કચ્છ સમાચાર
-
કચ્છમાં ડ્રોનથી ટપાલની ડિલિવરી ૨૫ મિનિટમાં ૪૭ કિમી દૂર પાર્સલ પહોંચાડાયું
- 29, મે 2022 01:30 AM
- 7864 comments
- 9776 Views
કચ્છ, દેશમાં પ્રથમ વખત સૌથી મોટા અને સરહદી કચ્છ જિલ્લામાં ટપાલ વિભાગ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. અત્યારસુધી ડ્રોનનો ઉપયોગ ફોટોગ્રાફી માટે થતો હતો, પણ હવે એનો ઉપયોગ ટપાલને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે થઈ રહ્યો છે. ડ્રોનથી ટપાલસેવાની શરૂઆત કરવા માટે પોસ્ટ વિભાગ દ્વારા સરવે કરવામાં આવ્યો હતો, જેમાં ભુજ તાલુકાના હબાયથી ભચાઉના નેર ગામની પસંદગી કરવામાં આવી હતી અને ૨ કિલોનું પાર્સલ ફક્ત ૨૫ મિનિટમાં ૪૭ કિલોમીટર દૂર પહોંચ્યું હતું. ડ્રોન મારફત ટપાલસેવા પહોંચતી કરવાના ટ્રાયલ બેઝના આધારે સફળ પરીક્ષણ કરાયું હતું. સવારે ૯ઃ૧૧ કલાકે હબાયથી રવાના કરવામાં આવેલું પાર્સલ ૯ઃ૩૬ કલાકે ભચાઉ તાલુકાના નેર ગામે પહોંચ્યું હતું, જ્યાં પોસ્ટ વિભાગની બીજી ટીમ પણ હાજર હતી. ૨૫ મિનિટમાં હબાયથી નેર સુધીનું અંદાજિત ૪૭ કિલોમીટરનું અંતર કાપી ડ્રોન મારફત દવાઓનું પાર્સલ સફળ રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું. ટ્રાયલ બેઝની ચકાસણી બાદ સરકાર દ્વારા સત્તાવાર માહિતી આપી ડ્રોન ટપાલસેવા ચાલુ કરવામાં આવશે એવું જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે અગાઉના જમાનામાં આધુનિક સેવાઓ ન હતી ત્યારે સંદેશા પહોંચાડવા કબૂતરનો ઉપયોગ થતો હતો, ડ્રોનથી પાર્સલ કે પત્ર પહોંચાડવાની આ હિલચાલ ગ્રામીણ લોકોને ખૂબ પસંદ આવી છે.વધુ વાંચો -
મુન્દ્રા પોર્ટ પરથી ૫૦ કિલો ડ્રગ્સ ઝડપાયું ઉડતા ગુજરાત ?
- 27, મે 2022 01:30 AM
- 4108 comments
- 4156 Views
મુન્દ્રા, કચ્છના મુન્દ્રા પોર્ટ ખાતે એક ઈમ્પોર્ટ કરવામાં આવેલા કન્ટેનરમાંથી ૫૦ કિગ્રા કરતાં પણ વધારે વજનનું સિન્થેટિક ડ્રગ્સ ઝડપાયું છે. મુન્દ્રા પોર્ટ ખાતે ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે એક કન્ટેનર અટકાવીને તેની તપાસ હાથ ધરી હતી. કન્ટેનરમાં મીઠું હોવાનું ડિક્લેરેશન ધરાવતા આ કન્સાઈનમેન્ટમાંથી ૫૦ કિગ્રા કરતાં વધારે વજન ધરાવતો સિન્થેટિક ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ કન્ટેનર ઈરાનથી વાયા દુબઈ થઈને મુન્દ્રા પહોંચ્યું હતું અને ડ્રગ્સના સેમ્પલને નાર્કોટિક્સ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. તપાસ બાદ તે હેરોઈન છે કે અન્ય કોઈ ડ્રગ તે અંગેનો ખુલાસો થઈ શકશે. આ સાથે જ કન્ટેનરમાં રહેલા સમગ્ર જથ્થાની તપાસ પણ હાથ ધરવામાં આવી છે.જીએમડીસી ગ્રાઉન્ડ પાસેથી એમડી ડ્રગ્સ મળ્યું જીએમડીસી ગ્રાઉન્ડ પાસેથી ડીસીપી ઝોન ૧ સ્ક્વોડ અને લોકલ પોલીસે એમડી ડ્રગ્સ સાથે એક યુવતીને ઝડપી હતી. પોલીસ તપાસમાં યુવતીએ એક યુવકનું નામ આપ્યાની વિગતો ખુલી છે. ડ્રગ્સ સાથે પકડાયેલી યુવતી ગોતા વિસ્તારમાં રહેતી હોવાની વિગતો પોલીસને મળી છે. આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એકટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે. ડીસીપી ઝોન ૧ લવીના સિંહાના સ્ક્વોડને બાતમી મળી હતી કે, ગોતા ચાંદલોડિયા ખાતે રહેતી યુવતી એમડી ડ્રગ્સ સાથે જીએમડીસી ગ્રાઉન્ડ પાસેથી પસાર થવાની છે. બાતમીના આધારે ઝોન ૧ સ્કોડે અને વસ્ત્રાપુર પોલીસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની યુવતી પસાર થતા મહિલા પોલીસે તેને ચેક કરી હતી. યુવતી પાસેથી ૪ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. વસ્ત્રાપુર પોલીસે આ અંગે ડ્રગ્સ સાથે મળી આવેલી જ્યોતિકા દીપકભાઈ ઉપાધ્યાય રહે, શિવ કેદાર ફ્લેટ, ચાંદલોડિયા-ગોતાની ધરપકડ કરી હતી.બીએસએફની ટીમે હરામી નાળા પાસેથી બે પાકિસ્તાનીને ચાર ફિશિંગ બોટો સાથે ઝડપ્યાં ગાંધીનગર, ગુજરાતના કચ્છ જિલ્લાના સરહદી વિસ્તાર અને ચર્ચાસ્પદ એવા હરામીનાળા વિસ્તારમાંથી સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના જવાનોએ બે પાકિસ્તાની માછીમારને ઝડપી લીધા હતા. જયારે ચાર પાકિસ્તાની ફિશિંગ બોટ મળી આવતા બીએસએફના જવાનોએ ચાર બોટને કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતનો કચ્છ જિલ્લો પાડોશી દેશ પાકિસ્તાનની દરિયાઈ તેમજ જમીની સરહદની સાથે જાેડાયેલો છે. કચ્છ જિલ્લાનો દરિયાઈ સીમા વાળો હરામીનાળા અને ક્રિક વિસ્તાર કાદવ અને કીચડ વાળો હોવા છતાં પાકિસ્તાની માછીમારો માછીમારી કરવા માટે આ વિસ્તારમાં ઘૂસી આવે છે. આથી આ વિસ્તારમાં સીમા સુરક્ષા દળ (બીએસએફ) ના જવાનો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે. આ દરમિયાનમાં સીમા સુરક્ષા દળના જવાનોની ટીમ આજે સવારે હરામી નાળા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે ક્ષેતિજ ચેનલ પાસે કેટલીક પાકિસ્તાની માછીમારી બોટની હરકત જાેવામાં આવી હતી. જેથી સીમા સુરક્ષા દળના જવાનોની ટીમ તુરંત જ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી.વધુ વાંચો -
પાણી માટે વલખાં નાના રણમાં ૨૦૦૦ અગરિયા પરિવારોને આકરા ઉનાળામાં ૨૦ દિવસે પાણી
- 26, મે 2022 01:30 AM
- 3000 comments
- 545 Views
સુરેન્દ્રનગર, કચ્છના નાના રણમાં મીઠું પકવતા ૨૦૦૦ અગરિયા પરિવારોને આકરા ઉનાળાની ૪૫ ડીગ્રી આગ ઓકતી ગરમીમાં ૨૦ દિવસે એક વખત પીવાનું પાણી ટેન્કર દ્વારા મળે છે. સોફ્ટવેરની ખામીના કારણે રણમાં પીવાનું પાણી પુરૂ પાડતી એજન્સીને બિલ ન ચૂકવાતા અગરિયા પરિવારોને તંત્રના વાંકે પાણીની એક એક બુંદ માટે રઝળપાટ કરવાની નોબત આવી છે.પાણી પુરવઠા વિભાગે ગત વર્ષના અને ચાલુ વર્ષના બિલ સોફ્ટવેર ખામીના કારણે ન ચુકવતા કોન્ટ્રાક્ટરે રણમાં પાણી બંધ કરવાની નાછૂટકે લાચારી બતાવી છે. કચ્છના નાના રણમાં ૫૦૦૦ ચો.કિ.મી. વિસ્તારમાં અંદાજે ૨૦૦૦ અગરિયા પરિવારો દર વર્ષ ઓકટોબરથી મે માસ દરમિયાન “કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું” પકવવાનું આકરૂ કામ કરે છે. ત્યારે રણના મીઠું પકવતા અગરિયાઓને ૨૦ દિવસે એક વખત પીવાનું પાણી મળે છે. ત્યારે રણમાં અગરિયા માટે રોજ નહાવાની કલ્પના કરવી એ દુષ્કર બાબત છે. આથી મીઠું પકવતા ૯૮ % અગરિયાઓ આજેય ચામડીના રોગથી પીડાય છે. હાલમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા રણમાં ૫૦૦૦ ચો.કિ.મી. વિસ્તારમાં મીઠું પકવતા ૨૦૦૦ અગરિયા પરિવારોને માત્ર ત્રણથી ચાર ટેન્કરો દ્વારા ટેન્કરો દ્વારા પીવાનું પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે. પાણી પુરવઠા વિભાગે ગત વર્ષના અને ચાલુ વર્ષના બિલ સોફ્ટવેર ખામીના કારણે ન ચુકવતા કોન્ટ્રાક્ટરે રણમાં પાણી બંધ કરવાની નાછૂટકે લાચારી બતાવી છે. મીઠું પકવતા ૨૦૦૦ અગરિયા પરિવારોને તંત્રના વાંકે પાણીની એક એક બુંદ માટે રઝળપાટ કરવાની નોબત આવી છે.વધુ વાંચો -
લખપત તાલુકાના ૪૦ હજાર જેટલા પશુઓ કાઉપોક્સ રોગના ભરડામાં
- 24, મે 2022 01:30 AM
- 1406 comments
- 1835 Views
અબડાસા, સાતેક માસ પૂર્વે અબડાસા તાલુકાના જુદા જુદા ગામડાઓના પશુધનમાં કાઉપોક્સ નામનો રોગ ફેલાયો હતો જે રોગ હવે ધીમે ધીમે લખપત તાલુકાના અમુક છેવાડાના ગામડાઓમાં પ્રસર્યો છે. પશુ ચિકિત્સકોની ટીમ દ્વારા રોગચાળાને કાબૂમાં લેવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને અમુક ગામડાઓમાં જઇને રસીકરણ શરૂ કરી દેવાયું છે. છેલ્લા બે દિવસથી કૈયારી, કપુરાશી સહિતના ગામડાઓમાં રસીકરણ શરૂ કરાયું છે. લખપતમાં ૮૫ હજાર પશુધન છે ત્યારે ૫૦ ટકા પશુઓમાં કાઉપોક્સ નામનો રોગ દેખાયો હોવાનું જાણવા મળ્યું હતું. લખપત તાલુકાના કાઉપોક્સ નામનો રોગ પ્રસર્યો છે જેના લીધે ઢોરનુ મોઢુ ઝકડાઇ જાય છે તો શરીરના અમુક ભાગ ઉપસી આવે છે, તો અમુક ભાગમાં ચીરા પડી જાય છે અને પગમાં કીડા પડી જાય છે. બિમારીને કારણે ઢોર કાંઇ પણ આરોગી શકતા નથી જેના કારણે પશુઓ મૃત્યુના મુખમાં ધકેલાઇ રહ્યા છે. લાખપત તાલુકામાં માનવ વસતી કરતા પશુધનની સંખ્યા વધારે છે, ઘાસ અને પાણીની તીવ્ર અછતના કારણે માલધારીઓ ભુખમરો વેઠી રહ્યા છે તેવામાં દાઝયા પર દામ સમાન આ રોગ પ્રસરતા માલધારીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. એક-બે પશુઓ હોય એ માલધારી રોજગારી વગરના થઇ ગયા છે. સરકારી ડોકટર માત્ર દેખાવ ખાતર આંટાફેરા કરી એકાદ પશુની ચકાસણી રવાના થઇ જતા હોવાનો સુર પણ માલધારીઓમાં ફેલાયો હતો. આ રોગની ખાનગી દવાખાનામાંથી ઇલાજ કરાવવું એ આ વિસ્તારના માલધારીઓને પોશાય તેમ નથી તેમજ દવા ઘણી મોંઘી છે. બીજી તરફ સ્થાનિક વિસ્તારમાં આ દવા કયાંય પણ ઉપલબધ નથી. પશુઓમાં તાત્કાલીક ધોરણે રસીકરણ કરાવવું જાેઇએ તેમજ રાજય સરકારે ટીમો મોકલાવીને તાત્કાલી અસરથી આ પ્રશ્નને ગંભીરતાથી લઇ મોંઘેરા પશુઓને બચાવવા જાેઇએ તેવો સુર સ્થાનિકે ઉઠયો છે. આ અંગે પશુ ચિકિત્સક જગદીશભાઇ સાથે વાત કરતા તેમણે વિશેષ વિગતો આપતા જણાવ્યું હતું કે, લખપત તાલુકામાં છેલ્લા થોડા દિવસથી કાઉપોક્સ નામની બિમારી પશુધનમાં માથું ઉંચકયુ છે અને તે વધુ પ્રસરી રહી છે ત્યારે વેક્સિન મંગાવી લેવાઇ છે અને છેલ્લા બે દિવસથી છેવાડાના ગામોમાં રસીકરણ શરૂ કરાયું છે. કૈયારી ગામમાં બિમારી કંટ્રોલમાં છે અને કપુરાશી ગામમાં રવિવારે બપોર બાદ રસીકરણ માટે ગયા હોવાની વાત કરી હતી.લખપત તાલુકાના મુખ્ય ચિકિત્સક ડો. ભાવીક રાજન સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, લખપતના કપુરાશી, કૈયારી જેવા ગામોમાં રોગ દેખાતા સારવાર શરૂ કરી દેવાઇ છે, તેમને રસીકરણ કરી શકાય તેમ નથી. જાે કે, આસપાસના ગામડાઓમાં રસીકરણ કરાયું છે જેથી રોગ પ્રસરે તો તે ગામના પશુને લાગુ ન પડે અને પશુધન સ્વસ્થ રહી શકે.વધુ વાંચો -
રાપરના ગામોમાં બે માસથી પાણીની તંગીથી ભારે હાલાકી
- 21, મે 2022 01:30 AM
- 2210 comments
- 7867 Views
રાપર, રાપર તાલુકાના ભીમદેવકા જૂથ ગ્રામ પંચાયત હેઠળ આવતી આસપાસની ૮ જેટલી વાંઢમાં અને ગામમાં છેલ્લા બે માસથી પાણીની સમસ્યા સર્જાઈ છે. ઉનાળાના દિવસોમાં પાણીની વિશેષ જરૂરિયાત રહેતી હોય છે ત્યારે અહીં પાણી મળતું બંધ થઈ જતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. ગત વર્ષે કુંભારીયા પાણી યોજના દ્વારા નવી લાઈન મારફતે શરૂ થયેલું પાણી છેલ્લા બે માસથી બંધ થઈ ગયું છે. જેના કારણે સેંકડો મહિલાઓને પાણી મેળવવા રઝળપાટ કરવી પડી રહી છે.ગામના ટાંકામાં તળિયે પડેલું પાણી લેવા મહિલાઓ ભીડ લગાવી રહી છે. પાણી સમસ્યા નિવારવા ગામના સરપંચ બાલુબેન સુરાણીએ પાણી પુરવઠા કચેરી અને સંબધિત એજન્સી સમક્ષ અનેક રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવી શક્યો નથી. રાપરના ભીમદેવકા ગામમાં ગત વર્ષે અમલમાં આવેલી કુંભારીયા વોટર સપ્લાય યોજના ૮ માસ વ્યવસ્થિત ચાલ્યા બાદ હવે બે માસથી બંધ પડી ગઈ છે. જર્જરિત અને જામ થયેલી પાઈપલાઈનનું સમારકામ પણ કરવામાં આવતું નથી. આ વિશેની ફરિયાદ પાણી પુરવઠા અને સંબધિત એજન્સી સમક્ષ કરવામાં આવી હોવાનું સરપંચના પુત્ર અરવિંદ સુરાણીએ જણાવ્યું હતું. અધિકારી વર્ગનું કહેવું છે કે મોટર દ્વારા તમારા ગામને પાણી પહોંચી રહ્યું છે તો પછી પાણી જાય છે ક્યાં? એ ખબર પડતી નથી. ગ્રામલોકો હવે ગામ છોડીને હિજરત કરે તે પહેલાં પાણી સમસ્યા હલ કરવામાં આવે તે જરૂરી બન્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.નાના અંગીયા પાસે પાણીના એરવાલ્વને ટ્રેલરે ટક્કર મારતા ભંગાણ થતાં મોટા પ્રમાણમાં પાણીનો બગાડ નખત્રાણા, નખત્રાણા ભુજ હાઇવે પર નાના અંગિયાના શિવમ પાટીયા પાસેના હાઇવે નજીક પસાર થતી પાણીની મુખ્ય પાઇપ લાઈનના એરવાલ્વમાં અજાણ્યા ટ્રેલર ચાલકે અકસ્માતે ટક્કર મારતા ભંગાણ સર્જાયું હતું. જેના કારણે એરવાલ્વમાંથી હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. ઉનાળામાં એક તરફ જિલ્લાના અનેક સ્થળે પાણીની તંગી વર્તાઈ રહી છે. તો બીજી તરફ યેનકેન આ પ્રકારે વિવિધ સ્થળે એરવાલ્વમાં ભંગાળ સર્જાતા કિંમતી પાણીનો વ્યય થઈ રહ્યો છે. નખત્રાણાથી ચારેક કિલોમીટરના અંતરે આવેલા શિવમ પાટીયા પાસે ધોરીમાર્ગ નર્મદા પાણીનું વહન કરતી પાણીની લાઈનને નુકસાન પહોંચ્યું હતું. જેના કારણે કલાકો સુધીમાં હજારો લીટર પાણી રસ્તા ઉપર વહી નીકળયા હતા અને પાણીનો બગાડ થયો હતો. કોઈ અજાણ્યા ટ્રેલરની નર્મદા લાઈનના એરવાલવમાં અથડામણ થવાથી એરવાલ્વને નુક્સાન થતાં ભંગાણ સર્જાયુ હતું. જેના કારણે પાણીનો વ્યય થયો હતો. પાણીની તંગી ભોગવતા વિસ્તારમાં પાણી માટે લોકો, પશુ , પંખીઓ તરસી રહ્યા છે. ત્યારે આ રીતે નુકસાન થવાથી અમૂલ્ય પાણીનો વેડફાટ થયો હોવાના કારણે સ્થાનિકોમાં કચવાતની લાગણી ફેલાઇ હતી. ઉલ્લેખનીય છે કે, સંબધિત તંત્ર દ્વારા કચ્છની ધોરી નસ સમી પાણીની મુખ્ય લાઈનમાં યોગ્ય સંભાળના અભાવે વારંવાર ભંગાણ સર્જાતું રહે છે અને અનેક લીટર પાણી વેડફાતું જાય છે.વધુ વાંચો -
હળવદમાં મૃત્યુ પામેલા મૃતકોના અંતિમ સંસ્કાર કરાયા ઃ વેપારીઓ અડધો દિવસ બંધ પાળશે
- 20, મે 2022 01:30 AM
- 1734 comments
- 7387 Views
હળવદ, હળવદ ગોઝારી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોની અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. હળવદ ખાતે ૮ મૃતકોના અગ્નિ સંસ્કાર કરાયા તેમજ એક બાળકની દફનવિધિ કરાઈ છે. અન્ય ૩ લોકોના અગ્નિ સંસ્કાર કચ્છના કુંભારીયા ગામ ખાતે કરવામાં આવ્યા હતા. હળવદની ગોઝારી ઘટનામાં કારખાનાની દિવાલ ધરાશાયી થતાં ૧૨ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. આ ઘટનામાં મોતને ભેટેલા ૨૪ વર્ષના શીતલબેન દિલીપભાઇના પેટમાં સાડા સાત માસનો ગર્ભ હતો. આ ગર્ભવતી મહિલા સહિતના એક જ પરિવારના છ લોકોના મોતથી પરિવારમાં આક્રંદ છવાયો હતો. તેમજ એકી સાથે ગામમાંથી આટલી મોટી સંખ્યામાં સ્મશાન યાત્રા નીકળતા સમગ્ર હળવદ પંથકમાં ગમગીની વ્યાપી ગઇ હતી. મોરબીના હળવદમાં મીઠાના કારખાનામાં દીવાલ પડતાં એક જ પરિવારના ૬ સહિત ૧૨ લોકોનાં મોત થયા હતા. હળવદ પંથક સહિત સમગ્ર ગુજરાતને હચમચાવતી ગોઝારી દુર્ઘટનામાં ૧૨ લોકોના મોત નિપજતા મૃતકોના પરિવારજનોના હૈયાફાટ આક્રંદથી કઠણ કાળજુ ધરાવતા લોકોનું પણ કાળજુ દ્રવી ઉઠ્યું છે. આ ઘટનાથી હળવદ પંથકમાં ઘેરો શોક વ્યાપી ગયો છે. ત્યારે હળવદના વેપારીઓ આજે અડધો દિવસ દુકાનો બંધ રાખી શોક પાળશે અને વેપારીઓ દ્વારા શોકસભા યોજી હતભાગીઓને શ્રદ્ધાંજલિ અપાશે.વધુ વાંચો -
