લાલઆઁખ કરતાં ખનીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો. જિલ્લાના વઢવાણના વાઘેલા, નાના કેરાળા તેમજ થાન, મૂળી અને લીંબડીમાંથી ૧૨ વાહનો સાથે રૂ. ૨. કરોડ કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જિલ્લામાં બેફામ ખોદકામ કરીને બેફામ રીતે ખનીજની ચોરી કરી તેનુ વહન દિવસ-રાત થતુ હોવાની બૂમરાણો ઉઠી છે. ત્યારે આ પ્રવૃત્તિને અટકાવવા માટે ખનિજ સાથે પોલીસતંત્ર પણ નજર રાખતા ખનીજચોરી કરતા તત્વોમાં દોડધામ મચી છે.જિલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડિયાએ ખનીજ ચોરી નાબૂદ કરવા સૂચના આપી છે. પરિણામે એ.એસ.પી. શિવમ વર્મા, વઢવાણ પીએસઆઈ ડી.ડી.ચુડાસમા, કાળુભાઈ, સગરામભાઈ, નીતીભાઇ, અજયસિંહ, રણજીતસિંહ સહિતના માણસો રાત્રિ પેટ્રોલિંગ હાથ ધર્યુ હતુ. જેમાં વઢવાણથી વાઘેલા રોડ તેમજ નાના કેરાળામાંથી ૩ ડમ્પરો કપચી ભરેલા અને ૧ ટ્રક તેમજ વાહનોની આગળ-પાછળ દોડતી ૩ કાર સહિત અંદાજે રૂ. ૧,૨૫,૦૦,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. સુરેન્દ્રનગર ખાણ ખનીજના અધિકારીની સૂચનાથી રાત્રિ ચેકીંગ હાથ ધરાયુ હતુ. આ દરમિયાન થાન, મૂળી તેમજ લીંબડી વિસ્તારોમાંથી કુલ ૫ ડમ્પરોને કાર્બોસેલ, સાદી રેતી અને બ્લેકટ્રેપ સાથે ઝડપી પાડી અંદાજે રૂ. ૯૦,૦૦,૦૦૦નો મુદ્દામાલ સીઝ કરાયો હતો. તમામ ઝડપાયેલા વાહનો સહિતનો મુદ્દામાલ લાગતા વળગતા પોલીસ સ્ટેશનોને કબ્જાે સોંપાયો હતો.વધુ વાંચો -
ધ્રાંગધ્રાના નિમકનગર ગામે મકાનમાંથી ગેરકાયદે બાયો ડીઝલનો જંગી જથ્થો મળ્યો
- 25, માર્ચ 2022 01:30 AM
- 1019 comments
- 4208 Views
ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રા તાલુકાનાં નિમકનગર ગામે ગેરકાયદેસર શંકાસ્પદ બાયો ડીઝલનો જંગી જથ્થો તાલુકા પોલીસ દ્વારા ઝડપી પાડવામા આવ્યો હતો. જાણવા મળતી વિગતો અનુસાર ધ્રાંગધ્રા તાલુકાના નિમકનગર ગામે રહેણાંક મકાનમાં શંકાસ્પદ બાયો ડીઝલનો જથ્થો હોવાની બાતમીના આધારે પી.એસ.આઇ મીઠાપરા, ભરતસિંહ પઢીયાર, ભુપતભાઇ દેથલીયા સહિતનો સ્ટાફ મોડી રાત્રી દરમિયાન નિમકનગર ગામે રહેતા મુશ્તાકભાઇ મહમદભાઇ સોલંકીને રહેણાંક મકાને દરોડો કરતા મકાનની બહાર ફળીયામા ૯૪૦૦ લીટર શંકાસ્પદ બાયો ડીઝલ કિમત રુપિયા ૪.૪૪ લાખનો મળી આવ્યો હતો આ તરફ તાલુકા પોલીસને તમામ શંકાસ્પદ બાયો ડીઝલનો જથ્થો જપ્ત કરી મુસ્તાક સોલંકી વિરુધ્ધ કાયદેસરની કાયઁવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં જુદી જુદી જગ્યાએ બાયોડીઝલનું ગેરકાયદે વેચાણ કરવામાં આવતુ હોય છે. પરંતુ પોલીસ દ્વારા રેડ કરીને ઝડપી પાડવામાં આવે છે.વધુ વાંચો -
ધ્રાંગધ્રાના રણ વિસ્તારમાં સામસામે બાઇક અથડાતા ત્રણ યુવકોનાં મોત
- 20, માર્ચ 2022 01:30 AM
- 4229 comments
- 8507 Views
ધ્રાગધ્રા, ધ્રાંગધ્રા પંથકના રણ કાંઠા વિસ્તારમા ગમખ્વાર અકસ્માતથી ત્રણ યુવાનોના મોતની વિગત સામે આવી છે જેમા પાટડી તાલુકાના માનાવાડા ગામના યુવાન મહેશ ફતાજી આંબલીયા ઉઃ- ૨૮ તથા ભીખાજી સુરાજી આંબલીયા ઉઃ-૩૦વાળા બંન્ને પિતરાઇ ભાઇઓ નવુ બાઇક લીધુ હોય જેથી બંન્ને ભાઇઓ પોતાનુ નવુ બાઇક લઇને ગુરુવારે ચોટીલા દશઁને ગયા હોય જ્યારથી પરત ફરી વાછડાદાદાના મંદિરે દશઁને જતા હોય તેવા સમયે મુળ ઓડુ ગામના વિષ્ણુભાઇ નવઘણભાઇ મકવાણા ઉઃ-૩૪ વષઁવાળા બાઇક લઇને રણ તરફથી કુડા ગામ તરફ આવતા બંન્ને બાઇકના સામસામે ધડાકાભેર અકસ્માત થતા બંન્ને પિતરાઇ ભાઇઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ જ્યારે અકસ્માત ઘટનાની જાણ સ્થાનિક મીઠુ પકવતા અગરીયાઓને થતા તેઓ દ્વારા તાત્કાલિક ગંભિર ઇજાઁગ્રસ્ત વિષ્ણુભાઇ મકવાણા સારવાર અથેઁ હોસ્પીટલ ખસેડતા રસ્તામાં તેઓનુ પણ મોત નિપજ્યુ હતુ આ તરફ તમામ ત્રણેય મૃતકોની લાશને ધ્રાંગધ્રા સરકારી હોસ્પીટલ ખાતે પીએમ અથેઁ લાવી પોલીસ દ્વારા ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ તપાસ હાથ ધરી હતી.વધુ વાંચો -
ધ્રાંગધ્રા તાલુકાના વ્રજપર ગામે સુજલામ-સુફલામ યોજનાના ખાતમુહુર્તનો ફિયાસ્કો
- 20, માર્ચ 2022 01:30 AM
- 6794 comments
- 7428 Views
ધ્રાગધ્રા, ધ્રાંગધ્રા તાલુકાના વ્રજપર ગામે સુજલમ-સુફલામ અભિયાન ૨૦૨૨ અંતઁગત વ્રજપર તળાવને ઉંડુ કરવા માટેના ક્મગીરીનુ ખાતમુહઁત કરવાનો કાયઁક્રમ હાથ ધરાયો હતો. જેમા ધ્રાંગધ્રા પંથકના જ આગેવાનોની ગેરહાજરી નજરે પડી હતી આ તરફ પયાઁવરણ મંત્રી કિરીટસિંહ રાણા, સુરેન્દ્રનગરના ધારાસભ્ય ધનજીભાઇ, તથા ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરશોતમ સાબરીયાના હસ્તે તળાવ ઉંડુ કરવા માટેના ખાતમુહઁત હાથ ધરાયુ હતુ પરંતુ કાયઁક્રમને આમંત્રણ પત્રીકામા સ્થાનિક નેતા અને ભાજપના આગેવાન આઇ.કે.જાડેજાની બાદબાકી સ્થાનિક સંગઠન તથા કાયઁકરોને ઉડીને આંખે વળગતા મોટી સંખ્યામા ભાજપના કાયઁક્રમો પણ કાપ નજરે પડ્યો હતો આ તરફ કેબીનેટ મંત્રી તથા બબ્બે ધારાસભ્યની ઉપસ્થિતી કાયઁક્રમમા પણ લોકોની પાંખી હાજરી હોવાથી સુજલામ-સુફલામ અભિયાન અંતઁગત વ્રજપર તળાવને ઉંડુ કરવા આ કાયઁક્રમનો ફિયાસ્કો થયો હતો.વધુ વાંચો -
ધ્રાંગધ્રા પંથકના રણ વિસ્તારના ગામો માધ્યમિક શાળાથી વંચિત રહેતા રોષ
- 15, માર્ચ 2022 01:30 AM
- 7673 comments
- 7462 Views
ધ્રાગધ્રા, ધ્રાંગધ્રા પંથકમાં આવેલા રણ વિસ્તારના કેટલાક ગામોમા આજે પણ શિક્ષણને સ્તર નીચુ છે જેનુ મુખ્ય કારણ અહિ વસતા અગરીયા પરીવારો આથીઁક રીતે પછાત હોવાનુ છે જ્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ પ્રાથમિક અને માધ્યમિક શાળાના નિમાઁણ માટે અલગ વ્યવસ્થા કરે છે પરંતુ રણ ધ્રાગધ્રા પંથકના છેવાડાના વિસ્તાર એટલે રણ વિસ્તારમા આવેલા એજાર ગામે કોઇ માધ્યમિક સ્કુલ નહિ હોવાથી ગામના તમામ બાળકોના વાલીઓ પ્રાથમિક સ્કુલમાં અભ્યાસ કરાવ્યા બાદ પોતાના બાળકોને અભ્યાસ પુણઁ કરી કામ પર લગાવી દે છે.જાેકે એજાર ગામની આજુ-બાજુ દશેક કિમી સુધી કોઇ માધ્યમિક શાળા આવેલી નથી જેથી વાલીઓને ન છુટકે પોતાના બાળકોનો અભ્યાસ પુણઁ કરવો પડે તેવી પરીસ્થિતી ઉદભવે છે. જ્યારે પ્રાથમિક સ્કુલમાં પણ બાળકોને અભ્યાસ કરવો કઠીન છે કારણ કે અહિ આજુ-બાજુ વાડી વિસ્તારમા રહેતા બાળકોને પ્રાથમિક સ્કુલમાં અભ્યાસ માટે કેટલેક કિમી સુધી ચાલતા જવુ પડે છે ત્યારે સ્થાનિક જાગૃત નાગરીક દ્વારા અગાઉ એજાર ગામે માધ્યમિક શાળાના નિમાઁણ માટે છેક રાજ્યના શિક્ષણ મંત્રી સુધી લેખીત રજુવાત કરી છતા પણ કોઇ નિણઁય આવેલો નથી ત્યારે અગામી સમયમા રણકાંઠાના ગામોમા વસતા બાળકો શિક્ષણને અભાવે વંશ પરંપરાગત મજુરી ન કરે અને તેઓની પણ પ્રગતિ રુંધાય નહિ તે માટે સરકાર તાત્કાલિક નિણઁય કરી માધ્યમિક શાળા નિમાઁણ કરે તેવી માંગ કરાઇ છે.વધુ વાંચો -
ધ્રાંગધ્રાના ધોળી ગામે વૃક્ષની ડાળીમાંથી પાણીની ધારા થતા લોકો દર્શને ઉમટ્યા
- 19, ફેબ્રુઆરી 2022 01:30 AM
- 138 comments
- 9489 Views
ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રા તાલુકાના ધોળી ગામના તળાવના કિનારે આવેલા અતિ પૌરાણીક ધોળેશ્વર મહાદેવના મંદિરની બરોબર પાસે જ વડનુ વૃક્ષ વધુ પડતુ ઘનઘોર હોવાના લીધે કાપવાની કામગીરી હાથ ધરાઇ હતી પરંતુ વૃક્ષની ડાળી કાપતા જ તેમાથી ધીરે-ધીરે પાણી નિકળવા લાગ્યુ હતુ અને થોડા સમયમા તો વડની કાપેલી ડાળીમાથી રીતસર પાણીની ધરાવડી થઇ હતી જેની જાણ ધોળી ગામના લોકોને થતા જ મોટાભાગના રહિશો આ નજારો જાેવા પૌરાણીક મહાદેવના મંદિર ઉમટી પડ્યા હતા કેટલાક રહિશો દ્વારા તો જુદી-જુદી માન્યતાઓ ઉપજાવી પીપળના વૃક્ષની ડાળી કાપવામાં મહાદેવ પણ રાજી નહિ હોવાનુ કહ્યુ હતુ ત્યારે આ બાબતે સ્થાનિક પુવઁ ઉપ સરપંચ રમણીકભાઇ પટેલ દ્વારા જણાવ્યુ હતુ કે ધોળી ગામના તળાવ કિનારે આવેલા આ ધોળેશ્વર મહાદેવનુ મંદિર આશરે ૩૦૦ વષઁ જુનુ હોવાની માન્યતા છે અને આ વડનુ ઝાડ પણ કેટલાક વષોઁથી તેઓ જાેતા આવે છે હાલ મંદિરના સમારકામ થઇ રહ્યુ છે પરંતુ આ પીપળનુ વૃક્ષ ઘનઘોર હોવાના લીધે મંદિર પર નમતુ હતુ જેથી આગામી સમયમા મંદિરને કોઇ નુકશાન થાય નહિ તે માટે વૃક્ષનો કેટલોક નમતો અને જાેખમી ભાગ કાપવાની કાયઁવાહી શરુ કરાઇ હતી પરંતુ આ કામગીરી શરુ થતાની સાથે જ આ પ્રકારનો કિસ્સો સામે આવતા હાલ વૃક્ષ કાપવાની કામગીરી બંધ રાખી છે જ્યારે વૃક્ષમાથી પાણી ટકવાની વાતને લઇને અનેક લોકો મોટી સંખ્યામા અહિ દશઁને પણ આવી રહ્યા છે.વધુ વાંચો -
ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડના ચેરમેન પદ માટે પાટીદાર પાટીદાર જેવો ઘાટ
- 19, ફેબ્રુઆરી 2022 01:30 AM
- 5010 comments
- 9168 Views
ધ્રાંગધ્રા ધ્રાંગધ્રા હાઇવે પર કલ્પના ચોકડી તરફથી સુરેન્દ્રનગર રોડ તરફ રસ્તામાં અંદાજે ૬ કરોડના ખર્ચે માર્કેટીંગ યાર્ડ નવ નિમાઁણ પામેલ છે ત્યારે અગાઉ માર્કેટીંગ યાર્ડ અનેક વખત વિવાદમાં સપડાયું હતુ અને હજુપણ વિવાદ યાડઁ નો પીછો નહિ છોડતું હોવાનુ સામે આવ્યુ છે જેમા હાલ યાડઁના ચેરમેન તરીકે મહેશ પટેલ હોય અને આગામી એપ્રિલ મહિનામા તેઓની અઢી વષઁની ફોમઁ પુણઁ થવાના આરે હોય જેથી અન્ય વેપારી પેનલના ડીરેક્ટરો દ્વારા ચાલુ ચેરમેન મહેશ પટેલની ટાંટીયાખેચ શરુ કરાઇ છે આ તરફ ચેરમેન તરીકે બે પાટીદારો દ્વારા દાવેદાર હોવાનુ ચચાઁઇ રહ્યુ છે. માકેઁટીંગ યાડઁ અગાઉ પણ લગભગ ૭૦ વષઁ સુધી માત્ર સરકારી ચોપડે જ હતુ અને જ્યારે હવે યાડઁ સંપુણઁ નિમાઁણ થતા બે પાટીદારો પોતાની હાજરી અને સીધો ચેરમેન પદના હક્ક જમાવતા આંતરીક ખટરાગ હોવાનુ પણ સામે આવ્યુ છે. આ તરફ હાલના ચેરમેનના સામે તેઓના જ પાટીદાર સમાજના હોવાથી પાટીદાર દૃ/જ પાટીદાર જેવો ઘાટ સજાઁયો છે. તેવામાં ચેરમેન મહેશ પટેલ તથા વાઇસ ચેરમેન કનકસિંહ ઝાલા દ્વારા ચેરમેન પદના દાવેદાર ગણાવતા બંન્ને પાટીદાર નેતાઓને સમજાવટના પ્રયત્નો હાથ ધરી ૭૦ વષઁથી માત્ર સરકારી ચોપડે રહી ચુકેલા યાડઁને ધમધમતુ કરવા અથાગ મહેનત કરેલ હોદ્દેદારોને તેઓના પદ પર યથાવત રહેવા માટે મનામણા થઇ જાય તો યાડઁ નો વધુ વિકાસ થવાની પણ અન્ય ડીરેક્ટરોમા ચચાઁ છે.• ધ્રાંગધ્રા માકેઁટીંગ યાડઁમા ભાજપ પેનલ છે અને આશરે ૩ ટમઁથી ચેરમેન તરીકે મહેશ પટેલ દ્વારા પોતાના પરનો સદઉપયોગ કરી યાડઁને નિમાઁણ બાદ ધમધમતુ પણ કયુઁ હોવાનુ યાડઁના વેપારીઓ તથા ખેડુતોનુ કહેવુ છે. • આગામી એપ્રિલ ૨૦૨૨મા ચેરમેન તથા વાઇસ ચેરમેન પદની ટમઁ પુણઁ થયાના બે મહિના પહેલા જ વિરોધ્ધ સુર સંભળાતા ખેડુતોમાં પણ ગણગણાટ શરુ થયો છે. પરંતુ ચેરમેન અને વાઇસ ચેરમેનને યથાવત રાખવા કે નો રીપોટઁ થીયરી અપનાવવી તેમા હુકમના એક્કા તરીકે આઇ.કે.જાડેજાનો નિણઁય આખરી હોવાનુ પણ ચચાઁઇ રહ્યુ છે.વધુ વાંચો -
ધ્રાંગધ્રાથી જૂના ઘનશ્યામગઢ તરફ જવાના બિસ્માર રોડની તાત્કાલીક કામગીરી શરૂ કરાઇ
- 07, ફેબ્રુઆરી 2022 01:30 AM
- 878 comments
- 5731 Views
ધ્રાગધ્રા, ધ્રાંગધ્રા તાલુકાના રાજપરથી જુના ઘનશ્યામગઢ ગામ તરફ જવાનો રોડ છેલ્લા કેટલાક સમયથી બિસ્માર હોય જેનુ મુખ્ય કારણ ઘનશ્યામગઢ ગામેથી ઓવરલોડેડ ડમ્ફરો લીધે આ રોડ પર વારંવાર ખાડા પડી જાય છે ત્યારે આ રોડ બિસ્માર હોવાથી ઘનશ્યામગઢ, કંકાવટી, અંજાર સહિતના ગામોમા રહેતા સ્થાનિકોને અહિથી નિકળવું ખુબ જ મુશ્કેલ થતુ હતુ અને ખાસ કરીને આ વિસ્તાર માથી સરકારી બસો નિકળતા ખરાબ રસ્તાના લીધે વારંવાર બસોમાં કોઇને કોઇ ખરાબી થતી હતી જેના લીધે અપડાઉન કરતા વિધાથીઁઓને સમયસર અભ્યાસ માટે પહોચી શકતા ન હતા.આ બાબત મોટી માલવણ જીલ્લા પંચાયત સીટના સદશ્ય પપ્પુભાઇ ઠાકોરને ધ્યાને આવતા તેઓ દ્વારા તાત્કાલિક રોડનું સમારકામ હાથ ધરી કામગીરી કરી હતી. આ તરફ વષોઁથી ખાડાનુ સામ્રાજ્ય જામેલા રોડનું સમારકામ થતા ઉપરવાસના ગામડાઓના રહિશોને તથા દરરોજ અહિથી મુશાફરોને કરતા સ્થાનિકોને કાયમી ધોરણે પ્રશ્નનો નિકાલ આવતા ખુશી વ્યક્ત કરી હતી.વધુ વાંચો -
ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાંથી દિન દહાડે ખનીજ ચોરી કરતા વાહનો સામે તંત્ર મુકપ્રેક્ષક
- 01, ફેબ્રુઆરી 2022 01:30 AM
- 2263 comments
- 9445 Views
ધ્રાંગધ્રા ધ્રાંગધ્રા પંથકમાં ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા ભુમાફીયાઓને દ્વારા આડો આંક વાળી દીધો છે તેવામાં અહિની સ્થાનિક તંત્ર પણ ભુમાફીયાઓને વિરુધ્ધ કોઇ કાયઁવાહી નહિ કરતા હવે દિન દહાડે શહેરની વિસ્તારમાથી ગેરકાયદેસર ખનીજ ભરેલા વાહનો નજરે પડી રહ્યા છે જેમા ધ્રાંગધ્રા પંથકના રાજપર ગામ તરફ નીકળતી લાલ માટી, કુડા ચોકડી નજીક નીકળતી ભુખરા સફેદ રંગની માટી તથા રેતીનું ગેરકાયદેસર ખનન કરી ભુમાફીયાઓ પોતાના વાહનમાં પાસ પરમિટ વગર જ હેરફેર કરતા નજરે પડે છે આ તરફ તંત્રના અધિકારીઓ આ તમામ નાટક માત્ર મુકપ્રેક્ષક બનીને જાેઇ રહેતા ભુમાફીયાઓને મોકળુ મેદાન મળી રહ્યુ છે જેથી દિન દહાડે શહેરની બજારો વચ્ચે ગેરકાયદેસર ખનીજ ભરેલા વાહન ખુલ્લેઆમ નિકળતા નજરે પડે છે ત્યારે આ મામલે સ્થાનિક પયાઁવરણ પ્રેમીઓ દ્વારા ખુલ્લેઆમ ખનીજ ચોરી કરી તેની હેરફેર કરતા વાહનો પર કાયદેસરની કાયઁવાહી કરાય તેવી ઉગ્ર માંગ ઉઠી રહી છે.વધુ વાંચો -
ધ્રાંગધ્રા ન.પા.માં ડોર-ટુ-ડોર કોન્ટ્રાક્ટમાં કૌભાંડ
- 31, જાન્યુઆરી 2022 01:30 AM
- 3544 comments
- 3606 Views
ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રા નગરપાલિકાની કુલ ૩૬ બેઠકોમાં ૩૫ બેઠકો ભાજપના ફાળે હોવાથી સ્પષ્ટ બહુમતી સાથે નગરપાલિકામાં બહુમતિ ધરાવતુ શાસન છે જેથી ધ્રાંગધ્રા પાલિકાની તમામ સામાન્ય સભામાં તમામ ઠરાવો પસાર થઇ જાય છે. અને શાસક પક્ષના મનમાની પણ ચાલે છે ત્યારે વડાપ્રધાનના સ્વચ્છ ભારત બનાવવાના સ્વપ્ન અંતઁગત ધ્રાંગધ્રા શહેરના તમામ ૯ વોડઁમા ઘેર-ઘેર જઇને કચરો ઉઘરાવવા માટે ડોર-ટુ-ડોરનો કોન્ટ્રાક્ટ આપી દેવાયો છે. અમદાવાદની કુમાર એજ્યુકેશન નામની સંસ્થાને દરરોજ શહેરી વિસ્તારના તમામ રહેણાક મકાન તથા દુકાનો પરથી એકઠો કરેલો કચરો વાહનોમાં ભરીને તેનો યોગ્ય નિકાલ કરવાના આ કોન્ટ્રાક્ટરને પાલિકા દર મહિને ૪.૮ લાખનુ બિલ ચુકવી છે. જાેકે પાલિકા દ્વારા જે તે સમયે આ કોન્ટ્રાક્ટ અપાયો ત્યારે કેટલીક શરતો કરાઇ હતી જેમા કોન્ટ્રાક્ટર પાસે પોતાના વાહનો હોવા જરુરી છે, તમામ વાહનોના ડ્રાઇવર તથા ક્લીનરને સેફ્ટી સુઝ, યુનિફોમઁ તથા આઇ.કાડઁ ફરજીયાત પહેરવો જરુરી છે, ડોર-ટુ-ડોરમાં લેબરોને સરકારી ધારાધોરણ મુજબ ૩૮૦ રુપિયા વેતન આપવુ જરુરી છે તથા શહેરી વિસ્તારમા એક રહેણાંક મકાન અથવા દુકાન દીઠ કોન્ટ્રાક્ટરને રુપિયા ૧૮.૫૪ રુપિયા મળશે જેથી કોન્ટ્રાક્ટર જાે પોતાની કામગીરી નિભાવવામાં બેદરકારી અને કાળજી નહિ રાખે તેવી ફરીયાદ આવશે તો મિલ્કત દીઠ ૧૮.૫૪ રુપિયા બિલમાથી કપાત થશે પરંતુ આ તમામ નિયમો અને શરતો માત્ર કાગળ પર જ રહી છે ખરેખર કોન્ટ્રાક્ટર દ્વારા નગરપાલિકાના વાહનોના ઉપયોગ કરી મનફાવે ત્યારે ડોર-ટુ-ડોર વાહન લોકોના ઘેર જઇ કચરો ઉઘરાવે છે છતા દર મહિને લાખ્ખો રુપિયાનું બિલ પાસ થઇ જાય છે. જ્યારે કોન્ટ્રાક્ટરને શહેરના તમામ વોડઁમા કચરો ઉઘરાવતા વાહનો દીઠ એક ડ્રાઇવર અને એક લેબર(ક્લીનર) ફરજીયાત છે. જેનુ કામ સ્થાનિકોના ઘેર એકઠો કરેલ કચરાનું ડસ્ટબીન લઇને વાહનમાં આ ડસ્ટબીન ખાલી કરી પરત આપવાનુ હોય છે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા આ પ્રક્રિયા માટે લેબર જ નથી જેથી સ્થાનિકોને આ કામ પોતે જ કરવુ પડે છે અને દર મહિને આ લેબરોનો ખચઁ બચાવી કૌભાંડ આચરતો હોવાની વિગતો સામે આવી છે.પ્રથમ મહિને બિલમાંથી ૧૦ હજાર કપાત કરી ચીફ ઓફીસર ધ્રાંગધ્રા નગરપાલિકાના ચીફ ઓફીસર મંટીલકુમાર પટેલ દ્વારા આ મામલે જણાવ્યુ હતુ કે ‘મે નગરપાલિકાના ચીફ ઓફીસરનો ચાજઁ સંભાળ્યો તેને હજુ થોડો સમય થયો છે જે સમયગાળામા આ ડોર-ટુ-ડોર કોન્ટ્રાક્ટ દ્વારા ગેરરીતી અને શરતો મુજબ કામ નહિ થતુ હોવાનુ સામે આવતા પ્રથમ મહિને તેના બિલમાથી આશરે ૧૦ હજાર જેટલી રકમ કપાત કરી છે’ ધ્રાંગધ્રા શહેરના કુલ ૯ વોડઁના તમામ રહેણાંક તથા દુકાનોમા દરરોજ એકઠો થતો કચરો ડોર-ટુ-ડોર વાહનને લઇ જવો ફરજીયાત છે જે બાબતની કોન્ટ્રાક્ટ છેલ્લા એક વષઁથી અમદાવાદની કુમાર એજ્યુકેશન નામની સંસ્થાને અપાયો છે અને આ કામ બદલ નગરપાલિકા દ્વારા એક મિલ્કત દીઠ અઢાર રુપિયા ચુકવે છે પરંતુ શહેરના કેટલાક એવા વિસ્તારો છે જ્યા ડોર-ટુ-ડોરનો વાહન લગભગ ચાર અથવા પાંચ દિવસે જ જાય છે જેથી કોન્ટ્રાક્ટર દ્વારા મહિનામા ત્રીસ દિવસની બદલે માત્ર છ અથવા સાત વખત વાહન મોકલી સરકારી ચોપડે ત્રીસ દિવસની બિલ પાસ કરાવી કૌભાંડ આચરવામાં આવે છે. - ઉમેશભાઇ સોલંકી (સામાજીક કાર્યકર)વધુ વાંચો -
