દેવભૂમિ દ્વારકા સમાચાર
-
રામનવમીએ કોમી ભડકોઃ ઠેરઠેર પથ્થરમારો ઃ ૧૭ની ધરપકડ
- 31, માર્ચ 2023 01:15 AM
- 8062 comments
- 6562 Views
વડોદરા, તા.૩૦રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ સહિતની કેટલીક ધાર્મિક સંસ્થાઓ દ્વારા આયોજીત શોભાયાત્રા પર બપોરે ફતેપુરા વિસ્તાર સહિત અનેક સ્થળે ભારે પથ્થરમારાના પગલે દહેશતનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં અનેકને ઈજાઓ પહોંચી હતી તથા પરિસ્થિત પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. દરમ્યાન પોલીસે ૩૫૦થી વધુ સીસીટીવી કેમેરાને આધારે મોડીરાત સુધીમા ૧૭ તોફાનીઓની ધરપકડ કરી લીધી હતી. આ તોફાનો દરમ્યાન અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યુ હતું. છેલ્લા અનેક વર્ષોથી શાંતિપૂર્ણ માહોલનો અહેસાસ કરી રહેલું વડોદરા આજે કોમી રમખાણોના છમકલાઓથી ફરી એકવાર અભડાયું હતું. આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત શ્રીરામની શોભાયાત્રા બપોરના સમયે ફતેપુરા વિસ્તારના કુભારવાડા ખાતેથી પસાર થઈ રહી હતી.આ તબક્કે ડીજે પર મોટા અવાજે હનુમાનચાલીસા વાગતા જ એ વિસ્તારના કેટલાં યુવાનો અને વિહિપના કાર્યકરો વચ્ચે બોલાચાલી થતાં વાતાવરણ ગરમાયુ હતું આ તબક્કે પોલીસે મધ્યસ્થી કરી બંને ટોળાઓને શાંત કરી વિખેરી નાંખ્યા હતા. પરંતુ થોડી જ વારમાં આ સમાધાન પડી ભાંગ્યુ હોય એમ અચાનક આજુબાજુની ગલીઓમાંથી પથ્થરમારો શરૂ થયો હતો. આ તબકકે શોભાયાત્રામાં સામેલ એક હજારથી વધુ વીએચપી કાર્યકરોમાં ઉશ્કેરાટનો માહોલ ફેલાયો હતો. જાે કે ઘટના સ્થળે ઉપસ્થિત પોલીસે તાત્કાલિક પરિસ્થિતિ પર કાબુ મેળવવા તોફાનીઓની દિશામાં ઘસી જતાં મામલો થોડા સમય માટે શાંત પડયો હતો. પરંતુ શ્રધ્ધેય ભગવાન રામની શોભાયાત્રા પરના પથ્થરમારાથી ઉશ્કેરાયેલા કાર્યકરોને માંડ માંડ શાંતિ જાળવવા સમજાવાયા હતા. એસ.એસ.જી. હોસ્પિટલની સામે આવેલ પંચમુખી હનુમાન મંદિરથી શરૂ થયેલી આ યાત્રા શાંતિપૂર્ણ રીતે અને ધાર્મિક માહોલ સાથે આગળ વધી રહી હતી. ત્યારે પાંજરીગર મહોલ્લા ખાતે તેના પર ભારે પથ્થરમારો થયો હતો. જાે કે આ યાત્રા એરપોર્ટ, સંગમ, ફતેપુરા, કારેલીબાગ પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી.ત્યાર બાદ એ યાત્રા જીવનભારતી સ્કુલ એલ એન્ડ ટી એરપોર્ટ થઈ ફરી પંચમુખી હનુમાન મંદિર ખાતે સંપન્ન થઈ હતી.દરમ્યાન ફતેપુરા કંુભારવાડા ખાતેથી નિકળેલી શ્રી રામની આવી જ એક અન્ય શોભાયાત્રા પર તલાટીની ઓફિસની બાજુની ગલીમાંથી તથા સામેની બાજુ આવેલા એક ધાર્મિક સ્થળ પરથી અચાનક ભારે પથ્થરમારો શરૂ થયો હતો. પોલીસે માંડ માંડ પરિસ્થિત થાળે પાડતા શોભાયાત્રા આગળ વધી હતી. પરંતુ ચાંપાનેર દરવજા પાસે ફરીથી આ શોભાયાત્રા પર ભારે પથ્થરમારો થયો હતો. યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે અગાઉ સમગ્ર માર્ગ પર ઠેર ઠેર પથ્થરમારો થતાં વડોદરામાં ભારેલો અગ્નિ છે તથા મોડીરાત્રે એ કોમી રમખાણોના જવાળામુખીમાં ન ફેલાય તે માટે સ્થાનિક પોલીસે કડક હાથે કામ લેવાનુ શરૂ કર્યું છે.આજે શ્રી રામની ત્રીજી શોભાયાત્રા ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા યોજાઈ હતી. જે પ્રતાપનગર વિસ્તારના રણમુકતેશ્વર મહાદેવ ખાતેથી નિકળી પથ્થરગેટ વિસ્તારના તાડફળિયા ખાતે આવેલા રામજીમંદિર ખાતે સંપન્ન થઈ હતી. આ સમગ્ર રૂટ સંવેદનશીલ વિસ્તાર હોવાથી પોલીસે અગાઉ બે શોભાયાત્રાઓ પર થયેલા ભારે પથ્થરમારાના પગલે અગમચેતીના પગલારૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો.એક તરફ પવિત્ર રમઝાન મહિનો ચાલુ છે તથા સમગ્ર લઘુમતી વિસ્તારોમાં સાંજ બાદ ધાર્મિક માહોલ સર્જાય છે ત્યારે આજે દિવસ દરમ્યાન થયેલા કોમી છમકલાઓ વધુ વકરે નહીં તે માટે પોલીસે ચારેબાજુ ઘોસ વધારી છે.વધુ વાંચો -
બેટ દ્વારકામાં સરકારી દબાણો ઉપર બુલડોઝર
- 12, માર્ચ 2023 01:30 AM
- 112 comments
- 9674 Views
દ્વારકા, રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદેસર અને અનધિકૃત રીતે સરકારી જમીન પર કબજાે કરનારા તત્વો સામે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં સરકારી તંત્ર દ્વારા થોડા સમય પૂર્વે મેગા ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. રાજ્યમાં સૌપ્રથમ વખત દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા ધર્મસ્થળ વિસ્તારમાં થોડા સમય પૂર્વે હાથ ધરવામાં આવેલા મેગા ઓપરેશન ડિમોલિશનમાં ધર્મસ્થળો, કોમર્શિયલ તેમજ રહેણાંક બાંધકામો, વંડાઓ, વગેરે પ્રકારનું સરકારી જમીન ઉપરનું દબાણ ધ્વસ્ત કરવામાં આવ્યું હતું. ત્યારે દ્વારકાના પ્રાંત અધિકારી પાર્થ પલસાણિયાએ જણાવ્યું હતું કે, ૬૦ કોમર્શિયલ, ૧૫૦ રહેણાંક અને ૭ અન્ય બાંધકામ મળીને કુલ ૯.૫ લાખ સ્કવેર ફૂટમાં ફેલાયેલા ગેરકાયદેસર બાંધકામો હર્ષદ ગાંધવીમાં ડિમોલિશ કરવામાં આવશે. થોડા સમયના બ્રેક બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજથી વધુ એક દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ઐતિહાસિક ધર્મસ્થળ હર્ષદ ગાંધવી ખાતે આજરોજ ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના વડપણ હેઠળ સ્થાનિક રેવન્યુ સ્ટાફ દ્વારા વિવિધ પ્રકારના દબાણો પર ડિમોલિશન કાર્ય કરવાની કામગીરીનું સુવ્યવસ્થિત આયોજન કરાયું હતું. થોડા સમય પૂર્વે આ વિસ્તારના દબાણકારોને ૧૮ જાન્યુઆરીના રોજ લેખિત નોટિસ ઇશ્યૂ થયા બાદ અનેક દબાણો યથાવત રહેતા આખરે આજે સવારથી જૂદા-જૂદા પ્રકારના દબાણો પર સરકારી મશીનો વડે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારે દ્વારકાના પ્રાંત અધિકારી પાર્થ પલસાણિયાએ જણાવ્યું હતું કે, ૬૦ કોમર્શિયલ, ૧૫૦ રહેણાંક અને ૭ અન્ય બાંધકામ મળીને કુલ ૯.૫ લાખ સ્કવેર ફૂટમાં ફેલાયેલા ગેરકાયદેસર બાંધકામો હર્ષદ ગાંધવીમાં ડિમોલિશ કરાશે.૫ મહિના પહેલા દ્વારકામાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ હતી બેટ દ્વારકા ખાતે તારીખ ૧ ઓક્ટોબર ૨૦૨૨થી શરૂ થયેલી દબાણ હટાવ ઝુંબેશ પ્રથમ ચરણમાં વેગવંતી રહ્યા બાદ થોડા દિવસોના વિરામ પછી શરૂ થયેલા બીજા રાઉન્ડમાં સૌથી વધુ કહી શકાય તેટલું મંગળવારે વધુ ૫૦ હજાર ફૂટ જેટલું દબાણ ખુલ્લું કરવામાં આવ્યું હતું. આ જગ્યાની બજાર કિંમત આશરે રૂપિયા એક કરોડ ઉપરાંતની ગણાવી હતી. વધુ ૫૦ હજાર ફૂટ દબાણ ખુલ્લું કરાયું ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં સરકારી તંત્ર દ્વારા ગુપ્તતાપૂર્વક કરવામાં આવેલા સર્વે બાદ હાથ ધરવામાં આવેલા મેગા ઓપરેશન ડિમોલિશનમાં એક સપ્તાહના સમયગાળા દરમિયાન આશરે રૂપિયા ૭ કરોડથી વધુની કિંમતની પોણા બે લાખ ફૂટ જેટલી જગ્યા પર સરકારી બુલડોઝર ફરી વળ્યું હતું. તંત્ર દ્વારા હાથ વધારવામાં આવેલી આ દબાણ હટાવ ઝુંબેશના આટલા દિવસોમાં ક્યાંય ઘર્ષણ કે તંગદીલીના બનાવો બન્યા ન હતા. સપ્તાહમાં પોણા બે લાખ ફૂટ જગ્યા પર બુલડોઝર ફરી વળ્યું હતું જિલ્લા પોલીસ વડા, જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યાના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, સ્થાનિક ચીફ ઓફિસર, મામલતદાર, વગેરેની ટીમ દ્વારા દુકાનો, મકાન, પાકા વંડાઓ સહિતની જગ્યાઓ ખુલી કરવામાં આવી હતી. બેટ દ્વારકાના આ ઓપરેશનની કામગીરીમાં તંત્રને મળેલી સફળતા બાદ દરિયા કિનારાની આંતરિક સુરક્ષા તથા રાષ્ટ્રીય સુરક્ષાના સંદર્ભમાં અન્ય જિલ્લાઓમાં પણ શરૂ થયેલા ડિમોલિશનથી મૃદુ ગણાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની છાપ હવે મક્કમ મુખ્યમંત્રી તરીકેની ઊભી થઈ છે.વધુ વાંચો -
દ્વારકામાં ફૂલડોલ ઉત્સવમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટશે
- 05, માર્ચ 2023 01:30 AM
- 1769 comments
- 5666 Views
જામનગર પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે જગતમંદિરમાં ફુલડોલ ઉત્સવની ઉજવણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે પદયાત્રીઓનો મોટો સમુદાય રાજ્યના અલગ-અલગ પ્રાંતમાંથી દ્વારકા તરફ પ્રયાણ કરી રહયો છે. પદયાત્રીઓની શ્રદ્ધાને કારણે તેમના ચહેરા પર જરાપણ થાક દેખાતો નથી. કાળિયા ઠાકોરમાં પૂર્ણ આસ્થા સાથે દ્વારકા પધારતા દરેક પદયાત્રીઓની શ્રદ્ધા તથા તેમની ભક્તિ બિરદાવા લાયક છે. આગામી ફુલડોલ ઉત્સવમાં દ્વારકા જવા માટે નીકળેલા પદયાત્રીઓ હવે ઉત્સવ નજીક આવતા હજારોની સંખ્યામાં દર્શને જઈ રહ્યા છે. જામનગર બાયપાસથી છેક દ્વારકા રોડ પર ઠેર-ઠેર કેમ્પોનું આયોજન થયું છે. તે એટલું અદ્ભૂત રીતે છે કે થોડું ચાલો ત્યાં પદયાત્રી માટે સેવા કેમ્પ કાર્યરત હોય છે. તેમને જરૂરીયાત મુજબ વસ્તુઓ મળી શકે અને ચા, પાણી, નાસ્તો, ભોજન સહિતની વ્યવસ્થા ઉપરાંત આરામ કરી શકે તેવી તમામ સગવડો ઉપલબ્ધ કરાવવામાં આવી છે.પડાણા, મેઘપર રોડ પાસે એક સાથે બે કિલોમીટરમાં સાતથી આઠ વિશાળ કેમ્પ કાર્યરત છે. જયાં પદયાત્રીઓનો મોટો સમુદાય વિસામો લે છે. અત્યંત આધુનિક સુવિધા સાથેના રિલાયન્સ કંપનીના સેવા કેમ્પમાં પણ તમામ પ્રકારની સુવિધાઓ યાત્રિકો માટે ઉપલબ્ધ છે. ખંભાળીયા નજીક આરાધના ધામ પાસે દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરાયેલ સેવા કેમ્પમાં મસાજ સાથે વાઈબ્રેટર મશીનની સેવા પદયાત્રીઓને આપવામાં આવી રહી છે. ચરકલાવાળો મુખ્ય રોડ ભારે વાહનો માટે તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે. કારણ કે હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં નાના મોટા બાળકોથી લઈ વયોવૃદ્ધ દ્વારકા પગપાળા ચાલતા આવી રહ્યા છે. દ્વારકા જગત મંદિરના દર્શન થાય છે ત્યારે આ પગપાળા ચાલતા ભક્તો ખૂબ જાેશમાં આવી જાય છે અને જાણે તેમના ચહેરા પર લેશમાત્ર થાક પણ વર્તાતો નથી.વધુ વાંચો -
ચામુંડા મિત્ર મંડળ દ્વારા ૪૦ વર્ષથી યોજાતી પદયાત્રાનો સંઘ રવાના
- 03, માર્ચ 2023 01:30 AM
- 8448 comments
- 6068 Views
દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાવનગર શહેરના ભરતનગર, કાચના મંદિર પાસેના ચામુંડા મિત્ર મંડળ આયોજીત ભાવનગરથી ચોટીલા જવા માટે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલના હસ્તે ૫૨ ગજાની ધજાનું પૂજન-અર્ચન કરી પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. શહેરના ભરતનગર કાચના મંદિર પાસેના ચામુંડા મિત્ર મંડળ છેલ્લા ૪૦ વર્ષથી પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં દર વર્ષે ભાવિક ભક્તો ભાવનગરથી ચોટીલા સુધીનો પદયાત્રા સંઘ યોજવામાં આવ્યો છે.હોળી-ધુળેટીનું પર્વ નજીક આવતા દ્વારકા જતા પદયાત્રીઓમાં વધારો જામનગર ફાગણ માસની પૂર્ણીમા એટલે કે હોલીકા ઉત્સવ, હોળી ઉત્સવ માટે વર્ષોની પરંપરા મુજબ ફુલડોલ ઉત્સવ મનાવવામાં આવે છે. આ ફુલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે ઠેર-ઠેર ગામે-ગામ થી અસંખ્ય લોકો પગપાળા દ્વારકાધીશના દર્શનાર્થે પહોંચે છે. આ વર્ષે પણ ગુજરાત-રાજસ્થાન સહિતના રાજયોમાંથી અસંખ્ય પદયાત્રીઓ દ્વારકા તરફ પ્રયાણ કરી રહ્યા છે. આ પદયાત્રીઓ સેવા માટે પણ હાઈ-વે પર અસંખ્ય સેવા કેમ્પો ધમધમી રહ્યા છે. જેમાં પદયાત્રીઓ માટે રહેવા, જમવા, ફેરા થવા માટે તેમજ તમામ મેડીકલ માટેની સુવીધાઓ પણ સેવાભાવી લોકો દ્વારા કરવામાં આવી રહી છે. સેવાકેમ્પોમાં ડી.જે.ના તાલે પણ પદયાત્રીઓનો થોડો થાક દૂર કરવા માટે કાળીયાઠાકરના ગીતો વગાડી અને ગરબા ઘૂમવા માટે પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.વધુ વાંચો -
ચાર દીકરીઓ તરીને દ્વારકાથી શિવરાજપુર પહોંચી
- 14, ફેબ્રુઆરી 2023 09:53 PM
- 6803 comments
- 8118 Views
