તાપી સમાચાર

  • ક્રાઈમ વોચ

    કોર્પોરેટ કલ્ચરના ઝાકમઝોળની વરવી અંધારી બાજુ આંતરરાષ્ટ્રીય કક્ષાની ફાર્મા કંપનીમાં ચાલતા સેક્સ કૈાભાંડથી ખળભળાટ કંપનીના રંગીન મિજાજના એમડીએ ૩૭થી વધુ ભારતીય અને વિદેશી યુવતીઓનું શારીરિક શોષણ

    વડોદરા, તા. ૯આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાણીતી અમદાવાદની એક ફાર્મા કંપનીમાં ભારતીય તેમજ વિદેશી યુવતીઓને વાર્ષિક લાખો –કરોડો રૂપિયાના પેકેજ પર નોકરીએ રાખ્યા બાદ યુવતીઓનું ખુદ કંપનીના એમડી દ્વારા વારંવાર શારીરિક શોષણ કરી સેક્સ કૈાભાંડ આચરવામાં આવ્યું હોવાની વાતે ખળભળાટ મચ્યો છે. કંપનીના એમડીની રાતો રંગીન કરવા માટે મજબુર બનેલી યુવતીઓ આ મુદ્દે કોઈ હોબાળો મચાવે તે અગાઉ તેઓને શામ-દામ-દંડ-ભેદની નિતીથી ચુપ કરાવી દેવામાં આવતી હોઈ અત્યાર સુધી આ સેક્સ રેકેટની કોઈ વિગતો બહાર આવી શકી નહોંતી. જાેકે આ જ ફાર્મા કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતી એક યુવતીને પણ શારીરિક શોષણ માટે ફરજ પાડી બળજબરી કરાતા આ સેક્સ કૈાભાંડને ઉજાગર કરવા માટે યુવતીએ પહેલ કરી હતી. જાેકે કંપનીના વગદાર સંચાલક સામે કાર્યવાહી કરવા માટે પોલીસ તંત્રના હાથ ધ્રુજતા હોઈ પોલીસે ફરિયાદ નોંધવા માટે સ્પષ્ટ નનૈયો ભણતા યુવતીને આ સેક્સ રેકેટમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે આખરે હાઈકોર્ટમાં દાદ માંગવાની ફરજ પડી હતી. થોડાક સમય પહેલા આવેલી દિગદર્શક મધુર ભંડારકરની જાણીતી હિન્દી ફિલ્મ ‘કોર્પોરેટ’માં મોટા ઉદ્યોગપતિઓ દ્વારા મની એન્ડ મસલ્સ પાવર સાથે લેધર કરન્સીનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે તેનો ચિતાર આપી ઝાકમઝાળ ભરેલે કોર્પોરેટ કલ્ચરના બીજી વરવી બાજુને ઉજાગર કરવામાં આવી હતી. જાેકે ફિલ્મના દ્રશ્યો અને સ્ટોરીને પણ ટક્કર મારે તેવો વાસ્તવિક કિસ્સો અમદાવાદની જ એક જાણીતી મલ્ટીનેશનલ ફાર્મા કંપનીમાં સપાટી પર આવ્યો છે અને તેને કંપનીની જ એક ઉચ્ચાધિકારી કર્મચારી યુવતીએ ઉજાગર કર્યો છે. અન્ય રાજયની વતની અને હાલમાં અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતી ૨૬ વર્ષીય યુવતી અમદાવાદની ફાર્મા કંપનીમાં ઉચ્ચાધિકારી તરીકે ફરજ બજાવે અને કંપનીમાં કામગીરીના ભાગરૂપે કંપનીના તમામ કર્મચારીઓ તેના સંપર્કમાં આવે છે. આ યુવતીની તેના જ વિભાગના વડાએ જાતિય સતામની શરૂ કરી હતી અને તેણે કંપનીના સંચાલક- એમડી જે વ્યભિચાર અને રંગીન મિજાજના આક્ષેપોમાં અગાઉ ઘેરાયેલા છે તેમના સેક્સ કૈાભાંડના સિલસિલાબધ્ધ કિસ્સા વર્ણવ્યા હતા અને યુવતીને પણ એમડી સાથે શારીરિક સંબંધ બાંધવા માટે સતત દબાણ શરૂ કરાયું હતું. પોતાના વિભાગના વડાએ કંપનીના એમડીના સેક્સ કૈાભાંડ અંગે એવી ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો કે કંપનીમાં ૨૪થી ૨૭ વર્ષની રશિયન, સ્પેનીશ અને યુરોપીયન યુવતીઓને વર્ક વિઝા નહી હોવા છતાં કંપનીમાં દોઢથી બે કરોડના વાર્ષિક પગારે પર્સનલ સેક્રેટરી તરીકે નોકરીએ રાખવામાં આવી હતી અને એફઆરઆરઓ (ફોરેનર્સ રિજયોનલ રજીસ્ટ્રેશન ઓફિસર) પ્રોસેસ વિના પરત મોકલી દેવામાં આવી છે. આ યુવતીઓને કંપનીના એમડીના વૈભવી રહેણાંક સ્થળે રાખવામાં આવતી હતી જયાં એમડી દ્વારા તેઓની પર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. એમડી દ્વારા યુવતીઓ સાથે ક્રુરતાપુર્વક અકુદરતી સેક્સ પણ આચરવામાં આવ્યું છે જેના કારણે અનેક યુવતીઓને શારિરીક પીડાઓ પણ થઈ હતી પરંતું મની અને મસલ્સ પાવરના જાેરે તેઓને ચુપ કરાવી દઈ તેઓને વતનમાં રવાના કરી દેવાઈ છે. આ યુવતીએ કંપનીમાં મહિલાઓની જાતિય સતામણી સામે રક્ષણ આપવા માટે બનાવેલી કમિટીમાં પોતાના જાતિય સતામની કરતા તેના વિભાગના વડાની ફરિયાદ કરી હતી જેના પગલે કંપનીના બોર્ડ ઓફ ડિરેકટરોમાં ખળભળાટ મચ્યો હતો અને યુવતી પર આ મુદ્દે ચુપકીદી રાખવા માટે તેમજ વિભાગીય વડા કે કંપનીના એમડી સામે કોઈ પણ પ્રકારની ફરિયાદ નહી કરવા માટે દબાણ કરી ધમકીઓ આપવાનો દોર શરૂ થયો છે. જાેકે આ અંગે યુવતીએ અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં અને પોલીસ ઉચ્ચાધિકારીઓને રજુઆતો કરી હતી પરંતું તેની કંપનીનું નામ અને કંપનીના એમડીનું નામ સાંભળતા જ મનોમન ફફડી ઉઠેલી પોલીસે આ કેસમાં ફરિયાદ નોંધવાની વાત તો ઠીક પરંતું ત્યારબાદ યુવતીના ફોન પણ રિસીવ કરવાનું બંધ કરી દેતા યુવતીએ આ કેસની પોલીસ ફરિયાદ નોંધે તેવો આદેશ કરાવવા માટે અમદાવાદના યુવાન ધારાશાસ્ત્રી મારફત હાઈકોર્ટમાં દાદ માંગી હતી. બોક્સ.. હાઈકોર્ટમાં દાખલ થયેલો કેસ સુનાવણી પુર્વે વીથ ડ્રો કરાયો આગામી સપ્તાહે ફરી દાખલ કરાશે ઃ ફરિયાદીના વકીલ ઉદ્યોગપતિ સામે શારીરિક શોષણનો આક્ષેપ કરનાર યુવતીએ તેના વકીલ મારફત તારીખ પાંચમીએ નામદાર હાઈકોર્ટમાં પોલીસ ફરિયાદ દાખલ કરે તેવી માંગ સાથે દાવો દાખલ કરેલ કરેલો જેની આજે શુક્રવારના રોજ સુનાવણી હાથ ધરાય તે પુર્વે જ ક્રિમીનલ મિસેલીનિયસ એપ્લીકેશનને આગામી દિવસોમાં ક્રિમીનલ રિવિઝન એપ્લીકેશન તરીકે દાખલ કરવાની ન્યાયાધીશની મંજુરી સાથે વીથ ડ્રો કરવામાં આવી હતી અને તે સિનિયર વકીલોને સાથે રાખી આગામી સપ્તાહમાં નવેસરથી દાખલ કરવામાં આવશે તેવું ફરિયાદીના વકીલે ‘લોકસત્તા જનસત્તા’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું. બોક્સ..  ૭૫ લાખમાં સમાધાન કરી નોકરી છોડી દેવા દબાણ યુવતીએ અરજીમાં આક્ષેપ કર્યો હતો કે તેણે કંપનીના એમડી અને વિભાગીય વડા સહિતના અધિકારીઓ વિરુધ્ધ કંપનીની ફરિયાદની તજવીજ કરતા જ કંપનીના અન્ય એક ઉચ્ચાધિકારીએ તેને હોટલ અને જાણીતા ક્લબમાં બોલાવીને કંપનીના આ કેસમાં સમાધાન કરી લેવા માટે જણાવ્યું હતું અને સમાધાન માટે ૭૫ લાખની ઓફર કરાઈ હતી. તેને પૈસા લઈ કંપનીમાં રાજીનામુ આપી દેવા માટે દબાણ કરી કંપની અધિકારીએ કંપનીના એમડી વગદાર છે માટે તું તેનું કંઈ બગાડી નહી શકે તેવી ગર્ભિત ધમકી આપી હતી. બોક્સ.. ફાર્મા કંપનીમાં યુવતીઓને ફલ્મી હિરોઈન જેટલી ફી કેમ ચુકવાઈ ? યુવતીએ જણાવ્યું હતું કે તેની કંપની ફાર્મા કંપની છે જેમાં દવાઓનું ઉત્પાદન થાય છે તેની કંપની ફિલ્મો નથી બનાવતી કે જેમાં થોડાક સમય માટે આવતી યુવતીઓને ફિલ્મી હિરોઈનની જેમ કરોડો રૂપિયા ચુકવવામાં આવ્યા છે. એરલાઈન્સમાં ફરજ બજાવતી વિદેશી યુવતી જેનો પગાર આશરે સાત લાખ હતો તે યુવતી તેની કંપનીમાં ૫૦ લાખના પગારે નોકરીએ જાેડાતા તેની પર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. યુવતીઓને આટલો જંગી પગાર કેમ ચુકવાયો તેની સીબીઆઈ અને પોલીસે તપાસ કરવાની માંગણી કરી છે. યુવતીએ કંપનીના એમડી દ્વારા ૩૫ જેટલી વિદેશી યુવતીઓનું શારીરિક શોષણ કર્યાનો આક્ષેપ કરી યુવતીનો ગણતરી દિવસો માટે ચુકવાયેલા તોતીંગ પગારની યાદી રજુ કરાઈ છે. બોક્સ.. અમદાવાદ ગ્રામ્ય પોલીસને વકીલની હાજરીમાં ફરિયાદ આપી છે છતાં કોઈ કાર્યવાહી નહી જે ફાર્મા કંપનીના એમડી અને ઉચ્ચાધિકારીઓ પર સેક્સ રેકેટ કૈાભાંડના આક્ષેપો કરાયા છે તે કંપની અમદાવાદના ગ્રામ્ય પોલીસની હદમાં છે. યુવતીએ આ અંગે ગત મે માસમાં જ ગ્રામ્ય વિસ્તારના એક પોલીસ મથકમાં પીઆઈને બે વકીલોની હાજરીમાં ફરિયાદ નોંધવા માટે કોપી આપી હતી જે એક પીઆઈએ સ્વીકારી કરી હતી પરંતું પીઆઈએ તેની સ્ટેશન ડાયરીમાં કોઈ નોંધ કરી નહોંતી કે ફરિયાદની નકલ પર કોપી મળ્યાનો સિક્કો મારી આપ્યો નહોંતો. ફરિયાદ વાંચીને જ પીઆઈએ કહ્યું હતું કે આ રેરેસ્ટ ઓફ રેર ક્રાઈમ પરંતું તે ડીએસપીની મંજુરી વિના ફરિયાદ નહી નોંધી શકે. જાેકે યુવતીએ ત્યારબાદ પીઆઈ, ડીવાયએસપી અને રાજયના પોલીસ વડાને પણ ઈમેલથી ફરિયાદ કરી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ નથી જેની હાઈકોર્ટમાં માંગેલી દાદમાં પુરાવા સાથે રજુઆત કરી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    રામનવમીએ કોમી ભડકોઃ ઠેરઠેર પથ્થરમારો ઃ ૧૭ની ધરપકડ

