કચ્છ સમાચાર
-
રામનવમીએ કોમી ભડકોઃ ઠેરઠેર પથ્થરમારો ઃ ૧૭ની ધરપકડ
- 31, માર્ચ 2023 01:15 AM
- 596 comments
- 2951 Views
વડોદરા, તા.૩૦રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ સહિતની કેટલીક ધાર્મિક સંસ્થાઓ દ્વારા આયોજીત શોભાયાત્રા પર બપોરે ફતેપુરા વિસ્તાર સહિત અનેક સ્થળે ભારે પથ્થરમારાના પગલે દહેશતનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં અનેકને ઈજાઓ પહોંચી હતી તથા પરિસ્થિત પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. દરમ્યાન પોલીસે ૩૫૦થી વધુ સીસીટીવી કેમેરાને આધારે મોડીરાત સુધીમા ૧૭ તોફાનીઓની ધરપકડ કરી લીધી હતી. આ તોફાનો દરમ્યાન અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યુ હતું. છેલ્લા અનેક વર્ષોથી શાંતિપૂર્ણ માહોલનો અહેસાસ કરી રહેલું વડોદરા આજે કોમી રમખાણોના છમકલાઓથી ફરી એકવાર અભડાયું હતું. આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત શ્રીરામની શોભાયાત્રા બપોરના સમયે ફતેપુરા વિસ્તારના કુભારવાડા ખાતેથી પસાર થઈ રહી હતી.આ તબક્કે ડીજે પર મોટા અવાજે હનુમાનચાલીસા વાગતા જ એ વિસ્તારના કેટલાં યુવાનો અને વિહિપના કાર્યકરો વચ્ચે બોલાચાલી થતાં વાતાવરણ ગરમાયુ હતું આ તબક્કે પોલીસે મધ્યસ્થી કરી બંને ટોળાઓને શાંત કરી વિખેરી નાંખ્યા હતા. પરંતુ થોડી જ વારમાં આ સમાધાન પડી ભાંગ્યુ હોય એમ અચાનક આજુબાજુની ગલીઓમાંથી પથ્થરમારો શરૂ થયો હતો. આ તબકકે શોભાયાત્રામાં સામેલ એક હજારથી વધુ વીએચપી કાર્યકરોમાં ઉશ્કેરાટનો માહોલ ફેલાયો હતો. જાે કે ઘટના સ્થળે ઉપસ્થિત પોલીસે તાત્કાલિક પરિસ્થિતિ પર કાબુ મેળવવા તોફાનીઓની દિશામાં ઘસી જતાં મામલો થોડા સમય માટે શાંત પડયો હતો. પરંતુ શ્રધ્ધેય ભગવાન રામની શોભાયાત્રા પરના પથ્થરમારાથી ઉશ્કેરાયેલા કાર્યકરોને માંડ માંડ શાંતિ જાળવવા સમજાવાયા હતા. એસ.એસ.જી. હોસ્પિટલની સામે આવેલ પંચમુખી હનુમાન મંદિરથી શરૂ થયેલી આ યાત્રા શાંતિપૂર્ણ રીતે અને ધાર્મિક માહોલ સાથે આગળ વધી રહી હતી. ત્યારે પાંજરીગર મહોલ્લા ખાતે તેના પર ભારે પથ્થરમારો થયો હતો. જાે કે આ યાત્રા એરપોર્ટ, સંગમ, ફતેપુરા, કારેલીબાગ પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી.ત્યાર બાદ એ યાત્રા જીવનભારતી સ્કુલ એલ એન્ડ ટી એરપોર્ટ થઈ ફરી પંચમુખી હનુમાન મંદિર ખાતે સંપન્ન થઈ હતી.દરમ્યાન ફતેપુરા કંુભારવાડા ખાતેથી નિકળેલી શ્રી રામની આવી જ એક અન્ય શોભાયાત્રા પર તલાટીની ઓફિસની બાજુની ગલીમાંથી તથા સામેની બાજુ આવેલા એક ધાર્મિક સ્થળ પરથી અચાનક ભારે પથ્થરમારો શરૂ થયો હતો. પોલીસે માંડ માંડ પરિસ્થિત થાળે પાડતા શોભાયાત્રા આગળ વધી હતી. પરંતુ ચાંપાનેર દરવજા પાસે ફરીથી આ શોભાયાત્રા પર ભારે પથ્થરમારો થયો હતો. યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે અગાઉ સમગ્ર માર્ગ પર ઠેર ઠેર પથ્થરમારો થતાં વડોદરામાં ભારેલો અગ્નિ છે તથા મોડીરાત્રે એ કોમી રમખાણોના જવાળામુખીમાં ન ફેલાય તે માટે સ્થાનિક પોલીસે કડક હાથે કામ લેવાનુ શરૂ કર્યું છે.આજે શ્રી રામની ત્રીજી શોભાયાત્રા ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા યોજાઈ હતી. જે પ્રતાપનગર વિસ્તારના રણમુકતેશ્વર મહાદેવ ખાતેથી નિકળી પથ્થરગેટ વિસ્તારના તાડફળિયા ખાતે આવેલા રામજીમંદિર ખાતે સંપન્ન થઈ હતી. આ સમગ્ર રૂટ સંવેદનશીલ વિસ્તાર હોવાથી પોલીસે અગાઉ બે શોભાયાત્રાઓ પર થયેલા ભારે પથ્થરમારાના પગલે અગમચેતીના પગલારૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો.એક તરફ પવિત્ર રમઝાન મહિનો ચાલુ છે તથા સમગ્ર લઘુમતી વિસ્તારોમાં સાંજ બાદ ધાર્મિક માહોલ સર્જાય છે ત્યારે આજે દિવસ દરમ્યાન થયેલા કોમી છમકલાઓ વધુ વકરે નહીં તે માટે પોલીસે ચારેબાજુ ઘોસ વધારી છે.વધુ વાંચો -
ભૂજના ઢોરી-છછી-ભોજરડોના માર્ગનું કામ અધૂરું છોડી દેવાતા લોકોમાં રોષ
- 12, માર્ચ 2023 01:30 AM
- 1400 comments
- 1618 Views
ભૂજ ભૂજના બન્ની વિસ્તારમાં આવતા ઢોરી ગામથી ભોજરડોને જાેડતા માર્ગ પર પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ૧૯ કિલોમીટર માર્ગ નિર્માણનું કાર્ય મંજૂર થયું હતું. પરંતુ ૩ કિલોમીટર સુધીના માર્ગ સિવાય ૧૬ કિલોમીટર સુધીના માર્ગ નિર્માણમાં ડામર પાથરવાનું કામ અધૂરું છોડી દેવાયું છે. જેના કારણે હવે આસપાસના ગ્રામજનો માટે પાકો રોડ બનવાનું સ્વપ્ન ફરી એક વખત અધરું રહ્યું છે. ખાસ કરીને બન્ની વિસ્તારમાં પ્રવાસન ઉદ્યોગને વેગ આપવાના ઉદ્દેશથી મંજૂર થયેલું કાર્ય વહીવટી આટીઘૂટીમાં અટકી પડ્યું છે. આ માટે સ્થાનિક લોકોએ તંત્રની ઉદાસીનતા અને કોન્ટ્રાકટર દ્વારા ગેરરીતિના કારણે કામ બંધ થયુ હોવાનો આક્ષેપ કર્યો હતો. દેશની આઝાદીના ૬૮ વર્ષ પછી બન્ની વિસ્તારના જાણીતા ઢોરી, છછી અને ભોજરડો ગામ માટે ૧૯ કી.મી રોડ મંજૂર થયો હતો, પરંતુ ૨ થી ૩ કિલોમીટર સુધીજ ડામર પાથરવામાં આવ્યો જ્યારે બકીનો માર્ગ અધૂરો છોડી દેવામાં આવ્યો છે. આ વિશે જૂથ ગ્રામ પંચાયતના સભ્ય અમીન હાજી જૂણેજાએ તંત્રની ઉદાસીનતાના કારણે કામ અટકી પડ્યું હોવાનું અને માર્ગ નિર્માણમાં ગેરરીતિ થઈ હોવાનું કહ્યું હતું. અત્રે નોંધનીય છે કે, માર્ગ નિર્માણ કરતી એજન્સીને આ માટે રૂ. ૧૪.૫૧ કરોડની રકમ પણ ચૂકવાઈ ગઇ છે. તેમ છતાં ત્રણ ગામને જાેડતા રોડમાં ડામર પાથરવાનું કામ થતું નથી. અલબત્ત જંગલખાતાએ આ માર્ગને એન.ઓ.સી.ના નામે અટકાવી દીધું હોવાનું કારણ દર્શાવવામાં આવ્યું છે. જાેકે, વર્ક ઓડર બાદ મેટલનું કામ પૂર્ણ થયું ત્યાં સુધી જંગલખાતા દ્વારા આ કામ કેમ અટકાવવામાં ન આવ્યું ? તે તપાસનો વિષય હોવાનું લોકોએ કહ્યું હતું. દરમિયાન કામ અટકી જતા સ્થાનિક લોકોને અવરજવર માટે વધુ પરેશાની ઉભી થઇ રહી છે. ખાસ કરીને કોઈ વ્યક્તિને બીમારીમાં તાકીદની સારવાર માટે ખસેડવામાં પારાવાર હાલાકી ભોગવવી પડે છે. ત્યારે સંબધિત તંત્ર દ્વારા આ મામલે યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવે એવી માગ ઊઠી છે.વધુ વાંચો -
ગુમ થયેલા એકના એક પુત્રને શોધી આપવા પરિવારે ભચાઉ પોલીસ મથકે ધરણાં કર્યા
- 12, માર્ચ 2023 01:30 AM
- 6696 comments
- 3011 Views
ભચાઉ,ભચાઉ તાલુકાના કબરાઉ ગામ સામે આવેલી સરકાર હસ્તકની આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ કરતો ૧૪ વર્ષીય કિશોર છેલ્લા ૬ દિવસથી ગુમ થયો છે. જે અંગેની ગુમનોંધ પરિજનોએ ભચાઉ પોલીસમાં કરાવી હતી. પરંતુ એક સપ્તાહનો સમય થવા આવ્યો છતાં લાપતા કિશોરનો હજુ સુધી કોઈ પત્તો મળી શક્યો નથી. શ્રમજીવી પરિવારના એકનાએક પુત્રને શોધી આપવા અનુસૂચિત જ્ઞાતિના લોકો દ્વારા ભચાઉ પોલીસ મથકમાં આજીજી કરવામાં આવી રહી છે અને પરિજનો સાથે મોટી સંખ્યમાં સમાજનાં ભાઈઓ બહેનો ધરણા પર બેસી ગયા છે. ખાસ કરીને ગુમસુદા પુત્રની માતાએ અન્નજળનો ત્યાગ કર્યો હોવાનો દાવો ઉપસ્થિત અગ્રણીઓએ કર્યો છે. ત્યારે સંબધિત તંત્ર દ્વારા આ મામલે યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે એવી માગ ઉઠી છે. ભચાઉના ભટ્ટપાળિયા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારનો પુત્ર ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાને લઇ કબરાઉ નજીકની આદર્શ નિવાસી શાળામાં રહી અભ્યાસ કરતો હતો. પાર્થ રૂપેશ મકવાણા નામનો કિશોર ગત તા. ૬થી લાપતા બન્યો છે. કિશોરની શોધખોળ માટે પરિવાર અને સમાજના અગ્રણીઓ , સ્નેહીજનો દ્વારા પોલીસમાં નોંધ કરાવ્યાની સાથે ખાનગીરાહે પણ શોધ આદરી હતી. દરમિયાન ગુમસુદા કિશોરના પરિજનો દ્વારા ગઈકાલથી ભચાઉ પોલીસ મથકે ધરણા પર બેસી કિશોરને શોધી આપવા આજીજી કરી રહ્યા છે.વધુ વાંચો -
ભુજમાં વ્યાજખોરી કરનાર બે મહિલા સહિત ત્રણ આરોપીને ઝડપી પાડ્યાં
- 05, માર્ચ 2023 01:30 AM
- 8103 comments
- 8199 Views
ભુજ ભુજમાં વ્યાજખોરી કરતા બે મહિલા સહિત ત્રણ આરોપીની માનકુવા પોલીસે અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વ્યાજખોરી સામે સખ્તપણે કાર્યવાહીના દિશા નિર્દેશ અન્યવે ભુજના ત્રણ સામે વ્યાજખોરી સબબ માનકુવા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ કેસમાં સો ટકા રિકવરી કરી રજૂઆત કર્તાને ન્યાય અપાવ્યો હતો. ભુજના ગણેશ નગરમાં રહેતા ૩૦ વર્ષીય અરજદાર દીનેશ રમેશ ગુંસાઇએ વ્યાજખોરીની કરેલી રજૂઆતની માનકુવા પોલીસે તપાસ કરી ભૂજના બે મહિલા સહિત ત્રણ વિરૂધ્ધ માનકુવા પોલીસ સ્ટેશનમાં વ્યાજે નાણાં ધીરધાર સહિતની કલમો તળે ગુનો દાખલ કરવામા આવ્યો હતો. આ કામના આરોપીઓ (૧) ધિરેન્દ્ર ઉર્ફે જીગો ભગવતીપ્રસાદ દવે ઉં.વ.૨૮ રહે.છઠ્ઠીબારી રીંગરોડ વેરાઇ કૃપા એપાર્ટમેંટ ત્રીજાે માળ ભુજ તથા (૨) દિક્ષીતાબેન દવે ઉ.વ.૩૫ રહે. રહે.છઠ્ઠીબારી રીંગરોડ વેરાઇ કૃપા એપાર્ટમેંટ ત્રીજાે માળ ભુજ અને (૩) પિન્કીબેન દિવ્યાગભાઇ ગૌસ્વામી ઉ.વ.૩૦ રહે.ગણેશનગર ભુજ તા.ભુજ વાળાને સદર ગુનાના કામે અટક કરી આરોપી ધિરેન્દ્ર ઉર્ફે જીગો ભગવતીપ્રસાદ દવે ઉ.વ.૨૮ રહે.છઠ્ઠીબારી રીંગરોડ વેરાઇ કૃપા એપાર્ટમેંટ ત્રીજાે માળ ભુજ વાળાને સાથે રાખી તેના ઘરની ઝડતી તપાસ કરતા ફરીયાદી પાસેથી લીધેલો મોબાઈલ ફોન તથા રોકડા રૂપીયા મળી આવ્યાં હતા. જે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.વધુ વાંચો -
શિવાલયોમાં ‘હર હર મહાદેવ’નો નાદ ગુંજ્યો
- 19, ફેબ્રુઆરી 2023 01:30 AM
- 522 comments
- 4116 Views
સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રથમ ધ્વજા પૂજન કરી અને શિવરાત્રિ મહોત્સવનો મંગલ પ્રારંભ કરાયો હતો. આજે સોમનાથ તીર્થમાં સમગ્ર દેશભરમાંથી તેમજ અનેક ભાવિકો વિદેશોમાંથી પણ સોમનાથ પહોંચ્યા હતા. સવારે ચાર વાગ્યે મંદિર ખુલ્યું ત્યારથી ભાવિક હાથમાં બીલીપત્ર અને પુષ્પો લઈ લાંબી કટારોમાં ઊભા હતા અને ક્યારેય ભગવાન સોમનાથ મહાદેવના દર્શન થાય તેની રાહમાં હતા. સમગ્ર સોમનાથ તીર્થ આજે હર હર મહાદેવ અને જય સોમનાથના નાદથી ગુંજી રહ્યું છે. ગીર સોમનાથમાં મહાશિવરાત્રિના પાવન પર્વે સોમનાથ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઊઠ્યું હતું. તો સોમનાથ મંદિરને વિવિધ રંગબેરંગી ફૂલોના દિવ્ય શણગારથી સજાવવામાં આવ્યું છે. વહેલી સવારે સોમનાથ દાદાના મંદિરમાં આરતીનો લાભ લેવા ભાવિકો દર્શને મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા. મંદિરમાં ભક્તોની લાંબી કતાર સાથે ભારે ભીડ જાેવા મળી હતી. તો આજે સોમનાથ મંદિરે અનેકવિધ અગ્રણીઓ સાધુ સંતો તેમજ લાખોની માત્રામાં ભાવિક ભક્તો પણ સોમનાથમાં ઉમટશે. આમ સતત ૪૨ કલાક સુધી સોમનાથ તીર્થ હરણના નાદથી ગુંજતું રહેશે.મુકેશ અંબાણી અને પુત્ર આકાશ અંબાણીએ મહાશિવરાત્રી પર્વ પર સોમનાથ ના દર્શન કર્યા મહાશિવરાત્રીના પાવન પર્વ પર મુકેશ અંબાણી તેમજ પુત્ર આકાશ અંબાણી સોમનાથ મહાદેવના દર્શને કર્યા હતા. સાથે તેઓએ જલાભિષેક કરી સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી પણ અર્પણ કરી હતી. સોમનાથ ટ્રસ્ટના પૂજારી દ્વારા તેઓનું ચંદન અને ઉપવસ્ત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે મુકેશ અંબાણીએ સોમનાથ મહાદેવની મહાપૂજા, સોમેશ્વર પૂજા, ધ્વજા પૂજા ના સંકલ્પ કરી પૂજામાં ભાગ લીધો હતો. તેમજ મુકેશ અંબાણી દ્વારા સોમનાથ ટ્રસ્ટને ૧.૫૧ કરોડનું અનુદાન આપવામાં આવ્યું હતું. ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રી મેળાની ઉજવણી ભવનાથ મહાદેવ મંદિર એક પ્રાચીન મહાદેવનું મંદિર છે. ગિરનાર પર્વતની તળેટીમાં આવેલું, તે ગુજરાતના સૌથી લોકપ્રિય મંદિરોમાંનું એક છે અને જૂનાગઢમાં શ્રદ્ધાળુઓ નું આસ્થાનું કેન્દ્ર છે .માત્ર શિવરાત્રી પર જ નહિ પરંતુ ૩૬૫ દિવસ આ મંદિરમાં ભક્તો ભવનાથ મહાદેવના દર્શને આવી ધન્યતા અનુભવે છે ત્યારે શિવરાત્રી ના મેળો હાલ જામ્યો છે ત્યારે લોકો બહોળી સંખ્યા માં મહાદેવના દર્શને ઉમટી પડ્યા હતા હર હર મહાદેવના નાથ સાથે અલગ અલગ અખાડાના રથો બેન્ડ,વાજા, ઢોલ,શરણાઈના સૂર ભક્તિભાવ સાથે નીકળશે ત્યારે લાખોના અવિરત પ્રવાહ થી યોજાતા શિવરાત્રી મેળામાં હર હર મહાદેવના નાથ સાથે આખરી કલાકો તરફ જઈ રહ્યું છે .ત્યારે વહીવટી તંત્ર પોલીસ તંત્ર પણ રવેડી ને લઇ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મેળાને આખરી ઉપ આપી રહ્યા છે. જામનગરના શિવાલયોમાં ભક્તોની લાંબી કતારો છોટી કાશીના ઉપનામથી પ્રચલિત એવા જામનગર શહેરમાં અનેક શિવાલયો આવેલા છે. ત્યારે આજે મહાશિવરાત્રિના પાવનકારી પર્વને લઈને ભોળાનાથને રીઝવવા માટે શિવભક્તો જુદા જુદા શિવ મંદિરોમાં ઉમટી પડ્યા હતા. હર હર મહાદેવના નાદ સાથે રુદ્ર અભિષેક, જલાભિષેક સહિતની પૂજા અર્ચના કરી હતી. ભોળાનાથને રીઝવવાનો પ્રયત્ન કર્યો હતો. છોટી કાશીનું બિરુદ પામેલા જામનગર શહેરમાં અનેક પુરાણા પ્રસિદ્ધ સિધ્ધનાથ મહાદેવ મંદિર ભીડભંજન મહાદેવ મંદિર કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, ઓમકાલેશ્વર મહાદેવ વેદનાથ મહાદેવ, નર્મેશ્વર મહાદેવ, ગૌરીશંકર મહાદેવ સહિતના અનેક શિવાલયોમાં આજે મહાશિવરાત્રિના પાવનકારી પર્વને લઈને શિવ ભક્તો દર્શન માટે લાંબી કતારો લગાવી હતી અને શિવભક્તો દ્વારા પૂજા અર્ચના કરી હતી તેમજ સમગ્ર શહેરમાં શિવમય વાતાવરણ પર જાેવા મળ્યું હતું. પંચેશ્વર ટાવર સિધ્ધનાથ મહાદેવ મંદિરના દ્વારે ભગવાન શિવજીના મહાપ્રસાદ એવા ભાંગના વિતરણ માટેના કેન્દ્રો પણ ઊભા થયા હતા ત્યાં ભક્તો ભાવિકો કે પ્રસાદ લેવા માટે કતારો લાગી હતી. જામનગર શહેરમાં પ્રતિવર્ષ શિવરાત્રીના પાવનકારી પર્વને લઈને શોભા યાત્રા નીકળે છે જે પરંપરા મુજબ આ વખતે પણ ૪૨મી શોભા યાત્રા સાંજે યોજાશે. ભુજમાં શિવરાત્રિ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી વિશાળ શોભાયાત્રાએ લોકોમાં આકર્ષણ જમાવ્યું ભગવાન ભોળાનાથના પર્વ મહા શિવરાત્રિની સમગ્ર કચ્છમાં હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે ભાવિકો ઉજવણી કરી રહ્યા છે. ત્યારે ભુજ શહેરમાં સમસ્ત સનાતન હિન્દૂ સમાજ દ્વારા આ પ્રસંગે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં ટ્રેકટર, ટ્રેલર અને જીપ સહિતના ૩૦થી વધુ વાહનો શણગાર સાથે જાેડાયા હતા. જેમાં ભક્તો ધાર્મિક ગિતો પર ઝૂમતા જાેવા મળ્યા હતા. તો મોટેરા સાથે નાના બાળકો પણ શીવમગ્ન બન્યા હતા. બાળ શંકર બનેલા શિવજી સાથે લોકોએ સેલ્ફી લેવાનો આંનદ માણ્યો હતો. શહેરના પારેશ્વર ચોકથી પ્રસ્થાન પામેલી શૉભાયાત્રા જ્યુબિલિ સર્કલ થઈ ધીંગેશ્વર મહાદેવ મંદિરે સમાપન થઈ હતી. આ પ્રસંગે રામ મંદિર સામે હમીસર તળાવ કિનારે આયોજિત જમણવારનો અંદાજિત ૧૫ હજાર લોકોએ લાભ લીધો હતો. બીજી તરફ હાટકેશ્વર મંદિર , ધીંગેશ્વર મંદિર સહિતના શિવમંદિરોમાં શિવલિંગના દર્શન માટે ભાવિક ભક્તોની કતારો જાેવા મળી હતી. આજે શિવરાત્રિના મહા પર્વે સમગ્ર કચ્છના શિવ મંદિરો હર હર ભોલેના નાદથી ગાજી ઉઠ્યા હતા. ઢોલ-નગારાના તાલે મહાદેવની શોભાયાત્રામાં કાઠિયાવાડી પરિધાનમાં યુવાનોએ ગરબાની રમઝટ બોલાવી આજે મહાશિવરાત્રિ છે, ત્યારે રાજકોટ જિલ્લાના સૌથી મોટા મહાદેવ મંદિર ઘેલા સોમનાથમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. સવારથી જ ઘેલા સોમનાથ દાદાના દર્શન કરવા ભાવિકો ઉમટી રહ્યા છે. તેમજ દર્શન માટે મંદિરમાં ભાવિકોની લાંબી લાઈન જાેવા મળી રહી