દેવભૂમિ દ્વારકા સમાચાર
-
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 575 પોઝીટીવ કેસ, 01 ના મોત, કુલ 2,73,386 કેસ
- 08, માર્ચ 2021 03:06 PM
- 1859 comments
- 5768 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 575 થી વધુ નોંધાયા છે. જેની સામે 459 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4415 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 575 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,73,386 થયો છે. તેની સામે 2,65,831 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,73,386 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3041 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,73,386 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3041 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 46 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3094 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,65,831 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4415 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીના મૃત્યુ નોંધાયેલ છે.વધુ વાંચો -
ઉનાળાની એન્ટ્રીઃ ગુજરાતમાં ધીમે ધીમે ગરમીના પારામાં વધારો
- 08, માર્ચ 2021 02:31 PM
- 4777 comments
- 2024 Views
ગાંધીનગર-ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે ગરમીના પારામાં વધારો થયો છે. રાજ્યમાં ગરમીના પ્રભુત્વમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે ૧૧ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો ૩૭ ડિગ્રીથી વધુ રહ્યો હતો જ્યારે ૩૯ ડિગ્રી સાથે ગાંધીનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ૩૮.૯ ડિગ્રી સાથે વર્તમાન સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૪.૯ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી ૩ દિવસ દરમિયાન અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન ૩૮ જ્યારે સરેરાશ લઘુતમ તાપમાન ૧૯ ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. રાજ્યમાંથી અન્યત્ર જ્યાં ૩૮ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું તેમાં ડીસા, વલ્લભ વિદ્યાનગર, વડોદરા, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં હાલ ઉત્તર પશ્ચિમ દિશાનો પવન છે. આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની કોઇ સંભાવના નથી. પરંતુ ઉત્તર ગુજરાત, સૌરષ્ટ્ર-કચ્છમાં આગામી ૨૪ કલાક દરમિયાન તાપમાન ૩૭થી ૩૯ ડિગ્રીની વચ્ચે રહેશે. આગામી ૪-૫ દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની પણ સંભાવના નથી.વધુ વાંચો -
શૈક્ષણિક સ્ટાફને સાતમા પગારપંચનો મળશે લાભ, શિક્ષણમંત્રી ચુડાસમાએ ગૃહમાં કરી જાહેરાત
- 05, માર્ચ 2021 03:53 PM
- 9294 comments
- 6008 Views
ગાંધીનગર-રાજ્યમાં આવેલી યુનિવર્સીટીના શૈક્ષણિક સ્ટાફ માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા યુનિવર્સીટીના શૈક્ષણિક સ્ટાફને સાતમા પગારપંચનો લાભ આપવાનું ગૃહમાં શિક્ષણમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. સરકારના અ નિર્ણયથી રાજ્યની તમામ યુનિવર્સીટીના શૈક્ષણિક સ્ટાફમાં આનંદ છવાઈ જવા પામ્યો હતો. રાજ્યમાં આવેલી યુનિવર્સીટીમાં ફરજ બજાવતા શૈક્ષણિક સ્ટાફ દ્વારા તેઓની પડતર માંગણીઓને લઈને અનેકવાર સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે તાજેતરમાં જ 6 મહાનગરપાલિકા તેમજ જીલ્લા-તાલુકા પંચાયત તેમજ નગરપાલીકાના પરિણામ આવી ગયા બાદ વિધાનસભા સત્ર શરુ થતા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગૃહમાં જાહેરાત કરી હતી. ત્યારે તા.1-1-૨૦૧૬ થી કર્મચારીઓને સાતમાં પગારપંચનો લાભ આપવાનું સરકારે નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે કર્મચારીઓને એરિયર્સના પ્રથમ હપ્તાના 50 ટકા ટૂંક સમયમાં આપવામાં આવશે. જેથી રાજ્યની તમામ યુનિવર્સીટીના શૈક્ષણિક સ્ટાફમાં ખુશી વ્યાપી જવા પામી હતી.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 480 પોઝીટીવ કેસ, કુલ 2,71,725 કેસ
- 05, માર્ચ 2021 03:48 PM
- 8643 comments
- 9430 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 480 થી વધુ નોંધાયા છે. જેની સામે 369 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4412 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 480 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,71,725 થયો છે. તેની સામે 2,64,564 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,71,725 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 2749 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,71,725 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 2749 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 40 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 2709 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,64,564 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4412 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 00 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- ભારત - ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૦
- ભારત - ઈંગ્લેન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૧
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