પોરબંદર,તા.૧૪વર્ષ ૨૦૨૨માં રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિયેશન આયોજિત તથા દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક, પોરબંદરના સમસ્ત ખારવા સમાજ, મરીન સિક્યુરિટી ગાર્ડ, ક્રિડા ભારતી સૌરાષ્ટ્ર વિભાગ, સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટના સહયોગથી સૌરાષ્ટ્રની છ દીકરીઓ તથા ચાર બાળકો મળી, કુલ દસ ખેલાડીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારોને સાર્થક કરવા સ્વચ્છતા અભિયાન ટુરિઝમ ડેવલોપમેન્ટ આધ્યાત્મિક ટુરિઝમ ડેવલોપમેન્ટ અને ખારવા સમાજને રોજગારીની વ્યાપક રીતે સંભાવના ઊભી થઈ તે હેતુથી કૃષ્ણનગરી દ્વારકાથી શિવનગરી સોમનાથમાં ઓપન વોટર સમુદ્ર તરણ એક્સપિડેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દ્વારકાથી શિવરાજપુર બીચ વચ્ચે ૧૫ કિ.મી. જેટલો સુંદર અને રમણીય દરિયાકાંઠો છે. તેમાં ભવિષ્યમાં રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધા યોજાઈ અને દ્વારકામાં નવી રોજગારીની તકો ઊભી થાય તે હેતુથી રાજકોટની ચાર દીકરીઓ મૈત્રી જાેશી, વેનેસા શુક્લ બાંસુરી મકવાણા તથા પ્રિષાબેન ટાક રવિવાર તા. ૧૨ના રોજ દ્વારકાથી શિવરાજપુર બીચ ખાતે ઓપન વોટર સ્વિમિંગ એક્સપીડેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે સવા આઠ વાગ્યે દ્વારકા બીચ ખાતેથી ચાર દીકરીઓએ સ્વિમિંગ શરૂ કર્યું હતું. જે બપોરે સવા બાર વાગ્યે શિવરાજપુર બીચ ખાતે પૂર્ણ થયું હતું. રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિયેશન તથા સમસ્ત ખારવા સમાજ પોરબંદર મરીન સિક્યુરિટી ગાર્ડ ક્રિડા ભારતી સૌરાષ્ટ્ર વિભાગ સપોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને ટુરિઝમ ડિપાર્ટમેન્ટ ગુજરાતના સહયોગથી વર્ષ ૨૦૨૨માં સૌરાષ્ટ્રની છ દીકરીઓ તથા ચાર બાળકો સહિત કુલ ૧૦ ખેલાડીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારોને સાર્થક કરવા સ્વચ્છતા અભિયાન ટુરિઝમ ડેવલોપમેન્ટ આધ્યાત્મિક ટુરિઝમ ડેવલોપમેન્ટ અને ખારવા સમાજને રોજગારીની વ્યાપક રીતે સંભાવના ઊભી થાય તેવા ઉમદા હેતુથી હરીથી હર એટલેકે ભગવાન કૃષ્ણની નગરીથી ભગવાન શિવની નગરી દરમિયાન ઓપન વોટર સમુદ્ર ત્રણ એક્સપિડેશન કાર્યક્રમ યોજેલો હતો. જેની ભવ્ય સફળતા બાદ તા. ૧૨.૦૨.૨૩ના રોજ દ્વારકાથી શરૂ કરીને શિવરાજપુર બીચ, જે અંદાજે ૧૫ કિ.મી જેટલું અંતર છે. ત્યા સુધી રાજકોટની ચાર દીકરીઓ મૈત્રી જાેશી, વેનેસા શુક્લ, બાંસુરી મકવાણા તથા પ્રિષાબેન ટાંકે તારીખ ૧૨/૦૨/૨૩ના રોજ દ્વારકાથી લઈ શિવરાજપુર બીચ ખાતે ઓપન વોટર સ્વિમિંગ એક્સપીડેશન કાર્યક્રમનું આયોજન હાથ ધરાયું હતું.વધુ વાંચો -
સુત્રાપાડામાં ૧૩ અને કોડીનારમાં ૯ ઈંચ વરસાદ
- 07, જુલાઈ 2022 01:30 AM
- 3178 comments
- 1485 Views
ગીર સોમનાથ, ગીર સોમનાથ જિલ્લામાં આભ ફાટ્યું બાદ સવાર સુધીમાં સાંબેલાધાર વરસાદ વરસાવી દેતાં પાણી પાણી કરી દીધું હતું. એમાં સુત્રાપાડામાં નવ કલાકમાં ૧૩ ઇંચ, કોડીનારમાં નવ કલાકમાં ૧૧ ઇંચ અને વેરાવળ-સોમનાથમાં છ કલાકમાં ૫ ઇંચ વરસાદ ખાબક્યો છે. એને પગલે સુત્રાપાડા અને કોડીનાર શહેર તથા પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. તો ભારે વરસાદને પગલે વેરાવળ-કોડીનાર વચ્ચે પેઢાવાડા પાસે હાઇવેનાં કામ અંતર્ગત કઢાયેલા રસ્તાઓ સોમત નદીના પૂરના પાણીમાં ગરકાવ થતાં વાહન-વ્યવહાર ખોરવાઇ જતાં બંન્ને તરફ વાહનોની લાઇનો લાગી હતી. તો ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ અને ખેતરો પાણીમાં ગરકાવ થયાં છે. રાજ્યના હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, ગીર સોમનાથના દરિયાકાંઠે વસેલા વેરાવળ, સુત્રાપાડા અને કોડીનાર તાલુકામાં ગત રાત્રિથી મેઘરાજાએ મુકામ કરી હેત વરસાવવાનું શરૂ કર્યું છે. આ ત્રણેય તાલુકામાં વરસેલા વરસાદની વાત કરીએ તો સૌથી વધુ સુત્રાપાડામાં રાત્રિના શરૂ થયેલી મેઘસવારીએ સવારે પણ ચાલુ રહી હતી. સૂત્રાપાડામાં ૩૦૨મિમી (૧૨ ઇંચ), કોડીનારમાં ૨૭૯ મિમી (૧૧ ઇંચ) અને વેરાવળમાં ૧૨૪ મિમી (૫ ઇંચ) વરસાદ વરસાવી દીધો હતો. એને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. તો ખેતરોમાં પાકને જરૂરી એવા ખરા સમયે જ વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ હતી. તો કોડીનાર અને સુત્રાપાડા શહેર-પંથકમાં વરસેલા સાંબલેધાર વરસાદને પગલે લોકો અને વાહનચાલકોને અનેક પ્રકારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સુત્રાપાડા શહેર-પંથકમાં ગત રાત્રિના અઢી વાગ્યા આસપાસ મેઘરાજાએ પધરામણી કર્યા બાદ વહેલી સવારે સાત વાગ્યા સુધી અનરાધાર વરસાદ વરસ્યો હતો. આ બાદ પણ વરસાદ ધીમી ધારે વરસવાનું ચાલુ જ હતું. આમ, સાત કલાકમાં ૧૨ ઇંચ જેવો વરસાદ વરસી જતાં શહેર-પંથકમાં ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતા. સુત્રાપાડા પંથકમાં આભ ફાટ્યું હતું, ભારે વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાઇ જતાં બેટમાં ફેરવાઇ ગયાનો નજારો જાેવા મળતો હતો. પંથકના મટાણા સહિતનાં અનેક ગામો બેટમાં ફેરવાઇ ગયાનાં દૃશ્યો સામે આવ્યાં છે. મટાણા ગામને જાેડતા બ્રિજ પર વરસાદી પાણી ફરી વળતાં વાહનવ્યવહાર અટકી જવાની સાથે ગામની અંદર રસ્તા-શેરીઓમાં નદી વહેતાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા. જ્યારે પ્રશ્નાવડા, લોઢવા, સીંગસર સહિતનાં ગામોની શેરીમાં નદી વહેતી થતાં બેટમાં ફેરવાયા જેવો નજારો જાેવા મળતો હતો. સુત્રાપાડાનો વાડી વિસ્તાર સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. સુત્રાપાડા તાલુકાનાં અન્ય ગામોને જાેડતા ઉંબરી સહિતના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા બંધ થઇ જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. કોડીનાર પંથકમાં પણ ગત રાત્રિથી જ મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે, જે સવારે પણ અવિરત ચાલુ હતા. એને લીધે કોડીનાર શહેર-પંથકમાં ૧૧ ઇંચ જેટલો વરસાદ વરસી જતાં જળમગ્ન જેવી સ્થિતિ અનેક જગ્યાએ જાેવા મળી હતી. કોડીનાર શહેરની અનેક સોસાયટીઓ, રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. તો પંથકના દરિયાકાંઠાના મૂળ દ્વારકા, માલાશ્રમ સહિતનાં ગામોની અંદર નદીઓ વહેતી થઇ હતી. તો અનેક લોકોનાં ઘરોમાં પાણી ઘૂસી જતાં ગ્રામજનો પરેશાન થયાં હતાં. ભારે વરસાદને પગલે કોડીનાર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં અનેક જગ્યાએ જળમગ્ન જેવી પરિસ્થિતિ જાેવા મળી રહી છે.દ્વારકામાં ભારે વરસાદથી જગત મંદિરની ધજા અડધી કાઠીએ ફરકાવાઈ દ્વારકામાં મુશળધાર વરસાદ તૂટી પડ્યો છે. જેમાં સૌથી વધુ કલ્યાણપુરમાં ૬.૬ ઈંચ વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે સમગ્ર દ્વારકા જિલ્લો પાણી પાણી થઈ ગયો છે. જેને કારણે દ્વારકામાં જગત મંદિરનાં શિખરે અડધી કાઠીએ ધજા ફરકાવાઈ છે. અબોટી બ્રાહ્મણ પરિવારની સુરક્ષા માટે આ ર્નિણય લીધો હતો. વાતાવરણ યોગ્ય ન થાય ત્યાં સુધી અડધી કાઠીએ ધજા ફરકાવાશે. કલ્યાણપુરમાં સાડા છ ઈંચ વરસાદથી પાણી પાણી બની ગયુ છે. તો દ્વારકામાં ૪ અને ખંભાળિયામાં ૩ ઈંચ વરસાદ તૂટી પડ્યો છે. મૂશળધાર વરસાદથી દ્વારકા જિલ્લામાં સર્વત્ર પાણી પાણી થઈ ગયુ છે. દ્વારકામાં અનેક જગ્યાએ રસ્તાઓ બંધ થયા થયા છે. રાવલ-સુર્યાવદર વચ્ચેનો રસ્તો પાણીમાં ગરકાવ થતા બંધ થયો છે. સાની નદીમાં પૂર આવતા રસ્તાઓ બંધ થયા છે. લોકો જીવના જાેખમે રસ્તાઓ પાર કરી રહ્યા છે. ભારે વરસાદથી જિલ્લાના નદી, નાળા અને ચેકડેમો છલકાયા છે. તો બીજી તરફ સીમાની કાલાવડથી બારા તરફ જતાં માર્ગ પર પુલ પર પાણી ફરી વળતા લોકોને જીવના જાેખમે દોરડા વડે પુલ પાર કરવાનો વારો આવ્યો છે. દ્વારકામાં જગત મંદિરનાં શિખરે ધજા અડધી કાઠીએ ફરકાવાઈ છે. અબોટી બ્રાહ્મણ પરિવારની સુરક્ષા માટે આ ર્નિણય લેવાયો છે. ખરાબ હવામાન, વરસાદની આગાહીને પગલે વાતાવરણ યોગ્ય ન થાય ત્યાં સુધી ધજા અડધી કાઠીએ ફરકાવાશે. મહત્વનું છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. હાલમાં સતત ભારે વરસાદ પણ વરસી રહ્યો છે. જેના પગલે સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકાના જગતમંદિરના શિખર પર ફરકાવવામાં આવતી ધજાને અડધી કાઠીએ ફરકાવવામાં આવી છે. જામનગરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જામનગર જામનગર જિલ્લા અને શહેરમાં મેઘરાજાએ વ્હેલી સવારથી ધમાકેદાર બેટિંગ કરવાનું શરૂ કરી દીધું. સતત વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે. હવામાન વિભાગે જામનગરને ઓરેન્જ એલર્ટ આપ્યું છે. ત્યારે આજે સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. આ ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજા દેધનાધન વરસાદ વરસાવી રહ્યા છે. સૌથી વધારે પડાણા ગામમાં ચાર ઇંચ વરસાદ પડ્યો છે. જામનગર સહિત રાજ્યભરમાં વરસાદની આગાહીની પગલે વરસાદી માહોલ જામ્યો છે. શહેર અને જિલ્લાને મેઘરાજાએ મુકામ બનાવ્યો છે. તેમજ ગ્રામ્ય પંથકમાં કાળા ડિબાંગ વાદળો વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. બાળકોએ વરસાદમાં નાહવાની મોજ માણી હતી. ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે. જામનગર જિલ્લા અને શહેરમાં વહેલી સવારથી જ સતત વરસાદને કારણે શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યાં છે. હવામાન વિભાગની આગાહી મુજબ જામનગરને ઓરેન્જ એલર્ટ અપાયું છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારી એવી મેઘમહેર જાેવા મળી રહી છે.જામનગરમાં મકાનની અગાસી પર વિજળી પડી જામનગરના ગુલાબનગર વિસ્તાર નજીક મોહનનગરમાં આવેલા આવાસના ૧૨ નંબરના બિલ્ડીંગની અગાસીના ખૂણા પર વીજળી પડતાં બિલ્ડીંગનો ખૂણો નીચે ધસી પડ્યો હતો. સદભાગ્યે મોટી દુર્ઘટના ટળી હતી. પરંતુ ત્યાં વસવાટ કરતા સેંકડો પરિવારનો જીવ તાળવે ચોંટ્યો હતો. જામનગરના ગુલાબ નગર નજીક મોહનનગર વિસ્તારમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા આવાસ નું નિર્માણ કરાયું છે. જેમાં ૧૨ નંબરની બિલ્ડીંગની અગાસીના એક ખૂણા પર આજે ભારે વરસાદની સાથે વિજળી પડી હતી. જે વીજળીના કારણે બિલ્ડીંગનો અગાસીના ખૂણાનો કેટલોક હિસ્સો નીચે ધસી પડ્યો હતો. સદભાગ્યે બિલ્ડીંગમાં વસવાટ કરતા અનેક લોકો પોતાના ઘરમાં જ હતા, પરંતુ કોઈ જાનહાનિના અહેવાલો મળ્યા નથી. પરંતુ સેકડો પરિવારનો જીવ તાળવે ચોંટ્યો હતો. હજુ પણ વરસાદી વાતાવરણ ચાલુ હોવાથી અન્ય સ્થાનિકોમાં ભયનું વાતાવરણ જાેવા મળી રહ્યું છે.વધુ વાંચો -
અમિત શાહે ધર્મપત્ની સાથે જગત મંદિર ખાતે દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી
- 29, મે 2022 01:30 AM
- 3123 comments
- 9010 Views
જામનગર, જામનગરમાં ભારતના ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે પધાર્યા છે. તેઓ આજે દ્વારકા જગત મંદિર ખાતે દર્શનાર્થે જઈ રહ્યા છે, ત્યારે જામનગર એરપોર્ટ ખાતે તેમણે ટૂંકું રોકાણ કર્યું હતું. ત્યારબાદ ગૃહમંત્રી દેવભૂમિ દ્વારકા ખાતે પહોંચ્યા હતા. જ્યાં દ્વારકાના હેલિપેડ ખાતે તેમનું સ્વાગત કરાયું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે સજાેડે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પધારતાં દ્વારકાના હેલીપેડ ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે દ્વારકા જિલ્લાની મુલાકાતે પધાર્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ તેમના ધર્મપત્ની સાથે જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે દેવભૂમિ દ્વારકા મંદિર ટ્રસ્ટના ધનરાજભાઈ નથવાણી, મુળુભાઇ બેરા, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મોહનભાઇ બારાઈ, ખેરાજભાઈ કેર, ઓખા શહેર ભાજપ પ્રમુખ દિલીપભાઈ કોટેચા, દેવભૂમિ દ્વારકા તાલુકા ભાજપ પ્રમુખ વરજાગભાઈ માણેક, ઓખા નગરપાલિકા પ્રમુખ ઉષાબેન ગોહેલ, દેવભૂમિ દ્વારકા તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન કેર, દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉપપ્રમુખ નયનાબા રાણા, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત સદસ્ય, લુણાભા સુમણિયા, દેવભૂમિ દ્વારકા ભાજપ જિલ્લા મંત્રી રમેશભાઈ હેરમા અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત સદસ્ય જે. કે. હથિયા સહિતનાએ કેન્દ્રીય ગૃહ મંત્રીનું સ્વાગત કર્યું હતું.વધુ વાંચો -
દેવભૂમિ દ્વારકાના મધદરિયે ૪૦૦ ટન વજનનું જહાજ ડૂબ્યું
- 28, મે 2022 01:30 AM
- 8627 comments
- 277 Views
દેવભૂમિ દ્વારકા, ભારતીય સમુદ્રમાં ગુજરાતનું જહાજ ડૂબ્યું હોવાની માહિતી સામે આવી છે. દેવભૂમિ દ્વારકાના સલાયાથી પોરબંદર જવા નીકળેલું જહાજ દરિયામાં ડૂબ્યું હતું.સલાયા બંદરનું ગોષે જીલાની નામનું માલવાહક જહાજ પોરબંદર માટે રવાના થયું હતું. આ દરમિયાન મધદરિયે ૪૦૦ ટન વજનનું જહાજ ડૂબ્યું હતું. આ ઘટનાની જાણ કોસ્ટગાર્ડને કરવામાં આવી હતી. કોસ્ટગાર્ડની ટીમ તાત્કાલિક મદદે આવી પહોંચી હતી. ડૂબતા જહાજમાંથી ૬ ખલાસીઓને બચાવી લીધા હતા. ખલાસીઓના પરિવારજનો અને જહાજ માલિકે રાહતનો શ્વાસ લીધો છે. જહાજ ડૂબવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.જહાજ ડૂબવા લાગતા છ ખલાસીઓ તરાપાના સહારે દરિયામાં કૂદી પડ્યા હતા. જેની જાણ નજીકમાંથી પસાર થઇ રહેલા અન્ય જહાજ દ્વારા તમામ ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા. આ જહાજ ડૂબવા અને બચાવ કામગીરીનો વીડિયો પણ સામે આવ્યો છે.વધુ વાંચો -
આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા અંગે ભાવિ જમાઇ સાથે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
- 15, મે 2022 01:30 AM
- 4454 comments
- 6266 Views
દ્વારકા, ખંભાળીયાના તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખની પુત્રીએ ઝેરી દવા પી લેતા સારવારમાં તેનુ મૃત્યુ નિપજયુ હતુ.જેમાં મૃતક યુવતિને તેના ફિયાન્સ સાથે ઝઘડો થયા બાદ ઝેર પી લીધી હોવાનું ખુલ્યુ હતુ.. મૃતકના માતાએ તેની પુત્રીની આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા અંગે ભાવિ જમાઇ સાથે પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.મૃતક સાથે સોશિયલ મિડીયામાં ફોટા મુકવા સહિતના મુદદે આરોપીએ અવાર નવાર ઝઘડા કરી કથિત ત્રાસ આપતા આ પગલુ ભરી લીઘાનુ પોલીસ ફરિયાદમાં જાહેર થયુ છે. ખંભાળિયામાં ગાયત્રીનગરમાં રહેતા અને ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન જાેશીની પુત્રી હેમાંગીબેનની સગાઇ આરોપી રત્નદિપ રમેશભાઇ ખેતીયા સાથે થઇ હતી જેના થોડા સમય બાદ આરોપી રત્નદીપએ હેમાંગીબેન સાથે નાની નાની વાતોમાં ઝઘડા કરવા લાગતા તેમની સાથે હેમાંગીબેનની સગાઈ તોડી નાખેલ હતી તેમ છતાં આરોપી રત્નદીપએ હેમાંગીબેનને સગાઈ નહિ તોડવા માટે બળજબરી તેમજ દબાણ કરવામાં આવતું હતું. એટલું જ નહીં કોઈ સંબંધી સાથે કોઈ જગ્યાએ જાય ત્યારે પણ તે હેમાંગીબેનને કોઈની સાથે નહિ જવા માટે વારંવાર દબાણ કરાતુ હોવાનુ ફરીયાદમાં જાહેર થયુ છે. ઉપરાંત તેમાં તેમના સોશ્યલ મીડિયામાં કોઈ ફોટા શેર નહિ કરવા વારંવાર હેમાંગીબેન, ફરિયાદી અને તેના ઘરના સભ્યો સાથે ઝઘડા કરી આરોપી રત્નદીપ દ્વારા ઘરે આવી હેમાંગીબેન સાથે ઝઘડો કરવામાં આવ્યો હોવાનુ પણ જાહેર થયુ છે. આ કથિત માનસિક ત્રાસથી કંટાળી ગયેલી હેમાંગીબેને ગત તા.૦૬ના રોજ પોતાના હાથે ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા જયાં તેમનું સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર બનાવ અંગે મૃતકની માતા કિરણબેનની ફરિયાદ પરથી પોલીસે હેમાંગીબેનને મરી જવા મજબૂર કરનાર આરોપી રત્નદીપ રમેશભાઈ ખેતીયા વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.વધુ વાંચો -
દ્વારકામાં ગોમતીઘાટ નજીક પ્રેમી યુગલની કોહવાઇ ગયેલી લાશ મળી આવતાં ચકચાર
- 01, મે 2022 01:30 AM
- 1064 comments
- 7855 Views
દ્વારકા, દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ દ્વારકામાં ગોમતીઘાટથી દોઢ કિ.મી દુર આવેલી બાવળની ઝાડીઓમાંથી કોહવાયેલી હાલતમાં અજાણ્યા પ્રેમી યુગલના મૃતદેહો મળી આવ્યાં છે. આશરે ૨૫થી ૩૦ વર્ષની ઉંમર ધરાવતા અજાણ્યા યુવાન અને યુવતીના મૃતદેહને કબ્જાે સંભાળી પોલીસે ઓળખ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. એક બે દિવસ પૂર્વે આ યુગલે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાનું પોલીસે પ્રાથમિક તારણ કાઢી ઓળખવિધિ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે. દ્વારકામાં ગોમતીઘાટથી ૧.૫ કિલોમીટર દુર આવેલા દરિયા કિનારે ભુરા દાદાના મંદિરની આગળ આવેલી બાવળની ઝાડીઓમાં સ્ત્રી અને પુરુષનો મૃતદેહ પડ્યો હોવાની દ્વારકા તાલુકાના નુંન્વાભાઈ રબારીએ દ્વારકા પોલીસને જાણ કરી હતી. જેના આધારે દ્વારકા પોલીસે ઘટના સ્થળે પહોંચી આશરે ૨૫થી ૩૦ વર્ષની ઉંમર ધરાવતા યુવાન અને યુવતીના મૃતદેહને કબ્જે કર્યા હતા. આ બંનેએ અગમ્ય કારણસર ઝેરી દવા પી અહીં આપઘાત કર્યો હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાહેર થયું છે. પોલીસે બંનેના મૃતદેહને દ્વારકા હોસ્પિટલ ખસેડી ઓળખવિધિ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.વધુ વાંચો -
ભાણવડની ત્રિવેણી નદીમાં ડૂબી જતાં પાંચ મિત્રોના મોત
- 20, માર્ચ 2022 01:30 AM
- 3448 comments
- 9392 Views
દ્ધારકા, ધૂળેટીનો રંગોનો ઉત્સવ પાંચ પરિવારો માટે માતમનો દિવસ બની ગયો છે. દેવભૂમિ દ્વારકાના ભાણવડની ત્રિવેણી નદીમાં આજે પાંચ મિત્રોના ડૂબી જવાથી મોત થતાં રંગોનો ઉત્સવ દુઃખનો દિવસ બની ગયો ચે. ભાણવડમાં રહેતા કિશોર વયના પાંચ મિત્રો ધૂળેટીના દિવસે રંગોથી ઉત્સવની ઉજવણી કર્યા બાદ ત્રિવેણી નદીમાં ન્હાવા માટે ગયા હતા. જાેકે, આ પાંચેય મિત્રો નદીમાં ડૂબી જતાં તેમના પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.મળતી માહિતી પ્રમાણે ધૂળેટીનો તહેવાર હોવાથી ભાણવડમાં રહેતા કિશોર વયના પાંચ મિત્રો રંગોથી રમ્યા હતા. બાદમાં તેઓ નદીમાં ન્હાવા માટે ગયા હતા. નદીમાં ન્હાવાનો આનંદ માણી રહેલા આ મિત્રો અકસ્માતે ડૂબી ગયા હતા જેના કારણે તેમના મોત થયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તેમણે પાંચેય મિત્રોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. નદીમાં ડૂબીને મોતને ભેટેલા પાંચેય કિશોરોની ઉંમર ૧૬-૧૭ વર્ષની હતી. આ પાંચેય મિત્રો હતા અને તમામ લોકો શિવનગર, રામેશ્વર પ્લોટ અને ખારાવાડ, ભાણવડના રહેવાસી હતા. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ મૃતદેહોને બહાર કાઢ્યા હતા. પોતાના વ્હાલસોયા પુત્રોના મૃતદેહો જાેઈને પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયું હતું. પોલીસે તમામ મૃતદેહોનો કબ્જાે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જીતભાઈ ભરતભાઈ કવા (ઉ.વ.૧૬) રહે. શિવનગર, તાલુકા પંચાયત સામે, ભાણવડ હેમાંશુંભાઈ ભરતભાઈ રાઠોડ (ઉ. વ ૧૭) રહે. ખરાવાડ, ભાણવડ ભૂપેનભાઈ મુકેશભાઈ બગડા (ઉ.વ.૧૬) રહે. રામેશ્વર પ્લોટ, ભાણવડ ધવલભાઈ ભાણજીભાઈ ચંડેગરા રહે. શિવનગર, ભાણવડ હિતાર્થ અશ્વિંગીરી ગોસ્વામી બાવાજી (ઉ.વ.૧૬) રહે. શિવનગર, ભાણવડવધુ વાંચો -
કુવાડીયા પાટીયા પાસે આજુબાજુના ગામલોકોએ ખાનગી કંપનીના ૪ ટ્રક ઝડપ્યાં કાર્યવાહીની માંગ
- 21, જાન્યુઆરી 2022 01:30 AM
- 285 comments
- 1116 Views
દેવભૂમિ દ્વારકા, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખનિજ ખાસ કરી મોરમની બેફામ ચોરીની અવાર નવાર ફરીયાદો ઉઠે છે.જાેકે,તંત્ર સુશુપ્ત હોવાના આક્રોશ સાથે સંબંધિત ગામોના લોકો ત્રણેક વખત મોરમ ચોરી પણ પકડાઇ હોવાનુ સામે આવી ચુકયુ છે.ત્યારે કુવાડીયા પાટીયા પાસે આજુબાજુના ગામલોકોએ ખાનગી કંપનીના ચાર ટ્રક રોકાવ્યા હતા અને ખાણ ખનિજ વિભાગને જાણ કરતા તંત્રએ તેનુ સેમ્પલ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બેફામ ખનીજ ચોરીવાળી મોરમ વપરાતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી.કોઈ અધિકારી કે તંત્ર ધ્યાન ન દેતા આખરે જનહિતમાં જુદા જુદા વિસ્તારમાં આજુબાજુના રહેવાસી દ્વારા અત્યાર સુધીમાં ત્રણેક વખત મોરમ ચોરી પકડાઈ હોવાનુ પણ સામે આવ્યું છે.નવાઈની વાત તો એ છે કે, દ્વારકા જિલ્લામાં મોરમ ચોરીમાં પ્રાથમિક દ્રષ્ટિએ ગણાતું ખાણ ખનીજ ખાતાના જે જવાબદાર અધિકારીઓ દ્વારા શુ આંખ આડા કાન કરી લેવામાં આવે છે ? કે પછી કોઈની શેહ શરમ રાખી હેમખેમ પ્રકારે ખનિજચોરી પકડવામાં ઢીલાશ દાખવવામાં આવી રહ્યું છે ?તે સવાલ લોકોમાં ઉઠયો છે. જિલ્લામાં રોડ રસ્તાના કામમાં બેફામ ખનીજ ચોરી થતા હોવાની અનેકવાર રજૂઆતો પણ થઈ છે. એટલું જ નહીં પરંતુ છેલ્લા એકાદ માસમાં બેથી ત્રણ વખત જનતા રેડ કરી લોકો દ્વારા ગેરકાયદેસર વપરાતી મોરમને પકડીને ખનીજ ખાતાને સોંપવામાં આવી છે. આમ જાણે દ્વારકા જિલ્લામાં રોડ રસ્તાના કામમાં ધોળે દિવસે બેફામ મોરમ ચોરી કરીને વાપરવામાં આવતી હોવાનું સ્પષ્ટ પણે ચિત્ર મળી રહ્યું છે. છતાં પણ સરકારી તંત્ર એક બીજા ઉપર જવાબદારી ફેંકી હાથ ખખેરી ઉભા રહી તાલ માલને તાસીરો જાેતા હોય એવું વાતાવરણ જાેવા મળી રહ્યું છે. ખંભાળિયા તાલુકાના કુવાડીયા ગામ પાસે સ્થાનિક લોકો દ્વારા ખનિજ મોરમ સાથે ચાર ટ્રકોને રોકાવ્યા હતા અને ખાણ ખનીજ વિભાગને જાણ કરી હતી.વધુ વાંચો -
ખેતરોમાં વિજપોલ ઉભા કરવા મામલે વિવાદ ચાંપતો બંદોબસ્ત ગોઠવાયોઃત્રણ મહિલાની અટક
- 09, જાન્યુઆરી 2022 01:30 AM
- 1084 comments
- 6730 Views
દ્વારકા, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી જેટકો કંપની દ્વારા વીજ પોલ ઉભો કરવાની કામગીરી હાથ ધરાઇ છે જેને લઇને ખેડૂતોમાં ઠેરઠેર ઉગ્ર રોષ જાેવા મળી રહ્યો છે ત્યારે કલ્યાણપુર તાલુકાના માળી ગામે વાડી વિસ્તારમાં ખેડૂતોના ખેતરમાં ઉભા પાકમા વીજપોલ કંપની દ્વારા પોલીસને સાથે રાખી વીજ પોલ ઊભો કરવાની કામગીરી હાથ ધરાતા ખેડુતોમાં ભારે વિરોધ જાેવા મળ્યો હતો.જયારે ખેડૂત પરિવારનીમહિલાઓ દ્વારા પણ આ બાબતે વિરોધ નોંધાવતા પોલીસ દ્વારા ૩ મહિલાઓ ની અટકાયત કરવામાં આવી હતી જેથીપોલીસ અને ખેડૂતો વચ્ચે એક તબકકે ઉગ્ર બોલાચાલી થઈ હતી,ખેડૂતોના ટોળા એકત્ર થતાં વિવાદ વકર્યો હતો. જાેકે,કલ્યાણપુર પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી કાર્યવાહી ચાલુ કરવામાં આવી હતી. આ અંગે સ્થાનિક ખેડૂત વરજાગ હમીરભાઈ જામે જણાવ્યું હતું કે વીજપોલ ઊભો કરતી કંપની દ્વારા પૂરતો વળતર ચૂકવવામાં આવતો નથી તેમજ હાલ જીરું ના ઉભા પાકને નુકસાનની કરી પોલીસને સાથે રાખી ખેતરમા પ્રવેશ કરી બળજબરી પૂર્વક કામ ચાલુ કરવામાં આવ્યું છે.જમીનના ભાવ મુજબ પૂરતો વળતર નહીં ચૂકવાયતો આગામી સમયમા આ કામને લઈને ઉગ્ર વિરોધ કરવામા આવશે એવી ચિમકી પણ ઉચ્ચારી હતી.ખેડૂતોના ઉભા પાકમા વીજપોલ ઉભા કરવાના કામ ને લઈ ને ખેડૂતોમા ભારે રોષ જાેવા મળી રહ્યો છે.વધુ વાંચો -
સૌરાષ્ટ્રનાં હવામાનમાં પલટો ભરશિયાળે ઝાપટાં
- 07, જાન્યુઆરી 2022 01:30 AM
- 406 comments
- 7627 Views
રાજકોટ, સ્ટ્રોંગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આવતા શનિવાર સુધી કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે ત્યારે આ આગાહીના પગલે ગઈકાલ રાત્રીથી ફરી સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વિવિધ સ્થળોએ ભરશિયાળામાં ચોમાસુ માહોલ જામ્યો છે અને ઠેર-ઠેર ઝાપટા સાથે કમોસમી વરસાદ પડવા લાગ્યો છે. ગઈકાલે રાત્રીના અને આજે સવારે રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમદાવાદ, જામનગર, અબડાસા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા, ખંભાળિયા અને અરવલ્લીમાં વરસાદ પડયો હતો.દરમિયાન સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના અહેવાલો મુજબ આજે સવારે પુરા થતા ૨૪ કલાક દરમિયાન બનાસકાંઠા, કચ્છ, દ્વારકા અને અરવલ્લી જિલ્લાના ૯ તાલુકાઓમાં ઝાપટા વરસ્યા હતા. સાબરકાંઠાના વિજયનગર, બનાસકાંઠાના ધાનેરા, ડીસા, લાખાની તથા પાટણ, શંખેશ્ર્વર અને અમદાવાદમાં કમોસમી વરસાદ પડયો હતો. અમદાવાદમાં આજે વ્હેલી સવારે પણ વરસાદ પડયો હતો. રાજકોટ શહેરમાં ગતરાત્રે ઝાપટાંએ રોડ-રસ્તા ભીના કરી દીધા બાદ આજે પણ સવારે ચોમાસુ માહોલ વચ્ચે છાંટા પડયા હતા. ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે આખો દિવસ તથા આજે પણ સવારથી વાતાવરણમાં પલટો યથાવત હતો. ગઈકાલે બપોર બાદ આખા જિલ્લામાં કમોસમી છાંટા વરસ્યા હતા. જે આજે પણ અવિરત રીતે વરસ્યા હતા. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ ખંભાળિયા તાલુકા સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ મોસમમાં પલટો આવ્યો છે. આજે પણ સવારથી સૂર્યનારાયણના દર્શન થયા ન હતા અને ઘટાટોપ વાદળો વચ્ચે ખંભાળિયા તાલુકામાં ગઈકાલે બપોરથી કમોસમી છાંટા વરસ્યા હતા. ફિશસરીઝ વિભાગ દ્વારા માછીમારોને તાકીદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા આગામી તારીખ ૫ થી ૭ જાન્યુઆરી સુધી માછીમારો જાેગ એક જાહેર ચેતવણી જારી કરવામાં આવી છે. તંત્ર દ્વારા જણાવાયા મુજબ ત્રણ દિવસ દરમિયાન કમોસમી વરસાદની સંભાવના વચ્ચે માછીમારોને દરિયામાં દૂર સુધી માછીમારી ન કરવા તથા કિનારાની નજીક રહી અને માછીમારી કરવા ઉપરાંત ભારે પવન તથા વરસાદની પરિસ્થિતિમાં તાકીદે કિનારા પર પહોંચી જવા જિલ્લાના જુદા જુદા મત્સ્યોદ્યોગ કેન્દ્ર તથા આ અંગેના એસો.ને લેખિત પત્ર દ્વારા જણાવાયું છે. મળતી વિગતો મુજબ જામજાેધપુરના મોટી ગોપ ગામે એકધારો ૩૦ મિનિટમાં પોણો ઇંચ વરસાદ થયો હતો તેમજ જામજાેધપુર શહેરમાં પણ ગત સાંજે છ વાગ્યાથી મોડીરાત સુધી ધીમીધારે વરસાદી છાંટા પડયા હતા. જામજાેધપુર સહિત ગ્રામ્ય વિસ્તારમાં આજે વ્હેલી સવારથી વરસાદી વાતાવરણ સાથે વરસાદના છાંટા ચાલુ રહ્યા હતા. જામનગર શહેર અને જિલ્લામાં મોસમએ ફરીથી કરવટ બદલી છે. માવઠાને પગલે ધરતીપુત્રોને હાલાકીઃ સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત દયનીય સમગ્ર ગુજરાતમાં ૩ દિવસ વરસાદની આગાહી હવામાન તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે શિયાળાની સિઝન દરમ્યાન પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી જવા પામ્યા છે. હાલની પરિસ્થિતિ મુજબ સમગ્ર ગુજરાતના ખેડૂતો દ્વારા શિયાળાની શરૂઆત થતાની સાથે જ શિયાળું પાકોનું વાવેતર શરૂ કરી દેવામાં આવ્યું હતું. જીરું, વરિયાળી અને ચણા જેવા રવિ પાકોનું વાવેતર સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ શિયાળાની શરૂઆતથી જ કમોસમી વરસાદી ઝાપટાંને પગલે શિયાળું પાકમાં વાવેતરને નુકસાનની ભીતિ સર્જાઇ હોય તેવું ખેડૂતો પાસેથી જાણવા મળી રહ્યું છે. આ વાતાવરણમાં ભેજ હોય તેઓ સ્પષ્ટ અહેસાસ થઇ રહ્યો છે. તેવા સંજાેગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ સહિતના પંથકોમાં વહેલી સવારથી વાતાવરણ ભેજ વાળું લોકો અહેસાસ કરી રહ્યા છે. ત્યારે આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી તે સાચી પડી છે. આજે વહેલી સવારથી સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વખત માવઠાનો માર ખેડૂતોને સહન કરવાનો સમય આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં લીંબડી, સાયલા, ચોટીલા, થાન, વઢવાણ, જાેરાવરનગર અને રતનપર સહિતના ગામોમાં વહેલી સવારથી ઝરમર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે.વધુ વાંચો -