છે. ઢોલ-નગારાના તાલે ઘેલા સોમનાથ દાદાની શોભાયાત્રા યોજાઇ હતી. જેમાં યુવાનોએ કાઠિયાવાડી પરિધાનમાં સજ્જ થઈ ગરબાની રમઝટ બોલાવી હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતા. મહાસતી મીનળદેવી દ્વારા ૧૫મી સદીને સ્થાપિત પવિત્ર ઘેલા નદીના કિનારે આવેલ અને ભારતની બાર જ્યોતિર્લિંગ જેટલું જ મહત્વ ધરાવતી ઘેલાસોમનાથ મહાદેવની સુપ્રસિદ્ધ શિવલિંગનું અનેરૂ મહત્વ છે. આજે સવારના ૫ઃ૩૦ કલાકે મંગળા આરતી કરવામાં આવી હતી. તેમજ ઘેલાસોમનાથ દાદાના ભક્તોને સવારના છથી સવારના ૧૦ કલાક સુધી રુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઘેલા સોમનાથની નજીક આવેલ સોમપીપળીયા ગામથી ભગવાનની શોભાયાત્રા યોજાઈ હતી. રાજકોટ કલેક્ટર અરૂણ મહેશ બાબુએ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. શોભાયાત્રામાં સામાજિક, રાજકીય અને રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ વડા સહિત મોટી સંખ્યામાં ભક્તો જાેડાયા હતા. તેમજ બપોરના ૧૨ઃ૩૦ કલાકે મહાઆરતી કરવામાં આવી હતી. ભાવનગરના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું દેવોનાં દેવ મહાદેવને પ્રસન્ન કરવાના પર્વ મહાશિવરાત્રિની આજે સમગ્ર ગોહિલવાડમાં ભારે આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. મહાશિવરાત્રિ અન્વયે શહેર-જિલ્લામાં આવેલા શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જાેવા મળી હતી. ભાવેણાનું આસ્થાનું પ્રતિક એવું મંદિર એટલે ‘તખ્તેશ્વર મહાદેવ’. આ મંદિર ભાવનગર જિલ્લાના મુખ્ય મથક ભાવનગર શહેરની મધ્યમાં નાનકડી ટેકરી પર આવેલું શિવલિંગ ફરતે સોનાનો થાળ ધરાવતું મંદિર છે. જે સંપૂર્ણપણે સફેદ આરસપહાણના પથ્થરો વાપરીને ઉંચી પ્લીંથ પર બનાવવામાં આવેલું છે. આજે મહાશિવરાત્રિ નિમિતે આ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ભાવનગર શહેરમાં સુભાષનગર વિસ્તારમાં આવેલા શિવ વિહાર ટ્રસ્ટના ભગવાનેશ્વર મહાદેવ મંદિરમાં આજે મહાશિવરાત્રિ નિમિતે ભક્તોની ભારે ભીડ જાેવા મળી હતી, જ્યાં ભક્તોએ મહાદેવની દુધના અભિષેક સાથે પૂજા કરી હતી. ઉપરાંત આજે પ્રસાદી રૂપે દરેક શિવાલયોમાં ભાંગની પ્રસાદી પણ આપવામાં આવી હતી. મહાશિવરાત્રિ પર્વની ભાવનગર શહેર-જિલ્લામાં હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી રહી છે, શિવ ભક્તો વહેલી સવારથી મોડી રાત સુધી શિવાલયોમાં ભીડ જમાવી મહાદેવની પૂજા અર્ચના કરશે. ભોળાનાથને પ્રિય ભાંગનો પ્રસાદ ચડાવાશે. સાથે જ અલગ અલગ પદાર્થોનો અભિષેક કરી સુરક્ષાની કામનાઓ કરાશે. શહેરમાં આવેલા પ્રાચિન શિવાલયો જેમાં જશોનાથ મહાદેવ, તખ્તેશ્ર્વર મહાદેવ, ગંગનાથ મહાદેવ સહિતના શિવાલયોમાં શિવભક્તોનો મેળો જામશે. શહેરમાં આવેલા શિવ મંદિરોને સુંદર શણગાર તથા રોશનીથી ઝળહળતા કરવામાં આવ્યાં છે. ઉપરાંત જિલ્લાના ઐતિહાસિક મહત્વ ધરાવતા નિષ્કલંક, ગોપનાથ, સિહોર ગૌવતમેશ્ર્વર સહિતના શિવાલયમાં ભક્તો ઉમટી પડવાની પુરેપુરી શક્યતા જાેવાઈ રહી છે. શ્રધ્ધાળુઓ આજે ઉપવાસ રાખી ફળાહારમાં શક્કરીયા, સામો, રાજગરો, બટેટા, સાબુદાણા તથા ફળફળાદિ આરોગી ભાંગનો પ્રસાદ ગ્રહણ કરશે. અનેક શિવાલયોમાં હોમાત્મક લઘુરૂદ્ર, સહિતના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આજના દિવસે શિવજીની ત્રણ પ્રહરની મહાપૂજાનું વિશેષ મહાત્મ્ય શાસ્ત્રોમાં વર્ણવ્યું છે. આથી આધિ-વ્યાધિ, ઉપાધિમાંથી અને સાંસારિક વિટંબણાઓમાંથી મુક્ત થવા જીવ શિવના શરણે જશે. ભોળાનાથના દર્શન માટે ભક્તો ઊમટ્યાં દેવાધિદેવ મહાદેવની આરાધનાના પર્વ મહાશિવરાત્રિની આજે શહેરભરનાં શિવાલયોમાં ભાવ, ભક્તિ અને શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરનાં શિવાલયોએ આજે અનેરો શણગાર સર્જ્યો હતો તેમજ પરોઢથી ચાર પ્રહરની પૂજા-વિધિનો આરંભ કરવામાં આવ્યો હતો. લઘુરૂદ્ર યજ્ઞ, રૂદ્રાભિષેક, રૂદ્રી પાઠ, શિવમહિમ્ન શ્રોત, શિવશૃંગાર, મધ્યાહ્ન તથા સંધ્યાકાળે મહાઆરતી, બપોરના સમયે બટુકભોજન, ફરાળી પ્રસાદ વિતરણ, ભાંગ વિતરણ અને ચાર પ્રહરની પૂજા સાથે શહેરના પ્રત્યેક શિવાલયોમાં હર હર મહાદેવના નાદ ગૂંજી ઊઠ્યા હતા. મહાશિવરાત્રિ નિમિત્તે પંચનાથ મહાદેવ, જાગનાથ મહાદેવ, રામનાથ મહાદેવ, ધારેશ્વર મહાદેવ, કોઠી કમ્પાઉન્ડમાં આવેલા કોટેશ્વર મહાદેવ, એરપોર્ટ ફાટક પાસેના મહાકાલેશ્વર મહાદેવ, કાશી-વિશ્વનાથ મહાદેવ, જંકશન પ્લોટમાં ગીતા વિદ્યાલય, રણછોડદાસ બાપુ આશ્રમ સહિત સર્વત્ર ભક્તોની ભીડ ઊમટી હતી. આજી નદીના મધ્યમાં બિરાજતા રામનાથ મહાદેવને મનાવવા ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હોય એ પ્રકારના દૃશ્યો સામે આવ્યા છે. સવારે અભિષેક, પૂજન, મહાઆરતી, ભાંગ વિતરણ તથા પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોવાનું મહંત કપિલગિરી ગોસ્વામીએ જણાવ્યું હતું. ભક્તો પોતાની આસ્થા અને શક્તિ પ્રમાણે દેવાધિદેવ મહાદેવ ભોળાનાથ પર દૂધ, દહીં, ઘી, ગંગાજળ, નાગકેસર સહિતનાં દૃવ્યોથી ભગવાન ભોળાનાથનો અભિષેક કરી રહ્યા છે.વધુ વાંચો -
ભુજના માધાપર હાઇવે આમલેટની હંગામી દુકાનમાં મધરાતે આગ લાગી
- 14, ફેબ્રુઆરી 2023 09:57 PM
- 7656 comments
- 7131 Views
ભુજ,તા.૧૪ભુજ પાસેના માધાપરમાં ગત મધ્યરાત્રિએ એક અમલેટની હંગામી દુકાનમાં આગ લાગી ઉઠતા વિવિધ તંત્રમાં ભાગદોડ મચી ગઇ હતી. શહેરના જુના રેલવે સ્ટેશન રોડ પાસેની શક્તિ હોટેલ નજીક આગની આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ દ્વારા તુરંત ઘટનાસ્થળે પહોંચી ફાયર ફાઇટરની મદદ વડે આગ પર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો હતો. આગના પગલે ફાયર સાથે પોલીસ અને હોમગાર્ડ યુનિટ સહિતના તંત્ર આગ બુઝાવની કામગીરીમાં વ્યસ્ત બન્યા હતા. જાેકે આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. ભુજ શહેર પાસેના માધાપર હાઇવે પર આવેલી શક્તિ હોટલની સામે ગત રાત્રિના ૧.૪૫ વાગ્યાના અરસામાં એક આમલેટની હંગામી દુકાનમાં કોઈ કારણોસર આગ લાગી ઉઠી હતી. આગની ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ થતા ફાયરટીમ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. દરમિયાન આગના સ્થળ રહેલી વિજ ડીપીને વિજ વિભાગને જાણ કરી વિજલાઈન બંધ કરવામાં આવી હતી. રાત્રિનો સમય હોવાથી જાનહાની ટડી હતી, જાેકે કેબિન સહિતની સામગ્રી આગમાં બળીને ખાક થઈ ગઈ હતી. આ કામગીરીમાં ફાયરના મહમદભાઈ જત અને સ્ટાફના લોકો જાેડાયા હતા, તો પોલીસની એક નંબર મોબાઈલ તથા ભુજ શહેર હોમગાર્ડસના કમાન્ડિંગ ઓફિસર વારીશ પટણી તથા ગૌરંગ જાેશી. અમન દનીચા, મુસ્તાક પઢીયાર, ફારૂક સમા સહિતના હોમગાર્ડ જવાનો પણ બનાવ સ્થળ પહોંચી આગ બુઝાવની કામગીરીમાં મદદરૂપ બન્યા હતા.વધુ વાંચો -
મુદ્રાના કેરામાં ફરી એકવાર ઓવરલોડ પથ્થરો ભરેલા ચાર ડમ્પર ઝડપાયા
- 20, જાન્યુઆરી 2023 01:30 AM
- 7426 comments
- 7310 Views
મુદ્રા, તાલુકાના કેરા ગામે ફરી એકવાર સ્ટોન બોલ્ડર પથ્થરો ભરેલા ઓવરલોડીંગ ડમ્પરો સાથે ચાર ઇસમોને માનકુવા પોલીસે ઝડપી લીધા હતા.અગાઉ પણ આરટીઓ અને ખાણ ખનીજ વિભાગને કરવાની થતી આ કાર્યવાહી સ્થાનિક પોલીસે કરી હતી. માનકુવા પોલીસના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે કેરા ગામેથી કેરા મુન્દ્રા રોડ ઉપર પહોચતા ચાર સ્ટોન બોલ્ડર પથ્થરો ભરેલા ડમ્પર જતા હોઈ રોકવામાં આવ્યા હતા તેમજ ચાલકો પાસેથી રોયલ્ટી તેમજ આધાર-પુરાવા માંગતા મળી આવ્યા ન હતા.ઓવરલોડીંગ તથા તાડપત્રી ઢાંક્યા વગર ડમ્પરો મળી આવતા વાહન વ્યવહાર કચેરી તથા ખાણ ખનીજ કચેરીને લગતી કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે.ડમ્પર સાથે રાજેશભાઈ કરશનભાઈ ચાવડા (કણજરા),૨ઘુવિરસિંહ ખેંગારજી જાડેજા (ગુંદાલા),અબ્બાસ અલીમામદ બાયડ(પત્રી) અને રજાક ઇસ્માઇલ કાતીયાર (બેરાજા)ની અટક કરવામાં આવી હતી.વધુ વાંચો -
ભુજ શહેરમાં ૧૫ જેટલી બંધ કેબિનો ઉઠાવાઈ, ૪૦ને અંદર ખસેડી દેવાઈ
- 17, જાન્યુઆરી 2023 11:14 PM
- 5438 comments
- 1680 Views
ભુજ,તા.૧૭ભુજ શહેરમાં મુન્દ્રા રોડ ઉપર રોડને અડોઅડ દબાણ થવા લાગ્યા છે, જેથી છેલ્લા ૨ દિવસ દરમિયાન ૧૫ જેટલી બંધ કેબિનો ઉઠાવી લેવાઈ છે અને ૪૦ જેટલા ધંધાદારીઓને તેમના લારી ગલ્લા છેક અંદરના ભાગે ખસેડી લેવાયા છે, જેથી માર્ગ ખુલ્લો થઈ ગયો છે અને વાહનોને પાર્કિંગ માટે વિશાળ જગ્યા મળી ગઈ છે. ફેબ્રુઆરીમાં જી-૨૦ સમીટને પગલે તમામ તંત્રો હરકતમાં આવી ગયા. જ્યાંથી કાફલો પસાર થવાની શક્યતા હોય એ તમામ ગામડાઓ અને શહેરને સ્વચ્છ સુંદર રાખવા ઉપરાંત દબાણો પણ હટાવાઈ રહ્યા છે, જેમાં ભુજ શહેરમાં ભાનુશાલી નગર સામે સરકારી કચેરીઓને ઢાંકી દેતા દબાણો થઈ ગયા છે. ત્યાં સુધી તંત્રની આંખે ચડ્યા ન હતા. પરંતુ, હવે જી-૨૦ સમીટને પગલે ભુજ નગરપાલિકાની દબાણ શાખા અને સેનિટેશન શાખાને સાથે રાખીને હટાવાયા છે. આર્મી કેમ્પ પાસે જિલ્લા ફાયર સ્ટેશન માટે જગ્યા મંગાઈ હતી અને દબાણ હટાવવા કહેવાયું હતું ત્યારે મામલતદારે નગરપાલિકાને ખો આપી દીધી હતી. હકીકતમાં એ દબાણો મામલતદાર, સિટી સર્વે સહિતની કચેરીઓએ હટાવવાના હોય છે.વધુ વાંચો -
હવે પ્રવાસીઓ ભુજ એરપોર્ટથી હેલિકોપ્ટરમાં ધોરડો જઇ શકશે
- 14, જાન્યુઆરી 2023 01:30 AM
- 3667 comments
- 1638 Views
ભૂજ, ધોરડો ખાતે રણોત્સવની લોકપ્રિયતા દર વર્ષે વધી રહી છે. જાેકે ધોરડો સુધી પહોંચવા માટે કા પોતાનું વાહન હોવુ જાેઇએ અથવા પેકેજ બુક કરેલુ હોવુ જાેઇએ. તેવામાં હવે ધોરડો સુધી પહોંચવા એક નવી સુવિધા ઉમેરાઇ છે. ભુજ એરપોર્ટથી પ્રવાસીઓ માટે ચાર્ટર્ડ હેલિકોપ્ટરની સુવિધા ઉપલબ્ધ થઇ છે. એક ખાનગી એવિયેશન કંપની દ્વારા ધોરડો સફેદ રણથી ભુજ એરપોર્ટ સુધી ચાર્ટર્ડ સર્વિસ શરૂ કરવામાં આવી છે. ગુજરાતની ખાનગી એવિયેશન કંપની વેસ્ટર્ન બર્ડ એવિયેશન સર્વિસ દ્વારા રણોત્સવમાં છેલ્લા ચાર વર્ષથી હેલિકોપ્ટર જાેય રાઈડની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે આ વર્ષે જાન્યુઆરી મહિનાની શરૂઆત સાથે ફરી આ નવી સેવાનું આકર્ષણ શરૂ કરવામાં આવ્યું છે. આ માટે કંપની દ્વારા ધોરડો ખાતે બનાવાયેલ હેલિપેડ પર એક ઇ૬૬ હેલિકોપ્ટર મૂકવામાં આવ્યું છે, જેમાં પાઇલોટ ઉપરાંત એક સાથે ચાર પ્રવાસીઓ સફર માણી શકે છે. પ્રવાસીઓને ધોરડો સફેદ રણથી ભુજ એરપોર્ટ સુધીની ચાર્ટર્ડ સેવા પણ મળી રહે તેવી વ્યવસ્થા કંપની દ્વારા શરૂ કરવામાં આવી છે. સામાન્યપણે ભુજથી સફેદ રણ સુધીનો ૯૦ કિલોમીટરનો પ્રવાસ પૂર્ણ કરવામાં પ્રવાસીઓને દોઢ કલાક જેટલો સમય નીકળી જતો હોય છે. ત્યારે પ્રવાસ પર સમય ન બગાડવા માગતા પર્યટકો માટે હવે ધોરડો હેલિપેડથી ભુજ એરપોર્ટ સુધીની ચાર્ટર્ડ સર્વિસ શરૂ કરવા પણ હાલ ર્નિણય કરવામાં આવ્યું છે. કંપનીને આ મુદ્દે જાણ કરાતા તેઓ પ્રવાસીઓના સમયની અનુકૂળતાએ ભુજ એરપોર્ટ સાથે સંકલન કરી ઉડાન સમય નક્કી કરે છે. તો આ માટે એન્ડ ટુ એન્ડ ચાર્જ લેવામાં આવે છે.વધુ વાંચો -
કચ્છના ધોરડોનું સફેદ રણ રંગબેરંગી પતંગોથી નયનરમ્ય બન્યું ૧૯ પતંગબાજાે સામેલ થયા
- 14, જાન્યુઆરી 2023 01:30 AM
- 4859 comments
- 9685 Views
ભૂજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૩નો કચ્છ જિલ્લાના ધોરડો સફેદ રણ ખાતે ઉમકળાભેર પ્રારંભ થયો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા સહિત મહાનુભાવોએ વિવિધ દેશમાંથી આવેલા કાઈટિસ્ટોને મોમેન્ટો આપીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ કાર્યક્રમનું આયોજન ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટીતંત્ર કચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા કલેકટર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે, આજે વિવિધ દેશ સહિત ભારતીય પતંગબાજાે અહીં પધાર્યા છે. તેઓએ સૌને શુભેચ્છાઓ પાઠવીને કચ્છના પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા સૌને અનુરોધ કર્યો હતો. આ પતંગોત્સવ દરમિયાન ઈન્ડોનેશિયા, ઈઝરાયલ, લેબનાન, લિથુઆનિયા, મલેશિયા, મોરેશિયસ, મેક્સિકો, મોરોક્કો, નેપાલ, નેધરલેન્ડ, બોના એર, ઓસ્ટેશિયસ, પોલેન્ડ, પોર્ટૂગલ, સાઉથ આફ્રિકા તેમજ સ્લોવેનિયન કાઈટિસ્ટોએ અવનવી ડિઝાઇનની પતંગો સાથે સફેદ રણના આકાશમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ સહિત ઉપસ્થિત સૌએ પતંગોત્સવની મજા માણી હતી. આ ઉપરાંત ભારતમાંથી રાજસ્થાન, સિક્કીમ, મધ્યપ્રદેશ, તેલંગાણા, પંજાબ, ઓડિશા, કર્ણાટક અને ગુજરાતના કાઈટિસ્ટોએ પણ પોતાની અનેરી ડિઝાઈન સાથેની પતંગો ઉડાવીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ નિમિત્તે કલેકટર સહિત મહાનુભાવોએ જાડા ધાન્યમાંથી તૈયાર કરેલી વાનગીઓના સ્ટોલની મુલાકાત લીધી હતી. ઉપરાંત, રોજગાર ઉપલબ્ધ થાય તે માટે કેટરીંગની વ્યવસ્થા સખી મંડળની બહેનોએ સંભાળી હતી.વધુ વાંચો -
કંડલામાં ૫.૪૦ કરોડના સિંધવા નમકનું સર્ચ ઓપરેશન
- 22, ડિસેમ્બર 2022 01:30 AM
- 9742 comments
- 8287 Views
ગાંધીધામ, ગાંધીધામ કંડલામાં ડીઆરઆઈ દ્વારા અન્ય એજન્સીઓને સાથે રાખીને ગત રોજથી અચાનક તપાસ શરૂ કરવામાં આવતા અનેક પ્રકારની અટકળોનું બજાર ગરમ થઈ ગયું હતું. આ સમગ્ર ઘટનાક્રમમાં ઈરાન અફઘાનિસ્તાન પટ્ટાથી રોક સોલ્ટની થતી આયાત કારણભૂત હોવાનું સામે આવી રહ્યું છે. કુલ ૨૭ જેટલા કન્ટેનર છે, જેમાં લદાયેલાં ૫.૪૦ કરોડની કિંમતનું ૬૪૮ ટન રોક સોલ્ટને સંપુર્ણ રૂપે તપાસ કરવામાં આવશે. એ પ્રકારના ઈનપુટ છે કે આ જથ્થામાં ડ્રગ્સ કે અન્ય અનધિકૃત જથ્થો સામેલ હોવાની સંભાવના છે. ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ સાથે પૂર્વ કચ્છની એસઓજી, રાજ્યની બોમ્બ ડિસ્પોઝલ ટીમ,એફએસએલ સહિતની ટીમો તપાસ કાર્યના બીજા દિવસે પહોંચી આવી હતી. કંડલાના વેર હાઉસમાં રાખેલા ૨૭ કંટેનરોની એક બાદ એક તપાસ કરવામાં આવી રહી છે, જેમાં “ઓન રેકર્ડ’’ ઈરાનથી લવાયેલા અંદાજે ૬૪૮ ટન રોક સોલ્ટ એટલે કે સિંધવ નમક સામેલ છે, જેની બજાર કિંમત અનુસાર કુલ કિંમત ૫.૪૦ કરોડ થવા જાય છે. હાલ આ સમગ્ર જથ્થાને ડીઆરઆઈએ સીઝ કરીને તપાસનો વ્યાપ આગળ ધપાવ્યો છે. અગાઉ આજ રૂટથી આવેલા કાર્ગોમાં ડ્રગ્સ મળ્યું હોવાના લીધે સરકાર કોઇ ચુકમાં રહેવા માંગતી ન હોવાથી આ જથ્થાને રોકાવી દઈને સંપુર્ણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે. કંટેનરોની સંખ્યા વધુ હોવાથી થોડા દિવસ આ ઓપરેશન ચાલતું રહે તે સંભવ છે. રોક સોલ્ટ એટલે કે સિંધવ મીઠું મહતમ રૂપે પાકિસ્તાનમાં સિંધ એટલે કે ઈન્ડસ અને પંજાબના મેદાનો વચ્ચે આવેલા વિસ્તારમાંથી પ્રાપ્ત થાય છે. ભારતના જાંબાઝ જવાનોની છાવણી પર ગત વર્ષોમાં મોડી રાત્રે કાયરતા પૂર્ણ થયેલા હુમલાઓ અને તેમાં પાકિસ્તાની સામેલગીરી સામે આવ્યું હતું.જેના જવાબ રૂપે સ્ટ્રાઇક સિવાય ટ્રેડ ક્ષેત્રે ભારતે પાકિસ્તાનથી આવતા દરેક કાર્ગો પર ૨૦૦% ની ડ્યૂટી લાદી દીધી હતી, જે હજી પણ ચાલે છે. જેના કારણે પાકિસ્તાનથી આવતા રોક સોલ્ટને આયાતકારો અન્ય દેશનું ઓરીજન ઓન પેપર દેખાડીને આયાત કરે છે, જેથી મોટા કરથી બચી શકાય. આ પ્રકારની ગેરરીતિ અગાઉ કંડલા અને મુંદ્રા બન્ને સ્થળોએ પકડાઈ ચુકી છે. કંડલા કસ્ટમ હોય કે મુંદ્રા કસ્ટમ, બન્ને સ્થળોએ મોટા પાયે ગેરરીતિઓને અંજામ આપીને સંડ્રી, લાંચ લેવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. પરંતુ ટ્રેડ પોતાનો ધંધો બચાવવા કોઇ વેર લેવા ન માગતું હોવાથી આ અંગે ફરિયાદો કરતું ન હોવાની લોકમુખે ચર્ચા રહેતી હોય છે. આવી સ્થિતિમાં ગત રોજ કંડલામાં ડીઆરઆઈએ મોટા પાયે દરોડો પાડીને કેટલાક કસ્ટમના ભ્રષ્ટ અધિકારીઓને પણ જાંસામાં લીધા હોવાની કથિત અફવા વહેતી થતા કેટલાક અધિકારીઓ તો ભયના માર્યા “આઉટ ઓફ સ્ટેશન’’ થઈ ગયા હતા.વધુ વાંચો -
