રાજકોટ સમાચાર
-
ધરતી સેલ્સ એજન્સીમાંથી ૫૪ લીટર વાસી કોલ્ડડ્રીંક્સના જથ્થાનો નાશ કરાયો
- 07, ફેબ્રુઆરી 2023 10:43 PM
- 5731 comments
- 6673 Views
રાજકોટ,તા.૭ રાજકોટ શહેરના ભાવનગ૨ ૨ોડ પ૨ આજી ડેમ ચોકડીથી જૈન દે૨ાસ૨ સુધીના ૨સ્તે ફુડ વિભાગે ખાણીપીણીના ૨૭ દુકાનદા૨ોને ત્યાં ચેકીંગ દરમિયાન ધરતી સેલ્સ એજન્સીમાંથી ૫૪ લીટર વાસી કોલ્ડડ્રીંક્સનો જથ્થો ઝડપાયો હતો. આ ઉપરાંત અન્ય સ્થળેથી કુલ ૮૬ કિલો વાસી ખોરાક મળ્યો હતો. જેથી બન્નેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વન વીક વન ૨ોડ અંતર્ગતની આ ઝુંબેશમાં આજે જૈન દે૨ાસ૨ ૨ોડ પ૨ આવેલ ધ૨તી સેલ્સ એજન્સીમાં ચેકીંગ ક૨વામાં આવતા ત્યાંથી ૨૦૦ એમ.એલ.ની ૨૭૦ બોટલ સોફટ ડ્રીંક્સ એકસ્પાય૨ી ડેટ વીતેલી મળી આવી હતી. જેથી આ ૫૪ લીટર કોલ્ડડ્રીંક્સનો નાશ ક૨વામાં આવ્યો હતો. ઉપ૨ાંત ૭ કિલો પેકડ નમકીન પણ વાસી મળતા તે ફેકી દઈને લાયસન્સ તથા હાઈજેનીક કંડીશન માટે નોટીસ આપવામાં આવી હતી. બાજુમાં આવેલ જય અંબે ફુડસમાંથી પણ ૨૫ કિલો અખાદ્ય ચણા મળતા તેનો નાશ ક૨ી યોગ્ય સ્ટો૨ેજ વ્યવસ્થા ક૨વા અને લાયસન્સ બાબતે નોટીસ અપાઈ હતી. આ ઉપ૨ાંત ખોડીયા૨ પાન, ખોડીયા૨ ટી સ્ટોલ અને મહાદેવ ડે૨ી ફાર્મને પણ તાકીદ ક૨ાઈ છે. આ ૨ોડ પ૨ આવેલ અન્ય દુકાનો ચામુંડા ડે૨ી, હેમલ પાન, દ્વા૨કેશ પાન, મુ૨લીધ૨ પાન, આનંદ કોલ્ડડ્રીંક્સ, શક્તિ નાસ્તા ગ્રુપ, બજ૨ંગ મેડીકલ, સમ્રાટ ૧, શુભમ ડે૨ી, ૨ાધે ક્રિષ્ન ડે૨ી, શ્યામ ડે૨ી, અ૨માન જન૨લ સ્ટોર્સ, શ્યામ સ્ટોર્સ, બજ૨ંગ ફ૨સાણ, ચામુંડા પાન, સાંઈનાથ પાંઉભાજી, બજ૨ંગ પાન, ઓમ શાંતિ પાણી પુ૨ી, ૨ોનક પાંઉભાજી, જય શક્તિ મીલ, જય ૨ામનાથ પાન, ફ્રોઝન આઈસ્ક્રીમની પણ તપાસ ક૨ાઈ હતી.ફુડ તંત્રએ જયુબેલી શાકમાર્કેટ સામે ગુમાનસિંહજી સેન્ટ૨માં દિ૨યાલાલ ટ્રેડર્સમાંથી ક્રીમીલાઈટ ફેટ સ્પ્રેડ અને કુવાડવા ૨ોડ પ૨ ૧૪ લાતી પ્લોટમાં આવેલ ઓમ એન્ટ૨પ્રાઈઝમાંથી અમુલ મોઝ૨ેલા એન્ડ ચીઝ, અમુલ પીનટ સ્પ્રેડના નમુના લઈ લેબો૨ેટ૨ીમાં પ૨ીક્ષણ માટે મોકલ્યા છે.વધુ વાંચો -
રાજકોટ સિવિલમાં દારૂ ઢીંચીને દર્દીની સારવાર કરતો તબીબ રંગેહાથ ઝડપાયો
- 07, ફેબ્રુઆરી 2023 10:37 PM
- 6448 comments
- 3615 Views
રાજકોટ,તા.૭ રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક્કસ બાતમીને આધારે સિવિલ હોસ્પિટલમાં દરોડા પાડ્યા હતા. જ્યાં ઇમર્જન્સી રૂમમાં ફરજ બજાવતો ડો.સાહિલ ખોખર ફરજ દરમિયાન દારૂ ઢીંચતો હતો અને નશાખોર હાલતમાં દર્દીઓની સારવાર કરતો ઝડપાયો હતો. પોલીસે ડોક્ટર રૂમની તલાશી લેતા તેના કબાટના ખાનામાંથી દારૂનો જથ્થો પણ મળી આવતા તબીબનો ભાંડો ફૂટી ગયો હતો. આ અંગે ક્રાઇમ બ્રાન્ચના છઝ્રઁ ભરત બસિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે, સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતો ડો.સાહિલ ખોખર પોતાની ડ્યૂટી દરમિયાન હોસ્પિટલમાં જ દારૂ ઢીંચે છે. જેથી ક્રાઇમ બ્રાંચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતો. એ સમયે ડો.સાહિલ ખોખર ઇમર્જન્સી રૂમની બહાર કાચની કેબિનમાં એક નર્સ સાથે બેઠો હતો, ડો.ખોખરને ક્રાઇમ બ્રાંચની ટીમે પોતાની ઓળખ આપી તેનું માસ્ક હટાવતાં જ ડોક્ટર ખોખર નશાખોર હાલતમાં મળી આવ્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ડો.સાહિલ ખોખરને કેસબારીની સામે આવેલા ડોક્ટર રૂમમાં લઇ જવાયો હતો, જ્યાં લાકડાંના કબાટમાં તેનું ખાનું ખોલાવતાં જ પાણીની બોટલમાં દારૂ ભરેલો મળ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ડો.ખોખર ચારેક વર્ષથી કરારી તબીબ તરીકે ફરજ બજાવે છે. તેણે પોલીસ પાસે કબુલ્યું છે કે તે જ્યારે પણ ફરજ પર હોય ત્યારે ડોક્ટર રૂમમાં જઇને દારૂના ઘૂંટડા મારી ફરી ઇમર્જન્સી રૂમમાં આવી જતો હતો. હાલ સમગ્ર મામલે હ્લૈંઇ ફાઈલ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષક ડો. એસ.પી.રાઠોડે જણાવ્યું હતું કે, સમગ્ર મામલે ૩ અધિકારીઓની તપાસ કમિટી બનાવવામાં આવી છે. તપાસ કમિટી દ્વારા સમગ્ર મામલે તપાસ કરી ૨૪ કલાકમાં પ્રાથમિક રિપોર્ટ આપવામાં આવશે અને રિપોર્ટ આવ્યા બાદ વડી કચેરીએ મોકલી કાર્યવાહી કરવામાં આવશે.વધુ વાંચો -
વડી અદાલતે જામીન આપવાની ના પાડતા જામીન અરજી પરત ખેંચાઇ
- 04, ફેબ્રુઆરી 2023 01:30 AM
- 1208 comments
- 8946 Views
રાજકોટ રાજકોટમાં ૭ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત ત્રણ શખ્સોએ બિલ્ડર મયૂરસિંહ રાણા પર પાઇપથી જીવલેણ હુમલો કર્યો હતો. જાેકે આ કેસમાં ૯ દિવસ ફરાર રહેલો દેવાયત ખવડ ૧૦માં દિવસે ક્રાઈમ બ્રાન્ચમાં સામેથી હાજર થયો હતો. બાદમાં પોલીસે તેની ધરપકડ કરી હતી અને જેલહવાલે કર્યો હતો. દેવાયત ખવડે જામીન અરજી કરી હતી. પરંતુ ૨૧ દિવસ પહેલા રાજકોટ સેશન્સ કોર્ટમાં સુનવણી હાથ ધરાઇ હતી. જેમાં કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી. બાદમાં દેવાયત ખવડે હાઇકોર્ટના દ્વાર ખટખટાવી જામીન અરજી કરી હતી. જાેકે આજે હાઇકોર્ટે જામીન આપવાની ના પાડતા જામીન અરજી પરત ખેંચી લેવામાં આવી હતી. આથી દેવાયત ખવડનો જેલવાસ લંબાયો છે. હાઇકોર્ટમાં સરકારી વકીલે દલિલ કરતા જણાવ્યં હતું કે, દેવાયત ખવડ અને અન્ય બે આરોપી સામે ગંભીર પ્રકારની કલમો નોંધાયેલી છે. તેમજ સજ્જડ પૂરાવાઓ હોવાથી તેમને જામીન આપવા ન જાેઈએ. તેમજ જાે જામીન આપવામાં આવે તો પૂરાવાઓને સાક્ષી સાથે ચેડાં થઈ શકે તેમ છે. જેથી હાઇકોર્ટે જામીન આપવામાં નહીં આવે તેવું કહેતા દેવાયત ખવડના વકીલે પોતાની જામીન અરજી પરત ખેંચી લીધી હતી. કાલાવડ રોડ પરની વિષ્ણુવિહાર સોસાયટીમાં રહેતા બિલ્ડર મયૂરસિંહ સંપતસિંહ રાણા (ઉં.વ.૪૨) ૭ ડિસેમ્બરના રોજ બપોરે સર્વેશ્વર ચોકમાં ચિત્રકૂટ એપાર્ટમેન્ટ પાસે પાર્ક કરેલી પોતાની કાર પાસે જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી એક કાર ધસી આવી હતી અને કારમાંથી દેવાયત ખવડ તથા એક અજાણ્યો શખસ નીચે ઊતર્યા હતા. મયૂરસિંહ કંઈ સમજે એ પહેલાં જ દેવાયત સહિત બન્ને શખસ ધોકા-પાઇપથી યુવક પર તૂટી પડ્યા હતા અને જાહેરમાં હિચકારો હુમલો કર્યો હતો.વધુ વાંચો -
મનપા કર્મચારીની છરીના ઘા ઝીંકી હત્યા કરનાર આઠ શખ્સોની ધરપકડ
- 04, ફેબ્રુઆરી 2023 01:30 AM
- 7897 comments
- 8589 Views
રાજકોટ રાજકોટ શહેરના ૮૦ ફૂટ રોડ આંબેડકરનગરમાં બુધવારે રાતે નવા થોરાળા મેઇન રોડ, સ્વામિનારાયણ સ્કૂલની સામે -૧માં રહેતા અને મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટીમાં નોકરી કરતા સિદ્ધાર્થ ઉર્ફે રઘો જીવણભાઇ મકવાણા નામના યુવાનની સરાજાહેર હત્યા થઇ હતી. બે મહિના પહેલા થયેલી માથાકૂટનો ખાર રાખી તેમજ શેરીમાંથી નીકળવાની ના પાડી તો પણ કેમ નીકળે છે તેમ કહી કાર અને બાઇકમાં ધસી આવેલા ૮ શખ્સે છરીના ઘા ઝીંકી તેમજ માર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. હત્યાના બનાવને પગલે થોરાળા પોલીસ મથકના પીઆઇ ડો.એલ.કે.જેઠવા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતક સિદ્ધાર્થના બનેવી સુનિલભાઇ નાથાભાઇ ચાવડાની ફરિયાદ પરથી આઠ શખ્સ સામે ગુનો નોંધ્યો હતો. ઘટનાસ્થળે દોડી ગયેલી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા બાદ આરોપીઓને સકંજામાં લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. સિદ્ધાર્થ ઉર્ફે રઘાની હત્યા થયા બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. દરમિયાન તબીબોએ કરેલા પોસ્ટમોર્ટમમાં સિદ્ધાર્થને છરીના બે ઘા ઝીંકાયા હતા. જેમાં સિદ્ધાર્થને છરીના પહેલા ઘાથી ગળાથી નીચેના ભાગે ગંભીર ઇજા થવાથી જમણી સાઇડનું ફેફસું તેમજ હૃદયથી ગળા તરફ જતી નસ કપાઇ ગયાનું અને છરીનો બીજાે ઘા નાભીની ઉપર લાગ્યો હતો. જેથી હોજરી કપાઇ ગઇ હતી.વધુ વાંચો -
રાજકોટમાં વેસ્ટ ઝોનમાં એક દુકાન, ત્રણ ઓરડી સહિત દબાણો પર જેસીબી ફરી વળ્યું
- 22, જાન્યુઆરી 2023 01:30 AM
- 9436 comments
- 3802 Views
રાજકોટ, ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ઈસ્ટ ઝોન કચેરી હેઠળના વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યા હતા. આજે પૂર્વ ઝોન વોર્ડ નં.૪ અને ૧૮માં થયેલા અન-અધિકૃત દબાણો દૂર કર્યા હતા તેના પર ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજે ૧ દુકાન અને ૩ ઓરડી સહિત ગેરકાયદે બાંધકામો દૂર કરી અંદાજિત ૧૫૪૬ ચોરસ મીટરની ૬.૬૫ કરોડની જમીન ખુલ્લી કરાવી હતી. આ ડિમોલિશનમાં ટાઉન પ્લાનિંગ શાખા (ઇસ્ટ ઝોન)ના તમામ સ્ટાફ તથા રોશની શાખા, દબાણ હટાવ શાખા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ફાયર અને ઇમરજન્સી વિભાગ, બાંધકામ શાખા તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહ્યો હતો.વધુ વાંચો -
‘વન વીક, વન રોડ’ ઝુંબેશ હેઠળ ગેરકાયદેના દબાણો, ઓટલા-છાપરાઓ પર બુલડોઝર ફેરવ્યા
- 17, જાન્યુઆરી 2023 11:10 PM
- 8205 comments
- 9244 Views
રાજકોટ,તા.૧૭આજથી ૮ મહિના પૂર્વે ગુજરાત સરકારે અનઅધિકૃત બાંધકામ દૂર કરવાનો, તોડી પાડવાનો સ્થગિત કર્યો હતો. ત્યારે હવે ચૂંટણી પૂર્ણ તથા દરેક ર્નિણય પરથી પ્રતિબંધ હટી ગયા હોય તેમ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જ્યાં મનપા દ્વારા રાજકોટમાં દર મંગળવારે ‘વન વીક, વન રોડ’ ઝુંબેશ શરુ કરવામાં આવી છે. જે અંતર્ગત શહેરના રાજમાર્ગો પર અડચણરૂપ છાપરા અને ઓટલાઓ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યાં આજે શહેરના આકાશવાણી ચોક થી કાલાવડ રોડ તરફ થયેલા દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું હતું. જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અનેક દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ૮ માસ પહેલા રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં હાઉસિંગ બોર્ડની વસાહતમાં વસાહતીઓ દ્વારા કરવામાં આવેલા વધારાના ગેરકાયદે બાંધકામો તોડી પાડવા અંગે હાઉસિંગ બોર્ડ દ્વારા જાહેર સૂચના આપ્યા બાદ બાંધકામ તોડી પાડવાની ઝૂંબેશ માટેની કવાયત હાથ ધરી હતી પરંતુ ચૂંટણી ટાણે હજારો નાગરિકોના મકાન પર બુલડોઝર ફેરવવાના આ ર્નિણય સામે દિલ્હી સુધી ફરિયાદો પહોંચતા આખરે હાઉસિંગ બોર્ડને આ ર્નિણય સ્થગિત કરવાની ફરજ પડી હતી. આ અંગે રાજકોટ મનપાના ટાઉન પ્લાનરના જણાવ્યાનુસાર મહાનગરપાલિકા દ્વારા આજથી વન ડે વનવોર્ડ અંતર્ગત ડીમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.વધુ વાંચો -
રાજકોટમાં બાળકીને ધ્રુજારી ઉપડતા બેભાન થઈ ઢળી પડી
- 17, જાન્યુઆરી 2023 11:06 PM
- 8804 comments
- 6075 Views
રાજકોટ,તા.૧૭ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં તાપમાનનો પારો ગગડતા કાતિલ ઠંડીની શરૂઆત થઈ છે. ત્યારે ગોંડલ રોડ પર એ.વી.જસાણી સ્કૂલમાં ધોરણમાં ૮ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ધ્રુજારી ઉપાડ્યા બાદ બેભાન થઈ ઢળી પડતાં સ્કૂલ સંચાલકોએ તાકીદે સ્કૂલવેનમાં દોશી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં સગીરાનું મોત નિપજ્યાનું જાહેર કરતાં પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. બનાવની જાણ થતા માલવિયાનગર પોલીસે મૃતદેહને પી.એમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ શહેરના ઢેબર રોડ પર ગોપાલનગરમાં શેરી નંબર ૪ માં રહેતી અને ગોંડલ રોડ પર એ.વી.જસાણી સ્કૂલમાં ધોરણ ૮ માં અભ્યાસ કરતી રીયા કિરણકુમાર સાગર (ઉ.વ.૧૭)એ આજે સવારે ૭.૧૦ ની આસપાસ સ્કૂલવેનમાં બેસી પોતાની સ્કૂલે ગઈ હતી. ૭.૩૦ ની આસપાસ સ્કૂલે પહોંચીને પ્રાથનાખડમાં પ્રાથના કરી હતી. બાદમાં ધોરણ ૮ માં ક્લાસમાં પ્રવેશ્યા બાદ રિયાને ધ્રુજારી ઉપાડ્યા બાદ બેભાન થઈ ઢળી પડતાં સ્કૂલ સંચાલકોએ ૧૦૮ ને જાણ કરી હતી. આમ છતાં સમયસૂચકતા દાખવી સ્કૂલ સંચાલકોએ રીયાને બેશુદ્ધ હાલતમાં સ્કૂલવેનમાં બેસાડી તાકીદે દોશી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી જયાં ફરજ પરના તબીબે ઇસીજી રિપોર્ટ કર્યા બાદ રિયાને મૃત જાહેર કરી હતી. બનાવ અંગેની જાણ માલવીયાનગર પોલીસને કરવામાં આવતા એ.એસ.આઈ કે.યુ. વાળા ઘટના સ્થળે દોડી ગયા હતા. રિયાના પરિવારને જાણ કરી તેના મૃતદેહને પોસમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. મૃતક રીયા બે બહેનમાં મોટી હતી. નાની બહેનનું નામ નિરાલી છે. તેના પિતા સોનીકામ કરે છે. સોની પરિવાર અગાઉ ૧૦ વર્ષથી યુગાન્ડાના કંપાલામાં રહેતા હતા. કોરના કાળમાં કોરોના કેસો વધી જતાં તે રાજકોટ સ્થાયી થયા હતા. આ ઉપરાંત અન્ય એક બનાવમાં કોઠરીયા સોલવન્ટ પાસે સિતારામ સોસાયટીમાં રહેતાં પ્રજાપતિ પરિવારના ૧૦ વર્ષના પુત્રનું ઉલ્ટીઓ થયા બાદ તબિયત બગડતાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. સિતારામ સોસાયટી એ-૧માં રહેતાં કિર્તીભાઇ મારડીયાના પુત્ર કૃપાલ (ઉ.વ.૧૦)ને ગઇકાલે રાતે એકાએક ઉલ્ટીઓ થવા લાગતા બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેઙયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તૌફિકભાઇ જૂણાચે આજીડેમ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર કૃપાલ બે ભાઇમાં નાનો હતો અને ધોરણ-૫ માં ભણતો હતો. તેના પિતા કિર્તીભાઇ દરરોજ અલગ અલગ વિસ્તારોમાં ભરાતી બજારમાં છુટક વેપાર કરે છે. લાડકવાયાના અણધાર્યા મૃત્યુથી પરિવાર શોકમાં ગરક થઇ ગયો હતો.વધુ વાંચો -
લોકગાયક દેવાયત ખવડનો જેલવાસ લંબાયો રાજકોટ સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી
- 14, જાન્યુઆરી 2023 01:30 AM
- 998 comments
- 2195 Views
રાજકોટ, રાજકોટમાં ૭ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત ત્રણ શખ્સોએ બિલ્ડર મયૂરસિંહ રાણા પર પાઇપથી જીવલેણ હુમલો કર્યો હતો. જાેકે આ કેસમાં ૯ દિવસ ફરાર રહેલો દેવાયત ખવડ ૧૦માં દિવસે ક્રાઈમ બ્રાન્ચમાં સામેથી હાજર થયો હતો અને પોલીસે તેની ધરપકડ કરી હતી અને જેલહવાલે કર્યો હતો. બાદમાં દેવાયત ખવડે જામીન અરજી કરી હતી. જેની આજે સેશન્સ કોર્ટમાં સુનવણી હાથ ધરાઇ હતી. જેમાં કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી છે. હવે દેવાયત ખવડ હાઇકોર્ટના દ્વાર ખટખટાવી જામીન અરજી કરી શકે છે.દેવાયત ખવડ અને તેના સાથી આરોપી કાના રબારીની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દેતા બન્નેનો જેલવાસ હજી લંબાયો છે. આ પહેલા કોર્ટે ડ્રાઈવિંગ કરનાર આરોપી કિશન કુંભારવાડિયાની જામીન અરજી ફગાવી દીધી હતી. ફરિયાદી તરફના વકીલ તુષાર ગોકાણી અને સરકાર પક્ષે સરકારી વકીલ મહેશ જાેશીની દલિલો કોર્ટે માન્ય રાખી જામીન અરજી રદ કરી છે. આગામી દિવસોમાં દેવાયત ખવડ જામીન માટે હાઇકોર્ટમાં અરજી કરી શકે છે. સરકારી વકીલ મહેશ જાેશીએ જણાવ્યું હતું કે, આજે નામદાર કોર્ટે લોકગાયક દેવાયત ખવડ અને તેના સાગરીત કાનાએ જામીન અરજી કરી હતી. આજે તેની સુનવણી હતી અને કોર્ટે બન્ને પક્ષોની રજૂઆત બાદ રદ કરી છે. હવે દેવાયત ખવડ ગુજરાત હાઇકોર્ટમાં દાદ માગે અથવા તો ચાર્જશીટ સુધી રાહ જાેવે તો તેટલો સમય તેને જેલમાં જ રહેવું પડશે. ફરિયાદ પક્ષ તરફથી મુખ્ય રજૂઆત એવી હતી કે, જે બનાવ બન્યો છે તેના સીસીટીવી ફૂટેજ છે. નંબર પ્લેટ વગરની કારનો ઉપયોગ થયો છે. કારની અંદર લોખંડના પાઈપ રાખવામાં આવ્યા હતા. કારને તુરંત બનાવસ્થળે પહોંચાડી બન્નેએ ઈજા પામનાર પર તૂટી પડે છે. આવા સંજાેગોમાં સમાજ પર ખોટી અસર પડે તેમ છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લઈ જામીન અરજી રદ કરાઈ છે. કાલાવડ રોડ પરની વિષ્ણુવિહાર સોસાયટીમાં રહેતા બિલ્ડર મયૂરસિંહ સંપતસિંહ રાણા (ઉં.વ.૪૨) ૭ ડિસેમ્બરના રોજ બપોરે સર્વેશ્વર ચોકમાં ચિત્રકૂટ એપાર્ટમેન્ટ પાસે પાર્ક કરેલી પોતાની કાર પાસે જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી એક કાર ધસી આવી હતી અને કારમાંથી દેવાયત ખવડ તથા એક અજાણ્યો શખસ નીચે ઊતર્યા હતા. મયૂરસિંહ કંઈ સમજે એ પહેલાં જ દેવાયત સહિત બન્ને શખસ ધોકા-પાઇપથી યુવક પર તૂટી પડ્યા હતા અને જાહેરમાં હિચકારો હુમલો કર્યો હતો.વધુ વાંચો -
શાળામાં આચાર્યએ બાળાઓ પાસે ઈંટો ઉપડાવી!