કલ્યાણપુરની ભાટિયા સબપોસ્ટ ઓફિસરનાકરોડના ઉચાપત પ્રકરણમાં પોસ્ટ કર્મચારીની ધરપકડ
- 03, ડિસેમ્બર 2021 01:30 AM
- 3926 comments
- 813 Views
દેવભૂમિ દ્વારકા, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલી ભાટિયા ગામની સબપોસ્ટ ઓફિસમાં દોઢ વર્ષના સમયગાળા દરમિયાન એક કર્મચારી દ્વારા રૂ. ૧.૫૬ કરોડની સુવ્યવસ્થિત રીતે કરવામાં આવેલી ઉચાપતનું કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદપોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને આ અંગેનું સાહિત્ય કબજે કર્યું છે. ઉચાપત કરાયેલી રકમપૈકી ૧.૪૪ કરોડ આરોપી શખ્સ દ્વારાપરત જમા કરાવી દેવામાં આવ્યા છે. ચકચારી એવા આ પ્રકરણમાં ભાટિયા ખાતે રહેતા અને આ ગામની સબપોસ્ટ ઓફિસમાંપોસ્ટલ આસિસ્ટન્ટ અને ઇન્ચાર્જ સબપોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા તારક હેમતભાઈ જાદવ દ્વારા તા. ૧૦-૦૬-૨૦૧૯થી તા. ૧૯-૧૨-૨૦૨૦ સુધીના સમયગાળા દરમિયાનપોતાના અધિકારનો દુરુપયોગ કરી અને તેમની અંડરમાં આવતી ૧૮પૈકીની ૧૬ બ્રાન્ચના ૧૧૦ વખત કરવામાં આવેલા ટ્રાન્ઝેકશન મારફતે કોમ્પ્યુટર સોફ્ટવેરમાં એન્ટ્રી કરી, રૂપિયા ૧,૫૫,૭૫,૦૦૦ની રોકડ રકમ ઉપાડી લેવામાં આવી હતી. દોઢ વર્ષ દરમિયાનનું આ સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવતા આ અંગે જામનગરનાપોસ્ટ અધિકારી પિનાકીન શાહની ફરિયાદપરથી કલ્યાણપુર પોલીસે પોસ્ટ કર્મચારી તારક જાદવ સામે આઈ.પી. સી. કલમ ૪૦૯ મુજબ ગઈકાલે વિધિવત રીતે ધરપકડ કરી હતી.પી.એસ.આઈ. એફ.બી. ગગનીયા સમગ્ર પ્રકરણ રહેલું કોમ્પ્યુટર રેકર્ડ તથા સાહિત્ય કબજે લેવામાં આવ્યું. છે. વધુમાં જાહેર થયેલી વિગત મુજબ આરોપી રાખ્સ દ્વારા તેની તપાસ દરમિયાન ઉચાપતપૈકીની રૂ.૧.૪૪ કરોડની રકમ સરકારમાંપરત જમા કરાવી દેવામાં આવી છે.વધુ વાંચો -
પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં પરંપરા તૂટી પહેલીવાર મંદિરમાં પાંચમી ધજા ન ચઢી
- 14, નવેમ્બર 2021 01:30 AM
- 2137 comments
- 1989 Views
દ્વારકા, ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં આજે પરંપરાનું મહત્વ છે. અહી મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવાને લઈને ખાસ પરંપરા છે. ત્યારે પહેલીવાર મંદિર પર ધજારોહણ કરવાની પરંપરા તૂટી છે. મંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત શિખર પર પાંચમી ધ્વજા ન ચઢી. ત્યારે મંદિર પ્રશાસને પોતાને સમયસર ધ્વજા ન મળ્યાનુ જણાવ્યું. યાત્રાધામ દ્વારકાના જગત મંદિરના શિખર પર ગઈકાલે એક ધ્વજા ન લહેરાઈ. દ્વારકાધીશ જગત મંદિર ખાતે શિખર પર દરરોજ પાંચ વખત ધ્વજારોહણ કરવામાં આવે તેવી પરંપરા છે. ગઈ કાલે સાંજે છેલ્લી ધ્વજા યજમાન પરિવાર મોડી આવી હતી, જેથી ધજા લહેરાઈ ન હતી. ધ્વજા શિખર પર લહેરાવવા અબોટી બ્રાહ્મણ પરિવાર જાય છે, જ્યારે ધ્વજાની પૂજન વિધિ અન્ય બ્રાહ્મણો દ્વારા કરાય છે. ગઈ કાલે યજમાન પરિવાર મોડી સાંજે મંદિર ખાતે પહોંચ્યા હોવાથી પાંચમી ધ્વજા ન લહેરાઈ હતી. વર્ષોથી દ્વારકાધીશના જગત મંદિર શિખર પર પાંચ ધ્વજા લહેરાવવામાં આવે છે, ત્યારે ગઈકાલે પહેલીવાર ધ્વજાની આ પરંપરા તૂટી હતી. ભક્તો ધ્વજાને સમયસર ન લઈ જતા પરંપરા તૂટી હતી. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અબોટી બ્રાહ્મણ ધ્વજા લહેરાવવા ગયા બાદ જગત મંદિર અંદર પગથિયાંમાં પગ લપસવાથી ઇજાગ્રસ્ત થયા બાદ મોડી સાંજ ના સમયે ધ્વજારોહણ કરવા જવાનું બંધ કરાયું હતું. મંદિરમાં છેલ્લી ધ્વજા ચઢાવવાનો સમય સાંજે ૭ વાગ્યાનો છે. હાલમાં થયેલા અકસ્માતના લીધે ધ્વજાઆરોહણ કરતા અબોટી બ્રહ્મ સમાજ દ્વારા પ્રાંત અધિકારી સમક્ષ આવેદન આપી સમય મર્યાદામાં ધ્વજાઆરોહણ કરવામાં આવશે તેવુ જણાવવામાં આવ્યું હતું. જાે સમય મર્યાદામાં ધ્વજાજી તેમને સોપવામાં નહી આવે તો તે ધ્વજાજી ચડાવવામાં નહી આવે તેવું જણાવવામાં આવ્યું હતું.વધુ વાંચો -
૩૫૦ કરોડ રૂપિયાનાં ડ્રગ્સ મામલે વધુ બે આરોપીની ધરપકડ
- 14, નવેમ્બર 2021 01:30 AM
- 7276 comments
- 2149 Views
દેવભૂમી દ્વારકા, દ્વારકા જિલ્લામાંથી પકડાયેલા રૂપિયા ૩૧૫ કરોડનાં ડ્રગ્સ મામલે વધુ બે આરોપીનાં નામ ખુલ્યા છે. જેમાંથી એક મહારાષ્ટ્રીયન યુવક સેજાદ ઘોસી પાસેથી ૧૭ કિલો ૬૫૧ ગ્રામ ડ્રગ્સ ઝડપાતા હરકતમાં આવેલ એસઓજી દ્વારા ડ્રગ્સ સપ્લાયર સલાયાનાં કારા બંઘુ સલીમ કારા અને અલી કારાને ઝડપી તેમની પાસેથી ૪૭ કિલોનો ડ્રગ્સ ઝડપાતા રૂપિયા ૩૧૫ કરોડનો જંગી ડ્રગ્સનો જથ્થો ઝડપી તમામ ત્રણેય આરોપીઓનાં ૯ દિવસનાં રિમાન્ડ મળતા રિમાન્ડનાં પ્રથમ દિવસે જ ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા.આ ખુલાસા પ્રમાણે, દ્વારકાનાં રૂપેણ બંદરથી અલી કારાએ એક માસ પહેલાથી જ ખરીદેલ ફારૂકી બોટ મારફતે ડ્રગ્સ આવ્યું હતું . અને બોટ મારફત ડ્રગ્સ લાવવા માટે કારા બંધુએ વધુ ૨ આરોપી સલીમ અને ઈરફાન જસરાયાને હાયર કરી તેમને સમુદ્ર માર્ગે રૂપેણબંદરથી ફિશિંગનું ટોકન કઢાવવી સમુદ્ર માર્ગે જખૌ મોકલ્યા હતા પરંતુ ડિલિવરીમાં મોડું થતા સલીમ જસરાયા તથા ઈરફાન જસરાયાએ ત્યાંથી ટોકન મેળવી સમુદ્રમાં જઇ પાકિસ્તાની જળ સીમમાં જઈ ડ્રગ્સનો જથ્થો મેળવ્યો હતો અને તે બાદ ફારૂકી નામની બોટ મારફત ગુજરાતનાં સલાયા બંદરે ૯ તારીખે આવ્યા હતા. આ બોટ દ્વારા લાવવામાં આવેલો ડ્રગ્સનો તમામ જથ્થો અલી કારા અને સલીમ કારાને સોંપ્યો હતો. આમ હાલ ૩૧૫ કરોડનાં ડ્રગ્સ મામલે આજરોજ નવાં ૨ વધુ આરોપી ઝડપાતા અત્યાર સુધી કુલ ૫ આરોપીઓ ડ્રગ્સ પ્રકરણમાં ઝડપાયા હતા અને આ નવા ઝડપાયેલા બન્ને આરોપીને પણ કોર્ટ સમક્ષ રિમાન્ડની માંગણી કરી આગળ તપાસ વધારવામાં આવશે. સમગ્ર મામલે મળતી માહિતી પ્રમાણે આ ડ્રગ્સનો જથ્થો ૬૬ કિલો છે. જેમા ૧૬ કિલો હેરોઇન છે. જ્યારે ૫૦ કિલો એમડી ડ્રગ્સ છે. દેવભૂમિ દ્વારકાનાં આરધના ધામ પાસેથી ઝડપાયેલાં આ ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની થાય છે. આ પેહલી વખત નથી જ્યારે ગુજરાતમાં દરિયાઇ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ થયો છે. હાલમાં જ મુંદ્રામાંથી ૩ હજાર કિલોનું ડ્રગ્સ ઝડપાયું છે.દ્વારકા જિલ્લામાંથી પકડાયેલા રૂપિયા ૩૧૫ કરોડનાં ડ્રગ્સ મામલે વધુ બે આરોપીનાં નામ ખુલ્યા છે. જેમાંથી એક મહારાષ્ટ્રીયન યુવક સેજાદ ઘોસી પાસેથી ૧૭ કિલો ૬૫૧ ગ્રામ ડ્રગ્સ ઝડપાતા હરકતમાં આવેલ એસઓજી દ્વારા ડ્રગ્સ સપ્લાયર સલાયાનાં કારા બંઘુ સલીમ કારા અને અલી કારાને ઝડપી તેમની પાસેથી ૪૭ કિલોનો ડ્રગ્સ ઝડપાતા રૂપિયા ૩૧૫ કરોડનો જંગી ડ્રગ્સનો જથ્થો ઝડપી તમામ ત્રણેય આરોપીઓનાં ૯ દિવસનાં રિમાન્ડ મળતા રિમાન્ડનાં પ્રથમ દિવસે જ ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા.વધુ વાંચો -
દ્વારકા ડ્રગ્સ રેકેટ કેસમાં આરોપીને ૯ દિના રિમાન્ડ ઃ પૂછપરછમાં અનેક રાઝ ખુલશે
- 12, નવેમ્બર 2021 01:30 AM
- 1663 comments
- 8945 Views
અમદાવાદ, દેવભૂમિદ્વારકાના સલાયામાંથી ડ્રગ્સ મળવાના કેસમાં આરોપીના ૯ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. આરોપી શહેજાદને પોલીસે ખંભાળિયાની કોર્ટમાં રજૂ કરીને ૧૪ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. કોર્ટે દલીલો સાંભળ્યા બાદ આરોપીના ૯ દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. તો બીજી તરફ પોલીસની તપાસ દરમિયાન કુલ ૬૩ કિલો ૧૭ ગ્રામ ડ્રગ્સનો જથ્થો મળ્યો છે. જેની કિંમત ૩૧૦ કરોડ ૯ લાખ ૫૦ હજાર આંકવામાં આવી છે.મહત્વનું છે કે મહારાષ્ટ્રના શહેજાદની પૂછપરછમાં બે સપ્લાયરના નામ સામે આવ્યા છે. પોલીસે બંને આરોપી ભાઈની અટકાયત કરી છે. સલાયા ગામે સલીમ કારા અને અલી કારાના રહેણાંક ઘરે ડ્રગ્સને સીલ કરવામાં આવ્યું છે. બંને ભાઈ પાસેથી ૪૭ પેકેટ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. આ ડ્રગ્સ પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે મોકલવામાં આવ્યું હતું. ડ્રગ્સનો જથ્થો સલાયાથી મહારાષ્ટ્ર પહોંચે તે પહેલા જ દ્વારકા પોલીસને ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. આ બંને આરોપી અગાઉ અનેક ગુનામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છેકે આ સાથે જ ગુજરાતમાં વધુ એક ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે. દ્વારકા પોલીસે ૬૬ કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત હાલમાં સાડા ત્રણસો કરોડ કહેવામાં આવી રહી છે. સમુદ્રના રસ્તે ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્ર રચાઈ રહ્યું હતું. ત્યાર દ્વારકા પોલીસે તેને ઝડપી પાડ્યું છે.જાે કે ૬૬ કિલો ડ્રગ્સના જથ્થાની કિંમત અંદાજે ૩૧૦ કરોડ ૯ લાખ ૫૦ હજાર જેટલી જણાવવામાં આવી રહી છે. ત્યારે આંતરાષ્ટ્રીય કીમત ૩૫૦ કરોડની હોવાની વાત બહાર આવી છે. જિલ્લાના વાડીનાર અને સલાયા વિસ્તારમાંથી ડ્રગ્સ ઝડપાયું છે. પોલીસ વડા સુનિલ જાેષીના માર્ગદર્શન હેઠળ આ સંપૂર્ણ ઓપરેશન હાથ ધરાયું હતું. છેલ્લા ૩ દિવસમાં રાજ્યમાં ડ્રગ્સ સામે પોલીસે સકંજાે કસ્યો છે.દેવભૂમિદ્વારકામાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. તો છોટાઉદેપુરમાં મંગળવારે ૭૦.૮૬ લાખના ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો હતો. એટલું જ નહિં અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ બુધવારે ૧.૭૦ લાખના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ કરી છે. તો સુરતમાંથી પણ એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો છે. મળતી માહિતી અનુસાર ગુજરાતમાં કુલ રૂ.૩૬૫ કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. દ્વારકામાંથી ઝડપાયેલા ડ્રગ્સ અંગે હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. એનસીપી નેતા નવાબ મલિકે ગંભીર આક્ષેપ કરી ગુજરાતીઓનું અપમાન કર્યું છે. નવાબ મલિકે કહ્યું, ગુજરાતમાં ડ્રગ્સનો મોટાપાયે વેપાર ચાલે છે. મુંદ્રા બાદ દ્વારકામાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું છે. આ સાથે મંત્રી કિરીટસિંહ રાણા ઉપર પણ ગંભીર આક્ષેપ કર્યો છે. નવાબ મલિકે કહ્યું કે મહારાષ્ટ્રમાં ૨, ૪ ગ્રામ પકડીને પબ્લિસિટી કરવામાં આવે છે પણ ગુજરાતમાં ડ્રગનો મોટો કારોબાર ચાલી રહ્યો છે એવો લોકોને શક છે. ગુજરાતના દ્વારકામાં ૩૫૦ કરોડનું ડ્રગ્સ મળ્યું છે આ એક નવો મામલો સામે આવ્યો છે. ડ્રગ્સ સાથે જાેડાયેલા લોકો અમદાવાદની હોટલમાં રોકાતા હતા. જેમાં મનીષ ભાનુશાળી, સુનિલ પાટીલ સહિતના લોકો અમદાવાદ રોકાઈ ચૂક્યા છે. ડ્રગ્સ કાંડમાં સંડોવાયેલ લોકો કિરીટસિંહ રાણાને શું કામ મળતા હતા. મનીષ ભાનુશાળી, ગોસાવી વારંવાર કેમ ધારાસભ્ય કિરીટસિંહ રાણા પાસે જતા હતા. કિરીટસિંહ રાણા સાથે તેમના શું સંબંધ છે. સલાયામાં મોડી રાત્રે સર્ચ-ઓપરેશનમાં વધુ ૪૬ કિલો ડ્રગ્સ જપ્ત ગઈકાલે દ્વારકામાં ૧૭ કિલો ડ્રગ્સ મળી આવતાં હાહાકાર મચ્યો છે, જેને લઈને નાર્કોટિક્સ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. જ્યારે મોડી રાત્રે સલાયામાં અલી અને સલીમ નામના બે શખસનાં ઘરે સર્ચ કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં વધુ ૪૬ કિલો ડ્રગ્સનો જથ્થો મળ્યો છે. ૧૭ કિલો પહેલાં અને ૪૬ કિલો મોડી રાત્રે મળીને કુલ ૬૩ કિલો ડ્રગ્સ મળી આવ્યો છે. મુન્દ્રા બંદર પછી હવે દ્વારકામાંથી કરોડોનો નશીલો પદાર્થ ઝડપાતાં ગુજરાતમાં કાયદો અને સુરક્ષાની સ્થિતિ સામે અનેક સવાલ ઊઠી રહ્યા છે. ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે, એની સાથે નશાના કારોબાર અને નશીલા પદાર્થોની હેરાફેરી પણ વધી છે.વધુ વાંચો -
મુંબઈના કારા ભાઈઓ પાસેથી ૮૮ કરોડનું એમડી ડ્રગ્સ જપ્ત
- 11, નવેમ્બર 2021 01:30 AM
- 7715 comments
- 112 Views
દ્વારકા, દેવભૂમિ દ્વારા ન્ઝ્રમ્ અને ર્જીંય્ની ટીમે મંગળવારે સાંજે ખંભાળિયાના આરાધના ધામ પાસેથી મુંબઈના એક શખ્સને હેરોઈન અને સ્ડ્ઢ ડ્રગ્સના સાથે ઝડપ્યા બાદ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ પાકિસ્તાનથી ગુજરાત આવ્યું હોવાનો ખુલાસો થયો છે. સલાયાના બે ભાઈઓએ જ આ ડ્રગ્સનો જથ્થો મગાવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે બંને ભાઈઓના ઘરેથી વધુ ૪૭ પેકેટ કબજે કરતા ઝડપાયેલા ડ્રગ્સની અંદાજીત કિંમત ૨૫૦ થી ૩૦૦ કરોડ રૂપિયા થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. રાજકોટ રેન્જ આઈજી સંદિપસિંઘ અને દેવભૂમિ દ્વારકા એસપી સુનિલ જાેશીએ ડ્રગ્સ મામલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.દ્વારકામાં પકડાયેલા કરોડોના ડ્ર્ગ્સ મામલે દ્વારકાના રેન્જ આઈજી સંદીપ સિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, આખરે કેવી રીતે સ્થાનિક પોલીસે કરોડોના ડ્રગ્સનો પર્દાફાશ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, મુંબઈના આરોપી સલીમ કારા અને અલી કારા પાસેથી ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. પહેલીવાર સ્થાનિક પોલીસ દ્વારા આટલી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. સંદીપ સિંહે જણાવ્યું કે, પોલીસને બાતમીદાર દ્વારા માહિતી મળી હતી કે, કેટલાક શખ્સના હિલચાલ શંકાસ્પદ છે. તેમની એક્ટિવિટી વિચિત્ર છે અને તે સ્થાનિક લાગતો નથી. વર્ણનના આધારે પોલીસ દ્વારા આરોપીઓને શોધવાનો પ્રયાસ કરાયો હતો. આરાધના ધામ પાસેથી એક શખ્સ પકડાયો હતો. જેની પાસે ત્રણ બેગ હતા. પૂછપરછ કર્યા બાદ બેગની તપાસ કરતા ૧૧.૪૮૩ કિલો હેરોઈન મળી આવ્યું. ૬.૬૮ ગ્રામનું એમડી ડ્રગ્સ મળ્યું. કુલ મળીને ૧૭ કિલો ૬૫૧ ગ્રામ થાય છે. જેની કિંમત ૮૮ કરોડની થાય છે. આ ડ્રગ્સ નાના પેકેટમાં પેક કરાયેલુ હતું. શખ્સની પૂછપરછમાં તેમણે પોતાનું નામ શહેજાદ અને મુંબઈના રહેવાસી હોવાનું જણાવ્યુ હતું. તેઓ બે દિવસ પહેલા ખંભાળિયા આવીને આરતી ગેસ્ટ હાઉસમાં રોકાયો હતો. બે દિવસથી તે કન્સાઈનમેન્ટ લેવાનો પ્રયાસ કરતો હતો. ગઈકાલે તેણે કન્સાઈનમેન્ટ મેળવ્યું હતું. તેણે સલીમ કારા અને અલી કારાનું નામ લીધું હતું. આ બાદ પોલીસે સલીમ કારા અને અલી કારાની અટકાયત કરી છે. શહેજાદની જેમ જ સલીમ કારા અને અલી કારા પાસેથી ૪૭ ડ્રગ્સના પેકેટ મળ્યા છે. તેની ગણતરી હજી ચાલી રહી છે. જેની માહિતી હજી સામે આવી નથી. જેથી ડ્રગ્સનો આંકડો વધી શકે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે જે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે તે ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનથી આવ્યો હોવાનો આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે. જાે કે, પાકિસ્તાનથી આ જથ્થો કયા બંદર પર કઈ રીતે લાવવામા આવ્યો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.ગુજરાતમાં ડ્રગ્સને કોઈ પણ રીતે ચલાવી લેવામાં નહિ આવેઃ ગૃહ રાજ્ય મંત્રી ગાંધીનગર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સનું દૂષણ મોટા પાયે વધી રહ્યુ છે. દેશભરમાં ડ્રગ્સ ઘૂસાડવા માટે ગુજરાત એક સલામત પેસેજ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો અવારનવાર પકડાઈ રહ્યો છે. આ સંજાેગોમાં આજે દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા ૬૬ કિલોથી વધુનો ડ્રગ્સ નો જથ્થો પકડી પડાયો છે. જે અંગે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ માફિયાઓને કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ડ્રગ્સને કોઈ પણ રીતે ચલાવી લેવામાં આવશે નહિ. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સતત મોટી માત્રામાં પકડાઈ રહેલા ડ્રગ્સના જથ્થા અંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પત્રકારોને જણાવ્યું હતું કે, દુનિયામાં ડ્રગ્સનું દૂષણ ઘણું ઝડપથી વધી રહ્યુ છે. યુવા ધનને ડ્રગ્સની લતમાં ધકેલવા માટે માફિયાઓ અનેક પ્રકારની તરકીબો અપનાવી રહ્યા છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગના માર્ગ દર્શન હેઠળ ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી ડ્રગ્સને ગુજરાતના ખૂણેખૂણેથી બહાર કાઢવા માટે સારી કામગીરી કરવામાં આવી રહી છે. છેલ્લાં બે મહિનાથી રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા ડ્રગ્સ મામલે કુલ ૫૮ જેટલા કેસો કરવામાં આવ્યા છે. જયારે ૯૦ થી વધુ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.વધુ વાંચો -
દ્વારકાધિશના મંદિરમાં દિવાળીના તહેવારો માટે દર્શનનો સમય જાહેર
- 31, ઓક્ટોબર 2021 01:30 AM
- 5013 comments
- 4519 Views
દ્વારકા, સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાધિશના દર્શન માટે દિવાળીના તહેવારો દરમિયાન ભારે ભીડ રહેતી હોય છે. ભાવિકોને મુશ્કેલી ન પડે તે માટે દીપાવલી ઉત્સવ અને દર્શનનો સમય જાહેર કરવામાં આવ્યો છે. જેમાં દિવાળી, નૂતન વર્ષના તહેવારો દરમિયાન મંદિરમાં ૨ નવેમ્બરથી ૬ નવેમ્બર દરમિયાન વિવિધ ઉત્સવ અને દર્શનનું આયોજન કરવામા આવશે. તા. ૪-૧૧-૨૦૨૧ ને ગુરુવારે દિવાળીના દિને ઠાકોરજીના દર્શન નિત્યક્રમ મુજબ થશે.બપોરે ૧ કલાકે અનોસર મંદિર બંધ થશે.સાંજે ૫ કલાકે ઉત્થાપન દર્શન અને રાત્રે ૮ કલાકે હાટડી દર્શન ત્યારબાદ રાત્રે ૯-૪૫ કલાકે અનોસ૨ મંદિર બંધ થશે.દ્વારકાધિશ મંદિરના સૂત્રોના જણાવ્યા મુજબ દિવાળી, નૂતન વર્ષના તહેવારો દરમિયાન મંદિરમાં ૨ નવેમ્બરથી ૬ નવેમ્બર દરમિયાન વિવિધ ઉત્સવ અને દર્શનનું આયોજન કરવામા આવશે. તા. ૪ નવેમ્બરને ગુરુવારે દિવાળીના દિને ઠાકોરજીના દર્શન નિત્યક્રમ મુજબ થશે.બપોરે ૧ કલાકે અનોસર મંદિર બંધ થશે. સાંજે ૫ કલાકે ઉત્થાપન દર્શન અને રાત્રે ૮ કલાકે હાટડી દર્શન ત્યારબાદ રાત્રે ૯-૪૫ કલાકે અનોસ૨ મંદિર બંધ થશે. તા.૫નવેમ્બરને શુક્રવારે નૂતન વર્ષના દિને સવારે ૬ કલાકે મંગલા આરતી થશે. ત્યારપછી બપોર સુધી ઠાકોરજીનાં દર્શન નિત્યક્રમ મુજબ થશે. બપોરે ૧ કલાકે અનોસર મંદિર બંધ થશે. સાંજે ૫ થી દરમ્યાન અન્નકૂટ ઉત્સવનાં દર્શન થશે. રાત્રે ૯.૪૫ કલાકે મંદિર બંધ થશે. તા. ૬ નવેમ્બરને શનિવારે સવારે ૭ કલાકે મંગળા આરતી થશે. ત્યારપછી બપોર સુધી ઠાકોરજીનાં દર્શન નિત્યક્રમ મુજબ થશે. બપોરે ૧ દર્શન કલાકે મંદિર બંધ થશે. સાંજે દર્શન નિત્યક્રમ મુજબ જ થશે.વધુ વાંચો -
દેવભૂમિ દ્વારકામાં મહિલાઓને આર્ત્મનિભર બનાવવા લોન અપાઈ
- 23, ઓક્ટોબર 2021 11:28 AM
- 8130 comments
- 8092 Views
દ્વારકા-દ્વારકા જિલ્લામાં પણ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો લાભ વધુને વધુ મહિલાઓ સુધી પહોંચે તે માટે જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભાવેશ એન.ખેરની ઉપસ્થિતિમાં કલ્યાણપુર તાલુકાના રાણ ગામ સ્થિત સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક શાખા દ્રારા મોટા આસોટા ગામના રોહીદાસ સ્વસહાય જૂથને રૂપિયા ૧ લાખની લોન આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રંસગે બેંક મેનેજર પ્રિયાંક પ્રજાપતિ અને જિલ્લા લાઈવ્લીહુડ મેનેજર અરશીભાઇ નંદાણીયાના હસ્તે રોહીદાસ સ્વસહાય જૂથની બહેનોને લોન મંજૂરી પત્ર એનાયત કરવામાં આવ્યો હતો.ગ્રામ્ય અને શહેરી કક્ષાએ અસંગઠિત, ઓછી આવક ધરાવતા અને છૂટક કામકાજ કરતા પરિવારોની મહિલાઓ આર્થિક બાબતે આર્ત્મનિભર બને અને જુદા જુદા વ્યવસાય થકી રોજગારી મેળવી પગભર થાય તે માટે બહેનોને સંગઠિત કરી તેમના સ્વસહાય જૂથો બનાવી તેમને તાલીમ, ક્ષમતાવર્ધન અને માર્કેટિંગ સહકાર પૂરો પાડવા સમગ્ર દેશમાં દિન દયાલ અંત્યોદય યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તાર માટે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજનાનું અમલીકરણ આવ્યુ છે. કોરોના મહામારીના કારણે આર્થિક બાબતોમાં ઉભી થયેલી મુશ્કેલીઓના નિવારણ માટે રાજ્ય સરકાર દ્રારા મહિલાઓને પગભર બનાવવાના હેતુથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં ૧૦ બહેનોના જાેઈન્ટ લાયેબીલીટી અર્નિંગ એન્ડ સેવિંગ ગ્રુપની રચના કરવામાં આવે છે, અને સરકાર સાથે કરાર કરેલ નાણાકીય સંસ્થાઓ આવા ગ્રુપની બહેનો સ્વાવલંબી અને આર્ત્મનિભર બને તે માટે રૂપિયા એક લાખની લોન આપે છે, જેનું વ્યાજ સરકાર દ્રારા ભોગવવામાં આવે છે. મહિલાઓને વગર વ્યાજે આ લોનની રકમ મળવાથી તેઓ તેમના આર્થિક ઉપાર્જન માટેની કોઈ પણ પ્રવૃત્તિ હાથ ધરી શકે છે, જેના થકી આ યોજનાની લાભાર્થી બહેનો તેમના પોતાના જ વતનમાં એટલે કે, જન્મભૂમિના ખોળે જ કામધંધો કરી તેમની રોજગારીમાં વધારો કરી આર્ત્મનિભર બનતી નજરે પડે છે.વધુ વાંચો -
દ્વારકા: કલ્યાણપુર તાલુકામાં વીજ કરંટની બે ઘટનામાં 3 વ્યક્તિના મોત
- 19, ઓક્ટોબર 2021 11:32 AM
- 5904 comments
- 1254 Views
દ્વારકા-દ્વારકામાં ચોંકાવનારી ઘટના બની છે,18 ઓક્ટોબરના રોજ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં વીજશોક લાગવાથી ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. દ્વારકા જિલ્લાના ચાચલાણા અને ગઢકા ગામમાં આ દુખદ ઘટના બની છે, જેમાં એક વ્યક્તિને વીજ કરંટ લાગ્યો હતો. જેને બચાવવા જતા અન્ય વ્યક્તિને પણ કરંટ લાગ્યો અને બંનેનું મોત નીપજ્યું. જ્યારે ગઢકામાં ખેતરમાં વીજ વાયર અડી જતા બાળકીનું મોત થયું હોવાની દુખદ ઘટના ઘટી છે. કલ્યાણપુર તાલુકાના ચાચલાણા ગામે ખેતરમાં ટીસી પર રીપેરીંગ કરવા જતાં એક વ્યક્તિને વીજ કરંટ લાગ્યો હતો. ત્યાર બાદ બીજા વ્યક્તિએ તેને બચાવવા જતા તેને પણ વીજ કરન્ટ લાગતા બંનેનું મોત નીપજ્યું હતું. ધટનાની જાણ થતાં કલ્યાણપુર પોલોસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસમોર્ટન માટે કલ્યાણપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. બીજી ઘટનામાં કલ્યાણપુરના ગઢકા ગામે ખેતરમાં જીવંત વીજ વાયર નીચે પડતા બાળકીનું મોત થયું છે. બાળકી ખેતરમાં રમતી હતી અને એ વેળાએ જ વીજ વાયર નીચે પડતા મોત નીપજ્યું. વીજ કરન્ટની ઘટનામાં કુલ 3 મોત નીપજતા કલ્યાણપુર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.વધુ વાંચો -
દ્વારકાના ડે.કલેક્ટર નિહાર ભેટારિયા ૩ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
- 15, ઓક્ટોબર 2021 01:30 AM
- 7103 comments
- 4532 Views
દેવભૂમિ દ્વારકા, દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા નિહાર ભેટારિયાને એસીબીએ રૂપિયા ત્રણ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. પાક રક્ષણ માટે હથિયારનો પરવાનો આપવા બદલ પ્રાંત અધિકારી દ્વારા અરજદાર પાસે રૂપિયા ત્રણ લાખની લાંચ માગવામાં આવી હતી. આ અંગે અરજદારની અરજીના પગલે ગાંધીનગર એસીબીની ટીમે છટકું ગોઠવી અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવતા નિહાર બુધાભાઇ ભેટારિયાએ એક આસામીને પાક રક્ષણ હથિયાર પરવાનો આપવા માટે રૂ.૩,૦૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. જાેકે જે તે આસામી આવડી મોટી રકમ આપવા માંગતા ન હોવાથી તેઓએ ગાંધીનગર એસીબીની ફરિયાદ કરી હતી. જેના આધારે ગુરૂવારના રોજ ગાંધીનગર એ.સી.બી. ટીમ દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં દ્વારકા નાયબ કલેક્ટર ભેટારિયા ત્રણ લાખની લાંચ લેતા આબાદ પકડાઈ ગયા હતા. એસીબીની ટીમે અધિકારીની ધરપકડ કરી તેના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ ઉપરાંત તેના બેંકના એકાઉન્ટ સહિતનો તાગ મેળવવા કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. જીએએસ કક્ષાનો અધિકારી એસીબીની ટ્રેપમાં સપડાઈ જતા હાલારની બંને સરકારી કચેરીઓમાં આ મુદ્દો છવાયેલો રહ્યો હતો.વધુ વાંચો -
જામનગરના એક જ પરિવારની ત્રણ મહિલાઓનો ભાણવડમાં આપઘાત
- 12, ઓક્ટોબર 2021 01:30 AM
- 1431 comments
- 1558 Views
દેવભૂમિ દ્વારકા, દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં એક જ પરિવારની ત્રણ મહિલાએ સામૂહિક આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે. મૂળ જામનગરના અને છેલ્લા એક અઠવાડિયાથી ભાણવડ રહેવા ગયેલા મુસ્લિમ પરિવારની માતા-પુત્રી અને સાસુએ આર્થિક પરિસ્થિતિથી કંટાળીને સામૂહિક આપઘાત કરતાં ભાણવડ પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, મૂળ જામનગરનો પરિવાર છેલ્લા એક અઠવાડિયાથી દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં રહેવા આવ્યો હતો. ગાયત્રીનગર કબ્રસ્તાન પાસેના વિસ્તારમાં દીકરી સાહિસ્તા નૂરમમાદ શેખ (ઉં વ.૧૮), માતા નૂરજહાબાનું નૂરમામદ શેખ (ઉં વ. ૪૨), અને સાસુ નમબાનુ સરવણિયા (ઉં વ. ૬૩)એ એકસાથે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે. આ અંગે પોલીસને જાણ થતાં ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને મૃતક માતા-પુત્રી અને સાસુના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી આત્મહત્યાનું મૂળ કારણ શોધવાની આગળની કાર્યવાહી હાથ ધરી છે.વધુ વાંચો -
શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની થશે આજે ધામધુમ પુર્વક ઉજવણી, માધવની સામ્રાજય ભુમી દ્વારકામાં ભક્તોનું ઘોડાપુર
- 30, ઓગ્સ્ટ 2021 11:19 AM
- 799 comments
- 2396 Views
અમદાવાદ-આજે 30 ઓગસ્ટ 2020ના રોજ જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવવામાં આવશે. જન્માષ્ટમીના પાવન અવસરે સમગ્ર દેશ ભગવાન કૃષ્ણની ભક્તિમાં લીન થઈ જાય છે. ત્યારે તમામ ઘરોમાં પણ આ ઉત્સવને ખૂબ જ ધામધૂમપૂર્વક મનાવવામાં આવે છે. જન્માષ્ટમીનો પાવન પર્વ છે. આ પર્વ નિમિત્તે રાજ્યભરનાં કૃષ્ણ મંદિરમાં ભારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ડાકોર મંદિર અને દ્વારકા મંદિરમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શ્રદ્ધાળુઓને શ્રી કૃષ્ણનાં દર્શન કરાવાશે. કોરોનાના કારણે ગયા વર્ષે દર્શનાર્થીઓ માટે દર્શન વ્યવસ્થા બંધ રહી હતી. જેથી આ વર્ષે પ્રશાસન દ્વારા પરવાનગી મળતા મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવ કોરોનાની ગાઈડલાઈનને અનુસરીને ઉજવવામાં આવી રહ્યો છે.યાત્રાધામ દ્વારકા ખાતે જન્માષ્ટમી મહોત્સવના ભાગ રૂપે જન્માષ્ટમીની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. દ્વારકાધીશ જગત મંદિરેકુષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ઉજવવાનો હોય સંખ્યા બંધ ભક્તો દૂર દૂરથી કુષ્ણજન્મોત્સવ ઉજવવા દ્વારકા આવતા હોય છે. શ્રધ્ધાળુઓની વ્યવસ્થાના ભાગરૂપે જીલ્લા કલેકટર અને જીલ્લા એસ.પી દ્વારા દ્વારકા દેવસ્થાન સમિતીમાં વિવિધ અધિકારીઓ તેમજ પૂજારીઓ સાથે એક મિટીંગ યોજી હતી. ભક્તોને અગવડતા ન પડે અને સોશિયલ ડિસ્ટન્ટસ જળવાય રહે તે માટે અંબાણી માર્ગ પાસે કિર્તી સ્થંભ પાસે બેરીગેટ ઉભા કર્યા છે. ત્યાથી એન્ટ્રી થશે અને મોક્ષ દ્વાર છપ્પન સિડી ચડી ભક્તો મંદિરમાં પ્રવેશ કરશે અને સ્વર્ગ દ્વારે મંદિર પરિસરમાંથી બહાર નીકળશે. યાત્રાધામ દ્વારકામાં જન્માષ્ટમીના તહેવાર દરમ્યાન સાતમ, આઠમ, નોંમ દરમિયાન લાખો ભાવિકો કાળિયા ઠાકોરના દર્શનાર્થે આવવાની શક્યતા હોવાથી કાયદો અને વ્યવ્સ્થા જળવાય રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવામાં આવ્યા છે. માખણચોર, લડ્ડુગોપાલ, કનૈયો, ચિત્તચોર, બાલગોપાલ એવા અનેક નામથી ભકતો ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપની આરાધના કરતા હોય છે. જન્માષ્ટમીનો પર્વ હોય અને ભગવાન કૃષ્ણના પસંદગીના વ્યંજનોની વાત ન કરીએ તેવું કેવી રીતે બંને?..ભગવાન કૃષ્ણની પૂજા સાથે તેમને ભોગ ધરાવવાનું વિશેષ માહત્મય છે.વધુ વાંચો -
કૃષ્ણ ભક્તો માટે સારા સમાચાર: આ જગત મંદિર જન્માષ્ટમી તહેવાર દરમિયાન ખુલ્લું રહેશે
- 26, ઓગ્સ્ટ 2021 05:48 PM
- 9313 comments
- 4147 Views
અમદાવાદ-કાધીશના ભક્તો માટે ખુશીના સમાચાર છે. જન્માષ્ટમી પર દ્વારકાનું જગત મંદિર ખુલ્લું રહેશે. મંદિરમાં ભક્તો રાબેતા મુજબ દર્શન કરી શકશે. દ્વારકા મંદિર વ્યાવસ્થાપન સમિતિ અને દ્વારકાના જિલ્લા કલેક્ટર દ્વારા આ માહિતી આપવામાં આવી છે. મહત્વનું છે કે જન્માષ્ટમીના દિવસે દ્વારકામાં ભગવાનના દર્શન કરવા માટે લાખો ભક્તો આવતા હોય છે. પાછલા વર્ષે કોરોનાને કારણે મંદિર બંધ રહ્યું હતું. ત્યારે આ વખતે ભક્તો અહીં દર્શન કરી શકશે. દ્વારકા મંદિર વ્યવસ્થાપન સમિતિ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે દરેક ભક્તોએ કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવું પડશે. મંદિર પરિસરમાં દર્શન આવતા ભક્તોએ માસ્ક ફરજીયાત પહેરવું પડશે. આ સાથે સોશિયલ ડિસ્ટેન્સિંગ માટે મંદિરમાં કુંડાળા-સર્કલ કરવામાં આવ્યા છે. ભક્તોએ કોરોનાના નિયમોનું પાલન કરી લાઇનમાં ઉભા રહી દર્શન કરવા પડશે. દ્વારકા મંદિર વ્યવસ્થાપન સમિતિ દ્વારા દર્શન કરવા આવતા ભક્તોને કોરોનાના નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. આ સાથે ભક્તો ઓનલાઇન દર્શન કરી શકે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તમે ઘરે બેઠા જન્માષ્ટમીના દિવસે ઘરે બેઠા વેબસાઇટ પર ઘરે બેઠા દર્શન કરી શકશે.વધુ વાંચો -
ખંભાળિયામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગઃ 6 ઇંચ વરસાદ ખાબક્યો
- 17, જુલાઈ 2021 09:22 PM
- 1789 comments
- 9498 Views
દેવભૂમિ દ્વારકા-દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો.દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં વરસાદનું આગમન થયું હતુ.ધીમીધારે વરસાદ થતાં લોકોમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો.ખંભાળીયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો.વરસાદ થતાં લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. ગીર સોમનાથના કોડીનાર અને દરિયા કાંઠાના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.ભારે પવન સાથે વરસાદ થતા પાણી વહેતા થયા હતા.પ્રવાસન સ્થળ દીવમા પણ વરસાદી ઝાંપટા પડયા હતા.ત્રણ ચાર દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઇ હતી. ગીર-સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકામાં છેલ્લા ત્રણ દિવસના બ્રેક બાદ પવન સાથે વરસાદ તૂટી પડયો હતો. સૂત્રાપાડાના વડોદરા, પ્રશ્નાવડા, લોઢવા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. જેથી ખેડૂતોમાં સારા વરસાદની આશા બંધાઈ હતી. વરસાદને લીધે વિસ્તારમાં ઠંડક પ્રસરી હતી. જૂનાગઢ જિલ્લાના કેશોદ ટાઉનમાં અસહ્ય બફારા વચ્ચે અચાનક વરસાદ તૂટી પડયો હતો. સમગ્ર દિવસ દરમ્યાન ધીમીધારે વરસાદ વરસ્યો. જેના લીધે ખેતરમાં વાવણીમાં બાકી રહેલા ખેડૂતોએ મગફળીની વાવણી કરી હતી. કેશોદમાં અત્યાર સુધી કુલ છ ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જાે કે, કેશોદમાં નદી-નાળા ભરાય તેવા સારા વરસાદની રાહ જાેવાઈ રહી છે. જેનાથી રોડ-રસ્તા પરની ગંદકી દૂર થાય અને લોકોને વરસાદનો સંતોષ થાય.વધુ વાંચો -
દ્વારકાના આસોટા ગામમાં આભ ફાટયું ચારેકોર જળબંબાકાર બજારોમાં પાણી ફરી વળ્યા
- 15, જુલાઈ 2021 01:30 AM
- 5164 comments
- 2773 Views
દેવભૂમિ દ્વારકા, કૃષ્ણભૂમિ દેવભૂમિ દ્વારકામાં કુદરતનો ભારે પ્રકોપ જાેવા મળી રહ્યો છે. અને ગત રોજથી દ્વારકામાં મેઘરાજાની તોફાની બેટિંગ ચાલુ છે. તેવામાં દ્વારકાના આસોટા ગામમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તો દ્વારકામાં સતત પાંચમા દિવસે વરસાદ વરસી રહ્યો છે. આજે પણ દ્વારકાના અનેક સ્થળોએ ધોધમાર વરસાદ વરસ્યો હતો.દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોટા આસોટા ગામે આભ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આજે બપોરે થયેલાં વરસાદને પગલે મોટા આસોટા ગામની અંદર પાણી ફરી વળ્યા હતા. અંદાજિત ૫ ઇંચ જેટલાં વરસાદથી ચારે તરફ પાણી પાણીના દ્રશ્યો જાેવા મળી રહ્યા છે. ગામના બજારો તેમજ વોકળામાં ધસમસતા પાણીના પૂર જાેવા મળ્યા છે. ભારે વરસાદના પગલે ચારે તરફ પાણી ફરી વળ્યાં છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત પાંચમા દિવસે વરસાદ વરસી રહ્યો છે. જામખંભાળિયા પંથકમાં ધોધમાર વરસાદ તેમજ દાત્રાણા, બેરાજા, હંજરાપર હાબરડી ગામોમાં પણ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે અનેક ખેતરોમાં પાણી ભરાયા હતા. જેને પગલે ખેડૂતોમાં ભારે ખુશી જાેવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના સુપસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં આજે અડધી કાઠીએ ધ્વજા ફરકાવવામાં આવી હતી. શિખર ધ્વજા પર ધ્વજા ચડાવવા માટેની પાટલીના બે ભાગને વીજ પડવાથી નુકસાન પહોંચ્યું હતુ. જેને લઈને આજે અડધી કાઠીએ ધ્વજા ચડાવાઈ છે. શિખર ધ્વજ પર અબોટી પરિવાર જે પાટલી પર બેસી ધ્વજા ચડાવે છે, તે પાટલીના વીજ પડવાથી બે ભાગ થયા છે અને મોટું નુકસાન પહોંચ્યું છે. પાટલીને નુકસાન પહોંચ્યું હોવાથી સુરક્ષાને ધ્યાને લઇ આજે મંદિરના શિખર ધ્વજની જગ્યાએ અડધી કાઠીએ ધ્વજા ફરકાવાઈ હતી. મહત્વનું છે કે અબોટી પરિવાર વર્ષોથી દ્વારકાધીશની ધ્વજા ચડાવે છે.વધુ વાંચો -
સૌરાષ્ટ્રના આ વિસ્તારમાં આભ ફાટ્યુઃ ચારેકોર જળબંબાકાર, બજારોમાં પાણી ફરી વળ્યા
- 14, જુલાઈ 2021 09:52 PM
- 6228 comments
- 5471 Views
દેવભૂમિ દ્વારકા-કૃષ્ણભૂમિ દેવભૂમિ દ્વારકામાં કુદરતનો ભારે પ્રકોપ જાેવા મળી રહ્યો છે. અને ગત રોજથી દ્વારકામાં મેઘરાજાની તોફાની બેટિંગ ચાલુ છે. તેવામાં દ્વારકાના આસોટા ગામમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તો દ્વારકામાં સતત પાંચમા દિવસે વરસાદ વરસી રહ્યો છે. આજે પણ દ્વારકાના અનેક સ્થળોએ ધોધમાર વરસાદ વરસ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોટા આસોટા ગામે આભ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આજે બપોરે થયેલાં વરસાદને પગલે મોટા આસોટા ગામની અંદર પાણી ફરી વળ્યા હતા. અંદાજિત ૫ ઇંચ જેટલાં વરસાદથી ચારે તરફ પાણી પાણીના દ્રશ્યો જાેવા મળી રહ્યા છે. ગામના બજારો તેમજ વોકળામાં ધસમસતા પાણીના પૂર જાેવા મળ્યા છે. ભારે વરસાદના પગલે ચારે તરફ પાણી ફરી વળ્યાં છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત પાંચમા દિવસે વરસાદ વરસી રહ્યો છે. જામખંભાળિયા પંથકમાં ધોધમાર વરસાદ તેમજ દાત્રાણા, બેરાજા, હંજરાપર હાબરડી ગામોમાં પણ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે અનેક ખેતરોમાં પાણી ભરાયા હતા. જેને પગલે ખેડૂતોમાં ભારે ખુશી જાેવા મળી રહી છે.ઉલ્લેખનીય છે કે ગુજરાતના સુપસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં આજે અડધી કાઠીએ ધ્વજા ફરકાવવામાં આવી હતી. શિખર ધ્વજા પર ધ્વજા ચડાવવા માટેની પાટલીના બે ભાગને વીજ પડવાથી નુકસાન પહોંચ્યું હતુ. જેને લઈને આજે અડધી કાઠીએ ધ્વજા ચડાવાઈ છે. શિખર ધ્વજ પર અબોટી પરિવાર જે પાટલી પર બેસી ધ્વજા ચડાવે છે, તે પાટલીના વીજ પડવાથી બે ભાગ થયા છે અને મોટું નુકસાન પહોંચ્યું છે. પાટલીને નુકસાન પહોંચ્યું હોવાથી સુરક્ષાને ધ્યાને લઇ આજે મંદિરના શિખર ધ્વજની જગ્યાએ અડધી કાઠીએ ધ્વજા ફરકાવાઈ હતી. મહત્વનું છે કે અબોટી પરિવાર વર્ષોથી દ્વારકાધીશની ધ્વજા ચડાવે છે.વધુ વાંચો -
પ્રસિદ્ધિ યાત્રાધામ દ્વારકા નાં મુખ્ય શિખર ઉપર લહેરાતી ધ્વજા પર પડી વીજળી
- 13, જુલાઈ 2021 07:53 PM
- 401 comments
- 155 Views
રાજકોટ-પ્રસિદ્ધિ યાત્રાધામ દ્વારકા નાં મુખ્ય શિખર ઉપર આજે ધોધમાર વરસાદ સાથે વીજળી પડવાથી જગત મંદિર નાં મુખ્ય શિખર ઉપર ૫૨ ગજની ધ્વજા ને સામાન્ય નુકશાની પહોંચી હતી અને મંદિર ના અન્ય કોઈ પણ ભાગને નુકશાની નથી થઈ તેની દ્વારકાના પ્રાંત અધિકારી કે પુષ્ટિ પણ કરી હતી. જગતમંદિરની ધ્વજાજી પર વીજળી પડતા દંડને અને ધ્વજાને સામાન્ય નુકસાન પહોંચ્યું મહત્વનું છે કે, દ્વારકાધીશ મંદિર પર ચડતી ધ્વજાનું ધાર્મિક રીતે વિશેષ મહત્વ ધરાવે છે. સ્થાનિક લોકોનું માનીએ તો, મંદિર આસપાસ વીજળીના આ પ્રકારના દ્રશ્યો પ્રથમવાર જોવા મળ્યા હતા.યાત્રાધામ દ્વારકામાં આજ રોજ ગાજવીજ સાથે વરસાદ ની શરૂઆત થઈ હતી ભારે પવન ના કારણે દ્વારકા માં વરસાદ શરૂ થયો હતો અને વરસાદ થતાં જ વીજળી પડવાથી દ્વારકાધીશ ના શિખર પર ફરકાવવામાં આવતી 52 ગજની ધ્વજા ને નુકશાની પહોંચી હતીવધુ વાંચો -
વેક્સિન સેન્ટર પર બે જૂથ વચ્ચે લોહીયાળ અથડામણ
- 02, જુલાઈ 2021 01:30 AM
- 6184 comments
- 2438 Views