દહીંસરાના ગોડાઉનમાંથી ૪૫૦ કિલો અખાદ્ય ગોળનો જથ્થો જપ્ત
- 27, નવેમ્બર 2022 01:30 AM
- 5580 comments
- 5211 Views
અંજાર, દેશી દારૂ બનાવવા માટે ધંધાર્થીઓ દ્વારા અખાદ્ય ગોળનો વપરાશ કરવામાં આવતો હોય છે તાજેતરમાં જ અંજાર અને ગાંધીધામ વિસ્તારમાં પોલીસે સયુંકત કાર્યવાહી કરીને ૩૦ હજાર કિલો ગોળનો જથ્થો જપ્ત કર્યો હતો ત્યારે પશ્ચિમ કચ્છ જિલ્લામાં માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દહીંસરા ગામે એલસીબીએ કાર્યવાહી કરીને ૪૫૦ કિલો અખાદ્ય ગોળનો જથ્થો જપ્ત કર્યો હતો. દહીસરા ગામે આવેલા મનીષ મણીલાલ ઠક્કરના કબ્જા-ભોગવટાના ભાડાના ગોડાઉનમાં અખાધ્ય (સડેલો) ગોળનો જથ્થો છે અને આ ગોળ અન્ય ઇસમોને વેચાણ કરતા હોવાની હકીકતના આધારે એલસીબીએ દરોડો પાડ્યો હતો ત્યારે અહીંથી ૧૩,૫૦૦ ની કિંમતનો ૪૫૦ કિલો ગોળ મળી આવ્યો હતો.વધુ વાંચો -
કચ્છમાં સહકારી ખાતરની અછત સર્જાતા ખેડૂતોને ભારે હાલાકી
- 23, નવેમ્બર 2022 01:30 AM
- 7232 comments
- 7900 Views
કચ્છ, કચ્છમાં આ વર્ષે પડેલા સારા વરસાદ બાદ શિયાળુ પાક મબલખ પ્રમાણમાં લેવાની ઇચ્છાએ ખેડૂતો ડીએપી અને યુરિયા ખાતર ખરીદવા પડાપડી કરી રહ્યા છે પરંતુ અપૂરતા જથ્થાને લઈ જિલ્લામાં ખાતરની અછત કિશનો માટે હાલાકી સર્જી રહી છે. જેની સાક્ષી પૂરતા દ્રષ્યો રાપર તાલુકાના ખેંગારપર ગામથી સામે આવ્યા છે. જ્યાં આજ મંગળવારે સવારે ખાતર મેળવવા ખેડૂતોએ સહકારી મંડળી બહાર લાંબી કતારો લગાવવી પડી હતી. જાેકે મર્યાદિત જથ્થાને કારણે ટોકન પદ્ધતિ દ્વારા ખાતરનું વિતરણ કરવામાં આવ્યું હતું. અપૂરતા ખાતરના જથ્થાને લઈ ખેડૂતોમાં ક્યાંકને ક્યાંક નારાજગી પ્રવર્તી રહ્યાનું જાણવા મળ્યું હતું.જગતનો તાત ખેડૂત ફરી એક વખત શિયાળુ પાકમાં ખેતી કરવા ખાતરની અછતને કારણે દુવિધામાં મુકાયો છે. શિયાળા દરમિયાન જીરું, વરિયાળી, રાયડો, અજમો, ઇસબગુલ સહિતના પાકની ખેતી કરવા ખેડૂત વર્ગે બિયારણ ખરીદ કરી લીધું છે પરંતુ યુરિયા અને બીએપી ખાતરની અછતથી હાલાકી ભોગવી રહ્યા છે. વિવિધ સહકારી મંડળીઓમાં મર્યાદિત જથ્થામાં ખાતર મળતું હોઇ ખેતી કાર્ય સમિતિ બની રહ્યું છે. રાપરના ખેંગારપરમાં સવારના ૮ થી ૯ વાગ્યા દરમ્યાન ૩૦૦ ખેડૂતોને ટોકન પદ્ધતિ દ્વારા ખાતર વિતરણ કરાયુ હતું. જ્યારે મોડા પડેલા ખેડૂતોને ખાલી હાથે પરત જાઉં પડ્યું હતું. આ અંગે કૃષિ ક્ષેત્રના જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું કે, સહકારી મંડળીઓને ખાતરનો જથ્થો પૂરો પાડતી સરદાર, કૃભકો અને ઇફકો જેવી કંપનીઓને સરકાર તરફથી અમુક ટકા ખેડૂતલક્ષી સબસીડી આપવામાં આવતી હોય છે.વધુ વાંચો -
મેઘા પાટકર ‘ભારત જાેડો યાત્રા’માં જાેડાય તો તેને રોકી શકાય નહીં ડો. રઘુ શર્મા
- 20, નવેમ્બર 2022 01:30 AM
- 3348 comments
- 3768 Views
અબાડાસા, રાહુલ ગાંધીની રાજકોટ મુલાકાતને લઇને ગુજરાતના પ્રભારી ડો. રધુ શર્માએ સભા સ્થળની મુલાકાત લીધી હતી. મેધા પાટકરને લઇને તેમણે જણાવ્યું હતું કે ‘ભારત જાેડો યાત્રા’માં લાખો લોકો જાેડાઇ રહ્યા છે. કોઇપણ વ્યક્તિ જાેડાય તો અમે તેને રોકી શકીએ નહીં. ભાજપ મુદ્દો ભટકાવવા માંગે છે. ગુજરાતની જનતા મોંઘવારી અને બેરોજગારીથી પરેશાન છે. ભાજપ બેરોજગારી-મોંઘવારી વિશે વાત નહીં કરે. આમ આદમી પાર્ટીની કથની અને કરણી સામે અણિયારા સવાલો પર પ્રશ્ન પર ગંભીર પ્રશ્નો ઉઠાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા આલોક શર્માએ તિહાડ જેલમાં બંધ કેજરીવાલની દિલ્હી સરકારના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનના મસાજ કરાવતા વીડિયોને લઈને પણ સવાલો કર્યા હતા. તેમણે કહ્યું, આ વીડિયોથી સાબિત થાય છે કે, આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે. જેલમાં તે લોકો એશો-આરામથી રહી રહ્યા છે. કેન્દ્ર સરકારે પણ આ ધ્યાને લેવું જાેઈએ. એક કેદીને જેલમાં ૫ સ્ટાર સુવિધા કેવી રીતી મળી રહી છે. એટલે જ અમે કહી રહ્યા છીએ કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે આયોજિત પ્રેસ વાર્તામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્માએ આમ આદમી પાર્ટીના કથિત વાયરલ થયેલા વીડિયો સંદર્ભે આમ આદમી પાર્ટી સામે ગંભીર સવાલો ઊભા કર્યા હતા.વધુ વાંચો -
ભુજના ત્રણ શખ્સો શેખપીર ચેકપોસ્ટ પર ડ્રગ્સ સાથે ઝડપાયાં
- 20, નવેમ્બર 2022 01:30 AM
- 5824 comments
- 964 Views
ભુજ, શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સનો વેપલો વધી ગયો હોવાની ફરિયાદો છે ત્યારે ૧૦ દિવસના ટૂંકાગાળામાં શેખપીરથી માધાપર સુધીના વિસ્તારમાંથી પોલીસે ત્રીજી વખત ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે.અગાઉ ૯ નવેમ્બરે એસઓજીએ ૨.૮૦ લાખના એમડી ડ્રગ્સ સાથે ભુજના ૩ યુવાનોને ઝડપયા હતા. જે બાદ ઓરિસ્સાથી ગાંજાે લઈને આવેલા ધાવડાના ૨ વ્યક્તિઓને પકડી લેવાયા હતા જે બાદ હવે શેખપીર ચેકપોસ્ટ પર કાર્યવાહી કરીને એમડી ડ્રગ્સ અને ચરસ લઈને આવેલા ભુજના ૩ શખ્સોને પોલીસે ઝડપી પાડયા છે.આરોપીઓ પાસેથી રૂપિયા ૯૬ હજારનું ૯૬.૧ ગ્રામ મારીજુઆના ચરસ અને રૂપિયા ૭ હજારનું ૦.૭ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.એસઓજીના હેડ કોન્સ્ટેબલ મદનસિંહ જાડેજાને મળેલ બાતમીને આધારે શેખપીર ત્રણ રસ્તા પરથી ચરસ અને એમડી ડ્રગ્સ સાથે ભુજના મામદ ઉર્ફે નવાબ ગુલામહુશેન સુમરા,રહે. દાદુપીર રોડ,આસિફ કાસમ સમેજા,રહે. મેન્ટલ હોસ્પીટલની બાજુમાં અને દિનેશ લવકુમાર તિવારી,રહે.ભુજીયા તળેટી વાળા આરોપી ઝડપાયા હતા. આરોપીઓ પાસે રહેલી સ્વીફ્ટ કાર ય્ત્ન ૧૨ હ્લઝ્ર ૪૭૦૦ ની તપાસ કરવામાં આવી પણ અંગઝડતીમાં જ રૂ.૯૬ હજારનું ૯૬.૧ ગ્રામ ચરસ અને રૂપિયા ૭ હજારનું ૦.૭ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.શેખપીર ચેકપોસ્ટ પર ચારેબાજુ બેરીકેડ લગાવવામાં આવ્યા હોઇ તે મહત્વપૂર્ણ સાબિત થયા હતા. નાર્કોટીક્સના મુદ્દામાલ સાથે ઝડપાયેલ ભુજના ત્રણ ઈસમો વિરુધ્ધ એન.ડી.પી.એસ એક્ટ હેઠળ પધ્ધર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.જેની ક્રોસ તપાસ માધાપર પીએસઆઈ જે.ડી.સરવૈયાને સોંપવામાં આવી છે.આરોપીને આજે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ચરસ અને એમડી ડ્રગ્સ સાથે ઝડપાયેલા ભુજના ત્રણ શખ્સોમાંથી મામદ ઉર્ફે નવાબ ગુલામહુશેન સુમરા વિરુધ્ધ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકે હત્યાના પ્રયાસ તથા એલસીબીમાં આર્મ્સ એક્ટ અને બી ડીવીઝન પોલીસ મથકે સોનાની ચીટીંગ અને મારામારીના ગુનાઓ નોધાયેલા હોવાનું પોલીસે જાહેર કર્યું છે. જયારે અન્ય બે આરોપીઓ કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતા નથી. પોરબંદર એસ.ઓ.જીએ ખેતરમાંથી ગાંજાના છોડ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો પોરબંદર આગામી સમયમાં યાજાનારી વિધાનસભા ચૂંટણી અનુસંધાને નશીલા પદાર્થો પીનારા તથા માદક પદાર્થોનુ સેવન કરનાર તત્વોની પ્રવૃત્તિઓ સદંતર બંધ કરવા જિલ્લા પોલીસ વડા દ્વારા સુચના આપવામાં આવેલી છે. જે અનુસંધાને એસ.ઓ.જી, ઈન્ચાર્જ પીઆઈ એચ.બી.ધાંધલીયા દ્વારા આવા ઇસમો અંગે બાતમી મેળવવા સૂચના કરવામાં આવેલી. જે અનવ્યે એસ.ઓ.જી સ્ટાફના માણસો આ બાબતે કાર્યરત હતા. તે દરમિયાન એએસઆઇ કે.બી.ગોરાણીયા તથા પો.કોન્સ.સમીર સુમાર જુણેજાને બાતમી મળી કે રાણવાવ તાલુકાના હનુમાનગઢ ગામની સીમ કબીર આશ્રમમાં ભરતદાસ પોતાના કબજા ભોગવટાના ફળીયામાં ગાંજાનુ વાવેતર કરેલું છે. જે હકીકતના આધારે સરકારી પંચોને સાથે રાખી રેઇડ કરતા જગ્યામાંથી લીલા ગાંજાના છોડ નંગ-૧ જેનો કુલ વજન ૪ કીલો ૫૪૯ ગ્રામ કી.રૂ.૪૫૪૯૦ ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી. રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એકટની કલમ ૧૯૮૫ની કલમ ૮(બી), ૨૦(એ) (૨-બી) મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો છે.વધુ વાંચો -
સૌરાષ્ટ્રમાં ભાજપના નેતાઓનો ઝંઝાવાતી પ્રચાર
- 19, નવેમ્બર 2022 01:30 AM
- 6592 comments
- 6320 Views
મોરબી, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મોરબીમાં ટંકારા વિધાનસભા ના ભાજપના ઉમેદવાર દુર્લભજી દેથરીયા માટે જાહેર સભાને સંબોધન કર્યુહતું. વિશ્વાસ ટકાવી રાખવો મહત્વનું હોવાનો ઉલ્લેખ કર્યો હતો.મહર્ષિ દયાનંદ સરસ્વતીની ભૂમિ કહીને સંબોધન કોઈનો વિશ્વાસ કેળવવો અને વિશ્વાસ કેળવ્યા પછી ટકાવી રાખવો એ અગત્યની વાત છે વર્ષો સુધી ગુજરાતમાં તકલીફો પાયાની સુવિધાથી માંડીને દરેક તકલીફ લાંબા સમય સુધી સુરક્ષા વ્યવસ્થા સહિતની તકલીફો શાસન કર્યું તે દુર ના કરી શક્યા..પછી લોકોએ ભાજપને શાસન પર બેસાડ્યા પછી નરેન્દ્રભાઈએ ગુજરાતની ધરા સંભાળી અને તેઓએ રાજનીતિમાં નવી દિશા વિકાસની રાજનીતિ આપી.ગુજરાતમાં જે ફેરફાર થયા તે દેશ અને દુનિયા જાેઈ રહી છે.વિશ્વાસને ટકાવી રાખી પ્રજાને પડતી મુશ્કેલી કેમ દુર કરી સકાય તેના માટે હમેશ વિચાર કરી કામ શરુ કર્યું બે દાયકા પહેલા ક્યાય પાણી, વીજળી, રોડ રસ્તા હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર , ધંધા રોજગાર મુશ્કેલીનરેન્દ્ર મોદીએ એ નર્મદા નીર, ૨૪ કલાક ગામો ગામ વીજળી, નાના ગામોને જાેડતા રસ્તા બનાવ્યા, આરોગ્ય સુવિધાઓ આપી આજે દરેક જીલ્લા, તાલુકામાં ધંધા રોજગાર, ખેડૂત ખેતીથી ખુશ છે,રસ્તાનું ના હોય તેથી મોટું નેટવર્ક કેનાલનું બનાવ્યું છે.અનેક કામો શરુ થયા હશે તેના લોકાપર્ણ આપને જ કરવાના છે.નરેન્દ્ર મોદી હોય ત્યારે વિકાસ કામમાં રૂપિયા ની ઘટ નો આવે, કોરોના કાળ પછી ગુજરાતનું બજેટ બનાવ્યું તે અત્યાર સુધીમાં ગુજરાતમાં સૌથી મોટામાં મોટું બજેટ છે.વિકાસની રાજનીતિ છે અગાઉ કેવી રીતે ચુંટણી લડવામાં આવતી, કેટલી ચિંતા હોય આજે એમાંથી કશું જાેવા ના મળે, સુરક્ષા એટલી જ સારી થઇ ગઈ છે ૨૫ વર્ષના યુવાનને કર્ફ્યું શું છે એ ખબર નથી.કેજરીવાલ બાવળનું વૃક્ષ જ્યારે રાહુલ નિંદામણઃ શિવરાજસિંહ કચ્છ,તા.૧૮ ગુજરાતમાં ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે એમ-એમ પ્રચારની ગરમાગરમી પણ તેજ બની છે. મધ્યપ્રદેશના બે મુખ્યમંત્રી, એક વર્તમાન ઝ્રસ્ શિવરાજ સિંહ અને પૂર્વ ઝ્રસ્ દિગ્વિજય સિંહે આજે તલવારો તાણી હતી. શિવરાજ સિંહે તો અબડાસાની એક સભામાં ત્યાં સુધી કહી દીધું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો કલ્પવૃક્ષ છે.. તેમની પાસે જે માગો એ મળશે.. મધ્યપ્રદેશની જનતામાં ‘મામા’ના હુલામણા નામે ઓળખાતા શિવરાજ સિંહે અબડાસાની સભામાં કહ્યું હતું કે અત્યારે ગુજરાતમાં નોટંકી કરવાવાળા રોજેરોજ જુઠ્ઠું બોલે છે. એક દિવસ બીજું કહે બીજા દિવસે બીજું બોલે. નરેન્દ્ર મોદી તો કલ્પવૃક્ષ છે, જે માગો એ મળશે. કેજરીવાલ છે બાવળનું વૃક્ષ, માત્ર કાંટા આપશે. જ્યારે રાહુલબાબા નીંદણ છે, આખો પાક નષ્ટ કરી દેશે. કોંગ્રેસે આટલાં વરસ ગુજરાતમાં રાજ કર્યું એ શું કર્યું? ગુજરાતને તબાહ અને બરબાદ કરી દીધું. યોગી આદિત્યનાથે અમૃતિયાને જીવન બચાવનાર ગણાવ્યાં મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના માં પોતાના ગુમાવ્યા છે તેઓ ને શ્રદ્ધાંજલિ યોગી આદિત્યનાથ એ આપી હતી. તેમણે કહ્યું હતું કે આખો દેશ આ ઘટના માં મોરબી સાથે ઊભો રહ્યો..કાંતિ ભાઈ વખાણ કર્યા.કાંતિ ભાઈ સહિતના કાર્યકરો ઑ લોકોને બચવવા મદદરૂપ બનાયા.મોરબી સામે અનેક ચુનોતી આવી છતાં મોરબી ઉભુ થયુ છે. ભાજપ સરકાર અને નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ભૂતકાળમાં અને વર્તમાન ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા મોરબી માટે કરાયેલા કામને તેમણે ગણાવ્યા હતા. તેમણે ભાજપના મોરબીના ઉમેદવાર કાંતિ અમૃતિયાને લોકોને જીવ બાચવનારા લેખાવ્યા હતા.વધુ વાંચો -
ધોરાજીના ઐતિહાસિક ઓસમ ડુંગર પરથી ધોધ વહ્યો
- 10, જુલાઈ 2022 01:30 AM
- 3815 comments
- 7892 Views
રાજકોટ, રાજકોટ જિલ્લામાં છેલ્લા ૫ દિવસથી મેઘરાજા વીજળીના કડાકા ભડાકા સાથે વરસી રહ્યા છે. અનરાધાર વરસાદથી કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. આવું જ કુદરતી સૌંદર્ય ધોરાજીના પાટણવાવ નજીક આવેલા ઓસમ ડુંગર પર પણ જાેવા મળ્યું છે. ધોધમાર વરસાદથી ઓસમ ડુંગર પરથી ધોધ વહ્યો હતો. આથી અદભૂત દૃશ્યો સર્જાયા છે. તેમજ વરસાદથી ઓસમ ડુંગર લીલીછમ્મ હરિયાળીથી ખીલી ઉઠ્યો છે. આ ધોધનો અદભૂત નજારો કોઇએ પોતાના મોબાઇલમાં કેદ કર્યો છે. થોડા દિવસ પહેલા પણ ધોરાજીમાં ધોધમાર વરસાદથી ઓસમ ડુંગર પરથી ધોધ વહ્યો હતો. ઓસમ ડુંગર પર સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને પર્યટક સ્થળમાં પણ સમાવેશ થાય છે. ચોમાસા દરમિયાન અહીં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠે છે. હાલ ઓસમ ડુંગર પર ધોધમાર વરસાદથી નયનરમ્ય નજારો જાેવા મળી રહ્યો છે. ઓસમ ડુંગર પ્રવાસીઓ માટે પ્રવાસન ક્ષેત્રે પ્રખ્યાત બની રહ્યો છે. આ ઓસમ ડુંગર ઉપર તહેવારોની સીઝનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. ઓસમ ડુંગર ધોરાજી હિમાચલ પ્રદેશ જેવી હરિયાળીનો નજારો જાેઇને પર્યટકો પ્રફૂલ્લિત બની જાય છે. ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે આવેલ ઓસમ ડુંગર ઉપર માત્રી માતાજીનું મંદિર, હિડંબાનો હિંચકો, સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવ મંદિર, તળાવ, સહિતના જૈન ધર્મની આસ્થાસમી ધાર્મિક જગ્યાઓ આવેલી છે. ધોરાજીના પાટણવાવ નજીક આવેલા ઐતિહાસિક ઓસમ ડુંગર પર મહાભારત કાળના અનેક અવશેષો જાેવા મળે છે. ભીમ અને હિડંબા અહીં સાથે રહ્યા હતા. ઓમ આકારનો પર્વત દેખાતાં ઓમ સમ= ઓસમ પર્વત નામ પડ્યું હતું. ભાદરવી અમાસે આ ડુંગર પર ભવ્ય લોકમેળો ભરાઇ છે. જેમાં સોળેકળાએ ખીલેલી પ્રકૃતિની સુંદરતા પ્રકૃતિપ્રેમીઓ મનભરીને માણે છે.ગીર સોમનાથના સુત્રાપાડામાં ચાર દિવસથી અનરાધાર વરસાદથી બ્રિજ ધોવાઇ ગયો ગીર - સોમનાથ છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગીર-સોમનાથના સુત્રાપાડામાં અનારાધાર વરસાદ પડી રહ્યો છે. વરસાદને પગલે અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. આ ઉપરાંત અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. આ દરમિયાન અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે. બીજી તરફ ખેરા અને વસાવડ ગામ વચ્ચે વાડી વિસ્તારમાં ભારે વરસાદથી એક બ્રિજ ધોવાયો છે. આ બ્રિજ પરથી ખેડૂતો અવરજવર કરતા હતા. ખેરા અને વસાવડ ગામનો જાેડતો બ્રિજ ધોવાઈ ગયાની માહિતી મળી છે. બ્રિજ ધોવાઈ ગયાનો આખો બનાવ ખેડૂતો પોતાના મોબાઇલ ફોનમાં કેદ કરી લીધો છે. આ દ્રશ્યોમાં જાેઈ શકાય છે કે આખો બ્રિજ પાણીના ધસમસતા પ્રવાહમાં ધોવાઈ રહ્યો છે. ભારે વરસાદને પગલે જામકંડોરણાનો ફોફળ-૧ ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં છે. ફોફળ ડેમમાં ૧૧ ફૂટ નવા નીરની આવક થઈ છે. જેના પગલે ડેમની સપાટ ગઈકાલે ૨૩ ફૂટે પહોંચી હતી. આ અંગે રાજકોટ જિલ્લા કલેક્ટરે ટ્વીટ કરીને લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. દુધીવદર, ઇશ્વરીયા, તરવડા અને વેગડી ગામના લોકોને સાવચેત રહેવા તથા નદીના પટમાં અવરજવર ન કરવાની સૂચના આપવામાં આવી છે. જામકંડોરણા પંથકમાં સાડા ચાર ઇંચ કરતા વધારે વરસાદ પડતા દુધીવદર ગામ ખાતે આવેલો ફોફળ-૧ ડેમ હાલ ભરાયો છે. આ ડેમની કુલ સપાટી ૮૧.