સુરેન્દ્રનગર સમાચાર
-
સુરેન્દ્રનગરમાં વાયરલ ઈન્ફેકશનના કેસોમાં વધારો હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો
- 14, માર્ચ 2023 01:30 AM
- 7371 comments
- 3481 Views
સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેર સહીત જિલ્લામાં પણ વાયરલ ઈન્ફેકશનના કેસોમાં વધારો થઈ રહ્યો છે. સુરેન્દ્રનગરની સરકારી હોસ્પીટલમાં દરરોજના ૪૫૦થી ૫૦૦ ઓ.પી.ડી કેસ આવી રહ્યા છે. કોરોનાનો એક પોઝીટીવ કેસ પણ નોંધાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં થઈ રહેલા ફેરફારોને કારણે ઠંડી,માવઠા અને હીટવેવ જેવી ગરમીનું મિશ્ર વાતાવરણ જાેવા મળી રહ્યુ છે. જેને કારણે શરદી,ઉધરસ,તાવ જેવી બિમારીના કેસોમાં વધારો જાેવા મળી રહ્યો છે. હવામાન ખાતાએ બે દિવસ હીટવેવ અને ત્યાર પછી માવઠાની આગાહી કરવામાં આવી છે. આવા વાતાવરણને કારણે વાયરલ ઈન્ફેકશનના કેસોમાં વધારો જાેવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સરકારી હોસ્પીટલમાં જ દરરોજના ૪૫૦થી ૫૦૦ ઓ.પી.ડી. કેસ આવી રહ્યા છે. અને સરેરાશ રોજના ૪૦થી ૫૦ કેસોમાં વધારો પણ જાેવા મળી રહ્યો છે. આ તમામ કેસો મોટેભાગે શરદી, ઉધરસ અને તાવના હોવાનું જાણવા મળ્યું છે. આ માત્ર સરકારી હોસ્પીટલના જ આંકડા છે. શહેર તથા જીલ્લાની અન્ય સરકારી હોસ્પીટલો, ખાનગી હોસ્પીટલો અને દવાખાનાઓમાં પણ અનેક ગણા કેસ આવતા હોવાનું જાણવા મળ્યું છે.ઉનાળાનો આકરો તાપ પડવાનો શરૂ થશે, ત્યાર પછી આવા કેસમાં ઘટાડો થવાની શકયતા છે. પરંતુ હાલમાં રોગચાળાએ માથુ ઉંચકયુ છે. તો બીજી તરફ ઝાલાવાડમાં ફરી કોરોનાનો પગપેસારો થયો છે. વઢવાણ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારની મહિલાનો પોઝિટિવ રિપોર્ટ આવતા હાલ તેઓ હોમ આઈસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે.વધુ વાંચો -
ઝીંઝુવાડા રણમાં તુફાનના ચાલકે ચાર લોકોને અડફેટે લેતાં એક બાળકનું મોત
- 12, માર્ચ 2023 01:30 AM
- 4456 comments
- 1825 Views
પાટડી, પાટડી તાલુકાના ઝીંઝુવાડા રણમાં માતેલા સાંઢની માફક પુરઝડપે આવી રહેલી તુફાન ગાડીએ એક પરિવારના ચિરાગને છીનવી લીધો હતો. રણમાં થયેલા આ ગમખ્વાર અકસ્માતમાં આઠ વર્ષના બાળકનું કરુણ મોત નિપજ્યું હતુ. ઝીંઝુવાડા રણમાં થયેલા અકસ્માતની ઝીંઝુવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પાટડી ખાતે આવેલા ઝીંઝુવાડાના રણ ખાતે આવેલા ઐતિહાસિક વચ્છરાજદાદાની જગ્યાએ પાટડી તાલુકાના ફતેપુર ગામનો એક પરિવાર દર્શન કરી પરત ફરી રહ્યો હતો. ત્યારે તુફાને બાઈકને અકસ્માત સર્જીને જતી રહી હતી. જેમાં ફતેપુર ગામના સાગરભાઈ જીગરભાઈ, અને શાંતીબેન, તથા ૮ વર્ષનો બાળક ધાર્મિક સાથે હતો. જેઓને તુફાન ગાડીએ જાેરદાર ટક્કર માર્યા બાદ ઘાયલ થયેલા ધાર્મિક, સહિત સાગરભાઈ, જીગરભાઈ અને શાંતીબેનને લોહિલુહાણ હાલતમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે આશરે આઠ વર્ષના બાળક ધાર્મિકને પગના ભાગે અને ખભાના ભાગે ગંભીર ઈજાઓ થતા મૃત જાહેર કર્યો હતો. તથા પી.એમ સહીતની કાર્યવાહી પૂર્ણ કરી બાળકનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. તથા શાંતીબેનને સામાન્ય ઈજાઓ હોવાથી પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવી હતી. અન્ય બે ઈસમો સાગરભાઈને સાથળના ભાગે અને માથાના ભાગે અને જીગરભાઈને પગ અને આખા શરીર પર ગંભીર ઈજાઓ થતા વધુ સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. ત્યારબાદ તેઓના પરિવારજન અર્જુનભાઈ ભોપાભાઈ પાડીવાડીયા દ્વારા સાગરભાઈ અને જીગરભાઈ દ્વારા મોબાઈલમાં પાડેલા તુફાન ગાડીના ફોટાના આધારે ગાડીની ઓળખ કરી અકસ્માત કરી નાસી છુટેલા ચાલક વિરુદ્ધ ઝીંઝુવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તુફાન ગાડી ચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુન્હો નોંધી વધુ તપાસ ઝીંઝુવાડા પોલીસ ચલાવી રહી છે.વધુ વાંચો -
સાયલા નજીક ૩.૯૦ કરોડ લૂંટ ચલાવી લૂંટારૂ ફરાર
- 19, ફેબ્રુઆરી 2023 01:30 AM
- 5779 comments
- 2408 Views
રાજકોટ રાજકોટ-અમદાવાદ હાઇવે પર સાયલા નજીક લૂંટની ઘટના બની છે. જેમાં કુરિયર સર્વિસની કારને આંતરી પોલીસની ઓળખ આપી ગાડીમાં દારૂ હોવાનું કહી ચેક કરવાના બહાને ફરિયાદીને બાંધી માર મારી અંદાજિત ૩.૯૦ કરોડ રકમની લૂંટ ચલાવી લૂંટારુઓ નાસી છૂટ્યા હતા. બાદમાં પોલીસ દ્વારા ૧૦ ટીમો બનાવી નાકાબંધી કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. જેમાંની એક ટીમ જ્યાંથી કુરિયર સર્વિસની કાર રવાના થઈ હતી તે રાજકોટની ન્યુઝ એર સર્વિસની ઓફિસે પહોંચી તપાસ કરી છે. અહીં પોલીસે સીસીટીવી ચેક કરતા પાર્સલ ભરેલી કાર ગતરાતે ૯.૪૦ વાગ્યે રવાના થઈ હોવાનું ખુલ્યું છે. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના રણછોડનગર શેરી નંબર ૪માં આવેલ ન્યુઝ એર કુરિયર સર્વિસની ઓફિસમાંથી ગઈકાલે રાત્રિના ૯.૪૦ વાગ્યે સામાન ભરી ગાડી અમદાવાદ તરફ મોકલવામાં આવી હતી. જાેકે, ગાડી સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા નજીક પહોંચતા ૩ જેટલી કાર દ્વારા ન્યુઝ એર કંપનીની કારને આંતરી લૂંટારુઓ દ્વારા લૂંટ ચલાવવામાં આવી હતી. બાદમાં પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી ૧૦ જેટલી ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવે જણાવ્યું હતું કે, સાયલા નજીક અંદાજિત ૩.૯૦ કરોડની લૂંટની ઘટના બની છે, હાલ ૧૦ જેટલી ટીમો બનાવી અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. આ ૧૦ ટીમનું સુપરવિઝન સુરેન્દ્રનગર એસપી દ્વારા કરવામાં આવી રહ્યું છે અને સુરેન્દ્રનગરની એક ટીમ રાજકોટ કુરિયર ઓફિસ પહોંચી તપાસ હાથ ધરી છે. જેમાં ગાડી પાર્સલ ભરી જતી હોય તે સમયના અને તે પહેલાના સીસીટીવી ફૂટેજ તપાસવા તેમજ ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ સહિત તમામની પુછપરછ કરાઇ છે. રાજકોટના રણછોડનગર શેરી નંબર ૪માં આવેલ ન્યુઝ એર સર્વિસ નામની પાર્સલ ઓફિસ ખાતે પોલીસની ટીમ પહોંચી છે અને સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. સાથે જ અલગ અલગ હાઇવે પરના સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે. હાઇવે પર પણ નાકાબંધી કરવામાં આવી છે. પાર્સલ ઓફિસથી શરૂ કરી હાઇવે સુધી તમામ સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે.વધુ વાંચો -
ખનીજ વિભાગના અધિકારીઓ પર ખનીજચોરોનો હુમલો
- 14, ફેબ્રુઆરી 2023 09:59 PM
- 2545 comments
- 6334 Views
સુરેન્દ્રનગર,તા.૧૪સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી થઈ રહી છે, ત્યારે ખનીજ ચોરી અટકાવવાનો પ્રયાસ સતત હાથ ધરવામાં આવી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાંથી કપચી, મુળી થાન પંથકમાંથી કોલસો સહિત રેતીની સતત ચોરી કરવામાં આવી રહી છે. ત્યારે ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી અટકાવવા માટેનો પ્રયાસ સતત સુરેન્દ્રનગર ખાણ અને ખનીજ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવતો હોય છે. અને રેડ પણ કરવામાં આવતી હોય છે. પરંતુ જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બની ગયા છે. ત્યારે સુરેન્દ્રનગરના લીંબડી તરફ ખાણ અને ખનીજ વિભાગના મુખ્ય અધિકારીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો છે. જેમાં ત્રણ અધિકારીઓને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગરના લીંબડી હાઇવે ઉપર ખાણ ખનીજ વિભાગ દ્વારા ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને ઓવરલોડ જે ડમ્પર ખનીજ ભરીને જતા હોય તેને ઉભા રાખી અને ચેક કરવામાં આવતા હતા. તે દરમિયાન અચાનક મામલો બિચક્યો હતો. અને ખાણ ખનીજ વિભાગની સરકારી ગાડી ઉપર પ્રથમ હુમલો કરાયો હતો. પથ્થર અને અન્ય પદાર્થથી હુમલો કરાયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગાડીના કાચ પણ તોડી પાડવામાં આવ્યા છે, અન્ય સ્પેરપાર્ટને પણ નુકસાન થયું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં એક તરફ ખનીજ ચોરી ખુલ્લેઆમ રીતે થઈ રહી છે. ત્યારે ખનીજ માફીઆઓ સતત બેફામ બનતા જઈ રહ્યા છે. હવે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ઉપર પણ હુમલાઓ કરી રહ્યા છે. લીંબડી નજીક આ બનાવ બન્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે જાણ થતા તપાસ કામગીરીનો દોર પણ યથાવત કરી દેવામાં આવ્યો છે. ત્યારે જિલ્લામાં ચાલતી ખનીજચોરી ઉપર ક્યારે રોક લાગશે ? તે પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે કે, હવે ખાણખનીજ વિભાગના અધિકારીઓ પણ કેટલા સુરક્ષિત છે ? પોતાની કામગીરી દરમિયાન કેટલી તે સુરક્ષા અનુભવી રહ્યા છે અને ભુમાફિયાઓ સામે તેમને ક્યારે રક્ષણ મળશે ? તે પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે. એક મહિનામાં ૪ સ્થળોએ ખનીજ વિભાગના અધિકારીઓ પર હુમલાના બનાવ બન્યા સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી થઈ રહી છે. હવે આ ખનીજચોરી ક્યારે અટકશે, તે પણ એક સવાલ ઉદ્ભવી રહ્યો છે. ત્યારે એક મહિનામા ચાર સ્થળો ઉપર ખનીજ વિભાગના અધિકારીઓને કર્મચારીઓ ઉપર હુમલો તેમજ ગેરવર્તનના બનાવ સામે આવ્યા છે. ખાસ કરીને આરટીઓ ઓફિસ નજીક આવેલી ખાણ ખનીજ વિભાગની ઓફિસમાં થોડા સમય પહેલા ભૂમાફિયાઓ દ્વારા ખનીજ અધિકારીઓને જાન મારી નાખવાની ધમકી આપવામા આવી હતી. ત્યારબાદ આ મામલે ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરાયો હતો. ત્યારે લીંબડી નજીક પણ આજે બનાવ બન્યો છે, ત્યારે એક મહિનામાં ચાર સ્થળોએ ખનીજ વિભાગના અધિકારીઓ ઉપર હુમલાઓ તથા ફરજ રૂકાવટ કરવામાં આવી છે. લીંબડી નજીક ચેકપોસ્ટ ઉપર બબાલ સર્જાઈ લીંબડી નજીક સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. જિલ્લામાં ખનીજચોરી અટકાવવાનો પ્રયાસ ખાણ ખનીજ વિભાગે હાથ ધરી છે. પરંતુ તેમ છતાં પણ જિલ્લામા ખનીજ ચોરી અટકી રહી નથી. ત્યારે લીંબડી નજીક ચેકપોસ્ટ ઉપરથી પસાર થતી ખનીજ ભરેલી ગાડીઓ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ચેક કરી રહ્યા હતા. તે દરમિયાન તેમના ઉપર હુમલાનો બનાવ સામે આવ્યો છે. ત્રણ જેટલા અધિકારીઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. પથ્થરો તેમજ અન્ય પદાર્થોથી હુમલો કરવામાં આવ્યો છે. જાેકે આ મામલે તપાસનો દોર હાલની પરિસ્થિતિમાં યથાવત કરવામાં આવ્યો છે. ત્યારે ડમ્પર ચાલકો દ્વારા બેફામ રીતે ખનીજ ઓવરલોડ ભરવામાં આવ્યું હોય અને તેની વાતચીતમાં બબાલ થઈ હોય તેવું પ્રાથમિક કારણમાં સામે આવ્યું છે. વિભાગની ગાડીને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું લીંબડી નજીક ખાણ ખનીજ વિભાગ દ્વારા ઉભી કરવામાં આવેલી ચેક પોસ્ટ ઉપર ખનીજ વિભાગના અધિકારીઓને કર્મચારીઓ ઉપર હુમલાના બનાવ બાદ તાત્કાલિકપણે તપાસનો દોરી યથાવત કરી દેવામાં આવ્યો છે. ખનીજની ગાડીને પણ તોડી પાડવામાં આવી છે. ગાડીના કાચ તેમજ અન્ય સ્પેરપાર્ટો ઉપર પણ પથ્થરથી હુમલો કરાયો છે અને તોડી પાડવામાં આવ્યા છે. આ મામલે આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ સહિતની વસ્તુઓ મેળવવામાં આવી રહી છે અને તપાસનો દોર યથાવત કરવામાં આવ્યો છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, અવરલોડ ડમ્પર અને અન્ય વાહનો જે ભરેલા હતા, તેના ચેકિંગ દરમિયાન સામાન્ય બોલાચાલીમાં બિચકાયો હતો. અને ત્યારબાદ ખનીજ વિભાગના ત્રણ કર્મચારીઓ ઉપર જીવલેણ હુમલો કરાયો છે.વધુ વાંચો -