    વડોદરા, તા.૩૦રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ સહિતની કેટલીક ધાર્મિક સંસ્થાઓ દ્વારા આયોજીત શોભાયાત્રા પર બપોરે ફતેપુરા વિસ્તાર સહિત અનેક સ્થળે ભારે પથ્થરમારાના પગલે દહેશતનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં અનેકને ઈજાઓ પહોંચી હતી તથા પરિસ્થિત પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. દરમ્યાન પોલીસે ૩૫૦થી વધુ સીસીટીવી કેમેરાને આધારે મોડીરાત સુધીમા ૧૭ તોફાનીઓની ધરપકડ કરી લીધી હતી. આ તોફાનો દરમ્યાન અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યુ હતું. છેલ્લા અનેક વર્ષોથી શાંતિપૂર્ણ માહોલનો અહેસાસ કરી રહેલું વડોદરા આજે કોમી રમખાણોના છમકલાઓથી ફરી એકવાર અભડાયું હતું. આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત શ્રીરામની શોભાયાત્રા બપોરના સમયે ફતેપુરા વિસ્તારના કુભારવાડા ખાતેથી પસાર થઈ રહી હતી.આ તબક્કે ડીજે પર મોટા અવાજે હનુમાનચાલીસા વાગતા જ એ વિસ્તારના કેટલાં યુવાનો અને વિહિપના કાર્યકરો વચ્ચે બોલાચાલી થતાં વાતાવરણ ગરમાયુ હતું આ તબક્કે પોલીસે મધ્યસ્થી કરી બંને ટોળાઓને શાંત કરી વિખેરી નાંખ્યા હતા. પરંતુ થોડી જ વારમાં આ સમાધાન પડી ભાંગ્યુ હોય એમ અચાનક આજુબાજુની ગલીઓમાંથી પથ્થરમારો શરૂ થયો હતો. આ તબકકે શોભાયાત્રામાં સામેલ એક હજારથી વધુ વીએચપી કાર્યકરોમાં ઉશ્કેરાટનો માહોલ ફેલાયો હતો. જાે કે ઘટના સ્થળે ઉપસ્થિત પોલીસે તાત્કાલિક પરિસ્થિતિ પર કાબુ મેળવવા તોફાનીઓની દિશામાં ઘસી જતાં મામલો થોડા સમય માટે શાંત પડયો હતો. પરંતુ શ્રધ્ધેય ભગવાન રામની શોભાયાત્રા પરના પથ્થરમારાથી ઉશ્કેરાયેલા કાર્યકરોને માંડ માંડ શાંતિ જાળવવા સમજાવાયા હતા. એસ.એસ.જી. હોસ્પિટલની સામે આવેલ પંચમુખી હનુમાન મંદિરથી શરૂ થયેલી આ યાત્રા શાંતિપૂર્ણ રીતે અને ધાર્મિક માહોલ સાથે આગળ વધી રહી હતી. ત્યારે પાંજરીગર મહોલ્લા ખાતે તેના પર ભારે પથ્થરમારો થયો હતો. જાે કે આ યાત્રા એરપોર્ટ, સંગમ, ફતેપુરા, કારેલીબાગ પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી.ત્યાર બાદ એ યાત્રા જીવનભારતી સ્કુલ એલ એન્ડ ટી એરપોર્ટ થઈ ફરી પંચમુખી હનુમાન મંદિર ખાતે સંપન્ન થઈ હતી.દરમ્યાન ફતેપુરા કંુભારવાડા ખાતેથી નિકળેલી શ્રી રામની આવી જ એક અન્ય શોભાયાત્રા પર તલાટીની ઓફિસની બાજુની ગલીમાંથી તથા સામેની બાજુ આવેલા એક ધાર્મિક સ્થળ પરથી અચાનક ભારે પથ્થરમારો શરૂ થયો હતો. પોલીસે માંડ માંડ પરિસ્થિત થાળે પાડતા શોભાયાત્રા આગળ વધી હતી. પરંતુ ચાંપાનેર દરવજા પાસે ફરીથી આ શોભાયાત્રા પર ભારે પથ્થરમારો થયો હતો. યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે અગાઉ સમગ્ર માર્ગ પર ઠેર ઠેર પથ્થરમારો થતાં વડોદરામાં ભારેલો અગ્નિ છે તથા મોડીરાત્રે એ કોમી રમખાણોના જવાળામુખીમાં ન ફેલાય તે માટે સ્થાનિક પોલીસે કડક હાથે કામ લેવાનુ શરૂ કર્યું છે.આજે શ્રી રામની ત્રીજી શોભાયાત્રા ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા યોજાઈ હતી. જે પ્રતાપનગર વિસ્તારના રણમુકતેશ્વર મહાદેવ ખાતેથી નિકળી પથ્થરગેટ વિસ્તારના તાડફળિયા ખાતે આવેલા રામજીમંદિર ખાતે સંપન્ન થઈ હતી. આ સમગ્ર રૂટ સંવેદનશીલ વિસ્તાર હોવાથી પોલીસે અગાઉ બે શોભાયાત્રાઓ પર થયેલા ભારે પથ્થરમારાના પગલે અગમચેતીના પગલારૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો.એક તરફ પવિત્ર રમઝાન મહિનો ચાલુ છે તથા સમગ્ર લઘુમતી વિસ્તારોમાં સાંજ બાદ ધાર્મિક માહોલ સર્જાય છે ત્યારે આજે દિવસ દરમ્યાન થયેલા કોમી છમકલાઓ વધુ વકરે નહીં તે માટે પોલીસે ચારેબાજુ ઘોસ વધારી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    રાહુલ, શાહ અને કેજરીવાલનો સૌરાષ્ટ્રમાં હુંકાર

