મહેસાણા સમાચાર

  • ગુજરાત

    રામનવમીએ કોમી ભડકોઃ ઠેરઠેર પથ્થરમારો ઃ ૧૭ની ધરપકડ

    વડોદરા, તા.૩૦રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ સહિતની કેટલીક ધાર્મિક સંસ્થાઓ દ્વારા આયોજીત શોભાયાત્રા પર બપોરે ફતેપુરા વિસ્તાર સહિત અનેક સ્થળે ભારે પથ્થરમારાના પગલે દહેશતનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં અનેકને ઈજાઓ પહોંચી હતી તથા પરિસ્થિત પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. દરમ્યાન પોલીસે ૩૫૦થી વધુ સીસીટીવી કેમેરાને આધારે મોડીરાત સુધીમા ૧૭ તોફાનીઓની ધરપકડ કરી લીધી હતી. આ તોફાનો દરમ્યાન અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યુ હતું. છેલ્લા અનેક વર્ષોથી શાંતિપૂર્ણ માહોલનો અહેસાસ કરી રહેલું વડોદરા આજે કોમી રમખાણોના છમકલાઓથી ફરી એકવાર અભડાયું હતું. આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત શ્રીરામની શોભાયાત્રા બપોરના સમયે ફતેપુરા વિસ્તારના કુભારવાડા ખાતેથી પસાર થઈ રહી હતી.આ તબક્કે ડીજે પર મોટા અવાજે હનુમાનચાલીસા વાગતા જ એ વિસ્તારના કેટલાં યુવાનો અને વિહિપના કાર્યકરો વચ્ચે બોલાચાલી થતાં વાતાવરણ ગરમાયુ હતું આ તબક્કે પોલીસે મધ્યસ્થી કરી બંને ટોળાઓને શાંત કરી વિખેરી નાંખ્યા હતા. પરંતુ થોડી જ વારમાં આ સમાધાન પડી ભાંગ્યુ હોય એમ અચાનક આજુબાજુની ગલીઓમાંથી પથ્થરમારો શરૂ થયો હતો. આ તબકકે શોભાયાત્રામાં સામેલ એક હજારથી વધુ વીએચપી કાર્યકરોમાં ઉશ્કેરાટનો માહોલ ફેલાયો હતો. જાે કે ઘટના સ્થળે ઉપસ્થિત પોલીસે તાત્કાલિક પરિસ્થિતિ પર કાબુ મેળવવા તોફાનીઓની દિશામાં ઘસી જતાં મામલો થોડા સમય માટે શાંત પડયો હતો. પરંતુ શ્રધ્ધેય ભગવાન રામની શોભાયાત્રા પરના પથ્થરમારાથી ઉશ્કેરાયેલા કાર્યકરોને માંડ માંડ શાંતિ જાળવવા સમજાવાયા હતા. એસ.એસ.જી. હોસ્પિટલની સામે આવેલ પંચમુખી હનુમાન મંદિરથી શરૂ થયેલી આ યાત્રા શાંતિપૂર્ણ રીતે અને ધાર્મિક માહોલ સાથે આગળ વધી રહી હતી. ત્યારે પાંજરીગર મહોલ્લા ખાતે તેના પર ભારે પથ્થરમારો થયો હતો. જાે કે આ યાત્રા એરપોર્ટ, સંગમ, ફતેપુરા, કારેલીબાગ પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી.ત્યાર બાદ એ યાત્રા જીવનભારતી સ્કુલ એલ એન્ડ ટી એરપોર્ટ થઈ ફરી પંચમુખી હનુમાન મંદિર ખાતે સંપન્ન થઈ હતી.દરમ્યાન ફતેપુરા કંુભારવાડા ખાતેથી નિકળેલી શ્રી રામની આવી જ એક અન્ય શોભાયાત્રા પર તલાટીની ઓફિસની બાજુની ગલીમાંથી તથા સામેની બાજુ આવેલા એક ધાર્મિક સ્થળ પરથી અચાનક ભારે પથ્થરમારો શરૂ થયો હતો. પોલીસે માંડ માંડ પરિસ્થિત થાળે પાડતા શોભાયાત્રા આગળ વધી હતી. પરંતુ ચાંપાનેર દરવજા પાસે ફરીથી આ શોભાયાત્રા પર ભારે પથ્થરમારો થયો હતો. યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે અગાઉ સમગ્ર માર્ગ પર ઠેર ઠેર પથ્થરમારો થતાં વડોદરામાં ભારેલો અગ્નિ છે તથા મોડીરાત્રે એ કોમી રમખાણોના જવાળામુખીમાં ન ફેલાય તે માટે સ્થાનિક પોલીસે કડક હાથે કામ લેવાનુ શરૂ કર્યું છે.આજે શ્રી રામની ત્રીજી શોભાયાત્રા ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા યોજાઈ હતી. જે પ્રતાપનગર વિસ્તારના રણમુકતેશ્વર મહાદેવ ખાતેથી નિકળી પથ્થરગેટ વિસ્તારના તાડફળિયા ખાતે આવેલા રામજીમંદિર ખાતે સંપન્ન થઈ હતી. આ સમગ્ર રૂટ સંવેદનશીલ વિસ્તાર હોવાથી પોલીસે અગાઉ બે શોભાયાત્રાઓ પર થયેલા ભારે પથ્થરમારાના પગલે અગમચેતીના પગલારૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો.એક તરફ પવિત્ર રમઝાન મહિનો ચાલુ છે તથા સમગ્ર લઘુમતી વિસ્તારોમાં સાંજ બાદ ધાર્મિક માહોલ સર્જાય છે ત્યારે આજે દિવસ દરમ્યાન થયેલા કોમી છમકલાઓ વધુ વકરે નહીં તે માટે પોલીસે ચારેબાજુ ઘોસ વધારી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    પૂર્વ ડે. સીએમ નીતિન પટેલને ગાયે પાડી દીધાં

    કડી , પંદરમી ઓગસ્ટને હવે ગણતરીના જ કલાકો બાકી રહી ગયા છે. ત્યારે રાજ્યમાં ઠેર ઠેર તિરંગા રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં આ રીતે તિરંગા રેલી યોજાઈ ગઈ છે અને હજુ પણ ઉજવણી ચાલી રહી છે. ત્યારે મહેસાણાના કડી વિસ્તારમાં પણ આ રીતે તિરંગા રેલી યોજાઈ હતી. આ તિરંગા રેલીમાં પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. આ સિવાય મોટી સંખ્યામાં લોકો પણ ઉમટ્યા હતા. આ તિરંગા રેલી દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની હતી. અહીં રખડતી ગાયે નીતિન પટેલને અડફેટે લીધા હતા. જે બાદ નીતિન પટેલને ઢીંચણમાં ઈજાઓ પહોંચી હતી. જેથી તેઓને તાત્કાલિક સરવાર માટે હોસ્પટિલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની વિગતો એવી છે કે, રાજ્યમાં ઠેર ઠેર હાલ તિરંગા રેલીનું આયોજન થઈ રહ્યુ છે. બીજી તરફ, ઘર ઘર તિરંગા અભિયાન પણ ચાલી રહ્યું છે અને પંદરમી ઓગસ્ટને હવે ગણતરીના જ કલાકો બચ્યા છે. ત્યારે રાજ્યમાં પંદરમી ઓગસ્ટની ઉજવણી હાલથી જ શરુ થઈ ચૂકી છે. આ દરમિયાન મહેસાણાના કડી વિસ્તારમાં પણ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે. આ તિરંગા રેલીમાં મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતા. સાથે જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ તિરંગા રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા. આ રેલી કરણપુર શાક માર્કેટ પાસે પહોંચી હતી. ત્યારે અહીં કેટલીક રખડતી ગાયો પણ નજરે પડી હતી. જેમાંથી એક રખડતી ગાયે નીતિન પટેલને અડફેટે લીધા હતા. જે બાદ તેઓને પગના ઢીંચણમાં ઈજા પહોંચી હતી. એ પછી તાત્કાલિક ધોરણે નીતિન પટેલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એવા પણ રિપોર્ટ સામે આવ્યા છે કે, નીતિન પટેલની અધ્યક્ષતામાં કડીમાં આ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને સાથે કેટલાંક રાજકીય નેતાઓનો પણ હતા. ત્યારે આ તિરંગા રેલી કરણપુર શાક માર્કેટ પાસેથી પસાર થઈ હતી. એ દરમિયાન અહીં રસ્તે રઝળતી એક ગાયે નીતિન પટેલને અડફેટે લીધા હતા. જે બાદ અહીં સમગ્ર વિસ્તારમાં અફરા તફરી મચી ગઈ હતી. થોડી વાર માટે તિરંગા રેલી સ્થગિત થઈ ગઈ હતી. જાે કે, ગાયે અડફેટે લેતા નીતિન પટેલને પગના ઢીંચણના ભાગે ઈજા પહોંચી હતી. એટલે તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જાે કે, ઈજાગ્રસ્ત નીતિન પટેલને કડીથી ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની તબિયત કેવી છે એ રિપોર્ટ હજુ સુધી સામે આવ્યો નથી. પણ તેમની તબિયત સ્થિર હોવાનું જણાઈ રહ્યું છે. એવા પણ રિપોર્ટ સામે આવ્યા છે કે, હોસ્પિટલમાં તેઓને સારવાર આપ્યા બાદ રજા આપી દેવામાં આવી હતી. ગાયો રસ્તામાં કેમ આવી ? સાગર રબારી મહેસાણાના કડીમાં તિરંગા યાત્રા દરમિયાન રેલીમાં ધસી આવેલી ગાયે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને અડફેટે લઈને ઇજા પહોંચાડી હતી. જે અંગે આમ આદમી પાર્ટી-’આપ’ના પ્રદેશ ઉપપ્રમુખ અને બેચરાજી વિધાનસભાના ઉમેદવાર સાગર રબારીએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગાયો રસ્તા ઉપર કેમ આવી? તે અંગે ફોડ પાડતા ભાજપ પર પ્રહાર કર્યા હતા કે, ગાયોના ગૌચરને ભાજપના કોર્પોરેટ મિત્રો ખાઈ ગયા છે. જેથી ગાયોને આમ તેમ ભટકવું પડે છે. નીતિન પટેલને ગાયે અડફેટે લેતાં સરકાર પર અનેક કટાક્ષ થયાં કડીમાં તિરંગા યાત્રા દરમિયાન પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પડી ગયા હતા જેને કારણે તેમને હવે આરામ કરવાનું કહ્યું હતું. પરંતુ જેના આ સમાચાર આવ્યાં તેની સાથે જ વિરોધીઓએ ભાજપ સરકાર પર નિશાન તાક્યુ હતું તેમજ પસ્તાળ પાડી હતી. આ ઉપરાંત અનેક કટાક્ષ પણ શરૂ થઇ ગયા હતાં. જેમાં નીતિન પટેલ પર પડતા પર પાટુ અને પાર્ટીએ તો ન છોડ્યા પણ ગાયે પણ અડફેટે લીધા તેવા અનેક કટાક્ષ કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત સૌથી મોટી વાતતો એ હતી કે સોશિયલ મિડિયા પર અલગ અલગ મીમ તૈયાર થઇને ફરતા થઇ ગયાં હતાં. જાેકે લોકોએ એ વાતનો હાશકારો વ્યક્ત કર્યો હતો કે નિતીન પટલને ગંભીર ઇજા થઇ નથી. રાજકીય કદ વેતરાઇ ગયા બાદ હાંસિયામા ધકેલાઇ ગયેલા નિતીન પટેલની દશા બેઠી છે તેવી પણ તેમના હરિફો ચર્ચા કરતા નજરે ચઢ્યા હતાં.
    વધુ વાંચો
  • ગુજરાત

    કોંગ્રેસથી કંટાળેલા જયરાજસિંહનું અંતે રાજીનામું  કેસરીયાની શક્યતા

    ગાંધીનગર, ગુજરાત કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમારે પક્ષ સાથેનો છેડો ફાડ્યો છે. આગામી ટૂંક સમયમાં તેઓ કોંગ્રેસની વિચારસરણી છોડીને ભાજપની ભગવી વિચારધારા સાથે જાેડાય તેવી સંભાવનાઓ વધી ગઈ છે. કોંગ્રેસના નેતાએ ભાવુક થઈને કહ્યું હતું કે, મે કારકિર્દી જાેખમમાં મૂકી કામ કર્યુ છે, કોંગ્રેસમાં કોઈ જ સિસ્ટમ નથી. જયરાજસિંહ પરમાર કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ગમે ત્યારે ભાજપમાં જાેડાઈ શકે છે તેવા સંજાેગોમાં જયરાજસિંહ પરમારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી કોંગ્રેસનું ટેગ હટાવી દીધું છે. કોંગ્રેસના હોદ્દાઓ દૂર કર્યા છે. આ સાથે જ તેમણે કાર્યકરોને જાેગ એક પત્ર પણ લખ્યો છે. કાર્યકરો જાેગ ૪ પાનાનો પત્ર લખ્યો છે. જેમાં પોતાને થયેલા અન્યાયનો ઉલ્લેખ કર્યો છે. આ સાથે જ પોતાને ટિકિટ ન મળ્યાનો પણ ઉલ્લેખ કર્યો છે. કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે પક્ષની આંતરિક ખટરાગથી કંટાળીને કોંગ્રેસને આખરે અલવિદા કરી દીધુ છે. ટૂંક સમયમાં તેઓ સત્તાવાર જાહેરાત કરશે અને ભાજપની ભગવી વિચારધારા સાથે જાેડાશે. જયરાજસિંહને ભાજપમા જાેડવા પાછળ ભાજપનુ જ્ઞાતિગત રાજકારણ છે. જયરાજસિંહ ભાજપમાં જાય તો સતલાસણા તાલુકા પંચાયતમાં ભાજપને ફાયદો મળી શકે છે. કોંગ્રેસે ગત વિધાનસભામાં ખેરાલુ બેઠક પર જયરાજસિંહને ટિકિટ આપી ન હતી. આ બાબતને આગળ ધરીને જયરાજસિંહ પરમારે કોંગ્રેસ પક્ષને છોડ્યો છે. આ સાથે પરમારે તેમના કાર્યકરોને જાેગ પત્ર પણ લખ્યો છે. આ ચાર પાનાના પત્રમાં કોંગ્રેસમાં થયેલા અન્યાયની વ્યથા ઠાલવી છે. આ પત્રમાં ખેરાલુ વિધાનસભાની બેઠક પર ટીકીટ ન મળવાનો ઉલ્લેખ કર્યો છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ઊંઝા ઉમિયાધામના નવા પ્રમુખ તરીકે ધારાસભ્ય બાબુ જમના પટેલની વરણી

    ગાંધીનગર, મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે આજે ઉમિયાધામ માતાજી ટ્રસ્ટના નવા પ્રમુખની વરણી કરવામાં આવી હતી. જેમાં ઉમિયાધામના નવા પ્રમુખ તરીકે અમદાવાદ જિલ્લાના દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. કડવા પાટીદારોના આસ્થાના ધામ એવા મહેસાણાના ઊંઝા સ્થિત ઉમિયાધામ ખાતે આજે બપોર બાદ ઉમિયા માતાજી ટ્રસ્ટની કારોબારી બેઠક મળી હતી. આ બેઠકમાં નવા પ્રમુખની વરણી અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી. જેમાં પ્રમુખની મુદત પૂર્ણ થતા આજે નવા પ્રમુખની વરણી કરવામાં આવી હતી. જેમાં નવા પ્રમુખ તરીકે દસક્રોઈના ભાજપના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલની પ્રમુખ પદ માટે વરણી કરવામાં આવી હતી. ઉમિયા માતાજી કારોબારી ટ્રસ્ટની બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો હતો. ઊંઝા ઉમિયાધામએ ગુજરાતના જ નહિ પરંતુ સમગ્ર વિશ્વના કડવા પાટીદારોની સૌથી મોટી સંસ્થા છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ધારાસભ્ય આશાબેન પટેલને ડેન્ગ્યુ ભરખી ગયો