લીંબડી-રાજકોટ હાઇવે પર અકસ્માતમાં ૪ના મોત
- 07, ફેબ્રુઆરી 2023 10:41 PM
- 5033 comments
- 1161 Views
સુરેન્દ્રનગર,તા.૭ સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતો અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે ફરી એકવાર રક્તરંજિત બન્યો છે. મંગળવારે સવારે સર્જાયેલા અકસ્માતમાં ૪ વ્યક્તિના જીવનદીપ બુઝાઈ ગયા છે. આયા ગામના બોર્ડ નજીક વહેલી સવારે ટ્રક અને ઇકો કાર વચ્ચે થયેલા અકસ્માતમાં ૪ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે. આ અકસ્માતમાં ઇકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. આ અંગેની મળતી માહિતી અનુસાર મોડાસાથી હોસ્પિટલના કામ અર્થે ખાંટ પરિવાર રાજકોટ જઈ રહ્યા હતા, તે દરમિયાન વહેલી સવારે ડ્રાઇવરને આગળ બંધ પડેલો ટ્રક ન દેખાતા ઇકો કારના ડ્રાઈવરે ધડાકાભેર ટ્રક પાછળ ઇકો કાર અથડાવી હતી. જેમાં ઘટનાસ્થળે ચાર લોકોના મોત નિપજ્યા હતા. મોડાસાથી એક જ પરિવારના ચાર લોકો કારમાં દવાખાને રાજકોટ તરફ જઈ રહ્યા હતા, તે દરમિયાન ડોળીયા નજીક ડ્રાઇવર દ્વારા ટ્રકના પાછળના ભાગે કાર ઘુસાડી દેવામાં આવતા હાઈવે પણ મોતની ચિંચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે કારના પતરાં ચીરીને મૃતદેહો બહાર કાઢાયા હતા. આ ગોઝારા અકસ્માતની ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડા હરેશકુમાર દુધાત પણ દોડી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારે આ પરિવાર મોડાસાનું હોવાનું ખુલવા પામ્યું છે. પરિવારજનોને પણ આ બાબતની જાણ કરી અને સાયલા ખાતે બોલાવી અને તેમને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. આ મામલે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તમામ મૃતકોની ડેડબોડીને ઇકો કારમાંથી બહાર કાઢવામાં આવી હતી. અને આ બાબતે તમામ મૃતકોની ડેડબોડીને પીએમ માટે સાયલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જેમાં અકસ્માતનો ભોગ બનેલો ખાંટ પરિવાર હોવાનું પણ બહાર આવ્યું છે. ત્યારે હજુ સુધી મૃતકો ઓળખ થઈ શકી નથી. આ બાબતે તપાસ કામગીરી સ્થાનિક પોલીસ અને જિલ્લા પોલીસ વડા ઘટનાસ્થળે દોડી જઈ હાથ ધરી છે. બે પુત્ર, પિતા અને ભત્રીજાનું ઘટનાસ્થળે મોતની નિપજતા ચકચાર મચી જવા પામી છે. એક જ પરિવારના ચાર લોકોના મોતથી અરેરાટી વ્યાપી જવા પામી છે. મોડાસાથી વહેલી સવારે પિતાની દવા લેવા રાજકોટ સિવિલ હોસ્પિટલ તરફ જઈ રહ્યા હતા, તેઓ પિતાની દવા લેવા મોડાસાથી રાજકોટ તરફ સવારે ૫ઃ૦૦ વાગ્યે નિકળ્યા હતા. ત્યારે બે પુત્ર અને ભત્રીજાે પણ કામ અર્થે સાથે હતા. તે દરમિયાન ડોળીયા નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોત નિપજવા પામ્યું છે. ત્યારે આ મામલે ખાંટ પરિવાર શોકમગ્ન બન્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં હાઇવે ઉપર ૧૭ લોકોના મોત નિપજ્યાં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ અને રાજકોટ હાઇવે ઉપર અકસ્માતોની સંખ્યામાં વધારો જાેવા મળી રહ્યો છે. જિલ્લાના હાઇવે ગોઝારા સાબિત થઈ રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર છેલ્લા ત્રણ મહિનામાં ૧૭ લોકોના અકસ્માતના પગલે મોત નિપજવા પામ્યા છે. જેમાં બંધ ટ્રક પાછળ વાહન ઘૂસી ગયું હોય અને મોત નિપજ્યું હોય તેવા ૧૭ લોકોના મોતનો આંકડો સામે આવ્યો છે. ત્યારે આજે વધુ એક અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત નિપજ્યા છે.વધુ વાંચો -
અમદાવાદ-માળીયા હાઇવે પર ગાઢ ધુમ્મસના કારણે એક પછી એક ૩૦ વાહનો એકબીજા પાછળ ધડાકાભેર અથડાયા
- 07, ફેબ્રુઆરી 2023 10:38 PM
- 9616 comments
- 1842 Views
માળીયા: માળીયા અમદાવાદ હાઇવે ઉપર અણીયારી ટોલનાકા નજીક આજે વહેલી સવારે ગાઢ ધૂમમ્સને કારણે એક પછી એક ૩૦ વાહનો અથડાતા અકસ્માતની હારમાળા સર્જાઈ હતી. અને આ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર જ્યારે ચાર વ્યક્તિને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાની વિગતો બહાર આવી છે. આ ગોઝારી ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ આજે વહેલી સવારે માળીયા અમદાવાદ હાઇવે ઉપર અણીયારી ટોલનાકા નજીક આજે વહેલી સવારે ગાઢ ધૂમમ્સને કારણે અકસ્માતની હારમાળા સર્જાઈ હતી. જેમાં એક પછી એક નાના મોટા ૩૦ વાહનો અથડાતા હાઇવે ઉપર બન્ને તરફ ટ્રાફિકજામ સર્જાયો હતો. આ દરમિયાન અકસ્માતોની ઘટના અંગેની જાણ થતાં જ જિલ્લા ટ્રાફિક અને માળીયા પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને ટ્રાફિક ક્લિયર કરાવવા કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યારે અન્ય ત્રણથી ચાર લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળે છે.વધુ વાંચો -
ઝાલાવાડમાં બે લાખ હેક્ટરમાં રવિપાકોનું વાવેતર
- 20, જાન્યુઆરી 2023 01:30 AM
- 2522 comments
- 3940 Views
સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર શહેર સહિત સમગ્ર ઝાલાવાડમાં છેલ્લા બે-ત્રણ દિવસથી શિત લહેરની સ્થિતિ છે. હાડ થીજવતી ઠંડીમાં એક તરફ લોકો ઠૂંઠવાઈ રહ્યા છે. તો બીજી બાજુ આ ઠંડીથી રવીપાકોને ફાયદો થવાની આશા ખેડૂતોને છે. ઝાલાવાડનાં ખેડૂતોએ ૨,૦૫,૭૦૧ હેક્ટર વિસ્તારમાં વિવિધ શિયાળુ પાકનું વાવેતર કર્યું છે. સુરેન્દ્રનગરમાં ૧૪ જાન્યુઆરીએ ૧૦.૫ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યા બાદ બે દિવસમાં તાપમાનનો પારો ૧૦થી નીચે ગગડી ગયો હતો, અને ૧૬ જાન્યુઆરીએ ૮.૭ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ઝાલાવાડનાં ખેડૂતોએ આ સિઝનમાં ૨,૦૫,૭૦૧ હેક્ટરમાં ઘઉં, ચણા, જીરું, ધાણા, ઈસબગુલ, વરીયાળી, રાઈ વગેરેનુંવાવેતર કર્યું છે. ઝાલાવાડનાં ખેડૂતોએ આ ઉપરાંત લસણ, ડુંગળી, બટેટા, અજમો, ડાંગર અને શાકભાજીનું પણ વાવેતર કર્યું છે.ટકાવારીની દૃષ્ટિએ અત્યાર સુધીમાં ૩૨.૯૪ ટકા શિયાળુ વાવેતર થયું છે અને હાલમાં પડી રહેલી ઠંડીથી શિયાળુ પાકને ફાયદો થવાની આશા સેવાઈ રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ ૪૬,૫૧૭ હેક્ટરમાં પિયત અને બિનપિયત ઘઉંનું વાવેતર કર્યું છે. ૩૯,૬૪૮ હેક્ટરમાં ચણાનું, ૫,૭૧૭ હેક્ટરમાં રાઈનું, ૩૩,૨૯૯ હેક્ટરમાં જીરૂ અને ૩૩,૧૪૧ હેક્ટરમાં ધાણાનું વાવેતર કર્યું છે. ૭૮૨ હેક્ટરમાં ઈસબગુલ અને ૧૪,૧૯૫ હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર કર્યું છે. ૫૧૪ હેક્ટરમાં અજમો, ૨૭,૮૮૫ હેક્ટરમાં વરિયાળીનું વાવેતર કરાયું છે. જિલ્લામાં સૌથી વધુ વાવેતર ૭૫,૪૬૫ હેક્ટરમાં ધ્રાંગધ્રા તાલુકાનાં ખેડૂતોએ કર્યું છે. જ્યારે સૌથી ઓછું વાવેતર ૧,૫૬૧ હેક્ટરમાં સાયલા તાલુકામાં વાવેતર થયું છે. ચોટીલા તાલુકામાં ૧૦,૦૪૨ હેક્ટરમાં, ચુડા તાલુકામાં ૧૨,૦૭૭ હેક્ટરમાં, દસાડા તાલુકામાં ૧૭,૧૨૦ હેક્ટરમાં, લખતર તાલુકામાં ૧૭,૦૦૫ હેક્ટરમાં, લીંબડી તાલુકામાં ૧૬,૪૮૫ હેક્ટરમાં થાનગઢ તાલુકામાં ૩,૫૭૭ હેક્ટરમાં અને વઢવાણ તાલુકામાં ૨૯,૬૮૯ હેક્ટરમાં વાવેતર થયેલ છે. ઘઉંનું સૌથી વધુ વાવેતર ધ્રાંગધ્રા તાલુકામાં થયું છે. ચણાનું સૌથી વધુ વાવેતર લીંબડી તાલુકામાં થયું છે. જીરુંનું સૌથી વધુ વાવેતર દસાડા તાલુકામાં થયું છે. જ્યારે ધ્રાંગધ્રા તાલુકામાં ધાણા, વરિયાળીનું સૌથી વધુ વાવેતર થયું છે.ઝાલાવાડનાં ખેડૂતોએ આ ઉપરાંત લસણ, ડુંગળી, બટેટા, અજમો, ડાંગર અને શાકભાજીનું પણ વાવેતર કર્યું છે. ટકાવારીની દૃષ્ટિએ અત્યાર સુધીમાં ૩૨.૯૪ ટકા શિયાળુ વાવેતર થયું છે અને હાલમાં પડી રહેલી ઠંડીથી શિયાળુ પાકને ફાયદો થવાની આશા સેવાઈ રહી છે.વધુ વાંચો -
લખતરમાં પાણીની લાઈન ચેકિંગમાં લીકેજ બહાર આવ્યુંઃ વિસ્તારમાં પાણી ફરી વળ્યાં
- 22, ડિસેમ્બર 2022 01:30 AM
- 4690 comments
- 3076 Views
સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના ભૈરવપરા વિસ્તારમાં પાણીની લાઈનના ચેકિંગ માટે કામગીરી કરતા ૪થી ૫ જગ્યાએ લાઈનમાં લીકેજ બહાર આવ્યું હતું. જેના કારણે સમગ્ર વિસ્તારમાં પાણી ફરી વળ્યાં હતા. ૪થી ૫ જગ્યાએ લાઈનમાં મોટું લીકેજ થયું હતું સુરેન્દ્રનગર જિલ્લાના લખતર શહેરમાં વાસ્મો દ્વારા પાણીની લાઈન નાખવામાં આવેલી છે. તે લાઇનના ટેસ્ટિંગ સમયે થોડા દિવસો અગાઉ શહેરના ઉગમણા દરવાજા વિસ્તારમાં લાઈન લીકેજ થઇ હતી. ત્યારે લખતર શહેરના ભૈરવપરા વિસ્તારમાં લાઇનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ ટેસ્ટિંગ દરમિયાન તે વિસ્તારમાં ૪થી ૫ જગ્યાએ લાઈનમાં મોટું લીકેજ થયું હતું.લાઈનમાં લીકેજ થતા નબળી કામગીરી છતી થઇ આ લીકેજના કારણે સમગ્ર વિસ્તારના રોડ-રસ્તાઓ ઉપર પાણી ફરી વળતા હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો. તેથી લોકોને ચાલવામાં પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આમ, લાઈનના ટેસ્ટિંગની શરૂઆતે જ અનેક જગ્યાએ લાઈનમાં લીકેજ થતા નબળી કામગીરી છતી થઇ હતી.વધુ વાંચો -
સુરેન્દ્રનગર ખાતે પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ જજની ઉપસ્થિતિમાં બંધારણ દિવસની ઉજવણી
- 27, નવેમ્બર 2022 01:30 AM
- 9072 comments
- 8391 Views
સુરેન્દ્રનગર, ૨૬ નવેમ્બર બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે અંતર્ગત રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આ જ શ્રેણીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આજ રોજ ડિસ્ટ્રીકટ કોર્ટ ખાતે બંધારણ દિવસની ઉજવણી નિમિતે એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સંબોધતા કાર્યક્રમનાં અધ્યક્ષ પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક્ટ જજ પી.એસ ગઢવીએ જણાવ્યું હતુ કે, ભારતનું બંધારણ વિશ્વના તમામ બંધારણોમાં સૌથી વિશિષ્ટ બંધારણ છે. અને વિશ્વભરમા આપણી ઓળખ બની છે. દેશનું બંધારણ તમામ કાયદાઓની જનેતા છે. જેની અગત્યતા વિશે જાગૃતિ પ્રસરાવવા વર્ષ ૨૦૧૫થી બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. બંધારણ વિના કાયદાઓનો અમલ શક્ય નથી. બંધારણનાં કાયદાકીય અભ્યાસ બાદ તેનો ઉપયોગ માત્ર વ્યવસાય તરીકે ના થવો જાેઈએ પરંતુ દેશ પ્રત્યેની આપણી ફરજને ધ્યાનમાં રાખીને કાર્ય કરવું જાેઈએ. આઝાદીને ટકાવી રાખવા માટે બંધારણના સિધ્ધાંતો પ્રત્યે સજાગતા રાખી તેના અમલ માટે સહિયારા પ્રયત્નો કરવા જાેઈએ જણાવતા તેમણે બંધારણના સિદ્ધાંતોને જાળવવા મૂળભૂત ફરજાેને નિભાવીને નાગરિક તરીકેની આપણી ફરજ નિભાવી જાેઈએ તેવી અપીલ કરી હતી. કાર્યક્રમની સ્વાગત વિધિ જિલ્લા સરકારી વકીલ એમ.પી સંભાણી તથા આભાર વિધિ એ.જી.પી. એન.ડી કારીયા દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન બંધારણ તેમજ વિવિધ કાયદાકીય બાબતો વિશે રસપ્રદ પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી.વધુ વાંચો -
હળવદમાં સાત કરોડથી વધુની ખનીજ ચોરી પકડાઈ
- 27, નવેમ્બર 2022 01:30 AM
- 7794 comments
- 5193 Views
