તાપી સમાચાર
-
રામનવમીએ કોમી ભડકોઃ ઠેરઠેર પથ્થરમારો ઃ ૧૭ની ધરપકડ
- 31, માર્ચ 2023 01:15 AM
- 5662 comments
- 6353 Views
વડોદરા, તા.૩૦રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ સહિતની કેટલીક ધાર્મિક સંસ્થાઓ દ્વારા આયોજીત શોભાયાત્રા પર બપોરે ફતેપુરા વિસ્તાર સહિત અનેક સ્થળે ભારે પથ્થરમારાના પગલે દહેશતનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં અનેકને ઈજાઓ પહોંચી હતી તથા પરિસ્થિત પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. દરમ્યાન પોલીસે ૩૫૦થી વધુ સીસીટીવી કેમેરાને આધારે મોડીરાત સુધીમા ૧૭ તોફાનીઓની ધરપકડ કરી લીધી હતી. આ તોફાનો દરમ્યાન અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યુ હતું. છેલ્લા અનેક વર્ષોથી શાંતિપૂર્ણ માહોલનો અહેસાસ કરી રહેલું વડોદરા આજે કોમી રમખાણોના છમકલાઓથી ફરી એકવાર અભડાયું હતું. આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત શ્રીરામની શોભાયાત્રા બપોરના સમયે ફતેપુરા વિસ્તારના કુભારવાડા ખાતેથી પસાર થઈ રહી હતી.આ તબક્કે ડીજે પર મોટા અવાજે હનુમાનચાલીસા વાગતા જ એ વિસ્તારના કેટલાં યુવાનો અને વિહિપના કાર્યકરો વચ્ચે બોલાચાલી થતાં વાતાવરણ ગરમાયુ હતું આ તબક્કે પોલીસે મધ્યસ્થી કરી બંને ટોળાઓને શાંત કરી વિખેરી નાંખ્યા હતા. પરંતુ થોડી જ વારમાં આ સમાધાન પડી ભાંગ્યુ હોય એમ અચાનક આજુબાજુની ગલીઓમાંથી પથ્થરમારો શરૂ થયો હતો. આ તબકકે શોભાયાત્રામાં સામેલ એક હજારથી વધુ વીએચપી કાર્યકરોમાં ઉશ્કેરાટનો માહોલ ફેલાયો હતો. જાે કે ઘટના સ્થળે ઉપસ્થિત પોલીસે તાત્કાલિક પરિસ્થિતિ પર કાબુ મેળવવા તોફાનીઓની દિશામાં ઘસી જતાં મામલો થોડા સમય માટે શાંત પડયો હતો. પરંતુ શ્રધ્ધેય ભગવાન રામની શોભાયાત્રા પરના પથ્થરમારાથી ઉશ્કેરાયેલા કાર્યકરોને માંડ માંડ શાંતિ જાળવવા સમજાવાયા હતા. એસ.એસ.જી. હોસ્પિટલની સામે આવેલ પંચમુખી હનુમાન મંદિરથી શરૂ થયેલી આ યાત્રા શાંતિપૂર્ણ રીતે અને ધાર્મિક માહોલ સાથે આગળ વધી રહી હતી. ત્યારે પાંજરીગર મહોલ્લા ખાતે તેના પર ભારે પથ્થરમારો થયો હતો. જાે કે આ યાત્રા એરપોર્ટ, સંગમ, ફતેપુરા, કારેલીબાગ પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી.ત્યાર બાદ એ યાત્રા જીવનભારતી સ્કુલ એલ એન્ડ ટી એરપોર્ટ થઈ ફરી પંચમુખી હનુમાન મંદિર ખાતે સંપન્ન થઈ હતી.દરમ્યાન ફતેપુરા કંુભારવાડા ખાતેથી નિકળેલી શ્રી રામની આવી જ એક અન્ય શોભાયાત્રા પર તલાટીની ઓફિસની બાજુની ગલીમાંથી તથા સામેની બાજુ આવેલા એક ધાર્મિક સ્થળ પરથી અચાનક ભારે પથ્થરમારો શરૂ થયો હતો. પોલીસે માંડ માંડ પરિસ્થિત થાળે પાડતા શોભાયાત્રા આગળ વધી હતી. પરંતુ ચાંપાનેર દરવજા પાસે ફરીથી આ શોભાયાત્રા પર ભારે પથ્થરમારો થયો હતો. યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે અગાઉ સમગ્ર માર્ગ પર ઠેર ઠેર પથ્થરમારો થતાં વડોદરામાં ભારેલો અગ્નિ છે તથા મોડીરાત્રે એ કોમી રમખાણોના જવાળામુખીમાં ન ફેલાય તે માટે સ્થાનિક પોલીસે કડક હાથે કામ લેવાનુ શરૂ કર્યું છે.આજે શ્રી રામની ત્રીજી શોભાયાત્રા ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા યોજાઈ હતી. જે પ્રતાપનગર વિસ્તારના રણમુકતેશ્વર મહાદેવ ખાતેથી નિકળી પથ્થરગેટ વિસ્તારના તાડફળિયા ખાતે આવેલા રામજીમંદિર ખાતે સંપન્ન થઈ હતી. આ સમગ્ર રૂટ સંવેદનશીલ વિસ્તાર હોવાથી પોલીસે અગાઉ બે શોભાયાત્રાઓ પર થયેલા ભારે પથ્થરમારાના પગલે અગમચેતીના પગલારૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો.એક તરફ પવિત્ર રમઝાન મહિનો ચાલુ છે તથા સમગ્ર લઘુમતી વિસ્તારોમાં સાંજ બાદ ધાર્મિક માહોલ સર્જાય છે ત્યારે આજે દિવસ દરમ્યાન થયેલા કોમી છમકલાઓ વધુ વકરે નહીં તે માટે પોલીસે ચારેબાજુ ઘોસ વધારી છે.વધુ વાંચો -
રાહુલ, શાહ અને કેજરીવાલનો સૌરાષ્ટ્રમાં હુંકાર
- 22, નવેમ્બર 2022 01:30 AM
- 7579 comments
- 8394 Views
રાજકોટ રાહુલ ગાંધીએ રાજકોટમાં વિશાળ જનમેદની સામે કોંગ્રેસનો પ્રચાર કર્યો હતો. સાથે જ મંચ પરથી ભાજપ પર ઉદ્યોગપતિઓને લ્હાણી કરાવતો આરોપ પણ મૂક્યો. સંબોધનની શરૂઆત પહેલા તેમણે મોરબી દુર્ઘટના મુદ્દે ૨ મિનિટનું મૌન પાળ્યુ હતું. મોરબી દુર્ઘટના પર ગાંધીએ કહ્યું કે, મને પત્રકારોએ પૂછ્યુ કે તમે શુ વિચારો છો. મેં કહ્યું કે, ૧૫૦ લોકોના મોત થયા છે, આ રાજકીય મુદ્દો નથી. આ વિશે હુ નહિ બોલું. પરંતુ આજે સવાલો ઉઠે છે. જેઓએ આ કામ કર્યું તેની સામે કોઈ કાર્યવાહી નહિ. કોઈ એફઆઈઆર નહિ. બીજેપી સાથે તમારો સારો નાતો છે. તો તેમને કંઈ નહિ થાય કે શું. ચોકીદારોને પકડીને અંદર કર્યાં. પરંતુ જવાબદારો સામે કંઈ ન થયું. ગુજરાત સ્મોલ એન્ડ મીડિયમ ઈન્ડસ્ટ્રીઝનુ હાડકુ છે. નાના વેપારીઓ રોજગાર આપતા હતા, પરંતુ સરકાર કાળાધનના નામે નોટબંધી લાવી, પરંતુ નાના અને મધ્યમ કદના ઉદ્યોગો બંધ થઈ ગયા. પાંચ અલગ અલગ ટેક્સ લાવ્યા. જે વેપાર બચ્યા હતા તે પણ નાબૂદ થયા, અરબપતિઓ માટે રસ્તો બનાવવાનો હતો. કોરોનાના સમયે પણ એવુ જ કર્યું. જીએસટી બાદ કોરોના આવ્યો, તેમાં પણ સરકારે મદદ ન કરી. આ કોઈ પોલિસી નથી. નોટબંધી, જીએસટી, કોવિડ કોઈ પોલિસી નથી. તે ખેડૂત, મજબૂર, વેપારીઓને નાબૂદ કરવાના હથિયાર છે. હિન્દુસ્તાનના બે-ચાર ઉદ્યોગપતિઓ માટે રસ્તો બનાવવાના હથિયાર છે. આ અરપતિઓ પોર્ટ, એરપોર્ટ, ઈન્ફ્રસ્ટ્ર્કચર, ખેતી, ગ્રોસરી સ્ટોરમાં ઘૂસી રહ્યાં છે. પરંતુ હિન્દુસ્તાનનો યુવા સપનુ જાેવા માંગતો હોય તો તેના માટે લાખો રૂપિયા આપવા પડે છે.કોડિનારમાં અમિત શાહનું સંબોધન ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ, કાૅંગ્રેસ અને આપ સહિતની પાર્ટીઓએ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે ભાજપના પ્રચાર માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં અને ગીર સોમનાથના કોડીનારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સભા યાજાેઈ હતી. અમિત શાહ સભા સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ કહે છે અમારું કામ બોલે છે, હું તેમને પુછવા માગુ છું કે તમે ૨૫-૩૦ વર્ષથી તમારી સરકાર જ નથી તો તમારું કયો કામ બોલે છે. ભાજપ સરકારે એક જ ઝાટકે ૩૭૦ ની કલમને હટાવી. આમ આદમી પાર્ટીને લઈ લોકોને કહ્યું કે, મેધા પાટકરને લઈને છછઁ સામે જવાબ માંગવાનો છે. કે જેઓએ સૌરાષ્ટ્રમાં નર્મદાનું પાણી પહોંચાડવામાં વિલંબ ઉભો કર્યો હતો.વધુ વાંચો -
પાડોશી રાજયના બે ડેમમાંથી પાણી છોડવામાં આવતા ઉકાઈ ડેમનું જળસ્તર વધ્યું
- 07, સપ્ટેમ્બર 2021 02:22 PM
- 2385 comments
- 5791 Views
તાપી-રાજ્યના વરસાદના બીજા રાઉન્ડમાં દક્ષિણ ગુજરાતના તાપી સહીતના જિલ્લાઓમાં સારો વરસાદ પડ્યો છે. તાપી જિલ્લાની વાત કરીએ સારો વરસાદ પડતા ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો થયો હતો. હવે ફરી મહારાષ્ટ્રના બે ડેમમાંથી પાણી છોડવામાં આવતા ઉકાઈ ડેમનું જળસ્તર વધ્યું છે. મહારાષ્ટ્રના પ્રકાશા ડેમ અને હથનુર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. પ્રકાશા ડેમના 4 દરવાજા ખોલીને અને હથનુર ડેમના પણ 4 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવતા ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં પાણીની આવક થઇ છે. ઉકાઈ ડેમમાં હાલ 58, 579 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે જેના કારણે ડેમની જળસપાટી વધીને 333.04 ફૂટ થઈ છે. તાપી નદીમાં ઉપરવાસમાં આવેલા હથનુર ડેમ ની સપાટી 210 મીટરે પહોચી છે. હથનુર ડેમમાંથી 20,700 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે. હથનુર ડેમ ઉપરાંત પ્રકાશા ડેમની સપાટી 109 મીટરે પહોચતા પ્રકાશા ડેમમાંથીપાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ બંને ડેમમાંથી છોડવામાં આવેલો પાણીનો જથ્થો હાલ ઉકાઈ ડેમમાં ઠાલવાઈ રહ્યો છે જેથી ઉકાઈ ડેમની સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે. ઉકાઇ ડેમમાંથી હાલ માત્ર 58, 579 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેની સીધી અસર કોઝવેની સપાટી પર જોવા મળી છે.વધુ વાંચો -
જાણો, ધોરણ 12નું દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનું ઓવરઓલ પરીણામ કેવું રહ્યું?