- 08, જાન્યુઆરી 2023 01:30 AM
- 4319 comments
- 8824 Views
રાજકોટ રાજકોટ શહેર અને જિલ્લામાં બાળમજૂરી અટકવવા માટે શુક્રવારે કલેકટર અરુણ બાબુએ ચાઈલ્ડ લેબર ડિસ્ટ્રીક્ટ ટાસ્ક ફોર્સની બેઠક બોલાવી હતી અને ખાસ ખાસ ડ્રાઈવ કરવા આદેશ આપ્યા હતા. અને શુક્રવારે જ રાજકોટના કોઠારિયા સોલવન્ટમાં આવેલી નારાયણનગર કન્યાશાળામાં બાળાઓ પાસે સ્કૂલ કેમ્પસમાં રહેલી ઇંટો અને બ્લોક ઉપડાવતા હોવાનો વીડિયો ફરતો થતા વિવાદ થયો હતો. જે બાદ આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી તપાસ માટે પહોંચ્યા હતા. જ્યાં પ્રિન્સિપાલે બ્લોક અંદર લેવાની કામગીરીમાં શાળાની વિધાર્થીનીઓ મદદ કરવા આવી હોવાનો કર્યો દાવો કર્યો હતો.આ મામલે કેબિનેટ મંત્રી ભાનુ બાબરિયાએ જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર પાસેથી વિગતો મંગાવી તપાસના આદેશ આપ્યા છે.નારાયણનગર કન્યાશાળાના આચાર્ય મનસુખ મહેતાએ જણાવ્યુ હતું કે, શાળામાં બ્લોક નાખવાની કામગીરી ચાલુ હતી તેમાં શુક્રવારે બાળાઓની મદદ લીધી હતી. પરંતુ આવું કરવું એ અમારી ભૂલ હતી, હવે પછી ક્યારેય અમે આવું નહીં કરીએ. વાલીઓ પણ શાળાએ આવ્યા હતા અમે તેમની પણ માફી માંગીને હવે ક્યારેય આવી ભૂલ નહીં કરવા ખાતરી આપી છે. ખરેખર બ્લોકની કામગીરી માટે અમે અને શિક્ષકો પણ મદદમાં જાેડાયા હતા અને બાળકોની પણ મદદ લીધી હતી. પરંતુ હવે આવું ક્યારેય નહીં થાય. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે આચાર્ય અને શિક્ષકો પણ માથે ઊભા છે અને બાળકીઓ ઈંટ અને બ્લોકના ફેરા કરી રહી છે. નાની નાની બાળકીઓ પાસે આ શાળામાં ચાલી રહેલા ચણતરનું મજૂરીકામ કરાવવામાં આવતા વાલીઓ પણ રોષે ભરાયા હતા અને વીડિયો જાેયા બાદ શાળાએ દોડી ગયા હતા અને માથાકૂટ થઇ હતી પરંતુ આચાર્ય સહિતનાઓએ માફી માંગી લેતા મામલો થાળે પડ્યો હતો. વાલીઓ બાળકોને શાળાએ શિક્ષણ મેળવવા મોકલે છે પરંતુ કેટલીક શાળાના આચાર્ય અને શિક્ષકો ભૂલકાંઓ પાસે મજૂરીકામ પણ કરાવી લેતા હોય છે. ગામડાંઓમાં આવું મોટા પ્રમાણમાં થઇ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે શુક્રવારે રાજકોટના કોઠારિયા સોલવન્ટમાં આવેલી નારાયણનગર કન્યાશાળાની બાળાઓ પાસે શુક્રવારે ઈંટ અને બ્લોક ઉપડાવતા હોવાનો વીડિયો વાઇરલ થતાં વિવાદ થયો છે.કન્યાશાળાની લગભગ ૨૫થી વધુ બાળાઓને શાળામાં ચાલી રહેલા ચણતર કામ માટે ઈંટ અને બ્લોક ઉપાડવાનું કામ કરાવતા વિવાદ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે બાળાઓ વજનદાર બ્લોક ઉપાડીને એક જગ્યાથી બીજી જગ્યાએ લઇ જઈ રહી છે, કેટલીક બાળાઓ એકબીજીને બ્લોક પાસ કરી રહી છે. અગાઉ રાજકોટ જિલ્લાની બેડલા સરકારી શાળામાં શિક્ષકોની હાજરીમાં જ વિદ્યાર્થીઓ ભરતડકામાં રેતી-કપચી ભરી ભરીને કડિયાકામ કરી રહ્યા હોવાનો વીડિયો ફરતો થયો હતો. એક બાજુ સરકાર બાળમજૂરી અટકાવવાની વાતો કરે છે ત્યારે બીજી તરફ, સરકારી શાળામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરની જેમ કામ કરાવવામાં આવી રહ્યું છે.વધુ વાંચો -
રાજકોટ શહેરમાં ત્રણ શખ્સોએ મહિલાને છરીના ઘા ઝીંક્યા હુમલો કર્યો
- 18, ડિસેમ્બર 2022 01:30 AM
- 457 comments
- 4063 Views
રાજકોટ, રાજકોટ શહેરમાં દિવસે ને દિવસે ગુનાખોરીનો ગ્રાફ આગળ વધતો જાેવા મળી રહ્યો છે. ગઇકાલે રાજકોટ શહેરના નાનામવા રોડ પર જીવરાજ પાર્ક પાસે લક્ષ્મણ ટાઉનશિપમાં રહેતી ૩૭ વર્ષની મહિલા પર અજિતસિંહ ચાવડા સહિત ૩ શખસે અગાઉ કોર્ટમાં કરેલી બળાત્કારની ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી જાહેરમાં ખુલ્લી છરી સાથે આતંક મચાવી હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ મામલે મહિલાએ જણાવ્યું હતું કે ‘વ્યાજ ન આપું તો વ્યાજખોર વારંવાર બળાત્કાર આચરી વીડિયો ઉતારતો હતો.’ આ મામલે મહિલાએ જણાવ્યું હતું કે મારા પતિ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમણે અજિતસિંહ દિલુભા ચાવડા પાસેથી રૂા.૫૦ હજારની રકમ વ્યાજે લીધી હતી. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અજિતસિંહના સખત દબાણ અને ધમકી તેમજ અમાનુષી અત્યાચારથી અમે ત્રાસી ગયા હતા. તે બળજબરીથી મારી ઇચ્છા વિરુદ્ધ વ્યાજની રકમ ચૂકવવા પેટે મારા જ ઘરમાં મારી પર દુષ્કર્મ આચરતો હતો અને કહેતો ‘જ્યાં સુધી શરીરસુખ માણવા મળશે ત્યાં સુધી વ્યાજ નહિ દેવું પડે અને મૂળ રકમ પણ કોઈ માગશે નહિ,’ એમ ન કરીએ તો મારા સગીર બાળકોને ઉપાડી જવાની અને મારા પતિને જેલમા ધકેલી દેવાની ધમકી આપતો હતો.વધુ વાંચો -
રાજકોટમાં ભૂરાઈ થયેલી ગાયે દોટ મૂકી આધેડને શિંગડાંમાં ભરાવી ઊંધે માથે પટક્યા
- 18, ડિસેમ્બર 2022 01:30 AM
- 269 comments
- 7343 Views
રાજકોટ, રાજકોટ શહેરમાં રસ્તે રઝળતાં પશુઓને કારણે અગાઉ અનેક જીવલેણ અકસ્માતો બન્યા છે તેમજ ગાય સહિતનાં પશુઓની ઢીંકથી મૃત્યુના કિસ્સા પણ બન્યા છે છતાં રસ્તે રઝળતાં પશુઓને ડબ્બે પૂરવામાં નિષ્ફળ ગયેલી મહાનગરપાલિકા તંત્રની લાપરવાહીને કારણે વધુ એક વ્યક્તિ એનો ભોગ બની છે. જ્યાં રાજકોટ શહેરના ભોમેશ્વર વિસ્તારમાં રાહદારી આર્મીમેન નવલસિંહ ઝાલાને નિહાળીને રખડતી ગાય ઉશ્કેરાઈ હતી અને શિંગડાં ભરાવી તેમને અડફેટે લીધા હતા. આ સમગ્ર બનાવ કેદ થયો હતો. આ બનાવમાં એક બાળકને પણ ઈજાઓ થઈ છે. ઘટનાને પગલે આર્મીમેન ગંભીર રીતે ઘાયલ થયા હતા અને પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને બ્રેઈન-હેમરેજ થયાનું સામે આવ્યું છે.એક મહિના પહેલાં રાજકોટના ગોપાલ ચોક નજીક સ્કાય કિડ્સ સ્કૂલની સામે રસિકલાલ ઠકરાર નામના વૃદ્ધ ચાલીને જતા હતા. આ સમયે કાળા રંગની એક ગાયે અચાનક રસિકલાલને ઢીંકે ચડાવી બાનમાં લીધા હતા. રસિકલાલ જમીન પર પટકાતાં ગાયે શિંગડાં અને પગ વડે રસિકલાલને ૩ મિનિટ સુધી સતત રગદોળ્યા હતા, આથી તેમને ગંભીર ઇજા પહોંચતાં તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈ રસિકલાલના પુત્ર વૈભવે ગાયના માલિક વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. રાજકોટમાં રખડતા ઢોરે ભોગ લીધાનો પ્રથમ ગુનો નોંધાયો હતો. ત્યારે ફરી એક પ્રૌઢ પશુનો ભોગ બનતાં શહેરમાં મનપાની કામગીરી પર સવાલો થઈ રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટી પર ચાર માસ પૂર્વે કેટલાંક અસામાજિક તત્ત્વોએ હુમલો કરીને ઢોર પકડવાની કામગીરી અટકાવવા પ્રયત્ન કર્યો હતો ત્યારે મ્યુનિસિપલ કમિશનરે વધારાનો પોલીસ-બંદોબસ્ત માગીને તેમજ સ્ટાફ બમણો કરી કામગીરી વધુ તેજ બનાવવા જાહેરાત કરી હતી. આ કામગીરી માંડ એક સપ્તાહ ચાલુ રહી હતી અને હવે ફરીથી ઠંડી પડી ગઈ છે, જેના કારણે રાજકોટ શહેરમાં રઝળતાં ઢોરના ત્રાસમાંથી મુક્તિ મળતી જ નથી. પાલિકા સ્ટાફ પર હુમલો કરાયો ત્યારે ઢોર ડબે પુરાયા અને હવે તંત્ર ડબે પુરાઈ જતાં ઢોરે વધુ એક જિંદગીનો ભોગ લીધો છે. રાજકોટ શહેરમાં રખડતાં ઢોરના ત્રાસમાંથી મુક્તિ માટે ૬૦ દિવસમાં તમામનું રજિસ્ટ્રેશન કરવા માટે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જાેકે આમ છતાં હજુ સુધી નવું એકપણ રજિસ્ટ્રેશન થયું નથી, કારણ કે પશુપાલકો પાસે ઢોરને રાખી શકાય એ મુજબની જગ્યા જ નથી. આ સ્થિતિ આવતાં મનપાએ પૂર્વ તૈયારીના ભાગરૂપે હયાત એનિમલ હોસ્ટેલમાં શેડ બનાવવા અને નવી ૩ એનિમલ હોસ્ટેલ ઊભી કરવા માટે તૈયારી આદરી છે. મનપાની આ વ્યવસ્થા કરવા છતાં પણ રખડતાં ઢોરની સમસ્યા યથાવત્ રહી શકે છે. નિયમ મુજબ ઢોરના રજિસ્ટ્રેશન માટે પશુદીઠ ૬૦ ચોરસ ફૂટની માલિકીની જગ્યા હોવી જાેઇએ.નિયમ મુજબ એક પશુ રાખવા માટે ૬૦ ચોરસ ફૂટની જગ્યા જાેઇએ.ધ્રાંગધ્રામાં રખડતા ઢોરોએ બજારમાં અડીંગો જમાવતા લોકો પરેશાન ધ્રાંગધ્રામાં છેલ્લા થોડા દિવસથી મુખ્ય બજારમાં અને શેરીઓમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. જેને પગલે લોકો પરેશાન થઈ ગયા છે. નગરપાલિકા યોગ્ય પગલા લઈ રખડતા ઢોરને દૂર કરે તેવી લોક માગણી ઊઠી છે. ધ્રાંગધ્રા શહેરમા મુખ્ય બજાર સહીત અલગ અલગ વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી ઢોરનો ત્રાસ વધ્યો છે. ત્યારે લોકો ખરીદી કરવા માટે જતા ડરે છે. બાળકો પણ બહાર નીકળતા ડરે છે, અને વાહન ચાલકોને પણ અવારનવાર અકસ્માતના ભોગ બનવું પડે છે. શહેરની બજાર, ગલીઓમાં મોટા પ્રમાણમાં ઢોરના ટોળા જાેવા મળે છે. ત્યારે નગરપાલિકા દ્વારા ઢોરને પકડવાની વ્યવસ્થા કરવી જાેઈએ તેવી લોક માગણી ઊઠી છે. આ અંગે નગરજનોની માગ ઉઠી છે કે, ઢોર મુખ્ય બજાર સહિત શેરી, ગલીઓમાં રસ્તા વચ્ચે મોટા પ્રમાણમાં અડ્ડો જમાવી બેસે છે. રખડતા ઢોરની અવારનવાર લડાઈને લઈને વાહનોને નુકસાન થાય છે.વધુ વાંચો -
રાણો રાણાની રીતે ફેમ દેવાયત ખવડ અને બે સાગરીતો સાથે લોકઅપમાં કેદ
- 18, ડિસેમ્બર 2022 01:30 AM
- 1758 comments
- 7986 Views
રાજકોટ, રાજકોટમાં આજે લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના બે સાગરીતોને પોલીસે કોર્ટમાં રિમાન્ડર અર્થે રજૂ કર્યા હતા. પોલીસે દેવાયત ખવડને કોર્ટમાં રજૂ કરે તે પૂર્વે જ ઘટનામાં સામેલ અન્ય બે આરોપી સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થયા હતા. જેમાં હરેશ ઉર્ફે કાનો રબારી અને કિશન કુંભારવાડીયા પોલીસ સમક્ષ હાજર થયા છે. ઉલ્લેખનીય છે કે ગુનો નોંધાયા બાદ પણ ૧૦ દિવસ સુધી પોલીસ દેવાયત ખવડને પકડી શકી ન હતી. જે બાદમાં શુક્રવારે દેવાયત ખવડ સામે ચાલીને ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયો હતો. ત્યારે ઘટનામાં સામેલ અન્ય બે આરોપીઓ પણ સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થયા છે. ત્યારે પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે અને પોલીસ એક પણ આરોપીને પકડી શકી નથી તેવું ચર્ચાઈ રહ્યું છે. હાલ દેવાયત ખવડ સહિત ત્રણેયને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે કોર્ટ દ્વારા બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.રાજકોટમાં ૭ ડિસેમ્બરના રોજ ‘રાણો રાણાની રીતે’ ફેમ લોકકલાકાર દેવાયત ખવડ સહિત બે શખસે બિલ્ડર પર પાઇપથી હિચકારો હુમલો કર્યો હતો. આ ઘટનામાં પોલીસ ફરિયાદમાં દેવાયત ખવડ છેલ્લા ૧૦ દિવસથી પોલીસ પકડથી દૂર હતો. ત્યારે હુમલાનો ભોગ બનેલા બિલ્ડર મયૂરસિંહ રાણાએ શુક્રવારે ન્યાય માટે સીધી જ લેખિત ફરિયાદ કરતાં દેવાયત ખવડને પણ રેલો આવ્યો અને સીધો ક્રાઇમ બ્રાન્ચમાં દોડી આવ્યો છે. દેવાયત ખવડ ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થતાં એ ડિવિઝન પોલીસ પણ તેમનો કબજાે લેવા પહોંચી ગઈ હતી. બાદમાં દેવાયત ખવડને એ ડિવિઝન પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો.વધુ વાંચો -
ચૂંટણી અને લગ્નસરાની સીઝન ખીલતા દૈનિક ૧૫૦૦ કિલો ફુલનો વેપાર
- 27, નવેમ્બર 2022 01:30 AM
- 7240 comments
- 4947 Views
રાજકોટ, ગત બે વર્ષ દરમિયાન કોરોના મહામારીની તબક્કાવાર ત્રણ લહેર આવતા વેવિશાળ, લગ્ન કે ધાર્મિક ઉજવણી કરવામાં તો આવી, પણ સંયમ સાથે. ક્યાંક નિયત સંખ્યા તો ક્યાંક આર્થિક સંકડામણ કારણભૂત રહી. હવે જ્યારે બધી જ માર્કેટ ખુલ્લી છે, વેપાર ધંધા નિયમિત થયા છે, આવકનો સ્ત્રોત વધ્યો તેને કારણે આર્થિક સ્થિરતા આવતા લોકોના મન ખુલ્યા છે.તેમાંય ચૂંટણી અને લગ્નસરાની સીઝન પૂર બહાર ખીલતા ભર શિયાળે ફૂલ બજારમાં ગરમીનો માહોલ જાેવા મળી રહ્યો છે. જેમાં વિદેશી ફૂલનાં બુકેની ડિમાન્ડમાં ખૂબ વધારો થયો છે. તેની સાથે ભાવમાં ખાસ્સો ઉછાળો આવવા છતાં આવા ફૂલ ખરીદવા લોકોની લાઈનો લાગી રહી છે. જેને લઈ હાલ વેપારીઓમાં ખુશીનો માહોલ છવાઇ રહ્યો છે.ફૂલ બજારનાં વેપારીઓનાં જણાવ્યા મુજબ, હાલમાં એકતરફ લગ્નગાળો અને બીજીતરફ ચૂંટણીને કારણે સામાન્ય દિવસો કરતા ફુલોના વેંચાણમાં મોટો વધારો નોંધાયો છે. રાજકોટની ફુલ બજારમાં રૂ. ૪૦ થી લઈ રૂ. ૨૦૦૦નાં કિલો સુધીના ફૂલ વેચાય છે. સામાન્ય દિવસોમાં દરરોજ ૨૦૦ થી ૫૦૦ કિલો ફુલનો વેપાર થાય છે. જ્યારે ચૂંટણી અને લગ્ન ગાળાના લીધે હાલ ૧૫૦૦ થી ૨૦૦૦ કિલો ફૂલ વેંચાઈ રહ્યા છે. ભાવમાં ખાસ્સો વધારો થયો હોવા છતાં લોકો ફૂલ ખરીદવા તૈયાર છે. વધુમાં તેઓએ કહ્યું કે, રનિંગ ગુલાબ અને ગલગોટા સહિત હાલ ડચ ગુલાબ, જરબરા, એંથોરિયમ સહિત વિવિધ ફુલો ધૂમ મચાવી રહ્યા છે. બોટમ ઇન્ડિયા, સન ઓફ ઇન્ડિયા સહિતની ફૂલની નવી વેરાઈટીઓ લોકો અને નેતાઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. લગ્નમાં તો રનિંગ ફૂલો વેંચાય છે. પણ ચૂંટણીમાં ખાસ કરીને ડચ ગુલાબ, ગુલાબ અને ડોલરના હારની સાથે જ વિદેશી ફૂલના બુકે ખુબજ વેચાય છે. ચૂંટણી તો થોડા દિવસ બાદ પૂર્ણ થઈ જશે. પરંતુ લગ્નગાળો લાંબો ચાલે તેમ હોવાથી આવનારા એકાદ મહિના સુધી ફૂલોની માંગમાં ઘટાડો થવાની કોઈ શક્યતા નથી.વધુ વાંચો -
ગોંડલમાં ૨૫થી વધુ ઘેંટાના મોત
- 23, નવેમ્બર 2022 01:30 AM
- 2620 comments
- 2076 Views
ગોંડલ, શિયાળાની શરૂઆતમાં ગોંડલ પંથકમાં સિંહ સહિતના વન્ય પ્રાણીઓના આંટા ફેરા વધી જતા હોય છે. દરમિયાન ગોંડલ તાલુકાના ડૈયા ગામે પશુપાલકના ૨૫થી વધુ ઘેટાના મોત નીપજતા વનવિભાગે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ વન વિભાગના પ્રતિપાલસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, તાલુકાના ડૈયા ગામે રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા નાજાભાઇ ઝાપડાએ પોતાના ૨૫થી વધુ ઘેટાઓને વાડામાં ખુલ્લા રાખ્યાં હોતા. દરમિયાન મંગળવાર સવારે ૨૫થી વધુ ઘેટાના મોત નીપજેલા જણાતા વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે દોડી જાઈ તપાસના ચક્રો ગતીમાન કર્યા હતા. હાલ કોઈ વન્ય પ્રાણીના સગડ મળ્યા નથી. જંગલી શ્વાનના બીકથી પણ ઘેટાઓના એક સાથે મોત નીપજતા હોય છે. બંને દિશામાં વનતંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.વધુ વાંચો -
લુખ્ખા તત્વો બેફામ મધરાત્રે કોન્ટ્રાકટરના ઘર પર સોડા બોટલનો મારો
- 22, નવેમ્બર 2022 01:30 AM
- 4451 comments
- 1534 Views
રાજકોટ, રાજકોટમાં ગુનાખોરીનો દિવસેને દિવસે વધતી જાય છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે શહેર પોલીસ તંત્રમાં અધિકારીઓના ઢગલા કરી દીધા છે આમ છતાં ગુનાખોરી બેફામ વકરી રહી છે. ગઈકાલે સાંજે સામાન્ય બાબતે થયેલી માથાકુટ સંદર્ભે પોલીસમાં અરજી કરતાં લુખ્ખા તત્વો બેફામ બન્યા હતાં અને મોડીરાત્રીના કોન્ટ્રાકટરના ઘર ઉપર બેફામ સોડા બોટલના ઘા કરી ભારે નુકસાન કર્યુ હતું. મધરાત્રે ઓચિંતો હુમલો થતાં પરિવાર રૂમમાં પુરાઈ ગયો હતો અને મોડીરાત્રે પોલીસ કંટ્રોલરૂમને જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો પરંતુ હુમલાખોરો ભુર્ગભમાં ઉતરી ગયા હતાં. રૈયા ગામમાં સ્મશાનની સામે આવેલ ખોડિયારનગરમાં રહેતા રણજીતભાઈ પરમાર (ઉ.વ.૫૬) એ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં ખોડીયારનગરમાં જ રહેતો નવાબ, અંકિત અને અખ્તર ઉર્ફે ભુરાનું નામ આપ્યું છે. ભાર વિનાના ભણતરના સ્લોગન વચ્ચે વિધાર્થીઓના આપઘાત અને આત્મહત્યાના પ્રયાસોની ઘટનાઓ અવાર નવાર સામે આવી રહી છે.વધુ વાંચો -
રાહુલ, શાહ અને કેજરીવાલનો સૌરાષ્ટ્રમાં હુંકાર
- 22, નવેમ્બર 2022 01:30 AM
- 7232 comments
- 183 Views