૭૫ મીટર છે. ડેમની ગુરુવારની સપાટી ૮૦.૨૯ મીટર હતી. બીજી તરફ ધોરાજીના ભૂખી ગામ ખાતે આવેલો ભાદર-૨ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. જેના પગલે ૩૭ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. લોકોને નદીના પટમાં ન જવાની સૂચના આપી દેવામાં આવી છે. ભાદર -૨ ડેમની જળ સપાટી ૫૩.૧ મીટર છે, જ્યારે જળાશયની હાલની સપાટી ૫૧.૧ મીટરે પહોંચી છે. ડેમમાં ૬,૭૧૭ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમની સપાટી વધતા ધોરાજી તાલુકાના ૪ ગામોને એલર્ટ કરાયા છે. જેમાં ભોળા, ભોળગામડા, છાડવાવદર, સુપેડી ગામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઉપલેટાના ૧૫ ગામ, કુતિયાણાના ૧૦ ગામ અને પોરબંદરના ૪ ગામને એલર્ટ કરાયા છે. ખાલી પડેલા તમામ ડેમો,તળાવો,નદીઓ ઓગની જતા પાણી ગામો અને ખેતરોમાં ઘુસતા હાલાકી કચ્છ પશ્ચિમ કચ્છમાં છેલ્લા ૪ દિવસથી મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે.જેના કારણે ખાલી પડેલા તમામ ડેમો,તળાવો,નદીઓ ઓગની જતા પાણી ગામો અને ખેતરોમાં ઘુસી રહ્યું છે .સતત વરસાદના કારણે ખેતરો પણ તળાવમાં ફેરવાઈ ગયા છે.છેલ્લા ચાર જ દિવસમાં લખપત,અબડાસા,નખત્રાણા અને માંડવી-મુન્દ્રામાં સાંબેલાધાર મેઘો વરસ્યો હોવાથી અહીં તરોમાં ઉભા પાકને નુકશાન થવા પામ્યું છે.વાવણી કરેલો પાક ધોવાઈ જવા સાથે ખેતરોના બંધારા પણ તૂટી ગયા છે જેથી સરકાર દ્વારા સહાય આપવામાં આવે તે જરૂરી છે.. અબડાસા અને લખપતને જાેડતા માર્ગ પર પાણી ફરી વળ્યા..રામપર નજીક આવેલ મીઠી ડેમ ઓવરફ્લો થતાં રામપર નદીના પાણી બે કાંઠે વહ્યા હતા જ્યારે અબડાસા અને લખપતને જાેડતો માર્ગ થયો બંધ થતાં સંપૂર્ણ વાહન વ્યવહાર ઠપ...થઇ ગયો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં. બાલાગામ ઘેડમાં ઓઝત નદીનો પાળો તૂટતા હજારો વિઘા જમીન પાણીમાં કેશોદ પંથકના બામણાસા ધેડ અને બાલાગામ ખાતે આવેલ ઓઝત નદીમાં ઉપરવાસમાં પડેલાં વરસાદી પાણીની આવક થતાં ખેડુતોએ પાણી રોકતાં બનાવેલાં માટીના પાળા તૂટી પડતાં હજારો વીધા જમીન પાણીમાં ગરકાવ થઈ હતી. જેથી મગફળીને નુકસાન થયું હતું. આ અંગેની મળતી વિગત મુજબ ઘેડ પંથકની ઓઝત નદી સાંકળી બનતાં તેમજ નાના વોકળા પેશકદમી કરી બંધ કરાતાં વારંવાર પાળા તુટવાની ઘટના બને છે.છેલ્લા ૩ વર્ષમાં બામણાસા ગામે પાળો તૂટવાથી મોટા પાયે ખેડૂતોની જમીનનું ધોવાણ તેમજ મગફળીના પાકને નુકશાન થઈ રહ્યું છે. એવી જ રીતે બે વર્ષ પહેલાં ૮૦ મીટર તૂટેલો પાળો તંત્રએ આરસીસીથી બનાવી આપ્યો તો ગત વર્ષે તેની બાજુમાં આવેલ પાળો તૂટ્યો હતો. આ પાળાને પાકો બનાવવા તંત્રએ સહાય મંજૂર કરી પણ સમયસર પાળો બનાવવા ઉણું ઉતર્યું જેને લઈ ખેડૂતે હજારો ખેડૂતોની ચિંતા કરી સરકારી વાહનનો ઉપયોગ કરી માટીનો કાચો પાળો બનાવી નાખ્યો હતો. નદી વળાંક લેતી હોય પાળાની નીચે પોલાણ સર્જાતાં પાળો તૂટી ગયો હતો. આ ઘટનાથી આખું ચોમાસું જ્યાં સુધી નદીમાં પાણીની આવક રહેશે ત્યાં સુધી બામણાસા ગામ કેશોદ તાલુકાથી વિખુંટુ રહેશે. અને હજારો વીધામાં વાવેતર કરાયેલ મગફળી નિષ્ફળ જશે.વધુ વાંચો -
કચ્છમાં ડ્રોનથી ટપાલની ડિલિવરી ૨૫ મિનિટમાં ૪૭ કિમી દૂર પાર્સલ પહોંચાડાયું
- 29, મે 2022 01:30 AM
- 7838 comments
- 511 Views
કચ્છ, દેશમાં પ્રથમ વખત સૌથી મોટા અને સરહદી કચ્છ જિલ્લામાં ટપાલ વિભાગ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. અત્યારસુધી ડ્રોનનો ઉપયોગ ફોટોગ્રાફી માટે થતો હતો, પણ હવે એનો ઉપયોગ ટપાલને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે થઈ રહ્યો છે. ડ્રોનથી ટપાલસેવાની શરૂઆત કરવા માટે પોસ્ટ વિભાગ દ્વારા સરવે કરવામાં આવ્યો હતો, જેમાં ભુજ તાલુકાના હબાયથી ભચાઉના નેર ગામની પસંદગી કરવામાં આવી હતી અને ૨ કિલોનું પાર્સલ ફક્ત ૨૫ મિનિટમાં ૪૭ કિલોમીટર દૂર પહોંચ્યું હતું. ડ્રોન મારફત ટપાલસેવા પહોંચતી કરવાના ટ્રાયલ બેઝના આધારે સફળ પરીક્ષણ કરાયું હતું. સવારે ૯ઃ૧૧ કલાકે હબાયથી રવાના કરવામાં આવેલું પાર્સલ ૯ઃ૩૬ કલાકે ભચાઉ તાલુકાના નેર ગામે પહોંચ્યું હતું, જ્યાં પોસ્ટ વિભાગની બીજી ટીમ પણ હાજર હતી. ૨૫ મિનિટમાં હબાયથી નેર સુધીનું અંદાજિત ૪૭ કિલોમીટરનું અંતર કાપી ડ્રોન મારફત દવાઓનું પાર્સલ સફળ રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું. ટ્રાયલ બેઝની ચકાસણી બાદ સરકાર દ્વારા સત્તાવાર માહિતી આપી ડ્રોન ટપાલસેવા ચાલુ કરવામાં આવશે એવું જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે અગાઉના જમાનામાં આધુનિક સેવાઓ ન હતી ત્યારે સંદેશા પહોંચાડવા કબૂતરનો ઉપયોગ થતો હતો, ડ્રોનથી પાર્સલ કે પત્ર પહોંચાડવાની આ હિલચાલ ગ્રામીણ લોકોને ખૂબ પસંદ આવી છે.વધુ વાંચો -
મુન્દ્રા પોર્ટ પરથી ૫૦ કિલો ડ્રગ્સ ઝડપાયું ઉડતા ગુજરાત ?
- 27, મે 2022 01:30 AM
- 904 comments
- 5942 Views
મુન્દ્રા, કચ્છના મુન્દ્રા પોર્ટ ખાતે એક ઈમ્પોર્ટ કરવામાં આવેલા કન્ટેનરમાંથી ૫૦ કિગ્રા કરતાં પણ વધારે વજનનું સિન્થેટિક ડ્રગ્સ ઝડપાયું છે. મુન્દ્રા પોર્ટ ખાતે ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે એક કન્ટેનર અટકાવીને તેની તપાસ હાથ ધરી હતી. કન્ટેનરમાં મીઠું હોવાનું ડિક્લેરેશન ધરાવતા આ કન્સાઈનમેન્ટમાંથી ૫૦ કિગ્રા કરતાં વધારે વજન ધરાવતો સિન્થેટિક ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ કન્ટેનર ઈરાનથી વાયા દુબઈ થઈને મુન્દ્રા પહોંચ્યું હતું અને ડ્રગ્સના સેમ્પલને નાર્કોટિક્સ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. તપાસ બાદ તે હેરોઈન છે કે અન્ય કોઈ ડ્રગ તે અંગેનો ખુલાસો થઈ શકશે. આ સાથે જ કન્ટેનરમાં રહેલા સમગ્ર જથ્થાની તપાસ પણ હાથ ધરવામાં આવી છે.જીએમડીસી ગ્રાઉન્ડ પાસેથી એમડી ડ્રગ્સ મળ્યું જીએમડીસી ગ્રાઉન્ડ પાસેથી ડીસીપી ઝોન ૧ સ્ક્વોડ અને લોકલ પોલીસે એમડી ડ્રગ્સ સાથે એક યુવતીને ઝડપી હતી. પોલીસ તપાસમાં યુવતીએ એક યુવકનું નામ આપ્યાની વિગતો ખુલી છે. ડ્રગ્સ સાથે પકડાયેલી યુવતી ગોતા વિસ્તારમાં રહેતી હોવાની વિગતો પોલીસને મળી છે. આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એકટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે. ડીસીપી ઝોન ૧ લવીના સિંહાના સ્ક્વોડને બાતમી મળી હતી કે, ગોતા ચાંદલોડિયા ખાતે રહેતી યુવતી એમડી ડ્રગ્સ સાથે જીએમડીસી ગ્રાઉન્ડ પાસેથી પસાર થવાની છે. બાતમીના આધારે ઝોન ૧ સ્કોડે અને વસ્ત્રાપુર પોલીસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની યુવતી પસાર થતા મહિલા પોલીસે તેને ચેક કરી હતી. યુવતી પાસેથી ૪ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. વસ્ત્રાપુર પોલીસે આ અંગે ડ્રગ્સ સાથે મળી આવેલી જ્યોતિકા દીપકભાઈ ઉપાધ્યાય રહે, શિવ કેદાર ફ્લેટ, ચાંદલોડિયા-ગોતાની ધરપકડ કરી હતી.બીએસએફની ટીમે હરામી નાળા પાસેથી બે પાકિસ્તાનીને ચાર ફિશિંગ બોટો સાથે ઝડપ્યાં ગાંધીનગર, ગુજરાતના કચ્છ જિલ્લાના સરહદી વિસ્તાર અને ચર્ચાસ્પદ એવા હરામીનાળા વિસ્તારમાંથી સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના જવાનોએ બે પાકિસ્તાની માછીમારને ઝડપી લીધા હતા. જયારે ચાર પાકિસ્તાની ફિશિંગ બોટ મળી આવતા બીએસએફના જવાનોએ ચાર બોટને કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતનો કચ્છ જિલ્લો પાડોશી દેશ પાકિસ્તાનની દરિયાઈ તેમજ જમીની સરહદની સાથે જાેડાયેલો છે. કચ્છ જિલ્લાનો દરિયાઈ સીમા વાળો હરામીનાળા અને ક્રિક વિસ્તાર કાદવ અને કીચડ વાળો હોવા છતાં પાકિસ્તાની માછીમારો માછીમારી કરવા માટે આ વિસ્તારમાં ઘૂસી આવે છે. આથી આ વિસ્તારમાં સીમા સુરક્ષા દળ (બીએસએફ) ના જવાનો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે. આ દરમિયાનમાં સીમા સુરક્ષા દળના જવાનોની ટીમ આજે સવારે હરામી નાળા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે ક્ષેતિજ ચેનલ પાસે કેટલીક પાકિસ્તાની માછીમારી બોટની હરકત જાેવામાં આવી હતી. જેથી સીમા સુરક્ષા દળના જવાનોની ટીમ તુરંત જ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી.વધુ વાંચો -
પાણી માટે વલખાં નાના રણમાં ૨૦૦૦ અગરિયા પરિવારોને આકરા ઉનાળામાં ૨૦ દિવસે પાણી
- 26, મે 2022 01:30 AM
- 8610 comments
- 1327 Views
સુરેન્દ્રનગર, કચ્છના નાના રણમાં મીઠું પકવતા ૨૦૦૦ અગરિયા પરિવારોને આકરા ઉનાળાની ૪૫ ડીગ્રી આગ ઓકતી ગરમીમાં ૨૦ દિવસે એક વખત પીવાનું પાણી ટેન્કર દ્વારા મળે છે. સોફ્ટવેરની ખામીના કારણે રણમાં પીવાનું પાણી પુરૂ પાડતી એજન્સીને બિલ ન ચૂકવાતા અગરિયા પરિવારોને તંત્રના વાંકે પાણીની એક એક બુંદ માટે રઝળપાટ કરવાની નોબત આવી છે.પાણી પુરવઠા વિભાગે ગત વર્ષના અને ચાલુ વર્ષના બિલ સોફ્ટવેર ખામીના કારણે ન ચુકવતા કોન્ટ્રાક્ટરે રણમાં પાણી બંધ કરવાની નાછૂટકે લાચારી બતાવી છે. કચ્છના નાના રણમાં ૫૦૦૦ ચો.કિ.મી. વિસ્તારમાં અંદાજે ૨૦૦૦ અગરિયા પરિવારો દર વર્ષ ઓકટોબરથી મે માસ દરમિયાન “કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું” પકવવાનું આકરૂ કામ કરે છે. ત્યારે રણના મીઠું પકવતા અગરિયાઓને ૨૦ દિવસે એક વખત પીવાનું પાણી મળે છે. ત્યારે રણમાં અગરિયા માટે રોજ નહાવાની કલ્પના કરવી એ દુષ્કર બાબત છે. આથી મીઠું પકવતા ૯૮ % અગરિયાઓ આજેય ચામડીના રોગથી પીડાય છે. હાલમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા રણમાં ૫૦૦૦ ચો.કિ.મી. વિસ્તારમાં મીઠું પકવતા ૨૦૦૦ અગરિયા પરિવારોને માત્ર ત્રણથી ચાર ટેન્કરો દ્વારા ટેન્કરો દ્વારા પીવાનું પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે. પાણી પુરવઠા વિભાગે ગત વર્ષના અને ચાલુ વર્ષના બિલ સોફ્ટવેર ખામીના કારણે ન ચુકવતા કોન્ટ્રાક્ટરે રણમાં પાણી બંધ કરવાની નાછૂટકે લાચારી બતાવી છે. મીઠું પકવતા ૨૦૦૦ અગરિયા પરિવારોને તંત્રના વાંકે પાણીની એક એક બુંદ માટે રઝળપાટ કરવાની નોબત આવી છે.વધુ વાંચો -
લખપત તાલુકાના ૪૦ હજાર જેટલા પશુઓ કાઉપોક્સ રોગના ભરડામાં
- 24, મે 2022 01:30 AM
- 9959 comments
- 6267 Views
અબડાસા, સાતેક માસ પૂર્વે અબડાસા તાલુકાના જુદા જુદા ગામડાઓના પશુધનમાં કાઉપોક્સ નામનો રોગ ફેલાયો હતો જે રોગ હવે ધીમે ધીમે લખપત તાલુકાના અમુક છેવાડાના ગામડાઓમાં પ્રસર્યો છે. પશુ ચિકિત્સકોની ટીમ દ્વારા રોગચાળાને કાબૂમાં લેવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને અમુક ગામડાઓમાં જઇને રસીકરણ શરૂ કરી દેવાયું છે. છેલ્લા બે દિવસથી કૈયારી, કપુરાશી સહિતના ગામડાઓમાં રસીકરણ શરૂ કરાયું છે. લખપતમાં ૮૫ હજાર પશુધન છે ત્યારે ૫૦ ટકા પશુઓમાં કાઉપોક્સ નામનો રોગ દેખાયો હોવાનું જાણવા મળ્યું હતું. લખપત તાલુકાના કાઉપોક્સ નામનો રોગ પ્રસર્યો છે જેના લીધે ઢોરનુ મોઢુ ઝકડાઇ જાય છે તો શરીરના અમુક ભાગ ઉપસી આવે છે, તો અમુક ભાગમાં ચીરા પડી જાય છે અને પગમાં કીડા પડી જાય છે. બિમારીને કારણે ઢોર કાંઇ પણ આરોગી શકતા નથી જેના કારણે પશુઓ મૃત્યુના મુખમાં ધકેલાઇ રહ્યા છે. લાખપત તાલુકામાં માનવ વસતી કરતા પશુધનની સંખ્યા વધારે છે, ઘાસ અને પાણીની તીવ્ર અછતના કારણે માલધારીઓ ભુખમરો વેઠી રહ્યા છે તેવામાં દાઝયા પર દામ સમાન આ રોગ પ્રસરતા માલધારીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. એક-બે પશુઓ હોય એ માલધારી રોજગારી વગરના થઇ ગયા છે. સરકારી ડોકટર માત્ર દેખાવ ખાતર આંટાફેરા કરી એકાદ પશુની ચકાસણી રવાના થઇ જતા હોવાનો સુર પણ માલધારીઓમાં ફેલાયો હતો. આ રોગની ખાનગી દવાખાનામાંથી ઇલાજ કરાવવું એ આ વિસ્તારના માલધારીઓને પોશાય તેમ નથી તેમજ દવા ઘણી મોંઘી છે. બીજી તરફ સ્થાનિક વિસ્તારમાં આ દવા કયાંય પણ ઉપલબધ નથી. પશુઓમાં તાત્કાલીક ધોરણે રસીકરણ કરાવવું જાેઇએ તેમજ રાજય સરકારે ટીમો મોકલાવીને તાત્કાલી અસરથી આ પ્રશ્નને ગંભીરતાથી લઇ મોંઘેરા પશુઓને બચાવવા જાેઇએ તેવો સુર સ્થાનિકે ઉઠયો છે. આ અંગે પશુ ચિકિત્સક જગદીશભાઇ સાથે વાત કરતા તેમણે વિશેષ વિગતો આપતા જણાવ્યું હતું કે, લખપત તાલુકામાં છેલ્લા થોડા દિવસથી કાઉપોક્સ નામની બિમારી પશુધનમાં માથું ઉંચકયુ છે અને તે વધુ પ્રસરી રહી છે ત્યારે વેક્સિન મંગાવી લેવાઇ છે અને છેલ્લા બે દિવસથી છેવાડાના ગામોમાં રસીકરણ શરૂ કરાયું છે. કૈયારી ગામમાં બિમારી કંટ્રોલમાં છે અને કપુરાશી ગામમાં રવિવારે બપોર બાદ રસીકરણ માટે ગયા હોવાની વાત કરી હતી.લખપત તાલુકાના મુખ્ય ચિકિત્સક ડો. ભાવીક રાજન સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, લખપતના કપુરાશી, કૈયારી જેવા ગામોમાં રોગ દેખાતા સારવાર શરૂ કરી દેવાઇ છે, તેમને રસીકરણ કરી શકાય તેમ નથી. જાે કે, આસપાસના ગામડાઓમાં રસીકરણ કરાયું છે જેથી રોગ પ્રસરે તો તે ગામના પશુને લાગુ ન પડે અને પશુધન સ્વસ્થ રહી શકે.વધુ વાંચો -
રાપરના ગામોમાં બે માસથી પાણીની તંગીથી ભારે હાલાકી
- 21, મે 2022 01:30 AM
- 8358 comments
- 7385 Views
રાપર, રાપર તાલુકાના ભીમદેવકા જૂથ ગ્રામ પંચાયત હેઠળ આવતી આસપાસની ૮ જેટલી વાંઢમાં અને ગામમાં છેલ્લા બે માસથી પાણીની સમસ્યા સર્જાઈ છે. ઉનાળાના દિવસોમાં પાણીની વિશેષ જરૂરિયાત રહેતી હોય છે ત્યારે અહીં પાણી મળતું બંધ થઈ જતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. ગત વર્ષે કુંભારીયા પાણી યોજના દ્વારા નવી લાઈન મારફતે શરૂ થયેલું પાણી છેલ્લા બે માસથી બંધ થઈ ગયું છે. જેના કારણે સેંકડો મહિલાઓને પાણી મેળવવા રઝળપાટ કરવી પડી રહી છે.ગામના ટાંકામાં તળિયે પડેલું પાણી લેવા મહિલાઓ ભીડ લગાવી રહી છે. પાણી સમસ્યા નિવારવા ગામના સરપંચ બાલુબેન સુરાણીએ પાણી પુરવઠા કચેરી અને સંબધિત એજન્સી સમક્ષ અનેક રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવી શક્યો નથી. રાપરના ભીમદેવકા ગામમાં ગત વર્ષે અમલમાં આવેલી કુંભારીયા વોટર સપ્લાય યોજના ૮ માસ વ્યવસ્થિત ચાલ્યા બાદ હવે બે માસથી બંધ પડી ગઈ છે. જર્જરિત અને જામ થયેલી પાઈપલાઈનનું સમારકામ પણ કરવામાં આવતું નથી. આ વિશેની ફરિયાદ પાણી પુરવઠા અને સંબધિત એજન્સી સમક્ષ કરવામાં આવી હોવાનું સરપંચના પુત્ર અરવિંદ સુરાણીએ જણાવ્યું હતું. અધિકારી વર્ગનું કહેવું છે કે મોટર દ્વારા તમારા ગામને પાણી પહોંચી રહ્યું છે તો પછી પાણી જાય છે ક્યાં? એ ખબર પડતી નથી. ગ્રામલોકો હવે ગામ છોડીને હિજરત કરે તે પહેલાં પાણી સમસ્યા હલ કરવામાં આવે તે જરૂરી બન્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.નાના અંગીયા પાસે પાણીના એરવાલ્વને ટ્રેલરે ટક્કર મારતા ભંગાણ થતાં મોટા પ્રમાણમાં પાણીનો બગાડ નખત્રાણા, નખત્રાણા ભુજ હાઇવે પર નાના અંગિયાના શિવમ પાટીયા પાસેના હાઇવે નજીક પસાર થતી પાણીની મુખ્ય પાઇપ લાઈનના એરવાલ્વમાં અજાણ્યા ટ્રેલર ચાલકે અકસ્માતે ટક્કર મારતા ભંગાણ સર્જાયું હતું. જેના કારણે એરવાલ્વમાંથી હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. ઉનાળામાં એક તરફ જિલ્લાના અનેક સ્થળે પાણીની તંગી વર્તાઈ રહી છે. તો બીજી તરફ યેનકેન આ પ્રકારે વિવિધ સ્થળે એરવાલ્વમાં ભંગાળ સર્જાતા કિંમતી પાણીનો વ્યય થઈ રહ્યો છે. નખત્રાણાથી ચારેક કિલોમીટરના અંતરે આવેલા શિવમ પાટીયા પાસે ધોરીમાર્ગ નર્મદા પાણીનું વહન કરતી પાણીની લાઈનને નુકસાન પહોંચ્યું હતું. જેના કારણે કલાકો સુધીમાં હજારો લીટર પાણી રસ્તા ઉપર વહી નીકળયા હતા અને પાણીનો બગાડ થયો હતો. કોઈ અજાણ્યા ટ્રેલરની નર્મદા લાઈનના એરવાલવમાં અથડામણ થવાથી એરવાલ્વને નુક્સાન થતાં ભંગાણ સર્જાયુ હતું. જેના કારણે પાણીનો વ્યય થયો હતો. પાણીની તંગી ભોગવતા વિસ્તારમાં પાણી માટે લોકો, પશુ , પંખીઓ તરસી રહ્યા છે. ત્યારે આ રીતે નુકસાન થવાથી અમૂલ્ય પાણીનો વેડફાટ થયો હોવાના કારણે સ્થાનિકોમાં કચવાતની લાગણી ફેલાઇ હતી. ઉલ્લેખનીય છે કે, સંબધિત તંત્ર દ્વારા કચ્છની ધોરી નસ સમી પાણીની મુખ્ય લાઈનમાં યોગ્ય સંભાળના અભાવે વારંવાર ભંગાણ સર્જાતું રહે છે અને અનેક લીટર પાણી વેડફાતું જાય છે.વધુ વાંચો -