- 17, જુલાઈ 2021 11:26 AM
- 7910 comments
- 3976 Views
સુરતઆજે ધોરણ 12 સાયન્સમાં એક લાખ 7 હજાર 264 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત 100 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં 3245 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.જ્યારે 15 હજાર 284 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે.A ગ્રૂપમાં 466 વિદ્યાર્થીઓએ 99 ટકાથી વધુ માર્ક્સ મેળવ્યા છે. જ્યારે B ગ્રૂપમાં 657 વિદ્યાર્થીઓએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે.અમદાવાદ શહેરમાં 109 વિદ્યાર્થીઓ અને અમદાવાદ ગ્રામ્યમાં 73 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.સૌથી વધુ 26831 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે.જ્યારે સુરત શહેરમાં પણ 546 વિદ્યાર્થીને એ-વન ગ્રેડ મળ્યો છે...આ સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનું ઓવરઓલ પરીણામની વધુ માહિતી નીચે મુજબ છે.દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનું ઓવરઓલ પરીણામજિલ્લો વિદ્યાર્થી સંખ્યા એ-વન ગ્રેડસુરત 13733 546નવસારી 4463 107વલસાડ 4446 20ડાંગ 296 00તાપી 1186 1ભરૂચ 3142 41નર્મદા 812 06સુરત શહેરનું ઓવરઓલ પરીણામગ્રેડ સંખ્યાએ-વન 546એ-ટુ 2547બી-વન 3628બી-ટુ 3416સી-વન 2387સી-ટુ 1053ડી 144વધુ વાંચો -
‘તોકતે’ વાવાઝોડાને પગલે ભરૂચમાં ૨૭૬૪ લોકોનું સ્થળાંતર
- 18, મે 2021 01:30 AM
- 4640 comments
- 7669 Views
ભરૂચ, ભરૂચ જીલ્લાના દરિયાકાંઠા વિસ્તારના સંભવિત તૌકતે વાવાઝોડાની અસર સામે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગોતરા પગલાં ભરવામાં આવી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં દરિયાકાંઠે આવેલાં જંબુસર તાલુકાના ૧૪ ગામોના ૬૮૩, વાગરા તાલુકાના ૧૧ ગામોના ૧૫૮૫ અને હાંસોટ તાલુકાના ૫ ગામોના ૪૯૬ મળી કુલ ૩૦ ગામોના કુલ ૨૭૬૪ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે તેમ જીલ્લા કલેકટર ડૉ.એમ.ડી.મોડિયાએ વાગરા તાલુકાના ગામ્ય વિસ્તારની મુલાકાત દરમ્યાન જણાવ્યું હતું. કલેકટરે આ મુલાકાત વેળાએ ગંધારના દરિયા કિનારા અગરિયાઓને તાત્કાલિક રૂબરૂ જઇને સ્થળાંતર કરાવ્યા હતા.આ સ્થળાંતર કરી ગયેલા લોકોમાં કોવિડ આરોગ્યલક્ષી ગાઈડલાઈન પ્રમાણે ચકાસી જાે કોઈને પોઝિટિવ હોય તો તેને અલગ રાખવા ઉપરાંત તાત્કાલિક અસરથી સારવાર કરાવવા જણાવ્યું હતું. કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે નાગરિકોને આ બે દિવસ દરમ્યાન સતત સાવચેતી રાખવાની જરૂર છે.ભરૂચ જીલ્લામાં સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા જીલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરતા પ્રબંધ કરવામાં આવ્યા છે આ બાબતમાં કોઈપણ મુશ્કેલી કે રજૂઆત હોય તો જીલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના સંપર્ક નંબર ૦૨૬૪૨-૨૪૨૩૦૦ અથવા ૧૦૭૭ નો સંપર્ક સાધવા જણાવાયું છે.લોકોને કોઈપણ પ્રકારની અફવાથી બચવા, સલામત સ્થળે સ્થળાંતર કરવામાં સહયોગ આપવા તથા બચાવ-રાહત કામગીરીમાં અંતરાયરૂપ ન થવા અપીલ છે.સુવા ગામે દરિયાકાંઠે પવનની ગતિમાં વધારો ગુજરાતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતના હવામાન વિભાગે ગુજરાત અને દિવને રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેની સાથે ભરૂચના દહેજ બંદરને ૧ નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. દહેજમાં પ્રવર્તી રહેલ તૌકતે વાવાઝોડા સંદર્ભે તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્તનું આયોજન અને અસરકારક કામગીરી કરવામા આવી રહી છે. જેના ભાગરૂપે સંભવિત અસર થનાર દરિયાકાંઠાના સુવા ગામે પવનની ગતિમા વધારો થયો હતો અને વાતાવરણ બદલાયું હતું. તંત્ર દ્વારા માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી હતી અને બોટને દરિયામાં ન લઇ જવા દઈને કાંઠે લઇ આવ્યા જણાવ્યું હતું. જેના ભાગરૂપે સંભવિત અસર થનાર દરિયાકાઠાના વિસ્તારમાં જેના મકાનો કાચા છે ને જે વિસ્તારમાં પુરનું ભય છે તેવા વિસ્તારના લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવાયાનું કામ શરૂ કરાયું છે. હાંસોટ અને આલીયાબેટના લોકોનું સલામત સ્થળે સ્થળાંતર તૌકતે વાવાઝોડા ની તીવ્ર અસર ને પગલે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે રાહત કામગીરી માં ઉભુ છે.જેને પગલે હાંસોટ તાલુકા ના સમુદ્રી કિનારે વસેલા ૬ ગામો અને આલીયાબેટ પર રહેતા લોકોનું તંત્ર દ્વારા સ્થળાંતર કરાવવામાં આવ્યુ હતુ. ગુજરાત માં તૌકતે વાવાઝોડાની એક્ટિવિટી શરુ થઇ ગઈ છે,તારીખ ૧૬ મી મે ના રોજ સાંજ થી જ ભારે પવન અને વરસાદી માહોલ સર્જાયો છે,ત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ અગમચેતીના ભાગરૂપે અસરગ્રસ્ત ગામોના લોકોનું સ્થળાંતર કરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી.જેમાં હાંસોટ તાલુકા ના કંટીયાજાળ, સમલી, વમલેશ્વર, કતપોર, વાંસાનોલી,અને આંકલાવ મળીને ૫૩૧ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યુ હતુ,જ્યારે આલીયાબેટ પર વસતા ૨૫૦ લોકોને હાંસોટ અને અંભેટા ની પ્રાથમિક શાળા માં સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યુ હતુ. જ્યારે બીજી તરફ અંકલેશ્વર પંથકમાં પણ દિવસ દરમ્યાન પવનની ગતિ તેજ રહી હતી, અને વાતાવરણ માં ધૂળની ડમરીઓ ઉડી હતી, તેમજ છુટા છવાયા વરસાદી છાંટા પણ વરસ્યા હતા. તૌકતે વવાઝોડાની અસરઃ વલસાડમાં દરિયામાં બાર ફૂટના મોજાં ઉછળ્યાં વલસાડ, તૌકતે વાવાઝોડાની હવામાન વિભાગે આપેલ આગાહી એ વલસાડ જિલ્લા ના વહીવટી તંત્ર ની ઊંઘ ઉડાડી દીધી છે. નવો રોગ મ્યુકોરમાઇકોસીસે એન્ટ્રી મારી છે અને હવે તૌકતે વવાઝોડા ના આગમન ની આગાહી થી લોકો માં દહેશત વ્યાપી છે. હવામાન વિભાગે આ વાવાઝોડું ગુજરાત માં ૧૮ થી ૨૦ તારીખે આવશે ની આગાહી આપી હતી પરંતુ રવિવારે બપોરે બે વાગ્યે થી જ વાવાઝોડા ની અસર જાેવા મળી હતી. કલેક્ટર આર.આર.રાવલ દ્વારા સંભવિત અસરગ્રસ્ત વલસાડ તાલુકાના ૨૦ ગામોના ૧૦૬૭ લોકોને ૨૬ આશ્રય સ્થાન, પારડી તાલુકાના ૦૬ ગામોમાં ૫૬૧ લોકોને ૩ આશ્રયસ્થાન, ઉમરગામ તાલુકાના ૧૧ ગામોના ૭૮૯ લોકોને બાવન આશ્રયસ્થાનો મળી કુલ ૩૯ ગામોના કુલ ૮૩ આશ્રયસ્થાનોમાં ૧૦૯૬સ્ત્રી અને ૯૫૮ પુરુષ તથા ૩૬૩ બાળકો મળી ૨૪૧૭ લોકોનું સલામત રીતે સ્થળાંતર કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લા ના શહેરો સહિત ગ્રામ્ય વિસ્તારો માં વરસાદી માહોલ બન્યો હતો તિથલ ખાતે વર્ષો જૂનો ઝાડ ધરાસાઈ થયો હતો દરિયા થી જાેરદાર પવન ફૂંકાયો હતો અંતરિયાળ વિસ્તારો માં ઘણા ઝૂંપડાઓ ના પતરા ઉડી ગયા હોવાની બાબતો સામે આવી હતી રવિવારે બપોરબાદ વાતાવરણ શાંત બન્યું હતું વલસાડ વહીવટી તંત્રે કાંઠા વિસ્તાર ના ગામડા ના લોકો ને સ્થળાંતર કરવાની કાર્યવાહી કરી હતી મોડી રાત સુધી લગભગ ૬૦૦ થી૭૦૦ લોકો ને સ્થળાંતર કરાવાયું હતું ૨૪૧૭ જેટલા લોકો ને સ્થળાંતર કરવામાં આવ્યું છે વલસાડ કલેકટર આર આર રાવલ અને ડીએસપી ઝાલા એ લોકો ની સુરક્ષા ની બાગડોર સાંભળી હતી. તિથલ દરિયા કિનારે જાેરદાર પવન આવતા ધંધાદારીઓ એ ઉભા કરેલ તંબુઓ તહસ નહસ થઈ ગયા હતા.દરિયા માં ઉઠી રહેલ તરંગો વાવાઝોડા ની આવવાનો શંકેત આપી રહી હતી ૨૪ પોલીસ અધિકારીઓ ની દેખરેખ માં વલસાડ પોલીસ ની સૈકડો જવાનો લોકો ની સુરક્ષા બાબતે તૈનાત થયા હતા વલસાડ ડીએસપી ડો. રાજદીપસિંહ ઝાલા એ જિલ્લા માંથી ૪૦૦ જેટલા તરવૈયાઓ ની ટિમ સજ્જ રાખી હતી તેની સાથે ૧૦૮ અને ખાનગી હોસ્પિટલો ની એમ્બ્યુલનસો પણ સ્ટેન્ડબાય રાખવા માં આવી હતી એન ડી આર એફ ની ટિમ લોકો ને મદદ કરવા ઉપસ્થિત રહી હતી વાવાઝોડા ને લઈ બચાવ માટે કલેકકટરે તમામ વ્યવસ્થાઓ કરી હતી છતાં પણ આવનાર વાવાઝોડું કેવી સ્થિતિ નું સર્જન કરશે તે બાબતે ચિંતાતુર બન્યા હતા.ખેરગામ તાલુકામાં બપોર સુધી તીવ્ર પવનની ઝડપ વર્તાતી હતી, થોડો વરસાદ પડ્યો. પરંતુ બપોરે અઢી વાગ્યાના સુમારે સરસિયાના કુંવરજીભાઇ ઝીણાભાઈ પટેલે હાલમાં જ બનાવેલા મકાનના છાપરાના સિમેન્ટના પંદરેક પતરા ચક્રવાતે ઉડાડતા ઘરમાં ચાર્જિંગ થતો મોબાઈલ ઉપર પડતાં ૯ હજારનો મોબાઈલ કચ્ચરઘાણ થઇ ગયો હતો.વીજ કંપનીઓના વીજ કર્મીઓ ખડેપગે જિલ્લામાં વાવાઝોડાને પગલે વીજળી વેરણ થાય તો કોવિડની સુવિધાઓ ઠપ ન થાય તે માટે ૩૦૦ વીજ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે તથા વીજ તાર તૂટી જવાની સ્થિતિમાં રિસ્ટોરેશન માટે ૧૯ ટીમો સ્ટેન્ડબાય કરવામાં આવી છે. સુપ્રિટેન્ડન્ટ એન્જીનીયર જીઈ જે.એસ.કેદારીયાએ જણાવ્યું હતું કે ૧૧ એન્જીનિયર સાથે ની ૩૦૦ વિજકર્મીઓની ટીમ રિસ્ટોરેશન માટે વાગરા, હાંસોટ અને જંબુસર તાલુકાના દરિયા કાંઠાના ગામોમાં તહેનાત છે. અન્ય તાલુકા અને ભરૂચ,અંકલેશ્વર, આમોદ,જંબુસર નગર માટે પણ અન્ય વીજ સ્ટાફ સ્ટેન્ડ બાયમાં છે. જિલ્લામાં આજે સામાન્ય અને કાલે અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. વાવાઝોડાના પગલે જિલ્લાભરમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જાનહાનીના કોઈ અહેવાલ સાંપડ્યા નથી. ગુજરાતને પ્રાણવાયુ પૂરો પાડતા દહેજ – ઝઘડિયાના ૨ પ્લાન્ટ કાર્યરત રાખવા પર ધ્યાન સમગ્ર ગુજરાતને મોટાપાયે ઓક્સિજન પૂરો પાડતા દહેજ અને ઝઘડિયાનો પ્લાન્ટ ઠપ ન થાય તેના ઉપર વિશેષ ધ્યાન દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ કેન્દ્રિત કર્યું છે. ઔદ્યોગિક ગઢ અને ૧૨૨ દ્ભસ્નો દરિયા કાંઠો ધરાવતા ભરૂચ જિલ્લામાં ઓક્સિજન ઉત્પાદન કરતી કેટલીક કંપનીઓ સાથે ૨ મોટા પ્લાન્ટ આવેલા છે. દહેજની લિંડે અને ઝઘડિયાની કંપની મોટા પાયે ઓક્સિજનનું પ્રોડક્શન કરે છે. કોરોના કાળમાં આ બંને કંપની દ્વારા ઉત્પાદિત થતો પ્રાણવાયુ સમગ્ર રાજ્યમાં પણ મોટા પ્રમાણમાં મોકલવામાં આવે છે. ભરૂચ શહેરમાં રહેલા જાેખમી બેનરો અને હોર્ડિંગ ઉતારાયા ભરૂચ નગરપાલિકા તંત્ર પણ તૌકતે વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાન માં રાખી સજ્જ થઈ ફાયર બ્રિગેડની બે ટીમ ૨૪ કલાક માટે તૈયાર રાખી કામગીરી હાથધરી છે. ભરૂચ નગરપાલિકા તંત્ર પણ એક્શનમાં આવ્યું છે. ફાયર બ્રિગેડની બે ટીમ બચાવ સામગ્રી સાથે રાઉન્ડ ધી કલોક તહેનાત રાખવામાં આવી છે.ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય સોની અને પ્રમુખ અમિત ચાવડાએ નગરપાલિકાની તૈયારી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે શહેરમાં રહેલા જાેખમી હોર્ડીંગ અને બેનરોને ઉતારી લેવામાં આવ્યા છે. કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા પાલિકા તંત્ર સજ્જ હોવાનું કહ્યું હતું. માંડવીના અંતરિયાળ ગામોમાં ઘરોને નુકસાન તાઉતે વાવઝોડાના કારણે માંડવી તાલુકાના ફેદરિયા-ઉકાઈ રોડ પરના અંતરિયાળ વિસ્તારનાં ગામોમાં થયું નુકશાન. સતત ૧૫ થી ૧૬ કલાક વિજપ્રવાહ રહ્યો બંધ. રાજકિય આગેવાનો દ્વારા આગળ આવી પીડિતોને સહાય કરાય તેવી ગ્રામજનોની માંગ. દેશનાં અમુક વિસ્તારોમાં આતંક ફેલાવનાર તાઉતે વાવાઝોડાની અસર માંડવી તાલુકામાં પણ દેખાય હતી. જેનાં સંદર્ભે ફેદરિયા-ઉકાઈ રોડ પર આવેલ અંતરિયાળ વિસ્તારનાં ગામોમાં અમુક ગરીબ આદિવાસી લોકોનાં ઘર તૂટી જતા જાણે તેમના પર આભ તૂટી પડ્યું હતું. અમુક લોકોએ ઓછીના પૈસા લાવી જાત મહેનત કરી ઘર બનાવ્યાને હજુ માંડ એક કે દોઢ વર્ષ જ થયું હતું અને તેમના પૈસા પણ ચૂકવવાનાં બાકી હોય અને આ વાવાઝોડાને કારણે તેમનું મકાન તૂટી જતા જાણે તેમની આત્માએ રાડ પાડી રુદન કર્યું હોવાની લોકમુખે ચર્ચા ચાલી રહી છે. તો ઘર સહિત કેટલનાં ખેતરમાં ઉભા પાકને પણ નુકશાન થતા ખેડૂત જાણે માથે હાથ દઈ બેસી ગયો હતો. તો આવી કપરી પરિસ્થિતિમાં રાજકિય આગેવાનો આગળ આવી આવા પીડિતોને સહાય કરે તેવી ગ્રામજનોમાં માંગ ઉભી થઇ છે.વધુ વાંચો -
માંડવી-અંબાજી ચાર રસ્તા ટેમ્પોમાં આગઃચાલકનો બચાવ
- 11, મે 2021 01:30 AM
- 1820 comments
- 1860 Views
માંડવી, માંડવી જુની પોલીસ લાઈન જતાં રસ્તા પાસે આવેલી શોપિંગ સેન્ટર પાસે ધાસચારો ભરેલ ટેમ્પોમાં આગ લાગતા અફરા તફરી મચી ગઇ હતી. ટેમ્પોનાં ચાલકે જીવનાં જાેખમે ટેમ્પો હંકારી અંબાજી ચાર રસ્તાથી રાઈસ મિલ તરફ ખુલ્લા વિસ્તારમાં મૂકી ઉતરી ગયો હતો. આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં તેઓ દ્વારા તાત્કાલિક ધટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાય હતી.માંડવી તાલુકાનાં વાધનેરા ગામે રહેતા કાનાભાઈ દેવાભાઈ બધીયા જેઓનાં બોલેરો ટેમ્પો (નં. જી.જે.૧૯.યુ.૪૧૧૦) માં ધાસચારો ભરી જુની પોલીસ લાઈન જતાં રસ્તા પાસે આવેલી શોપિંગ સેન્ટર પાસે પાર્કિંગ કરેલ હતો. બપોરે લેગભગ ત્રણ વાગ્યાનાં સુમારે ટેમ્પોમાં એકાએક આગ લાગતાં ટેમ્પોનાં ચાલકે જીવનાં જાેખમે ટેમ્પો ચલવી રાઈસ મિલ નજીક રસ્તા ની બાજુમાં ખુલ્લા વિસ્તારમાં મુકીને ઉતરી ગયો હતો. આ ઘટનાની જાણ ફાયર વિભાગ ને કરતાં તાત્કાલિક ધટના સ્થળે ફાયર બ્રિગેડનાં રાજદીપ સિંહ બોરાધરા, શૈલેષ ગામીત, જયેશ નાયકા, તેજસ ચૌધરી દ્વારા સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેડવાયો હતો.વધુ વાંચો -
માંડવીના ડમ્પિંગ યાર્ડમાં કચરો સળગાવતાં પ્રદૂષણ
- 04, મે 2021 01:30 AM
- 7321 comments
- 7501 Views
માંડવી, માંડવી નગર પાલિકા દ્વારા સમગ્ર નગરમાં ડોર ટુ ડોર ટેમ્પામાં કચરો ઉધરાવી પાલિકાનાં ડમ્પીંગ યાર્ડ પર ખાલાવવામાં આવે છે. ત્યારે કેટલાક ભંગાર શોધવા વાળા કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા કચરો સળગાવતા રાત્રીના સમયે વાતાવરણમાં ભારે માત્રામાં ધૂમાડો ફેલાઈ જતો હોય છે. જે પ્રજાજનોનાં આરોગ્ય માટે જાેખમી સાબિત થઈ રહ્યો છે. હાલમાં કરોના નો કહેર વર્તાઈ રહ્યો છે. ત્યારે કચરામાં પ્લાસ્ટિક સહિત ધણી વસ્તુઓ બળીને ભસ્મ થઇ જાતી હોય અને તેની દુર્ગંધ મારતો ધૂમાડાથી આસપાસનાં વિસ્તારનાં રહેવાસીઓ તેમજ વાહન ચાલકોનાં સ્વાસ્થ્યને પણ નુકશાન પોહચી રહ્યું છે. આ સંદર્ભે પાલિકા પ્રમુખ રેખાબેન વશી એ જણાવ્યું હતું કે પાલિકાનાં ડમ્પીંગ સાઈટનાં સંપૂર્ણ વિસ્તારની આજુ બાજુ દિવાલ કરી દેવામાં આવશે. જેથી પાલિકાનાં કર્મચારીઓની જાણ બહાર કોઈ પણ વ્યક્તિ ડમ્પીંગ યાર્ડમાં પ્રવેશ કરી સકશે નહી. તેમજ આ રીતે કોઈ ભંગાર શોધવા વાળા કે અન્ય કોઇ દ્વારા પણ ડમ્પીંગ યાર્ડમાં પ્રવેશી કચરુ સળગાવવાની કે બીજીકોઈ પ્રવૃત્તિ પણ કરી ન શકે.વધુ વાંચો -
માંડવીનાં ઉમરસાડી ચાર રસ્તાથી દેશી દારૂ લઈ જતા બે ઈસમો ઝડપાયા
- 27, એપ્રીલ 2021 01:30 AM
- 2916 comments
- 2774 Views
માંડવી, માંડવી પોલીસ દ્વારા ઉમરસાડી ચાર રસ્તા ખાતેથી ગેરકાયદેસર ૧૦૦ લીટર દેશી દારૂ વહન કરતી બાઇક ઝડપાય. બાઇક પર સવાર બંને ઇસમોને પોલીસ દ્વારા દબોચી તેઓ વિરુદ્ધ ગુનો નોંધાયો. પોલીસ સૂત્રો પાસે પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી પોલીસ સ્ટેશનનાં કર્મીઓ મુકુંદભાઈ ચાલકે, કમલેશભાઈ માલી અને અનંદભાઈ ચૌધરી પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક હોન્ડા ડ્યૂ બાઇક (નં. જી.જે.૧૯.બી.બી.૬૦૨૭) પર બે ઈસમો દેશી દારૂ લઈ ઉમરસાડી ચાર રસ્તાથી પસાર થઈ હરિપુરા ખાતે જનાર છે. મળેલ બાતમી મુજબ વોચ ગોઠવતા બાતમી મુજબનું વાહન આવતા તેને ઉભું રાખી તપાસ કરતા બાઇકની ડીકીમાં તેમજ આગળનાં ભાગે વિમાલનાં મોટા થેલા તથા સ્કૂલ બેગમાં દારૂની પોટલીઓ મૂકી હતી. જેની ગણતરી કરતા કુલ ૧૦૦ લીટર થઈ રૂ. ૨૦૦૦ નો દેશી દારૂ મળી આવ્યો હતો. બંને આરોપીઓને નામ પૂછતા પોતાનું નામ ધર્મેશભાઈ સુરેશભાઈ ચૌધરી અને વિજયભાઈ મસાભાઈ ચૌધરી (બંને રહે. વિસડાલિયા) જણાવ્યું હતું.વધુ વાંચો -
કરંજ ગામે બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતાં બેનાં મોત
- 16, એપ્રીલ 2021 01:30 AM
- 5407 comments
- 1035 Views
માંડવી, માંડવીનાં કરંજ ગામની સીમમાંથી એક બાઇક ચાલક સાહિલ ફિરોઝ ફકીર (ઉં.વ. ૧૯, રહે. ડુંગળી તળાવ ફળિયું, વાલિયા) મોટર સાયકલ (નં. જી.જે.૧૬.સી.એલ.૧૮૬૬) લઈ પસાર થતો હતો તે વેળાએ એક ટ્રક ચાલક (નં. જી.જે.૩૭.ટી.૧૯૦૦) દ્વારા પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારી સાહિલને અડફેટે લીધો હતો અને ત્યારબાદ તેની ટ્રક માર્ગની બાજુમાં આવેલ ખાડામાં ખાબકી જતા ટ્રકનાં ચાલકનું જ મૃત્યુ થયું હતું. તેમજ સાહિલને ઈજાઓ થતા સારવાર અર્થે તડકેશ્વર શિફા હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો પરંતુ ત્યાં ફરજ પરનાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.વધુ વાંચો -
માંડવી સ્વૈચ્છિક બંધના પ્રથમ દિવસે પોલીસ દ્વારા પેટ્રોલિંગ નગરના પ્રવેશદ્વાર સીલ
- 16, એપ્રીલ 2021 01:30 AM
- 488 comments
- 4394 Views
માંડવી, માંડવી નગરમાં કોરોના સંક્રમણ અટકાવવા નગરનાં તમામ વ્યાપારીઓ દ્વારા તા. ૧૫-૦૪-૨૦૨૧ થી તા. ૨૨-૦૪-૨૦૨૧ સુધી એક સપ્તાહ પોતાની દુકાનો સ્વૈચ્છીક બંધ રાખવા તેમજ નગરમાં અવર-જવર કરતા બહારનાં વ્યક્તિઓને નિયંત્રણમાં લાવવા માંડવી પ્રાંત અધિકારીને રાજુવાત કરાય હતી. આજ રોજથી માંડવી પોલીસ દ્વારા નગરનાં તમામ પ્રવેશદ્વાર સીલ કરી દેવામાં આવેલ છે અને તોપ નાકા પાસેનો મુખ્ય પ્રવેશદ્વાર જ ચાલુ રાખવામાં આવેલ છે જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિત વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. તેમજ બહાર ગામથી આવતા વ્યક્તિઓનો ફરજિયાત કોરોના ટેસ્ટ કર્યા બાદ જ નગરમાં પ્રવેશ અપાય રહ્યો છે. અને જાે કોઈ કોરોના ગ્રસ્ત વ્યક્તિ જણાય તો તેના રહેણાંક વિસ્તામાં આવતા પી.એચ.સી./ સી.એચ.સી. સેન્ટર પર જાણ કરી તેને હોમ કોરોન્ટાઈ કરવામાં આવશે. સતત પેટ્રોલિંગ કરી નગરમાં કોઈ ટોળુ ન થાય કે કામ વગર બહાર ન નીકળે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.વધુ વાંચો -
માંડવીમાં તાપી નદીમાં છોડાતાં ગંદા પાણીનો ‘આપ’ દ્વારા વિરોધ
- 13, એપ્રીલ 2021 01:30 AM
- 7594 comments
- 2333 Views
માંડવી, માંડવી નગર પાલિકા દ્વારા તાપી નદીમાં ગટરનું ગંદુ પાણી છોડવાની સમસ્યા ઘણા લાંબા સમયથી વિવાદમાં રહી છે. ત્યારે તે સમસ્યાનું કાયમી સમાધાન લાવવા માંડવી આપ પાર્ટી દ્વારા તજવીજ હાથ ધરાય રહી છે. જેના સંદર્ભે આપ પાર્ટીનાં કાર્યકર્તાઓ દ્વારા આ મુદ્દે માંડવી પ્રાંત અધિકારી, મામલતદાર અને નગર પ્રમુખને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે માંડવી નગર પાલિકા દ્વારા વર્ષોથી ગટરનું ગંદુ પાણી પવિત્ર તાપી નદીમાં છોડવામાં આવે છે. જેના કારણે નદીમાં પ્રદુષણનું પ્રમાણ વધી રહ્યું છે. તેમજ નદી માંથી માછલી પકડતા માછીમારો, નદીનું પાણી પીતા જાનવરો તેમજ નદીમાં રહેતા જીવો આ પ્રદૂષણનો શિકાર બની રહ્યા છે. વધુમાં જણાવાયું હતું કે પ્રદુષણ અટકાવવા ગણપતિ વિસર્જનમાં ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કુત્રિમ તળાવમાં કરવામાં આવે છે. તે તો વર્ષમાં માત્ર એકવાર જ હોય છે. પરંતુ તાપી નદીમાં છોડવામાં આવતું આ ગટરનું ગંદા પાણીથી શુ પ્રદુષણ નથી ફેલાતું? તો જાે દિન ૨૦ માં આ સમસ્યાનું સમાધાન લાવવામાં ન આવે તો આપ પાર્ટીનાં કાર્યકર્તાઓ દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે પ્રતિક ઉપવાસ પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.વધુ વાંચો -
ગુજરાતમાં આગામી 10 દિવસ કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બનશે ?
