નવસારી સમાચાર
-
રામનવમીએ કોમી ભડકોઃ ઠેરઠેર પથ્થરમારો ઃ ૧૭ની ધરપકડ
- 31, માર્ચ 2023 01:15 AM
- 488 comments
- 6396 Views
વડોદરા, તા.૩૦રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ સહિતની કેટલીક ધાર્મિક સંસ્થાઓ દ્વારા આયોજીત શોભાયાત્રા પર બપોરે ફતેપુરા વિસ્તાર સહિત અનેક સ્થળે ભારે પથ્થરમારાના પગલે દહેશતનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં અનેકને ઈજાઓ પહોંચી હતી તથા પરિસ્થિત પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. દરમ્યાન પોલીસે ૩૫૦થી વધુ સીસીટીવી કેમેરાને આધારે મોડીરાત સુધીમા ૧૭ તોફાનીઓની ધરપકડ કરી લીધી હતી. આ તોફાનો દરમ્યાન અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યુ હતું. છેલ્લા અનેક વર્ષોથી શાંતિપૂર્ણ માહોલનો અહેસાસ કરી રહેલું વડોદરા આજે કોમી રમખાણોના છમકલાઓથી ફરી એકવાર અભડાયું હતું. આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત શ્રીરામની શોભાયાત્રા બપોરના સમયે ફતેપુરા વિસ્તારના કુભારવાડા ખાતેથી પસાર થઈ રહી હતી.આ તબક્કે ડીજે પર મોટા અવાજે હનુમાનચાલીસા વાગતા જ એ વિસ્તારના કેટલાં યુવાનો અને વિહિપના કાર્યકરો વચ્ચે બોલાચાલી થતાં વાતાવરણ ગરમાયુ હતું આ તબક્કે પોલીસે મધ્યસ્થી કરી બંને ટોળાઓને શાંત કરી વિખેરી નાંખ્યા હતા. પરંતુ થોડી જ વારમાં આ સમાધાન પડી ભાંગ્યુ હોય એમ અચાનક આજુબાજુની ગલીઓમાંથી પથ્થરમારો શરૂ થયો હતો. આ તબકકે શોભાયાત્રામાં સામેલ એક હજારથી વધુ વીએચપી કાર્યકરોમાં ઉશ્કેરાટનો માહોલ ફેલાયો હતો. જાે કે ઘટના સ્થળે ઉપસ્થિત પોલીસે તાત્કાલિક પરિસ્થિતિ પર કાબુ મેળવવા તોફાનીઓની દિશામાં ઘસી જતાં મામલો થોડા સમય માટે શાંત પડયો હતો. પરંતુ શ્રધ્ધેય ભગવાન રામની શોભાયાત્રા પરના પથ્થરમારાથી ઉશ્કેરાયેલા કાર્યકરોને માંડ માંડ શાંતિ જાળવવા સમજાવાયા હતા. એસ.એસ.જી. હોસ્પિટલની સામે આવેલ પંચમુખી હનુમાન મંદિરથી શરૂ થયેલી આ યાત્રા શાંતિપૂર્ણ રીતે અને ધાર્મિક માહોલ સાથે આગળ વધી રહી હતી. ત્યારે પાંજરીગર મહોલ્લા ખાતે તેના પર ભારે પથ્થરમારો થયો હતો. જાે કે આ યાત્રા એરપોર્ટ, સંગમ, ફતેપુરા, કારેલીબાગ પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી.ત્યાર બાદ એ યાત્રા જીવનભારતી સ્કુલ એલ એન્ડ ટી એરપોર્ટ થઈ ફરી પંચમુખી હનુમાન મંદિર ખાતે સંપન્ન થઈ હતી.દરમ્યાન ફતેપુરા કંુભારવાડા ખાતેથી નિકળેલી શ્રી રામની આવી જ એક અન્ય શોભાયાત્રા પર તલાટીની ઓફિસની બાજુની ગલીમાંથી તથા સામેની બાજુ આવેલા એક ધાર્મિક સ્થળ પરથી અચાનક ભારે પથ્થરમારો શરૂ થયો હતો. પોલીસે માંડ માંડ પરિસ્થિત થાળે પાડતા શોભાયાત્રા આગળ વધી હતી. પરંતુ ચાંપાનેર દરવજા પાસે ફરીથી આ શોભાયાત્રા પર ભારે પથ્થરમારો થયો હતો. યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે અગાઉ સમગ્ર માર્ગ પર ઠેર ઠેર પથ્થરમારો થતાં વડોદરામાં ભારેલો અગ્નિ છે તથા મોડીરાત્રે એ કોમી રમખાણોના જવાળામુખીમાં ન ફેલાય તે માટે સ્થાનિક પોલીસે કડક હાથે કામ લેવાનુ શરૂ કર્યું છે.આજે શ્રી રામની ત્રીજી શોભાયાત્રા ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા યોજાઈ હતી. જે પ્રતાપનગર વિસ્તારના રણમુકતેશ્વર મહાદેવ ખાતેથી નિકળી પથ્થરગેટ વિસ્તારના તાડફળિયા ખાતે આવેલા રામજીમંદિર ખાતે સંપન્ન થઈ હતી. આ સમગ્ર રૂટ સંવેદનશીલ વિસ્તાર હોવાથી પોલીસે અગાઉ બે શોભાયાત્રાઓ પર થયેલા ભારે પથ્થરમારાના પગલે અગમચેતીના પગલારૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો.એક તરફ પવિત્ર રમઝાન મહિનો ચાલુ છે તથા સમગ્ર લઘુમતી વિસ્તારોમાં સાંજ બાદ ધાર્મિક માહોલ સર્જાય છે ત્યારે આજે દિવસ દરમ્યાન થયેલા કોમી છમકલાઓ વધુ વકરે નહીં તે માટે પોલીસે ચારેબાજુ ઘોસ વધારી છે.વધુ વાંચો -
લિંડા મોડલ સ્કૂલમા ભોજન પૂરું પડતી એજન્સીને રદ કરી અને નવી એજન્સીને ઈજારો આપવા હુકમ
- 22, ડિસેમ્બર 2021 10:36 PM
- 7940 comments
- 271 Views
નસવાડીઃ નસવાડી તાલુકાના લિંડા ગામ ખાતે ચાલતી કન્યા સાક્ષરતા શાળાના ભોજનનો કોન્ટ્રાક્ટ રદ કરવાનો આદેશ ગાંધીનગરના કર્યાપાલાક નિયામક દ્રારા કરવામાં આવ્યો છે.ભોજનમા વિધાર્થીનીઓને ગુણવતા વાળો ખોરાક ના આપતાં ૭૦ વિધાર્થીનીઆએે નિયામકને રૂબરૂ મા જવાબ આપ્યો હતો જેના લીધે ભોજન નો કોન્ટ્રાક રદ કરાયો લોકસતા જનસતા અહેવાલની અસર પડી છોટાઉદેપુર સાંસદ અને ભરૂચ સાંસદની મહેનત રંગ લાવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકામા લિંડા ખાતે ચાલતી શાળામાં ૧૪૦૦ વિધાર્થીનીઓ મોડલ સ્કૂલ અને સાક્ષરતા કન્યા શાળામાં અભ્યાસ કરે છે કન્યાઓને રહેવા અને ભોજન ની સુવિધા સરકાર દ્રારા પુરી પાડવામાં આવે છે આ શાળાઓનું સંચાલન છોટાઉદેપુર જીલ્લાના પ્રયોજના અધિકારી આદિજાતિ વિભાગ દ્રારા કરવામા આવે છે લિંડા ગામે ચાલતી શાળામા વિધાર્થીઓને ભોજન હલકી ગુણવતા વાળું તેમજ પાણી વાળું દૂધ અને કાચી રોટલી આપવામાં આવતી હોવાથી વિદ્યાર્થીનીઓએ હલાબોલ કરતા આની તપાસ માટે ગાંધીનગરથી કાર્યપાલક નિયામક શાળાએ આવીને તાપસ હાથધરી અહેવાલ તૈયાર કરી બંધ કવરમાં સરકારમાં સોંપ્યો હતો ૭૦ જેટલી વિદ્યાર્થીનીઓના એક પછી એક જવાબ લીધા કાર્યપાલક નિયામકએ લીધા હતા જેમાં ભોજન ખરાબ અપાતું હોવાની વિધાર્થીનીઓ અધિકારીઓને રજુવાત કરતા ખરભળાટ મચી ગયો હતો જેને લઈને સમગ્ર મામલામા તપાસનો ધમધમાટ થયો હતો જયારે છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા ભરૂચ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય અભેસિંહ તડવી અને વિપક્ષના નેતા સુખરામ રાઠવા પોતાના આદિવાસી સમાજની કન્યાઓની વહારે આવ્યા હતા ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ લોકસતા જનસતાના અહેવાલને જાેઈન્ટ કરીને આદિજાતિ મંત્રીને પત્ર લખ્યો હતો સરકારે આની ગંભીર નોંધ લીધી છે અને તાત્કાલિક અસરથી લિંડા મોડલ સ્કૂલમા ભોજન પૂરું પડતી એજન્સીને રદ કરી અને નવી એજન્સીને ભોજન બનાવવા માટે નો ઈજરો આપવામાંનો હુકમ કર્યો છે જેથી લોકસતા જનસતાના અહેવાલની અસર પડી છેવધુ વાંચો -
વોર્ડનને સસ્પેન્ડ કરવાના હુકમને રદ કરવાની માંગ સાથે વિધાર્થીનીઓનો ભારે સુત્રોચ્ચાર
- 21, ડિસેમ્બર 2021 11:08 PM
- 8933 comments
- 670 Views