    રાજકોટ રાહુલ ગાંધીએ રાજકોટમાં વિશાળ જનમેદની સામે કોંગ્રેસનો પ્રચાર કર્યો હતો. સાથે જ મંચ પરથી ભાજપ પર ઉદ્યોગપતિઓને લ્હાણી કરાવતો આરોપ પણ મૂક્યો. સંબોધનની શરૂઆત પહેલા તેમણે મોરબી દુર્ઘટના મુદ્દે ૨ મિનિટનું મૌન પાળ્યુ હતું. મોરબી દુર્ઘટના પર ગાંધીએ કહ્યું કે, મને પત્રકારોએ પૂછ્યુ કે તમે શુ વિચારો છો. મેં કહ્યું કે, ૧૫૦ લોકોના મોત થયા છે, આ રાજકીય મુદ્દો નથી. આ વિશે હુ નહિ બોલું. પરંતુ આજે સવાલો ઉઠે છે. જેઓએ આ કામ કર્યું તેની સામે કોઈ કાર્યવાહી નહિ. કોઈ એફઆઈઆર નહિ. બીજેપી સાથે તમારો સારો નાતો છે. તો તેમને કંઈ નહિ થાય કે શું. ચોકીદારોને પકડીને અંદર કર્યાં. પરંતુ જવાબદારો સામે કંઈ ન થયું. ગુજરાત સ્મોલ એન્ડ મીડિયમ ઈન્ડસ્ટ્રીઝનુ હાડકુ છે. નાના વેપારીઓ રોજગાર આપતા હતા, પરંતુ સરકાર કાળાધનના નામે નોટબંધી લાવી, પરંતુ નાના અને મધ્યમ કદના ઉદ્યોગો બંધ થઈ ગયા. પાંચ અલગ અલગ ટેક્સ લાવ્યા. જે વેપાર બચ્યા હતા તે પણ નાબૂદ થયા, અરબપતિઓ માટે રસ્તો બનાવવાનો હતો. કોરોનાના સમયે પણ એવુ જ કર્યું. જીએસટી બાદ કોરોના આવ્યો, તેમાં પણ સરકારે મદદ ન કરી. આ કોઈ પોલિસી નથી. નોટબંધી, જીએસટી, કોવિડ કોઈ પોલિસી નથી. તે ખેડૂત, મજબૂર, વેપારીઓને નાબૂદ કરવાના હથિયાર છે. હિન્દુસ્તાનના બે-ચાર ઉદ્યોગપતિઓ માટે રસ્તો બનાવવાના હથિયાર છે. આ અરપતિઓ પોર્ટ, એરપોર્ટ, ઈન્ફ્રસ્ટ્‌ર્કચર, ખેતી, ગ્રોસરી સ્ટોરમાં ઘૂસી રહ્યાં છે. પરંતુ હિન્દુસ્તાનનો યુવા સપનુ જાેવા માંગતો હોય તો તેના માટે લાખો રૂપિયા આપવા પડે છે.કોડિનારમાં અમિત શાહનું સંબોધન ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ, કાૅંગ્રેસ અને આપ સહિતની પાર્ટીઓએ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે ભાજપના પ્રચાર માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં અને ગીર સોમનાથના કોડીનારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સભા યાજાેઈ હતી. અમિત શાહ સભા સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ કહે છે અમારું કામ બોલે છે, હું તેમને પુછવા માગુ છું કે તમે ૨૫-૩૦ વર્ષથી તમારી સરકાર જ નથી તો તમારું કયો કામ બોલે છે. ભાજપ સરકારે એક જ ઝાટકે ૩૭૦ ની કલમને હટાવી. આમ આદમી પાર્ટીને લઈ લોકોને કહ્યું કે, મેધા પાટકરને લઈને છછઁ સામે જવાબ માંગવાનો છે. કે જેઓએ સૌરાષ્ટ્રમાં નર્મદાનું પાણી પહોંચાડવામાં વિલંબ ઉભો કર્યો હતો.
    વધુ વાંચો
  • ગુજરાત

    પાડોશી રાજયના બે ડેમમાંથી પાણી છોડવામાં આવતા ઉકાઈ ડેમનું જળસ્તર વધ્યું

    તાપી-રાજ્યના વરસાદના બીજા રાઉન્ડમાં દક્ષિણ ગુજરાતના તાપી સહીતના જિલ્લાઓમાં સારો વરસાદ પડ્યો છે. તાપી જિલ્લાની વાત કરીએ સારો વરસાદ પડતા ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો થયો હતો. હવે ફરી મહારાષ્ટ્રના બે ડેમમાંથી પાણી છોડવામાં આવતા ઉકાઈ ડેમનું જળસ્તર વધ્યું છે. મહારાષ્ટ્રના પ્રકાશા ડેમ અને હથનુર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. પ્રકાશા ડેમના 4 દરવાજા ખોલીને અને હથનુર ડેમના પણ 4 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવતા ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં પાણીની આવક થઇ છે. ઉકાઈ ડેમમાં હાલ 58, 579 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે જેના કારણે ડેમની જળસપાટી વધીને 333.04 ફૂટ થઈ છે. તાપી નદીમાં ઉપરવાસમાં આવેલા હથનુર ડેમ ની સપાટી 210 મીટરે પહોચી છે. હથનુર ડેમમાંથી 20,700 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે. હથનુર ડેમ ઉપરાંત પ્રકાશા ડેમની સપાટી 109 મીટરે પહોચતા પ્રકાશા ડેમમાંથીપાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ બંને ડેમમાંથી છોડવામાં આવેલો પાણીનો જથ્થો હાલ ઉકાઈ ડેમમાં ઠાલવાઈ રહ્યો છે જેથી ઉકાઈ ડેમની સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે. ઉકાઇ ડેમમાંથી હાલ માત્ર 58, 579 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેની સીધી અસર કોઝવેની સપાટી પર જોવા મળી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    જાણો, ધોરણ 12નું દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનું ઓવરઓલ પરીણામ કેવું રહ્યું?