પ્રાંથળમાં વન, પોલીસ અને ખાણ-ખનીજ તંત્ર મૂક પ્રેક્ષકની ભૂમિકામાં
- 20, મે 2022 01:30 AM
- 6398 comments
- 1485 Views
કચ્છ, ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક લાંબા સમયથી ગેરકાયદેસર પ્રવૃત્તિ ધીમેધીમે માઝા મૂકી રહી હોય તે રીતે ખનીજ માફિયાઓ હોય કે, બુટલેગરો કે પછી બીજા કોઈ ગોરખ ધંધાઓના કારણે દેશની સુરક્ષા સામે સવાલો ખડા થયા જેમા પછી વન તંત્ર હોય પોલીસ વિભાગ હોય કે પછી ખાણ ખનીજ ખાતું મૂક પ્રેક્ષકની ભૂમિકા નિભાવે છે કે, પછી ભ્રષ્ટાચારનો એરૂ આભડી ગયો હોય તેવું લાગી રહ્યું છે.પાકિસ્તાનની રાષ્ટ્રીય સરહદથી માત્ર પચાસ કિલોમીટર દૂર પ્રાથળના રાસાજી ગઢડા અને લોદ્રાણી નજીક સરહદની રક્ષા કરતા ડુંગરો ખુલ્લેઆમ ખોદાઈ રહ્યા છે, જેમાં આડી કે સીધી રીતે વનતંત્રની મીલીભગત હોય તેવું સૂત્રો જણાવી રહ્યા છે. રાસાજી ગઢડા અને નીલાગર મહાદેવ વચ્ચે આવેલા ડુંગરોમાં ખુલ્લેઆમ દૈનિક ૨૫થી ૩૦ ટ્રેકટરો વડે નજીકના બાલાસર, ગઢડા, લોદ્રાણી, જાટાવાડા, જિલ્લારવાંઢ અને છેક દેશલપર સુધી ધારના લાલ દેશી પથ્થરો પહોંચે છે. હાલે એક ટ્રેકટર પથ્થરના ૧૨૦૦થી ૧૫૦૦ લેવાય છે, જેમાં વનપાલ તરફથી એક ટ્રેકટર દીઠ બસો રૂપિયા ઉઘરાવાતા હોવાની ચર્ચાઓ પણ થઈ રહી છે.જાે કે, મહત્વની વાત એ છે કે, આ પથ્થરો કાઢવા માટે ત્યાં જાેરદાર ટોટા ફોડીને બ્લાસ્ટ કરાય છે ત્યારે સવાલ થાય છે કે, આવડા મોટા બ્લાસ્ટનો નીલાગરથી રાસાજી ગઢડા સુધી લોકો સાંભળી શકે છે તો શું વનપાલ કે, જંગલ ખાતાને નહીં સાંભળાતા હોય તેવા સવાલો સ્થાનિક લોકો દ્વારા ઉઠી રહ્યા છે. જાે આ પ્રકારે ખોદકામ જારી રહેશે તો સરહદની નજીક અડીખમ ઉભા રહેલા ડુંગરો થોડાક સમયમાં નામશેષ થઇ જશે. આ પ્રવૃત્તિના કારણે ઘુડખર, ચિકારા, રોજડા વગેરે કચ્છના નાના રણ તરફ પ્રયાણ કરી ગયા છે. તો આ જ રીતે જીરો બોર્ડર નજીક ખાનગી કંપની એમકેસી દ્વારા ચાલતા કામોમાં લોદ્રાણી, સીરાનીવાંઢ, ખડીરના અમરાપર સુધી રણ વિસ્તારમાં આવેલા ડુંગરો અને ધાર ખુલ્લેઆમ ખોદાઈ રહી છે, જેમાં રોજના દૈનિક ૨૦થી ૩૦ ડમ્પરો દ્વારા દેશી પથ્થર ઘડુલી-સાંતલપુર હાઇવે રોડ અને જીરો બોર્ડર ઉપર રોડના કામોમાં નખાઈ રહ્યા છે, તેમ છતાં પણ રાપરની ઉત્તર અને દક્ષિણ રેન્જ ફોરેસ્ટ વિભાગ મૂક પ્રેક્ષક બનીને જાેઈ રહ્યું છે. પ્રતિ ડમ્પરના મહિને ત્રણ હજાર અને ટ્રેકટરના બસો દીઠ મહિને લાખોની રોકડી કરાઈ રહી છે અને માત્ર અંગત સ્વાર્થના કારણે ખુલ્લેઆમ દેશની સુરક્ષામાં છીંડા પાડવામાં આવી રહ્યા છે.દેશની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આ પ્રકારના બ્લાસ્ટ કઈ રીતે ચલાવાઈ લેવાય તેવા પ્રશ્નો વચ્ચે રાહતની વાત એ છે કે, જયાં પથ્થરો બ્લાસ્ટ કરીને ખોદાઈ કરાય છે, તેની નજીક માત્ર ત્રણ કિલોમીટર દુર બીએસએફનો કેમ્પ છે. જેથી સાંજ પડતાં જ આવા ખનીજ માફિયાઓના પ્રવેશ પર અને રાત્રિના સમયે લાઈટ ચાલુ રાખવાની મનાઈ છે નહીંતર અહીં ગેરકાયદેસર પ્રવૃતિઓ રાત-દિવસ ધમધમે તેમ છે પરંતુ બીએસએફ કેમ્પ નજીક હોઈ જવાનો સાંજથી જ મોરચો સંભાળી લે છે અને કોઈ શખ્સ કે, સાધનને પ્રવેશ નથી અપાતો, જેના કારણે રાત્રિના ભાગે ટોટા નથી ફોડી શકાતા જેના કારણે વન્ય પશુ પ્રાણીઓ જેવા કે ઘુડખર, ચીંકારા, નીલગાય, મોર વગેરે આરામથી નિંદ્રા માણી શકે છે. આ બાબતે ગઢડા રેન્જના ફોરેસ્ટર મોહન પરમારનો સંપર્ક સાધતા તેમણે તપાસ કરવાનું કહ્યું હતું. તો લોદ્રાણી, રાસાજી ગઢડા, સહિત ઉત્તર રેન્જના આરએફઓ સી.કે. પટેલને ગઢડા નજીક કોઈ પથ્થરની લીઝ આવેલી છે, કે કેમ બાબતે જણાવ્યું હતું કે, આ સાઈડમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ લીઝ મંજૂર કરાઇ નથી..વધુ વાંચો -
ઘઉં એક્સપોર્ટ કરવા આવેલી ૫૦૦૦ ટ્રકો કંડલા પોર્ટમાં અટવાઈ
- 17, મે 2022 01:30 AM
- 5767 comments
- 6179 Views
ગાંધીધામ, મોદી સરકારે એક મોટો ર્નિણય લીધો છે. કેન્દ્ર સરકારે ઘઉંના નિકાસ પર શરતી પ્રતિબંધ મૂકી દીધો છે. ઘરેલૂ બજારમાં ઘઉંની વધતી જતી કિંમતોને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લેવામાં આવ્યો છે. પરંતુ આ કારણે કંડલા પોર્ટ પર સ્થિતિ વણસી ગઈ છે. કેન્દ્ર સરકારના ઘઉંની નિકાસ પર પ્રતિબંધ આપતા કંડલામાં ડામાડોળ સ્થિતિ જાેવા મળી છે. આશરે ૫૦૦૦થી વધુ ટ્રકો અને ટેલરના ગલીઓમાં લાઈનો લાગી ગઈ છે. કારણ કે, બે દિવસથી ઘઉંના હેન્ડલીંગની કામગીરી બંધ કરાઈ છે. ઘરેલૂ બજારમાં ઘઉંની વધતી જતી કિંમતોને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લેવામાં આવ્યો છે. સરકાર તરફથી તેનું એક નોટિફિકેશન પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. ઘઉંની વૈશ્વિક કિંમતોમાં અચાનક વધારો થયો છે, જેના પરિણામ સ્વરૂપે ભારતના પાડોશી દેશો અને અન્ય વિકાસશીલ દેશોની ખાદ્ય સુરક્ષા ખતરામાં દેખાઈ રહી છે. રશિયા અને યુક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ઘઉંની આંતરાષ્ટ્રીય કિંમતમાં લગભગ ૪૦ ટકાનો વધારો નોંધાયો છે. જેના કારણે ભારતમાંથી નિકાસ વધી ગઈ છે. માંગ વધવાથી સ્થાનિક સ્તરે ઘઉં અને લોટની કિંમતમાં ભારે વધારો જાેવા મળી રહ્યો છે. જાેકે, ઘઉંની નિકાસ અમુક શરતો સાથે ચાલું રહેશે. સરકારનો આ ર્નિણય પહેલાથી જ કરારબદ્ધ નિકાસ પર લાગુ થશે નહીં. કેન્દ્ર સરકારના નોટિફિકેશન બાદથી જ કંડલા પોર્ટ પર ઘઉં ભરેલી ગાડીઓનો ભરાવો થઈ ગયો છે. ટ્રક ટેલર ખાલી ન થતા ડ્રાઈવરમાં આક્રોશ જાેવા મળી રહ્યો છે. ડ્રાઈવર્સ અહી બે દિવસથી અટવાઈ પડ્યા છે. આ કારણે કંડલા ખાતે ડ્રાઈવરોએ પરિવહન પણ રોક્યુ છે. જેથી પોલીસે ઘટના સ્થળે મામલો થાળે પાડવાની કાર્યવાહી હાથ ધરવી પડી છે. કંડલા બંદરે બે દિવસથી ઘઉં હેન્ડલીંગની કામગીરી પણ બંધ કરાઈ છે. નોંધનીય છે કે, ઘઉંની ખરીદી માટે ન્યૂનતમ સમર્થન મૂલ્ય ૨,૦૧૫ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. દેશમાં ઘઉં અને લોટનો છૂટક ફુગાવો એપ્રિલમાં વધીને ૯.૫૯% થયો છે જે માર્ચમાં ૭.૭૭% હતો. આ વર્ષે ઘઉંની સરકારી ખરીદીમાં લગભગ ૫૫% ઘટાડો થયો છે કારણ કે ખુલ્લા બજારમાં ઘઉંની કિંમત સ્જીઁ કરતા ઘણી વધારે છે.ગાડીમાં લઇ જવાતા ૩૦ હજારના શંકાસ્પદ ઘઉં સાથે બે શખ્સ પકડાયા કંડલા મરિન પોલીસે ત્રણ દિવસ પહેલાં વાડામાંથી ૧.૭૨ લાખના શંકાસ્પદ ઘઉંના જથ્થા સાથે એકને પકડ્યા બાદ, આજે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે સર્કિટ હાઉસ સામે ડાલો ગાડીમાં લઇ જવાતા રૂ.૩૦ હજારની કિંમતના શંકાસ્પદ ઘઉંના જથ્થા સાથે બે જણાની અટક કરી કાયદેસર કાર્યવાહી કરી હતી. ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન ગુડ્સ સાઇડ પુલિયાથી ઓસ્લો સર્કલ તરફ ડાલો ગાડીમાં શંકાસ્પદ ઘઉંનો જથ્થો લઇ જવાઇ રહ્યો હોવાની બાતમીના આધારે ટાગોર રોડ પર સર્કિટ હાઉસ સામે વોચ ગોઠવી બાતમી મુજબની ગાડી આવતાં રોકી તે ગાડીમાં ભરેલા ઘઉંના કટ્ટાના આધાર પુરાવા મગાયા હતા જે તેમની પાસે ન હોતાં ભારતનગરની આશાપુરા સોસાયટીમાં રહેતા અતુલ ઉર્ફે અર્જુન દયારામભાઇ ભાનુશાલી અને કંડલા સર્વા ઝૂંપડામાં રહેતા ભગુ કાળુભાઇ કાલવેલ્યાની ચોરી કે છળકપટી મેળવેલા શંકાસ્પદ રૂ.૩૦,૬૦૦ ની કિંમતના ૧,૭૦૦ કિલોગ્રામ ઘઉંની ૩૪ બોરી જપ્ત કરી અટક કરી હતી.વધુ વાંચો -
રાજપુત કરણી સેનાની ગુજરાત પરિભ્રમણ એકતા યાત્રા
- 15, મે 2022 01:30 AM
- 2548 comments
- 1917 Views
ગુજરાતના સ્થાપના દિવસે ૧ મેના રોજ કચ્છ માતાના મઢથી શરૂ થયેલી રાજપુત કરણી સેનાની ગુજરાત પરિભ્રમણ એકતા યાત્રા આજે રાજકોટમાં પહોંચી હતી. જેમાં કરણી રથનું શહેરમાં આગમન થયું હતું અને માધાપરથી ગોંડલ રોડ ચોકડી સુધી કરણી સેનાની એકતાયાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં વિવિધ સંસ્થાઓ, સંગઠનો દ્વારા ઠેર-ઠેર તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫૦થી વધુ કાર જીપ, ટુ વ્હીલર અને અશ્વ સવારો જાેડાયા હતા.વધુ વાંચો -
નારાણપરના પ્રીતિ વરસાણી લંડનમાં મહારાણી સમક્ષ ઢોલીડા ઢોલ રે વગાડ રજૂ કરશે
- 15, મે 2022 01:30 AM
- 9587 comments
- 6660 Views
કચ્છ, લંડનના મહારાણી એલિઝાબેથને ગાદી સંભાળ્યે ૭૦ વર્ષ થતાં બ્રિટન શાહી ખાનદાન પ્લેટિનમ જ્યુબીલી વર્ષ મનાવી રહ્યું છે. આ નિમિત્તે ચાર દિવસના રંગારંગ કાર્યક્રમો યોજાશે જેમાં મૂળ નારાણપરના ગાયિકા ગુજરાતી ગરબાના સૂરો છેડશે. લંડન પેલેસમાં વિન્ડસર કેસલ ખાતે મૂળ ભુજ તાલુકાના નારાણપરના ગાયિકા પ્રીતિ વરસાણી ગુજરાતી ગીત “ઢોલીડા ઢોલ રે વગાડ મારે હિચ લેવી છે” એલિઝાબેથ સમક્ષ રજૂ કરશે. ચાર દિવસ ચાલનારા કાર્યક્રમમાં દુનિયાભરના ખ્યાતનામ એક હજાર કલાકારો કલાના કામણ પાથશે. બોલીવુડ પ્લેબેક સિંગર જાઝ ધામીનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મૂળ કચ્છના આ ગાયિકા, મ્યુઝીક પ્રોડ્યુસર પર્લ પટેલ અને કથક નૃત્યકાર મીરાં સલાટે વર્ષ ૨૦૧૬માં “ રંગીલું ગુજરાતના શિર્ષક તળે ગુજરાતમાંથી ૬૦ થી ૬૫ ઉમદા કલાકારોને લંડન બોલાવીને સંસ્કૃતિ અને કલા ના દર્શન કરાવ્યા હતા. , ત્યારબાદ ‘સૂર સંગમ’ સાથે રહીને અનેક સ્ટેજ પોગ્રમો અને વીડિયો આલ્બમ બનાવીને લંડનના ગુજરાતી સમાજના યુવા કલાકારોને પ્રોત્સાહિત કરી રહ્યા છે. ચાર દિવસ ચાલનાર આ કાર્યક્રમનું હોસ્ટ હોલિવુડના સુપર સ્ટાર ટોમ ક્રુઝ, હેલેન મિરેન કરશે. દેશ અને વિદેશોના અનેક નામી કલાકારો પોતાના દેશની સાંસ્કૃતિક કલાના દર્શન કરાવશે. અંતિમ દિવસે રવિવારે મહારાણી એલિઝાબેથ ઉપસ્થિત રહેશે. અનેક ચેનલો કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરશે.વધુ વાંચો -
ટ્રાફિક જામઃ અમદાવાદ-કચ્છ હાઈવે પર અકસ્માતથી કલાકો સુધી અનેક વાહનો ફસાયા
- 10, મે 2022 01:30 AM
- 940 comments
- 5025 Views
રાજકોટ,અકસ્માતને કારણે અમદાવાદ-કચ્છ હાઈવે પર લગભગ ૩૪ કલાક સુધી અનેક વાહનો ટ્રાફિકમાં ફસાયા હતા. ઉલ્લેખનીય છે કે આ ટ્રાફિક જામમાં સેંકડોની સંખ્યામાં વાહનો ફસાઈ ગયા હતા જેમાં ખાનગી અને સરકારી બસો પણ સામેલ હતી. નોંધનીય છે કે રવિવારે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ આખરે આ રસ્તો ખાલી થયો હતો અને વાહનો આગળ વધી શક્યા હતા. ઉલ્લેખનીય છે કે બે ટેન્કર અને ત્રણ ટ્રકોને ઓવરબ્રિજ પરથી ઉપાડવાને કારણે આ રસ્તો સાફ થઈ શક્યો હતો, નહીં તો આ ટ્રાફિક હજી લાંબા સમય સુધી રહેતો. સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધા પાસે આવેલા હરિપાર ગામ પાસે આવેલા ટુ-લેન રેલવે ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો હોવાને કારણે સમગ્ર સ્થિતિ સર્જાઈ હતી. ટેન્કરમાં મેથાનોલ હોવાને કારણે અકસ્માત પછી આગ લાગી ગઈ હતી, જેના કારણે ઘટનાસ્થળે જ ડ્રાઈવરનું કરુણ નિધન થયુ હતું. આટલુ જ નહીં, સ્થિતિ ત્યારે વધારે બગડી ગઈ જ્યારે રવિવારના રોજ માલવણ ટોલ પ્લાઝા પાસે ત્રણ ટ્રકો એકબીજા સાથે ટકરાઈ ગઈ હતી. એક અકસ્માત શનિવારના રોજ થયો અને પછી બીજાે રવિવારના રોજ થયો, જેના કારણે ટ્રાફિક વધારે થઈ ગયો. નાના વાહનોની વાત કરીએ તો, સેંકડોની સંખ્યામાં કારોએ ગામડાઓનો રસ્તો પસંદ કરી લીધો હતો. કારચાલકો ગામડાઓમાંથી પસાર થઈને નીકળી ગયા હતા, પરંતુ ભારે અને મોટા વાહનો માટે કોઈ અન્ય વિકલ્પ જ નહોતો. કચ્છ તરફથી આવતા વાહનોએ સુરેન્દ્રનગર તરફ જતો રસ્તો પકડ્યો હતો. પરિણામે સુરેન્દ્રનગર શહેરમાં પણ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. દ્રાંગધ્રા અને વિરમગામની વચ્ચેના લગભગ ૩૦થી ૩૫ કિલોમીટરના પટ્ટામાં મોટાભાગના વાહનો ફસાઈ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ હાઈવે પર ટ્રક અને અન્ય મોટા અને ભારે વાહનોની ઘણી અવરજવર હોય છે. મોટાભાગના આ વાહનો કંડલા અને મુંદ્રા પોર્ટ તરફ જઈ રહ્યા હોય છે. ટ્રાફિકમાં વધારો ન થાય તે માટે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા કચ્છથી ઉપડતી તમામ બસોને રાજકોટ-અમદાવાદ હાઈવે પર ડાઈવર્ટ કરી હતી. ઉલ્લેખનીય છે કે જ્યાં અકસ્માત સર્જાયો હતો તે ઓવરબ્રિજ ફોર-લેન હાઈવે પર ટુ-લેન સ્ટ્રેચ છે, અને અહીં અકસ્માતોની સંખ્યા પણ વધારે છે.વધુ વાંચો -
લખપતમાં ઘાસચારાની સરકાર સમક્ષ કોંગ્રેસના આગેવાનોએ માંગણી કરી
- 10, મે 2022 01:30 AM
- 1110 comments
- 9230 Views
કચ્છ ઉનાળાની કાળઝાળ ગરમીને કારણે લોકો પરેશાન છે ત્યારે પશુઓની દશા વધુ કફોડી બની છે. ત્યારે લખપત તાલુકામાં ઘાસચારાની તિવ્ર અછત છે તેમજ સીમાડાઓમાં પણ પશુઓના ચરિયાણ માટે ઘાસચારો નથી. ત્યારે તાલુકા શાસક પક્ષના નેતા પી.સી. ગઢવીની આગેવાની હેઠળ પ્રાણપર (ઘડુલી), કૈયારી, બરંદા સહિતના સ્થળોએ વનવિભાગના ઘાસ ગોડાઉનની મુલાકાત લઇ તેમાં રહેલા ઘાસના જથ્થાની માહિતી મેળવી હતી.અને જણાવ્યું હતું કે વનતંત્રના વિવિધ ઘાસ ગોડાઉનોમાં ૩,૮૩,૦૦૦ કિલો ઘાસનો સંગ્રહાયેલો જથ્થો પડયો છે. ત્યારે જાે તંત્ર દ્વારા આ ઘાસનું રાહત દરે માલધારીઓને વિતરણ કરવામાં આવે તો પશુઓ માટે ઉપયોગી બનશે અને તે ૧૫ દિવસ સુધી ચાલે તેમ છે.આ રજૂઆત તાલુકા કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ દ્વારા જિલ્લા કલેકટર સમક્ષ કરવામાં આવશે. જિ.પં. સદસ્ય મામદ જુંગ જત, દિનેશભાઈ સથવારા, રાણુભા સોઢા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, વન વિભાગના આર.એફ.ઓ. હાજર રહ્યા હતા.વધુ વાંચો -
જખૌના ઇબ્રાહિમશા પીર બેટ પાસેથી કેફી દ્રવ્યના વધુ બે પેકેટ મળી આવ્યા
- 08, મે 2022 01:30 AM
- 5362 comments
- 3801 Views