- 10, એપ્રીલ 2021 03:37 PM
- 1410 comments
- 2800 Views
વડોદરા-વડોદરા સહિત ગુજરાતની કોવિડ હોસ્પિટલોમાં રોજ દર્દીઓના દાખલ થવાની સંખ્યા વધતી જાય છે. આરોગ્ય વિભાગ બેડની સંખ્યા વધારે તો છે, પરંતુ દાખલ દર્દીઓની વધતી જતી સંખ્યા વધુ ચિંતાજનક છે. વડોદરામાં એક જ દિવસમાં ૬૩૦ દર્દીઓ હોસ્પિટલોમાં દાખલ થયા હતા. એટલે પ્રતિ કલાકે સરેરાશ ૨૬ દર્દીઓ દાખલ થયા હતા. જેથી ૬૭૮૦ બેડ ભરાયેલા રહ્યા હતાં અને ૨૬૯૨ બેડ જ ખાલી રહ્યાં હતાં. છેલ્લાં એક સપ્તાહથી હોસ્પિટલોમાં જે રીતે બેડની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે જાેતા આગામી ૧૦ દિવસ કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બનશે તેવુ જાણકારોનુ અનુમાન છે. લોકો તંત્રના ભરોશે બેસી ન રહે. લોકોએ માસ્ક અવશ્ય પહેરવુ જાેઈએ અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવુ જાેઈએ. બને તો કામ વિના ઘરની બહાર જ ન નીકળવુ જાેઈએ. આરોગ્ય વિભાગ કોરોનાના સરકારી આંકડા જાહેર કરે છે, પરંતુ તે આંકડા પાછળનુ સત્ય તેઓ પોતે સારી રીતે જાણે છે અને વડોદરાની આગામી ટૂંકા દિવસોની ભાવી સંભવિત ડરાવની પરિસ્થિતિથી તેઓ વાકેફ હશે. વિશ્વાસપાત્ર સૂત્રોએ કહ્યું હતું કે, શહેરમાં કોરોનાના કેસો માત્ર વધતા નથી, પરંતુ તે ચોંકાવી દે તે રીતે વધી રહ્યાં છે જે ચિંતાનો વિષય છે. તંત્ર તરફથી હોસ્પિટલોમાં બેડની સંખ્યા આગોતરા આયોજન પ્રમાણે સમ્યાંતરે વધારવામાં આવી રહી છે. તેમ છતાં પણ હોસ્પિટલામાં જે રીતે દર્દીઓની દાખલ થવાની સંખ્યા વધી છે તેના કારણે ચિંતાના વાદળો ઘેરી રહ્યાં છે. વડોદરામાં તા.૩જી એપ્રિલે ૮૪૪૮ બેડ ઉપલબ્ધ કરાવાયા હતા. તો તે દિવસે વિવિધ હોસ્પિટલોમાં મળીને કુલ ૫૮૬૯ દર્દીઓ દાખલ હતાં. એટલે કે ૨૫૭૯ બેડ ખાલી હતાં. તા. ૫મી એપ્રિલે ૪૫૮ દર્દીઓ એક જ દિવસમાં દાખલ થયા હતાં. જેથી ૬૩૨૭ બેડ ભરાઈ ગયા હતા. તંત્રએ તે દિવસે ૩૪૧ બેડ વધાર્યા હતા ત્યારે ૨૪૬૨ બેડ જ ખાલી રહ્યાં હતાં. ૬ઠ્ઠી એપ્રિલે ૮૯૯૯ બેડની વ્યવસ્થા કરાઈ હતી. જેમાં વધુ ૭૮ દર્દીઓ દાખલ થતા કુલ ૬૪૦૫ બેડ ભરાઈ ગયા હતા અને ૨૪૯૪ બેડ ખાલી હતા અને ૭મી એપ્રિલે ૯૪૭૨ બેડ ઉપલબ્ધ કરાવાયા હતા, પરંતુ તેની સામે ૩૭૫ દર્દીઓ આજે એક જ દિવસમાં દાખલ થયા હતાં. એક જ દિવસમાં ૩૯૫ દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા તે પૈકી ૩૭૫ દર્દીઓ તો હોસ્પિટલમાં જ દાખલ થયા હતાં. જેથી ૨૬૯૨ બેડ જ ખાલી રહ્યાં હતાં. જ્યારે તા.૮મી એપ્રિલે રાતે ૯.૩૦ કલાકની સ્થિતિએ જાેઈએ તો ૯૭૬૩ બેડ ઉપલબ્ધ હતાં. તે પૈકી ૭૦૨૫ બેડ ભરાઈ ગયા હતા અને ૨૭૩૯ બેડ જ ખાલી હતાં. એટલે કે મોતને ભેટેલા દર્દીઓ અને સ્વસ્થ્ય થઈને ડીસ્ચાર્જ કરી દીધેલા દર્દીઓને બાદ કર્યા પછી પણ બરોબર ૨૪ કલાક બાદ હોસ્પિટલમાં આજે વધુ ૬૨૦ દર્દીઓ દાખલ થયા હતા. એટલે કે પ્રતિ કલાકે સરેરાશ ૨૬ દર્દીઓ દાખલ થતા રહેતા હતા. તંત્ર બેડ વધારતુ જાય છે અને દાખલ થતા દર્દીઓની સંખ્યા પણ ચિંતાજનક રીતે વધતી જ જાય છે. આખરે તંત્ર બેડ વધારી વધારીને કેટલા વધારી શકશે ? એક સમય એવો આવશે કે હોસ્પિટલનુ ઈન્સ્ટ્રાક્ચર જ જવાબ આપી દેશે ત્યારે શું કરી શકાશે ? દર્દીઓની દાખલ થવાની સંખ્યા તો સતત વધી રહી છે. હાલની પરિસ્થિતિ અંગે જાણકારોએ કહ્યું હતું કે, આગામી ૧૦ દિવસ તંત્ર માટે ચેલેન્જીંગ રહેશે અને શહેર માટે ખુબ જ વિકટ બની રહેશે તેવા સંકેતો મળી રહ્યાં છે. શહેરમાં કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બને તો નવાઈ નહીં. લોકો તંત્રના ભરોશે બેસી ન રહે, જાતે જાગૃત્તતા દાખવે તે હવે ખુબ જરૂરી બન્યુ છે. તંત્ર પોતાનુ કામ કરે છે, પરંતુ જનતાએ ઘરની બહાર નીકળતી વખતે ફેસ માસ્ક અવશ્ય પહેરવુ જાેઈએ અને પૂરતા સમય માટે પહેરવુ જાેઈએ તેમજ સોશ્યલ ડિસ્ટન્સિંગનુ ખાસ ધ્યાન રાખવુ જાેઈએ. જેથી સંક્રમણથી બચી શકાય. તેમજ બને તો લોકોએ જરૂરી કામ વિના ઘરની બહાર જ નીકળવુ ન જાેઈએ અને ટોળે તો વળવુ જ ન જાેઈએ. હવે કોરોનાનુ સંક્રમણ રોકવુ પ્રજાના હાથમાં છે. આગામી ૧૦ દિવસ શહેર માટે ખુબ મુશ્કેલીભર્યા સાબિત થઈ શકે છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 4541 પોઝીટીવ કેસ, 42 ના મોત, કુલ 3,37,015 કેસ
- 10, એપ્રીલ 2021 03:13 PM
- 867 comments
- 1875 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 4541 થી વધુ નોંધાયા છે. જેની સામે 2280 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 42 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4697 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 4541 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,37,015 થયો છે. તેની સામે 3,09,626 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. અમદાવાદમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 3500 થી વધુ થઈ જાય છે, જ્યારે રાજ્યના 3,37,015 ની સામે પોઝીટીવ કેસોની સંખ્યા 22692 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,37,015 જેટલી થઈ જાય છે. રાજ્યમાં હાલ 22692 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 187 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 22505 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,09,626 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4697 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 12 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
તંત્ર નહિ સ્મશાન સાબિતી આપે છે
- 10, એપ્રીલ 2021 01:30 AM
- 7022 comments
- 2088 Views
ભરૂચ, કોરોના મહામારી વચ્ચે તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલ કોવિડ સ્મશાન ખાતે સ્થિતિ દિવસેને દિવસે વિકટ બનતી જઈ રહી છે, કોવિડ સ્મશાનમાં આવતા મૃતદેહ હવે વેટિંગમાં રહેતા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ભરૂચમાં જાેવા મળી રહ્યું છે.ભરૂચ, અંકલેશ્વર વચ્ચે નર્મદા નદીના કાંઠે તૈયાર કરાયેલા કોવિડ સ્મશાનમાં ગત રાત્રી સુધી ૨૦ જેટલા તો આજે સવારથી બપોર સુધીમાં ૫ જેટલા મૃતદેહને કોવિડ પ્રોટોકોલથી અગ્નિદાહ આપવામાં આવ્યો છે, ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી કોવિડ પ્રોટોકોલના આધારે અગ્નિદાહ આપવામાં ૬૦૦થી વધુ મૃતદેહનો સમાવેશ થાય છે.એક તરફ કોરોનાનાં કેસોમાં વધારો નોંધાઇ રહ્યો છે તો બીજી તરફ સ્મશાનમાં મૃતકોના વેટિંગ જેવી સ્થિતી ભરૂચીઓ માટે ઘાતક સાબિત થઇ રહી હોય તે પ્રકારની પરિસ્થિતિનું સર્જન કરે છે,કોરોનાનાં દર્દીઓ માટે ઇન્જેક્શન, વેન્ટિલેટર જેવી બાબતો દર્દીઓનાં સગાવાળાઓ માટે પણ ચુનોતી સમાન બનતી જઈ રહી છે. જ્યાં રોજ લોકો આ વસ્તુઓ લેવા એક સ્થળેથી બીજા સ્થળે અથવા સોશિયલ મીડિયા મારફતે મદદનો હાથ લંબાવી વ્યવસ્થાઓ કરવા મજબૂર બન્યા છે.નર્મદા જિલ્લામાં એક જ દિવસમાં કોરોનાથી ચાર દર્દીઓના મોત રાજપીપળા નર્મદા જિલ્લામાં કોરોના વાયરસના આર.ટી.પી.સી.આર ટેસ્ટમાં વધુ ૦૯ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૦૯ સહિત કુલ-૧૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી આર.ટી.પી.સી.આર ટેસ્ટમાં ૧૨૩૮, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૧૦૯ અને ટ્રૂ નેટ ટેસ્ટમાં ૬૭ દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૨૪૧૪ નોંધાવા પામી છે. કોરોના દર્દીઓના ખોટા આંકડો જાહેર કરવામાં આવતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યુ છે.આ તમામની વચ્ચે રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં એક જ દિવસમાં ૪ કોરોના દર્દીઓના મોત નિપજ્યા છે.અમરસિંહ ઉકડીયા વસાવા, જ્યારે ડભોઈથી ગંભીર હાલતમાં આવેલ નટુભાઈ લલ્લુભાઈ પટેલ, સ્વેતાબેન નવલભાઈ વસાવા, રશ્મિકાબેન પ્રવીણભાઈ વસાવામૃત્યુ થયું છે.એક સાથે ૪ દર્દીઓના મોત થયા હોવા છતાં તંત્રના ચોપડે એક પણ મોત નોંધાયું નથી એ આશ્ચર્યજનક બાબત છે. નર્મદા જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૧૩૮૩ દરદીઓ, કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૯૧૬ દરદીઓ સહિત કુલ-૨૨૯૯ દરદીઓને રજા આપવામાં આવી છે. આમ, હોમ આઇસોલેશનમા ૨૮ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૪૯ દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૨૪ અને વડોદરા ખાતે ૧૧ દરદીઓ સહિત કુલ-૧૧૨ દરદીઓ સારવાર હેઠળ છે.કોરોના સંક્રમણ અટકાવવા ગામોમાં સુરક્ષાનાં પગલાં લેવા વિશે જણાવાયું માંડવી. માંડવી વન વિભાગ ના રેસ્ટ હાઉસ ખાતે પ્રાંત અધિકારી જનમ ઠાકોર, મામલતદાર મનીષ પટેલ, પી.એસ.આઇ. દર્શન રાવ, તાલુકા આરોગ્ય અધિકારી રાજુભાઈ ચૌધરી, માંડવી નગરપાલિકા પ્રમુખ રેખાબેન વશી દ્વારા તાલુકાના તમામ સરપંચો સાથે પોતાના ગામમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે ચર્ચા-વિમર્શ કરાય.તમામ અધિકારીઓ દ્વારા ઉપસ્થિત તમામ સરપંચોને કોરોના સંક્રમણ ને અટકાવવા માટે જરૂરી નિર્દેશો કરાયા હતા. જેમકે બજાર કે દુકાનો સવારે ૦૮ઃ૦૦ થી બપોરે ૦૩ઃ૦૦ કલાક સુધી જ ચાલુ રાખવી. ગામ કે નગરમાં તમામે ફરજિયાત માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું. તેમજ રાત્રિના ૦૮ઃ૦૦ થી સવારે ૦૬ઃ૦૦ કલાક દરમ્યાન નાઈટ કરફ્યુનો ગ્રામજનો પાસે ચુસ્તપણે પાલન કરાવવું. તદુપરાંત સર્વે નગરજનો તથા ગ્રામજનો કોરોના ની રસી મુકાવે તે માટે તેઓને પ્રોત્સાહિત કરવા.વધુ વાંચો -
બકરીના પેટમાંથી માણસ જેવા આકારનું બચ્ચું અવતર્યું
- 09, એપ્રીલ 2021 01:30 AM
- 8023 comments
- 8324 Views
તાપી તાપીના સેલટીપાડા ગામના ખેડૂત અજિતભાઈ વસાવાના ઘરે વિચિત્ર આકાર ધરાવતા બચ્ચાંને બકરીએ જન્મ આપ્યો છે. બકરીના બચ્ચાના કપાળ, આંખ,મોઢું, અને દાઢી જેવા ભાગો મનુષ્ય જેવું જ હોવાનું જાેવા મળ્યું છે. એટલુ જ નહિ, જન્મેલા બચ્ચાની પૂંછડી પણ ન હતી. આ બચ્ચું માત્ર ૧૦ મિનીટ જ જીવિત રહ્યું હતું. તેમજ આ બકરીનું બચ્ચું નાનું બાળક રડે તેમ રડ્યું પણ હતું. બકરીના માલિક અજીતભાઈ વસાવાએ કહ્યું કે, બચ્ચાના ચાર પગ અને કાન જ બકરી જેવા હતા, બાકીનં આખુ શરીર માનવ શરીર જેવું હતું.વધુ વાંચો -
જિલ્લા કલેક્ટર દ્વારા માંડવી સરકારી હોસ્પિટલ ખાતે કોવિડ કેર સેન્ટરની મંજૂરી
- 09, એપ્રીલ 2021 01:30 AM
- 9569 comments
- 3685 Views
માંડવી. માંડવી નગર અને તાલુકામાં કોરોના કોસોનો રાફડો ફાટતા માંડવી સરકારી હોસ્પિટલ ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કરવા માંડવી નગર આપ પાર્ટી દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તો ૨૩-બારડોલી લોકસભાનાં સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિતમાં જણાવવામાં આવ્યું હતું. બંનેની મહેનત રંગ લાવતા માંડવી સરકારી હોસ્પિટલ ખાતે કોવિડ કેર સેન્ટરની પરવાનગી મળતા તેનું ઉદ્દઘાટન સાંસદ પ્રભુભાઈ વસાવનાં હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે દિન-પ્રતિદિન વધતા જતા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખતા માંડવી ખાતે શરૂ કરવામાં આવેલ કોવિડ કેર સેન્ટર નગર અને તાલુકાનાં પ્રજાજનો માટે સંજીવની સમાન સાબિત થશે. તેમજ આપવામાં આવેલ તમામ સુવિધાઓમાં વધારો થાય તે માટે હમો સતત કાર્યરત છીએ. જરૂરી સુવિધાઓ જેમકે વેન્ટિલેટર, બેડ, ઇન્જેક્શન, દવા તથા અન્ય જરૂરી સામગ્રી સંપૂર્ણ પણે ઉપલબ્ધ કરવામાં આવશે. માંડવી નગર આપ પાર્ટીનાં સહમંત્રી શૈલેષભાઇ પ્રજાપતિ દ્વારા કોવિડ કેર સેન્ટર શરૂ કરવા પ્રાંત અધિકારીને અપાયેલ આવેદનપત્ર ને ધ્યાનમાં લેવા બદલ પ્રાંત અધિકારી અને જિલ્લા કલેક્ટરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 3575 પોઝીટીવ કેસ, 22 ના મોત, કુલ 3,28,453 કેસ
- 08, એપ્રીલ 2021 03:03 PM
- 4678 comments
- 7149 Views
ગાંધીનગર-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 3575 થી વધુ નોંધાયા છે. જેની સામે 2217 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 22 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4620 ઉપર પહોચી ગયો છે. ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 3280 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,28,453 થયો છે. તેની સામે 3,05,149 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. અમદાવાદમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 3200 થી વધુ થવા જાય છે, જ્યારે રાજ્યના 3,28,453 ની સામે પોઝીટીવ કેસોની સંખ્યા 18684 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,28,453 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 18684 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 175 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 18509 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,05,149 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4620 દર્દીઓના મોત થયા છે.વધુ વાંચો -
માંડવી તાલુકાનાં ખેતરોમાં ચોરી કરતા ૨ ચોર ઝડપાયા
- 08, એપ્રીલ 2021 01:30 AM
- 2080 comments
- 6963 Views
માંડવી માંડવી તાલુકામાં ખેતરો માંથી મોટર, તાંબાનાં તાર વાળા કેબલ વાયર તો અન્ય જરૂરી ચીજ વસ્તુઓ ચોરી કરવામાં આવી રહી છે. માંડવી નગરનાં છેવાડે આવેલ ખેડપૂર ગામમાં હિરેનભાઈ નરેશભાઈ ચૌધરી નાં ખેતર માંથી તાંબાનાં તાર વાળો કેબલ વાયર ચોરાય ગયો હતો. જેના બે આરોપી રાજુ મુનશી કુશવાહ અને મનોજ સૂકા રાઠોડ (બંને રહે. કડોદ) ને માંડવી પોલીસ દ્વારા ઝડપી લેવાયા હતા.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 3280 પોઝીટીવ કેસ, 17 ના મોત, કુલ 3,24,878 કેસ
- 07, એપ્રીલ 2021 03:05 PM
- 2940 comments
- 9890 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 3280 થી વધુ નોંધાયા છે. જેની સામે 2167 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા, તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 17 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4598 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 3280 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,24,878 થયો છે. તેની સામે 3,02,932 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 17348 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,24,878 જેટલી થઇ જાય છે. રાજ્યમાં હાલ 17,348 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 171 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 17177 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,02,932 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4598 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 07 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 3160 પોઝીટીવ કેસ, 15 ના મોત, કુલ 3,21,598 કેસ
- 06, એપ્રીલ 2021 02:45 PM
- 940 comments
- 7480 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 3160 થી વધુ નોંધાયા છે. જેની સામે 2018 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 15 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4581 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 2410 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,21,598 થયો છે. તેની સામે 3,00,765 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા સામે એક્ટીવ કેસોની સંખ્યા 16252 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,21,598 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 16252 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 167 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 16085 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,00,765 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4581 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 06 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
માંડવી વ્યાપારી મંડળ દ્વારા ૩ વાગ્યા પછી બજાર બંધ રાખવાનો સ્વૈચ્છીક ર્નિણય
- 06, એપ્રીલ 2021 01:30 AM
- 7560 comments
- 2661 Views
માંડવી માંડવી નગર અને તાલુકામાં દિન-પ્રતિદિન વધતા જતા કોરોના કેસેને ધ્યાનમાં લઈ માંડવી વ્યાપારી મંડળ દ્વારા તા. ૦૬-૦૪-૨૦૨૧ થી તા. ૧૫-૦૪-૨૦૨૧ સુધી ૧૦ દિવસ માટે બપોરે ૦૩ઃ૦૦ વાગ્યા પછી સ્વૈચ્છીક રીતે બજાર બંધ રાખવાનો ર્નિણય લેવાયો. માંડવી વ્યાપારી મંડળનાં પ્રમુખ યોગેશભાઈ સુખડીયા દ્વારા પોતાનાં મંડળ સાથે ચર્ચા વિમર્શ કરી માંડવી પ્રાંત અધિકારી ડૉ. જનમ ઠાકોર, માંડવી પાલિકા પ્રમુખ રેખાબેન વશી અને માંડવી તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. રાજુભાઇ ચૌધરી ને માંડવી પ્રાંત કચેરી ખાતે માંડવી નગર ભાજપ સંગઠનનાં પ્રમુખ નટુભાઈ રબારીની ઉપસ્થિતિમાં દિન-પ્રતિદિન વધતા જતા કોરોના કેસોને ધ્યાનમાં લઈ તા. ૦૬-૦૪-૨૦૨૧ થી તા. ૧૫-૦૪-૨૦૨૧ સુધી ૧૦ દિવસ માટે અનાજ કારીયાણા, શાકભાજી અને ફળોની દુકાનો બપોરે ૦૩ઃ૦૦ વાગ્યા પછી સ્વૈચ્છીક રીતે બંધ રાખવાનું જણાવ્યું હતું. આવશ્યક સેવાઓ જેમકે મેડિકલ, દૂધ તેમજ હોટલો કે ખાવાની લારીઓ વગેરે રાત્રે ૦૯ઃ૦૦ વાગ્યા સુધી ચાલુ રાખવાનું પણ જણાવ્યું હતું. તેમજ ૧૦ દિવસ બાદ કોરોનાની સ્થિતિને ધ્યાને લઇ સમય મર્યાદામાં ફેરફાર કરવાનું પણ મંડળનાં પ્રમુખ દ્વારા જાવવામાં આવ્યું હતું. તમામ ઉપસ્થિત અધિકારીઓ દ્વારા માંડવી વ્યાપારી મંડળની તંત્રને સહકાર આપતી આ કામગીરીની સરાહના કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેમજ દરેકને કોરોનાની વેક્સિંગ લેવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.વધુ વાંચો -
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 2,875 પોઝીટીવ કેસ: 14 ના મોત, કુલ 3,18,238 કેસ
- 05, એપ્રીલ 2021 02:51 PM
- 9241 comments
- 4882 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 2875 થી વધુ નોંધાયા છે. જેની સામે 2024 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 14 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4566 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 2410 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,18,238 થયો છે. તેની સામે 2,98,737 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 3,18,238 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 15135 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,18,238 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 15135 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 163 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 14972 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,98,737 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4566 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 04 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
નહેરની બન્ને બાજુ સફાઈના અભાવે ખેડૂતો ચિંતાતૂર
- 04, એપ્રીલ 2021 01:30 AM
- 162 comments
- 2157 Views
માંડવી. માંડવી માંથી પસાર થતી કાકરાપાર જમણા કાંઠાની નહેરની બન્ને બાજુ ચોમાસામાં ઊગી નીકળેલ ઝાડી-ઝંખરી ની સાફ-સફાઈ ન થતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે અને દિવસે પણ નહેર પરથી પસાર થતાં થથરી રહ્યા છે. માંડવી નગરના અંધાત્રી તથા રૂપણ અને વરેઠ વિસ્તારમાંથી પસાર થતી કાકરાપાર નહેર ની બન્ને બાજુ ઝાડી-ઝંખરીઓ દૂર કરી સિંચાઇ વિભાગ દ્વારા આ કામગીરી છેલ્લા ઘણા સમયથી બંધ કરી દેવાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. અંધાત્રી તથા વરેઠ વિસ્તારમાં ઘણી વાર દિપડા દેખાતા હોવાની ચર્ચાનાં કારણે ખેડૂતો દિવસે પણ ઝાડી-ઝંખરી ભરેલા વિસ્તારમાંથી પસાર થતા ડરી રહ્યા છે. સિંચાઇ વિભાગ દ્વારા તાકિદે આવી નડતરરૂપ ઝાડી-ઝંખરીને દૂર કરવામાં આવે તેવી ખેડૂતો તથા આ માર્ગ પરથી પસાર થતા લોકોની માંગ ઉઠી છે.વધુ વાંચો -
દક્ષિણ ગુજરાત કામદાર મહામંડળ દ્વારા પડતર પ્રશ્નોની રજૂઆત કરાઈ
- 03, એપ્રીલ 2021 01:30 AM
- 7557 comments
- 5469 Views
માંડવી. તારીખ ૦૧-૦૪-૨૦૨૧ નાં રોજ દક્ષિણ ગુજરાત ની ૨૨ નગરપાલિકાઓનાં સફાઈ કામદારો ના પડતર પ્રશ્નો જેવાકે સફાઈકામદારોની વષોથી ખાલી પડેલ જગ્યા ઓ ભરવા, છઠ્ઠો પગાર પંચ તથા એરિયસ ચૂકવવા, રીટાયર સફાઈ કામદારોને પેંશન આપવા સહીત ના પડતલ પ્રશ્નોનાં નિરાકરણ હેતુ ગુજરાત સફાઈ કામદાર મહામંડળનાં પ્રદેશ પ્રમુખ કસ્તુરભાઈ મકવાણાની અધ્યક્ષતા માં સુરત પ્રાદેશિક કમિશનરની કચેરી ખાતે અધિક કલેકટર મંગલપરા સાહેબ તથા ચીફ ઓફીસર વર્ગ-એ પારસભાઈ મકવાણા અને અધિકારીઓની હાજરીમાં તમામ પડતર પ્રશ્નોની રાજુવાત કરવામાં આવી હતી. ત્યાં ઉપસ્થિત અધિકારીઓ દ્વારા તમામ પડતર પ્રશ્નોનો ઉકેલ લાવી આપવાનું જણાવતા સૌમાં આનંદની લહેર વ્યાપી હતી. આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાત સફાઈ કામદાર મહામંડળનાં હોદ્દેદારો અને કાર્યકરોએ મોટા પ્રમાણમાં હાજરી આપી હતી.વધુ વાંચો -
રેગમા રઘીપુરા ગામ ખાતે મહિલાએ દવા પી જીવન ટૂંકાવ્યું
- 01, એપ્રીલ 2021 01:30 AM
- 3092 comments
- 7945 Views
માંડવી માંડવી તાલુકાનાં રેગામા રઘીપુરા ગામ ખાતે રહેતા ઇન્દુબેન રાજેશભાઇ ચૌધરી (ઉં.વ. ૪૦) નો થોડા દિવસ અગાઉ ગામમાં કોઈ સાથે ઝગડો થયો હતો તેનાં સંદર્ભે તેમને સાંજે પંચાયતમાં બોલાવતા તેમને તે વાતનું ખોટું લાગી આવ્યું હતું. જેથી ખેતરમાં છાંટવાની ઝેરી દવા પી જતા તે જમીન પર ઢળી પડ્યા હતા. તેમનો પુત્ર ઘરે આવી તેમને પૂછતા પોતે ઝેરી દવા પી હોવાનું જણાવતા તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ મારફતે તેમને માંડવી સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. પરંતુ ફરજ પરનાં તબીબે તેમને મૃત જાહેર કરતા આ વાતની જાણ માંડવી પોલીસને કરાય હતી. માંડવી પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરાય હતી.વધુ વાંચો -
ગોળસંબા ખાતે ૩૦ જેટલા કોરોના કેસ આખું ગામ સીલ
- 01, એપ્રીલ 2021 01:30 AM
- 9764 comments
- 687 Views
માંડવી, માંડવીનાં ગોળસંબા ગામ ખાતે ૩૦ જેટલા કોરોના પોઝિટિવ કેસો નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા સંપૂર્ણ ગામ ૧૪ દિવસ માટે સીલ કરી ગામમાં અવર-જવર સંપૂર્ણ બંધ કરી દેવાય. પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી તાલુકાનાં ગોળસંબા ગામ ખાતે ૩૦ જેટલા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા. ઝડપથી વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા માંડવી તાલુકા આરોગ્ય વિભાગનાં અધિકારી ડૉ. રાજુભાઇ ચૌધરી દ્વારા સંપૂર્ણ ગામ ૧૪ દિવસ માટે પોલીસ બંદોબસ્ત સાથે સીલ કરી દેવાયુ છે. ગામમાં કોરોના ગ્રસ્ત પરિવારો માટે આજુ-બાજુનાં ગામો દ્વારા શાકભાજી, દૂધ તેમજ અન્ય જીવન જરૂરિયાતની ચીજ વાસ્તુઓની સગવડો પૂરી પાડવામાં આવે છે. તેમજ ગ્રામજનો દ્વારા પોતાના ઘરે રસોઈ બનાવી કોરોના ગ્રસ્ત પરિવારોને ભોજન આપવાનું સેવાકાર્ય કરાય રહ્યું છે. ગામનાં સરપંચ ગીરીશભાઈ રાઠોડ દ્વારા આ તમામ કામગીરીની દેખરેખ રાખી કોઈ પણ ગ્રામજનને અગવડ ન પડે અને ગામમાં વગર કામે કોઈ ઘરની બહાર આવે કે ટોળામાં ઉભા ન રહે.વધુ વાંચો -
માંડવી પાલિકાનું રૂપિયા ૧.૩૯ કરોડનું પુરાંત વાળું બજેટ મંજુર કરાયુ
- 26, માર્ચ 2021 01:30 AM
- 279 comments
- 1174 Views
માંડવી, માંડવી નગર પાલિકાનું સનેઃ ૨૦૨૧-૨૨ નું કુલ ૩૩.૬૯ કરોડની આવક-જાવક દર્શાવતું બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું. જેમાં અગાઉની યોજનાને કાર્યરત રાખવા ઉપરાંત પાણી, ગટર, આરોગ્ય બાંધકામ, સંસ્કૃતિ તથા સામાજિક ઉતરદાયિત્વની કલ્યાણકારી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.માંડવી નગર પાલિકાનાં નવનિયુક્ત પ્રમુખ રેખાબેન વશી દ્વારા રાજુ કરવામાં આવેલ અંદાજપત્રમાં વિકાસનાં કામો પેટે ૧૫ માં નાણાંપંચની ગ્રાન્ટ પેટે વિવિધ યોજનાઓ, તાપી રિવર ફ્રન્ટ ફેઝ-૨ યોજના તથા સરકારી ગ્રાન્ટ, સ્વર્ણિમ જયંતિ, મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, યુડીપી ૮૮ હેડ હેઠળ ગ્રાન્ટ માંથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, ઈન્ડોર સ્ટેડિયમ તથા સ્વિમિંગ પુલ અંગે મુખ્યત્વે કામોની હેઠળ જાેગવાય નક્કી કરવામાં આવી હતી. ઉપરાંત વિવેકાધિન યોજના, પાણી ગટર, રસ્તાની મરામત અંગે મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંગે સીટી સિવિક સેન્ટર જેવા વિવિધ કામો અન્વયે પણ નાણાકીય જાેગવાય નક્કી કરવામાં આવેલ છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ રસ્તા તેમજ સ્લમ ફ્રી માંડવી નગર પાલિકા બનાવવા તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત ડંપિંગ સાઈડનું ડેવલોપમેન્ટ નું કામ નક્કી કરવામાં આવેલ છે. તથા નગર પાલિકાનાં વિવિધ વિસ્તારમાં વોટર એ.ટી.એમ. ની સુવિધા ઉપલબ્ધ કરવાનું આયોજન કરવામાં આવેલ છે.સ્વભંડોળ તથા જનભાગીદારીની યોજના અંતર્ગત સુવિધાઓ, ગરીબ, શ્રમિક અને જરૂરિયાતમંદ પરિવારને રૂપિયા ૧૫ માં અટલ થાળી કાર્યરત રાખી, ગત વર્ષની અંતયેષ્ઠી (મોક્ષધામ) યોજના લાભાર્થી દીઠ રૂ. ૧,૫૦૦ ની સહાય, દીકરી વ્હાલનો દરિયો અંતર્ગત દીકરીનાં જન્મ સમયે રૂ. ૫,૦૦૦ ની સહાય, ૨.૫૦ લાખની આવક મર્યાદા ધરાવતા પરિવારને આરોગ્ય સુવિધા હેતુ પાંચ યુનિટ બ્લડ સુધીની નાણાકીય સહાય, નગરનાં દરેક પરિવારને વહીવટી સુગમતા માટેની સ્માર્ટ કાર્ડની કામગીરીનો પુનઃ આરંભ કરાશે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 890 પોઝીટીવ કેસ, 01 મોત, કુલ 2,79,097 કેસ
- 16, માર્ચ 2021 03:11 PM
- 3387 comments
- 1046 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 890 થી વધુ નોંધાયા છે. જેની સામે 594 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4425 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 890 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,79,097 થયો છે. તેની સામે 2,69,955 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,79,097 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 4717 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,79,097 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 4717 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 56 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 4661 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,69,955 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4425 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીનુ મૃત્યુ નોંધાયેલ છે.વધુ વાંચો -
સરભોણ એના ગામેથી ચોરીનાં લાકડા ભરેલ ૨ ટેમ્પા ઝડપાયા
- 16, માર્ચ 2021 01:30 AM
- 2950 comments
- 410 Views
માંડવી, મહુવા રેંજનાં બોરીયા રાઉન્ડમાં અલગ અલગ ટિમ બનાવી પેટ્રોલિંગમાં હતા. તે વેળાએ સરભોણ થી બારડોલી જતા માર્ગ પર એક ટેમ્પો (નં. જી.સી.ક્યુ. ૬૧૧૨) આવતા તેને રોકી તપાસ કરતા તેમાં સગી લાકડા વગર પરમીટે લઇ જતા તે ટેમ્પો ચાલક નરેશભાઈ નટુભાઈ નાયકા (રહે. એના) ની અટક કરી હતી.ચાલકને રેન્જ કચેરીએ લઇ જઇ પૂછ પરછ કરતા તેણે જણાવ્યું હતું કે તા. ૧૧-૦૩-૨૦૨૧ નાં રોજ એક સાગી લાકડા ભરી ટેમ્પો એના લઈ ગયા હતા. તે મુજબ પલસાણા પોલીસ સહિત એના ગામે તપાસ કરતા પાદર ફળિયા માંથી ખેરનાં લાકડા ભરેલો ટેમ્પો (નં. જી.જે.૧૫.એક્સ.૨૮૮૩) મળી આવતા તેનાં ચાલક ભરતભાઇ સોમાભાઈ રાઠોડ ની પણ અટક કરી બે ટેમ્પા સહિત ખેરનાં લાકડા મળી કુલ રૂ. ૪,૭૦,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી માંડવી ખેડપૂર ડેપો ખાતે મુકવામાં આવ્યો હતો.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 810 પોઝીટીવ કેસ, 02 ના મોત, કુલ 2,78,207 કેસ
- 15, માર્ચ 2021 02:49 PM
- 3035 comments
- 973 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 810 થી વધુ નોંધાયા છે. જેની સામે 586 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 02 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4424 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 810 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,78,207 થયો છે. તેની સામે 2,69,361 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,78,207 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 4422 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,78,207 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 4422 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 54 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 4368 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,69,361 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4424 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 02 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
માંડવી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના વિજેતાઓનો સત્કાર સમારંભ યોજાયો
- 14, માર્ચ 2021 01:30 AM
- 8635 comments
- 2605 Views
માંડવી, માંડવી નગરમાં રાઇસમિલ ખાતે હાલ યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નગર પાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની બેઠકો પરથી વિજેતા થયેલ તમામ ભાજપ નાં ઉમેદવારોનો સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપભાઈ દેસાઈની અધ્યક્ષતામાં સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરુવાતમાં સ્વાગત પ્રવચન માંડવી તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઇ પટેલ દ્વારા કરાયું હતું. તેમજ ગૃહ નિર્માણ બોર્ડનાં માજી ચેરમેન કુંવરજીભાઇ હડપતિએ આ ભવ્ય વિજયનો સમગ્ર જશ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ ને આપ્યો હતો અને ચૂંટાયેલા તમામ ઉમેદવારોને નાનામાં નાના માણસની મદદ કરવા જણાવ્યું હતું. તેમજ સાંસદ પ્રભુભાઈ વસાવા એ જણાવ્યું હતું કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવવાનો શ્રેય તે તમામ કાર્યકર્તાઓને જાય છે જેઓએ સતત ૧ મહિનો દિવસ રાત એક કરી મહેનત કરી હતી. તેમજ આ વિજયમાં પેજ સમિતિએ અગત્યનો ભાગ ભજવ્યો છે. વધુમાં જણાવ્યું હતું કે કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમાર, ગણપતભાઈ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપભાઈ દેસાઈ નો સંપૂર્ણ સહકાર મળતા ભાજપ આ ભવ્ય વિજય મેળવવામાં સફળ બની છે.વધુ વાંચો -
હૈયામાં ભગવાન હોય તો દુશ્મન પણ દોસ્ત બની જાય પદ્મદર્શન વિજયજી મહારાજ
- 14, માર્ચ 2021 01:30 AM
- 4559 comments
- 3314 Views
માંડવી, માંડવી મુખ્ય બજારમાં સ્થિત આરાધના ભવન ખાતે પૂજ્ય પન્યાસપ્રવસ શ્રી પદ્મદર્શન વિજયજી મહારાજ આદિ મુનિ ભગવંતોની પાવન પધરામણી થતા તેમનું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. પૂજ્યો ની પધરામણી પ્રસંગે તમામ શ્રાવક - શ્રાવિકાઓ ભારે હર્ષોલ્લાસ સાથે જાેડાયા હતા. ઘરે ઘરે ગાહુલીઓ દ્વારા પૂજ્યો ના અક્ષતથી વધામણા થયા હતા. આ ભવ્ય સ્વાગત યાત્રા માંડવીના રાજમાર્ગો પર ફરી હતી. સ્વાગત યાત્રા સંપન્ન થતાં પ્રવચન યાત્રાનો પ્રારંભ થયો હતો. પ્રવચન પ્રસાદી પાઠવતા પૂજ્ય સંત પદ્મદર્શનજી મહારાજે જણાવ્યું હતું કે જીવનના તમામ દુઃખ, દરિદ્ર અને દુર્ભાગ્યને દૂર કરવાની તાકાત પ્રભુભક્તિમાં છે. જ્યાં પ્રભુ છે ત્યાં પ્રભુતા છે. હૈયામાં ભગવાન હોય તો દુશ્મન પણ દોસ્ત બની જાય છે. પુરી દુનીયા પ્રભુના ભક્તિ ની આસપાસ આંટા મારે છે. પ્રભુ સાથે હોય તેના જીવનમાં દુઃખો અને દોષો એક ક્ષણવાર માટે પણ રહી શકતા નથી. જે બીજાને મિત્ર બનાવે છે તેની સર્વત્ર ચાહના વધે છે. કદી કોઈની નિંદા કરશો નહીં. કારણકે બીજાને પીડા અને દુઃખ આપનાર જીવનમાં ક્યારે પણ શાંતિ, સમાધિ અને સ્વચ્છતા પામી શકતા નથી. જેઓ બીજાને જીવન આપે છે તેઓ પોતાના જીવનમાં મંદીમાં પણ મસ્તી અનુભવે છે. પોતાની અંદર કોનું લોહી વહે છે તેની જાંચ કરો. પ્રભુના વંશનો અંશ આપડામાં હોય તો સમજી રાખજાે કે મુક્તિ નિશ્ચિત છે. તેમજ જીવનમાં ઘણી ઉપયોગી તેવી વાતો સંત શ્રી દ્વારા જણાવવામાં આવી હતી.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 700 પોઝીટીવ કેસ, કુલ 2,75,907 કેસ
- 12, માર્ચ 2021 03:01 PM
- 9654 comments
- 6539 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 700 થી વધુ નોંધાયા છે. જેની સામે 451 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4418 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 700 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,75,907 થયો છે. તેની સામે 2,67,701 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. અગર રાજ્યવાર માહિતી જોવા જઈએ તો રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,75,907 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3788 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,75,907 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3788 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 49 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3739 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,67,701 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4418 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે કોરોના થી કોઈ મૃત્યુ નોંધાયા નથી.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 675 પોઝીટીવ કેસ, કુલ 2,75,197 કેસ