હળવદ, બ્રાહ્મણી નદીમાં રેતી ચોરીની માહિતી મળતા ખાણ ખનીજ વિભાગ ટીમે રેડ કરી હતી. જેમાં સ્થળ પરથી લોડર મશીન, ટાટા કંપનીનું એક્ઝવેટર મશીન, ટ્રેક્ટર, ડમ્પર મારફતે ૨,૧૧,૪૮૨.૧૧ મેટ્રિક ટન સાદી રેતીનું ખનન કરી રેતીચોરી કરવામાં આવી રહી હોવાથી ટીમે ૭.૧૫ કરોડની કિંમતની ખનીજ ચોરી મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે મોરબી ખાણ ખનીજ કચેરીના માઈન્સ સુપરવાઈઝર જી.કે ચંદારાણાએ હળવદ પોલીસ મથકમાં લોડર મશીનના માલિક, ટાટા કંપનીનું એક્ઝવેટર મશીનના માલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, ચાડધ્રા ગામની બ્રાહ્મણી નદીના પટમાંથી રેતી ચોરી કરવામાં આવતી હોવાથી ડ્રોન સર્વેલન્સ કામગીરી કરવામાં આવી હતી. જે વિસ્તારમાં સાદી રેતી ખનીજના કુલ ૧૬ બ્લોક પાડવામાં આવેલ છે. જેની ઈ હરાજી માટે ક્રમશ તારીખ ૩૦/૦૯/૨૦૨૧ તથા ૨૧/૧૨/૨૦૨૧ના રોજ વર્તમાન પત્રોમાં જાહેરાત આપવામાં આવી છે. જેની હરાજી પ્રક્રિયા હાલ ચાલુ છે ત્યારે ડ્રોન સર્વેલન્સ કામગીરી દરમિયાન ચાડધ્રા ગામમાંથી પસાર થતી નદીના પટ વિસ્તારમાં વાહનો જાેવા મળ્યા હતા. જેમાં નદીના પટમાં બિન અધિકૃત રીતે ખનીજ ખનન કરતી ૦૫ નાવડીઓ, એક લોડર મશીન, એક એક્ઝવેટર મશીન અને બિનઅધિકૃત રીતે સાદી રેતી ખનીજનું વાહન અને નંબર પ્લેટ વગરના ૦૪ ટ્રેક્ટર, રજીસ્ટ્રેશન વગરનું ડમ્પર મળી આવ્યું હતું. જેના દ્વારા બિનઅધિકૃત રીતે ખોદકામ કરી રેતી ચોરી કરવામાં આવી રહી હોવાથી મોરબી ખાણ ખનીજ વિભાગે વાહનો તેમજ ખનીજ ખનન કરવા બદલ વસુલવા પાત્ર દંડની રકમ પ્રતિ મેં.ટનના રૂ. ૨૪૦ લેખે કુલ રૂ. ૫,૦૭,૫૫,૭૦૭ અને કુલ ૨,૧૧,૪૮૨.૧૧ મેં. ટનના ૨,૦૮,૦૯,૮૪૦ પર્યાવરણીય નુકશાન વળતરની રકમ મળવા પાત્ર થાય આમ કુલ રૂ ૭,૧૫,૬૫,૫૪૭ની સાદી રેતી ખનીજ ચોરી થયાનું જાણવામાં આવેલું છે. ટીમ પહોંચે તે પૂર્વે આરોપીઓ નાસી ગયા હતા. ત્યારે સ્થળ પરથી પાંચ યાંત્રિક નાવડીઓ, એક લોડર મશીન, ૪ ટ્રેક્ટર, એક ડમ્પર સહિતનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે. હળવદ પોલીસે ખનીજ વિભાગના માઈન્સ સુપરવાઈઝરની ફરિયાદને આધારે વાહનના માલિકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.વધુ વાંચો -
ભાજપના નેતાએ મને રૂપિયા સાત કરોડની ઓફર કરી છે રાજુ કરપડા
- 23, નવેમ્બર 2022 01:30 AM
- 8398 comments
- 7482 Views
ચોટીલા, ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ આક્ષેપ-પ્રતિઆક્ષેપો તેજ થયા છે. એવામાં ચોટીલા બેઠક પર આમ આદમી પાર્ટીમાં ચૂંટણી લડી રહેલા રાજુ કરપડાએ ભાજપ પર ગંભીર આક્ષેપ કરી કહ્યું હતું કે, ભાજપના નેતાએ મને સાત કરોડ રૂપિયાની ઓફર કરી હતી. જાે હજી તે કહેતા હોય કે ઓફર નહોતી કરી તો અહીં આવો હું પુરાવાઓ આપવા તૈયાર છું. ચોટીલા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુ કરપડાએ આજે મૂળી તાલુકાના દાણાવાડા ગામે પ્રચાર દરમિયાન ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, એક ભાજપના નેતાએ મને સાત કરોડ રૂપિયાની ઓફર કરી હતી. પરંતુ, કયા નેતાએ ઓફર કરી તેનું નામ નહોતું લીધું. જાેકે, સાથે કહ્યુ હતું કે, જાે તે કહેતા હોય કે ઓફર નહોતી કરી તો અહીં આવો હું પુરાવાઓ આપવા તૈયાર છું. ચોટીલા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુ કરપડાએ આજે મૂળી તાલુકાના દાણાવાડા ગામે પ્રચાર દરમિયાન ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, એક ભાજપના નેતાએ મને સાત કરોડ રૂપિયાની ઓફર કરી હતી. પરંતુ, કયા નેતાએ ઓફર કરી તેનું નામ નહોતું લીધું. જાેકે, સાથે કહ્યુ હતું કે, જાે તે કહેતા હોય કે ઓફર નહોતી કરી તો અહીં આવો હું પુરાવાઓ આપવા તૈયાર છું. સુરેન્દ્રનગર જિલ્લાની ચોટીલા બેઠક હાલ કાૅંગ્રેસના કબજામાં છે. અહીં કાૅંગ્રેસે સીટીંગ ધારાસભ્ય ઋત્વિક મકવાણાને રિપિટ કર્યા છે. તો ભાજપે શામજી ચૌહાણને ટિકિટ આપી છે. જ્યારે ખેડૂત આંદોલનને લઈ ચર્ચામાં આવેલા રાજુ કરપડાને આમ આદમી પાર્ટીએ અહીંથી ટિકિટ આપી છે.વધુ વાંચો -
પીએમ મોદી આરાધ્યાના મિત્ર બન્યા
- 22, નવેમ્બર 2022 01:30 AM
- 5934 comments
- 9264 Views
વઢવાણ, ચોટીલા, દસાડા, ધ્રાંગધ્રા અને લીંબડી વિધાનસભાની સીટના ભાજપના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર માટે આજે સુરેન્દ્રનગર દૂધરેજ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સભા દરમિયાન ૫ વર્ષની બાળકી આરાધ્યાના મોદી ફ્રેન્ડ બન્યા હતા. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાળકીને મળી અને ઓટોગ્રાફ્સ પણ આપ્યો હતો. જેમાં ૫ વર્ષની બાળકી આરાધ્યાની સ્પીચ સાંભળી મોદી પણ આશ્ચર્યચકિત બન્યા હતા અને બાળકી અને તેમના પરિવારને સ્ટેજ નજીક બોલાવી અને ઓટોગ્રાફ્સ આપ્યો હતો. બાળકીએ ભાજપ માટે એક ગીત પણ ગાયું હતું.વધુ વાંચો -
લીંબડીના ચોરણીયામાં ઘાસ ભરેલી ટ્રકમાં આગ ચાંપી દેતા દહેશત ફેલાઈ
- 21, નવેમ્બર 2022 01:30 AM
- 5819 comments
- 5524 Views
લીંબડી, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના ચોરણીયા ગામમાં લુખ્ખા તત્વોના ત્રાસ જાેવા મળી રહ્યો છે. ઘાસ ભરેલી આઇસર ટ્રકમાં લુખ્ખા તત્વોએ આગ ચાંપી દીધી હતી. જેથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જે બાદ મારામારી થતા ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેઓને તાત્કાલિક લીંબડી સરકારી હોસ્પિટલ લઇ જવાયા હતા. આ ઘટનામાં ૩ પશુઓ પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. આ ઘટનાને પગલે અરેરાટીનો માહોલ સર્જાયો હતો. લીંબડીના ચોરણીયા ગામમાં લુખ્ખા તત્વોએ ઘાસ ભરેલી આઇસર ટ્રકમાં આગ ચાંપી દીધી હતી. જે બાદ મામલો બિચકતા મારામારી થઈ હતી. જેમાં ચાર લોકોને ઈજા પહોંચી હતી. તેમજ ૩ પશુઓ પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. આ ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ જાેવા મળ્યો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થઇ ગયા હતા. આ ઘટના બાદ મારામારીમાં ચાર લોકો ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક લીંબડી સરકારી હોસ્પિટલ લઇ જવાયા હતા. તેમજ ૩ પશુઓ પણ આગની ઝપેટમાં આવી જતાં અરેરાટીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં અંગત અદાવતમાં હુમલો કરી ટ્રકમાં આગ લગાડવામાં આવી હોવાની વિગતો બહાર આવી છે.વધુ વાંચો -
લખતર કડુ વચ્ચે ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક ખાઇમાં ખાબક્યો
- 20, નવેમ્બર 2022 01:30 AM
- 260 comments
- 9809 Views
સુરેન્દ્રનગર, હાઇવે પર વાહનચાલકોનાં મતે અકસ્માત નોંધાવવાનું કારણ હાલમાં આ રોડ ઉપર બની રહેલા ફોરલેનની કામગીરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ સ્ટેટ હાઇવે ઉપર રોજબરોજ ગમખ્વાર અકસ્માતો નોંધાઇ રહ્યાં છે. તંત્ર દ્વારા ફોરલેનની કામગીરી એક તરફ ચાલુ છે. તો બીજી તરફ માટીકામ બાદ કોઈ સાઈન બોર્ડ કે કંઈ મૂકવામાં આવતું નથી. જેના કારણે વાહનો રોડની સાઈડમાં પલ્ટી ખાઇ જતા હોય છે. ત્યારે આજ રોજ પણ આવી જ એક અકસ્માતની ઘટના બની હતી. એક ટ્રક ચાલકે કોઈ કારણોસર અચાનક સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતા ટ્રક રોડની સાઈડમાં આવેલી ખાઈમાં ખાબક્યો હતો. સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ ટ્રકને મોટાપાયે નુકસાન થયું હતુ. આ અકસ્માતની ઘટનાબાદ લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. જ્યારે લખતર પોલીસે પણ તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.વધુ વાંચો -
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ કામ અને ગુજરાત મોડેલનો વિશ્વસ્તરે ડંકોઃ નરેન્દ્રસિંહ
- 19, નવેમ્બર 2022 01:30 AM
- 236 comments
- 4268 Views
ધ્રાંગધ્રા, રાજ્યની પ્રથમ તબક્કાના મતદાન પર યોજાનાર ચુંટણીના પડઘમ વાગી ચુક્યા છે અને તમામ વિધાનસભા બેઠકના પર રાજકીય પક્ષો દ્વારા સભા અને ઝંઝાવતો પ્રચાર પણ શરુ કરી દીધો છે તેવામાં ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભા બેઠકની સૌ પ્રથમ જાહેર સભા ધ્રાંગધ્રા ખાતે યોજાઇ હતી આ સભામાં ઉજાઁવાન મંત્રી નરેન્દ્રસિંહ તોમર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સભાની શરુવાતમા તમામ ઉપસ્થિત મુખ્ય મહેમાનોના સ્વાગત કાયઁક્રમ બાદ કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરે સભા ગજવી હતી જેમા જણાવાયુ હતુ કે “આપણા દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો વિકાસ અને ગુજરાત મોડેલ આજે દેશ થી લઇને દુનિયા સુધી પ્રસિધ્ધ થયુ છે સાથે જ મહિલાઓ, બાળકો અને સામાન્ય વગઁના લોકોની આ સરકાર હંમેશા સેવા અને સહકારની ભાવનાથી આગળ વધે છે જેથી વિધાનસભાની ચુંટણીમાં ઉમેદવાર કોઇપણ હોય મતદાતાઓ માત્ર નરેન્દ્રભાઇ મોદીને ઉમેદવાર ગણીને મત આપજાે તેમ જણાવ્યુ હતુ આ તકે બાળ અને મહિલા વિકાસ કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઇ મુંજપરા, પુવઁ કેબીનેટ મંત્રી આઇ.કે.જાડેજા, પુવઁ ધારાસભ્ય જેન્તિભાઇ કવાડીયા, ભાજપ ઉમેદવાર પ્રકાશભાઇ વરમોરા સહિતના મોટી સંખ્યામા કાયઁકરો ઉપસ્થિત રહ્યા હતા.કેન્દ્રીય મંત્રીની સભા પુવેઁ ખેડુત આગેવાનની ધરપકડ. ધ્રાંગધ્રા બેઠક પર ઉજાઁવાન મંત્રી નરેન્દ્રસિંહ તોલાની જાહેર સભા પુવેઁ મેથાણ ગામના ખેડુત આગેવાન જે.કે.પટેલની ધરપકડ કરવામા આવી હતી. જેમા જે.કઇ.પટેલ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે કૃષિ મંત્રી રહી ચુકેલા નરેન્દ્રસિંહ તોમરને કાયઁકાળમા ૮૦૦થી વધુ ખેડુતોના મોત થયા છે જેથી તેઓ ખેડુતોના હત્યારા હોવાથી વિરોધ્ધ કરે તે પુવેઁ જ સ્થાનિક પોલીસે ખેડુત આગેવાન જે.કે.પટેલ ધરપકડ કરી લીધી હતી.વધુ વાંચો -
સુરેન્દ્રનગરમાં સોમા પટેલે અપક્ષમાંથી ફોર્મ પરત ખેંચ્યુ
- 19, નવેમ્બર 2022 01:30 AM
- 380 comments
- 7508 Views
સુરેન્દ્રનગર, ગુજરાત ચુંટણીને લઇને સુરેન્દ્રનગરમાં સોમા પટેલે અપક્ષમાંથી ફોર્મ ભર્યું હતું. જે આજે પરત ખેંચી લીધું છે. ભાજપે ટિકિટ ન આપતા સોમા પટેલ નારાજ થયા હતા અને અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી. સુરેન્દ્રનગરની વઢવાણ બેઠક પર ભાજપ-કોંગ્રેસ સહીત કુલ ૨૨ ફોર્મ ભરાયા હતા. ત્યારબાદ ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ૯ ફોર્મ પરત ખેંચાયા હતા. જેને લઇને વઢવાણ બેઠક પર હવે ૧૩ ઉમેદવારો ચુંટણી જંગમાં મેદાને હોવાનું સામે આવ્યું છે. ભાજપ અને કોંગ્રેસમાંથી સાંસદ બનેલા મોટા ગજાના નેતા સોમાભાઇએ ૨૦૧૯માં લીંબડી-સાયલા બેઠક પરથી રાજીનામુ ધરી દીધું હતું. સમાજના ટેકાને લઇને પક્ષપલટો કરતા સોમાભાઈ આ વખતે અપક્ષમાંથી ચુંટણી જંગમાં ઉતાર્યા હતા. જાેકે આજે તેમણે પોતાનું અપક્ષ ફોર્મ પરત લીધું છે. ઉલ્લેખનિય છે કે પ્રથમ તબક્કા માટે ફોર્મ પરત ખેચવાનો આજે અંતિમ દિવસ હતો.વધુ વાંચો -
ધ્રાંગધ્રા પંથકની નર્મદા કેનાલમાં ગાબડું ખેડૂતોના ખેતરમાં પાણી ભરાતા નુકસાન
- 05, જુલાઈ 2022 01:30 AM
- 7649 comments
- 4737 Views
ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રા પંથકના ખેડુતો નમઁદા કેનાલમાથી સિંચાઇનું પાણી મળી રહે તે માટે આશરે છેલ્લા દોઢેક મહિનાથી સરકાર સામે લડત કરી રહ્યા છે અને અંતે બે દિવસથી નમઁદા કેનાલમાં પાણી છોડવામાં આવતા વળી સોમવારે સવારે ધ્રાંગધ્રાની મોરબી બ્રાન્ચ કેનાલમા ગાબડુ પણ પડ્યુ હતુ. જે ખેડુતો દોઢ મહિના સુધી પાણી માટે લડત ચલાવી અને નમઁદા કેનાલનું પાણી છોડતા સિંચાઇનું પાણી લેવાની તૈયારી કરતા હતા તે તમામ ખેડુતોને નમઁદા કેનાલના ગાબડુ પડવાથી ખેતરોમાં પાણી ભરાયા હતા. ધ્રાંગધ્રા પંથકની મોરબી શાખા ડી-૧૩ કેનાલમાં મસમોટુ ગાબડુ પડતા હજ્જારો લીટર પાણીનો વેડફાટ થયો હતો આ તરફ કેનાલનું પાણી જીવા, કોંઢ સહિતના ગામોના ખેતરમાં પાણી ઘુસી જતા ખેડુતો દ્વારા કરેલા વાવેતર લગભગ નિષ્ફળ થયા હોવાનુ જાણવા મળ્યુ હતુ જ્યારે નમઁદા કેનાલમાં થયેલા ભ્રષ્ટાચારના લીધે જ વારંવાર ગાબડા પડવાથી ખેડુતોના પાકને નુકશાન થવાનો આક્ષેપ કરવામા આવ્યો હતો.વધુ વાંચો -