હળવદમાં મૃત્યુ પામેલા મૃતકોના અંતિમ સંસ્કાર કરાયા ઃ વેપારીઓ અડધો દિવસ બંધ પાળશે
- 20, મે 2022 01:30 AM
- 3578 comments
- 3796 Views
હળવદ, હળવદ ગોઝારી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોની અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. હળવદ ખાતે ૮ મૃતકોના અગ્નિ સંસ્કાર કરાયા તેમજ એક બાળકની દફનવિધિ કરાઈ છે. અન્ય ૩ લોકોના અગ્નિ સંસ્કાર કચ્છના કુંભારીયા ગામ ખાતે કરવામાં આવ્યા હતા. હળવદની ગોઝારી ઘટનામાં કારખાનાની દિવાલ ધરાશાયી થતાં ૧૨ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. આ ઘટનામાં મોતને ભેટેલા ૨૪ વર્ષના શીતલબેન દિલીપભાઇના પેટમાં સાડા સાત માસનો ગર્ભ હતો. આ ગર્ભવતી મહિલા સહિતના એક જ પરિવારના છ લોકોના મોતથી પરિવારમાં આક્રંદ છવાયો હતો. તેમજ એકી સાથે ગામમાંથી આટલી મોટી સંખ્યામાં સ્મશાન યાત્રા નીકળતા સમગ્ર હળવદ પંથકમાં ગમગીની વ્યાપી ગઇ હતી. મોરબીના હળવદમાં મીઠાના કારખાનામાં દીવાલ પડતાં એક જ પરિવારના ૬ સહિત ૧૨ લોકોનાં મોત થયા હતા. હળવદ પંથક સહિત સમગ્ર ગુજરાતને હચમચાવતી ગોઝારી દુર્ઘટનામાં ૧૨ લોકોના મોત નિપજતા મૃતકોના પરિવારજનોના હૈયાફાટ આક્રંદથી કઠણ કાળજુ ધરાવતા લોકોનું પણ કાળજુ દ્રવી ઉઠ્યું છે. આ ઘટનાથી હળવદ પંથકમાં ઘેરો શોક વ્યાપી ગયો છે. ત્યારે હળવદના વેપારીઓ આજે અડધો દિવસ દુકાનો બંધ રાખી શોક પાળશે અને વેપારીઓ દ્વારા શોકસભા યોજી હતભાગીઓને શ્રદ્ધાંજલિ અપાશે.વધુ વાંચો -
પ્રાંથળમાં વન, પોલીસ અને ખાણ-ખનીજ તંત્ર મૂક પ્રેક્ષકની ભૂમિકામાં
- 20, મે 2022 01:30 AM
- 8966 comments
- 7146 Views
કચ્છ, ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક લાંબા સમયથી ગેરકાયદેસર પ્રવૃત્તિ ધીમેધીમે માઝા મૂકી રહી હોય તે રીતે ખનીજ માફિયાઓ હોય કે, બુટલેગરો કે પછી બીજા કોઈ ગોરખ ધંધાઓના કારણે દેશની સુરક્ષા સામે સવાલો ખડા થયા જેમા પછી વન તંત્ર હોય પોલીસ વિભાગ હોય કે પછી ખાણ ખનીજ ખાતું મૂક પ્રેક્ષકની ભૂમિકા નિભાવે છે કે, પછી ભ્રષ્ટાચારનો એરૂ આભડી ગયો હોય તેવું લાગી રહ્યું છે.પાકિસ્તાનની રાષ્ટ્રીય સરહદથી માત્ર પચાસ કિલોમીટર દૂર પ્રાથળના રાસાજી ગઢડા અને લોદ્રાણી નજીક સરહદની રક્ષા કરતા ડુંગરો ખુલ્લેઆમ ખોદાઈ રહ્યા છે, જેમાં આડી કે સીધી રીતે વનતંત્રની મીલીભગત હોય તેવું સૂત્રો જણાવી રહ્યા છે. રાસાજી ગઢડા અને નીલાગર મહાદેવ વચ્ચે આવેલા ડુંગરોમાં ખુલ્લેઆમ દૈનિક ૨૫થી ૩૦ ટ્રેકટરો વડે નજીકના બાલાસર, ગઢડા, લોદ્રાણી, જાટાવાડા, જિલ્લારવાંઢ અને છેક દેશલપર સુધી ધારના લાલ દેશી પથ્થરો પહોંચે છે. હાલે એક ટ્રેકટર પથ્થરના ૧૨૦૦થી ૧૫૦૦ લેવાય છે, જેમાં વનપાલ તરફથી એક ટ્રેકટર દીઠ બસો રૂપિયા ઉઘરાવાતા હોવાની ચર્ચાઓ પણ થઈ રહી છે.જાે કે, મહત્વની વાત એ છે કે, આ પથ્થરો કાઢવા માટે ત્યાં જાેરદાર ટોટા ફોડીને બ્લાસ્ટ કરાય છે ત્યારે સવાલ થાય છે કે, આવડા મોટા બ્લાસ્ટનો નીલાગરથી રાસાજી ગઢડા સુધી લોકો સાંભળી શકે છે તો શું વનપાલ કે, જંગલ ખાતાને નહીં સાંભળાતા હોય તેવા સવાલો સ્થાનિક લોકો દ્વારા ઉઠી રહ્યા છે. જાે આ પ્રકારે ખોદકામ જારી રહેશે તો સરહદની નજીક અડીખમ ઉભા રહેલા ડુંગરો થોડાક સમયમાં નામશેષ થઇ જશે. આ પ્રવૃત્તિના કારણે ઘુડખર, ચિકારા, રોજડા વગેરે કચ્છના નાના રણ તરફ પ્રયાણ કરી ગયા છે. તો આ જ રીતે જીરો બોર્ડર નજીક ખાનગી કંપની એમકેસી દ્વારા ચાલતા કામોમાં લોદ્રાણી, સીરાનીવાંઢ, ખડીરના અમરાપર સુધી રણ વિસ્તારમાં આવેલા ડુંગરો અને ધાર ખુલ્લેઆમ ખોદાઈ રહી છે, જેમાં રોજના દૈનિક ૨૦થી ૩૦ ડમ્પરો દ્વારા દેશી પથ્થર ઘડુલી-સાંતલપુર હાઇવે રોડ અને જીરો બોર્ડર ઉપર રોડના કામોમાં નખાઈ રહ્યા છે, તેમ છતાં પણ રાપરની ઉત્તર અને દક્ષિણ રેન્જ ફોરેસ્ટ વિભાગ મૂક પ્રેક્ષક બનીને જાેઈ રહ્યું છે. પ્રતિ ડમ્પરના મહિને ત્રણ હજાર અને ટ્રેકટરના બસો દીઠ મહિને લાખોની રોકડી કરાઈ રહી છે અને માત્ર અંગત સ્વાર્થના કારણે ખુલ્લેઆમ દેશની સુરક્ષામાં છીંડા પાડવામાં આવી રહ્યા છે.દેશની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આ પ્રકારના બ્લાસ્ટ કઈ રીતે ચલાવાઈ લેવાય તેવા પ્રશ્નો વચ્ચે રાહતની વાત એ છે કે, જયાં પથ્થરો બ્લાસ્ટ કરીને ખોદાઈ કરાય છે, તેની નજીક માત્ર ત્રણ કિલોમીટર દુર બીએસએફનો કેમ્પ છે. જેથી સાંજ પડતાં જ આવા ખનીજ માફિયાઓના પ્રવેશ પર અને રાત્રિના સમયે લાઈટ ચાલુ રાખવાની મનાઈ છે નહીંતર અહીં ગેરકાયદેસર પ્રવૃતિઓ રાત-દિવસ ધમધમે તેમ છે પરંતુ બીએસએફ કેમ્પ નજીક હોઈ જવાનો સાંજથી જ મોરચો સંભાળી લે છે અને કોઈ શખ્સ કે, સાધનને પ્રવેશ નથી અપાતો, જેના કારણે રાત્રિના ભાગે ટોટા નથી ફોડી શકાતા જેના કારણે વન્ય પશુ પ્રાણીઓ જેવા કે ઘુડખર, ચીંકારા, નીલગાય, મોર વગેરે આરામથી નિંદ્રા માણી શકે છે. આ બાબતે ગઢડા રેન્જના ફોરેસ્ટર મોહન પરમારનો સંપર્ક સાધતા તેમણે તપાસ કરવાનું કહ્યું હતું. તો લોદ્રાણી, રાસાજી ગઢડા, સહિત ઉત્તર રેન્જના આરએફઓ સી.કે. પટેલને ગઢડા નજીક કોઈ પથ્થરની લીઝ આવેલી છે, કે કેમ બાબતે જણાવ્યું હતું કે, આ સાઈડમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ લીઝ મંજૂર કરાઇ નથી..વધુ વાંચો -
ઘઉં એક્સપોર્ટ કરવા આવેલી ૫૦૦૦ ટ્રકો કંડલા પોર્ટમાં અટવાઈ
- 17, મે 2022 01:30 AM
- 5335 comments
- 3825 Views
ગાંધીધામ, મોદી સરકારે એક મોટો ર્નિણય લીધો છે. કેન્દ્ર સરકારે ઘઉંના નિકાસ પર શરતી પ્રતિબંધ મૂકી દીધો છે. ઘરેલૂ બજારમાં ઘઉંની વધતી જતી કિંમતોને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લેવામાં આવ્યો છે. પરંતુ આ કારણે કંડલા પોર્ટ પર સ્થિતિ વણસી ગઈ છે. કેન્દ્ર સરકારના ઘઉંની નિકાસ પર પ્રતિબંધ આપતા કંડલામાં ડામાડોળ સ્થિતિ જાેવા મળી છે. આશરે ૫૦૦૦થી વધુ ટ્રકો અને ટેલરના ગલીઓમાં લાઈનો લાગી ગઈ છે. કારણ કે, બે દિવસથી ઘઉંના હેન્ડલીંગની કામગીરી બંધ કરાઈ છે. ઘરેલૂ બજારમાં ઘઉંની વધતી જતી કિંમતોને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લેવામાં આવ્યો છે. સરકાર તરફથી તેનું એક નોટિફિકેશન પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. ઘઉંની વૈશ્વિક કિંમતોમાં અચાનક વધારો થયો છે, જેના પરિણામ સ્વરૂપે ભારતના પાડોશી દેશો અને અન્ય વિકાસશીલ દેશોની ખાદ્ય સુરક્ષા ખતરામાં દેખાઈ રહી છે. રશિયા અને યુક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ઘઉંની આંતરાષ્ટ્રીય કિંમતમાં લગભગ ૪૦ ટકાનો વધારો નોંધાયો છે. જેના કારણે ભારતમાંથી નિકાસ વધી ગઈ છે. માંગ વધવાથી સ્થાનિક સ્તરે ઘઉં અને લોટની કિંમતમાં ભારે વધારો જાેવા મળી રહ્યો છે. જાેકે, ઘઉંની નિકાસ અમુક શરતો સાથે ચાલું રહેશે. સરકારનો આ ર્નિણય પહેલાથી જ કરારબદ્ધ નિકાસ પર લાગુ થશે નહીં. કેન્દ્ર સરકારના નોટિફિકેશન બાદથી જ કંડલા પોર્ટ પર ઘઉં ભરેલી ગાડીઓનો ભરાવો થઈ ગયો છે. ટ્રક ટેલર ખાલી ન થતા ડ્રાઈવરમાં આક્રોશ જાેવા મળી રહ્યો છે. ડ્રાઈવર્સ અહી બે દિવસથી અટવાઈ પડ્યા છે. આ કારણે કંડલા ખાતે ડ્રાઈવરોએ પરિવહન પણ રોક્યુ છે. જેથી પોલીસે ઘટના સ્થળે મામલો થાળે પાડવાની કાર્યવાહી હાથ ધરવી પડી છે. કંડલા બંદરે બે દિવસથી ઘઉં હેન્ડલીંગની કામગીરી પણ બંધ કરાઈ છે. નોંધનીય છે કે, ઘઉંની ખરીદી માટે ન્યૂનતમ સમર્થન મૂલ્ય ૨,૦૧૫ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. દેશમાં ઘઉં અને લોટનો છૂટક ફુગાવો એપ્રિલમાં વધીને ૯.૫૯% થયો છે જે માર્ચમાં ૭.૭૭% હતો. આ વર્ષે ઘઉંની સરકારી ખરીદીમાં લગભગ ૫૫% ઘટાડો થયો છે કારણ કે ખુલ્લા બજારમાં ઘઉંની કિંમત સ્જીઁ કરતા ઘણી વધારે છે.ગાડીમાં લઇ જવાતા ૩૦ હજારના શંકાસ્પદ ઘઉં સાથે બે શખ્સ પકડાયા કંડલા મરિન પોલીસે ત્રણ દિવસ પહેલાં વાડામાંથી ૧.૭૨ લાખના શંકાસ્પદ ઘઉંના જથ્થા સાથે એકને પકડ્યા બાદ, આજે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે સર્કિટ હાઉસ સામે ડાલો ગાડીમાં લઇ જવાતા રૂ.૩૦ હજારની કિંમતના શંકાસ્પદ ઘઉંના જથ્થા સાથે બે જણાની અટક કરી કાયદેસર કાર્યવાહી કરી હતી. ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન ગુડ્સ સાઇડ પુલિયાથી ઓસ્લો સર્કલ તરફ ડાલો ગાડીમાં શંકાસ્પદ ઘઉંનો જથ્થો લઇ જવાઇ રહ્યો હોવાની બાતમીના આધારે ટાગોર રોડ પર સર્કિટ હાઉસ સામે વોચ ગોઠવી બાતમી મુજબની ગાડી આવતાં રોકી તે ગાડીમાં ભરેલા ઘઉંના કટ્ટાના આધાર પુરાવા મગાયા હતા જે તેમની પાસે ન હોતાં ભારતનગરની આશાપુરા સોસાયટીમાં રહેતા અતુલ ઉર્ફે અર્જુન દયારામભાઇ ભાનુશાલી અને કંડલા સર્વા ઝૂંપડામાં રહેતા ભગુ કાળુભાઇ કાલવેલ્યાની ચોરી કે છળકપટી મેળવેલા શંકાસ્પદ રૂ.૩૦,૬૦૦ ની કિંમતના ૧,૭૦૦ કિલોગ્રામ ઘઉંની ૩૪ બોરી જપ્ત કરી અટક કરી હતી.વધુ વાંચો -
રાજપુત કરણી સેનાની ગુજરાત પરિભ્રમણ એકતા યાત્રા
- 15, મે 2022 01:30 AM
- 6832 comments
- 5077 Views
ગુજરાતના સ્થાપના દિવસે ૧ મેના રોજ કચ્છ માતાના મઢથી શરૂ થયેલી રાજપુત કરણી સેનાની ગુજરાત પરિભ્રમણ એકતા યાત્રા આજે રાજકોટમાં પહોંચી હતી. જેમાં કરણી રથનું શહેરમાં આગમન થયું હતું અને માધાપરથી ગોંડલ રોડ ચોકડી સુધી કરણી સેનાની એકતાયાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં વિવિધ સંસ્થાઓ, સંગઠનો દ્વારા ઠેર-ઠેર તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫૦થી વધુ કાર જીપ, ટુ વ્હીલર અને અશ્વ સવારો જાેડાયા હતા.વધુ વાંચો -
નારાણપરના પ્રીતિ વરસાણી લંડનમાં મહારાણી સમક્ષ ઢોલીડા ઢોલ રે વગાડ રજૂ કરશે
- 15, મે 2022 01:30 AM
- 2112 comments
- 2412 Views
કચ્છ, લંડનના મહારાણી એલિઝાબેથને ગાદી સંભાળ્યે ૭૦ વર્ષ થતાં બ્રિટન શાહી ખાનદાન પ્લેટિનમ જ્યુબીલી વર્ષ મનાવી રહ્યું છે. આ નિમિત્તે ચાર દિવસના રંગારંગ કાર્યક્રમો યોજાશે જેમાં મૂળ નારાણપરના ગાયિકા ગુજરાતી ગરબાના સૂરો છેડશે. લંડન પેલેસમાં વિન્ડસર કેસલ ખાતે મૂળ ભુજ તાલુકાના નારાણપરના ગાયિકા પ્રીતિ વરસાણી ગુજરાતી ગીત “ઢોલીડા ઢોલ રે વગાડ મારે હિચ લેવી છે” એલિઝાબેથ સમક્ષ રજૂ કરશે. ચાર દિવસ ચાલનારા કાર્યક્રમમાં દુનિયાભરના ખ્યાતનામ એક હજાર કલાકારો કલાના કામણ પાથશે. બોલીવુડ પ્લેબેક સિંગર જાઝ ધામીનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મૂળ કચ્છના આ ગાયિકા, મ્યુઝીક પ્રોડ્યુસર પર્લ પટેલ અને કથક નૃત્યકાર મીરાં સલાટે વર્ષ ૨૦૧૬માં “ રંગીલું ગુજરાતના શિર્ષક તળે ગુજરાતમાંથી ૬૦ થી ૬૫ ઉમદા કલાકારોને લંડન બોલાવીને સંસ્કૃતિ અને કલા ના દર્શન કરાવ્યા હતા. , ત્યારબાદ ‘સૂર સંગમ’ સાથે રહીને અનેક સ્ટેજ પોગ્રમો અને વીડિયો આલ્બમ બનાવીને લંડનના ગુજરાતી સમાજના યુવા કલાકારોને પ્રોત્સાહિત કરી રહ્યા છે. ચાર દિવસ ચાલનાર આ કાર્યક્રમનું હોસ્ટ હોલિવુડના સુપર સ્ટાર ટોમ ક્રુઝ, હેલેન મિરેન કરશે. દેશ અને વિદેશોના અનેક નામી કલાકારો પોતાના દેશની સાંસ્કૃતિક કલાના દર્શન કરાવશે. અંતિમ દિવસે રવિવારે મહારાણી એલિઝાબેથ ઉપસ્થિત રહેશે. અનેક ચેનલો કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરશે.વધુ વાંચો -
ટ્રાફિક જામઃ અમદાવાદ-કચ્છ હાઈવે પર અકસ્માતથી કલાકો સુધી અનેક વાહનો ફસાયા
- 10, મે 2022 01:30 AM
- 289 comments
- 9245 Views
રાજકોટ,અકસ્માતને કારણે અમદાવાદ-કચ્છ હાઈવે પર લગભગ ૩૪ કલાક સુધી અનેક વાહનો ટ્રાફિકમાં ફસાયા હતા. ઉલ્લેખનીય છે કે આ ટ્રાફિક જામમાં સેંકડોની સંખ્યામાં વાહનો ફસાઈ ગયા હતા જેમાં ખાનગી અને સરકારી બસો પણ સામેલ હતી. નોંધનીય છે કે રવિવારે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ આખરે આ રસ્તો ખાલી થયો હતો અને વાહનો આગળ વધી શક્યા હતા. ઉલ્લેખનીય છે કે બે ટેન્કર અને ત્રણ ટ્રકોને ઓવરબ્રિજ પરથી ઉપાડવાને કારણે આ રસ્તો સાફ થઈ શક્યો હતો, નહીં તો આ ટ્રાફિક હજી લાંબા સમય સુધી રહેતો. સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધા પાસે આવેલા હરિપાર ગામ પાસે આવેલા ટુ-લેન રેલવે ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો હોવાને કારણે સમગ્ર સ્થિતિ સર્જાઈ હતી. ટેન્કરમાં મેથાનોલ હોવાને કારણે અકસ્માત પછી આગ લાગી ગઈ હતી, જેના કારણે ઘટનાસ્થળે જ ડ્રાઈવરનું કરુણ નિધન થયુ હતું. આટલુ જ નહીં, સ્થિતિ ત્યારે વધારે બગડી ગઈ જ્યારે રવિવારના રોજ માલવણ ટોલ પ્લાઝા પાસે ત્રણ ટ્રકો એકબીજા સાથે ટકરાઈ ગઈ હતી. એક અકસ્માત શનિવારના રોજ થયો અને પછી બીજાે રવિવારના રોજ થયો, જેના કારણે ટ્રાફિક વધારે થઈ ગયો. નાના વાહનોની વાત કરીએ તો, સેંકડોની સંખ્યામાં કારોએ ગામડાઓનો રસ્તો પસંદ કરી લીધો હતો. કારચાલકો ગામડાઓમાંથી પસાર થઈને નીકળી ગયા હતા, પરંતુ ભારે અને મોટા વાહનો માટે કોઈ અન્ય વિકલ્પ જ નહોતો. કચ્છ તરફથી આવતા વાહનોએ સુરેન્દ્રનગર તરફ જતો રસ્તો પકડ્યો હતો. પરિણામે સુરેન્દ્રનગર શહેરમાં પણ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. દ્રાંગધ્રા અને વિરમગામની વચ્ચેના લગભગ ૩૦થી ૩૫ કિલોમીટરના પટ્ટામાં મોટાભાગના વાહનો ફસાઈ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ હાઈવે પર ટ્રક અને અન્ય મોટા અને ભારે વાહનોની ઘણી અવરજવર હોય છે. મોટાભાગના આ વાહનો કંડલા અને મુંદ્રા પોર્ટ તરફ જઈ રહ્યા હોય છે. ટ્રાફિકમાં વધારો ન થાય તે માટે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા કચ્છથી ઉપડતી તમામ બસોને રાજકોટ-અમદાવાદ હાઈવે પર ડાઈવર્ટ કરી હતી. ઉલ્લેખનીય છે કે જ્યાં અકસ્માત સર્જાયો હતો તે ઓવરબ્રિજ ફોર-લેન હાઈવે પર ટુ-લેન સ્ટ્રેચ છે, અને અહીં અકસ્માતોની સંખ્યા પણ વધારે છે.વધુ વાંચો -
લખપતમાં ઘાસચારાની સરકાર સમક્ષ કોંગ્રેસના આગેવાનોએ માંગણી કરી
- 10, મે 2022 01:30 AM
- 313 comments
- 3537 Views