નસવાડી:નસવાડી તાલુકાના લિંડા ગામે આવેલી અલ્પ સાક્ષરતા કન્યા વિદ્યાલય અને મોડલ સ્કૂલના વિધાર્થીઓ વોર્ડનના સમર્થનમાં શાળાનો કેમ્પસ છોડી, ગેટ કૂદીને ને રોડ પર આવી ભારે સુત્રોચ્ચાર કરીને વોર્ડનને સસ્પેન્ડ કરવાનો જે હુકમ કરવામાં આવ્યો છે જેને રદ કરવા માટે વિધાર્થીનીઓ એ માગ કરી હતીપ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકા ના લિંડા શાળાની એક હજાર જેટલી વિધાર્થીનીઓ ઓને ખબર પડી ક તંત્ર દ્રારા ૮ વોડન ને છૂટી કરી દેવમા આવ્યા છે. જેને લઈને વિદ્યાર્થીની ઓમા સવાર થી આક્રોશ હતો તવો શાળા ની જવાની જગ્યાએ હોસ્ટેલ કેમ્પસ માંથી બહાર આવી શાળા નો ગેટ કૂદી ને રોડ ઉપર આવી જતા ગેટ બહાર આવી રોડ ઉપર સૂત્રોચ્ચાર કર્યા તેવોની માંગણી હતી કે રસોડામાં ભોજન સારૂ ના આપવવામાં આવતા અમોએ આંદોલન કર્યું હતું જેમાં વોર્ડન નો શુ વાંક.વોર્ડન કેમ છુટા કરવામાં આવ્યા છે. તેમને પાછા લો. ગુજરાતી માં એક કહેવત છે પાડા ના વાંકે પખાલીને દામ તે કહેવત લિંડા સ્કૂલમાં સાર્થક થાય છે કારણકે ભોજન ખરાબ અપાતું હતું જેને લઈને વિધાર્થીનીઓએ વિવાદ ઉભો કયો થયો હતો અને જેની તપાસ ઉચ્છ કક્ષાએથી કરવામાં આવી હતી પરંતુ રસોઈયા ને છૂટા કરવાની જગ્યાએ વોર્ડનને છુટા કરી દેવાતા વિધાર્થીનીઓ વોર્ડનના સમર્થનમાં આવી હતી અને ૧૦૦૦ જેટલી વિધાર્થીનીઓ રોડ પર આવી જતા શાળાના આચાર્ય મુશ્કેલીમાં મુકાયા હતા વિધાર્થીનીઓ શાળા છોડીને ઘરે જવા માટે બહાર આવી જતા તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વિદ્યાર્થીની ઓએ માગ કરી હતી.વધુ વાંચો -
પીડિતાના કહેવાતા આપઘાતનો વીડિયો વાયરલ ઃ હત્યાની શંકા દૃઢ બની?
- 27, નવેમ્બર 2021 01:15 AM
- 5446 comments
- 8977 Views
વડોદરા, તા.૨૬વેક્સિન ગ્રાઉન્ડ રેપકાંડનો ભોગ બનેલી પીડિતાનો અંતિમ વીડિયો બહાર આવ્યો છે. ટ્રેનમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં આ વીડિયોએ અનેક સવાલો ઊભા કર્યા છે. વીડિયોમાં સ્પષ્ટપણે જાેઈ શકાય છે કે પીડિતાના મૃતદેહના પગ જમીન ઉપર અડેલા છે અને જે ઓઢણીથી ગળાફાંસો ખાધો હોવાનું દેખાય છે એ ફંદો માત્ર ગળા પર છે, જ્યારે ગરદન આખી ખૂલ્લી છે. ફાંસાનો ફંદો ગળા અને ગરદન બંને પર ઘટ્ટ ભીંસાય તો જ વ્યક્તિનું મોત થઈ શકે એ જાેતાં આ મામલો આત્મહત્યાનો છે કે હત્યાનો એવી શંકા ઊભી થઈ છે. વલસાડ રેલવે સ્ટેશન ખાતે ટ્રેનમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં પીડિતાનો વીડિયો આજે બહાર આવ્યો છે જેમાં પોલીસ પંચક્યાસ કરી રહેલી દેખાય છે. વીડિયોને ધ્યાનથી જાેતાં આ મામલો આત્મહત્યાને બદલે હત્યાનો હોવાનું લાગી રહ્યું હોય એવા તર્કવિતર્ક ખુદ પોલીસ માટે ઊભા થયા છે. પીડિતાના કહેવાતા આપઘાત બાદનો વીડિયો અનેક સવાલ ઊભા કરે છે. જાે કે, પોલીસ અગાઉથી જ આ મામલો હત્યાનો હોઈ શકે છે એવું માની એ દિશામાં પણ તપાસ કરી છે. ત્યારે એનું મોત નીપજાવાથી કોને લાભ થશે અને કયા કારણોસર એની હત્યા થઈ હોઈ શકે એવા કારણોની શોધખોળ પણ પોલીસ કરી રહી છે. શું એ મીડિયા સમક્ષ જઈને કોઈ વ્યક્તિના, કે વ્યક્તિ સમૂહના ગુનાહિત ભંડા ફોડી નાખશે એવી કોઈ બીક ધરાવનારાઓએ એનું મોઢું કાયમ માટે બંધ નથી કરાવ્યું ને? એ દિશામાં પોલીસ વધુ ગંભીરતાથી તપાસ કરી રહી છે. જે વીડિયો બહાર આવ્યો છે એમાં જાેઈ શકાય છે કે પીડિતાના પગ કોચના ફલોરને અડેલા છે અને યુવતીની બાજુમાં સીટ છે તેને પણ તેનો દેહ અડેલો છે. મહત્ત્વની વાત તો એ છે કે જે ઓઢણી લટકાવી એને ફાંસો ખાધો હોવાનું કહેવાય છે. એ ફંદાને ગાંઠ પણ મારેલી નહીં હોવાનું વીડિયોમાં સ્પષ્ટપણે જાેઈ શકાય છે જેને લઈને અનેક શંકાઓ ઊભી થઈ છે. વલસાડ રેલવે સ્ટેશન પર ૪ નવેમ્બરના રોજ ગુજરાત ક્વિન એક્સપ્રેસ ટ્રેનની સફાઈ કરતા કામદારને ખાલી કોચમાંથી યુવતીની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી. તાત્કાલિક વલસાડ રેલવે સ્ટેશન માસ્તર અને રેલવે પોલીસની ટીમને ઘટના અંગે જાણ કરી હતી. પોલીસે તરત જ પહોંચી તપાસ કરતાં પીડિતા પાસેથી ટિકિટ કે પાસ મળી આવ્યા ન હતા. જાે કે, યુવતી પાસેથી મળેલા ફોનના આધારે નવસારી રહેતા પરિવારનો સંપર્ક કરાયો હતો. રેલવે પોલીસે યુવતીના મોત અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી નવસારી જઈ તપાસ કરતાં એના રૂમમાંથી મળેલી ડાયરીમાં સામૂહિક દુષ્કર્મ ગુજારાયો હોવાનું બહાર આવતાં પોલીસ ચોંકી ઊઠી હતી અને તપાસ માટે વડોદરા આવી વેક્સિન મેદાન અને જે સંસ્થામાં કામ કરતી હતી એ ઓએસીસમાં તપાસ હાથ ધરી હતી. બાદમાં શહેર ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જાેડાઈ હતી અને દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. બીસીએનો કર્મચારી બાયોબબલ છોડી પોલીસને સીસીટીવી ફુટેજ આપવા દોડયો વડોદરા. ગેંગરેપની ઘટનાની તપાસમાં વેક્સિન મેદાન અને ઓએસીસની ઓફિસની આસપાસના માર્ગો-રહેઠાણો, દુકાનો, શો-રૂમ, ઓફિસોના સીસીટીવી ફુટેજ પોલીસ મેળવી રહી છે. ત્યારે બરોડા ક્રિકેટ એસોસિયેશનની ઓફિસ પણ નજીકમાં જ આવેલી હોવાથી પોલીસે બીસીએ પાસેથી સીસીટીવી ફુટેજની માગણી કરતાં જવાબદાર ઈસમ દિનેશ ગંગવાણી કુચબિહાર ટ્રોફીને લઈ બાયોબબલ હેઠળ વેલકમ હોટલમાં હોવા છતાં બબલ છોડી બીસીએની કચેરીએ દોડી આવ્યો હતો. ઓએસીસના સંચાલકોએ બચાવ માટે વાલીઓ-વિદ્યાર્થીઓને ઢાલ બનાવ્યાં? વડોદરા, તા. ૨૬ ઓેએસીસ સંસ્થાના સંચાલકોએ ૧૮ વર્ષની યુવતી પર વેકસીન ઈન્સ્ટીટ્યુટના મેદાનમાં થયેલા પાશવી બળાત્કારની વાત ઈરાદાપુર્વક છુપાવી રાખવાનું પાપ આચર્યું છે અને તેના કારણે બળાત્કાર પિડીતાને આપઘાત કરવાની ફરજ પડી છે. જાેકે યુવતીએ આપઘાત કર્યો કે તેની હત્યા કરાઈ છે તે મામલે પણ વિવાદ છે પરંતું આવું હિનકૃત્ય કર્યા બાદ પણ ઓએસીસ સંસ્થાના સંચાલકોએ ભુલ સ્વીકારવાના બદલે છેલ્લા ૨૨ દિવસથી સતત ચુપકિદી સેવી છે. દરમિયાન ઓએસીસ સંસ્થાની ભેદી પ્રવૃત્તીઓની તપાસ માટે શહેર પોલીસ કમિ.એ એસીપી ચૈાહાણને આદેશ કરતા જ સંસ્થાના સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. અત્યાર સુધી માધ્યમોથી સતત અંતર રાખતા ઓએસીસ સંસ્થાના સંચાલકોએ હવે બચાવ માટે પોતાની સંસ્થામાં ફેલોશીપ કરતી માસુમ વિદ્યાર્થીઓ અને તેઓના વાલીઓને ઢાલ બનાવીને પોલીસ સમક્ષ સંસ્થાની તરફેણ માટે આગળ ધર્યા છે. ગઈ કાલે સુરત અને નવસારીથી આવેલા કેટલાક વાલીઓએ તેઓના સંતાનો સાથે શહેર પોલીસ કમિ.