સુરેન્દ્રનગર સમાચાર

  • ગુજરાત

    સુરેન્દ્રનગરમાં વીજશોક લાગતાં ૩નાં મોતઃ૪ને ઈજા

    સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના બુબવાણા પાસે મજૂરો ભરીને જતી ટ્રેક્ટરની ટ્રોલીને વીજવાયર અડી જતાં અકસ્માત થયો હતો. વીજશોક લાગતાં એમપીના ત્રણ મજૂરનાં ઘટનાસ્થળે મોત થયાં હતાં, જ્યારે ૬ મજૂર દાઝી ગયા હતા. તમામ મૃતકો અને ઈજાગ્રસ્તો મૂળ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના અલીરાજપુર તાલુકાના હોવાનું સામે આવ્યું છે. વીજશોક એટલો ભયંકર હતો કે ટ્રેક્ટરના આગળનાં ચારેય ટાયરો બળી ગયાં હતાં.સુરેન્દ્રનગરના બુબવાણા પાસે આજે મોટી દુર્ઘટના ઘટી હતી. ટ્રેક્ટરની ટ્રોલીને વીજવાયર અડી જતાં વીજશોકથી ત્રણ મજૂરે જીવ ગુમાવ્યા છે તેમજ ૬ મજૂર દાઝી ગયા છે. દસાડા પીએસઆઈ વી.આઈ. ખડિયા સહિતનો પોલીસ સ્ટાફ તાકીદે બુબવાણા ગામે દોડી ગયો હતો.દસાડા પોલીસે તાકીદે ઘટનાસ્થળે પહોંચી ત્રણેય મજૂરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપ્યા હતા, જ્યારે ઈજાગ્રસ્ત મજૂરોને ગંભીર હાલતમાં સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલમા ખાસેડવામાં આવ્યાં હતા. પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. દસાડા પીએસઆઇ વી.આઈ.ખડિયા સહિતનો પોલીસ સ્ટાફ તાકીદે બુબવાણા ગામે દોડી ગયો હતો તેમજ આ ઘટનાની જાણ થતાં પાટડી પ્રાંત કલેકટર આઈ.એ.એસ.- જયંતસિંહ રાઠોડ, પાટડી મામલતદાર જી.પી.પટેલ અને નાયબ મામલતદાર રઘુભાઇ ખાંભલા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે અને બાદમાં હોસ્પિટલે દોડી ગયા હતા. આ ટ્રેક્ટરમાં બેસીને મજૂરો ખેતરમા કાલા વીણવા જતા હતા ત્યારે આ ગોઝારી ઘટના બની હતી.બુબવાણાના સરપંચે અગાઉ ગ્રામપંચાયતના લેટર પેડ પર પીજીવીસીએલને આ નીચા વાયરો અંગે લેખિત રજૂઆત કરી હતી છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. મજૂરો ભરેલી ટ્રોલી સાથેનું ટ્રેક્ટર ગામમાંથી ખેતરે પહોંચે એ પહેલાં રસ્તામાં જ આ ગોઝારી ઘટના બની હતી.મૃતકોનાં નામ • ઉર્મિલાબેન અજયભાઈ (ઉંમર વર્ષ ૨૫) • લાડુબેન ભરમાભાઈ (ઉ.વ ૫૦) • કાજુભાઈ મોહનભાઈ (ઉંમર વર્ષ ૩૫) ઈજા પામનારી વ્યક્તિઓ • બાલી બેન લાભુભાઈ • નરેશભાઈ મોહનભાઈ • સુરમજી નિકેતભાઈ • સુખીબેન કાળુભાઈ • રૂદ કાજુભાઈ
    વધુ વાંચો
  • ગુજરાત

    ધ્રાંગધ્રાના રણ કાઠા વિસ્તારમાં ફરીથી નર્મદાના પાણી ફરી વળતા હજારો ટન મીઠાને નુકશાની