કચ્છ ઉનાળાની કાળઝાળ ગરમીને કારણે લોકો પરેશાન છે ત્યારે પશુઓની દશા વધુ કફોડી બની છે. ત્યારે લખપત તાલુકામાં ઘાસચારાની તિવ્ર અછત છે તેમજ સીમાડાઓમાં પણ પશુઓના ચરિયાણ માટે ઘાસચારો નથી. ત્યારે તાલુકા શાસક પક્ષના નેતા પી.સી. ગઢવીની આગેવાની હેઠળ પ્રાણપર (ઘડુલી), કૈયારી, બરંદા સહિતના સ્થળોએ વનવિભાગના ઘાસ ગોડાઉનની મુલાકાત લઇ તેમાં રહેલા ઘાસના જથ્થાની માહિતી મેળવી હતી.અને જણાવ્યું હતું કે વનતંત્રના વિવિધ ઘાસ ગોડાઉનોમાં ૩,૮૩,૦૦૦ કિલો ઘાસનો સંગ્રહાયેલો જથ્થો પડયો છે. ત્યારે જાે તંત્ર દ્વારા આ ઘાસનું રાહત દરે માલધારીઓને વિતરણ કરવામાં આવે તો પશુઓ માટે ઉપયોગી બનશે અને તે ૧૫ દિવસ સુધી ચાલે તેમ છે.આ રજૂઆત તાલુકા કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ દ્વારા જિલ્લા કલેકટર સમક્ષ કરવામાં આવશે. જિ.પં. સદસ્ય મામદ જુંગ જત, દિનેશભાઈ સથવારા, રાણુભા સોઢા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, વન વિભાગના આર.એફ.ઓ. હાજર રહ્યા હતા.વધુ વાંચો -
જખૌના ઇબ્રાહિમશા પીર બેટ પાસેથી કેફી દ્રવ્યના વધુ બે પેકેટ મળી આવ્યા
- 08, મે 2022 01:30 AM
- 3014 comments
- 6037 Views
કચ્છ, અતિ સંવેદનશીલ સરહદી કચ્છની દરિયાઇ સીમાં પર છેલ્લા બે માસથી વધુ સમય થયો ફેફી દ્રવ્યો મળવાનો સિલસિલો જારી રહ્યો છે જેમાં જખૌના ઇબ્રાહીમશા પીર બેટ પાસેથી ડ્રગ્સના વધુ બે પેકેટ બીએસએફની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળી આવ્યા હતા. બુધવારે લક્કી પાસે આવેલા કુંડી બેટ પાસેથી ચરસના ૮ પેકેટ મળી આવ્યા બાદ બીજા જ દિવસે સઘન પેટ્રોલિંગ કરી રહેલી બીએસએફની ટીમને ઇબ્રાહિમશા પીર બેટ પાસેથી વધુ બે પેકેટ ડ્રગ્સના મળી આવ્યા હતા. દરીયાઇ સીમા પર સતત મળી રહેલા નશીલા પદાર્થને ધ્યાને રાખી બીએસએફ દ્વારા હાલ સઘન પેટ્રોલિંગ કરી રહ્યું છે. આજે બીએસએફની ૧૦૨ મી બટાલિયન પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન ઇબ્રાહીમશા ટાપુર પરથી વધુ બે પેકેટ મળી આવ્યા હતા. ભારત અને પાકિસ્તાનની એજન્સીઓ સતત પાછળ પડી હોવાને કારણે ડ્રગ્સ માફિયાઓ પેકેટ દરિયામાં ફેંકતા હોવાની હકીકત છે. હાથો હાથ માલ સપ્લાય કરવામાં જાેખમ હોવાને કારણે આ માફિયાઓ હવે ટાપુ ઉપર માલ મુકી જતા હોવાનું જાણવા મળી રહ્યું છે.વધુ વાંચો -
ભચાઉના શિકરા પાસે વારંવાર અકસ્માત થતા લોકોમાં રોષ, ચક્કાજામનો પ્રયાસ
- 07, મે 2022 01:30 AM
- 4402 comments
- 9507 Views
ભચાઉ ભચાઉ-ભુજ વાયા દુધઈ ધોરમાર્ગ પર શિકરા ગામ નજીક ભયજનક ગોળાઈના કારણે અવાર-નવાર જીવલેણ અકસ્માત થતા રહે છે. જેના નિવારણ અંગે સ્થાનિક આગેવાનો દ્વારા તંત્ર સમક્ષ અનેક રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી તેનો કોઇ ઉકેલ ના આવતા આજે શુક્રવારે સવારે એકલ મંદિરના મહંત દેવનાથ બાપુ અને કુંભારડી ગામના સરપંચની રાહબરી હેઠળ ચક્કાજામનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ વેળાએ સ્થાનિક પોલીસ દ્વારા સમજાવટના પ્રયાસો હાથ ધરાયા હતા. આ દરમિયાન જિલ્લા ભજપ પ્રમુખ કેશુ પટેલ પસાર થતા તેમણે યોગ્ય કરવાની ખાતરી આપતા આંદોલન સમેટાઇ ગયું હતું. આ વિશે કુંભારડી ગામના સરપંચ દેવસી રબારીએ જણાવ્યું હતું કે, ભચાઉ-ભુજ રાજ્ય ધોરીમાર્ગ પરના કાગેશ્વર મહાદેવ મંદિર પાસે, ટોલટેક્ષ બાજુમા ભયંકર ગોલાઈ હોવાના કારણે વારંવાર જીવલેણ અકસ્માત થતા હોય છે. ભચાઉથી મોરગર સુધીનો માર્ગ બિસ્માર હાલતમાં પણ હોવાથી અહીં નાના-મોટા અકસ્માત થતા રહે છે. આ બાબતે અનેક વખત કુભારડી ગામના લોકોએ તંત્ર સમક્ષ રજૂઆતો કરી છે. પરંતુ વહીવટી તંત્રે આજ દિવસ સુધી કોઈ ધ્યાન આપ્યું નથી. જેના સંદર્ભે આજે માર્ગ પર ચક્કાજામ કરવો પડ્યો હતો. આ વેળાએ એકલધામ મંદિરના મહંત યોગી દેવનાથ બાપુ તેમજ આસપાસ લોકો જાેડાયા હતા. વિશેષ ચક્કાજામ શરૂ થતાની સાથે જ ભાજપ જિલ્લા પ્રમુખ કેશુ પટેલ અહીંથી પસાર થતા તેમણે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી. જેથી આંદોલન સમેટાય ગયું હતું.વધુ વાંચો -
જખૌ વિસ્તારમાં મીઠા ઉદ્યોગના ઓવરલોડ વાહનોનું ભારે દુષણ
- 07, મે 2022 01:30 AM
- 2357 comments
- 8118 Views
કચ્છ, કચ્છમાં માથાના દુઃખાવા સમાન ઓવારલોડ વાહનોના દુષણ વચ્ચે જખૌ વિસ્તારમાં મીઠાના ઉદ્યોગોમાંથી આવતા ઓવરલોડ વાહનોને જાણે છૂટોદોર મળી ગયો હોય તેમ માર્ગ પર ઠેર-ઠેર મીઠાના ઢગલા પડ્યા છે તેમ છતાં આરટીઓ તંત્રએ ચૂપકિદી સેવી લીધી છે. અબડાસા તાલુકાના જખૌ દરિયાઈ વિસ્તારમાંથી નમકનું પરિવહન મુન્દ્રા અને કંડલા પોર્ટ ખાતે થાય છે. ઓવરલોડ મીઠુ ભરીને નીકળતી મસમોટી ટ્રકો અંદાજે ૧૩૦ કિ.મી.નું અંતર કાપીને મુન્દ્રા અને કંડલા પોર્ટ પહોંચે છે તેમ છતાં કોઈપણ જાતની તપાસ ન કરાતાં વહીવટી તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. આરટીઓ દ્વારા માર્ચ એન્ડિંગ સમયે મોટા ઉપાડે ઝુંબેશ આદરી હતી, જેના પગલે થોડાક સમય માટે ઓવરલોડનું દુષણ બંધ રહ્યા બાદ ફરી ચાલુ થઈ ગયું છે. જાણકારોના મતે જાે અબડાસા તાલુકાના હાઇવે ઉપર આવેલા ચેક પોઈન્ટ ઉપર સીસીટીવી લગાડવામાં આવે તો સાચી હકીકત બહાર આવે તેમ છે. અબડાસા તાલુકામાં ખાસ કરીને જખૌથી લઇને કોઠારા, કનકપર પંથકમાં સિંચાઇ આધારીત ખેતી છે ત્યારે જખૌથી મુન્દ્રા તેમજ કંડલા પોર્ટ તરફ જતા મીઠું ભરેલા ઓવરલોડ વાહનોના પગલે રસ્તા પર નમક ઢોળાય છે. ખાસ કરીને જખૌ, લાલા, સિંધોડી, વાંકું, કોઠારા, નલિયા સહિતના ગામોના માર્ગ પરથી ઓવરલોડ વાહનોના કારણે રોડ ટચ ખેતી વિષયક જમીન બંજર બની જતી હોવાની રાવ ખેડૂતો દ્વારા ઉઠી રહી છે.વધુમાં એક સમયે રોડ ટચ જમીનનો ભાવ આસમાને પહોંચી ગયો હતો પરંતુ વર્તમાન પરિસ્થિતિ નજરે બંજર જમીનમાં પાક નિષ્ફળ જાય છે અને જમીનના વેચાણ સમયે પણ પૂરતા ભાવ ન મળતાં ખેડૂતોની મુશ્કેલી વધી ગઇ છે. ખાવડાથી કંડલા સુધી મીઠાના ઓવરલોડ વાહનોનું પરિવહન છેલ્લા દોઢ માસથી થઇ રહ્યું છે, જે અંગે સ્થાનિક આર.ટી.ઓ. તંત્ર દ્વારા ચેકપોઇન્ટ પર કડક પહેરો ગોઠવી દેવાયો તો ટ્રક-ટ્રેલરો ચોર રસ્તેથી પસાર થવાનું શરૂ કર્યું હતું. કોંગ્રેસી આગેવાનો દ્વારા જનતા રેડની ચિમકી પણ ઉચ્ચારાઇ હતી. જાે કે હવે સમગ્ર મામલો આર.ટી.ઓ. કમિશનર પાસે પહોંચ્યો છે. બે માસ પહેલા જિલ્લા આર.ટી.ઓ. તંત્રને કોંગ્રેસી નગરસેવક એમ. જે. પંખેરીયા અને પ્રતિનિધિ મંડળે મીઠાનું ઓવરલોડ પરીવહન બંધ કરાવવા રજૂઆત કરી હતી, જાે કોઇ નક્કર કાર્યવાહી નહી થાય તો જનતા રેડની ચિમકી પણ ઉચ્ચારાઇ હતી. બે માસ સુધી આર.ટી.ઓ. તંત્ર દ્વારા કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ તેમના તરફથી કરાયો છે અને હવે સમગ્ર મામલો આર.ટી.ઓ. કમિશનર સુધી પહોંચયો છે. લાખો રૂપિયાની સરકારી દંડની વસૂલાતને બદલે ઓવરલોડ પરીવહન પર મીઠી નજર રાખવામાં આવતી હોવાનો આક્ષેપ કરી આર.ટી.ઓ. તંત્રને કરાયેલી રજૂઆત તેમજ ઇન્સ્પેકટરોને કરાયેલા ફોન અને ઓવરલોડ વાહનોની માહિતી અંગે આર.ટી.ઓ. કમિશનરને પત્ર લખી કડક કાર્યવાહી કરી મીઠાના પરીવહનને કારણે થતા અકસ્માતોને રોકવા રજૂઆત કરવામાં આવી હતીવધુ વાંચો -
લખપતના દરિયાઈ ક્રિક વિસ્તારમાંથી બીએસએફને ચરસના વધુ આઠ પેકેટ મળ્યાં
- 05, મે 2022 01:30 AM
- 7400 comments
- 196 Views
કચ્છ, કચ્છની પશ્ચિમી સરહદે આવેલા દરિયાઈ ક્રિક વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં માદક પદાર્થના પેકેટ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી બિન વારસી હાલતમાં ચરસના પેકેટ સતત મળી રહ્યા છે. ત્યારે આજે લખપતના કોટેશ્વર નજીકની લકી ક્રિક પાસેના દરિયાઈ વિસ્તારમાંથી બીએસએફની ટુકડીને વધુ ૮ જેટલા માદક પદાર્થના પેકેટ મળી આવ્યા હતા. પેટ્રોલિંગ દરમિયાન જાેવા મળતા પેકેટને હસ્તગત કરી વધુ તપાસ માટે નારાયણ સરોવર પોલીસ મથકે સોંપવામાં આવશે. દેશની આંતરરાષ્ટ્રીય સરહદ પરના જિલ્લાના પશ્ચિમી દરિયાઈ વિસ્તારમાં લગાતાર માદક પદાર્થના પેકેટ વિવિધ સલામતી દળોને અને એજન્સીને મળતા રહ્યા છે. ગઈકાલે પણ અબડાસાના પિંગલેશ્વર પાસેના કડુલી દરિયા કિનારેથી મરીન કમાન્ડોને શંકાસ્પદ ૧૦ પેકેટ મળી આવ્યા હતા. તેમજ એક સપ્તાહ પહેલા પાકિસ્તાની બોટ મારફતે લઈ આવવામાં આવી રહેલો ૫૬ કિલો ડ્રગનો જથ્થો અને ૯ પાક.આરોપી ઝડપાયા હતા.વધુ વાંચો -
કચ્છના એકમાત્ર વિવિધલક્ષી ચિકિત્સાલય ખાતે તબીબો અને કર્મચારી સહિતના સ્ટાફની અછત
- 01, મે 2022 01:30 AM
- 8530 comments
- 8204 Views
કચ્છ, કચ્છમાં માનવ વસતી કરતા પશુઓની વસતી વિશેષ છે. જેના કારણે દર વર્ષે હજારો પશુઓ વિવિધ રોગ અને અકસ્માતના ઈલાજ માટે અહીંના પશુ સારવાર કેન્દ્રો તેમજ જિલ્લા વિવિધલક્ષી પશુ ચિકિત્સાલય ખાતે સારવાર લેતા હોય છે. ત્યારે જિલ્લાના એકમાત્ર વિવિધલક્ષી ચિકિત્સાલય ખાતે તબીબો અને કર્મચારી સહિતના સ્ટાફની અછત છે. તેમજ સંશાધનોની પણ અછત છે. ચિકિત્સાલયને જાે યોગ્ય રીતે અપગ્રેડ કરવામાં આવે તો કચ્છના પશુઓની ઉત્તમ સારવાર થઈ શકે તેમ છે. ખેતીવાડી બાદ પશુપાલન જ્યાં સૌથી મોટો વ્યવસાય છે તેવા કચ્છ જિલ્લામાં સરકારી આંકડા મુજબ ૨૦ લાખ જેટલા પશુઓ આવેલા છે. તો જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પશુ સારવાર કેન્દ્ર ઉપરાંત જિલ્લાના મુખ્યમથક ભુજમાં જિલ્લાનું એકમાત્ર વિવિધલક્ષી પશુ ચિકિત્સાલય આવેલું છે. દર વર્ષે અંદાજે ૧૦ હજાર જેટલા પશુઓ આ ચિકિત્સાલય ખાતે સારવાર લે છે.૧૯૯૦માં બનેલી આ વેટરનરી પોલીક્લિનિક ખાતે મદદનીશ નિયામક અને તબીબ સહિત ૧૨ લોકોનું મહેકમ છે પણ તેની સામે હાલ માત્ર ત્રણથી ચાર લોકોની જ જગ્યા ભરેલી છે. છેલ્લા પાંચ વર્ષોમાં ભુજ અને જિલ્લાના અન્ય શહેરોમાં ઘરમાં શ્વાન અને બિલાડી જેવા પશુઓ પાળવાનો ટ્રેન્ડ પણ વધ્યો છે ત્યારે આ ક્લિનિક ખાતે રોજ મોટી સંખ્યામાં આવા નાના પશુઓની સારવાર કરવામાં આવે છે. આ સારવાર કેન્દ્રમાં વર્ષ ૨૦૧૦માં નવું ખરીદાયેલું એક્સ રે મશીન આજે ડાર્ક રૂમ ન હોવાના કારણે ધૂળ ખાઈ રહ્યું છે, તો સાથે જ તે મશીનને ઓપરેટ કરી શકે તેવા ટેકનીશિયનની જગ્યા પણ ચિકુત્સયલમાં છેલ્લા લાંબા સમયથી ખાલી પડી છે.વધુ વાંચો -
લાલપરી માછલી પકડવાની આડમાં ડ્રગ્સ લવાતું હતું
- 27, એપ્રીલ 2022 01:30 AM
- 6039 comments
- 7141 Views
અમદાવાદ, કચ્છના જખૌ દરિયામાંથી ૨૮૦ કરોડની કિંમતના હેરોઈનના જથ્થા સાથે રવિવારે ૯ આરોપીને ગુજરાત એટીએસ અને ઈન્ડિયન કોસ્ટગાર્ડની ટીમે ઝડપી પાડ્યા હતા. બાદમાં આરોપીની પુછપરછ દરમિયાન લાલ માછલી પકડવાના બહાને ડ્રગ્સનો વેપલો ચલાવવા માટે આવ્યા હોવાનુ સામે આવ્યુ હતુ. જાે કે આરોપીઓ પહેલા તો લાલપરી માછલી પકડવા જ આવ્યા હોવાનુ રટણ કરી રહ્યા છે, અત્રે ઉલ્લેખનીય છે કે, આવનાર સમયમાં આ ડ્રગ્સ કેસમાં મસમોટા ખુલ્લાસા થાય તેવી પુરેપુરી સંભાવના સેરવાઈ રહી છે.કચ્છના જખૌ દરિયામાંથી ૨૮૦ કરોડની કિંમતનું ૫૬ કિલો હેરોઈનના જથ્થા સાથે ૯ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. સાથે જ અલ-હજ નામની પાકિસ્તાની બોટમાં તમામ આરોપીઓ સવાર થઈને ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કર્યો હોવાથી એટીએસ અને ઈન્ડિયન કોસ્ટગાર્ડની ટીમે પાકિસ્તાની બોટ અને ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી આરોપીની પુછપરછ હાથધરી હતી. જાે કે પ્રાથમિક પુછપરછમાં આરોપીઓ દરિયામાં લાલ પરી નામની માછલીનો શિકાર કરવા માટે પાકિસ્તાનથી આવ્યા હોવાનુ જણાવી રહ્યા હતા. જાે કે ડ્રગ્સ અંગે પુછપરછ કરતા આરોપીઓ કંઈ જણાવી રહ્યા નથી, જેના પગલે હવે આરોપીઓના રીમાન્ડ મેળવી વધુ પુછપરછ હાથધરવામાં આવશે. જાે કે પુછપરછ દરમિયાન મસમોટા ખુલ્લાસાઓ થાય તો નવાઈની વાત નથી, અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૬૦૦ કિલોમીટર લાબો દરિયાઈ વિસ્તાર અવાર નવાર ડ્રગ્સ માફિયાઓ માટે હબ બની ગયુ છે જેટલી વખત કોસ્ટગાર્ડ, એટીએસ સહિતની એજન્સીઓએ ડ્રગ્સ સાથે આરોપીઓને ઝડપ્યા છે તેટલી વખત તેઓ માછલીનો શિકાર કરવા માટે આવ્યા હોવાનુ અને પોતે માછીમાર હોવાનુ જ રટણ કરી રહ્યા હોય છે. ૧૪ નોટીકલ માઈલ અંદર બોટ પકવા માટે ૨૦૦ રાઉન્ડ ફાયરીંગ બાતમીના આધારે એટીએસ અને ઈન્ડિયન કોસ્ટગાર્ડની ટીમે સંયુક્ત ઓપરેશન હાથધરીને ૧૪ નોટીકલ માઈલ જળસીમાની અંદર જઈને પાકિસ્તાની અહ-હજ નામની બોટને ઉભી રાખવાનુ જણાવ્યુ હતુ. જાે કે પકડાઈ જવાના ડરના કારણે આરોપીઓએ બોટ પૂરપાટ ઝડપે હંકારવાનુ શરૂ કરી દીધી હતી. આ દરમિયાન અહ-હજ નામની બોટને રોકવા માટે એક-બે નહીં ૨૦૦ રાઉન્ડ વોર્નિંગ ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. જેના કારણે અહ-હજ બોટ ઉભી રહી હતી બાદમાં એટીએસ અને ઈન્ડિયન કોસ્ટગાર્ડની ટીમે બોટમાં સર્ચ ઓપરેશન હાથ ધરી ડ્રગ્સનો પર્દાફાશ કર્યો હતો. ત્રણ આરોપીઓને નાની મોટી ઈજાઓ થવા પામી હતી ગુપ્ત સુત્રોથી મળતી માહિતી અનુસાર જ્યારે એટીએસ અને ઈન્ડિયન કોસ્ટગાર્ડની બોટ જાેઈ ત્યારે અહહજ બોટ ભાગવાનો પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાન તેમને રોકવા માટે ૨૦૦ રાઉન્ડ વોર્નિંગ ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ જેમાં ત્રણ જેટલા પકડાયેલા આરોપીને નાની મોટી ઈજાઓ થવા પામી હતી, જાે કે આ તમામ આરોપીઓની પુછપરછ કરી બાદમાં તેમની સારવાર કરાવવામાં પણ આવી હોવાનુ સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.વધુ વાંચો -
સુપર સ્પે. હોસ્પિટલનું ઈ-લોકાર્પણ કરતાં મોદી
- 16, એપ્રીલ 2022 01:30 AM
- 9431 comments
- 5998 Views
ભૂજ, ભુજના મુન્દ્રા રોડ પર આવેલા શનિ મંદિર નજીક અંદાજિત ૧૫૦ કરોડના ખર્ચે આકાર પામેલી ૨૦૦ બેડની કેકે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું આજે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું ..કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી અને જિલ્લાના પદાધિકારીઓ, દાતા પરિવાર, સ્વામિનારાયણ મંદિરના સંતો અને લોકોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના શુભેચ્છા સંદેશની શરૂઆત જય સ્વામિનારાયણ બોલીને કચ્છી ભાષામાં ‘કિ આઈ યો “ એમ પૂછીને કરી હતી. . તેમણે કચ્છી લેવા પટેલ સમાજ, હોસ્પિટલના દાતા પરિવાર અને ટ્રસ્ટીમંડળને પણ આ સેવાકાર્ય બદલ ધન્યવાદ પાઠવ્યા હતા. મોદીએ જણાવ્યું હતું કે કચ્છની એક વિશેષતા છે કે તમે ગમે ત્યાં જાઓ અને ગમે તેને મળો, તમે ખાલી કચ્છી કહો એટલે પછી કોઈ તમને પૂછે નહિ કે તમે કયા ગામના છો કે કયા વિસ્તારના છો, તમે તરત ત્યાંના થઈ જાઓ. હવે કચ્છનો ક, કર્તૃત્વના ક તરીકે ઓળખાય એવી રીતે તમે પગલાં ભરી રહ્યા છો. કોઈને પણ જ્યારે મુસીબતના સમયે આપણે મળ્યા હોય ત્યારે તેની સાથેનો નાતો એકદમ અતૂટ બની જતો હોય છે. કચ્છમાં ભૂકંપના સમયે જે સ્થિતિ હતી એ પરિસ્થિતિમાં મારો તમારી સાથે એક અતૂટ નાતો જાેડાઈ ગયો હતો. એનું જ પરિણામ છે કે ના હું કચ્છ છોડી શકું કે ના કચ્છ મને છોડી શકે. કચ્છની જનતાને વર્ષોથી જેની પ્રતીક્ષા હતી એ અદ્યતન આરોગ્ય સુવિધા હવે ભુજ ખાતે ઉપલબ્ધ બની છે, જેનો સીધો ફાયદો ગંભીર બીમારી વખતે બહાર જતા દર્દીઓને સ્થાનિકે મળી રહેશે. તાકીદના સમયે દર્દીઓને અમદાવાદ અને રાજકોટ સુધી ધક્કા ખાવા પડતા હતા, જેમાં હવે રાહત મળશે. અમદાવાદની સિમ્સ હોસ્પિટલના સંચાલન હેઠળ આ હોસ્પિટલ કચ્છની આરોગ્ય સેવામાં પ્રથમ સુવિધા સાબિત થશે, એમ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું.મુખ્યમંત્રીએ ૩૬ એમ્બ્યુલન્સને લીલીઝંડી આપી મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલના હસ્તે જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે કુલ ૩૬ આરોગ્ય એમ્બ્યુલન્સને લીલીઝંડી આપી નાગરિકોની સેવામાં અર્પણ કરવામાં આવી હતી. આ અંગે જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, વિવિધ ગ્રાન્ટો પૈકી ૧૫માં નાણાપંચની રૂ.૩.૦૨ કરોડની ૨૧, રૂ.૧ કરોડની ડીએમએફ ગ્રાન્ટની ૭, વિકાસશીલ તાલુકાની ગ્રાન્ટમાંથી રૂ.૮૫.૮૧ લાખની પાંચ અને અબડાસા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બે તેમજ માંડવી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ૧ થઇને રૂ.૪૩.૧૫ લાખની ૩ આરોગ્ય એમ્બ્યુલન્સ થઇ કુલ ૩૬ એમ્બ્યુલન્સ રૂ.૦૫.૩૧ કરોડના ખર્ચે જિલ્લા પંચાયત દ્વારા ખરીદવામાં આવી છે.વધુ વાંચો -