કચ્છ, અતિ સંવેદનશીલ સરહદી કચ્છની દરિયાઇ સીમાં પર છેલ્લા બે માસથી વધુ સમય થયો ફેફી દ્રવ્યો મળવાનો સિલસિલો જારી રહ્યો છે જેમાં જખૌના ઇબ્રાહીમશા પીર બેટ પાસેથી ડ્રગ્સના વધુ બે પેકેટ બીએસએફની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળી આવ્યા હતા. બુધવારે લક્કી પાસે આવેલા કુંડી બેટ પાસેથી ચરસના ૮ પેકેટ મળી આવ્યા બાદ બીજા જ દિવસે સઘન પેટ્રોલિંગ કરી રહેલી બીએસએફની ટીમને ઇબ્રાહિમશા પીર બેટ પાસેથી વધુ બે પેકેટ ડ્રગ્સના મળી આવ્યા હતા. દરીયાઇ સીમા પર સતત મળી રહેલા નશીલા પદાર્થને ધ્યાને રાખી બીએસએફ દ્વારા હાલ સઘન પેટ્રોલિંગ કરી રહ્યું છે. આજે બીએસએફની ૧૦૨ મી બટાલિયન પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન ઇબ્રાહીમશા ટાપુર પરથી વધુ બે પેકેટ મળી આવ્યા હતા. ભારત અને પાકિસ્તાનની એજન્સીઓ સતત પાછળ પડી હોવાને કારણે ડ્રગ્સ માફિયાઓ પેકેટ દરિયામાં ફેંકતા હોવાની હકીકત છે. હાથો હાથ માલ સપ્લાય કરવામાં જાેખમ હોવાને કારણે આ માફિયાઓ હવે ટાપુ ઉપર માલ મુકી જતા હોવાનું જાણવા મળી રહ્યું છે.વધુ વાંચો -
ભચાઉના શિકરા પાસે વારંવાર અકસ્માત થતા લોકોમાં રોષ, ચક્કાજામનો પ્રયાસ
- 07, મે 2022 01:30 AM
- 1701 comments
- 7943 Views
ભચાઉ ભચાઉ-ભુજ વાયા દુધઈ ધોરમાર્ગ પર શિકરા ગામ નજીક ભયજનક ગોળાઈના કારણે અવાર-નવાર જીવલેણ અકસ્માત થતા રહે છે. જેના નિવારણ અંગે સ્થાનિક આગેવાનો દ્વારા તંત્ર સમક્ષ અનેક રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી તેનો કોઇ ઉકેલ ના આવતા આજે શુક્રવારે સવારે એકલ મંદિરના મહંત દેવનાથ બાપુ અને કુંભારડી ગામના સરપંચની રાહબરી હેઠળ ચક્કાજામનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ વેળાએ સ્થાનિક પોલીસ દ્વારા સમજાવટના પ્રયાસો હાથ ધરાયા હતા. આ દરમિયાન જિલ્લા ભજપ પ્રમુખ કેશુ પટેલ પસાર થતા તેમણે યોગ્ય કરવાની ખાતરી આપતા આંદોલન સમેટાઇ ગયું હતું. આ વિશે કુંભારડી ગામના સરપંચ દેવસી રબારીએ જણાવ્યું હતું કે, ભચાઉ-ભુજ રાજ્ય ધોરીમાર્ગ પરના કાગેશ્વર મહાદેવ મંદિર પાસે, ટોલટેક્ષ બાજુમા ભયંકર ગોલાઈ હોવાના કારણે વારંવાર જીવલેણ અકસ્માત થતા હોય છે. ભચાઉથી મોરગર સુધીનો માર્ગ બિસ્માર હાલતમાં પણ હોવાથી અહીં નાના-મોટા અકસ્માત થતા રહે છે. આ બાબતે અનેક વખત કુભારડી ગામના લોકોએ તંત્ર સમક્ષ રજૂઆતો કરી છે. પરંતુ વહીવટી તંત્રે આજ દિવસ સુધી કોઈ ધ્યાન આપ્યું નથી. જેના સંદર્ભે આજે માર્ગ પર ચક્કાજામ કરવો પડ્યો હતો. આ વેળાએ એકલધામ મંદિરના મહંત યોગી દેવનાથ બાપુ તેમજ આસપાસ લોકો જાેડાયા હતા. વિશેષ ચક્કાજામ શરૂ થતાની સાથે જ ભાજપ જિલ્લા પ્રમુખ કેશુ પટેલ અહીંથી પસાર થતા તેમણે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી. જેથી આંદોલન સમેટાય ગયું હતું.વધુ વાંચો -
જખૌ વિસ્તારમાં મીઠા ઉદ્યોગના ઓવરલોડ વાહનોનું ભારે દુષણ
- 07, મે 2022 01:30 AM
- 2396 comments
- 777 Views
કચ્છ, કચ્છમાં માથાના દુઃખાવા સમાન ઓવારલોડ વાહનોના દુષણ વચ્ચે જખૌ વિસ્તારમાં મીઠાના ઉદ્યોગોમાંથી આવતા ઓવરલોડ વાહનોને જાણે છૂટોદોર મળી ગયો હોય તેમ માર્ગ પર ઠેર-ઠેર મીઠાના ઢગલા પડ્યા છે તેમ છતાં આરટીઓ તંત્રએ ચૂપકિદી સેવી લીધી છે. અબડાસા તાલુકાના જખૌ દરિયાઈ વિસ્તારમાંથી નમકનું પરિવહન મુન્દ્રા અને કંડલા પોર્ટ ખાતે થાય છે. ઓવરલોડ મીઠુ ભરીને નીકળતી મસમોટી ટ્રકો અંદાજે ૧૩૦ કિ.મી.નું અંતર કાપીને મુન્દ્રા અને કંડલા પોર્ટ પહોંચે છે તેમ છતાં કોઈપણ જાતની તપાસ ન કરાતાં વહીવટી તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. આરટીઓ દ્વારા માર્ચ એન્ડિંગ સમયે મોટા ઉપાડે ઝુંબેશ આદરી હતી, જેના પગલે થોડાક સમય માટે ઓવરલોડનું દુષણ બંધ રહ્યા બાદ ફરી ચાલુ થઈ ગયું છે. જાણકારોના મતે જાે અબડાસા તાલુકાના હાઇવે ઉપર આવેલા ચેક પોઈન્ટ ઉપર સીસીટીવી લગાડવામાં આવે તો સાચી હકીકત બહાર આવે તેમ છે. અબડાસા તાલુકામાં ખાસ કરીને જખૌથી લઇને કોઠારા, કનકપર પંથકમાં સિંચાઇ આધારીત ખેતી છે ત્યારે જખૌથી મુન્દ્રા તેમજ કંડલા પોર્ટ તરફ જતા મીઠું ભરેલા ઓવરલોડ વાહનોના પગલે રસ્તા પર નમક ઢોળાય છે. ખાસ કરીને જખૌ, લાલા, સિંધોડી, વાંકું, કોઠારા, નલિયા સહિતના ગામોના માર્ગ પરથી ઓવરલોડ વાહનોના કારણે રોડ ટચ ખેતી વિષયક જમીન બંજર બની જતી હોવાની રાવ ખેડૂતો દ્વારા ઉઠી રહી છે.વધુમાં એક સમયે રોડ ટચ જમીનનો ભાવ આસમાને પહોંચી ગયો હતો પરંતુ વર્તમાન પરિસ્થિતિ નજરે બંજર જમીનમાં પાક નિષ્ફળ જાય છે અને જમીનના વેચાણ સમયે પણ પૂરતા ભાવ ન મળતાં ખેડૂતોની મુશ્કેલી વધી ગઇ છે. ખાવડાથી કંડલા સુધી મીઠાના ઓવરલોડ વાહનોનું પરિવહન છેલ્લા દોઢ માસથી થઇ રહ્યું છે, જે અંગે સ્થાનિક આર.ટી.ઓ. તંત્ર દ્વારા ચેકપોઇન્ટ પર કડક પહેરો ગોઠવી દેવાયો તો ટ્રક-ટ્રેલરો ચોર રસ્તેથી પસાર થવાનું શરૂ કર્યું હતું. કોંગ્રેસી આગેવાનો દ્વારા જનતા રેડની ચિમકી પણ ઉચ્ચારાઇ હતી. જાે કે હવે સમગ્ર મામલો આર.ટી.ઓ. કમિશનર પાસે પહોંચ્યો છે. બે માસ પહેલા જિલ્લા આર.ટી.ઓ. તંત્રને કોંગ્રેસી નગરસેવક એમ. જે. પંખેરીયા અને પ્રતિનિધિ મંડળે મીઠાનું ઓવરલોડ પરીવહન બંધ કરાવવા રજૂઆત કરી હતી, જાે કોઇ નક્કર કાર્યવાહી નહી થાય તો જનતા રેડની ચિમકી પણ ઉચ્ચારાઇ હતી. બે માસ સુધી આર.ટી.ઓ. તંત્ર દ્વારા કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ તેમના તરફથી કરાયો છે અને હવે સમગ્ર મામલો આર.ટી.ઓ. કમિશનર સુધી પહોંચયો છે. લાખો રૂપિયાની સરકારી દંડની વસૂલાતને બદલે ઓવરલોડ પરીવહન પર મીઠી નજર રાખવામાં આવતી હોવાનો આક્ષેપ કરી આર.ટી.ઓ. તંત્રને કરાયેલી રજૂઆત તેમજ ઇન્સ્પેકટરોને કરાયેલા ફોન અને ઓવરલોડ વાહનોની માહિતી અંગે આર.ટી.ઓ. કમિશનરને પત્ર લખી કડક કાર્યવાહી કરી મીઠાના પરીવહનને કારણે થતા અકસ્માતોને રોકવા રજૂઆત કરવામાં આવી હતીવધુ વાંચો -
લખપતના દરિયાઈ ક્રિક વિસ્તારમાંથી બીએસએફને ચરસના વધુ આઠ પેકેટ મળ્યાં
- 05, મે 2022 01:30 AM
- 2039 comments
- 261 Views
કચ્છ, કચ્છની પશ્ચિમી સરહદે આવેલા દરિયાઈ ક્રિક વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં માદક પદાર્થના પેકેટ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી બિન વારસી હાલતમાં ચરસના પેકેટ સતત મળી રહ્યા છે. ત્યારે આજે લખપતના કોટેશ્વર નજીકની લકી ક્રિક પાસેના દરિયાઈ વિસ્તારમાંથી બીએસએફની ટુકડીને વધુ ૮ જેટલા માદક પદાર્થના પેકેટ મળી આવ્યા હતા. પેટ્રોલિંગ દરમિયાન જાેવા મળતા પેકેટને હસ્તગત કરી વધુ તપાસ માટે નારાયણ સરોવર પોલીસ મથકે સોંપવામાં આવશે. દેશની આંતરરાષ્ટ્રીય સરહદ પરના જિલ્લાના પશ્ચિમી દરિયાઈ વિસ્તારમાં લગાતાર માદક પદાર્થના પેકેટ વિવિધ સલામતી દળોને અને એજન્સીને મળતા રહ્યા છે. ગઈકાલે પણ અબડાસાના પિંગલેશ્વર પાસેના કડુલી દરિયા કિનારેથી મરીન કમાન્ડોને શંકાસ્પદ ૧૦ પેકેટ મળી આવ્યા હતા. તેમજ એક સપ્તાહ પહેલા પાકિસ્તાની બોટ મારફતે લઈ આવવામાં આવી રહેલો ૫૬ કિલો ડ્રગનો જથ્થો અને ૯ પાક.આરોપી ઝડપાયા હતા.વધુ વાંચો -
કચ્છના એકમાત્ર વિવિધલક્ષી ચિકિત્સાલય ખાતે તબીબો અને કર્મચારી સહિતના સ્ટાફની અછત
- 01, મે 2022 01:30 AM
- 554 comments
- 6048 Views
કચ્છ, કચ્છમાં માનવ વસતી કરતા પશુઓની વસતી વિશેષ છે. જેના કારણે દર વર્ષે હજારો પશુઓ વિવિધ રોગ અને અકસ્માતના ઈલાજ માટે અહીંના પશુ સારવાર કેન્દ્રો તેમજ જિલ્લા વિવિધલક્ષી પશુ ચિકિત્સાલય ખાતે સારવાર લેતા હોય છે. ત્યારે જિલ્લાના એકમાત્ર વિવિધલક્ષી ચિકિત્સાલય ખાતે તબીબો અને કર્મચારી સહિતના સ્ટાફની અછત છે. તેમજ સંશાધનોની પણ અછત છે. ચિકિત્સાલયને જાે યોગ્ય રીતે અપગ્રેડ કરવામાં આવે તો કચ્છના પશુઓની ઉત્તમ સારવાર થઈ શકે તેમ છે. ખેતીવાડી બાદ પશુપાલન જ્યાં સૌથી મોટો વ્યવસાય છે તેવા કચ્છ જિલ્લામાં સરકારી આંકડા મુજબ ૨૦ લાખ જેટલા પશુઓ આવેલા છે. તો જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પશુ સારવાર કેન્દ્ર ઉપરાંત જિલ્લાના મુખ્યમથક ભુજમાં જિલ્લાનું એકમાત્ર વિવિધલક્ષી પશુ ચિકિત્સાલય આવેલું છે. દર વર્ષે અંદાજે ૧૦ હજાર જેટલા પશુઓ આ ચિકિત્સાલય ખાતે સારવાર લે છે.૧૯૯૦માં બનેલી આ વેટરનરી પોલીક્લિનિક ખાતે મદદનીશ નિયામક અને તબીબ સહિત ૧૨ લોકોનું મહેકમ છે પણ તેની સામે હાલ માત્ર ત્રણથી ચાર લોકોની જ જગ્યા ભરેલી છે. છેલ્લા પાંચ વર્ષોમાં ભુજ અને જિલ્લાના અન્ય શહેરોમાં ઘરમાં શ્વાન અને બિલાડી જેવા પશુઓ પાળવાનો ટ્રેન્ડ પણ વધ્યો છે ત્યારે આ ક્લિનિક ખાતે રોજ મોટી સંખ્યામાં આવા નાના પશુઓની સારવાર કરવામાં આવે છે. આ સારવાર કેન્દ્રમાં વર્ષ ૨૦૧૦માં નવું ખરીદાયેલું એક્સ રે મશીન આજે ડાર્ક રૂમ ન હોવાના કારણે ધૂળ ખાઈ રહ્યું છે, તો સાથે જ તે મશીનને ઓપરેટ કરી શકે તેવા ટેકનીશિયનની જગ્યા પણ ચિકુત્સયલમાં છેલ્લા લાંબા સમયથી ખાલી પડી છે.વધુ વાંચો -
લાલપરી માછલી પકડવાની આડમાં ડ્રગ્સ લવાતું હતું
- 27, એપ્રીલ 2022 01:30 AM
- 4318 comments
- 3455 Views
અમદાવાદ, કચ્છના જખૌ દરિયામાંથી ૨૮૦ કરોડની કિંમતના હેરોઈનના જથ્થા સાથે રવિવારે ૯ આરોપીને ગુજરાત એટીએસ અને ઈન્ડિયન કોસ્ટગાર્ડની ટીમે ઝડપી પાડ્યા હતા. બાદમાં આરોપીની પુછપરછ દરમિયાન લાલ માછલી પકડવાના બહાને ડ્રગ્સનો વેપલો ચલાવવા માટે આવ્યા હોવાનુ સામે આવ્યુ હતુ. જાે કે આરોપીઓ પહેલા તો લાલપરી માછલી પકડવા જ આવ્યા હોવાનુ રટણ કરી રહ્યા છે, અત્રે ઉલ્લેખનીય છે કે, આવનાર સમયમાં આ ડ્રગ્સ કેસમાં મસમોટા ખુલ્લાસા થાય તેવી પુરેપુરી સંભાવના સેરવાઈ રહી છે.કચ્છના જખૌ દરિયામાંથી ૨૮૦ કરોડની કિંમતનું ૫૬ કિલો હેરોઈનના જથ્થા સાથે ૯ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. સાથે જ અલ-હજ નામની પાકિસ્તાની બોટમાં તમામ આરોપીઓ સવાર થઈને ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કર્યો હોવાથી એટીએસ અને ઈન્ડિયન કોસ્ટગાર્ડની ટીમે પાકિસ્તાની બોટ અને ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી આરોપીની પુછપરછ હાથધરી હતી. જાે કે પ્રાથમિક પુછપરછમાં આરોપીઓ દરિયામાં લાલ પરી નામની માછલીનો શિકાર કરવા માટે પાકિસ્તાનથી આવ્યા હોવાનુ જણાવી રહ્યા હતા. જાે કે ડ્રગ્સ અંગે પુછપરછ કરતા આરોપીઓ કંઈ જણાવી રહ્યા નથી, જેના પગલે હવે આરોપીઓના રીમાન્ડ મેળવી વધુ પુછપરછ હાથધરવામાં આવશે. જાે કે પુછપરછ દરમિયાન મસમોટા ખુલ્લાસાઓ થાય તો નવાઈની વાત નથી, અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૬૦૦ કિલોમીટર લાબો દરિયાઈ વિસ્તાર અવાર નવાર ડ્રગ્સ માફિયાઓ માટે હબ બની ગયુ છે જેટલી વખત કોસ્ટગાર્ડ, એટીએસ સહિતની એજન્સીઓએ ડ્રગ્સ સાથે આરોપીઓને ઝડપ્યા છે તેટલી વખત તેઓ માછલીનો શિકાર કરવા માટે આવ્યા હોવાનુ અને પોતે માછીમાર હોવાનુ જ રટણ કરી રહ્યા હોય છે. ૧૪ નોટીકલ માઈલ અંદર બોટ પકવા માટે ૨૦૦ રાઉન્ડ ફાયરીંગ બાતમીના આધારે એટીએસ અને ઈન્ડિયન કોસ્ટગાર્ડની ટીમે સંયુક્ત ઓપરેશન હાથધરીને ૧૪ નોટીકલ માઈલ જળસીમાની અંદર જઈને પાકિસ્તાની અહ-હજ નામની બોટને ઉભી રાખવાનુ જણાવ્યુ હતુ. જાે કે પકડાઈ જવાના ડરના કારણે આરોપીઓએ બોટ પૂરપાટ ઝડપે હંકારવાનુ શરૂ કરી દીધી હતી. આ દરમિયાન અહ-હજ નામની બોટને રોકવા માટે એક-બે નહીં ૨૦૦ રાઉન્ડ વોર્નિંગ ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. જેના કારણે અહ-હજ બોટ ઉભી રહી હતી બાદમાં એટીએસ અને ઈન્ડિયન કોસ્ટગાર્ડની ટીમે બોટમાં સર્ચ ઓપરેશન હાથ ધરી ડ્રગ્સનો પર્દાફાશ કર્યો હતો. ત્રણ આરોપીઓને નાની મોટી ઈજાઓ થવા પામી હતી ગુપ્ત સુત્રોથી મળતી માહિતી અનુસાર જ્યારે એટીએસ અને ઈન્ડિયન કોસ્ટગાર્ડની બોટ જાેઈ ત્યારે અહહજ બોટ ભાગવાનો પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાન તેમને રોકવા માટે ૨૦૦ રાઉન્ડ વોર્નિંગ ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ જેમાં ત્રણ જેટલા પકડાયેલા આરોપીને નાની મોટી ઈજાઓ થવા પામી હતી, જાે કે આ તમામ આરોપીઓની પુછપરછ કરી બાદમાં તેમની સારવાર કરાવવામાં પણ આવી હોવાનુ સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.વધુ વાંચો -
સુપર સ્પે. હોસ્પિટલનું ઈ-લોકાર્પણ કરતાં મોદી
- 16, એપ્રીલ 2022 01:30 AM
- 6493 comments
- 5625 Views
ભૂજ, ભુજના મુન્દ્રા રોડ પર આવેલા શનિ મંદિર નજીક અંદાજિત ૧૫૦ કરોડના ખર્ચે આકાર પામેલી ૨૦૦ બેડની કેકે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું આજે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું ..કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી અને જિલ્લાના પદાધિકારીઓ, દાતા પરિવાર, સ્વામિનારાયણ મંદિરના સંતો અને લોકોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના શુભેચ્છા સંદેશની શરૂઆત જય સ્વામિનારાયણ બોલીને કચ્છી ભાષામાં ‘કિ આઈ યો “ એમ પૂછીને કરી હતી. . તેમણે કચ્છી લેવા પટેલ સમાજ, હોસ્પિટલના દાતા પરિવાર અને ટ્રસ્ટીમંડળને પણ આ સેવાકાર્ય બદલ ધન્યવાદ પાઠવ્યા હતા. મોદીએ જણાવ્યું હતું કે કચ્છની એક વિશેષતા છે કે તમે ગમે ત્યાં જાઓ અને ગમે તેને મળો, તમે ખાલી કચ્છી કહો એટલે પછી કોઈ તમને પૂછે નહિ કે તમે કયા ગામના છો કે કયા વિસ્તારના છો, તમે તરત ત્યાંના થઈ જાઓ. હવે કચ્છનો ક, કર્તૃત્વના ક તરીકે ઓળખાય એવી રીતે તમે પગલાં ભરી રહ્યા છો. કોઈને પણ જ્યારે મુસીબતના સમયે આપણે મળ્યા હોય ત્યારે તેની સાથેનો નાતો એકદમ અતૂટ બની જતો હોય છે. કચ્છમાં ભૂકંપના સમયે જે સ્થિતિ હતી એ પરિસ્થિતિમાં મારો તમારી સાથે એક અતૂટ નાતો જાેડાઈ ગયો હતો. એનું જ પરિણામ છે કે ના હું કચ્છ છોડી શકું કે ના કચ્છ મને છોડી શકે. કચ્છની જનતાને વર્ષોથી જેની પ્રતીક્ષા હતી એ અદ્યતન આરોગ્ય સુવિધા હવે ભુજ ખાતે ઉપલબ્ધ બની છે, જેનો સીધો ફાયદો ગંભીર બીમારી વખતે બહાર જતા દર્દીઓને સ્થાનિકે મળી રહેશે. તાકીદના સમયે દર્દીઓને અમદાવાદ અને રાજકોટ સુધી ધક્કા ખાવા પડતા હતા, જેમાં હવે રાહત મળશે. અમદાવાદની સિમ્સ હોસ્પિટલના સંચાલન હેઠળ આ હોસ્પિટલ કચ્છની આરોગ્ય સેવામાં પ્રથમ સુવિધા સાબિત થશે, એમ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું.મુખ્યમંત્રીએ ૩૬ એમ્બ્યુલન્સને લીલીઝંડી આપી મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલના હસ્તે જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે કુલ ૩૬ આરોગ્ય એમ્બ્યુલન્સને લીલીઝંડી આપી નાગરિકોની સેવામાં અર્પણ કરવામાં આવી હતી. આ અંગે જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, વિવિધ ગ્રાન્ટો પૈકી ૧૫માં નાણાપંચની રૂ.૩.૦૨ કરોડની ૨૧, રૂ.૧ કરોડની ડીએમએફ ગ્રાન્ટની ૭, વિકાસશીલ તાલુકાની ગ્રાન્ટમાંથી રૂ.૮૫.૮૧ લાખની પાંચ અને અબડાસા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બે તેમજ માંડવી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ૧ થઇને રૂ.૪૩.૧૫ લાખની ૩ આરોગ્ય એમ્બ્યુલન્સ થઇ કુલ ૩૬ એમ્બ્યુલન્સ રૂ.૦૫.૩૧ કરોડના ખર્ચે જિલ્લા પંચાયત દ્વારા ખરીદવામાં આવી છે.વધુ વાંચો -