    સુરતઆજે ધોરણ 12 સાયન્સમાં એક લાખ 7 હજાર 264 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત 100 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં 3245 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.જ્યારે 15 હજાર 284 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે.A ગ્રૂપમાં 466 વિદ્યાર્થીઓએ 99 ટકાથી વધુ માર્ક્સ મેળવ્યા છે. જ્યારે B ગ્રૂપમાં 657 વિદ્યાર્થીઓએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે.અમદાવાદ શહેરમાં 109 વિદ્યાર્થીઓ અને અમદાવાદ ગ્રામ્યમાં 73 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.સૌથી વધુ 26831 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે.જ્યારે સુરત શહેરમાં પણ 546 વિદ્યાર્થીને એ-વન ગ્રેડ મળ્યો છે...આ સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનું ઓવરઓલ પરીણામની વધુ માહિતી નીચે મુજબ છે.દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનું ઓવરઓલ પરીણામજિલ્લો વિદ્યાર્થી સંખ્યા એ-વન ગ્રેડસુરત  13733  546નવસારી  4463  107વલસાડ  4446  20ડાંગ  296  00તાપી  1186  1ભરૂચ  3142  41નર્મદા  812  06સુરત શહેરનું ઓવરઓલ પરીણામગ્રેડ સંખ્યાએ-વન 546એ-ટુ 2547બી-વન 3628બી-ટુ 3416સી-વન 2387સી-ટુ 1053ડી 144
    વધુ વાંચો
  • ગુજરાત

    ‘તોકતે’ વાવાઝોડાને પગલે ભરૂચમાં ૨૭૬૪ લોકોનું સ્થળાંતર

    ભરૂચ, ભરૂચ જીલ્લાના દરિયાકાંઠા વિસ્તારના સંભવિત તૌકતે વાવાઝોડાની અસર સામે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગોતરા પગલાં ભરવામાં આવી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં દરિયાકાંઠે આવેલાં જંબુસર તાલુકાના ૧૪ ગામોના ૬૮૩, વાગરા તાલુકાના ૧૧ ગામોના ૧૫૮૫ અને હાંસોટ તાલુકાના ૫ ગામોના ૪૯૬ મળી કુલ ૩૦ ગામોના કુલ ૨૭૬૪ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે તેમ જીલ્લા કલેકટર ડૉ.એમ.ડી.મોડિયાએ વાગરા તાલુકાના ગામ્ય વિસ્તારની મુલાકાત દરમ્યાન જણાવ્યું હતું. કલેકટરે આ મુલાકાત વેળાએ ગંધારના દરિયા કિનારા અગરિયાઓને તાત્કાલિક રૂબરૂ જઇને સ્થળાંતર કરાવ્યા હતા.આ સ્થળાંતર કરી ગયેલા લોકોમાં કોવિડ આરોગ્યલક્ષી ગાઈડલાઈન પ્રમાણે ચકાસી જાે કોઈને પોઝિટિવ હોય તો તેને અલગ રાખવા ઉપરાંત તાત્કાલિક અસરથી સારવાર કરાવવા જણાવ્યું હતું. કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે નાગરિકોને આ બે દિવસ દરમ્યાન સતત સાવચેતી રાખવાની જરૂર છે.ભરૂચ જીલ્લામાં સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા જીલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરતા પ્રબંધ કરવામાં આવ્યા છે આ બાબતમાં કોઈપણ મુશ્કેલી કે રજૂઆત હોય તો જીલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના સંપર્ક નંબર ૦૨૬૪૨-૨૪૨૩૦૦ અથવા ૧૦૭૭ નો સંપર્ક સાધવા જણાવાયું છે.લોકોને કોઈપણ પ્રકારની અફવાથી બચવા, સલામત સ્થળે સ્થળાંતર કરવામાં સહયોગ આપવા તથા બચાવ-રાહત કામગીરીમાં અંતરાયરૂપ ન થવા અપીલ છે.સુવા ગામે દરિયાકાંઠે પવનની ગતિમાં વધારો ગુજરાતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતના હવામાન વિભાગે ગુજરાત અને દિવને રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેની સાથે ભરૂચના દહેજ બંદરને ૧ નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. દહેજમાં પ્રવર્તી રહેલ તૌકતે વાવાઝોડા સંદર્ભે તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્તનું આયોજન અને અસરકારક કામગીરી કરવામા આવી રહી છે. જેના ભાગરૂપે સંભવિત અસર થનાર દરિયાકાંઠાના સુવા ગામે પવનની ગતિમા વધારો થયો હતો અને વાતાવરણ બદલાયું હતું. તંત્ર દ્વારા માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી હતી અને બોટને દરિયામાં ન લઇ જવા દઈને કાંઠે લઇ આવ્યા જણાવ્યું હતું. જેના ભાગરૂપે સંભવિત અસર થનાર દરિયાકાઠાના વિસ્તારમાં જેના મકાનો કાચા છે ને જે વિસ્તારમાં પુરનું ભય છે તેવા વિસ્તારના લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવાયાનું કામ શરૂ કરાયું છે. હાંસોટ અને આલીયાબેટના લોકોનું સલામત સ્થળે સ્થળાંતર તૌકતે વાવાઝોડા ની તીવ્ર અસર ને પગલે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે રાહત કામગીરી માં ઉભુ છે.જેને પગલે હાંસોટ તાલુકા ના સમુદ્રી કિનારે વસેલા ૬ ગામો અને આલીયાબેટ પર રહેતા લોકોનું તંત્ર દ્વારા સ્થળાંતર કરાવવામાં આવ્યુ હતુ. ગુજરાત માં તૌકતે વાવાઝોડાની એક્ટિવિટી શરુ થઇ ગઈ છે,તારીખ ૧૬ મી મે ના રોજ સાંજ થી જ ભારે પવન અને વરસાદી માહોલ સર્જાયો છે,ત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ અગમચેતીના ભાગરૂપે અસરગ્રસ્ત ગામોના લોકોનું સ્થળાંતર કરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી.જેમાં હાંસોટ તાલુકા ના કંટીયાજાળ, સમલી, વમલેશ્વર, કતપોર, વાંસાનોલી,અને આંકલાવ મળીને ૫૩૧ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યુ હતુ,જ્યારે આલીયાબેટ પર વસતા ૨૫૦ લોકોને હાંસોટ અને અંભેટા ની પ્રાથમિક શાળા માં સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યુ હતુ. જ્યારે બીજી તરફ અંકલેશ્વર પંથકમાં પણ દિવસ દરમ્યાન પવનની ગતિ તેજ રહી હતી, અને વાતાવરણ માં ધૂળની ડમરીઓ ઉડી હતી, તેમજ છુટા છવાયા વરસાદી છાંટા પણ વરસ્યા હતા. તૌકતે વવાઝોડાની અસરઃ વલસાડમાં દરિયામાં બાર ફૂટના મોજાં ઉછળ્યાં વલસાડ, તૌકતે વાવાઝોડાની હવામાન વિભાગે આપેલ આગાહી એ વલસાડ જિલ્લા ના વહીવટી તંત્ર ની ઊંઘ ઉડાડી દીધી છે. નવો રોગ મ્યુકોરમાઇકોસીસે એન્ટ્રી મારી છે અને હવે તૌકતે વવાઝોડા ના આગમન ની આગાહી થી લોકો માં દહેશત વ્યાપી છે. હવામાન વિભાગે આ વાવાઝોડું ગુજરાત માં ૧૮ થી ૨૦ તારીખે આવશે ની આગાહી આપી હતી પરંતુ રવિવારે બપોરે બે વાગ્યે થી જ વાવાઝોડા ની અસર જાેવા મળી હતી. કલેક્‍ટર આર.આર.રાવલ દ્વારા સંભવિત અસરગ્રસ્‍ત વલસાડ તાલુકાના ૨૦ ગામોના ૧૦૬૭ લોકોને ૨૬ આશ્રય સ્‍થાન, પારડી તાલુકાના ૦૬ ગામોમાં ૫૬૧ લોકોને ૩ આશ્રયસ્‍થાન, ઉમરગામ તાલુકાના ૧૧ ગામોના ૭૮૯ લોકોને બાવન આશ્રયસ્‍થાનો મળી કુલ ૩૯ ગામોના કુલ ૮૩ આશ્રયસ્‍થાનોમાં ૧૦૯૬સ્ત્રી અને ૯૫૮ પુરુષ તથા ૩૬૩ બાળકો મળી ૨૪૧૭ લોકોનું સલામત રીતે સ્‍થળાંતર કરવામાં આવ્‍યું છે. વલસાડ જિલ્લા ના શહેરો સહિત ગ્રામ્ય વિસ્તારો માં વરસાદી માહોલ બન્યો હતો તિથલ ખાતે વર્ષો જૂનો ઝાડ ધરાસાઈ થયો હતો દરિયા થી જાેરદાર પવન ફૂંકાયો હતો અંતરિયાળ વિસ્તારો માં ઘણા ઝૂંપડાઓ ના પતરા ઉડી ગયા હોવાની બાબતો સામે આવી હતી રવિવારે બપોરબાદ વાતાવરણ શાંત બન્યું હતું વલસાડ વહીવટી તંત્રે કાંઠા વિસ્તાર ના ગામડા ના લોકો ને સ્થળાંતર કરવાની કાર્યવાહી કરી હતી મોડી રાત સુધી લગભગ ૬૦૦ થી૭૦૦ લોકો ને સ્થળાંતર કરાવાયું હતું ૨૪૧૭ જેટલા લોકો ને સ્થળાંતર કરવામાં આવ્યું છે વલસાડ કલેકટર આર આર રાવલ અને ડીએસપી ઝાલા એ લોકો ની સુરક્ષા ની બાગડોર સાંભળી હતી. તિથલ દરિયા કિનારે જાેરદાર પવન આવતા ધંધાદારીઓ એ ઉભા કરેલ તંબુઓ તહસ નહસ થઈ ગયા હતા.