    અમદાવાદ, વિશ્વપ્રસિધ્ધ ઉંઝામાં રાજકિય આધિપત્ય જમાવનારા અને કાર્યકરો તેમજ વંચિત અને દરેકની ચિંતા કરીને પોતાની લડાયક અને સંઘર્ષ માટે જાણીતા એવા ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલે અમદાવાદમાં આજે અંતિમ શ્વાસ લીધા. ડેન્ગ્યુનો ડંખ તેમને ભરખી ગયો. અમદાવાદની આધુનિક એવી ઝાયડસ હોસ્પિટલમાં આશાબેન પટેલનું ૪૪ વર્ષની યુવાન વયે અવસાન થયું. છેલ્લા ત્રણ દિવસથી તેઓ હોસ્પિટલમાં સઘન સારવાર લઇ રહ્યાં હતા પરંતુ તેમના તમામ અવયવોએ કામ કરવાનું બંધ કરી દેતાં ડોક્ટરોએ તેમને બચાવવા માટે કરેલા અથાગ પ્રયાસો નિરર્થક સાબિત થયા હતાં. આજે સવારે આશાબેનનું નિધન થયું હતું. ઊંઝાનાં ધારાસભ્ય આશાબેન પટેલની ડેન્ગ્યુ થયા બાદ આજે ૪૪ ની વયે અવસાન થઈ ગયું છે. ૧૧ ડિસેમ્બરના રોજ ઝાયડસના ડાયરેક્ટર ડૉ.વી.એન.શાહે નિવેદન આપ્યું હતું કે આશા પટેલના મોટા ભાગનાં અંગો ફેલ થયાં છે. આવા સંજાેગોમાં સાજા થવાની તકો બહુ ઓછી છે. આશાબેનનું અવસાન થયું ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઝાયડસમાં જ હાજર હતાં. આશાબેનના પાર્થિવદેહને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાંથી ઊંઝા લઈ જવાયો છે. સ્વજન તેમના પાર્થિવ દેહને લઈને ઊંઝા રવાના થયા છે. લગભગ ૩.૩૦ વાગ્યે ઊંઝા ખાતે આશાબેનના ઘરે તેમનો પાર્થિવ દેહ પહોંચ્યો હતો. જ્યાં તેમના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યાર બાદ સોમવારના રોજ સિદ્ધપુરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમણે કેમેસ્ટ્રીમાં પીએચડી કર્યુ હતું અને છઠ્ઠી જાન્યુઆરી ૧૯૫૪ના રોજ જન્મેલા આશા પટેલ આજીવન અપરિણીત રહ્યાં હતા. ઉત્તર ગુજરાતના પાટણની હેમચંદ્રાચાર્ય યૂનિવસિટીમાંથી વિજ્ઞાનમાં અનુસ્નાતક અને ડો.આશા પટેલ ખેતી સાથે વણાયેલા હતા. વર્ષ ૨૦૧૭માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ડૉ.આશાબેન પટેલ ચૂંટાયાં હતાં, જાેકે ૨૦૧૯માં તેમણે પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જાેડાઇ ગયાં હતાં, જેને કારણે ખાલી પડેલી આ બેઠક પર ચૂંટણી યોજાઇ હતી.આશાબેનના પાર્થિવ દેહની નગરયાત્રા નિકળશે ધારાસભ્ય આશાબેન પટેલ નો પાર્થિવ દેહ ઊંઝા લઇ જવાયો સાંજે તેમની સોસાયટી સ્વપ્ન બંગલોઝમાં અંતિમ દર્શન માટે લઇ જવાયો દર્શન માટે ઊંઝા માર્કેટયાર્ડમાં પાર્થિવ દેહને રાખવામાં આવ્યો રાત્રી દરમ્યાન પાર્થિવ દેહ ઊંઝા માર્કેટયાર્ડમાં રખાયો સવારે પાર્થિવ દેહ ની નગરયાત્રા નીકળશે ત્યારબાદ વતન વિશોળ ગામે પાર્થિવ દેહ લઈ જવાશે વતન થી સિદ્ધપુર મુક્તિધામ અંતિમ વિધિ માટે લઈ જવાશે રાજ્યપાલે શોક વ્યક્ત કર્યો ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઊંઝાના ધારાસભ્ય ડો.આશાબહેન પટેલના નિધન અંગે ઊંડા શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. રાજ્યપાલે તેમના શોક સંદેશમાં જણાવ્યું છે કે, ડો.આશાબહેન પટેલ જાગૃત જનપ્રતિનિધિ તરીકે ઓળખ ધરાવતા હતા. એક કર્મશીલ જનપ્રતિનિધિ તરીકે તેઓ હંમેશાં યાદ રહેશે. લોકોના પ્રશ્નોને હંમેશા વાચી આપીને તેનો ઉકેલ લાવતાંઃ ભૂપેન્દ્ર પટેલ ઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઊંઝાના ધારાસભ્ય ડો.આશા બહેન પટેલના દુઃખદ અવસાન અંગે ઊંડા શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. ભૂપેન્દ્ર પટેલે ડો.આશા બહેન પટેલે એક જાગતિક જન પ્રતિનિધિ તરીકે જનસેવા સાથે લોક પ્રશ્નોના ઉકેલ માટે સતત કાર્યરત રહીને એક સંનિષ્ઠ ધારાસભ્ય તરીકે આપેલી સેવાઓની સરાહના કરી છે. મુખ્યમંત્રીએ સ્વ.આશા બહેન ના આત્માની શાશ્વત શાંતિની પ્રભુ પ્રાર્થના પણ કરી છે. સીઆર પાટીલે ટિ્‌વટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ  ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ટ્‌વીટ કરી આશાબેનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. ઉત્તર ગુજરાતના એક ઉત્તમ અને કર્મઠ મહિલા અગ્રણી ગુમાવ્યાં છે તે શોકજનક છે. તેમના આત્માને પ્રભુ ચિર શાંતી અર્પે કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ દુઃખ વ્યક્ત કર્યું કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનિષ દોશીએ આશાબેનને અદના કાર્યકર ગણાવ્યા હતા. અને લોકોનું દુઃખ અને દર્દ સમજનારા સંવેદનશીલ નેતા ગણાવ્યા હતા. તેમના નિધન પર મનિષ દોશીએ ઉંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી. તેમજ કોંગ્રેસના ટોચના નેતાઓએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. ઊંઝા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી નહીં યોજાય  ગુજરાત વિધાનસભા અગાઉથી જ ખંડિત છે, દ્વારકા બેઠક ખાલી પીડ છે , ત્યાં આશાબેનના અવસાનને કારણે ઊંઝા વિધાનસભા બેઠક પણ ખાલી પડી છે. ૧૪મી વિધાનસભાની મુદ્દતને આડે હવે એક વર્ષ કરતા પણ ઓછો સમય હોવાથી પેટાચૂંટણી આવશે નહીં.
    વધુ વાંચો
  • ગુજરાત

    કોંગ્રેસના એક સમયના વરિષ્ઠ નેતા સાગર રાયકાએ કેસરીયો પહેર્યો

    અમદાવાદ, ગુજરાત કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તુટે તેવી સ્થિતિ છે. કોંગ્રેસને માંડ માંડ ૬ મહિને નવા પ્રદેશ પ્રમુખ મળ્યા હતા. જેની ઉજવણીના ભાગરૂપે રાજીવ ગાંધીભવન ખાતે ઉજવણી કરવામાં આવી હતી. નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું ભવનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પદગ્રહણ પહેલા જગદીશ ઠાકોરે કેક કાપી હતી. જાે કે આ ઉત્સવમાં કોંગ્રેસનાં ત્રણેય પૂર્વ પ્રમુખો અને દિગ્ગજ નેતાઓના મોઢા વિલા દેખાયા હતા. આ ઉપરાંત જગદીશ ઠાકોર કેક કટિંગમાં પહોંચ્યા તો ત્રણેય નેતાઓએ ચાલતી પકડી હતી. જેના પગલે કોંગ્રેસમાં જુથવાદ હજી પણ યથાવત્ત હોવાનું સ્પષ્ટ રીતે દેખાયું હતું. આટલા જુથ ઓછા પડતા હોય તેમ જગદીશ ઠાકોરનાં આવવાથી વધારે એક જુથ પડી ગયું હોવાનું લાગી રહ્યું છે. જાે કે હવે કોંગ્રેસ સારા દિવસોની રાહ જાેઇ રહ્યું હતું ત્યાં, ગુજરાત કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને કોંગ્રેસ તરફથી પૂર્વ રાજ્યસભા સાંસદ રહી ચુકેલા સાગર રાયકાએ પણ કોંગ્રેસનો સાથ છોડી દીધો હતો. તેઓએ કોંગ્રેસમાંથી અધિકારીક રીતે ભાજપમાં જાેડાયા હતા. જેના પગલે કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો હતો. અત્રે નોંધનીય છે કે, ઉત્તર ગુજરાતનાં દિગ્ગજ નેતાઓ પૈકીનું સૌથી મોટુ નામ સાગર રાયકા છે. તેઓ ઓબીસી સમાજમાં મજબુત પકડ ધરાવતા નેતા હતા. જાે કે ગમે તે કારણોથી તેમણે કોંગ્રેસનો સાથ છોડી દીધો હતો.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુજરાતમાં મેઘાની રમઝટ: આ વિસ્તારમાં એક-એક ઈંચ વરસાદ થતાં વાતાવરણ ઠંડક પ્રસરી

    મહેસાણા-મહેસાણા જિલ્લામાં આજે સવારથી સાંજ સુધી સાર્વત્રિક વરસાદ નોંધાવા પામ્યો હતો. જિલ્લાના ઊંઝા તેમજ જોટાણા પંથકમાં એક-એક ઈંચ વરસાદ થતાં વાતાવરણ ઠંડક પ્રસરી હતી. જ્યારે એક વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહન વ્યવહારને અડચણ ઉભી થઈ હતી. સૌથી વધુ વરસાદ વિજાપુર તાલુકામાં ૩૪ મીમી જેટલો પડતાં શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયેલ જોવા મળ્યા હતા. મહેસાણા શહેરમાં પણ સવારે અગ્યાર વાગ્યાના સુમારે ગણતરીના સમયમાં ૧૨મીમી જેટલો વરસાદ ખાબકતાં માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. વિજાપુર તાલુકામાં આજે સૌથી વધુ ૩૪ મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. ગાજવીજ સાથે ધમાકેદાર વરસી રહેલ વરસાદે સમગ્ર પંછકમાં ઠંડક પ્રસરી દીધી હતી.  સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાદરવા માસમાં ચોમાસુ ભરપૂર જામ્યું છે ત્યારે આજે નવા સપ્તાહના પ્રારંભે સર્વ ત્ર ગાઢ માહોલ બંધાયો છે. તા. 30 સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. તો કચ્છમાં ગઇકાલે એકથી અઢી ઇંચ વરસાદ વરસ્યો છે. ગુજરાતના 147 તાલુકામાં હળવો-ભારે વરસાદ નોંધાયો છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    મહેસાણા : જિલ્લાના 135 ગામમાં પ્રથમ ડોઝનું 100% રસીકરણ

    મહેસાણાઆગામી તા.17 મીએ વડાપ્રધાનના જન્મ દિવસ સુધીમાં મહેસાણા જિલ્લાના 250 ગામમાં પ્રથમ ડોઝનું 100% વેક્સિનેશન કરવાનો લક્ષ્‍યાંક અપાયો છે. અત્યાર સુધીની કામગીરીમાં 135 ગામમાં પ્રથમ ડોઝનું 100% વેક્સિનેશન પૂર્ણ થયું છે. મહેસાણા જિલ્લાના 610 ગામ પૈકી 135 ગામમાં વેક્સિનના પ્રથમ ડોઝનું 100% કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે. જેમાં સાૈથી વધુ મહેસાણા તાલુકાના 35 તેમજ વિજાપુર તાલુકાના 33 ગામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વડનગર તાલુકાના 21 ગામ, કડી તાલુકાના 15 ગામ, વિસનગર તાલુકાના 10 ગામ, જોટાણા તાલુકાના 8 ગામ, ઊંઝા તાલુકાના 6 ગામ, બહુચરાજી તાલુકાના 3 ગામ, ખેરાલુ તાલુકાના 3 ગામ અને સતલાસણા તાલુકાના 1 ગામમાં પ્રથમ ડોઝનું 100% વેક્સિનેશન પૂર્ણ થઇ ચૂક્યું છે. બીજી બાજુ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા બાકી રહેતાં 115 ગામમાં 100% વેક્સિનેશન પુરૂ કરવા જે ગામમાં પ્રથમ ડોઝનું વેક્સિનેશન વધુ થયુ આય તેવા ગામોમાં ગ્રામ સભા યોજી ગ્રામજનોને વેક્સિનેશન માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. મહેસાણા જિલ્લામાં રસીકરણને વેગ આપવા માટે જિલ્લાના સરકારી તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
    વધુ વાંચો
  • ધર્મ જ્યોતિષ

    મોઢેરા મંદિર હવા સૌરઉર્જાથી જળહળશે, બનશે દેશનું સૌથી મોટું સોલાર વિલેજ

    મહેસાણા-સૂર્ય મંદિર આરટીઓ લોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા હસ્તક હોવાથી તેની પરમીશન મેળવી છે અને મંદિરના પરિસરમાં પાર્કિંગ પ્લોટ ખાતેથી સમગ્ર સિસ્ટમ ઓપરેટ થશે અને આ પ્રોજેક્ટ નું કામ હાલ પૂર્ણતા ના આરે છે. હાલમાં મોઢેરા ગામ વાસીઓ તથા મંદિરની વીજળીની જરૂરિયાત કલાક દીઠ માત્ર દસ હજાર છે, પરંતુ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી પ્રોજેક્ટ દ્વારા કલાક ૧૫૦ લાખ યુનિટ વીજ ઉત્પાદન આ પ્રોજેક્ટમાં આવશે. જેથી ગુજરાત માટે ખુશીની વાત કહી શકાય કે, સૂર્યમંદિર અને મોઢેરા ગામ દેશનું પ્રથમ સોલાર વિલેજ બનવા જઇ રહ્યું છે.મોઢેરા ખાતે આવતા પ્રવાસીઓ મંદિરની શોભા માત્ર દિવસ દરમિયાન જાેઈ શકે છે. ત્યારે આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ પ્રોજેક્ટમાંથી ઉત્પન્ન થતી વીજળી દ્વારા મંદિર પરિસર સૌર ઊર્જાથી ઝળહળી ઉઠશે. જેમાં રાત્રી દરમિયાન સુંદર લાઇટિંગના નજરા સાથે જાેવા મળશે. જેથી સૂર્ય મંદિરની નવી ઓળખને નિહાળવા પર્યટકોમાં પણ વધારો નોંધાઇ શકે છે.પ્રોજેકટનું મોટાભાગનું કામ પૂર્ણતાના આરે છે. દેશનો પ્રથમ સોલાર પ્રોજેકટ મોઢેરાથી નજીક આવેલ સુજણપુરા ખાતે સ્થાપિત કરવામાં આવ્યો છે. જે પ્રોજેક્ટની કામગીરી પુરજાેશમાં ચાલી રહી છે. જ્યાં લગભગ કામગીરી પૂર્ણ થવા આવી છે. મોઢેરા ગામમાં મકાનોની છત પર સોલાર સિસ્ટમ લાગવાની કામગીરી ચાલી રહી છે. જેમાં મોઢેરા ગામમાં પંચાયત, શાળાઓ, મંદિરો, દવાખાનાઓ અને મકાનો પર મોટા ભાગની સોલાર સિસ્ટમ ફિટ કરી દેવામાં આવી છે અને બાકી રહેલા મકાનો પર સિસ્ટમ લગાડવાની કામગીરી ચાલી રહી છે.સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આગામી ૧૭ સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી મોદી આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરાવી શકે છે. જાેકે આ અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. સુપ્રસિદ્ધ મોઢેરા ગામને હવે સોલારથી ચાલનાર ગામ તરીકે ઓળખ મળશે. મોઢેરા ખાતે આવેલું સૂર્યમંદિર સુપ્રસિદ્ધ મંદિર છે. જેના કારણે મોઢેરા ગામને દેશ દુનિયાના લોકો ઓળખતા થયા છે. જેમાં હવે દેશનો પ્રથમ મોટો સોલાર પ્રોજેક્ટ સ્થાપિત થવાના કારણે હવે આ ગામને ફરી એક નવી ઓળખ મળી છે. જેમાં ભારતનું એક માત્ર એવું ગામ કે જ્યાં માત્ર સોલારથી ઉપકરણો ચાલશે. જેથી હવે દેશ વિદેશમાં સોલાર વિલેજ તરીકે મોઢેરા ગામ અને સૂર્યમંદિર ઉભરી આવશે. મહેસાણા જિલ્લામાં આવેલું મોઢેરા ગામ સૂર્યમંદિરના કારણે દેશ અને દુનિયામાં વિખ્યાત છે. સૂર્યમંદિરના કારણે અહીં દેશ-દુનિયાના લોકો મોઢેરા ગામ અને મંદિરને નિહાળવા ખેંચાઈ આવે છે. જેથી મોઢેરા ગામને એક નવી અને આગવી ઓળખ પણ મળી રહી છે. જ્યારે મોઢેરા ગામ હવે દેશનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ ચલાવનાર ગામ બનવા જઇ રહ્યું છે. જેનું કામ હાલમાં પુરજાેશમાં ચાલી રહ્યું છે. મોઢેરામા રૂપિયા ૬૯ કરોડના ખર્ચે દેશનો પ્રથમ સોલાર પ્રોજેક્ટ બની રહ્યો છે. આ પ્રોજેક્ટ થકી સમગ્ર મોઢેરા ગામ અને સૂર્યમંદિર સૌર ઊર્જા પર ચાલશે. રુપિયા ૬૯ કરોડનો કુલ ખર્ચ ધરાવતો આ પ્રોજેક્ટ રાજ્ય સરકારની નોડલ એજન્સી ગુજરાત પાવર કોર્પોરેશન લીમીટેડ દ્વારા મહિન્દ્રા કંપની મહિન્દ્રા સસ્તેન લિમિટેડનો છે. જે દક્ષિણ કોરિયાથી ટેકનોલોજી આયાત કરે છે. જેમાં ખાસ વિશેષતા એ છે કે, બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ બીઇએસેસ ધરાવતા બજેટમાં ઉત્પાદિત સોલર એનર્જીનો ઉપયોગ રાત્રે પણ થશે. રુપિયા ૬૯ કરોડના આ સોલાર પ્રોજેક્ટ દ્વારા ઉત્પાદિત સોલાર એનર્જી મોઢેરા ગામના કુલ ૧૬૧૦ ઘરોમાં અને સૂર્યમંદિરને દિવસ-રાત સૂર્ય ઉર્જા પૂરી પાડવામાં આવશે. કુલ ઘરો પૈકીના ૨૭૧ ઘર ઉપર એક કિલો વોટની રુફટોપ સિસ્ટમ પણ હાલમાં લગાવવાની કામગીરી પૂરજાેશમાં ચાલી રહી છે. જે વીજળી ઘર માલિકો ગ્રેડમાં વહેંચી પણ સબસે સ્માર્ટ પણ લગાવવામાં આવશે. કેન્દ્રના બિન પરંપરાગત ઉર્જા પર પ્રભાવ કે આ પ્રોજેક્ટ માટે ૫૦ ટકા લેખે રૂપિયા ૨.૫ કરોડ ફાળવ્યા છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    મહેસાણા જિલ્લાના ખેડૂતોએ ખેતીની પદ્ધતિ બદલી, વર્ષે 80 લાખનું ટર્નઓવર કર્યું