કચેરી ખાતે આવેદનપત્ર આપવા ગયા હતા. જાેકે પોલીસ કમિ. નહી મળતા આજે આ ટોળું રેલવે પોલીસના એસપી પરિક્ષીતા રાઠોડને મળ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્ર આપ્યા બાદ કેટલાક વાલીઓએ માધ્યમો સાથે વાતચિત કરી હતી જેમાં તેઓએ ઓએસીસ સંસ્થામાં તેઓના સંતાનો ફેલોશીપ કરે છે અને તેઓને કોઈ સમસ્યા નથી તેમ જણાવી સંસ્થાને આ વિવાદમાં નહી લાવવા માટે જણાવ્યું હતું. તેઓની સાથે હાજર કેટલીક ચબરાક વિદ્યાર્થીનીઓએ પણ તેઓની સહકર્મી વિદ્યાર્થિની પર બળાત્કારના મુદ્દે કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો પરંતું તેઓની સંસ્થાને ટાર્ગેટ નહી બનાવવા માટે માધ્યમોમાં વિનંતી કરી હતી. બ્રેઈનવોશ્ડ યુવતી કહે છે વાલીઓ તેઓની મરજી સંતાનો પર થોપી ના શકે રેલવે પોલીસના એસપી કચેરી ખાતે ઓએસીસ સંસ્થામાં ફ્ેલોશીપ કરતી યુવતીઓ પણ આવી હતી. આ યુવતીઓનું સંસ્થામાં કેટલી હદે બ્રેઈનવોશ કરાયુ છે તેનો જીવંત દાખલો માધ્યમોને મળ્યો હતો. યુવતીઓએ તેઓ આ સંસ્થામાં સ્વેચ્છાથી આવી છે તેમ કહેતા એવી પણ વણમાંગી સુફિયાણી સલાહ આપી હતી કે પુત્રીઓ હમેંશા પિતાને વ્હાલી હોય છે પરંતું ૧૮ વર્ષની થયા બાદ હવે તેઓ પોતાનો નિર્ણય લેવા આઝાદ છે અને વાલીઓએ પણ તેઓની મરજી તેઓના પુખ્તવયના સંતાનો પર થોપવી ના જાેઈએ. પોલીસ વિદ્યાર્થીઓને કનડગત ના કરે તેવી વાલીઓની રજૂઆત રેલવે એસપી કચેરી ખાતે નવસારીના બે વાલીઓ સંજય ગાયકવાડ અને મહેન્દ્ર કોરાટે માધ્યમોને જણાવ્યું હતું કે તેઓના સંતાનો ઓએસીસમાં ફેલોશીપ કરી રહ્યા છે અને તેઓને કોઈ તકલીફ નથી. તેેઓએ બળાત્કાર પિડીતા અને તેના પરિવારજનો પ્રત્યે સહાનુભુતિ દાખવવાના બદલે પિડીતાની માતા તેમજ અન્ય વાલીઓએ સંસ્થા સામે ઉઠાવેલા વાંધા ખોટા છે તેમ કહી સંસ્થાને બચાવવાનો ભરપુર પ્રયાસ કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે પોલીસ નિતિમત્તા રાખી તપાસ કરે અને સંસ્થામાં વાલીઓ વિના રહેતા વિદ્યાર્થીઓને ખોટી રીતે હેરાનગતિ ના થાય તે રીતે કામગીરી કરે. ઓએસીસમાં રહીને મળતી આઝાદી કાલની ગુલામી છે માતા-પિતા અને પરિવારથી અલગ રહીને મનફાવતી પ્રવૃત્તી કરતા વિદ્યાર્થીઓ અને ઓએસીસ સંસ્થા સામે જાણીતા યુટ્યુબર શુભમ મિશ્રાએ આજે વેકસીન મેદાન પર બળાત્કારના ઘટનાસ્થળે મિડિયા સમક્ષ બળાપો ઠાલવ્યો હતો કે જે વિદ્યાર્થીઓને હાલમાં પરિવારથી અલગ રહે છે તેને આઝાદી માને છે ખરેખરમાં તે જ આવતીકાલની ગુલામી હશે. ઓએસીસ સંસ્થાએ ખરેખરમાં પિડીતાને બળાત્કારની ઘટનાબાદ તુરંત મદદ કરવાની જરૂર હતી પરંતું તેઓએ મદદ નહી કરતા યુવતીએ આપઘાત કર્યો છે. સંસ્થાની આવી કાર્યનિતી અને યુવતી સાથે ફેલોશીપ કરતી અને સંસ્થાની વાહવાહ કરી રહેલી સહવિદ્યાર્થિનીઓને પણ તેમણે સવાલ કર્યો હતો કે તમે મદદ કરવાના બદલે કેમ ચુપ રહ્યા ? અને હવે સંસ્થાને બચાવવા માટે કેમ આગળ આવો છો ? રાજકીય અગ્રણીઓ કેમ ચૂપ છે? સંસ્કારી નગરી વડોદરામાં બહારની યુવતી પર આ રીતે થયેલા બળાત્કારના ઘટનાથી ભારે વ્યથિત યુુટ્યુબર શુભમ મિશ્રાએ આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વડોદરામાં રાજયકક્ષાના મંત્રીઓ અને રાજકિય અગ્રણીઓ હાજર છે છતાં તેઓએ આવી ગંભીર ઘટના થવા છતાં ઓએસીસ સંસ્થા સામે કેમ ચુપકિદી સેવી છે ?. તેમણે એવો પણ ભય વ્યક્ત કર્યો હતો કે વડોદરાની છબિ ‘રેપ સિટી’ તરીકે ખરડાશે તો કોઈ પણ બહારની યુવતી-મહિલા વડોદરામાં રહેવા માટે ગભરાશે. સંસ્કારીનગરીની છબિ આ રીતે ના ખરડાય અને કોઈ પણ મહિલા વડોદરામાં તે સલામત હશે તેવી ખાત્રી સાથે આવે તે માટે રાજકિય અગ્રણીઓએ પણ આગળ આવવું પડશે. શું સ્ફોટક ડાયરી મેળવવા માટે જ કોઈ વ્યકિત પીડિતાનો પીછો કરતી હતી? ગેંગરે૫ની પીડિતાની અંગત ડાયરીના પાનાં કોણે ફાડ્યા એ વિષયે હજુ કોઈ ભેદ નથી ખૂલી રહ્યો, ત્યારે પીડિતા જે સંસ્થા સાથે સંકળાયેલી એના અગ્રણીઓએ વાજબી દલીલ કરતાં કહ્યું કે જાે અમારામાંથી કોઈએ એ પાનાં ફાડ્યાં હોય તો આખી ડાયરી જ ના ફાડી નાખત? આ સંજાેગોમાં હવે એવો પ્રશ્ન પણ ઊભો થયો કે ડાયરીના બે પાનાંનો નાશ થયા બાદ એ ડાયરીમાં બીજું પણ ઘણું બધું ગંભીર અને જેલ સુધી લઈ જાય એવા લખાણો હશે તો? એવા વિચારે બે પાનાં ફાડનાર અથવા યુવતી પાસે બળજબરીથી ફડાવનારને પાછળથી એ સંપૂર્ણ ડાયરીનો નાશ કરવાની જરૂરિયાત ઊભી થઈ હોઈ શકે અને એટલે જ એ ડાયરી મેળવવાના ઈરાદે કોઈએ પીડિતાનો પીછો કર્યો હોય જે અંગે ખુદ પીડિતાએ પોતાના આખરી સંદેશામાં પણ જણાવ્યું છે. પીછો કરનારે જ્યારે એને ખાલી ટ્રેનના કોચમાં ઝડપી હોય ત્યારે એની પાસેથી ડાયરી નહીં મળી આવતાં સંભવિત ગંભીર આક્ષેપોથી ડરેલી વ્યક્તિએ કે તેના ઈશારે અન્યએ યુવતીને ગળાફાંસો આપી અથવા પહેલાં મોતને ઘાટ ઉતારી પાછળથી ગળાફાંસો હોવાનું ગેરમાર્ગે દોરવા ઓઢણી ગળામાં નાખી એને લટકાવી દીધી હોય એવી પણ એક શક્યતા પોલીસ ચકાસી રહી છે. જે કોઈ વ્યક્તિ આવું કરવામાં સંડોવાયેલી હોય એ સ્વાભાવિક રીતે જ એવો મુદ્દો ઉઠાવી સંતોષ લઈ રહી હશે કે સીસીટીવી ફુટેજમાં કોઈ વ્યક્તિ એનો પીછો કરતી કે ખાલી ટ્રેનમાં એની પાછળ જતી દેખાઈ નથી. પોલીસ તપાસની માહિતીના આધારે આ મુદ્ાને હાશકારા સાથે ઉઠાવાઈ રહ્યાનું પણ પોલીસને લાગી રહ્યું છે. પીડિતાની એ ડાયરી એના સામાનમાં ન હતી અને પાછળથી એના નવસારીના ઘરેથી મળી એ તો પોલીસના દસ્તાવેજી રેકોર્ડ પર છે. જાે એ ડાયરી યુવતીનો પીછો કરનાર વ્યક્તિને મળી ગઈ હોત તો કદાચ પીડિતા પર ગેંગરેપ થયાની બાબત પણ ક્યારેય બહાર જ નહીં આવત અને ગેંગરેપની જાણ હોવા છતાં જવાબદાર નાગરિકો તરીકે પોલીસને જાણ નહીં કર્યાના ગુનાની પણ હાલ ચાલતી ચર્ચા શરૂ જ ન થઈ હોત.વધુ વાંચો -
કોવિડ પોઝિટિવ રિપોર્ટને માન્ય ગણીને મૃતકોના પરિવારને સહાય આપવા સરકારની વિચારણા
- 24, નવેમ્બર 2021 01:30 AM
- 2439 comments
- 9317 Views