દરિયા માં ઉઠી રહેલ તરંગો વાવાઝોડા ની આવવાનો શંકેત આપી રહી હતી ૨૪ પોલીસ અધિકારીઓ ની દેખરેખ માં વલસાડ પોલીસ ની સૈકડો જવાનો લોકો ની સુરક્ષા બાબતે તૈનાત થયા હતા વલસાડ ડીએસપી ડો. રાજદીપસિંહ ઝાલા એ જિલ્લા માંથી ૪૦૦ જેટલા તરવૈયાઓ ની ટિમ સજ્જ રાખી હતી તેની સાથે ૧૦૮ અને ખાનગી હોસ્પિટલો ની એમ્બ્યુલનસો પણ સ્ટેન્ડબાય રાખવા માં આવી હતી એન ડી આર એફ ની ટિમ લોકો ને મદદ કરવા ઉપસ્થિત રહી હતી વાવાઝોડા ને લઈ બચાવ માટે કલેકકટરે તમામ વ્યવસ્થાઓ કરી હતી છતાં પણ આવનાર વાવાઝોડું કેવી સ્થિતિ નું સર્જન કરશે તે બાબતે ચિંતાતુર બન્યા હતા.ખેરગામ તાલુકામાં બપોર સુધી તીવ્ર પવનની ઝડપ વર્તાતી હતી, થોડો વરસાદ પડ્યો. પરંતુ બપોરે અઢી વાગ્યાના સુમારે સરસિયાના કુંવરજીભાઇ ઝીણાભાઈ પટેલે હાલમાં જ બનાવેલા મકાનના છાપરાના સિમેન્ટના પંદરેક પતરા ચક્રવાતે ઉડાડતા ઘરમાં ચાર્જિંગ થતો મોબાઈલ ઉપર પડતાં ૯ હજારનો મોબાઈલ કચ્ચરઘાણ થઇ ગયો હતો.વીજ કંપનીઓના વીજ કર્મીઓ ખડેપગે જિલ્લામાં વાવાઝોડાને પગલે વીજળી વેરણ થાય તો કોવિડની સુવિધાઓ ઠપ ન થાય તે માટે ૩૦૦ વીજ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે તથા વીજ તાર તૂટી જવાની સ્થિતિમાં રિસ્ટોરેશન માટે ૧૯ ટીમો સ્ટેન્ડબાય કરવામાં આવી છે. સુપ્રિટેન્ડન્ટ એન્જીનીયર જીઈ જે.એસ.કેદારીયાએ જણાવ્યું હતું કે ૧૧ એન્જીનિયર સાથે ની ૩૦૦ વિજકર્મીઓની ટીમ રિસ્ટોરેશન માટે વાગરા, હાંસોટ અને જંબુસર તાલુકાના દરિયા કાંઠાના ગામોમાં તહેનાત છે. અન્ય તાલુકા અને ભરૂચ,અંકલેશ્વર, આમોદ,જંબુસર નગર માટે પણ અન્ય વીજ સ્ટાફ સ્ટેન્ડ બાયમાં છે. જિલ્લામાં આજે સામાન્ય અને કાલે અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. વાવાઝોડાના પગલે જિલ્લાભરમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જાનહાનીના કોઈ અહેવાલ સાંપડ્યા નથી. ગુજરાતને પ્રાણવાયુ પૂરો પાડતા દહેજ – ઝઘડિયાના ૨ પ્લાન્ટ કાર્યરત રાખવા પર ધ્યાન સમગ્ર ગુજરાતને મોટાપાયે ઓક્સિજન પૂરો પાડતા દહેજ અને ઝઘડિયાનો પ્લાન્ટ ઠપ ન થાય તેના ઉપર વિશેષ ધ્યાન દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ કેન્દ્રિત કર્યું છે. ઔદ્યોગિક ગઢ અને ૧૨૨ દ્ભસ્નો દરિયા કાંઠો ધરાવતા ભરૂચ જિલ્લામાં ઓક્સિજન ઉત્પાદન કરતી કેટલીક કંપનીઓ સાથે ૨ મોટા પ્લાન્ટ આવેલા છે. દહેજની લિંડે અને ઝઘડિયાની કંપની મોટા પાયે ઓક્સિજનનું પ્રોડક્શન કરે છે. કોરોના કાળમાં આ બંને કંપની દ્વારા ઉત્પાદિત થતો પ્રાણવાયુ સમગ્ર રાજ્યમાં પણ મોટા પ્રમાણમાં મોકલવામાં આવે છે.  ભરૂચ શહેરમાં રહેલા જાેખમી બેનરો અને હોર્ડિંગ ઉતારાયા ભરૂચ નગરપાલિકા તંત્ર પણ તૌકતે વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાન માં રાખી સજ્જ થઈ ફાયર બ્રિગેડની બે ટીમ ૨૪ કલાક માટે તૈયાર રાખી કામગીરી હાથધરી છે. ભરૂચ નગરપાલિકા તંત્ર પણ એક્શનમાં આવ્યું છે. ફાયર બ્રિગેડની બે ટીમ બચાવ સામગ્રી સાથે રાઉન્ડ ધી કલોક તહેનાત રાખવામાં આવી છે.ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય સોની અને પ્રમુખ અમિત ચાવડાએ નગરપાલિકાની તૈયારી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે શહેરમાં રહેલા જાેખમી હોર્ડીંગ અને બેનરોને ઉતારી લેવામાં આવ્યા છે. કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા પાલિકા તંત્ર સજ્જ હોવાનું કહ્યું હતું. માંડવીના અંતરિયાળ ગામોમાં ઘરોને નુકસાન તાઉતે વાવઝોડાના કારણે માંડવી તાલુકાના ફેદરિયા-ઉકાઈ રોડ પરના અંતરિયાળ વિસ્તારનાં ગામોમાં થયું નુકશાન. સતત ૧૫ થી ૧૬ કલાક વિજપ્રવાહ રહ્યો બંધ. રાજકિય આગેવાનો દ્વારા આગળ આવી પીડિતોને સહાય કરાય તેવી ગ્રામજનોની માંગ. દેશનાં અમુક વિસ્તારોમાં આતંક ફેલાવનાર તાઉતે વાવાઝોડાની અસર માંડવી તાલુકામાં પણ દેખાય હતી. જેનાં સંદર્ભે ફેદરિયા-ઉકાઈ રોડ પર આવેલ અંતરિયાળ વિસ્તારનાં ગામોમાં અમુક ગરીબ આદિવાસી લોકોનાં ઘર તૂટી જતા જાણે તેમના પર આભ તૂટી પડ્યું હતું. અમુક લોકોએ ઓછીના પૈસા લાવી જાત મહેનત કરી ઘર બનાવ્યાને હજુ માંડ એક કે દોઢ વર્ષ જ થયું હતું અને તેમના પૈસા પણ ચૂકવવાનાં બાકી હોય અને આ વાવાઝોડાને કારણે તેમનું મકાન તૂટી જતા જાણે તેમની આત્માએ રાડ પાડી રુદન કર્યું હોવાની લોકમુખે ચર્ચા ચાલી રહી છે. તો ઘર સહિત કેટલનાં ખેતરમાં ઉભા પાકને પણ નુકશાન થતા ખેડૂત જાણે માથે હાથ દઈ બેસી ગયો હતો. તો આવી કપરી પરિસ્થિતિમાં રાજકિય આગેવાનો આગળ આવી આવા પીડિતોને સહાય કરે તેવી ગ્રામજનોમાં માંગ ઉભી થઇ છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    માંડવી-અંબાજી ચાર રસ્તા ટેમ્પોમાં આગઃચાલકનો બચાવ

    માંડવી, માંડવી જુની પોલીસ લાઈન જતાં રસ્તા પાસે આવેલી શોપિંગ સેન્ટર પાસે ધાસચારો ભરેલ ટેમ્પોમાં આગ લાગતા અફરા તફરી મચી ગઇ હતી. ટેમ્પોનાં ચાલકે જીવનાં જાેખમે ટેમ્પો હંકારી અંબાજી ચાર રસ્તાથી રાઈસ મિલ તરફ ખુલ્લા વિસ્તારમાં મૂકી ઉતરી ગયો હતો. આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં તેઓ દ્વારા તાત્કાલિક ધટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાય હતી.માંડવી તાલુકાનાં વાધનેરા ગામે રહેતા કાનાભાઈ દેવાભાઈ બધીયા જેઓનાં બોલેરો ટેમ્પો (નં. જી.જે.૧૯.યુ.૪૧૧૦) માં ધાસચારો ભરી જુની પોલીસ લાઈન જતાં રસ્તા પાસે આવેલી શોપિંગ સેન્ટર પાસે પાર્કિંગ કરેલ હતો. બપોરે લેગભગ ત્રણ વાગ્યાનાં સુમારે ટેમ્પોમાં એકાએક આગ લાગતાં ટેમ્પોનાં ચાલકે જીવનાં જાેખમે ટેમ્પો ચલવી રાઈસ મિલ નજીક રસ્તા ની બાજુમાં ખુલ્લા વિસ્તારમાં મુકીને ઉતરી ગયો હતો. આ ઘટનાની જાણ ફાયર વિભાગ ને કરતાં તાત્કાલિક ધટના સ્થળે ફાયર બ્રિગેડનાં રાજદીપ સિંહ બોરાધરા, શૈલેષ ગામીત, જયેશ નાયકા, તેજસ ચૌધરી દ્વારા સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેડવાયો હતો.
    વધુ વાંચો
  • ગુજરાત