રણકાંધીમાં ખનીજ ચોરી કરતા ૪૧ ડમ્પર જપ્ત
- 15, માર્ચ 2022 01:30 AM
- 5191 comments
- 8603 Views
કચ્છ , પ્રતિબંધિત ગણાય છે અને જ્યા સરળતાથી લોકોને પ્રવેશ મળતો નથી. તેવા રણકાંધીના વિસ્તારમાં ગેરકાયદે રીતે ઓવરલોડ ખનીજ ભરેલા વાહનોનું પરિવહન થતું હોવાની બાતમીના આધારે પશ્ચિમ કચ્છ એલસીબી,ખાણ ખનીજ વિભાગ અને આરટીઓની ટીમેહકાર્યવાહી કરીને એકસાથે ૪૧ ડમ્પરો ઝડપી લીધા છે.ઓવરલોડ અને ખનીજચોરીના દુષણ સામે સરકારી વિભાગોની સંયુક્ત તવાઈથી ગેરપ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.આ અંગેની વિગતો મુજબ,લાંબા સમયથી ખાવડાના સરહદી વિસ્તારમાં ઓવરલોડ ટ્રકો ચાલતી હોવાની ફરીયાદ મળતા આ દુષણને અટકાવવા માટે સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી.પોલીસ અધીક્ષક સૌરભ સિંધ દ્વારા પશ્ચિમ કચ્છ જિલ્લામાં થતી ગેરકાદેસર ખનીજ ચોરી તેમજ ઓવરલોડ વાહનોની અવર-જવર અટકાવવા આપેલ સુચના અન્વયે એલ.સી.બી. ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એચ.એમ.ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા ત્યારે ઇન્ડીયાબ્રીજ ચેક પોસ્ટ પાસે પહોચતા ખાવડા તરફથી પત્થરો(લાઇમ સ્ટોન) તથા કપચી (બ્લેક ટ્રેપ) ભરેલ ડમ્પરો આવતા જે ડમ્પરો રોકાવી આધાર-પુરાવાની માંગણી કરાઈ હતી.ઓવરલોડ પરિવહન હોવાથી ૪૧ ડમ્પર ઝડપી પડાયા હતા.પશ્ચિમ કચ્છ ભૂસ્તરશાસ્ત્રી યોગેશ મહેતાએ જણાવ્યું કે,લાંબા સમયથી ફરિયાદો મળી હતી. જેથી પ્લાનિંગ કરીને સયુંકત રીતે કાર્યવાહી કરવામાં આવી છે.સિઝ કરાયેલા ૪૧ ડમ્પરમાં નોર્મલ લાઇમસ્ટોન અને બ્લેકટ્રેપ ભરેલા હતા. ખાવડા વિસ્તારમાં આવેલી લિઝમાંથી તે ભરાયા હતા.રોયલ્ટી અને પાસ પરમીટ વગર પરિવહન કરવામાં આવતા તમામ ૪૧ ડમ્પરો સિઝ કરીને ધર્મશાળા બીએસએફ કેમ્પ ખાતે રાખી તેની કસ્ટડી ખાવડા પોલીસને સોંપવામાં આવી છે. એક ડમ્પરમાં દોઢ થી બે લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે જેથી ૮૦ લાખ થી ૧ કરોડ રૂપિયાનો દંડની વસુલાત કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે,કચ્છના પ્રતિબંધીત વિસ્તારમાં કામો શરૂ થઇ જતા હવે લોકોની ચહલ-પહલ વધી છે. પરંતુ વિકાસની સાથે હવે દુષણનો પણ પગપેસારો થયો છે અને ઓવરલોડ વાહનો અહીં ચાલી રહેલા કામમાં દોડી રહ્યા છે. એકસાથે જે ૪૧ ડમ્પરો સિઝ કરવામાં આવ્યા છે.તેમાં ભરેલું ખનીજ અહીં ચાલી રહેલા રોડના કામમાં વપરાતું હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે.જાહેર રસ્તાઓ તો ઠીક પરંતુ જ્યાં લોંખડી સુરક્ષાની તૈનાતી છે. તેવા વિસ્તારમાં પણ ડર વગર થતી આવી પ્રવૃતી જાેખમી છે.પશ્ચિમ કચ્છ એલસીબીના પીઆઇ હાર્દિકસિંહ ગોહિલ,ખાણખનીજ અધિકારી યોગેશ મહેતાની ટીમે બોલાવેલો સપાટો કાબીલેદાદ છે.પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી યોગેશ મહેતાએ જણાવ્યું કે, સ્થળ પરથી ૪૧ ડમ્પરો સિઝ કરવામાં આવ્યા છે. ડમ્પરોમાં ભરેલ નોર્મલ લાઇમસ્ટોન અને બ્લેકટ્રેપ ખનિજ કઇ લિઝમાંથી ભરવામાં આવ્યું છે તેની તપાસણી કરવામાં આવશે તેમજ આ લિઝની માપણી કરીને ખનીજચોરી કરાઇ છે કે કેમ તેની તપાસ કરી ગેરરીતી જણાઈ આવશે તો દંડકીય કાર્યવાહી કરવામાં આવશે.વધુ વાંચો -
મીઠીરોહરના ગોદામમાંથી ૧૦.૯૮ લાખના ઘઉંની છેતરપિંડી કરનાર ૫ ઇસમોની ધરકપકડ
- 07, ફેબ્રુઆરી 2022 01:30 AM
- 3492 comments
- 6825 Views
ગાંધીધામ,ગાંધીધામના મીઠીરોહરના ગોદામમાંથી રૂ.૧૦.૯૮ લાખના ઘઉં ભરી ડમ્પર રેઢા મુકી છેતરપિંડી કરનાર ૫ ઇસમોને બી-ડિવિઝન પોલીસે પકડી લઇ તમામ મુદ્દામાલ રિકવર કર્યો હતો. આ બાબતે બી-ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, મીઠીરોહર નજીક આવેલા આર.એ. ગોડાઉન નંબર – ૩ માંથી રૂ.૧૦,૯૮,૦૮૫ ની કિંમતનો ૪૫.૧૨૦ મેટ્રિક ટન ઘઉનો જથ્થો ભરી નિકળેલા ત્રણ ડમ્પરનો જથ્થો નિયત જગ્યાએ ન પહોંચાડી ડમ્પર બિનવારસુ મુકી વિશ્વાસઘાત કરાયો હોવાની ફરિયાદ શ્રીનાથજી વર્લ્ડ વાઇડ પ્રા.લિ. કંપનીના સુપરવાઇઝર રાજેશ નારાયણદાસ શર્માએ બી-ડિવિઝન પોલીસ મથકે તા.૨૫/૧ ના નોંધાવી હતી.આ ફરિયાદ નોંધાયા બાદ પીઆઇ કે.પી.સાગઠીયાએ આરોપીઓને પકડવા અલગ અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા હતા. તે દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસની મદદથી મળેલી બાતમીના આધારે છેતરપીંડીથી ગયેલ મુદ્દામાલના ગુનાને ગણતરીના સમયમાં ઉકેલી આરોપીઓને પકડી પાડી સંપુર્ણ મુદ્દામાલ રિકવર કરતી ગાંધીધામ બી ડીવીઝન પોલીસજુના કંડલાના ગુલામ અલી કોરેજા, તુણાના હાસમ કાતિયાર , જુના કંડલાના અબ્બાસ નોતિયાર, માંડવીના ઢીંઢ રહેતા આસિફ અદ્રેમાન સુમરા અને માંડવીના મસ્કા રહેતા અંકિત રાબડીયાને પકડી લઇ છેતરપિંડીથી મેળવેલો ઘઉંનો રૂ.૧૦.૯૮ લાખની કિંમતનો ૪૫.૧૨૦ મેટ્રિક ટન જથ્થો રિકવર કરી ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી લીધો હતો.વધુ વાંચો -
કચ્છ કોંગી અગ્રણીઓ - કલાકારોનો કાફલો ભાજપમાં
- 03, ફેબ્રુઆરી 2022 01:30 AM
- 5990 comments
- 9791 Views
ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે વિવિધ જ્ઞાતિ સમાજ અને અન્ય રાજકીય પક્ષના નેતાઓ આગેવાનો રાજકીય પક્ષોમાં જાેડાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતી કલાકારોએ પણ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના હાથે કેસરીયો ખેસ પહેરીને ભાજપમાં પ્રવેશ કર્યો હતો. જેમા ભૂતપૂર્વ નાણા મંત્રી અને કોંગ્રેસના સિનિયર નેતા બાબુભાઈ શાહની પુત્રી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓએ આજે કમલમ્ ખાતે કેસરીયો ખેસ પહેર્યો હતો.વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષોમાં અવરજવર વધી રહી છે. ત્યારે આજે કોંગ્રેસના પીઢ નેતા અને પૂર્વ નાણા મંત્રીની પુત્રી સહિતના કોંગ્રેસના અગ્રણીઓ, કલા જગતના કલાકારો અને ગુજરાતી ફિલ્મની અભિનેત્રી સહિતનાએ કેસરિયો ખેસ પહેરીને ભાજપમાં જાેડાયા હતા. પ્રદેશ ભાજપ કાર્યાલય “શ્રી કમલમ“ ખાતે કચ્છના કોંગ્રેસના આગેવાનો અને ગુજરાત કલા જગતના નામાકિંત કલાકારો આજે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તથા પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં ભાજપમાં જાેડાયા હતા. જેમાં પૂર્વ નાણા મંત્રી બાબુ મેઘજી શાહના પુત્રી જાગૃતિ શાહ કે જેઓ કચ્છના પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અને મહિલા કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ રહી ચૂકયા છે. તેમજ પૂર્વ નાણા મંત્રી બાબુ મેઘજી શાહના પુત્ર ગૌતમ શાહ તથા કચ્છ જિલ્લા પૂર્વ મહામંત્રી યુવરાજસિંહ લીંબાડ, કોંગ્રેસ શહેરના પૂર્વ મહામંત્રી વિજય વઢવાણા સહિત ૪૪ જેટલા કાર્યકરો ભાજપમાં જાેડાયા હતા. આ ઉપરાંત કલાકાર જગતના જાણીતા કલાકારોમાં ભક્તિ કુબાવત, મમતા સોની, જાણીતા અભિનેત્રી ફાલ્ગુની રાવલ, કામિની પટેલ, હેમાંગ દવે, હેતલ ઠક્કર, સની કુમાર, પ્રશાત બારોટ, જ્યોતિ શર્મા જાેડાયા હતા. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આઝાદી પછી પ્રથમ વખત ખેડા સહકારી બેન્ક લી.ના જીતેલા તમામ ઉમેદવારો સાથે મુલાકાત કરી શુભાકામના પાઠવી અને ખેડૂતોના હિતમાં ર્નિણય લેવા જણાવ્યું હતું. ખેડા જિલ્લા સહકારી બેંક લી. ની ચૂંટણીમાં ૧૭ બેઠક પૈકી ૯ બેઠક પર ભાજપ ઉમેદવારોની જીત અને ૪ બેઠકો પર ઉમેદવારની બિનહરીફ જીત સાથે કુલ ૧૩ બેઠક ભાજપ પ્રેરિત પેનલે જીત મેળવી ઇતિહાસ રચ્યો છે. જયારે પ્રદેશના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ તમામ કાર્યકરોને પક્ષમાં આવકારતા જણાવ્યું હતું કે, જાગૃતિબેનનું કચ્છ અને રાપર વિસ્તારના વિકાસમાં મોટુ યોગદાન છે અને પક્ષમાં તેમનું સ્વાગત છે. જાગૃતિબેન જેવા મહિલા આગેવાન રાપર જેવા વિસ્તારમાં પણ જિલ્લા પંચાયતમાં ચૂંટાઇને આવ્યા હોય ત્યારે તેઓ ભાજપમાં જાેડાતા હોય ત્યારે ચોક્કસ ભાજપ સંગઠનને પણ તેમની શક્તિનો લાભ મળશે. વાઘેલાએ જણાવ્યું હતું કે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના નેતૃત્વમાં પાર્ટી મજબૂત થઇ રહી છે. અમારી પાર્ટી કાર્યકર્તાઓની પાર્ટી છે.વધુ વાંચો -
કચ્છે વિકાસની હરણફાળ ભરી છે ઃ મંત્રી કિર્તીસિંહ
- 28, જાન્યુઆરી 2022 01:30 AM
- 8211 comments
- 1758 Views
ભુજ, જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે જિલ્લા કક્ષાના ૭૩માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજયમંત્રી કિર્તીસિંહ વાઘેલાના હસ્તે રાષ્ટ્ર ધ્વજને સલામી અર્પીને કરવામાં આવી હતી. લાલન કોલેજ ભુજ ખાતે આન બાન શાનપૂર્વક રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને વિવિધ સાત પ્લાટુનની સલામી સાથે મનાવાએલા ગણતંત્ર પર્વમાં નામી અનામી શહીદો, સ્વાતંત્ર્યવીરો અને દેશભકતો તેમજ ભૂકંપપીડિતોને ભાવભીની ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજયમંત્રી કિર્તીસિંહ વાઘેલાએ, કચ્છની ખમીરવંતી પ્રજાને ૭૩માં પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, દેશના સ્વાતંત્ર્ય અને પ્રજાસત્તાક સાથે જાેડાએલા તમામનું સમર્પણ મહાન, ઉત્કૃષ્ટ અને અમુલ્ય હતું. દેશના સ્વાતંત્રવીરો અને શહિદોને આ પર્વે નતમસ્તક વંદન કરું છું.આ પ્રસંગે મંત્રીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ભારતને ભવ્ય બનાવવા માટે આપણા સૌના લોકલાડિલા માન.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશ અત્યારે વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર બની વણથંભ્યો વિકાસ સાધી રહયો છે. પ્રવર્તમાન કોરોના મહામારી વચ્ચે વિશ્વનાં સૌથી મોટા રસીકરણ અભિયાન અંતર્ગત દેશમાં અત્યાર સુધીમાં ૧૬૦ કરોડથી વધુ વેકસિનેશન ડોઝ આપવામાં આવ્યા છે.તેમણે આ તકે વધુમાં જણાવ્યું હતું કે, વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે આપણા દેશે વિશ્વનાં અનેક દેશોને કોરોના સામેની રસી ઉપલબ્ધ કરાવી છે. રાજયના પ્રજાવત્સલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની નેતૃત્વવાળી સરકારે તાજેતરમાં જ સુશાસનના ૧૨૧ દિવસ પૂર્ણ કરી લોકાભિમૂખ વહીવટનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડયું છે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજય સરકારની જનસેવાની આ પરિશ્રમ યાત્રા અવિરતપણે આગળ વધી રહી છે. આર્ત્મનિભર ગુજરાતથી આર્ત્મનિભર ભારતનાં લક્ષ્યને સાકાર કરવા સર્વાંગી વિકાસની દિશામાં ગુજરાત રાજય સમગ્ર દેશમાં અગ્રેસર રહયું છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતએ દેશ માટે ગ્રોથ એન્જિન છે. કચ્છ જિલ્લાની વાત કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે, કચ્છ એ ગુજરાતનો વિકસિત જિલ્લો છે. તમામ ક્ષેત્રે કચ્છ ઝડપભેર વિકાસની હરણફાળ ભરી રહયું છે. કચ્છ એ ભારતનું સિંગાપુર બને તે દિશામાં પ્રગતિ કરી રહયું છે. તાજેતરમાં જ માન.મુખ્યમંત્રી દ્વારા નર્મદાના વહી જતાં વધારાના એક મીલીયન એકર ફીટ પાણીનો જથ્થો કચ્છ પ્રદેશને ફાળવવાની રૂ.૪૩૬૯ કરોડની યોજનાને વહીવટી મંજુરી આપવામાં આવી છે. આ વધારાના પાણીના ઉપયોગ માટે કુલ ૩૩૭.૯૮ કિલોમીટરની લંબાઇની પાઇપ લાઇન દ્વારા ૪ લિંકનું આયોજન કરાયું છે. કચ્છના ધરતીપુત્રોને જરૂરિયાત મુજબ સિંચાઇનું પાણી મળી રહે તે હેતુથી આવી પાઇપલાઇન મારફતે ૩૮ જેટલી નાની તથા મધ્યમ સિંચાઈ યોજનાઓમાં આ પાણી નાખવાનું રાજ્યના જળસંપત્તિ વિભાગનું આયોજન છે.કચ્છ જેવા પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રે પણ અનેક ઉજળી તકો રહેલી છે. પ્રવાસન માટે હવે કચ્છ જિલ્લો મોખરાનું સ્થાન મેળવી રહ્યો છે ત્યારે કચ્છના પ્રસિદ્ધ ધોળાવીરાને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેઝ સાઈટમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત લખપત, માતાના મઢ, જેસલ-તોરલ મંદિર, પુંઅરેશ્વર મંદિર, નારાયણ સરોવર, કોટેશ્વર અને થાન જાગીર જેવા પ્રવાસન ક્ષેત્રોને વિકસાવવા માટે અનેક પ્રોજેકટ હેઠળ કાર્યો ચાલી રહ્યા છે. આ તકે મંત્રીએ ૨૬મી જાન્યુઆરી ઈ.સ.૨૦૦૧માં આવેલ વિનાશક ભૂકંપમાં હતભાગી થનાર પુણ્યાત્માઓને શ્રધ્ધાસુમન પાઠવ્યા હતા.વધુ વાંચો -
માંડવી બીચ પર પેરાગ્લાઇડિંગ કરતો યુવક ૨૫ ફૂટ ઊંચેથી નીચે પટકાતા ગંભીર ઇજા
- 20, જાન્યુઆરી 2022 01:30 AM
- 5970 comments
- 759 Views
કચ્છ, માંડવી બીચ પર પેરાગ્લાઇડિંગમાં ૨૫ ફૂટ ઊંચેથી ભુજનો યુવાન નીચે પટકાયો હતો. અચાનક ગાડીને બ્રેક મારી બંધ કરતાં દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારે હવે ચાલક સામે ગુનો નોંધાયો છે. ચાલકની બેદરકારીને કારણે ૨૫ ફૂટથી નીચે પટકાતાં ઇજાગ્રસ્ત થયો હતો. ગાડીચાલક વિરુદ્ધ ૪ દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ૧૩ નવેમ્બરે કચ્છ કલેક્ટરે માંડવીમાં પેરાશૂટ બંધ કરવા માંડવી પોલીસેને આદેશ આપ્યો છતાં પોલીસે કોઈ પગલાં ના ભરતા આ અકસ્માત સર્જાયો હતા.ભુજના સંજાેગનગરમાં રહેતો યુવાન મકરસંક્રાંતિના દિવસે માંડવી બીચ પર ફરવા ગયો હતો. ત્યાં પેરાગ્લાડિંગની ગાડીમાં બેસીને ઉડાન કરી રહ્યો હતો ત્યારે ચાલકની બેદરકારીને કારણે ૨૫ ફૂટથી નીચે પટકાયો હતો. જેથી યુવક ઇજાગ્રસ્ત થયો હતો. ગાડીચાલક વિરુદ્ધ ૪ દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.માંડવી પોલીસ મથકમાં ભુજના તારીફ સલીમ બલોચ (ઉં.વ.૨૩)એ માંડવી બીચ પર પેરાગ્લાડિંગની ગાડી ચલાવતાં બ્લૂસ્ટાર વોટર પેરાશૂટના ગાડીચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ગાડીચાલકે ૨૫ ફૂટ ઊંચે પેરાશૂટ ઉડાડીને અચાનક ગાડીને બ્રેક મારી બંધ કરી દેતાં કોઇ સેફટીના સાધન ન હોવાને કારણે ફરિયાદી ઊંચેથી નીચે પટકાયો હતો. જેને કારણે તેને કમરના ભાગે ઇજા પહોંચી હતી. પેરાશૂટ બંધ કરવા કચ્છ કલેકટરે માંડવી પોલીસને ગત ૧૩ નવેમ્બર ૨૦૨૧ના લેખિત આદેશ આપ્યો હતો. તેમ છતાં માંડવી પોલીસે કોઇ જ દરકાર ન કરી, જેને કારણે અકસ્માત સર્જાયો હતો.વધુ વાંચો -
પોતે ભોગ બન્યા બાદ ૭ હજાર માનસિક દિવ્યાંગોની સુશ્રુષા કરી ઘર સુધી પહોંચાડ્યા
- 18, જાન્યુઆરી 2022 01:30 AM
- 3575 comments
- 5558 Views
ભચાઉ, અનેકવિધ સમસ્યાઓનો સામનો કરતા દયારામભાઈ બે દશકા પહેલા જ્યારે પોતે માનસિક વિક્ષિપ્ત થયા ત્યારે તેમને આ સ્થિતિની ગંભીરતાનો અંદાજાે આવ્યો અને આજે કચ્છમાં રહીને દરેક એવા વ્યક્તિને સહાયતા કરી રહ્યા છે, જે આવી પરિસ્થિતિમાંથી પસાર થાય છે. વાત એવા “પાગલપ્રેમી’ તરીકે જાણીતા થયેલા વ્યક્તિની કે જેણે ન માત્ર પોતે આ પરિસ્થિતિમાંથી બહાર આવ્યા પરંતુ અત્યાર સુધી મુંબઈની શ્રદ્ધા ફાઉન્ડેશનના સહયોગથી ૭ હજાર જેટલા માનસિક વિક્ષિપ્તોને સ્વગૃહે પહોંચાડી ચુક્યા છે.મુળ ભચાઉના જંગી ગામના દયારામ નાગજી મારાજનો ૧૯૯૮માં મુંબઈના મલાડમાં કપડાની ફેક્ટરીનો મોટો કારોબાર વિકસી રહ્યો હતો. પરંતુ સમયની કઠણાઈ અને એક મોટી પાર્ટીએ પગ પાછા ખેંચતા તે સમયના ૨૦લાખના દેણામાં તેવો આવી ગયા. ઘર બાર અને હતું તે તમામ વેંચીને તેમણે ૧૫ લાખનો ઉતાર્ય પરંતુ બાકી રહેલા ૫ લાખ તેમને સતત જંખતા રહ્યા અને તેના કારણે તેમણે માનસીક સંતુલન ગુમાવ્યું, ઘરેથી તેવો નિકળી જતા અને બે વર્ષ સુધી નાના ગાભાઓ ભેગા કરી, કલર મેચ કરીને તેનાથી કપડા બનાવીને આ કર્જ ઉતારીશ તેવી ટ્રીપમાં રાચ્યા રહેતા. દરમ્યાન તેમના પત્ની લક્ષ્મ્બેન દ્વારા સાળંગપુર લઈ જતા સમયે રસ્તામાંજ તેમની સ્વસ્થતા પાછી મળી અને પછીથી અત્યાર સુધી તેમણે માનસીક દિવ્યાંગો માટે જીવન સમર્પીત કરી દીધુ. પોતાના ભાઈને કારખાનું ચલાવવા આપીને તેવો અંજાર સ્થાપિત થયા, જ્યાં શરૂ કરેલી નાની દુકાનનું ઉદઘાટન પણ તેવો જેમને “પ્રભુજી’ કહે છે તેવા માનસીક દિવ્યાંગથી કરાવ્યું. મુંબઈના શ્રદ્ધાં ફાઉન્ડેશન અને હાલ ગાંધીધામના અપનાઘરમા સેવા આપી રહ્યા છે જેના થકી અત્યાર સુધી ૭ હજાર જેટલા લોકોને રસ્તા પરથી ઉઠાવીને સ્વાસ્થ્ય કેંદ્રોમાં અને ત્યાંથી તેના ઘરે પહોંચાડવાનું શ્રેય તેમના નામે સ્થાપિત છે. તેમનું કહેવું છે કે દરેક દેખાતા માનસીક દિવ્યાંગ વ્યક્તિમાં તેમને પોતાનો એટલે કે દયારામનો આભાસ થાય છે, જાે તેમના સહારે તે નહી પહોંચે તો દુર ભાગતા આજના સમાજના કોણ લોકો પહોંચશે?મુક્તક, કવિતાઓ થકી પણ પોતાની વાત કહેવાના આદી દયારામભાઈ પોતાની ભાષામાં કહે છે કે માસ્ક પહેરીને ફરતા કથીત ડાહ્યાનો ડર ગાંડા ઘેલાઓથી વધુ છે. શ્રદ્ધા ફાઉન્ડેશનના ડો. ભરત વટવાની, ડો. મીતા વટવાની, અને તેમના ગુરુજી યોગેશ્વરદેવ સ્વામીના માર્ગદર્શન અને સહયોગ તળે તેઓ આ સેવા કરી રહ્યાનું જણાવે છે. તેમણે ૨૦૦૭માં અમન ચેરીટેબલ ટ્રસ્ટ પણ બનાવ્યું જે તેમના દતક લીધેલા પુત્રના નામે છે, જેમાં કોઇ ડોનેશન લેવામાં આવતું નથી અને બેંક ખાતું પણ નથી.વધુ વાંચો -
નળ સરોવરમાં વિદેશી વિહંગો મહેમાન બન્યાં
- 28, ડિસેમ્બર 2021 01:30 AM
- 7320 comments
- 4416 Views
શિયાળાની મૌસમ જામી છે ત્યારે શિયાળો શરૂ થતાં નળ સરોવરમાં યાયાવર પક્ષીઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે. નળ સરોવર એ પક્ષી અભ્યારણ્ય છે જેમાં દેશ વિદેશથી અનેક પક્ષીઓ આવે છે. ખાસ કરીને શિયાળામાં પક્ષીઓના ટોળા અને ટોળા ઉમટી પડે છે. આ સમય પક્ષીઓના વિહાર માટે ઉત્તમ સમય પણ હોય છે તો બહારથી આવતા પક્ષીઓને જાેવા માટે અનેક સહેલાણીઓ પણ ઉમટી પડે છે. વહેલી સવારથી જ પ્રવાસીઓ યાયાવર પક્ષીઓને જાેવા માટે આવે છે.વધુ વાંચો -
દુધઇમાં દેશ વિરોધી નારા લાગ્યાં નથી પોલીસ
- 23, ડિસેમ્બર 2021 01:30 AM
- 583 comments
- 8331 Views
કચ્છ, કચ્છના અંજાર તાલુકાના દુધઈ ગામમાં ચૂંટણીના વિજય સરઘસ દરમિયાન ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના કથિત નારા મામલે નવો વળાંક આવ્યો છે. પૂર્વ કચ્છ એસપી મયુર પાટીલે વાઈરલ વીડિયોની તપાસ બાદ કહ્યું છે કે, આ વીડિયોને ખોટી રીતે પ્રકાશિત કરાયો છે. વીડિયોમાં જે નારાઓ લાગી રહ્યા છે તે ‘રાધુભાઈ ઝિંદાબાદ’ના છે. વીડિયોનો ખોટી રીતે પ્રકાશિત કરનારની ઓળખ કરી કાર્યવાહી કરવામા આવશે.અંજાર તાલુકાના દુધઈ ગામમાં ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ વિજય સરઘસ યોજાયું હતું. જેમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લાગ્યા હોવાની વિગતો સાથે વીડિયો વાઈરલ થયો હતો. વાઈરલ વીડિયોની તપાસ માટે ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા તપાસન આદેશ આપવામા આવ્યા હતા. વીડિયોની તપાસ કર્યા બાદ કચ્છ પોલીસ દ્વારા ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારાઓ લાગ્યા હોવાનો ઈન્કાર કર્યો છે. વીડિયોનો ખોટી રીતે પ્રકાશિત કરાયો હોવાનો દાવો કરાયો છે. વીડિયોને ખોટી રીતે વાઈરલ કરનાર સામે પણ કાર્યવાહી કરાશે.વધુ વાંચો -
મોટરસાઇકલ રેલીનું પ્રસ્થાન
- 21, ડિસેમ્બર 2021 01:30 AM
- 3646 comments
- 5846 Views
કચ્છ, ૭૫ ઇન્ફેન્ટરી બ્રિગેડના કમાન્ડર બ્રિગેડિયર સુધાંશુ શર્માએ ૨૦ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ સ્મૃતિવન સ્મારક ખાતેથી મોટરસાઇકલ રેલી ૨૦૨૧”ને ઝંડી બતાવીને તેનું પ્રયાણ કરાવ્યું હતું. ભારતની સ્વતંત્રતાના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે “આઝાદીનો અમૃત મહોત્સવ” ચાલી રહ્યો છે તેના ભાગરૂપે હીરો મોટોકોર્પ અને ભારત પેટ્રોલિયમના સહયોગથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.સીમા માર્ગ સંગઠનના ૧૦ બાઇકસવારો આ રેલીમાં ભાગ લઇ રહ્યાં છે. તેઓ ૨૫ ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં બાડમેર, બિકાનેર, અમૃતસર, ફિરોઝપુર થઇને અંતે દિલ્હી પહોંચશે અને છ દિવસના સમય દરમિયાન અંદાજે ૨,૪૦૦ કિલોમીટર કરતાં વધારે અંતર કાપશે. આ રેલીનું પ્રયાણ કરાવતા ૭૫ બ્રિગેડના કમાન્ડરે જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક વર્ષ છે અને સરહદી ક્ષેત્રોમાં જ્યાં કનેક્ટિવિટી અત્યંત નિર્ણાયક સ્થિતિમાં હોય છે ત્યાં દુર્ગમ તેમજ અંતરિયાળ વિસ્તારોમાં કામ કરતી વખતે સર્વોચ્ચ બલિદાન આપનારા આપણા સીમા માર્ગ સંગઠનના પીઢ સૈનિકોને યાદ કરવા માટે આપણા માટે મહત્વપૂર્ણ છે. તેમણે ઉમેર્યું હતું કે, લોકો સાથે જાેડાવા માટે અને સીમા માર્ગ સંગઠનના જુસ્સા તેમજ બલિદાન વિશે તેમને યાદ અપાવવા માટે આવા કાર્યક્રમો ખૂબ જ મહત્વના હોય છે. તેમણે તમામ સહભાગીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના સાહસની પ્રશંસા કરી હતી. કમાન્ડરે આ રેલીમાં સહકાર આપવા બદલ હીરો મોટોકોર્પ અને ભારત પેટ્રોલિયમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. આ રેલી કચ્છના રણના સરહદી વિસ્તારમાંથી પસાર થઇ ત્યારે લખપત કિલ્લાના વિસ્તારોમાં સરહદ પર તૈનાત સૈનિકો સાથે સંવાદ કરવાની તેમને તક પ્રાપ્ત થઇ હતી. બાઇકસવારોએ કોટેશ્વર મંદિરની મુલાકાત લીધી ત્યારે સમગ્ર માહોલમાં દેશભક્તિની ભાવના ફેલાઇ ગઇ હતી અને તેમણે ઉત્સાહપૂર્વક અહીં ઉપસ્થિત રહેલા સ્થાનિક લોકો સાથે સંવાદ કર્યો હતો તેમજ સીમા માર્ગ સંગઠનના જુસ્સા અને તેમણે આપેલા બલિદાન પર પ્રકાશ પાડ્યો હતો અને સીમા માર્ગ સંગઠનની અદમ્ય ભાવના બતાવી હતી. તેમણે યુવાનોને મ્ઇર્ંમાં કારકિર્દીનું ઘડતર કરવા માટે રહેલી તકો વિશે સમજાવીને તેમને પ્રતિષ્ઠિત સીમા માર્ગ સંગઠનમાં જાેડાવા માટે પ્રેરણા આપી હતી.આ રેલી બાડમેર, બિકાનેરના રણ વિસ્તારોમાંથી તેમજ અમૃતસર, ફિરોઝપુરના મેદાની પ્રદેશોમાંથી પસાર થઇને અંતે ૨૭ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ દેખની રાજધાની ખાતે તેનું સમાપન થશે.વધુ વાંચો -
ગાત્રો થિજાવી દેતી ઠંડી વચ્ચે ગિ૨ના૨ પર્વત પાંચ ડીગ્રી સાથે ઠંડોગાર
- 21, ડિસેમ્બર 2021 01:30 AM
- 2133 comments
- 5248 Views
રાજકોટ ગત સપ્તાહમાં ઠંડીએ થથ૨ાવ્યા બાદ આજે ચાલુ સપ્તાહની શરૂઆતમાં ઠંડીનું જાે૨ થોડું ઓછું થયું છે અને ઠે૨-ઠે૨ સવા૨ના તાપમાનનો પા૨ો ઉંચકાયો છે. જાે કે આજે સવા૨ે નલિયા, ડીસા, અને પાટણમાં સિંગલ ડિઝીટમાં તાપમાન નોંધાતા આ ત્રણ સ્થળે તીવ્ર ઠંડી અનુભવાઈ હતી. આજે સવા૨ે નલિયા ખાતે ૭.૧ ડીગ્રી, લધુતમ તાપમાન નોંધાયુ હતુ. આ ઉપ૨ાંત ૨ાજકોટમાં પણ આજે સવા૨ે ગત સપ્તાહની સ૨ખામણીમાં તાપમાન થોડુું ઉંચકાયુ હતુ અને આજે સવા૨ે ૨ાજકોટનું લધુતમ તાપમાન ૧૦.૬ ડીગ્રી નોંધાયુ હતુ. આ ઉપ૨ાંત આજે સવા૨ે અમદાવાદમાં ૧૧.૧ ડીગ્રી અમ૨ેલીમાં ૧૨.૪ ડીગ્રી, વડોદ૨ામાં ૧૧.૨, ભાવનગ૨માં ૧૨.૧, ભૂજમાં ૧૦.૪ ડીગ્રી લધુતમ તાપમાન નોંધાયુ હતુ. જયા૨ે સવા૨ે દમણ ખાતે ૧૫ ડીગ્રી, દિવમાં ૧૪.૫, દ્વા૨કામાં ૧૬.૪, જૂનાગઢમાં ૧૨.૪, કંડલામાં ૧૩.૩ ડીગ્રી લધુતમ તાપમાન નોંધાયુ હતુ.આજે સવા૨ે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી વિભાગ મોતી બાગના જણાવ્યા મુજબ જુનાગઢમાં મેક્સીમમ તાપમાન ૧૮.૨ ડીગ્રી મીનીમમ ૧૨.૪ ડીગ્રી નોંધાયુ છે. વાતાવ૨ણમાં ભેજ ૫૩ ટકા અને પવનની ગતિ ઘટી જવા પામતા પ્રતિકલાક ૨ કી.મી.ની ઝડપ નોંધાઈ છે. ગિ૨ના૨ પર્વત ઉપ૨ ઠંડીનો પા૨ો ૫ ડીગ્રી સુધી પહોંચતા ગિ૨ના૨ ઠંડોગા૨ થઈ જતાં પ્રવાસીઓ ૨ાજી પશુઓને ભા૨ે ઠંડીનો સામનો ક૨વો પડી ૨હ્યો છે. જયા૨ે, ઓખામાં ૧૯.૪, પો૨બંદ૨માં ૧૫ , સાસણગી૨માં ૧૬.૪, સેલવાસમાં ૧૫, સુ૨તમાં ૧૫ અને વે૨ાવળમાં ૧૬.૪ ડીગ્રી, લધુતમ તાપમાન નોંધાયુ હતુ. આમ આજ૨ોજ ગિ૨ના૨ પર્વત અને નલિયા, ડીસા તથા પાટણને બાદ ક૨તા અન્યત્ર સવા૨નું તપમાન ઉંચકાતા ઠંડીનું જાે૨ ઘટવા પામ્યુ હતુ.વધુ વાંચો -
૧૦૦ વર્ષ જૂના બોરડીના ઝાડ પર ૨૦થી ૨૨ હજાર ચકલીઓનો કલબલાટ
- 05, ડિસેમ્બર 2021 01:30 AM
- 3790 comments
- 4429 Views
ભુજ ભુજની જૂની લોહાણા મહાજનવાડી પાસે આવેલી વોકળા ફળિયાની મસ્જિદ સામે આશરે ૧૦૦ વર્ષ જૂનું બોરડીનું ઝાડ છે, જેમાં ૨૨ હજારથી વધુ ચકલીઓ જાેવા મળે છે. સમગ્ર કચ્છમાં એકમાત્ર આ જ એવું જુનું વૃક્ષ છે જેની લતાઓ પણ હવે જમીનને અડવા માંડી છે. જાે કે શેખપીર દરગાહ પાસેના બાવળના ઝાડ પર પણ ચકલીઓ વિપુલ પ્રમાણમાં જાેવા મળે છે. પરંતુ અહીંના ઝાડ જેટલી વિશાળ સંખ્યા સાથેની ચકલીઓ જિલ્લામાં બીજે ક્યાંય જાેવા મળે તેમ ના હોવાનું ડો. પૂર્વી ગોસ્વામીએ જણાવ્યું હતું. આ વિશે ૬૫ વર્ષીય મેમણ અબ્દુલ ગનીએ જણાવ્યું હતું કે સૂર્યોદય સમયે ચકલીઓ દેખાય છે અને પાછી સાંજે આવે ત્યારે આખો ફળિયો ગજાવી મૂકે છે. સાંજની ભરચક ભીડ વચ્ચે અનેક વાહનોના અવાજ વચ્ચે પણ વટેમાર્ગુ તેમના ચીંચીંનો ચિલકાટ સાંભળી શકતા હોય છે. વૃદ્ધ રમજુ બાયડે કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં જાણે ચકલીઓને પણ કોરોના થયો હોય તે રીતે તેમની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાયો હતો. આ સમયમાં આશરે બેથી અઢી હજાર ચકલીઓ ઘટી હોવાનું અનુમાન સ્થાનિકો લગાવી રહ્યા છે.આજના મકાનની બાંધકામમાં કોઈ ખૂણા ન હોવાને લીધે ચકલીઓને માળો બાંધવામાં મુશ્કેલી રહે છે. પરિણામે વસવાટના જંગી પ્રશ્ન સામે ચકલીઓની સંખ્યા શહેરોમાં ખૂબ ઓછી જાેવા મળે છે. પણ ભુજ શહેરની ભર બજારે આવેલા આ ઝાડ પર હજારોની સંખ્યામાં ચકલીઓ જાેઈ શકાય છે. મસ્જિદમાં નમાજ પઢવા આવેલા અબુભાઈ બાયડે કહ્યું હતું કે હું આ વૃક્ષ પર છેલ્લા સાત દાયકાથી ચકલીઓની ચીં ચીં સાંભળતો આવ્યો છું. એકમાત્ર આ ઝાડ પર વોકળા ફળિયાની કુલ વસ્તી કરતા વધુ ચકલીઓનો વસવાટ જાેવા મળે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે એક વ્યક્તિદીઠ એક ચકલીની વસ્તી એકલા આ વૃક્ષે જાળવી રાખી છે.વધુ વાંચો -
ભચાઉની મોટી ચિરઈ ગ્રામ પંચાયત ૭૫ વર્ષથી સમરસ પં.તરીકે આજે પણ અડગ
- 04, ડિસેમ્બર 2021 01:30 AM
- 5926 comments
- 5729 Views
ભૂજ, ભચાઉ તાલુકાના મોટી ચિરઈ ગામમાં લોકશાહી બાદ ઈ.સ. ૧૯૫૯ના અમલમાં આવેલા પંચાયતી રાજના વર્ષથી અત્યાર સુધી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી. આ ગામમાં પંચાયતની ચૂંટણી પહેલા જ સરપંચ , ઉપ સરપંચ અને સભ્યોની બિન હરીફ વરણી કરી દેવામાં આવે છે. આ માટે ગામની એકતા અને મૂળભૂત સુવિધાઓ યશભાગી બની રહી છે. આ વર્ષે પણ પંચાયતને ગ્રામજનો દ્વારા બિનહરિફ જાહેર કરી દેવામાં આવી છે. જેની સત્તાવાર જાહેરાત ફોર્મ પરત લેવાની તારીખ ૪ ડિસેમ્બર બાદ થશે. ભચાઉ ગાંધીધામ વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલા નવી મોટી ચિરઈ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા બેઠક મળી હતી. આ સર્વગ્રાહી બેઠકમાં દરેક સમાજના અગ્રણીના સર્વાનુમતે આ વખતે ગામની પંચાયતને બિન હરીફ જાહેર કરવામાં આવી છે. તેમજ હોદ્દેદારોની પણ નિમણૂક કરવામાં આવી હતી. જેમાં સરપંચ પદે હરપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને ઉપ સરપંચ તરીકે નરેન્દ્રસિંહ રઘુભા જાડેજાની વરણી કરવામાં આવી હતી. આ સિવાય અગ્રણીઓ દ્વારા પંચાયતના સભ્યો નીમવામાં આવ્યાં હતા. ભચાઉથી ૧૩ કિલોમીટર દૂર મૂળ મોટી ચિરઈ ગામથી ૪ કિલોમીટર દૂર ભુકંપ બાદ અસ્તિત્વમાં આવેલા નવી મોટી ચિરઈ ગામ ખાતે મળેલી બેઠકમાં આ જાહેરાત કરવામાં આવી હતી. અહીં બન્ને ગામની વાસહતોના તમામ સમાજના મળીને કુલ ૧૬૦૦ જેટલા મતદારો છે. ગામની કુલ વસ્તી અંદાજિત ૩ હજારની આસપાસ છે.વધુ વાંચો -
રાપરમાં ટ્રકચાલક ચક્કર ખાઈને જમીન પર ઢળી પડતા મોત
- 03, ડિસેમ્બર 2021 01:30 AM