ધ્રાંગધ્રા માર્કેટીંગ યાર્ડના મુર્હૂતમાં જ પાકની મબલક આવકઃ હરાજીમાં ખેડુતો માલામાલ
- 26, જાન્યુઆરી 2022 01:30 AM
- 7069 comments
- 373 Views
ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રા પંથકમાં મુખ્યત્વે કપાસનું સૌથી વધુ વાવેતર થાય છે ત્યારે ધ્રાંગધ્રા ખાતે માકેઁટીંગ યાડઁ નિમાઁણ થતા હવે ખેડુતોને પણ પોતાનો પાક વેચાણ કરવા માટે અન્ય વિસ્તારમા જવુ પડે નહિ તે માટે આશરે ૨૪ કરોડના ખચેઁ માકેઁટીંગ યાડઁનુ નિમાઁણ કરાયુ હતુ જે માકેઁટીંગ યાડઁનુ નિમાઁણ કાયઁ પુણઁ થતા આજથી હરરાજી પ્રક્રિયા શરુ કરાઇ હતી. માકેઁટીઁગ યાડઁ શરુ થવાના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામા ખેડુતો અહિ ઉમટી પડ્યા હતા સાથે જ એરંડા, રાઇડો, જીરુ, કપાસ સહિતનો મબલક પાક પણ નજરે પડ્યો હતો આ તરફ માકેઁટીંગ યાડઁને શરુ કરવાના પ્રથમ દિવસે જ હરરાજી પ્રક્રિયામા કપાસનો ભાવ ૩૦૦૦થી ૩૫૦૦ રુપિયા જ્યારે એરંડાનો ભાવ ૧૫૦૦થી ૧૭૦૦ સુધી થતા ખેડુતો રાજી થયા હતા ધ્રાંગધ્રા માકેઁટીંગ યાડઁને શુભ શરુવાત કરવા માટે સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ તથા રામ મહેલ મંદીરના મહંતના હસ્તે હરરાજી પ્રક્રિયા શરુ કરાવાઇ હતી. આ તરફ માકેઁટીંગ યાડઁના શુભ શરુવાત સમયે ચેરમેન મહેશભાઇ પટેલ, વાઇસ ચેરમેન કનકસિંહ ઝાલા હળવદ એ.પી.એમ.સી સેક્રેટરી મહેશભાઇ સહિત મોટી સંખ્યામા વેપારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.વધુ વાંચો -
કોરોના ગાઈડલાઈનનો ભંગઃ લીંબડી ખાતે લગ્ન પ્રસંગમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા
- 24, જાન્યુઆરી 2022 01:30 AM
- 9379 comments
- 862 Views
સુરેન્દ્રનગર, લીંબડી ખાતે લગ્ન પ્રસંગમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા લગ્ન પ્રસંગમાં માસ્કનો અભાવ તેમજ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો જાેવા મળ્યો કીર્તિ પટેલ અને સિંગર દિવ્યા ચૌધરી માસ્ક વગર ભીડમાં ગરબે ઘૂમતા હોવાનો વીડિયો વાયરલ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે લગ્ન પ્રસંગમાં કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થયો હતો. લગ્ન પ્રસંગમાં સિંગર દિવ્યા ચૌધરી તેમજ ટીકટોક સ્ટાર કીર્તિ પટેલ સહિતનાઓ માસ્ક વગર જાેવા મળ્યા હતા. તેમજ સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ થયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને લઈ ચકચાર મચી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં એક તરફ કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યા છે. ત્યારે બીજી બાજુ સરકારની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ અને ગુજરાતી સિંગર દિવ્યા ચૌધરી લગ્ન પ્રસંગમાં ડીજેના તાલે ગરબે ઘૂમતા જાેવા મળ્યા હતા. આ વાયરલ વીડિયોમાં કોરોના મહામારી વચ્ચે ટીકટોક સ્ટાર કીર્તિ પટેલ અને સિંગર દિવ્યા ચૌધરી લગ્નમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગર ભીડમાં ગરબે ઘૂમતા નજરે પડે છે. સામાન્ય લોકો નિયમોનું ઉલ્લંઘન કરે તો તંત્ર દ્વારા કડક કાર્યવાહી અને દંડ વસૂલવામાં આવે છે. જ્યારે ટીકટોક સ્ટાર અને સિંગર સામે હજુ સુધી કોઈ જ પગલા ન લેવાતાં લોકોમાં ચર્ચાઓએ જાેર પકડ્યું છે. આ વાયરલ વીડિયો લીંબડી ખાતે પરમાર પરિવારને ત્યાં લગ્ન પ્રસંગનો હોવાની ચર્ચાઓ સાંભળવા મળી રહી છે. જિલ્લાના લીંબડી ખાતે લગ્ન પ્રસંગમાં સરકારની કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. ત્યારે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં લઇ તંત્ર દ્વારા આ બાબતે તાકીદે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી વ્યાપક માંગ ઉઠી છે.વધુ વાંચો -
ધ્રાંગધ્રા-હળવદ ના ધારાસભ્ય કોરોના પોઝિટીવ
- 11, જાન્યુઆરી 2022 01:30 AM
- 792 comments
- 5670 Views
ધ્રાંગધ્રા, શહેરોમાં ધીરે-ધીરે કોરોના પોઝિટીવ કેસની સંખ્યામા વધારો થતો પણ દેખાય છે ત્યારે સામાન્ય લોકો સાથે રાજકીય તાયફા કરી સરકારી ગાઇડલાઇન્સનુ ઉલ્લંઘન સાથે કાયઁકરો કરતા રાજકીય નેતાઓ પણ હવે પોઝિટીવ આવ્યા છે જેમા ધ્રાગધ્રા-હળવદ ધારાસભ્ય પરશોતમ સાબરીયા કોરોના પોઝિટીવ આવતા ધારાસભ્યો પોતે જ ટ્વીટ કરી માહિતી જાહેર કરી હતી જેમા છેલ્લા ચારેક દિવસથી ધારાસભ્ય પરશોતમ બાબરીયાની તબીયત નાદુરુસ્ત હોય અને કોરોનાના લક્ષણો જણાતા પોતે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. રીપોટઁ પોઝિટીવ આવતા ધારાસભ્યે પોતે પોઝિટીવ હોવાનુ જાહેર કર્યું હતું.જૂનાગઢ પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોને માસ્ક પહેરાવ્યા જૂનાગઢ, હાલ કોરોના મહામારીની ત્રીજી લહેર આવી ગઇ છે. ત્યારે સંક્રમણથી બચવા માસ્ક પહેરવું જરૂરી છે. માસ્ક ન પહેરવાનો દંડ ૧,૦૦૦ છેે. પરંતુ સામાન્ય લોકો આ દંડની રકમ ભરી ન શકે. ત્યારે જૂનાગઢ પોલીસે શહેરના અનેક વિસ્તારોમાં ફરી લોકોને ફ્રિમાં માસ્ક પહેરાવી સાથે માસ્કનું ફ્રિમાં વિતરણ પણ કર્યું છે. આ અંગે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, માસ્ક પહેરવા અંગે લોકોમાં જાગૃતિ આવે અને સામાન્ય મજૂરી કરતા લોકોને દંડ ભરવો ન પડે તે માટે ફ્રિમાં માસ્ક વિતરણ કરવા રેન્જ આઇજીપી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ સૂચના કરી હતી. બાદમાં એ ડિવીઝન, બી ડિવીઝન, સી ડિવીઝન સહીતના અધિકારીઓએ રિક્ષા ચાલકો, વાહન ચાલકો, ફ્રૂટ તેમજ અન્ય લારી વાળા, ગરીબો, મજૂરો, ફૂટપાથ પર રહેનારાને માસ્ક પહેરાવી, ફ્ર્રિમાં માસ્કનું વિતરણ કર્યું હતું.વધુ વાંચો -
ધ્રાંગધ્રામાં ઉતરાયણ નજીક હોવા છતા પતંગ-દોરાના ધંધામાં મંદી
- 11, જાન્યુઆરી 2022 01:30 AM
- 7129 comments
- 5849 Views
ધ્રાંગધ્રા પંથકમાં એકતરફ કોરોના પોઝિટીવ કેસોનો સંખ્યા વધતી જાય છે ત્યારે આ તરફ મકરસંક્રાંતિના પવઁ સમયે જ કોરોનાની ત્રીજી લહેરે માથુ ઉચકતા હવે પતંગ-દોરાના ધંધામા મંદી જાેવા મળે છે એક તરફ કોરોનાનુ ગ્રહણ અને બીજી તરફ પતંગ તથા માંજા સહિતની ચીજાેમાં ૨૫થી ૩૦ ટકાના ભાવનો વધારો થતા ધંધાથીઁઓને પોતાનો માલ-સામાન ઘર જમાઇ પડ્યો રહે તેવી સ્થિતી ઉભી થઇ શકે છે ત્યારે આ વષેઁ ભાવમાં વધારો તથા ધંધાથીઁઓ પણ પતંગ-પોતાનો ધંધો કરીને પસ્તાઇ રહ્યા હોવાનુ વેપારીઓ દ્વારા જણાવાયુ છે.મકરસંક્રાંતિ પર્વના અંતિમ રવિવારે ભાવેણામાં રીલ-દોરા પર માંઝો ચડાવવા ભીડ ઉમટી ભાવનગર ભાવનગરમાં પતંગ પર્વ પૂર્વેના અંતિમ રવિવારે પતંગ રસીકો દ્વારા મકરસંક્રાંતિની તૈયારીઓનો માહોલ બરાબર જાેવા મળ્યો હતો. શહેરમાં ઠેરઠેર પતંગ રીલ સાથે સંક્રાંતિ પર્વની વિવિધ વસ્તુઓની ખરીદી સાથોસાથ રીલ-દોરાને માંઝો ચડાવવા ભારે ગીર્દી જમાવી હતી. શહેરમાં આવેલા એવી સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે સ્થળોએ પતંગ-ફીરકીઓ રીલ તથા દોરા પર માંઝો ચડાવવા સિવાય બીજી કોઈ વાત જણાતી ન હતી. લોકો મકરસંક્રાંતિ ઉજવવા થનગની રહ્યાં હોય તેમ માસ્ક સોશિયલ ડીસ્ટન્સ સહિતની ગાઈડલાઈનોની ઐસીતૈસી કરી બેફીકર બની ફરતાં ખરીદી કરતાં નઝરે ચડ્યાં હતાં.શહેરના બોરતળાવ રોડ એવી સ્કૂલ સહિત અનેક સ્થળોએ રીલ-દોરા પર માંઝો ચડાવવા પતંગ રસીયાઓએ ભીડ જમાવી કલાકો સુધી રાહ જાેઈ હતી. તો બીજી તરફ કોરોના મહામારીની ત્રીજી લહેરને પગલે શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું હોય અને રવિવાર હોય આથી શહેરના કેટલાક વિસ્તારોમાં બાળકો યુવાનો સવારથી જ અગાશીઓ પર મ્યૂઝિક સિસ્ટમ પતંગ-ફિરકી સાથે પહોંચી ગયા હતા.વધુ વાંચો -