    ધ્રાંગધ્રા ધ્રાંગધ્રા સહિત હળવદ તથા પાટડીના રણ કાઠા વિસ્તારમાં મીઠું પકવતા અગરિયાઓ વર્ષના આઠ મહિનાઓ સુધી કાળી મજૂરી કરી મીઠું પકવી પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે ત્યારે ધ્રાંગધ્રાના રણ કાઠા વિસ્તારમાં ફરીથી નર્મદાનું પાણી ફરી વળતા અગરિયાઓને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, નર્મદા વિભાગના આ અણઘડ વહીવટના લીધે ખેડૂત તથા અગરિયા એમ બંને મજૂર વર્ગને નુકસાની વેઠવી પડી છે. જેમાં હાલમાં જ ખેડૂતો પોતાના ખેતરમાં કરેલ વાવેતર માટે પીયતનું પાણી કેનાલમાંથી લેવા જતા તંત્ર દ્વારા ખેડૂતો પર પાણી ચોરીની ફરિયાદ નોંધવાની કામગીરી હાથ ધરી હતી જેના લીધે ખેડૂતો ફરિયાદની બીકે કેનાલમાંથી પાણી લેવાનું ટાળતા હતા જેમાં ખેડૂતોને પાકમાં નુકશાન જવાની ભીતિ સેવાઈ છે ત્યારે બીજી તરફ નર્મદાનું હજારો ક્યુસેક પાણી રણમાં વેડફાવાના લીધે અગરિયાઓને પણ ભારે નુકશાન સહન કરવું પડ્યું છે. રણ કાઠા વિસ્તારમાં મીઠું પકવી ગુજરાન ચલાવતા અગરિયાઓના પાટા પર પાણી ફરી વળતા હાલ ૪૦૦ થી વધુ અગરિયાઓના હજારો ટન મીઠા પર પણ પાણી ફરી વળ્યુ છે. જેથી સ્પષ્ટ રીતે નર્મદા વિભાગ દ્વારા કેનાલમાંથી પાણી નહિ લેવાની નીતિ સામે ખેડૂતોને અને અગરિયાઓ એમ બંનેને નુકશાન પહોંચ્યુ છે. જાેકે રણ કાઠામાં નર્મદાનું પાણી ફરી વળવાનો કિસ્સો આ વર્ષે પ્રથમ વાર બન્યો તેવું પણ નથી, આ અગાઉ પણ દર વર્ષે આ પ્રકારે પાણી ફરી વળવાની બાબતને લઈને તે સમયના મુખ્યમંત્રી વિજય રૂપાણીને અગરિયાઓ દ્વારા રૂબરૂ મુલાકાત કરી નુકસાની અંગેની જાણ કરી હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    ટ્રક અને ટેન્કર વચ્ચે ટક્કર ઃ ટેન્કરમાં ગેસ હોવાથી રોડ ઉપર અફડાતફડી

    સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા-રાજકોટ હાઇવે ઉપર નાગરાજ હોટલ પાસે ટ્રક અને ટેન્કર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ટ્રક ડ્રાઈવરને ઈજાઓ પહોંચી હતી. વધુમાં ટેન્કરમાં ગેસ ભર્યો હોવાથી અકસ્માત સર્જાતા રોડ ઉપર અફડાતફડી મચી હતી. આ ગોઝારા અકસ્માત અંગે તાત્કાલિક ચોટીલા પોલીસને જાણ કરાતા ચોટીલા પોલીસ તાકીદે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને ગેસ ભરેલું ટેન્કર ગેસ લીકેજથી કોઈ મોટી દુર્ઘટના ન સર્જે તે માટે પોલીસે થાનગઢ નગરપાલિકામાંથી ફાયરબ્રિગેડની ટીમને હાજર રાખવામા આવી હતી.આ ઘટના બાદ તાબડતોબ ગેસ કંપનીના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને ટેન્કર હટાવવા માટે તજવીજ હાથ ધરી હતી. સદભાગ્યે આ અકસ્માતની ઘટનામાં મોટી દુર્ઘટના ટળી હતી. આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. ચોટીલા-રાજકોટ હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
    વધુ વાંચો
  • ગુજરાત

    સુરેન્દ્રનગર-ધાંગધ્રા નજીક ટ્રક સાથે કાર ટકરાતાં ચારનાં મોત

    સુરેન્દ્રનગર અમદાવાદ-કચ્છ હાઈવે ઉપર ધ્રાંગધ્રા બાયપાસ પાસે આજે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. લગ્નપ્રસંગ પતાવી ઘરે જઈ રહેલા હળવદના યુવકોની સ્વિફ્ટ કાર પલટી મારી ડિવાઈડર કુદાવી સામેની સાઈડ ઉપર જઈ રહેલા આઈસર સાથે અથડાઈ હતી. જેથી ચાર યુવકોનાં મોત થયાં છે. તેમજ ૩ યુવકોને ગંભીર ઈજા પહોંચી હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, કારનું એન્જિન બહાર નીકળીને ૨૦ ફૂટ દૂર ફંગોળાઈ ગયું હતું.આ અકસ્માત અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ગોલાસણ ગામના છ યુવાનો ધ્રાંગધ્રા તાલુકાના નરાડી ગામે લગ્નપ્રસંગમાં ગયા હતા. જ્યાંથી રાત્રીના જમવા માટે હોટલમાં ગયા ત્યાંથી પરત હળવદ પોતાના ઘરે આવી રહ્યા હતા. ત્યારે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને સામેની સાઈડમાં આવી રહેલી આઈસર સાથે અથડાતાં કારમાં બેઠેલા છ પૈકી ચાર યુવાનોનાં મોત થયાં હતાં. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનું એન્જિન બહાર નીકળીને ૨૦ ફૂટ દૂર ફંગોળાઈ ગયું હતું.આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલાઓને ૧૦૮ એમ્બ્યુલન્સ વાનમાં તાકીદે સારવાર માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. આ અકસ્માતની ઘટનાના પગલે હાઈવે પર ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં હતાં. અકસ્માતની ઘટનાની જાણ થતાં ધ્રાંગધ્રા પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.તમામ મૃતકોના નામ કરસનભાઈ ભરતભાઈ, ઉ.વ. આશરે ૨૩ કિરણભાઈ મનુભાઈ, ઉ.વ. આશરે ૧૮ ઉમેશભાઈ જગદીશભાઈ, ઉ.વ. આશરે ૧૫ કાનાભાઇ ભુપતભાઇ, ઉ.વ. આશરે ૧૮ સારવાર હેઠળ લોકોના નામ અમીતભાઈ જગદીશભાઈ કાનાભાઈ રાયધનભાઈ સુરેલા સુરેશભાઈ શંભુભાઈ ધામેચા
    વધુ વાંચો
  • ગુજરાત