- 11, માર્ચ 2021 02:50 PM
- 277 comments
- 2594 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 675 થી વધુ નોંધાયા છે. જેની સામે 484 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4418 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 675 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,75,197 થયો છે. તેની સામે 2,67,250 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,75,197 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3529 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,75,197 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3529 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 47 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3482 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,67,250 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4418 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 00 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 581 પોઝીટીવ કેસ, 02 ના મોત, કુલ 2,74,522 કેસ
- 10, માર્ચ 2021 03:40 PM
- 6430 comments
- 1118 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 581 થી વધુ નોંધાયા છે. જેની સામે 453 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 02 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4418 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 581 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,74,522 થયો છે. તેની સામે 2,66,766 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,74,522 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3338 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,74,522 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3338 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 43 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3295 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,66,766 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4418 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીનુ મૃત્યુ નોંધાયેલ છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 555 પોઝીટીવ કેસ, 01 ના મોત, કુલ 2,73,941 કેસ
- 09, માર્ચ 2021 03:07 PM
- 9975 comments
- 3990 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 555 થી વધુ નોંધાયા છે. જેની સામે 482 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4416 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 555 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,73,941 થયો છે. તેની સામે 2,66,313 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,73,941 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3212 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,73,941 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3212 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 41 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3171 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,66,313 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4416 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
શેકાવા માટે તૈયાર રહેજો: ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રી આસપાસ પહોંચશે
- 09, માર્ચ 2021 02:13 PM
- 3679 comments
- 9216 Views
ગાંધીનગર-રાજ્યમાં ધીમે ધીમે ગરમીનો પારો વધી રહ્યો છે. રાજ્યનાં ૧૪ શહેરોમાં ગરમીનો પારો ૩૫ ડીગ્રીને પાર પહોંચી ગયો છે. આગામી દિવસોમાં હજુ પણ ગરમીનો પારો વધુ ઊંચકાય એવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં માર્ચથી મે મહિના સુધી તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેશે. બીજી તરફ, રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆત થતાં જ અનેક જગ્યાએ કાળઝાળ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. રાજ્યનાં શહેરોમાં ગરમીના પારાની વાત કરીએ તો અમદાવાદમાં ગરમીનો પારો ૩૭.૫ ડીગ્રીએ પહોંચ્યો હતો. તો ગાંધીનગરમાં ગરમીનો પારો ૩૬.૮ ડીગ્રી સુધી પહોંચ્યો હતો. ડીસામાં ૩૬.૪ ડીગ્રી, વલ્લભવિદ્યાનગરમાં ૩૬.૭ ડીગ્રી, વડોદરામાં ૩૬.૬ ડીગ્રી, સુરતમાં ૩૫.૫ ડીગ્રી, અમરેલીમાં ૩૭.૮ ડીગ્રી, ભાવનગરમાં ૩૫.૨ ડીગ્રી, રાજકોટમાં ૩૭.૬ ડીગ્રી સુરેન્દ્રનગરમાં ૩૭.૮ ડીગ્રી, મહુવામાં ૩૫.૬ ડીગ્રી, કેશોદમાં ૩૫.૨ ડીગ્રી, ભુજમાં ૩૫ ડીગ્રી નોંધાયું હતું. માર્ચની શરૂઆતની સાથે જ અમદાવાદ સહિતનાં શહેરમાં ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. હાલમાં સવારના સમયે શિયાળા જેવી ગુલાબી ઠંડી અને બપોરના સમયે ગરમી એમ બવેડી ઋતુની અહેસાસ થઈ રહ્યો છે. આ વખતે ચોમાસામાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડ્યો હતો. અનેક વિસ્તારોમાં તો અતિ વૃષ્ટિ જેવી હાલત હતી. હવે હવામાન વિભાગે ઉનાળાને લઈને આ વખતે વધારે ગરમી પડવાનું પૂર્વાનુમાન કર્યું છે ત્યારે લોકોએ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું રહેવું પડશે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 575 પોઝીટીવ કેસ, 01 ના મોત, કુલ 2,73,386 કેસ
- 08, માર્ચ 2021 03:06 PM
- 8772 comments
- 3741 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 575 થી વધુ નોંધાયા છે. જેની સામે 459 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4415 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 575 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,73,386 થયો છે. તેની સામે 2,65,831 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,73,386 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3041 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,73,386 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3041 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 46 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3094 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,65,831 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4415 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીના મૃત્યુ નોંધાયેલ છે.વધુ વાંચો -
ઉનાળાની એન્ટ્રીઃ ગુજરાતમાં ધીમે ધીમે ગરમીના પારામાં વધારો
- 08, માર્ચ 2021 02:31 PM
- 1373 comments
- 6329 Views
ગાંધીનગર-ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે ગરમીના પારામાં વધારો થયો છે. રાજ્યમાં ગરમીના પ્રભુત્વમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે ૧૧ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો ૩૭ ડિગ્રીથી વધુ રહ્યો હતો જ્યારે ૩૯ ડિગ્રી સાથે ગાંધીનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ૩૮.૯ ડિગ્રી સાથે વર્તમાન સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૪.૯ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી ૩ દિવસ દરમિયાન અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન ૩૮ જ્યારે સરેરાશ લઘુતમ તાપમાન ૧૯ ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. રાજ્યમાંથી અન્યત્ર જ્યાં ૩૮ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું તેમાં ડીસા, વલ્લભ વિદ્યાનગર, વડોદરા, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં હાલ ઉત્તર પશ્ચિમ દિશાનો પવન છે. આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની કોઇ સંભાવના નથી. પરંતુ ઉત્તર ગુજરાત, સૌરષ્ટ્ર-કચ્છમાં આગામી ૨૪ કલાક દરમિયાન તાપમાન ૩૭થી ૩૯ ડિગ્રીની વચ્ચે રહેશે. આગામી ૪-૫ દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની પણ સંભાવના નથી.વધુ વાંચો -
માંડવી તાલુકાના વરેઠી ગામે ચોરીનો સામાન ભંગારમાં વેચતા બે શખ્સ ઝડપાયા
- 08, માર્ચ 2021 01:30 AM
- 9111 comments
- 4366 Views
માંડવી, માંડવી પોલીસને બાતમી મળી હતી કે માંડવીનાં વરેઠી ગામ ખાતે રહેતા જાેન રાજેશભાઇ ચૌહાણ અને આશિષ રાજેશભાઇ ચૌહાણ બીજાનાં ખેતરો માંથી મોટરો અને મશીનો ચોરી કરવાની ગુણકીય પ્રવૃત્તિ કરે છે. જેથી પી.એસ.આઈ. દર્શન રાવ દ્વારા પોતાના બાતમીદારોને કામે લગાડતા તેઓ દ્વારા તડકેશ્વર કબ્રસ્તાનની બાજુની જમીન માંથી બે વાર મોટર અને અન્ય કોઈ જગ્યાએથી લોખંડનાં મશીનો ચોરી કરી કરંજ મુકામે ભંગારનું કારખાનું ચલાવતા સાબીદખાન ખાલિદ હુસેન ને વેચી દેવાનું જણાતા પોલીસ દ્વારા સબીદનાં કારખાને જઈ વાતની પુષ્ટિ કરી બંને ચોર ભાઈઓને દબોચી લેવામાં આવ્યા હતા. ચોરેલો માલ વગર પુરાવા જાેયે ખરીદી પોતાનાં ફાયદા માટે તેને તોડી તેનું અસ્તિત્વ નાશ કરી ભંગારમાં ઉમેરી દેતા તેના વિરુદ્ધ પણ ગુનો નોંધાયો હતો.વધુ વાંચો -
માંડવીના દુધમોગરા ખાતે દુકાનમાં ઘુસી ટેન્કર પલટી ગયુંઃસદ્ભાગ્યે જાનહાની નહીં
- 07, માર્ચ 2021 01:30 AM
- 4275 comments
- 8875 Views
માંડવી, માંડવી તાલુકાનાં દુધમોગરા ગામ ખાતેથી પસાર થતા એક એસિડ ભરેલ ટેન્કર (નં. જી.જે.૧૮.એ.એક્સ.૫૭૧૨) નાં ચાલક ઓમપ્રકાશ ગંગારામ બામણિયા (રહે. વડોદરા) દ્વારા રાત્રીનાં ૧૨ઃ૩૦ નાં સુમારે પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારી પલ્ટી મરાવતા આખા માર્ગ પર એસિડ પથરાય ગયું હતું. તેમજ માર્ગની બાજુમાં આવેલ દુકાનો અને લારીઓને પણ અડફેટે લઈ તેને નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય એ છે કે થોડા દિવસોનાં અંતરે ટ્રક ચાલકો દ્વારા માર્ગની બાજુમાં ઉભેલ, ફૂટપાથ પર સુતેલ કે પસાર થતા વાહન ચાલકોને અડફેટે લેતા નિર્દોષો ભોગ બની પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. સદ્દનસીબે આ ઘટના મોડી રાત્રીએ થતા કોઈ જાનહાની થઈ નથી. તેમજ આ અકસ્માત દુધમોગરા મંદિર સામે જ થયો છે જ્યાં રોજ દર્શનાર્થીઓની ભીડ જામેલી રહે છે. તો આ ઘટના દિવસે થતે તો કેટલા નિર્દોષોએ પોતાનો જીવ ગુમાવવો પડતે તે વિચાર માત્રથી પ્રજાજનોનાં રૂંવાટા ઉભા થઇ ગયા છે. તો આવી ઘટનાઓને અટકાવવા સરકાર દ્વારા કોઈ કડક કાયદો બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉભી થઇ છે.વધુ વાંચો -
શૈક્ષણિક સ્ટાફને સાતમા પગારપંચનો મળશે લાભ, શિક્ષણમંત્રી ચુડાસમાએ ગૃહમાં કરી જાહેરાત
- 05, માર્ચ 2021 03:53 PM
- 4953 comments
- 4455 Views