અમદાવાદ, રાજ્યમાં કોરોનાના કપરા કાળમાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. હવે કોરોનાને લીધે મૃત્યુ થયુ હોય તેવા મૃતકોના પરિવારજનોને સરકાર દ્વારા સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. અને તેના ફોર્મનું વિતરણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે પણ કોરોનાના સહાયના મુદ્દે ગુજરાત સરકારની આલોચના કરી હતી, ડેથ સર્ટીફિકેટમાં મૃત્યુનું કારણ કોરોના લખેલું હોય તેને જ સહાય મળી શકે પણ મોટાભાગના કેસમાં મૃત્યુનું કારણ કોરોના લખવામાં આવ્યું જ નથી ત્યારે હજારો પરિવારો સરકારી સહાયથી વંચિત રહે તેવી સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે આ મુદ્દે રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા મહત્વની કવાયત શરૂ કરવામાં આવી છે, કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને સહાય મેળવવા માટે હવે કોવિડનો પોઝિટિવ રિપોર્ટ માન્ય કરવાની દિશામાં સરકાર વિચારણા કરી રહી છે.સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા પરિપત્રને મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા રાજ્ય સરકારને આડેહાથ લીધી હતી આ મામલે રાજ્ય સરકારે ગંભીરતાથી વિચારણા શરૂ કરી છે અને આ પરિપત્ર માં કેટલાક સુધારા દાખલ કરવાની દિશામાં આજે મહત્વની બેઠક રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ બોલાવી હતી. જેમાં કોવિડથી મૃત્યુ પામેલા લોકોને ૫૦૦૦૦ ની સહાય આપવાની થાય છે તે કિસ્સામાં રાજ્ય સરકાર હવે ટેસ્ટનો પોઝિટિવ રિપોર્ટ માન્ય રાખવાની દિશામાં આગળ વધી રહી છે.કોરોનાથી મૃત્યુ પામેલા નાગરિકોનાં પરિવારજનોને વળતર આપવાની જાહેરાત કરાયા બાદ એવો મુદ્દો ઊઠ્યો હતો કે, ઘણા મૃતકનાં સર્ટિફિકેટમાં મોતનું કારણ કોરોના લખવામાં નહોતું આવ્યું. આ મામલે હોબાળો થતાં હવે ગુજરાત સરકાર દ્વારા કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનાં પરિવારજનોને સર્ટિફિકેટ આપવા માટે સમિતિ તૈયાર કરવામાં આવી છે.નવસારીમાં કોરોનાથી એક દર્દીનું મોત નીપજ્યું નવા ૩૬ કેસ નોંધાયા ગાંધીનગર, ગુજરાતમાં મંગળવારના રોજ કોરોનાના નવા ૩૬ કેસ સામે આવ્યા છે. બીજી તરફ ૨૫ દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં ૮,૧૬,૮૫૬ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર ૯૮.૭૪ ટકાએ પહોંચ્યું છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી રહી છે. આજના દિવસમાં ૫,૧૦,૮૪૯ કોરોનાના ડોઝ આપવામાં આવ્યા હતા. જાે રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં ૩૧૯ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૬ નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે ૩૧૩ નાગરિકો સ્ટેબલ છે. ૮,૧૬,૮૫૬ નાગરિકો કોરોનાને મ્હાત આપીને ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. બીજી તરફ ૧૦૦૯૨ નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. એક નાગરિકનું નવસારીમાં કોરોનાને કારણે મોત નિપજ્યું છે. અમદાવાદ કોર્પોરેશનમાં ૧૭ કેસ, વડોદરા કોર્પોરેશન ૬, નવસારી ૩, જામનગર, રાજકોટ અને સુરત કોર્પોરેશનમાં ૨-૨ કેસ. ગીર સોમનાથ, જામનગર, સુરત અને વલસાડમાં ૧-૧ કેસ નોંધાયા હતા. બીજી તરફ જાે રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૧૦ ને રસીનો પ્રથમ ડોઝ જ્યારે ૧૯૯૪ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.વધુ વાંચો -
ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદ બાદ નદીઓ ગાંડીતૂર, વહીવટી તંત્ર એલર્ટ મોડ પર
- 29, સપ્ટેમ્બર 2021 03:17 PM
- 6636 comments
- 6558 Views
નવસારી-ગુલાબ નામના વાવાઝુડા ની વિપરીત અસર દક્ષિણ ગુજરાત માં જોવા મળી છે નવસારી જિલ્લાના ઉપરવાસ ના વરસાદે જિલ્લાની નદીઓ ને ફરી વેગીલા પ્રવાહ વાળી કરી છે ત્યારે ગણદેવી શહેર ની વેગણિયા ખાડી પર આવેલ લો લેવલ બ્રિજ મૌસમ માં 4 વખત ગરકાવ થયો છે જેના કારણે 250થી વધુ પરિવારોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તો વળી બીજી તરફ વેગીલા પ્રવાહમાં બ્રિજ પર અમુક લોકો જોખમી રીતે ઉભેલા નજરે ચઢ્યા છે. નદી માં તણાઈ ને આવેલા લાકડા પકડવા અહીંના સ્થાનિકો જીવ ના જોખમે બ્રિજ પર ઉભા છે તંત્ર માત્ર માર્ગ બંધ કર્યો છે પણ પોલીસકર્મી ન હોવાને કારણે અહીં જોખમ ભર્યું સાહસ કરી ને જીવ ની બાજી ખેલી રહ્યા છે સુપા કુરેલ ગામનો પુલ પાણી ગરકાવ થતાં લોકોને હાલાંકી નવસારી જિલ્લાની નદીઓ બે કાંઠે વહી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડતા નદીઓમાં પાણીની આવક થઇ છે. સુપા કુરેલ ગામને જોડતો લો લાઇન પુલ પાણીમાં ડૂબ્યો છે. પૂર્ણા નદીમાં પાણીની આવક થતા લો લાઇન પુલ પર પાણી ફરી વળ્યા છે. જેને લઇ લોકોને 10 કિમી ફરીને જવું પડી રહ્યું છે ગુલાબ વાવાઝોડાની વિપરીત અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે. જેને લઈને નવસારી વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. અને ભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્રએ કાંઠા વિસ્તારોના ગામોમાંથી લોકોનું સ્થળાંતર કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે જિલ્લા કલેકટરે અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટે સૂચના આપવામાં આવી છે. તેમજ ખલાસીઓને પણ દરિયો ન ખડેવાની સૂચાનાઓ પણ આપવામાં આવી છે. ભારે વરસાદના કારણે નદીના જળસ્તરમાં થયો વધારો નવસારીમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદના કારણે નદીઓ પાણીની આવકમાં વધારો થયો છે. તો વળી કેટલીક નદીઓ તો ગાંડીતૂર બની વહેવા લાગી છે. ત્યારે નવસારી અને દક્ષિણ ગુજરાત સહિત અંબિકા, કાવેરી નદીઓના જળસ્તરોમાં વધારો થયો છે. જેને લઈને ચીખલી નજીક આવેલો બંધારો ઓવર ફ્લો થયો જેને લઈને ગ્રામજનો અને વહીવટી તંત્રને ભારે મુળશ્કેલીનો સામાનો કરવો પડી રહ્યો છે.વધુ વાંચો -
નવસારીમાં ભારે વરસાદ,અનેક વિસ્તારમાં ભરાયા પાણી,લોકો પરેશાન
- 23, સપ્ટેમ્બર 2021 02:54 PM
- 8264 comments
- 8908 Views
નવસારી-ગુજરાતમાં સતત વરસાદ પડી રહ્યો છે.ત્યારે નવસારીમાં વરસાદના વિરામ બાદ હવે અમુક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે.શહેરમાં આવેલા દશેરા ટેકરી અને રેલરાહત કોલોનીમાં વરસાદી પાણીનો ભરાવો યથાવત રહ્યો છે. જેના લીધે લોકો પરેશાની સામનો કરી રહ્યા છે.આ ઉપરાંત રેલ રાહત કોલોનીમાં રહેતા લોકોના ઘર આંગણે સુધી વરસાદી પાણી પહોંચ્યા છે.આ ઉપરાંત હજુ પણ ઉપરવાસમાં વરસાદના કારણે પૂર્ણાં અને અંબિકા નદીની સપાટી માં વધારો થઈ રહ્યો છે. જો કે પૂર્ણાં નદીની જળસપાટી ૧૧ ફૂટે પહોંચી જ્યારે ભયજનક જળસપાટી ૨૩ ફૂટ છે. તેવી જ રીતે અંબિકા નદીની જળસપાટી ૧૫ ફૂટે પહોંચી છે.રાજ્યમાં અનેક શહેરોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.ઉત્તર ગુજરાતથી લઇને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાંં પણ વરસાદે ધામા નાખ્યા છે.વધુ વાંચો -
નવસારી કસ્ટોડીયલ ડેથ મામલે આદિવાસીઓનું ધરણાં પ્રદર્શન
- 20, સપ્ટેમ્બર 2021 04:13 PM
- 1364 comments
- 2596 Views
નવસારી-નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટોડીયલ ડેથના મામલે સતત બે મહિનાથી આદિવાસીઓ વિરોધ કરી રહ્યા છે. આદિવાસી યુવકના મોત બાદ જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીઓ સામે પગલાં ન લેવાતા સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે. ત્યારે આ મામલે આજે ચીખલી ખાતે ધરણાં પ્રદર્શનનું આયોજન કરાયું છે. જો કે, ધરણાં કરે તે પહેલાં આદિવાસી સમાજના આગેવાનોને પોલીસે ડિટેઈન કરવાની શરૂઆત કરી છે. ધારાસભ્ય અનંત પટેલને પણ નજર કેદ કરવામાં આવ્યા છે. જેના કારણે આદિવાસી સમાજ ભારે રોષમાં આવ્યો છે. આદિવાસી આગેવાનોને ત્યાં ગયેલી પોલીસને ગામ લોકોએ ભગાડ્યા છે. ચીખલી પોલીસ સ્ટેશનમાં બે મહિના અગાઉ થયેલ આદિવાસી યુવાનોનાં કસ્ટોડીયલ ડેથને મામલે સતત વિરોધ થઈ રહ્યો છે અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની માગ કરાઈ રહી છે.વધુ વાંચો -
અહિંયા છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ, જિલ્લા તંત્રએ NDRFની ટીમને સ્ટેન્ડ બાય રાખી
- 09, સપ્ટેમ્બર 2021 02:06 PM
- 3639 comments
- 1060 Views
નવસારી- જિલ્લામાં 2 દિવસથી અવિરત મેઘ મહેર રહી છે. આ સાથે જ આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહીને જોતા જિલ્લા વહિવટી તંત્ર એલર્ટ મોડમાં પહોંચ્યું છે. આની સાથે જ વરસાદી માહોલને કારણે NDRFની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ સાથે જ જિલ્લાના તાલુકા અને શહેરોના અધિકારીઓને પણ સતર્ક રહી હેડક્વાર્ટર ન છોડવા સૂચના આપવામાં આવી છે. જિલ્લામાં 2 દિવસોમાં સારો વરસાદ નોંધાયો છે, જેમાં ગઈકાલે નવસારીમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો. આજે સવારથી કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા, પણ વરસાદ નોંધાયો ન હતો. પરંતુ બપોરે 12 વાગ્યા બાદ મેઘાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. ત્યારે નવસારીમાં 79 મીમી (3.29 ઈંચ), જલાલપોરમાં 68 મીમી (2.83 ઈંચ) અને ગણદેવીમાં 40 મીમી (1.66 ઈંચ) વરસાદ નોંધાયો હતો. જ્યારે વાંસદમાં 8 મીમી અને ખેરગામ-ચીખલીમાં 5-5 મીમી વરસાદ પડ્યો હતો. વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થયું છે. એટલે જ તાલુકા વિકાસ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા અને નગરપાલિકાઓને સતર્ક રહેવા સૂચના અપાઈ છે. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય કે તરત જ તેના નિકાલની વ્યવસ્થા રાખવા પણ જણાવાયું છે. વરસાદને કારણે કોઈ આપત્તિમાં મુકાય તો મદદ માટે 1077 હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે, જેની સાથે જ NDRF ની ટીમને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.વધુ વાંચો -
બે યુવાનોએ આત્મહત્યા કરવાની ઘટનામાં ચીખલી પોલીસ સ્ટેશનનાં ત્રણ કર્મચારી સસ્પેન્ડ
- 23, જુલાઈ 2021 11:50 AM
- 711 comments
- 9700 Views
ચિખલીચીખલી પોલીસ મથકમાં વઘઇના બે મોટરસાઇકલ ચોરીના શંકાસ્પદ યુવાનોએ પોલીસ મથકના રૂમમાં પંખા ઉપર લટકી જઈ આત્મહત્યા કરી લેવાની ઘટનામાં નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત વિગત અનુસાર બુધવારના રોજ વહેલી સવારે ચીખલી પોલીસ મથકના ડી-સ્ટાફ કોમ્પ્યુટર રૂમમાં સુનિલ ઉર્ફે લાલુ સુરેશભાઇ પવાર (રહે, દોડીપાડા, તા-વઘઇ, જી-ડાંગ) તથા રવિ સુરેશભાઇ જાધવ (રહે, વઘઇ નાકા ફળિયા, તા-વઘઇ) પંખાના હૂક સાથે કેબલ વાયરથી ફાંસો ખાઈ લીધેલી હાલતમાં મળી આવ્યા હતા. ચીખલી પોલીસ મથક ખાતે નવસારી જિલ્લા પોલીસવડા ઋષિકેશ ઉપાધ્યાય તથા ત્રણેય ડીવાયએસપી સહિતના અધિકારીઓ ધસી આવી એલસીબી સહિતનો કાફલો પોલીસ મથકે ખડકી દેવામાં આવ્યો હતો. બંને શકમંદ યુવાનોને વાહન ચેકિંગ દરમ્યાન મોટરસાઇકલ ચોરીના ગુનામાં પૂછતાછ માટે લાવી હોવાની પોલીસે હકીકત જણાવી હતી. વઘઇના બંને શંકાસ્પદ યુવાનોએ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનું જણાવી અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ ઘટનામાં નવસારી પોલીસ અધિક્ષક દ્વારા પી.એસ.આઈ એમ.બી.કોંકણી, હે.કો શક્તિસિંહ ઝાલા, તથા પો.કો રામજી ગાયપ્રસાદ યાદવને સસ્પેન્ડ કર્યા હોવાનું જાણવા મળે છે.વધુ વાંચો -
ચીખલી પોલીસ સ્ટેશનમાં જ બે આરોપીએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત
- 21, જુલાઈ 2021 12:27 PM
- 3781 comments
- 7479 Views
નવસારીનવસારી જીલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં બે આરોપીઓના શંકાસ્પદ મોત થતાં ચકચાર મચી છે. પોલીસ સ્ટેશનમાં બે શંકમંદ આરોપી ઇસમોનો ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો.આ બન્ને આરોપીઓ ચોરીના ગુનામાં લાવવામાં આવ્યા હતા.પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં લાવવામાં આવેલ બે શંકમંદ આરોપી ઇસમોએ આપઘાત કરતા પોલીસ કામગીરી સામે સવાલ ઉઠ્યા છે.પ્રાથમિક માહિતી મુજબ ડાંગ જીલ્લાના વઘઇ તાલુકાના બે શંકમંદ આરોપીને ચીખલી પોલીસ ગઈ કાલે લાવી હતી.અને આરોપીઓએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું કે પછી પોલીસના મારથી થયું મોત એ સૌથી મોટો સવાલ છે.?જ્યાં દરેક રૂમમાં સીસીટીવી કેમેરા અને 24 કલાક પોલીસ હોય ત્યાંજ આરોપીઓ કઈ રીતે આપઘાત કરી શકે એ મોટો સવાલ છે.? ઘટના રૂમમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ, અધિકારીઓ દ્વારા પોલીસ કામગીરીની બહાનું બનાવી મીડિયાને પ્રવેશતા અટકાવ્યા હતા. સમગ્ર ઘટનાને લઇ જીલ્લા પોલીસ વડા,નાયબ જીલ્લા પોલીસ અધિક્ષક સહીત ડેપ્યુટી કલેક્ટર ચીખલી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.વધુ વાંચો -
જાણો, ધોરણ 12નું દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનું ઓવરઓલ પરીણામ કેવું રહ્યું?
- 17, જુલાઈ 2021 11:26 AM
- 4265 comments
- 6712 Views
સુરતઆજે ધોરણ 12 સાયન્સમાં એક લાખ 7 હજાર 264 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત 100 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં 3245 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.જ્યારે 15 હજાર 284 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે.A ગ્રૂપમાં 466 વિદ્યાર્થીઓએ 99 ટકાથી વધુ માર્ક્સ મેળવ્યા છે. જ્યારે B ગ્રૂપમાં 657 વિદ્યાર્થીઓએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે.અમદાવાદ શહેરમાં 109 વિદ્યાર્થીઓ અને અમદાવાદ ગ્રામ્યમાં 73 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.સૌથી વધુ 26831 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે.જ્યારે સુરત શહેરમાં પણ 546 વિદ્યાર્થીને એ-વન ગ્રેડ મળ્યો છે...આ સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનું ઓવરઓલ પરીણામની વધુ માહિતી નીચે મુજબ છે.દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનું ઓવરઓલ પરીણામજિલ્લો વિદ્યાર્થી સંખ્યા એ-વન ગ્રેડસુરત 13733 546નવસારી 4463 107વલસાડ 4446 20ડાંગ 296 00તાપી 1186 1ભરૂચ 3142 41નર્મદા 812 06સુરત શહેરનું ઓવરઓલ પરીણામગ્રેડ સંખ્યાએ-વન 546એ-ટુ 2547બી-વન 3628બી-ટુ 3416સી-વન 2387સી-ટુ 1053ડી 144વધુ વાંચો -
ગુજરાતના આ શહેરમાં 1.68 લાખ યુવાનોએ લીધો કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ, જિલ્લાના આઠ ગામોમાં 90 ટકાથી વધુ રસીકરણ
- 16, જુલાઈ 2021 09:47 PM
- 956 comments
- 769 Views
નવસારી- કોરોનાને નાથવા માટે વેક્સિન કારગર સાબિત થઈ શકે છે. જેથી કોરોનાની સંભવિત ત્રીજી લહેર આવવા પૂર્વે વધુમાં વધુ લોકો કોરોનાની રસી લઇ સુરક્ષિત થાય એ માટે સરકારે ચલાવેલા રસીકરણ મહાઅભિયાનમાં નવસારી જિલ્લાના ગામડાઓના લોકો જાગૃતતા દેખાડી રહ્યા છે. જેના પરિણામે દોઢ મહિનામાં જિલ્લાના 18 કરતા ઉપરના 1.68 લાખ લોકો રસીનો પ્રથમ ડોઝ લઈ ચૂક્યા છે. જ્યારે 33.40 ટકા લોકો બીજો ડોઝ લઈને સુરક્ષિત થયા છે. નવસારી જિલ્લામાં એપ્રિલ 2020 માં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારથી આજદિન સુધીમાં કુલ 7170 લોકો કોરોનાનો ભોગ બન્યા છે. જેમાં સૌથી વધુ લોકો કોરોનાની બીજી લહેરમાં પોઝિટિવ થયા હતા અને મૃત્યુ દર પણ વધુ રહ્યો હતો. જેથી કોરોનાની સંભવીત ત્રીજી લહેરમાં જાનહાનિ ટાળવાના હેતુથી કેન્દ્ર અને રાજ્ય સરકાર આગોતરા પગલાં ભરી રહી છે. જેમાં વધુમાં વધુ કોરોના રસીકરણ થાય એવા પ્રયાસો પણ થઈ રહ્યા છે.નવસારી જિલ્લામાં એપ્રિલ 2020 માં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારથી આજદિન સુધીમાં કુલ 7170 લોકો કોરોનાનો ભોગ બન્યા છે. જેમાં સૌથી વધુ લોકો કોરોનાની બીજી લહેરમાં પોઝિટિવ થયા હતા અને મૃત્યુ દર પણ વધુ રહ્યો હતો. જેથી કોરોનાની સંભવીત ત્રીજી લહેરમાં જાનહાનિ ટાળવાના હેતુથી કેન્દ્ર અને રાજ્ય સરકાર આગોતરા પગલાં ભરી રહી છે. જેમાં વધુમાં વધુ કોરોના રસીકરણ થાય એવા પ્રયાસો પણ થઈ રહ્યા છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેર આવવા પૂર્વે વધુમાં વધુ લોકો કોરોનાની રસી લઇ સુરક્ષિત થાય એ માટે સરકારે ચલાવેલા રસીકરણ મહાઅભિયાનમાં નવસારી જિલ્લાના ગામડાઓના લોકો જાગૃતતા દેખાડી રહ્યા છે. જેના પરિણામે દોઢ મહિનામાં જિલ્લાના 18 કરતા ઉપરના 1.68 લાખ લોકો રસીનો પ્રથમ ડોઝ લઈ ચૂક્યા છે. જ્યારે 33.40 ટકા લોકો બીજો ડોઝ લઈને સુરક્ષિત થયા છે.વધુ વાંચો -
ખાંભલા ગામે આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ ડોક્ટર ઝડપાયો
- 05, જુન 2021 01:30 AM
- 8676 comments
- 5476 Views
વાંસદા વાંસદા પોલીસ સૂત્રોથી મળતી માહિતી મુજબ પોલીસ વિગભાને બાતમી મળી હતી કે, વાંસદા તાલુકાના ખાંભલા ગામે બજાર ફળિયા, પ્રાથમિક શાળાની સામે બોગસ દવાખાનું ચાલે છે જે બાતમીના આધારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાંભલાના ડોક્ટર હરીશકુમાર ચીમનભાઈ પટેલ સાથે તપાસ કરતા બોગસ ડોક્ટર આશિષ રવિન્દ્રભાઈ બિશ્વાસ ઉ.વ. ૩૫ રહે.ખાંભલા બજાર ફળિયા, પ્રાથમિક શાળાની સામે મૂળ રહે. બેલેડાંગા, તા. ગોબરડાંગા જિ. નોર્થ ૨૪ પરભોના ( કલકત્તા ) નાઓ પાસેથી કોઈપણ પ્રકારની માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર ગેરકાયદેસર ડોક્ટરનો હોદ્દો ધરાવી પોતાના કબજાના દવાખાનામાં મેડીકલ પ્રેક્ટિસ કરી એલોપેથી દવા, ઈન્જેકશન તથા ડોક્ટરી સાધન સામગ્રી મળી આવી હતી, જેની કુલ કિં. રૂ. ૩૩,૯૨૪/- ના મુદ્દામાલ સાથે પકડાઈ જતાં મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ વાંસદા પોલીસ મથકે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.વધુ વાંચો -
વાંસદાના ખાટાઆંબા પંથકમાં ભર ઉનાળે પીવાના પાણી માટે ફાંફા
- 25, મે 2021 01:30 AM
- 9450 comments
- 6988 Views