દેવભૂમિ દ્વારકા ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની તૈયારીઓ જાેરોશોરોથી ચાલી રહી છે. બીજી તરફ ગુજરાત સરકાર પણ રસીકરણ યુદ્ધનાં ધોરણે ચલાવી રહી છે. સરકાર દ્વારા તમામ પ્રકારે મહત્તમ રસીકરણ થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શહેરોમાં તો રસીકરણ માટે લાંબી લાંબી લાઇનો લાગી રહી છે. શહેરી વિસ્તારમાં રસીઓની શોર્ટેજ પેદા થઇ રહી છે. તેવામાં કેટલીક ચોંકાવનારી ઘટનાઓ પણ સામે આવી રહી છે. ગુજરાતનાં દેવભુમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના ભરાણા ગામમાં ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભરાણા ગામે કોરોનાની વેકસીનેશન મુદ્દે મારામારીનો બનાવ સામે આવ્યો છે. ભરાણાની તાલુકા શાળામાં કોરોનાની વેકસીન અપાઈ રહી હતી ત્યારે બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી. વેકસીન સેન્ટર પર જ પથ્થર અને લાકડાના ધોકા વડે મારામારીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. મારામારી થતા ૫ જેટલા લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા. જે પૈકી ૨ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે.ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે ઘટના અંગે માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. ભરાણા ગામે ડીવાય એસપી સહિતના પોલીસ અધિકારી અને કર્મચારીઓનો કાફલો પહોંચ્યો છે. ગામ હાલ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. જાે કે વેક્સિનેશન સેન્ટર પર થયેલી બબાલ અંગેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. હાલ તો પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અને સામે આવેલા વીડિયોના આધારે તપાસ ચલાવી રહી છે. રસીકરણ કેન્દ્ર પર થયેલી માથાકુટનું કારણ જાણવા માટેના પ્રયાસો કરી રહી છે. જાે કે વેક્સિનેશન સેન્ટર પરથી સામે આવેલો આ ચોંકાવનારો વીડિયો એક પ્રકારે ગુજરાત માટે શરમજનક કહી શકાય.વધુ વાંચો -
આનંદોઃ જગતમંદિર દ્વારકાધીશ મંદિરમાં જ્યેષ્ઠાભિષેક ઉત્સવ દર્શનનો કાર્યક્રમ જાહેર
- 23, જુન 2021 01:30 AM
- 2044 comments
- 3460 Views
દ્વારકા, જ્યેષ્ઠાભિષેક ઉત્સવ વિશે દ્વારકાધીશ મંદિરના પૂજારીએ જણાવેલ કે વર્ષમાં માત્ર બે વખત જ ઠાકોરજીને ખુલ્લા પડદે અભિષેક – સ્નાન કરવામાં આવે છે. જેમાંનો એક જ્યેષ્ઠાભિષેક ઉત્સવ હોય જેનું વિશેષ મહત્ત્વ છે. સવારે જ્યેષ્ઠાભિષેક તેમજ ત્યારબાદ સાંજના સમયે બાલસ્વરૂપના નૌકાવિહાર દર્શન યોજાય છે. કોરોના મહામારી દરમિયાન મંદિર બંધ હોવાથી ભાવિકો માટે ઓનલાઈનના મધ્યમથી દર્શન શક્ય બન્યા છે. પરંતુ હાલ કોરોના હળવો થયો હોવાથી દ્વારકાધીશ મંદિરમાં જ્યેષ્ઠાભિષેક ઉત્સવ દર્શનનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. વહીવટદાર કચેરી દ્વારા કાર્યક્રમ જાહેર કરાયો હોવાની માહિતી મળી રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૨ જૂને જગતમંદિરમાં શ્રીજીના જેષ્ઠાભિષેક ઉત્સવ નિમિત્તે જલયાત્રા ઉત્સવની તૈયારીરૂપ જગતમંદિરના પૂજારી પરિવાર દ્વારા ચાંદીના બેડાં, ચાંદીની તાંબડી તેમજ વિવિધ ચાંદીના વાસણોમાં દ્વારકાના અતિ પ્રાચીન અને પવિત્ર ભદ્રકાલી માતાજીના મંદિર પાસેના અઘોર કુંડમાંથી પૂજા કરી કુંડનું પવિત્ર જલ લઈ જગતમંદિર પહોંચાડવાનું હોય છે. ગ્રીષ્મ ઋતુમાંથી વર્ષા ઋતુ આવતી હોય આ પવિત્ર જલને વિવિધ ઔષધિયુક્ત બનાવી રાત્રિ અધિવાસન કરી આ પવિત્ર જલથી ઠાકોરજીને જલાભિષેક કરાય છે. સાંજના સમયે જગતમંદિરમાં પવિત્ર જલથી જલ કુંડ (હોજ) ભરવામાં આવે છે. જેમાં ભગવાનનું બાલ સ્વરૂપ ગોપાલજીને નાવમાં બેસાડી નૌકા ઉત્સવ એટલે કે જલયાત્રા ઉત્સવ મનોરથની ઉજવણી કરવામાં આવશે. દ્વારકાધીશ મંદિરમાં જ્યેષ્ઠાભિષેક ઉત્સવ દર્શનનો કાર્યક્રમ જાહેર.. તા ૨૪ જૂનના મંગલા આરતી સવારે ૬ કલાકે, જ્યેષ્ઠાભિષેક ખુલ્લા પરદે સ્નાન સવારે ૮ કલાકે શૃંગાર આરતી સવારે ૧૧ કલાકે બપોરે ૧ વાગ્યે (અનૌસર) મંદિર બંધ.. ઉત્સવ દર્શન સાંજે ૫ઃ૦૦ કલાકે.. જલયાત્રા નાવ મનોરથ ઉત્સવ દર્શન સાંજે ૭ઃ૦૦ કલાકેવધુ વાંચો -
દ્વારકાના જગત મંદિરને લઈને આવ્યા મહત્વના સમાચાર, જાણો કયારે કરી શકાશે દર્શન
- 21, મે 2021 04:23 PM
- 4488 comments
- 3608 Views
દ્વારકા-રાજ્યમાં કોરોનાનું સંક્રમણ બેકાબુ થતા રાજ્ય સરકારે અનેક નિયંત્રણો લાદયા છે. જો કે, ગઈકાલે રાજ્ય સરકારે નિયંત્રણોમાં કેટલીક છૂટ આપી છે. પરંતુ હજુ સંપુર્ણ છુટ આપવામાં આવી નથી. ત્યારે આ અનુસંધાને યાત્રાધામ દ્વારકાના જગત મંદિરને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. દ્વારકાનું જગત મંદિર વધુ 6 દિવસ માટે બંધ રહેશે. યાત્રાધામ દ્વારકાનું જગત મંદિર આગામી 27 તારીખ સુધી બંધ રહેશે. ભગવાન દ્વારકાધીશના દર્શન માટે ભક્તો મંદિર અંદર પ્રવેશ નહિ કરી શકે. આગામી 27 મે બાદ કરવામાં આવનાર નિર્ણય બાદ મંદિર ખોલવામાં આવશે. દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિ દ્વારા મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. મંદિર અંદર ભગવાન દ્વારકાધીશની સેવા પૂજા નિત્ય ક્રમ મુજબ યથાવત રહેશે. જો કે, સરકારના આગામી નોટિફિકેશન બાદ અન્ય નિર્ણય લેવામાં આવશે.વધુ વાંચો -
ગુજરાતને ફરી પાટા પર લાવવા સરકારની કવાયત શરૂ, ક્યાં કેટલું નુકસાન? સર્વેની કામગીરી શરૂ
- 19, મે 2021 04:49 PM
- 2406 comments
- 2204 Views
ગાંધીનગર-કોરોનાના ભયાનક મારનો સામનો કરી રહેલા ગુજરાતથી કુદરત જાણે કે રુઠી હોય તેવી રીતે 'તાઉતે' નામનું મહાભયાનક વાવાઝોડું આવી પડતાં સરકાર તેમજ લોકોના શ્વાસ અધ્ધર ચડી ગયા હતા. બે દિવસ સુધી ખૌફના મંજર ઉભા કરીને વાવાઝોડું હવે પસાર થઈ ગયું છે ત્યારે સરકાર દ્વારા પણ વાવાઝોડાને કારણે ક્યાં કેટલું નુક્સાન થયું છે તેના સર્વે સહિતની કામગીરી 'બંબાટ' શરૂ કરી દેવામાં આવી છે. એકંદરે રાજ્યને ફરી 'ધબકતું' કરવા માટે સરકારે મથામણ શરૂ કરી દીધી છે. વાવાઝોડાએ જે-જે જિલ્લાઓમાં વિનાશ વેર્યો છે તે જિલ્લાઓને બે દિવસની અંદર 'બેઠા' કરી દેવા સરકાર તેમજ સ્થાનિક તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.વાવાઝોડાએ ખાસ કરીને ખેતીવાડી, પશુપાલન અને મત્સ્યોદ્યોગને ખાસ્સું નુકસાન પહોંચાડ્યું હોય તેનો સર્વે કરવા પર સરકાર પ્રાથમિકતા આપી રહી છે. આ ઉપરાંત જે જિલ્લાઓમાં ઝુંપડા અને કાચા મકાનો તૂટી પડ્યા છે ત્યાં તાકિદે કેશડોલ્સ ચૂકવવાની કામગીરી શરૂ કરી દેવા સરકારે આદેશ આપ્યો છે. પત્રકાર પરિષદને સંબોધન કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે વાવાઝોડાએ ગુજરાતમાં 13 લોકોનો ભોગ લીધો છે. આગોતરા આયોજન, આગમચેની, સહિયારા અને સક્રિય પ્રયત્નો તેમજ લોકોના સહકારથી ગુજરાત વાવાઝોડારૂપી આફતમાંથી હેમખેમ બહાર આવી ગયું છે. વાવાઝોડાગ્રસ્ત જિલ્લાઓમાં બે દિવસમાં પરિસ્થિતિ પૂર્વવત થઈ જાય તે રીતે રિસ્ટોરેશન અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવશે. સરકાર દ્વારા અસરગ્રસ્ત જિલ્લાઓમાં નુકસાનીના સર્વેક્ષણની કામગીરી શરૂકરી દેવાઈ છે. પ્રાથમિક તબક્મે મકાનો, ખેતીવાડી, પશુપાલન અને મત્સ્યોદ્યોગને જે નુકસાન થયું છે તેનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવશે. જે જિલ્લાઓમાં વિશે નુકસાન થયું છે ત્યાં પાડોશી જિલ્લાઓના અધિકારીઓને પણ સર્વેક્ષણની કામગરીમાં સામેલ કરવામાં આવ્યા છે જેથી કામગીરીમાં ઝડપ આવી શકે. યોગ્ય તમામ વ્યક્તિઓને સરકારી ધારા-ધોરણ મુજબ કેશડોલ્સ, ઘરવખરી સહાય અને અન્ય આર્થિક સહાય તાત્કાલિક ચૂકવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. રાહતની વાત એ છે કે એક પણ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને વાવાઝોડાને કારણે કોઈ તકલીફ પડ નથી. રાજ્યમાં કુલ 425 કોવિડ હોસ્પિટલ પૈકી 122 હોસ્પિટલ વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં હતી અને તેમાંથી 83 હોસ્પિટલોમાં વીજ પૂરવઠો ખોરવાયો હતો આમ છતાં તંત્રની આગોતરી વ્યવસ્થા હોવાને કારણે ક્યાંય વીજ સપ્લાયને લઈને સમસ્યા સર્જાવા પામી નથી. વાવાઝોડાની સૌથી વધુ અસર ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ અને ગાંધીનગરમાં જોવા મળી છે તેથી સરકાર દ્વારા આ જિલ્લાના કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરીને વિસ્તૃત વિગતો મેળવવામાં આવી રહી છે.વધુ વાંચો -
તાઉ તે વાવાઝોડાથી 13નાં મોત, અસરગ્રસ્તોને ચુકવાશે કેશડોલ અને ઘરવખરીની સહાય: CM રૂપાણી
- 18, મે 2021 08:08 PM
- 3620 comments
- 7320 Views
ગાંધીનગર-મુખ્યમંત્રીએ કહ્યું કે, ખેડૂતો અને ખેતરોનું મોટું નુકસાન સામે આવ્યું છે. જેમાં ઉનાળા પાકને પણ નુકસાન થયા છે. અને બાગાયતી ખેતીમાં કેસર કેરીને સૌથી મોટું નુકસાન સામે આવ્યું છે. જે બાદ અનેક લોકોના ઘરનું નુકસાન થયું છે. અનેક જગ્યાએ કાચા અને ઝૂપડાઓ તૂટી ગયા છે. આ પ્રકારના તમામ નુકસાનના તાત્કાલિક સર્વે બાદ સહાય ચૂકવવામાં આવશે. નુકસાનનું વળતર સરકારના નિયમો અનુસાર કરવામાં આવશે. માછીમારોના નુકસાનનું પણ સર્વે કરાશે. પશુપાલન વિભાગને પણ પશુઓના નુકસાન અંગે પણ સર્વે કરવાની કામગીરી સોંપાઈ જશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, આજની બેઠકમાં એ પણ નિર્ણય થયો છે કે, ગુજરાતના તમામ અસરગ્રસ્ત શહેરોમાં પુરુ તંત્ર રિસ્ટોર કરવાની કામગીરીમાં 2 દિવસ સતત કાર્યરત રહેશે.હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવેલી માહિતિ પ્રમાણે તાઉ તે હવે અમદાવાદ પરથી પસાર થઈ ચુક્યું છે. 40 કિમિ કરતા વધારે ઝડપથી અમદાવાદને ધમરોળનારા વાવાઝોડાનાં પગલે અમદાવાદમાં પાંચ ઈંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે. પવનની ઝડપ અને વરસાદને લઈને શહેરનાં અનેક વિસ્તારોમાં તારાજીનાં દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારે ઝરમર વરસાદ વરસ્યો હતો. બાદમાં બપોર બાદ અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સરેરાશ પાંચ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. શહેરમાં સતત પવનની ગતિ વધી રહી છે. જેના પગલે ઝાડ ધરાશાયી થવાની ઘટનાઓ બની છે.તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ગરનાળા, અને રસ્તાઓ પર પાણી ભરાયા. કેટલાક વિસ્તારોમાં છાપરા ઉડ્યાની ઘટના પણ બની હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના પૂર્વ વિસ્તાર રખિયાલમાં એક કાર પર ઝાડ પડવાનો બનાવ બન્યો છે. જેમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. નારણપુરાના આદર્શનગરમાં ઈલેક્ટ્રિક વીજ પોલ તૂટી ગયો હતો. વાવાઝોડું સાણંદ નજીકથી અમદાવાદમાં પ્રવેશી રહ્યું છે. જેથી ભારે પવનથી વીજળીના ડૂલ થવાની ઘટના વધી હતી.વધુ વાંચો -
ગુજરાતનું આ જગતમંદિર 15મી મે સુધી રહેશે બંધ, કલેકટરનો મોટો ર્નિણય
- 30, એપ્રીલ 2021 08:29 PM
- 6623 comments
- 1751 Views
દ્વારકા-કોરોના મહામારીએ અજગરી ભરડો લેતા દ્વારકા જગતમંદિર આગામી ૧૫ મે સુધી બંધ રાખવાનોન ર્નિણય જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. આ પહેલા ૧૧ એપ્રિલ સુધી મંદિરના દ્વાર બંધ કરાયા હતાં. પરંતુ સંક્રમણ વકરતા મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. જાે કે, ભગવાનનો નિત્યક્રમ રાબેતા મુજબ ચાલુ રહેશે. દ્વારકા જગતમંદિર વિશ્વભરમાં પ્રખ્યાત છે. દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા હોય ભક્તોમાં સંક્રમણનો ભય વધારે રહે છે. જેના કારણે દેવભૂમિ દ્વારકા કલેકટર દ્વારા જગતમંદિરના દ્વાર ભક્તો માટે ફરી એક વખત બંધ કરવાનો ર્નિણય કરવામાં આવ્યો હતો. દ્વારકા જગત મંદિરમાં લગભગ દરરોજના ૧૩ હજારની આસપાસ શ્રદ્ધાળુઓ દેશ-વિદેશમાંથી દર્શન કરવા દ્વારકા આવતા હોય છે. મોટી સંખ્યામાં આવતા શ્રધ્ધાળુઓમાં કોરોના સંક્રમણ થવાનો વધુ ભય છે. જેથી ભક્તોની સુખાકારી માટે દ્વારકા કલેકટર દ્વારા જગત મંદિરના દ્વાર તા. ૧૧ એપ્રિલથી બંધ કરવામાં આવ્યા હતા. કોરોના મહામારી વકરતા કલેકટર દ્વારા જગતમંદિરને હજુ વધુ સમય માટે બંધ રાખવાનો ર્નિણય કર્યો છે. જેથી દ્વારકા જગતમંદિર, રૂક્ષ્મણી મંદિર, તથા આજુબાજુના દર્શનીય સ્થળો આગામી તા. ૧૫ મે સુધી ભક્તો માટે બંધ કરાયા છે. જાે કે, જગત મંદિર અંદર ભગવાનનો નિત્યક્રમ રાબેતા મુજબ કરવામાં આવશે અને તેનું લાઈવ પ્રસારણ જગત મંદિરની વેબસાઇટ ઉપરથી ભક્તો નિહાળી શકશે.વધુ વાંચો -
ગુજરાતમાં આગામી 10 દિવસ કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બનશે ?