વિરમગામ, સુરેન્દ્રનગરની જૈન સમાજની યુવતીઓએ જૂનાગઢની ૯૯ યાત્રા કરી
- 10, જાન્યુઆરી 2022 01:30 AM
- 6730 comments
- 3820 Views
જૂનાગઢ, વિરમગામ અને સુરેન્દ્રનગરની જૈન પરિવારની યુવતીઓએ જૂનાગઢની ૯૯ યાત્રા પૂર્ણ કરી પુણ્યનું ભાથું બાંધ્યું છે. જૈન ધર્મમાં તપનું વિશેષ મહત્વ રહ્યું છે. યુગપ્રધાન આચાર્ય સંઘ પરમ પૂજ્ય ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન હેમ વલ્લભ સુરેશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણા અને શુભ નિશ્રામાં હાડ થીજવી નાખે તેવી ઠંડીમાં જૈન સમાજના ૩૦૦ યુવાન અને યુવતીઓ જૂનાગઢની ૯૯ યાત્રામાં જાેડાયા હતા. ૯૯ યાત્રા એટલે જુનાગઢ તળેટીથી નેમિનાથ જિનાલયના ચાર હજાર પગથિયા ચડીને જિનાલય પહોંચ્યા પછી ૧૦૮ વખત જિનાલયની પ્રદક્ષિણા, સહ સાવનના ૧૮૦૦ પગથિયા ઉતરવાના, ત્યારબાદ નેમિનાથ ભગવાનની દીક્ષા કલ્યાણક ભૂમિ પર ચૈત્યવંદન સહિતની ધાર્મિક વિધિ કરવાની સાથે યાત્રા દરમિયાન વિના ચંપલ ચાલવાનું અન્ન પાણીનો ત્યાગ કરવાનો હોય છે. ૩૦ દિવસ સુધી દરરોજ ૬૬૦૦ પગથિયા ચડવાના અને ઉતરવાના હોય છે. તળેટીમાં ઉતર્યા બાદ ઉકાળેલું પાણી અને એકાસણું કરવાનું હોય છે જેને ૯૯ યાત્રા કહેવાય છે. આવી કઠિન યાત્રામાં વિરમગામ જૈન પરિવારની ૨૧ વર્ષીય હેતવી સંજય કુમાર અને સુરેન્દ્રનગર જૈન પરિવારની ૨૪ વર્ષીય કોઠારી દેવાશ્રી વિજય કુમાર બંને યુવતીઓએ જુનાગઢ ગીરનારની ૩૬ દિવસની ૧૦૮ યાત્રા પૂર્ણ કરી પુણ્યનું ભાથુ બાથ્યું છે. વિરમગામ અને સુરેન્દ્રનગર જૈન સમાજ ગૌરવની સાથે આનંદની લાગણી અનુભવે છે.વધુ વાંચો -
કોળી સમાજની બેઠકમાં કુંવરજી અને હીરાભાઈને બોલાવી દેવજી ફતેપરાને એકલા પાડ્યાં
- 06, જાન્યુઆરી 2022 01:30 AM
- 3242 comments
- 4112 Views
રાજકોટ, આગામી સમયમાં યોજાનારી ધારાસભાની ચૂંટણી પુર્વે ભાજપ દ્વારા જે રીતે જ્ઞાતિ-જાતિના સમીકરણોને બેલેન્સ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે તેમાં રવિવારે રાજકોટમાં યોજાયેલી કોળી સમાજની બેઠકમાં અસંતોષના સુર કઢાયા બાદ આજે એક ઓચિંતા પગલામાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ એ કોંગ્રેસમાંથી આવેલા જસદણના ધારાસભ્ય અને પુર્વ રાજયમંત્રી કુંવરજી બાવળીયા તથા રાજુલા વિસ્તારને ભાજપના અગ્રણી હીરાભાઈ સોલંકી સહિતના ચાર થી પાંચ અગ્રણીઓને ગાંધીનગર બોલાવીને તેમની સાથે બેઠક કરતા પુર્વ સાંસદ દેવજી ફતેપરા ભડકી ગયા છે અને કુંવરજીભાઈ પર સમાજની એકતા તોડવાનો આરોપ મુકયો હતો. પાટીલએ ચતુરાઈપૂર્વક બાવળીયા અને દેવજી ફતેપરાને અલગ કર્યા છે અને આજે ફકત કુંવરજી બાવળીયા તથા હીરાભાઈ સોલંકીને તથા અન્ય એક-બે આગેવાનોને બોલાવ્યા હતા. ગાંધીનગર પહોંચેલા શ્રી બાવળીયાએ આ મુલાકાતને શુભેચ્છા મુલાકાત ગણાવી હતી. જાે કે તેમણે ફતેપરા અંગે બોલવાનું ટાળ્યું હતું. શ્રી દેવજીભાઈ ફતેપરાએ અગાઉ એવુ જણાવ્યુ હતું કે ભાજપના મોવડીમંડળ સમાજના આગેવાનને બોલાવે તો કોણે કોણે જવું તે હું અને કુંવરજીભાઈ નકકી કરવાના હતા પણ કુંવરજીભાઈએ રામ-લક્ષ્મણની જાેડી તોડી હોવાનો આરોપ મુકયો હતો. તેમણે કહ્યું કે હવે સમાજના અગ્રણીઓ સાથે હું ચર્ચા કરીશ. પાટીલ તેમને બોલાવશે કે કેમ તે અંગેના પ્રશ્ર્નના જવાબમાં કહ્યું હતું કે જયારે બોલાવશે ત્યારે ર્નિણય લેશું.વધુ વાંચો -
તસ્કરોના ત્રાસથી ત્રસ્ત ધ્રાંગધ્રાની ચરમાળીયા સોસા.ના રહીશોનું ડેપ્યૂટી કલેક્ટરને આવેદન
- 04, જાન્યુઆરી 2022 01:30 AM
- 1517 comments
- 4161 Views
ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રા શહેરમા શિયાળાની ઠંડી શરુ થતા જ તસ્કરોનો ત્રાસ પણ વધવા લાગ્યો છે ત્યારે ધ્રાંગધ્રા શહેરની ચરમાળીયા સોસાયટીમાં અવાર-નવાર ચોરીના બનાવો સામે આવતા નજરે પડે છે ત્યારે અગાઉ પણ આ સોસાયટીના રહિશો દ્વારા શહેરની સ્થાનિક પોલીસને લેખીત રજુવાત કરી પોતાના વિસ્તારમા શિક્ષણ હથીયરો સાથે આવતા તસ્કરોને લીધે પોલીસ પેટ્રોલીંગની માંગ કરવા છતાય આજદિન સુધી કોઇ જાતની કાયઁવાહી નહિ થતા અંતે અહિંના રહિશો દ્વારા ન છુટકે મામલતદાર તથા ડે.કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતુ જેમા ચરમાળીયા સોસાયટીના આશરે ૮૫ રહિશો દ્વારા ધ્રાંગધ્રા શહેરના સેવા-સદન ખાતે આવી અધિકારીઓને રજુવાત કરી હતી જેમા સ્થાનિકો દ્વારા જણાવાયુ હતુ કે તેઓના વિસ્તારમા દરરોજ રાત્રીના સમયે તસ્કરોનો ત્રાસ દિન-પ્રગતિથી વધતો જાય છે જેમા અજાણ્યા બુકાનીધારી લોકો હાથમા શિક્ષણ હથીયારો વડે રહેણાંક મકાનમાં ચોરીના ઇરાદે પ્રવેશ કરે છે જેના લીધે સોસાયટીના મહિલાઓ ખુબ જ ડરી ગયા છે ત્યારે આ બાબતે પોલીસને જાણ કરવા છતાય પોલીસ દ્વારા પેટ્રોલીંગ હાથ નહિ ધરતા આવેદન પત્ર પાઠવી તાત્કાલિક કાયઁવાહી કરવા રજુવાત કરાઇ હતી.વધુ વાંચો -
રાવળીયાવદર ગામે ગુજરાતના સુપ્રસિધ્ધ ગાયક નવનિયુક્ત સરપંચની મુલાકાતે
- 04, જાન્યુઆરી 2022 01:30 AM
- 8221 comments
- 5646 Views
ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રા તાલુકાની ૪૫ ગ્રામ પંચાયતની ચુંટણીના પરીણામ હાલમા જ જાહેર થયા છે જેમા સૌથી વધુ ઉમરના વૃધ્ધાની માંડીને સૌથી ઓછી ઉમરના યુવાઓ સરપંચ તરીકે નિયુક્ત થયા છે ત્યારે ધ્રાંગધ્રા પંથકના રાવળીયાવદર ગામે યુવા અને જાગૃત સરપંચ તરીકે પ્રતિનિધિત્વ પામેલા રતનસિંહ ઠાકોર સાથે ગુજરાતના સુપ્રસિધ્ધ ગાયક તથા કલાકાર જીજ્ઞેશ કવિરાજ રુબરુ મુલાકાતે આવ્યા હતા અને શુભેચ્છા પાઠવી હતી જ્યારે ગાયક જીજ્ઞેશ કવિરાજે મુલાકાત કરી હાલ ભાજપ સરકાર દ્વારા શહેરની સાથે ગામોમા પણ વિકાસ શરુ કરાયો છે ત્યારે નવનિયુક્ત યુવા અને એજ્યુકેશન ધરાવતા રાવળીયાવદર ગામના સરપંચે આગામી સમયમા પાંચ વષઁ વિકાસના કામો કરશે તેવી બાહેધરી આપી જીજ્ઞેશ કવિરાજે સરપંચને શુભેચ્છા પાઠવી હતી.વધુ વાંચો -
ધ્રાંગધ્રામાં સિનિયર સિટીઝનને મળેલ સોનાનો હાર તથા રોકડ માલિકને પરત કર્યા
- 31, ડિસેમ્બર 2021 01:30 AM
- 2669 comments
- 5016 Views
ધ્રાગધ્રા, ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમા ખરીદી કરવા આવેલા મુળ મેથાણ ગામના જયાબેન રમેશભાઇ ઘાંઘરના ૫૦ હજાર રુપિયા રોકડ તથા એક તોલા સોનાનો ચેઇન રસ્તામાં પડી ગયો હતો આ તરફ જયાબેનને પોતાની રોકડ તથા આભુષણો પડી ગયાની જાણ થતા જ પોતે પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ સ્ટાફ દશરથભાઇ ઘાંઘર, કે.ડી પરમાર તથા વિક્રમભાઇ રબારી સહિતના સ્ટાફે સ્થળ પર તપાસ કરી સીસીટીવી ફૂટેજ સહિત તપાસ કરતા પુછપરછ દરમિયાન જુની ખરાવાડ વિસ્તારમા રહેતા કેટલાક સીનીયર સીટીઝનને આ રોકડ તથા આભુષણો મળેલ હોય જેની જાણ પોલીસને કરતા પોલીસ દ્વારા જયાબેનને પોતાના ૫૦ હજાર રુપિયા તથા સોનાનો ચેઇન પરત અપાવ્યો હતો.વધુ વાંચો -
ધ્રાંગધ્રા-માલવણ હાઇવે નજીક ગેરકાયદેસર માટીના ખનન સામે તંત્રની શંકાસ્પદ ભૂમિકા
- 30, ડિસેમ્બર 2021 01:30 AM
- 3074 comments
- 342 Views
ધ્રાગધ્રા ધ્રાંગધ્રા-માલવણ હાઇવે નજીક દિન દહાડે ગેરકાયદેસર માટીનું ખનન થઇ રહ્યુ છે જેમા ધ્રાગધ્રા-માલવણ હાઇવે નજીક આવેલા જુના ટોલટેક્ષ પાસે ભુમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર માટીનુ ખનન કરતા ભુમાફીયાઓ એટલા હદે વણસી ગયા છે કે કોઇ અરજદાર જાે આ ગેરકાયદેસર ખનન સામે અવાજ ઉઠાવે એટલે તરત જ ભુમાફીયા દ્વારા અરજદારોને ધાપ-ધમકી વડે અવાજ દબાવવાનો પ્રયાસ કરતા હોય છે.આ બાબતનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમા ધ્રાગધ્રા-માલવણ હાઇવે નજીક ગેરકાયદેસર માટીનુ ખનન કરતા ભુમાફિયાઓ દ્વારા પાસ પરમિટ વગર માટી ડમ્ફરમા ભરીને હાઇવે પર નિકળતા સ્થાનિક જાગૃત નાગરીક દ્વારા ગેરકાયદેસર ખનન વિરુધ્ધ અવાજ ઉઠાવી તાલુકા પોલીસ તથા મામલતદારને જાણ કરી હતી જે બાદ કલાકો સુધી તંત્રનો એક પણ અધિકારી અહિ ફરક્યું હતુ નહિ વળી પાસ પરમિટ વગર માટી ભરેલુ ડમ્ફર અધવચ્ચે જ ખાલી કરી ખનીજમાફીયાઓ નાશી છુટ્યા હતા જેથી સ્પષ્ટપણે ખનીજ માફીયાઓ દ્વારા દિન દહાડે થતો ગેરકાયદેસર માટીના કાળા કારોબાર સામે તંત્રની ભુમિકા પણ શંકાસ્પદ લાગી રહી છે જેથી આ સમગ્ર મામલે જાગૃત નાગરીક દ્વારા ગેરકાયદેસર ખનન બંધ કરવા ઉચ્ચકક્ષાએ રજુવાત કરવાની માંગ કરી છે.વધુ વાંચો -
ધ્રાંગધ્રા રણકાંઠામા અગરીયાના બાળકો માટે રણ શાળા શોભાના ગાંઠીયા સમાન
- 30, ડિસેમ્બર 2021 01:30 AM
- 2478 comments
- 3113 Views
ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રા સહિત રણકાંઠામા વસતા અને મીઠા ઉધોગ વ્યવસાય કરતા અગરીયાઓના બાળકો માટે રણ શાળાનુ આયોજન કરાયુ છે જેમા સ્કુલ તરીકે રણમાં આશરે પાંચ બસ મુકવામાં આવી છે સોમવારથી સજ્જ આ બસમા રણકાંઠામા વસતા અગરીયા પરીવારના બાળકોને શિક્ષણ આપવામાં આવે છે પરંતુ આ રણ શાળાની બસ રણના નિઁધારીત કરેલા સ્થળની બદલે આ તમામ બસ એક જ સ્થળે રાખવામા આવે છે. જેથી રણમાં વસતા અગરીયાઓને બાળકો કેટલાય કિલોમીટર શિક્ષણ લેવા માટે ચાલતા જવુ પડે છે.આ તરફ રણ શાળાની બસમા સોલર તો છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ સોલર બંધ હોવાના લીધે બાળકોની રણ શાળામાં પંખા, એલ.ઇ.ડી સહિતની તમામ સુવિધા થઇ શકતી નથી ત્યારે બાળકોને અનેક કિલોમીટર સુધી ચાલતા આવ્યા બાદ પણ પાયાની સુવિધાના અભાવે શિક્ષણ મેળવી શકાતુ નથી જેથી આ મામલે અગરીયા આગેવાનો તથા સામાજીક કાયઁકરો દ્વારા રણકાંઠામા ચાલતી રણ શાળાની મુલાકાત લેતા અહિ રણ શાળાની નામે નાટક ચાલતુ હોવાનુ ખુલવા પામતા શિક્ષણ વિભાગના સચીવ સુધી આ મામલે રજુવાત કરાઇ છે.વધુ વાંચો -
ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર રોડ પર શટલ રિક્ષામાં આગ
- 25, ડિસેમ્બર 2021 01:30 AM
- 9732 comments
- 7389 Views
ધ્રાગધ્રા-સુરેન્દ્નગર રોડ પર પથૃગઢ ગામ નજીક માલ સામાનની હેરફેર કરતા સટલ રીક્ષા આજે સવારે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી જેમા ચાલતા સટલ રીક્ષા અચાનક આગ લાગતા રીક્ષા ચાલક પોતાનો જીવ બચાવી રીક્ષા રોડ પર જ મુકી દુર નાશી ગયો હતો જ્યારે થોડા સમયમા જ રીક્ષામા આગ વધુ વિકરાળ થતા રાહદારીઓ પણ પોતાના વાહનોને દુર થોભાવી દીધા હતા અને ટ્રાફીક જામ થયો હતો આ તરફ રીક્ષામા આગ લાગવાની ઘટનાને લઇને હાઇવે પર લોકોના ટોળા એકત્ર થયા હતા.વધુ વાંચો -
ધ્રાંગધ્રા - હળવદ વિધાનસભાના સિટીંગ ધારાસભ્યના પત્ની સરપંચની ચૂંટણી હાર્યા
- 23, ડિસેમ્બર 2021 01:30 AM
- 2281 comments
- 610 Views
ધ્રાગધ્રા, ધ્રાગધ્રા-હળવદ વિધાનસભાના ધારાસભ્ય તરીકે બે વખત જુદા-જુદા પક્ષમાથી ચુંટણી લડી ચુકેલા પરશોતમભાઇ સાબરીયાને અત્યાર સુધીમાં અહિની વિધાનસભાની ઐતિહાસીક જીત મળી છે અગાઉ કોગ્રેસ અને ત્યાર બાદ સિંચાઇ કૌભાંડની સંડોવણીમા આવી જતા પરશોતમ સાબરીયાએ કાયઁકરો ધારણ કયોઁ હતો અને ભાજપમાંથી વિધાનસભાની ચુંટણી લડી આશરે ૩૨હજાર મતોની ઐતિહાસીક લીડ લઇ ચુક્યા છે પરંતુ ધારાસભ્યના પત્નિ જશુબેન સાબરીયા મોરબીની ત્રાજપર ગ્રામપંચાયતની ચુંટણીમાં હારી ગયા હતા જાેકે ત્રાજપર ગ્રામપંચાયતની ચુંટણીના મતદાન પહેલા સત્તાપક્ષના ઉમેદવાર જયંતિભાઇ વરાણીયાને સંતાનો મામલે જશુબેન સાબરીયા દ્વારા વાંધો ઉઠાવ્યો હતો જ્યારે ચુંટણીમાં મતદાન બાદ પરીણામો જાહેર થતા જયંતિભાઇ વરાણીયા વિજેતા બનતા પુવઁ સરપંચ અને ધારાસભ્યના પત્નિ જશુબેન સાબરીયા પછડાટ આપી હતી ત્યારે ધ્રાગધ્રા-હળવદ વિધાનસભા ધારાસભ્યની પત્નિ સરપંચની ચૂંટણી હારી જતા મોરબી, ધ્રાગધ્રા તથા હળવદ સહિત છેક ગાંધીનગર સુધી રાજકારણમાં ચચાઁ જાેવા મળી હતી.ધ્રાંગધ્રા પંથકની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારોએ જીતનો ઉત્સવ ઉજવ્યો ધ્રાગધ્રા, ધ્રાંગધ્રા પંથકની ગ્રામપંચાયતની ચુંટણીના મતદાન બાદ મંગળવારના રોજ શહેરની શીશુકુંજ ખાતે મતગણતરી હાથ ધરાઇ હતી જેમા સવારથી જ ઉમેદવાર સરપંચ , સભ્યો તથા ગ્રામજનો મોટી સંખ્યામા ઉમટ્યા હતા જ્યારે મતગણતરી શરુ થતા ગયા અને પરીણામ આવ્યા બાદ વિજેતા ઉમેદવારો દ્વારા વિજય સરઘસ સાથે પોતાના ગામ તરફ જવા રવાના થયા હતા જ્યારે પરાજીત ઉમેદવારો ઉદાસ મોઢે પાછુ ફરતા નજરે પડ્યા હતા.આ તરફ ધ્રાગધ્રાની તમામ ગ્રામપંચાયતોમા સૌથી વધુ વયના સરપંચ પીપળા ગ્રામપંચાયતના ઉમેદવાર ગૌરીબેન ચાવડા ૯૫ વષઁના વિજેતા થતા સરપંચ થયા હતા જ્યારે સૌથી નાની ઉમર એટલે કે પુરુષ યુવા સરપંચ તરીકે રાવળીયાવદર ગ્રામપંચાયતના રતીલાલ(રતનસિંહ) ઠાકોર તથા રામગઢ ગ્રામપંચાયતના કરણસિહ જાહેર થયા હતા અને મહિલા યુવા ઉમેદવાર તરીકે ઇસદ્રા ગ્રામપંચાયતના રિનાબેન કિરીટભાઇ હારેજા વિજેતા થતા સરપંચ જાહેર થયા હતા આ તરફ મોડી રાત્રી સુધી મત ગણતરી ચાલતા કેટલાક ઉમેદવારોના પરીણામો આવતા મધ્યરાત્રી થઇ હોવા છતા આ વિજેતા ઉમેદવારોના દ્વારા મધ્યરાત્રીએ પોતાના ગામોમા વિજય સરઘસ યોજી પોતાની જીતની ખુશી વ્યક્ત કરી હતી.વધુ વાંચો -
સુરેન્દ્રનગરમાં સ્મશાનમાં ઇલેટ્રીક ભઠ્ઠીઓ બંધ હાલતમાં હોવાને કારણે પરેશાની
- 18, ડિસેમ્બર 2021 01:30 AM
- 3120 comments
- 4445 Views
વઢવાણ, સુરેન્દ્રનગર શહેરના જાગૃત નાગરિક અશોકભાઈ પારેખ દ્વારા શહેરના પતરાવાળી ચોક વિસ્તારમાં બોર્ડ મૂકવામાં આવ્યા હતા જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે પરંતુ વિકાસ ને તે પ્રકારે વેગ મળવો જાેઇએ તે પ્રકારે મળી રહ્યો નથી અને સંચાલન તથા વહીવટ ના કારણે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આવેલા સ્મશાનમાં લાકડાં ખૂટી પડ્યા છે અને ઇલેક્ટ્રિક ભઠ્ઠીઓ પણ બંધ હાલતમાં છે ત્યારે જીવતેજીવ તો શાંતિ નથી પરંતુ મળ્યા બાદ પણ શાંતિ ન હોવાનું બોર્ડમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.આ મામલે શહેરી વિસ્તારના લોકો દ્વારા અનેક પ્રકારે રજૂઆત કરવામાં પણ આવી હોવા છતાં પણ ઈલેક્ટ્રીક ભઠ્ઠી છેલ્લા અનેક વર્ષોથી બંધ હાલતમાં છે સ્મશાનમાં આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને લાકડાનો પણ અભાવ જાેવા મળી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું તેવા સંજાેગોમાં સ્થાનિક આગેવાનો દ્વારા બોર્ડ પણ મૂકવામાં આવ્યા હોવાના કારણે સમગ્ર મામલે પડઘા પડવા પામ્યા હતા. અને સુરેન્દ્રનગર પાલિકાના ચીફ ઓફિસર સાગરભાઇને આ બાબતની જાણકારી તથાને આ બાબતની જાણકારી થતા તાત્કાલિક ધોરણે શહેરના મુખ્ય સમશાનમાં એક સાથે ૫૦૦ મણ લાકડાં નો જથ્થો પહોંચાડી દેવામાં આવ્યો હતો. અને સ્મશાનમાં આવતા ડાઘુ અને કોઈ જાતની વ્યવસ્થા ઊભી ન થાય તેવા પ્રકારના આદેશો કર્મચારીઓને આપવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર શહેર ના મુખ્ય સમશાન ખાતે આવર નવાર ઇલેક્ટ્રોનિક ભઠ્ઠી આવર નવાર બંધ થતી હોવાના કારણે અનેક વખત લોકોને સમસ્યાઓ નો સામનો કરવો પડી રહો છે.ત્યારે આ મામલે વિચારણા કરી અને સુરેન્દ્રનગર નગરપાલિકાના ચીફ ઓફિસર સાગર ભાઈએ આ મામલે વિચારણા કરી અને ગેસ ભઠ્ઠી મુકવાનું નક્કી કરવામાં આવ્યું છે.અને કામગીરીની શરૂઆત પણ કરી નાખવામાં આવી છે.વધુ વાંચો -