ધ્રાંગધ્રા વિધાનસભા ચૂંટણી નજીક આવતા પાટીદાર સમાજની બેઠક
- 05, જુલાઈ 2022 01:30 AM
- 9233 comments
- 3429 Views
ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રા વિધાનસભાનું રાજકારણ વષોઁથી અટપટું રહ્યુ છે ત્યારે ફરી એક વખત વિધાનસભા ૨૦૨૨ની ચુંટણીના પડઘમ વાગવાની તૈયારી સાથે ધ્રાંગધ્રાનુ રાજકારણ ગરમ જાેવા મળી રહ્યું છે જેમા ધ્રાંગધ્રા વિધાનસભામાં આ વખતે પાટીદારની સમાજના ઉમેદવારને ભાજપમાંથી ટિકીટ મળે તેવા સ્પષ્ટ એંધાણ નજરે તો પડે છે પરંતુ કહેવાય છે ને કે “કારણ વગરનું રાજકારણ” કોઇપણ સમયે ભાજી બદલે તેનુ નામ જ રાજકારણ જેને લઇને પાટીદાર સમાજ દ્વારા પોતાના જ સમાજના ઉમેદવારને ટીકીટ મળે તે માટે એક નવા અધ્યાયની શરુવાત કરી હતી જેમા ધ્રાંગધ્રા તાલુકાના રાજચરાડી ગામે પાટીદાર સમાજની બેઠક યોજાઇ હતી આ બેઠકમા સ્થાનિક પાટીદાર સમાજના દિગ્ગજાે નજરે પડ્યા હતા જાેકે આ બેઠકનું આયોજન દિગ્ગજ નેતા અને માકેઁટીંગ યાડઁના પુવઁ ચેરમેન મહેશભાઇ પટેલ દ્વારા કરાયુ હતુ જેમા વેપારી અગ્રણી જયેશ પટેલ, ધીરુભાઇ પટેલ, દિપક પટેલ, મનિષ પટેલ સહિતના ભાજપ તથા કોગ્રેસ એમ બંન્ને પક્ષના આગેવાનો હાજર રહ્યા હતા. ચુંટણી પુવેઁ ઉપાધ્યાયની શરુવાતમા “સરદાર ગ્રુપ”ને ફરીથી જીવંત કરવા પાટીદાર સમાજના તમામ યુવાઓ ઉત્સાહ ભેર જાેડાય અને પાટીદાર એકતા દશાઁવાય તે માટે પુવઁ ચેરમેન દ્વારા આહવાન કરાયુ હતુ. આ સમાજના સંગઠનને તોડવાના બદઇરાદા સાથે આવેલા પાટીદાર નેતાએ જ પાણીમાંથી પોરો કાઢે તે માફક સમાજને અવળા માગોઁ દિવાલના પ્રયાસ શરુ કયાઁ હતા જાેકે આ મામલે ચાલુ બેઠક જ માકેઁટીંગ યાડઁના પુવઁ ચેરમેન અને વાઇસ ચેરમેન વચ્ચે તુતુ-મેમે થતા અન્ય આગેવાનો દ્વારા મામલો થાળે પાડી સમાજની એકતા વિશે વાતચીત કરવાનુ જણાવ્યુ હતુ.વધુ વાંચો -
૧૫૦ જેટલા કામદારો દ્વારા અચોક્કસ મુદતના ધરણાં પ્રદર્શન
- 11, જુન 2022 01:30 AM
- 7046 comments
- 1778 Views
લખપત તાલુકાના ઉમરસર ખાતે લિગ્નાઇટ ખાણમાં યોગ્ય વેતન અને સ્થાનિક લોકોને રોજગાર આપવાની રજૂઆત સાથે ૧૫૦ જેટલા કામદારો દ્વારા અચોક્કસ મુદતના ધરણાં પ્રદર્શન છેલ્લા ચાર દિવસથી શરૂ કરવામાં આવ્યા છે. ખાનગી એકમ અને તેના અંદરની પેટા કોન્ટ્રાક્ટ કંપની પાસે સ્થાનિક કામદારોની માગ છે કે બહારના વ્યક્તિઓના બદલે સ્થાનિક લોકોને નોકરી અપાય. તેમજ જે કામ કરી રહ્યા છે એ કામદારોને પૂરતું વેતન આપવામાં આવે. જાે કે કંપની તરફથી હજુ સુધી કામદારોની માગ સંતોષવામાં ના આવતાં ધરણાં પ્રદર્શન ચાલુ રહેવા પામ્યું છે.વધુ વાંચો -
ધ્રાંગધ્રા આપની પરિવર્તન યાત્રા પૂર્વે જ નગરપાલિકા દ્વારા ઝંડા ઉતારી લેતા વિવાદ
- 29, મે 2022 01:30 AM
- 9663 comments
- 2080 Views
ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમા આમ આદમી પાટીઁના પરીવતીઁત યાત્રા નિકળે તે પુવેઁ જ ઠેર-ઠેર જગ્યા પર લગાવેલા આપના ઝંડા તથા બેનરો નગરપાલિકા દ્વારા ઉતારી લેવામા આવતા વિવાદ ઉભો થયો હતો. જાણવા મળતી વિગતો અનુસાર રાજ્યમા વિધાનસભા નજીક આવતા જ આમ આદમી પાટીઁ પણ મેદાને ઉતરી છે ત્યારે હાલ આમ આદમી પાટીઁના પરીવતીઁત યાત્રા રાજ્યના લગભગ મોટાભાગના વિસ્તારોમાં ફરતી નજરે પડે છે ત્યારે ૨૮મે શનિવારના રોજ ધ્રાંગધ્રા ખાતે આવનારી પરીવતઁન યાત્રા પુવેઁ આમ આદમી પાટીઁના સ્થાનિક કાયઁકરો દ્વારા શહેરના હળવદ રોડથી લઇને છેક આંમ્બેડકર સકઁલ સુધી ઝંડા તથા બેનરો મારવામાં આવ્યા હતા.ધ્રાંગધ્રામા આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા નિકળી રાજ્યમા આવનારી વિધાનસભા સંદભેઁ દરેક રાજકીય પક્ષે પોતાની ગતિવિધી તેજ કરી છે તેવામાં આ વખતે કેટલાક વિધાનસભામાં ત્રિપાંખિયો જંગ થવાની પણ શકયતા વતાઁઇ રહી છે ભાજપ, કોગ્રેસ અને હવે આમ આદમી પાટીઁના ગુજરાત પ્રવેશથી બંન્ને રાજકીય પક્ષ મુંઝવણમાં છે તેવામાં હાલ આમ આદમી પાટી દ્વારા ગુજરાતમા પરીવતઁન યાત્રાની શરુવાત કરાઇ હોવાથી ધ્રાંગધ્રા ખાતે પણ આ પરીવતઁન યાત્રા પહોચી હતી જેમા ધ્રાંગધ્રા શહેરની મુખ્ય બજાર પર પરીવતઁન યાત્રા દ્વારા શહેરીજનોને આમ આદમી પાટીઁ દ્વારા વચનો આપી આવનારી વિધાનસભામાં પ્રજા સાથ સહકાર આપે તેવી વિનંતી કરાઇ હતી.વધુ વાંચો -
કરોડોની ઠગાઈ મામલે ત્રણ ઝબ્બે ૪૨.૧૦નો મુદ્દામાલ જપ્ત
- 29, મે 2022 01:30 AM
- 2839 comments
- 9280 Views
ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નાવીયાણી ગામના ખેડૂતની જમીનનો દસ્તાવેજ કરી રૂપિયા ૮.૪૦ કરોડ જેવી માતબર રકમ ન ચૂકવવામાં આવતા ખેડૂતે કુલ ૮ શખ્સો સામે છેતરપિંડી અંગેની ફરીયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ત્રણ આરોપીને રૂપિયા ૪૨ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પાટડી તાલુકાનાં નાવીયાણી ગામે ખેડુત સાથે છેતરપીંડીના કેસ મામલે પોલીસે ગણતરીની કલાકોમાં જ ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા આ સાથે ૩૨.૧૦ લાખ રોકડ પણ જપ્ત કરાયા હતા. પાટડી સબ રજીસ્ટ્રાર ઓફિસમાં નાવીયાણી ગામના ખેડુત જેરામભાઇ દ્વારા દસ્તાવેજ કરી આપ્યા બાદ બાકી નિકળતી રકમ નહિ આપી છેતરપીંડી કયાઁની પાટડી પીએસઆઇ ડી.જે.ઝાલાને અરજી કરી હતી પરંતુ સ્થાનિક પોલીસે ૧૪ દિવસ સુધી જમીન ખરીદનારને બોલાવી દસ્તાવેજ રદ કરવા દબાણ કરી દલાલોને બનાવવાનો પ્રયાસ કરાયો હતો જેથી પાટડી પોલીસની કામગીરી પર અનેક શંકા અને આક્ષેપો થયા હતા આ તરફ જીલ્લા પોલીસ વડા હરેશ દુધાત તથા આઇ.જી સંદિપસિંહને સમગ્ર મામલો ધ્યાને આવતા ગંભીરતાથી તાત્કાલિક ફરીયાદ દાખલ કરવા આદેશ આપવામા આવ્યા હતા જ્યારે ન છુટકે પાટડી પીએસઆઇ ફરીયાદ દાખલ કરવી પડી હતી જેથી ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર કેસની તપાસ પણ ધ્રાંગધ્રા ડિવીઝનના ડી.વાય.એસ.પી જે.ડી.પુરોહિતને સોંપવામાં આવી હતી જે તપાસને લઇને જે.ડી.પુરોહીત તથા સી.પી.આઇ યુ.એલ.વાઘેલા દ્વારા તમામ આરોપીઓની શોધખોળ આદરી કુલ ૩ શખ્સોની ધરપકડ કરવામા આવી હતી. આ ત્રણેય શખ્સોને ઝડપી પાડી તેઓની પાસે ૩૨.૧૦ લાખ રોકડ તથા ૧૦ લાખની બે કાર સહિત ૪૨.૧૦ લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરી આ બનાવમાં સંડોવાયેલા અન્ય શખ્સોને ઝડપી પાડવા કાયઁવાહી હાથ ધરી હતી.વધુ વાંચો -
જશાપરમાં તળાવની પાળનું સમારકામ કામે લોકોની માંગ
- 26, મે 2022 01:30 AM
- 3822 comments
- 5262 Views
ધ્રાંગધ્રા તાલુકાના જશાપર ગામે છેલ્લા બે વષઁથી તળાવની પાળ(દિવાલ) ભાંગી પડી છે અને વરસાદનું પાણી એકત્ર કરવા માટે ગામમા અન્ય કોઇ સ્ત્રોત નહિ હોય જેથી તળાવની દિવાલનુ સમારકામ કરવા ગ્રામજનો દ્વારા માંગ ઉઠવા પામી છે. જાણવા મળતી વિગતો અનુશાર ધ્રાંગધ્રા તાલુકાના જશાપર ગામે વષોઁ જુના તળાવમાં ગત વષેઁ વધુ વરસાદના લીધે જજઁરીત થયેલી તળાવની પાળ ભાંગી પડી હતી અને દિવાલના ગાબડુ પડવાથી તળાવમા પાણીનો સંગ્રહ રહિ શકતો નથી ત્યારે હાલ ઉનાળાની સિઝન પુણઁ થવાના આરે હોય અને વરસાદનું આગમન કોઇપણ સમયે થવાના એંધાણ હોવાથી જશાપર ગામે આવેલા આ તળાવમાં વરસાદનું પાણી એકત્ર થતા પાણીની છલોછલ ભરાય છે જે આશરે એક વષઁ સુધી ચાલે છે જેના લીધે ગ્રામજનોને પાણીની તંગી સજાઁતા નથી પરંતુ હાલ તળાવની દિવાલના ગાબડુ હોવાથી પાણીનો સંગ્રહ થઇ શકતો ન હોવાના લીધે પાણી વરસાદી પાણી વેડફાઇ જાય તેવી સ્થિતી હોય જેને ધ્યાને લઇ ગ્રામજનો દ્વારા ચોમાસા પહેલા તળાવની પાળ બાંધવા અથવા તો તેનુ સમારકામ થાય તેવી તંત્ર પાસે માંગ કરાઇ છે.વધુ વાંચો -
પાણી માટે વલખાં નાના રણમાં ૨૦૦૦ અગરિયા પરિવારોને આકરા ઉનાળામાં ૨૦ દિવસે પાણી
- 26, મે 2022 01:30 AM
- 3221 comments
- 8412 Views
સુરેન્દ્રનગર, કચ્છના નાના રણમાં મીઠું પકવતા ૨૦૦૦ અગરિયા પરિવારોને આકરા ઉનાળાની ૪૫ ડીગ્રી આગ ઓકતી ગરમીમાં ૨૦ દિવસે એક વખત પીવાનું પાણી ટેન્કર દ્વારા મળે છે. સોફ્ટવેરની ખામીના કારણે રણમાં પીવાનું પાણી પુરૂ પાડતી એજન્સીને બિલ ન ચૂકવાતા અગરિયા પરિવારોને તંત્રના વાંકે પાણીની એક એક બુંદ માટે રઝળપાટ કરવાની નોબત આવી છે.પાણી પુરવઠા વિભાગે ગત વર્ષના અને ચાલુ વર્ષના બિલ સોફ્ટવેર ખામીના કારણે ન ચુકવતા કોન્ટ્રાક્ટરે રણમાં પાણી બંધ કરવાની નાછૂટકે લાચારી બતાવી છે. કચ્છના નાના રણમાં ૫૦૦૦ ચો.કિ.મી. વિસ્તારમાં અંદાજે ૨૦૦૦ અગરિયા પરિવારો દર વર્ષ ઓકટોબરથી મે માસ દરમિયાન “કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું” પકવવાનું આકરૂ કામ કરે છે. ત્યારે રણના મીઠું પકવતા અગરિયાઓને ૨૦ દિવસે એક વખત પીવાનું પાણી મળે છે. ત્યારે રણમાં અગરિયા માટે રોજ નહાવાની કલ્પના કરવી એ દુષ્કર બાબત છે. આથી મીઠું પકવતા ૯૮ % અગરિયાઓ આજેય ચામડીના રોગથી પીડાય છે. હાલમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા રણમાં ૫૦૦૦ ચો.કિ.મી. વિસ્તારમાં મીઠું પકવતા ૨૦૦૦ અગરિયા પરિવારોને માત્ર ત્રણથી ચાર ટેન્કરો દ્વારા ટેન્કરો દ્વારા પીવાનું પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે. પાણી પુરવઠા વિભાગે ગત વર્ષના અને ચાલુ વર્ષના બિલ સોફ્ટવેર ખામીના કારણે ન ચુકવતા કોન્ટ્રાક્ટરે રણમાં પાણી બંધ કરવાની નાછૂટકે લાચારી બતાવી છે. મીઠું પકવતા ૨૦૦૦ અગરિયા પરિવારોને તંત્રના વાંકે પાણીની એક એક બુંદ માટે રઝળપાટ કરવાની નોબત આવી છે.વધુ વાંચો -
ઘરકંકાસથી ત્રસ્ત માતાએ પુત્રીની હત્યા કરી પોતે પણ આત્મહત્યા કરી લેતા ચકચાર
- 26, મે 2022 01:30 AM
- 8238 comments
- 2293 Views
સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લાના થાનના નવાગામ વિસ્તારમાં ખુદ માતાએ પોતાની ૯ માસની પુત્રીની હત્યા કરી હતી તેમજ જ્યારે પરિવારજનો બાળકીને હોસ્પિટલ લઇ ગયા હતા ત્યારે તેણે પોતે પણ ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આ સમગ્ર ઘટનામાં માતા જ પુત્રીની હત્યારી બનતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાની જાણકારી થતાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા પણ ઘટનાસ્થળે દોડી ગયા છે અને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જાેકે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે લગ્નજીવન બાદ અલગ રહેવા અને ઘરકંકાસથી દૂર રહેવા અને ઘણા સમયથી પતિ-પત્ની સાસુ-સસરા સાથે ઝઘડો ચાલતા હતા, જેથી પતિથી અલગ ન થતાં માતાએ પોતાની નવ મહિનાની પુત્રીને પોતાના ઘરમાં જ સૂતરની દોરી સાથે લટકાવી મોતને ઘાટ ઉતારી હતી. ત્યાર બાદ પરિવારજનો બાળકીને દવાખાને લઇ જતાં ઘરમાં એકલી રહેલી માતાએ પણ ઘરમાં જ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસ ઘટનાસ્થળે પોલીસ દોડી ગઈ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એમાં આરોપી ભાવુબેન રાજેશભાઇ વિઠ્ઠલભાઇ ડાભી પોતાનાં સાસુ-સસરા, પતિ તથા દીકરી નિહારિકા સાથે સંયુક્ત પરિવારમાં રહેતાં હતાં. તેઓ તેમનાં સાસુ-સસરા તથા ભાઇઓથી અલગ રહેવા માગતા હોવાથી તેમના પતિને અવારનવાર સમજાવવા છતાં તેઓ માનતા નહોતા. એમાં તેઓ અલગ રહેવાની જીદ કરતાં હોવાથી આરોપી ભાવુબેનને લાગી આવતાં તેમના પતિ જ્યારે દૂધ ભરાવા ગયા હતા ત્યારે તેમણે આ ચકચારી ઘટનાને અંજામ આપ્યો હતો. ભાવુબેને તેમની દીકરી નિહારિકાને ગળે દોરી બાંધી લટકાવી ગળોફાંસો આપી મોત નિપજાવ્યું હતું.વધુ વાંચો -
