કચ્છ સમાચાર

  • ગુજરાત

    સ્વામીએ ખુલાસો આપતાં કહ્યું- હું તો લોકોની પરીક્ષા લેતો હતો

    ભુજ હાલમાં જ ભડકાઉ ભાષણ કરનાર મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે ગુજરાતમાં ત્રણ કેસ નોંધાયા છે. ત્યારે સ્વામીનારાયણ સંતોના વિવાદિત નિવેદનો પણ સતત ચર્ચામાં રહે છે. વિવાદિત નિવેદનો કર્યા બાદ સંતોને માફી માંગવાનો પણ વારો આવ્યો છે. ત્યારે હવે કચ્છમાં એક સ્વામીનારાયણ સંતે જાહેરમાં પાકિસ્તાનની જય બોલાવી હતી. જાેકે, પાકિસ્તાનની જય બોલાવીને તેમણે બાદમાં એક ખુલાસો કર્યો હતો. હાલ તેમનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાપરના ચિત્રોડ રોડ પર શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ આવેલી છે. તારીખ ૧૦ ફેબ્રુઆરીના રોજ અહીં પીએમ આવાસ યોજનના ઇ- લોકાર્પણ પ્રસંગ યોજાયો હતો. જેમાં ગુરુકુળના કેપી સ્વામી ઉપસ્થિત રહીને પ્રવચન આપ્યુ હતુ. પોતાના પ્રવચનના અંતે તેમણે ભારત માતા કી જય સાથે વિવિધ દેવી દેવતાઓનાં નામોની જય બોલાવી હતી. જેમાં લોકો પણ ઉત્સાહથી જય બોલાવી રહ્યા હતા. પરંતું એકાએક કેપી સ્વામીએ પાકિસ્તાનનું નામ લીધું હતું. તેથી ભૂલભૂલમાં લોકો પાકિસ્તાનની જય બોલી ગયા હતા. પરંતુ આ બાદ એકદમ શાંતિ છવાઈ હતી. લોકો બોલ્યા બાદ ખબર પડી કે, પાકિસ્તાનની જય બોલ્યા.આ બાદ તરત, સ્વામીએ કહ્યું હતું કે ભારતનું અનાજ ખાવો છો, ભારતની માટી ઉપર રહો છો અને પાકિસ્તાનની જય બોલાવતા શરમ ના આવી તમને? આમ, સ્વામીના જયઘોષ બોલવતો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    મૌલાના મુફ્તિ સલમાન અઝહરીના ભચાઉ કોર્ટે જામીન મંજૂર કર્યા રાજકોટ પોલીસ મૌલાનાનો કબજાે લઈ રવાના

    કચ્છ (ભુજ ) રાજ્યમાં ભડકાઉ ભાષણ આપી વિવાદ ઉભો કરનાર મુફ્તી સલમાન અઝહરિ સામે કચ્છના સામખીયાળીમાં પણ ફરિયાદ દાખલ કરાઈ હતી, આ મામલે ગત તા.૭ના આરોપી અઝહરીને ભચાઉ કોર્ટમાં હાજર કરાયો હતો અને કોર્ટે તેને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યો હતો. આરોપી અઝહરીના આજે દિવસના પોલીસ રિમાન્ડ પુરા થતા ભચાઉની સ્પે.કોર્ટમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે બન્ને પક્ષની દલીલો સાંભળી આરોપી અઝહરીના તરફે શરતી જામીન મંજુર કર્યા હતા. રૂ.૩૦ હજારના બોન્ડ ઉપર જામીન મળતા કોર્ટમાંથી બહાર આવેલા અઝહરીને હાજર રાજકોટ પોલીસે કસ્ટડીમાં લઇ આરોપી સાથે રાજકોટ જવા રવાના થઈ હતી.જૂનાગઢની જેમ સામખીયાળીમાં પણ જાહેર મંચ પરથી ભડકાઉ ભાષણ આપનાર મૌલાના અઝહરી ને આજે પૂર્વ કચ્છ ક્રાઈમ બ્રાન્ચની ટિમ રિમાન્ડ પુરા થતા ફરી ભચાઉ કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટ કાર્યવાહી દરમિયાન સરકારી વકીલ વિઠલાણીએ આરોપી સામે આ પૂર્વે પણ ૧૦ જેટલા ગંભીર આરોપ હોવાની અને રાજ્ય બહારથી આવી અશાંતિ ફેલાવવાના પ્રયાસને ધ્યાને લઇ જામીન સામે વાંધો રજૂ કર્યો હતો, જેની સામે બચાવ પક્ષની વકીલ પેનલે પણ વિવિધ દલીલો રજૂ કરતા સ્પે. કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કુ.યોગીતા શર્માએ રજૂઆતને ગ્રાહે રાખી રૂ.૩૦ હજારના શરતી જામીન મંજુર કર્યા હતા. બચાવ પક્ષના વકીલ તરીકે સિદ્ધિક નારેજા, રમેશ પરમાર, ગુલામસા શેખ, સાજીદ મકરાની, ઇમરાન મેમણ, રફીક રાયમાં હાજર રહ્યા હતા.આરોપી અઝહરીને કોર્ટમાંથી જામીન મળતા કોર્ટની બહાર હાજર રાજકોટ પોલીસે તેની કસ્ટડી મેળવી, રાજકોટ જવા રવાના થઈ હતી. આ સમયે કોર્ટ સંકુલ બહાર કચ્છ લઘુમતી સમાજના અગ્રણીઓ અને લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. પોલીસ દ્વારા લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    કચ્છના કિસાનો પાણી મુદ્દે આકરા પાણીએ  ભુજમાં વિશાળ રેલી યોજી

    કચ્છ (ભુજ ) ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા આજે ભુજ શહેરના ટીન સીટી ખાતે વિશાળ સભા યોજી નર્મદાના પૂરતા પાણી સહિતના મુદ્દાઓ અંગે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. સમગ્ર જિલ્લામાંથી આવેલા ખેડૂત પરિવારના ભાઈ બહેનો ખુલ્લા મેદાનમાં બેસી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મંચસ્થ સંઘના આગેવાનોએ કિસાનોને પજવતા પ્રશ્નો અંગેની વાત કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો.આ સમયે હાજર જનમેદનીએ નર્મદા લાવો કચ્છ બચાવોના નારા પોકાર્યા હતા. સભા બાદ કિસાનોની વિશાળ રેલી કલેકટર કચેરીએ પહોંચી હતી. કિસાન આગેવાનોએ નર્મદા પાણી તથા કેનાલના અધૂરા કામોની અધુરાસો પૂર્ણ કરવાની માંગ સાથેનું આવેદનપત્ર પાઠવી તાકીદની કામગીરી થવા રજૂઆત કરી હતી.ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ કચ્છ કિસાન સંઘ દ્વારા રજૂ કરાયેલા આવેદનપત્રમાં ખેડૂતોને નડતા પ્રશ્નો દર્શાવાયા હતા, જેમાં મુખ્યત્વે દુધઈ સબ બ્રાન્ચ કેનાલ બાબતે પોણા બે વર્ષથી સરકાર સાથે વાટાઘાટો ચાલી રહી છે પરંતુ હજુ સુધી આ મામલે કોઈ જ નિર્વાણ આવી શક્યું નથી. વાંઢીયા સબ બ્રાન્ચ કેનાલનું કામ લાંબા સમયથી મંદગતિએ ચાલી રહ્યું છે, આ માટે પૂરતા નાણા ફાળવવામાં આવે તે જરૂરી છે. તેમજ કચ્છને ફાળવાયેલા વધારાના એક મિલિયન એકર ફૂટ નર્મદાના પાણી અંગે ફાળવાયેલી નોરધન લીંક કેનાલ, સર્જન લિન્ક કેનાલ, સારણ હાઈ કન્ટર કેનાલ અને અબડાસા લિંક કેનાલ લને મંજૂરી મળી શકી નથી.સૌથી મહત્વનો પ્રશ્ન હાલ ખેડૂતોને જમીન સંપાદનના અપૂરતા વળતરનો છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ભુજમાં નવનિર્મિત એસટી બસપોર્ટનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

    ભુજ,તા.૨૬કચ્છના જિલ્લા મથક ભુજ ખાતે ૨૦ પ્લેટફોર્મ ધરાવતા આઇકોનિક એસટી બસ પોર્ટનું આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મૂળ બસ મથકના સ્થળે છેલ્લા સાત વર્ષથી નિર્માણ કાર્ય ચાલતા એસટી બસ પોર્ટ શરૂ થવાની સ્થાનિક અને કચ્છના લોકો આતુરતાથી રાહ જાેતા હતા. એવા સાત વર્ષથી હંગામી બસ સ્ટેશનમાં કાર્યરત બસ ડેપોની કામગીરી અંતે હવે નવા બસ પોર્ટથી કાર્યવિંત થશે. જ્યાં દૈનિક એક હજાર જેટલી એસટી બસોની ટ્રીપના આવાગમનનું કાર્ય શરૂ થશે. એરપોર્ટ જેવા બસ પોર્ટમાં કચ્છીયત દર્શવતા ચિત્રો સાથે, આધુનિક સુવિધાઓ ધરાવતી લિફ્ટ, એક્સેલેટર અને શોપિંગની સેવાઓ મુસાફરોને ઉપયોગી બની રહેશે. વર્ષ ૨૦૦૧ના ભૂકંપમાં ક્ષતિ પામેલા એસટી બસ સ્ટેશનના નવ નિર્માણ માટે વર્ષ ૨૦૧૭માં પીએમ મોદી દ્વારા વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સાત વર્ષ દરમિયાન મંગલમ નજીકના સ્થળે હંગામી બસ ડેપો કાર્યરત રહ્યો , જે લાંબા સમય બાદ આજે એટપોર્ટ સમકક્ષ નું બસ પોર્ટ ખુલ્લું મુકાયુ છે. જિલ્લા મથક ભુજ ખાતે આકાર પામેલા બસ પોર્ટમાં વિશાળ જગ્યામાં કોર્મિશયલ સેન્ટર સાથે આધુનિક સુવિધા યુક્ત બસ મથક નિર્માણ કરાયું છે. રૂ ૩૪ કરોડના ખર્ચે તૈયાર થયેલા બસ પોર્ટ અંદર પ્રવેશ માટે કુલ ત્રણ પ્રવેશ દ્વાર રખાયા છે. જેની ઉપર એલઇડી સ્ક્રીન મુકવામાં આવ્યા છે. જ્યારે અંદરની તરફ ૨૫૦ જેટલી દુકાનો બનાવાઈ છે. આ સાથે ત્રણ માળના સંકુલમા ચાર લિફ્ટ અને ચાર એક્સેલેટર લોકો માટે ઉપલબ્ધ કરવામાં આવી છે. દૈનિક ૨૦ થી ૨૫ હજાર મુસાફરોની આવાગમન રહેવાની છે એવા બસ પોર્ટમાં પ્રવાસીઓની સલામતી અંતર્ગત ચારે તરફ સીસીટીવી કેમરા લગાવવામાં આવ્યા છે. જ્યારે વાહન પાર્કિંગ માટે બેઝમેન્ટમાં ૮૦ હજાર સ્ક્વેરફીટની જગ્યામાં સુવિધા ઉભી કરવામાં આવી છે, ૨૫૦ જેટલા દ્વિચક્રી વાહનો અને ફોર વહીલ વાહનો એક સાથે પાર્ક કરી શકાશે. આ સિવાય ૨૪ કલાક પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા, એસટીના ડ્રાયવર અને કંડકટર માટે આરામની સુવિધા તેમજ મહિલા રેસ્ટ રૂમની અલગથી સેવા મળી રહેશે. પૂછપરછ અને ઓનલાઇન ટિકિટ બુકિંગ જેવી ડેપોની લોક ઉપયોગી સેવાઓ ચકચકિત કાચની ઓફિસો દ્વારા થતું જાેવા મળશે. જાેકે તમામ કામગીરી આગામી ત્રણ થી ચાર દિવસમાં રાબેતામુજબ શરૂ થશે. મુખ્યમંત્રીએ મંચ પરથી જણાવ્યું હતું કે આજના આઇકોનીક બસ પોર્ટના લોકાર્પણ બાદ હવે ગણાતા જાઓ વિકાસના કાર્યો થતા રહેશે. ધારાસભ્યો કામ કરે છે ને ? એમ રમૂજ કર્યા બાદ આગળ કચ્છના તમામ વિકાસકાર્યોની ગાથા વર્ણવી હતી. પીએમ મોદીનો સંકલ્પ છે કે ખાતમુહૂર્ત કરીએ તેનું લોકાર્પણ પણ કરીએ છીએ. જે પ્રમાણે આજના ભુજના બસ પોર્ટનું આજે લોકાર્પણ થયું છે. લોકાર્પણ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવી, નાણા મંત્રી કનુ દેસાઈ, કચ્છના ધારાસભ્યોમાં રાપરના વિરેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.
    વધુ વાંચો
  • ગુજરાત

    સુરેન્દ્રનગર-ધાંગધ્રા નજીક ટ્રક સાથે કાર ટકરાતાં ચારનાં મોત

    સુરેન્દ્રનગર અમદાવાદ-કચ્છ હાઈવે ઉપર ધ્રાંગધ્રા બાયપાસ પાસે આજે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. લગ્નપ્રસંગ પતાવી ઘરે જઈ રહેલા હળવદના યુવકોની સ્વિફ્ટ કાર પલટી મારી ડિવાઈડર કુદાવી સામેની સાઈડ ઉપર જઈ રહેલા આઈસર સાથે અથડાઈ હતી. જેથી ચાર યુવકોનાં મોત થયાં છે. તેમજ ૩ યુવકોને ગંભીર ઈજા પહોંચી હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, કારનું એન્જિન બહાર નીકળીને ૨૦ ફૂટ દૂર ફંગોળાઈ ગયું હતું.આ અકસ્માત અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ગોલાસણ ગામના છ યુવાનો ધ્રાંગધ્રા તાલુકાના નરાડી ગામે લગ્નપ્રસંગમાં ગયા હતા. જ્યાંથી રાત્રીના જમવા માટે હોટલમાં ગયા ત્યાંથી પરત હળવદ પોતાના ઘરે આવી રહ્યા હતા. ત્યારે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને સામેની સાઈડમાં આવી રહેલી આઈસર સાથે અથડાતાં કારમાં બેઠેલા છ પૈકી ચાર યુવાનોનાં મોત થયાં હતાં. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનું એન્જિન બહાર નીકળીને ૨૦ ફૂટ દૂર ફંગોળાઈ ગયું હતું.આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલાઓને ૧૦૮ એમ્બ્યુલન્સ વાનમાં તાકીદે સારવાર માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. આ અકસ્માતની ઘટનાના પગલે હાઈવે પર ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં હતાં. અકસ્માતની ઘટનાની જાણ થતાં ધ્રાંગધ્રા પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.તમામ મૃતકોના નામ કરસનભાઈ ભરતભાઈ, ઉ.વ. આશરે ૨૩ કિરણભાઈ મનુભાઈ, ઉ.વ. આશરે ૧૮ ઉમેશભાઈ જગદીશભાઈ, ઉ.વ. આશરે ૧૫ કાનાભાઇ ભુપતભાઇ, ઉ.વ. આશરે ૧૮ સારવાર હેઠળ લોકોના નામ અમીતભાઈ જગદીશભાઈ કાનાભાઈ રાયધનભાઈ સુરેલા સુરેશભાઈ શંભુભાઈ ધામેચા
    વધુ વાંચો
  • ગુજરાત