રણકાંધીમાં ખનીજ ચોરી કરતા ૪૧ ડમ્પર જપ્ત
- 15, માર્ચ 2022 01:30 AM
- 3409 comments
- 7790 Views
કચ્છ , પ્રતિબંધિત ગણાય છે અને જ્યા સરળતાથી લોકોને પ્રવેશ મળતો નથી. તેવા રણકાંધીના વિસ્તારમાં ગેરકાયદે રીતે ઓવરલોડ ખનીજ ભરેલા વાહનોનું પરિવહન થતું હોવાની બાતમીના આધારે પશ્ચિમ કચ્છ એલસીબી,ખાણ ખનીજ વિભાગ અને આરટીઓની ટીમેહકાર્યવાહી કરીને એકસાથે ૪૧ ડમ્પરો ઝડપી લીધા છે.ઓવરલોડ અને ખનીજચોરીના દુષણ સામે સરકારી વિભાગોની સંયુક્ત તવાઈથી ગેરપ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.આ અંગેની વિગતો મુજબ,લાંબા સમયથી ખાવડાના સરહદી વિસ્તારમાં ઓવરલોડ ટ્રકો ચાલતી હોવાની ફરીયાદ મળતા આ દુષણને અટકાવવા માટે સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી.પોલીસ અધીક્ષક સૌરભ સિંધ દ્વારા પશ્ચિમ કચ્છ જિલ્લામાં થતી ગેરકાદેસર ખનીજ ચોરી તેમજ ઓવરલોડ વાહનોની અવર-જવર અટકાવવા આપેલ સુચના અન્વયે એલ.સી.બી. ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એચ.એમ.ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા ત્યારે ઇન્ડીયાબ્રીજ ચેક પોસ્ટ પાસે પહોચતા ખાવડા તરફથી પત્થરો(લાઇમ સ્ટોન) તથા કપચી (બ્લેક ટ્રેપ) ભરેલ ડમ્પરો આવતા જે ડમ્પરો રોકાવી આધાર-પુરાવાની માંગણી કરાઈ હતી.ઓવરલોડ પરિવહન હોવાથી ૪૧ ડમ્પર ઝડપી પડાયા હતા.પશ્ચિમ કચ્છ ભૂસ્તરશાસ્ત્રી યોગેશ મહેતાએ જણાવ્યું કે,લાંબા સમયથી ફરિયાદો મળી હતી. જેથી પ્લાનિંગ કરીને સયુંકત રીતે કાર્યવાહી કરવામાં આવી છે.સિઝ કરાયેલા ૪૧ ડમ્પરમાં નોર્મલ લાઇમસ્ટોન અને બ્લેકટ્રેપ ભરેલા હતા. ખાવડા વિસ્તારમાં આવેલી લિઝમાંથી તે ભરાયા હતા.રોયલ્ટી અને પાસ પરમીટ વગર પરિવહન કરવામાં આવતા તમામ ૪૧ ડમ્પરો સિઝ કરીને ધર્મશાળા બીએસએફ કેમ્પ ખાતે રાખી તેની કસ્ટડી ખાવડા પોલીસને સોંપવામાં આવી છે. એક ડમ્પરમાં દોઢ થી બે લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે જેથી ૮૦ લાખ થી ૧ કરોડ રૂપિયાનો દંડની વસુલાત કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે,કચ્છના પ્રતિબંધીત વિસ્તારમાં કામો શરૂ થઇ જતા હવે લોકોની ચહલ-પહલ વધી છે. પરંતુ વિકાસની સાથે હવે દુષણનો પણ પગપેસારો થયો છે અને ઓવરલોડ વાહનો અહીં ચાલી રહેલા કામમાં દોડી રહ્યા છે. એકસાથે જે ૪૧ ડમ્પરો સિઝ કરવામાં આવ્યા છે.તેમાં ભરેલું ખનીજ અહીં ચાલી રહેલા રોડના કામમાં વપરાતું હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે.જાહેર રસ્તાઓ તો ઠીક પરંતુ જ્યાં લોંખડી સુરક્ષાની તૈનાતી છે. તેવા વિસ્તારમાં પણ ડર વગર થતી આવી પ્રવૃતી જાેખમી છે.પશ્ચિમ કચ્છ એલસીબીના પીઆઇ હાર્દિકસિંહ ગોહિલ,ખાણખનીજ અધિકારી યોગેશ મહેતાની ટીમે બોલાવેલો સપાટો કાબીલેદાદ છે.પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી યોગેશ મહેતાએ જણાવ્યું કે, સ્થળ પરથી ૪૧ ડમ્પરો સિઝ કરવામાં આવ્યા છે. ડમ્પરોમાં ભરેલ નોર્મલ લાઇમસ્ટોન અને બ્લેકટ્રેપ ખનિજ કઇ લિઝમાંથી ભરવામાં આવ્યું છે તેની તપાસણી કરવામાં આવશે તેમજ આ લિઝની માપણી કરીને ખનીજચોરી કરાઇ છે કે કેમ તેની તપાસ કરી ગેરરીતી જણાઈ આવશે તો દંડકીય કાર્યવાહી કરવામાં આવશે.વધુ વાંચો -
મીઠીરોહરના ગોદામમાંથી ૧૦.૯૮ લાખના ઘઉંની છેતરપિંડી કરનાર ૫ ઇસમોની ધરકપકડ
- 07, ફેબ્રુઆરી 2022 01:30 AM
- 3384 comments
- 6887 Views
ગાંધીધામ,ગાંધીધામના મીઠીરોહરના ગોદામમાંથી રૂ.૧૦.૯૮ લાખના ઘઉં ભરી ડમ્પર રેઢા મુકી છેતરપિંડી કરનાર ૫ ઇસમોને બી-ડિવિઝન પોલીસે પકડી લઇ તમામ મુદ્દામાલ રિકવર કર્યો હતો. આ બાબતે બી-ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, મીઠીરોહર નજીક આવેલા આર.એ. ગોડાઉન નંબર – ૩ માંથી રૂ.૧૦,૯૮,૦૮૫ ની કિંમતનો ૪૫.૧૨૦ મેટ્રિક ટન ઘઉનો જથ્થો ભરી નિકળેલા ત્રણ ડમ્પરનો જથ્થો નિયત જગ્યાએ ન પહોંચાડી ડમ્પર બિનવારસુ મુકી વિશ્વાસઘાત કરાયો હોવાની ફરિયાદ શ્રીનાથજી વર્લ્ડ વાઇડ પ્રા.લિ. કંપનીના સુપરવાઇઝર રાજેશ નારાયણદાસ શર્માએ બી-ડિવિઝન પોલીસ મથકે તા.૨૫/૧ ના નોંધાવી હતી.આ ફરિયાદ નોંધાયા બાદ પીઆઇ કે.પી.સાગઠીયાએ આરોપીઓને પકડવા અલગ અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા હતા. તે દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસની મદદથી મળેલી બાતમીના આધારે છેતરપીંડીથી ગયેલ મુદ્દામાલના ગુનાને ગણતરીના સમયમાં ઉકેલી આરોપીઓને પકડી પાડી સંપુર્ણ મુદ્દામાલ રિકવર કરતી ગાંધીધામ બી ડીવીઝન પોલીસજુના કંડલાના ગુલામ અલી કોરેજા, તુણાના હાસમ કાતિયાર , જુના કંડલાના અબ્બાસ નોતિયાર, માંડવીના ઢીંઢ રહેતા આસિફ અદ્રેમાન સુમરા અને માંડવીના મસ્કા રહેતા અંકિત રાબડીયાને પકડી લઇ છેતરપિંડીથી મેળવેલો ઘઉંનો રૂ.૧૦.૯૮ લાખની કિંમતનો ૪૫.૧૨૦ મેટ્રિક ટન જથ્થો રિકવર કરી ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી લીધો હતો.વધુ વાંચો -
કચ્છ કોંગી અગ્રણીઓ - કલાકારોનો કાફલો ભાજપમાં
- 03, ફેબ્રુઆરી 2022 01:30 AM
- 1587 comments
- 2350 Views
ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે વિવિધ જ્ઞાતિ સમાજ અને અન્ય રાજકીય પક્ષના નેતાઓ આગેવાનો રાજકીય પક્ષોમાં જાેડાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતી કલાકારોએ પણ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના હાથે કેસરીયો ખેસ પહેરીને ભાજપમાં પ્રવેશ કર્યો હતો. જેમા ભૂતપૂર્વ નાણા મંત્રી અને કોંગ્રેસના સિનિયર નેતા બાબુભાઈ શાહની પુત્રી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓએ આજે કમલમ્ ખાતે કેસરીયો ખેસ પહેર્યો હતો.વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષોમાં અવરજવર વધી રહી છે. ત્યારે આજે કોંગ્રેસના પીઢ નેતા અને પૂર્વ નાણા મંત્રીની પુત્રી સહિતના કોંગ્રેસના અગ્રણીઓ, કલા જગતના કલાકારો અને ગુજરાતી ફિલ્મની અભિનેત્રી સહિતનાએ કેસરિયો ખેસ પહેરીને ભાજપમાં જાેડાયા હતા. પ્રદેશ ભાજપ કાર્યાલય “શ્રી કમલમ“ ખાતે કચ્છના કોંગ્રેસના આગેવાનો અને ગુજરાત કલા જગતના નામાકિંત કલાકારો આજે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તથા પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં ભાજપમાં જાેડાયા હતા. જેમાં પૂર્વ નાણા મંત્રી બાબુ મેઘજી શાહના પુત્રી જાગૃતિ શાહ કે જેઓ કચ્છના પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અને મહિલા કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ રહી ચૂકયા છે. તેમજ પૂર્વ નાણા મંત્રી બાબુ મેઘજી શાહના પુત્ર ગૌતમ શાહ તથા કચ્છ જિલ્લા પૂર્વ મહામંત્રી યુવરાજસિંહ લીંબાડ, કોંગ્રેસ શહેરના પૂર્વ મહામંત્રી વિજય વઢવાણા સહિત ૪૪ જેટલા કાર્યકરો ભાજપમાં જાેડાયા હતા. આ ઉપરાંત કલાકાર જગતના જાણીતા કલાકારોમાં ભક્તિ કુબાવત, મમતા સોની, જાણીતા અભિનેત્રી ફાલ્ગુની રાવલ, કામિની પટેલ, હેમાંગ દવે, હેતલ ઠક્કર, સની કુમાર, પ્રશાત બારોટ, જ્યોતિ શર્મા જાેડાયા હતા. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આઝાદી પછી પ્રથમ વખત ખેડા સહકારી બેન્ક લી.ના જીતેલા તમામ ઉમેદવારો સાથે મુલાકાત કરી શુભાકામના પાઠવી અને ખેડૂતોના હિતમાં ર્નિણય લેવા જણાવ્યું હતું. ખેડા જિલ્લા સહકારી બેંક લી. ની ચૂંટણીમાં ૧૭ બેઠક પૈકી ૯ બેઠક પર ભાજપ ઉમેદવારોની જીત અને ૪ બેઠકો પર ઉમેદવારની બિનહરીફ જીત સાથે કુલ ૧૩ બેઠક ભાજપ પ્રેરિત પેનલે જીત મેળવી ઇતિહાસ રચ્યો છે. જયારે પ્રદેશના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ તમામ કાર્યકરોને પક્ષમાં આવકારતા જણાવ્યું હતું કે, જાગૃતિબેનનું કચ્છ અને રાપર વિસ્તારના વિકાસમાં મોટુ યોગદાન છે અને પક્ષમાં તેમનું સ્વાગત છે. જાગૃતિબેન જેવા મહિલા આગેવાન રાપર જેવા વિસ્તારમાં પણ જિલ્લા પંચાયતમાં ચૂંટાઇને આવ્યા હોય ત્યારે તેઓ ભાજપમાં જાેડાતા હોય ત્યારે ચોક્કસ ભાજપ સંગઠનને પણ તેમની શક્તિનો લાભ મળશે. વાઘેલાએ જણાવ્યું હતું કે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના નેતૃત્વમાં પાર્ટી મજબૂત થઇ રહી છે. અમારી પાર્ટી કાર્યકર્તાઓની પાર્ટી છે.વધુ વાંચો -
કચ્છે વિકાસની હરણફાળ ભરી છે ઃ મંત્રી કિર્તીસિંહ
- 28, જાન્યુઆરી 2022 01:30 AM
- 4033 comments
- 6822 Views
ભુજ, જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે જિલ્લા કક્ષાના ૭૩માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજયમંત્રી કિર્તીસિંહ વાઘેલાના હસ્તે રાષ્ટ્ર ધ્વજને સલામી અર્પીને કરવામાં આવી હતી. લાલન કોલેજ ભુજ ખાતે આન બાન શાનપૂર્વક રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને વિવિધ સાત પ્લાટુનની સલામી સાથે મનાવાએલા ગણતંત્ર પર્વમાં નામી અનામી શહીદો, સ્વાતંત્ર્યવીરો અને દેશભકતો તેમજ ભૂકંપપીડિતોને ભાવભીની ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજયમંત્રી કિર્તીસિંહ વાઘેલાએ, કચ્છની ખમીરવંતી પ્રજાને ૭૩માં પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, દેશના સ્વાતંત્ર્ય અને પ્રજાસત્તાક સાથે જાેડાએલા તમામનું સમર્પણ મહાન, ઉત્કૃષ્ટ અને અમુલ્ય હતું. દેશના સ્વાતંત્રવીરો અને શહિદોને આ પર્વે નતમસ્તક વંદન કરું છું.આ પ્રસંગે મંત્રીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ભારતને ભવ્ય બનાવવા માટે આપણા સૌના લોકલાડિલા માન.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશ અત્યારે વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર બની વણથંભ્યો વિકાસ સાધી રહયો છે. પ્રવર્તમાન કોરોના મહામારી વચ્ચે વિશ્વનાં સૌથી મોટા રસીકરણ અભિયાન અંતર્ગત દેશમાં અત્યાર સુધીમાં ૧૬૦ કરોડથી વધુ વેકસિનેશન ડોઝ આપવામાં આવ્યા છે.તેમણે આ તકે વધુમાં જણાવ્યું હતું કે, વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે આપણા દેશે વિશ્વનાં અનેક દેશોને કોરોના સામેની રસી ઉપલબ્ધ કરાવી છે. રાજયના પ્રજાવત્સલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની નેતૃત્વવાળી સરકારે તાજેતરમાં જ સુશાસનના ૧૨૧ દિવસ પૂર્ણ કરી લોકાભિમૂખ વહીવટનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડયું છે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજય સરકારની જનસેવાની આ પરિશ્રમ યાત્રા અવિરતપણે આગળ વધી રહી છે. આર્ત્મનિભર ગુજરાતથી આર્ત્મનિભર ભારતનાં લક્ષ્યને સાકાર કરવા સર્વાંગી વિકાસની દિશામાં ગુજરાત રાજય સમગ્ર દેશમાં અગ્રેસર રહયું છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતએ દેશ માટે ગ્રોથ એન્જિન છે. કચ્છ જિલ્લાની વાત કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે, કચ્છ એ ગુજરાતનો વિકસિત જિલ્લો છે. તમામ ક્ષેત્રે કચ્છ ઝડપભેર વિકાસની હરણફાળ ભરી રહયું છે. કચ્છ એ ભારતનું સિંગાપુર બને તે દિશામાં પ્રગતિ કરી રહયું છે. તાજેતરમાં જ માન.મુખ્યમંત્રી દ્વારા નર્મદાના વહી જતાં વધારાના એક મીલીયન એકર ફીટ પાણીનો જથ્થો કચ્છ પ્રદેશને ફાળવવાની રૂ.૪૩૬૯ કરોડની યોજનાને વહીવટી મંજુરી આપવામાં આવી છે. આ વધારાના પાણીના ઉપયોગ માટે કુલ ૩૩૭.૯૮ કિલોમીટરની લંબાઇની પાઇપ લાઇન દ્વારા ૪ લિંકનું આયોજન કરાયું છે. કચ્છના ધરતીપુત્રોને જરૂરિયાત મુજબ સિંચાઇનું પાણી મળી રહે તે હેતુથી આવી પાઇપલાઇન મારફતે ૩૮ જેટલી નાની તથા મધ્યમ સિંચાઈ યોજનાઓમાં આ પાણી નાખવાનું રાજ્યના જળસંપત્તિ વિભાગનું આયોજન છે.કચ્છ જેવા પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રે પણ અનેક ઉજળી તકો રહેલી છે. પ્રવાસન માટે હવે કચ્છ જિલ્લો મોખરાનું સ્થાન મેળવી રહ્યો છે ત્યારે કચ્છના પ્રસિદ્ધ ધોળાવીરાને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેઝ સાઈટમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત લખપત, માતાના મઢ, જેસલ-તોરલ મંદિર, પુંઅરેશ્વર મંદિર, નારાયણ સરોવર, કોટેશ્વર અને થાન જાગીર જેવા પ્રવાસન ક્ષેત્રોને વિકસાવવા માટે અનેક પ્રોજેકટ હેઠળ કાર્યો ચાલી રહ્યા છે. આ તકે મંત્રીએ ૨૬મી જાન્યુઆરી ઈ.સ.૨૦૦૧માં આવેલ વિનાશક ભૂકંપમાં હતભાગી થનાર પુણ્યાત્માઓને શ્રધ્ધાસુમન પાઠવ્યા હતા.વધુ વાંચો -
માંડવી બીચ પર પેરાગ્લાઇડિંગ કરતો યુવક ૨૫ ફૂટ ઊંચેથી નીચે પટકાતા ગંભીર ઇજા
- 20, જાન્યુઆરી 2022 01:30 AM
- 6076 comments
- 865 Views
કચ્છ, માંડવી બીચ પર પેરાગ્લાઇડિંગમાં ૨૫ ફૂટ ઊંચેથી ભુજનો યુવાન નીચે પટકાયો હતો. અચાનક ગાડીને બ્રેક મારી બંધ કરતાં દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારે હવે ચાલક સામે ગુનો નોંધાયો છે. ચાલકની બેદરકારીને કારણે ૨૫ ફૂટથી નીચે પટકાતાં ઇજાગ્રસ્ત થયો હતો. ગાડીચાલક વિરુદ્ધ ૪ દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ૧૩ નવેમ્બરે કચ્છ કલેક્ટરે માંડવીમાં પેરાશૂટ બંધ કરવા માંડવી પોલીસેને આદેશ આપ્યો છતાં પોલીસે કોઈ પગલાં ના ભરતા આ અકસ્માત સર્જાયો હતા.ભુજના સંજાેગનગરમાં રહેતો યુવાન મકરસંક્રાંતિના દિવસે માંડવી બીચ પર ફરવા ગયો હતો. ત્યાં પેરાગ્લાડિંગની ગાડીમાં બેસીને ઉડાન કરી રહ્યો હતો ત્યારે ચાલકની બેદરકારીને કારણે ૨૫ ફૂટથી નીચે પટકાયો હતો. જેથી યુવક ઇજાગ્રસ્ત થયો હતો. ગાડીચાલક વિરુદ્ધ ૪ દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.માંડવી પોલીસ મથકમાં ભુજના તારીફ સલીમ બલોચ (ઉં.વ.૨૩)એ માંડવી બીચ પર પેરાગ્લાડિંગની ગાડી ચલાવતાં બ્લૂસ્ટાર વોટર પેરાશૂટના ગાડીચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ગાડીચાલકે ૨૫ ફૂટ ઊંચે પેરાશૂટ ઉડાડીને અચાનક ગાડીને બ્રેક મારી બંધ કરી દેતાં કોઇ સેફટીના સાધન ન હોવાને કારણે ફરિયાદી ઊંચેથી નીચે પટકાયો હતો. જેને કારણે તેને કમરના ભાગે ઇજા પહોંચી હતી. પેરાશૂટ બંધ કરવા કચ્છ કલેકટરે માંડવી પોલીસને ગત ૧૩ નવેમ્બર ૨૦૨૧ના લેખિત આદેશ આપ્યો હતો. તેમ છતાં માંડવી પોલીસે કોઇ જ દરકાર ન કરી, જેને કારણે અકસ્માત સર્જાયો હતો.વધુ વાંચો -
પોતે ભોગ બન્યા બાદ ૭ હજાર માનસિક દિવ્યાંગોની સુશ્રુષા કરી ઘર સુધી પહોંચાડ્યા
- 18, જાન્યુઆરી 2022 01:30 AM
- 1900 comments
- 8089 Views