રાજકોટ રાહુલ ગાંધીએ રાજકોટમાં વિશાળ જનમેદની સામે કોંગ્રેસનો પ્રચાર કર્યો હતો. સાથે જ મંચ પરથી ભાજપ પર ઉદ્યોગપતિઓને લ્હાણી કરાવતો આરોપ પણ મૂક્યો. સંબોધનની શરૂઆત પહેલા તેમણે મોરબી દુર્ઘટના મુદ્દે ૨ મિનિટનું મૌન પાળ્યુ હતું. મોરબી દુર્ઘટના પર ગાંધીએ કહ્યું કે, મને પત્રકારોએ પૂછ્યુ કે તમે શુ વિચારો છો. મેં કહ્યું કે, ૧૫૦ લોકોના મોત થયા છે, આ રાજકીય મુદ્દો નથી. આ વિશે હુ નહિ બોલું. પરંતુ આજે સવાલો ઉઠે છે. જેઓએ આ કામ કર્યું તેની સામે કોઈ કાર્યવાહી નહિ. કોઈ એફઆઈઆર નહિ. બીજેપી સાથે તમારો સારો નાતો છે. તો તેમને કંઈ નહિ થાય કે શું. ચોકીદારોને પકડીને અંદર કર્યાં. પરંતુ જવાબદારો સામે કંઈ ન થયું. ગુજરાત સ્મોલ એન્ડ મીડિયમ ઈન્ડસ્ટ્રીઝનુ હાડકુ છે. નાના વેપારીઓ રોજગાર આપતા હતા, પરંતુ સરકાર કાળાધનના નામે નોટબંધી લાવી, પરંતુ નાના અને મધ્યમ કદના ઉદ્યોગો બંધ થઈ ગયા. પાંચ અલગ અલગ ટેક્સ લાવ્યા. જે વેપાર બચ્યા હતા તે પણ નાબૂદ થયા, અરબપતિઓ માટે રસ્તો બનાવવાનો હતો. કોરોનાના સમયે પણ એવુ જ કર્યું. જીએસટી બાદ કોરોના આવ્યો, તેમાં પણ સરકારે મદદ ન કરી. આ કોઈ પોલિસી નથી. નોટબંધી, જીએસટી, કોવિડ કોઈ પોલિસી નથી. તે ખેડૂત, મજબૂર, વેપારીઓને નાબૂદ કરવાના હથિયાર છે. હિન્દુસ્તાનના બે-ચાર ઉદ્યોગપતિઓ માટે રસ્તો બનાવવાના હથિયાર છે. આ અરપતિઓ પોર્ટ, એરપોર્ટ, ઈન્ફ્રસ્ટ્ર્કચર, ખેતી, ગ્રોસરી સ્ટોરમાં ઘૂસી રહ્યાં છે. પરંતુ હિન્દુસ્તાનનો યુવા સપનુ જાેવા માંગતો હોય તો તેના માટે લાખો રૂપિયા આપવા પડે છે.કોડિનારમાં અમિત શાહનું સંબોધન ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ, કાૅંગ્રેસ અને આપ સહિતની પાર્ટીઓએ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે ભાજપના પ્રચાર માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં અને ગીર સોમનાથના કોડીનારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સભા યાજાેઈ હતી. અમિત શાહ સભા સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ કહે છે અમારું કામ બોલે છે, હું તેમને પુછવા માગુ છું કે તમે ૨૫-૩૦ વર્ષથી તમારી સરકાર જ નથી તો તમારું કયો કામ બોલે છે. ભાજપ સરકારે એક જ ઝાટકે ૩૭૦ ની કલમને હટાવી. આમ આદમી પાર્ટીને લઈ લોકોને કહ્યું કે, મેધા પાટકરને લઈને છછઁ સામે જવાબ માંગવાનો છે. કે જેઓએ સૌરાષ્ટ્રમાં નર્મદાનું પાણી પહોંચાડવામાં વિલંબ ઉભો કર્યો હતો.વધુ વાંચો -
સૌરાષ્ટ્રમાં ભાજપના નેતાઓનો ઝંઝાવાતી પ્રચાર
- 19, નવેમ્બર 2022 01:30 AM
- 8108 comments
- 3681 Views
મોરબી, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મોરબીમાં ટંકારા વિધાનસભા ના ભાજપના ઉમેદવાર દુર્લભજી દેથરીયા માટે જાહેર સભાને સંબોધન કર્યુહતું. વિશ્વાસ ટકાવી રાખવો મહત્વનું હોવાનો ઉલ્લેખ કર્યો હતો.મહર્ષિ દયાનંદ સરસ્વતીની ભૂમિ કહીને સંબોધન કોઈનો વિશ્વાસ કેળવવો અને વિશ્વાસ કેળવ્યા પછી ટકાવી રાખવો એ અગત્યની વાત છે વર્ષો સુધી ગુજરાતમાં તકલીફો પાયાની સુવિધાથી માંડીને દરેક તકલીફ લાંબા સમય સુધી સુરક્ષા વ્યવસ્થા સહિતની તકલીફો શાસન કર્યું તે દુર ના કરી શક્યા..પછી લોકોએ ભાજપને શાસન પર બેસાડ્યા પછી નરેન્દ્રભાઈએ ગુજરાતની ધરા સંભાળી અને તેઓએ રાજનીતિમાં નવી દિશા વિકાસની રાજનીતિ આપી.ગુજરાતમાં જે ફેરફાર થયા તે દેશ અને દુનિયા જાેઈ રહી છે.વિશ્વાસને ટકાવી રાખી પ્રજાને પડતી મુશ્કેલી કેમ દુર કરી સકાય તેના માટે હમેશ વિચાર કરી કામ શરુ કર્યું બે દાયકા પહેલા ક્યાય પાણી, વીજળી, રોડ રસ્તા હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર , ધંધા રોજગાર મુશ્કેલીનરેન્દ્ર મોદીએ એ નર્મદા નીર, ૨૪ કલાક ગામો ગામ વીજળી, નાના ગામોને જાેડતા રસ્તા બનાવ્યા, આરોગ્ય સુવિધાઓ આપી આજે દરેક જીલ્લા, તાલુકામાં ધંધા રોજગાર, ખેડૂત ખેતીથી ખુશ છે,રસ્તાનું ના હોય તેથી મોટું નેટવર્ક કેનાલનું બનાવ્યું છે.અનેક કામો શરુ થયા હશે તેના લોકાપર્ણ આપને જ કરવાના છે.નરેન્દ્ર મોદી હોય ત્યારે વિકાસ કામમાં રૂપિયા ની ઘટ નો આવે, કોરોના કાળ પછી ગુજરાતનું બજેટ બનાવ્યું તે અત્યાર સુધીમાં ગુજરાતમાં સૌથી મોટામાં મોટું બજેટ છે.વિકાસની રાજનીતિ છે અગાઉ કેવી રીતે ચુંટણી લડવામાં આવતી, કેટલી ચિંતા હોય આજે એમાંથી કશું જાેવા ના મળે, સુરક્ષા એટલી જ સારી થઇ ગઈ છે ૨૫ વર્ષના યુવાનને કર્ફ્યું શું છે એ ખબર નથી.કેજરીવાલ બાવળનું વૃક્ષ જ્યારે રાહુલ નિંદામણઃ શિવરાજસિંહ કચ્છ,તા.૧૮ ગુજરાતમાં ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે એમ-એમ પ્રચારની ગરમાગરમી પણ તેજ બની છે. મધ્યપ્રદેશના બે મુખ્યમંત્રી, એક વર્તમાન ઝ્રસ્ શિવરાજ સિંહ અને પૂર્વ ઝ્રસ્ દિગ્વિજય સિંહે આજે તલવારો તાણી હતી. શિવરાજ સિંહે તો અબડાસાની એક સભામાં ત્યાં સુધી કહી દીધું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો કલ્પવૃક્ષ છે.. તેમની પાસે જે માગો એ મળશે.. મધ્યપ્રદેશની જનતામાં ‘મામા’ના હુલામણા નામે ઓળખાતા શિવરાજ સિંહે અબડાસાની સભામાં કહ્યું હતું કે અત્યારે ગુજરાતમાં નોટંકી કરવાવાળા રોજેરોજ જુઠ્ઠું બોલે છે. એક દિવસ બીજું કહે બીજા દિવસે બીજું બોલે. નરેન્દ્ર મોદી તો કલ્પવૃક્ષ છે, જે માગો એ મળશે. કેજરીવાલ છે બાવળનું વૃક્ષ, માત્ર કાંટા આપશે. જ્યારે રાહુલબાબા નીંદણ છે, આખો પાક નષ્ટ કરી દેશે. કોંગ્રેસે આટલાં વરસ ગુજરાતમાં રાજ કર્યું એ શું કર્યું? ગુજરાતને તબાહ અને બરબાદ કરી દીધું. યોગી આદિત્યનાથે અમૃતિયાને જીવન બચાવનાર ગણાવ્યાં મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના માં પોતાના ગુમાવ્યા છે તેઓ ને શ્રદ્ધાંજલિ યોગી આદિત્યનાથ એ આપી હતી. તેમણે કહ્યું હતું કે આખો દેશ આ ઘટના માં મોરબી સાથે ઊભો રહ્યો..કાંતિ ભાઈ વખાણ કર્યા.કાંતિ ભાઈ સહિતના કાર્યકરો ઑ લોકોને બચવવા મદદરૂપ બનાયા.મોરબી સામે અનેક ચુનોતી આવી છતાં મોરબી ઉભુ થયુ છે. ભાજપ સરકાર અને નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ભૂતકાળમાં અને વર્તમાન ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા મોરબી માટે કરાયેલા કામને તેમણે ગણાવ્યા હતા. તેમણે ભાજપના મોરબીના ઉમેદવાર કાંતિ અમૃતિયાને લોકોને જીવ બાચવનારા લેખાવ્યા હતા.વધુ વાંચો -
રાજકોટમાં ચૂંટણી ટાણે ૪૦ લાખ રોકડા ઝડપાયાં
- 18, નવેમ્બર 2022 01:30 AM
- 3698 comments
- 9216 Views
રાજકોટ વિધાનસભાની ચૂંટણીને લઈને આચારસંહિતા લાગુ પડી ગઈ છે. ચૂંટણીને લઈ પ્રચાર પ્રસારની કામગીરી જાેરશોરથી ચાલી રહી છે તો બીજી તરફ નાણાકીય હેરફેર મામલે તંત્ર પણ સાબદુ બની ગયું છે. આજે રાજકોટના દક્ષિણ વિસ્તારમાં ૪૦ લાખની રોકડ સાથે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. શહેરના ઢેબર રોડ પર જસાણી સ્કૂલ પાસે ફોર્ચ્યુનર કાર સાથે એક વ્યક્તિને તપાસ ટીમે અટકાવ્યો હતો. નાણાકીય હેરફેર મામલે ટીમના ચેકિંગ દરમિયાન ૪૦ લાખની રોકડ સાથે એક વ્યક્તિની અટકાયત કરાઇ છે. હાલ તો ઇન્કમટેક્સ વિભાગની ટીમ દોડી ગઈ છે અને નાણાકીય બાબતે કાગળો મગાવવામાં આવ્યા છે. આ અંગે રાજકોટના ડીડીઓએ પ્રાથમિક માહિતી આપી છે. ફોર્ચ્યુનર કારમાં ૪૦ લાખની રોકડ સાથે પસાર થતા વ્યક્તિને અટકાવવામાં આવ્યો હતો. ચેકિંગમાં રહેલી ટીમે તપાસ કરી તો આ વ્યક્તિની ફોર્ચ્યુનરમાંથી ૪૦ લાખની રોકડ મળી હતી. આથી તેને અટકાવ્યો હતો. આ વ્યક્તિ કોઈ કારખાનાનો માલિક હોવાનું જાણવા મળ્યું છે. જાણ થતા જ ઇન્કમટેક્સ વિભાગ, મામલતદાર, પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે અને તપાસ હાથ ધરી છે.હજુ ગત શનિવારે રાજકોટના રેલવે સ્ટેશન ખાતેથી રૂ.૧.૩૫ કરોડનું સોનુ ઝડપાયું હતું. રેલવે ર્જીંય્ અને ૈં્ વિભાગની ખાસ સ્ક્વોડે કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું હતું. આંગડિયા પેઢી મારફત ટ્રેનમાં મુંબઈથી સોનાના ૨૧ બિસ્કિટ અને ૩૦૦ ગ્રામ ઘરેણા આવતા હોવાની બાતમીના વોચ ગોઠવાઈ હતી અને ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. ૈં્ વિભાગે ખાસ સ્ક્વોડની રચના કરી છે. જે સ્ક્વોડ ચૂંટણીના અનુસંધાને હાલમાં આંગડિયા પેઢીમાં સોના-રોકડની થતી હેરફેર પર નજર રાખી રહી છે. ગત શનિવારે રાજકોટ રેલવે સ્ટેશન પર ઓખા-મુંબઈ ટ્રેનમાં સોનાનો મોટો જથ્થો મુંબઈથી રાજકોટ આવી રહ્યો હતો, આ જથ્થો આંગડિયા પેઢી મારફત સ્થાનિક વેપારીને પહોંચાડવાનો હતો તેવી હકિકત સ્ક્વોડને મળી હતી. આથી રેલવે સ્ટેશન પર રેલવે ર્જીંય્ સાથે વોચ ગોઠવી હતી.સોનુ મળતા જ તે કબ્જે કરી લેવાયું હતું. તપાસ કરતા મુંબઈની લક્ષ્મીનારાયણ આંગડિયા પેઢી મારફત સોનુ મોકલવામાં આવ્યું હતું. રાજકોટના સ્થાનિક વેપારીને સોનુ પહોંચાડવાનું હતું. તેઓને પહોંચે તે પહેલાં જ જપ્ત કરાયું હતું. જેને લઈ સોની બજારમાં ચર્ચા ઉઠી હતી. ટ્રેનમાં ત્રણ પાર્સલ હતા જેમાં એકમાં સોનુ, એકમાં ચાંદી અને એકમાં રોકડ રકમ હતી. જામનગરમાં મધરાતે કારમાંથી ૨૪ લાખ રોકડા જપ્ત કરવામાં આવ્યા જામનગર જામનગરમાં ગુલાબનગર પોલીસ ચોકી પાસે વિક્ટોરિયા પુલ નજીક આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને બંદોબસ્તમાં રહેલી સ્ટેટિક સર્વેલસની ટીમને સ્વીફ્ટ કારમાંથી ૨૪ લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. બુધવારે રાત્રે ૧૧ઃ૩૦ વાગ્યે બનેલી આ ઘટનાના પગલે અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા અને કારચાલકની પૂછપરછ હાથ ધરી હતી. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને પગલે બિન હિસાબી રોકડની હેરફેર પર નજર રાખવા માટે તંત્ર દ્વારા ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે જામનગરમાં ગુલાબનગર પોલીસ ચોકી નજીક વ્હોરાના હજીરા પાસેથી પસાર થતી જીજે - ૦૩ એમઈ - ૯૬૦૦ નંબરની એક સ્વીફ્ટ કારમાંથી ૨૪ લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. આટલી મોટી રકમ મળતાની સાથે જ ચૂંટણી સંબંધીત કામગીરી કરતી સ્ટેટીક સર્વેલન્સ ટીમ (એસએસટી) તરત જ હરકતમાં આવી ગઈ હતી અને આ લખાઈ રહ્યું છે ત્યારે બુધવારે રાત્રે ૧૨ઃ૦૦ વાગ્યે કારચાલકની ઘનિષ્ઠ પૂછતાછ શરૂ કરવામાં આવી છે.વધુ વાંચો -
રાજકોટમાં ગાયે શિંગડે ભેરવતાં આધેડનું મોત
- 17, નવેમ્બર 2022 01:30 AM
- 2628 comments
- 1596 Views
રાજકોટ, રાજકોટના ગોપાલ ચોક નજીક તાજેતરમાં રસિકલાલ ઠકરાર નામના વૃદ્ધ ચાલીને જતા હતા. આ સમયે કાળા કલરની એક ગાયે અચાનક રસિકલાલને ઢીંકે ચડાવી બાનમાં લીધા હતા. રસિકલાલ જમીન પર પટકાતાં ગાયે શીંગડાં અને પગ વડે રસિકલાલને ૩ મિનિટ સુધી સતત રગદોળ્યા હતા, આથી તેમને ગંભીર ઇજા પહોંચતાં તેનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ ઘટનાને લઈ રસિકલાલના પુત્ર વૈભવે ગાયના માલિક વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રાજકોટમાં રખડતા ઢોરે ભોગ લીધાનો પ્રથમ ગુનો નોંધાયો છે. રસિકલાલના પુત્ર રાકેશે જણાવ્યું હતું કે જાે કાર્યવાહી નહીં થાય તો શનિવારથી અન્નનો ત્યાગ કરી મ્યુનિ. કમિશનર ઓફિસે બેસી જઈશ.વૈભવ ઠકરારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગાયના માલિક વિરુદ્ધ ૈંઁઝ્ર કલમ ૨૮૯ તથા જી.પી. એક્ટની કલમ ૯૦ (એ) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાના સીસીટીવીમાં દેખાય છે કે રસિકલાલ ચાલીને જાય છે ત્યારે બાજુમાં ઊભી એક કાળા રંગની ગાય દોડીને રસિકલાલ તરફ આવે છે, આથી રસિકલાલ બચવા માટે દોડે છે અને પાછળ ગાય પણ દોડી રહી છે. બાદમાં રસિકલાલ જમીન પર પટકાઇ છે ત્યારે ગાય તેને પહેલા ઢીંક મારે છે, બાદમાં તેમની પર ચારેય પગથી હુમલો કરવા લાગે છે. તેમના માથા પર વધુ હુમલો કરતા તેઓ બેભાન થઈ ગયા હોવાનું જાેવા મળે છે. લોકો રસિકલાલને બચાવવા આવે છે, પરંતુ ભૂરાઇ થયેલી ગાયના ડરથી તેઓ તેમની પાસે જઇ શકતા નથી. ગાય હડકાઇ થઈ હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે. શહેરમાં રસ્તે રઝળતાં પશુઓને કારણે અગાઉ અનેક જીવલેણ અકસ્માતો બન્યા છે તેમજ ગાય સહિતનાં પશુઓની ઢીંકથી મૃત્યુના કિસ્સા પણ બન્યા છે. આમ છતાં રસ્તે રઝળતાં પશુઓને ડબ્બે પૂરવામાં નિષ્ફળ ગયેલા મહાનગરપાલિકા તંત્રની લાપરવાહીને કારણે વધુ એક વ્યક્તિની જિંદગીનો અંત આવી ગયો હતો. સાધુવાસવાણી રોડ પર દૂધ લેવા નીકળેલા વેપારી રસિકલાલને ગાયે ઢીંક મારતાં ગંભીર રીતે ઘવાતાં મોત નીપજ્યું હતું.વધુ વાંચો -
સૌરાષ્ટ્ર અને કચ્છની ૫૪ બેઠકો પર ત્રિકોણિયો જંગ ખેલાશે
- 15, નવેમ્બર 2022 01:30 AM
- 7806 comments
- 2064 Views
અમદાવાદ, વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ફટકો પડ્યો હતો, તે બેઠકો ૨૦૨૨માં પરત મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જાેકે, આ વર્ષે આમ આદમી પાર્ટી જે જાેશ સાથે ચૂંટણી મેદાનમાં ઉતરી છે તેને જાેતા સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રિકોણિયો જંગ થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. જે બેઠકો ભાજપે ગુમાવી છે તેને ફરી પ્રાપ્ત કરવા માટે આ ચૂંટણીમાં મહેનત કરવામાં આવી છે અને ઉમેદવારોની પસંદગીમાં પણ મહત્વની બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. પહેલા તબક્કામાં ૮૯ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે જેમાંથી સૌરાષ્ટ્ર-કચ્છની ૫૪ બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે રસાકસી જાેવા મળી શકે છે. જાેકે, ચૂંટણીમાં શું થાય છે તે તો પરિણામના દિવસે જ ખબર પડી શકે છે. આ વર્ષે ભાજપે પોતાના સિનિયર નેતાઓને ઘરે બેસાડીને કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ટિકિટ આપી છે ત્યારે અંદરો-અંદર અસંતોષની લાગણી સાથે એવી દલીલ થઈ રહી છે કે આ પ્રયોગ કરાયો છે તેની સામે સ્થાનિક કાર્યકરોમાં નિરાશા છે. જાેકે, આ નિરાશા કેવી છે અને કેટલી છે તે આગામી ૮ ડિસેમ્બરે બહાર આવી જશે. આ વખતે ૨૦૧૭ની જેમ ભાજપ સામે પાટીદાર, ઓબીસી જેવા આંદોલનો નથી પરંતુ એન્ટી-ઈન્કમ્બની અસર થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. જાેકે, ભાજપને વિશ્વાસ છે કે લોકો પાર્ટીના કામોથી ખુશ છે અને મતદારો ફરી એકવાર ગુજરાતમાં કમળ ખીલવશે.હાઇપ્રોફાઇલ ઉમેદવારોના ફોર્મ ભરાવવા નેતાઓ પહોંચ્યા સૌરાષ્ટ્રભરમાં ચૂંટણીનો માહોલ જામી ગયો છે. આજે ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી જેને કારણે મોટી સંખ્યામાં ઉમેદવારોએ પોતાના ફોર્મ ભરી દીધા હતા. ભાજપ ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો કે જેમને પાર્ટીએ મેન્ડેટ આપી દીધો હતો તેમણે ફોર્મ ભરી દીધા હતા જ્યારે પાર્ટીઓએ ટિકિટ ન આપતાં કેટલાંક દિગ્ગજ નેતાઓએ અપક્ષ ઉમેદવારી પણ નોંધાવી હતી આ ઉપરાંત છેલ્લી ઘડીએ પાર્ટીની અદલબદલ પણ જાેવા મળી હતી. સૌરાષ્ટ્રમાં જે હાઇપ્રોફાઇલ બેઠકો હતી તેમાં નેતાઓની હાજરી નજેર પડી હતી જેમાં જામનગરની બેઠક પરથી રિવાબા સાથે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી પણ ઉપસ્થિત હતાં. તો વળી આપના ઇશુદાન ગઢવી અને આપના મુખ્યમંત્રી પદના ચહેરાએ પણ મોટી સંખ્યામાં સમર્થકો સાથે ખંભાળિયામાં ફોર્મ ભર્યુ હતું. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માંડવી અનિરૂધ્ધ અને અબસાડામાં ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહને ફોર્મ ભરાવીને જાહેર સભા યોજી હતી.વધુ વાંચો -
કાગવડ ખોડલધામ મંદિર ખાતે રવિવાર એક લાખ લોકોએ દર્શન કર્યા
- 23, ઓગ્સ્ટ 2022 01:30 AM
- 5298 comments
- 6012 Views
રાજકોટ, જન્માષ્ટમીના તહેવારને લઈને કાગવડ શ્રી ખોડલધામ મંદિર ખાતે રવિવારે આખો દિવસ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. ૧ લાખ લોકોએ માઁ ખોડલના દર્શન કર્યા હતા અને ૪૦૦૦ જેટલા ભક્તોએ પ્રસાદ લીધો હતો. ખોડલધામ મંદિરના પરિસરમાં ગાર્ડન, ગજીબા અને શક્તિવનમાં પરિવાર સાથે રજાની મજા માણી હતી. રવિવારે રજાનો છેલ્લો દિવસ સોમવારથી રાબેતા મુજબ સ્કૂલ - કોલેજાે - હોસ્ટેલ ખુલવાની છે ત્યારે કાગવડ ખાતે માનવ મહેરામણ ઉમટ્યુ હતું. રજાના દિવસે લોકો નિરાંતે મજા માણવાનું પસંદ કરતા હોઈ છે. પરંતુ કાગવડ ખોડલધામ મંદિરના સ્વયંસેવકો રજાનો સદઉપયોગ કરી અલગ અલગ સેવા જેમ કે કેન્ટીન, ચા ઘર, પ્રસાદ ઘર, પાર્કિંગ, અલ્પાહાર, મંદિરમાં આવતા દર્શનાર્થીઓની કતારો કરવામાં જેવી અલગ અલગ સેવામાં સ્વયંસેવકો સેવા માટે આવી પોહચે છે. રોજિંદા ૬૦૦ સ્વયંસેવકો ખોડલધામ મંદિરે સેવા કરવા ખડેપગે જાેવા મળે છે. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા તમામ સ્વયંસેવક સુધી ચા, પાણીની પણ સુવિધા પોહચાડે છે. જેતપુર - રાજકોટ નેશનલ હાઇવે પરથી કાગવડ મંદિર જવા માટેનો રોડ વનવે કરાયો હતો. હતો. મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા. કાગવડ મંદિરેથી નેશનલ હાઇવે જવા માટે પીઠડીયા ટોલ ટેક્સ પાસે આવેલ લંબોદર ગણપતિ મંદિર પાસેથી નેશનલ હાઇવે પર વાહનો ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. ખોડલધામ મંદિરની આસપાસ ૫ જેટલા મોટા પાર્કિંગ રાખવામાં આવ્યા હતા જે પણ જન્માષ્ટમીની રજામાં અનેક વાર હાઉસફૂલ થયા હતા. કાગવડ ગામથી લઈને મંદિરના પાર્કિંગ સુધી મોટી સંખ્યામાં સ્વયંસેવકો ખડેપગે રહે છે.વધુ વાંચો -