    બે પ્રેમીઓએ ષડ્યંત્ર રચી વૃધ્ધાનું ઢીમ ઢાળ્યું

    કચ્છ (ભુજ ),તા.૫કચ્છના ભચાઉમાં ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવો હત્યાનો બનાવ સામે આવ્યો છે. ભચાઉના માંડવીવાસમાં એકલા જ રહેતા ૮૭ વર્ષીય મીઠીબેન આનંદા ગાલા શુક્રવારે પોતાના ઘરે જાેવા ન મળતા આસપાસના લોકોએ સમાજના આગેવાનોને જાણ કરી હતી અને ત્યારબાદ આગેવાનોએ પોલીસને જાણ કરતા પોલીસે શોધખોળ હાથ ધરી હતી. પોલીસે તપાસ કરતા વૃદ્ધાના ઘરમાંથી એક બુકાનીધારી ઈસમ મોટી ટ્રોલી બેગ લઈને જતો જાેવા મળ્યો હતો. જેથી અનેક તર્કવિતર્કો સર્જાયા હતા. વૃદ્ધાના ઘરમાંથી ટ્રોલીબેગ લઈને જે યુવક નીકળ્યો હતો તે ભચાઉના વોંધડા ગામના સરપંચ ગણેશ અરજણ છાંગાનો ૨૧ વર્ષીય પુત્ર રાજેશ છાંગા હોવાનું સામે આવ્યું હતું. જેને અટકમાં લઈ પોલીસે પૂછપરછ કરતા રાજેશ છાંગાએ જ મીઠીબેનની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું અને લાશ સાથેની બેગ ભચાઉના વિશાળ કોમ્પલેક્સમાં આવેલી પોતાની દુકાનમાં રાખી હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે દુકાન પર પહોંચતા ટ્રોલી બેગમાંથી મીઠીબેનની લાશ મળી આવી હતી. પોલીસનું માનીએ તો હત્યાને અંજામ આપનાર રાજુ પોતાના ગામની જ અને કુંટુબની રાધિકા નામની છોકરી સાથે લગ્ન કરવા માગતો હતો. પરંતુ, આ લગ્ન સામાજિક દ્રષ્ટિએ શક્ય ન હતા. પરંતુ, રાજુ અને રાધિકા અલગ થવા તૈયાર ન હતા. જેથી રાધિકાએ આત્મહત્યા કરી હોવાની સ્ટોરી ઘડી કાઢી તેને ગુમ કરી દેવાનો પ્લાન ઘઢી કાઢ્યો હતો. રાધિકાએ સળગી જઈ આત્મહત્યા કરી લીધી હોવાનુ પ્રસ્થાપિત કરી શકાય તે માટે રાજુએ હાડકા એકત્ર કરવાનો પ્લાન ઘડ્યો હતો. જેના માટે તે થોડા દિવસ પહેલા સમાખિયાળી પાસે આવેલા એક કબ્રસ્તાનમાં પહોંચ્યો હતો અને કબર ખોદીને હાડકા શોધવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, અહીં હાડકા હાથ લાગ્યા ન હતા. રાજુને કબ્રસ્તાનમાંથી હાડકા ન મળતા તેને રાધિકાના જ કદ કાઢીની મહિલાની શોધખોળ શરૂ કરી હતી. આ શોધખોળ દરમિયાન તેની નજર ભચાઉના માંડવીવાસમાં રહેતા જેઠીબેન પર પડી હતી. જેઠીબેન એકલા જ રહેતા હોય રાજુએ તેમને ત્યાં જઈ મકાન ભાડે લેવાની વાત કરી હતી. ત્યારબાદ શુક્રવારે રાત્રિના સમયે રાજુ ટ્રોલીબેગ લઈને જેઠીબેનના ઘરે પહોંચ્યો હતો. જ્યાં રાત્રિના સમયે જેઠીબેનની હત્યા નિપજાવી લાશનો ટ્રોલીબેગમાં લઈ નીકળી ગયો હતો. રાજુએ રાત્રિના સમયે જેઠીબેનની લાશને ટ્રોલીબેગમાં લઈ જઈ પોતાની દુકાનમાં રાખી દીધી હતી. પરંતુ, બીજા દિવસે જેઠીબેન ગુમ થયાની જાણ થતા પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરાઈ હોય તે લાશને સળગાવી શક્યો ન હતો. તો બીજી તરફ પોલીસના હાથે સીસીટીવી લાગી જતા રાજુની સ્ટોરી પૂરી થાય તે પહેલા જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.
    વધુ વાંચો
  • ગુજરાત

    ભુજમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક મળી

    કચ્છ (ભુજ ),તા.૫રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક આજે ૫ નવેમ્બરના રોજ સવારે ૯ઃ૦૦ કલાકે શરૂ થઈ હતી. આ બેઠકનું આયોજન કચ્છી લેવા પટેલ સમાજ, ભુજ (જિ.કચ્છ, ગુજરાત) સ્થિત સરદાર પટેલ વિદ્યા સંકુલ ખાતે કરવામાં આવ્યું છે. સભાની શરૂઆત માતૃશ્રી ધનબાઈ પ્રેમજી ગાંગજી ભુડિયા કોમ્યુનિટી હોલમાં સર સંઘચાલક ડો. મોહનજી ભાગવત અને સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેજી દ્વારા ભારત માતાના ચિત્ર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી.આ બેઠકમાં સંઘના દ્રષ્ટિકોણથી ૪૫ પ્રાંતો અને ૧૧ ક્ષેત્રોના સંઘચાલક, કાર્યવાહક, પ્રચારક, અખિલ ભારતીય કાર્યકારીણી સદસ્ય અને કેટલાક વિવિધ સંગઠનોના અખિલ ભારતીય સંગઠન મંત્રીઓ સહિત દેશભરમાંથી લગભગ ૩૮૨ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. બેઠકની શરૂઆત કરતા, સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેજી ઉપસ્થિત તમામ પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું હતું.દેશ અને સમાજ માટે વિશેષ યોગદાન આપનાર અને તાજેતરના ભૂતકાળમાં અવસાન પામેલ તમામ મહાનુભાવોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તાજેતરમાં ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત, નાગપુરમાં આવેલા પૂર અને તેનાથી પ્રભાવિત સમાજના વિવિધ લોકો માટે સ્વયંસેવકો દ્વારા કરવામાં આવેલી મદદ અને સેવાકીય કાર્યો વિશે માહિતી આ બેઠકમાં આપવામાં આવી હતી.આ બેઠકમાં સંઘ શતાબ્દીની દ્રષ્ટિએ, કાર્યવિસ્તાર માટે બનાવેલ યોજનાની સમીક્ષા કરવામાં આવશે અને સંઘ પ્રશિક્ષણ અભ્યાસક્રમના વિષયો પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત, સરસંઘચાલકજીના વિજયાદશમીના સંબોધનમાં ઉલ્લેખિત વિષયો - પ્રકૃતિ વિરુદ્ધ જીવનશૈલી, વિશ્વ પર આબોહવા પરિવર્તનની અસર, સુરક્ષા, સ્વઆધારિત યુગાનુકૂલ નીતિ વગેરે વિષયો પર ચર્ચા કરવામાં આવશે. સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, ગૌસેવા, ગ્રામ વિકાસ અને અન્ય ગતિવિધિઓમાં ચાલી રહેલા પ્રયાસોની માહિતી લેવામાં આવશે.
    વધુ વાંચો
  • ગુજરાત

    અબડાસાના નાની વામોટી ગામે ગૌચરના દબાણ હટાવ કામગીરી

    ભુજ,તા.૧પશ્ચિમ કચ્છના સરહદી અબડાસા તાલુકાના નાની વમોતી ગામે વ્યાપક પ્રમાણમાં ગૌચર જમીન ઉપર દબાણ થઈ ગયા હતા. ગૌચર દબાણ સામે ગ્રામજનો દ્વારા અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આ મામલે અંતે આજે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે અને ગૌચર દબાણ સ્થળે ભારે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવ કામગીરી શરૂ કરી છે. હાલ ગામની સીમમાં આવેલા ગૌચર સ્થળે બની ગયેલા વાડાઓ, ખેતરો અને હંગામી આવાસો સહિતના દબાણો સાધન સામગ્રીની મદદ વડે દૂર કરવામાં આવી રહ્યા છે. દબાણ હટાવ કામગીરી સાંજ સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે એવું સ્થાનિકે થી જાણવા મળ્યું હતું. જાેકે કુલ કેટલા દબાણો દૂર કરવામાં આવશે તે વિશે તંત્રએ કોઈ માહિતી જાહેર કરી નથી. અબડાસા તાલુકાના વમોટી નાની ગામે આજે સ્થાનિકોની રજૂઆતના પગલે તંત્ર દ્વારા ગૌચર જમીન પરના દબાણ દૂર કરવાની કામગીરી સવારથી ચાલુ કરવામાં આવી છે. સ્થાનિક ગ્રામ પંચાયત, તાલુકા પંચાયતના અધિકારીઓની હાજરીમાં દૃ નલિયા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ગૌચર જમીન દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ભુજમાં ફાયર સ્ટેશન પાસે કચરામાં લાગેલી આગની લપેટમા કાર આવી