- 4591 comments
- 6381 Views
ભુજ, પૂર્વ કચ્છના રાપરમાં ગુરૂવારે એક ટ્રકચાલકને હૃદયરોગનો હુમલો આવતા ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી. લઘુશંકા કરવા માટે ટ્રકને ઉભી રાખી નીચે ઉતરતાં જ હૃદયરોગનો હુમલો આવતાં ચાલક જમીનપર ઢળીપડ્યો હતો. આ બનાવનાપગલે ભારે ભીડ એકઠી થઈ જવાપામી હતી અને ચાલકને બચાવવાના પ્રયાસપણ હાથ ધરાયા હતા,પરંતુ હતભાગી ચાલકનો જીવ બચી શક્યો નહોતો.મળતી પ્રાથમિક માહિતી મુજબ રાપરના એસ.આર.પેટ્રોલપંપપાસે ત્રંબૌ ચાર રસ્તા નજીક ગાંધીધામ નિવાસી ગોવિંદ મહેશ્વરી નામનો ટ્રક ચાલક ટ્રક ઉભી રાખી લઘુશંકા કરવા નીચે ઉતર્યો હતો. જેને ટ્રકની નીચે ઉતરતાંની સાથે જ છાતીમાં દુખાવો થતાં તે ચક્કર ખાઈને જમીનપર ઢળીપડ્યો હતો. અચાનક ઢળીપડેલા ટ્રક ચાલકને જાેઈ આસપાસના લોકોપાસે દોડી આવ્યા હતા.પમ્પિંગ દ્વારા ચાલકનો જીવ બચાવવાના પ્રયાસો કરાયા હતા.પરંતુ તેમાં તેમને સફળતા નહોતી મળી.બાદમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ચાલકને સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. ઉલ્લેખનીય છે કે ગાંધીધામથી આવેલા ચાલકનાપરિજનો દ્વારા મૃતદેહનો કબ્જાે લઈ તેઓ ગાંધીધામ રવાના થયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. ગાંધીધામનો આ ચાલક ટ્રક મારફતે રાપરમાં માલ ખાલી કરવા આવ્યો હતો, જ્યાં તેનું હૃદયરોગના હુમલાથી મોત થતાં તેનાપરિવારમાં શોક વ્યાપી ગયો હતો.વધુ વાંચો -
કચ્છ પાસે પાકિસ્તાનને ફાળવેલી જમીન પર ચીન કંપનીના આંટાફેરા
- 30, નવેમ્બર 2021 01:30 AM
- 1777 comments
- 8810 Views
ભુજ, પાકિસ્તાનને વ્યૂહાત્મક રીતે દરેક રીતે મદદ કરી રહેલા ચીનને પાક. સરકારે કચ્છની સરહદ નજીક ચીનની કંપનીને ફાળવેલી જમીન પર દિવાળી ટાણે હિલચાલ દેખાઇ હતી. ભારતીય ગુપ્તચર એજન્સીનાં અમુક સૂત્રના અહેવાલ પ્રમાણે દલદલવાળી, ખરાબાની જમીન પર ચીનની કંપનીના અધિકારીઓએ મોટરકારના કાફલા સાથે આંટો માર્યો હતો અને આ કાદવયુક્ત જમીનની ચોમાસા પછી કેવી પરિસ્થિતિ છે એનું નિરીક્ષણ કર્યું હતું. ચોમાસા બાદ ઉત્તરાદી પવન ફૂંકાતાં આ જમીન પરનું પાણી સુકાવા લાગતું હોય છે. ચીનની કંપનીએ સંભવતઃ એને જ કયાસ કાઢ્યો હતો.જાેકે ત્રણ વર્ષ પૂર્વે પાકિસ્તાને ચીનની કંપનીને વિશાળ જમીન ફાળવી હતી પરંતુ ત્યાં હજુ સુધી કોઇ કામગીરી કરાઇ નથી. ચીની કંપની દક્ષિણ પાકિસ્તાનના આ દુર્ગમ વિસ્તારમાં શું કરવા માગે છે એ મુદ્દો સ્પષ્ટ થયો નથી. પાક. સાથેની આંતરરાષ્ટ્રીય સરહદના અંતિમ પિલર ૧૧૭૫થી માત્ર બાર-પંદર કિ.મી. દૂર દલદલવાળા વિશાળ જમીન ચીનને ફાળવીને આર્થિક રીતે કંગાલિયત ભોગવતું પાકિસ્તાન બદલામાં મબલક મદદ મેળવી રહ્યું છે.વધુ વાંચો -
રોક સોલ્ટનો જથ્થો ઝડપાયો પાકિસ્તાનથી આવતા કાર્ગો પર નજર
- 30, નવેમ્બર 2021 01:30 AM
- 9736 comments
- 8171 Views
ભુજ, મુંદ્રામાં પાકિસ્તાનથી આવેલા રેડીઓએક્ટીવ કન્ટેનર ટેન્કર ઝડપાયા બાદ હવે કાર્ગોનું ઓરીજન ખોટુ દર્શાવવાના કેસમાં કંડલામાં પણ મુળ રુપે પાકિસ્તાનથી આવેલો કાર્ગો ઝડપાયા હોવાનું જાણવા મળે છે. પરંતુ આ અંગે કસ્ટમ વિભાગ કાર્યવાહીના પખવાડીયા બાદ પણ મગનું નામ મરી પાડવા તૈયાર નથી.આ કેસમાં મીસ ડિક્લેરેશન સાથે વેલ્યુએશન સાથે પણ મોટા ચેડા થયા હોવાની સંભાવના જાણકાર વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર કંડલા પોર્ટ પર ગત પખવાડીયે રોક સોલ્ટના આવેલા એક કન્સાઈમેન્ટને કસ્ટમે રુકજાવોનો આદેશ આપીને તપાસ હાથ ધરી હતી. જેમાં આ જથ્થાનું ઓરોજન તુર્કી દર્શાવાયું હતું, પણ ખરેખર જથ્થો પાકિસ્તાનથીજ આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલી રહ્યું છે.મહત્વનું છે કે, ગત વર્ષોમાં ભારત પર થયેલા આતંકી હુમલાઓ બાદ કેંદ્ર સરકાર દ્વારા પાકિસ્તાનથી આવતા કાર્ગો પર૨૦૦% ડ્યુટી લગાવીને એક રીતે આયાત નિકાસ પર બ્રેકજ મારી દીધી હતી. પરંતુ કેટલોક રોક સોલ્ટ જેવો કાર્ગો કે જેનું મહતમ ઉત્પાદન પાકિસ્તાનથીજ થાય છે, તેની આયાત માટે ઓરીજન દેશ અલગ દર્શાવીને ડ્યુટી ચોરી કરવામાં આવતી હોવાના કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. આ કન્સાઈમેન્ટમાં પણ રોકસોલ્ટનો મોટૉ જથ્થો હોવાનું જાણવા મળે છે, પરંતુ કસ્ટમ વિભાગ આ અંગે કાર્યવાહી ચાલતી હોવાનું કહીને કોઇ સ્પષ્ટતા કરવાનું ટાળી રહ્યું છે, જે પોતે અનેક પ્રશ્નો ઉભા કરે છે.ગાંધીધામ નજીક ફ્રેંડ્સ ગૃપના સીએફએસમાં કસ્ટમ વિભાગના એસાઆઈઆઈબી વિભાગે કાર્યવાહી આદરીને ચાર કન્ટૅનર ઝડપી પાડ્યા હતા. બોન્ડનો જથ્થો હોવાનું દર્શાવતા આ કન્ટૅનરોમાં દારુ, સિગારેટ, ટીશ્યુ પેપરના ડિક્લેરેશન સાથે વટાણાનો જથ્થો મળી આવ્યો હતો. જેના આરોપીને કસ્ટમ વિભાગે ચુપચાપ ઝડપીને જેલ હવાલે કરી નાખ્યો હતો અને તેનું નામ છુપાવવાના હજી પણ પ્રયાસો થઈ રહ્યા છે. આ કેસમાં આયાતકારી પેઢીમાં એકથી વધુ ભાગીદારો છે ત્યારે તમામની ધરપકડ કેમ નથી કરાઈ ? તે પ્રશ્ન ઉઠવા પામ્યો છે. જે અંગે કસ્ટમ વિભાગે સુચક મૌન અખત્યાર કર્યું છે, જેના પડઘા હવે દિલ્હી સુધી પડી રહ્યા છે.એક તરફ જ્યાં ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદથી સેનાના જવાનોએ શહીદી વહોરી હતી ત્યારે ચીની સામાનના બહિષ્કારનો માહોલ ઉભો થયો હતો. પરંતુ તેને જાણે ભુલી જવાયું હોય તેમ ગાંધીધામ, આદિપુર સંકુલમાં દિવાળીના મોટા પ્રમાણમાં ચીનમાં નિર્મીત ફટાકડા ફુટ્યા હોવાનું અને ઈલેક્ટ્રોનીક જથ્થો બહોળી સંખ્યામાં હજી પણ વેંચાતો હોવાની ચર્ચા છે.વધુ વાંચો -
૪૦ વર્ષ બાદ લઘુમતી સમાજના ઉમેદવાર સરપંચ તરીકે બિનહરીફ જાહેર
- 29, નવેમ્બર 2021 01:30 AM
- 4435 comments
- 4928 Views
ભુજ, લખપત તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયત પાંધ્રો ગ્રામ પંચાયત દ્વારા સમરસ ગ્રામ પંચાયતનો ર્નિણય લેવામાં આવ્યો છે.પાંધ્રો ગ્રામ પંચાયતમાં પાંધ્રો ઉપરાંત વર્માનગર,એકતાનગર, સોનલનગર, નવાનગર અને અપનાનગર વિસ્તારનો સમાવેશ થાય છે.ગામમાં ૧૪ વોર્ડમાં ૪ હજારથી ૪૫૦૦ ની વસ્તી છે ડિસેમ્બર મહિનામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની હોવાથી આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. જેથી સરપંચ ભગવતીબેન સોલંકીના અધ્યક્ષસ્થાને શનિવારે ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામજનો અને આગેવાનોની હાજરીમાં મીટીંગ મળી હતી.જેમાં પાંચ વર્ષના કાર્યો વર્ણવી ઋણ સ્વીકાર કરવામાં આવ્યો હતો.આ તકે ઉપસ્થિત સર્વે સમાજના આગેવાનો અને વડીલો દ્વારા મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો હતો. જેમા પાંધ્રોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી નહિ કરવાનો ર્નિણય લઈ સમરસ ગ્રામ પંચાયતની જાહેરાત કરવામાં આવી હતી. આગામી ૧ થી ૪ ડિસેમ્બર સુધી ફોર્મ ભરવાની અને ૭ તારીખ સુધી ફોર્મ પરત ખેંચવાની અવધિ છે.આ મીટીંગમાં જિલ્લા પંચાયત સદસ્યના પ્રતિનીધી દેશુભા જાડેજા,પૂર્વ સરપંચ વિક્રમસિંહ,શીવુભા સોઢા સહિત સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.ભચાઉ તાલુકાના નાનીચીરઇ ગામે મોટાપીરના કમ્પાઉન્ડમાં મીટીંગ યોજાઈ હતી,જેમાં નાની ચીરઇ,ગોકુલગામ, યશોદાગામ અને નંદગામના હિંદુ-મુસ્લિમ સમાજના આગેવાનો અને વડીલોએ સાથે મળીને ગામમાં ચૂંટણી ન કરવા આહવાન કર્યું હતું. તેમજ ગ્રામ પંચાયત બિનહરીફ જાહેર થાય એ માટેનો ર્નિણય કરવામાં આવ્યો હતો.તમામ સમાજના આગેવાનો ગ્રામ પંચાયતની ચૂંટણી સમરસ કરવા માટે સહમત થયા હતા. જાેકે,ફોર્મ ભરવાના અંતિમ દિવસ ૪ ડિસેમ્બરના રોજ ચિત્ર સ્પષ્ટ થશે.તાલુકા પંચાયતના ઉપસરપંચ સમરતદાન ગઢવીએ જણાવ્યું કે,લખપતમાં કુલ ૩૩ ગ્રામ પંચાયતો છે જેમાં સૌથી મોટી ગ્રામ પંચાયત પાંધ્રો દ્વારા અન્ય પંચાયતો માટે ઉદાહરણરૂપ ર્નિણય લેવામાં આવ્યો છે.સર્વે સમાજ અને આગેવાનોની બેઠકમાં આગામી ગ્રામ પંચાયતની ચૂંટણી નહિ લડીને ઉમેદવારો બિનહરીફ જાહેર કરાયા છે. જેમાં ૪૦ વર્ષ બાદ લઘુમતી ઉમેદવાર સરપંચ અને ઉપસરપંચ પદ માટે અઢી વર્ષની મુદતમાં બ્રહ્મસમાજ અને ગઢવી-ચારણ સમાજના ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા છે.સમરસ ગ્રામ પંચાયતને એક્સ્ટ્રા પાંચ લાખની ગ્રાન્ટ મળતી હોવાનું પણ કહ્યું હતું.લખપત તાલુકાના પાનધ્રો ગામમાં ગ્રામ પંચાયત કચેરીના પ્રાંગણમાં યોજાયેલી ગ્રામસભામાં સર્વ સહમતીથી લઘુમતી ઉમેદવારને સરપંચ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે,જે કોમી એકતાનું ઉદાહરણ છે. પંચાયત બોડીમાં તમામ ઉમેદવારો બિનહરીફ છે તેવો ર્નિણય આગેવાનો અને સમાજના મોવડીઓની સહમતીથી લેવાયો હોવાનું તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન દિનેશભાઇ સથવારાએ જણાવ્યું હતું.વધુ વાંચો -
કચ્છના નાના રણમાં સુરખાબ પક્ષીઓની અનોખી માળા વસાહત જાેવા મળી
- 28, નવેમ્બર 2021 01:30 AM
- 6774 comments
- 7828 Views
કચ્છ, કચ્છના નાના રણમાં સુરખાબ પક્ષીઓની લાઇનબદ્ધ અનોખી માળા વસાહત જાેવા મળતાં અભયારણ્ય વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિતની ટીમે રણમાં પડાવ નાખી સવિસ્તૃત માહિતી મેળવી હતી. દર વર્ષે હજારો કિ.મી. દૂર આવેલા સાઇબેરિયાથી સફેદ અને ગુલાબી રંગના લેસર અને ગ્રેટર પક્ષીઓ વેરાન રણમાં ચોમાસું ગાળવા આવે છે. વધુમાં રણમાં અસ્તિત્વ ધરાવતાં ૭૪ જેટલા નાના-મોટા બેટ વિદેશી નયનરમ્ય પક્ષીઓને માનવીય ખલેલથી પર એવા સુરક્ષિત આવાસ પુરા પાડે છે.આ વર્ષે પણ લાખોની સંખ્યામાં વિદેશી નયનરમ્ય પક્ષીઓ અહીં મહાલવા આવ્યાં છે. થોડા સમય અગાઉ ઝીંઝુવાડાના નાગબાઇ રણમાં સુરખાબનું નેસ્ટિંગ જાેવા મળ્યું હતું, પરંતુ રણમાં ભારે વરસાદને પગલે નેસ્ટિંગ ફેલ થયું હતું. ત્યારે ફરીથી માળા વસાહત જાેવા મળતાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિતની ટીમે રણમાં પડાવ નાખ્યો હતો. નોંધનીય છે કે સુરખાબ સમૂહમાં માળા બનાવે છે અને ચારેબાજુ અડધા ફૂટ જેટલું પાણી હોવાથી ૪૦થી ૪૫ ચોરસ મીટર ઊંચા ઢગલા બનાવી એના ઉપર ઇંડાં મૂકે છે, જેથી સંવનન બાદ બચ્ચાં નીકળે ત્યારે એને સહેલાઇથી ખોરાક મળી રહે છે. બાદમાં સુરખાબ પક્ષીઓ રણમાં બચ્ચાંને ઊડતા શીખવાડી ચોમાસા બાદ એની સાથે સામૂહિક ઉડાન ભરે છે.કચ્છના નાના રણમાં કૂડાથી ૧૦ કિ.મી.દૂર વેરાન રણમાં ફરીવાર ૫ હજાર ઇંડાં અને ૩૦ હજાર જેટલાં બચ્ચાં સાથે ૪૦ હજારની અનોખી માળા વસાહત જાેવા મળી હતી, જેને પગલે અભયારણ્ય વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિતની ટીમે રણમાં પડાવ નાખ્યો હતો. આ પહેલાં નાના રણમાં એક વિશાળ માળા વસાહત વચ્છરાજ બેટની દક્ષિણે તથા જલંધર બેટમાં ઓગસ્ટ ૧૯૯૮માં નોંધાઇ હતી. આ વસાહત ૨૫૦ જેટલા એકરમાં નોંધાઇ હતી. એમાં હજારોની સંખ્યામાં માળા હતા. એક અંદાજ પ્રમાણે ઓગસ્ટ ૧૯૯૮માં મળી આવેલી અનોખી માળા વસાહતમાં ૨૫ હજારથી ૩૦ હજાર જેટલા માળા, ૩૦ હજાર જેટલાં પુખ્ત ઉંમરનાં પક્ષીઓ અને ૨૫ હજાર જેટલા બચ્ચાં હતાં. ૫૦૦૦ ચો.કિ.મી.માં ફેલાયેલા ખારાઘોઢા રણમાં બજાણા વેટલાઇન અને કોળધાની ખરીમાં અંદાજે ૨ લાખથી વધુ વિદેશી નયનરમ્ય પક્ષીઓ મહાલવા આવ્યાં છે. હાલમાં આ ૨ લાખથી વધુ પક્ષીઓ સામે અભ્યારણ્ય વિભાગમાં ૧ આર.એફ.ઓ., ૬ રાઉન્ડ ફોરેસ્ટર, ૪ બીટગાર્ડ મળી માત્ર કુલ ૧૧ જણાનો જ સ્ટાફ છે. અભયારણ્યના વિભાગ બજાણા વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર અનિલ રાઠવા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે ગાંધીનગર વન વિભાગને સેટેલાઇટ ઇમેજમાં કૂડા-કોપરણી રણમાં નેસ્ટિંગ કર્યાની સેટેલાઇટ ઇમેજ મળી હતી, જેને આધારે તપાસ કરતાં સુરખાબની અનોખી માળા વસાહત, ફ્લેમિંગો અને હજારો બચ્ચાં જાેવા મળ્યાં હતાં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આની પહેલાં ઝીંઝુવાડા રણમાં વાછડાદાદાની જગ્યા પાછળ સુરખાબોએ નેસ્ટિંગ કરવાની શરૂઆત કરી હતી, જે ૨૦૦-૩૦૦ જેટલા માળા બનાવ્યા પછી રણમાં મુશળધાર વરસાદ પડતાં એમનું નેસ્ટિંગ નિષ્ફળ ગયું હતું.વધુ વાંચો -
નખત્રાણાના કોટડામાં યુવક પર શખ્સોએ હુમલો કરતાં આગચંપી અને પથ્થરમારો
- 27, નવેમ્બર 2021 01:30 AM
- 1753 comments
- 2765 Views
ભૂજ, પશ્ચિમ કચ્છના નખત્રાણા તાલુકાના કોટડામાં ગુરૂવારની રાત્રે લગ્ન પ્રસંગ દરમિયાન પરિસ્થિતી વણસતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તાલુકાના કોટડા (જદોડર) ગામે લગ્રન પ્રસંગ ચાલી રહ્યો હતો. આ દરમિયાન સામાન્ય બાબતમાં પાચ શખ્સોએ એક યુવાન પર હુમલો કર્યો હતો. જેને લઈ ૧૫૦૦થી વધુ લોકોનું ટોળુ એકત્ર થયુ હતું અને આરોપીઓના ઘર પર પથ્થર મારો કર્યો હતો તેમજ આરોપીઓની કેબીન અને વાહનોને આગ ચાપી દીધી હતી. જેથી પોલીસે ગામમાં આવી પરિસ્થિતિ કાબૂમાં મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિ વધુ વણસતા પોલીસને રસ્તો પણ બંધ કરવાની ફરજ પડી હતી. તેમજ પોલીસને ભીડ વિખેરવા અશ્રુવાયુના સેલ પણ છોડવા પડ્યા હતા. અંતે મોડી રાત્રે પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હાલ ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ દરમિયાન એક યુવાન વારંવાર બાઈકથી આટાફેરા કરી રહ્યો હતો. જેથી એક શખ્સે બાઈક ધીરે ચલાવી અન્ય રસ્તાનો ઉપયોગ કરવાનું કહેતા આરોપીએ તેના પિતા, ભાઈ અને મિત્રની સાથે ઠપકો આપનારા શખ્સ પર કુહાડી વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. જેથી મામલો બીચકયો હતો. ત્યારબાદ લોકોનું ટોળું ભેગું થઈ ગયુ હતું અને આરોપીના ઘર, કેબિન ઉપર હુમલો કરી દીધો હતો. જેને લઈ પરિસ્થિતિ પામી ગયેલા પોલીસ તંત્રએ વધુ પોલીસ દળ સાથે મળીને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા ભારે મથામણ કરવી પડી હતી. પોલીસે હાલ આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે હાલ પાંચની અટકાયત કરી છે. આ અંગે નખત્રાણા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ નાયાણી ફળિયામાં બુધવારે રાત્રે લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો. જેમાં ભારે ભીડ જમા હતી અને લગ્ન ગીતો ગવાઈ રહ્યા હતા. ત્યારે તેની વચ્ચે ગામના જ આરીફ અને અસરફ પુરઝડપે બે ત્રણ વખત મોટર સાયકલ લઈને પસાર થયા હતા. જેથી તેઓને ફરિયાદી અરવિંદ કાંતિલાલ નાયાણીના ભાઈ ભરત નાયાણીએ બાઈક ધીમે ચલાવવા જણાવ્યું હતું. ફરિયાદીએ યુવકોને અહીં લગ્ન પ્રસંગ ચાલુ હોઈ તમે ગાડી ધીમે ચલાવી અને બીજા રસ્તેથી નીકળવાનું કહેતા આ વાતનું મનદુઃખ રાખી બાદમાં મુખ્ય આરોપી સાલે જાફર કુંભાર, આરીફ સાલે કુંભાર, અસરફ આમદ કુંભાર, ભચલો જૂસા કુંભાર અને આસીફ સાલે કુંભાર ત્યાં આવી અપશબ્દો બોલવા લાગ્યાં હતા. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત ગેરકાયદે મંડળી રચી ભરત કાંતિલાલ નાયાણીને સાલે જાફર કુંભારે માથાના ડાબા ભાગે કુહાડીનો ગંભીર પ્રકારનો ઘા મારી જીવલેણ હુમલો પણ કર્યો હતો. જ્યારે આરીફ સાલેએ ફરિયાદી અરવિંદ નાયાણીને ડાબા હાથના કાંડામાં ધારીયાનો ઘા મારી ઇજા પહોંચાડી હતી. જે બાદ ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં ઘાયલ યુવકને પ્રથમ નખત્રાણા ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવાયા બાદ વધુ સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.વધુ વાંચો -