    મહેસાણા-મહેસાણા જિલ્લામાં વિજાપુર તાલુકાના માઢી ગામના ખેડૂતો પ્રગતિની વાટે જઈ રહ્યા છે. માઢી ગામના ખેડૂતો હાલ પાણીના સ્તર ઉંડા જતાં ખેતી છોડી શાકભાજીના રોપા ઉછેર તરફ વળ્યા છે. રૂટિન ખેતીમાં થતા નુકશાનથી બચવા માઢી ગામના ખેડૂતોએ નવી પદ્ધતિ અપનાવી છે. માઢી ગામના ૫૦ ટકા ઉપરના ખેડૂતોએ શાકભાજીના રોપા ઉછેરનો વ્યવસાય કરી રહ્યા છે. ગુજરાતના ૧૫ તાલુકામાં તેમજ રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં માઢી ગામના રોપાનો વેપાર થાય છે. વર્ષે આ ગામનું ૮૦ લાખનું ટર્નઓવર છે. માઢી ગામના ખેડૂતો રોપા ઉછેર કરી અઢળક આવક મેળવી રહ્યા છે. રોપા ઉછેરના આ વ્યવસાયથી ગામના ગરીબ પરિવારને રોજગારી પણ આપી રહ્યા છે. મહેસાણા જિલ્લામાં વિજાપુર તાલુકાના માઢી ગામના ખેડૂતો શાકભાજીના રોપા ઉછેર કરી ગામનું ૮૦ લાખનું ટર્નઓવર કરી રહ્યા છે. આ ગામના રોપા ગુજરાત સહિત વિજાપુરથી ૨૦ કિ.મી દૂર આવેલ માઢી ગામના ખેડૂતો રૂટિન ખેતી છોડી બાગાયતી ખેતીમાં શાકભાજીના રોપા ઉછેરના વ્યવસાયમાં જાેતરાઈ ગયા છે. રૂટિન અને રૂઢિચુસ્ત ખેતીમાં યોગ્ય ભાવ નહિ મળતા હવે અહીંના ખેડૂતો નવતર પ્રયાસ તરફ વળ્યા છે. આ ગામના ૫૦ ટકા ખેડૂતોએ શાકભાજીના ધરું ઉછેરની ખેતી શરૂ કરીને મબલક આવક પણ મેળવી રહ્યા છે. માઢી ગામમાં ૭૦થી વધુ શાકભાજીના રોપાની નાની મોટી નર્સરી આવેલી છે, જેમાં પ્રત્યેક નર્સરી ધરાવતા ખેડૂત વર્ષે ૨૦ લાખથી વધુની કમાણી કરી રહ્યા છે. માઢી ગામના ખેડૂતોની આ વ્યવસ્થાને કારણે ગરીબ વર્ગના પરિવાર માટે ગામમાં જ રોજગારીની તકો પણ ઉભી થઇ છે. માઢી ગામમાં અનેક પરિવાર ને રોજી રોટી પણ મળતી થઈ છે. રૂટિન ખેતીમાં ખૂબ જ જટિલ કામનો બોઝ રહેતો હોય છે ત્યારે રોપા ઉછેરમાં હાર્ડ વર્ક ખૂબ ઓછું રહેવાથી ગામની મહિલાઓ તેમજ અન્ય લોકોને મજૂરી માટે ભાગદોડ કરવી પડતી નથી અને ગામમાં જ રોજગારી મળતા ગુજરાન ચલાવવું સરળ બન્યું છે. માઢી ગામમાં મોટા પાયે સોઇલલેસ એટલે કે પ્લગ ટ્રે પદ્ધતિથી રોપા તૈયાર કરવામાં આવે છે. આ પદ્ધતિથી તૈયાર થતા ધરૂમાં રોગ લાગવાની શક્યતાઓ રહેતી નથી. અહીંના ખેડૂતોને તાલીમ આપવાની સાથે સાથે ગ્રીનહાઉસ અને નેટહાઉસના કુલ ખર્ચના ૫૫ ટકા લેખે બાગાયત વિભાગ સરકારી સહાયની માહિતી આપી ખેડૂતોને મદદ કરવાના પ્રયાસ પણ કરી રહ્યા છે. માઢી ગામના ખેડૂતોનો રોપા ઉછેરમાં ઉત્સાહ જાેઈ બાગાયત વિભાગ દ્વારા પણ અનેક સેમિનારનું આયોજન કરી પૂરતું ધ્યાન આપી તેમનો ઉત્સાહ વધારવામાં આવે છે અને બનતી તમામ સહાયતા અને સરકાર દ્વારા અપાતી સહાય પણ તેમને સમજાવી મદદ રૂપ થવાનો તંત્ર પણ પ્રયાસ કરી રહ્યું છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ભારતના પ્રથમ સોલાર પ્રોજેક્ટનુ, સપ્ટેમ્બર માસમાં રાજયના આ શહેર ખાતે લોકાર્પણ

    મહેસાણા-રાજયના મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં, આવેલું સુપ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરને, રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. ભારતનો પ્રથમ સોલાર પ્રોજેક્ટ મોઢેરામાં હોવાથી આગામી સમયમાં આ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવનાર છે. મોઢેરા સૂર્યમંદિરથી ત્રણ કિલોમીટર દૂર આવેલા સૂજાણ પુરા ગામ ખાતે સોલાર પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે જે ભારતનો પ્રથમ સોલાર પ્રોજેકટ છે. 69 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ સોલાર પ્રોજ્કટનું સપ્ટેમ્બર માસમાં લોકાપર્ણ કરવામાં આવનાર છે. આ સોલાર પ્રોજેક્ટથી મોઢેરા સૂર્યમંદિર અને ગામમાં આવેલા 1610 પરિવારને, સોલાર વીજળી પુરી પાડવામાં આવશે.  આ ખાસ પ્રસંગે મોઢેરા સૂર્યમંદિરને, રંગબેરંગી રોશની થી, શણગારવામાં આવ્યું છે. જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ પ્રોજક્ટનુ લોકાપર્ણઁ થઈ ગયા પછી, મોઢેરા સૂર્યમંદિર રાત્રીના સમયે આવી રીતે જ ઝળહળતુ જોવા મળશે.
    વધુ વાંચો
  • ગુજરાત

    પોલીસમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરી ફરી વિવાદમાં, ડ્યૂટી પર ત્રણ વીડિયો બનાવ્યા

    અમદાવાદ-મહેસાણા પોલીસમાં ફરજ બજાવતા અને ટિકટોક તથા ઈન્સ્ટાગ્રામમાં વીડિયો બનાવી પ્રખ્યાત થયેલ મહિલા કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરી ફરી એકવખત વિવાદોમાં સપડાયા છે. બહુચરાજી મંદિરમાં હાજર ડ્યૂટી પર ત્રણ વીડિયો બનાવી સોશિયલ મિડીયા પર વહેતા કર્યા હતા. જો કે આ વિડીયો સામે આવતા જ પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે. અગાઉ પણ અલ્પિતા ચૌધરીએ હાજર ડ્યૂટીએ વર્ધી પહેરીને ટીકટોકનો વિડીયો બનાવ્યો હતો. જો કે ઉપરી અધિકારીઓને જાણ થતા અલ્પિતા ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમ છતા પણ અલ્પિતા ચૌધરીએ ફરી એક વખત નિયમો નેવે મુકીને બહુચરાજી મંદિરમાં ફરજ પર વર્ધી પહેરીને વિડીયો બનાવ્યો છે ત્યારે હવે પોલીસના ઉચ્ચ અધિકારીઓ શું કાર્યવાહી કરશે તે એક પ્રશ્નએ પોલીસ બેડામાં જોર પકડ્યું છે. મહેસાણા જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા અને ટિકટોક તથા ઈન્સ્ટાગ્રામમાં પોતાના વીડિયો બનાવી પ્રખ્યાત થયેલા મહિલા કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરી ફરી એકવાર વિવાદમાં આવ્યાં છે. ગુજરાત પોલીસની ખાખી વર્દી પહેરી તેમણે બહુચરાજી મંદિરમાં ત્રણ વીડિયો બનાવ્યાં છે. ઈન્સ્ટાગ્રામમાં રિલ્સમાં તેમણે પોતાના વીડિયો મુક્યાં છે. અગાઉ પણ તેમણે વીડિયો બનાવતાં સસ્પેન્ડ થયાં હતાં પણ ફરીવાર તેમણે પોલીસની વર્દી પહેરીને વીડિયો બનાવતાં અનેક સવાલો ઉભા થયાં છે. બહુચરાજી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીની તપાસમાં અર્પિતા ગેરહાજરી જોવા મળી હતી. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દ્વારા સ્ટેશન ડાયરીમાં ગેરહાજરી બાબતે નોંધ કરાઈ છે. બીજી તરફ વિવાદિત પોલીસ કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરીએ વધુ એક વખત નિયમ નેવે મુક્યો છે. બહુચરાજી મંદિરમાં ફરજ ઉપર મુકાયેલી અર્પિતા ચૌધરીએ ફિલ્મ સોંગ્સ પર વીડિયો બનાવી પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર મુક્યા હતા. પોલીસ ડ્રેસમાં ચાલુ ફરજે રિલ્સ બનાવ્યા હતા. આ મામલે બહુચરાજી સરપંચ દેવાંગ પંડ્યાએ જિલ્લા પોલીસ વડાને એક પત્ર લખ્યો છે. જેમાં અલ્પિતા ચૌધરીના વીડિયોથી ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી હોવાની વાત જણાવવામાં આવી છે. અર્પિતાના આ વીડિયોમાં મંદિર પરિસરમાં કરવામાં આવેલી એક્ટિંગ ભક્તો માટે આપતિ જનક હતી. ત્યારબાદ સરપંચ દેવાંગ પંડ્યાએ આ મામલે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અલ્પિતા ચૌધરીને અનેક લોકો ફોલો કરવા લાગ્યા છે. તેની રીલ્સ અને ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર પણ હજારો લાઇક્સ હોય છે ત્યારે તેણે પોતાની ભૂતકાળની ભૂલને ફરી વગોવી છે. અગાઉ જ્યારે આ વિવાદ છંછેડાયો ત્યારે તત્કાલીન પોલીસ વડાએ સ્પષ્ટ સૂચના આપી હતી કે પોલીસ વર્દીમાં કોઈ પણ અધિકારી આ પ્રકારની ગેરશિસ્ત આચરી શકશે નહીં. દરમિયાન ફરીવાર અલ્પિતા ચૌધરીની રીલ વાયરલ થઈ છે ત્યારે આ વખતે પોલીસ ડિપાર્ટમેન્ટ શું પગલા ભરે છે તે જોવું રહ્યું.
    વધુ વાંચો
  • ગુજરાત

    મહેસાણાની 22 વર્ષીય યુવતીએ કેન્સરગ્રસ્ત ને મદદરૂપ થવા કરાવ્યું મુંડન, જાણો વધુ

    મહેસાણા-માથાના વાળ એ સ્ત્રીની પહેલી સુંદરતાનું પ્રતીક હોય છે અને કોઈ સ્ત્રી માટે તેના માથાના વાળ એ પ્યારું અંગ હોય છે. સમાજમાં કેન્સરગ્રસ્ત લોકો પોતાની સારવારને કારણે વાળ ગુમાવતા હોય છે અને તેઓ જાહેરમાં ફરતા શરમ કે સંકોચ અનુભવતા હોય છે. આ પરિસ્થિતિ મહિલાઓ માટે ખૂબ કઠિન સાબિત થતી હોય છે. જોકે વર્ષ 2015થી વિસનગરમાં શરૂ થયેલ એક સંસ્થાના સંચાલક તૃપલભાઈ પટેલે પોતે સામજિક સેવા કાર્યથી પ્રેરાઈ સોશિયલ મીડિયામાં બાલ્ડ બ્યૂટી વર્લ્ડ  નામથી પ્રચાર પ્રસાર શરૂ કરતાં રાજ્યમાં 600 થી વધારે અને ભારતમાં 1500થી વધારે સ્ત્રીઓએ પોતાની ઈચ્છાથી કેન્સરગ્રસ્તોને મદદરૂપ થવા પોતાના વાળનું દાન કર્યું છે.કેન્સરગ્રસ્તોની મદદ માટે વાળનું દાન કરનાર મહેસાણાની 22 વર્ષીય શિક્ષિત યુવતી તિથિ પ્રજાપતિએ અમદાવાદ ખાતે જઈને સલૂનમાં પોતાના વાળ કપાવી મુંડન કરાવ્યું છે. તિથિ દ્વારા પોતાના વાળ આગામી દિવસમાં બોમ્બેની એક મદદ નામની સંસ્થાને મોકલવામાં અવનાર છે, જે સંસ્થા વાળનું દાન સ્વીકારી તે વાળની વિગ બનાવડાવીને કેન્સરગ્રસ્તોમાં જરૂરિયાતમંદ લોકો માટે નિઃશુલ્ક વિતરણ કરે છે. તિથિ પોતે મુંડન કરાવ્યા બાદ સમાજમાં ખુલ્લા માથે ફરશે જેથી જે લોકોને કેન્સર કે કોઈ અન્ય સમસ્યામાં માથાના વાળ નથી તે લોકો માટે પણ તે શરમ કે સંકોચ દૂર કરવાની પ્રેરણા પુરી પાડશે. કેન્સરગ્રસ્તોની સારવાર દરમિયાન માથાના વાળ જતાં રહેતાં હોય છે. જેને લઇને ઘણીવાર તેઓ ક્ષોભશરમ અનુભવતાં હોય છે. તેવા શરમસંકોચને દૂર કરવા માટે મહેસાણાની 22 વર્ષની એક યુવતી તિથિએ પોતાના વાળ કઢાવી નાંખી અમદાવાદમાં મુંડન કરાવ્યું હતું. તિથિ પોતાના વાળ કેન્સરગ્રસ્તો માટે વિગ બનાવતી સંસ્થાને મોકલી આપશે.
    વધુ વાંચો
  • ગુજરાત

    વાહ...વડગામનાં યુવાનોનું સરાહનીય કાર્ય,જ્ઞાનરથ દ્વારા બાળકોને ઘર આંગણે શિક્ષણ આપ્યું!

    વડગામ-કોરોના વાયારસ કારણે સમગ્ર દુનિયા પરેશાન છે. જેમાંથી આપણું શિક્ષણ જગત પણ બાકાત રહ્યું નથી. કોરોનાની બીજી લહેરમાં આ વાયરસનુ સંક્રમણ ફેલાતું અટકાવવા અને ખાસ કરીને બાળકોના આરોગ્યની કાળજી લેવા માટે કોવિડની ગાઇડલાઇન અનુસાર શાળાઓ બંધ છે, પરંતું ઓનલાઇન શિક્ષણ તો ચાલુ જ છે. આપણા સૌના આરોગ્યની ચિંતા કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી રાજ્ય સરકાર દ્વારા કોરોનાનું સંક્રમણ હવે હળવું થતાં તબક્કાવાર નિર્ણયો લઇ ઓનલાઈન શિક્ષણમાંથી હાઇસ્કુલ અને કોલેજકક્ષાએ ઓફલાઈન શિક્ષણ કાર્ય શાળા, કોલેજોમાં શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ શિક્ષણના પાયા સમાન ગણાતા પ્રાથમિક શિક્ષણની શાળાઓ હજુ બંધ છે ત્યારે બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે શેરી શિક્ષણ અને વરર્ચ્યુઅલ માધ્યમથી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.  બનાસકાંઠા જિલ્લાના બે યુવા શિક્ષણ સારથીઓ ધાનેરા તાલુકાના ધાખા સી.આર.સી.કો-ઓર્ડીનેટરશ્રી પ્રકાશભાઈ પટેલ અને થાવર સી.આર.સી.કો-ઓર્ડીનેટરશ્રી વશરામભાઇ પટેલ શિક્ષણનો જ્ઞાનરથ બનાવી ગામડાઓ ખુંદી રહ્યાં છે. શાળાઓ બંધ છે તેની અસર બાળકોના શિક્ષણ કાર્ય પર પડે નહીં તે માટે આ બે સી.આર.સી.કો-ઓર્ડીનેટરશ્રીઓએ સરસ મજાનો જ્ઞાનરથ તૈયાર કર્યો છે. જે બાળકોને ઓનલાઇન શિક્ષણ અંગે માહિતગાર કરી રહ્યો છે. કોરોનાના કારણે પ્રત્યક્ષ પ્રાથમિક શિક્ષણ કાર્ય હજુ સુધી બંધ છે. શાળાઓ બંધ છે એટલે બાળકો શાળાએ આવતા નથી ત્યારે સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા બાળકોના શિક્ષણ માટે વિવિધ પ્રકારના ઓનલાઇન કાર્યક્રમો અને ઓનલાઇન માધ્યમ થકી શિક્ષણ આપવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. બાળકો પોતાના ઘરે રહીને પણ શિક્ષણ મેળવતાં રહે તેના માટે આ સંવેદનશીલ સરકાર સતત પ્રયત્નશીલ રહી છે. બાળકો અને વાલીઓ શિક્ષણના વિવિધ પ્રકલ્પોની સમજ મેળવે અને નિયમિત રીતે અભ્યાસ સાથે જોડાયેલા રહે એ ઉંડા અને ઉમદા હેતુથી બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ધાખા સી.આર.સી.કો-ઓર્ડીનેટરશ્રી પ્રકાશભાઈ પટેલ અને થાવર સી.આર.સી.કો-ઓર્ડીનેટરશ્રી વશરામભાઇ પટેલ દ્વારા ટ્રેકટર ટ્રોલીને જ્ઞાનરથ નામનું મોબાઈલ વાહન બનાવી સરકારના ઓનલાઈન શિક્ષણની વિવિધ પ્રકલ્પોની સમજ આપી શકાય તેવા બેનરો સાથે ગામડાઓ, શેરીઓમાં ખુંદીને વાલીઓ અને બાળકોને ઓનલાઈન શિક્ષણ કાર્ય વિશે સમજ આપી વિધાર્થીઓ અને વાલીઓમાં ઉદભવતા પ્રશ્નોની વિગતે સમજ આપી રહ્યાં છે.  બે યુવા શિક્ષણ સારથી સી.આર.સી.કો-ઓર્ડીનેટરઓએ જણાવ્યું કે, અમે જ્ઞાનરથ દ્વારા દરરોજ એક ગામની મુલાકાત લઈએ છે. ગામમાં જાહેર સ્થળો અને શેરીઓમાં જ્ઞાનરથ લઈ જઈને બાળકોમાં શિક્ષણ પ્રત્યે રસ-રૂચિ કેળવાય તેનો પ્રચાર-પ્રસાર કરીએ છીએ. ઓનલાઈન શિક્ષણ કઈ એપથી મેળવવું, ડી. ડી. ગીરનાર ચેનલ પર ક્યારે અને કેટલાં સમયે કયા વિષયનો પિરીયડ આવે છે, જેવી વિવિધ બાબતો વિધાર્થીઓને સમજાવીએ છીએ. અમારા જ્ઞાનરથ દ્વારા ધાનેરા તાલુકાના માલોત્રા, ધાખા, જોરાપુરા, થાવર, જાડી, મોટામેડા, રામસિંહપુરા, રમુણા અને સાંકડ ગામની મુલાકાત લઈ વિધાર્થીઓ અને વાલીઓને ઓનલાઈન શિક્ષણ વિશે સંપૂર્ણ માહિતગાર કરવામાં આવ્યાં છે. ઓનલાઈન શિક્ષણના બેનર પ્રકલ્પોમાં ઓનલાઇન શિક્ષણ, જી-શાળા, દિક્ષા એપ્લિકેશન, માઈક્રોસોફ્ટ ટીમ, શેરી શિક્ષણ, વોટસપ સ્વ-મૂલ્યાંકન તથા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા અને શિક્ષણની યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, બાળકો ઘરે રહીને પણ સતત અભ્યાસ કરતાં રહે તથા શિક્ષણ સાથે સંકળાયેલા રહે એ માટે શિક્ષણના વિવિધ માધ્યમોનો ઉપયોગ વિધાર્થીઓ નિયમિત કરતાં રહે એ માટેની યોગ્ય સમજ માટે જ્ઞાનરથનું અમે આયોજન કર્યુ છે. જે છેલ્લા એક સપ્તાહથી વિવિધ ગામડાઓમાં ફરે છે અને અત્યારે પણ ચાલુ છે. આ જ્ઞાનરથ ગામમાં જાય ત્યારે બાળકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાય છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધીમાં ૯ ગામના ૨,૫૦૦થી વધુ બાળકો અને વાલીઓમાં અમે ઓનલાઈન શિક્ષણની સમજણ આપવામાં અમે સફળ રહ્યાં છીએ, જેના પરથી અમને લાગે છે કે, જે ઉદેશ્યથી અમે આ કાર્ય શરૂ કર્યુ હતું તે હેતુ સિધ્ધ થઇ રહ્યો છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ઉત્તર ગુજરાતની જીવાદોરી ધરોઇ ડેમમાં 598 ફૂટ પાણીનો જથ્થો ઉપલબ્ધ

    મહેસાણા-મહેસાણા જિલ્લામાં આવેલો ધરોઈ ડેમ ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાઓના અનેક ગામો અને શહેરોને પીવાનું પાણી પૂરું પાડે છે. ધરોઈ ડેમમાં ચાલુ વર્ષે પાણીની આવક થઇ નથી પરંતુ હજુ પણ ડેમમાં ૫૯૮ ફૂટ પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાથી લોકોને પીવાનું પાણી તેમજ ઘર વપરાશનું પાણી મળી રહેશે, પરંતુ પિયત માટે પાણીનો જથ્થો નહિવત હોવાના કારણે મહેસાણા જિલ્લાના ખેડૂતોના માથે ચિંતન વાદળો ઘેરાયા છે. ઉત્તર ગુજરાતમાં જાેઇ તેવો વરસાદ હજી સુધી નોંધાયો નથી. ઉપરવાસથી પણ પાણીની આવક ડેમોમાં જાેવા મળી રહી નથી. જીવાદોરી સમાન ધરોઇ ડેમમાં ચાલુ વર્ષે પાણીની આવક થઇ નથી. જાેકે ગયા વર્ષે ચારા વરસાદના કારણે ડેમમાં પાણીનો જથ્થો છે જાેકે તે માત્ર શહેરોની પાણીની સમસ્યાને પહોંચી શકે તેમ છે. પરંતુ ડેમમાં એટલું પાણી નથી કે તે ખેડૂતોની પાણીની જરૂરિયાતને પૂરી કરી શકે. ડેમમાં પિયત માટે જરૂરી પાણી ન હોવાથી ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. ધરોઇ ડેમમાંથી સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લાના ૭૦૧ ગામ અને ૧૨ શહેરોના રહેવાસીઓને પાણી પૂરુ પાડવામાં આવે છે. ચાલુ સિઝનમાં અત્યારસુધીમાં ઓછો વરસાદ થવાથી ધરોઇ ડેમમાં નવા નીરની આવક થઇ નથી. ડેમમાં હાલ ૫૯૮ ફૂટ પાણીના જથ્થાનો સંગ્રહ છે. જે ગત વર્ષની તુલનાએ ત્રણ ફૂટ ઓછો છે. ધરોઇ જળાશય અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓના મતે ચાલુ વર્ષે વરસાદ ન આવે અને ડેમમાં નવા પાણીની આવક ન થાય તો પણ પીવાના પાણીની અછત સર્જાશે નહીં. પીવાના પાણીનું સંકટ દૂર થતાં લોકોમાં ખુશી છે. જાેકે સિંચાઇ માટે ડેમમાં ૬૨૨ ફૂટની સપાટી જરૂરી છે. માટે ખેડૂત ચિંતિત છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    આયોજનબદ્ધ શહેરી વિકાસની દિશામાં આગે કુચ, ગાંધીનગર-ગુડાની ડ્રાફ્ટ TP-રાજકોટની ડ્રાફ્ટ TPને પણ CMએ મંજુરી આપી

    ગાંધીનગર-મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના મહાનગરો-નગરોના વિકાસને આયોજનબદ્ધ રીતે આગળ ધપાવી સર્વગ્રાહી શહેરી વિકાસની નેમ અન્વયે એક જ દિવસમાં ત્રણ નગરોના વિકાસ નકશા- ડેવલપમેન્ટ પ્લાનના આખરી-ફાઇનલ નોટીફિકેશન ને મંજુરી આપી છે.મુખ્યમંત્રીએ જે ત્રણ નગરોના આવા ડેવલપમેન્ટ પ્લાનના ફાયનલ નોટીફીકેશનને મંજુરી આપી છે તેમાં મહેસાણા, બારડોલી અને ધરમપુરનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તર ગુજરાતના મહત્વના શહેર મહેસાણાના છેલ્લા બે દશકમાં થયેલા ઉત્તરોત્તર વિકાસ તેમજ શહેરની આગવી ઓળખ માટેના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ સૂચનોને આવરી લઈને તૈયાર થયેલા મહેસાણા ડી.પી.ને આખરી મંજૂરી આપી છે. આ ઉપરાંત તેમણે દક્ષિણ ગુજરાતના ધરમપુર નગરના ડેવલપમેન્ટ પ્લાનના ફાઇનલ નોટીફિકેશનને પણ મંજૂર કર્યું છે. મુખ્યમંત્રીએ બારડોલી શહેરી વિકાસ સત્તા મંડળ-બુડા અંતર્ગત બારડોલી શહેર અને આસપાસના ૧૬ ગામોના વિકાસ નકશાઓને આપેલી પ્રાથમિક મંજૂરી અને તેમાં આવેલા વાંધા-સૂચનોને ગુણવત્તાના ધોરણે ધ્યાનમાં લઈને બારડોલીના વિકાસ નકશાને પણ આખરી મંજૂરી આપી છે.મુખ્યમંત્રીએ આ ત્રણેય નગરોમાં ડેવલપમેન્ટ પ્લાનના ફાઇનલ નોટીફિકેશનને મંજૂરી આપતા હવે આવનારા બે દશક-૨૦ વર્ષ માટેનો આ શહેરોનો આયોજનબદ્ધ વિકાસ માર્ગ મોકળો થયો છે. મુખ્યમંત્રીએ આ ત્રણ નગરોના ડેવલપમેન્ટ પ્લાનના આખરી જાહેરનામાં મંજૂર કરવા સાથે જ ગાંધીનગર-ગુડા વિસ્તારની અને રાજકોટની ડ્રાફ્ટ ટી.પી.ને પણ મંજૂરી આપી છે. તદ્દનુસાર, પાટનગર ગાંધીનગરના આયોજનની પથરેખા પર જ સાબરમતી નદીના પૂર્વ વિસ્તારની અને ગિફ્ટ સિટીની ઉતરે પાલજ, બાસણ, લવારપુર, શાહપુરની ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં. ૨૫ ને મંજૂરી આપવામાં આવી છે. તે સાથે જ રાજકોટની રૈયા નં. ૧ (સેકન્ડ વેરીડ)ની ડ્રાફ્ટ ટીપી પણ મંજૂર થઈ છે. પાટનગર ગાંધીનગરની ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં. ૨૫ ને મંજુરી મળવાથી ગાંધીનગર મહાનગરમાં અંદાજે વધું ૩૫૦ હેક્ટર્સનો વિસ્તાર આયોજનબદ્ધ રીતે વિકસીત થશે. આ સ્કિમના પરિણામે ગાંધીનગર શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ –ગુડાને રસ્તા ઉપરાંત સામાજિક આર્થિક રીતે નબળા વર્ગોના લોકો માટે ૩.૫૦ હેક્ટર્સ, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે ૧૭ હેક્ટર, બાગ-બગીચા તેમજ ખુલ્લી જગ્યા માટે ૧૦ હેક્ટર જમીન સંપ્રાપ્ત થશે. એટલુ જ નહીં, રહેણાક-વાણિજ્યિક વેચાણના હેતુ માટે ૩૮.૬૬ હેક્ટર જમીન પ્રાપ્ત થશે. ગાંધીનગરના શહેરીજનોને આના પરિણામે વધુ સુવિધાઓ ઉપલબ્ધ બનશે. મુખ્યમંત્રીએ શહેરી વિકાસ આયોજન ને વધુ સુદ્રઢ અને સમયબદ્ધ બનવવા આવી ડી.પી ટી.પી ની મંજૂરીની કામગીરી વેગવંતી બનાવવા વિભાગ ના અધિકારીઓ ને સૂચનાઓ પણ આપી છે.    
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુજરાતના આ પ્રખ્યાત મંદિરને ચમકતું રાખશે, સરકારે સૌથી મોટો સોલાર પ્રોજેક્ટ શરૂ કરશે

    મહેસાણા-જિલ્લામાં આવેલા મોઢેરા ગામમાં સૂર્યમંદિરના કારણે દેશ અને વિશ્વમાં પોતાના બાંધકામને કારણે વિખ્યાત છે. સૂર્યમંદિરના કારણે દેશ તથા દુનિયાના લોકો મોઢેરા આવે છે. તેવામાં મોઢેરા ગામને વધારે એક ઓળખ આપવા માટે દેશનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ મોડેરામાં બનવા જઇ રહ્યો છે. હાલ કામગીરી પુરજાેશમાં ચાલી રહી છે. મોઢેરામાં ૬૯ કરોડનાં ખર્ચે દેશનો પ્રથમ સોલાર પ્લાન્ટ બની રહ્યો છે. આ પ્રોજેક્ટ થકી સમગ્ર મોઢેરા ગામ અને સુર્યમંદિર સૌરઉર્જાથી જ સંચાલિત થશે. સૂર્ય દેવની આરાધના માટે રાજા ભીમદેવ પહેલાએ અગિયારમી સદીમાં મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે સૂર્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. મોઢેરા ગામને સૂર્ય ઉર્જાથી પ્રજ્વલીત કરવાનો નવતર પ્રોજેક્ટ ગજરાત સરકાર અને કેન્દ્રના સહયોગથી આ પ્રોજેક્ટ મહિનાઓમાં પુર્ણ કરવાનો ટાર્ગેટ છે. ત્યાર બાદ વડાપ્રધાન મોદીના હસ્તે સમગ્ર પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. દેશનો પ્રથમ સોલાર પ્રોજેક્ટ મોઢેરાથી ૩ કિલોમીટર દુર સ્થિત છે. સુજાણપુરા ગામની બહાર ૬૯ કરોડના ખર્ચે બની રહેલા પ્રોજેક્ટ માટે સરકાર ૧૨ એકર જમીન ફાળવી છે. જ્યાં સોલાર ફોટોવોલ્ટેઇક પેનલ લગાવાઇ છે. જેમાં ત્રણ મેગાવોટ અને એક એવા બે યુનિટ મેગાવોટની ક્ષમતાવાળા પ્રોજેક્ટ ઉભા કરાશે. સાથે સાથે લીથીયમ બેટરીવાળી બીએસએસ ટેક્નોલોજીનો ઉપયોગ કરાશે. ૬૯ કરોડ રૂપિયાના ખર્ચ ધરાવતો આ પ્રોજેક્ટ રાજ્ય સરકારની નોડલ એજન્સી ગુજરાત પાવર કોર્પોરેશન લીમીટેડ દ્વારા મહિન્દ્રા કંપની લિમિટેડનો છે. દક્ષિણ કોરિયાથી ટેક્નોલોજી આયાત કરે છે. જેમાં વિશેષતા એવી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ બીઇએસેસ ધરાવતા બજેટના ઉત્પાદિત સોલાર એનર્જીનો ઉપયોગ રાત્રે પણ કરવામાં આવશે. ૬૯ ખર્ચે ખર્ચે ૨૭૧ ઘરો પર સોલાર રૂફટોપ લગાવવાની કામગીરી પુરજાેશમાં ચાલી રહી છે. વીજળી ઘરના માલિકો ગ્રેડમાં વહેંચી પણ સ્માર્ટ લગાવાશે. બિનપરંપરાગત ઉર્જા પર પ્રભાવ કે આ પ્રોજેક્ટ માટે ૫૦ ટકા લેખે રૂપિયા ૨.૫ કરોડ ફાળવાયા છે. સુર્ય મંદિર આરટીઓ લોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા હસ્તક હોવાથી તેની પરમીશન મેળવી અને મંદિરના પરિસરમાં પાર્કિંગ પ્લોટ ખાતેથી સમગ્ર સિસ્ટમ ઓપરેટ થશે.
    વધુ વાંચો
  • રાષ્ટ્રીય