    ભુજ,તા.૧ભુજ શહેરના ફાયર સ્ટેશન સામે આવેલા ખાનગી કોમ્પલેક્ષ પાસે આજે સવારે કચરાપેટીના કચરામાં કોઈ કારણોસર આગ લાગી ઉઠી હતી. આગની જ્વાળાઓ નજીકમાં જ પાર્ક કરેલી એક કાર સુધી ફેલાઈ હતી, જેના કારણે જાેત જાેતામાં કારની આગળની તરફ પણ આગ ભભુકી ઉઠી હતી. જાેકે પાસે રહેલા ફાયર વિભાગે તુરંત સળગતી કાર ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. ફાયર વિભાગની તાકીદની કામગીરીથી કારમાં વધુ નુકસાની થતાં અટકી હતી. આ અંગે સામે આવેલી વિગતો મુજબ આજે સવારે ભુજ નગરપાલિકા ફાયર સ્ટેશનની સામે કોમપ્લેક્સની બાજુમાં પડેલી એક કચરાની પેટીમાં કોઈ કારણોસર આગ લાગી હતી. આ આગ ઘટનાસ્થળ નજીક ઉભેલી સ્વીફ્ટ કાર નંબર ય્ત્ન ૧૨ છઈ ૮૧૭૭ માં ફેલાઈ હતી. આગની ઘટના ઉપર ભુજ ફાયર વિભાગના કર્મચારીઓનું ધ્યાન જતા તાત્કાલિક કર્મચારીઓ આગ બુજાવવા પહોંચી ગયા હતા અને આગ વધુ ફેલાવતા અટકાવી હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    ભવાનીપર બ્રિજ બંધ કરી દેવાયા બાદ સમારકામની રાહમાં: નવા બ્રીજનું કાર્ય પણ વિલંબમાં પડ્યું

    કચ્છ (ભુજ ),તા.૩૧અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયાને જિલ્લા મથક ભુજથી જાેડતા માર્ગપર આવેલો ભવાનીપરનો પુલ છેલ્લા ૫ -૬ મહિનાથી ભારેખમ વાહનોની અવર-જવર માટે બંધ કરી દેવાયો છે અને જૂના પુલના સમારકામ કે, નવા પુલની કામગીરીની કોઇ ગતિવિધ શરૂ ન થતાં વાહન ચાલકોની માઠી દશા બેઠી છે.૫૦ મીટર લંબાઈ ધરાવતો આ પુલ આશરે ૪૫ વર્ષ પહેલા બન્યો છે. પુલની નીચે બારેમાસ પાણી ભરાયેલું હોવાથી બાંધકામ જર્જરીત થઈ ગયું છે. પુલ પરની રેલિંગ તૂટી ગઈ છે અને નીચેની બાજુએથી સ્લેબમાંથી પોપડા ખરી પડ્યા છે. પુલ બંધ કરાયા પહેલા દરરોજ ૭૦૦ ટુકો આવન- જાવન કરતી હતી પરંતુ જિલ્લા કલેક્ટરના જાહેરનામા બાદ આ પુલ પરથી ભારે વાહનો પર પ્રતિબંધ લગાવાયો છે. એસટી બસ આ પુલ પરથી જ પસાર થાય છે ત્યારે જર્જિત થઈ ગયેલો પુલ તાત્કાલિક નવો બનાવવા માટે કોઈ જ નક્કર કાર્યવાહી હજુ સુધી આદરાઈ નથી. વધુમાં પુલ જર્જરીત હોવાથી તેનું સમારકામ પણ કરવામાં આવ્યું નથી. પુલના સ્લેબમાંથી પોપડા ખરી રહ્યા હોવાથી ગમે ત્યારે ગાબડું પડી શકે તેવી સ્થિતિ છે. એસ.ટી. બસ, ખાનગી બસ નાના ફોરવ્હીલર, દ્વિચક્રી વાહન ચાલકો આ પુલ પસાર કરતા ડરે છે. અધુરામાં પૂરું નલિયા જતા લોકોને વાયા કોઠારા માર્ગ પરથી ૧૭ કિલોમીટરનો ફેરો પડે છે. ત્યારે આ પુલ વહેલી તકે બને તેવી માંગ ઉઠી છે. તો બીજીબાજુ આર એન્ડ બી વિભાગ આ અંગે જણાવ્યુ હતુ કે નવા પુલ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વર્ક ઓર્ડર પણ અપાઇ ગયો છે.
    વધુ વાંચો