    માંડવીના ડમ્પિંગ યાર્ડમાં કચરો સળગાવતાં પ્રદૂષણ

    માંડવી, માંડવી નગર પાલિકા દ્વારા સમગ્ર નગરમાં ડોર ટુ ડોર ટેમ્પામાં કચરો ઉધરાવી પાલિકાનાં ડમ્પીંગ યાર્ડ પર ખાલાવવામાં આવે છે. ત્યારે કેટલાક ભંગાર શોધવા વાળા કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા કચરો સળગાવતા રાત્રીના સમયે વાતાવરણમાં ભારે માત્રામાં ધૂમાડો ફેલાઈ જતો હોય છે. જે પ્રજાજનોનાં આરોગ્ય માટે જાેખમી સાબિત થઈ રહ્યો છે. હાલમાં કરોના નો કહેર વર્તાઈ રહ્યો છે. ત્યારે કચરામાં પ્લાસ્ટિક સહિત ધણી વસ્તુઓ બળીને ભસ્મ થઇ જાતી હોય અને તેની દુર્ગંધ મારતો ધૂમાડાથી આસપાસનાં વિસ્તારનાં રહેવાસીઓ તેમજ વાહન ચાલકોનાં સ્વાસ્થ્યને પણ નુકશાન પોહચી રહ્યું છે. આ સંદર્ભે પાલિકા પ્રમુખ રેખાબેન વશી એ જણાવ્યું હતું કે પાલિકાનાં ડમ્પીંગ સાઈટનાં સંપૂર્ણ વિસ્તારની આજુ બાજુ દિવાલ કરી દેવામાં આવશે. જેથી પાલિકાનાં કર્મચારીઓની જાણ બહાર કોઈ પણ વ્યક્તિ ડમ્પીંગ યાર્ડમાં પ્રવેશ કરી સકશે નહી. તેમજ આ રીતે કોઈ ભંગાર શોધવા વાળા કે અન્ય કોઇ દ્વારા પણ ડમ્પીંગ યાર્ડમાં પ્રવેશી કચરુ સળગાવવાની કે બીજીકોઈ પ્રવૃત્તિ પણ કરી ન શકે.
    વધુ વાંચો
  • ગુજરાત

    માંડવીનાં ઉમરસાડી ચાર રસ્તાથી દેશી દારૂ લઈ જતા બે ઈસમો ઝડપાયા

    માંડવી, માંડવી પોલીસ દ્વારા ઉમરસાડી ચાર રસ્તા ખાતેથી ગેરકાયદેસર ૧૦૦ લીટર દેશી દારૂ વહન કરતી બાઇક ઝડપાય. બાઇક પર સવાર બંને ઇસમોને પોલીસ દ્વારા દબોચી તેઓ વિરુદ્ધ ગુનો નોંધાયો. પોલીસ સૂત્રો પાસે પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી પોલીસ સ્ટેશનનાં કર્મીઓ મુકુંદભાઈ ચાલકે, કમલેશભાઈ માલી અને અનંદભાઈ ચૌધરી પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક હોન્ડા ડ્યૂ બાઇક (નં. જી.જે.૧૯.બી.બી.૬૦૨૭) પર બે ઈસમો દેશી દારૂ લઈ ઉમરસાડી ચાર રસ્તાથી પસાર થઈ હરિપુરા ખાતે જનાર છે. મળેલ બાતમી મુજબ વોચ ગોઠવતા બાતમી મુજબનું વાહન આવતા તેને ઉભું રાખી તપાસ કરતા બાઇકની ડીકીમાં તેમજ આગળનાં ભાગે વિમાલનાં મોટા થેલા તથા સ્કૂલ બેગમાં દારૂની પોટલીઓ મૂકી હતી. જેની ગણતરી કરતા કુલ ૧૦૦ લીટર થઈ રૂ. ૨૦૦૦ નો દેશી દારૂ મળી આવ્યો હતો. બંને આરોપીઓને નામ પૂછતા પોતાનું નામ ધર્મેશભાઈ સુરેશભાઈ ચૌધરી અને વિજયભાઈ મસાભાઈ ચૌધરી (બંને રહે. વિસડાલિયા) જણાવ્યું હતું.
    વધુ વાંચો
  • ગુજરાત

    કરંજ ગામે બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતાં બેનાં મોત

    માંડવી, માંડવીનાં કરંજ ગામની સીમમાંથી એક બાઇક ચાલક સાહિલ ફિરોઝ ફકીર (ઉં.વ. ૧૯, રહે. ડુંગળી તળાવ ફળિયું, વાલિયા) મોટર સાયકલ (નં. જી.જે.૧૬.સી.એલ.૧૮૬૬) લઈ પસાર થતો હતો તે વેળાએ એક ટ્રક ચાલક (નં. જી.જે.૩૭.ટી.૧૯૦૦) દ્વારા પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારી સાહિલને અડફેટે લીધો હતો અને ત્યારબાદ તેની ટ્રક માર્ગની બાજુમાં આવેલ ખાડામાં ખાબકી જતા ટ્રકનાં ચાલકનું જ મૃત્યુ થયું હતું. તેમજ સાહિલને ઈજાઓ થતા સારવાર અર્થે તડકેશ્વર શિફા હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો પરંતુ ત્યાં ફરજ પરનાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
    વધુ વાંચો