૫૧૦૦૦ રુદ્રાક્ષથી આદિ જ્યોતિર્લિંગ દેવાધિદેવને રુદ્રાક્ષનો શૃંગાર
- 23, ઓગ્સ્ટ 2022 01:30 AM
- 1308 comments
- 4103 Views
૫૧૦૦૦ રુદ્રાક્ષથી આદિ જ્યોતિર્લિંગ દેવાધિદેવને રુદ્રાક્ષનો શૃંગાર કહેવાય છે કે ભગવાન શિવને રુદ્રાક્ષ અતિ પ્રિય છે, રૂદ્રાક્ષની ઉત્પત્તિ ની વાર્તા પણ ખુબ રોચક છે, એક સમયે ભગવાન શિવે હજાર વર્ષ સુધી સમાધિ લીધી હતી. સમાધિમાંથી જાગીને જ્યારે તેમનું મન બહારની દુનિયામાં આવ્યું, ત્યારે જગતના કલ્યાણ ની ઈચ્છા ધરાવતા મહાદેવ આંખો બંધ કરી દીધી. ત્યારે તેની આંખમાંથી પાણી નું ટીપુ પૃથ્વી પર પડ્યું. તેમાંથી રુદ્રાક્ષના વૃક્ષ નો જન્મ થયો અને તે શિવની ઈચ્છાથી ભક્તોના લાભાર્થે આખા દેશમાં ફેલાઈ ગયા. તે વૃક્ષો પર જે ફળ આવે છે તે રુદ્રાક્ષ છે.જે પાપોનો નાશ કરનાર, પુણ્ય કરનાર, રોગનો નાશ કરનાર, સિદ્ધિકાર અને મોક્ષનો ઉપભોગ કરનાર છે. રુદ્રાક્ષ ફળદાયી છે, જે અષ્ટિને દૂર કરીને શાંતિ આપનાર છે. આજે ૫૧૦૦૦ થી વધુ રુદ્રાક્ષ થી આદિ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથજીને વિશેષ શૃંગારીત કરવામાં આવેલ હતા.વધુ વાંચો -
લોકમેળામાં ટાયર નીકળી જતાં કાર નીચે ખાબકી કોઈ જાનહાની નહીં
- 23, ઓગ્સ્ટ 2022 01:30 AM
- 2087 comments
- 2207 Views
રાજકોટ, બે વર્ષ બાદ આ વખતે સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર લોકમેળાનું આયોજન થયું છે. બીજી તરફ આ વખતે લોકોમેળામાં દુર્ઘટનાના પણ સમાચારો સામે આવ્યા છે. ગોંડલ અને રાજકોટના લોકમેળામાં દુર્ઘટનાના સમાચાર પ્રાપ્ત થયા છે. જેમાં બે લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. હવે રાજકોટના લોકમેળામાં દુર્ઘટનાના સમાચાર પ્રાપ્ત થયા છે. જેમાં મોતના કૂવામાં એક કાર નીચે ખાબકી હતી. મળતી માહિતી પ્રમાણે રાજકોટના લોકમેળામાં આવેલા એક મોતના કૂવામાં દુર્ઘટના બની છે. જેમાં ચાલુ મોતના કૂવામાં એક કાર નીચે ખાબકી હતી. ચાલુ મોતના કૂવામાં કારનું ટાયર નીકળી ગયું હતું, જે બાદમાં કાર સીધી નીચે ખાબકી હતી. જાેકે, સદનસિબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી. આ અંગેનો વીડિયો પણ સામે આવ્યો છે. બે દિવસ પહેલા રાજકોટના લોકોમેળામાં દુર્ઘટના ઘટી હતી. જેમાં એક યુવક ટોરાટોરા રાઇડમાંથી નીચે પટકાયો છે. યુવક નીચે પટકાતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર બનાવ ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગયો છે.ઉલ્લેખનીય છે કે આ વર્ષે રાજકોટના રેસકોર્ષ મેદાનમાં લોકમેળાનું આયોજન થયું છે. આ દરમિયાન એક યુવાન ચાલુ રાઈડ દરમિયાન નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે. યુવક નીચે પટકાયો હોવાનું ધ્યાનમાં આવી જતાં સંચાલકે રાઇડ બંધ કરી દીધી અને ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર માટે ખસેડ્યો હતો. મળતી માહિતી પ્રમાણે યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. ગોંડલમાં ચાલી રહેલા લોક મેળામાં ગુરુવારનો દિવસ ગોજારો સાબિત થયો હતો. એક જ દિવસમાં બે દુર્ઘટના ઘટી હતી, જેમાં બે વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. મળતી માહિતી પ્રમાણે ગોંડલ સંગ્રામજી હાઈસ્કૂલ ખાતે ગોંડલ નગરપાલિકા સંચાલિત લોક મેળામાં ગુરુવારે બપોર બાદ નગરપાલિકાના કર્મચારીને વીજ કરંટ લાગ્યો હતો, તેને જાેતા ત્યાં હાજર નગરપાલિકાના જ ફાયરકર્મીએ તેને બચાવવા જાતા તેને પણ વીજ શોક લાગ્યો હતો. વીજ શોક લાગ્યા બાદ બંને વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી, જેથી તેમને તાત્કાલિક ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. બંનેને વધુ સારવારની જરૂર જણાતા બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યાં હતા. ગોંડલના મેળામાં રાત્રિના સમયે વધુ એક દુર્ઘટના ઘટી હતી. આ ઘટનામાં રાઈડમાં આશરે ૩૦ ફૂટ કરતા પણ વધુ ઊંચાઈથી એક વ્યક્તિ પટકાયો હતો. આ વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. ઘાયલ વ્યક્તિનું નામ લાલજીભાઈ મકવાણા હોવાનું સામે આવ્યું છે. ઘાયલ વ્યક્તિ ગોંડલ તાલુકાના વાછરા ગામેથી મેળો કરવા માટે ગોંડલ આવ્યો હતો, જ્યાં તેઓ યાંત્રિક રાઈડમા બેઠા હતા. લોકમેળામાં જવા માટે મંગેતરે મનાઈ ફરમાવતા આપઘાત કર્યો હોવાનો ખુલાસો રાજકોટ જિલ્લાના જસદણના વિરનગરમાં રહેતી યુવતીએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે યુવતીની સગાઇ બે મહિના પૂર્વે જ થઇ હતી અને મેળામાં જવા માટે મંગેતરે મનાઈ ફરમાવતા લાગી આવ્યું હતું. જેથી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આ મુદ્દે પોલીસે મૃતદેહનું પોસમોર્ટમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જિલ્લાના જસદણના વીરનગરમાં રહેતી આરતી અનિલભાઈ સાકરીયા (ઉ.વ.૨૦) નામની યુવતીએ પોતાના ઘરે ઝેરી દવા ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાયો છે. હાલ જસદણ પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.પ્રાથમિક તપાસમાં મૃતક આરતીની બે મહિના પહેલા જ જસદણના બાખલવડ ગામે વિજય અરવિંદભાઈ પલાડીયા નામના યુવક સાથે સગાઈ થઈ હતી. તેઓ બંને શુક્રવારે સોમનાથ દર્શને ગયા હતા ત્યારબાદ ત્યાંથી પરત ફર્યા અને બીજા દિવસે વિજયને બીલેશ્વર મેળામાં જવાનું કહેતા તેમણે બાઇક નહીં હોવાનું જણાવ્યું હતું અને જેને પગલે આરતીએ અંતિમ પગલું ભરી લીધું હતું. આરતી બે ભાઈ ત્રણ બહેનમાં ત્રીજા નંબરની હોવાનું સામે આવ્યું છે. આ અંગે જસદણ પોલીસ મથકના સ્ટાફે નિવેદન નોંધી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા કાર્યવાહી હાથ ધરી છે.વધુ વાંચો -
સૌરાષ્ટ્રમાં પડેલા ગાબડાઓને પૂરવા માટે ભાજપની કવાયત બી.સંતોષ સાથે બેઠક
- 23, ઓગ્સ્ટ 2022 01:30 AM
- 6199 comments
- 6306 Views
રાજકોટ, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા સૌરાષ્ટ્રમાં થયેલા નુકસાનને સરભર કરવા માટે ભાજપ દ્વારા વ્યૂહ રચના ઘડવામાં આવી રહી છે. તાજેતરમાં જ સૌરાષ્ટ્ર-કચ્છની તમામ વિધાનસભાની બેઠક પર નિમવામાં આવેલા પ્રભારીઓની આજે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બી.એલ. સંતોષની આગેવાની હેઠળ રાજકોટમાં બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ૪૮ જિલ્લાના પ્રભારી સાથે તેમની બંધ બારણે બેઠક શરુ થઈ હતી.આ બેઠક અંગે ભાજપના સ્ઁ વિનોદ ચાવડાએ મીડિયાને જણાવ્યું હતું કે, આ બેઠકમાં ખાસ તો સંગઠન મજબૂત કઈ રીતે કરવું એ અંગેનું સૂચન આપવામાં આવશે. સાથોસાથ બી.એલ.સંતોષ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છની ૫૪ બેઠકોની સમીક્ષા કરવામાં આવશે.જેમાં સૌરાષ્ટ્રના સાંસદો, ધારાસભ્યો અને મનપાના હોદ્દેદારો હાજર રહ્યા હતા.નોંધનીય છે કે, બી.એલ.સંતોષની ગુજરાત મુલાકાત અગાઉ જ બે કેબિનેટ મંત્રીઓ પાસેથી તેમના મહત્વના વિભાગ છીનવાઈ ગયા છે, ત્યારે સ્વાભાવિક છે કે સવાલો ઊભા થાય જ છે કે આખરે તાત્કાલિક એવી તો શું જરૂર ઊભી થઈ કે આ નોબત આવી ચડી. ભાજપ સંગઠનના બી.એલ. સંતોષ ગુજરાત મુલાકાતે છે, ત્યારે આગામી સમયમાં ગુજરાતના રાજકારણમાં આવનારા બે મોટા ફેરફાર પૈકીનો એક ફેરફાર ગુજરાતની પ્રજાએ જાેઈ લીધો છે. હવે બીજાે ફેરફાર કેટલો આંચકો લાવે છે તેની રાહ જાેવાઈ રહી છે.વધુ વાંચો -
ફરી એકવાર ભૂકંપથી ગુજરાત હચમચી શકે છે
- 14, ઓગ્સ્ટ 2022 01:30 AM
- 1031 comments
- 6557 Views
રાજકોટ, છ વર્ષ સુધી ઉંડાણપૂર્વક સંશોધન કર્યા પછી કચ્છ યુનિવર્સિટીના આઠ વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે, કચ્છમાં આગામી ૫૦થી ૧૦૦ વર્ષમાં ફરી એકવાર ધરતીકંપ આવશે જેની તીવ્રતા વર્ષ ૨૦૦૧માં આવેલા ધરતીકંપ કરતા ૩ ગણી વધારે હશે. વૈજ્ઞાનિકોના અનુમાન અનુસાર, શક્ય છે કે તે ભૂકંપને કારણે પહેલાની સરખામણીમાં અનેક ગણું વધારે નુકસાન થાય અને વર્ષો સુધી તેની અસર અર્થવ્યવસ્થા પર જાેવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે કચ્છમાં પાંચ ફોલ્ટ લાઈન છે, જેમાંથી ૩ ફોલ્ટ લાઈન સૌથી વધારે સક્રિય છે. આ ત્રણ સક્રિય ફોલ્ટ લાઈન્સને કારણે આગામી સમયમાં કચ્છમાં ધરતીકંપનું જાેખમ ટોળાયેલું રહેશે. ફોલ્ટ લાઈન્સ જમીનની સપાટીનો તો ભાગ હોય છે જેમાં તિરાડ હોય છે. આ પ્રકારની લાઈન્સનો વિસ્તાર હજારો કિલોમીટર સુધીનો હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૧માં જ્યારે ભૂકંપ આવ્યો હતો ત્યારે કરોડોની સંપત્તિ પાયમાલ થઈ ગઈ હતી. વૈજ્ઞાનિકોને ડર છે કે આ બે સક્રિય ફોલ્ટ લાઈનને કારણે અગાઉ કરતા વધારે ભયાનક સ્થિતિ સર્જાઈ શકે છે. રિક્ટર સ્કેલ પર સાતની તીવ્રતાનો ભૂકંપ આવે તો ૨૦૦થી ૩૦૦ કિમીના વિસ્તાર સુધી તેની અસર જાેવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન વિભાગ તરફથી વર્ષ ૨૦૧૬માં દેશના ૩ કોરિડોરની ઓળખ કરવામાં આવી હતી અને વૈજ્ઞૈનિકોને તેનો વિસ્તારપૂર્વક અભ્યાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિકોએ ૩૦૦ પાનાનો એક મુખ્ય દસ્તાવેજ તૈયાર કર્યો હતો જેમાં નકશાઓ તેમજ પાછલા છ વર્ષમાં પ્રકાશિત થયેલા ૪૫ પેપર્સની માહિતી આપવામાં આવી છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આગામી ૫૦-૧૦૦ વર્ષોમાં ૬.૫ અથવા ૭ની તીવ્રતાનો એક ભૂકંપ આવી શકે છે, જે લગભગ ૩૦૦ કિમી વિસ્તારને પ્રભાવિત કરશે. ૨૦૦૧માં ભૂકંપ આવ્યો હતો. અને અમદાવાદ, મોરબી સહિતના વિસ્તારો પ્રભાવિત થયા હતા. આટલુ જ નહીં, પાકિસ્તાનના અમુક ભાગોમાં પણ અસર વર્તાઈ હતી. કચ્છ યુનિવર્સિટીના પૃથ્વી અને પર્યાવરણ વિજ્ઞાનના એમ.જી.ઠક્કર જણાવે છે કે, જાે તમે ૭ અથવા તેનાથી વધારે તીવ્રતાના ભૂકંપની વાત કરો તો ૧૦૦થી ૨૦૦ કિમી કંઈ જ નથી. આ પ્રકારનો ભૂકંપ ૩૦૦ કિમી વિસ્તાર સુધી ઉંચી ઈમારતોને પ્રભાવિત કરી શકે છે. અમારું સંશોધન હજી એક વર્ષ પછી મંત્રાલયને સોંપવામાં આવશે. અમારી શોધનું તારણ ઓથોરિટીને મોકલવામાં આવશે જેથી તેઓ આખા રાજ્યને ધ્યાનમાં રાખીને એક પ્લાન તૈયાર કરી શકે. સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે, કચ્છ જેવા વિસ્તારોમાં અમુક ફોલ્ટ લાઈન્સ હંમેશા સક્રિય હોય છે. માટે આ વિસ્તારોમાં ભૂકંપને લગતા નિયમોનું ચોક્કસપણે પાલન થાય તે જરૂરી છે. કોઈ પણ ઈમારત અથવા અન્ય કોઈ બાંધકામની યોજના ઘડતી વખતે આ બાબતને ધ્યાનમાં રાખવી જરૂરી છે.વધુ વાંચો -
જામનગરમાં બે વર્ષ બાદ શ્રાવણી મેળાનું મહાનગર પાલિકા દ્વારા આયોજન
- 14, ઓગ્સ્ટ 2022 01:30 AM
- 370 comments
- 1201 Views
જામનગર, જામનગરમાં સતત બે વર્ષ કોરોના કાળ બાદ આ વર્ષે શ્રાવણી મેળાનું મહાનગર પાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. મેયર અને ધારાસભ્યના હસ્તે મેળાનું ઉદ્ધટન કરવામાં આવ્યું છે અને શ્રાવણી મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો છે. જેથી મોટી સંખ્યામાં શહેરીજનોએ મેળાની મોજ માણવા પહોંચી ગયા હતા. શ્રાવણી મેળાને લઈ તમામ પ્રકારની તંત્ર દ્વારા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મનોરંજન રાઈડ, ખાણીપીળીના સ્ટોલ, આઈસ્ક્રીમના સ્ટોલ સહિત અનેક મનોરંજનની વસ્તુઓ મેળામાં ઉપલબ્ધ છે. શ્રાવણી મેળાના ઉદ્ઘાટન વખતે મનોરંજન રાઈડમાં મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહાનગરપાલિકાના કમિશ્નર વિજય ખરાડી,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા, વિરોધ પક્ષના નેતા આનંદ રાઠોડ સહિતનાઓ બેઠા હતા અને મેળાની મોજ માણી હતી. વિરોધ પક્ષના નેતા અને કોર્પોરેટર કેશુભાઈ માડમે મનોરંજન રાઈડમાં બેસી મેળાની મોજ માણી હતી. મનપા દ્વારા શ્રાવણી મેળાનું ૧૬ દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે. મેળાની અંદર વહીવટી તંત્ર દ્વારા તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. કોઈપણ અનિચ્છનીય કે આગની ઘટના ન બને તે માટે ફાયરનો સ્ટોલ પણ રાખવામાં આવ્યો છે. તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. મેળાની તમામ જગ્યાએ સીસીટીવી લગાવવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા મેળાનું સતત મોનિટરિંગ કરવામાં આવ્યું છે. આજરોજ મોનિટરિંગ કરવા માટે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ ખાસ આવ્યાં હતા અને સીસીટીવી કેમેરા ઉપર બાજ નજર રાખી અને નિરીક્ષણ કર્યું હતું. આજથી શ્રાવણી મેળાની શરૂઆત કરવામાં આવી હતી. તંત્ર દ્વારા સમગ્ર મેળાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તહેવારો દરમિયાન કાયદો અને ટ્રાફિક વ્યવસ્થા માટે ખાસ કરીને પ્રદર્શન ગ્રાઉન્ડમાં જ્યાં મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તે શહેરનો મુખ્ય માર્ગ છે જે મુખ્ય માર્ગ પર બંને સાઈડ બેરીગેટ લગાવી પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવા માટે જિલ્લા પોલીસવડા અને મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડીએ પોલીસ અને મહાનગરપાલિકાના તંત્રને સુચના આપી છે.વધુ વાંચો -
સૌરાષ્ટ્રની સૌથી ઊંચી ૨૨ માળની રાજકોટના સિલ્વર હાઈટ્સ બિલ્ડિંગમાં લહેરાવ્યો
- 14, ઓગ્સ્ટ 2022 01:30 AM
- 3901 comments
- 2029 Views
આઝાદીનાં ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે ભારતમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે, સૌરાષ્ટ્રનો સૌથી ઊંચો ૨૫૦ ફૂટ લાંબો અને ૨૪ ફૂટ પહોળો તિરંગો સૌરાષ્ટ્રની સૌથી ઊંચી ૨૨ માળની રાજકોટના સિલ્વર હાઈટ્સ બિલ્ડિંગમાં લહેરાવવામાં આવ્યો છે. આ રાષ્ટ્રધ્વજ એક કિમી દૂરથી પણ દેખાય છે.‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા માટે રંગીલા રાજકોટના રહેવાસીઓ પણ પોતાના ઘર ઓફિસ કે સોસાયટી બહાર તિરંગો લહેરાવી રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભાવના વ્યક્ત કરી રહ્યા છે. રાજકોટ શહેરના નાના મવા રોડ પર આવેલા ૨૨ માળની સિલ્વર હાઈટ્સ સોસાયટી કે જે સૌરાષ્ટ્રનું સૌથી ઊંચું બિલ્ડિંગ ધરાવે છે તેમજ રાજકોટના પોશ વિસ્તારમાં એનો સમાવેશ થાય છે. આ સોસાયટીના લોકો પણ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જાેડાયા છે અને સૌથી મોટો તિરંગો લહેરાવ્યો છે. આ તિરંગાએ રાજકોટવાસીઓમાં આકર્ષણ જમાવ્યું છે.વધુ વાંચો -
સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદથી નદીઓ ગાંડીતૂર
- 14, જુલાઈ 2022 01:30 AM
- 9088 comments
- 1141 Views
ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના અને ગીર જંગલ પંથકમાં વરસાદી માહોલ વચ્ચે ઠંડા પવન સાથે ભારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું, જે સવારથી પણ ધીમી ધારે વરસી રહ્યો છે. જિલ્લામાં રાત્રિથી લઈ સવાર સુધીમાં સૌથી વધુ ગીર-ગઢડામાં ૫ ઈંચ તથા બાકીના પાંચેય તાલુકામાં સરેરાશ ૨થી ૩ ઈંચ વરસાદ વરસી ગયો છે. આજના ભારે વરસાદને પગલે ગીર-ગઢડાની રૂપેણ સહિતની નદીઓમાં ઘોડાપૂર આવતાં ગ્રામ્ય વિસ્તારોને તાલુકા મથકે જાેડતા અનેક રસ્તાઓ અને પુલો પર પૂરના પાણી ફરી વળેલા નજરે પડ્યા છે. તો જિલ્લાના ડેમોમાં પણ ધીમી ધારે નવા નીરની આવક જાેવા મળી રહી છે. ગઈકાલથી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી મુજબ ગીર સોમનાથ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં ઠંડો પવન ફૂંકાવવાની સાથે ઘટાટોપ વાદળો બંધાયાં બાદ છએય તાલુકાઓમાં ક્રમશઃ વારાફરતી ધીમી ધારે વરસાદ વરસવાનું ચાલુ થયો હતો. આખી રાત દરમિયાન ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારનો વરસાદ અવિરત વરસ્યા બાદ સવારથી પણ સૂર્ય નારાયણની ગેરહાજરી વચ્ચે મેઘાવી માહોલમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ગતરાત્રિના ધીમી ધારે વરસ્યા બાદ વહેલી સવારના પાંચેક વાગ્યાથી ગીર-ગઢડા શહેર-પંથકમાં ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું, જેમાં રાત્રિના એકાદ ઈંચ બાદ સવારે ચાર કલાકમાં વધુ ૪ ઈંચ વરસાદ ખાબકી જતાં પંથકમાં સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું. ભારે વરસાદના પગલે ગીર-ગઢડા પંથકની નાની-મોટી તમામ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હોય એમ બર કાંઠે વહેતી જાેવા મળતી હતી. પંથકની મછુન્દ્રી, સાંગવાડી, સાહી અને રૂપેણ જેવી મુખ્ય નદીઓમાં ઘોડાપૂર આવેલું નજરે પડતું હતું. આ નદીઓમાં આવેલા પૂરના પાણી પંથકના ગ્રામ્ય વિસ્તારોને તાલુકા મથકે જાેડતા માર્ગો અને તેના પુલો પર ફરી વળતાં વાહનવ્યવહાર અમુક સમય માટે બાધિત થયો હતો, જેમાં ગીર-ગઢડાથી હરમડિયા અને ઘોકડવાને જાેડતા બન્ને મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતાં બેએક કલાક સુધી વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો. આ માર્ગે પર ઠેરઠેર ધસમસતા વરસાદી પાણી વહેતા જાેવા મળી રહ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે અને હવામાન વિભાગે હજુ પણ ગુજરાતમાં બે દિવસની ધોધમાર વરસાદની આગાહી આપી છે. ચારે બાજુ હજુ પાણી ઉતર્યુ નથી એ વચ્ચે ભારે વરસાદની આગાહીથી તંત્રપણ સતર્ક બની ગયુ છે.ઠેર-ઠેર રસ્તાઓ પર પાણી ભરાયાનાં દૃશ્યો જાેવા મળતાં પ્રી-મોન્સૂનની કામગીરીની પોલ ખુલી. રાજકોટ શહેરમાં ગઈકાલે ભારે વરસાદને પગલે ચારેબાજુ પાણી જ પાણી ભરાઈ ગયા હતા.એ સમયે પ્રી-મોન્સૂનની કામગીરીની પોલ ખુલી હતી. જ્યાં શહેરમાં ઠેર-ઠેર રસ્તાઓ પર પાણી ભરાયાનાં દૃશ્યો જાેવા મળ્યાં હતાં. આથી વાહનચાલકોમાં મુશ્કેલી જાેવા મળી હતી. આ અંગે આજે મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ અમે શહેરના લગભગ તમામ રાજમાર્ગ અને મુખ્ય વિસ્તારોમાં ઉભા કરવામાં આવેલા ઝ્રઝ્ર્ફ નેટવર્કનો ઉપયોગ રસ્તાના ખાડાઓ શોધવા માટે કરી રહ્યા છીએ. અને ખાડા શોધીને તેને બુરવાની સૂચના પણ મે ત્રણે ઝોનના સીટી ઇજનેરોને આપી દીધી છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે,ગઈકાલથી જ તમામ ઇજનેરોને પોતપોતાના ઝોન અને વોર્ડમાં ઝ્રઝ્ર્ફમાંથી નિહાળીને ખાડા બુરવાનું શરૂ કરી દીધું હતું. જેમાં મેટલ, મોરમ જે પ્રકારે ખાડા બુરાતા હોય તે કેમેરામાંથી જાેઇને તુરંત સુચના આપવા અને વાહન ચાલકોને ઓછામાં ઓછી તકલીફ પડે તે બાબત ધ્યાને રાખવા સૂચનાઓ જાહેર કરી હતી.રાજકોટના વીરપુર-જસદણમાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસતા પાણીપાણી રાજકોટ, રાજકોટના. વીરપુર અને જસદણ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ ચાલુ થયો હતો. જસદણ અને આટકોટમાં સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાયા હતા. તેમજ ખેતરો પણ પાણી પાણી થયા છે. જયારે રાજકોટ શહેરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં વરસાદી ઝાપટા અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. વીરપુર સહિત પીઠડીયા,મેવાસા,જેપુર, હરિપર,ઉમરાળી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટના ઉપલેટા તાલુકાના સાજડીયારી ગામ પાસેથી પસાર થતા પૂલની એક સાઈડમાં ધોવાણ થયું હોવાનું સામે આવ્યું છે. વોકળામાં પાણીની પુષ્કળ આવકને લઈ અને પૂલના એક સાઈડનું ધોવાણ થયું છે. જેને કારણે પૂલનો અમુક ભાગ ધરાશાયી થયો છે. હાલ સાજડીયારીથી ટીબડી જવા માટેના વાહન ચાલકો હેરાન થયા છે. ગત વર્ષે પણ આ પુલના ભાગનું થયું હતું ધોવાણ તેવી પણ વિગતો સામે આવી છે. એ સમયે ઇદ્ગમ્ વિભાગ દ્વારા માત્ર માટી નાખીને કામચલાઉ રીપેરીંગ કરવામાં આવ્યું હતું. હાલ વરસાદી વાતાવરણ છે. જાે ધોધમાર વરસાદ પડશે તો દુર્ઘટના સર્જાય શકે છે. હાલ વરસાદને પગલે શહેરના માંડાડુંગર વિસ્તારમાંથી એક અજગર મળી આવ્યો હતો. જેનો રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. જેમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.જામનગર-દ્વારકામાં સાડાચાર ઇંચ વરસાદ વરસ્યો જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં એક ઇંચથી લઈ સાડા ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેને લઈ રસ્તા પર પાણી ફળી વળ્યા હતા. બીજી તરફ ભારે વરસાદની આગાહીના પગલે જામનગર અને દેવભૂમિ દ્વારકામાં એનડીઆરએફની એક-એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં વરસેલા વરસાદના સતાવાર આંકડાઓ જાેઈએ તો આજે સવારે પૂર્ણ થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાલીયામાં ૨ ઇંચ, કલ્યાણપુરમાં ૧ ઇંચ, ભાણવડ અને દ્વારકામાં પોણો-પોણો ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જામનગર જિલ્લામાં તાલુકા મથકે વાત કરવામાં આવે તો કાલાવડમાં સવા ઇંચ, જામજાેધપુરમાં અડધો ઇંચ, જામનગર શહેરમાં ૨ ઇંચ, જાેડીયામાં સાડા ચાર ઇંચ, ધ્રોલમાં પોણા બે ઇંચ, લાલપુરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.વધુ વાંચો -
રાજકુમારીએ રાજવી પરિવારની મિલકતો વેચતા રોકવા કોર્ટ સમક્ષ સ્ટે માગ્યો
- 10, જુલાઈ 2022 01:30 AM
- 6876 comments
- 1708 Views
રાજકોટ રાજકોટના રાજવી પરિવારની મિલકતને લઈ ભાઈ અને બહેન વચ્ચે ચાલતી તકરારમાં રાજકુમારી અંબાલિકા દેવીએ રાજવી માંધાતાસિંહને વધુ એક કાનૂની પડકાર આપ્યો છે. રાજકુમારીએ ભાઈને રાજવી પરિવારની મિલકતો વેચતા રોકવા રાજકોટની સિવિલ કોર્ટ સમક્ષ ધા નાખી સ્ટે માગ્યો છે. આ અંગે વધુ સુનાવણી ૨૬ ઓગસ્ટના રોજ કોર્ટમાં હાથ ધરાશે. આ તકરારની વિગત મુજબ રાજવી પરિવારની મિલકતના વિવાદમાં નવો ફણગો ફૂટ્યો છે. રાજકુમારી અંબાલિકાદેવી કે જેઓ સ્વ.મનોહરસિંહજી જાડેજાના દીકરી છે. તેમણે મિલકતમાં પાંચમો ભાગ માગ્યો છે. તેમણે રાજકોટના પ્રિન્સિપાલ સિવિલ જજની કોર્ટમાં રાજવી પરિવારની વારસાઇ મિલકતોના વેચાણ અંગે કામ ચલાઉ મનાઈ હુકમ મેળવવા દાવો કર્યો છે. આ દાવો તેમણે તેમના ભાઈ અને રાજકોટના રાજવી માંધાતાસિંહ મનોહરસિંહ જાડેજા સહિતના વિરૂદ્ધમાં કર્યો છે. દાવામાં જણાવાયા મુજબ મિલકત તકરારનો અંત થયો નથી તે પૂર્વે જ એક મિલકત વેચી પણ નાખવામાં આવી છે.આથી બહેને કેસના નિકાલ સુધી સ્ટે આપવા દાદ માગી છે. લગ્ન બાદ ઝાંસી ખાતે રહેતા અંબાલિકા દેવી પુષ્પેન્દ્રસિંહે કોર્ટમાં કરેલા દાવા ઉપરાંત પ્રાંત અધિકારી (સિટી-૨)ના હુકમ સામે માંધાતાસિંહે કલેક્ટર સમક્ષ અપીલ કરી છે. જ્યારે અંબાલિકાદેવીએ સિટી સર્વે કચેરીના હુકમ સામે અપીલ કરી છે અને કોર્ટમાં પણ મામલો પહોંચ્યો છે. ત્યારે રાજવી પરિવારની મિલકત અંગે વિવિધ સ્તરે કેસો ચાલી રહ્યા છે. રાજવી મનોહરસિંહજીના દેહાંત બાદ તેમનું ૬/૭/૨૦૧૩નું વિલ સામે આવ્યું હતું. જાેકે આ વિલ બંધનકર્તા ન હોવાનું અને માંધાતાસિંહની તરફેણવાળુ તા.૬/૬/૨૦૧૯નું રિલીઝ ડીડ રદ બાતલ ઠરાવવાનું ડીક્લેરેશન કરી આપવા અંગેનો દાવો ચાલી રહ્યો છે. આ મિલકત વેચાણ કરતી રોકવા સ્ટે આપવા અરજી કરાઈ છે. ગઈકાલે અંબાલિકાદેવી તરફે રોકાયેલા રાજકોટના એડવોકેટ કેતન સિંઘવાએ દલીલો રજૂ કરી હતી. જેમાં મુખ્ય દલીલો મુજબ આઝાદી પહેલાના રાજકોટના છેલ્લા રાજવી પ્રદ્યુમનસિંહજી એટલે કે માંધાતાસિંહ અને અંબાલિકાદેવીના દાદાને તેમના પિતા સર લાખાજીરાજ પાસેથી મળેલી મિલકતો રાજવી પરિવારની ખાનગી મિલકત હતી, સ્વતંત્ર મિલકત નહોતી. ૧૯૪૯માં ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું અને ૨૬માં સુધારા ૨૮/૧૨/૧૯૭૧તી રજવાડાઓને મળતી સવલતો રદ થઈ, ૯/૧૧/૧૯૭૩ના રોજ પ્રદ્યુમનસિંહજીનું અવસાન થયું ત્યારે બંધારણીય સુધારો અમલી હતો.જેથી તેમના કહેવાતા વિલની રૂએ મનોહરસિંહજીના દાવાવાળી મિલકતના તે સ્વતંત્ર માલિક નથી બનતા. કેમ કે, પ્રદ્યુમનસિંહજીને પણ મિલકતો તેમના પિતા એટલે કે સર લાખાજીરાજ પાસેથી મળી હતી.વધુ વાંચો -
રાજકોટમાં એસટી બસ બંધ પડતાં મુસાફરો સહિત લોકો દ્વારા ધક્કા લગાવવામાં આવ્યા
- 10, જુલાઈ 2022 01:30 AM
- 3117 comments
- 1328 Views
રાજકોટ, રાજકોટનાં ત્રિકોણબાગ ચોકમાં જી્ બસ બંધ પડી ગઈ હતી. જી્ બસ બંધ પડતાં મુસાફરો સહિત લોકો દ્વારા ધક્કા લગાવવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવતા ‘સલામત સવારી’નાં સ્લોગન સામે પણ સવાલો ઉઠ્યા છે.જાણવા મળતી વિગત અનુસાર, જી્ વિભાગની જામનગર-રાજકોટ-જામનગર રૂટની બસ બસપોર્ટ પરથી ૫૦૦ મીટર દૂર આવેલા ત્રિકોણબાગ ચોક નજીક અચાનક જ બંધ પડી ગઈ હતી. બસ બંધ થતાં રસ્તા પર ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયા હતા. દરમિયાન મુસાફરો સહિતનાં લોકોએ બસ ચાલુ કરવા માટે ધક્કા મારવાની ફરજ પડી હતી. આ ઘટનાને કોઈએ મોબાઈલ કેમેરામાં કેદ કરી લેતા તેનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં મુસાફરોએ જી્ બસને ધક્કા માર્યા હોવાનું અને ડ્રાઇવર બસને ઉપાડવાનો પ્રયાસ કરતો હોવાનું સ્પષ્ટ જાેઈ શકાય. સમગ્ર મામલે મુસાફરોએ જણાવ્યું હતું કે, તેઓ જી્ બસપોર્ટ ખાતેથી જામનગર જવા બેઠા હતા. પરંતુ થોડીવારમાં જ ત્રિકોણબાગ પાસે પહોંચતા બસ બંધ પડી હતી. જેને લઈને ધક્કા મારી ચાલુ કરવા પ્રયાસો કરવા છતાં બસ ચાલુ થઈ નહોતી. હાલ બીજી બસ મંગાવવામાં આવી હોવાનું જણાવાયું છે. જાેકે બીજી બસ ક્યારે આવશે અને આવશે કે નહીં તેની કોઈ ખાતરી નહીં હોવાનો આક્રોશ પણ મુસાફરોએ ઠાલવ્યો હતો. સાથે જી્ વિભાગ દ્વારા સમયાંતરે ભાડામાં વધારો કરવામાં આવે છે પણ બસની ગુણવત્તા સુધારવામાં નહીં આવતી હોવાનો આરોપ પણ લાગ્યો હતો.વધુ વાંચો -
ધોરાજીના ઐતિહાસિક ઓસમ ડુંગર પરથી ધોધ વહ્યો
- 10, જુલાઈ 2022 01:30 AM
- 3143 comments
- 350 Views
રાજકોટ, રાજકોટ જિલ્લામાં છેલ્લા ૫ દિવસથી મેઘરાજા વીજળીના કડાકા ભડાકા સાથે વરસી રહ્યા છે. અનરાધાર વરસાદથી કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. આવું જ કુદરતી સૌંદર્ય ધોરાજીના પાટણવાવ નજીક આવેલા ઓસમ ડુંગર પર પણ જાેવા મળ્યું છે. ધોધમાર વરસાદથી ઓસમ ડુંગર પરથી ધોધ વહ્યો હતો. આથી અદભૂત દૃશ્યો સર્જાયા છે. તેમજ વરસાદથી ઓસમ ડુંગર લીલીછમ્મ હરિયાળીથી ખીલી ઉઠ્યો છે. આ ધોધનો અદભૂત નજારો કોઇએ પોતાના મોબાઇલમાં કેદ કર્યો છે. થોડા દિવસ પહેલા પણ ધોરાજીમાં ધોધમાર વરસાદથી ઓસમ ડુંગર પરથી ધોધ વહ્યો હતો. ઓસમ ડુંગર પર સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને પર્યટક સ્થળમાં પણ સમાવેશ થાય છે. ચોમાસા દરમિયાન અહીં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠે છે. હાલ ઓસમ ડુંગર પર ધોધમાર વરસાદથી નયનરમ્ય નજારો જાેવા મળી રહ્યો છે. ઓસમ ડુંગર પ્રવાસીઓ માટે પ્રવાસન ક્ષેત્રે પ્રખ્યાત બની રહ્યો છે. આ ઓસમ ડુંગર ઉપર તહેવારોની સીઝનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. ઓસમ ડુંગર ધોરાજી હિમાચલ પ્રદેશ જેવી હરિયાળીનો નજારો જાેઇને પર્યટકો પ્રફૂલ્લિત બની જાય છે. ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે આવેલ ઓસમ ડુંગર ઉપર માત્રી માતાજીનું મંદિર, હિડંબાનો હિંચકો, સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવ મંદિર, તળાવ, સહિતના જૈન ધર્મની આસ્થાસમી ધાર્મિક જગ્યાઓ આવેલી છે. ધોરાજીના પાટણવાવ નજીક આવેલા ઐતિહાસિક ઓસમ ડુંગર પર મહાભારત કાળના અનેક અવશેષો જાેવા મળે છે. ભીમ અને હિડંબા અહીં સાથે રહ્યા હતા. ઓમ આકારનો પર્વત દેખાતાં ઓમ સમ= ઓસમ પર્વત નામ પડ્યું હતું. ભાદરવી અમાસે આ ડુંગર પર ભવ્ય લોકમેળો ભરાઇ છે. જેમાં સોળેકળાએ ખીલેલી પ્રકૃતિની સુંદરતા પ્રકૃતિપ્રેમીઓ મનભરીને માણે છે.ગીર સોમનાથના સુત્રાપાડામાં ચાર દિવસથી અનરાધાર વરસાદથી બ્રિજ ધોવાઇ ગયો ગીર - સોમનાથ છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગીર-સોમનાથના સુત્રાપાડામાં અનારાધાર વરસાદ પડી રહ્યો છે. વરસાદને પગલે અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. આ ઉપરાંત અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. આ દરમિયાન અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે. બીજી તરફ ખેરા અને વસાવડ ગામ વચ્ચે વાડી વિસ્તારમાં ભારે વરસાદથી એક બ્રિજ ધોવાયો છે. આ બ્રિજ પરથી ખેડૂતો અવરજવર કરતા હતા. ખેરા અને વસાવડ ગામનો જાેડતો બ્રિજ ધોવાઈ ગયાની માહિતી મળી છે. બ્રિજ ધોવાઈ ગયાનો આખો બનાવ ખેડૂતો પોતાના મોબાઇલ ફોનમાં કેદ કરી લીધો છે. આ દ્રશ્યોમાં જાેઈ શકાય છે કે આખો બ્રિજ પાણીના ધસમસતા પ્રવાહમાં ધોવાઈ રહ્યો છે. ભારે વરસાદને પગલે જામકંડોરણાનો ફોફળ-૧ ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં છે. ફોફળ ડેમમાં ૧૧ ફૂટ નવા નીરની આવક થઈ છે. જેના પગલે ડેમની સપાટ ગઈકાલે ૨૩ ફૂટે પહોંચી હતી. આ અંગે રાજકોટ જિલ્લા કલેક્ટરે ટ્વીટ કરીને લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. દુધીવદર, ઇશ્વરીયા, તરવડા અને વેગડી ગામના લોકોને સાવચેત રહેવા તથા નદીના પટમાં અવરજવર ન કરવાની સૂચના આપવામાં આવી છે. જામકંડોરણા પંથકમાં સાડા ચાર ઇંચ કરતા વધારે વરસાદ પડતા દુધીવદર ગામ ખાતે આવેલો ફોફળ-૧ ડેમ હાલ ભરાયો છે. આ ડેમની કુલ સપાટી ૮૧.૭૫ મીટર છે. ડેમની ગુરુવારની સપાટી ૮૦.૨૯ મીટર હતી. બીજી તરફ ધોરાજીના ભૂખી ગામ ખાતે આવેલો ભાદર-૨ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. જેના પગલે ૩૭ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. લોકોને નદીના પટમાં ન જવાની સૂચના આપી દેવામાં આવી છે. ભાદર -૨ ડેમની જળ સપાટી ૫૩.૧ મીટર છે, જ્યારે જળાશયની હાલની સપાટી ૫૧.૧ મીટરે પહોંચી છે. ડેમમાં ૬,૭૧૭ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમની સપાટી વધતા ધોરાજી તાલુકાના ૪ ગામોને એલર્ટ કરાયા છે. જેમાં ભોળા, ભોળગામડા, છાડવાવદર, સુપેડી ગામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઉપલેટાના ૧૫ ગામ, કુતિયાણાના ૧૦ ગામ અને પોરબંદરના ૪ ગામને એલર્ટ કરાયા છે. ખાલી પડેલા તમામ ડેમો,તળાવો,નદીઓ ઓગની જતા પાણી ગામો અને ખેતરોમાં ઘુસતા હાલાકી કચ્છ પશ્ચિમ કચ્છમાં છેલ્લા ૪ દિવસથી મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે.જેના કારણે ખાલી પડેલા તમામ ડેમો,તળાવો,નદીઓ ઓગની જતા પાણી ગામો અને ખેતરોમાં ઘુસી રહ્યું છે .સતત વરસાદના કારણે ખેતરો પણ તળાવમાં ફેરવાઈ ગયા છે.છેલ્લા ચાર જ દિવસમાં લખપત,અબડાસા,નખત્રાણા અને માંડવી-મુન્દ્રામાં સાંબેલાધાર મેઘો વરસ્યો હોવાથી અહીં તરોમાં ઉભા પાકને નુકશાન થવા પામ્યું છે.વાવણી કરેલો પાક ધોવાઈ જવા સાથે ખેતરોના બંધારા પણ તૂટી ગયા છે જેથી સરકાર દ્વારા સહાય આપવામાં આવે તે જરૂરી છે.. અબડાસા અને લખપતને જાેડતા માર્ગ પર પાણી ફરી વળ્યા..રામપર નજીક આવેલ મીઠી ડેમ ઓવરફ્લો થતાં રામપર નદીના પાણી બે કાંઠે વહ્યા હતા જ્યારે અબડાસા અને લખપતને જાેડતો માર્ગ થયો બંધ થતાં સંપૂર્ણ વાહન વ્યવહાર ઠપ...થઇ ગયો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં. બાલાગામ ઘેડમાં ઓઝત નદીનો પાળો તૂટતા હજારો વિઘા જમીન પાણીમાં કેશોદ પંથકના બામણાસા ધેડ અને બાલાગામ ખાતે આવેલ ઓઝત નદીમાં ઉપરવાસમાં પડેલાં વરસાદી પાણીની આવક થતાં ખેડુતોએ પાણી રોકતાં બનાવેલાં માટીના પાળા તૂટી પડતાં હજારો વીધા જમીન પાણીમાં ગરકાવ થઈ હતી. જેથી મગફળીને નુકસાન થયું હતું. આ અંગેની મળતી વિગત મુજબ ઘેડ પંથકની ઓઝત નદી સાંકળી બનતાં તેમજ નાના વોકળા પેશકદમી કરી બંધ કરાતાં વારંવાર પાળા તુટવાની ઘટના બને છે.છેલ્લા ૩ વર્ષમાં બામણાસા ગામે પાળો તૂટવાથી મોટા પાયે ખેડૂતોની જમીનનું ધોવાણ તેમજ મગફળીના પાકને નુકશાન થઈ રહ્યું છે. એવી જ રીતે બે વર્ષ પહેલાં ૮૦ મીટર તૂટેલો પાળો તંત્રએ આરસીસીથી બનાવી આપ્યો તો ગત વર્ષે તેની બાજુમાં આવેલ પાળો તૂટ્યો હતો. આ પાળાને પાકો બનાવવા તંત્રએ સહાય મંજૂર કરી પણ સમયસર પાળો બનાવવા ઉણું ઉતર્યું જેને લઈ ખેડૂતે હજારો ખેડૂતોની ચિંતા કરી સરકારી વાહનનો ઉપયોગ કરી માટીનો કાચો પાળો બનાવી નાખ્યો હતો. નદી વળાંક લેતી હોય પાળાની નીચે પોલાણ સર્જાતાં પાળો તૂટી ગયો હતો. આ ઘટનાથી આખું ચોમાસું જ્યાં સુધી નદીમાં પાણીની આવક રહેશે ત્યાં સુધી બામણાસા ગામ કેશોદ તાલુકાથી વિખુંટુ રહેશે. અને હજારો વીધામાં વાવેતર કરાયેલ મગફળી નિષ્ફળ જશે.વધુ વાંચો -
