કચ્છ સમાચાર
-
કોર્પોરેટ કલ્ચરના ઝાકમઝોળની વરવી અંધારી બાજુ આંતરરાષ્ટ્રીય કક્ષાની ફાર્મા કંપનીમાં ચાલતા સેક્સ કૈાભાંડથી ખળભળાટ કંપનીના રંગીન મિજાજના એમડીએ ૩૭થી વધુ ભારતીય અને વિદેશી યુવતીઓનું શારીરિક શોષણ
- 09, જુન 2023 11:46 PM
- 721 comments
- 5829 Views
વડોદરા, તા. ૯આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાણીતી અમદાવાદની એક ફાર્મા કંપનીમાં ભારતીય તેમજ વિદેશી યુવતીઓને વાર્ષિક લાખો –કરોડો રૂપિયાના પેકેજ પર નોકરીએ રાખ્યા બાદ યુવતીઓનું ખુદ કંપનીના એમડી દ્વારા વારંવાર શારીરિક શોષણ કરી સેક્સ કૈાભાંડ આચરવામાં આવ્યું હોવાની વાતે ખળભળાટ મચ્યો છે. કંપનીના એમડીની રાતો રંગીન કરવા માટે મજબુર બનેલી યુવતીઓ આ મુદ્દે કોઈ હોબાળો મચાવે તે અગાઉ તેઓને શામ-દામ-દંડ-ભેદની નિતીથી ચુપ કરાવી દેવામાં આવતી હોઈ અત્યાર સુધી આ સેક્સ રેકેટની કોઈ વિગતો બહાર આવી શકી નહોંતી. જાેકે આ જ ફાર્મા કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતી એક યુવતીને પણ શારીરિક શોષણ માટે ફરજ પાડી બળજબરી કરાતા આ સેક્સ કૈાભાંડને ઉજાગર કરવા માટે યુવતીએ પહેલ કરી હતી. જાેકે કંપનીના વગદાર સંચાલક સામે કાર્યવાહી કરવા માટે પોલીસ તંત્રના હાથ ધ્રુજતા હોઈ પોલીસે ફરિયાદ નોંધવા માટે સ્પષ્ટ નનૈયો ભણતા યુવતીને આ સેક્સ રેકેટમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે આખરે હાઈકોર્ટમાં દાદ માંગવાની ફરજ પડી હતી. થોડાક સમય પહેલા આવેલી દિગદર્શક મધુર ભંડારકરની જાણીતી હિન્દી ફિલ્મ ‘કોર્પોરેટ’માં મોટા ઉદ્યોગપતિઓ દ્વારા મની એન્ડ મસલ્સ પાવર સાથે લેધર કરન્સીનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે તેનો ચિતાર આપી ઝાકમઝાળ ભરેલે કોર્પોરેટ કલ્ચરના બીજી વરવી બાજુને ઉજાગર કરવામાં આવી હતી. જાેકે ફિલ્મના દ્રશ્યો અને સ્ટોરીને પણ ટક્કર મારે તેવો વાસ્તવિક કિસ્સો અમદાવાદની જ એક જાણીતી મલ્ટીનેશનલ ફાર્મા કંપનીમાં સપાટી પર આવ્યો છે અને તેને કંપનીની જ એક ઉચ્ચાધિકારી કર્મચારી યુવતીએ ઉજાગર કર્યો છે. અન્ય રાજયની વતની અને હાલમાં અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતી ૨૬ વર્ષીય યુવતી અમદાવાદની ફાર્મા કંપનીમાં ઉચ્ચાધિકારી તરીકે ફરજ બજાવે અને કંપનીમાં કામગીરીના ભાગરૂપે કંપનીના તમામ કર્મચારીઓ તેના સંપર્કમાં આવે છે. આ યુવતીની તેના જ વિભાગના વડાએ જાતિય સતામની શરૂ કરી હતી અને તેણે કંપનીના સંચાલક- એમડી જે વ્યભિચાર અને રંગીન મિજાજના આક્ષેપોમાં અગાઉ ઘેરાયેલા છે તેમના સેક્સ કૈાભાંડના સિલસિલાબધ્ધ કિસ્સા વર્ણવ્યા હતા અને યુવતીને પણ એમડી સાથે શારીરિક સંબંધ બાંધવા માટે સતત દબાણ શરૂ કરાયું હતું. પોતાના વિભાગના વડાએ કંપનીના એમડીના સેક્સ કૈાભાંડ અંગે એવી ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો કે કંપનીમાં ૨૪થી ૨૭ વર્ષની રશિયન, સ્પેનીશ અને યુરોપીયન યુવતીઓને વર્ક વિઝા નહી હોવા છતાં કંપનીમાં દોઢથી બે કરોડના વાર્ષિક પગારે પર્સનલ સેક્રેટરી તરીકે નોકરીએ રાખવામાં આવી હતી અને એફઆરઆરઓ (ફોરેનર્સ રિજયોનલ રજીસ્ટ્રેશન ઓફિસર) પ્રોસેસ વિના પરત મોકલી દેવામાં આવી છે. આ યુવતીઓને કંપનીના એમડીના વૈભવી રહેણાંક સ્થળે રાખવામાં આવતી હતી જયાં એમડી દ્વારા તેઓની પર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. એમડી દ્વારા યુવતીઓ સાથે ક્રુરતાપુર્વક અકુદરતી સેક્સ પણ આચરવામાં આવ્યું છે જેના કારણે અનેક યુવતીઓને શારિરીક પીડાઓ પણ થઈ હતી પરંતું મની અને મસલ્સ પાવરના જાેરે તેઓને ચુપ કરાવી દઈ તેઓને વતનમાં રવાના કરી દેવાઈ છે. આ યુવતીએ કંપનીમાં મહિલાઓની જાતિય સતામણી સામે રક્ષણ આપવા માટે બનાવેલી કમિટીમાં પોતાના જાતિય સતામની કરતા તેના વિભાગના વડાની ફરિયાદ કરી હતી જેના પગલે કંપનીના બોર્ડ ઓફ ડિરેકટરોમાં ખળભળાટ મચ્યો હતો અને યુવતી પર આ મુદ્દે ચુપકીદી રાખવા માટે તેમજ વિભાગીય વડા કે કંપનીના એમડી સામે કોઈ પણ પ્રકારની ફરિયાદ નહી કરવા માટે દબાણ કરી ધમકીઓ આપવાનો દોર શરૂ થયો છે. જાેકે આ અંગે યુવતીએ અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં અને પોલીસ ઉચ્ચાધિકારીઓને રજુઆતો કરી હતી પરંતું તેની કંપનીનું નામ અને કંપનીના એમડીનું નામ સાંભળતા જ મનોમન ફફડી ઉઠેલી પોલીસે આ કેસમાં ફરિયાદ નોંધવાની વાત તો ઠીક પરંતું ત્યારબાદ યુવતીના ફોન પણ રિસીવ કરવાનું બંધ કરી દેતા યુવતીએ આ કેસની પોલીસ ફરિયાદ નોંધે તેવો આદેશ કરાવવા માટે અમદાવાદના યુવાન ધારાશાસ્ત્રી મારફત હાઈકોર્ટમાં દાદ માંગી હતી. બોક્સ.. હાઈકોર્ટમાં દાખલ થયેલો કેસ સુનાવણી પુર્વે વીથ ડ્રો કરાયો આગામી સપ્તાહે ફરી દાખલ કરાશે ઃ ફરિયાદીના વકીલ ઉદ્યોગપતિ સામે શારીરિક શોષણનો આક્ષેપ કરનાર યુવતીએ તેના વકીલ મારફત તારીખ પાંચમીએ નામદાર હાઈકોર્ટમાં પોલીસ ફરિયાદ દાખલ કરે તેવી માંગ સાથે દાવો દાખલ કરેલ કરેલો જેની આજે શુક્રવારના રોજ સુનાવણી હાથ ધરાય તે પુર્વે જ ક્રિમીનલ મિસેલીનિયસ એપ્લીકેશનને આગામી દિવસોમાં ક્રિમીનલ રિવિઝન એપ્લીકેશન તરીકે દાખલ કરવાની ન્યાયાધીશની મંજુરી સાથે વીથ ડ્રો કરવામાં આવી હતી અને તે સિનિયર વકીલોને સાથે રાખી આગામી સપ્તાહમાં નવેસરથી દાખલ કરવામાં આવશે તેવું ફરિયાદીના વકીલે ‘લોકસત્તા જનસત્તા’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું. બોક્સ.. ૭૫ લાખમાં સમાધાન કરી નોકરી છોડી દેવા દબાણ યુવતીએ અરજીમાં આક્ષેપ કર્યો હતો કે તેણે કંપનીના એમડી અને વિભાગીય વડા સહિતના અધિકારીઓ વિરુધ્ધ કંપનીની ફરિયાદની તજવીજ કરતા જ કંપનીના અન્ય એક ઉચ્ચાધિકારીએ તેને હોટલ અને જાણીતા ક્લબમાં બોલાવીને કંપનીના આ કેસમાં સમાધાન કરી લેવા માટે જણાવ્યું હતું અને સમાધાન માટે ૭૫ લાખની ઓફર કરાઈ હતી. તેને પૈસા લઈ કંપનીમાં રાજીનામુ આપી દેવા માટે દબાણ કરી કંપની અધિકારીએ કંપનીના એમડી વગદાર છે માટે તું તેનું કંઈ બગાડી નહી શકે તેવી ગર્ભિત ધમકી આપી હતી. બોક્સ.. ફાર્મા કંપનીમાં યુવતીઓને ફલ્મી હિરોઈન જેટલી ફી કેમ ચુકવાઈ ? યુવતીએ જણાવ્યું હતું કે તેની કંપની ફાર્મા કંપની છે જેમાં દવાઓનું ઉત્પાદન થાય છે તેની કંપની ફિલ્મો નથી બનાવતી કે જેમાં થોડાક સમય માટે આવતી યુવતીઓને ફિલ્મી હિરોઈનની જેમ કરોડો રૂપિયા ચુકવવામાં આવ્યા છે. એરલાઈન્સમાં ફરજ બજાવતી વિદેશી યુવતી જેનો પગાર આશરે સાત લાખ હતો તે યુવતી તેની કંપનીમાં ૫૦ લાખના પગારે નોકરીએ જાેડાતા તેની પર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. યુવતીઓને આટલો જંગી પગાર કેમ ચુકવાયો તેની સીબીઆઈ અને પોલીસે તપાસ કરવાની માંગણી કરી છે. યુવતીએ કંપનીના એમડી દ્વારા ૩૫ જેટલી વિદેશી યુવતીઓનું શારીરિક શોષણ કર્યાનો આક્ષેપ કરી યુવતીનો ગણતરી દિવસો માટે ચુકવાયેલા તોતીંગ પગારની યાદી રજુ કરાઈ છે. બોક્સ.. અમદાવાદ ગ્રામ્ય પોલીસને વકીલની હાજરીમાં ફરિયાદ આપી છે છતાં કોઈ કાર્યવાહી નહી જે ફાર્મા કંપનીના એમડી અને ઉચ્ચાધિકારીઓ પર સેક્સ રેકેટ કૈાભાંડના આક્ષેપો કરાયા છે તે કંપની અમદાવાદના ગ્રામ્ય પોલીસની હદમાં છે. યુવતીએ આ અંગે ગત મે માસમાં જ ગ્રામ્ય વિસ્તારના એક પોલીસ મથકમાં પીઆઈને બે વકીલોની હાજરીમાં ફરિયાદ નોંધવા માટે કોપી આપી હતી જે એક પીઆઈએ સ્વીકારી કરી હતી પરંતું પીઆઈએ તેની સ્ટેશન ડાયરીમાં કોઈ નોંધ કરી નહોંતી કે ફરિયાદની નકલ પર કોપી મળ્યાનો સિક્કો મારી આપ્યો નહોંતો. ફરિયાદ વાંચીને જ પીઆઈએ કહ્યું હતું કે આ રેરેસ્ટ ઓફ રેર ક્રાઈમ પરંતું તે ડીએસપીની મંજુરી વિના ફરિયાદ નહી નોંધી શકે. જાેકે યુવતીએ ત્યારબાદ પીઆઈ, ડીવાયએસપી અને રાજયના પોલીસ વડાને પણ ઈમેલથી ફરિયાદ કરી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ નથી જેની હાઈકોર્ટમાં માંગેલી દાદમાં પુરાવા સાથે રજુઆત કરી છે.વધુ વાંચો -
રામનવમીએ કોમી ભડકોઃ ઠેરઠેર પથ્થરમારો ઃ ૧૭ની ધરપકડ
- 31, માર્ચ 2023 01:15 AM
- 5553 comments
- 1256 Views
વડોદરા, તા.૩૦રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ સહિતની કેટલીક ધાર્મિક સંસ્થાઓ દ્વારા આયોજીત શોભાયાત્રા પર બપોરે ફતેપુરા વિસ્તાર સહિત અનેક સ્થળે ભારે પથ્થરમારાના પગલે દહેશતનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં અનેકને ઈજાઓ પહોંચી હતી તથા પરિસ્થિત પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. દરમ્યાન પોલીસે ૩૫૦થી વધુ સીસીટીવી કેમેરાને આધારે મોડીરાત સુધીમા ૧૭ તોફાનીઓની ધરપકડ કરી લીધી હતી. આ તોફાનો દરમ્યાન અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યુ હતું. છેલ્લા અનેક વર્ષોથી શાંતિપૂર્ણ માહોલનો અહેસાસ કરી રહેલું વડોદરા આજે કોમી રમખાણોના છમકલાઓથી ફરી એકવાર અભડાયું હતું. આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત શ્રીરામની શોભાયાત્રા બપોરના સમયે ફતેપુરા વિસ્તારના કુભારવાડા ખાતેથી પસાર થઈ રહી હતી.આ તબક્કે ડીજે પર મોટા અવાજે હનુમાનચાલીસા વાગતા જ એ વિસ્તારના કેટલાં યુવાનો અને વિહિપના કાર્યકરો વચ્ચે બોલાચાલી થતાં વાતાવરણ ગરમાયુ હતું આ તબક્કે પોલીસે મધ્યસ્થી કરી બંને ટોળાઓને શાંત કરી વિખેરી નાંખ્યા હતા. પરંતુ થોડી જ વારમાં આ સમાધાન પડી ભાંગ્યુ હોય એમ અચાનક આજુબાજુની ગલીઓમાંથી પથ્થરમારો શરૂ થયો હતો. આ તબકકે શોભાયાત્રામાં સામેલ એક હજારથી વધુ વીએચપી કાર્યકરોમાં ઉશ્કેરાટનો માહોલ ફેલાયો હતો. જાે કે ઘટના સ્થળે ઉપસ્થિત પોલીસે તાત્કાલિક પરિસ્થિતિ પર કાબુ મેળવવા તોફાનીઓની દિશામાં ઘસી જતાં મામલો થોડા સમય માટે શાંત પડયો હતો. પરંતુ શ્રધ્ધેય ભગવાન રામની શોભાયાત્રા પરના પથ્થરમારાથી ઉશ્કેરાયેલા કાર્યકરોને માંડ માંડ શાંતિ જાળવવા સમજાવાયા હતા. એસ.એસ.જી. હોસ્પિટલની સામે આવેલ પંચમુખી હનુમાન મંદિરથી શરૂ થયેલી આ યાત્રા શાંતિપૂર્ણ રીતે અને ધાર્મિક માહોલ સાથે આગળ વધી રહી હતી. ત્યારે પાંજરીગર મહોલ્લા ખાતે તેના પર ભારે પથ્થરમારો થયો હતો. જાે કે આ યાત્રા એરપોર્ટ, સંગમ, ફતેપુરા, કારેલીબાગ પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી.ત્યાર બાદ એ યાત્રા જીવનભારતી સ્કુલ એલ એન્ડ ટી એરપોર્ટ થઈ ફરી પંચમુખી હનુમાન મંદિર ખાતે સંપન્ન થઈ હતી.દરમ્યાન ફતેપુરા કંુભારવાડા ખાતેથી નિકળેલી શ્રી રામની આવી જ એક અન્ય શોભાયાત્રા પર તલાટીની ઓફિસની બાજુની ગલીમાંથી તથા સામેની બાજુ આવેલા એક ધાર્મિક સ્થળ પરથી અચાનક ભારે પથ્થરમારો શરૂ થયો હતો. પોલીસે માંડ માંડ પરિસ્થિત થાળે પાડતા શોભાયાત્રા આગળ વધી હતી. પરંતુ ચાંપાનેર દરવજા પાસે ફરીથી આ શોભાયાત્રા પર ભારે પથ્થરમારો થયો હતો. યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે અગાઉ સમગ્ર માર્ગ પર ઠેર ઠેર પથ્થરમારો થતાં વડોદરામાં ભારેલો અગ્નિ છે તથા મોડીરાત્રે એ કોમી રમખાણોના જવાળામુખીમાં ન ફેલાય તે માટે સ્થાનિક પોલીસે કડક હાથે કામ લેવાનુ શરૂ કર્યું છે.આજે શ્રી રામની ત્રીજી શોભાયાત્રા ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા યોજાઈ હતી. જે પ્રતાપનગર વિસ્તારના રણમુકતેશ્વર મહાદેવ ખાતેથી નિકળી પથ્થરગેટ વિસ્તારના તાડફળિયા ખાતે આવેલા રામજીમંદિર ખાતે સંપન્ન થઈ હતી. આ સમગ્ર રૂટ સંવેદનશીલ વિસ્તાર હોવાથી પોલીસે અગાઉ બે શોભાયાત્રાઓ પર થયેલા ભારે પથ્થરમારાના પગલે અગમચેતીના પગલારૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો.એક તરફ પવિત્ર રમઝાન મહિનો ચાલુ છે તથા સમગ્ર લઘુમતી વિસ્તારોમાં સાંજ બાદ ધાર્મિક માહોલ સર્જાય છે ત્યારે આજે દિવસ દરમ્યાન થયેલા કોમી છમકલાઓ વધુ વકરે નહીં તે માટે પોલીસે ચારેબાજુ ઘોસ વધારી છે.વધુ વાંચો -
ભૂજના ઢોરી-છછી-ભોજરડોના માર્ગનું કામ અધૂરું છોડી દેવાતા લોકોમાં રોષ
- 12, માર્ચ 2023 01:30 AM
- 5369 comments
- 8998 Views
ભૂજ ભૂજના બન્ની વિસ્તારમાં આવતા ઢોરી ગામથી ભોજરડોને જાેડતા માર્ગ પર પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ૧૯ કિલોમીટર માર્ગ નિર્માણનું કાર્ય મંજૂર થયું હતું. પરંતુ ૩ કિલોમીટર સુધીના માર્ગ સિવાય ૧૬ કિલોમીટર સુધીના માર્ગ નિર્માણમાં ડામર પાથરવાનું કામ અધૂરું છોડી દેવાયું છે. જેના કારણે હવે આસપાસના ગ્રામજનો માટે પાકો રોડ બનવાનું સ્વપ્ન ફરી એક વખત અધરું રહ્યું છે. ખાસ કરીને બન્ની વિસ્તારમાં પ્રવાસન ઉદ્યોગને વેગ આપવાના ઉદ્દેશથી મંજૂર થયેલું કાર્ય વહીવટી આટીઘૂટીમાં અટકી પડ્યું છે. આ માટે સ્થાનિક લોકોએ તંત્રની ઉદાસીનતા અને કોન્ટ્રાકટર દ્વારા ગેરરીતિના કારણે કામ બંધ થયુ હોવાનો આક્ષેપ કર્યો હતો. દેશની આઝાદીના ૬૮ વર્ષ પછી બન્ની વિસ્તારના જાણીતા ઢોરી, છછી અને ભોજરડો ગામ માટે ૧૯ કી.મી રોડ મંજૂર થયો હતો, પરંતુ ૨ થી ૩ કિલોમીટર સુધીજ ડામર પાથરવામાં આવ્યો જ્યારે બકીનો માર્ગ અધૂરો છોડી દેવામાં આવ્યો છે. આ વિશે જૂથ ગ્રામ પંચાયતના સભ્ય અમીન હાજી જૂણેજાએ તંત્રની ઉદાસીનતાના કારણે કામ અટકી પડ્યું હોવાનું અને માર્ગ નિર્માણમાં ગેરરીતિ થઈ હોવાનું કહ્યું હતું. અત્રે નોંધનીય છે કે, માર્ગ નિર્માણ કરતી એજન્સીને આ માટે રૂ. ૧૪.૫૧ કરોડની રકમ પણ ચૂકવાઈ ગઇ છે. તેમ છતાં ત્રણ ગામને જાેડતા રોડમાં ડામર પાથરવાનું કામ થતું નથી. અલબત્ત જંગલખાતાએ આ માર્ગને એન.ઓ.સી.ના નામે અટકાવી દીધું હોવાનું કારણ દર્શાવવામાં આવ્યું છે. જાેકે, વર્ક ઓડર બાદ મેટલનું કામ પૂર્ણ થયું ત્યાં સુધી જંગલખાતા દ્વારા આ કામ કેમ અટકાવવામાં ન આવ્યું ? તે તપાસનો વિષય હોવાનું લોકોએ કહ્યું હતું. દરમિયાન કામ અટકી જતા સ્થાનિક લોકોને અવરજવર માટે વધુ પરેશાની ઉભી થઇ રહી છે. ખાસ કરીને કોઈ વ્યક્તિને બીમારીમાં તાકીદની સારવાર માટે ખસેડવામાં પારાવાર હાલાકી ભોગવવી પડે છે. ત્યારે સંબધિત તંત્ર દ્વારા આ મામલે યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવે એવી માગ ઊઠી છે.વધુ વાંચો -
ગુમ થયેલા એકના એક પુત્રને શોધી આપવા પરિવારે ભચાઉ પોલીસ મથકે ધરણાં કર્યા
- 12, માર્ચ 2023 01:30 AM
- 9645 comments
- 3253 Views
ભચાઉ,ભચાઉ તાલુકાના કબરાઉ ગામ સામે આવેલી સરકાર હસ્તકની આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ કરતો ૧૪ વર્ષીય કિશોર છેલ્લા ૬ દિવસથી ગુમ થયો છે. જે અંગેની ગુમનોંધ પરિજનોએ ભચાઉ પોલીસમાં કરાવી હતી. પરંતુ એક સપ્તાહનો સમય થવા આવ્યો છતાં લાપતા કિશોરનો હજુ સુધી કોઈ પત્તો મળી શક્યો નથી. શ્રમજીવી પરિવારના એકનાએક પુત્રને શોધી આપવા અનુસૂચિત જ્ઞાતિના લોકો દ્વારા ભચાઉ પોલીસ મથકમાં આજીજી કરવામાં આવી રહી છે અને પરિજનો સાથે મોટી સંખ્યમાં સમાજનાં ભાઈઓ બહેનો ધરણા પર બેસી ગયા છે. ખાસ કરીને ગુમસુદા પુત્રની માતાએ અન્નજળનો ત્યાગ કર્યો હોવાનો દાવો ઉપસ્થિત અગ્રણીઓએ કર્યો છે. ત્યારે સંબધિત તંત્ર દ્વારા આ મામલે યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે એવી માગ ઉઠી છે. ભચાઉના ભટ્ટપાળિયા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારનો પુત્ર ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાને લઇ કબરાઉ નજીકની આદર્શ નિવાસી શાળામાં રહી અભ્યાસ કરતો હતો. પાર્થ રૂપેશ મકવાણા નામનો કિશોર ગત તા. ૬થી લાપતા બન્યો છે. કિશોરની શોધખોળ માટે પરિવાર અને સમાજના અગ્રણીઓ , સ્નેહીજનો દ્વારા પોલીસમાં નોંધ કરાવ્યાની સાથે ખાનગીરાહે પણ શોધ આદરી હતી. દરમિયાન ગુમસુદા કિશોરના પરિજનો દ્વારા ગઈકાલથી ભચાઉ પોલીસ મથકે ધરણા પર બેસી કિશોરને શોધી આપવા આજીજી કરી રહ્યા છે.વધુ વાંચો -
ભુજમાં વ્યાજખોરી કરનાર બે મહિલા સહિત ત્રણ આરોપીને ઝડપી પાડ્યાં
- 05, માર્ચ 2023 01:30 AM
- 8658 comments
- 8410 Views
ભુજ ભુજમાં વ્યાજખોરી કરતા બે મહિલા સહિત ત્રણ આરોપીની માનકુવા પોલીસે અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વ્યાજખોરી સામે સખ્તપણે કાર્યવાહીના દિશા નિર્દેશ અન્યવે ભુજના ત્રણ સામે વ્યાજખોરી સબબ માનકુવા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ કેસમાં સો ટકા રિકવરી કરી રજૂઆત કર્તાને ન્યાય અપાવ્યો હતો. ભુજના ગણેશ નગરમાં રહેતા ૩૦ વર્ષીય અરજદાર દીનેશ રમેશ ગુંસાઇએ વ્યાજખોરીની કરેલી રજૂઆતની માનકુવા પોલીસે તપાસ કરી ભૂજના બે મહિલા સહિત ત્રણ વિરૂધ્ધ માનકુવા પોલીસ સ્ટેશનમાં વ્યાજે નાણાં ધીરધાર સહિતની કલમો તળે ગુનો દાખલ કરવામા આવ્યો હતો. આ કામના આરોપીઓ (૧) ધિરેન્દ્ર ઉર્ફે જીગો ભગવતીપ્રસાદ દવે ઉં.વ.૨૮ રહે.છઠ્ઠીબારી રીંગરોડ વેરાઇ કૃપા એપાર્ટમેંટ ત્રીજાે માળ ભુજ તથા (૨) દિક્ષીતાબેન દવે ઉ.વ.૩૫ રહે. રહે.છઠ્ઠીબારી રીંગરોડ વેરાઇ કૃપા એપાર્ટમેંટ ત્રીજાે માળ ભુજ અને (૩) પિન્કીબેન દિવ્યાગભાઇ ગૌસ્વામી ઉ.વ.૩૦ રહે.ગણેશનગર ભુજ તા.ભુજ વાળાને સદર ગુનાના કામે અટક કરી આરોપી ધિરેન્દ્ર ઉર્ફે જીગો ભગવતીપ્રસાદ દવે ઉ.વ.૨૮ રહે.છઠ્ઠીબારી રીંગરોડ વેરાઇ કૃપા એપાર્ટમેંટ ત્રીજાે માળ ભુજ વાળાને સાથે રાખી તેના ઘરની ઝડતી તપાસ કરતા ફરીયાદી પાસેથી લીધેલો મોબાઈલ ફોન તથા રોકડા રૂપીયા મળી આવ્યાં હતા. જે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.વધુ વાંચો -
શિવાલયોમાં ‘હર હર મહાદેવ’નો નાદ ગુંજ્યો
- 19, ફેબ્રુઆરી 2023 01:30 AM
- 5070 comments
- 627 Views
સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રથમ ધ્વજા પૂજન કરી અને શિવરાત્રિ મહોત્સવનો મંગલ પ્રારંભ કરાયો હતો. આજે સોમનાથ તીર્થમાં સમગ્ર દેશભરમાંથી તેમજ અનેક ભાવિકો વિદેશોમાંથી પણ સોમનાથ પહોંચ્યા હતા. સવારે ચાર વાગ્યે મંદિર ખુલ્યું ત્યારથી ભાવિક હાથમાં બીલીપત્ર અને પુષ્પો લઈ લાંબી કટારોમાં ઊભા હતા અને ક્યારેય ભગવાન સોમનાથ મહાદેવના દર્શન થાય તેની રાહમાં હતા. સમગ્ર સોમનાથ તીર્થ આજે હર હર મહાદેવ અને જય સોમનાથના નાદથી ગુંજી રહ્યું છે. ગીર સોમનાથમાં મહાશિવરાત્રિના પાવન પર્વે સોમનાથ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઊઠ્યું હતું. તો સોમનાથ મંદિરને વિવિધ રંગબેરંગી ફૂલોના દિવ્ય શણગારથી સજાવવામાં આવ્યું છે. વહેલી સવારે સોમનાથ દાદાના મંદિરમાં આરતીનો લાભ લેવા ભાવિકો દર્શને મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા. મંદિરમાં ભક્તોની લાંબી કતાર સાથે ભારે ભીડ જાેવા મળી હતી. તો આજે સોમનાથ મંદિરે અનેકવિધ અગ્રણીઓ સાધુ સંતો તેમજ લાખોની માત્રામાં ભાવિક ભક્તો પણ સોમનાથમાં ઉમટશે. આમ સતત ૪૨ કલાક સુધી સોમનાથ તીર્થ હરણના નાદથી ગુંજતું રહેશે.મુકેશ અંબાણી અને પુત્ર આકાશ અંબાણીએ મહાશિવરાત્રી પર્વ પર સોમનાથ ના દર્શન કર્યા મહાશિવરાત્રીના પાવન પર્વ પર મુકેશ અંબાણી તેમજ પુત્ર આકાશ અંબાણી સોમનાથ મહાદેવના દર્શને કર્યા હતા. સાથે તેઓએ જલાભિષેક કરી સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી પણ અર્પણ કરી હતી. સોમનાથ ટ્રસ્ટના પૂજારી દ્વારા તેઓનું ચંદન અને ઉપવસ્ત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે મુકેશ અંબાણીએ સોમનાથ મહાદેવની મહાપૂજા, સોમેશ્વર પૂજા, ધ્વજા પૂજા ના સંકલ્પ કરી પૂજામાં ભાગ લીધો હતો. તેમજ મુકેશ અંબાણી દ્વારા સોમનાથ ટ્રસ્ટને ૧.૫૧ કરોડનું અનુદાન આપવામાં આવ્યું હતું. ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રી મેળાની ઉજવણી ભવનાથ મહાદેવ મંદિર એક પ્રાચીન મહાદેવનું મંદિર છે. ગિરનાર પર્વતની તળેટીમાં આવેલું, તે ગુજરાતના સૌથી લોકપ્રિય મંદિરોમાંનું એક છે અને જૂનાગઢમાં શ્રદ્ધાળુઓ નું આસ્થાનું કેન્દ્ર છે .માત્ર શિવરાત્રી પર જ નહિ પરંતુ ૩૬૫ દિવસ આ મંદિરમાં ભક્તો ભવનાથ મહાદેવના દર્શને આવી ધન્યતા અનુભવે છે ત્યારે શિવરાત્રી ના મેળો હાલ જામ્યો છે ત્યારે લોકો બહોળી સંખ્યા માં મહાદેવના દર્શને ઉમટી પડ્યા હતા હર હર મહાદેવના નાથ સાથે અલગ અલગ અખાડાના રથો બેન્ડ,વાજા, ઢોલ,શરણાઈના સૂર ભક્તિભાવ સાથે નીકળશે ત્યારે લાખોના અવિરત પ્રવાહ થી યોજાતા શિવરાત્રી મેળામાં હર હર મહાદેવના નાથ સાથે આખરી કલાકો તરફ જઈ રહ્યું છે .ત્યારે વહીવટી તંત્ર પોલીસ તંત્ર પણ રવેડી ને લઇ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મેળાને આખરી ઉપ આપી રહ્યા છે. જામનગરના શિવાલયોમાં ભક્તોની લાંબી કતારો છોટી કાશીના ઉપનામથી પ્રચલિત એવા જામનગર શહેરમાં અનેક શિવાલયો આવેલા છે. ત્યારે આજે મહાશિવરાત્રિના પાવનકારી પર્વને લઈને ભોળાનાથને રીઝવવા માટે શિવભક્તો જુદા જુદા શિવ મંદિરોમાં ઉમટી પડ્યા હતા. હર હર મહાદેવના નાદ સાથે રુદ્ર અભિષેક, જલાભિષેક સહિતની પૂજા અર્ચના કરી હતી. ભોળાનાથને રીઝવવાનો પ્રયત્ન કર્યો હતો. છોટી કાશીનું બિરુદ પામેલા જામનગર શહેરમાં અનેક પુરાણા પ્રસિદ્ધ સિધ્ધનાથ મહાદેવ મંદિર ભીડભંજન મહાદેવ મંદિર કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, ઓમકાલેશ્વર મહાદેવ વેદનાથ મહાદેવ, નર્મેશ્વર મહાદેવ, ગૌરીશંકર મહાદેવ સહિતના અનેક શિવાલયોમાં આજે મહાશિવરાત્રિના પાવનકારી પર્વને લઈને શિવ ભક્તો દર્શન માટે લાંબી કતારો લગાવી હતી અને શિવભક્તો દ્વારા પૂજા અર્ચના કરી હતી તેમજ સમગ્ર શહેરમાં શિવમય વાતાવરણ પર જાેવા મળ્યું હતું. પંચેશ્વર ટાવર સિધ્ધનાથ મહાદેવ મંદિરના દ્વારે ભગવાન શિવજીના મહાપ્રસાદ એવા ભાંગના વિતરણ માટેના કેન્દ્રો પણ ઊભા થયા હતા ત્યાં ભક્તો ભાવિકો કે પ્રસાદ લેવા માટે કતારો લાગી હતી. જામનગર શહેરમાં પ્રતિવર્ષ શિવરાત્રીના પાવનકારી પર્વને લઈને શોભા યાત્રા નીકળે છે જે પરંપરા મુજબ આ વખતે પણ ૪૨મી શોભા યાત્રા સાંજે યોજાશે. ભુજમાં શિવરાત્રિ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી વિશાળ શોભાયાત્રાએ લોકોમાં આકર્ષણ જમાવ્યું ભગવાન ભોળાનાથના પર્વ મહા શિવરાત્રિની સમગ્ર કચ્છમાં હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે ભાવિકો ઉજવણી કરી રહ્યા છે. ત્યારે ભુજ શહેરમાં સમસ્ત સનાતન હિન્દૂ સમાજ દ્વારા આ પ્રસંગે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં ટ્રેકટર, ટ્રેલર અને જીપ સહિતના ૩૦થી વધુ વાહનો શણગાર સાથે જાેડાયા હતા. જેમાં ભક્તો ધાર્મિક ગિતો પર ઝૂમતા જાેવા મળ્યા હતા. તો મોટેરા સાથે નાના બાળકો પણ શીવમગ્ન બન્યા હતા. બાળ શંકર બનેલા શિવજી સાથે લોકોએ સેલ્ફી લેવાનો આંનદ માણ્યો હતો. શહેરના પારેશ્વર ચોકથી પ્રસ્થાન પામેલી શૉભાયાત્રા જ્યુબિલિ સર્કલ થઈ ધીંગેશ્વર મહાદેવ મંદિરે સમાપન થઈ હતી. આ પ્રસંગે રામ મંદિર સામે હમીસર તળાવ કિનારે આયોજિત જમણવારનો અંદાજિત ૧૫ હજાર લોકોએ લાભ લીધો હતો. બીજી તરફ હાટકેશ્વર મંદિર , ધીંગેશ્વર મંદિર સહિતના શિવમંદિરોમાં શિવલિંગના દર્શન માટે ભાવિક ભક્તોની કતારો જાેવા મળી હતી. આજે શિવરાત્રિના મહા પર્વે સમગ્ર કચ્છના શિવ મંદિરો હર હર ભોલેના નાદથી ગાજી ઉઠ્યા હતા. ઢોલ-નગારાના તાલે મહાદેવની શોભાયાત્રામાં કાઠિયાવાડી પરિધાનમાં યુવાનોએ ગરબાની રમઝટ બોલાવી આજે મહાશિવરાત્રિ છે, ત્યારે રાજકોટ જિલ્લાના સૌથી મોટા મહાદેવ મંદિર ઘેલા સોમનાથમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. સવારથી જ ઘેલા સોમનાથ દાદાના દર્શન કરવા ભાવિકો ઉમટી રહ્યા છે. તેમજ દર્શન માટે મંદિરમાં ભાવિકોની લાંબી લાઈન જાેવા મળી રહી છે. ઢોલ-નગારાના તાલે ઘેલા સોમનાથ દાદાની શોભાયાત્રા યોજાઇ હતી. જેમાં યુવાનોએ કાઠિયાવાડી પરિધાનમાં સજ્જ થઈ ગરબાની રમઝટ બોલાવી હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતા. મહાસતી મીનળદેવી દ્વારા ૧૫મી સદીને સ્થાપિત પવિત્ર ઘેલા નદીના કિનારે આવેલ અને ભારતની બાર જ્યોતિર્લિંગ જેટલું જ મહત્વ ધરાવતી ઘેલાસોમનાથ મહાદેવની સુપ્રસિદ્ધ શિવલિંગનું અનેરૂ મહત્વ છે. આજે સવારના ૫ઃ૩૦ કલાકે મંગળા આરતી કરવામાં આવી હતી. તેમજ ઘેલાસોમનાથ દાદાના ભક્તોને સવારના છથી સવારના ૧૦ કલાક સુધી રુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઘેલા સોમનાથની નજીક આવેલ સોમપીપળીયા ગામથી ભગવાનની શોભાયાત્રા યોજાઈ હતી. રાજકોટ કલેક્ટર અરૂણ મહેશ બાબુએ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. શોભાયાત્રામાં સામાજિક, રાજકીય અને રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ વડા સહિત મોટી સંખ્યામાં ભક્તો જાેડાયા હતા. તેમજ બપોરના ૧૨ઃ૩૦ કલાકે મહાઆરતી કરવામાં આવી હતી. ભાવનગરના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું દેવોનાં દેવ મહાદેવને પ્રસન્ન કરવાના પર્વ મહાશિવરાત્રિની આજે સમગ્ર ગોહિલવાડમાં ભારે આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. મહાશિવરાત્રિ અન્વયે શહેર-જિલ્લામાં આવેલા શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જાેવા મળી હતી. ભાવેણાનું આસ્થાનું પ્રતિક એવું મંદિર એટલે ‘તખ્તેશ્વર મહાદેવ’. આ મંદિર ભાવનગર જિલ્લાના મુખ્ય મથક ભાવનગર શહેરની મધ્યમાં નાનકડી ટેકરી પર આવેલું શિવલિંગ ફરતે સોનાનો થાળ ધરાવતું મંદિર છે. જે સંપૂર્ણપણે સફેદ આરસપહાણના પથ્થરો વાપરીને ઉંચી પ્લીંથ પર બનાવવામાં આવેલું છે. આજે મહાશિવરાત્રિ નિમિતે આ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ભાવનગર શહેરમાં સુભાષનગર વિસ્તારમાં આવેલા શિવ વિહાર ટ્રસ્ટના ભગવાનેશ્વર મહાદેવ મંદિરમાં આજે મહાશિવરાત્રિ નિમિતે ભક્તોની ભારે ભીડ જાેવા મળી હતી, જ્યાં ભક્તોએ મહાદેવની દુધના અભિષેક સાથે પૂજા કરી હતી. ઉપરાંત આજે પ્રસાદી રૂપે દરેક શિવાલયોમાં ભાંગની પ્રસાદી પણ આપવામાં આવી હતી. મહાશિવરાત્રિ પર્વની ભાવનગર શહેર-જિલ્લામાં હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી રહી છે, શિવ ભક્તો વહેલી સવારથી મોડી રાત સુધી શિવાલયોમાં ભીડ જમાવી મહાદેવની પૂજા અર્ચના કરશે. ભોળાનાથને પ્રિય ભાંગનો પ્રસાદ ચડાવાશે. સાથે જ અલગ અલગ પદાર્થોનો અભિષેક કરી સુરક્ષાની કામનાઓ કરાશે. શહેરમાં આવેલા પ્રાચિન શિવાલયો જેમાં જશોનાથ મહાદેવ, તખ્તેશ્ર્વર મહાદેવ, ગંગનાથ મહાદેવ સહિતના શિવાલયોમાં શિવભક્તોનો મેળો જામશે. શહેરમાં આવેલા શિવ મંદિરોને સુંદર શણગાર તથા રોશનીથી ઝળહળતા કરવામાં આવ્યાં છે. ઉપરાંત જિલ્લાના ઐતિહાસિક મહત્વ ધરાવતા નિષ્કલંક, ગોપનાથ, સિહોર ગૌવતમેશ્ર્વર સહિતના શિવાલયમાં ભક્તો ઉમટી પડવાની પુરેપુરી શક્યતા જાેવાઈ રહી છે. શ્રધ્ધાળુઓ આજે ઉપવાસ રાખી ફળાહારમાં શક્કરીયા, સામો, રાજગરો, બટેટા, સાબુદાણા તથા ફળફળાદિ આરોગી ભાંગનો પ્રસાદ ગ્રહણ કરશે. અનેક શિવાલયોમાં હોમાત્મક લઘુરૂદ્ર, સહિતના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આજના દિવસે શિવજીની ત્રણ પ્રહરની મહાપૂજાનું વિશેષ મહાત્મ્ય શાસ્ત્રોમાં વર્ણવ્યું છે. આથી આધિ-વ્યાધિ, ઉપાધિમાંથી અને સાંસારિક વિટંબણાઓમાંથી મુક્ત થવા જીવ શિવના શરણે જશે. ભોળાનાથના દર્શન માટે ભક્તો ઊમટ્યાં દેવાધિદેવ મહાદેવની આરાધનાના પર્વ મહાશિવરાત્રિની આજે શહેરભરનાં શિવાલયોમાં ભાવ, ભક્તિ અને શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરનાં શિવાલયોએ આજે અનેરો શણગાર સર્જ્યો હતો તેમજ પરોઢથી ચાર પ્રહરની પૂજા-વિધિનો આરંભ કરવામાં આવ્યો હતો. લઘુરૂદ્ર યજ્ઞ, રૂદ્રાભિષેક, રૂદ્રી પાઠ, શિવમહિમ્ન શ્રોત, શિવશૃંગાર, મધ્યાહ્ન તથા સંધ્યાકાળે મહાઆરતી, બપોરના સમયે બટુકભોજન, ફરાળી પ્રસાદ વિતરણ, ભાંગ વિતરણ અને ચાર પ્રહરની પૂજા સાથે શહેરના પ્રત્યેક શિવાલયોમાં હર હર મહાદેવના નાદ ગૂંજી ઊઠ્યા હતા. મહાશિવરાત્રિ નિમિત્તે પંચનાથ મહાદેવ, જાગનાથ મહાદેવ, રામનાથ મહાદેવ, ધારેશ્વર મહાદેવ, કોઠી કમ્પાઉન્ડમાં આવેલા કોટેશ્વર મહાદેવ, એરપોર્ટ ફાટક પાસેના મહાકાલેશ્વર મહાદેવ, કાશી-વિશ્વનાથ મહાદેવ, જંકશન પ્લોટમાં ગીતા વિદ્યાલય, રણછોડદાસ બાપુ આશ્રમ સહિત સર્વત્ર ભક્તોની ભીડ ઊમટી હતી. આજી નદીના મધ્યમાં બિરાજતા રામનાથ મહાદેવને મનાવવા ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હોય એ પ્રકારના દૃશ્યો સામે આવ્યા છે. સવારે અભિષેક, પૂજન, મહાઆરતી, ભાંગ વિતરણ તથા પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોવાનું મહંત કપિલગિરી ગોસ્વામીએ જણાવ્યું હતું. ભક્તો પોતાની આસ્થા અને શક્તિ પ્રમાણે દેવાધિદેવ મહાદેવ ભોળાનાથ પર દૂધ, દહીં, ઘી, ગંગાજળ, નાગકેસર સહિતનાં દૃવ્યોથી ભગવાન ભોળાનાથનો અભિષેક કરી રહ્યા છે.વધુ વાંચો -
ભુજના માધાપર હાઇવે આમલેટની હંગામી દુકાનમાં મધરાતે આગ લાગી
- 14, ફેબ્રુઆરી 2023 09:57 PM
- 9458 comments
- 560 Views
ભુજ,તા.૧૪ભુજ પાસેના માધાપરમાં ગત મધ્યરાત્રિએ એક અમલેટની હંગામી દુકાનમાં આગ લાગી ઉઠતા વિવિધ તંત્રમાં ભાગદોડ મચી ગઇ હતી. શહેરના જુના રેલવે સ્ટેશન રોડ પાસેની શક્તિ હોટેલ નજીક આગની આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ દ્વારા તુરંત ઘટનાસ્થળે પહોંચી ફાયર ફાઇટરની મદદ વડે આગ પર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો હતો. આગના પગલે ફાયર સાથે પોલીસ અને હોમગાર્ડ યુનિટ સહિતના તંત્ર આગ બુઝાવની કામગીરીમાં વ્યસ્ત બન્યા હતા. જાેકે આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. ભુજ શહેર પાસેના માધાપર હાઇવે પર આવેલી શક્તિ હોટલની સામે ગત રાત્રિના ૧.૪૫ વાગ્યાના અરસામાં એક આમલેટની હંગામી દુકાનમાં કોઈ કારણોસર આગ લાગી ઉઠી હતી. આગની ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ થતા ફાયરટીમ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. દરમિયાન આગના સ્થળ રહેલી વિજ ડીપીને વિજ વિભાગને જાણ કરી વિજલાઈન બંધ કરવામાં આવી હતી. રાત્રિનો સમય હોવાથી જાનહાની ટડી હતી, જાેકે કેબિન સહિતની સામગ્રી આગમાં બળીને ખાક થઈ ગઈ હતી. આ કામગીરીમાં ફાયરના મહમદભાઈ જત અને સ્ટાફના લોકો જાેડાયા હતા, તો પોલીસની એક નંબર મોબાઈલ તથા ભુજ શહેર હોમગાર્ડસના કમાન્ડિંગ ઓફિસર વારીશ પટણી તથા ગૌરંગ જાેશી. અમન દનીચા, મુસ્તાક પઢીયાર, ફારૂક સમા સહિતના હોમગાર્ડ જવાનો પણ બનાવ સ્થળ પહોંચી આગ બુઝાવની કામગીરીમાં મદદરૂપ બન્યા હતા.વધુ વાંચો -
મુદ્રાના કેરામાં ફરી એકવાર ઓવરલોડ પથ્થરો ભરેલા ચાર ડમ્પર ઝડપાયા
- 20, જાન્યુઆરી 2023 01:30 AM
- 6803 comments
- 7327 Views
મુદ્રા, તાલુકાના કેરા ગામે ફરી એકવાર સ્ટોન બોલ્ડર પથ્થરો ભરેલા ઓવરલોડીંગ ડમ્પરો સાથે ચાર ઇસમોને માનકુવા પોલીસે ઝડપી લીધા હતા.અગાઉ પણ આરટીઓ અને ખાણ ખનીજ વિભાગને કરવાની થતી આ કાર્યવાહી સ્થાનિક પોલીસે કરી હતી. માનકુવા પોલીસના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે કેરા ગામેથી કેરા મુન્દ્રા રોડ ઉપર પહોચતા ચાર સ્ટોન બોલ્ડર પથ્થરો ભરેલા ડમ્પર જતા હોઈ રોકવામાં આવ્યા હતા તેમજ ચાલકો પાસેથી રોયલ્ટી તેમજ આધાર-પુરાવા માંગતા મળી આવ્યા ન હતા.ઓવરલોડીંગ તથા તાડપત્રી ઢાંક્યા વગર ડમ્પરો મળી આવતા વાહન વ્યવહાર કચેરી તથા ખાણ ખનીજ કચેરીને લગતી કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે.ડમ્પર સાથે રાજેશભાઈ કરશનભાઈ ચાવડા (કણજરા),૨ઘુવિરસિંહ ખેંગારજી જાડેજા (ગુંદાલા),અબ્બાસ અલીમામદ બાયડ(પત્રી) અને રજાક ઇસ્માઇલ કાતીયાર (બેરાજા)ની અટક કરવામાં આવી હતી.વધુ વાંચો -
ભુજ શહેરમાં ૧૫ જેટલી બંધ કેબિનો ઉઠાવાઈ, ૪૦ને અંદર ખસેડી દેવાઈ
- 17, જાન્યુઆરી 2023 11:14 PM
- 6452 comments
- 9632 Views
ભુજ,તા.૧૭ભુજ શહેરમાં મુન્દ્રા રોડ ઉપર રોડને અડોઅડ દબાણ થવા લાગ્યા છે, જેથી છેલ્લા ૨ દિવસ દરમિયાન ૧૫ જેટલી બંધ કેબિનો ઉઠાવી લેવાઈ છે અને ૪૦ જેટલા ધંધાદારીઓને તેમના લારી ગલ્લા છેક અંદરના ભાગે ખસેડી લેવાયા છે, જેથી માર્ગ ખુલ્લો થઈ ગયો છે અને વાહનોને પાર્કિંગ માટે વિશાળ જગ્યા મળી ગઈ છે. ફેબ્રુઆરીમાં જી-૨૦ સમીટને પગલે તમામ તંત્રો હરકતમાં આવી ગયા. જ્યાંથી કાફલો પસાર થવાની શક્યતા હોય એ તમામ ગામડાઓ અને શહેરને સ્વચ્છ સુંદર રાખવા ઉપરાંત દબાણો પણ હટાવાઈ રહ્યા છે, જેમાં ભુજ શહેરમાં ભાનુશાલી નગર સામે સરકારી કચેરીઓને ઢાંકી દેતા દબાણો થઈ ગયા છે. ત્યાં સુધી તંત્રની આંખે ચડ્યા ન હતા. પરંતુ, હવે જી-૨૦ સમીટને પગલે ભુજ નગરપાલિકાની દબાણ શાખા અને સેનિટેશન શાખાને સાથે રાખીને હટાવાયા છે. આર્મી કેમ્પ પાસે જિલ્લા ફાયર સ્ટેશન માટે જગ્યા મંગાઈ હતી અને દબાણ હટાવવા કહેવાયું હતું ત્યારે મામલતદારે નગરપાલિકાને ખો આપી દીધી હતી. હકીકતમાં એ દબાણો મામલતદાર, સિટી સર્વે સહિતની કચેરીઓએ હટાવવાના હોય છે.વધુ વાંચો -
હવે પ્રવાસીઓ ભુજ એરપોર્ટથી હેલિકોપ્ટરમાં ધોરડો જઇ શકશે
- 14, જાન્યુઆરી 2023 01:30 AM
- 9397 comments
- 1659 Views
ભૂજ, ધોરડો ખાતે રણોત્સવની લોકપ્રિયતા દર વર્ષે વધી રહી છે. જાેકે ધોરડો સુધી પહોંચવા માટે કા પોતાનું વાહન હોવુ જાેઇએ અથવા પેકેજ બુક કરેલુ હોવુ જાેઇએ. તેવામાં હવે ધોરડો સુધી પહોંચવા એક નવી સુવિધા ઉમેરાઇ છે. ભુજ એરપોર્ટથી પ્રવાસીઓ માટે ચાર્ટર્ડ હેલિકોપ્ટરની સુવિધા ઉપલબ્ધ થઇ છે. એક ખાનગી એવિયેશન કંપની દ્વારા ધોરડો સફેદ રણથી ભુજ એરપોર્ટ સુધી ચાર્ટર્ડ સર્વિસ શરૂ કરવામાં આવી છે. ગુજરાતની ખાનગી એવિયેશન કંપની વેસ્ટર્ન બર્ડ એવિયેશન સર્વિસ દ્વારા રણોત્સવમાં છેલ્લા ચાર વર્ષથી હેલિકોપ્ટર જાેય રાઈડની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે આ વર્ષે જાન્યુઆરી મહિનાની શરૂઆત સાથે ફરી આ નવી સેવાનું આકર્ષણ શરૂ કરવામાં આવ્યું છે. આ માટે કંપની દ્વારા ધોરડો ખાતે બનાવાયેલ હેલિપેડ પર એક ઇ૬૬ હેલિકોપ્ટર મૂકવામાં આવ્યું છે, જેમાં પાઇલોટ ઉપરાંત એક સાથે ચાર પ્રવાસીઓ સફર માણી શકે છે. પ્રવાસીઓને ધોરડો સફેદ રણથી ભુજ એરપોર્ટ સુધીની ચાર્ટર્ડ સેવા પણ મળી રહે તેવી વ્યવસ્થા કંપની દ્વારા શરૂ કરવામાં આવી છે. સામાન્યપણે ભુજથી સફેદ રણ સુધીનો ૯૦ કિલોમીટરનો પ્રવાસ પૂર્ણ કરવામાં પ્રવાસીઓને દોઢ કલાક જેટલો સમય નીકળી જતો હોય છે. ત્યારે પ્રવાસ પર સમય ન બગાડવા માગતા પર્યટકો માટે હવે ધોરડો હેલિપેડથી ભુજ એરપોર્ટ સુધીની ચાર્ટર્ડ સર્વિસ શરૂ કરવા પણ હાલ ર્નિણય કરવામાં આવ્યું છે. કંપનીને આ મુદ્દે જાણ કરાતા તેઓ પ્રવાસીઓના સમયની અનુકૂળતાએ ભુજ એરપોર્ટ સાથે સંકલન કરી ઉડાન સમય નક્કી કરે છે. તો આ માટે એન્ડ ટુ એન્ડ ચાર્જ લેવામાં આવે છે.વધુ વાંચો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