કચ્છથી મુંબઈ જઇ રહેલી ટ્રેનમાં મહિલાનું ચાલુ ટ્રેને પડી જતા મોત
- 25, નવેમ્બર 2021 01:30 AM
- 7619 comments
- 9865 Views
ભુજ, કચ્છથી મુંબઇ આવી રહેલી ટ્રેનમાં એક કચ્છી મહિલા મુસાફર ચાલતી ટ્રેનના દરવાજે ઊભી હતી ત્યારે સંતુલન ગુમાવતાં નીચે પડીને મોત થયું હતું. આ બનાવથી કચ્છી વિશા ઓસવાળ સમાજમાં ગમગીની વ્યાપી ગઇ છે.કચ્છથી સયાજીનગરી એકસપ્રેસમાં એસ-૩ કોચમાં મુસાફરી કરતી ૩૫ વર્ષની બીજલ વીરા બોરીવલી સ્ટેશને ઊતરતાં પહેલાં ટ્રેન ભાયદંર નજીક પહોંચતાં સ્ટેશન કેટલું દૂર છે તે જાેવા દરવાજા પાસે ગઈ અને અચાનક ચાલતી ટ્રેનમાંથી પડી જતાં ગંભીર હાલતમાં ભાયંદરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જયાં મંગળવારે સવારે તેનું મોત થયું હતું. વસઈ ગવર્નમેન્ટ રેલવે પોલીસે (જીઆરપી) આ મામલે અકસ્માતે મોત (એડીઆર)નો ગુનો નોંધ્યોછે. આ બનાવ વિશે મૃતકના પતિ વિશાલ વીરાના બનેવી જયેશ હરિયાએ કચ્છના દેવપર ગામના વતની અને મીરા રોડ- ઈસ્ટમાં શાંતિનગર ખાતે પ્રેમકિરણ ઈમારતમાં રહેતા વિશાલ લક્ષ્મીચંદ વીરાની પત્ની બીજલ વીરા ૨૨ નવેમ્બરે સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં વતન કચ્છથી આવી રહી હતી. બીજલની સાથે સયાજીનગરી એકસપ્રેસ ટ્રેનમાં તેના પિતા મૂળચંદભાઇ દેઠિયા, માતા અને બનેવી સહિતનો પરિવાર ટ્રેનના એસ/૩ કોચમાં મુસાફરી કરી રહ્યાં હતાં. ટ્રેન તેના નિયત સમયે મુંબઇ નજીક ભાયંદર સ્ટેશનથી સોમવારે બપોરે ૧.૨૫ વાગ્યે પસાર થઈ હતી. બીજલની સાથે પરિવારના તમામ મુસાફરોને નજીકના બોરીવલી સ્ટેશન પર ઊતરવાનું હતું. દરમિયાન બીજલ કોચના વોશ બસીન પાસે મોઢું ધોઈને ચાલતી ટ્રેનના દરવાજે ઊભી હતી. અચાનક તેણે સંતુલન ગુમાવતાં તે ટ્રેનમાંથી પડી ગઈ હતી. તે બે ટ્રેક વચ્ચે પડી હતી. તેને હાથ- પગ અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. થોડા સમયમાં રેલવે પ્રોટેકશન ફોર્સ (આરપીએફ)ના જવાનોએ સ્ટ્રેચરમાં તેને ભાયંદરની હોસ્પિટલમાં દાખલ કરી હતી. બીજલની તબિયત સોમવારે થોડી સ્થિર થતાં મંગળવારે સવારે તેના માથાની ઈજાની સારવાર માટે ઓપરશેન કરવાનું હતું, પરંતુ તેનું બ્લડ પ્રેશર અચાનક ઓછું થઈ જતાં ડોકટરોના પ્રયાસ છતાં સવારે ૭ વાગ્યા આસપાસ તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. મંગળવારે સાંજે તેનું પોસ્ટમોર્ટમ પછી નજીકના પરિવારજનોની હાજરીમાં મીરા રોડ ખાતે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. વિશાલ વીરા થાણેમાં અનાજની દલાલી કરે છે અને તેને એક ૧૦ વર્ષની દીકરી છે.વધુ વાંચો -
માંડવીમાં રૂપિયા૧૦ કરોડના ૨૦૭ ફુટ્સના લાકડાંનું ફિશિંગ શિપ તૈયાર
- 25, નવેમ્બર 2021 01:30 AM
- 4423 comments
- 3590 Views
ભૂજ, માંડવીના દરિયાકિનારે એક લાકડાની બોટ ૨૦૭ ફૂટની ક્રુઝ, છ૩૮૦ એરબસ સાથે તૈયાર થઈને ઉભી છે. આ બોટ કદાચ અત્યાર સુધી બનાવવામાં આવેલી તમામ બોટમાં સૌથી લાંબી છે. માંડવીમાં છેલ્લા ૪૦૦ વર્ષથી હાથથી વહાણ તૈયાર કરવામાં આવે છે.માંડવીમાં સૌથી લાંબી બોટ તૈયાર કરવામાં આવી છે, જેની કિંમત ૧૦ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.કચ્છનું માંડવી વહાણવટાની કળામાં અનેરૂ સ્થાન ધરાવે છે. અહીના સ્થાનિક કારીગરોએ રાત-દિવસ મહેનત કરીને લાકડાંની ૨૦૭ ફુટની ક્રુઝ બનાવી છે.ત્રણ માળની આ વિશાળકાય બોટની લંબાઈ ૧૮ ફૂટ છે. દુબઈના એક શાહી પરિવારે પોતાના ફિશિંગના શોખને પૂરો કરવા માટે આ શાનદાર વહાણ તૈયાર કરાવ્યું છે.બોટ બનાવવાના કામના અનુભવી કારીગર ઈબ્રાહિમ મિસ્ત્રી જણાવ્યુ હતું કે, અમને ઈબ્રાહિમ અબ્દુલ રઝાક ઉસ્તાદી તરફથી આ ફિશિંગ શિપ બનાવવાનો ઓર્ડર મળ્યો હતો. આ વિશાળકાય બોટ બનાવવા માટે અમને ત્રણ વર્ષનો સમય લાગ્યો અને ૩૫ અન્ય કારીગરોની મદદ લેવાઇ હતી. હવે બોટ એક મહિનામાં દુબઈ જવા રવાના થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બોટ બનાવવા માટે મલેશિયા અને ઈન્ડોનેશિયાથી લગભગ ૨૩,૦૦૦ ક્યુબીક મીટર ઈમ્પોર્ટેડ લાકડાનો ઉપયોગ કરાયો છે. બોટની અંદર ૯ રુમ છે જેમાં એસી પણ મૂકવામાં આવ્યા છે. ઓરડાઓમાં ૩૨ લોકો રહી શકે છે. જે માછલી પકડવામાં આવે તેને ફ્રેશ રાખવા માટે સ્ટોરરુમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.વધુ વાંચો -
ભચાઉની બેંકમાં સ્લીપ ભરતી વેળાએ અધિકારી દ્વારા થયેલા અપમાન બાદ અભણ પિતાએ પુત્રને પીઆઇ બનાવ્યો
- 23, નવેમ્બર 2021 01:30 AM
- 625 comments
- 7899 Views
ભચાઉ, ભચાઉની બેંકમાં સ્લીપ ભરતી વેળાએ અધિકારી દ્વારા થયેલા અપમાન બાદ પિતાએ સંતાનોને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું અને ચોબારીને મળ્યા પ્રથમ પી.આઇ. અને તબીબ.સાંપ્રત સમયમાં ચોબારી આહીર સમાજમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે તેમ છતાં એક સામાન્ય પરિવારમાંથી ચોબારીને પ્રથમ પી.આઇ. અને તબીબ મળ્યા છે.ચોબારીના મેરામણભાઇ વરચંદ ભચાઉની બેંકમાં કામ અર્થે ગયા હતા ત્યારે સ્લીપમાં ભૂલ હોવાથી બેંકના અધિકારીએ તે સ્લીપ ફાડી નાખી, અપમાન કરતાં તે અપમાને જ મેરામણભાઇના જીવનમાં બદલાવ લાવી દીધો હતો.ત્યારે જ તેમણે નક્કી કર્યું હતું કે, પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવીશ.મેરામણભાઇએ આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં સંતાનોને ભણાવ્યા અને સૌથી નાના પુત્ર મહેશ બી.મિકેનિકલ એન્જિનિયર અને બીજાે પુત્ર હમીર એમબીબીએસ કરી તબીબ બન્યો હતો. પતિના અવસાન બાદ પત્ની અમીબેને હિંમત ન હારી નાના પુત્ર મહેશને ભણાવ્યો. મહેશે જીપીએસસીની પરીક્ષા પાસ કરીને ગાંધીધામમાં ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે સેવા આપી હતી. પી.આઇ.ની પરીક્ષા પાસ કરતાં ચોબારીને પ્રથમ પી.આઇ. મળ્યા છે. મેરામણભાઇના અન્ય બે પુત્રોખેતી સંભાળે છે.પી.આઇ. મહેશ વરચંદે કહ્યું કે,મારી માતા અભણ હોવાથી ડિગ્રીઓ કે, ઉચ્ચ શિક્ષણ વિશે સમજી શકતા ન હતા, જેથી હું એમને ૧૫ ચોપડી કે, ૨૦ ચોપડી સુધી ભણ્યો હોવાનું કહેતાં જ તેઓ રાજીના રેડ થઇ જતાં હતા. અભ્યાસ દરમ્યાન પરિવારના અન્ય સદસ્યો મારી માતાને છોકરાને ખેતીમાં જાેતરીને બે પૈસા કમાવવાની સલાહ આપતા પરંતુ તેમનો એક જ ધ્યેય હતો કે, પુત્ર વધુને વધુ ભણે. અનેક ચંદ્રકો મેળવ્યા બાદ અને પી.આઇ. બનીને મારી માતા સમક્ષ હું હાજર થયો ત્યારે મારી માતા પોલીસ ઇન્સ્પેક્ટર સમજી શકતા ન હતા પરંતુ મોટો પોલીસવાળો બન્યો હોવાની વાતથી અનહદ ખુશ થતા હતા.વધુ વાંચો -
દુશ્મનોને મુહતોડ જવાબ આપવા જવાનોએ પોતાની સક્ષમતા દર્શાવી
- 23, નવેમ્બર 2021 01:30 AM
- 9049 comments
- 7845 Views
કચ્છ, કચ્છ જિલ્લામાં દર વર્ષે દેશની સુરક્ષા એજન્સીઓ દ્વારા વાર્ષિક તટરક્ષક એક્સરસાઇઝ યોજવામાં આવે છે.આ વર્ષે કચ્છની આંતરાષ્ટ્રીય સીમાએ સાગર શક્તિ એક્સરસાઇઝમાં સેના, નેવી, એર ફોર્સ, તટ રક્ષક દળ, સીમા સુરક્ષા બળ સાથે ગુજરાત પોલીસ, મરીન પોલીસ તેમજ ફિશરીઝ ડિપાર્ટમેન્ટ ભાગ લીધો હતો અને કંઈ રીતે દુશ્મન દેશ પર હુમલો કરાય છે તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.લખપતના લક્કી નાળાના ક્રીક વિસ્તારમાં જમીન, આકાશ તેમજ જળ માર્ગે સુરક્ષા એજન્સીઓ દ્વારા આ જાેઇન્ટ એક્સરસાઇઝ થકી તાકાત પ્રદર્શિત કરવામાં આવી હતી. આ વર્ષે આ સંરક્ષણ કવાયતમાં ખાસ ફિલ્ડ ટ્રેનિંગ એક્સરસાઇઝનું લખપત ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે આપણો દેશ દુશ્મન દેશ પર હુમલો કરે કે સર્જીકલ સ્ટ્રાઇક કરતું હોય છે ત્યારે કેવી રીતે તમામ સુરક્ષા દળ કાર્યવાહી કરતા હોય છે તેનું આજે કચ્છના દરિયાઈ સીમા ધરાવતા લખપત વિસ્તારના લક્કી નાળા ખાતે લાઈવ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા કરાતી આ સાગર શકિત એક્સરસાઇઝને પર્પલ પ્લસ તરીકે પણ ઓળખવામાં આવે છે.જળ, જમીન અને હવાઈ માધ્યમોમાં શક્તિપ્રદર્શન. આ ક્ષેત્રમાં તૈનાત સંરક્ષણ દળો અને અન્ય સુરક્ષા એજન્સીઓની શક્તિને એકીકૃત કરતી સાચી સંયુક્ત કવાયત સમુદ્ર, હવા અને જમીન દ્વારા સૈનિકોની હિલચાલનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આર્મી, એરફોર્સ, બીએસએફ, નેવીના સ્પેશિયલ ફોર્સના કમાન્ડો, બીએસએફના ર્ષ્ઠિર્ષ્ઠઙ્ઘૈઙ્મી ર્ષ્ઠદ્બટ્ઠહર્ઙ્ઘ, ઇન્ડિયન નેવીના સ્પેશિયલ દ્બટ્ઠષ્ઠિર્જ ના જવાનો દ્વારા આ સાગર શકિત એક્સરસાઇઝ હાથ ધરાયું હતું. બીએસએફ, એરફોર્સ, નેવી, કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ દ્વારા દુશ્મન દેશ પર કેવી રીતે હુમલો કરાય છે એનું લાઈવ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.વધુ વાંચો -
ભુજમાં હોમગાર્ડ ભરતી માટે આવેલા ૨૩૦ ઉમેદવારોની શારિરીક પરીક્ષા
- 22, નવેમ્બર 2021 01:30 AM
- 2315 comments
- 9533 Views
ભૂજ, કચ્છ જિલ્લામાં હોમગાર્ડ ભરતી માટે આજે ભુજના પોલીસ હેડ ક્વાર્ટર ખાતેના પીલીસ પરેડ ગ્રાઉન્ડમાં ઉમેદવારોની શારીરિક કસોટી લેવાનો પ્રારંભ પોલીસ અને હોમગાર્ડ યુનિટના રાજ્ય કક્ષાના અધિકારીઓની ઉપસ્થિતિમાં શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ૨૮૦માંથી સ્થાનિકના ૨૩૦ યુવાનો હોમગાર્ડ તરીકે ભરતી થવા ઉમટી પડ્યા છે. આ વિષે ભુજ પોલીસ હેડ ક્વાર્ટર ડીવાયએસપી બી.એમ.દેસાઈએ જણાવ્યું હતું કે હોમાગાર્ડ ભરતી માટે આવેલા ૨૩૦ જેટલા યુવાનોની આજે સવારે ૬.૩૦ વાગ્યાથી શારીરિક કસોટી શરૂ કરવામાં આવી છે. કસોટી અંતર્ગત ઇચ્છુક ઉમેદવારોની ઊંચાઈ, વજન માપી તેની નોંધ કરાયા બાદ ૧૬૦૦ મીટરની દોડ યોજાય છે. આ પરીક્ષા યુવાને ૯મિનિટમાં પૂર્ણ કરવાની રહે છે. આ તમામ પ્રક્રિયાનું વીડિયો રેકરોડિંગ પણ કરવામાં આવી રહ્યું છે. કુલ ૨૮૦ જગ્યા માટે અત્યારે ૨૩૦ યુવાનો પહોંચ્યા છે. આ ભરતી પ્રક્રિયા હજુ ૩ થી ૪ દિવસ સુધી ચાલશે. શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શરૂ થયેલા હોમગાર્ડ ભરતી મેળાની કાર્યવાહી હેડ ક્વાર્ટર ડીવાયએસપી બી.એમ.દેસાઈ, અમદાવાદ હોમગાર્ડ પીઆઇ આઈ.આઈ.શેખ સાથે જિલ્લા હોમગાર્ડ અધિકારી અને સ્ટાફ આયોજન વ્યવસ્થા સંભાળી રહ્યા છે.વધુ વાંચો -
તરણેતરના મેળામાં રૂપસુંદરી બનેલી બન્ની ભેંસને હોડકોના પશુ મેળામાં પ્રદર્શન માટે મુકાઈ
- 22, નવેમ્બર 2021 01:30 AM
- 6176 comments
- 5861 Views
ભૂજ, કચ્છના ભુજ તાલુકામાં આવેલા હોડકો ગામ પાસે બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા ૧૩માં પશુ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા ૧૩ વર્ષથી યોજાતા પશુ મેળામાં ગાય, ભેંસ અને ઘોડા સહિતના પશુઓનું વેંચાણ તથા પ્રદર્શન યોજાય છે. જેમાં સૌરાષ્ટ્રના જાણીતા તરણેતરના મેળામાં યોજાતી ભેંસોની હરીફાઈમાં બે વખત રૂપ તંદુરસ્તી માટે પ્રથમ ક્રમાંક મેળવારી બન્ની નસલની ભેંસને પણ આ પ્રદર્શનમાં મુકવમાં આવી છે. ત્યારે લોકોમાં તેનું આકર્ષણ જાેવા મળ્યું હતું. ભુજ તાલુકાના ઢોરી ગામના મિતેષ લખણા આહિર નામના માલધારીએ કહ્યું હતું કે, ઘણા વર્ષોથી બન્ની નસલની આ ભેંસ અમારી પાસે છે. જે શરીરે એકદમ કાળો રંગ ધરાવે છે. જે દેખાવે આકર્ષક અને વજનમાં ખૂબ ભારે છે. દૈનિક ૨૦ લીટર દૂધ આપે છે. તેની ખાસ વાત એ છે કે તે ગર્ભાવસ્થા દરમિયાન પણ સાત માસ સુધી દૂધ આપે છે અને સ્વભાવે અતિ શાંત પ્રકૃતિની છે. સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ તરણેતરના મેળામાં તંદુરસ્તી અને સુંદરતા માટેની ભેંસોની સ્પર્ધામાં બે વખત પ્રથમ ક્રમ આવી ચુક્યો છે. રૂપિયા ૫ લાખથી વધુની કિંમતની ભેંસને હોડકો ખાતેના મેળામાં હાલ પ્રદર્શન માટે રાખવામાં આવી છે. ત્યારે માલધારી વર્ગમાં આ ભેંસે ખાસ આકર્ષણ જમાવ્યું છે.વધુ વાંચો -
રાપરના પિછાળા ગામે પતિના મારથી ઈજાગ્રસ્ત પત્નીનું હોસ્પિટલમાં મોત
- 21, નવેમ્બર 2021 01:30 AM
- 5379 comments
- 8209 Views
ભૂજ, વાગડ વિસ્તારના રાપર તાલુકામાં આવેલા પીછાળા ગામે પતિના હાથે પત્નીની હત્યાનો બનાવ આડેસર પોલીસ મથકે નોંધાયો હતો. હત્યા પાછળનું કારણ કાયમી ઘર કંકાસ હોવાનું ફરિયાદમાં જાહેર થયું હતું. આ ઘટનાથી ૭ સંતાનોએ પોતાની માતાને કાયમ માટે ગુમાવી દીધી હતી. આડેસર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર પિછાળા ગામનો આરોપી નરસી હરી કોલી છૂટક ખેત મજૂરી કરે છે, જેનો તેની પત્ની અમરત સાથે ગત તા. ૧૨ નવેમ્બરના બપોરના ૧૨.૩૦ વાગ્યાની આસપાસ ગૃહ કંકાસને લઈ ઝગડો થયો હતો. આ દરમિયાન આરોપીએ ઉશ્કેરાઈ જઈ પત્નીને ધોકા વડે ઢોર માર માર્યો હતો. જેમાં તેની પત્નીને માથા, પીઠ અને બન્ને પગના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. ઘાયલ પરિણાતાને સ્થાનિક પ્રાથમિક સારવાર આપ્યા બાદ ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારબાદ તેને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જેનું ગઈકાલે શુક્રવારે સાંજે સારવાર દરમિયાન મૃત્યુ થતા હતભાગીના પતિ સામે આડેસર પોલીસ મથકે મૃતકના મોટા ભાઈ રાઘુ સુરાભાઈ કોલીએ હત્યા સહિતના ગુના સબબ ફરિયાદ નોંધાવી હતી. જેના અંતર્ગત આડેસર પોલીસના પીએસઆઇ ભરત રાવલે આરોપીને ઝડપી લઈ આગળની તપાસ હાથ ધરી હતી.વધુ વાંચો -