    પીએમ મોદી વિવિધ વિકાસકાર્યોનું વચ્ર્યુઅલ લોકાર્પણ કરશે

    ગાંધીનગર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે શુક્રવારના રોજ રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે પુનઃ નિર્મિત ‘ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન’ તેમજ પંચતારક હોટેલના લોકાર્પણની સાથે ગુજરાતને અનેકવિધ વિકાસકામોની ભેટ આપશે. વડાપ્રધાન આવતીકાલે બપોરે ૪ કલાકે ગાંધીનગરના અદ્યતન નવિનીકરણ સાથે કાયાકલ્પ થયેલા ગાંધીનગર રેલ્વે સ્ટેશન સહીત આઠ જેટલા વિવિધ વિકાસલક્ષી કાર્યોનું નવી દિલ્હીથી ખાતેથી વચ્ર્યુઅલ લોકાર્પણ કરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદે હતા તે વેળા તેમણે ગુજરાતને દેશના સૌથી વિકસિત રાજ્ય તરીકે આગળ વધારવાનો સંકલ્પ કર્યો હતો. તેમની આ સંકલ્પનાના ભાગરૂપે જ ગાંધીનગર ખાતે વૈશ્વિક સ્તરનું ‘મહાત્મા મંદિર કન્વેનશન સેન્ટર કોમ્પ્લેક્સ‘ સાકારિત થયું. સૌ સુપરિચિત છે જ કે, વડાપ્રધાનની પ્રેરણાથી મૂર્તરૂપ પામેલું ‘મહાત્મા મંદિર’ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ સહિતની અનેકવિધ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય બિઝનેસ સમિટ, કોન્ફરન્સ, પ્રદર્શનો અને અવનવી સફળ ઇવેન્ટ્‌સનું સાક્ષી રહ્યું છે. ‘મહાત્મા મંદિર’ ખાતે નિયમિત રીતે યોજાતી દ્વિવાર્ષિક ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ’ બાદ તો આ સ્થળનું આકર્ષણ સૌના માટે અનેકગણું વધી ગયું. આ સ્થળ વિશ્વના અનેકાનેક દેશોના પ્રમુખો, વડાપ્રધાનો, સાંસદો, રાજદૂતો, ઉદ્યોગ સાહસિકો, વિજ્ઞાનીઓ અને શિક્ષણવિદો માટે મુખ્ય યજમાન સ્થળ બની ગયું છે. મહાત્મા મંદિર, મેટ્રો રેલ, અમદાવાદ-ગાંધીનગરને જાેડતા છ-માર્ગીય ધોરીમાર્ગ, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, રક્ષા શક્તિ યુનિવર્સિટી, ગિફ્ટ-સીટી સહિતના સંખ્યાબંધ અત્યાધુનિક પ્રકલ્પોની માફક ‘મહાત્મા મંદિર’ની નજદીકમાં જ અદ્યતન નવિનીકરણ સાથે કાયાકલ્પ થયેલા ‘ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન’માં ૩ પ્લેટફોર્મ્સનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું છે. દેશમાં વૈશ્વિક કક્ષાના રેલવે-સ્ટેશનની નવી માર્ગદર્શિકા અનુસાર નિર્માણ પામેલા આ રેલવે સ્ટેશન ખાતે ૩ પ્લેટફોર્મ પૈકી એક વન -એન્ડ પ્લેટફોર્મ, જ્યારે અન્ય આઇલેન્ડ પ્લેફોર્મ છે. આ સ્ટેશન ખાતે ૨ એસ્કેલેટર્સ, ૩ એલિવેટર્સ અને ૨ પેડેસ્ટ્રીયન (રાહદારી) સબ-વે છે, જે પ્લેટફોર્મ્સને જાેડે છે. આ ઉપરાંત, અલગ અલગ સ્થળે આશરે ૩૦૦ વ્યક્તિઓ માટેનું પ્રતીક્ષા સ્થળ, સેન્ટ્રલી એર-કન્ડીશંડ મલ્ટિપર્પસ હોલ, બેબી ફીડિંગ રૂમ, પ્રાર્થના ખંડ તથા પ્રાથમિક સારવારનો ખંડ, ઑડિયો-વિડીયો, ન્ઈડ્ઢ સ્ક્રીન સાથે આર્ટ ગેલેરી માટેનો ડિસ્પ્લે એરિયા તથા ૧૦૫ મીટર લાબું કોલમ વગરનું એલ્યુમિનમની છત ધરાવતું સ્ટેશન છે. વડાપ્રધાન આજે ગાંધીનગરથી વરેઠા મેમુ ટ્રેનનો વચ્ર્યુઅલ પ્રારંભ કરાવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૬ જુલાઇ શુક્રવારના રોજ દિલ્લીથી વચ્ર્યુઅલ રેલગાડીનો ગાંધીનગરથી વરેઠાથી સાંજે ૪ કલાકે પ્રારંભ કરાવવાના છે. આ રેલગાડી ગાંધીનગર જિલ્લાના ત્રણ સ્ટેશનો હોલ્ટ કરી મહેસાણા જિલ્લામાં ઝુલાસણથી વરેઠા સુધીના તમામ ૧૨ સ્ટેશનો પર રેલગાડીનું સ્વાગત કરાશે. આ રેલગાડી ગાંધીનગર જિલ્લાના ત્રણ સ્ટેશનો હોલ્ટ કરી મહેસાણા જિલ્લામાં ઝુલાસણ ખાતે સાંજે ૧૭-૨૯ કલાકે પ્રવેશ કરનાર છે. આ રેલગાડી જિલ્લાના ઝુલાસણ ખાતે ૧ મિનિટ, ડાંગરવા ૧ મિનિટ, આંબલીયાસણ ૨ મિનિટ, જગુદણ ૨ મિનિટ, મહેસાણા શહેર ૫ મિનિટ, રંડાલા ૨ મિનિટ, પુદગામ-ગણેશપુરા ૨ મિનિટ, વિસનગર શહેર ૨ મિનિટ, ગુંજા ૨ મિનિટ, વડનગર શહેર ૭ મિનિટ, ખેરાલું શહેર ૨ મિનિટ અને વરેઠા ખાતે રેલગાડીનું છેલ્લું સ્ટોપેજ આપેલું છે. 
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુજરાતના આ વિસ્તારમાં વરસાદ ખેંચાય તો પણ પાણીની નહીં પડે તકલીફ, જાણો કેવી રીતે 

    મહેસાણા-લાંબા સમયથી ગુજરાતમાં મેઘરાજાની રાહ જાેવાઈ રહી છે. કેટલાંક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે તો કેટલાંક જિલ્લા હજુ પણ કોરા છે. ખાસ કરીને મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં પણ હજું જાેઈએ એવા વરસાદની એન્ટ્રી થઈ નથી. જાેકે, એ પહેલાં સારા સમાચાર એ છે કે, વરસાદ પહેલાંની સ્થિતિમાં પણ ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં પાણીનો જથ્થો લગભગ ૩૨ ટકા સુધી ઉપલબ્ધ છે. વરસાદ ખેંચાય તો પણ મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના લોકોને પાણીની તંગી નહીં પડે. વરસાદ ખેંચાય તો આવતા ચોમાસા સુધી ચાલી રહે તેટલો પીવાના પાણી નો જથ્થો ઉપલબ્ધ થઈ ગયો છે. ધરોઈ ડેમ ની વાત કરીએ તો સાબરકાઠા બનાસકાઠા અને મેહસાણા જીલ્લાના ૩૬૨ ગામો.૧૭૮ પરાઓ અને ૯ શહેરો ને પીવાનું પાણી ધરોઈ ડેમ માંથી આપવામાં આવે છે અને ૧૭ કરોડ લીટર જેટલો પીવાના પાણી નો જત્થો દૈનિક આપવામાં આવે છે. હાલ ધરોઈ ડેમ માં ૩૧.૯૦ ટકા જત્થો છે અને એમાં થી ૨૬.૪૧ ટકા જેટલો જથ્થોઉપયોગ માં લઇ શકાય છે. જાે ચાલુ સાલે વરસાદ ખેચાય તો પણ આગામી ચોમાસા સુધી ચાલી રહે તેટલો પર્યાપ્ત જત્થો ઉપલબ્ધ છે. જેથી આગામી સમયમાં પાણીની અછત નહિ વર્તાય તેવું ધરોઈ કાર્યપાલક ઈજનેર ઝી ૨૪ કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું છે. એકંદરે મહેસાણા સહિત સમગ્ર ગુજરાત માટે આ ખુબ જ મોટી રાહતના સમાચાર કહી શકાય. સિંચાઈ ઉપરાંત પીવાના પાણીનો પણ જથ્થો ઉપલબ્ધ હોવાથી લોકોનો હાલાકી નહીં ભોગવવી પડે.
    વધુ વાંચો
  • ગુજરાત

    સફળતાઃ ગુજરાતના આ જિલ્લામાં 6 મહિનામાં પોલીસે 65 ગુમ થયેલા બાળકો શોધી કાઢ્યાં

    મહેસાણા-મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક માસથી નાના બાળકોને લલચાવી ફોસલાવીને અપહરણ કરી જવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં જિલ્લાના કેટલાક વિસ્તારોમાંમાંથી કિશોરો અને કિશોરીઓને પોલીસને શોધવામાં સફળતા મળી છે.જિલ્લામાં અવારનવાર નાની કિશોરીઓને લગ્નની લાલચ આપી ભગાડી જવાની પણ ઘટનાઓ પ્રકાસમાં આવતી હોય છે. ત્યારે એવી કિશોરીઓને પણ મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા શોધી કાઢવામાં સફળતા મળી છે.મહેસાણા જિલ્લાના અલગ અલગ તાલુકામાં પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી અપહરણ અને ગુમ થયાની ફરિયાદો નોંધતી હોય છે જેમાં પોલીસ દ્વારા આવા મિસિંગ બાળકોને શોધી કાઢવામાં મોટી સફળતા મળી છે. જેમાં મહેસાણા જિલ્લા પોલીસ અને હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા જિલ્લામાંથી ૬ મહિનામાં ૬૫ જેટલા બાળકો શોધી કાઢ્યા હતા.પોલીસે છેલ્લા ૬ મહિનામાં ૦થી ૧૪ વર્ષના કુલ ૭ બાળકો અને ૧૫થી ૧૮ વર્ષના કુલ ૫૮ કિશોર અને કિશોરીઓને શોધી કુલ ૬૫ જેટલા જિલ્લામાંથી ગુમ થયેલા બાળકોને શોધી કાઢવામાં સફળતા મળી છે. તેમજ આગામી દિવસોમાં પણ વધુ બાળકો શોધી કાઢવા જિલ્લા પોલીસ વડા દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    મહેસાણા: દૂધસાગરના પુર્વ ચેરમેન વિપુલ ચૌધરી નહીં જઇ શકે વિદેશ, કોર્ટ ફગાવી અરજી

    મહેસાણા-કોરોના મહામારી વચ્ચે દૂધસાગર ડેરીના પુર્વ ચેરમેન વિપુલ ચૌધરીને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. દૂધસાગર ડેરીના બોનસ પગાર કૌભાંડમાં આરોપી વિપુલ ચૌધરીને કોર્ટ તરફથી તેમણે મોટો ઝટકો મળ્યો છે. વિપુલ ચૌધરીએ અમેરિકા પુત્રની કોલેજના કાર્યક્રમમાં મંજુરી માંગી હતી. જોકે, કોર્ટે વિપુલ ચૌધરીની અરજી ફગાવી દીધી છે. મહેસાણાની દૂધસાગર ડેરીના પુર્વ ચેરમેન વિપુલ ચૌધરીની વિદેશ જવાની અરજી કોર્ટે ફગાવી દીધી છે. વિપુલ ચૌધરીએ પોતાના દીકરાની કોલેજની કોમેન્સમેન્ટ સેરેમનીમાં ભાગ લેવા માટે અમેરિકા જવાની મંજૂરી માટે કોર્ટમાં અરજી કરી હતી. આ સાથે કોર્ટ સમક્ષ પાસપોર્ટની માંગ કરી હોઇ સ્પેશિયલ સરકારી વકીલ વિજય બારોટની દલીલને ધ્યાને લઇ અમદાવાદના સીટી સીવીલ સેશન્સ જજ ડી.વી.શાહે વિપુલ ચૌધરીની માંગ ફગાવી દીધી હતી. આ સાથે કોર્ટે પાસપોર્ટ આપવા પર મનાઈ ફરમાવી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    વિશ્વવિખ્યાત મોઢેરાનું પ્રાચીન સૂર્ય મંદિર સૌર ઉર્જાથી ઝળહળશેઃગામ પણ દેશનું પ્રથમ સોલર વિલેજ બનશે

    મહેસાણા,  સૂર્ય દેવની આરાધના માટે ચાલુક્ય વંશના રાજા ભીમદેવ પહેલાના દ્વારા ૧૧મી સદીમાં મહેસાણા જિલ્લાના અને બહુચરાજી તાલુકાના મોઢેરા ખાતે બંધાયેલા સૂર્ય મંદિર દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. આ વિશ્વ વિખ્યાત સૂર્ય મંદિરને સૌર ઉર્જાથી પ્રજ્વલિત કરવામાં આવશે. આ નવતર પ્રોજેક્ટ ગુજરાત સરકાર તેમજ કેન્દ્રના સહયોગથી થઈ રહ્યો છે. ખુબ ઝડપથી આ પ્રોજેક્ટ પુરો કરવામાં આવશે. પ્રધાનમંત્રી મોદીના હસ્તે પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે.આ પ્રોજેક્ટની વિશેષતા એ છે કે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ બીઇએસએસ ધરાવતા પ્રોજેક્ટમાં ઉત્પાદિત સોલર એનર્જીનો ઉપયોગ રાત્રે પણ થઈ શકશે. ભારતમાં પહેલીવાર આ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ૬૯ કરોડના કુલ ખર્ચ ધરાવતો આ પ્રોજેક્ટ રાજ્ય સરકારની નોડલ એજન્સી ગુજરાત પાવર કોર્પોરેશન લીમીટેડ દ્વારા મહિન્દ્રા જૂથની કંપની મહિન્દ્રા સસ્ટેન પ્રાઇવેટ લિમિટેડનો છે. જેને દક્ષિણ કોરિયાથી ટેકનોલોજી આયાત કરી છે.સૂર્ય મંદિરથી ત્રણ કિલોમીટર દૂર સુજાનપુરા ખાતે રાજ્ય સરકારે બાર એકર જમીન ફાળવી છે. જ્યાં જમીનમાં ઉપર સોલર ફોટોવોલ્ટેઇક પેનલ લગાવી ત્રણ મેગાવોટ એક એવા બે યુનિટ કુલ મેગા વોટની ક્ષમતાવાળા ઊભા કરશે. લીથીયમ બેટરીવાળી બીએસએસ ટેકનોલોજી સર્જાશે.અહીં ઉત્પાદિત સોલર એનર્જી મોઢેરા ગામના કુલ ૧,૬૧૦ ઘરોને તથા સૂર્ય મંદિરને દિવસ-રાત સૌર ઊર્જા પૂરી પાડવામાં આવશે. કુલ ઘરો પૈકીના ૨૭૧ ઘરો ઉપર એક એક કિલો વોટની રુફટોપ સિસ્ટમ પણ લાગી રહી છે. જે વીજળી ઘરમાલિકો ગ્રેડમાં વહેંચી પણ શકશે. જેને માટે સ્માર્ટ મીટર પણ લાગશે. કેન્દ્રના બિન પરંપરાગત ઉર્જા પર પ્રભાવ કે આ પ્રોજેક્ટ માટે ૫૦ ટકા લેખે રૂપિયા ૩૨.૫ કરોડ ફાળવ્યા છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    વિસનગરના ખેડૂત પુત્રએ રાંચી સ્થિત આઈ.આઈ.એમ.માં પ્રવેશ મેળવ્યો !

    મહેસાણા,  મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ૧૨૫ ઘર અને ૧૪૦૦ ની વસ્તી ધરાવતા રાવળાપુરા ગામમાં રહેતા નાના ખેડૂત લવજીભાઈ ચૌધરી કે જેમણે બીએસઇ એગ્રી.નો અભ્યાસ કર્યો છે.તેમનાં પત્ની રૂપાબેને પોતાનો પુત્ર નિસર્ગ ચૌધરી ઉચ્ચ શિક્ષણ મેળવી જવલંત કારકિર્દી પ્રાપ્ત કરે તેવાં ખ્વાબ જાેયાં હતાં. નિસર્ગ ચૌધરી ભણવામાં શરૂઆતથી જ તેજસ્વી હતો. વિસનગર ખાતેની સહજાનંદ સ્કૂલમાં હાયર સેકન્ડરીમાં ૯૪ % મેળવી નિસર્ગે અમદાવાદની એચ.એલ.કોલેજ ઓફ કોમર્સમાં પ્રવેશ મેળવ્યો હતો. પોતાના પિતાને અમદાવાદમાં ભણાવવાનો ખર્ચ એક સામાન્ય ખેડૂત હોવાને કારણે ઓછી આવકના કારણે પરવડે તેમ ન હતો.ઊંચી ટકાવારીને કારણે સમરસ હોસ્ટેલમાં પ્રવેશ મેળવી નિસર્ગે એચ.એલ.કોલેજ ઓફ કોમર્સમાં અભ્યાસની શરૂઆત કરી હતી અને અભ્યાસ કરી વર્ષ-૨૦૨૦માં બીકોમની ડીગ્રી મેળવી હતી. નિરમા કોલેજમાં એમબીએનું મળેલું એડમિશન તેણે જતું કર્યું કારણ કે તેની નજર આઈઆઈએમ તરફ હતી. પોતાના પિતા પાસે આર્થિક સગવડ નહિ હોવાથી ઘરે બેસીને લોકડાઉનમાં જાતે મહેનત કરી એક વાર ફેલ થયા પછી હિંમત હાર્યા વિના ૮૫ ટકા સાથે તેણે કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષા ઉત્તીર્ણ કરતાં ૮ ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટમાંથી ઈન્ટરવ્યુ કોલ મળ્યા હતા. પરંતુ, તેણે જમ્મુ, કાશીપુર, સંભલપુર અને બોધગયા સહિતની કોલેજાેને બદલે રાંચી સ્થિત આઈઆઈએમમાં પ્રવેશ મેળવ્યો હતો. ૨ થી ૨.૫ લાખ પરીક્ષાર્થીઓ પૈકી સિલેકટ થયેલા ૫૦૩ તારલાઓમાં નિસર્ગને સ્થાન મળ્યું હતું. આમ નાનકડા ગામના નીચલા મધ્ય વર્ગના ખેડૂત પુત્રે પોતાનાં માતા પિતાના ઓરતા અધૂરા રહેવા દીધા નથી.કોમર્સની ડિગ્રી, એમબીએમાં અભ્યાસ અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં સફળ થવા નાણાંકીય વ્યવસ્થા થાય તેટલી પરિવારની આવક ન હતી. પુત્રની કારકિર્દીનું ઘડતર કરવા માટે નાણાંની ખેંચ બાધારૂપ ન બને તે માટે તેમણે પોતાની બે એકર જમીન તારણમાં મુકી દીધી હતી અને નાણાં ખૂટી પડતાં શૈક્ષણિક લોન મેળવી હતી. પુત્રને ભણાવવા પૈસાની ખેંચ બાધક ન બને તે માટે તેમણે પશુ પાલનનો પુરક વ્યવસાય પણ અપનાવ્યો હતો. વિસનગર તાલુકાના નાનકડા ગામ રાવળાપુરામાં પોતાની માલિકીની બે એકર જમીન તારણમાં મુકી પુત્રને ઉચ્ચ શિક્ષણ આપવાનું ગરીબ ખેડૂતનું સપનું સાકાર થયું છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગાડીની સીટ નીચેથી રૂા.૪.૫ કરોડ મળ્યા