ટ્રેન નીચે આવી ગયા બાદ પણ માસૂમ બાળકનો ચમત્કારિક બચાવ થયો
- 07, જુલાઈ 2022 01:30 AM
- 1412 comments
- 1251 Views
રાજકોટ, શહેરમાં એક અજીબો ગરીબ ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના રેલ્વે સ્ટેશન પર એક બાળક પડી જતા તે પાટા નીચે આવી ગયો હતો. બાળક પરથી એક નહીં બે નહીં પરંતુ ચાર જેટલા કોચ પસાર થઈ ગયા હતા પરંતુ બાળકને ઉની આંચ પણ આવી નહોતી. આ ઘટનામાં બાળકને બચાવવા માટે આરપીએફની મહિલા કોન્સ્ટેબલ સોનું વર્મા દોડી ગઈ હોવાનું સીસીટીવીમાં સામે આવ્યું છે. જાંબાજ મહિલા કોન્સ્ટેબલને બાળકની માતા ભેટી પડી હતી. તે દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા છે. આપણે ત્યાં એક કહેવત છે કે, રામ રાખે તેને કોણ ચાખે. રાજકોટ શહેરના જંકશન રેલવે સ્ટેશન ખાતે આ કહેવત સાચી પડી છે. ગત ચોથી જુલાઈના રોજ બપોરના ભાગમાં માતા પુત્ર રાજકોટથી દાહોદ ટ્રેન મારફતે જતા હતા. આ સમયે માતા પુત્ર જ્યારે ટ્રેનમાં ચડી રહ્યા હતા ત્યારે બાળકનો પગ લપસી જતા બાળક ટ્રેનના પાટા નીચે આવી ગયો હતો. પોતાનો પુત્ર ટ્રેનની નીચે પાટા પાસે જતો રહેતા બાળકની માતા હતપ્રભ બની ગઈ હતી. આજુબાજુના લોકોને બચાવો બચાવોની બૂમ પણ પાડી હતી. આ સમયે રાજકોટ રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા આરપીએફના મહિલા કોન્સ્ટેબલ સોનુ વર્માનું ધ્યાન બાળક તરફ દોરાયું હતું.આરપીએફની મહિલા કોન્સ્ટેબલ સોનું વર્મા બાળક સુધી હિંમતભેર દોડી ગઈ હતી. ત્યારબાદ બાળકને કહ્યું હતું કે, તું જે સ્થિતિમાં છે તે જ સ્થિતિમાં રહે. બીજી તરફ બાળકે પણ હિંમત દર્શાવી અને તે જ સ્થિતિમાં રહ્યો અને આખરે તે બચી ગયો હોવાનું પણ સામે આવ્યું છે. જાણવા મળતી વિગતો અનુસાર બાળક પરથી એક નહીં બે નહીં પરંતુ ચાર ચાર જેટલા કોચ પસાર થઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે.વધુ વાંચો -
રઘુ શર્મા અને શક્તિસિંહના વિરોધાભાસી નિવેદનોથી કોંગ્રેસનો કકળાટ ચરમસીમાએ
- 07, જુલાઈ 2022 01:30 AM
- 3931 comments
- 5011 Views
રાજકોટ, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ રહ્યા છે. આ ત્યારે કોંગ્રેસમાં જૂથવાદ અટકવાનું નામ જ લેતો નથી. સોમવારે ચૂંટણી માટે પાર્ટીની ટાસ્ક ફોર્સની બેઠક પૂર્ણ થયા બાદ ગુજરાત કોગ્રેસના પ્રદેશ પ્રભારી રધુ શર્માએ એવું નિવેદન આપ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસ પદનો ચહેરો જાહેર નહીં કરે, કોંગ્રેસ ઝ્રસ્ના ચહેરા વગર ચૂંટણી લડશે. જયારે આજે રાજકોટ ખાતે આવેલા રાજ્યસભા સાંસદ અને કોંગી નેતા શક્તિસિંહ ગોહિલે મીડિયાને વિરોધાભાસી નિવેદન આપતા જણાવ્યું હતું કે,સ્ન્છની સેન્સ લઈને અમે ઝ્રસ્નો ચહેરો નક્કી કરીશું. રાજકોટમાં આજે સર્કીટ હાઉસ ખાતે રાજ્યસભા સાંસદ અને કોંગી નેતા શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના કાર્યકરોને મળ્યા હતા. જ્યાં તેમણે મીડિયાને વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના લોકો ખૂબ જ શાણા છે. ગુજરાતમાં માત્ર બે પક્ષ વચ્ચે જ ટક્કર છે. અને તે છે ભાજપ અને કોંગ્રેસ, ગુજરાતીઓ ક્યારેય ત્રીજાે પક્ષ ન સ્વીકારે. પંજાબમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે લોકોની ચિંતા કરવામાં આવતી હતી.હવે પંજાબના લોકો હવે સમજાયું કે અમે ભૂલ કરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે,પંજાબે છછઁને નકારી દીધી કારણ કે તેઓ સત્તામાં આવ્યાના મહિનાઓમાં જ ભગવંત માનની બેઠક ગુમાવી હતી. તેઓએ ચાર મહિનામાં પંજાબના લોકોનો વિશ્વાસ ગુમાવી દીધો છે, તેથી તમે તેમની પાસેથી ગુજરાતના લોકોને શું આપવાની અપેક્ષા રાખી શકો છો, તેમણે કહ્યું કે ચૂંટણી પર આમ આદમી પાર્ટીની અસર નહીં થાય. નોંધીનીય છે કે, રઘુ શર્માની પ્રભારી તરીકે નિમણૂંક કરવામાં આવી ત્યારથી લઈને અત્યાર સુધીમાં કોંગ્રેસના ચાર પૂર્વ ધારાસભ્યો, ચાર પ્રદેશના નેતાઓ સહિત અન્ય નેતાઓ ભાજપમાં જાેડાઈ જતાં હાઈકમાન્ડે નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે હવે કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ ક્યારે અટકશે એ તો આવનારા સમયમાં જ જાણી શકાશે.વધુ વાંચો -
સુત્રાપાડામાં ૧૩ અને કોડીનારમાં ૯ ઈંચ વરસાદ
- 07, જુલાઈ 2022 01:30 AM
- 468 comments
- 6460 Views
ગીર સોમનાથ, ગીર સોમનાથ જિલ્લામાં આભ ફાટ્યું બાદ સવાર સુધીમાં સાંબેલાધાર વરસાદ વરસાવી દેતાં પાણી પાણી કરી દીધું હતું. એમાં સુત્રાપાડામાં નવ કલાકમાં ૧૩ ઇંચ, કોડીનારમાં નવ કલાકમાં ૧૧ ઇંચ અને વેરાવળ-સોમનાથમાં છ કલાકમાં ૫ ઇંચ વરસાદ ખાબક્યો છે. એને પગલે સુત્રાપાડા અને કોડીનાર શહેર તથા પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. તો ભારે વરસાદને પગલે વેરાવળ-કોડીનાર વચ્ચે પેઢાવાડા પાસે હાઇવેનાં કામ અંતર્ગત કઢાયેલા રસ્તાઓ સોમત નદીના પૂરના પાણીમાં ગરકાવ થતાં વાહન-વ્યવહાર ખોરવાઇ જતાં બંન્ને તરફ વાહનોની લાઇનો લાગી હતી. તો ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ અને ખેતરો પાણીમાં ગરકાવ થયાં છે. રાજ્યના હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, ગીર સોમનાથના દરિયાકાંઠે વસેલા વેરાવળ, સુત્રાપાડા અને કોડીનાર તાલુકામાં ગત રાત્રિથી મેઘરાજાએ મુકામ કરી હેત વરસાવવાનું શરૂ કર્યું છે. આ ત્રણેય તાલુકામાં વરસેલા વરસાદની વાત કરીએ તો સૌથી વધુ સુત્રાપાડામાં રાત્રિના શરૂ થયેલી મેઘસવારીએ સવારે પણ ચાલુ રહી હતી. સૂત્રાપાડામાં ૩૦૨મિમી (૧૨ ઇંચ), કોડીનારમાં ૨૭૯ મિમી (૧૧ ઇંચ) અને વેરાવળમાં ૧૨૪ મિમી (૫ ઇંચ) વરસાદ વરસાવી દીધો હતો. એને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. તો ખેતરોમાં પાકને જરૂરી એવા ખરા સમયે જ વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ હતી. તો કોડીનાર અને સુત્રાપાડા શહેર-પંથકમાં વરસેલા સાંબલેધાર વરસાદને પગલે લોકો અને વાહનચાલકોને અનેક પ્રકારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સુત્રાપાડા શહેર-પંથકમાં ગત રાત્રિના અઢી વાગ્યા આસપાસ મેઘરાજાએ પધરામણી કર્યા બાદ વહેલી સવારે સાત વાગ્યા સુધી અનરાધાર વરસાદ વરસ્યો હતો. આ બાદ પણ વરસાદ ધીમી ધારે વરસવાનું ચાલુ જ હતું. આમ, સાત કલાકમાં ૧૨ ઇંચ જેવો વરસાદ વરસી જતાં શહેર-પંથકમાં ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતા. સુત્રાપાડા પંથકમાં આભ ફાટ્યું હતું, ભારે વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાઇ જતાં બેટમાં ફેરવાઇ ગયાનો નજારો જાેવા મળતો હતો. પંથકના મટાણા સહિતનાં અનેક ગામો બેટમાં ફેરવાઇ ગયાનાં દૃશ્યો સામે આવ્યાં છે. મટાણા ગામને જાેડતા બ્રિજ પર વરસાદી પાણી ફરી વળતાં વાહનવ્યવહાર અટકી જવાની સાથે ગામની અંદર રસ્તા-શેરીઓમાં નદી વહેતાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા. જ્યારે પ્રશ્નાવડા, લોઢવા, સીંગસર સહિતનાં ગામોની શેરીમાં નદી વહેતી થતાં બેટમાં ફેરવાયા જેવો નજારો જાેવા મળતો હતો. સુત્રાપાડાનો વાડી વિસ્તાર સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. સુત્રાપાડા તાલુકાનાં અન્ય ગામોને જાેડતા ઉંબરી સહિતના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા બંધ થઇ જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. કોડીનાર પંથકમાં પણ ગત રાત્રિથી જ મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે, જે સવારે પણ અવિરત ચાલુ હતા. એને લીધે કોડીનાર શહેર-પંથકમાં ૧૧ ઇંચ જેટલો વરસાદ વરસી જતાં જળમગ્ન જેવી સ્થિતિ અનેક જગ્યાએ જાેવા મળી હતી. કોડીનાર શહેરની અનેક સોસાયટીઓ, રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. તો પંથકના દરિયાકાંઠાના મૂળ દ્વારકા, માલાશ્રમ સહિતનાં ગામોની અંદર નદીઓ વહેતી થઇ હતી. તો અનેક લોકોનાં ઘરોમાં પાણી ઘૂસી જતાં ગ્રામજનો પરેશાન થયાં હતાં. ભારે વરસાદને પગલે કોડીનાર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં અનેક જગ્યાએ જળમગ્ન જેવી પરિસ્થિતિ જાેવા મળી રહી છે.દ્વારકામાં ભારે વરસાદથી જગત મંદિરની ધજા અડધી કાઠીએ ફરકાવાઈ દ્વારકામાં મુશળધાર વરસાદ તૂટી પડ્યો છે. જેમાં સૌથી વધુ કલ્યાણપુરમાં ૬.૬ ઈંચ વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે સમગ્ર દ્વારકા જિલ્લો પાણી પાણી થઈ ગયો છે. જેને કારણે દ્વારકામાં જગત મંદિરનાં શિખરે અડધી કાઠીએ ધજા ફરકાવાઈ છે. અબોટી બ્રાહ્મણ પરિવારની સુરક્ષા માટે આ ર્નિણય લીધો હતો. વાતાવરણ યોગ્ય ન થાય ત્યાં સુધી અડધી કાઠીએ ધજા ફરકાવાશે. કલ્યાણપુરમાં સાડા છ ઈંચ વરસાદથી પાણી પાણી બની ગયુ છે. તો દ્વારકામાં ૪ અને ખંભાળિયામાં ૩ ઈંચ વરસાદ તૂટી પડ્યો છે. મૂશળધાર વરસાદથી દ્વારકા જિલ્લામાં સર્વત્ર પાણી પાણી થઈ ગયુ છે. દ્વારકામાં અનેક જગ્યાએ રસ્તાઓ બંધ થયા થયા છે. રાવલ-સુર્યાવદર વચ્ચેનો રસ્તો પાણીમાં ગરકાવ થતા બંધ થયો છે. સાની નદીમાં પૂર આવતા રસ્તાઓ બંધ થયા છે. લોકો જીવના જાેખમે રસ્તાઓ પાર કરી રહ્યા છે. ભારે વરસાદથી જિલ્લાના નદી, નાળા અને ચેકડેમો છલકાયા છે. તો બીજી તરફ સીમાની કાલાવડથી બારા તરફ જતાં માર્ગ પર પુલ પર પાણી ફરી વળતા લોકોને જીવના જાેખમે દોરડા વડે પુલ પાર કરવાનો વારો આવ્યો છે. દ્વારકામાં જગત મંદિરનાં શિખરે ધજા અડધી કાઠીએ ફરકાવાઈ છે. અબોટી બ્રાહ્મણ પરિવારની સુરક્ષા માટે આ ર્નિણય લેવાયો છે. ખરાબ હવામાન, વરસાદની આગાહીને પગલે વાતાવરણ યોગ્ય ન થાય ત્યાં સુધી ધજા અડધી કાઠીએ ફરકાવાશે. મહત્વનું છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. હાલમાં સતત ભારે વરસાદ પણ વરસી રહ્યો છે. જેના પગલે સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકાના જગતમંદિરના શિખર પર ફરકાવવામાં આવતી ધજાને અડધી કાઠીએ ફરકાવવામાં આવી છે. જામનગરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જામનગર જામનગર જિલ્લા અને શહેરમાં મેઘરાજાએ વ્હેલી સવારથી ધમાકેદાર બેટિંગ કરવાનું શરૂ કરી દીધું. સતત વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે. હવામાન વિભાગે જામનગરને ઓરેન્જ એલર્ટ આપ્યું છે. ત્યારે આજે સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. આ ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજા દેધનાધન વરસાદ વરસાવી રહ્યા છે. સૌથી વધારે પડાણા ગામમાં ચાર ઇંચ વરસાદ પડ્યો છે. જામનગર સહિત રાજ્યભરમાં વરસાદની આગાહીની પગલે વરસાદી માહોલ જામ્યો છે. શહેર અને જિલ્લાને મેઘરાજાએ મુકામ બનાવ્યો છે. તેમજ ગ્રામ્ય પંથકમાં કાળા ડિબાંગ વાદળો વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. બાળકોએ વરસાદમાં નાહવાની મોજ માણી હતી. ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે. જામનગર જિલ્લા અને શહેરમાં વહેલી સવારથી જ સતત વરસાદને કારણે શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યાં છે. હવામાન વિભાગની આગાહી મુજબ જામનગરને ઓરેન્જ એલર્ટ અપાયું છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારી એવી મેઘમહેર જાેવા મળી રહી છે.જામનગરમાં મકાનની અગાસી પર વિજળી પડી જામનગરના ગુલાબનગર વિસ્તાર નજીક મોહનનગરમાં આવેલા આવાસના ૧૨ નંબરના બિલ્ડીંગની અગાસીના ખૂણા પર વીજળી પડતાં બિલ્ડીંગનો ખૂણો નીચે ધસી પડ્યો હતો. સદભાગ્યે મોટી દુર્ઘટના ટળી હતી. પરંતુ ત્યાં વસવાટ કરતા સેંકડો પરિવારનો જીવ તાળવે ચોંટ્યો હતો. જામનગરના ગુલાબ નગર નજીક મોહનનગર વિસ્તારમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા આવાસ નું નિર્માણ કરાયું છે. જેમાં ૧૨ નંબરની બિલ્ડીંગની અગાસીના એક ખૂણા પર આજે ભારે વરસાદની સાથે વિજળી પડી હતી. જે વીજળીના કારણે બિલ્ડીંગનો અગાસીના ખૂણાનો કેટલોક હિસ્સો નીચે ધસી પડ્યો હતો. સદભાગ્યે બિલ્ડીંગમાં વસવાટ કરતા અનેક લોકો પોતાના ઘરમાં જ હતા, પરંતુ કોઈ જાનહાનિના અહેવાલો મળ્યા નથી. પરંતુ સેકડો પરિવારનો જીવ તાળવે ચોંટ્યો હતો. હજુ પણ વરસાદી વાતાવરણ ચાલુ હોવાથી અન્ય સ્થાનિકોમાં ભયનું વાતાવરણ જાેવા મળી રહ્યું છે.વધુ વાંચો -
સૌરાષ્ટ્રભરમાં ચોમાસાની જમાવટ જળબંબાકારની સ્થિતિ
- 05, જુલાઈ 2022 01:30 AM
- 6507 comments
- 8175 Views
રાજકોટ,રાજકોટ શહેરમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ જાેવા મળ્યું હતું, પરંતુ બપોર બાદ વીજળીના કડાકાભડાકા સાથે એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. શહેરના જામનગર રોડ, યાજ્ઞિક રોડ, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રેસકોર્સ, રૈયા રોડ, કિશાનપરા ચોક, યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ અને મોરબી રોડ સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો છે, આથી શહેરના મુખ્ય માર્ગો પર એકથી બે ફૂટ સુધી પાણી ભરાઈ ગયાં છે. બીજી તરફ, ભારે માધાપર ચોકડીએ ગોઠણસમા પાણી ભરાતાં બાઇક, રિક્ષા બંધ પડી જતાં ચાલકો પરેશાન થઈ રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૪ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેના પગલે ટીમ રાજકોટ જિલ્લામાં ઉતારીને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જેમાં ટીમ દ્વારા બચાવની કામગીરી માટે લાઈવબોય, લાઈવ જેકેટ,રબ્બરની બોટ તેમજ વૃક્ષો કાપવાનાં કટિંગ મશીનો સહિતનાં સાધનો સાથે સજ્જ રાખવામાં આવ્યાં છે. આ ની ટીમ જે જગ્યા પર વધારે વરસાદ અને બચાવની કામગીરીની જરૂર હશે એ તરફ જઇને કામગીરી કરશે. રાજકોટ શહેર બાદ ગ્રામ્ય વિસ્તારોને પણ મેઘરાજા ધમરોળી રહ્યા છે. જસદણના આટકોટ, જંગવડ, પાચવડા, ગુંદાળા સહિતનાં ગામોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે, આથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. શહેરની માધાપર ચોકડીએ ગોઠણસમા પાણી ભરાયાં છે, આથી મ્ઇ્જી બસમાં જતા મુસાફરોને મુશ્કેલી પડી છે. ૨ ઇંચ વરસાદ બાદ શનિવારે વરસાદે વિરામ લીધો હતો. રવિવારે સાંજે વરસાદ શરૂ થયો હતો. એક કલાકમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. આંશિક વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ૭ કલાકે વરસાદ શરૂ થયો હતો. વરસાદ બાદ સાંજના સમયે ઠંડો પવન રહેવાને કારણે વાતાવરણમાં ઠંડક જાેવા મળી હતી. સેન્ટ્રલ ઝોનમાં ૧ મીમી, ઇસ્ટ ઝોનમાં ૯ અને વેસ્ટ ઝોનમાં ૨ મિમી વરસાદ પડ્યો હતો. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજકોટના ૩, જામનગરના ૧ અને મોરબીના ૧ અને દેવભૂમિ દ્વારકાના ૨ સહિત ૭ જળસ્રોતમાં સામાન્યથી લઇને ૧૪.૧૧ ફૂટ સુધીની નવાં નીરની આવક નોંધાઇ છે.ભારે વરસાદને કારણે બચાવ કામગીરી માટે એનડીઆરએફ રાજકોટમાં જ્યારે જ્યારે આફત આવે ત્યારે ત્યારે એની સામે રક્ષણ માટે એનડીઆરએફ (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની ટીમો હરહંમેશ તહેનાત રહે છે. ત્યારે સૌરાષ્ટ્રમાં આગામી ૪ દિવસ સુધી ભારે વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની ૩ ટીમને રાજકોટમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જરૂર જણાયે જે-તે જિલ્લામાં તેમને મોકલી આપવામાં આવશે. રાજકોટમાં ૭૫ જવાનો બચાવ સામગ્રી સાધનો સાથે તહેનાત રાખવામાં આવ્યા છે અને તેમના દ્વારા એક મોકડ્રીલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ટીમના જવાનો પાણીમાં ૧૦૦ ફૂટ ઊંડે કોઈ વ્યક્તિ ડૂબી ગઈ હોય તો તેને પણ બચાવી લે તેવી કાબેલિયત ધરાવે છે. ભૂકંપ, વાવાઝોડું કે અતિભારે વરસાદ જેવી કુદરતી આફત આવે એ સમયે ટીમને તહેનાત કરવામાં આવતી હોય છે. એનડીઆરએફના જવાનોને ૬ મહિના સુધી સખત તાલીમ આપવામાં આવતી હોય છે. આ તાલીમ દરમિયાન કુદરતી આફત સામે કેમ લડવું, ક્યા સાધનનો કેવી રીતે ઉપયોગ કરવો સહિતની તાલીમ આપવામાં આવતી હોય છે. એનડીઆરએફની ટીમ જ્યારે પણ બચાવ કામગીરીમાં જાય ત્યારે તેમની સાથે રાખવામાં આવે છે. રાજકોટ પહોંચેલીએનડીઆરએફની ટીમ બોટ, રસ્સા, કટર અને કોમ્યુનિકેશન માટેનાં ઉપકરણો પણ સાથે લાવી છે. જેના થકી ભારે વરસાદના પગલે લોકો સાથે સંપર્ક કરી જરૂર જણાયે સલામત સ્થળ પર તેમને ખસેડવા કામગીરી હાથ ધરશે.વધુ વાંચો -