વાંસદા. વાંસદાના ખાટાઆંબા ગામે કાહડોળ પાડામાં વસતા લોકોને આઝાદીના દાયકા બાદ પણ સરકારની વિવિધ યોજના ઓથી વંચિત રહેવું પડી રહ્યું છે જે થોડા દિવસ અગાઉ દૃશ્યો જાેવા મળ્યા હતાં ત્યાં આજ ગામમાં ચારમૂળી ફળિયામાં આ વિસ્તારમાં રહેતા લોકોની પાણી અને રસ્તા જેવી અતિ આવશ્યક જરૂરિયાત વર્ષોથી પૂરી થઈ નથી, જેના પગલે અહીંના પરિવારોએ પશુપાલન અને જીવન ગુજારા માટે પાણીની જરૂરિયાતને પહોંચી વળવા દૂર સુધી જવા સિવાય બીજાે કોઈ વિકલ્પ રહેતો નથી.લાંબુ અંતર કાપ્યા બાદ અહીના ખેડૂતોને પાણીની અતિ તીવ્ર તંગીને કારણે ખેતી અને પશુપાલન કરવામાં ખૂબજ મુશ્કેલીઓ પડી રહી છે. ચારમૂળીના સ્થાનિક ૧૨ થી ૧૫ ઘરોનાં પરીવાર જેટલાં પાસેથી મળતી માહીતી મુજબ ચારમૂળી ફળિયામાં રહેતા સોનકુભાઈ માયજુભાઈ ચૌધરીના ઘર પાસે ૧૨ થી ૧૩ વર્ષ અગાઉ વાસ્મો માંથી પાણીની ટાંકી બનાવવામાં આવેલ છે જેનું બાંધકામ લજવાઈ તેવું છે તૂટી પડવાના એંધાણ નોતરે તેવું દેખાય આવેલ અને એ ટાંકી માં એક ટીપું પાણી નથીં પાણીના બોરમાં હાલ પાણી નથી ડુંગરાળ વિસ્તારમાં દર વર્ષે દિવાળી પછીના સમયમાં પાણીની સમસ્યા કાયમી હોય છે.ત્યાં ના લોકોનું કહેવું છે કે વારંવારની રજૂઆત કરવા છતાં ત્યાંના સરપંચ ધ્યાનમાં નથી લેતાં વાંસદા તાલુકા ભાજપ પ્રમુખ મણિલાલ ચૌધરી પણ હાલ એજ ગામના વતની હોવા છતાં પાણી અને રસ્તા ની સમસ્યા બાબતે કોઈ ધ્યાન ધર્યું નથી ચાર પાંચ વર્ષથી આ ફળિયામાં કોઈ વિકાસ જ નથી થયો જેથી લોકોની પરિસ્થિતિ ખૂબજ ગંભીર છે. જેથી અહીંના લોકોને પડતી આ મુશ્કેલી સામે જવાબદાર અધિકારીઓ સ્થળ નિરીક્ષણ કરી વહેલી તકે યોગ્ય નિકાલ લાવે એવી સ્થાનિકોની માંગ ઊભી છે.વધુ વાંચો -
ગંગપુર ગામે રાશન કિટનું વિતરણ
- 24, મે 2021 01:30 AM
- 2781 comments
- 9838 Views
વાંસદા પંથકમાં કોરોના મહામારીના આવા સમયમાં કોહેજન ટ્રસ્ટે જરૂરીયાતમંદ પરિવારો રાશન કિટનું વિતરણ શરૂ કર્યું છે. ટ્રસ્ટ દ્વારા કિટ તૈયાર કરી વિધવા મહિલાઓ અને નિરાધાર લોકોને રે જઈને પહોંચાડી રહ્યા છે.વધુ વાંચો -
વાંસદાના દશેરા પાટીના મકાનમાં આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ
- 16, મે 2021 01:30 AM
- 3385 comments
- 721 Views
વાંસદા, વાંસદા પોલીસ સ્ટેશનની બાજુમાં રહેતા અજીત સિંહ બારૈયાના રહેણાંક મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. જાેત-જાેતામાં આગે મોટુ સ્વરૂપ લઈ લીધું હતું અજિત ભાઈ ઘરની બહાર નીકળી જતા કોઈ જાનહાની નહી સર્જાઈ હતી જ્યારે આગ કાબુમાં આવે તે પહેલા જ ઘરની તમામ ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી. આગમાં હજારો રૂપિયા નું નુકશાન થયું હોવાનું સ્થાનિકો પાસેથી મળતી માહિતી મુજબ વાંસદા દશેરા પાર્ટી વિસ્તાર પોલીસ સ્ટેશનની બાજુમાં રહેતા મહેન્દ્રસિંહ બારૈયા અને અજીતસિંહ બારૈયાના ઘરે રાત્રીના સમયે આશરે બે વાગ્યે ના સમયે ઘરમાં સળગાવેલ દિવાના કારણે આગ ફાટી નીકળી હતી. આગમાં ધુમાડો ઘરની નજરે પડતા અજિત ભાઈ રહીશો ઘરમાંથી નીકળી જઇ બુમાબુમ કરતા નજીકના રહીશો લોકો દોડી જઇ પાણીનો છંટકાવ શરૃ કર્યો હતો. મહેન્દ્રસિંહ બારૈયાના ઘરમાં આગ ભભુકી ઉઠી તે જાેતા રહીશો મદદમા આવી આગ બુઝાવાની કોશિશ કરી છતાં આગ કાબુમાં નહી આવતા વાંસદા પંચાયત ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયરની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી. ત્યાર બાદ આશરે ૩ થી ૪ વાગ્યા ના સમયે આગ પર કાબુમાં મેળવી લીધો હતો આ આગમાં મહેન્દ્રસિંહ બારૈયા નું ઘરવખરી તમામ ભસ્મીભૂત થઈ ગયું. અને તેમના ભાઈ અજીતસિંહ બારૈયાનું ઘર લાઈટ મીટર તે પણ આગથી બળી જવા પામ્યું હતું. ઘરના બહાર મુકેલ ખાંટલા પણ બળી ગયા તેવું નુકસાન થયું હતું. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી.વધુ વાંચો -
જન્મભૂમિનું ઋણ ઉતારવા યુએસના ગુજરાતી આગળ આવ્યા, 1 લાખ ડોલરના ખર્ચે ઓક્સિજન મશીન મોકલશે
- 29, એપ્રીલ 2021 11:49 AM
- 110 comments
- 2318 Views
સુરતવર્ષ 2019થી શરુ થયેલી કોરોનાવાયરસ બીમારીએ બીજા તબક્કામાં ભારતના ઘણા રાજ્યોને ભરડામાં લીધા છે. આવા સંજોગોમાં ગુજરાત પણ તેમાંથી બાકાત નથી રહી શક્યું. હોસ્પિટલોમાં પથારીઓની, તથા ઓક્સિજન પૂરવઠાની અભૂતપૂર્વ અછત સર્જાઈ રહી છે. આવા સંજોગોમાં અમેરિકાના વિવિધ રાજ્યમાં વસતા પરંતુ મૂળ દક્ષિણ ગુજરાતના પટેલ લોકોએ ગુજરાતી સમાજ ઓફ મિસીસીપ્પીના નેજા હેઠળ અંદાજિત 1 લાખ ડોલરની સહાયની પહેલ કરી છે. આ અંગેની વિસ્તૃત માહિતી આપતાં ગુજરાતી સમાજ ઓફ મિસીસીપ્પીના આગેવાન અને મૂળ બારડોલીના બાબુભાઇ પટેલે જણાવ્યું કે આ ફંડ તેમણે માત્ર 48 કલાક જેટલા ટૂંકા સમયગાળામાં જ ઊભું કર્યું છે. અત્યારના તબક્કે અમે 5 લિટરના એકસો અને 10 લિટરના એકસો એમ કુલ 200 ઓક્સિજન મશીનના ઓર્ડર આપી દીધા છે અને આગામી 8-10 દિવસમાં તે મુંબઈ મારફત સુરત પહોંચી જશે. જેમ જેમ નવું ફંડ આવતું જશે તેમ સમાજ દ્વારા વધુ ઓક્સિજન મશીન અથવા વેન્ટિલેટર, જેની જરૂરિયાત હશે તે મોકલવાના પ્રયત્ન કરવામાં આવશે. ઓક્સિજન મશીનની ખરીદી અને વિતરણ વ્યવસ્થા સાથે સંકળાયેલા ટેક્સાસ રાજ્યના ડલાસસ્થિત પંકજભાઈ પટેલે જણાવ્યું કે ઓક્સિજન મશીનના વિતરણ માટે અમને સુરત શહેરના મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીનો સહયોગ મળ્યો છે. તેમની મદદથી સુરત, નવસારી અને બારડોલીની વિવિધ હોસ્પિટલો અને કોવિડ સેંટર, બારડોલીની માલીબા કોલેજમાં મોકલાવવામાં આવનાર છે. મહામારીની આ પરિસ્થિતિમાં અનેક હોસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાય અટકી જવાને કારણે બીમાર દર્દીઓ જીવ ખોઈ રહ્યા છે, ત્યારે માદરે વતનને યાદ કરીને મદદ કરવાના શુભ આશયથી 25000-25000 ડોલરની સહાય કરનાર મિસીસીપ્પીમાં સ્થાયી ભુપેન્દ્ર પટેલ અને હિરેન પટેલે જણાવ્યું કે જરૂરિયાતમંદોને મદદ કરવાનું ગુજરાતીઓના લોહીમાં છે, અને અમને ગર્વ છે કે અમે આવી વિકટ પરિસ્થિતિમાં સમાજ માટે કંઈક કરવાનો અમને મોકો મળ્યો છે.વધુ વાંચો -