    ખેડુતો રાસાયણિક ખેતી છોડશે તો ઉત્પાદન ઓછુ થશે તેવી ભ્રમતા ખોટી છેઃ રાજ્યપાલ

    ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રા તાલુકાના માનપુર ગામે કડવા પાટીદાર સમાજ દ્વારા મોટકા હનુમાનજી મંદિર ખાતે દશાબ્દી મહોત્સવ યોજવામા આવ્યો હતો. જેમા ગુરુવારે રાજ્યપાલ આચાયઁ દેવવ્રતજી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ દ્વારા ધામિઁક પ્રસંગમાં ઉપસ્થિત રહીને ખેડુતો સાથે પ્રકૃતિક કૃષિ અંગે સંવાદ કરી માગઁદશઁન આપ્યુ હતુ. જેમા જણાવાયુ હતુ કે રામાયણ તથા મહાભારત દેશમાં વિતેલા ઇતિહાસના મહત્વપુણઁ ગ્રંથ છે. જ્યારે દેશના વડાપ્રધાન દ્વારા પણ પ્રાકૃતિક ખેતી દ્વારા ભારતને આત્મનિભઁર બનાવે તેવુ સ્વપ્ન સાકાર કરવા પુરતો પ્રયત્ન હાથ ધરાઇ રહ્યો છે. એક તરફ આખુય વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમશ્યાથી પીડાય છે ત્યારે કૃષિ ઉત્પાદન અને સ્વાસ્થ્ય જીવન માટે પ્રાકૃતિક ખેતી જ એક માત્ર ઉપાય છે. રાજ્યપાલ આચાયઁ દેવવ્રતજી દ્વારા ગાયના છાણ અને ગૌમુત્રમાથી પ્રાકૃતિક ખેતી માટે ખનીજનો ભંડાર હોવાનુ પણ ઉમેયુઁ હતુ. માનપુર ગામે આ ધામિઁક પ્રસંગે મુખ્ય મહેમાનમા કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઇ મુંજપરા, જગદીશભાઇ મકવાણા, ધારાસભ્ય સહિત રાજકીય આગેવાનો પણ મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.
    વધુ વાંચો
  • ગુજરાત

    ધ્રાંગધ્રામાં આગ લાગવાની ઘટનાનો ચિંતાર જાણવા પુર્વ કેબીનેટ મંત્રીએ મુલાકાત લીધી

    ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રા શહેરમા ગત ગુરુવારે બનેલી ઘટના શહેરના વેપારીઓ માટે ગોઝારો ઘટના તરીકે ઉભરાઇ છે. ગુરુવારે સવારે એક બાદ એક કપડાના શોરૂમ અને દુકાનોમા આગ લાગતા આશરે કરોડોનું નુકશાન સામે આવ્યુ છે દિવાળીના તહેવાર સમયે જ આ પ્રકારની ઘટનાને લઇને સમગ્ર પંથકને હચમચાવી દીધા છે ત્યારે રાજ્યના પુવઁ કેબીનેટ મંત્રી આઇ.કે.જાડેજા દ્વારા ધ્રાંગધ્રા શહેરની મુખ્ય બજારમા જ્યા આગ લાગી હતી તે સ્થળ પર જઇ સમગ્ર ઘટનાનો ચીતાર જાણ્યો હતો બાદમા આગ દરમિયાન નુકશાન થયેલ દુકાનોના માલિકોને પણ મળી તમામને આશ્વાસન આપ્યુ હતુ જ્યારે આ ભયંકર આગ સામે સતત કલાકો સુધી ઝઝુમી આગને કાબુમાં લેનાર આમીઁ, પાલિકાના કમઁચારીઓ તથા વ્યવસ્થા મેળવનાર પોલીસના જવાનોને પણ મળી સારી કામગીરી બદલ પ્રોત્સાહીત કયાઁ હતા.
    વધુ વાંચો
  • ગુજરાત