સુરેન્દ્રનગર - વિરમગામ રોડ પર વાહન વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મૃત્યુ
- 14, ડિસેમ્બર 2021 01:30 AM
- 9956 comments
- 6565 Views
સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર-વિરમગામ રોડ પર એસ.ટી. બસ અને ખાનગી વાહન વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે, જ્યારે બસમાં સવાર ૧૫ જેટલા લોકોને સામાન્ય ઈજાઓ થઇ છે.પ્રાપ્ત વિગતો અનુસાર, સુરેન્દ્રનગરના લખતરના છારદ પાટિયા પાસે એસ.ટી. બસ અને ખાનગી વાહન વચ્ચે અકસ્માત સર્જાતા મુસાફરોમાં અફરાતરફરીનો માહોલ સર્જાયો હતો.આ અંગેની જાણ થતાં આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને જ્યારે સમગ્ર મામલે પોલીસ અને ૧૦૮ની ટીમને પણ જાણ કરાતા ઘટના સ્થળે દોડી આવી હતી. સુરેન્દ્રનગર-વિરમગામ રોડ પર સર્જાયેલા અકસ્માત બાદ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા પોલીસ ટ્રાફિકને નિયંત્રિક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતમાં બસમાં સવાર ૧૫ જેટલા લોકોને સામાન્ય ઈજાઓ થઇ છે, જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.વધુ વાંચો -
ધ્રાંગધ્રા શહેરના વિવાદીત કોમ્પલેક્ષને નગરપાલિકા દ્વારા આખરી નોટીસ
- 09, ડિસેમ્બર 2021 01:30 AM
- 7952 comments
- 7025 Views
ધ્રાગધ્રા ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ પર આવેલા વિવાદીત કોમ્પલેક્ષનુ ભુત ફરી ધુણ્યુ છે જેમા નગરપાલિકા દ્વારા આખરી નોટીસ આપી બિલ્ડીંગ યુઝ પરમિશન મેળવવા માટેની કાયઁવાહી સાત દિવસમાં પુણઁ કરવા ટકોર કરી છે. જ્યારે નોટિસમાં કોમ્પલેક્ષનુ અન અધિકૃત બાંધકામ પણ હટાવવાનો ઉલ્લેખ કરાતા દોડધામ મચી જવા પામી હતી.જાણવા મળતી વિગતો અનુસાર ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા શહેરમા કેટલીક બી.યુ પરમિશન વગર તથા ફાયર સેફ્ટી વગરની ઇમારતો અને કૉમ્પલેક્ષો પર તવાઇ બોલાવતા તમામને નોટીસ ફટકારી લગભગ પાંચ જેટલી સરકારી સ્કુલોને ઇમારતોને સીલ પણ કરવામા આવી હતી ત્યારે ધ્રાંગધ્રા શહેરની હળવદ રોડ પર આવેલ કોમ્પલેક્ષને પણ નોટીસ આપી હતી જેમા આ કોમ્પલેક્ષમા નક્શાથી વિપરીત બાંધકામ અને બી.યુ પરમિશન વગર જ વેચાણ કરેલ દુકાનોને લઇને નગરપાલિકા દ્વારા લાલઆખ કરતા નોટીસો બાદ પણ કોમ્પલેક્ષના માલિક વાઘજીભાઇ પટેલ દ્વારા નગરપાલિકાની નોટીસોની અવગણના કરાઇ હતી. જાેકે આ મામલે નગરપાલિકા દ્વારા લગભગ પાંચ જેટલી નોટીસો ફટકારી હતી પરંતુ રાજકીય વગદાર કોમ્પલેક્ષના માલિકને પેટનું પાણીયે રહ્યુ નહોતુ ત્યારે સમગ્ર મામલો ટાઉનપ્લાનીંગ કમિટીને સોપી તે સમયના ચીફ ઓફીસર રાજુભાઇ શેખ દ્વારા સમગ્ર મામલે હાથ ઉચા કરી દીધા હતા. આ તરફ ટી.પી કમિટીમાં સમગ્ર પ્રકરણનો લઇને ગત સામાન્ય સભા દરમિયાન વોડઁ નંબર ૮ના સુધરાઇ સભ્ય અજીતસિંહ ઝાલા દ્વારા આ મુદ્દે પ્રમુખ, ચીફ ઓફીસર સહિતના હોદ્દેદારોનુ ધ્યાન દોયુઁ હતુ જેથી સામાન્ય સભામાં જ ટાઉનપ્લાનીંગના અધિકારી બ્રહ્મભટ્ટને ખખડાવ્યા આવ્યા હતા જેથી અધિકારીઓ પર કોમ્પલેક્ષના અન અધિકૃત બાંધકામને તોડી પાડવાનું પ્રેશર વધતા કોમ્ટલેક્ષના માલિક વાઘજીભાઇ પટેલને આખરી નોટીસ પાઠવી તાત્કાલિક ધોરણે બી.યુ પરમિશન માટેની કાયઁવાહી કરી નક્શાથી વિપરીત અન અધિકૃત બાંધકામ તોડી પાડવા જણાવાયુ હતુ.વધુ વાંચો -
ધ્રાંગધ્રાના મયુર બાગ ખાતે કરોડોનો રોડ રાતોરાત નિર્માણ થતા તર્ક-વિતર્ક
- 09, ડિસેમ્બર 2021 01:30 AM
- 6839 comments
- 7331 Views
ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રા નગરપાલિકાના કુલ ૯ વોડઁમાથી સ્પષ્ટ બહુમતી સાથે ૩૫ સુધરાઇ સભ્યો છે જેથી નગરપાલિકાના શાસક પક્ષને કોઇપણ ઠરાવો કરવા સહેલુ બની રહ્યુ છે. ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા શહેરમા વિકાસના કામોને વેગ આપતા રોડ-રસ્તા, લાઇટ અને પાણીની સુવિધાને પ્રાધાન્ય આપવાની વાતો થાય છે પરંતુ લાખ્ખો અને કરોડોના ખચેઁ બનેલા કેટલાક રોડના માત્ર પાંચ મહિનામા જ ભ્રષ્ટાચારી ગાબડા નજરે પડે છે તેવામાં ધ્રાંગધ્રા શહેરના એસ.એસ.પી જૈન કોલેજથી મયુર બાગ સુધીના ડામર રોડને હાલમા જ કરોડોના ખચેઁ નિમાઁણ કરાયો છે. ત્યારે આ કરોડોના ખચેઁ બનેલા રોડ રાતોરાત નિમાઁણ કરી રોડ પર તલસાંકળી માફક કામગીરી કરી ડામર રોડની થીકનેશ તથા મટીરીયલ નબળુ હોવાથી સરકારી ધારાધોરણ મુજબ રોડનું કામ નહિ થતા ટુંકાગાળામાં રોડની અવળા પુણઁ થવાની શક્યતાને લઇને રોડના કામમા ભ્રષ્ટાચાર થયો હોવાની રજુવાત સામાજીક કાયઁકર દ્વારા કરાઇ છે.વધુ વાંચો -
લીંબડીના ભલગામડા ગામમાં આઝાદીથી આજ સુધી ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ નથી
- 06, ડિસેમ્બર 2021 01:30 AM
- 7788 comments
- 7532 Views
લીમડી સુરેન્દ્રનગર જિલ્લામાં ગામ પંચાયતોની ચૂંટણી જાહેર થઈ છે. જિલ્લાની ૪૩૩ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાનાર છે. ત્યારે સરકારની સમરસ યોજનાનો લાભ મળે અને ગામ સમરસથાય તે માટે ગામના આગેવાનો દ્વારા પ્રયાસો કરવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાનું ભલગામડા ગામ એવુ ગામ છે કે જયાં આઝાદી બાદથી ચૂંટણી થઈ નથી. દર પાંચ વર્ષે પંચાયતની ચૂંટણી આવે એટલે ગામના તમામ જ્ઞાતિજનો સાથેરાખી આગેવાનોની બેઠક કરાય છે. જેમાં સરપંચ અને ઉપ સરપંચ તથા વોર્ડના સભ્યોની સર્વાનુમતે વરણીનો ઠરાવ કરાય છે. આ વર્ષે પણ ભલગામડામાં ગામ સમરસની આ પરંપરા જળવાઈ રહી છે. ત્યારે આ વર્ષે પણ લીંબડી તાલુકા પંચાયતના પ્રમુખ કૃષ્ણસીંહ રાણાની ઉપસ્થીતીમાં ગ્રામજનોની બેઠક યોજાઈ હતી. જેમાં સરપંચ તરીકે નિવૃત્ત શિક્ષક સુખદેવસીંહ રાણા, ઉપસરપંચ તરીકે નિવૃત્ત પીઆઈ શક્તિસીહ ઝાલાની અને ગ્રામ પંચાયતના સભ્યોની વરણી કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે, ભલગામડા એ રાજયના વન અને પર્યાવરણ મંત્રી કિરીટસીહ રાણાનું વતન છે. તેમના ગામમાં દર પાંચ વર્ષે ગામ સમરસ થાય તે માટે તેઓ પોતે પણ અંગત રસ લઈને આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરે છે. આ નવા નિમાયેલ સરપંચ પણ બીજા ગામના લોકો ને અપીલ કરી રહ્યા છે ગામને સમરસ બનાવી જેથી સરકાર ની વિવિધ યોજનાનો લાભ ગામના વિકાસ માટે કરી શકી સાથે ગામમાં ભાઈચારો પણ બની રહે લોકોમાં સંપ પણ રહે હાલ આ ગામમાં સરકારી યોજના થકી વિકાસ ના કામો થયા છે અને આગામી દિવસોમાં પણ વધુ વિકાસ ના કામો કરવામાં આવશેભલગામડા ગામમાં ૧૭૫૦ સ્ત્રી અને ૨૪૫૦ પુરુષ સહિત ૪૨૦૦ની વસતી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ૪૯૭ ગ્રામ પંચાયત ની ચૂંટણી યોજાવાની હતી જેમાં ૬૪ ગ્રામ પંચાયત સમરસ થયેલ છે. હવે ૪૩૩ ગ્રામ પંચાયત પર ચૂંટણી યોજાવાની છેવધુ વાંચો -
ફરિયાદ દાખલ થતાં રેશનિંગ દુકાનધારક તથા અધિકારીના નામ સામે આવવાની શક્યતા
- 27, નવેમ્બર 2021 01:30 AM
- 3002 comments
- 4917 Views
ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર આવેલા ખાનગી ગોડાઉન ખાતે બુધવારે વહેલી સવારે તાલુકા પોલીસની બાતમીના આધારે સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવાનુ કૌભાંડ તાલુકા પોલીસ દ્વારા ઝડપી પડાયો હતુ જ્યારે તાલુકા પોલીસે અનાજનો જથ્થો શંકાસ્પદ લાગતા તુરંત સ્થાનિક પુરવઠા વિભાગને જાણ કરી હતી અને પુરવઠા વિભાગનો સ્ટાફ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા પરંતુ સરકારી અનાજનો જથ્થો સરકારી હતો કે નહિ તે મામલે પુરવઠા વિભાગ દ્વારા સરકારી ગોડાઉનના મેનેજરને બોલાવી તપાસ કરતા મેનેજરે અનાજ સરકારી નહિ હોવાનો અધ્ધરતાલ જવાબ રજુ કયોઁ હતો જાેકે ખરેખર ખાનગી ગોડાઉનમાં સરકારી અનાજ માટે વપરાશ થતા બારદાન તથા સીલ હોવાનુ પોલીસ સુત્રો દ્વારા જણાવાયુ છે પરંતુ સરકારી અનાજને સગેવગે કૌભાંડમા સરકારી ગોડાઉનના કોન્ટ્રાક્ટર, રેશનીંગ દુકાન ધારક તથા અધિકારી સહિતના સામેલ હોવાની આશંકાને લઇને પુરવઠા વિભાગે મામલાને દબાવવા પ્રયત્નો હાથ ધયાઁ હતા.જાેકે પુરવઠા વિભાગ દ્વારા પોલીસની હાજરીમાં જે તે સમયે જ આશરે ૨૩ લાખ રુપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ખાનગી ગોડાઉનમા સીલ માયાઁ હતા અને પુરવઠાના અધિકારી દ્વારા શંકાસ્પદ અનાજના જથ્થાના બિલ અને વાઉચર સહિતના કાગળો રજુ કરવા માલિકને જણાવાયુ હતુ. આ તરફ ખાનગી ગોડાઉનમાં દરોડા અને સીલ કરવાની કામગીરીના બે દિવસ બાદ પણ હજુ સુધી પુરવઠા વિભાગે ફરીયાદ હાથ નથી ધરી જેથી અનેક તકઁ-વિતઁક સજાયાઁ છે જ્યારે પુરવઠા વિભાગના ઇનચાજઁ અધિકારી મંજુબેન સોલંકી દ્વારા જણાવ્યુ હતુ કે “ મંગળવારે વહેલી સવારે શંકાસ્પદ અનાજનો જથ્થો ખાનગી ગોડાઉનમા હોવાની જાણ તાલુકા પોલીસ દ્વારા કરવામા આવેલ અને આ અનાજના જથ્થો સરકારી છે કે નહિ તેની તપાસ માટે સરકારી ગોડાઉનના મેનેજર રવીભાઇ સોલંકીને જાણ કરતા તેઓ દ્વારા જથ્થો સરકારી નહિ હોવાનુ જવાબ રજુ કરતા સમગ્ર કાયઁવાહી બાદ પુરવઠા દ્વારા આ તમામ રીપોટઁ જીલ્લા અધિકારીને મોકલી આપવામાં આવ્યા છે. ત્યારે ખરેખર ખાનગી ગોડાઉનમાં સરકારી અનાજમાં વપરાશ થતા બારદાન અન્ય ચીજાે પણ મળી આવેલ છતા પણ મોટા માથાની સંડોવણી સાચવવાના પ્રયાસથી પુરવઠા વિભાગ ફરીયાદ કરવા માટે અળગા રહે છે તેવો ચચાઁએ સમગ્ર પંથકમાં જાેર પકડ્યું છે.વધુ વાંચો -
ચુડા તાલુકાના કારોલ નજીક કાર બાઈક અકસ્માતમાં ત્રણના મોત
- 25, નવેમ્બર 2021 01:30 AM
- 3381 comments
- 9632 Views
સુરેન્દ્રનગર, ચુડા તાલુકાના કારોલ ગામ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. બે લોકોના ઘટનાસ્થળે તેમજ એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઉપરાંત અન્ય પાંચ લોકોને ગંભીર ઈજા પહોંચી છે. અકસ્માતમાં બાઈક ફંગોળાઈને રોડની બાજુમાં બાવળની ઝાડીમાં ફેંકાઈ ગયું હતું. કાર મહાકાય વૃક્ષ સાથે અથડાઈ ગઈ હતી. અકસ્માતમાં બાઈક ચાલક નિલેશભાઈ જાેગરાણા અને કારચાલક પાસે બેઠેલા ગોપાલભાઈ બાવળીયાનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યાં મોત નીપજયાં હતા. આ બાબતની જાણકારી પોલીસને થતા તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ અકસ્માતમાં મૃત્યુ પામેલાઓની લાશને પીએમ અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બાઈક પર સવાર ૩ વ્યક્તિઓમાંથી બાઈક ચાલક નિલેશભાઈ નારાયણભાઈ જાેગરાણા (ઉ.વર્ષ ૨૦) રહે બોટાદનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે ૧ વ્યક્તિને ઈજા પહોંચી હતી. ૨ વર્ષના બાળકનો આબાદ બચાવ થયો હતો. કારમાં બેઠેલા ૬ વ્યક્તિઓમાંથી ૧ વ્યક્તિનું ઘટનાં સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માતમાં ૫ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને રવાર માટે લીંબડી સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં.વધુ વાંચો -
સાયલામાં રેશનિંગનો ૭.૩૪ લાખનો જથ્થો પકડાતા ચાર સામે ગુનો નોંધાયો
- 18, નવેમ્બર 2021 01:30 AM
- 8637 comments
- 6523 Views
સુરેન્દ્રનગર, જિલ્લાના સાયલા તાલુકાના છેવાડાના વિસ્તારમાંથી પોલીસને સસ્તા અનાજની દુકાને મળતા ઘઉં, ચોખા, તુવેરદાળના જથ્થો કિંમત રૂ. ૭.૩૪ લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેના આધારે સાયલા મામલતદારે તપાસ હાથ ધરતા મઢાદ, ટુવા અને ગુંદિયાળા ગામેથી છૂટક તેમજ સમિતિની દુકાનેથી આ જથ્થો ખરીદી કર્યો હોવાનું બહાર આવતા ત્રણ રેશનિંગ દુકાનદારો સામે ગુન્હો દાખલ કરતા ચકચાર મચી ગઇ છે.એસઓજીની ટીમે થોડા દિવસો પહેલા સાયલાના હોળીધાર વિસ્તારમાં યોગાભાઇ ભરવાડના મકાનમાં રહેતા વિજયભાઇ કુલધરિયાના ઘેરથી ઘઉં ૫૩૦ કટ્ટા ચોખા ૧૧૦ કટ્ટા, તુવેરદાળ ૧૮ કટ્ટા સહિત કુલ ૬૫૮ કટ્ટા સહિત ફૂલ રૂ.૭.૩૪ લાખનો સરકારી અનાજનો જથ્થો કબજે કર્યો હતો. જે અંગે સાયલા મામલતદાર પી.બી. કરગટિયાએ તપાસ હાથ ધરી હતી. જેમાં વિજયએ ૪ મહિનામાં રૂ. ૩૦૦થી રૂ.૩૫૦ના ભાવે ઘઉંની ખરીદી કરી હતી. રેશનિંગ દુકાન ચલાવતા મોટા મઢાદના રાઠોડ હલુભાઇ ઉર્ફે હરપાલસિંહ અજુભાઇ, ગુંદિયાળાના પઢિયાર જસુભાઇ ભાવાનસંગ અને ટુવા ગામના પરમાર છગનભાઇ પાસેથી ઘઉં, ચોખા અને તુવેરદાળનો મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો જે રેશનકાર્ડધારકોને વિતરણ કરવાનો હોય તે અનાજનો જથ્થાની ખરીદી કરી હોવાનું બહાર આવ્યું હતું.આથી વિજય સહિત ૩ રેશનિગ દુકાનદારો સામે સાયલા પોલીસે ગુનો દાખલ કરતા દોડધામ મચી ગઇ છે.વધુ વાંચો -
હળવદમાં ઝુંપડામાં રહેતા આધેડની તિક્ષણ હથિયારના ધા ઝીકી હત્યા
- 15, નવેમ્બર 2021 01:30 AM
- 3745 comments
- 155 Views
મોરબી, મોરબીના હળવદમાં આધેડની તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. હળવદના વેગડવાવ રોડ ઉપર આવેલી ભવાનીનગર વિસ્તારમાં રહેતા આધેડની શનિવારની રાત્રીના તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી નાખવામાં આવતા ચકચાર મચી છે. આ ઘટનાને લઈ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હત્યારાઓને શોધી કાઢવા ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે. હળવદના વેગડવાવ રોડ ઉપર ભવાની નગરમાં રહેતા મૂળ સાપકડા ગામના વતની એવા જેમાભાઈ રૂપાભાઈ નંદેશરીયા ઉ.૫૫નો મૃતદેહ લોહીથી લથપથ હાલતમાં મળી આવ્યો હતો. તેમના રહેણાંકની બહાર ખાટલા નીચે તેમનો મૃતદેહ પડ્યો હોવાનું તેમના ભાણેજને જાેવા મળતા તુરંત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે ઘટનાસ્થળે દોડી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મૂળ સાપકડા ગામના વતની મૃતક જેમાભાઈ અને તેમના નાનાભાઈ રમણીકભાઈ નિર્વિવાહિત છે અને બન્ને ભાઈઓ મજૂરીકામ કરી જીવન નિર્વાહ ચલાવે છે. ગતરાત્રીના બનેલી ઘટનામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકાતા જેમાભાઈનું વધુ પડતું લોહી નિકળવાથી મૃત્યુ નિપજ્યાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે. પોલીસની તપાસમાં પાડોશમાં રહેતો પરિવાર ઘર બંધ કરીને ચાલ્યો ગયો હોય હત્યા અંગે શંકાની સોય પાડોશી ઉપર તકાઈ રહી છે.વધુ વાંચો -
ખનીજ ખાતાના અધિકારીઓને ખનન માફિયાઓએ ઘેરતાં પોલીસ દોડતી થઇ
- 15, નવેમ્બર 2021 01:30 AM
- 685 comments
- 1966 Views
સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનન પ્રવૃતિઓ અટકવાનું નામ નથી લેતી, બીજી તરફ પેધી ગયેલા ખનન માફિયાઓ પણ અધિકારીઓને દાદ દેતા નથી. આજે તો પોલીસ અને ખાણ ખનીજ વિભાગને શરમમાં મૂકી દે તેવી ઘટના બની છે. સુરેન્દ્રનગર - સાયલા બાયપાસ રોડ ઉપર ખનીજ ભરેલું ઓવરલોડ ડમ્પર જપ્ત કરવા ગયેલા ખાણ ખનીજ ખાતાના અધિકારીઓને ખનન માફિયાઓએ ઘેરી લીધા હતા. જેના પગલે પોલીસ દોડી ગઈ હતી. “આજ તો મારવાના થાય જ છે” તેમ કહીં બનેલા ખનન માફિયાઓએ રોફ જમાવ્યો હતો. અધિકારીઓને ધમકી આપી હતી.બનાવની પ્રાપ્ત વિગત મુજબ સુરેન્દ્રનગર સાયલા બાયપાસ રોડ ઉપર ખનીજ ભરેલ ડમ્પર ઓવરલોડ હોવાના કારણે તેને જપ્ત કરવા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ કાર્યવાહી કરવા સ્થળ પર હતા ત્યારે ડમ્પરના ડ્રાઇવરે તેના માલિકોને જાણ કરી દીધી હોય, કારો-ગાડીઓમાં ખનન માફિયાઓની ટોળકી અધિકારીઓ પાસે પહોંચી ગઈ હતી. અને કાયદો કે સરકારી તંત્રથી કોઈ દર ન હોય તેમ બેફામ અધિકારીઓને અપશબ્દો ભાંડયા હતા. જે સાથે પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી. આ ઘટનાનો કોઈએ વીડિયો મોબાઈલમાં રેકોર્ડ કરી લેતા પોલીસ અને ખાણ ખનીજ વિભાગ શરમમાં મૂકાયું છે. કારણ કે ખનન માફિયા જે રીતે અધિકારીઓને ધમકાવી રહ્યા હતા તે જાેઈએ તો આ વિસ્તારમાં જાણે પોલીસ કે અન્ય કોઈ સરકારી તંત્રનું અસ્તિત્વ જ ન હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. વીડિયોમાં બેફામ અપશબ્દો સંભળાય રહ્યા છે. ઉપરાંત ખનન માફિયાઓમાંથી કોઈ અધિકારીઓને ધમકી આપી રહ્યા છે કે “આજ તો મારવાના થાય જ છે.” આ ઘટનાઓનો વીડિયો ઊચ્ચ અધિકારીઓ પાસે પણ પહોંચ્યો હોય, આગામી દિવસોમાં ખનન માફિયાઓ સામે મોટા પાયે દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ તો નવાઈ નહીં.ખનન માફિયા કાયદો, તંત્ર અને તંત્રના અધિકારીઓથી ડરે કે ન ડરે , પરંતુ અધિકારીઓ ધમકીઓથી ડરી ગયાની શકયતાઓ ચર્ચાઈ રહી છે. કારણ કે, બનાવ બાદ દોડી ગયેલી પોલીસે સમાધાનના પ્રયાસ હાથ ધર્યા હતા. બન્ને પક્ષે વાતચીત કરી ડમ્પરમાં ૧૦ ટન ગેરકાયદે ખનન સામગ્રી હોય પરંતુ મેમો ફક્ત ૨ ટનનો આપવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.વધુ વાંચો -