    અરવલ્લી, કોરોના લોકડાઉન દરમિયાન ડુંગરપુર જિલ્લામાં એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે ગુજરાતની સીમા પર એક કાર પકડી હતી, જેમાંથી સાડા ચાર કરોડ રૂપિયા મળી આવ્યા છે. આ કાર દિલ્હીથી ગુજરાત જઈ રહી હતી. સરહદ પર સર્ચ દરમિયાન કારની સીટ નીચે છુપાયેલા નોટોના બંડલ જાેઇને પોલીસકર્મીઓના હોશ ઉડી ગયા હતા. પોલીસે કારમાં સવાર બે લોકોની અટકાયત કરી છે.જિલ્લાના બિછીવાડા પોલીસે આ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતની બોર્ડર રતનપુર ખાતે નાકાબંધી દરમિયાન પોલીસે કારમાંથી સાડા ચાર કરોડની રોકડ રકમ મળી. પોલીસ અધિકારી મનોજ સમરીયાના જણાવ્યા અનુસાર, સરહદ પર પોલીસે પકડેલા બંને લોકો ગુજરાતના છે. આરોપી રણજીત રાજપૂત પાટણનો રહેવાસી છે, જ્યારે નીતિન પટેલ ઉંઝાનો રહેવાસી છે. આ બંને મોટી રકમ લઈને ગુજરાત જઇ રહ્યા હતા અને દિલ્હીથી કાર લઇને આવી રહ્યા હતા.સમરીયાના જણાવ્યા મુજબ, આ કેસ હવાલાના વ્યવસાય સાથે સંબંધિત હોવાનું જણાય છે. પોલીસે બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે. બિછીવાડા પોલીસ અધિકારી રિઝવાન ખાને જણાવ્યું કે, રતનપુર બોર્ડર પર ઉદેપુરથી આવી રહેલી એક કારને અટકાવી તલાશી લેતાં સીટોની નીચે બનેલા ગુપ્ત ખાનામાં નોટોનાં બંડલ દેખાયાં હતાં. જ્યારે કાર ચાલકોની રોકડ અંગે પુછપરછ કરવામાં આવી હતી ત્યારે તેમની પાસેથી સંતોષકારક જવાબ મળ્યો ન હતો. આ પછી પોલીસે નોટોથી ભરેલી કાર કબજે કરી બંનેની અટકાયત કરી હતી. પોલીસે કબજે કરેલી કાર અને આરોપીઓની સાથે પોલીસ મથકે પહોંચી હતી અને નોટોની ગણતરી શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું કે, કારમાંથી ૪ કરોડ ૪૯ લાખ ૯૯ હજાર ૫૦૦ રૂપિયા કબજે કરવામાં આવ્યા છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    તાઉ તેની તારાજીનું નિરીક્ષણ કર્યા બાદ કેન્દ્રની ગુજરાતને 1000 કરોડ રૂપિયાની સહાય જાહેર

    અમદાવાદ-તાઉ તેની તારાજીનું નિરીક્ષણ કર્યા બાદ પીએમ મોદીએ સહાયની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર દ્વારા ગુજરાતને 1000 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ સિવાય મૃતકોના પરીજનોને 2 લાખ રૂપિયા આપવામાં આવશે. આ અંગે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી જાહેરાત કરી હતી. આ સાથે જ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું છે કે વાવાઝોડામાં ઘાયલ થયેલા છે તેમને 50,000 રૂપિયાની મદદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આજે સવારથી વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે હતા. તેમણે વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે નુકસાન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જેમાં ઉનાળુ પાકને પણ નુકસાન થયા છે. અને બાગાયતી ખેતીમાં કેસર કેરીને સૌથી મોટું નુકસાન સામે આવ્યું છે. જે બાદ અનેક લોકોના ઘરનું નુકસાન થયું છે. અનેક જગ્યાએ કાચા અને ઝૂપડાઓ તૂટી ગયા છે. આ પ્રકારના તમામ નુકસાનના તાત્કાલિક સર્વે બાદ સહાય ચૂકવવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ખેડૂતોને ત્રણ ચાર પ્રકારનું નુકસાન થયું છે. તેમજ ઉનાળુ પાકને અસર થઈ છે. કેરી અને નાળિયેરના પાકને પણ અસર થઈ છે. કાચા મકાનો અને ઝુપડા ઉડી ગયા છે. જે પશુઓના મોત થયા તેને સહાયતા તથા ચોથુ કેશડોલ આપવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, નુકસાનના સર્વેની કામગીરી તત્કાલ શરૂ કરવામાં આવશે અને બધાને સહાય ચુકવવામાં આવશે. માછીમારોને થયેલા નુકસાનનો પણ સર્વે કરવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આગામી બે દિવસમાં તંત્ર બધુ રાબેતા મુજબ થાય તે માટેની કામગીરી કરાશે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાએ કર્યો વિનાશ, કોરોડોનું નુકસાન, મૃત્યુઆંક 45 પર પહોંચ્યો

    અમદાવાદ- ગુજરાતમાં એક દિવસની તારાજી સર્જીને રાજસ્થાન તરફ આગળ વધી ગયું છે. પરંતુ ગુજરાતમાં પાછળ કોરોડનું નુકસાન અને અનેક લોકોનો ભોગ લેતું ગયું છે. વાવાઝોડાના કારણે ગુજરાતમાં મૃત્યું આંક ધીમે ધીમે વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 45 લોકોના મોતના સમચારા મળી રહ્યા છે. આ મૃત્યુ મકાન ધસી પડવાથી, ઝાડ પડવાથી દીવાલ તૂટવાથી, તો કરંટ લાગવાથી થયાના સમાચાર મળી રહ્યાં છે. અમરેલીમાં 15 મોત થયા છે. જેમાં મકાન ધસી પડવાથી 2, દીવાલ પડવાથી 13 લોકોનાં મોત થયા છે. ભાવનગરમાં 8 મોત નીપજ્યાં છે. જેમાં ઝાડ પડવાથી 2, મકાન ધસી પડવાથી 2, દીવાલ પડવાથી 3, છત પડવાથી 1 મોત થયા છે. ગીર સોમનાથમાં 8 મોત નીપજ્યાં છે. જેમાં ઝાડ પડવાથી 2, મકાન ધસી પડવાથી 1, દીવાલ પડવાથી 4, છત પડવાથી 1 મોત થયા છે. અમદાવાદમાં કુલ 5 મોત થયા છે. જેમાં વીજ કરંટથી 2, દીવાલ પડવાથી 2 અને છત પડવાથી 1નું મોત થયું છે. ખેડામાં 2ના મોત થયા છે જેમા વીજ કરંટથી બંન્નેના મોત થયા છે. આણંદમાં 1 મૃત્યુ વીજ કરંટથી, વડોદરામાં 1 મૃત્યું ટાવર પડી જવાથી, સુરતમાં 1 મૃત્યુ ઝાડ પડી જવાથી, વલસાડમાં 1 મૃત્યુ દીવાલ પડવાથી, રાજકોટમાં 1 મૃત્યુ દીવાલ પડવાથી, નવસારીમાં 1 મૃત્યુ છત પડવાથી, પંચમહાલમાં 1 મૃત્યુ ઝાડ પડી જવાથી થયું છે.આ વાવાઝોડાથી સૌથી વધારે નુકશાન ખેડૂતોને થયું છે. બાગાયતી પાકના ખેડૂતોને તો રોવાનો વારો આવ્યો જ છે, સાથે ઉભો પાક લોકોનો વાવાઝોડામાં નષ્ટ થઈ ગયો છે. હવે વાવાઝોડાની આફત ધીમે ધીમે ઓછી થઈ રહી છે, ત્યારે સરકાર આવતીકાલથી નુકશાનીનો સર્વે હાથ ધરશે, તથા રિસ્ટોરેશન અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવશે તેવી સરકારે ખાતરી આપી છે. વાવાઝોડાથી સમગ્ર ગુજરાતમાં ભારે તારાજીના દ્રશ્યો સામે આવ્યાં છે. આ વાવાઝોડાને કારણે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. આજે રાજ્યમાં વાવાઝોડાના કારણે મૃત્યુ આંકમાં વધારો થયો છે. ગુજરાતમાં આ વાવાઝોડાના કારણે મૃત્યુઆંક સીધો 45 પર પહોંચી ગયો છે. આ મૃત્યુ મકાન ધસી પડવાથી, ઝાડ પડવાથી દીવાલ તૂટવાથી, તો કરંટ લાગવાથી થયાના સમાચાર મળી રહ્યાં છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    તાઉ તે વાવાઝોડુ અમદાવાદમાં તારાજી બાદ હવે ઉત્તર ગુજરાતમાં પહોંચશે, લોકોનું સ્થળાંતર

    અમદાવાદ-અમદાવાદમાં તાઉ-તે વાવાઝોડની અસર જોવા મળી છે. વાવાઝોડું બપોરના 12 વાગ્યા પછી અમદાવાદ જિલ્લાને સ્પર્શી શકે છે. જેથી અમદાવાદના વહીવટી તંત્ર દ્વારા તમામ લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. તાઉ-તે વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રમાં મોટી તારાજી સર્જાઈ છે. તાઉ-તેએ સૌરાષ્ટ્રને ધમરોળતા મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. તો બીજી તરફ કેરીના પાકને મોટું નુકસાન થયું છે. જેથી ખેડૂતોની ચિંતા પણ વધી છે.અમદાવાદ શહેર અને જિલ્લામાં તાઉ'તે વાવાઝોડાની સંભવિત અસરોના કારણે આગામી 6થી 8 કલાક મહત્વના છે. શહેરમાં અત્યારે 38 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. મ્યુનિસિપલ મુકેશકુમારે અને જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેએ અમદાવાદીઓ અને જિલ્લાના લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. શહેરમાં વહેલી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. સતત પવનની ગતિ વધી રહી છે. જેના પગલે ઝાડ ધરાશાયી તેમજ કેટલાક વિસ્તારોમાં છાપરા ઉડ્યાની ઘટના બની છે. અમદાવાદ કલેક્ટરના જણાવ્યા મુજબ 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુજરાતના 36 શહેરોમાં લગાવાયેલા રાત્રિ કર્ફ્યૂને લઈને જુઓ શું લેવાયો નિર્ણય, આ તારીખ સુધી કર્ફ્યૂ યથાવત

    ગાંધીનગર-ગુજરાતની 8 મનપા સહિત 36 શહેરોમાં કર્ફ્યૂનો સમય યથાવત રખાયો છે. આગામી 18 મે સુધી રાજ્યના 36 શહેરોમાં કર્ફ્યૂ યથાવત રહેશે. રાત્રીના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી આ શહેરોમાં કર્ફ્યૂ લંબાવવામાં આવ્યું છે. કોરોના સંક્રમણના પગલે સરકારે ગુજરાતના 36 શહેરોમાં લાગેલા કર્ફ્યૂને લંબાવ્યું છે, આગામી 18 મે સુધી કર્ફ્યૂનો સમય લંબાવવામાં આવ્યો છે. આજે ફરી ગુજરાત હાઈકોર્ટમાં કોરોનાને લઈને સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે લગ્ન સમારોહ અને ધાર્મિક કાર્યક્રમો ઉપર વધુ નિયંત્રણો મુકવા કરેલા સૂચનનો સરકાર સ્વીકાર કરી લગ્નો અને ધાર્મિક કાર્યક્રમો ઉપર વધુ કડક હાથે કામ લ્યે તેવી શકયતા છે. એટલુ જ નહિ લગ્ન સમારોહ ઉપર ૧૫ દિવસનો પ્રતિબંધ લાદવામાં આવે તેવી શકયતા છે. ધાર્મિક કાર્યક્રમોમા પણ સંખ્યા સીમીત કરવામાં આવે તેવી શકયતા છે. હાઈકોર્ટમાં એવી દરખાસ્ત થઈ હતી કે લગ્નોમાં લોકો ભેગા થાય તેવા કાર્યક્રમો ૧૫ દિવસ માટે પ્રતિબંધીત કરવામાં આવે. અનેક ધાર્મિક કાર્યક્રમો અને લગ્ન કાર્યક્રમોમાં ભીડ થાય છે તે બંધ થવુ જોઈએ. હાલ લગ્ન સમારોહમાં ૫૦ લોકોની હાજરી નિશ્ચિત કરવામાં આવી છે. તેમા ઘટાડો કરવામા આવે તેવુ સૂચન થયુ છે. સરકારે પણ આ સંખ્યા ઘટાડવા તૈયારી દર્શાવી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુજરાતના આ યાત્રાધામમાં 10 દિવસના લોકડાઉનની જાહેરાત

    મહેસાણા-સમગ્ર રાજ્યમાં કોરોનાનો પ્રકોપ જાેવા મળી રહ્યો છે. ગઈકાલે જ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યમાં વધુ ૭ શહેરનો ઉમેરો કરીને કુલ ૩૬ શહેરમાં રાત્રી કફ્ર્યુની જાહેરાત કરી હતી. આ કફ્ર્યુનો અમલ આગામી ૧૨ મે સુધી રહેશે. સરકારના રાત્રી કર્ફ્યની જાહેરાતની વચ્ચે અનેક ગામડા અને નાના શહેરમાં પણ લોકો સ્વૈચ્છિક લોકડાઉન લગાવી રહ્યા છે ત્યારે હવે મહેસાણાના જાણીતા યાત્રાધામ બહુચરાજીમાં પણ ૧૦ દિવસના સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ સ્વૈચ્છિક લોકડાઉન ૭ મેથી શરૂ થઈને ૧૬ મે, ૨૦૨૧ સુધી લાગુ રહેશે.બહુચરાજીમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લેવામાં આવ્યો છે. બહુચરાજીમાં ગ્રામ પંચાયત અને વેપારી એસોસીએશને સાથે મળીને આ ર્નિણય કર્યો છે. જેના કારણે હવે ૭ મેથી ૧૦ દિવસ માટે બહુચરાજીમાં બજારો બંધ રહેશે.
    વધુ વાંચો
  • ગુજરાત

    જાપાનમાં મોત સામે ઝઝૂમી રહેલા યુવક માટે પરિવારે મદદનો હાથ લંબાવ્યો

    મહેસાણા, મહેસાણાના ભેસાણ ગામના એક પરિવારે જાપાનમાંથી પુત્રને પરત લાવવા માટે મદદની અપીલ કરી છે. જયેશ પટેલ નામનો યુવાન છેલ્લા ૭ મહિનાથી જાપાનની એક હોસ્પિટલમાં દાખલ છે. ત્યારે જયેશને ભારત પરત લાવવા માટે અંદાજે દોઢ કરોડ જેટલો ખર્ચ થવાની સંભાવના છે જે પરિવાર ઉઠાવી શકે તેમ નથી. જેને લઇ જયેશના પરિવારે મદદ કરવા લોકોને અપીલ કરી છે.વર્ષ ૨૦૧૮ માં જયેશ પટેલ જાપાન નોકરી કરવા ગયો હતો. જયેશની પત્ની જલ્પા પ્રેગ્નેન્સીને લઇને ભારત પરત આવી હતી. જયેશનું સ્વાસ્થ્ય બગડતા ૫ ઓક્ટોબર ૨૦૨૦ ના તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટીબીના રોગની સારવાર કરવામાં આવી હતી. પરંતુ જાન્યુઆરીમાં જયેશને બ્રેઇન સ્ટ્રોક આવતા તેનું સ્વાસ્થ્ય વધારે ખરાબ થયું હતું. જયેશના પિતા હરિભાઈ નિવૃત શિક્ષક છે અને તેઓ ૨૦ દિવસથી જાપાનમાં છે. જાે કે, પરિવારે જયેશને ભારત પરત લાવવા માટે હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો. પરંતુ હોસ્પિટલમાંથી ફિટ ટૂ ફ્લાઈટનું સર્ટિફિકેટ આપવાની ના પાડી હતી જેથી જયેશને પ્રાઇવેટ એર એમ્બ્યુલેન્સમાં ભારત પરત લાવવો પડે તેમ છે. જેમાં અંદાજે દોઢ કરોડ જેટલો ખર્ચ થવાની સંભાવના છે. જે પરિવાર માટે અશ્ક્ય છે. તેથી જયેશના પરિવાર અને તેના મોટાભાઈ હાર્દિક પટેલે સરકાર અને લોકો પાસે આર્થિક મદદ માટે અપીલ કરી છે.  
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુજરાતમાં આગામી 10 દિવસ કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બનશે ?