ભચાઉ, અનેકવિધ સમસ્યાઓનો સામનો કરતા દયારામભાઈ બે દશકા પહેલા જ્યારે પોતે માનસિક વિક્ષિપ્ત થયા ત્યારે તેમને આ સ્થિતિની ગંભીરતાનો અંદાજાે આવ્યો અને આજે કચ્છમાં રહીને દરેક એવા વ્યક્તિને સહાયતા કરી રહ્યા છે, જે આવી પરિસ્થિતિમાંથી પસાર થાય છે. વાત એવા “પાગલપ્રેમી’ તરીકે જાણીતા થયેલા વ્યક્તિની કે જેણે ન માત્ર પોતે આ પરિસ્થિતિમાંથી બહાર આવ્યા પરંતુ અત્યાર સુધી મુંબઈની શ્રદ્ધા ફાઉન્ડેશનના સહયોગથી ૭ હજાર જેટલા માનસિક વિક્ષિપ્તોને સ્વગૃહે પહોંચાડી ચુક્યા છે.મુળ ભચાઉના જંગી ગામના દયારામ નાગજી મારાજનો ૧૯૯૮માં મુંબઈના મલાડમાં કપડાની ફેક્ટરીનો મોટો કારોબાર વિકસી રહ્યો હતો. પરંતુ સમયની કઠણાઈ અને એક મોટી પાર્ટીએ પગ પાછા ખેંચતા તે સમયના ૨૦લાખના દેણામાં તેવો આવી ગયા. ઘર બાર અને હતું તે તમામ વેંચીને તેમણે ૧૫ લાખનો ઉતાર્ય પરંતુ બાકી રહેલા ૫ લાખ તેમને સતત જંખતા રહ્યા અને તેના કારણે તેમણે માનસીક સંતુલન ગુમાવ્યું, ઘરેથી તેવો નિકળી જતા અને બે વર્ષ સુધી નાના ગાભાઓ ભેગા કરી, કલર મેચ કરીને તેનાથી કપડા બનાવીને આ કર્જ ઉતારીશ તેવી ટ્રીપમાં રાચ્યા રહેતા. દરમ્યાન તેમના પત્ની લક્ષ્મ્બેન દ્વારા સાળંગપુર લઈ જતા સમયે રસ્તામાંજ તેમની સ્વસ્થતા પાછી મળી અને પછીથી અત્યાર સુધી તેમણે માનસીક દિવ્યાંગો માટે જીવન સમર્પીત કરી દીધુ. પોતાના ભાઈને કારખાનું ચલાવવા આપીને તેવો અંજાર સ્થાપિત થયા, જ્યાં શરૂ કરેલી નાની દુકાનનું ઉદઘાટન પણ તેવો જેમને “પ્રભુજી’ કહે છે તેવા માનસીક દિવ્યાંગથી કરાવ્યું. મુંબઈના શ્રદ્ધાં ફાઉન્ડેશન અને હાલ ગાંધીધામના અપનાઘરમા સેવા આપી રહ્યા છે જેના થકી અત્યાર સુધી ૭ હજાર જેટલા લોકોને રસ્તા પરથી ઉઠાવીને સ્વાસ્થ્ય કેંદ્રોમાં અને ત્યાંથી તેના ઘરે પહોંચાડવાનું શ્રેય તેમના નામે સ્થાપિત છે. તેમનું કહેવું છે કે દરેક દેખાતા માનસીક દિવ્યાંગ વ્યક્તિમાં તેમને પોતાનો એટલે કે દયારામનો આભાસ થાય છે, જાે તેમના સહારે તે નહી પહોંચે તો દુર ભાગતા આજના સમાજના કોણ લોકો પહોંચશે?મુક્તક, કવિતાઓ થકી પણ પોતાની વાત કહેવાના આદી દયારામભાઈ પોતાની ભાષામાં કહે છે કે માસ્ક પહેરીને ફરતા કથીત ડાહ્યાનો ડર ગાંડા ઘેલાઓથી વધુ છે. શ્રદ્ધા ફાઉન્ડેશનના ડો. ભરત વટવાની, ડો. મીતા વટવાની, અને તેમના ગુરુજી યોગેશ્વરદેવ સ્વામીના માર્ગદર્શન અને સહયોગ તળે તેઓ આ સેવા કરી રહ્યાનું જણાવે છે. તેમણે ૨૦૦૭માં અમન ચેરીટેબલ ટ્રસ્ટ પણ બનાવ્યું જે તેમના દતક લીધેલા પુત્રના નામે છે, જેમાં કોઇ ડોનેશન લેવામાં આવતું નથી અને બેંક ખાતું પણ નથી.વધુ વાંચો -
નળ સરોવરમાં વિદેશી વિહંગો મહેમાન બન્યાં
- 28, ડિસેમ્બર 2021 01:30 AM
- 3178 comments
- 2090 Views
શિયાળાની મૌસમ જામી છે ત્યારે શિયાળો શરૂ થતાં નળ સરોવરમાં યાયાવર પક્ષીઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે. નળ સરોવર એ પક્ષી અભ્યારણ્ય છે જેમાં દેશ વિદેશથી અનેક પક્ષીઓ આવે છે. ખાસ કરીને શિયાળામાં પક્ષીઓના ટોળા અને ટોળા ઉમટી પડે છે. આ સમય પક્ષીઓના વિહાર માટે ઉત્તમ સમય પણ હોય છે તો બહારથી આવતા પક્ષીઓને જાેવા માટે અનેક સહેલાણીઓ પણ ઉમટી પડે છે. વહેલી સવારથી જ પ્રવાસીઓ યાયાવર પક્ષીઓને જાેવા માટે આવે છે.વધુ વાંચો -
દુધઇમાં દેશ વિરોધી નારા લાગ્યાં નથી પોલીસ
- 23, ડિસેમ્બર 2021 01:30 AM
- 7335 comments
- 3391 Views
કચ્છ, કચ્છના અંજાર તાલુકાના દુધઈ ગામમાં ચૂંટણીના વિજય સરઘસ દરમિયાન ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના કથિત નારા મામલે નવો વળાંક આવ્યો છે. પૂર્વ કચ્છ એસપી મયુર પાટીલે વાઈરલ વીડિયોની તપાસ બાદ કહ્યું છે કે, આ વીડિયોને ખોટી રીતે પ્રકાશિત કરાયો છે. વીડિયોમાં જે નારાઓ લાગી રહ્યા છે તે ‘રાધુભાઈ ઝિંદાબાદ’ના છે. વીડિયોનો ખોટી રીતે પ્રકાશિત કરનારની ઓળખ કરી કાર્યવાહી કરવામા આવશે.અંજાર તાલુકાના દુધઈ ગામમાં ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ વિજય સરઘસ યોજાયું હતું. જેમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લાગ્યા હોવાની વિગતો સાથે વીડિયો વાઈરલ થયો હતો. વાઈરલ વીડિયોની તપાસ માટે ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા તપાસન આદેશ આપવામા આવ્યા હતા. વીડિયોની તપાસ કર્યા બાદ કચ્છ પોલીસ દ્વારા ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારાઓ લાગ્યા હોવાનો ઈન્કાર કર્યો છે. વીડિયોનો ખોટી રીતે પ્રકાશિત કરાયો હોવાનો દાવો કરાયો છે. વીડિયોને ખોટી રીતે વાઈરલ કરનાર સામે પણ કાર્યવાહી કરાશે.વધુ વાંચો -
મોટરસાઇકલ રેલીનું પ્રસ્થાન
- 21, ડિસેમ્બર 2021 01:30 AM
- 5527 comments
- 349 Views
કચ્છ, ૭૫ ઇન્ફેન્ટરી બ્રિગેડના કમાન્ડર બ્રિગેડિયર સુધાંશુ શર્માએ ૨૦ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ સ્મૃતિવન સ્મારક ખાતેથી મોટરસાઇકલ રેલી ૨૦૨૧”ને ઝંડી બતાવીને તેનું પ્રયાણ કરાવ્યું હતું. ભારતની સ્વતંત્રતાના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે “આઝાદીનો અમૃત મહોત્સવ” ચાલી રહ્યો છે તેના ભાગરૂપે હીરો મોટોકોર્પ અને ભારત પેટ્રોલિયમના સહયોગથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.સીમા માર્ગ સંગઠનના ૧૦ બાઇકસવારો આ રેલીમાં ભાગ લઇ રહ્યાં છે. તેઓ ૨૫ ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં બાડમેર, બિકાનેર, અમૃતસર, ફિરોઝપુર થઇને અંતે દિલ્હી પહોંચશે અને છ દિવસના સમય દરમિયાન અંદાજે ૨,૪૦૦ કિલોમીટર કરતાં વધારે અંતર કાપશે. આ રેલીનું પ્રયાણ કરાવતા ૭૫ બ્રિગેડના કમાન્ડરે જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક વર્ષ છે અને સરહદી ક્ષેત્રોમાં જ્યાં કનેક્ટિવિટી અત્યંત નિર્ણાયક સ્થિતિમાં હોય છે ત્યાં દુર્ગમ તેમજ અંતરિયાળ વિસ્તારોમાં કામ કરતી વખતે સર્વોચ્ચ બલિદાન આપનારા આપણા સીમા માર્ગ સંગઠનના પીઢ સૈનિકોને યાદ કરવા માટે આપણા માટે મહત્વપૂર્ણ છે. તેમણે ઉમેર્યું હતું કે, લોકો સાથે જાેડાવા માટે અને સીમા માર્ગ સંગઠનના જુસ્સા તેમજ બલિદાન વિશે તેમને યાદ અપાવવા માટે આવા કાર્યક્રમો ખૂબ જ મહત્વના હોય છે. તેમણે તમામ સહભાગીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના સાહસની પ્રશંસા કરી હતી. કમાન્ડરે આ રેલીમાં સહકાર આપવા બદલ હીરો મોટોકોર્પ અને ભારત પેટ્રોલિયમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. આ રેલી કચ્છના રણના સરહદી વિસ્તારમાંથી પસાર થઇ ત્યારે લખપત કિલ્લાના વિસ્તારોમાં સરહદ પર તૈનાત સૈનિકો સાથે સંવાદ કરવાની તેમને તક પ્રાપ્ત થઇ હતી. બાઇકસવારોએ કોટેશ્વર મંદિરની મુલાકાત લીધી ત્યારે સમગ્ર માહોલમાં દેશભક્તિની ભાવના ફેલાઇ ગઇ હતી અને તેમણે ઉત્સાહપૂર્વક અહીં ઉપસ્થિત રહેલા સ્થાનિક લોકો સાથે સંવાદ કર્યો હતો તેમજ સીમા માર્ગ સંગઠનના જુસ્સા અને તેમણે આપેલા બલિદાન પર પ્રકાશ પાડ્યો હતો અને સીમા માર્ગ સંગઠનની અદમ્ય ભાવના બતાવી હતી. તેમણે યુવાનોને મ્ઇર્ંમાં કારકિર્દીનું ઘડતર કરવા માટે રહેલી તકો વિશે સમજાવીને તેમને પ્રતિષ્ઠિત સીમા માર્ગ સંગઠનમાં જાેડાવા માટે પ્રેરણા આપી હતી.આ રેલી બાડમેર, બિકાનેરના રણ વિસ્તારોમાંથી તેમજ અમૃતસર, ફિરોઝપુરના મેદાની પ્રદેશોમાંથી પસાર થઇને અંતે ૨૭ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ દેખની રાજધાની ખાતે તેનું સમાપન થશે.વધુ વાંચો -
ગાત્રો થિજાવી દેતી ઠંડી વચ્ચે ગિ૨ના૨ પર્વત પાંચ ડીગ્રી સાથે ઠંડોગાર
- 21, ડિસેમ્બર 2021 01:30 AM
- 9328 comments
- 9830 Views
રાજકોટ ગત સપ્તાહમાં ઠંડીએ થથ૨ાવ્યા બાદ આજે ચાલુ સપ્તાહની શરૂઆતમાં ઠંડીનું જાે૨ થોડું ઓછું થયું છે અને ઠે૨-ઠે૨ સવા૨ના તાપમાનનો પા૨ો ઉંચકાયો છે. જાે કે આજે સવા૨ે નલિયા, ડીસા, અને પાટણમાં સિંગલ ડિઝીટમાં તાપમાન નોંધાતા આ ત્રણ સ્થળે તીવ્ર ઠંડી અનુભવાઈ હતી. આજે સવા૨ે નલિયા ખાતે ૭.૧ ડીગ્રી, લધુતમ તાપમાન નોંધાયુ હતુ. આ ઉપ૨ાંત ૨ાજકોટમાં પણ આજે સવા૨ે ગત સપ્તાહની સ૨ખામણીમાં તાપમાન થોડુું ઉંચકાયુ હતુ અને આજે સવા૨ે ૨ાજકોટનું લધુતમ તાપમાન ૧૦.૬ ડીગ્રી નોંધાયુ હતુ. આ ઉપ૨ાંત આજે સવા૨ે અમદાવાદમાં ૧૧.૧ ડીગ્રી અમ૨ેલીમાં ૧૨.૪ ડીગ્રી, વડોદ૨ામાં ૧૧.૨, ભાવનગ૨માં ૧૨.૧, ભૂજમાં ૧૦.૪ ડીગ્રી લધુતમ તાપમાન નોંધાયુ હતુ. જયા૨ે સવા૨ે દમણ ખાતે ૧૫ ડીગ્રી, દિવમાં ૧૪.૫, દ્વા૨કામાં ૧૬.૪, જૂનાગઢમાં ૧૨.૪, કંડલામાં ૧૩.૩ ડીગ્રી લધુતમ તાપમાન નોંધાયુ હતુ.આજે સવા૨ે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી વિભાગ મોતી બાગના જણાવ્યા મુજબ જુનાગઢમાં મેક્સીમમ તાપમાન ૧૮.૨ ડીગ્રી મીનીમમ ૧૨.૪ ડીગ્રી નોંધાયુ છે. વાતાવ૨ણમાં ભેજ ૫૩ ટકા અને પવનની ગતિ ઘટી જવા પામતા પ્રતિકલાક ૨ કી.મી.ની ઝડપ નોંધાઈ છે. ગિ૨ના૨ પર્વત ઉપ૨ ઠંડીનો પા૨ો ૫ ડીગ્રી સુધી પહોંચતા ગિ૨ના૨ ઠંડોગા૨ થઈ જતાં પ્રવાસીઓ ૨ાજી પશુઓને ભા૨ે ઠંડીનો સામનો ક૨વો પડી ૨હ્યો છે. જયા૨ે, ઓખામાં ૧૯.૪, પો૨બંદ૨માં ૧૫ , સાસણગી૨માં ૧૬.૪, સેલવાસમાં ૧૫, સુ૨તમાં ૧૫ અને વે૨ાવળમાં ૧૬.૪ ડીગ્રી, લધુતમ તાપમાન નોંધાયુ હતુ. આમ આજ૨ોજ ગિ૨ના૨ પર્વત અને નલિયા, ડીસા તથા પાટણને બાદ ક૨તા અન્યત્ર સવા૨નું તપમાન ઉંચકાતા ઠંડીનું જાે૨ ઘટવા પામ્યુ હતુ.વધુ વાંચો -
૧૦૦ વર્ષ જૂના બોરડીના ઝાડ પર ૨૦થી ૨૨ હજાર ચકલીઓનો કલબલાટ
- 05, ડિસેમ્બર 2021 01:30 AM
- 9756 comments
- 1686 Views
ભુજ ભુજની જૂની લોહાણા મહાજનવાડી પાસે આવેલી વોકળા ફળિયાની મસ્જિદ સામે આશરે ૧૦૦ વર્ષ જૂનું બોરડીનું ઝાડ છે, જેમાં ૨૨ હજારથી વધુ ચકલીઓ જાેવા મળે છે. સમગ્ર કચ્છમાં એકમાત્ર આ જ એવું જુનું વૃક્ષ છે જેની લતાઓ પણ હવે જમીનને અડવા માંડી છે. જાે કે શેખપીર દરગાહ પાસેના બાવળના ઝાડ પર પણ ચકલીઓ વિપુલ પ્રમાણમાં જાેવા મળે છે. પરંતુ અહીંના ઝાડ જેટલી વિશાળ સંખ્યા સાથેની ચકલીઓ જિલ્લામાં બીજે ક્યાંય જાેવા મળે તેમ ના હોવાનું ડો. પૂર્વી ગોસ્વામીએ જણાવ્યું હતું. આ વિશે ૬૫ વર્ષીય મેમણ અબ્દુલ ગનીએ જણાવ્યું હતું કે સૂર્યોદય સમયે ચકલીઓ દેખાય છે અને પાછી સાંજે આવે ત્યારે આખો ફળિયો ગજાવી મૂકે છે. સાંજની ભરચક ભીડ વચ્ચે અનેક વાહનોના અવાજ વચ્ચે પણ વટેમાર્ગુ તેમના ચીંચીંનો ચિલકાટ સાંભળી શકતા હોય છે. વૃદ્ધ રમજુ બાયડે કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં જાણે ચકલીઓને પણ કોરોના થયો હોય તે રીતે તેમની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાયો હતો. આ સમયમાં આશરે બેથી અઢી હજાર ચકલીઓ ઘટી હોવાનું અનુમાન સ્થાનિકો લગાવી રહ્યા છે.આજના મકાનની બાંધકામમાં કોઈ ખૂણા ન હોવાને લીધે ચકલીઓને માળો બાંધવામાં મુશ્કેલી રહે છે. પરિણામે વસવાટના જંગી પ્રશ્ન સામે ચકલીઓની સંખ્યા શહેરોમાં ખૂબ ઓછી જાેવા મળે છે. પણ ભુજ શહેરની ભર બજારે આવેલા આ ઝાડ પર હજારોની સંખ્યામાં ચકલીઓ જાેઈ શકાય છે. મસ્જિદમાં નમાજ પઢવા આવેલા અબુભાઈ બાયડે કહ્યું હતું કે હું આ વૃક્ષ પર છેલ્લા સાત દાયકાથી ચકલીઓની ચીં ચીં સાંભળતો આવ્યો છું. એકમાત્ર આ ઝાડ પર વોકળા ફળિયાની કુલ વસ્તી કરતા વધુ ચકલીઓનો વસવાટ જાેવા મળે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે એક વ્યક્તિદીઠ એક ચકલીની વસ્તી એકલા આ વૃક્ષે જાળવી રાખી છે.વધુ વાંચો -
ભચાઉની મોટી ચિરઈ ગ્રામ પંચાયત ૭૫ વર્ષથી સમરસ પં.તરીકે આજે પણ અડગ
- 04, ડિસેમ્બર 2021 01:30 AM
- 7948 comments
- 7157 Views
ભૂજ, ભચાઉ તાલુકાના મોટી ચિરઈ ગામમાં લોકશાહી બાદ ઈ.સ. ૧૯૫૯ના અમલમાં આવેલા પંચાયતી રાજના વર્ષથી અત્યાર સુધી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી. આ ગામમાં પંચાયતની ચૂંટણી પહેલા જ સરપંચ , ઉપ સરપંચ અને સભ્યોની બિન હરીફ વરણી કરી દેવામાં આવે છે. આ માટે ગામની એકતા અને મૂળભૂત સુવિધાઓ યશભાગી બની રહી છે. આ વર્ષે પણ પંચાયતને ગ્રામજનો દ્વારા બિનહરિફ જાહેર કરી દેવામાં આવી છે. જેની સત્તાવાર જાહેરાત ફોર્મ પરત લેવાની તારીખ ૪ ડિસેમ્બર બાદ થશે. ભચાઉ ગાંધીધામ વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલા નવી મોટી ચિરઈ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા બેઠક મળી હતી. આ સર્વગ્રાહી બેઠકમાં દરેક સમાજના અગ્રણીના સર્વાનુમતે આ વખતે ગામની પંચાયતને બિન હરીફ જાહેર કરવામાં આવી છે. તેમજ હોદ્દેદારોની પણ નિમણૂક કરવામાં આવી હતી. જેમાં સરપંચ પદે હરપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને ઉપ સરપંચ તરીકે નરેન્દ્રસિંહ રઘુભા જાડેજાની વરણી કરવામાં આવી હતી. આ સિવાય અગ્રણીઓ દ્વારા પંચાયતના સભ્યો નીમવામાં આવ્યાં હતા. ભચાઉથી ૧૩ કિલોમીટર દૂર મૂળ મોટી ચિરઈ ગામથી ૪ કિલોમીટર દૂર ભુકંપ બાદ અસ્તિત્વમાં આવેલા નવી મોટી ચિરઈ ગામ ખાતે મળેલી બેઠકમાં આ જાહેરાત કરવામાં આવી હતી. અહીં બન્ને ગામની વાસહતોના તમામ સમાજના મળીને કુલ ૧૬૦૦ જેટલા મતદારો છે. ગામની કુલ વસ્તી અંદાજિત ૩ હજારની આસપાસ છે.વધુ વાંચો -
રાપરમાં ટ્રકચાલક ચક્કર ખાઈને જમીન પર ઢળી પડતા મોત
- 03, ડિસેમ્બર 2021 01:30 AM
- 1783 comments
- 6479 Views
ભુજ, પૂર્વ કચ્છના રાપરમાં ગુરૂવારે એક ટ્રકચાલકને હૃદયરોગનો હુમલો આવતા ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી. લઘુશંકા કરવા માટે ટ્રકને ઉભી રાખી નીચે ઉતરતાં જ હૃદયરોગનો હુમલો આવતાં ચાલક જમીનપર ઢળીપડ્યો હતો. આ બનાવનાપગલે ભારે ભીડ એકઠી થઈ જવાપામી હતી અને ચાલકને બચાવવાના પ્રયાસપણ હાથ ધરાયા હતા,પરંતુ હતભાગી ચાલકનો જીવ બચી શક્યો નહોતો.મળતી પ્રાથમિક માહિતી મુજબ રાપરના એસ.આર.પેટ્રોલપંપપાસે ત્રંબૌ ચાર રસ્તા નજીક ગાંધીધામ નિવાસી ગોવિંદ મહેશ્વરી નામનો ટ્રક ચાલક ટ્રક ઉભી રાખી લઘુશંકા કરવા નીચે ઉતર્યો હતો. જેને ટ્રકની નીચે ઉતરતાંની સાથે જ છાતીમાં દુખાવો થતાં તે ચક્કર ખાઈને જમીનપર ઢળીપડ્યો હતો. અચાનક ઢળીપડેલા ટ્રક ચાલકને જાેઈ આસપાસના લોકોપાસે દોડી આવ્યા હતા.પમ્પિંગ દ્વારા ચાલકનો જીવ બચાવવાના પ્રયાસો કરાયા હતા.પરંતુ તેમાં તેમને સફળતા નહોતી મળી.બાદમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ચાલકને સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. ઉલ્લેખનીય છે કે ગાંધીધામથી આવેલા ચાલકનાપરિજનો દ્વારા મૃતદેહનો કબ્જાે લઈ તેઓ ગાંધીધામ રવાના થયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. ગાંધીધામનો આ ચાલક ટ્રક મારફતે રાપરમાં માલ ખાલી કરવા આવ્યો હતો, જ્યાં તેનું હૃદયરોગના હુમલાથી મોત થતાં તેનાપરિવારમાં શોક વ્યાપી ગયો હતો.વધુ વાંચો -
કચ્છ પાસે પાકિસ્તાનને ફાળવેલી જમીન પર ચીન કંપનીના આંટાફેરા
- 30, નવેમ્બર 2021 01:30 AM
- 5362 comments
- 7723 Views
ભુજ, પાકિસ્તાનને વ્યૂહાત્મક રીતે દરેક રીતે મદદ કરી રહેલા ચીનને પાક. સરકારે કચ્છની સરહદ નજીક ચીનની કંપનીને ફાળવેલી જમીન પર દિવાળી ટાણે હિલચાલ દેખાઇ હતી. ભારતીય ગુપ્તચર એજન્સીનાં અમુક સૂત્રના અહેવાલ પ્રમાણે દલદલવાળી, ખરાબાની જમીન પર ચીનની કંપનીના અધિકારીઓએ મોટરકારના કાફલા સાથે આંટો માર્યો હતો અને આ કાદવયુક્ત જમીનની ચોમાસા પછી કેવી પરિસ્થિતિ છે એનું નિરીક્ષણ કર્યું હતું. ચોમાસા બાદ ઉત્તરાદી પવન ફૂંકાતાં આ જમીન પરનું પાણી સુકાવા લાગતું હોય છે. ચીનની કંપનીએ સંભવતઃ એને જ કયાસ કાઢ્યો હતો.જાેકે ત્રણ વર્ષ પૂર્વે પાકિસ્તાને ચીનની કંપનીને વિશાળ જમીન ફાળવી હતી પરંતુ ત્યાં હજુ સુધી કોઇ કામગીરી કરાઇ નથી. ચીની કંપની દક્ષિણ પાકિસ્તાનના આ દુર્ગમ વિસ્તારમાં શું કરવા માગે છે એ મુદ્દો સ્પષ્ટ થયો નથી. પાક. સાથેની આંતરરાષ્ટ્રીય સરહદના અંતિમ પિલર ૧૧૭૫થી માત્ર બાર-પંદર કિ.મી. દૂર દલદલવાળા વિશાળ જમીન ચીનને ફાળવીને આર્થિક રીતે કંગાલિયત ભોગવતું પાકિસ્તાન બદલામાં મબલક મદદ મેળવી રહ્યું છે.વધુ વાંચો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