ખેડૂતોને હોર્સપાવર આધારિત ભાવથી જ વીજ આપવા રાજકોટ કિસાન સંઘ માગ
- 05, જુલાઈ 2022 01:30 AM
- 8424 comments
- 1805 Views
રાજકોટ, રાજ્યમાં ખેડૂતોને મીટર અને હોર્સપાવર આધારિત એમ બે રીતે વીજ પુરવઠો આપવામાં આવે છે. જાેકે, તેમાં બન્નેના વીજદરમાં મોટો તફાવત હોવાથી મીટર આધારિત વીજ પુરવઠો મેળવતા ખેડૂતોને નુકસાની જાય છે. ત્યારે હવે મીટર આધારીત ખેડૂતોને પણ હોર્સપાવર આધારિત ભાવથી જ વીજ પુરવઠો આપી સમાનતા લાવવા સહિતનાં પ્રશ્ને આજે ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ રજુઆત કરવામાં આવી હતી.આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભારતીય કિસાન સંઘનાં આગેવાનો અને કાર્યકરો ‘જબ તક દુઃખી કિસાન રહેગા, ધરતી પર તુફાન રહેગા’ અને ‘હમ હમારા હક્ક માંગ રહે હૈ’ સહિતનાં વિવિધ બેનરો સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કિસાન નેતા દિલીપ સખીયાની આગેવાનીમાં સમાન વીજદર સહિત વિવિધ મુદ્દે સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો. બાદમાં આ તમામ મુદ્દા સાથેનું આવેદન પાઠવી કલેક્ટર મારફત સરકારને રજુઆત કરવામાં આવી છે. આ અંગે કિસાન અગ્રણી દિલીપ સખીયાએ જણાવ્યું હતું કે, ભારતીય કિસાન સંઘ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યા છે. જે અંતર્ગત રાજકોટમાં પણ કિસાન સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જેમાં મુખ્ય વિષય સમાન વીજદર છે. હાલ મીટર આધારિત વીજ પુરવઠો લેતા ખેડૂતોને વધુ ચાર્જ ચૂકવવો પડી રહ્યો છે. ત્યારે તેમની પાસેથી પણ હોર્સપાવર આધારીતની માફક ચાર્જ લેવાય તેવી અમારી માગ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ સિવાયનાં વિવિધ મુદ્દા જેમ કે, ફિક્સ ચાર્જમાં રાહત આપવી, સ્વૈચ્છિક લોડ વધારાની સ્કીમ લાવવી અને બોરવેલ પર જાે વીજ મીટર બળી જાય તો તેની જવાબદારી વીજ કંપનીની રહે ઉપરાંત કિશાન સૂર્યોદય યોજનાનો સમગ્ર ગુજરાતમાં અમલ શરૂ કરવો વગેરે સામેલ કરવામાં આવ્યા છે.વધુ વાંચો -
ઝુલા પરથી પગ લપસી જતાં ગંભીર ઇજાગ્રસ્ત કિશોરના મોતથી પરિવાર પર આભ તૂટ્યં
- 11, જુન 2022 01:30 AM
- 4187 comments
- 9633 Views
રાજકોટ, ગોંડલ નગરપાલિકા સંચાલિત ગાર્ડનમાં શ્રમિક પરિવારનો ૧૫ વર્ષીય કિશોર ગઈકાલે અકસ્માતે ઝૂલે ઝૂલતા ઝૂલતા પડી ગયો હતો. આથી તેને ગંભીર ઇજા સાથે હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ અહીં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. ડ્રાઇવિંગ કામ કરતા ઈમ્તિયાઝભાઈ દોઢીયાનો એકનો એક ૧૫ વર્ષીય પુત્ર મહમદહુસેન મિત્ર સાથે કોલેજ ચોક પાસે આવેલા ભગવતસિંહજી ગાર્ડનમાં ઝૂલે ઝૂલવા માટે ગયો હતો. આ દરમિયાન તે ઝુલામાંથી લપસી પડતાં તેને ગંભીર ઇજાઓ સાથે ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા શ્રમિક પરિવારના પગ તળેની જમીન સરકી ગઈ હતી.બનાવ અંગે ઈમ્તિયાઝભાઈ દોઢીયાએ જણાવ્યું હતું કે, અમારા પરિવારના એકના એક લાડકવાયાનું અકાળે નિધન થયું છે તેનું દુઃખ વર્ણવી શકાય તેમ નથી. હજુ તો ગઈકાલે સવારે અમે બાપ-દીકરો સંગ્રામસિંહજી હાઈસ્કૂલમાં તેના એડમિશન માટે ગયા હતા અને તેને એડમિશન પણ મળી ગયું હતું. ફોર્મ ભરતી વેળાએ તેણે મને કહ્યું હતું કે પપ્પા હું ફોર્મમાં અંગ્રેજીમાં સહી કરી આપું છું અને તેણે સહી પણ કરી હતી. સોમવારથી સ્કૂલ શરૂ થઈ રહી હોય રજાના એકાદ-બે દિવસ બાકી હોય મિત્ર સાથે બગીચામાં ઝૂલવા માટે પહોંચ્યો હતો. પરંતુ ઝુલામાંથી પડી જતા તેની સાથેના મિત્રોએ મને ફોન કર્યો હતો. આથી હું તુરંત હોસ્પિટલે પહોંચ્યો હતો.વધુ વાંચો -
રાજકોટમાં બોંબ મૂકાયો હોવાની અફવાને કારણે પોલીસ તંત્ર દોડતું થયું
- 11, જુન 2022 01:30 AM
- 5809 comments
- 6175 Views
રાજકોટ, રાજકોટ શહેરના લક્ષ્મીવાડી વિસ્તારમાં આવેલ શ્રીનાથજી એપાર્ટમેન્ટમાં બોમ્બ મળ્યાની માહિતી ભક્તિનગર પોલીસને મળી હતી. જેને પગલે પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ હતી. આ મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ કરતા સામાન્ય ઇલેક્ટ્રિક ડિવાઈસ મળી આવ્યું હતું. જે ડિવાઈસ ઉપર જિનેટિક બોમ્બ લખ્યું હતું. આ મામલે પોલીસે બોમ્બ સ્કવોડને જાણ કરીને આગળની તપાસ શરૂ કરી હતી.તપાસ દરમિયાન શ્રીનાથજી એપાર્ટમેન્ટમાં જ રહેતા વસંતભાઇ નામના વ્યકિતએ આ ઇલેક્ટ્રિક ડિવાઇસ મૂક્યું હોવાનું સામે આવ્યું છે. જ્યાં પોલીસ તપાસમાં ઝ્રઝ્ર્ફ ચેક કરતા વસંતભાઇ ઇલેક્ટ્રિક ડિવાઇસ મુકતા નજરે પડ્યા હતા. હાલ ભક્તિનગર પોલીસ દ્વારા તેમને પોલીસ મથકમાં વધુ તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા. જાેકે રાજકોટમાં બોમ્બ હોવાની અફવાને પગલે હાહાકાર મચી જવા પામ્યો હતો.વધુ વાંચો -
આચાર સંહિતાની તારીખ જાહેર કરીને ભરત બોઘરા ફસાયા
- 11, જુન 2022 01:30 AM
- 1840 comments
- 2009 Views
રાજકોટ, રાજકોટમાં ભાજપની કારોબારી બેઠક મળી હતી. ડો.ભરત બોઘરાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. જાેકે, ચૂંટણી પંચ પહેલા ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોધરાએ આંચર સહિતાની તારીખ જાહેર કરી દેતા વિવાદ સર્જાયો હતો. ભરત બોઘરાએ કાર્યકરોને કહ્યું, ૧૫ ઓક્ટોબર સુધીમાં ચૂંટણી આચાર સંહિતા લાગુ પડી જશે. કાર્યકરો માટે ૧૦૦ થી સવાસો દિવસ જ તૈયારીઓ કરવાના મળશે. કોંગ્રેસે ચૂંટણી પંચ ભાજપના પ્રમાણે કામ કરતુ હોવાનો આરોપ લગાવ્યો છે. આપણી પાસે ૧૨૦ દિવસ બાકી છે. ૧૫ ઓક્ટોબર પછી આપણી પાસે સમય નહીં રહે એટલે તૈયારીઓ શરૂ કરી દો. આમ, અત્યારથી કામે લાગવા ભરત બોઘરાનું કાર્યકરોને આહવાન કર્યુ હતું. જાેકે, આચાર સંહિતા મામલે ભરત બોઘરાના નિવેદન પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસ ભાજપ પર આરોપ મૂક્યા કે, ચૂંટણી પંચ ભાજપના પ્રમાણે કામ કરે છે. સાથે જ ચૂંટણીપંચની જવાબદારી પર કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. ભાજપના નેતા નિવેદન પર કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશીએ કહ્યુ કે, ચૂંટણીપંચ સ્વાયત્ત સંસ્થા છે. ભાજપના નેતાઓ દ્વારા વારંવાર આવા નિવેદનો આપે છે. ચૂંટણીપંચ ભાજપ કહે તેમ કામ કરે છે? ચૂંટણીપંચની જવાબદારી અને તેની વિશ્વસનીયતા ઉપર સવાલ ઊભા થાય છે. ચૂંટણીપંચ સ્વાયત્ત સંસ્થા છે, બંધારણે તે અધિકાર આપ્યા છે. તો આ મામલે વિવાદ થતા ભરત બોઘરાએ ખુલાસો કરતા કહ્યુ હતું કે, ચૂંટણી ડિસેમ્બર આવે એ નિશ્ચિત સમય છે. આથી એના બે મહિના પહેલા ચૂંટણીની એક્ટિવિટી થતી હોય છે. એટલે ૧૫ ઓક્ટોબર પછી અમારી પાસે કામ કરવાનો સમય નથી. એટલે હવે ૧૨૦ દિવસ બાકી છે. ૧૨૦ દિવસમાં કાર્યકર્તાઓએ શિડ્યુલ જાેઇને કામ કરવું જાેઇએ એવું માર્ગદર્શ આપ્યું હતું.વધુ વાંચો -
કરોડોનો ખર્ચો પાણીમાં ૪ મહિના પહેલા બનેલા લક્ષ્મીનગર અંડરબ્રિજમાં મનપાનો લોગો તૂટ્યો
- 29, મે 2022 01:30 AM
- 2481 comments
- 2772 Views
રાજકોટ, રાજકોટમાં આજથી ૪ મહિના પહેલા રૂ.૪૨ કરોડથી વધુના ખર્ચે નવો અંડરબ્રિજ બનાવવામાં આવ્યો હતો. જેનું ભૂપેન્દ્ર પટેલના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અંડરબ્રિજનું નામ બિપીન રાવત રાખવામાં આવ્યું છે માત્ર ૪ મહિનામાં જાણે ભ્રષ્ટાચારના પાટિયા ખર્યા હોય તેમ મનપાનો લોગો અને બ્રિજનું નામ આજે અચાનક તૂટીને રસ્તા પર પડ્યા હતા. જેને લઈને ભારે કુતુહલ સર્જાયું હતું. હાલ મનપાનો તૂટેલો લોગો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અને ભ્રષ્ટાચારની ગંધ રાજ્ય સરકારથી લઇને કોર્પોરેશનના નેતાઓ સુધી ફેલાઈ રહી છે.હાલ અકસ્માતના ભય તળે લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે. જેના લીધે વાહન વ્યવહારથી ધમધમતા અન્ડર બ્રીજ પરથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડે છે. લક્ષ્મીનગર બ્રિજ ખૂબ જ સાંકડો હોવાના કારણે ટ્રાફિક સમસ્યા ખુબ જ રહેતી હતી. આ સમસ્યાના નિરાકરણ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેલ્વે વિભાગ પાસે ડિપોઝીટ વર્કથી ચાર માર્ગીય રેલ્વે અન્ડર બ્રિજ બનાવવામાં આવ્યો હતો. આ બ્રિજની બંને બાજુ ૭.૫૦ મીટર પહોળાઈ તથા ૪.૫૦ મીટર ઊંચાઈ હોવાને કારણે સ્કૂલ બસ, ઔદ્યોગિક વિસ્તારના વાહનના આવન જાવન થાય છે. પરંતુ આજે અચાનક નામનું પાટિયું અચાનક ખરી પડતા અકસ્માતની ભીતિ સર્જાઈ હતી. હાલ આ પાટિયાની મરામત કરવામાં આંખ આડા કાન કરતાં તંત્રના પાપે વાહનચાલકોને મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે.વધુ વાંચો -
રાજકોટની સૂચિત ૪૦ શાળાઓ દ્વારા ગેરકાયદે દબાણ કરાયા હોવાની વિગતો સામે આવી
- 26, મે 2022 01:30 AM
- 8466 comments
- 2752 Views
રાજકોટ, રાજકોટમાં ૫ દિવસ પહેલા મળેલા મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં આપ અને ભાજપના નેતાઓએ વચ્ચે થયેલી ઉગ્રબોલાચાલી દરમિયાન એવી વિગતો સામે આવી હતી કે, ૪૦થી વધુ સૂચિત શાળાઓ, ૪૮ને બાંધકામની મંજૂરી નથી. આ મામલે મેયર ડો.પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, તપાસ ચાલુ છે. જાે શાળા પાસે બાંધકામની મંજૂરી નહીં હોય તો જવાબદાર સામે પગલાં લેવાશે અને જરૂર પડશે તો સ્કૂલની માન્યતા રદ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે જનરલ બોર્ડમાં એવું સામે આવ્યું હતું કે રાજકોટ શહેરમાં કુલ ૮૯૮ શાળા કોલેજ છે જેમાંથી ફક્ત ૪૯૧ શાળાએ જ બિલ્ડિંગ પ્લાન મંજૂર કરાવ્યા છે જેમાંથી ફક્ત ૮૬ પાસે જ મેદાન અને ૧૨૫ પાસે પાર્કિંગની વ્યવસ્થા છે. ૪૮ બિલ્ડિંગ મનપાની મંજૂરી વગર ધમધમે છે. ૪૦ એવી સંસ્થાઓ છે જેમણે સરકારી ખરાબા કે સૂચિત સોસાયટીઓમાં ગેરકાયદે દબાણ કરી લીધા છે.આ ઉપરાંત મેયરે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજકોટ શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા સ્માર્ટ સોલ્યુશનનું અમલીકરણ કરવામાં આવે છે. આ કામગીરીના ભાગરૂપે મહાનગરપાલિકાની હદમાં આવેલ મનપા દ્વારા શહેરની ૫ લાખ મિલકતોનું જીઓ ટેગિંગ કરાશે. એ માટે તમામ રહેણાક તેમજ વાણિજ્ય હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવતી મિલકતોનો ડોર–ટુ–ડોર સર્વે કરવામાં આવશે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જિઓ ટેગિંગના અનેકવિધ ફાયદાઓ છે યારે તે માટે હાલમાં થતા સર્વે દરમિયાન માલિકીમાં ફેરબદલ, હેતુફેર, વપરાશના પ્રકારમાં ફેરબદલ, નવું કે વધારાનું બાંધકામ, ગેરકયદેસર નળ જાેડાણ, એક જ વ્યકિત કે પરિવાર પાસે કેટલી મિલકતો છે તેમાંથી કેટલી મિલકતોનો વેરો બાકી છે અને કેટલી મિલકતોનો વેરો ચૂકતે છે તેની જાણકારી, ભયજનક મિલકતો જેવી અનેક બાબતો સામે આવશે જેથી મહાપાલિકાને વેરા આવકમાં કરોડો પિયાનો ફાયદો થવાનો અંદાજ છે. આ ઉપરાંત શહેરની દરેક મિલકતનો સંપૂર્ણ ડેટા મહાપાલિકાને આંગળીના ટેરવે ઉપલબ્ધ થશે.દા.ત કોઈ મિલકતમાં વધારાનું બાંધકામ થયેલ હશે તો તેની જાણ ટાઉન વિભાગને તુરંત થઈ જશે જ્યારે ભૂતિયા નળ જાેડાણો અથવા નળનું બીલ ન કરતા હોય તેવા કનેક્શનો પણ બહાર આવશે. જેથી મેયર ડો.પ્રદીપ ડવ દ્વારા પ્રિ-મોન્સૂન પ્લાનને અમલમાં મુકવા તમામ શાખાઓને કામગીરી કરવા આદેશ આપ્યા હતા.વધુ વાંચો -
સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ૨૭થી ૨૯મે દરમિયાન ૫૦ કિમીની ઝડપે વાવાઝોડાની સંભાવના
- 26, મે 2022 01:30 AM
- 3874 comments
- 2367 Views
અમદાવાદ, ગુજરાતના જખૌ, માંડવી, મુંદ્રા, નવા કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા તથા પોરબંદરના દરિયાકાંઠે ૨૭થી ૨૯ મે ૨૦૨૨ દરમિયાન ૪૦થી ૫૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છેતેવી આગાહી હવામાન વિભાગે કરી છે. , હવામાન વિભાગે વધુ કહ્યું છે કે આ ૬૦ કિલોમીટર સુધી પણ પહોંચી શકે છે. એવામાં માછીમારોને આ સમય દરમિયાન દરિયો ખેડવા ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે.રાજ્યભરમાં મંગળવારે તેજ પવનો સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદનાં ઝાપટાં નોંધાયાં હતાં. જેના કારણે અમદાવાદ, સુરેન્દ્રનગર તથા ઉત્તર ગુજરાતનાં કેટલાંક સ્થળોને બાદ કરતા મોટાભાગનાં શહેરોમાં ૪૦ ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું હતું. દક્ષિણ ગુજરાતમાં વાપી, વલસાડમાં તેજ પવનો સાથે ઝાપટાં નોંધાયાં હતાં. જેના કારણે ગરમીમાં રાહત મળી હતી. ચોમાસુ ૧૫ જૂનની આસપાસથી શરૂઆત થશે.હવામાન વિભાગ મુજબ, ગુજરાતના જખૌ, માંડવી, મુંદ્રા, નવા કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા તથા પોરબંદરના દરિયાકાંઠે ૨૭થી ૨૯ મે ૨૦૨૨ દરમિયાન ૪૦થી ૫૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જે ૬૦ કિલોમીટર સુધી પણ પહોંચી શકે છે. એવામાં માછીમારોને આ સમય દરમિયાન દરિયો ખેડવા ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે. રાજ્યભરમાં મંગળવારે તેજ પવનો સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદનાં ઝાપટાં નોંધાયાં હતાં. જેના કારણે અમદાવાદ, સુરેન્દ્રનગર તથા ઉત્તર ગુજરાતનાં કેટલાંક સ્થળોને બાદ કરતા મોટાભાગનાં શહેરોમાં ૪૦ ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજકોટમાં પણ અડધાથી બે ઇંચ સુધી વરસાદ પડતા માત્ર એક કલાકમાં તાપમાનમાં ૧૦ ડિગ્રી સુધીનો ઘટાડો થયો હતો. વાતાવરણમાં આવેલા પલટાને કારણે રાજકોટ સહિત કેટલાંક વિસ્તારમાં ઝાપટું પડ્યું હતું.વધુ વાંચો -
ભાજપના નેતાના પુત્રની દાદાગીરી માસાને મારી નાખવાની ધમકી આપી
- 24, મે 2022 01:30 AM
- 4681 comments
- 2962 Views
રાજકોટ, રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી નાગદાન ચાવડાના પુત્રએ રામાપીર ચોકડીએ આવેલી તેના માસાની ઓફિસે જઇ રૂ.૧.૨૫ કરોડની માંગ કરી કાચની બોટલ ફોડી ધમાલ કરી હતી અને કાલ સાંજ સુધીમાં પૈસા નહીં મળે તો જીવવા નહી દઉં તેવી ધમકી આપતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. અને ગાંધીગ્રામ પોલીસમાં સુરેશ ચાવડા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે ડ્ઢઝ્રઁ ઝોન ૨ સુધીરકુમાર દેસાઈએ મીડિયાની જણાવ્યું હતું કે, નાગદાન ચાવડાના પુત્ર સુરેશ ચાવડા વિરુદ્ધ ૪૫૨, ૫૪૦,૩૮૭, ૫૦૬/૨ મનીલેન્ડિંગ ૫૪૦,૪૨ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં ફરિયાદી ર્નિમળભાઇએ રૂપિયા પરત આપી દીધા હતા. તથા તેનું સ્ટેમ્પ પેપર પર લખાણ હોવા છતાં સુરેશ ચાવડાએ વધુ વ્યાજની માંગણી કરી તોડફોડ કરી હતી. જેથી તેને શોધવા તપાસ હાથ ધરાઇ છે.ગાંધીગ્રામમાં લાખના બંગલા પાસે રહેતા અને રામાપીર ચોકડી પાસે નંદકિશોર બિલ્ડિંગ મટિરિયલ નામે ઓફિસ ધરાવતા ર્નિમળભાઇ રતાભાઇ ડાંગરે જણાવ્યું હતું કે, પોતે તથા તેના મોટાભાઇ મહિપતભાઇ ડાંગર સંયુક્તમાં ઉપરોક્ત સ્થળે વેપાર કરે છે. નાગદાન ચાવડા તેમના સગા સાઢુભાઇ થાય છે.નાગદાન ચાવડાના પુત્ર સુરેશે વર્ષ ૨૦૧૭માં ર્નિમળભાઇના મોટાભાઇ મહિપતભાઇને હાથઉછીના રૂ.૩૯ લાખ આપ્યા હતા અને આઠ મહિના બાદ જ રૂ.૧.૯૨ કરોડની ઉઘરાણી કરી હતી, સુરેશ સાઢુભાઇનો પુત્ર થતો હોવાથી પરિવારમાં માથાકૂટ થાય નહીં તે માટે તેને રૂ.૧.૯૨ કરોડ ચૂકવવામાં આવ્યા હતા અને તે અંગેનું લખાણ પણ તેની પાસે કરાવવામાં આવ્યું હતું. પરંતુ કેટલાક દિવસથી ભાજપ આગેવાન નાગદાનના પુત્ર સુરેશે ફરીથી નાણાંની ઉઘરાણી શરૂ કરી હતી અને રૂ.૧.૨૫ કરોડ આપવા પડશે તેમ કહી ધમકાવવાનું શરૂ કર્યું હતું. બે દિવસ પૂર્વે વેજાગામમાં આવેલા ર્નિમળભાઇના ફાર્મહાઉસે પહોંચીને સુરેશે ધમકી આપી હતી કે, પૈસા નહીં મળે તો મહિપત પર ફાયરિંગ કરીશ, ત્યારબાદ રવિવારે સાંજે ૪ વાગ્યે ર્નિમળભાઇની ઓફિસની બહાર બે કલાક બેઠો હતો અને હાકલા પડકારા કર્યા બાદ ઓફિસમાં ઘુસ્યો હતો અને આવતીકાલ સાંજ સુધીમાં રૂ.૧.૨૫ કરોડ નહીં આપો તો જીવવા નહીં દઉં તેમ કહી સોડાબોટલના ઘા કર્યા હતા.વધુ વાંચો -
ગોંડલમાં એમપીના શ્રમિકે બે માસની બીમાર બાળકીને દવાને બદલે ડામ દીધા