મુદ્રા બંદરેથી પરમાણુ હથિયારમાં વપરાતો કાચો માલ ઝડપાયો
- 20, નવેમ્બર 2021 01:30 AM
- 1109 comments
- 9069 Views
ભુજ, પાકિસ્તાનની નાપાક હરકતનો પર્દાફાશ થયો છે. ચોરીછૂપીથી ચીન મોકલવામાં આવતો પરમાણુ હથિયાર બનાવવા માટે વપરાતો કાચો માલ ચીન મોકલવાનું મુતું ષડયંત્ર હાથ લાગ્યું છે. એક બે નહીં પરંતુ પૂરા સાત કન્ટેનરની તપસ કરવામાં આવી હતી.તેમાથી જથ્થા બંધ કાચો માલ હાથ લાગ્યો છે.ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા કસ્ટમ તેમજ ડીઆરઆઇને બાતમી મળી હતી કે પાકિસ્તાનથી શંકાસ્પદ કન્ટેનર ૧૪ નવેમ્બરે નીકળ્યા છે. બાતમીના આધારે તા.૧૮મીએ વહેલી સવારે સિલીંગ સમાઈલિંગ નામના જહાજ પર કસ્ટમ તેમજ ડીઆરઆઇ વિભાગે દરોડો પાડતા સાત ફયુઅલ કન્ટેનરની તપાસ કરતા તેમાં રેડિયો એક્ટિવ પદાર્થ મળી આવ્યું હતું. કન્ટેનર પર વેપન ફોર માસ ડીસ્ટ્રક્સન લખેલું જાેવા મળતા ખળભડાટ મચી ગ્યો હતો. વધુ તપાસ કરતા તેમાં આર્મ્સ એન્ડ એક્સપલોસિવ તેમજ હઝાર્ડસ કેમિકલ મળી આવ્યું હતું. એક કન્ટેનર માં ચાર ટેન્ક મળી આવ્યા હતા. કુલ સાત કન્ટેનરમાં કુલ ૨૮ ટેન્ક મળી આવ્યા હતા. જ્યારે જહાજના કેપ્ટન પાસેથી દસ્તાવેજાે તપાસવામાં આવ્યા આ દસ્તાવેજમાં આ કન્ટેનરનો કોઈ ઉલ્લેખ જાેવા મળ્યો ના હતો. એના પર થી સ્પષ્ટ થાય છે કે પરમાણુ હથિયાર માટેનો કાચો જથ્થો ચોરી છુપી પાકિસ્તાન દ્વારા ચાઇના મોકલવામાં આવી રહ્યો હતો. આ જથ્થો પાકિસ્તાન એટોમિક એનર્જી કમિશન દ્વારા ચાઇના નુક્લિયર એનર્જી ઇન્ડસ્ટ્રી કોર્પોરેશનને મોકલવાનો હતો. ફરી એકવાર પાકિસ્તાન અને ચીનની મીલીભગત સામે આવી છે. સાતે કન્ટેનર ચીનના સાંઘાઈ પોર્ટ પર ઉતારવાની નાપાક સાજિશનો પર્દાફાશ થયો છે. હજુ બીજી એજન્સીઓ પણ તપાસમાં જાેડાય તેવી શક્યતા છે. ભૂતકાળમાં પણ વિસ્ફોટકો મળી આવ્યા છે. “અમે તેમના સતર્ક ખંતને સલામ કરીએ છીએ અને ભારતને સુરક્ષિત રાખે તેવી કોઈપણ કાર્યવાહીમાં સંપૂર્ણ મદદ કરવાનું ચાલુ રાખીશું. અદાણી જૂથ રાષ્ટ્રીય સુરક્ષાને ખૂબ જ ગંભીરતાથી લે છે અને તેની સાથે કોઈપણ રીતે બાંધછોડ કરવા દેશે નહીં,” તેણે જણાવ્યું હતું.હાલમાં સપ્ટેમ્બર મહિનામાં મુન્દ્રા અદાણી બંદરેથી ડીઆરઆઇની ટીમે કરોડોનું ડ્રગ્સ પકડી પાડ્યું હતું, ચેન્નઈની પેઢી દ્વારા અફઘાનિસ્તાનથી ટેલકમ પાવડરની આડમાં આ ડ્રગ્સ મંગાવાયું હતું. જે મુન્દ્રાથી દિલ્લી જવાનું હતું. જ્યા ડીઆરઆઇની ટીમે આ હેરોઇન ડ્રગ્સનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો હતો.વધુ વાંચો -
કચ્છ જિલ્લામાં સતત બીજા દિવસે માવઠાથી જનજીવન પ્રભાવિત
- 20, નવેમ્બર 2021 01:30 AM
- 2639 comments
- 6935 Views
ભુજ, કચ્છ જિલ્લામાં શુક્રવારે સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેથી જનજીવન પર તેની માઠી અસર જાેવા મળી રહી છે. પક્ષીઓથી લઈ પશુઓ અને શ્રમજીવી વર્ગને ઠંડીની ઋતુમાં વરસાદી પાણીનો માર સહન કરવો પડી રહ્યો છે. પૂર્વથી પશ્ચિમ સુધી જિલ્લાના બન્ને વિભગમાં વાતાવરણ ધૂંધળું બની ગયું છે. ભુજ, ગાંધીધામ, ભચાઉ, માંડવી, અંજાર, રાપર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદથી રસ્તાઓ ભીના થયા છે. ભુજમાં ગુરૂવારે મધ્યરાત્રીએ હળવા ઝાપટા પડ્યા બાદ પરોઢે ૫ વાગ્યે જાેરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું. સવારના ૮ થી ૯ એક કલાક સુધી સતત કમોસમી વરસાદ વરસતા વણીયાવાડ સહિતના માર્ગો પર પાણીના ધોધ વહી નીકળ્યા હતા. ભુજ તાલુકના દેશલપર, વંઢાય, રામપર વેકરા, ગોડપર, માધાપર વગેરે સ્થળોએ માવઠું પડ્યું હતું. તો બંદરિયા શહેર માંડવી ખાતે પણ વરસાદનું હળવું ઝાપટું પડ્યું હતું.પૂર્વ કચ્છના અંજાર શહેર અને તાલુકાના ભીમાસર ગામે પણ માવઠું પડ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આદિપુર, અંતરજાળ અને ગાંધીધામ વિસ્તારમાં પણ સવારથી ઝરમર વરસાદ વરસ્યો હતો. ભચાઉ તાલુકાના કાંઠા વિસ્તારના સામખીયાળી, લાલીયાના, વાંઢિયા, જંગી, કટારીયા ગામમાં પણ ભારે વરસાદી ઝાપટા પડ્યા હતા. રાપર નગરમાં પણ સવારે માવઠું પડતા વાતાવરણમાં ભીનાશ છવાય હતી.કમોસમી વરસાદને લઈ ખેડૂતો દયનિય સ્થિતિમાં મુકાયા છે. ખેતરમાં રહેલા ઉભા પાકને તેની વ્યાપક આડ અસર પહોંચી રહી છે. ખેતીમાં કરેલું લાખો રૂપિયાના રોકાણનું ધોવાણ થઈ જવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. જિલ્લામાં ચાલી રહેલા ધાર્મિક કાર્યક્રમોમાં પણ વરસાદની અસર જાેવા મળી છે. ભાગવત કથાના આયોજન પર પણ વરસાદની અસર જાેવા મળી રહી છે. ભચાઉ તાલુકાના લીલીયાના ગામના કથાકાર શાસ્ત્રી મનસુખપ્રસાદ ગોરે જણાવ્યું હતું કે, ગાંધીધામથી વોન્ધ સુધીના ધોરીમાર્ગ પર એકધારો ધીમીધારે ઝરમર વરસાદ ચાલું છે. ભચાઉ અને તાલુકાના વામકા, લાખવટ , શિકારપુર, આધોઇ, શિકરા ગામે ભાગવત કથાના આયોજન હાથ ધરાયા છે, જ્યાં કમોસમી વરસાદની અસર પહોંચી શકે છે.જિલ્લાના દરેક તાલુકામાં ખુલ્લામાં રહેતા અનેક ગરીબ પરિવારો, મજૂર વર્ગને ઠંડીની મોસમમાં વરસાદ પડવાથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પક્ષીઓને પણ ઠંડીમાં વરસાદના પાણીથી થરથર કાપવાનો વારો આવ્યો છે.વધુ વાંચો -
દુબઈમાં રહેતો માનસિક અસ્થિર યુવક દ્વારા ગુજરાતમાં ફોન કરતો હોવાનું જાણવા મળ્યું
- 16, નવેમ્બર 2021 01:30 AM
- 4799 comments
- 7131 Views
ગાંધીધામ, દુબઈથી હિતેશભાઈ (આદિપુર) એ ફોન કરીને જણાવ્યું હતું કે હુ દુબઈથી બોલું છુ અને હાલ દુબઈમાં રહુ છુ. આ સાથે કહેલ કે દિલ્હીનો એક વ્યક્તિ અને અન્ય શખ્સો પાકિસ્તાનને મદદ કરે છે. જે પાકિસ્તાન અને દુબઈમાં બનાવ પણ બનેલા છે. જેથી ગુજરાત પોલીસે એલર્ટ રહેવું જાેઇએ તેમ ત્રણ થી ચાર વખત ફોન કર્યો હતો. ઈન્ટરપોલ, એરફોર્સ સહિતનાને સંદેશ આપવાની વાત પણ તેમા કહેવાઈ હતી. આ અંગે કોઇ ભયની સ્થિતિ ન હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું. આ અંગે ગાંધીધામના આરપીએફ અને જીઆરપીનો સંપર્ક સાધતા તેમણે અજાણતા દર્શાવી હતી. સ્થાનિક રેલવેના સુત્રોએ જણાવ્યું કે અગાઉ આ પ્રકારની ધમકી આંતકવાદી સંગઠનના નામે આવેલા પત્ર થકી પણ આવી હતી. જેમાં હુમલાની ધમકીઓ અપાઈ હતી, ત્યારબાદ રેલવે સહિતના ગુપ્તચર અને સુરક્ષા વિભાગોએ સચેતતા દાખવી ચુસ્ત બંદોબસ્તનું ધ્યાન રાખ્યું હતુંમુંબઈના બાંદ્રા રેલવે પોલીસ મથકે બોમ્બ હોવા અંગેની ધમકી આપતો કોલ આવ્યો હતો. જે અંગે તપાસ કરતા મુંબઈ રેલવે પોલીસ મુળ શખ્સ સુધી પહોંચી હતી. જે મુળ આદિપુરના હોવાનો અને ગત સપ્તાહેજ ગાંધીધામમાં પણ ધમકી આપી ચુક્યો હોવાનું જણાવી તે માનસીક અસ્થિર હોવાનું કહ્યું હતું. મુંબઈ રેલવે પોલીસના કમિશનર કૈસર ખાલીદે જણાવ્યું કે બાંદ્રા રેલવે પોલીસે બોમ્બ એટેકની ધમકી આપનાર શખ્સ દુબઈમાં તેની માતા સાથે માનસીક અસંતુલીત અવસ્થામાં રહે છે. તેણેજ ગયા સપ્તાહે ગાંધીધામમાં પણ સંપર્ક કરીને ધમકી આપી હતી. પોલીસે તેના પરિવારજનો સાથે વાત કરી હોવાની પુષ્ટી કરીને તેમની આ પ્રકારના કોલ કરવાની આદત હોવાનું જાણવા મળ્યું હતું. જે અંગેની નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.વધુ વાંચો -
૪ રાત્રિ અને ૫ દિવસ ડીલક્સ ટેન્ટમાં એસી સ્ટે અને ફૂડ સહિત જમવાનું ફ્રી
- 16, નવેમ્બર 2021 01:30 AM
- 3317 comments
- 6477 Views
નવી દિલ્હી, કોરોના મહામારી પછી હવે ગુજરાત સહિત દેશ ધીરેધીરે પાટા પર ચઢી રહ્યો છે. અત્યારે તહેવારોમાં પણ સરકાર કોવિડ ગાઈડલાઈન્સ સાથે મનાવવાની છૂટ આપી રહી છે. આ તમામ વાતો વચ્ચે ભીષણ ભૂકંપમાં તહસનહસ થઇ ગયેલા ગુજરાતના પ્રસિદ્ધ રણોત્સવનું આયોજન થઈ રહ્યું છે. જાે તમે પણ કચ્છમાં ઉજવાતા સફેદ રણોત્સવમાં જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અને મેળ પડી રહ્યો નથી તો આ અહેવાલ તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થનાર છે.જાેકે, ઈન્ડિયન રેલવે તમારા માટે એક શાનદાર પેકેજ લઈને આવ્યું છે. તમારા બજેટમાં રણોત્સવ ફરવાનો મોકો મળી રહ્યો છે. જેના હેઠળ તમે ખુબ જ ઓછા રૂપિયામાં ગુજરાતનો રણોત્સવ જાેઈ શકો છો. તો આવો જાણીએ કો કેવી રીતે ભારતીય રેલવેની શાનદાર પેકેજમાં તેનો લાભ ઉઠાવી શકાય છે. આ ખાસ પેકેજમાં તમને ૪ રાત્રિ અને ૫ દિવસ રણોત્સવ ફરવાનો મોકો મળી રહ્યો છે. ૫ દિવસની ટૂરમાં તમને ગુજરાતના દેશ વિદેશમાં જાણીતા રણોત્સવને ફરવાનો સોનેરી અવસર તમારે દ્વારે આવ્યો છે. તેમાં ટૂરિસ્ટો ગુજરાતના પ્રસિદ્ધ કચ્છ ફેસ્ટિવલ અને રણોત્સવની મુલાકાત લઈ શકશો, જે ગુજરાતની વિવિધ સાંસ્કૃતિક પરંપરાની અનોખી અભિવ્યક્તિ છે. તેના અનન્ય વંશીય સંવાદ અને ઉત્સવ માટે જાણીતું છે.ગુજરાતના રણ ઉત્સવમાં તમને કારીગરો અને શિલ્પકારોની રચનાત્મકતા, લોક સંગીત અને પરફોર્મેન્સની સાથે સાથે વિભિન્ન સાંસ્કૃતિક વિવિધતા જાેવા મળશે. તેના માટે ટૂરિસ્ટોને મહારાષ્ટ્રના મુંબઈથી ટ્રેન પકડવી પડશે, જ્યાં તમને ભુજ, રણોત્સવ ટેન્ટ સિટી, કચ્છનું સફેદ રણ અને સનસેટ પોઈન્ટ જેવા સ્થળોને જાેવા મળશે.ૈંઇઝ્ર્ઝ્રના રણોત્સવ પેકેજમાં મુસાફરોને સફર દરમિયાન ડીલક્સ ટેન્ટમાં છઝ્ર સ્ટે અને ફૂડ પણ મળશે. આ પેકેજમાં એકવાર પૈસા જમા કરાવ્યા પછી, તમારું જમવાનું અને રહેવાનું બન્ને ફ્રી મળશે. ૈંઇઝ્ર્ઝ્રના રણોત્સવ પેકેજની ખાસિયત છે કે તેના શરૂ થયાના ૩૦ દિવસ પહેલા બુકિંગ કેન્સલ કરાવશો તો મુસાફરોને ૫ ટકા ચાર્જ કપાશે. તેના સિવાય ૨૯થી ૧૧ દિવસની વચ્ચે બુકિંગ કેન્સલ કરાવશો તો ૨૫ ટકા વ્યાજ કપાશે. જ્યારે ૧૧ દિવસથી ઓછા સમયમાં બુકિંગ કેન્સલ કરાવશો તો તમારા એક પણ રૂપિયા પાછા મળશે નહીં, એટલે કે યોગ્ય સમયે બુકિંગ કેન્સલ કરાવશો તો તમને પૈસા પાછા મળશે.વધુ વાંચો -
સતત બીજા દિવસે પણ નલિયામાં પારો૧૧.૮ ડિગ્રી લોકો ઠુંઠવાયા
- 15, નવેમ્બર 2021 01:30 AM
- 5941 comments
- 3053 Views
અમદાવાદ, ભારતના ઉત્તરીય ભાગમાં સતત હિમવર્ષા થઈ રહી હોવાના કારણે ઠંડીએ માજા મુકવાનુ શરૂ કરી દીધુ છે. હીમવર્ષાની અસર તળે દેશના તમામ ભાગોમાં ઠંડા પવન ફુંકાઇ રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી વહેલી પરોઢે કડકડતી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. બીજી તરફ આજે સિઝનમાં પહેલીવાર નલિયાનું લઘુતમ તાપમાન ૧૧.૮ ડિગ્રીએ પહોંચી જતા નલિયા વાસીઓ ઠુંઠવાયા હતા. બીજી તરફ રાજ્યના મોટા ભાગના શહેરના લઘુતમ તાપમાન પણ ૧૮ ડિગ્રીની નીચે રહેતા વહેલી પરોઢે ઠંડી વર્તાઇ હતી. ત્યારે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી ૨૪ કલાક દરમિયાન રાજ્યભરમાં વર્તમાન ઠંડીનું મોજુ જળવાઇ રહેશે. પંરતુ ત્યાર બાદ ઠંડી વધવાની વકી છે. આ વર્ષે શિયાળો સમય કરતા મોડો શરૂ થયો છે ત્યારે છેલ્લા પંદર દિવસથી શિયાળો પોતાના પરચો બતાવી રહ્યો છે, ત્યારે ખાસ કરીને રણને સમાંતર આવેલા ગ્રામ્ય વિસ્તારમાં જાેરદાર ઠંડી પડી રહી છે. સામાન્ય રીતે દરિયા કાંઠાના વિસ્તારમાં લઘુતમ તાપમાન અન્ય શહેર કરતા સામાન્ય ઉંચુ રહે છે ત્યારે કેટલાક દિવસોથી દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પારો નીચે સરકી રહ્યો છે. કંડલામાં ઓછામાં ઓછું ઉષ્ણતામાન ૧૭ ડિગ્રી નોંધાયું હતું. આ બંદરીય મથકોએ પવનની સરેરાશ ઝડપ પણ ૮થી ૧૦ કિ.મી પ્રતિ કલાકે રહેતાં વહેલી પરોઢે ઠંડક વર્તાઇ હતી. બીજી તરફ દિવસનું તાપમાન પણ સતત ઘટી રહ્યું છે. જેના કારણે લોકોને દિવસે ગરમીથી છુટકારો મળી ગયો છે.વધુ વાંચો -
નલિયાનું લઘુત્તમ તાપમાન ૧૨.૬ ડિગ્રીએ પહોંચ્યું
- 14, નવેમ્બર 2021 01:30 AM
- 4648 comments
- 376 Views
અમદાવાદ, ભારતના ઉત્તરીય ભાગમાં કેટલાક દિવસોથી હિમ વર્ષા થઈ રહી હોવાના કારણે ધીમે ધીમે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. આ હિમ વર્ષાની અસર દેશના તમામ ભાગોમાં ઠંડા પવન ફુંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ વહેલી સવારે ઠંડીનો અહેસાસ તો બપોરે ઓછા પ્રમાણમાં ગરમીનો માહોલ જાેવા મળી રહ્યો છે. બીજી બાજુ સોમવારે સિઝનમાં પહેલીવાર નલિયાનું લઘુત્તમ તાપમાન ૧૨.૬ ડિગ્રીએ પહોંચી જતા નલિયા વાસીઓ ઠુંઠવાયા હતા. ત્યારે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી ૨૪ કલાક દરમિયાન રાજ્યભરમાં વર્તમાન ઠંડીનું મોજુ જળવાઇ રહેશે. પંરતુ ત્યાર બાદ ઠંડી વધવાની વકી છે અને રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાનનો પારો ૧૦ ડિગ્રીની નીચે જવાની શક્યતા પણ છે. રાજ્યમાં છેલ્લા પંદર દિવસથી વહેલી પરોઢે ઠંડક જ્યારે બપોરે સામાન્ય ગરમી એમ બેવડી ઋતુનો અહેસાસ થતો હતો. જાે કે, બે દિવસથી શિયાળાની ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. ત્યારે ખાસ કરીને રણને સમાંતર આવેલા ગ્રામ્ય વિસ્તારમાં જાેરદાર ઠંડી પડી રહી છે. સામાન્ય રીતે દરિયાકાંઠાના વિસ્તારમાં લઘુતમ તાપમાન અન્ય શહેર કરતા સામાન્ય ઉંચુ રહે છે ત્યારે કેટલાક દિવસોથી દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પારો નીચે સરકી રહ્યો છે. જેથી ત્યાં પણ ઠંડી વર્તાઇ રહી છે. રાજ્યના મોટા ભાગના શહેરના લઘુતમ તાપમાન પણ ૧૬ ડિગ્રીની આસપાસ રહેતા વહેલી પરોઢે ફૂલગુલાબી ઠંડી વર્તાઇ હતી. ગઇકાલની સરખામણીએ અમદાવાદનું તાપમાન સામાન્ય વધી ૧૬.૨ ડિગ્રી પર સ્થિર રહ્યું હતું. જાે કે, ઠંડા પવન ફૂંકાતા મોડી રાત્રીથી પરોઢ સુધી ઠંડીનું જાેર રહ્યું હતું. ઉત્તરીય ભાગમાં હિમ વર્ષાના કારણે રાજ્યમાં ઠંડીમાં ધીમે ધીમે વધારો.વિવિધ ભાગના લઘુતમ તાપમાન અમદાવાદ ૧૬.૨ સુરત ૧૯.૮ વજાેદરા ૧૫.૪ ભાવનગર ૧૭ ભૂજ ૧૯ દમણ ૧૮.૪ ડીસા ૧૫.૮ જુનાગઢ ૧૭.૮ કંડલા ૧૭.૫ નલિયા ૧૨.૬ પાટણ ૧૫.૮ પોરબંદર ૧૬.૯ વેરાવલ ૧૯.૬વધુ વાંચો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