ધ્રાંગધ્રા શહેરના ઋતુ રાજ સિનેમા નજીક બે શખ્સો પર હુમલો કરનાર પાંચ ઝડપાયાં
- 10, મે 2022 01:30 AM
- 6804 comments
- 6033 Views
ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રા શહેરના ઋતુ રાજ સિનેમા નજીક રમજાન ઇદની સંધ્યાએ ગાળા ગામના બે યુવાનો પર બાઇક ધીમુ ચલાવવાનું કહેતા હુમલો કરાયો હતો. જે પાંચ હુમલો કચરો દ્વારા કરવામા આવેલા છરી વડે હુમલામાં ઇજાઁ પામેલા યુવાનોને સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યા સારવાર બાદ તેઓ દ્વારા અજાણ્યા પાંચ ઇશમો પર ફરીયાદ નોંધી હતી. ઇજાઁગ્રસ્ત બંન્ને યુવાનો હુમલાખોરોને નામ-ઠામની પણ જાણ ન હોય અને બનાવ બનેલા સ્થળ નજીક ક્યાય પણ સીસીટીવી કેમેરા નહિ હોવાના લીધે પોલીસને આ હુમલાખોરોની ઓળખ કરવા ખુબ જ કઠીન હતી જાેકે હુમલાની ઘટના બાદ તુરંત ડ્ઢઅજॅ જે.ડી પુરોહીત સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી ચુક્યો હતો પરંતુ ત્યા સુધીમા તો હુમલાખોરો નાશી છુટ્યા હતા. પરંતુ રમજાન ઇદ હોવાના લીધે ઋતુરાજ સિનેમા પાસે આવેલા મયુર બાગ ખાતે આવતા-જતા રાહદારીઓ દ્વારા આ ઘટનાને પ્રત્યક્ષ નિહાળી હશે તેવી પુણઁ શક્યતા સાથે સામાન્ય લોકોની પુછપરછ કરાઇ જેમા પોલીસને માત્ર એટલુ જાણવા મળ્યુ કે હુમલાખોરો જે બાઇકમા સવાર હતા તે બાઇક નંબરપ્લેટ વગરનું હતુ માત્ર નંબરપ્લેટ વગરના બાઇકના આધારે ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે.ડી.પુરોહીત તથા પીઆઇ એસ.બી.સોલંકી દ્વારા જુદી-જુદી ટીમો બનાવી હતી જેમા અજીતસિંહ ડોડીયા, યુવરાજસિંહ સોલંકી, દશરથભાઇ રબારી, મહાવીરસિંહ રાઠોડ સહિતની ટીમે ખાનગી રાહે તપાસ કરી ઘટના બાદ ગણતરીની કલાકોમાં જ પાંચેક જેટલા શખ્સોને ઝડપી પાડી એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટના હાજરીમા ઇજાઁગ્રસ્તની સામે તમામ પાંચેય શખ્સોની ઓળખ કરાઇ હતી. આ તરફ હુમલાની ઘટના બાદ તુરંત સતઁકતા દાખવી ગણતરીની કલાકોમાં જ પોલીસે તમામ હુમલાખોરોની ઝડપી પાડતા પોલીસની કામગીરીના ચો તરફ વખાણ થયા હતા.વધુ વાંચો -
ધ્રાંગધ્રા - માલવણ હાઇવે પર જ્વલનશીલ પદાર્થ ભરેલું ટેન્કર અથડાતા આગમાં સ્વાહા
- 08, મે 2022 01:30 AM
- 7386 comments
- 5202 Views
ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર સામસામે ટેન્કર અથડાતા આગ લાગવાની ઘટના સામે આવી હતી જેમા ગત વહેલી સવારે કચ્છ ધ્રાંગધ્રા તરફથી માલવણ તરફ જતા ટેન્કરમાં જ્વલનસીલ પદાથઁ ભરેલુ હોય જેની સામેથી આવતા અન્ય એક ટ્રક અથડાયો હતો આ અકસ્માત દરમિયાન ટેન્કરમાં અચાનક આગ લાગી હતી અને ટેન્કરમા જ્વલન પદાથઁ હોવાથી પલભરમા તો બંન્ને સામ-સામે જાેડાયેલા ટ્રકોમાં આગ લાગી હતી આ બનાવ વહેલી સવારનો હોવાથી અહિથી નિકળતા વાહન ચાલકોને સ્થાનિક ફાયર ફાઇટરનો સંપકઁ થઇ શક્યો ન હતો જેને લઇને એક બાદ એક છ જેટલા વાહનમાં આગનું વિકરાળ સ્વરુપ જાેવા મળ્યુ હતુ ત્યારે સમય જતા પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી ફાયર ફાઇટરનો મદદથી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કયોઁ હતો પરંતુ ત્યા સુધીમા બંન્ને ટ્રકો બળીને મળતું થયા હતા આ તરફ ટ્રકમાં ચાલક ભવરલાલ ચૌધરી ઉઃ૨૨નુ ઘટના સ્થળે મોત હોવાની પોલીસે આશંકા વ્યક્ત કરી છે. પરંતુ ટ્રકમાં લાગેલી આગ સમગ્ર રીતે બજારમા બાદ જ કેટલાક લોકોના મોત થયા છે તેનો સ્પષ્ટ આંકડો આવશે તેમ જણાવ્યુ હતુ જાેકે આજ લાગવાનુ મુખ્ય કારણ ટેન્કરમાં ભરેલો જ્વલનશીલ પદાથઁ હોવા છતા કોઇ જાતની સેફ્ટી રાખ્યા વગર નિકળતા અકસ્માતનો બનાવ બનાવની સાથે થોડા સ્પાકઁથી જ ટ્રક સળગી ઉઠ્યો હોવાનુ તારણ કાઢવામા આવ્યુ હતુ જ્યારે ટ્રકમા આગ લાગવાનુ ઘટનાને લઇને હાઇવે પર પાંચ કિમી સુધીના અંતરથી પણ આગ નજરે પડતી હતી અને આ બનાવથી કલાકો સુધી ટ્રાફીક ગામના દ્રશ્યો પણ સજાઁયા હતા.વધુ વાંચો -
ધ્રાંગધ્રા તાલુકા પંચાયતના મહિલા સદસ્ય દ્વારા રાજીનામુંધરતા રાજકીય ખળભળાટ
- 08, મે 2022 01:30 AM
- 3516 comments
- 3321 Views
ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રા તાલુકા પંચાયતના મહિલા સદશ્ય ઉમીઁલાબેન કડીવાર દ્વારા વિધાનસભાની ચુંટણી પુવેઁ જ પોતાના સભ્યપદેથી રાજીનામુ ધરી દેતા રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે જેમા રાજચરાડી સીટ પરથી ભાજપના નેજા નીચે આશરે એક વષઁ પહેલા ચુંટણી લડીને વિજય થયેલા મહિલા ઉમેદવાર ઉમીઁલાબેન કડીવાર દ્વારા અચાનક જ રાજીનામુ ધરતા ગણગણાટ શરુ થયો છે. ત્યારે મહિલા સદશ્ય રહેલા ઉમીઁલાબેન કડીવાર દ્વારા જણાવાયુ હતુ કે “ તાલુકા પંચાયતની ચુંટણી પુવેઁ પોતે ભાજપ પક્ષમાથી ઉમેદવારી નોંધાવી હતી અને ચુંટણી પ્રચાર દરમિયાન સ્થાનિક જનતાને આપેલા વાયદા-વચનો પુણઁ કરવાની ખાત્રી પણ આપી હતી જેથી સ્થાનિક મતદાતાઓ દ્વારા તેઓને વિજય બનાવ્યા હતા પરંતુ સ્થાનિક પ્રજા તેઓની પાસે આશા લઇને આવે છે તે આશા પુણઁ થતી નથી સાથે જ પ્રજા લક્ષી કામગીરી થવી જાેઇએ તે કરવામા અનેક બાધાઓ સામે આવે છે જેના લીધે પોતે રાજીનામુ ધરી રહ્યા છે” આ તરફ ભારતીય જનતા પાટીઁમા તાલુકા પંચાયતના સદશ્ય દ્વારા વિધાનસભાની ચુંટણી પુવેઁ રાજીનામુ ધરી દેતા અનેક તકઁ-વિતઁક પણ સજાઁયા છે જાેકે હજુ મહિલા સદશ્ય ઉમીઁલાબેન દ્વારા પોતાના પતિ સાથે ધ્રાંગધ્રા તાલુકા પંચાયત ખાતે રાજીનામુ ધરી દીધુ છે પરંતુ હજુ સુધી રાજીનામુ સ્વીકારાયું છે.તાલુકા પંચાયત સદશ્ય ઉમીઁલાબેનના પતિ સાથે વાત ચીત દરમિયાન તેઓ દ્વારા જણાવાયુ હતુ કે રાજચરાડી તાલુકા પંચાયત સીટ ૪૦ વષઁમા પ્રથમ વખત ભાજપના ફાળે ગઇ છે અને પ્રજાના કામ તો ઠીક પરંતુ મારા સાથળીની દિકરી નિલમબેન પટેલ પોતે તલાટી હોય અને હાલમા જ તમામ તલાટીઓના બદલી દરમિયાન તેઓની પણ બદલી ધ્રાંગધ્રા ગામે થઇ હોય પરંતુ નિલમબેનની બદલી માનપર ગામે થાય તે માટે પ્રયત્ન હાથ ધયોઁ હતો છતા પક્ષમા કોઇપણ આગેવાન તલાટીની બદલી જેટલુ સામાન્ય કામ પણ નહિ કરવી શકતા રાજીનામાનું પગલુ ભરવુ પડ્યુ છે. વિધાનસભા ચૂંટણી પુવેઁ ભાજપના સમશ્યાનુ રાજીનામુ પડતા રાજકીય માહોલ ગરમાયો છે. જેમા તાલુકા પંચાયત સદશ્ય ઉમીઁલાબેન દ્વારા રાજીનામુ ધરતા જ સ્થાનિક આગેવાનો દ્વારા મનામણા શરુ થયા છે. પરંતુ હજુ સુધી તાલુકા પંચાયત ખાતેથી રાજીનામુ સ્વીકારું છે કે નહિ તેની સ્પષ્ટતા થઇ નથી જ્યારે આ સમગ્ર પ્રકરણ બાદ ટુંક સમયમા હજુપણ વધુ રાજીનામા પડશે તેવી આશંકા દશાઁવાઇ છે.વધુ વાંચો -
પીવાના પાણીની વિકટ સમસ્યાના મામલે દસાડા ગ્રામ પંચાયત કચેરીમાં હલ્લાબોલ
- 30, એપ્રીલ 2022 01:30 AM
- 4467 comments
- 9235 Views
સુરેન્દ્રનગર, ઉનાળાની સીઝન હાલ શરૂ થઈ ગઈ છે. ત્યારે ઠેર-ઠેર પાણીની સમસ્યા જાેવા મળી રહી છે. અત્યારે એક બાજુ રમજાન માસ ચાલે છે અને બીજી બાજુ લગ્નસરાની સીઝન ચાલી રહી છે. ત્યારે સુરેન્દ્રનગરમાં દસાડાના પરાવિસ્તાર, ઠાકોરવાસ અને સોલંકીવાસ સહિતના ઘણા વિસ્તારોમાં હજુ પણ પીવાનું પાણી પહોંચતું નથી. આ વિસ્તારોમાં પીવાના પાણીની વિકટ સમસ્યાના મામલે દસાડા ગામ પંચાયતમાં ઘર્ષણના દ્રશ્યો જાેવા મળે છે. ગ્રામ પંચાયતમાં પીવાના પાણીને લઈ મહિલાઓએ ઉગ્ર રજૂઆત સાથે હલ્લાબોલ કર્યો હતો. દસાડા ગામ પંચાયતના વિવિધ પ્રશ્નો બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવા છતાં અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યાં છે. દસાડા ગ્રામ પંચાયતમા છેલ્લા ઘણાં સમયથી કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા અતિ વિકટ બની છે. દસાડાના સોલંકી વાસમાં ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા છે. મહિલાઓ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતા કોઈ સાંભળતુ નથી. તલાટીને કહે તો કહે સરપંચને કહો. ગરમીમાં ભર બપોરે મહિલાઓને માથે બેડા ઉંચકી પીવાના પાણીની એક એક બુંદ માટે વલખાં મારવા પડી રહ્યાં છે. વિસ્તારની મહિલાઓ પીવાના પાણીની વિકટ સમસ્યા મામલે ગ્રામ પંચાયત કચેરીએ ધસી જઇ ઉગ્ર રજૂઆતો સાથે હલ્લાબોલ મચાવ્યો હતો.વધુ વાંચો -
સુજાનગઢમાં બે વર્ષથી તળાવ તૂટેલી હાલતમાં ભારે વરસાદમાં તૂટ્યા બાદ આજ સુધી જૈસે થૈ!
- 27, એપ્રીલ 2022 01:30 AM
- 8745 comments
- 4628 Views
સુરેન્દ્રનગર, સરકાર દ્વારા ગામો ગામ તળાવ ઊંડા ઉતારવા સહિતની કામગીરી પાછળ લાખો રૂપિયા વાપરવામાં આવી રહ્યા છે. ત્યારે સુજાનગઢ ગામે આવેલા તળાવ છેલ્લા ૨ વર્ષથી તૂટેલું હોવા છતાં તંત્ર દ્વારા આજ સુધી કોઇ જ કાર્યવાહી ન કરાતા આગામી ચોમાસા પહેલા યોગ્ય કરવા સ્થાનિકો માગ કરી રહ્યા છે.મૂળી તાલુકામાં સુજાનગઢ ગામનાં લોકોને પીયત માટે પાણી મળી રહે તે માટે પાંડવરા રોડ પર મોટું તળાવ બનાવાયું છે. અને આ તળાવ ગત ચોમાસમાં ભારે વરસાદનાં કારણે તૂટી જતાં ભારે તારાજી સર્જી હતી. ત્યારથી તે તળાવ તૂટેલું છે. હાલમાં સરકાર દ્વારા ગામો ગામ સુજલામ સુફલામ યોજના થકી તળાવ ઊંડા ઉતારવા સહિતની કામગીરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરાઈ રહ્યો છે. પરંતુ સુજાનગઢ ગામે છેલ્લાં ૨ વર્ષથી તળાવ તૂટી ગયું હોવા છતાં અને સરપંચ દ્વારા સિંચાઇ વિભાગમાં લેખિત જાણ કરવા છતાં કોઇ જ કાર્યવાહી કરાઈ નથી. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તેવી સ્થાનિકો ખેડૂતો માગ કરી રહ્યા છે. સુજાનગઢ સરપંચ એમ.બી. ઉદેશાએ જણાવ્યું કે આ તળાવમાંથી ખેડૂતો પિયત માટે ઉપયોગ કરી રહ્યા છે. જાે વરસાદ પહેલાં યોગ્ય નહી કરાય તો દિગસર સહિતનાં નીચાણવાળા ગામોને પાણીનું જાેખમ રહેલું છે. ખેડૂતો પિયત માટે પાણી નહીં મેળવી શકે. તંત્ર દ્વારા કાર્યવાહી કરાય તેવી અમારી માગ છે.વધુ વાંચો -
સુરેન્દ્રનગર - રાજકોટમાં ડબલ ટ્રેકની કામગીરીથી રેલવે વ્યવહારને અસર
- 24, એપ્રીલ 2022 01:30 AM
- 9045 comments
- 8881 Views
રાજકોટ રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શન માં આવેલા દિગસર-મુળી રોડ સ્ટેશનો વચ્ચે ડબલ ટ્રેક ની કામગીરી માટે બ્લોક લેવામાં આવશે જેના લીધે ૨૩.૦૪.૨૦૨૨ થી ૦૨.૦૫.૨૦૨૨ સુધી રેલ વ્યવહારને અસર થશે. રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.જે ટ્રેનોને અસર થશે તેની વિગતો નીચે મુજબ છે રદ કરાયેલી ટ્રેનો ટ્રેન નં ૨૨૯૫૯ વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ૨૪.૦૪.૨૦૨૨ થી ૦૧.૦૫.૨૦૨૨ સુધી રદ. ટ્રેન નં ૨૨૯૬૦ જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ ૨૫.૦૪.૨૦૨૨ થી ૦૨.૦૫.૨૦૨૨ સુધી રદ. આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનોટ્રેન નં ૧૯૧૧૯ અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ ૨૪.૦૪.૨૦૨૨ થી ૦૧.૦૫.૨૦૨૨ સુધી અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી દોડશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-સોમનાથ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નં ૧૯૧૨૦ સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ ૨૪.૦૪.૨૦૨૨ થી ૦૧.૦૫.૨૦૨૨ સુધી સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી દોડશે. આમ આ ટ્રેન સોમનાથ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. છે કે ઉપરોક્ત તમામ તારીખો ટ્રેનોના મૂળ સ્ટેશન પરથી ઉપડવાની છે. ૨૪.૦૪.૨૦૨૨ થી ૦૧.૦૫.૨૦૨૨ સુધી માર્ગમાં રેગ્યુલેટ (લેટ) થનારી ટ્રેનોઃ ટ્રેન નં ૧૨૨૬૮ હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરાન્તો એક્સપ્રેસ દરરોજ ૩૦ મિનિટ ટ્રેન નં ૧૯૦૧૫ મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ દરરોજ ૧૦ મિનિટ ટ્રેન નં ૧૯૫૭૮ જામનગર-તિરુનાલવેલી એક્સપ્રેસ દર રવિવારે ૨૫ મિનિટ ટ્રેન નં ૨૨૯૩૯ હાપા-બિલાસપુર એક્સપ્રેસ દર રવિવાર ૨૫ મિનિટ ટ્રેન નં ૨૨૯૨૪ જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસ દર રવિવાર, મંગળવાર અને શુક્રવાર ૨૫ મિનિટવધુ વાંચો -
સમાજના દિકરા - દિકરીઓમાં શિક્ષણનું સ્તર વધારવા ઘનશ્યામપુરી બાપુનું લોકોને આહવાન
- 19, એપ્રીલ 2022 01:30 AM
- 8796 comments
- 9326 Views
ધ્રાંગધ્રા,ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર આવેલા ગાત્રાડ માતાજીના મંદિર ખાતે સમસ્ત ભરવાડ સમાજના સમુહ લગ્નનું આયોજન કરવામા આવ્યુ હતુ જેમા ૧૯ નવદંપતિ લગ્નગ્રંથીથી જાેડાઇને પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. મહંત ૧૦૦૮ મહામંડલેશ્વર ઘનશ્યામપુરી બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેઓએ તમામ નવદંપતિને આશીઁવાદ આપી ભરવાડ સમાજના હજુપણ શિક્ષણને સ્તર નીચુ હોવાના લીધે કેટલાક સ્થાન પર ભરવાડ સમાજને અધિક્ષક માનવામાં આવે છે જેથી તમામ પોતાના દિકરા તથા દિકરીઓને અભ્યાસથી કરાવે અને સમાજમાં કોઇ નબળુ ઘર હોય તો સ્થાનિક આગેવાનો આ ઘરના દિકરા-દિકરીઓને અભ્યાસ માટે આથીઁક મદદ કરે તેવુ આહવાન કરાયુ હતુ. ઘનશ્યામપુરી બાપુના શિક્ષણ પ્રત્યે આહવાનથી ભુરાભાઈ મેવાડા દ્વારા સમાજના દિકરા-દિકરીઓને અભ્યાસ માટે રુપિયા પાંચ લાખનું અનુદાન પણ આપ્યુ હતુ.વધુ વાંચો -
ખેડૂતોએ પણ હુંકાર કર્યો કે, હવે કોઈ પણ સંજાેગોમાં નર્મદાના નીર લઈને જ ઝંપીશું
- 16, એપ્રીલ 2022 01:30 AM
- 6390 comments
- 6446 Views
સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરના મુળી તાલુકાના રાણીપાટ ગામે ખેડૂતોની સભા યોજાઈ હતી. ખેડૂતોએ વિવિધ પ્રશ્નો બાબતે એક ખાટલા બેઠક કરી હતી. જેમાં આમ આદમી પાર્ટીના કીસાન સંગઠનના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ હાજરી આપી હતી અને જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને લડત આપશે. ખેડૂતોએ પણ હુંકાર કર્યો હતો કે, હવે કોઈ પણ સંજાેગોમાં નર્મદાના નીર લઈને જ ઝંપીશું.રાત્રી સભામાં ખેડૂતોએ ખાટલા બેઠક યોજી હતી. જેમાં ખેડૂતોના પ્રશ્નો બાબતે લડત આપવા આમ આદમી પાર્ટી ખેડૂતો સાથે છે તેમ આપના કિસાન સંગઠનના પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું. હાલ ખેડૂતોને મોટા પ્રશ્નો નર્મદાનાં નીર, વિજ પુરવઠો અને જમીન માપણીમાં ગેરરીતિઓ મુખ્ય છે. તે માટે આગામી સમયમાં લડત આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. અનેક ખેડૂતો અને આગેવાનોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. રાણીપાટ ગામે આપના કિસાન સંગઠનના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડા , સુરેન્દ્રનગર જિલ્લા કીસાન સંગઠન પ્રમુખ અશોક મકવાણા, ગણપત કાવર, કીશોર સોળમીયા સહિતના આગેવાનોએ હાજરી આપી ખેડૂતોને સંબોધન કર્યું હતું. જેમાં આજુબાજુના ગામોમાંથી ખેડૂતોએ વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી.વધુ વાંચો -
ખનીજચોરો સામે લાલ આંખ ઃ૧૨ વાહનો સાથે બે કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો
- 27, માર્ચ 2022 01:30 AM
- 4063 comments
- 5623 Views
સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં ખનીજનું ખનન અને વહનને લઇને ખનીજ સાથે હવે પોલીસ તંત્રે પણ કાર્યવાહી શરૂ કરી છે. તંત્રે લાલઆઁખ કરતાં ખનીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો. જિલ્લાના વઢવાણના વાઘેલા, નાના કેરાળા તેમજ થાન, મૂળી અને લીંબડીમાંથી ૧૨ વાહનો સાથે રૂ. ૨. કરોડ કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જિલ્લામાં બેફામ ખોદકામ કરીને બેફામ રીતે ખનીજની ચોરી કરી તેનુ વહન દિવસ-રાત થતુ હોવાની બૂમરાણો ઉઠી છે. ત્યારે આ પ્રવૃત્તિને અટકાવવા માટે ખનિજ સાથે પોલીસતંત્ર પણ નજર રાખતા ખનીજચોરી કરતા તત્વોમાં દોડધામ મચી છે.જિલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડિયાએ ખનીજ ચોરી નાબૂદ કરવા સૂચના આપી છે. પરિણામે એ.એસ.પી. શિવમ વર્મા, વઢવાણ પીએસઆઈ ડી.ડી.ચુડાસમા, કાળુભાઈ, સગરામભાઈ, નીતીભાઇ, અજયસિંહ, રણજીતસિંહ સહિતના માણસો રાત્રિ પેટ્રોલિંગ હાથ ધર્યુ હતુ. જેમાં વઢવાણથી વાઘેલા રોડ તેમજ નાના કેરાળામાંથી ૩ ડમ્પરો કપચી ભરેલા અને ૧ ટ્રક તેમજ વાહનોની આગળ-પાછળ દોડતી ૩ કાર સહિત અંદાજે રૂ. ૧,૨૫,૦૦,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. સુરેન્દ્રનગર ખાણ ખનીજના અધિકારીની સૂચનાથી રાત્રિ ચેકીંગ હાથ ધરાયુ હતુ. આ દરમિયાન થાન, મૂળી તેમજ લીંબડી વિસ્તારોમાંથી કુલ ૫ ડમ્પરોને કાર્બોસેલ, સાદી રેતી અને બ્લેકટ્રેપ સાથે ઝડપી પાડી અંદાજે રૂ. ૯૦,૦૦,૦૦૦નો મુદ્દામાલ સીઝ કરાયો હતો. તમામ ઝડપાયેલા વાહનો સહિતનો મુદ્દામાલ લાગતા વળગતા પોલીસ સ્ટેશનોને કબ્જાે સોંપાયો હતો.વધુ વાંચો -
ધ્રાંગધ્રાના નિમકનગર ગામે મકાનમાંથી ગેરકાયદે બાયો ડીઝલનો જંગી જથ્થો મળ્યો
- 25, માર્ચ 2022 01:30 AM
- 9775 comments
- 1109 Views
ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રા તાલુકાનાં નિમકનગર ગામે ગેરકાયદેસર શંકાસ્પદ બાયો ડીઝલનો જંગી જથ્થો તાલુકા પોલીસ દ્વારા ઝડપી પાડવામા આવ્યો હતો. જાણવા મળતી વિગતો અનુસાર ધ્રાંગધ્રા તાલુકાના નિમકનગર ગામે રહેણાંક મકાનમાં શંકાસ્પદ બાયો ડીઝલનો જથ્થો હોવાની બાતમીના આધારે પી.એસ.આઇ મીઠાપરા, ભરતસિંહ પઢીયાર, ભુપતભાઇ દેથલીયા સહિતનો સ્ટાફ મોડી રાત્રી દરમિયાન નિમકનગર ગામે રહેતા મુશ્તાકભાઇ મહમદભાઇ સોલંકીને રહેણાંક મકાને દરોડો કરતા મકાનની બહાર ફળીયામા ૯૪૦૦ લીટર શંકાસ્પદ બાયો ડીઝલ કિમત રુપિયા ૪.૪૪ લાખનો મળી આવ્યો હતો આ તરફ તાલુકા પોલીસને તમામ શંકાસ્પદ બાયો ડીઝલનો જથ્થો જપ્ત કરી મુસ્તાક સોલંકી વિરુધ્ધ કાયદેસરની કાયઁવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં જુદી જુદી જગ્યાએ બાયોડીઝલનું ગેરકાયદે વેચાણ કરવામાં આવતુ હોય છે. પરંતુ પોલીસ દ્વારા રેડ કરીને ઝડપી પાડવામાં આવે છે.વધુ વાંચો -
ધ્રાંગધ્રાના રણ વિસ્તારમાં સામસામે બાઇક અથડાતા ત્રણ યુવકોનાં મોત
- 20, માર્ચ 2022 01:30 AM
- 7301 comments
- 9439 Views
ધ્રાગધ્રા, ધ્રાંગધ્રા પંથકના રણ કાંઠા વિસ્તારમા ગમખ્વાર અકસ્માતથી ત્રણ યુવાનોના મોતની વિગત સામે આવી છે જેમા પાટડી તાલુકાના માનાવાડા ગામના યુવાન મહેશ ફતાજી આંબલીયા ઉઃ- ૨૮ તથા ભીખાજી સુરાજી આંબલીયા ઉઃ-૩૦વાળા બંન્ને પિતરાઇ ભાઇઓ નવુ બાઇક લીધુ હોય જેથી બંન્ને ભાઇઓ પોતાનુ નવુ બાઇક લઇને ગુરુવારે ચોટીલા દશઁને ગયા હોય જ્યારથી પરત ફરી વાછડાદાદાના મંદિરે દશઁને જતા હોય તેવા સમયે મુળ ઓડુ ગામના વિષ્ણુભાઇ નવઘણભાઇ મકવાણા ઉઃ-૩૪ વષઁવાળા બાઇક લઇને રણ તરફથી કુડા ગામ તરફ આવતા બંન્ને બાઇકના સામસામે ધડાકાભેર અકસ્માત થતા બંન્ને પિતરાઇ ભાઇઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ જ્યારે અકસ્માત ઘટનાની જાણ સ્થાનિક મીઠુ પકવતા અગરીયાઓને થતા તેઓ દ્વારા તાત્કાલિક ગંભિર ઇજાઁગ્રસ્ત વિષ્ણુભાઇ મકવાણા સારવાર અથેઁ હોસ્પીટલ ખસેડતા રસ્તામાં તેઓનુ પણ મોત નિપજ્યુ હતુ આ તરફ તમામ ત્રણેય મૃતકોની લાશને ધ્રાંગધ્રા સરકારી હોસ્પીટલ ખાતે પીએમ અથેઁ લાવી પોલીસ દ્વારા ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ તપાસ હાથ ધરી હતી.વધુ વાંચો -
ધ્રાંગધ્રા તાલુકાના વ્રજપર ગામે સુજલામ-સુફલામ યોજનાના ખાતમુહુર્તનો ફિયાસ્કો
- 20, માર્ચ 2022 01:30 AM
- 3089 comments
- 141 Views
ધ્રાગધ્રા, ધ્રાંગધ્રા તાલુકાના વ્રજપર ગામે સુજલમ-સુફલામ અભિયાન ૨૦૨૨ અંતઁગત વ્રજપર તળાવને ઉંડુ કરવા માટેના ક્મગીરીનુ ખાતમુહઁત કરવાનો કાયઁક્રમ હાથ ધરાયો હતો. જેમા ધ્રાંગધ્રા પંથકના જ આગેવાનોની ગેરહાજરી નજરે પડી હતી આ તરફ પયાઁવરણ મંત્રી કિરીટસિંહ રાણા, સુરેન્દ્રનગરના ધારાસભ્ય ધનજીભાઇ, તથા ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરશોતમ સાબરીયાના હસ્તે તળાવ ઉંડુ કરવા માટેના ખાતમુહઁત હાથ ધરાયુ હતુ પરંતુ કાયઁક્રમને આમંત્રણ પત્રીકામા સ્થાનિક નેતા અને ભાજપના આગેવાન આઇ.કે.જાડેજાની બાદબાકી સ્થાનિક સંગઠન તથા કાયઁકરોને ઉડીને આંખે વળગતા મોટી સંખ્યામા ભાજપના કાયઁક્રમો પણ કાપ નજરે પડ્યો હતો આ તરફ કેબીનેટ મંત્રી તથા બબ્બે ધારાસભ્યની ઉપસ્થિતી કાયઁક્રમમા પણ લોકોની પાંખી હાજરી હોવાથી સુજલામ-સુફલામ અભિયાન અંતઁગત વ્રજપર તળાવને ઉંડુ કરવા આ કાયઁક્રમનો ફિયાસ્કો થયો હતો.વધુ વાંચો -
ધ્રાંગધ્રા પંથકના રણ વિસ્તારના ગામો માધ્યમિક શાળાથી વંચિત રહેતા રોષ
- 15, માર્ચ 2022 01:30 AM
- 8720 comments
- 6811 Views
ધ્રાગધ્રા, ધ્રાંગધ્રા પંથકમાં આવેલા રણ વિસ્તારના કેટલાક ગામોમા આજે પણ શિક્ષણને સ્તર નીચુ છે જેનુ મુખ્ય કારણ અહિ વસતા અગરીયા પરીવારો આથીઁક રીતે પછાત હોવાનુ છે જ્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ પ્રાથમિક અને માધ્યમિક શાળાના નિમાઁણ માટે અલગ વ્યવસ્થા કરે છે પરંતુ રણ ધ્રાગધ્રા પંથકના છેવાડાના વિસ્તાર એટલે રણ વિસ્તારમા આવેલા એજાર ગામે કોઇ માધ્યમિક સ્કુલ નહિ હોવાથી ગામના તમામ બાળકોના વાલીઓ પ્રાથમિક સ્કુલમાં અભ્યાસ કરાવ્યા બાદ પોતાના બાળકોને અભ્યાસ પુણઁ કરી કામ પર લગાવી દે છે.જાેકે એજાર ગામની આજુ-બાજુ દશેક કિમી સુધી કોઇ માધ્યમિક શાળા આવેલી નથી જેથી વાલીઓને ન છુટકે પોતાના બાળકોનો અભ્યાસ પુણઁ કરવો પડે તેવી પરીસ્થિતી ઉદભવે છે. જ્યારે પ્રાથમિક સ્કુલમાં પણ બાળકોને અભ્યાસ કરવો કઠીન છે કારણ કે અહિ આજુ-બાજુ વાડી વિસ્તારમા રહેતા બાળકોને પ્રાથમિક સ્કુલમાં અભ્યાસ માટે કેટલેક કિમી સુધી ચાલતા જવુ પડે છે ત્યારે સ્થાનિક જાગૃત નાગરીક દ્વારા અગાઉ એજાર ગામે માધ્યમિક શાળાના નિમાઁણ માટે છેક રાજ્યના શિક્ષણ મંત્રી સુધી લેખીત રજુવાત કરી છતા પણ કોઇ નિણઁય આવેલો નથી ત્યારે અગામી સમયમા રણકાંઠાના ગામોમા વસતા બાળકો શિક્ષણને અભાવે વંશ પરંપરાગત મજુરી ન કરે અને તેઓની પણ પ્રગતિ રુંધાય નહિ તે માટે સરકાર તાત્કાલિક નિણઁય કરી માધ્યમિક શાળા નિમાઁણ કરે તેવી માંગ કરાઇ છે.વધુ વાંચો -
ધ્રાંગધ્રાના ધોળી ગામે વૃક્ષની ડાળીમાંથી પાણીની ધારા થતા લોકો દર્શને ઉમટ્યા
- 19, ફેબ્રુઆરી 2022 01:30 AM
- 5304 comments
- 1941 Views
ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રા તાલુકાના ધોળી ગામના તળાવના કિનારે આવેલા અતિ પૌરાણીક ધોળેશ્વર મહાદેવના મંદિરની બરોબર પાસે જ વડનુ વૃક્ષ વધુ પડતુ ઘનઘોર હોવાના લીધે કાપવાની કામગીરી હાથ ધરાઇ હતી પરંતુ વૃક્ષની ડાળી કાપતા જ તેમાથી ધીરે-ધીરે પાણી નિકળવા લાગ્યુ હતુ અને થોડા સમયમા તો વડની કાપેલી ડાળીમાથી રીતસર પાણીની ધરાવડી થઇ હતી જેની જાણ ધોળી ગામના લોકોને થતા જ મોટાભાગના રહિશો આ નજારો જાેવા પૌરાણીક મહાદેવના મંદિર ઉમટી પડ્યા હતા કેટલાક રહિશો દ્વારા તો જુદી-જુદી માન્યતાઓ ઉપજાવી પીપળના વૃક્ષની ડાળી કાપવામાં મહાદેવ પણ રાજી નહિ હોવાનુ કહ્યુ હતુ ત્યારે આ બાબતે સ્થાનિક પુવઁ ઉપ સરપંચ રમણીકભાઇ પટેલ દ્વારા જણાવ્યુ હતુ કે ધોળી ગામના તળાવ કિનારે આવેલા આ ધોળેશ્વર મહાદેવનુ મંદિર આશરે ૩૦૦ વષઁ જુનુ હોવાની માન્યતા છે અને આ વડનુ ઝાડ પણ કેટલાક વષોઁથી તેઓ જાેતા આવે છે હાલ મંદિરના સમારકામ થઇ રહ્યુ છે પરંતુ આ પીપળનુ વૃક્ષ ઘનઘોર હોવાના લીધે મંદિર પર નમતુ હતુ જેથી આગામી સમયમા મંદિરને કોઇ નુકશાન થાય નહિ તે માટે વૃક્ષનો કેટલોક નમતો અને જાેખમી ભાગ કાપવાની કાયઁવાહી શરુ કરાઇ હતી પરંતુ આ કામગીરી શરુ થતાની સાથે જ આ પ્રકારનો કિસ્સો સામે આવતા હાલ વૃક્ષ કાપવાની કામગીરી બંધ રાખી છે જ્યારે વૃક્ષમાથી પાણી ટકવાની વાતને લઇને અનેક લોકો મોટી સંખ્યામા અહિ દશઁને પણ આવી રહ્યા છે.વધુ વાંચો -
ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડના ચેરમેન પદ માટે પાટીદાર પાટીદાર જેવો ઘાટ
- 19, ફેબ્રુઆરી 2022 01:30 AM
- 5224 comments
- 3543 Views
ધ્રાંગધ્રા ધ્રાંગધ્રા હાઇવે પર કલ્પના ચોકડી તરફથી સુરેન્દ્રનગર રોડ તરફ રસ્તામાં અંદાજે ૬ કરોડના ખર્ચે માર્કેટીંગ યાર્ડ નવ નિમાઁણ પામેલ છે ત્યારે અગાઉ માર્કેટીંગ યાર્ડ અનેક વખત વિવાદમાં સપડાયું હતુ અને હજુપણ વિવાદ યાડઁ નો પીછો નહિ છોડતું હોવાનુ સામે આવ્યુ છે જેમા હાલ યાડઁના ચેરમેન તરીકે મહેશ પટેલ હોય અને આગામી એપ્રિલ મહિનામા તેઓની અઢી વષઁની ફોમઁ પુણઁ થવાના આરે હોય જેથી અન્ય વેપારી પેનલના ડીરેક્ટરો દ્વારા ચાલુ ચેરમેન મહેશ પટેલની ટાંટીયાખેચ શરુ કરાઇ છે આ તરફ ચેરમેન તરીકે બે પાટીદારો દ્વારા દાવેદાર હોવાનુ ચચાઁઇ રહ્યુ છે. માકેઁટીંગ યાડઁ અગાઉ પણ લગભગ ૭૦ વષઁ સુધી માત્ર સરકારી ચોપડે જ હતુ અને જ્યારે હવે યાડઁ સંપુણઁ નિમાઁણ થતા બે પાટીદારો પોતાની હાજરી અને સીધો ચેરમેન પદના હક્ક જમાવતા આંતરીક ખટરાગ હોવાનુ પણ સામે આવ્યુ છે. આ તરફ હાલના ચેરમેનના સામે તેઓના જ પાટીદાર સમાજના હોવાથી પાટીદાર દૃ/જ પાટીદાર જેવો ઘાટ સજાઁયો છે. તેવામાં ચેરમેન મહેશ પટેલ તથા વાઇસ ચેરમેન કનકસિંહ ઝાલા દ્વારા ચેરમેન પદના દાવેદાર ગણાવતા બંન્ને પાટીદાર નેતાઓને સમજાવટના પ્રયત્નો હાથ ધરી ૭૦ વષઁથી માત્ર સરકારી ચોપડે રહી ચુકેલા યાડઁને ધમધમતુ કરવા અથાગ મહેનત કરેલ હોદ્દેદારોને તેઓના પદ પર યથાવત રહેવા માટે મનામણા થઇ જાય તો યાડઁ નો વધુ વિકાસ થવાની પણ અન્ય ડીરેક્ટરોમા ચચાઁ છે.• ધ્રાંગધ્રા માકેઁટીંગ યાડઁમા ભાજપ પેનલ છે અને આશરે ૩ ટમઁથી ચેરમેન તરીકે મહેશ પટેલ દ્વારા પોતાના પરનો સદઉપયોગ કરી યાડઁને નિમાઁણ બાદ ધમધમતુ પણ કયુઁ હોવાનુ યાડઁના વેપારીઓ તથા ખેડુતોનુ કહેવુ છે. • આગામી એપ્રિલ ૨૦૨૨મા ચેરમેન તથા વાઇસ ચેરમેન પદની ટમઁ પુણઁ થયાના બે મહિના પહેલા જ વિરોધ્ધ સુર સંભળાતા ખેડુતોમાં પણ ગણગણાટ શરુ થયો છે. પરંતુ ચેરમેન અને વાઇસ ચેરમેનને યથાવત રાખવા કે નો રીપોટઁ થીયરી અપનાવવી તેમા હુકમના એક્કા તરીકે આઇ.કે.જાડેજાનો નિણઁય આખરી હોવાનુ પણ ચચાઁઇ રહ્યુ છે.વધુ વાંચો -
ધ્રાંગધ્રાથી જૂના ઘનશ્યામગઢ તરફ જવાના બિસ્માર રોડની તાત્કાલીક કામગીરી શરૂ કરાઇ
- 07, ફેબ્રુઆરી 2022 01:30 AM
- 4134 comments
- 2028 Views
ધ્રાગધ્રા, ધ્રાંગધ્રા તાલુકાના રાજપરથી જુના ઘનશ્યામગઢ ગામ તરફ જવાનો રોડ છેલ્લા કેટલાક સમયથી બિસ્માર હોય જેનુ મુખ્ય કારણ ઘનશ્યામગઢ ગામેથી ઓવરલોડેડ ડમ્ફરો લીધે આ રોડ પર વારંવાર ખાડા પડી જાય છે ત્યારે આ રોડ બિસ્માર હોવાથી ઘનશ્યામગઢ, કંકાવટી, અંજાર સહિતના ગામોમા રહેતા સ્થાનિકોને અહિથી નિકળવું ખુબ જ મુશ્કેલ થતુ હતુ અને ખાસ કરીને આ વિસ્તાર માથી સરકારી બસો નિકળતા ખરાબ રસ્તાના લીધે વારંવાર બસોમાં કોઇને કોઇ ખરાબી થતી હતી જેના લીધે અપડાઉન કરતા વિધાથીઁઓને સમયસર અભ્યાસ માટે પહોચી શકતા ન હતા.આ બાબત મોટી માલવણ જીલ્લા પંચાયત સીટના સદશ્ય પપ્પુભાઇ ઠાકોરને ધ્યાને આવતા તેઓ દ્વારા તાત્કાલિક રોડનું સમારકામ હાથ ધરી કામગીરી કરી હતી. આ તરફ વષોઁથી ખાડાનુ સામ્રાજ્ય જામેલા રોડનું સમારકામ થતા ઉપરવાસના ગામડાઓના રહિશોને તથા દરરોજ અહિથી મુશાફરોને કરતા સ્થાનિકોને કાયમી ધોરણે પ્રશ્નનો નિકાલ આવતા ખુશી વ્યક્ત કરી હતી.વધુ વાંચો -
ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાંથી દિન દહાડે ખનીજ ચોરી કરતા વાહનો સામે તંત્ર મુકપ્રેક્ષક
- 01, ફેબ્રુઆરી 2022 01:30 AM
- 9477 comments
- 1521 Views
ધ્રાંગધ્રા ધ્રાંગધ્રા પંથકમાં ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા ભુમાફીયાઓને દ્વારા આડો આંક વાળી દીધો છે તેવામાં અહિની સ્થાનિક તંત્ર પણ ભુમાફીયાઓને વિરુધ્ધ કોઇ કાયઁવાહી નહિ કરતા હવે દિન દહાડે શહેરની વિસ્તારમાથી ગેરકાયદેસર ખનીજ ભરેલા વાહનો નજરે પડી રહ્યા છે જેમા ધ્રાંગધ્રા પંથકના રાજપર ગામ તરફ નીકળતી લાલ માટી, કુડા ચોકડી નજીક નીકળતી ભુખરા સફેદ રંગની માટી તથા રેતીનું ગેરકાયદેસર ખનન કરી ભુમાફીયાઓ પોતાના વાહનમાં પાસ પરમિટ વગર જ હેરફેર કરતા નજરે પડે છે આ તરફ તંત્રના અધિકારીઓ આ તમામ નાટક માત્ર મુકપ્રેક્ષક બનીને જાેઇ રહેતા ભુમાફીયાઓને મોકળુ મેદાન મળી રહ્યુ છે જેથી દિન દહાડે શહેરની બજારો વચ્ચે ગેરકાયદેસર ખનીજ ભરેલા વાહન ખુલ્લેઆમ નિકળતા નજરે પડે છે ત્યારે આ મામલે સ્થાનિક પયાઁવરણ પ્રેમીઓ દ્વારા ખુલ્લેઆમ ખનીજ ચોરી કરી તેની હેરફેર કરતા વાહનો પર કાયદેસરની કાયઁવાહી કરાય તેવી ઉગ્ર માંગ ઉઠી રહી છે.વધુ વાંચો -
ધ્રાંગધ્રા ન.પા.માં ડોર-ટુ-ડોર કોન્ટ્રાક્ટમાં કૌભાંડ
- 31, જાન્યુઆરી 2022 01:30 AM
- 7131 comments
- 2993 Views
ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રા નગરપાલિકાની કુલ ૩૬ બેઠકોમાં ૩૫ બેઠકો ભાજપના ફાળે હોવાથી સ્પષ્ટ બહુમતી સાથે નગરપાલિકામાં બહુમતિ ધરાવતુ શાસન છે જેથી ધ્રાંગધ્રા પાલિકાની તમામ સામાન્ય સભામાં તમામ ઠરાવો પસાર થઇ જાય છે. અને શાસક પક્ષના મનમાની પણ ચાલે છે ત્યારે વડાપ્રધાનના સ્વચ્છ ભારત બનાવવાના સ્વપ્ન અંતઁગત ધ્રાંગધ્રા શહેરના તમામ ૯ વોડઁમા ઘેર-ઘેર જઇને કચરો ઉઘરાવવા માટે ડોર-ટુ-ડોરનો કોન્ટ્રાક્ટ આપી દેવાયો છે. અમદાવાદની કુમાર એજ્યુકેશન નામની સંસ્થાને દરરોજ શહેરી વિસ્તારના તમામ રહેણાક મકાન તથા દુકાનો પરથી એકઠો કરેલો કચરો વાહનોમાં ભરીને તેનો યોગ્ય નિકાલ કરવાના આ કોન્ટ્રાક્ટરને પાલિકા દર મહિને ૪.૮ લાખનુ બિલ ચુકવી છે. જાેકે પાલિકા દ્વારા જે તે સમયે આ કોન્ટ્રાક્ટ અપાયો ત્યારે કેટલીક શરતો કરાઇ હતી જેમા કોન્ટ્રાક્ટર પાસે પોતાના વાહનો હોવા જરુરી છે, તમામ વાહનોના ડ્રાઇવર તથા ક્લીનરને સેફ્ટી સુઝ, યુનિફોમઁ તથા આઇ.કાડઁ ફરજીયાત પહેરવો જરુરી છે, ડોર-ટુ-ડોરમાં લેબરોને સરકારી ધારાધોરણ મુજબ ૩૮૦ રુપિયા વેતન આપવુ જરુરી છે તથા શહેરી વિસ્તારમા એક રહેણાંક મકાન અથવા દુકાન દીઠ કોન્ટ્રાક્ટરને રુપિયા ૧૮.૫૪ રુપિયા મળશે જેથી કોન્ટ્રાક્ટર જાે પોતાની કામગીરી નિભાવવામાં બેદરકારી અને કાળજી નહિ રાખે તેવી ફરીયાદ આવશે તો મિલ્કત દીઠ ૧૮.૫૪ રુપિયા બિલમાથી કપાત થશે પરંતુ આ તમામ નિયમો અને શરતો માત્ર કાગળ પર જ રહી છે ખરેખર કોન્ટ્રાક્ટર દ્વારા નગરપાલિકાના વાહનોના ઉપયોગ કરી મનફાવે ત્યારે ડોર-ટુ-ડોર વાહન લોકોના ઘેર જઇ કચરો ઉઘરાવે છે છતા દર મહિને લાખ્ખો રુપિયાનું બિલ પાસ થઇ જાય છે. જ્યારે કોન્ટ્રાક્ટરને શહેરના તમામ વોડઁમા કચરો ઉઘરાવતા વાહનો દીઠ એક ડ્રાઇવર અને એક લેબર(ક્લીનર) ફરજીયાત છે. જેનુ કામ સ્થાનિકોના ઘેર એકઠો કરેલ કચરાનું ડસ્ટબીન લઇને વાહનમાં આ ડસ્ટબીન ખાલી કરી પરત આપવાનુ હોય છે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા આ પ્રક્રિયા માટે લેબર જ નથી જેથી સ્થાનિકોને આ કામ પોતે જ કરવુ પડે છે અને દર મહિને આ લેબરોનો ખચઁ બચાવી કૌભાંડ આચરતો હોવાની વિગતો સામે આવી છે.પ્રથમ મહિને બિલમાંથી ૧૦ હજાર કપાત કરી ચીફ ઓફીસર ધ્રાંગધ્રા નગરપાલિકાના ચીફ ઓફીસર મંટીલકુમાર પટેલ દ્વારા આ મામલે જણાવ્યુ હતુ કે ‘મે નગરપાલિકાના ચીફ ઓફીસરનો ચાજઁ સંભાળ્યો તેને હજુ થોડો સમય થયો છે જે સમયગાળામા આ ડોર-ટુ-ડોર કોન્ટ્રાક્ટ દ્વારા ગેરરીતી અને શરતો મુજબ કામ નહિ થતુ હોવાનુ સામે આવતા પ્રથમ મહિને તેના બિલમાથી આશરે ૧૦ હજાર જેટલી રકમ કપાત કરી છે’ ધ્રાંગધ્રા શહેરના કુલ ૯ વોડઁના તમામ રહેણાંક તથા દુકાનોમા દરરોજ એકઠો થતો કચરો ડોર-ટુ-ડોર વાહનને લઇ જવો ફરજીયાત છે જે બાબતની કોન્ટ્રાક્ટ છેલ્લા એક વષઁથી અમદાવાદની કુમાર એજ્યુકેશન નામની સંસ્થાને અપાયો છે અને આ કામ બદલ નગરપાલિકા દ્વારા એક મિલ્કત દીઠ અઢાર રુપિયા ચુકવે છે પરંતુ શહેરના કેટલાક એવા વિસ્તારો છે જ્યા ડોર-ટુ-ડોરનો વાહન લગભગ ચાર અથવા પાંચ દિવસે જ જાય છે જેથી કોન્ટ્રાક્ટર દ્વારા મહિનામા ત્રીસ દિવસની બદલે માત્ર છ અથવા સાત વખત વાહન મોકલી સરકારી ચોપડે ત્રીસ દિવસની બિલ પાસ કરાવી કૌભાંડ આચરવામાં આવે છે. - ઉમેશભાઇ સોલંકી (સામાજીક કાર્યકર)વધુ વાંચો -
ધ્રાંગધ્રા માર્કેટીંગ યાર્ડના મુર્હૂતમાં જ પાકની મબલક આવકઃ હરાજીમાં ખેડુતો માલામાલ
- 26, જાન્યુઆરી 2022 01:30 AM
- 4742 comments
- 1598 Views
ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રા પંથકમાં મુખ્યત્વે કપાસનું સૌથી વધુ વાવેતર થાય છે ત્યારે ધ્રાંગધ્રા ખાતે માકેઁટીંગ યાડઁ નિમાઁણ થતા હવે ખેડુતોને પણ પોતાનો પાક વેચાણ કરવા માટે અન્ય વિસ્તારમા જવુ પડે નહિ તે માટે આશરે ૨૪ કરોડના ખચેઁ માકેઁટીંગ યાડઁનુ નિમાઁણ કરાયુ હતુ જે માકેઁટીંગ યાડઁનુ નિમાઁણ કાયઁ પુણઁ થતા આજથી હરરાજી પ્રક્રિયા શરુ કરાઇ હતી. માકેઁટીઁગ યાડઁ શરુ થવાના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામા ખેડુતો અહિ ઉમટી પડ્યા હતા સાથે જ એરંડા, રાઇડો, જીરુ, કપાસ સહિતનો મબલક પાક પણ નજરે પડ્યો હતો આ તરફ માકેઁટીંગ યાડઁને શરુ કરવાના પ્રથમ દિવસે જ હરરાજી પ્રક્રિયામા કપાસનો ભાવ ૩૦૦૦થી ૩૫૦૦ રુપિયા જ્યારે એરંડાનો ભાવ ૧૫૦૦થી ૧૭૦૦ સુધી થતા ખેડુતો રાજી થયા હતા ધ્રાંગધ્રા માકેઁટીંગ યાડઁને શુભ શરુવાત કરવા માટે સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ તથા રામ મહેલ મંદીરના મહંતના હસ્તે હરરાજી પ્રક્રિયા શરુ કરાવાઇ હતી. આ તરફ માકેઁટીંગ યાડઁના શુભ શરુવાત સમયે ચેરમેન મહેશભાઇ પટેલ, વાઇસ ચેરમેન કનકસિંહ ઝાલા હળવદ એ.પી.એમ.સી સેક્રેટરી મહેશભાઇ સહિત મોટી સંખ્યામા વેપારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.વધુ વાંચો -
કોરોના ગાઈડલાઈનનો ભંગઃ લીંબડી ખાતે લગ્ન પ્રસંગમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા
- 24, જાન્યુઆરી 2022 01:30 AM
- 2228 comments
- 3488 Views