ગાંધીનગર-રાજ્યમાં આવેલી યુનિવર્સીટીના શૈક્ષણિક સ્ટાફ માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા યુનિવર્સીટીના શૈક્ષણિક સ્ટાફને સાતમા પગારપંચનો લાભ આપવાનું ગૃહમાં શિક્ષણમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. સરકારના અ નિર્ણયથી રાજ્યની તમામ યુનિવર્સીટીના શૈક્ષણિક સ્ટાફમાં આનંદ છવાઈ જવા પામ્યો હતો. રાજ્યમાં આવેલી યુનિવર્સીટીમાં ફરજ બજાવતા શૈક્ષણિક સ્ટાફ દ્વારા તેઓની પડતર માંગણીઓને લઈને અનેકવાર સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે તાજેતરમાં જ 6 મહાનગરપાલિકા તેમજ જીલ્લા-તાલુકા પંચાયત તેમજ નગરપાલીકાના પરિણામ આવી ગયા બાદ વિધાનસભા સત્ર શરુ થતા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગૃહમાં જાહેરાત કરી હતી. ત્યારે તા.1-1-૨૦૧૬ થી કર્મચારીઓને સાતમાં પગારપંચનો લાભ આપવાનું સરકારે નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે કર્મચારીઓને એરિયર્સના પ્રથમ હપ્તાના 50 ટકા ટૂંક સમયમાં આપવામાં આવશે. જેથી રાજ્યની તમામ યુનિવર્સીટીના શૈક્ષણિક સ્ટાફમાં ખુશી વ્યાપી જવા પામી હતી.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 480 પોઝીટીવ કેસ, કુલ 2,71,725 કેસ
- 05, માર્ચ 2021 03:48 PM
- 9950 comments
- 8241 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 480 થી વધુ નોંધાયા છે. જેની સામે 369 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4412 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 480 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,71,725 થયો છે. તેની સામે 2,64,564 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,71,725 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 2749 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,71,725 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 2749 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 40 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 2709 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,64,564 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4412 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 00 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 400 પોઝીટીવ કેસ, 01 મોત, કુલ 2,71,245 કેસ
- 04, માર્ચ 2021 03:43 PM
- 5401 comments
- 2900 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 400 થી વધુ નોંધાયા છે. જેની સામે 358 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીના મોત સાથે કુલ મૃત્યુ આંક 4412 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 400 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,71,245 થયો છે. તેની સામે 2,64,195 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,71,245 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 2638 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,71,245 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 2638 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 39 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 2599 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,64,195 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4412 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દી નું મૃત્યુ નોંધાયુ છે.વધુ વાંચો -
માંડવી તાલુકામાં બેફામ બનેલા માટીચોરો સામે કાર્યવાહી ન થતા લોકોમાં આક્રોશ
- 04, માર્ચ 2021 01:30 AM
- 8551 comments
- 8337 Views
માંડવી માંડવી તાલુકામાં બેફામ બનેલ માટીચોરોનાં આતંકથી પ્રજાજનોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યોે છે. કોઈ પણ પવાનગી વગર માટી ખોદનારાઓ સામે સરકારી અધિકારીઓ દ્વારા પણ કોઈ કાર્યવાહી ન કરતા જે.સી.બી. ની નંબર પ્લેટ પર કાદવ ચોપડી પોતાની ચોરી છુપાવનારનાર ભૂમાફિયાઓ. જાણે બેલગામ બની ગયા છે.તાલુકામાં વાઘનેરા, ખેડપૂર, પુના, મોરીઠા, અરેઠ તેમજ બીજા અન્ય ગામોમાં ગેરકાયદે માટીનું ખોદકામ કરતા હોવાની ગતિવિધિઓ ચાલતી જ રહે છે. બેફામ બનેલા ભૂમાફિયાઓ દ્વારા ભૂતકાળમાં ગૌચરની જમીન તો માનવતાને નેવે મૂકી એક સમાજનાં કબ્રસ્તાનને પણ ખોદી માટીચોરી કરવાની ફરિયાદો પણ આવી ચૂકી છે. તો પણ અધિકારીઓ કે ભૂસ્તર વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહેલ નથી. ભૂસ્તર વિભાગ દ્વારા જાે ડ્રોન કેમેરાથી પેટ્રોલિંગ કારી ગાંધીનગરની ટીમને બોલાવી માગતરા તેમજ બલાલતીર્થ ખાતે રેડ કરી રેતી ખનન કરતા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરાતી હોય તો શું તેઓ આ માટીચોરોથી બેખબર છે?વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 454 પોઝીટીવ કેસ, કુલ 2,70,770 કેસ
- 03, માર્ચ 2021 02:38 PM
- 3774 comments
- 7186 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 454 થી વધુ નોંધાયા છે. જેની સામે 361 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4411 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 454 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,70,770 થયો છે. તેની સામે 2,63,837 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,70,770 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 2522 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,70,770 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 2522 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 37 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 2485 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,63,837 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4411 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 00 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ELECTION 2021: 31માંથી 28 જિલ્લા પંચાયતોમાં ભાજપની વિજય કૂચ
- 02, માર્ચ 2021 03:33 PM
- 942 comments
- 8233 Views
અમદાવાદ-ગુજરાતની રાજકોટ સહિત 31 જિલ્લા પંચાયતોમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપ મતગણતરી યોજાઇ રહી છે તેમાં 31માંથી 28 જિલ્લા પંચાયતોમાં ભાજપની વિજય કૂચ હોવાના પ્રારંભીક સંકેતો સાંપડયા છે. સૌરાષ્ટ્રની 8 સહિત ગુજરાતની 28 જિલ્લા પંચાયતોમાં ભાજપના બહુમતી ઉમેદવારો જીતના માર્ગે હોવાથી ભાજપનું શાસન આવવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. 2015ની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપને માત્ર 7 જિલ્લા પંચાયતોમાં સત્તા મળી હતી. તેના બદલે આ વખતે બહુમતી જિલ્લા પંચાયતો પર ભાજપનો કબ્જો આવવાના એંધાણ પ્રારંભીક ટ્રેન્ડમાં મળી રહ્યા છે. સમગ્ર 31 જિલ્લા પંચાયતોમાં 74 બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત થઇ ગઇ છે ત્યારે કોંગ્રેસને માત્ર 15 બેઠકો જ મળી છે. તાલુકા પંચાયતોમાં 358 બેઠકોમાં ભાજપના ઉમેદવારોને સરસાઇ હતી. જયારે કોંગ્રેસના ફાળે 94 બેઠકો હતી. નગરપાલિકામાં આ બેઠકો અનુક્રમે 238 અને 60 હતી.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 427 પોઝીટીવ કેસ, 01 મોત, કુલ 2,70,316 કેસ
- 02, માર્ચ 2021 03:27 PM
- 500 comments
- 596 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 427 થી વધુ નોંધાયા છે. જેની સામે 360 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4411 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 427 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,70,316 થયો છે. તેની સામે 2,64,476 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,70,316 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 2429 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,70,316 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 2429 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 35 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 2394 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,64,476 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4411 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાતમાં પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં ભગવો લહેરાતા કમલમ્ ખાતે વિજયોત્સવ
- 02, માર્ચ 2021 03:01 PM
- 4773 comments
- 678 Views
ગાંધીનગર-પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં ભગવો લહેરાતા ભાજપમાં આનંદ છવાયો છે. ગાંધીનગર ખાતે ભાજપના કાર્યાલય કમલમ પર વિજયોત્સવ મનાવવામાં આવ્યો. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી વિજય રુપાણીની હાજરીમાં ભાજપના કાર્યલય પર કાર્યકર્તાઓએ વિજય મનાવ્યો. ઢોલ નગારા સાથે ભાજપના કાર્યલય કમલમ્ પર જીતનો ઉત્સવ મનાવવામાં આવ્યો. મહાપાલિકા બાદ પંચાયતની ચૂંટણીમાં પણ ભાજપે જે રીતે કેસરીયો લહેરાવી દીધો છે અને મોટા ભાગની જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત તથા મહાપાલિકાઓમાં ભાજપ સત્તા પર આવશે તે નિશ્ર્ચિત બન્યુ છે. તેથી આ ભવ્ય વિજયની ઉજવણી કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓ ઉપસ્થિત રહી જીતની ખુશીનો વિજયોત્સવ મનાવ્યો હતો.વધુ વાંચો -
ગુજરાતમાં BJPનાં સારા દેખાવ બાદ CM રૂપાણી અને પ્રદેશ પ્રમુખ પહોચ્યા કમલમ
- 02, માર્ચ 2021 02:20 PM
- 3091 comments
- 1203 Views
ગાંધીનગર-ભાજપ માટે આ વખતની તાલુકા, જિલ્લા પંચાયત અને પાલિકાની ચૂંટણી પ્રતિષ્ઠા સભર બનીને રહી ગઈ હતી. રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકા માટે મતગણતરીનાં પ્રારંભ સાથે જ ભાજપે સપાટો બોલાવીને જિલ્લા પંચાયતની 31 સીટ પૈકી 30 પર , 231 પૈકી 158 તાલુકા પંચાયત, નગર પાલિકામાં 81 પૈકી 67 બેઠક પર આગળ નિકળી ગઈ હતી. મહત્વપૂર્ણ છે કે મનપાની ચૂંટણીની સરખામણીએ ગામડાઓની ચૂંટણીમાં સારૂ એવું મતદાન થયું હતું. જિલ્લા અને તાલુકા પંચાયતમાં 65 ટકા મતદાન, તો પાલિકા માટે 55 ટકા સરેરાશ મતદાન થયું હતું. જોકે ગત્ત ચૂંટણીની ટકાવારી કરતા આ મતદાન ઓછું છે પરંતુ મનપાની સરખામણીએ વધુ નોંધાયેલું મતદાન ભાજપ પક્ષને ફળતું જોવા મળ્યું છે. સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં પણ ભાજપે સારૂ પ્રદ્શન કરતા હાર્દિક પટેલ સહિત કોંગ્રેસનાં સ્ટાર પ્રચારકોની હવા નિકળી ગઈ છે. આ વર્ષે ખેડુતોનું આંદોલન, છેલ્લા સમયે ખાતરનો કોંગ્રેસે ઉભો કરેલો મુદ્દો પણ ચાલ્યો નોહતો તો મોંઘવારીમો મુદ્દો કોંગ્રેસ ફરી એકવાર વટાવી નોહતી શકી. શહેરી વિસ્તારો બાદ હેવ ગ્રામ્ય સ્તરે પણ ભાજપે ક્લીન સ્વીપ જેવી સ્થિતિનું નિર્માણ કર્યું છે. આવનારી વિધાનસભાની ચૂંટણી માટેનાં પગથિયું ગણાતા પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં મેળવેલા વિજયને વધાવી લેવા ટૂંક સમયમાં કમલમ કાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પહોચશે અને સાથે જ ભાજપ વિજયોત્સવની શરૂઆત પણ કરી દેશે.વધુ વાંચો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