    સુરેન્દ્રનગર જીલ્લામાં ફરીથી કાર્બોસેલ ખનનનો કાળોબાર શરુ થયો

    સુરેન્દ્રનગર થાન અને મુળી પંથકમાં એકલ દોકલ ખાણો નથી અહિ બંન્ને તાલુકામા એવી લગભગ હજ્જારો ખાણો હશે જેમાથી દરરોજ લાખ્ખો અને કરોડો રૂપિયાનું ખનીજ ચોરી થતુ હશે છતા તંત્ર આ ગેરકાયદેસર પ્રવૃતિ ક્યારેય સદંતર બંધ કરાવી શક્યુ નથી. જ્યારે કોઇ કાબોઁસેલની ખાણોમા મજુરનુ મોત થાય અથવા તો સામાજીક કાયઁકર ઉચ્ચકક્ષાએ રજુવાત કરીમે ત્યારે માત્ર ગણતરીની કલાકો સુધી ખનન બંધ થયા બાદ ફરીથી શરુ થઇ જાય છે અહિ ખનીજ માફીયા એટલા ચતુર છે કે ખાણ ખનીજ વિભાગ, પોલીસ અધિકારી, મામલતદાર અને પ્રાંત અધિકારીઓ ક્યા જાય છે ? તેની પળેપળની માહિતી સોશીયલ મિડીયાના માધ્યમથી મેળવે છે. થાન અને મુળી પંથકમાથી દરરોજ હજ્જારો ટન કાબોઁસેલ તથા સફેદ માટી જેવા ખનીજ ચોરી કરી વહન કરાય છે અને થાન તથા મુળી તાલુકામા મોટાભાગના સ્થાનિકોનુ અથઁતંત્ર આ ગેરકાયદેસર ખનીજ પ્રવૃતિ પર જ ટકેલું હોય તેમ કહેવામાં જરાય ખોટુ નથી. કારણ કે અહિ કાબોઁસેલનુ ગેરકાયદેસર ખનન કરવા માટે અન્ય જીલ્લા-તાલુકાઓમાંથી આવતા ખનીજ માફીયા સ્થાનિકો પાસેથી કાયદેસર હોય કે કબ્જા ધરાવતી જમીન હોય ભાડા પેટે ખરીદી કરે છે ત્યાર બાદ અહિં ખોદકામ કરવા માટે જે.સી.બી તથા હિટાચી જેવા સાધનો પણ અહિના સ્થાનિકો પાસેથી ભાડા પેટે લઇ ખનન શરુ કરાય છે ખનન બાદ કાબોઁસેલને અન્ય સ્થળ પર ખસેડવા માટે ઉપયોગ થતા ડમ્ફર જેવા વાહનોમા કાબોઁસેલને પ્રતિ ટનના હિસાબથી ભરીને મોકલી દેવામાં આવે છે આ તમામ પ્રક્રિયા વચ્ચે કેટલાક મજુરીકામ કરતા મજુરોને પણ કાબોઁસેલની ભયંકર ખાણોમા કામ કરવાના બદલામા દૈનિક ભથ્થુ આપવામા આવે છે અને ક્યારેક મોત પણ ! જેથી થાન અને મુળી તાલુકાનુ મોટાભાગનું અથઁતંત્ર અહિ ગેરકાયદેસર ખનન પર ટકેલું છે. ખાણ ખનીજ વિભાગ કેટલાક સ્થળો પર દરોડા કરે પણ છે પરંતુ અગાઉ જણાવ્યુ તે પ્રમાણે ખનીજ માફીયાઓ પાસે અધિકારીઓની કાર નંબર સહિતની માહિતી અગાઉથી જ હોવાના લીધે ખનનના સ્થળ પર કઇ મળતુ નથી. જાેકે થાન અને મુળી તાલુકામા ચાલતા બેરોકટોક ખનનના વિરોધ્ધમા કેટલાક જાગૃત નાગરીકો દ્વારા તો એવુ પણ જણાવાયુ છે કે કરોડો રૂપિયાના ગેરકાયદેસર ખનનમા માત્ર સ્થાનિકોનુ જ અથઁતંત્ર નહિ પરંતુ આ વિસ્તારમા લાગુ પડતા પોલીસ સ્ટેશનના સામાન્ય કોન્સ્ટેબલથી લઇને સાંસદ સભાના નેતા સુધીનુ અથઁતંત્ર આ ગેરકાયદેસર ખનન પર ટકેલુ છે. ત્યારે આ પ્રકારે રાજ્યનું કરોડો રૂપિયાનું સૌથી મોટુ ગેરકાયદેસર ખનન સરકારની તિજાેરીને તો ઠીક પરંતુ જમીનમા રહેલી ખનીજ સંપતિને મોટુ નુકશાન પહોચાડી રહ્યુ છે.
    વધુ વાંચો
  • ક્રાઈમ વોચ

    કોર્પોરેટ કલ્ચરના ઝાકમઝોળની વરવી અંધારી બાજુ આંતરરાષ્ટ્રીય કક્ષાની ફાર્મા કંપનીમાં ચાલતા સેક્સ કૈાભાંડથી ખળભળાટ કંપનીના રંગીન મિજાજના એમડીએ ૩૭થી વધુ ભારતીય અને વિદેશી યુવતીઓનું શારીરિક શોષણ

