રાષ્ટ્રીય સમાચાર
-
ચીન અને ભારત એકબીજાના મિત્ર: ચીન વિદેશપ્રધાન
- 08, માર્ચ 2021 07:38 PM
- 2330 comments
- 9403 Views
બીજિંગ/દિલ્હીલદ્દાખ સરહદેથી ચીન અને ભારતે પોતાની સેનાને પાછળ હટાવ્યા બાદ હવે ડ્રેગને ફરી વાર દોસ્તીનો રાગ આલાપ્યો છે. ચીનના વિદેશપ્રધાન વાંગ યીએ જણાવ્યું કે, 'ચીન અને ભારત એકબીજાના મિત્ર અને ભાગીદાર છે. બંને એકબીજા માટે ખતરો નથી.' પેંગોંગમાં બંને દેશોની સેના પાછળ હટ્યા બાદ વાંગ યીની ભારત-ચીનના સંબંધો પર આ પહેલી ટિપ્પણી છે. વાંગ યીએ જણાવ્યું કે, 'ચીન-ભારતના સંબંધો એવાં છે કે જેવી રીતે દુનિયાના બે સૌથી મોટા વિકાસશીલ દેશો એકસાથે મળીને વિકાસ અને કાયાકલ્પને આગળ ધપાવે છે.' આ પહેલાં ચીનમાં નિયુકત ભારતના રાજદૂત વિક્રમ મિસ્ત્રીએ ચીનના ઉપવિદેશપ્રધાન લુઓ ઝાઓહુઇ સાથે મુલાકાત કરી. તેમણે પૂર્વીય લદ્દાખના બાકીના વિસ્તારોમાંથી બંને દેશોની સૈનિકોની વાપસીની પ્રક્રિયા પૂરી કરવાની જરૂરિયાત પર ભાર મુકયો. તેમણે કહ્યું કે, 'આના કારણે સરહદ પર શાંતિ અને સ્થિરતા જાળવી રાખવામાં મદદ મળશે. આ સાથે જ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષિય સંબંધોની પ્રગતિ માટે પણ અનુકૂળ માહોલ બનશે.' તેઓએ પૂર્વી લદ્દાખ ગતિરોધની સીધી રીતે રજૂઆત કર્યા વગર જ જણાવ્યું કે, 'સીમાવર્તી ક્ષેત્રમાં ગયા વર્ષે જે કંઇ સાચું કે ખોટું થયું તે સ્પષ્ટ છે.' વાંગે કહ્યું કે, 'અમે સીમા વિવાદ વાર્તા અને પરામર્શના આધારે હલ કરવા પ્રતિબદ્ઘ છીએ. આ સાથે જ અમે અમારા સાર્વભૌમ અધિકારોની પણ રક્ષા કરવાનો સંકલ્પ લઇએ છીએ.વધુ વાંચો -
ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 9 રાજ્યોમાં કોરોના બેકાબુ: ઔરંગાબાદમાં આંશિક લોકડાઉન લાગુ
- 08, માર્ચ 2021 06:29 PM
- 7146 comments
- 1909 Views
દિલ્હી-કોરોના વાયરસના કેસમાં વધારો જે અત્યાર સુધી મહારાષ્ટ્ર અને પંજાબ સુધી સિમિત હતો તે હવે અનેક રાજ્યોમાં જાેવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક, અને હરિયાણામાં દૈનિક કેસમાં સતત વધારો જાેવા મળી રહ્યો છે. આ રાજ્યોની સરકારો પણ અલર્ટ મોડ પર છે. નવા કેસની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં ૧૮૫૯૯ નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે ૯૭ લોકોના મૃત્યુ થયા છે. કેન્દ્ર સરકાર સતત દૈનિક કોરોનાના નવા કેસ મામલે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સ્થિતિ પર નજર રાખી રહી છે. આ સાથે જ કેન્દ્રએ મહારાષ્ટ્ર અને પંજાબમાં ઉચ્ચ સ્તરીય ટીમોની નિયુક્તિ કરી છે. જ્યાં રોજેરોજ નવા કેસમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૮,૫૯૯ નવા કેસ જાેવા મળ્યા છે. આ સાથે જ કુલ કેસની સંખ્યા ૧,૧૨,૨૯,૩૯૮ પર પહોંચી ગઈ છે. જેમાંથી ૧,૦૮,૮૨,૭૯૮ લોકો કોરોનાને માત આપીને સાજા થઈ ગયા છે. જ્યારે ૧,૮૮,૭૪૭ લોકો હજુ પણ સારવાર હેઠળ છે. દેશમાં એક જ દિવસમાં કોરોનાથી ૯૭ લોકોના મોત થયા છે. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો ૧,૫૭,૮૫૩ પર પહોંચી ગયો છે.મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૧૧ હજાર પાર ગઈ છે. મહારાષ્ટ્રમાં કોરોનાના નવા ૧૧૧૪૧ કેસ સામે આવ્યા છે. ૧૬ ઓક્ટોબર બાદ પહેલીવાર આટલા કેસ આવ્યા છે. કોરોનાના કારણે રાજ્યમાં એક દિવસમાં ૩૮ લોકોના મોત થયા છે. ઔરંગાબાદમાં આંશિક લોકડાઉન કોરોનાના વધતા જાેખમના કારણે મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં ૧૧ માર્ચથી ૪ એપ્રિલ સુધી આંશિક લોકડાઉન લાગુ કરવામાં આવશે. આ દરમિયાન સવારે ૬ વાગ્યાથી રાતે ૯ વાગ્યા સુધી જીવન સામાન્ય રહેશે. પરંતુ ૯ વાગ્યા બાદ નાઈટ કરફ્યૂ લાગશે. જે સવારે ૬ વાગ્યા સુધી લાગુ રહેશે. આ સાથે જ શનિવાર અને રવિવારે સંપૂર્ણ લોકડાઉન લાગુ રહેશે. જાે કે આ દરમિયાન ચિકિત્સા સેવાઓ, ઔદ્યોગિક ક્ષેત્રો અને મીડિયાને છૂટ અપાઈ છે. જ્યારે લગ્ન, ધાર્મિક સમારોહ, ખેલ, અને રાજનીતિક કાર્યક્રમો પર રોક રહેશે.વધુ વાંચો -
ઈરાને દિલ્હીમાં ઈઝરાયલી દૂતાવાસ બહાર બ્લાસ્ટ કરાવ્યો હોવાનો ખુલાસા
- 08, માર્ચ 2021 06:22 PM
- 3294 comments
- 2884 Views
દિલ્હી-જાન્યુઆરી મહિનાના અંતમાં નવી દિલ્હી ખાતે આવેલા ઈઝરાયલના દૂતાવાસ બહાર જે વિસ્ફોટ થયો હતો તેમાં ઈરાનનો હાથ હોવાનું સામે આવ્યું છે. ભારત સાથેની દુશ્મનાવટના કારણે ઈરાને ખૂબ ચાલાકીપૂર્વક ભારતના લોકલ મોડ્યુઅલની મદદ લીધી હતી. બોમ્બ વિસ્ફોટની તપાસમાં જાેડાયેલા એનઆઇએ અને ઈઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદને મળેલા પુરાવાના આધારે આ જાણકારી સામે આવી છે. તપાસ એજન્સીઓને એક પત્ર મળ્યો હતો જેમાં આ હુમલો બે ઈરાની નાગરિકોની હત્યાનો બદલો લેવા કરવામાં આવ્યો હોવાનું લખેલું હતું. ત્યાર બાદ તપાસ એજન્સીઓએ અનેક એન્ગલથી આ કેસની તપાસ શરૂ કરી દીધી હતી જેમાં ઈરાનની કુદ્સ ફોર્સે આ હુમલો કરાવ્યો હોવાનો ખુલાસો થયો હતો.એક અહેવાલ પ્રમાણે બોમ્બ વિસ્ફોટ પાછળ ઈરાનની કુદ્સ ફોર્સનો હાથ હતો પરંતુ તે બોમ્બ એક સ્થાનિક ભારતીય શિયા મોડ્યુલે પ્લાન્ટ કર્યો હતો. એટલું જ નહીં, જાણી જાેઈને એવા પુરાવા મુકવામાં આવ્યા હતા જેથી આ હુમલા પાછળ આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (આઈએસઆઈએસ)નો હાથ હોવાની શંકા જાગે. આ યોજના અંતર્ગત જ અજાણ્યા સંગઠન જૈશ ઉલ હિંદે આ હુમલાની જવાબદારી પણ સ્વીકારી હતી. જાે કે, આતંકવાદ વિરોધી એજન્સીઓએ આ હુમલો ઈરાનની કુદ્સ ફોર્સે ઈઝરાયલ વિરૂદ્ધ કર્યો હોવાનું જાણી લીધું છે. એક અધિકારીના કહેવા પ્રમાણે વિસ્ફોટ માટે વપરાયેલા બોમ્બની તીવ્રતા વધારે નહોતી અને તેનું લક્ષ્ય લોકોને નુકસાન પહોંચાડવાનું પણ નહોતુ. કારણ કે ઈરાન કદાચ ભારત સાથેના સંબંધોમાં તણાવ લાવવા નથી ઈચ્છતું. પરંતુ સંદેશો સ્પષ્ટ હતો અને જાેખમ પણ સાચુ જ હતું. ઉલ્લેખનીય છે કે, ૨૯ જાન્યુઆરીના રોજ દિલ્હીમાં ઈઝરાયલના દૂતાવાસ બહાર રિમોટ કંટ્રોલવાળા ડિવાઈસની મદદથી ઓછી તીવ્રતાનો વિસ્ફોટ થયો હતો.વધુ વાંચો -
ઇસરો 28 માર્ચે જીઓઇમેઝિંગ સેટેલાઇટ લોન્ચ કરવાની તૈયારીમાં
- 08, માર્ચ 2021 06:21 PM
- 7630 comments
- 7216 Views
બેંગ્લુરુ-સરહદ પરની ગતિવિધિઓ પર બાજનજર રાખી શકાય તે દૃષ્ટિએ ભારત ૨૮મી માર્ચે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ છોડવા તૈયારી કરી રહ્યું છે. આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લામાં આવેલા શ્રીહરિકોટા સ્પેર્સપોર્ટથી જીએસએલવીએફ-૧૦ રોકેટ વડે સ્પેસમાં જીઆઈએસએટી-૧ છોડવામાં આવશે. બેંગલૂરુમાં હેડકવાર્ટર ધરાવતા ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના એક અધિકારીએ કહ્યું કે ‘હવામાન સાનુકૂળ હશે તો ૨૮મી માર્ચે જીઓઈમેઝિંગ સેટેલાઈટ લોન્ચ કરવાની અમારી યોજના છે.રોકેટ અવકાશયાનને જિયોસિન્ક્રોનસ ઓર્બિટમાં દાખલ કરશે અને તે પછી ઓનબોર્ડ પ્રોપ્લઝન સિસ્ટમની મદદથી સેટેલાઈટને પૃથ્વીના ઈવેકટરની ઉપર ૩૬૦૦૦ કિલોમીટર પર આવેલી જિયોસ્ટેશનરી ઓર્બિટમાં ગોઠવવામાં આવશે. આ અગાઉ પાંચમી માર્ચ ૨૦૨૦ની તારીખે જીઆઈએસએટી-૧ લોન્ચ કરવાની યોજના હતી, પણ ટેક્નિકલ કારણોને લઈને લોન્ચિંગ કરવામાં આવ્યું ન હતું. ડિપાર્ટમેન્ટ ઑફ સ્પેસના એક અધિકારીએ કહ્યું કે ‘ભારત માટે આ સેટેલાઈટ ગેમચેન્જર બની રહેશે. સેટેલાઈટના હાઈરિઝોલ્યુશન કૅમેરાઓ દ્વારા ભારતીય સરહદ, દેશનો વિસ્તાર અને સમુદ્રો પર ચાંપતી નજર રાખી શકાશે.’ કુદરતી આફતોની પરિસ્થિતિમાં પણ સેટેલાઈટ પર નજર રાખવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે. કૃષિ, વનિકરણ આફતની ચેતવણી, વાદળો, હિમવર્ષા, હિમશિલાઓ અને ઓસનોગ્રાફી બાબતમાં પણ મહત્ત્વનું નિરીક્ષણ થઈ શકશે તેવું અધિકારીએ કહ્યું હતું. એપ્રિલ મહિનામાં સ્મોલ સેટેલાઈટ લોન્ચ વેહિકલ (એસએસએલવી)નું પરીક્ષણ કરવામાં આવશે તેવું સ્ત્રોતોથી જાણવા મળ્યું છે. એસએસએલએવી ૫૦૦ કિલોગ્રામના સેટેલાઈટ, ૫૦૦ કિલોમીટર લો અર્થ ઓર્બિટ (એલઈઓ) અને ૩૦૦ કિલોગ્રામ સન સિન્ક્રોન્સ ઓર્બિટ (એસએસઓ)માં લોન્ચ કરવાની ક્ષમતા ધરાવે છે.વધુ વાંચો
વિડિયો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- ભારત - ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૦
- ભારત - ઈંગ્લેન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૧
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