પાણી અને વીજળીની સુવિધા વગર ધ્રાંગધ્રાના મકાનો ખંડેર બની ગયા
- 14, નવેમ્બર 2021 01:30 AM
- 5702 comments
- 3254 Views
ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા વષોઁ પહેલા નિમાઁણ કરવામા આવેલા આવાસના મકાનો આશરે દશકાથી ધુળ ખાતા નજરે પડે છે આ મકાનો આથીઁક રીતે પછાત વષઁના લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે બનાવાયા હતા જે સમયે આપવાનુ લોકાપઁણ ગુજરાતના પુવઁ મંત્રી આનંદભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યુ હતુ. જ્યારે લોકાપઁણ બાદ આ મકાનો વષોઁ સુધી ખંડેર પડ્યા રહ્યા અને બાદમા અનેક રજુવાત પછી મકાનો વિધાથીઁઓને બાળવામાં આવ્યા હતા પરંતુ વિધાથીઁઓને પાણી અથવા લાઇટની સુવિધા નહિ મળતા હાલના સમયમા પણ દરેક ફાળવેલ મકાન પર તાળા જાેવા મળે છે આ તરફ નગરપાલિકા દ્વારા તાત્કાલિક મકાનો જે તે લાબાથીઁઓને ફાળવી રાજ્ય સરકાર પાસેથી ૧૯ કરોડની ગ્રાન્ટ પણ મેળવી હતી. જે મુદ્દે ધ્રાંગધ્રા નગરપાલિકાના એકમાત્ર કોંગી સુધરાઇ સભ્ય તથા વિરોધપક્ષના નેતા ઇમ્તીયાઝભાઇ સૈયદ દ્વારા જણાવ્યુ હતુ કે આવાસના મકાનોમા પાણી અને લાઇટની સુવિધા તો હતી જ નહિ છતા પણ નગરપાલિકાના શાસક પક્ષ દ્વારા સરકારની ગ્રાન્ટ લેવા માટે તાત્કાલિક મકાનો લાભાથીઁઓને ફાળવી દીધા હતા અને હવે જ્યારે ગ્રાન્ટ આવી ચુકી છે ત્યારે કુલ ૩૪૮ બનાવેલા આવાસમાં ૨૧૮ આવાસ ફાળવી દીધા છે તથા ૧૮૦ જેટલા આવાસો ફાળવવાના બાકી છે સાથે જ લાભાથીઁઓને સોંપણી કરેલ ૨૧૮ આવાસોમાં પાણીની પાઇપલાઇનનું કામ પુણઁ કરેલ છે. લાઇટનુ કામ શરુ હોવાનુ નગરપાલિકાના અધિકારી દ્વારા જણાવ્યુ હતુ.વધુ વાંચો -
સુરેન્દ્રનગરના શિક્ષકને ગામમાં ઘર ભાડે આપવા કોઈ તૈયાર નથી
- 02, નવેમ્બર 2021 01:30 AM
- 6883 comments
- 8677 Views
અમદાવાદ, ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાની એક સરકારી સ્કૂલમાં ભણાવતા ૫૦ વર્ષીય શિક્ષકને દરરોજ ૧૫૦ કિલોમીટર અંતર કાપીને ઘરેથી સ્કૂલ આવવું-જવું પડે છે. જેનું કારણ છે કે, આ શિક્ષક શિડ્યુલ કાસ્ટ હેઠળ આવતાં વાલ્મિકી સમાજમાંથી આવે છે. જે ગામમાં આ શિક્ષક નોકરી કરે છે ત્યાંની પંચાયતે સત્તાવાર રીતે કહી દીધું છે કે, તેમને અહીં ઘર નહીં મળે કારણકે ગામમાં વાલ્મિકી સમાજની વસાહત નથી. શિક્ષક સાથે થઈ રહેલા આ દેખીતા અન્યાયને પગલે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગને ગત અઠવાડિયે શિક્ષણ વિભાગને પત્ર લખવાની ફરજ પડી હતી. તેમણે પત્રમાં લખ્યું, "શિડ્યુલ કાસ્ટના શિક્ષક ત્રાસ, ભેદભાવ, અસામનતા અને જાતિવાદનો ભોગ બન્યા છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે ત્વરિતપણે આ શિક્ષકની બદલી કરવાની માગ કરી છે. ૫૦ વર્ષીય કનૈયાલાલ બારૈયા સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના છાત્રાળા ગામના રહેવાસી છે. તેમને આ જ જિલ્લામાં આવેલી નિનામા સ્કૂલમાં ટ્રાન્સફર અપાઈ હતી, જે ૭૫ કિમી દૂર આવેલી છે. "હું શાળામાં હાજર થયો પછી મેં ગામમાં ભાડે ઘર શોધવા માટેની કવાયત શરૂ કરી હતી. હું કયા સમાજમાંથી આવું છું તેવો પ્રશ્ન કરાયો હતો. મેં કહ્યું કે, હું વાલ્મિકી સમાજનો છું ત્યારે મને કહેવામાં આવ્યું કે, વાલ્મિકી સમાજના મકાનો અહીં નથી માટે તમને ગામમાં ઘર ભાડે નહીં મળે, તેમ કનૈયાલાલે જણાવ્યું. ગામના સરપંચ અને તલાટીએ પણ ગ્રામપંચાયતના લેટરહેડ પર ૧૬ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ કનૈયાલાલને આ વાત લખીને આપી હતી. કનૈયાલાલે જણાવ્યું, મેં સામાજિક ન્યાય, શિક્ષણ વિભાગ સહિતના તમામ લાગતાવળગતા વિભાગને આ અંગે ફરિયાદ કરી હતી. આખરે ગત અઠવાડિયે સામાજિક ન્યાય વિભાગે શિક્ષણ વિભાગને મારી બદલી કરવા માટે પત્ર લખ્યો હતો.વધુ વાંચો -
હળવદમાં એક જ દિવસમાં હડકાયા કૂતરાએ ૨૩ લોકોને બચકાં ભર્યા
- 29, ઓક્ટોબર 2021 01:30 AM
- 3496 comments
- 9261 Views
મોરબી, મોરબી જિલ્લાના હળવદ શહેરમાં દિવાળીના તહેવાર પૂર્વે જ હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો છે. આજે ગુરૂવારે એક જ દિવસમાં હડકાયા કુતરાએ ૨૩ લોકોને બચકાં ભરી લેતા શહેરમાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ સુવિધા વગરની હળવદ હોસ્પિટલમાં હડકવા વિરોધી રસી ન હોવાથી ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટેના ઇન્જેક્શન માટે મોરબી તેમજ સુરેન્દ્રનગર દોડવું પડ્યું હતું.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આજે ગુરૂવારે હળવદ શહેરના ધ્રાંગધ્રા દરવાજા વિસ્તારમાં હડકાયા કૂતરાએ રીતસરનો આતંક મચાવી એક પછી એક એમ ૨૩ લોકોને બચકાં ભરી લીધા હતા. જેને લઈ આ વિસ્તારમાં ભયનો માહોલ જાેવા મળ્યો હતો. હડકાયા કૂતરાના આતંકના લીધે આસપાસના વિસ્તારના લોકોમાં નાસભાગ મચી ગઇ હતી.હળવદ સરકારી હોસ્પિટલમાં દશેરાના દહાડે જ ઘોડું ન દોડે ઉક્તિ મુજબ હડકવા વિરોધી રસીનો સ્ટોક જ ઉપલબ્ધ ન હોય મોટા પ્રમાણમાં હડકાયા કૂતરાનો ભોગ બનેલા લોકો સારવાર માટે હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. પરંતું હોસ્પિટલમાં હડકવા વિરોધી રસીનો પૂરતો સ્ટોક જ ન હોય લોકોને પોતાના ખર્ચે અને જાેખમે સારવાર કરાવવા માટે મોરબી અને સુરેન્દ્રનગર તરફ દોટ મુકવી પડી હતી.વસાપડા ગામે માતા પાસે સુઇ રહેલા બાળકને દીપડાએ ફાડી ખાધો જૂનાગઢ જિલ્લાના વંથલી પંથકમાં દીપડાના આતંક વધતો જાય છે. હાલ રવિ સીઝનનો પ્રારંભ થયો હોવાથી ખેડુતો સીમ-વાડીમાં કામ કરી રહ્યા છે. ત્યારે દીપડાના આતંકથી ખેડુતો ડરી રહ્યા છે. તાજેતરમાં વંથલીના વસાપડા ગામની સીમમાં દીપડાએ ૫ વર્ષના માસૂમ બાળકને ફાડી ખાદ્યો હતો. દાહોદનો શ્રમિક પરિવાર કામ અર્થે વસાપડા ગામે આવ્યો હતો. રાત્રે ઘરનો દરવાજાે ભૂલથી ખુલ્લો રહી ગયો હતો. ૫ વર્ષનો માસૂમ યોગેશ માતા પાસે સૂતો હતો. તે દરમિયાન દીપડો ઘરમાં દીપડો ઘૂસી આવ્યો હતો અને બાળકને ઢસડીને બહાર લઈ જઈ તેના પર હુમલો કર્યો હતો. જેમાં બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બાળકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં લઈ જવાયો છે. જ્યારે દીપડાને પકડવા વનવિભાગે કાર્યવાહી હાથ ધરી છે. બીજીતરફ ઘટનાને લઈ ગામમાં ભયની સાથે આક્રોશનો માહોલ જાેવા મળ્યો છે.સૂત્રોએ જણાવ્યું હતું કે, આશરે ૩ મહિના પહેલા જ ભાવનગર અને અમરેલી પંથકમાં પણ દીપડાના આંતકની ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં પણ એક બાળકીને દીપડાએ ફાડી ખાધી હતી. ૩ જેટલા વ્યક્તિ પર દીપડાએ હુમલો પણ કર્યો હતો.વધુ વાંચો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