    વડોદરા-વડોદરા સહિત ગુજરાતની કોવિડ હોસ્પિટલોમાં રોજ દર્દીઓના દાખલ થવાની સંખ્યા વધતી જાય છે. આરોગ્ય વિભાગ બેડની સંખ્યા વધારે તો છે, પરંતુ દાખલ દર્દીઓની વધતી જતી સંખ્યા વધુ ચિંતાજનક છે. વડોદરામાં એક જ દિવસમાં ૬૩૦ દર્દીઓ હોસ્પિટલોમાં દાખલ થયા હતા. એટલે પ્રતિ કલાકે સરેરાશ ૨૬ દર્દીઓ દાખલ થયા હતા. જેથી ૬૭૮૦ બેડ ભરાયેલા રહ્યા હતાં અને ૨૬૯૨ બેડ જ ખાલી રહ્યાં હતાં. છેલ્લાં એક સપ્તાહથી હોસ્પિટલોમાં જે રીતે બેડની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે જાેતા આગામી ૧૦ દિવસ કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બનશે તેવુ જાણકારોનુ અનુમાન છે. લોકો તંત્રના ભરોશે બેસી ન રહે. લોકોએ માસ્ક અવશ્ય પહેરવુ જાેઈએ અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવુ જાેઈએ. બને તો કામ વિના ઘરની બહાર જ ન નીકળવુ જાેઈએ. આરોગ્ય વિભાગ કોરોનાના સરકારી આંકડા જાહેર કરે છે, પરંતુ તે આંકડા પાછળનુ સત્ય તેઓ પોતે સારી રીતે જાણે છે અને વડોદરાની આગામી ટૂંકા દિવસોની ભાવી સંભવિત ડરાવની પરિસ્થિતિથી તેઓ વાકેફ હશે. વિશ્વાસપાત્ર સૂત્રોએ કહ્યું હતું કે, શહેરમાં કોરોનાના કેસો માત્ર વધતા નથી, પરંતુ તે ચોંકાવી દે તે રીતે વધી રહ્યાં છે જે ચિંતાનો વિષય છે. તંત્ર તરફથી હોસ્પિટલોમાં બેડની સંખ્યા આગોતરા આયોજન પ્રમાણે સમ્યાંતરે વધારવામાં આવી રહી છે. તેમ છતાં પણ હોસ્પિટલામાં જે રીતે દર્દીઓની દાખલ થવાની સંખ્યા વધી છે તેના કારણે ચિંતાના વાદળો ઘેરી રહ્યાં છે. વડોદરામાં તા.૩જી એપ્રિલે ૮૪૪૮ બેડ ઉપલબ્ધ કરાવાયા હતા. તો તે દિવસે વિવિધ હોસ્પિટલોમાં મળીને કુલ ૫૮૬૯ દર્દીઓ દાખલ હતાં. એટલે કે ૨૫૭૯ બેડ ખાલી હતાં. તા. ૫મી એપ્રિલે ૪૫૮ દર્દીઓ એક જ દિવસમાં દાખલ થયા હતાં. જેથી ૬૩૨૭ બેડ ભરાઈ ગયા હતા. તંત્રએ તે દિવસે ૩૪૧ બેડ વધાર્યા હતા ત્યારે ૨૪૬૨ બેડ જ ખાલી રહ્યાં હતાં. ૬ઠ્ઠી એપ્રિલે ૮૯૯૯ બેડની વ્યવસ્થા કરાઈ હતી. જેમાં વધુ ૭૮ દર્દીઓ દાખલ થતા કુલ ૬૪૦૫ બેડ ભરાઈ ગયા હતા અને ૨૪૯૪ બેડ ખાલી હતા અને ૭મી એપ્રિલે ૯૪૭૨ બેડ ઉપલબ્ધ કરાવાયા હતા, પરંતુ તેની સામે ૩૭૫ દર્દીઓ આજે એક જ દિવસમાં દાખલ થયા હતાં. એક જ દિવસમાં ૩૯૫ દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા તે પૈકી ૩૭૫ દર્દીઓ તો હોસ્પિટલમાં જ દાખલ થયા હતાં. જેથી ૨૬૯૨ બેડ જ ખાલી રહ્યાં હતાં. જ્યારે તા.૮મી એપ્રિલે રાતે ૯.૩૦ કલાકની સ્થિતિએ જાેઈએ તો ૯૭૬૩ બેડ ઉપલબ્ધ હતાં. તે પૈકી ૭૦૨૫ બેડ ભરાઈ ગયા હતા અને ૨૭૩૯ બેડ જ ખાલી હતાં. એટલે કે મોતને ભેટેલા દર્દીઓ અને સ્વસ્થ્ય થઈને ડીસ્ચાર્જ કરી દીધેલા દર્દીઓને બાદ કર્યા પછી પણ બરોબર ૨૪ કલાક બાદ હોસ્પિટલમાં આજે વધુ ૬૨૦ દર્દીઓ દાખલ થયા હતા. એટલે કે પ્રતિ કલાકે સરેરાશ ૨૬ દર્દીઓ દાખલ થતા રહેતા હતા. તંત્ર બેડ વધારતુ જાય છે અને દાખલ થતા દર્દીઓની સંખ્યા પણ ચિંતાજનક રીતે વધતી જ જાય છે. આખરે તંત્ર બેડ વધારી વધારીને કેટલા વધારી શકશે ? એક સમય એવો આવશે કે હોસ્પિટલનુ ઈન્સ્ટ્રાક્ચર જ જવાબ આપી દેશે ત્યારે શું કરી શકાશે ? દર્દીઓની દાખલ થવાની સંખ્યા તો સતત વધી રહી છે. હાલની પરિસ્થિતિ અંગે જાણકારોએ કહ્યું હતું કે, આગામી ૧૦ દિવસ તંત્ર માટે ચેલેન્જીંગ રહેશે અને શહેર માટે ખુબ જ વિકટ બની રહેશે તેવા સંકેતો મળી રહ્યાં છે. શહેરમાં કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બને તો નવાઈ નહીં. લોકો તંત્રના ભરોશે બેસી ન રહે, જાતે જાગૃત્તતા દાખવે તે હવે ખુબ જરૂરી બન્યુ છે. તંત્ર પોતાનુ કામ કરે છે, પરંતુ જનતાએ ઘરની બહાર નીકળતી વખતે ફેસ માસ્ક અવશ્ય પહેરવુ જાેઈએ અને પૂરતા સમય માટે પહેરવુ જાેઈએ તેમજ સોશ્યલ ડિસ્ટન્સિંગનુ ખાસ ધ્યાન રાખવુ જાેઈએ. જેથી સંક્રમણથી બચી શકાય. તેમજ બને તો લોકોએ જરૂરી કામ વિના ઘરની બહાર જ નીકળવુ ન જાેઈએ અને ટોળે તો વળવુ જ ન જાેઈએ. હવે કોરોનાનુ સંક્રમણ રોકવુ પ્રજાના હાથમાં છે. આગામી ૧૦ દિવસ શહેર માટે ખુબ મુશ્કેલીભર્યા સાબિત થઈ શકે છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 4541 પોઝીટીવ કેસ, 42 ના મોત, કુલ 3,37,015 કેસ

    અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 4541 થી વધુ નોંધાયા છે. જેની સામે 2280 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 42 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4697 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 4541 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,37,015 થયો છે. તેની સામે 3,09,626 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. અમદાવાદમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 3500 થી વધુ થઈ જાય છે, જ્યારે રાજ્યના 3,37,015 ની સામે પોઝીટીવ કેસોની સંખ્યા 22692 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,37,015 જેટલી થઈ જાય છે. રાજ્યમાં હાલ 22692 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 187 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 22505 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,09,626 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4697 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 12 દર્દીના મૃત્યુ નોંધાયા છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    કોરોના ઇફેક્ટ: ST વાહન વ્યવહાર નિગમ દ્વારા દ્વારા આ રૂટની 804 ટ્રીપ બંધ કરાઇ

    ગાંધીનગર-ગુજરાતમાં કોરોના વાયરસે પોતાનું વિકરાળ સ્વરૂપ ઘારણ કરી દીધું છે. સૌથી વધુ હાલત સુરત અને અમદાવાદની ખરાબ છે. હાલ કેન્દ્રની આરોગ્ય ટીમે સુરતમાં ધામા નાંખ્યા છે. રાજ્ય સરકારે પણ મહાનગરોના ૨૦ શહેરોમાં રાત્રિ કરફ્યૂના સમયમાં વધારો કરી દીધો છે. સરકાર અને તંત્ર જેમ બને તેમ ઓછા લોકો ભેગા થાય તેવા પ્રયત્નો કરી રહ્યું છે. જેથી અમદાવાદમાં એએમટીએસ અને બીઆરટીએસ બંધ કર્યા બાદ આજે રાજ્યના એસટી વાહન વ્યવહાર નિગમ દ્વારા એક મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. રાજ્યના એસટી વાહન વ્યવહાર નિગમ દ્વારા રાત્રિ કફ્ર્યૂના કારણે જી્‌ બસ સેવાને મોટી અસર પહોંચી છે. ત્યારે આજે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા મહત્વપૂર્ણ ર્નિણય લેવાયો છે. એસટી વિભાગે મહેસાણા ડિવિઝનની ૮૦૪ ટ્રીપ રદ કરી નાંખી છે. આજે ફક્ત સાંજે ૭ વાગ્યા સુધી જે ટ્રીપ હશે ત્યાં પહોંચી શકે છે. બસ સેવા બંધ થતા મુસાફરોને પારાવાર મુશ્કેલીઓ વધી રહી છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે મહેસાણા ડિવિઝનના ૧૧ જી્‌ ડેપોની ૮૦૪ ટ્રીપ રદ્દ કરી દેવામાં આવી છે. મહેસાણા ડેપોની ૧૦૩ ટ્રીપો રદ કરાઈ છે. રાત્રી કરફ્યુને લઈ મહેસાણા ડિવિઝને આ ર્નિણય લીધો છે. બીજી બાજુ ભાવનગર એસટી ડિવિઝન દ્વારા પણ એક ર્નિણય લેવાયો છે. જેમાં ભાવનગર ડિવિઝનના ૮ ડેપોની રાત્રિ દરમ્યાન ચાલતી એક્સપ્રેસ બસો બંધ કરવામાં આવી છે. રાત્રે ઉપડતી લાંબા રૂટની કુલ ૬૨ એક્સપ્રેસ બસ ૩૦ એપ્રિલ સુધી બંધ રહેશે. જાણવા મળી રહ્યું છે કે એસટી વિભાગ દ્વારા જે રૂટની રાત્રિ એક્સપ્રેસ બસો બંધ કરવામાં આવી છે એવા સુરત, ભુજ, જામનગર, અમદાવાદ, બરોડા, દાહોદ, દિવ, હળવદ, ઉદેપુર, જૂનાગઢ, રાજકોટ, મોરબી, વલસાડ, માતાના મઢ સહિતના રૂટની બસ બંધ રહેશે, એસટી ડિવિઝન દ્વારા સાંજે ૭ વાગ્યા બાદ ઉપડતી બસો બંધ કરવામાં આવી છે. આ તમામ બસો સવારે ૭ થી સાંજના ૭ વાગ્યા સુધી જ મુસાફરી માટે ચાલુ રાખવામાં આવશે અને કરફ્ર્યૂના સમય દરમ્યાન ૬૨ જેટલા રૂટની બસ બંધ રહેશે, જે અંગે ભાવનગર એસટી ડિવિઝન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
    વધુ વાંચો
  • રાષ્ટ્રીય

    રાજ્યમાં અહીં એક્ટિવ કેસ વધારે હોવા છતાં ઓછા બતાવવામાં આવ્યા

    મહેસાણા-કડી શહેરમાં આવેલી ભાગોદય સહિત વિવિધ હોસ્પિટલોમાં સરકારે મંજૂરી આપતા કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. જાે કે, હાલમાં કડીમાં આ વાઇરસ ફરી એકવાર વાયુવેગે ફેલાતા ઠેર ઠેર કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો જાેવા મળી રહ્યો છે. હાલમાં શહેરના તમામ કોવિડ સેન્ટરોમાં કોવિડ કેર માટેના બેડ ભરાઈ ચૂક્યા છે અને કોરોનાની સારવાર આપતી આ હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. ત્યારે વધુ સંક્રમિત દર્દીઓ હોસ્પિટલમાં આવતા તેમને અમદાવાદ કે ગાંધીનગર રીફર કરવાની ફરજ પડી રહી છે. મહત્વનું છે કે, કડીમાં આરોગ્ય અધિકારીઓ નિંદ્રાધીન અને બેજવાબદાર જાેવા મળી રહ્યા છે. સમાજના દર્પણ સમાન પત્રકારીત્વ કરતા પ્રતિનિધિઓ દ્વરા સંપર્ક કરવા છતાં તેઓ પ્રજાની આંખોમાં પણ ધૂળ નાખી રહ્યા છે. ત્યારે કડીમાં વકરેલો કોરોના ક્યારે અંકુશમાં આવશે અને જવાબદાર તંત્રના અધિકારીઓ સામે સરકાર દ્વારા કોઈ પગલાં લેવાશે કે કેમ જાેવું રહ્યું.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 3575 પોઝીટીવ કેસ, 22 ના મોત, કુલ 3,28,453 કેસ

    ગાંધીનગર-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 3575 થી વધુ નોંધાયા છે. જેની સામે 2217 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 22 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4620 ઉપર પહોચી ગયો છે. ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 3280 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,28,453 થયો છે. તેની સામે 3,05,149 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. અમદાવાદમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 3200 થી વધુ થવા જાય છે, જ્યારે રાજ્યના 3,28,453 ની સામે પોઝીટીવ કેસોની સંખ્યા 18684 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,28,453 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 18684 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 175 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 18509 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,05,149 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4620 દર્દીઓના મોત થયા છે. 
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 3280 પોઝીટીવ કેસ, 17 ના મોત, કુલ 3,24,878 કેસ

    અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 3280 થી વધુ નોંધાયા છે. જેની સામે 2167 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા, તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 17 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4598 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 3280 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,24,878 થયો છે. તેની સામે 3,02,932 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 17348 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,24,878 જેટલી થઇ જાય છે. રાજ્યમાં હાલ 17,348 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 171 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 17177 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,02,932 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4598 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 07 દર્દીના મૃત્યુ નોંધાયા છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 3160 પોઝીટીવ કેસ, 15 ના મોત, કુલ 3,21,598 કેસ

    અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 3160 થી વધુ નોંધાયા છે. જેની સામે 2018 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 15 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4581 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 2410 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,21,598 થયો છે. તેની સામે 3,00,765 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા સામે એક્ટીવ કેસોની સંખ્યા 16252 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,21,598 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 16252 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 167 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 16085 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,00,765 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4581 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 06 દર્દીના મૃત્યુ નોંધાયા છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુજરાતમાં આગ ઝરતી ગરમી, કામ સિવાય જો બહાર ગયા તો થશે આવા હાલ

    અમદાવાદ-રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગે મોટા આગાહી કરી છે. જે મુજબ આગામી બે દિવસ અમદાવાદમાં યલો અલર્ટ રહેશે. ત્રણ દિવસ બાદ તાપમાનમાં વધારો થશે. કાળઝાળ ગરમી માટે અમદાવાદવાસીઓએ તૈયાર રહેવું પડશે. બે ત્રણ દિવસથી અમદાવાદમાં વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી ૩ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં વધારે ફેરફાર થવાની સંભાવના નથી. પરંતુ આ તાપમાનમાં વધારો થશે. ૮ અને ૯ એપ્રિલના ગીર સોમનાથ, પોરબંદર માં હિટવેવની આગાહી છે. અમદાવાદમાં આગામી ૩ દિવસ દરમિયાન ૪૨ ડિગ્રી સુધી તાપમાન જઇ શકે છે.ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ભારે વધારો થઈ રહ્યો છે. તેની સાથે ગરમીનું પ્રભુત્વ પણ લોકોને અસર કરી રહ્યું છે. કોરોના સંક્રમણની સાથે ગરમી વધવાથી લોકોમાં વધુ ભય ફેલાયો છે. ત્યારે હવામાન વિભાગે પણ આગામી બે દિવસ રાજકોએ ઓરેન્જ એલર્ટ રહેશે તેવી આગાહી કરી છે. છેલ્લા બે ત્રણ દિવસથી શહેરમાં વહેલી સવારે ઠંડી અને બપોરે હિટવેવનો અનુભવ થઈ રહ્યો છે. તે ઉપરાંત રાજકોટમાં તાપમાનનો પારો 41 ડિગ્રીએ પહોંચતા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.ગરમીમાં લૂ લાગવા (હીટ વેવ)ના બનાવો પણ બનતા હોય છે જેથી આવા બનાવો ના બને તે માટે શુ તકેદારી રાખવી તે અંગેની પણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવતી હોય છે. ગરમીમાં ત્રણ એલર્ટ હોય છે જેમાં યલો એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટનો સમાવેશ થાય છે. આ ત્રણે એલર્ટમાં ગરમીનો પારો કેટલો હોય તે પણ સુનિશ્ચિત કરાયુ છે. સામાન્ય સંજાેગોમાં ગરમીની સીઝનમાં ત્રણ પ્રકારના એલર્ટો જાહેર થતા હોય છે. જેમાં ૪૧.૧ ડિગ્રી સેન્ટીગ્રેડથી ૪૩ ડિગ્રી સેન્ટીગ્રેડ ગરમી હોય ત્યારે યલો એલર્ટ જાહેર કરાય છે. આ ઉપરાંત બીજુ એલર્ટ ઓરેન્જ એલર્ટ કહેવાય છે. આ એલર્ટ ૪૩.૧થી ૪૪.૯ ડિગ્રી સેન્ટીગ્રેડ ગરમી હોય ત્યારે જાહેર થાય છે. ત્રીજું રેડ એલર્ટ છે. જે ૪૫ ડિગ્રીથી વધારે તાપમાન માટે જાહેર કરવામાં આવે છે.
    વધુ વાંચો
  • રાષ્ટ્રીય