- 10, એપ્રીલ 2021 03:37 PM
- 5413 comments
- 2528 Views
વડોદરા-વડોદરા સહિત ગુજરાતની કોવિડ હોસ્પિટલોમાં રોજ દર્દીઓના દાખલ થવાની સંખ્યા વધતી જાય છે. આરોગ્ય વિભાગ બેડની સંખ્યા વધારે તો છે, પરંતુ દાખલ દર્દીઓની વધતી જતી સંખ્યા વધુ ચિંતાજનક છે. વડોદરામાં એક જ દિવસમાં ૬૩૦ દર્દીઓ હોસ્પિટલોમાં દાખલ થયા હતા. એટલે પ્રતિ કલાકે સરેરાશ ૨૬ દર્દીઓ દાખલ થયા હતા. જેથી ૬૭૮૦ બેડ ભરાયેલા રહ્યા હતાં અને ૨૬૯૨ બેડ જ ખાલી રહ્યાં હતાં. છેલ્લાં એક સપ્તાહથી હોસ્પિટલોમાં જે રીતે બેડની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે જાેતા આગામી ૧૦ દિવસ કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બનશે તેવુ જાણકારોનુ અનુમાન છે. લોકો તંત્રના ભરોશે બેસી ન રહે. લોકોએ માસ્ક અવશ્ય પહેરવુ જાેઈએ અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવુ જાેઈએ. બને તો કામ વિના ઘરની બહાર જ ન નીકળવુ જાેઈએ. આરોગ્ય વિભાગ કોરોનાના સરકારી આંકડા જાહેર કરે છે, પરંતુ તે આંકડા પાછળનુ સત્ય તેઓ પોતે સારી રીતે જાણે છે અને વડોદરાની આગામી ટૂંકા દિવસોની ભાવી સંભવિત ડરાવની પરિસ્થિતિથી તેઓ વાકેફ હશે. વિશ્વાસપાત્ર સૂત્રોએ કહ્યું હતું કે, શહેરમાં કોરોનાના કેસો માત્ર વધતા નથી, પરંતુ તે ચોંકાવી દે તે રીતે વધી રહ્યાં છે જે ચિંતાનો વિષય છે. તંત્ર તરફથી હોસ્પિટલોમાં બેડની સંખ્યા આગોતરા આયોજન પ્રમાણે સમ્યાંતરે વધારવામાં આવી રહી છે. તેમ છતાં પણ હોસ્પિટલામાં જે રીતે દર્દીઓની દાખલ થવાની સંખ્યા વધી છે તેના કારણે ચિંતાના વાદળો ઘેરી રહ્યાં છે. વડોદરામાં તા.૩જી એપ્રિલે ૮૪૪૮ બેડ ઉપલબ્ધ કરાવાયા હતા. તો તે દિવસે વિવિધ હોસ્પિટલોમાં મળીને કુલ ૫૮૬૯ દર્દીઓ દાખલ હતાં. એટલે કે ૨૫૭૯ બેડ ખાલી હતાં. તા. ૫મી એપ્રિલે ૪૫૮ દર્દીઓ એક જ દિવસમાં દાખલ થયા હતાં. જેથી ૬૩૨૭ બેડ ભરાઈ ગયા હતા. તંત્રએ તે દિવસે ૩૪૧ બેડ વધાર્યા હતા ત્યારે ૨૪૬૨ બેડ જ ખાલી રહ્યાં હતાં. ૬ઠ્ઠી એપ્રિલે ૮૯૯૯ બેડની વ્યવસ્થા કરાઈ હતી. જેમાં વધુ ૭૮ દર્દીઓ દાખલ થતા કુલ ૬૪૦૫ બેડ ભરાઈ ગયા હતા અને ૨૪૯૪ બેડ ખાલી હતા અને ૭મી એપ્રિલે ૯૪૭૨ બેડ ઉપલબ્ધ કરાવાયા હતા, પરંતુ તેની સામે ૩૭૫ દર્દીઓ આજે એક જ દિવસમાં દાખલ થયા હતાં. એક જ દિવસમાં ૩૯૫ દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા તે પૈકી ૩૭૫ દર્દીઓ તો હોસ્પિટલમાં જ દાખલ થયા હતાં. જેથી ૨૬૯૨ બેડ જ ખાલી રહ્યાં હતાં. જ્યારે તા.૮મી એપ્રિલે રાતે ૯.૩૦ કલાકની સ્થિતિએ જાેઈએ તો ૯૭૬૩ બેડ ઉપલબ્ધ હતાં. તે પૈકી ૭૦૨૫ બેડ ભરાઈ ગયા હતા અને ૨૭૩૯ બેડ જ ખાલી હતાં. એટલે કે મોતને ભેટેલા દર્દીઓ અને સ્વસ્થ્ય થઈને ડીસ્ચાર્જ કરી દીધેલા દર્દીઓને બાદ કર્યા પછી પણ બરોબર ૨૪ કલાક બાદ હોસ્પિટલમાં આજે વધુ ૬૨૦ દર્દીઓ દાખલ થયા હતા. એટલે કે પ્રતિ કલાકે સરેરાશ ૨૬ દર્દીઓ દાખલ થતા રહેતા હતા. તંત્ર બેડ વધારતુ જાય છે અને દાખલ થતા દર્દીઓની સંખ્યા પણ ચિંતાજનક રીતે વધતી જ જાય છે. આખરે તંત્ર બેડ વધારી વધારીને કેટલા વધારી શકશે ? એક સમય એવો આવશે કે હોસ્પિટલનુ ઈન્સ્ટ્રાક્ચર જ જવાબ આપી દેશે ત્યારે શું કરી શકાશે ? દર્દીઓની દાખલ થવાની સંખ્યા તો સતત વધી રહી છે. હાલની પરિસ્થિતિ અંગે જાણકારોએ કહ્યું હતું કે, આગામી ૧૦ દિવસ તંત્ર માટે ચેલેન્જીંગ રહેશે અને શહેર માટે ખુબ જ વિકટ બની રહેશે તેવા સંકેતો મળી રહ્યાં છે. શહેરમાં કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બને તો નવાઈ નહીં. લોકો તંત્રના ભરોશે બેસી ન રહે, જાતે જાગૃત્તતા દાખવે તે હવે ખુબ જરૂરી બન્યુ છે. તંત્ર પોતાનુ કામ કરે છે, પરંતુ જનતાએ ઘરની બહાર નીકળતી વખતે ફેસ માસ્ક અવશ્ય પહેરવુ જાેઈએ અને પૂરતા સમય માટે પહેરવુ જાેઈએ તેમજ સોશ્યલ ડિસ્ટન્સિંગનુ ખાસ ધ્યાન રાખવુ જાેઈએ. જેથી સંક્રમણથી બચી શકાય. તેમજ બને તો લોકોએ જરૂરી કામ વિના ઘરની બહાર જ નીકળવુ ન જાેઈએ અને ટોળે તો વળવુ જ ન જાેઈએ. હવે કોરોનાનુ સંક્રમણ રોકવુ પ્રજાના હાથમાં છે. આગામી ૧૦ દિવસ શહેર માટે ખુબ મુશ્કેલીભર્યા સાબિત થઈ શકે છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 4541 પોઝીટીવ કેસ, 42 ના મોત, કુલ 3,37,015 કેસ
- 10, એપ્રીલ 2021 03:13 PM
- 2906 comments
- 2516 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 4541 થી વધુ નોંધાયા છે. જેની સામે 2280 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 42 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4697 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 4541 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,37,015 થયો છે. તેની સામે 3,09,626 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. અમદાવાદમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 3500 થી વધુ થઈ જાય છે, જ્યારે રાજ્યના 3,37,015 ની સામે પોઝીટીવ કેસોની સંખ્યા 22692 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,37,015 જેટલી થઈ જાય છે. રાજ્યમાં હાલ 22692 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 187 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 22505 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,09,626 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4697 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 12 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
કોરોના ની બુલેટ સ્પીડ બપોર સુધીમાં સૌરાષ્ટ્રમાં નવા નોંધાયા આટલા પોઝિટિવ કેસ
- 09, એપ્રીલ 2021 04:44 PM
- 6960 comments
- 4237 Views
રાજકોટ-રાજકોટમાં કોરોનાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 24 કલાકમાં 34 દર્દીઓને કોરોના ભરખી ગયો છે. ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ કોરોના દરરોજ નવો રેકોર્ડ સર્જી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં કોરોનાના 994 કેસ નોંધાયા છે. અડધો અડધ કેસ રાજકોટ જિલ્લામાં નોંધાયા છે. જેની સંખ્યા 520 થઈ ગઈ છે.જો કે સામે પોરબંદરમાં રાહત જોવા મળી છે. અહીં માત્ર ચાર કેસ જ નોંધાયા છે. ઉપરાંત આજે બપોર સુધીમાં રાજકોટ શહેરમાં નવા 150 કેસ સામે આવ્યા છે.રાજ્યભરમાં કોરોનાના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 4022 કેસો સામે આવ્યા છે. જ્યારે બીજી તરફ 2197 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રની સ્થિતી જોઈએ તો સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 994 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ રાજકોટ જિલ્લાના છે. રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 427 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 93 કેસો નોંધાયા છે. આમ કુલ 520 કેસ નોંધાયા છે. સામે શહેરમાં 71 અને ગ્રામ્યમાં 201 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સામે કોરોનાને નાથવા શહેરમાં 7533 અને જિલ્લામાં 5003 લોકોનું વેકસીનેશન પણ કરવામાં આવ્યું છે.જામનગરની સ્થિતિ જોઈએ તો શહેરમાં 99 અને ગ્રામ્યમાં 104 મળી કુલ 203 કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 6 અને ગ્રામ્યમાં 40 મળી 46 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સામે શહેરમાં 4976 અને જિલ્લામાં 3204 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. આવી જ રીતે ભાવનગરની સ્થિતિ જોઈએ તો શહેરમાં 23 અને ગ્રામ્યમાં 61 કેસ નોંધાયા છે. શહેરમાં 28 અને ગ્રામ્યમાં 10 મળી કુલ 38 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. શહેરમાં 1469 અને જિલ્લામાં 1590 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. જૂનાગઢ શહેરમાં 39 અને ગ્રામ્યમાં 38 મળી કુલ માત્ર 77 કેસ જ નોંધાયા છે. જ્યારે શહેરમાં 9 અને જિલ્લામાં 6 મળી 15 લોકો ડિસ્ચાર્જ થયા છે. શહેરમાં 1410 અને જિલ્લામાં 6492 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 3575 પોઝીટીવ કેસ, 22 ના મોત, કુલ 3,28,453 કેસ
- 08, એપ્રીલ 2021 03:03 PM
- 3974 comments
- 7659 Views
ગાંધીનગર-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 3575 થી વધુ નોંધાયા છે. જેની સામે 2217 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 22 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4620 ઉપર પહોચી ગયો છે. ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 3280 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,28,453 થયો છે. તેની સામે 3,05,149 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. અમદાવાદમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 3200 થી વધુ થવા જાય છે, જ્યારે રાજ્યના 3,28,453 ની સામે પોઝીટીવ કેસોની સંખ્યા 18684 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,28,453 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 18684 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 175 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 18509 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,05,149 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4620 દર્દીઓના મોત થયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 3280 પોઝીટીવ કેસ, 17 ના મોત, કુલ 3,24,878 કેસ
- 07, એપ્રીલ 2021 03:05 PM
- 6534 comments
- 3288 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 3280 થી વધુ નોંધાયા છે. જેની સામે 2167 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા, તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 17 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4598 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 3280 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,24,878 થયો છે. તેની સામે 3,02,932 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 17348 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,24,878 જેટલી થઇ જાય છે. રાજ્યમાં હાલ 17,348 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 171 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 17177 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,02,932 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4598 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 07 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 3160 પોઝીટીવ કેસ, 15 ના મોત, કુલ 3,21,598 કેસ
- 06, એપ્રીલ 2021 02:45 PM
- 1807 comments
- 8223 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 3160 થી વધુ નોંધાયા છે. જેની સામે 2018 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 15 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4581 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 2410 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,21,598 થયો છે. તેની સામે 3,00,765 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા સામે એક્ટીવ કેસોની સંખ્યા 16252 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,21,598 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 16252 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 167 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 16085 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,00,765 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4581 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 06 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 2,875 પોઝીટીવ કેસ: 14 ના મોત, કુલ 3,18,238 કેસ
- 05, એપ્રીલ 2021 02:51 PM
- 2786 comments
- 6871 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 2875 થી વધુ નોંધાયા છે. જેની સામે 2024 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 14 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4566 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 2410 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,18,238 થયો છે. તેની સામે 2,98,737 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 3,18,238 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 15135 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,18,238 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 15135 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 163 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 14972 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,98,737 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4566 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 04 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 890 પોઝીટીવ કેસ, 01 મોત, કુલ 2,79,097 કેસ
- 16, માર્ચ 2021 03:11 PM
- 996 comments
- 8915 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 890 થી વધુ નોંધાયા છે. જેની સામે 594 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4425 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 890 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,79,097 થયો છે. તેની સામે 2,69,955 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,79,097 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 4717 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,79,097 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 4717 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 56 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 4661 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,69,955 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4425 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીનુ મૃત્યુ નોંધાયેલ છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 810 પોઝીટીવ કેસ, 02 ના મોત, કુલ 2,78,207 કેસ
- 15, માર્ચ 2021 02:49 PM
- 2342 comments
- 1297 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 810 થી વધુ નોંધાયા છે. જેની સામે 586 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 02 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4424 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 810 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,78,207 થયો છે. તેની સામે 2,69,361 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,78,207 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 4422 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,78,207 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 4422 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 54 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 4368 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,69,361 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4424 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 02 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 700 પોઝીટીવ કેસ, કુલ 2,75,907 કેસ
- 12, માર્ચ 2021 03:01 PM
- 8970 comments
- 8427 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 700 થી વધુ નોંધાયા છે. જેની સામે 451 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4418 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 700 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,75,907 થયો છે. તેની સામે 2,67,701 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. અગર રાજ્યવાર માહિતી જોવા જઈએ તો રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,75,907 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3788 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,75,907 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3788 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 49 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3739 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,67,701 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4418 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે કોરોના થી કોઈ મૃત્યુ નોંધાયા નથી.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 675 પોઝીટીવ કેસ, કુલ 2,75,197 કેસ
- 11, માર્ચ 2021 02:50 PM
- 3636 comments
- 1014 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 675 થી વધુ નોંધાયા છે. જેની સામે 484 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4418 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 675 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,75,197 થયો છે. તેની સામે 2,67,250 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,75,197 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3529 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,75,197 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3529 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 47 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3482 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,67,250 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4418 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 00 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 581 પોઝીટીવ કેસ, 02 ના મોત, કુલ 2,74,522 કેસ
- 10, માર્ચ 2021 03:40 PM
- 1888 comments
- 8024 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 581 થી વધુ નોંધાયા છે. જેની સામે 453 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 02 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4418 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 581 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,74,522 થયો છે. તેની સામે 2,66,766 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,74,522 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3338 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,74,522 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3338 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 43 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3295 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,66,766 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4418 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીનુ મૃત્યુ નોંધાયેલ છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 555 પોઝીટીવ કેસ, 01 ના મોત, કુલ 2,73,941 કેસ
- 09, માર્ચ 2021 03:07 PM
- 4522 comments
- 4194 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 555 થી વધુ નોંધાયા છે. જેની સામે 482 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4416 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 555 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,73,941 થયો છે. તેની સામે 2,66,313 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,73,941 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3212 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,73,941 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3212 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 41 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3171 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,66,313 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4416 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
શેકાવા માટે તૈયાર રહેજો: ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રી આસપાસ પહોંચશે
- 09, માર્ચ 2021 02:13 PM
- 229 comments
- 8043 Views
ગાંધીનગર-રાજ્યમાં ધીમે ધીમે ગરમીનો પારો વધી રહ્યો છે. રાજ્યનાં ૧૪ શહેરોમાં ગરમીનો પારો ૩૫ ડીગ્રીને પાર પહોંચી ગયો છે. આગામી દિવસોમાં હજુ પણ ગરમીનો પારો વધુ ઊંચકાય એવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં માર્ચથી મે મહિના સુધી તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેશે. બીજી તરફ, રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆત થતાં જ અનેક જગ્યાએ કાળઝાળ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. રાજ્યનાં શહેરોમાં ગરમીના પારાની વાત કરીએ તો અમદાવાદમાં ગરમીનો પારો ૩૭.૫ ડીગ્રીએ પહોંચ્યો હતો. તો ગાંધીનગરમાં ગરમીનો પારો ૩૬.૮ ડીગ્રી સુધી પહોંચ્યો હતો. ડીસામાં ૩૬.૪ ડીગ્રી, વલ્લભવિદ્યાનગરમાં ૩૬.૭ ડીગ્રી, વડોદરામાં ૩૬.૬ ડીગ્રી, સુરતમાં ૩૫.૫ ડીગ્રી, અમરેલીમાં ૩૭.૮ ડીગ્રી, ભાવનગરમાં ૩૫.૨ ડીગ્રી, રાજકોટમાં ૩૭.૬ ડીગ્રી સુરેન્દ્રનગરમાં ૩૭.૮ ડીગ્રી, મહુવામાં ૩૫.૬ ડીગ્રી, કેશોદમાં ૩૫.૨ ડીગ્રી, ભુજમાં ૩૫ ડીગ્રી નોંધાયું હતું. માર્ચની શરૂઆતની સાથે જ અમદાવાદ સહિતનાં શહેરમાં ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. હાલમાં સવારના સમયે શિયાળા જેવી ગુલાબી ઠંડી અને બપોરના સમયે ગરમી એમ બવેડી ઋતુની અહેસાસ થઈ રહ્યો છે. આ વખતે ચોમાસામાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડ્યો હતો. અનેક વિસ્તારોમાં તો અતિ વૃષ્ટિ જેવી હાલત હતી. હવે હવામાન વિભાગે ઉનાળાને લઈને આ વખતે વધારે ગરમી પડવાનું પૂર્વાનુમાન કર્યું છે ત્યારે લોકોએ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું રહેવું પડશે.વધુ વાંચો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