બ્લેક ફ્રાઇડે: શેરબજાર ધબાઈ નમ્: રોકાણકારોનાં ૬ લાખ કરોડ સ્વાહા!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, જાન્યુઆરી 2026  |   3069


મુંબઈ, શુક્રવારે ભારતીય શેરબજારમાં તીવ્ર ઘટાડો જાેવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં લગભગ ૧ ટકાનો ઘટાડો થયો. ગુરુવારની તેજી બાદ સેન્સેક્સ અને નિફ્ટી સહિત તમામ શેરબજારમાં નબળાઈ ચાલુ રહી હતી. મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં તીવ્ર ઘટાડો જાેવા મળ્યો હતો, જેમાં ૧.૫ ટકાથી વધુનો ઘટાડો થયો હતો. શેરબજારમાં આ તીવ્ર ઘટાડાથી રોકાણકારોને રૂ.૬ લાખ કરોડનું નુકસાન થયું છે. બીએસઇ માર્કેટ કેપિટલાઈઝેશન ૪૫૮.૫૦ લાખ કરોડથી ઘટીને ૪૫૨.૫૨ લાખ કરોડ થયું છે.

બીએસઇ ૩૦ પર ૧૦ શેર સિવાય બાકીના તમામ ૨૦ શેરોમાં નોંધપાત્ર નુકસાન સાથે ટ્રેડ થયો હતો. અદાણી પોર્ટ્સ, ઝોમેટો, ઈન્ડિગો અને બજાજ ફાઇનાન્સમાં સૌથી મોટો ઘટાડો જાેવા મળ્યો હતો. સેન્સેક્સ ૮૦૫ પોઈન્ટ ઘટીને ૮૧,૫૦૩ પર, જ્યારે નિફ્ટી ૨૫૪ પોઈન્ટ ઘટીને ૨૫,૦૩૪ પર પહોંચી ગયા હતોે. બેંક નિફ્ટી ૭૦૦ પોઈન્ટ ઘટીને ૭૦૦ પોઈન્ટ ઘટી ગયો. છેલ્લા અઠવાડિયામાં રોકાણકારોના અંદાજે ૨૧ લાખ કરોડ જેટલા રૂપિયા સ્વાહા થઈ ગયા છે. અદાણીના શેરમાં તીવ્ર ઘટાડો ટ્રેડિંગ દરમિયાન અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં તીવ્ર ઘટાડો જાેવા મળી રહ્યો છે. અદાણી ગ્રીન એનર્જી સૌથી વધુ ઘટીને ૧૩ ટકા ઘટીને રૂ.૭૯૪ પર ટ્રેડ થઈ રહ્યો છે. અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ, અદાણી પાવર લિમિટેડ, અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ, અદાણી ટોટલ ગેસ અને અદાણી ગ્રીન એનર્જીના શેર પણ ૧૩ ટકા સુધી ઘટ્યા હતા. યુએસ માર્કેટ કમિશન દ્વારા ૨૬૫ મિલિયન ડોલરની કથિત છેતરપિંડી અને લાંચ યોજનાના સંદર્ભમાં સ્થાપક ગૌતમ અદાણી અને ગ્રુપ એક્ઝિક્યુટિવ સાગર અદાણીને ઇ-મેલ દ્વારા વ્યક્તિગત રીતે બોલાવવાની પરવાનગી માગ્યા બાદ અદાણીના શેરમાં ઘટાડો થયો છે.શેરબજારમાં અચાનક તીવ્ર ઘટાડો કેમ થયો? વિદેશી રોકાણકારો શેરબજારમાંથી સતત નાણાં ઉપાડી રહ્યાં છે. એનએસઇના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ પાછલા સત્રમાં ચોખ્ખા ધોરણે રૂ.૨,૧૪૪.૦૬ કરોડના શેર વેચ્યા હતા. એનાથી વિપરીત, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ.૩,૮૭૭.૭૮ કરોડના શેર ખરીદ્યા હતા, જેનાથી બજારને થોડો ટેકો

મળ્યો હતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution