નવસારી સમાચાર
-
કોર્પોરેટ કલ્ચરના ઝાકમઝોળની વરવી અંધારી બાજુ આંતરરાષ્ટ્રીય કક્ષાની ફાર્મા કંપનીમાં ચાલતા સેક્સ કૈાભાંડથી ખળભળાટ કંપનીના રંગીન મિજાજના એમડીએ ૩૭થી વધુ ભારતીય અને વિદેશી યુવતીઓનું શારીરિક શોષણ
- 09, જુન 2023 11:46 PM
- 9209 comments
- 2036 Views
વડોદરા, તા. ૯આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાણીતી અમદાવાદની એક ફાર્મા કંપનીમાં ભારતીય તેમજ વિદેશી યુવતીઓને વાર્ષિક લાખો –કરોડો રૂપિયાના પેકેજ પર નોકરીએ રાખ્યા બાદ યુવતીઓનું ખુદ કંપનીના એમડી દ્વારા વારંવાર શારીરિક શોષણ કરી સેક્સ કૈાભાંડ આચરવામાં આવ્યું હોવાની વાતે ખળભળાટ મચ્યો છે. કંપનીના એમડીની રાતો રંગીન કરવા માટે મજબુર બનેલી યુવતીઓ આ મુદ્દે કોઈ હોબાળો મચાવે તે અગાઉ તેઓને શામ-દામ-દંડ-ભેદની નિતીથી ચુપ કરાવી દેવામાં આવતી હોઈ અત્યાર સુધી આ સેક્સ રેકેટની કોઈ વિગતો બહાર આવી શકી નહોંતી. જાેકે આ જ ફાર્મા કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતી એક યુવતીને પણ શારીરિક શોષણ માટે ફરજ પાડી બળજબરી કરાતા આ સેક્સ કૈાભાંડને ઉજાગર કરવા માટે યુવતીએ પહેલ કરી હતી. જાેકે કંપનીના વગદાર સંચાલક સામે કાર્યવાહી કરવા માટે પોલીસ તંત્રના હાથ ધ્રુજતા હોઈ પોલીસે ફરિયાદ નોંધવા માટે સ્પષ્ટ નનૈયો ભણતા યુવતીને આ સેક્સ રેકેટમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે આખરે હાઈકોર્ટમાં દાદ માંગવાની ફરજ પડી હતી. થોડાક સમય પહેલા આવેલી દિગદર્શક મધુર ભંડારકરની જાણીતી હિન્દી ફિલ્મ ‘કોર્પોરેટ’માં મોટા ઉદ્યોગપતિઓ દ્વારા મની એન્ડ મસલ્સ પાવર સાથે લેધર કરન્સીનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે તેનો ચિતાર આપી ઝાકમઝાળ ભરેલે કોર્પોરેટ કલ્ચરના બીજી વરવી બાજુને ઉજાગર કરવામાં આવી હતી. જાેકે ફિલ્મના દ્રશ્યો અને સ્ટોરીને પણ ટક્કર મારે તેવો વાસ્તવિક કિસ્સો અમદાવાદની જ એક જાણીતી મલ્ટીનેશનલ ફાર્મા કંપનીમાં સપાટી પર આવ્યો છે અને તેને કંપનીની જ એક ઉચ્ચાધિકારી કર્મચારી યુવતીએ ઉજાગર કર્યો છે. અન્ય રાજયની વતની અને હાલમાં અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતી ૨૬ વર્ષીય યુવતી અમદાવાદની ફાર્મા કંપનીમાં ઉચ્ચાધિકારી તરીકે ફરજ બજાવે અને કંપનીમાં કામગીરીના ભાગરૂપે કંપનીના તમામ કર્મચારીઓ તેના સંપર્કમાં આવે છે. આ યુવતીની તેના જ વિભાગના વડાએ જાતિય સતામની શરૂ કરી હતી અને તેણે કંપનીના સંચાલક- એમડી જે વ્યભિચાર અને રંગીન મિજાજના આક્ષેપોમાં અગાઉ ઘેરાયેલા છે તેમના સેક્સ કૈાભાંડના સિલસિલાબધ્ધ કિસ્સા વર્ણવ્યા હતા અને યુવતીને પણ એમડી સાથે શારીરિક સંબંધ બાંધવા માટે સતત દબાણ શરૂ કરાયું હતું. પોતાના વિભાગના વડાએ કંપનીના એમડીના સેક્સ કૈાભાંડ અંગે એવી ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો કે કંપનીમાં ૨૪થી ૨૭ વર્ષની રશિયન, સ્પેનીશ અને યુરોપીયન યુવતીઓને વર્ક વિઝા નહી હોવા છતાં કંપનીમાં દોઢથી બે કરોડના વાર્ષિક પગારે પર્સનલ સેક્રેટરી તરીકે નોકરીએ રાખવામાં આવી હતી અને એફઆરઆરઓ (ફોરેનર્સ રિજયોનલ રજીસ્ટ્રેશન ઓફિસર) પ્રોસેસ વિના પરત મોકલી દેવામાં આવી છે. આ યુવતીઓને કંપનીના એમડીના વૈભવી રહેણાંક સ્થળે રાખવામાં આવતી હતી જયાં એમડી દ્વારા તેઓની પર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. એમડી દ્વારા યુવતીઓ સાથે ક્રુરતાપુર્વક અકુદરતી સેક્સ પણ આચરવામાં આવ્યું છે જેના કારણે અનેક યુવતીઓને શારિરીક પીડાઓ પણ થઈ હતી પરંતું મની અને મસલ્સ પાવરના જાેરે તેઓને ચુપ કરાવી દઈ તેઓને વતનમાં રવાના કરી દેવાઈ છે. આ યુવતીએ કંપનીમાં મહિલાઓની જાતિય સતામણી સામે રક્ષણ આપવા માટે બનાવેલી કમિટીમાં પોતાના જાતિય સતામની કરતા તેના વિભાગના વડાની ફરિયાદ કરી હતી જેના પગલે કંપનીના બોર્ડ ઓફ ડિરેકટરોમાં ખળભળાટ મચ્યો હતો અને યુવતી પર આ મુદ્દે ચુપકીદી રાખવા માટે તેમજ વિભાગીય વડા કે કંપનીના એમડી સામે કોઈ પણ પ્રકારની ફરિયાદ નહી કરવા માટે દબાણ કરી ધમકીઓ આપવાનો દોર શરૂ થયો છે. જાેકે આ અંગે યુવતીએ અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં અને પોલીસ ઉચ્ચાધિકારીઓને રજુઆતો કરી હતી પરંતું તેની કંપનીનું નામ અને કંપનીના એમડીનું નામ સાંભળતા જ મનોમન ફફડી ઉઠેલી પોલીસે આ કેસમાં ફરિયાદ નોંધવાની વાત તો ઠીક પરંતું ત્યારબાદ યુવતીના ફોન પણ રિસીવ કરવાનું બંધ કરી દેતા યુવતીએ આ કેસની પોલીસ ફરિયાદ નોંધે તેવો આદેશ કરાવવા માટે અમદાવાદના યુવાન ધારાશાસ્ત્રી મારફત હાઈકોર્ટમાં દાદ માંગી હતી. બોક્સ.. હાઈકોર્ટમાં દાખલ થયેલો કેસ સુનાવણી પુર્વે વીથ ડ્રો કરાયો આગામી સપ્તાહે ફરી દાખલ કરાશે ઃ ફરિયાદીના વકીલ ઉદ્યોગપતિ સામે શારીરિક શોષણનો આક્ષેપ કરનાર યુવતીએ તેના વકીલ મારફત તારીખ પાંચમીએ નામદાર હાઈકોર્ટમાં પોલીસ ફરિયાદ દાખલ કરે તેવી માંગ સાથે દાવો દાખલ કરેલ કરેલો જેની આજે શુક્રવારના રોજ સુનાવણી હાથ ધરાય તે પુર્વે જ ક્રિમીનલ મિસેલીનિયસ એપ્લીકેશનને આગામી દિવસોમાં ક્રિમીનલ રિવિઝન એપ્લીકેશન તરીકે દાખલ કરવાની ન્યાયાધીશની મંજુરી સાથે વીથ ડ્રો કરવામાં આવી હતી અને તે સિનિયર વકીલોને સાથે રાખી આગામી સપ્તાહમાં નવેસરથી દાખલ કરવામાં આવશે તેવું ફરિયાદીના વકીલે ‘લોકસત્તા જનસત્તા’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું. બોક્સ.. ૭૫ લાખમાં સમાધાન કરી નોકરી છોડી દેવા દબાણ યુવતીએ અરજીમાં આક્ષેપ કર્યો હતો કે તેણે કંપનીના એમડી અને વિભાગીય વડા સહિતના અધિકારીઓ વિરુધ્ધ કંપનીની ફરિયાદની તજવીજ કરતા જ કંપનીના અન્ય એક ઉચ્ચાધિકારીએ તેને હોટલ અને જાણીતા ક્લબમાં બોલાવીને કંપનીના આ કેસમાં સમાધાન કરી લેવા માટે જણાવ્યું હતું અને સમાધાન માટે ૭૫ લાખની ઓફર કરાઈ હતી. તેને પૈસા લઈ કંપનીમાં રાજીનામુ આપી દેવા માટે દબાણ કરી કંપની અધિકારીએ કંપનીના એમડી વગદાર છે માટે તું તેનું કંઈ બગાડી નહી શકે તેવી ગર્ભિત ધમકી આપી હતી. બોક્સ.. ફાર્મા કંપનીમાં યુવતીઓને ફલ્મી હિરોઈન જેટલી ફી કેમ ચુકવાઈ ? યુવતીએ જણાવ્યું હતું કે તેની કંપની ફાર્મા કંપની છે જેમાં દવાઓનું ઉત્પાદન થાય છે તેની કંપની ફિલ્મો નથી બનાવતી કે જેમાં થોડાક સમય માટે આવતી યુવતીઓને ફિલ્મી હિરોઈનની જેમ કરોડો રૂપિયા ચુકવવામાં આવ્યા છે. એરલાઈન્સમાં ફરજ બજાવતી વિદેશી યુવતી જેનો પગાર આશરે સાત લાખ હતો તે યુવતી તેની કંપનીમાં ૫૦ લાખના પગારે નોકરીએ જાેડાતા તેની પર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. યુવતીઓને આટલો જંગી પગાર કેમ ચુકવાયો તેની સીબીઆઈ અને પોલીસે તપાસ કરવાની માંગણી કરી છે. યુવતીએ કંપનીના એમડી દ્વારા ૩૫ જેટલી વિદેશી યુવતીઓનું શારીરિક શોષણ કર્યાનો આક્ષેપ કરી યુવતીનો ગણતરી દિવસો માટે ચુકવાયેલા તોતીંગ પગારની યાદી રજુ કરાઈ છે. બોક્સ.. અમદાવાદ ગ્રામ્ય પોલીસને વકીલની હાજરીમાં ફરિયાદ આપી છે છતાં કોઈ કાર્યવાહી નહી જે ફાર્મા કંપનીના એમડી અને ઉચ્ચાધિકારીઓ પર સેક્સ રેકેટ કૈાભાંડના આક્ષેપો કરાયા છે તે કંપની અમદાવાદના ગ્રામ્ય પોલીસની હદમાં છે. યુવતીએ આ અંગે ગત મે માસમાં જ ગ્રામ્ય વિસ્તારના એક પોલીસ મથકમાં પીઆઈને બે વકીલોની હાજરીમાં ફરિયાદ નોંધવા માટે કોપી આપી હતી જે એક પીઆઈએ સ્વીકારી કરી હતી પરંતું પીઆઈએ તેની સ્ટેશન ડાયરીમાં કોઈ નોંધ કરી નહોંતી કે ફરિયાદની નકલ પર કોપી મળ્યાનો સિક્કો મારી આપ્યો નહોંતો. ફરિયાદ વાંચીને જ પીઆઈએ કહ્યું હતું કે આ રેરેસ્ટ ઓફ રેર ક્રાઈમ પરંતું તે ડીએસપીની મંજુરી વિના ફરિયાદ નહી નોંધી શકે. જાેકે યુવતીએ ત્યારબાદ પીઆઈ, ડીવાયએસપી અને રાજયના પોલીસ વડાને પણ ઈમેલથી ફરિયાદ કરી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ નથી જેની હાઈકોર્ટમાં માંગેલી દાદમાં પુરાવા સાથે રજુઆત કરી છે.વધુ વાંચો -
રામનવમીએ કોમી ભડકોઃ ઠેરઠેર પથ્થરમારો ઃ ૧૭ની ધરપકડ
- 31, માર્ચ 2023 01:15 AM
- 8226 comments
- 690 Views
વડોદરા, તા.૩૦રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ સહિતની કેટલીક ધાર્મિક સંસ્થાઓ દ્વારા આયોજીત શોભાયાત્રા પર બપોરે ફતેપુરા વિસ્તાર સહિત અનેક સ્થળે ભારે પથ્થરમારાના પગલે દહેશતનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં અનેકને ઈજાઓ પહોંચી હતી તથા પરિસ્થિત પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. દરમ્યાન પોલીસે ૩૫૦થી વધુ સીસીટીવી કેમેરાને આધારે મોડીરાત સુધીમા ૧૭ તોફાનીઓની ધરપકડ કરી લીધી હતી. આ તોફાનો દરમ્યાન અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યુ હતું. છેલ્લા અનેક વર્ષોથી શાંતિપૂર્ણ માહોલનો અહેસાસ કરી રહેલું વડોદરા આજે કોમી રમખાણોના છમકલાઓથી ફરી એકવાર અભડાયું હતું. આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત શ્રીરામની શોભાયાત્રા બપોરના સમયે ફતેપુરા વિસ્તારના કુભારવાડા ખાતેથી પસાર થઈ રહી હતી.આ તબક્કે ડીજે પર મોટા અવાજે હનુમાનચાલીસા વાગતા જ એ વિસ્તારના કેટલાં યુવાનો અને વિહિપના કાર્યકરો વચ્ચે બોલાચાલી થતાં વાતાવરણ ગરમાયુ હતું આ તબક્કે પોલીસે મધ્યસ્થી કરી બંને ટોળાઓને શાંત કરી વિખેરી નાંખ્યા હતા. પરંતુ થોડી જ વારમાં આ સમાધાન પડી ભાંગ્યુ હોય એમ અચાનક આજુબાજુની ગલીઓમાંથી પથ્થરમારો શરૂ થયો હતો. આ તબકકે શોભાયાત્રામાં સામેલ એક હજારથી વધુ વીએચપી કાર્યકરોમાં ઉશ્કેરાટનો માહોલ ફેલાયો હતો. જાે કે ઘટના સ્થળે ઉપસ્થિત પોલીસે તાત્કાલિક પરિસ્થિતિ પર કાબુ મેળવવા તોફાનીઓની દિશામાં ઘસી જતાં મામલો થોડા સમય માટે શાંત પડયો હતો. પરંતુ શ્રધ્ધેય ભગવાન રામની શોભાયાત્રા પરના પથ્થરમારાથી ઉશ્કેરાયેલા કાર્યકરોને માંડ માંડ શાંતિ જાળવવા સમજાવાયા હતા. એસ.એસ.જી. હોસ્પિટલની સામે આવેલ પંચમુખી હનુમાન મંદિરથી શરૂ થયેલી આ યાત્રા શાંતિપૂર્ણ રીતે અને ધાર્મિક માહોલ સાથે આગળ વધી રહી હતી. ત્યારે પાંજરીગર મહોલ્લા ખાતે તેના પર ભારે પથ્થરમારો થયો હતો. જાે કે આ યાત્રા એરપોર્ટ, સંગમ, ફતેપુરા, કારેલીબાગ પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી.ત્યાર બાદ એ યાત્રા જીવનભારતી સ્કુલ એલ એન્ડ ટી એરપોર્ટ થઈ ફરી પંચમુખી હનુમાન મંદિર ખાતે સંપન્ન થઈ હતી.દરમ્યાન ફતેપુરા કંુભારવાડા ખાતેથી નિકળેલી શ્રી રામની આવી જ એક અન્ય શોભાયાત્રા પર તલાટીની ઓફિસની બાજુની ગલીમાંથી તથા સામેની બાજુ આવેલા એક ધાર્મિક સ્થળ પરથી અચાનક ભારે પથ્થરમારો શરૂ થયો હતો. પોલીસે માંડ માંડ પરિસ્થિત થાળે પાડતા શોભાયાત્રા આગળ વધી હતી. પરંતુ ચાંપાનેર દરવજા પાસે ફરીથી આ શોભાયાત્રા પર ભારે પથ્થરમારો થયો હતો. યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે અગાઉ સમગ્ર માર્ગ પર ઠેર ઠેર પથ્થરમારો થતાં વડોદરામાં ભારેલો અગ્નિ છે તથા મોડીરાત્રે એ કોમી રમખાણોના જવાળામુખીમાં ન ફેલાય તે માટે સ્થાનિક પોલીસે કડક હાથે કામ લેવાનુ શરૂ કર્યું છે.આજે શ્રી રામની ત્રીજી શોભાયાત્રા ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા યોજાઈ હતી. જે પ્રતાપનગર વિસ્તારના રણમુકતેશ્વર મહાદેવ ખાતેથી નિકળી પથ્થરગેટ વિસ્તારના તાડફળિયા ખાતે આવેલા રામજીમંદિર ખાતે સંપન્ન થઈ હતી. આ સમગ્ર રૂટ સંવેદનશીલ વિસ્તાર હોવાથી પોલીસે અગાઉ બે શોભાયાત્રાઓ પર થયેલા ભારે પથ્થરમારાના પગલે અગમચેતીના પગલારૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો.એક તરફ પવિત્ર રમઝાન મહિનો ચાલુ છે તથા સમગ્ર લઘુમતી વિસ્તારોમાં સાંજ બાદ ધાર્મિક માહોલ સર્જાય છે ત્યારે આજે દિવસ દરમ્યાન થયેલા કોમી છમકલાઓ વધુ વકરે નહીં તે માટે પોલીસે ચારેબાજુ ઘોસ વધારી છે.વધુ વાંચો -
લિંડા મોડલ સ્કૂલમા ભોજન પૂરું પડતી એજન્સીને રદ કરી અને નવી એજન્સીને ઈજારો આપવા હુકમ
- 22, ડિસેમ્બર 2021 10:36 PM
- 6042 comments
- 3258 Views
નસવાડીઃ નસવાડી તાલુકાના લિંડા ગામ ખાતે ચાલતી કન્યા સાક્ષરતા શાળાના ભોજનનો કોન્ટ્રાક્ટ રદ કરવાનો આદેશ ગાંધીનગરના કર્યાપાલાક નિયામક દ્રારા કરવામાં આવ્યો છે.ભોજનમા વિધાર્થીનીઓને ગુણવતા વાળો ખોરાક ના આપતાં ૭૦ વિધાર્થીનીઆએે નિયામકને રૂબરૂ મા જવાબ આપ્યો હતો જેના લીધે ભોજન નો કોન્ટ્રાક રદ કરાયો લોકસતા જનસતા અહેવાલની અસર પડી છોટાઉદેપુર સાંસદ અને ભરૂચ સાંસદની મહેનત રંગ લાવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકામા લિંડા ખાતે ચાલતી શાળામાં ૧૪૦૦ વિધાર્થીનીઓ મોડલ સ્કૂલ અને સાક્ષરતા કન્યા શાળામાં અભ્યાસ કરે છે કન્યાઓને રહેવા અને ભોજન ની સુવિધા સરકાર દ્રારા પુરી પાડવામાં આવે છે આ શાળાઓનું સંચાલન છોટાઉદેપુર જીલ્લાના પ્રયોજના અધિકારી આદિજાતિ વિભાગ દ્રારા કરવામા આવે છે લિંડા ગામે ચાલતી શાળામા વિધાર્થીઓને ભોજન હલકી ગુણવતા વાળું તેમજ પાણી વાળું દૂધ અને કાચી રોટલી આપવામાં આવતી હોવાથી વિદ્યાર્થીનીઓએ હલાબોલ કરતા આની તપાસ માટે ગાંધીનગરથી કાર્યપાલક નિયામક શાળાએ આવીને તાપસ હાથધરી અહેવાલ તૈયાર કરી બંધ કવરમાં સરકારમાં સોંપ્યો હતો ૭૦ જેટલી વિદ્યાર્થીનીઓના એક પછી એક જવાબ લીધા કાર્યપાલક નિયામકએ લીધા હતા જેમાં ભોજન ખરાબ અપાતું હોવાની વિધાર્થીનીઓ અધિકારીઓને રજુવાત કરતા ખરભળાટ મચી ગયો હતો જેને લઈને સમગ્ર મામલામા તપાસનો ધમધમાટ થયો હતો જયારે છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા ભરૂચ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય અભેસિંહ તડવી અને વિપક્ષના નેતા સુખરામ રાઠવા પોતાના આદિવાસી સમાજની કન્યાઓની વહારે આવ્યા હતા ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ લોકસતા જનસતાના અહેવાલને જાેઈન્ટ કરીને આદિજાતિ મંત્રીને પત્ર લખ્યો હતો સરકારે આની ગંભીર નોંધ લીધી છે અને તાત્કાલિક અસરથી લિંડા મોડલ સ્કૂલમા ભોજન પૂરું પડતી એજન્સીને રદ કરી અને નવી એજન્સીને ભોજન બનાવવા માટે નો ઈજરો આપવામાંનો હુકમ કર્યો છે જેથી લોકસતા જનસતાના અહેવાલની અસર પડી છેવધુ વાંચો -
વોર્ડનને સસ્પેન્ડ કરવાના હુકમને રદ કરવાની માંગ સાથે વિધાર્થીનીઓનો ભારે સુત્રોચ્ચાર
- 21, ડિસેમ્બર 2021 11:08 PM
- 124 comments
- 9989 Views
નસવાડી:નસવાડી તાલુકાના લિંડા ગામે આવેલી અલ્પ સાક્ષરતા કન્યા વિદ્યાલય અને મોડલ સ્કૂલના વિધાર્થીઓ વોર્ડનના સમર્થનમાં શાળાનો કેમ્પસ છોડી, ગેટ કૂદીને ને રોડ પર આવી ભારે સુત્રોચ્ચાર કરીને વોર્ડનને સસ્પેન્ડ કરવાનો જે હુકમ કરવામાં આવ્યો છે જેને રદ કરવા માટે વિધાર્થીનીઓ એ માગ કરી હતીપ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકા ના લિંડા શાળાની એક હજાર જેટલી વિધાર્થીનીઓ ઓને ખબર પડી ક તંત્ર દ્રારા ૮ વોડન ને છૂટી કરી દેવમા આવ્યા છે. જેને લઈને વિદ્યાર્થીની ઓમા સવાર થી આક્રોશ હતો તવો શાળા ની જવાની જગ્યાએ હોસ્ટેલ કેમ્પસ માંથી બહાર આવી શાળા નો ગેટ કૂદી ને રોડ ઉપર આવી જતા ગેટ બહાર આવી રોડ ઉપર સૂત્રોચ્ચાર કર્યા તેવોની માંગણી હતી કે રસોડામાં ભોજન સારૂ ના આપવવામાં આવતા અમોએ આંદોલન કર્યું હતું જેમાં વોર્ડન નો શુ વાંક.વોર્ડન કેમ છુટા કરવામાં આવ્યા છે. તેમને પાછા લો. ગુજરાતી માં એક કહેવત છે પાડા ના વાંકે પખાલીને દામ તે કહેવત લિંડા સ્કૂલમાં સાર્થક થાય છે કારણકે ભોજન ખરાબ અપાતું હતું જેને લઈને વિધાર્થીનીઓએ વિવાદ ઉભો કયો થયો હતો અને જેની તપાસ ઉચ્છ કક્ષાએથી કરવામાં આવી હતી પરંતુ રસોઈયા ને છૂટા કરવાની જગ્યાએ વોર્ડનને છુટા કરી દેવાતા વિધાર્થીનીઓ વોર્ડનના સમર્થનમાં આવી હતી અને ૧૦૦૦ જેટલી વિધાર્થીનીઓ રોડ પર આવી જતા શાળાના આચાર્ય મુશ્કેલીમાં મુકાયા હતા વિધાર્થીનીઓ શાળા છોડીને ઘરે જવા માટે બહાર આવી જતા તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વિદ્યાર્થીની ઓએ માગ કરી હતી.વધુ વાંચો -
પીડિતાના કહેવાતા આપઘાતનો વીડિયો વાયરલ ઃ હત્યાની શંકા દૃઢ બની?
- 27, નવેમ્બર 2021 01:15 AM
- 995 comments
- 4832 Views
વડોદરા, તા.૨૬વેક્સિન ગ્રાઉન્ડ રેપકાંડનો ભોગ બનેલી પીડિતાનો અંતિમ વીડિયો બહાર આવ્યો છે. ટ્રેનમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં આ વીડિયોએ અનેક સવાલો ઊભા કર્યા છે. વીડિયોમાં સ્પષ્ટપણે જાેઈ શકાય છે કે પીડિતાના મૃતદેહના પગ જમીન ઉપર અડેલા છે અને જે ઓઢણીથી ગળાફાંસો ખાધો હોવાનું દેખાય છે એ ફંદો માત્ર ગળા પર છે, જ્યારે ગરદન આખી ખૂલ્લી છે. ફાંસાનો ફંદો ગળા અને ગરદન બંને પર ઘટ્ટ ભીંસાય તો જ વ્યક્તિનું મોત થઈ શકે એ જાેતાં આ મામલો આત્મહત્યાનો છે કે હત્યાનો એવી શંકા ઊભી થઈ છે. વલસાડ રેલવે સ્ટેશન ખાતે ટ્રેનમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં પીડિતાનો વીડિયો આજે બહાર આવ્યો છે જેમાં પોલીસ પંચક્યાસ કરી રહેલી દેખાય છે. વીડિયોને ધ્યાનથી જાેતાં આ મામલો આત્મહત્યાને બદલે હત્યાનો હોવાનું લાગી રહ્યું હોય એવા તર્કવિતર્ક ખુદ પોલીસ માટે ઊભા થયા છે. પીડિતાના કહેવાતા આપઘાત બાદનો વીડિયો અનેક સવાલ ઊભા કરે છે. જાે કે, પોલીસ અગાઉથી જ આ મામલો હત્યાનો હોઈ શકે છે એવું માની એ દિશામાં પણ તપાસ કરી છે. ત્યારે એનું મોત નીપજાવાથી કોને લાભ થશે અને કયા કારણોસર એની હત્યા થઈ હોઈ શકે એવા કારણોની શોધખોળ પણ પોલીસ કરી રહી છે. શું એ મીડિયા સમક્ષ જઈને કોઈ વ્યક્તિના, કે વ્યક્તિ સમૂહના ગુનાહિત ભંડા ફોડી નાખશે એવી કોઈ બીક ધરાવનારાઓએ એનું મોઢું કાયમ માટે બંધ નથી કરાવ્યું ને? એ દિશામાં પોલીસ વધુ ગંભીરતાથી તપાસ કરી રહી છે. જે વીડિયો બહાર આવ્યો છે એમાં જાેઈ શકાય છે કે પીડિતાના પગ કોચના ફલોરને અડેલા છે અને યુવતીની બાજુમાં સીટ છે તેને પણ તેનો દેહ અડેલો છે. મહત્ત્વની વાત તો એ છે કે જે ઓઢણી લટકાવી એને ફાંસો ખાધો હોવાનું કહેવાય છે. એ ફંદાને ગાંઠ પણ મારેલી નહીં હોવાનું વીડિયોમાં સ્પષ્ટપણે જાેઈ શકાય છે જેને લઈને અનેક શંકાઓ ઊભી થઈ છે. વલસાડ રેલવે સ્ટેશન પર ૪ નવેમ્બરના રોજ ગુજરાત ક્વિન એક્સપ્રેસ ટ્રેનની સફાઈ કરતા કામદારને ખાલી કોચમાંથી યુવતીની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી. તાત્કાલિક વલસાડ રેલવે સ્ટેશન માસ્તર અને રેલવે પોલીસની ટીમને ઘટના અંગે જાણ કરી હતી. પોલીસે તરત જ પહોંચી તપાસ કરતાં પીડિતા પાસેથી ટિકિટ કે પાસ મળી આવ્યા ન હતા. જાે કે, યુવતી પાસેથી મળેલા ફોનના આધારે નવસારી રહેતા પરિવારનો સંપર્ક કરાયો હતો. રેલવે પોલીસે યુવતીના મોત અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી નવસારી જઈ તપાસ કરતાં એના રૂમમાંથી મળેલી ડાયરીમાં સામૂહિક દુષ્કર્મ ગુજારાયો હોવાનું બહાર આવતાં પોલીસ ચોંકી ઊઠી હતી અને તપાસ માટે વડોદરા આવી વેક્સિન મેદાન અને જે સંસ્થામાં કામ કરતી હતી એ ઓએસીસમાં તપાસ હાથ ધરી હતી. બાદમાં શહેર ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જાેડાઈ હતી અને દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. બીસીએનો કર્મચારી બાયોબબલ છોડી પોલીસને સીસીટીવી ફુટેજ આપવા દોડયો વડોદરા. ગેંગરેપની ઘટનાની તપાસમાં વેક્સિન મેદાન અને ઓએસીસની ઓફિસની આસપાસના માર્ગો-રહેઠાણો, દુકાનો, શો-રૂમ, ઓફિસોના સીસીટીવી ફુટેજ પોલીસ મેળવી રહી છે. ત્યારે બરોડા ક્રિકેટ એસોસિયેશનની ઓફિસ પણ નજીકમાં જ આવેલી હોવાથી પોલીસે બીસીએ પાસેથી સીસીટીવી ફુટેજની માગણી કરતાં જવાબદાર ઈસમ દિનેશ ગંગવાણી કુચબિહાર ટ્રોફીને લઈ બાયોબબલ હેઠળ વેલકમ હોટલમાં હોવા છતાં બબલ છોડી બીસીએની કચેરીએ દોડી આવ્યો હતો. ઓએસીસના સંચાલકોએ બચાવ માટે વાલીઓ-વિદ્યાર્થીઓને ઢાલ બનાવ્યાં? વડોદરા, તા. ૨૬ ઓેએસીસ સંસ્થાના સંચાલકોએ ૧૮ વર્ષની યુવતી પર વેકસીન ઈન્સ્ટીટ્યુટના મેદાનમાં થયેલા પાશવી બળાત્કારની વાત ઈરાદાપુર્વક છુપાવી રાખવાનું પાપ આચર્યું છે અને તેના કારણે બળાત્કાર પિડીતાને આપઘાત કરવાની ફરજ પડી છે. જાેકે યુવતીએ આપઘાત કર્યો કે તેની હત્યા કરાઈ છે તે મામલે પણ વિવાદ છે પરંતું આવું હિનકૃત્ય કર્યા બાદ પણ ઓએસીસ સંસ્થાના સંચાલકોએ ભુલ સ્વીકારવાના બદલે છેલ્લા ૨૨ દિવસથી સતત ચુપકિદી સેવી છે. દરમિયાન ઓએસીસ સંસ્થાની ભેદી પ્રવૃત્તીઓની તપાસ માટે શહેર પોલીસ કમિ.એ એસીપી ચૈાહાણને આદેશ કરતા જ સંસ્થાના સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. અત્યાર સુધી માધ્યમોથી સતત અંતર રાખતા ઓએસીસ સંસ્થાના સંચાલકોએ હવે બચાવ માટે પોતાની સંસ્થામાં ફેલોશીપ કરતી માસુમ વિદ્યાર્થીઓ અને તેઓના વાલીઓને ઢાલ બનાવીને પોલીસ સમક્ષ સંસ્થાની તરફેણ માટે આગળ ધર્યા છે. ગઈ કાલે સુરત અને નવસારીથી આવેલા કેટલાક વાલીઓએ તેઓના સંતાનો સાથે શહેર પોલીસ કમિ.કચેરી ખાતે આવેદનપત્ર આપવા ગયા હતા. જાેકે પોલીસ કમિ. નહી મળતા આજે આ ટોળું રેલવે પોલીસના એસપી પરિક્ષીતા રાઠોડને મળ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્ર આપ્યા બાદ કેટલાક વાલીઓએ માધ્યમો સાથે વાતચિત કરી હતી જેમાં તેઓએ ઓએસીસ સંસ્થામાં તેઓના સંતાનો ફેલોશીપ કરે છે અને તેઓને કોઈ સમસ્યા નથી તેમ જણાવી સંસ્થાને આ વિવાદમાં નહી લાવવા માટે જણાવ્યું હતું. તેઓની સાથે હાજર કેટલીક ચબરાક વિદ્યાર્થીનીઓએ પણ તેઓની સહકર્મી વિદ્યાર્થિની પર બળાત્કારના મુદ્દે કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો પરંતું તેઓની સંસ્થાને ટાર્ગેટ નહી બનાવવા માટે માધ્યમોમાં વિનંતી કરી હતી. બ્રેઈનવોશ્ડ યુવતી કહે છે વાલીઓ તેઓની મરજી સંતાનો પર થોપી ના શકે રેલવે પોલીસના એસપી કચેરી ખાતે ઓએસીસ સંસ્થામાં ફ્ેલોશીપ કરતી યુવતીઓ પણ આવી હતી. આ યુવતીઓનું સંસ્થામાં કેટલી હદે બ્રેઈનવોશ કરાયુ છે તેનો જીવંત દાખલો માધ્યમોને મળ્યો હતો. યુવતીઓએ તેઓ આ સંસ્થામાં સ્વેચ્છાથી આવી છે તેમ કહેતા એવી પણ વણમાંગી સુફિયાણી સલાહ આપી હતી કે પુત્રીઓ હમેંશા પિતાને વ્હાલી હોય છે પરંતું ૧૮ વર્ષની થયા બાદ હવે તેઓ પોતાનો નિર્ણય લેવા આઝાદ છે અને વાલીઓએ પણ તેઓની મરજી તેઓના પુખ્તવયના સંતાનો પર થોપવી ના જાેઈએ. પોલીસ વિદ્યાર્થીઓને કનડગત ના કરે તેવી વાલીઓની રજૂઆત રેલવે એસપી કચેરી ખાતે નવસારીના બે વાલીઓ સંજય ગાયકવાડ અને મહેન્દ્ર કોરાટે માધ્યમોને જણાવ્યું હતું કે તેઓના સંતાનો ઓએસીસમાં ફેલોશીપ કરી રહ્યા છે અને તેઓને કોઈ તકલીફ નથી. તેેઓએ બળાત્કાર પિડીતા અને તેના પરિવારજનો પ્રત્યે સહાનુભુતિ દાખવવાના બદલે પિડીતાની માતા તેમજ અન્ય વાલીઓએ સંસ્થા સામે ઉઠાવેલા વાંધા ખોટા છે તેમ કહી સંસ્થાને બચાવવાનો ભરપુર પ્રયાસ કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે પોલીસ નિતિમત્તા રાખી તપાસ કરે અને સંસ્થામાં વાલીઓ વિના રહેતા વિદ્યાર્થીઓને ખોટી રીતે હેરાનગતિ ના થાય તે રીતે કામગીરી કરે. ઓએસીસમાં રહીને મળતી આઝાદી કાલની ગુલામી છે માતા-પિતા અને પરિવારથી અલગ રહીને મનફાવતી પ્રવૃત્તી કરતા વિદ્યાર્થીઓ અને ઓએસીસ સંસ્થા સામે જાણીતા યુટ્યુબર શુભમ મિશ્રાએ આજે વેકસીન મેદાન પર બળાત્કારના ઘટનાસ્થળે મિડિયા સમક્ષ બળાપો ઠાલવ્યો હતો કે જે વિદ્યાર્થીઓને હાલમાં પરિવારથી અલગ રહે છે તેને આઝાદી માને છે ખરેખરમાં તે જ આવતીકાલની ગુલામી હશે. ઓએસીસ સંસ્થાએ ખરેખરમાં પિડીતાને બળાત્કારની ઘટનાબાદ તુરંત મદદ કરવાની જરૂર હતી પરંતું તેઓએ મદદ નહી કરતા યુવતીએ આપઘાત કર્યો છે. સંસ્થાની આવી કાર્યનિતી અને યુવતી સાથે ફેલોશીપ કરતી અને સંસ્થાની વાહવાહ કરી રહેલી સહવિદ્યાર્થિનીઓને પણ તેમણે સવાલ કર્યો હતો કે તમે મદદ કરવાના બદલે કેમ ચુપ રહ્યા ? અને હવે સંસ્થાને બચાવવા માટે કેમ આગળ આવો છો ? રાજકીય અગ્રણીઓ કેમ ચૂપ છે? સંસ્કારી નગરી વડોદરામાં બહારની યુવતી પર આ રીતે થયેલા બળાત્કારના ઘટનાથી ભારે વ્યથિત યુુટ્યુબર શુભમ મિશ્રાએ આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વડોદરામાં રાજયકક્ષાના મંત્રીઓ અને રાજકિય અગ્રણીઓ હાજર છે છતાં તેઓએ આવી ગંભીર ઘટના થવા છતાં ઓએસીસ સંસ્થા સામે કેમ ચુપકિદી સેવી છે ?. તેમણે એવો પણ ભય વ્યક્ત કર્યો હતો કે વડોદરાની છબિ ‘રેપ સિટી’ તરીકે ખરડાશે તો કોઈ પણ બહારની યુવતી-મહિલા વડોદરામાં રહેવા માટે ગભરાશે. સંસ્કારીનગરીની છબિ આ રીતે ના ખરડાય અને કોઈ પણ મહિલા વડોદરામાં તે સલામત હશે તેવી ખાત્રી સાથે આવે તે માટે રાજકિય અગ્રણીઓએ પણ આગળ આવવું પડશે. શું સ્ફોટક ડાયરી મેળવવા માટે જ કોઈ વ્યકિત પીડિતાનો પીછો કરતી હતી? ગેંગરે૫ની પીડિતાની અંગત ડાયરીના પાનાં કોણે ફાડ્યા એ વિષયે હજુ કોઈ ભેદ નથી ખૂલી રહ્યો, ત્યારે પીડિતા જે સંસ્થા સાથે સંકળાયેલી એના અગ્રણીઓએ વાજબી દલીલ કરતાં કહ્યું કે જાે અમારામાંથી કોઈએ એ પાનાં ફાડ્યાં હોય તો આખી ડાયરી જ ના ફાડી નાખત? આ સંજાેગોમાં હવે એવો પ્રશ્ન પણ ઊભો થયો કે ડાયરીના બે પાનાંનો નાશ થયા બાદ એ ડાયરીમાં બીજું પણ ઘણું બધું ગંભીર અને જેલ સુધી લઈ જાય એવા લખાણો હશે તો? એવા વિચારે બે પાનાં ફાડનાર અથવા યુવતી પાસે બળજબરીથી ફડાવનારને પાછળથી એ સંપૂર્ણ ડાયરીનો નાશ કરવાની જરૂરિયાત ઊભી થઈ હોઈ શકે અને એટલે જ એ ડાયરી મેળવવાના ઈરાદે કોઈએ પીડિતાનો પીછો કર્યો હોય જે અંગે ખુદ પીડિતાએ પોતાના આખરી સંદેશામાં પણ જણાવ્યું છે. પીછો કરનારે જ્યારે એને ખાલી ટ્રેનના કોચમાં ઝડપી હોય ત્યારે એની પાસેથી ડાયરી નહીં મળી આવતાં સંભવિત ગંભીર આક્ષેપોથી ડરેલી વ્યક્તિએ કે તેના ઈશારે અન્યએ યુવતીને ગળાફાંસો આપી અથવા પહેલાં મોતને ઘાટ ઉતારી પાછળથી ગળાફાંસો હોવાનું ગેરમાર્ગે દોરવા ઓઢણી ગળામાં નાખી એને લટકાવી દીધી હોય એવી પણ એક શક્યતા પોલીસ ચકાસી રહી છે. જે કોઈ વ્યક્તિ આવું કરવામાં સંડોવાયેલી હોય એ સ્વાભાવિક રીતે જ એવો મુદ્દો ઉઠાવી સંતોષ લઈ રહી હશે કે સીસીટીવી ફુટેજમાં કોઈ વ્યક્તિ એનો પીછો કરતી કે ખાલી ટ્રેનમાં એની પાછળ જતી દેખાઈ નથી. પોલીસ તપાસની માહિતીના આધારે આ મુદ્ાને હાશકારા સાથે ઉઠાવાઈ રહ્યાનું પણ પોલીસને લાગી રહ્યું છે. પીડિતાની એ ડાયરી એના સામાનમાં ન હતી અને પાછળથી એના નવસારીના ઘરેથી મળી એ તો પોલીસના દસ્તાવેજી રેકોર્ડ પર છે. જાે એ ડાયરી યુવતીનો પીછો કરનાર વ્યક્તિને મળી ગઈ હોત તો કદાચ પીડિતા પર ગેંગરેપ થયાની બાબત પણ ક્યારેય બહાર જ નહીં આવત અને ગેંગરેપની જાણ હોવા છતાં જવાબદાર નાગરિકો તરીકે પોલીસને જાણ નહીં કર્યાના ગુનાની પણ હાલ ચાલતી ચર્ચા શરૂ જ ન થઈ હોત.વધુ વાંચો -
કોવિડ પોઝિટિવ રિપોર્ટને માન્ય ગણીને મૃતકોના પરિવારને સહાય આપવા સરકારની વિચારણા
- 24, નવેમ્બર 2021 01:30 AM
- 6040 comments
- 4247 Views
અમદાવાદ, રાજ્યમાં કોરોનાના કપરા કાળમાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. હવે કોરોનાને લીધે મૃત્યુ થયુ હોય તેવા મૃતકોના પરિવારજનોને સરકાર દ્વારા સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. અને તેના ફોર્મનું વિતરણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે પણ કોરોનાના સહાયના મુદ્દે ગુજરાત સરકારની આલોચના કરી હતી, ડેથ સર્ટીફિકેટમાં મૃત્યુનું કારણ કોરોના લખેલું હોય તેને જ સહાય મળી શકે પણ મોટાભાગના કેસમાં મૃત્યુનું કારણ કોરોના લખવામાં આવ્યું જ નથી ત્યારે હજારો પરિવારો સરકારી સહાયથી વંચિત રહે તેવી સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે આ મુદ્દે રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા મહત્વની કવાયત શરૂ કરવામાં આવી છે, કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને સહાય મેળવવા માટે હવે કોવિડનો પોઝિટિવ રિપોર્ટ માન્ય કરવાની દિશામાં સરકાર વિચારણા કરી રહી છે.સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા પરિપત્રને મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા રાજ્ય સરકારને આડેહાથ લીધી હતી આ મામલે રાજ્ય સરકારે ગંભીરતાથી વિચારણા શરૂ કરી છે અને આ પરિપત્ર માં કેટલાક સુધારા દાખલ કરવાની દિશામાં આજે મહત્વની બેઠક રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ બોલાવી હતી. જેમાં કોવિડથી મૃત્યુ પામેલા લોકોને ૫૦૦૦૦ ની સહાય આપવાની થાય છે તે કિસ્સામાં રાજ્ય સરકાર હવે ટેસ્ટનો પોઝિટિવ રિપોર્ટ માન્ય રાખવાની દિશામાં આગળ વધી રહી છે.કોરોનાથી મૃત્યુ પામેલા નાગરિકોનાં પરિવારજનોને વળતર આપવાની જાહેરાત કરાયા બાદ એવો મુદ્દો ઊઠ્યો હતો કે, ઘણા મૃતકનાં સર્ટિફિકેટમાં મોતનું કારણ કોરોના લખવામાં નહોતું આવ્યું. આ મામલે હોબાળો થતાં હવે ગુજરાત સરકાર દ્વારા કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનાં પરિવારજનોને સર્ટિફિકેટ આપવા માટે સમિતિ તૈયાર કરવામાં આવી છે.નવસારીમાં કોરોનાથી એક દર્દીનું મોત નીપજ્યું નવા ૩૬ કેસ નોંધાયા ગાંધીનગર, ગુજરાતમાં મંગળવારના રોજ કોરોનાના નવા ૩૬ કેસ સામે આવ્યા છે. બીજી તરફ ૨૫ દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં ૮,૧૬,૮૫૬ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર ૯૮.૭૪ ટકાએ પહોંચ્યું છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી રહી છે. આજના દિવસમાં ૫,૧૦,૮૪૯ કોરોનાના ડોઝ આપવામાં આવ્યા હતા. જાે રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં ૩૧૯ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૬ નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે ૩૧૩ નાગરિકો સ્ટેબલ છે. ૮,૧૬,૮૫૬ નાગરિકો કોરોનાને મ્હાત આપીને ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. બીજી તરફ ૧૦૦૯૨ નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. એક નાગરિકનું નવસારીમાં કોરોનાને કારણે મોત નિપજ્યું છે. અમદાવાદ કોર્પોરેશનમાં ૧૭ કેસ, વડોદરા કોર્પોરેશન ૬, નવસારી ૩, જામનગર, રાજકોટ અને સુરત કોર્પોરેશનમાં ૨-૨ કેસ. ગીર સોમનાથ, જામનગર, સુરત અને વલસાડમાં ૧-૧ કેસ નોંધાયા હતા. બીજી તરફ જાે રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૧૦ ને રસીનો પ્રથમ ડોઝ જ્યારે ૧૯૯૪ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.વધુ વાંચો -
ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદ બાદ નદીઓ ગાંડીતૂર, વહીવટી તંત્ર એલર્ટ મોડ પર
- 29, સપ્ટેમ્બર 2021 03:17 PM
- 1676 comments
- 6568 Views
નવસારી-ગુલાબ નામના વાવાઝુડા ની વિપરીત અસર દક્ષિણ ગુજરાત માં જોવા મળી છે નવસારી જિલ્લાના ઉપરવાસ ના વરસાદે જિલ્લાની નદીઓ ને ફરી વેગીલા પ્રવાહ વાળી કરી છે ત્યારે ગણદેવી શહેર ની વેગણિયા ખાડી પર આવેલ લો લેવલ બ્રિજ મૌસમ માં 4 વખત ગરકાવ થયો છે જેના કારણે 250થી વધુ પરિવારોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તો વળી બીજી તરફ વેગીલા પ્રવાહમાં બ્રિજ પર અમુક લોકો જોખમી રીતે ઉભેલા નજરે ચઢ્યા છે. નદી માં તણાઈ ને આવેલા લાકડા પકડવા અહીંના સ્થાનિકો જીવ ના જોખમે બ્રિજ પર ઉભા છે તંત્ર માત્ર માર્ગ બંધ કર્યો છે પણ પોલીસકર્મી ન હોવાને કારણે અહીં જોખમ ભર્યું સાહસ કરી ને જીવ ની બાજી ખેલી રહ્યા છે સુપા કુરેલ ગામનો પુલ પાણી ગરકાવ થતાં લોકોને હાલાંકી નવસારી જિલ્લાની નદીઓ બે કાંઠે વહી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડતા નદીઓમાં પાણીની આવક થઇ છે. સુપા કુરેલ ગામને જોડતો લો લાઇન પુલ પાણીમાં ડૂબ્યો છે. પૂર્ણા નદીમાં પાણીની આવક થતા લો લાઇન પુલ પર પાણી ફરી વળ્યા છે. જેને લઇ લોકોને 10 કિમી ફરીને જવું પડી રહ્યું છે ગુલાબ વાવાઝોડાની વિપરીત અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે. જેને લઈને નવસારી વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. અને ભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્રએ કાંઠા વિસ્તારોના ગામોમાંથી લોકોનું સ્થળાંતર કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે જિલ્લા કલેકટરે અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટે સૂચના આપવામાં આવી છે. તેમજ ખલાસીઓને પણ દરિયો ન ખડેવાની સૂચાનાઓ પણ આપવામાં આવી છે. ભારે વરસાદના કારણે નદીના જળસ્તરમાં થયો વધારો નવસારીમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદના કારણે નદીઓ પાણીની આવકમાં વધારો થયો છે. તો વળી કેટલીક નદીઓ તો ગાંડીતૂર બની વહેવા લાગી છે. ત્યારે નવસારી અને દક્ષિણ ગુજરાત સહિત અંબિકા, કાવેરી નદીઓના જળસ્તરોમાં વધારો થયો છે. જેને લઈને ચીખલી નજીક આવેલો બંધારો ઓવર ફ્લો થયો જેને લઈને ગ્રામજનો અને વહીવટી તંત્રને ભારે મુળશ્કેલીનો સામાનો કરવો પડી રહ્યો છે.વધુ વાંચો -
નવસારીમાં ભારે વરસાદ,અનેક વિસ્તારમાં ભરાયા પાણી,લોકો પરેશાન
- 23, સપ્ટેમ્બર 2021 02:54 PM
- 3890 comments
- 9410 Views
નવસારી-ગુજરાતમાં સતત વરસાદ પડી રહ્યો છે.ત્યારે નવસારીમાં વરસાદના વિરામ બાદ હવે અમુક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે.શહેરમાં આવેલા દશેરા ટેકરી અને રેલરાહત કોલોનીમાં વરસાદી પાણીનો ભરાવો યથાવત રહ્યો છે. જેના લીધે લોકો પરેશાની સામનો કરી રહ્યા છે.આ ઉપરાંત રેલ રાહત કોલોનીમાં રહેતા લોકોના ઘર આંગણે સુધી વરસાદી પાણી પહોંચ્યા છે.આ ઉપરાંત હજુ પણ ઉપરવાસમાં વરસાદના કારણે પૂર્ણાં અને અંબિકા નદીની સપાટી માં વધારો થઈ રહ્યો છે. જો કે પૂર્ણાં નદીની જળસપાટી ૧૧ ફૂટે પહોંચી જ્યારે ભયજનક જળસપાટી ૨૩ ફૂટ છે. તેવી જ રીતે અંબિકા નદીની જળસપાટી ૧૫ ફૂટે પહોંચી છે.રાજ્યમાં અનેક શહેરોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.ઉત્તર ગુજરાતથી લઇને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાંં પણ વરસાદે ધામા નાખ્યા છે.વધુ વાંચો -
નવસારી કસ્ટોડીયલ ડેથ મામલે આદિવાસીઓનું ધરણાં પ્રદર્શન
- 20, સપ્ટેમ્બર 2021 04:13 PM
- 5049 comments
- 6519 Views
નવસારી-નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટોડીયલ ડેથના મામલે સતત બે મહિનાથી આદિવાસીઓ વિરોધ કરી રહ્યા છે. આદિવાસી યુવકના મોત બાદ જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીઓ સામે પગલાં ન લેવાતા સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે. ત્યારે આ મામલે આજે ચીખલી ખાતે ધરણાં પ્રદર્શનનું આયોજન કરાયું છે. જો કે, ધરણાં કરે તે પહેલાં આદિવાસી સમાજના આગેવાનોને પોલીસે ડિટેઈન કરવાની શરૂઆત કરી છે. ધારાસભ્ય અનંત પટેલને પણ નજર કેદ કરવામાં આવ્યા છે. જેના કારણે આદિવાસી સમાજ ભારે રોષમાં આવ્યો છે. આદિવાસી આગેવાનોને ત્યાં ગયેલી પોલીસને ગામ લોકોએ ભગાડ્યા છે. ચીખલી પોલીસ સ્ટેશનમાં બે મહિના અગાઉ થયેલ આદિવાસી યુવાનોનાં કસ્ટોડીયલ ડેથને મામલે સતત વિરોધ થઈ રહ્યો છે અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની માગ કરાઈ રહી છે.વધુ વાંચો -
અહિંયા છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ, જિલ્લા તંત્રએ NDRFની ટીમને સ્ટેન્ડ બાય રાખી
- 09, સપ્ટેમ્બર 2021 02:06 PM
- 8772 comments
- 7475 Views
નવસારી- જિલ્લામાં 2 દિવસથી અવિરત મેઘ મહેર રહી છે. આ સાથે જ આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહીને જોતા જિલ્લા વહિવટી તંત્ર એલર્ટ મોડમાં પહોંચ્યું છે. આની સાથે જ વરસાદી માહોલને કારણે NDRFની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ સાથે જ જિલ્લાના તાલુકા અને શહેરોના અધિકારીઓને પણ સતર્ક રહી હેડક્વાર્ટર ન છોડવા સૂચના આપવામાં આવી છે. જિલ્લામાં 2 દિવસોમાં સારો વરસાદ નોંધાયો છે, જેમાં ગઈકાલે નવસારીમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો. આજે સવારથી કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા, પણ વરસાદ નોંધાયો ન હતો. પરંતુ બપોરે 12 વાગ્યા બાદ મેઘાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. ત્યારે નવસારીમાં 79 મીમી (3.29 ઈંચ), જલાલપોરમાં 68 મીમી (2.83 ઈંચ) અને ગણદેવીમાં 40 મીમી (1.66 ઈંચ) વરસાદ નોંધાયો હતો. જ્યારે વાંસદમાં 8 મીમી અને ખેરગામ-ચીખલીમાં 5-5 મીમી વરસાદ પડ્યો હતો. વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થયું છે. એટલે જ તાલુકા વિકાસ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા અને નગરપાલિકાઓને સતર્ક રહેવા સૂચના અપાઈ છે. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય કે તરત જ તેના નિકાલની વ્યવસ્થા રાખવા પણ જણાવાયું છે. વરસાદને કારણે કોઈ આપત્તિમાં મુકાય તો મદદ માટે 1077 હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે, જેની સાથે જ NDRF ની ટીમને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.વધુ વાંચો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