    વડોદરા, તા. ૯આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાણીતી અમદાવાદની એક ફાર્મા કંપનીમાં ભારતીય તેમજ વિદેશી યુવતીઓને વાર્ષિક લાખો –કરોડો રૂપિયાના પેકેજ પર નોકરીએ રાખ્યા બાદ યુવતીઓનું ખુદ કંપનીના એમડી દ્વારા વારંવાર શારીરિક શોષણ કરી સેક્સ કૈાભાંડ આચરવામાં આવ્યું હોવાની વાતે ખળભળાટ મચ્યો છે. કંપનીના એમડીની રાતો રંગીન કરવા માટે મજબુર બનેલી યુવતીઓ આ મુદ્દે કોઈ હોબાળો મચાવે તે અગાઉ તેઓને શામ-દામ-દંડ-ભેદની નિતીથી ચુપ કરાવી દેવામાં આવતી હોઈ અત્યાર સુધી આ સેક્સ રેકેટની કોઈ વિગતો બહાર આવી શકી નહોંતી. જાેકે આ જ ફાર્મા કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતી એક યુવતીને પણ શારીરિક શોષણ માટે ફરજ પાડી બળજબરી કરાતા આ સેક્સ કૈાભાંડને ઉજાગર કરવા માટે યુવતીએ પહેલ કરી હતી. જાેકે કંપનીના વગદાર સંચાલક સામે કાર્યવાહી કરવા માટે પોલીસ તંત્રના હાથ ધ્રુજતા હોઈ પોલીસે ફરિયાદ નોંધવા માટે સ્પષ્ટ નનૈયો ભણતા યુવતીને આ સેક્સ રેકેટમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે આખરે હાઈકોર્ટમાં દાદ માંગવાની ફરજ પડી હતી. થોડાક સમય પહેલા આવેલી દિગદર્શક મધુર ભંડારકરની જાણીતી હિન્દી ફિલ્મ ‘કોર્પોરેટ’માં મોટા ઉદ્યોગપતિઓ દ્વારા મની એન્ડ મસલ્સ પાવર સાથે લેધર કરન્સીનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે તેનો ચિતાર આપી ઝાકમઝાળ ભરેલે કોર્પોરેટ કલ્ચરના બીજી વરવી બાજુને ઉજાગર કરવામાં આવી હતી. જાેકે ફિલ્મના દ્રશ્યો અને સ્ટોરીને પણ ટક્કર મારે તેવો વાસ્તવિક કિસ્સો અમદાવાદની જ એક જાણીતી મલ્ટીનેશનલ ફાર્મા કંપનીમાં સપાટી પર આવ્યો છે અને તેને કંપનીની જ એક ઉચ્ચાધિકારી કર્મચારી યુવતીએ ઉજાગર કર્યો છે. અન્ય રાજયની વતની અને હાલમાં અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતી ૨૬ વર્ષીય યુવતી અમદાવાદની ફાર્મા કંપનીમાં ઉચ્ચાધિકારી તરીકે ફરજ બજાવે અને કંપનીમાં કામગીરીના ભાગરૂપે કંપનીના તમામ કર્મચારીઓ તેના સંપર્કમાં આવે છે. આ યુવતીની તેના જ વિભાગના વડાએ જાતિય સતામની શરૂ કરી હતી અને તેણે કંપનીના સંચાલક- એમડી જે વ્યભિચાર અને રંગીન મિજાજના આક્ષેપોમાં અગાઉ ઘેરાયેલા છે તેમના સેક્સ કૈાભાંડના સિલસિલાબધ્ધ કિસ્સા વર્ણવ્યા હતા અને યુવતીને પણ એમડી સાથે શારીરિક સંબંધ બાંધવા માટે સતત દબાણ શરૂ કરાયું હતું. પોતાના વિભાગના વડાએ કંપનીના એમડીના સેક્સ કૈાભાંડ અંગે એવી ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો કે કંપનીમાં ૨૪થી ૨૭ વર્ષની રશિયન, સ્પેનીશ અને યુરોપીયન યુવતીઓને વર્ક વિઝા નહી હોવા છતાં કંપનીમાં દોઢથી બે કરોડના વાર્ષિક પગારે પર્સનલ સેક્રેટરી તરીકે નોકરીએ રાખવામાં આવી હતી અને એફઆરઆરઓ (ફોરેનર્સ રિજયોનલ રજીસ્ટ્રેશન ઓફિસર) પ્રોસેસ વિના પરત મોકલી દેવામાં આવી છે. આ યુવતીઓને કંપનીના એમડીના વૈભવી રહેણાંક સ્થળે રાખવામાં આવતી હતી જયાં એમડી દ્વારા તેઓની પર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. એમડી દ્વારા યુવતીઓ સાથે ક્રુરતાપુર્વક અકુદરતી સેક્સ પણ આચરવામાં આવ્યું છે જેના કારણે અનેક યુવતીઓને શારિરીક પીડાઓ પણ થઈ હતી પરંતું મની અને મસલ્સ પાવરના જાેરે તેઓને ચુપ કરાવી દઈ તેઓને વતનમાં રવાના કરી દેવાઈ છે. આ યુવતીએ કંપનીમાં મહિલાઓની જાતિય સતામણી સામે રક્ષણ આપવા માટે બનાવેલી કમિટીમાં પોતાના જાતિય સતામની કરતા તેના વિભાગના વડાની ફરિયાદ કરી હતી જેના પગલે કંપનીના બોર્ડ ઓફ ડિરેકટરોમાં ખળભળાટ મચ્યો હતો અને યુવતી પર આ મુદ્દે ચુપકીદી રાખવા માટે તેમજ વિભાગીય વડા કે કંપનીના એમડી સામે કોઈ પણ પ્રકારની ફરિયાદ નહી કરવા માટે દબાણ કરી ધમકીઓ આપવાનો દોર શરૂ થયો છે. જાેકે આ અંગે યુવતીએ અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં અને પોલીસ ઉચ્ચાધિકારીઓને રજુઆતો કરી હતી પરંતું તેની કંપનીનું નામ અને કંપનીના એમડીનું નામ સાંભળતા જ મનોમન ફફડી ઉઠેલી પોલીસે આ કેસમાં ફરિયાદ નોંધવાની વાત તો ઠીક પરંતું ત્યારબાદ યુવતીના ફોન પણ રિસીવ કરવાનું બંધ કરી દેતા યુવતીએ આ કેસની પોલીસ ફરિયાદ નોંધે તેવો આદેશ કરાવવા માટે અમદાવાદના યુવાન ધારાશાસ્ત્રી મારફત હાઈકોર્ટમાં દાદ માંગી હતી. બોક્સ.. હાઈકોર્ટમાં દાખલ થયેલો કેસ સુનાવણી પુર્વે વીથ ડ્રો કરાયો આગામી સપ્તાહે ફરી દાખલ કરાશે ઃ ફરિયાદીના વકીલ ઉદ્યોગપતિ સામે શારીરિક શોષણનો આક્ષેપ કરનાર યુવતીએ તેના વકીલ મારફત તારીખ પાંચમીએ નામદાર હાઈકોર્ટમાં પોલીસ ફરિયાદ દાખલ કરે તેવી માંગ સાથે દાવો દાખલ કરેલ કરેલો જેની આજે શુક્રવારના રોજ સુનાવણી હાથ ધરાય તે પુર્વે જ ક્રિમીનલ મિસેલીનિયસ એપ્લીકેશનને આગામી દિવસોમાં ક્રિમીનલ રિવિઝન એપ્લીકેશન તરીકે દાખલ કરવાની ન્યાયાધીશની મંજુરી સાથે વીથ ડ્રો કરવામાં આવી હતી અને તે સિનિયર વકીલોને સાથે રાખી આગામી સપ્તાહમાં નવેસરથી દાખલ કરવામાં આવશે તેવું ફરિયાદીના વકીલે ‘લોકસત્તા જનસત્તા’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું. બોક્સ..  ૭૫ લાખમાં સમાધાન કરી નોકરી છોડી દેવા દબાણ યુવતીએ અરજીમાં આક્ષેપ કર્યો હતો કે તેણે કંપનીના એમડી અને વિભાગીય વડા સહિતના અધિકારીઓ વિરુધ્ધ કંપનીની ફરિયાદની તજવીજ કરતા જ કંપનીના અન્ય એક ઉચ્ચાધિકારીએ તેને હોટલ અને જાણીતા ક્લબમાં બોલાવીને કંપનીના આ કેસમાં સમાધાન કરી લેવા માટે જણાવ્યું હતું અને સમાધાન માટે ૭૫ લાખની ઓફર કરાઈ હતી. તેને પૈસા લઈ કંપનીમાં રાજીનામુ આપી દેવા માટે દબાણ કરી કંપની અધિકારીએ કંપનીના એમડી વગદાર છે માટે તું તેનું કંઈ બગાડી નહી શકે તેવી ગર્ભિત ધમકી આપી હતી. બોક્સ.. ફાર્મા કંપનીમાં યુવતીઓને ફલ્મી હિરોઈન જેટલી ફી કેમ ચુકવાઈ ? યુવતીએ જણાવ્યું હતું કે તેની કંપની ફાર્મા કંપની છે જેમાં દવાઓનું ઉત્પાદન થાય છે તેની કંપની ફિલ્મો નથી બનાવતી કે જેમાં થોડાક સમય માટે આવતી યુવતીઓને ફિલ્મી હિરોઈનની જેમ કરોડો રૂપિયા ચુકવવામાં આવ્યા છે. એરલાઈન્સમાં ફરજ બજાવતી વિદેશી યુવતી જેનો પગાર આશરે સાત લાખ હતો તે યુવતી તેની કંપનીમાં ૫૦ લાખના પગારે નોકરીએ જાેડાતા તેની પર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. યુવતીઓને આટલો જંગી પગાર કેમ ચુકવાયો તેની સીબીઆઈ અને પોલીસે તપાસ કરવાની માંગણી કરી છે. યુવતીએ કંપનીના એમડી દ્વારા ૩૫ જેટલી વિદેશી યુવતીઓનું શારીરિક શોષણ કર્યાનો આક્ષેપ કરી યુવતીનો ગણતરી દિવસો માટે ચુકવાયેલા તોતીંગ પગારની યાદી રજુ કરાઈ છે. બોક્સ.. અમદાવાદ ગ્રામ્ય પોલીસને વકીલની હાજરીમાં ફરિયાદ આપી છે છતાં કોઈ કાર્યવાહી નહી જે ફાર્મા કંપનીના એમડી અને ઉચ્ચાધિકારીઓ પર સેક્સ રેકેટ કૈાભાંડના આક્ષેપો કરાયા છે તે કંપની અમદાવાદના ગ્રામ્ય પોલીસની હદમાં છે. યુવતીએ આ અંગે ગત મે માસમાં જ ગ્રામ્ય વિસ્તારના એક પોલીસ મથકમાં પીઆઈને બે વકીલોની હાજરીમાં ફરિયાદ નોંધવા માટે કોપી આપી હતી જે એક પીઆઈએ સ્વીકારી કરી હતી પરંતું પીઆઈએ તેની સ્ટેશન ડાયરીમાં કોઈ નોંધ કરી નહોંતી કે ફરિયાદની નકલ પર કોપી મળ્યાનો સિક્કો મારી આપ્યો નહોંતો. ફરિયાદ વાંચીને જ પીઆઈએ કહ્યું હતું કે આ રેરેસ્ટ ઓફ રેર ક્રાઈમ પરંતું તે ડીએસપીની મંજુરી વિના ફરિયાદ નહી નોંધી શકે. જાેકે યુવતીએ ત્યારબાદ પીઆઈ, ડીવાયએસપી અને રાજયના પોલીસ વડાને પણ ઈમેલથી ફરિયાદ કરી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ નથી જેની હાઈકોર્ટમાં માંગેલી દાદમાં પુરાવા સાથે રજુઆત કરી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    રામનવમીએ કોમી ભડકોઃ ઠેરઠેર પથ્થરમારો ઃ ૧૭ની ધરપકડ

    વડોદરા, તા.૩૦રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ સહિતની કેટલીક ધાર્મિક સંસ્થાઓ દ્વારા આયોજીત શોભાયાત્રા પર બપોરે ફતેપુરા વિસ્તાર સહિત અનેક સ્થળે ભારે પથ્થરમારાના પગલે દહેશતનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં અનેકને ઈજાઓ પહોંચી હતી તથા પરિસ્થિત પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. દરમ્યાન પોલીસે ૩૫૦થી વધુ સીસીટીવી કેમેરાને આધારે મોડીરાત સુધીમા ૧૭ તોફાનીઓની ધરપકડ કરી લીધી હતી. આ તોફાનો દરમ્યાન અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યુ હતું. છેલ્લા અનેક વર્ષોથી શાંતિપૂર્ણ માહોલનો અહેસાસ કરી રહેલું વડોદરા આજે કોમી રમખાણોના છમકલાઓથી ફરી એકવાર અભડાયું હતું. આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત શ્રીરામની શોભાયાત્રા બપોરના સમયે ફતેપુરા વિસ્તારના કુભારવાડા ખાતેથી પસાર થઈ રહી હતી.આ તબક્કે ડીજે પર મોટા અવાજે હનુમાનચાલીસા વાગતા જ એ વિસ્તારના કેટલાં યુવાનો અને વિહિપના કાર્યકરો વચ્ચે બોલાચાલી થતાં વાતાવરણ ગરમાયુ હતું આ તબક્કે પોલીસે મધ્યસ્થી કરી બંને ટોળાઓને શાંત કરી વિખેરી નાંખ્યા હતા. પરંતુ થોડી જ વારમાં આ સમાધાન પડી ભાંગ્યુ હોય એમ અચાનક આજુબાજુની ગલીઓમાંથી પથ્થરમારો શરૂ થયો હતો. આ તબકકે શોભાયાત્રામાં સામેલ એક હજારથી વધુ વીએચપી કાર્યકરોમાં ઉશ્કેરાટનો માહોલ ફેલાયો હતો. જાે કે ઘટના સ્થળે ઉપસ્થિત પોલીસે તાત્કાલિક પરિસ્થિતિ પર કાબુ મેળવવા તોફાનીઓની દિશામાં ઘસી જતાં મામલો થોડા સમય માટે શાંત પડયો હતો. પરંતુ શ્રધ્ધેય ભગવાન રામની શોભાયાત્રા પરના પથ્થરમારાથી ઉશ્કેરાયેલા કાર્યકરોને માંડ માંડ શાંતિ જાળવવા સમજાવાયા હતા. એસ.એસ.જી. હોસ્પિટલની સામે આવેલ પંચમુખી હનુમાન મંદિરથી શરૂ થયેલી આ યાત્રા શાંતિપૂર્ણ રીતે અને ધાર્મિક માહોલ સાથે આગળ વધી રહી હતી. ત્યારે પાંજરીગર મહોલ્લા ખાતે તેના પર ભારે પથ્થરમારો થયો હતો. જાે કે આ યાત્રા એરપોર્ટ, સંગમ, ફતેપુરા, કારેલીબાગ પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી.ત્યાર બાદ એ યાત્રા જીવનભારતી સ્કુલ એલ એન્ડ ટી એરપોર્ટ થઈ ફરી પંચમુખી હનુમાન મંદિર ખાતે સંપન્ન થઈ હતી.દરમ્યાન ફતેપુરા કંુભારવાડા ખાતેથી નિકળેલી શ્રી રામની આવી જ એક અન્ય શોભાયાત્રા પર તલાટીની ઓફિસની બાજુની ગલીમાંથી તથા સામેની બાજુ આવેલા એક ધાર્મિક સ્થળ પરથી અચાનક ભારે પથ્થરમારો શરૂ થયો હતો. પોલીસે માંડ માંડ પરિસ્થિત થાળે પાડતા શોભાયાત્રા આગળ વધી હતી. પરંતુ ચાંપાનેર દરવજા પાસે ફરીથી આ શોભાયાત્રા પર ભારે પથ્થરમારો થયો હતો. યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે અગાઉ સમગ્ર માર્ગ પર ઠેર ઠેર પથ્થરમારો થતાં વડોદરામાં ભારેલો અગ્નિ છે તથા મોડીરાત્રે એ કોમી રમખાણોના જવાળામુખીમાં ન ફેલાય તે માટે સ્થાનિક પોલીસે કડક હાથે કામ લેવાનુ શરૂ કર્યું છે.આજે શ્રી રામની ત્રીજી શોભાયાત્રા ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા યોજાઈ હતી. જે પ્રતાપનગર વિસ્તારના રણમુકતેશ્વર મહાદેવ ખાતેથી નિકળી પથ્થરગેટ વિસ્તારના તાડફળિયા ખાતે આવેલા રામજીમંદિર ખાતે સંપન્ન થઈ હતી. આ સમગ્ર રૂટ સંવેદનશીલ વિસ્તાર હોવાથી પોલીસે અગાઉ બે શોભાયાત્રાઓ પર થયેલા ભારે પથ્થરમારાના પગલે અગમચેતીના પગલારૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો.એક તરફ પવિત્ર રમઝાન મહિનો ચાલુ છે તથા સમગ્ર લઘુમતી વિસ્તારોમાં સાંજ બાદ ધાર્મિક માહોલ સર્જાય છે ત્યારે આજે દિવસ દરમ્યાન થયેલા કોમી છમકલાઓ વધુ વકરે નહીં તે માટે પોલીસે ચારેબાજુ ઘોસ વધારી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    સુરેન્દ્રનગરમાં વાયરલ ઈન્ફેકશનના કેસોમાં વધારો  હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો

    સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેર સહીત જિલ્લામાં પણ વાયરલ ઈન્ફેકશનના કેસોમાં વધારો થઈ રહ્યો છે. સુરેન્દ્રનગરની સરકારી હોસ્પીટલમાં દરરોજના ૪૫૦થી ૫૦૦ ઓ.પી.ડી કેસ આવી રહ્યા છે. કોરોનાનો એક પોઝીટીવ કેસ પણ નોંધાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં થઈ રહેલા ફેરફારોને કારણે ઠંડી,માવઠા અને હીટવેવ જેવી ગરમીનું મિશ્ર વાતાવરણ જાેવા મળી રહ્યુ છે. જેને કારણે શરદી,ઉધરસ,તાવ જેવી બિમારીના કેસોમાં વધારો જાેવા મળી રહ્યો છે. હવામાન ખાતાએ બે દિવસ હીટવેવ અને ત્યાર પછી માવઠાની આગાહી કરવામાં આવી છે. આવા વાતાવરણને કારણે વાયરલ ઈન્ફેકશનના કેસોમાં વધારો જાેવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સરકારી હોસ્પીટલમાં જ દરરોજના ૪૫૦થી ૫૦૦ ઓ.પી.ડી. કેસ આવી રહ્યા છે. અને સરેરાશ રોજના ૪૦થી ૫૦ કેસોમાં વધારો પણ જાેવા મળી રહ્યો છે. આ તમામ કેસો મોટેભાગે શરદી, ઉધરસ અને તાવના હોવાનું જાણવા મળ્યું છે. આ માત્ર સરકારી હોસ્પીટલના જ આંકડા છે. શહેર તથા જીલ્લાની અન્ય સરકારી હોસ્પીટલો, ખાનગી હોસ્પીટલો અને દવાખાનાઓમાં પણ અનેક ગણા કેસ આવતા હોવાનું જાણવા મળ્યું છે.ઉનાળાનો આકરો તાપ પડવાનો શરૂ થશે, ત્યાર પછી આવા કેસમાં ઘટાડો થવાની શકયતા છે. પરંતુ હાલમાં રોગચાળાએ માથુ ઉંચકયુ છે. તો બીજી તરફ ઝાલાવાડમાં ફરી કોરોનાનો પગપેસારો થયો છે. વઢવાણ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારની મહિલાનો પોઝિટિવ રિપોર્ટ આવતા હાલ તેઓ હોમ આઈસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે.
    વધુ વાંચો