    રાજ્યમાં અહીં સમાધિ લઈ દેહત્યાગ કરવાની મહંતની જાહેરાત કેવી રીતે પોકળ સાબિત થઈ

    મહેસાણા-મહેસાણા તાલુકાના છઠીયારડા ગામના શબ્દ સંશોધન કેન્દ્ર આશ્રમમાં મહંત શપ્ત સૂનેએ રવિવારે રાતે ૧૧ કલાકે સમાધિ લેવાની જાહેરાત કરી હતી. જાેકે, તેનો નાટ્યાત્મક અંત આવ્યો છે અને તે સમાધિ લઇ શક્યા નથી. મહંત રાતે ૧૦થી ૧૧ વાગ્યા સુધી મંચ પર ધ્યાનમાં શાંત બેઠા હતા. પરંતુ કલાક બાદ પણ સમાધિ ન થતા અંતે બોલ્યા હતા. હવે ખાડો કરી આપો હું સમાધિ લેવા તૈયાર છું. મને કુદરતી રીતે અનુભવ થયો હતો કે જીવ ચાલ્યો જશે પરંતુ એવું ન થયું. હું ભક્તોની માફી માંગુ છું. કાનૂની જે કાંઇપણ સજા હોય તે ભોગવવા તૈયાર છું. હવે હું ભક્તિ છોડી દઇશ.આજના બનાવથી મને ખૂબ દુઃખ થયું છે. ગમે તેમ કરી મને સમાધિ આપો તેવી મહંતે અપીલ કરી હતી. આ ઘટનાને પગલે વિજ્ઞાન જાથાની ટીમ અને ગામના તલાટીએ આ મહંત પર ગુનો દાખલ કરીને કાર્યવાહીની માંગ કરી હતી. વિજ્ઞાન જાથાના જયેશ પંડ્યાએ ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, માત્ર પોતાના તરંગોને કારણે દેહત્યાગની જાહેરાત કરે અને હજારો લોકોને ભ્રમમાં નાંખે, અંધશ્રદ્ધા ફેલાવે તે માફ કરવા યોગ્ય નથી. સૌપ્રથમ તો તેણે સમાધિની જાહેરાત કરી છે તે જ ગુનો છે. આજે વિજ્ઞાન જાથા એસપી અને કલેક્ટરને રજૂઆત કરીશું કે, આની સામે પહેલા ગુનો દાખલ કરો, અમે ફરિયાદી થવા માટે તૈયાર છીએ. કોઇપણ મંજૂરી લીધા વગર આટલા બધા લોકોને ભેગા કર્યા છે, કોરોનાની ગાઇડલાઇનના નિયમોના ધજીયા ઉડાવ્યા છે. સામાન્ય કોઇપણ માણસ હોય તો તંત્ર તેની પર કાર્યવાહી કરે છે તો આવા બનાવોમાં પણ કાર્યવાહી થવી જાેઇએ. નોંધનીય છે કે, છઠીયારડા ગામના મહંતે ૪ એપ્રિલના રોજ સમાધિ લેવાની જાહેરાત કરી હતી. ૪ એપ્રિલે સમાધિ લેવા અંગેના કાર્યક્રમની પત્રિકાઓ પણ છાપવામાં આવી હતી. પત્રિકામાં ૩, ૪ એપ્રિલના રોજ અલગ અલગ કાર્યક્રમોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સત્ય સંશોધન કેન્દ્ર કબીર ધામના મહંતે બે વર્ષ પહેલા જ આ અંગેની જાહેરાત કરી હતી. જાેકે, મહંતના પરિવારજનોએ અપીલ કરી હતી કે, મહંતે સમાધિ ન લેવી જાેઈએ. આવા મહાપુરૂષની દેશને જરૂર છે એટલે અમે મહંતને સમાધિ ન લેવા માટેની અપીલ કરીએ છીએ. જાેકે, સ્થળ પર આવેલા જિલ્લા પોલીસ વડાનું પણ કહેવું છે કે, મહંતે કોઈપણ પ્રકારનો ખાડો કરીને સમાધિ લેવાના નથી. સમાધિની વાત પછી પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસને પૂછવામાં આવ્યું હતુ કે, સમાધિએ એક પ્રકારનો અંધ વિશ્વાસને પ્રોત્સાહન આપવું અને આપઘાત બને છે. ત્યારે શું તેમની વિરુદ્ધ કોઈ પગલા લેવાશે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 2,875 પોઝીટીવ કેસ: 14 ના મોત, કુલ 3,18,238 કેસ

    અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 2875 થી વધુ નોંધાયા છે. જેની સામે 2024 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 14 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4566 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 2410 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,18,238 થયો છે. તેની સામે 2,98,737 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 3,18,238 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 15135 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,18,238 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 15135 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 163 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 14972 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,98,737 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4566 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 04 દર્દીના મૃત્યુ નોંધાયા છે.
    વધુ વાંચો
  • રાષ્ટ્રીય

    રાજ્યમાં અહીંથી એસઓજીની ટીમે 15 કિલો ગાંજો ઝડપી પાડ્યો

    મહેસાણા-બેચરાજી તાલુકાના માંથી એસઓજીની ટીમે ૧૫ કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં સફળ રહી હતી મહેસાણા એસઓજી ટીમે બાતમી આધારે રેઇડ કરી એક ઓરડીમાં સંતાડેલ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો જેમાં તપાસ કરતા ર્જખ્તને ગાંજાનો જથ્થો, રોકડ રકમ, વજનકાંટો, સહિત કુલ કિ.રૂ.૧,૫૬,૨૬૦નો મુદ્દામાલ ઝડપી પડ્યો હતો મહેસાણા ર્જીંય્ની ટીમ મોઢેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી એ દરમ્યાન ર્જીંય્ ને ખાનગી બાતમી મળી હતી કે, મોઢેરા ગામની સીમમાં કેનાલથી મીઠી ધારીયાલ જતાં રોડ ઉપર આવેલ દશામા મંદીરના કમ્પાઉન્ડમાં આવેલ એક ઓરડીમાં પટેલ મફતલાલ દેવચંદદાસ અને તેનો મિત્ર પ્રજાપતિ શંકરદાસ ખોડીદાસ મળીને ગાંજાનો વેપાર કરી રહ્યા છે જેને લઇ સુજબુજ થી રેઇડ કરી ઓરડી માંથી એક ઇસમને ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો. મહેસાણા એસઓજી ની ટીમે બાતમી આધારે મોઢેરાની સીમમાં રેઇડ કરી હતી એ દરમીયાન બાતમી વળી જગ્યા પરથી ગાંજાનો જથ્થો ૧૫ કિલો ૩૨૫ ગ્રામ કિ.રૂ.૧,૫૩,૨૫૦નો ઝડપી પાડ્યો હતો તેમજ રોકડ રકમ રૂ.૨,૦૧૦, મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫૦૦, વજનકાંટો-લોખંડના બાટ કિ.રૂ.૫૦૦ મળી કુલ કિ.રૂ.૧,૫૬,૨૬૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને શંકરભાઇ પ્રજાપતિ, પટેલ મફતલાલ અને ગાંજાે આપનાર મોતીભાઇ સહિત ૩ સામે મોઢેરા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 890 પોઝીટીવ કેસ, 01 મોત, કુલ 2,79,097 કેસ

    અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 890 થી વધુ નોંધાયા છે. જેની સામે 594 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4425 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 890 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,79,097 થયો છે. તેની સામે 2,69,955 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,79,097 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 4717 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,79,097 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 4717 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 56 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 4661 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,69,955 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4425 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીનુ મૃત્યુ નોંધાયેલ છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 810 પોઝીટીવ કેસ, 02 ના મોત, કુલ 2,78,207 કેસ

    અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 810 થી વધુ નોંધાયા છે. જેની સામે 586 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 02 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4424 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 810 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,78,207 થયો છે. તેની સામે 2,69,361 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,78,207 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 4422 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,78,207 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 4422 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 54 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 4368 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,69,361 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4424 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 02 દર્દીના મૃત્યુ નોંધાયા છે.
    વધુ વાંચો
  • રાષ્ટ્રીય

    બીજી પુત્રી આવતાં મા-બાપે જ કાસળ કાઢી નાંખ્યું, ઘટના કેવી રીતે બહાર આવી

    મહેસાણા-સામાન્ય રીતે આપણે દીકરીને ઘરની લક્ષ્મી માનતા હોઇએ છીએ પરંતુ હજી પણ એવી માનસિકતાવાળા લોકો છે જે દીકરીને હજી ભાર માને છે. બજી એવા વિચારોવાળા લોકો છે જેને પુત્રનો મોહ છે. ત્યારે મહેસાણાના કડીમાં એક રૂંવાટા ઉભા કરી દેતી ઘટના સામે આવી છે. મહેસાણાના કડીના કરણનગર રોડ પરના રાજભૂમિ ફ્લેટની આ ઘટના છે. જ્યાં એક પરિવારે ૩૨ દિવસની દીકરીને મોતને ઘાટ ઉતારી છે. નાનકડી આ દીકરીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું ડૉક્ટરોની પેનલમાં કરાયેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે. જે બાદ પોલીસે આ અંગેની ફરિયાદ દાખલ કરી છે. પોલીસે માતા પટેલ રીનાબેન હાર્દિકભાઇ, પિતા હાર્દિકભાઈ ઉપેન્દ્રભાઈ, દાદી નીતાબેન ઉપેન્દ્રભાઈ તેમજ દાદા ઉપેન્દ્રભાઈ જાેઈતારામ સામે ફરિયાદ નોંધી છે. આ દીકરીનું નામ મિષ્ટી રાખ્યું હતું. આ ઘટના આશરે એક વર્ષ પહેલાની છે. આ આખા બનાવમાં પ્રકાશ પાડતા પોલીસે જણાવ્યું કે, કડી પોલીસ સ્ટેશનમાં એક બાળકીનું ૨૨-૧૨ -૨૦૧૯ના રોજ અકસ્માતે મોત જાહેર થયું હતું. જેમા મિષ્ટી નામની એક માસ અને બે દિવસની દકરીના ગળાના ભાગે લાલ ચિન્હો હતા અને તેના મૃત્યુંની જાહેરાત થઇ હતી. જે બાદ પોલીસે અકસ્માતે ગુનો દાખલ કરીને પેનલમાં અમદાવાદ ખાતે પીએમ કરાવવામાં આવ્યુ હતું. પોલીસે વધુમાં જણાવ્યું કે, પીએમ રિપોર્ટમાં ગળું દબાવીને મોત નીપજાવવાની હકીકત બહાર આવી. જેથી આ અંગે ફરીયાદ કરવામાં આવી છે. આ ફરિયાદ બાળકીની માતા, પિતા, દાદા, દાદી સામે કરવામાં આવી છે. તપાસ હાલ ચાલુ છે. પ્રાથમિક ધોરણે જાેતા એક દીકરી હોવાથી બીજી દીકરીની હત્યા કરી હોવાનું જણાય છે. પરંતુ આ કેસમાં આરોપીની પૂછપરછ કરવામાં આવશે. પોલીસ દ્વારા આ ફરિયાદ ગઇકાલે રાતે નોંધવામાં આવી હતી. આજે એટલે રવિવારે પણ આ પરિવાર ઘરે જ હતો પરંતુ અચાનક આ પરિવાર ગાયબ થઇ ગયો છે અને ઘરમાં તાળા લાગેલા છે.
    વધુ વાંચો
  • ક્રાઈમ વોચ

    જૂઓ અહીં પોલીસે નકલી નોટનું કૌભાંડ કેવી રીતે ખુલ્લું પાડી દીધું

    મહેસાણા-એલસીબીએ ડમી ગ્રાહક ઉભો કરી મહેસાણામાં માનવ આશ્રમના સાંઈબાબા રોડ પરના પાટીદાર પ્લાઝા પાસેથી નોટબંધી દરમિયાન બંધ થઇ ગયેલી ૧ હજાર અને ૫૦૦ના દરની ૮૬ લાખની ચલણી નોટો સાથે ગુરુવારે બે શખ્શોને ઝડપ્યા હતા.શહેર એ ડિવિજન પોલીસ સ્ટેશનમાં બન્ને સામે ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરાઇ છે. સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬માં નોટબંધી દરમિયાન બંધ કરાયેલ રૂ ૧હજાર અને રૂ૫૦૦ના દરની ચલણી નોટો બદલાવા બે શખ્સો ફરી રહ્યાની મહેસાણા એલસીબી પીએસઆઇ એસ.બી.ઝાલા અને હે.કો.શૈલેષ મયજીભાઇને બાતમી મળી હતી.જે સંબંધે મહેસાણા એસપી ર્ડો પાર્થરાજસિંહની સુચનાથી ગુરુવારે એલસીબી સ્ટાફને સાથે રાખી ગ્રાહક ઉભો કરીને કિશોર છનાભાઇ ઓડ રહે.ખેરાલુ અને વિજયસિંહ શિવસિંહ રાઠોડને મોબાઇલ ફોન કરી જુની નોટો સાથે રમાનવ આશ્રમ નજીક સાંઇબાબા રોડ પાટીદાર પ્લાઝા નજીક બોલાવ્યો હતો. અહી ઉપરોકત બન્ને શખ્શો પહોંચતાની સાથે જ પોલીસે જીજે.૦૨.એપી.૮૦૩૩ નંબરની અલ્ટોકાર સાથે ૮૬ લાખની નોટ ો સાથે ઝડપી પુછપરછ હાથધરી હતી.પોલીસે બન્ને આરોપીઓ સામે સીઆરપીસી કલમ ૪૧(૧),ડી મુજબ કાયદેસર કાર્યવાહી કરી પીએસઆઇ એસ.બી.ઝાલાએ તપાસ હાથ ધરી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

     ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 700 પોઝીટીવ કેસ, કુલ 2,75,907 કેસ

    અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 700 થી વધુ નોંધાયા છે. જેની સામે 451 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4418 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 700 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,75,907 થયો છે. તેની સામે 2,67,701 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. અગર રાજ્યવાર માહિતી જોવા જઈએ તો રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,75,907 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3788 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,75,907 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3788 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 49 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3739 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,67,701 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4418 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે કોરોના થી કોઈ મૃત્યુ નોંધાયા નથી.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 675 પોઝીટીવ કેસ, કુલ 2,75,197 કેસ

    અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 675 થી વધુ નોંધાયા છે. જેની સામે 484 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4418 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 675 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,75,197 થયો છે. તેની સામે 2,67,250 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,75,197 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3529 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,75,197 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3529 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 47 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3482 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,67,250 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4418 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 00 દર્દીના મૃત્યુ નોંધાયા છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 581 પોઝીટીવ કેસ, 02 ના મોત, કુલ 2,74,522 કેસ

    અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 581 થી વધુ નોંધાયા છે. જેની સામે 453 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 02 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4418 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 581 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,74,522 થયો છે. તેની સામે 2,66,766 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,74,522 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3338 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,74,522 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3338 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 43 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3295 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,66,766 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4418 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીનુ મૃત્યુ નોંધાયેલ છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 555 પોઝીટીવ કેસ, 01 ના મોત, કુલ 2,73,941 કેસ

    અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 555 થી વધુ નોંધાયા છે. જેની સામે 482 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4416 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 555 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,73,941 થયો છે. તેની સામે 2,66,313 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,73,941 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3212 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,73,941 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3212 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 41 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3171 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,66,313 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4416 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીના મૃત્યુ નોંધાયા છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    શેકાવા માટે તૈયાર રહેજો: ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રી આસપાસ પહોંચશે

    ગાંધીનગર-રાજ્યમાં ધીમે ધીમે ગરમીનો પારો વધી રહ્યો છે. રાજ્યનાં ૧૪ શહેરોમાં ગરમીનો પારો ૩૫ ડીગ્રીને પાર પહોંચી ગયો છે. આગામી દિવસોમાં હજુ પણ ગરમીનો પારો વધુ ઊંચકાય એવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં માર્ચથી મે મહિના સુધી તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેશે. બીજી તરફ, રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆત થતાં જ અનેક જગ્યાએ કાળઝાળ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. રાજ્યનાં શહેરોમાં ગરમીના પારાની વાત કરીએ તો અમદાવાદમાં ગરમીનો પારો ૩૭.૫ ડીગ્રીએ પહોંચ્યો હતો. તો ગાંધીનગરમાં ગરમીનો પારો ૩૬.૮ ડીગ્રી સુધી પહોંચ્યો હતો. ડીસામાં ૩૬.૪ ડીગ્રી, વલ્લભવિદ્યાનગરમાં ૩૬.૭ ડીગ્રી, વડોદરામાં ૩૬.૬ ડીગ્રી, સુરતમાં ૩૫.૫ ડીગ્રી, અમરેલીમાં ૩૭.૮ ડીગ્રી, ભાવનગરમાં ૩૫.૨ ડીગ્રી, રાજકોટમાં ૩૭.૬ ડીગ્રી સુરેન્દ્રનગરમાં ૩૭.૮ ડીગ્રી, મહુવામાં ૩૫.૬ ડીગ્રી, કેશોદમાં ૩૫.૨ ડીગ્રી, ભુજમાં ૩૫ ડીગ્રી નોંધાયું હતું. માર્ચની શરૂઆતની સાથે જ અમદાવાદ સહિતનાં શહેરમાં ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. હાલમાં સવારના સમયે શિયાળા જેવી ગુલાબી ઠંડી અને બપોરના સમયે ગરમી એમ બવેડી ઋતુની અહેસાસ થઈ રહ્યો છે. આ વખતે ચોમાસામાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડ્યો હતો. અનેક વિસ્તારોમાં તો અતિ વૃષ્ટિ જેવી હાલત હતી. હવે હવામાન વિભાગે ઉનાળાને લઈને આ વખતે વધારે ગરમી પડવાનું પૂર્વાનુમાન કર્યું છે ત્યારે લોકોએ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું રહેવું પડશે.
    વધુ વાંચો