- 21, મે 2022 01:30 AM
- 3409 comments
- 1558 Views
ગોંડલ, ગુજરાત ભલે વિકાસની હરફાળ ભરતું હોય છતાં આજે પણ અહીં અંધશ્રદ્ધા ધૂણે છે. ધૂપના ધુમાડામાં મશગૂલ રહે છે, ત્યારે અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં મૂળ સ્ઁમાં રહેતા અને ગોંડલમાં મજૂરીકામ કરતા શ્રમિકે પોતાની ૨ માસની બીમાર બાળકીને દવાને બદલે ડામ દીધાનું સામે આવ્યું છે. આ ઘટનાનો વિજ્ઞાન જાથાની ટીમે પર્દાફાશ કર્યો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં ગુરુવારના રોજ ગોંડલથી બે માસની બાળકીને ડામ દીધેલી હાલતમાં રાજકોટ ખસેડવામાં આવી હતી. ગોંડલ શહેરમાં પહેલા ખાનગી હોસ્પિટલ અને ત્યાર બાદ સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવ્યા બાદ વધુ સારવાર અર્થે બાળકીને રાજકોટ શહેરની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જેને પગલે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. ગોંડલના ગુંદાળા ચોકડી પાસે મૂળ મધ્યપ્રદેશના વતની એવો પરિવાર છેલ્લાં કેટલાંય વર્ષોથી ગુજરાતમાં રહે છે. ત્યારે પોતાની બાળકીને તાણ, આંચકી અને તાવ આવતો હોવાથી શ્રમિક પરિવાર દાહોદના કટવારા ગામે ભૂવા પાસે લઇ ગયા હતા. જ્યાં ભૂવાએ દીકરીને સારું થાય એ માટે પેટના ભાગે ત્રણ જેટલા ડામ દીધા હોવાનું સામે આવ્યું છે. જે બાબતની કબૂલાત ખુદ દીકરીના પિતાએ કરી છે. ત્યારે આગામી દિવસોમાં વિજ્ઞાન જાથાની ટીમ દાહોદના કટવારા ગામે પહોંચી ભૂવા સામે કાર્યવાહી કરશે.નોંધનીય છે કે આજે પણ અંધશ્રદ્ધામાં મગ્ન બનેલા લોકો પોતાનાં બાળકો બીમાર પડે ત્યારે ડોકટર પાસે લઈ જવાને બદલે ભૂવા કે ઊંટવૈદો પાસે લઈ જાય છે અને ડામ આપવાથી તેમનાં માંદાં બાળકો સાજાં થઇ જશે એવી અંધશ્રદ્ધામાં રાચે છે, પરંતુ આમાં બાળક વધુ પીડાય છે અને છેલ્લી ઘડીએ મા-બાપ બાળકને લઇને દવાખાને જ પહોંચે છે, જેથી આ મામલે સામાજિક અને આરોગ્યલક્ષી જાગૃતિ જરૂરી છે.વધુ વાંચો -
૧૫ જૂન પહેલા રાહુલ ગાંધી અથવા સોનિયા ગાંધીના રોડ શોનું આયોજન જગદીશ ઠાકોર
- 20, મે 2022 01:30 AM
- 4570 comments
- 6427 Views
રાજકોટ, ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા રણનીતિને વધુ ધારદાર બનાવવાની કવાયત ચાલી રહી છે. આજે કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી આજે રાજકોટ આવી પહોંચી છે. જ્યાં શહેરના હેમુગઢવી હોલ ખાતે ૧૨૦૦ જેટલા કોંગી આગેવાનો અને કાર્યકરોની બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાત કોગ્રેસના પ્રભારી રઘુ શર્માએ કહ્યું હતું કે, ૧૨૫ પ્લસ બેઠક જીતવાનો આપણો ટાર્ગેટ છે. જેથી ૧૮૨ બેઠક પર ‘મેરા બૂથ, મેરા ગૌરવ’ કાર્યક્રમ યોજાશે. જયારે પક્ષ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે,૧૫ જૂન પહેલા રાહુલ ગાંધી અથવા સોનિયા ગાંધીના રોડ શોનું આયોજન થશે આ અંગે કોગ્રેસના ગુજરાત પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું કે, ‘૭૫મી આઝાદીની ઉજવણી ભાગ રૂપે દાહોદ બાદ આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનની બેઠક શરૂ થઈ છે.આજની બેઠકમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના પ્રભારી તેમજ સૌરાષ્ટ્રના તમામ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, વિપક્ષ નેતા, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને પ્રદેશના નેતાઓ રહ્યા હાજર રહ્યા હતા. આગામી વિધાનસભાની ચૂંટણી મુદ્દે આજે રણનીતિ નક્કી કરવા આવશે અને ગુજરાતમાં ૧૨૫ સીટ આવે તેવા પ્રયાસો કરવામાં આવશે.’ જયારે હાર્દિક પટેલ અને નરેશ પટેલ મુદ્દે બોલવાનું ટાળ્યું હતું. આજે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા, સહપ્રભારી રામકિશન ઓઝા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષી નેતા સુખરામ રાઠવા, ધારાસભ્ય પરેશ ધાનાણી ઉપરાંત દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડીયા, રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી સહિતના ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓ રાજકોટ આવી પહોંચ્યા હતા અને અહીં હેમુ ગઢવી હોલમાં મહત્ત્વની બેઠક કરી હતી. આ બેઠકમાં પાટીદાર ફેક્ટર ઉપરાંત ગઈકાલે જ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલના રાજીનામાનો મુદ્દો પણ અગ્રસ્થાને રહેવા પામ્યો હતો.પ્રદેશ કોંગ્રેસે માગ નહીં સંતોષતા ૯૦થી વધુ પાટીદાર નેતા બેઠકમાં ગેરહાજર રાજકોટ કોંગ્રેસમાં છેલ્લા ૨ મહિનાથી પાટીદારો સાથે અન્યાય થતો હોય તેવી વાત સામે આવી હતી. જેની અસર આજની કારોબારી બેઠકમાં વર્તાઈ રહી છે. શહેરના હેમુગઢવી હોલ ખાતે મળેલી બેઠકમાં ૯૦થી વધુ પાટીદારો ગેરહાજર રહ્યા છે. પાટીદારોની એક જ માંગ છે કે તેમને પક્ષમાં પ્રભુત્વ આપવામાં આવે, આ મુદ્દે અગાઉ પણ પાટીદારો પ્રદેશ કક્ષાએ રજુઆત કરી ચૂક્યા છે. છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા આજે પાટીદારો ગેરહાજર રહ્યા હતા. જેમાં ક્યાંકને ક્યાંક હાર્દિકે આપેલ રાજીનામું પણ કારણભૂત હોવાની ચર્ચા થઈ રહી છે. કોંગ્રેસની પાટીદાર વિરોધી નીતિ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જેમાં રાજકોટ શહેર અને જિલ્લામાં તાજેતરમાં કરવામાં આવેલ પ્રમુખ હોદેદારોની નિમણુંકમાં પાટીદારોની અવગણના કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આજે સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં ઠેર ઠેર બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવ્યા પણ તેમાં કોઈ પાટીદાર નેતાને સ્થાન આપવામાં નથી આવ્યું. ૨ મહિના પૂર્વે પ્રદેશ કોંગ્રેસે રાજકોટમાં શહેર પ્રમુખ તરીકે આર્કિટેક્ટ અને હાલ પ્રમુખ પ્રદિપ ત્રિવેદીની અને જિલ્લામાં અર્જૂન ખાટરિયાની નિયુક્તિ કરાઈ કરી હતી. એ સમયે પણ રાજકોટ શહેર જિલ્લામાં પાટીદારને પ્રમુખ પદ નહી સોંપાતા પાટીદારોમાં રોષની લાગણી છવાઇ હતી. અને કોંગ્રેસ અગ્રણી તથા પાટીદાર આગેવાન મિતુલ દોંગાએ તો પક્ષમાંથી રાજીનામુ આપીને આંદોલન કરવાની ચીમકી પણ આપી હતીવધુ વાંચો -
મોવિયામાં પીજીવીસીએલના ઇજનેર પર હુમલો કરનાર ભાજપ નેતા સહિતની જામીન અરજી કોર્ટે ફગાવી
- 17, મે 2022 01:30 AM
- 2787 comments
- 7614 Views
રાજકોટ, રાજકોટના પડધરી તાલુકાના મોવિયા ગામમાં વીજ ચેકિંગ માટે ગયેલા પીજીવીસીએલના ૩ ઇજનેર પર ભાજપના નેતા સહિત ૪૦ લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો.આ મુદ્દે પડધરી પોલીસમાં ઈજાગ્રસ્ત ઇજનેર ભાર્ગવ પુરોહિતે ભાજપના નેતા ધીરુ તળપદા, ચિરાગ તળપદા, ભારતીબેન તળપદા, જીજ્ઞાબેન તળપદા અને રમેશ તળપદા સામે ફરજમાં રૂકાવટ અને રાયોટિંગનો ગુનો નોંધાવ્યો છે. જેથી ભાજપના નેતા ધીરુ તળપદાએ કોર્ટમાં જમીનની અરજી પણ કરી હતી જે કોર્ટે ફગાવી દેતા આરોપીઓના જામીન નામંજૂર થયા છે. આ ઉપરાંત કોર્ટમાં ભાજપ નેતાના ઘરમાં રૂ.૮ લાખની વીજચોરી ઝડપાઈ હોવાની વાત પણ રજૂ કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કેમોવિયામાં પીજીવીસીએલના ઇજનેર પર હુમલો કરનાર ભાજપ નેતા સહિતની જામીન અરજી કોર્ટે ફગાવીદ્વારા આજે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ , ભાવનગર અને મોરબી સર્કલ હેઠળ ડિવિઝનમાં વહેલી સવારથી વીજ ચોરી ઝડપી લેવા માટે અલગ અલગ ૯૬ ટીમો ઉતારી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. કોર્પોરેટ ઓફિસની સૂચના બાદ સવારે ૮ વાગ્યાથી જૂનાગઢ , ભાવનગર અને મોરબી ડિવિઝનમાં ઁય્ફઝ્રન્ દ્વારા કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા એક મહિનાથી ઁય્ફઝ્રન્ દ્વારા અલગ અલગ વિસ્તારમાં ચેકીંગ હાથ ધરી ઁય્ફઝ્રન્ને થતી નુકસાની અટકાવવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે અને વીજચોરી અંગે માહિતી આપવા ખાસ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં સતત એક મહિનાથી ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આજ રોજ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ , ભાવનગર અને મોરબી ડિવિઝન ખાતે કોર્પોરેટ ચેકીંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ ૯૬ ટીમો દ્વારા આજે સવારે ૮ વાગ્યાથી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં મોરબીમાં ૩૫ ટીમ, ભાવનગરમાં ૩૫ ટીમ અને જૂનાગઢ સર્કલમાં ૨૬ ટીમ દ્વારા ૮ જેટલા સબ ડિવિઝન આવરી લેવામાં આવ્યા છે.આ અગાઉ મોવિયામાં પીજીવીસીએલના ઇજનેર પર હુમલો કરનાર ભાજપ નેતા સહિતની જામીન અરજી કોર્ટે ફગાવી દ્વારા વીજ ચોરી અંગેની માહિતી આપવા માટે હેલ્પ લાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે જેમાં મોબાઈલ નં. ૯૯૨૫૨૧૪૦૨૨ પર જાણ કરી શકાય છે.વધુ વાંચો -
આગામી સમયમાં રાહુલ અને પ્રિયંકા ગાંધી પ્રચાર માટે ગુજરાતના પ્રવાસે આવશે
- 17, મે 2022 01:30 AM
- 6677 comments
- 4099 Views
રાજકોટ, ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે કોંગ્રેસ પક્ષમાં પ્રાણ ફૂંકવાની કવાયત જાેરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજપૂતે મિડિયાને જણાવ્યું હતું કે,આગામી સમયમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના લોકચાહના ધરાવતા કોંગ્રેસના નેતાઓ સૌરાષ્ટ્ર અને ગુજરાતની મુલાકાતે પ્રચાર માટે આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટમાં ૧૯ મે, ગુરુવારના રોજ બપોરે ૧ કલાકે કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળશે. જે શહેરના હેમુ ગઢવી હોલ ખાતે યોજાશે. આ બેઠકમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર અને રઘુ શર્મા સહિત આગેવાનો હાજર રહેશે. આ બેઠકમાં સૌરાષ્ટ્રભરમાંથી કોંગ્રેસના આગેવાનો ઉમટી પડશે. સૌરાષ્ટ્ર ઝોન બાદ અન્ય ત્રણ ઝોનમાં પણ બેઠક યોજાશે.આ બેઠકમાં વિધાનસભાની ચૂંટણી સહિતની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે ૨૦૨૨ની ચૂંટણીને લઈને કોંગ્રેસ પણ એક્શન મોડમાં આવી છે. કેજરીવાલની ભવ્ય સભા બાદ હવે રાહુલ ગાંધીનું પણ મિશન સૌરાષ્ટ્ર છે. હાલ તમામ રાજકીય પક્ષોની નજર સૌરાષ્ટ્રની વિધાનસભા પર મંડાયલી છે. તો બીજી તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૮ મેના રોજ રાજકોટના જસદણ તાલુકાના આટકોટ ગામે આવી રહ્યા છે. પહેલા ૨૯ મેએ આવનાર હતા પરંતુ હવે ૨૮ મેએ આટકોટ આવશે તેવું ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાએ સત્તાવાર રીતે જણાવ્યું છે.વધુ વાંચો -
ગોંડલમાં પાનની બંધ દુકાનમાં ભીષણ આગમાં પાન બીડી અને સિગારેટનો મોટો જથ્થો બળીને ભસ્મીભૂત
- 15, મે 2022 01:30 AM
- 8766 comments
- 609 Views
રાજકોટ, રાજકોટના ગોંડલમાં પાનની બંધ દુકાનમાં અચાનક આગ લાગી હતી. દુકાનમાંથી ધુમાડાના ગોટે ગોટા નિકળતા ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયરબ્રિગેડે સતત પાણીનો મારો ચલાવી આગ ઓલવી નાંખી હતી. આ ભીષણ આગમાં પાન, બીડી, અને સિગારેટનો મોટો જથ્થો બળીને ખાખ થઈ જતા લાખોનું નુકસાન થવા પામ્યું હોવાનું સામે આવ્યું છે. ગોંડલના કૈલાશ બાગ રોડ પર આવેલ બાલકૃષ્ણ એજન્સી નામની દુકાનમાં આગ લાગી હતી. જેને પગલે સ્થાનિકો દ્વારા ગોંડલ ફાયરબ્રિગેડનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ ગોંડલ ફાયર સ્ટેશન બંધ હોવાથી રાજકોટ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આગ ક્યા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. આગે પળવારમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. જેથી દૂર-દૂર સુધી આગના લબકારા દેખાતા લોકોના ટોળાં ઘટના સ્થળે એકઠા થઇ ગયા હતા.આજુ બાજુમાં આવેલી બીજી દુકાનો પણ આગની લપેટમાં આવે તેવી સ્થિતિ સર્જાઇ હતી. પરંતુ ફાયરબ્રિગેડની કામગીરીથી અન્ય દુકાનો આગમાં બચી ગઇ હતી.વધુ વાંચો -
ટ્રાફિક જામઃ અમદાવાદ-કચ્છ હાઈવે પર અકસ્માતથી કલાકો સુધી અનેક વાહનો ફસાયા
- 10, મે 2022 01:30 AM
- 9010 comments
- 9134 Views
રાજકોટ,અકસ્માતને કારણે અમદાવાદ-કચ્છ હાઈવે પર લગભગ ૩૪ કલાક સુધી અનેક વાહનો ટ્રાફિકમાં ફસાયા હતા. ઉલ્લેખનીય છે કે આ ટ્રાફિક જામમાં સેંકડોની સંખ્યામાં વાહનો ફસાઈ ગયા હતા જેમાં ખાનગી અને સરકારી બસો પણ સામેલ હતી. નોંધનીય છે કે રવિવારે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ આખરે આ રસ્તો ખાલી થયો હતો અને વાહનો આગળ વધી શક્યા હતા. ઉલ્લેખનીય છે કે બે ટેન્કર અને ત્રણ ટ્રકોને ઓવરબ્રિજ પરથી ઉપાડવાને કારણે આ રસ્તો સાફ થઈ શક્યો હતો, નહીં તો આ ટ્રાફિક હજી લાંબા સમય સુધી રહેતો. સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધા પાસે આવેલા હરિપાર ગામ પાસે આવેલા ટુ-લેન રેલવે ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો હોવાને કારણે સમગ્ર સ્થિતિ સર્જાઈ હતી. ટેન્કરમાં મેથાનોલ હોવાને કારણે અકસ્માત પછી આગ લાગી ગઈ હતી, જેના કારણે ઘટનાસ્થળે જ ડ્રાઈવરનું કરુણ નિધન થયુ હતું. આટલુ જ નહીં, સ્થિતિ ત્યારે વધારે બગડી ગઈ જ્યારે રવિવારના રોજ માલવણ ટોલ પ્લાઝા પાસે ત્રણ ટ્રકો એકબીજા સાથે ટકરાઈ ગઈ હતી. એક અકસ્માત શનિવારના રોજ થયો અને પછી બીજાે રવિવારના રોજ થયો, જેના કારણે ટ્રાફિક વધારે થઈ ગયો. નાના વાહનોની વાત કરીએ તો, સેંકડોની સંખ્યામાં કારોએ ગામડાઓનો રસ્તો પસંદ કરી લીધો હતો. કારચાલકો ગામડાઓમાંથી પસાર થઈને નીકળી ગયા હતા, પરંતુ ભારે અને મોટા વાહનો માટે કોઈ અન્ય વિકલ્પ જ નહોતો. કચ્છ તરફથી આવતા વાહનોએ સુરેન્દ્રનગર તરફ જતો રસ્તો પકડ્યો હતો. પરિણામે સુરેન્દ્રનગર શહેરમાં પણ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. દ્રાંગધ્રા અને વિરમગામની વચ્ચેના લગભગ ૩૦થી ૩૫ કિલોમીટરના પટ્ટામાં મોટાભાગના વાહનો ફસાઈ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ હાઈવે પર ટ્રક અને અન્ય મોટા અને ભારે વાહનોની ઘણી અવરજવર હોય છે. મોટાભાગના આ વાહનો કંડલા અને મુંદ્રા પોર્ટ તરફ જઈ રહ્યા હોય છે. ટ્રાફિકમાં વધારો ન થાય તે માટે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા કચ્છથી ઉપડતી તમામ બસોને રાજકોટ-અમદાવાદ હાઈવે પર ડાઈવર્ટ કરી હતી. ઉલ્લેખનીય છે કે જ્યાં અકસ્માત સર્જાયો હતો તે ઓવરબ્રિજ ફોર-લેન હાઈવે પર ટુ-લેન સ્ટ્રેચ છે, અને અહીં અકસ્માતોની સંખ્યા પણ વધારે છે.વધુ વાંચો -
તંત્રની લાલ આંખઃ આરોગ્ય સાથે ચેડાં કરનારા વેપારીઓ પાસેથી ૭૫૦ કિલો શાકભાજીનો નાશ
- 10, મે 2022 01:30 AM
- 6969 comments
- 5517 Views
રાજકોટ, રાજકોટ મહાનગરપાલિકાની દબાણ વ શાખાએ બે સપ્તાહમાં રૂ.૩ લાખનો દંડ વસૂલ્યો છે. નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા વેપારીઓ પાસેથી ૭૫૦ કિલો અખાદ્ય શાકભાજીનો નાશ કર્યો છે. દબાણ દૂર કરવાની ઝુંભેશ હેઠળ રસ્તા પર નડતર ૪૭ રેંકડી-કેબીનો ઉપાડી લેવામાં આવી હતી. આ સાથે જુદીજુદી અન્ય ૧૯૪ પરચુરણ ચીજ વસ્તુઓ ગાયત્રીનગર મેન રોડ, જ્યુબીલી, મવડી મેઈન રોડ, રેસકોર્ષ ગ્રાઉન્ડ, હોસ્પીટલ ચોક, રેલવે જંક્સન, રૈયા રોડ, ઢેબર રોડ,નંદનવન મેઈન રોડ પરથી જપ્ત કરવામાં આવી હતી, આ ઉપરાંત ૩૬૭ બોર્ડ-બેનરો જે ચંદ્રેશનગર મેન રોડ, કણકોટ ચોકડી, જેટકો ચોક, પરથી જપ્ત કરવામાં આવ્યા હતા.તેમજ ૭૫૦ કિલો શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને વિવિધ વિસ્તારોમાંથી દૂર કરાયો હતો. વહીવટી ચાર્જ આજીડેમ ચોકડી, મહાપૂજા ધામ, ત્રિકોણ બાગ, યુનિવર્સિટી રોડ, ચંદ્રેશનગર રોડ,રૈયા રોડ, માટેલ ચોક, મોરબી રોડ, ભાવનગર રોડ, જીમખાના પરથી વસુલ કરવામાં આવ્યો હતો. જયારે રૂ.૧,૫૩,૪૦૫ મંડપ ચાર્જ જે જંક્શન રોડ, રેલ નગર, યાજ્ઞીક રોડ, મવડી રોડ, રૈયા રોડ,મોરબી જકાતનાકા, સેટેલાઇટ રોડ માંથી વસુલ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકાની કામગીરીથી વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે જે લોકો અખાદ્ય શાકભાજી વેચતા હતા તેમના તમામ લોકોના શાકભાજીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.વધુ વાંચો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