સુરેન્દ્રનગર, લીંબડી ખાતે લગ્ન પ્રસંગમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા લગ્ન પ્રસંગમાં માસ્કનો અભાવ તેમજ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો જાેવા મળ્યો કીર્તિ પટેલ અને સિંગર દિવ્યા ચૌધરી માસ્ક વગર ભીડમાં ગરબે ઘૂમતા હોવાનો વીડિયો વાયરલ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે લગ્ન પ્રસંગમાં કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થયો હતો. લગ્ન પ્રસંગમાં સિંગર દિવ્યા ચૌધરી તેમજ ટીકટોક સ્ટાર કીર્તિ પટેલ સહિતનાઓ માસ્ક વગર જાેવા મળ્યા હતા. તેમજ સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ થયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને લઈ ચકચાર મચી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં એક તરફ કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યા છે. ત્યારે બીજી બાજુ સરકારની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ અને ગુજરાતી સિંગર દિવ્યા ચૌધરી લગ્ન પ્રસંગમાં ડીજેના તાલે ગરબે ઘૂમતા જાેવા મળ્યા હતા. આ વાયરલ વીડિયોમાં કોરોના મહામારી વચ્ચે ટીકટોક સ્ટાર કીર્તિ પટેલ અને સિંગર દિવ્યા ચૌધરી લગ્નમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગર ભીડમાં ગરબે ઘૂમતા નજરે પડે છે. સામાન્ય લોકો નિયમોનું ઉલ્લંઘન કરે તો તંત્ર દ્વારા કડક કાર્યવાહી અને દંડ વસૂલવામાં આવે છે. જ્યારે ટીકટોક સ્ટાર અને સિંગર સામે હજુ સુધી કોઈ જ પગલા ન લેવાતાં લોકોમાં ચર્ચાઓએ જાેર પકડ્યું છે. આ વાયરલ વીડિયો લીંબડી ખાતે પરમાર પરિવારને ત્યાં લગ્ન પ્રસંગનો હોવાની ચર્ચાઓ સાંભળવા મળી રહી છે. જિલ્લાના લીંબડી ખાતે લગ્ન પ્રસંગમાં સરકારની કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. ત્યારે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં લઇ તંત્ર દ્વારા આ બાબતે તાકીદે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી વ્યાપક માંગ ઉઠી છે.વધુ વાંચો -
ધ્રાંગધ્રા-હળવદ ના ધારાસભ્ય કોરોના પોઝિટીવ
- 11, જાન્યુઆરી 2022 01:30 AM
- 6127 comments
- 1274 Views
ધ્રાંગધ્રા, શહેરોમાં ધીરે-ધીરે કોરોના પોઝિટીવ કેસની સંખ્યામા વધારો થતો પણ દેખાય છે ત્યારે સામાન્ય લોકો સાથે રાજકીય તાયફા કરી સરકારી ગાઇડલાઇન્સનુ ઉલ્લંઘન સાથે કાયઁકરો કરતા રાજકીય નેતાઓ પણ હવે પોઝિટીવ આવ્યા છે જેમા ધ્રાગધ્રા-હળવદ ધારાસભ્ય પરશોતમ સાબરીયા કોરોના પોઝિટીવ આવતા ધારાસભ્યો પોતે જ ટ્વીટ કરી માહિતી જાહેર કરી હતી જેમા છેલ્લા ચારેક દિવસથી ધારાસભ્ય પરશોતમ બાબરીયાની તબીયત નાદુરુસ્ત હોય અને કોરોનાના લક્ષણો જણાતા પોતે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. રીપોટઁ પોઝિટીવ આવતા ધારાસભ્યે પોતે પોઝિટીવ હોવાનુ જાહેર કર્યું હતું.જૂનાગઢ પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોને માસ્ક પહેરાવ્યા જૂનાગઢ, હાલ કોરોના મહામારીની ત્રીજી લહેર આવી ગઇ છે. ત્યારે સંક્રમણથી બચવા માસ્ક પહેરવું જરૂરી છે. માસ્ક ન પહેરવાનો દંડ ૧,૦૦૦ છેે. પરંતુ સામાન્ય લોકો આ દંડની રકમ ભરી ન શકે. ત્યારે જૂનાગઢ પોલીસે શહેરના અનેક વિસ્તારોમાં ફરી લોકોને ફ્રિમાં માસ્ક પહેરાવી સાથે માસ્કનું ફ્રિમાં વિતરણ પણ કર્યું છે. આ અંગે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, માસ્ક પહેરવા અંગે લોકોમાં જાગૃતિ આવે અને સામાન્ય મજૂરી કરતા લોકોને દંડ ભરવો ન પડે તે માટે ફ્રિમાં માસ્ક વિતરણ કરવા રેન્જ આઇજીપી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ સૂચના કરી હતી. બાદમાં એ ડિવીઝન, બી ડિવીઝન, સી ડિવીઝન સહીતના અધિકારીઓએ રિક્ષા ચાલકો, વાહન ચાલકો, ફ્રૂટ તેમજ અન્ય લારી વાળા, ગરીબો, મજૂરો, ફૂટપાથ પર રહેનારાને માસ્ક પહેરાવી, ફ્ર્રિમાં માસ્કનું વિતરણ કર્યું હતું.વધુ વાંચો -
ધ્રાંગધ્રામાં ઉતરાયણ નજીક હોવા છતા પતંગ-દોરાના ધંધામાં મંદી
- 11, જાન્યુઆરી 2022 01:30 AM
- 2370 comments
- 4924 Views
ધ્રાંગધ્રા પંથકમાં એકતરફ કોરોના પોઝિટીવ કેસોનો સંખ્યા વધતી જાય છે ત્યારે આ તરફ મકરસંક્રાંતિના પવઁ સમયે જ કોરોનાની ત્રીજી લહેરે માથુ ઉચકતા હવે પતંગ-દોરાના ધંધામા મંદી જાેવા મળે છે એક તરફ કોરોનાનુ ગ્રહણ અને બીજી તરફ પતંગ તથા માંજા સહિતની ચીજાેમાં ૨૫થી ૩૦ ટકાના ભાવનો વધારો થતા ધંધાથીઁઓને પોતાનો માલ-સામાન ઘર જમાઇ પડ્યો રહે તેવી સ્થિતી ઉભી થઇ શકે છે ત્યારે આ વષેઁ ભાવમાં વધારો તથા ધંધાથીઁઓ પણ પતંગ-પોતાનો ધંધો કરીને પસ્તાઇ રહ્યા હોવાનુ વેપારીઓ દ્વારા જણાવાયુ છે.મકરસંક્રાંતિ પર્વના અંતિમ રવિવારે ભાવેણામાં રીલ-દોરા પર માંઝો ચડાવવા ભીડ ઉમટી ભાવનગર ભાવનગરમાં પતંગ પર્વ પૂર્વેના અંતિમ રવિવારે પતંગ રસીકો દ્વારા મકરસંક્રાંતિની તૈયારીઓનો માહોલ બરાબર જાેવા મળ્યો હતો. શહેરમાં ઠેરઠેર પતંગ રીલ સાથે સંક્રાંતિ પર્વની વિવિધ વસ્તુઓની ખરીદી સાથોસાથ રીલ-દોરાને માંઝો ચડાવવા ભારે ગીર્દી જમાવી હતી. શહેરમાં આવેલા એવી સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે સ્થળોએ પતંગ-ફીરકીઓ રીલ તથા દોરા પર માંઝો ચડાવવા સિવાય બીજી કોઈ વાત જણાતી ન હતી. લોકો મકરસંક્રાંતિ ઉજવવા થનગની રહ્યાં હોય તેમ માસ્ક સોશિયલ ડીસ્ટન્સ સહિતની ગાઈડલાઈનોની ઐસીતૈસી કરી બેફીકર બની ફરતાં ખરીદી કરતાં નઝરે ચડ્યાં હતાં.શહેરના બોરતળાવ રોડ એવી સ્કૂલ સહિત અનેક સ્થળોએ રીલ-દોરા પર માંઝો ચડાવવા પતંગ રસીયાઓએ ભીડ જમાવી કલાકો સુધી રાહ જાેઈ હતી. તો બીજી તરફ કોરોના મહામારીની ત્રીજી લહેરને પગલે શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું હોય અને રવિવાર હોય આથી શહેરના કેટલાક વિસ્તારોમાં બાળકો યુવાનો સવારથી જ અગાશીઓ પર મ્યૂઝિક સિસ્ટમ પતંગ-ફિરકી સાથે પહોંચી ગયા હતા.વધુ વાંચો -
વિરમગામ, સુરેન્દ્રનગરની જૈન સમાજની યુવતીઓએ જૂનાગઢની ૯૯ યાત્રા કરી
- 10, જાન્યુઆરી 2022 01:30 AM
- 600 comments
- 8660 Views
જૂનાગઢ, વિરમગામ અને સુરેન્દ્રનગરની જૈન પરિવારની યુવતીઓએ જૂનાગઢની ૯૯ યાત્રા પૂર્ણ કરી પુણ્યનું ભાથું બાંધ્યું છે. જૈન ધર્મમાં તપનું વિશેષ મહત્વ રહ્યું છે. યુગપ્રધાન આચાર્ય સંઘ પરમ પૂજ્ય ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન હેમ વલ્લભ સુરેશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણા અને શુભ નિશ્રામાં હાડ થીજવી નાખે તેવી ઠંડીમાં જૈન સમાજના ૩૦૦ યુવાન અને યુવતીઓ જૂનાગઢની ૯૯ યાત્રામાં જાેડાયા હતા. ૯૯ યાત્રા એટલે જુનાગઢ તળેટીથી નેમિનાથ જિનાલયના ચાર હજાર પગથિયા ચડીને જિનાલય પહોંચ્યા પછી ૧૦૮ વખત જિનાલયની પ્રદક્ષિણા, સહ સાવનના ૧૮૦૦ પગથિયા ઉતરવાના, ત્યારબાદ નેમિનાથ ભગવાનની દીક્ષા કલ્યાણક ભૂમિ પર ચૈત્યવંદન સહિતની ધાર્મિક વિધિ કરવાની સાથે યાત્રા દરમિયાન વિના ચંપલ ચાલવાનું અન્ન પાણીનો ત્યાગ કરવાનો હોય છે. ૩૦ દિવસ સુધી દરરોજ ૬૬૦૦ પગથિયા ચડવાના અને ઉતરવાના હોય છે. તળેટીમાં ઉતર્યા બાદ ઉકાળેલું પાણી અને એકાસણું કરવાનું હોય છે જેને ૯૯ યાત્રા કહેવાય છે. આવી કઠિન યાત્રામાં વિરમગામ જૈન પરિવારની ૨૧ વર્ષીય હેતવી સંજય કુમાર અને સુરેન્દ્રનગર જૈન પરિવારની ૨૪ વર્ષીય કોઠારી દેવાશ્રી વિજય કુમાર બંને યુવતીઓએ જુનાગઢ ગીરનારની ૩૬ દિવસની ૧૦૮ યાત્રા પૂર્ણ કરી પુણ્યનું ભાથુ બાથ્યું છે. વિરમગામ અને સુરેન્દ્રનગર જૈન સમાજ ગૌરવની સાથે આનંદની લાગણી અનુભવે છે.વધુ વાંચો -
કોળી સમાજની બેઠકમાં કુંવરજી અને હીરાભાઈને બોલાવી દેવજી ફતેપરાને એકલા પાડ્યાં
- 06, જાન્યુઆરી 2022 01:30 AM
- 1370 comments
- 4563 Views
રાજકોટ, આગામી સમયમાં યોજાનારી ધારાસભાની ચૂંટણી પુર્વે ભાજપ દ્વારા જે રીતે જ્ઞાતિ-જાતિના સમીકરણોને બેલેન્સ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે તેમાં રવિવારે રાજકોટમાં યોજાયેલી કોળી સમાજની બેઠકમાં અસંતોષના સુર કઢાયા બાદ આજે એક ઓચિંતા પગલામાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ એ કોંગ્રેસમાંથી આવેલા જસદણના ધારાસભ્ય અને પુર્વ રાજયમંત્રી કુંવરજી બાવળીયા તથા રાજુલા વિસ્તારને ભાજપના અગ્રણી હીરાભાઈ સોલંકી સહિતના ચાર થી પાંચ અગ્રણીઓને ગાંધીનગર બોલાવીને તેમની સાથે બેઠક કરતા પુર્વ સાંસદ દેવજી ફતેપરા ભડકી ગયા છે અને કુંવરજીભાઈ પર સમાજની એકતા તોડવાનો આરોપ મુકયો હતો. પાટીલએ ચતુરાઈપૂર્વક બાવળીયા અને દેવજી ફતેપરાને અલગ કર્યા છે અને આજે ફકત કુંવરજી બાવળીયા તથા હીરાભાઈ સોલંકીને તથા અન્ય એક-બે આગેવાનોને બોલાવ્યા હતા. ગાંધીનગર પહોંચેલા શ્રી બાવળીયાએ આ મુલાકાતને શુભેચ્છા મુલાકાત ગણાવી હતી. જાે કે તેમણે ફતેપરા અંગે બોલવાનું ટાળ્યું હતું. શ્રી દેવજીભાઈ ફતેપરાએ અગાઉ એવુ જણાવ્યુ હતું કે ભાજપના મોવડીમંડળ સમાજના આગેવાનને બોલાવે તો કોણે કોણે જવું તે હું અને કુંવરજીભાઈ નકકી કરવાના હતા પણ કુંવરજીભાઈએ રામ-લક્ષ્મણની જાેડી તોડી હોવાનો આરોપ મુકયો હતો. તેમણે કહ્યું કે હવે સમાજના અગ્રણીઓ સાથે હું ચર્ચા કરીશ. પાટીલ તેમને બોલાવશે કે કેમ તે અંગેના પ્રશ્ર્નના જવાબમાં કહ્યું હતું કે જયારે બોલાવશે ત્યારે ર્નિણય લેશું.વધુ વાંચો -
તસ્કરોના ત્રાસથી ત્રસ્ત ધ્રાંગધ્રાની ચરમાળીયા સોસા.ના રહીશોનું ડેપ્યૂટી કલેક્ટરને આવેદન
- 04, જાન્યુઆરી 2022 01:30 AM
- 4283 comments
- 1146 Views
ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રા શહેરમા શિયાળાની ઠંડી શરુ થતા જ તસ્કરોનો ત્રાસ પણ વધવા લાગ્યો છે ત્યારે ધ્રાંગધ્રા શહેરની ચરમાળીયા સોસાયટીમાં અવાર-નવાર ચોરીના બનાવો સામે આવતા નજરે પડે છે ત્યારે અગાઉ પણ આ સોસાયટીના રહિશો દ્વારા શહેરની સ્થાનિક પોલીસને લેખીત રજુવાત કરી પોતાના વિસ્તારમા શિક્ષણ હથીયરો સાથે આવતા તસ્કરોને લીધે પોલીસ પેટ્રોલીંગની માંગ કરવા છતાય આજદિન સુધી કોઇ જાતની કાયઁવાહી નહિ થતા અંતે અહિંના રહિશો દ્વારા ન છુટકે મામલતદાર તથા ડે.કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતુ જેમા ચરમાળીયા સોસાયટીના આશરે ૮૫ રહિશો દ્વારા ધ્રાંગધ્રા શહેરના સેવા-સદન ખાતે આવી અધિકારીઓને રજુવાત કરી હતી જેમા સ્થાનિકો દ્વારા જણાવાયુ હતુ કે તેઓના વિસ્તારમા દરરોજ રાત્રીના સમયે તસ્કરોનો ત્રાસ દિન-પ્રગતિથી વધતો જાય છે જેમા અજાણ્યા બુકાનીધારી લોકો હાથમા શિક્ષણ હથીયારો વડે રહેણાંક મકાનમાં ચોરીના ઇરાદે પ્રવેશ કરે છે જેના લીધે સોસાયટીના મહિલાઓ ખુબ જ ડરી ગયા છે ત્યારે આ બાબતે પોલીસને જાણ કરવા છતાય પોલીસ દ્વારા પેટ્રોલીંગ હાથ નહિ ધરતા આવેદન પત્ર પાઠવી તાત્કાલિક કાયઁવાહી કરવા રજુવાત કરાઇ હતી.વધુ વાંચો -
રાવળીયાવદર ગામે ગુજરાતના સુપ્રસિધ્ધ ગાયક નવનિયુક્ત સરપંચની મુલાકાતે
- 04, જાન્યુઆરી 2022 01:30 AM
- 5573 comments
- 1585 Views
ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રા તાલુકાની ૪૫ ગ્રામ પંચાયતની ચુંટણીના પરીણામ હાલમા જ જાહેર થયા છે જેમા સૌથી વધુ ઉમરના વૃધ્ધાની માંડીને સૌથી ઓછી ઉમરના યુવાઓ સરપંચ તરીકે નિયુક્ત થયા છે ત્યારે ધ્રાંગધ્રા પંથકના રાવળીયાવદર ગામે યુવા અને જાગૃત સરપંચ તરીકે પ્રતિનિધિત્વ પામેલા રતનસિંહ ઠાકોર સાથે ગુજરાતના સુપ્રસિધ્ધ ગાયક તથા કલાકાર જીજ્ઞેશ કવિરાજ રુબરુ મુલાકાતે આવ્યા હતા અને શુભેચ્છા પાઠવી હતી જ્યારે ગાયક જીજ્ઞેશ કવિરાજે મુલાકાત કરી હાલ ભાજપ સરકાર દ્વારા શહેરની સાથે ગામોમા પણ વિકાસ શરુ કરાયો છે ત્યારે નવનિયુક્ત યુવા અને એજ્યુકેશન ધરાવતા રાવળીયાવદર ગામના સરપંચે આગામી સમયમા પાંચ વષઁ વિકાસના કામો કરશે તેવી બાહેધરી આપી જીજ્ઞેશ કવિરાજે સરપંચને શુભેચ્છા પાઠવી હતી.વધુ વાંચો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