વાંસદામાં સ્વૈચ્છિક લોકડાઉન આગામી ૩ મે સુધી લંબાવવા નિર્ણય
- 28, એપ્રીલ 2021 01:30 AM
- 1291 comments
- 5456 Views
વાંસદા. વાંસદા તાલુકા પંચાયત ખાતે ભાજપ અને કોંગ્રેસના આગેવાનોની મળેલી બેઠકમાં સ્વૈચ્છિક ૩ તારીખ સુધી લોકડાઉન લંબાવ્યુ હતું આ પ્રસંગે ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે અગાઉ ૨૧ થી ૨૮ સુધી સ્વેચ્છિક લોકડાઉન ને ભારે સમર્થન મળતા અહદ અંશે આપણે કોરોના ની ચેન તોડવામાં સફળ રહ્યા છે ત્યારે હજી પણ આજની પરિસ્થિતિ જાેતા કોરોના ના કેસો અને અપમૃત્યુદરમાં વધારો થઈ રહ્યો છે જેથી લોકહિત માટે કોરોનાથી બચાવવા માટે લોકડાઉન લંબાવાનું વિતાવહ છે જાે આપણે લોકડાઉન ને ફોલો નહિ કરીશું તો કોરોના ના કાળા કેરથી કોઈ બચી શકશે નહીં. કોરોના ની ચેન તોડવા માટે એકમાત્ર ઉપાય સ્વેચ્છિક લોકડાઉન જ છે જ્યારે નવસારી જિલ્લા પંચાયત શાસક પક્ષના નેતા શ્રી શિવેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે જાે આપણે લોકડાઉન નહિ ને લંબાવીએ તો કોરોના ને કાબુ કરવો અશક્ય રહેશે અને આમેય આપણા કોટેજ હોસ્પિટલ અને લીમઝર સીએચસી ખાતે ઓક્સિજન ઇન્જેક્શનો વેન્ટિલેટર જેવી કેટલીક સુવિધાઓ હજી પૂરી થઈ નથી અને જેના કારણે મોટી સંખ્યામાં મૃત્યુ થયા છે જાે આપણે લોકડાઉનને નહીં લંબાવીએ તો કોરોના ના દર્દીઓ માં ઘરખમ વધારો થશે અને એની સારવાર ક્યાં અને કેવી રીતે કરાવશું.! આપણા વિસ્તારમાં હજી એક કોરોના ની સારવાર માટે પુરતી સુવિધાઓ નથી ત્યારે જ્યાં સુધી કોવિડ સેન્ટર અને કોટેજમાં ઓક્સિજન વેન્ટિલેટર જેવી અન્ય સુવિધાઓ મળી ના રહે ત્યાં સુધી લોકડાઉન એજ કોરોના થી બચવા માટેનો વિકલ્પ છે. હલનીબપરિસ્થિતિ જાેતા કોટેજ હોસ્પિટલમાં ૯૫ જેટલા કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે અને એમાંય બેડ ખાલી ના હોવાના કારણે કોરોના દર્દીઓ અને જમીન પર સુવડાવી સારવાર આપવાની ફરજ પડી રહી છે ડોક્ટરો પણ ઓક્સિજન અને વેન્ટિલેટર અન્ય દવાઓના સુવિધાઓના અભાવના કારણે કફોડી સ્થિતીમાં છે આ તમામ પાસાઓ જાેતા લોકડાઉન લંબાવવાનું જરૂરી હોવાનું જણાવી આ લોકડાઉન ને લોકો સમર્થન આપી પરિવારને કોરોના ના કાળા કેરથી બચાવે હવે લોકડાઉન જ એકમાત્ર વિકલ્પ છે તમે કોરોના થી બચી શકો આ પ્રસંગે નવસારી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વિરલ વ્યાસ કોંગ્રેસ અગ્રણી રાજીતાન વાલા તાલુકા પંચાયત સભ્ય યોગેશ દેસાઇએ હનુમાનબારી અને વાંસદા ના સરપંચે પણ લોકડાઉન લંબાવના ર્નિણયની સરાહના કરી પોતાના મંતવ્ય આપ્યા હતા.વધુ વાંચો -
વાંસદા પશ્ચિમ રેન્જના વનવિભાગની ટીમે સુરખાઈથી ખેરના લાકડા ભરેલો ટેમ્પો પકડ્યો
- 24, એપ્રીલ 2021 01:30 AM
- 1295 comments
- 3631 Views
વાંસદા, પ્રાપ્ત માહિતી અનુસાર ૨૩/૦૪/૨૦૨૧ નાં રોજ વાંસદા પશ્ચિમ રેંજનાં આરએફઓ જે.ડી.રાઠોડને મળેલ બાતમીનાં આધારે વાંસદા પશ્વિમ રેંજ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે તેમને ગેરકાયદેસર રીતે ખેરના લાકડા ભરીને વાહન જવાનું હોવાની બાતમી મળી હતી.બાતમીના આધારે બાતમી આપેલ વાહન અનાવલ ચીખલી રોડ પર સુરખાઇ ખાતે અટકાવી તપાસ કરતાં ખેરના ઇમારતી લાકડા અંદાજે ૩ ટન મળી આવેલ છે.જે બાબતે પૂછતાં તેમના પર કોઈ પાસ કે પરમીટ નહતી. ઝડપાયેલા વાહનની અંદર વાહનની તલાસી લેતા વાહન પર બે જુદા જુદા વાહન નંબર ૧૫ રૂ ૮૯૦૭ મળી આવ્યા હતા. આ વાહનને કબજે કરવાની સાથે તેમજ બાતમી વાળા વાહન ટેમ્પોની આગળ પાયલોટીંગ કરી રહેલ વાહન હોન્ડા પેશન ૭૭૪૬ તથા ટેમ્પો જપ્ત કરેલ છે. વનવિભાગની ટીમે ઝડપેલ ખેરના લાકડાનો જથ્થો વાંસદાના રાયાવાડી થી ભરી ધરમપુર ભાંભા ખાતે લઇ જતાં હોવાનું બહાર આવ્યું હતું.આ સાથે જ ટેમ્પોચાલક ડ્રાયવર વિવેક દેવુભાઇ પટેલ રહે.બામટી તેમજ દલાલ ગયાસુદ્દિન રેહ. આતલીયા તથા માલભરાવનાર સુરેષ પટેલ રહે.રાયાવાડી સામે વનવિભગની ટીમે કાયદેસરની કાર્યવાહી કરી છે. આ કામગીરીમાં વનવિભાગના બી. ટી. પટેલ ફોરેસ્ટર લીમઝર,નરેશ પટેલ બીટગાર્ડ લીમઝર,સુમીત પટેલ મદદગાર ડ્રાયવર ,એ મહત્વનો ભાગ ભજવ્યો હતો.આ કેસની આગળની તપાસ જે.ડી.રાઠોડ મદદનીશવન સંરક્ષક એમ.આર.રાઠવા નાયબવનસંરક્ષક વાય.એસ. ઝાલા તથા મુખ્યવન સંરક્ષક મનિષ્વર રાજાનાં માર્ગદર્શન હેઠળ કરી રહેલ છે.વધુ વાંચો -
વાંસદાના સરા જંગલમાં પ્લાસ્ટિકનો કચરો વન્ય પ્રાણીઓ માટે જાેખમી
- 23, એપ્રીલ 2021 01:30 AM
- 4774 comments
- 7832 Views
વાંસદા.વાંસદાની હોટલો માંથી વેસ્ટેજ ભોજન પ્લાસ્ટિકની થેલીમાં પેક કરીને રાત્રે અંધકાર નો લાભ લઈને ફેંકી જતા હોય છે. જંગલો માંથી પસાર થતા નાળા માં કેટલોક શંકાસ્પદ નાખવામાં આવેલ પ્લાસ્ટિકનો કચરો જાેવા મળી રહ્યો છે જે પર્યાવરણ માટે ખતરારૂપ બની જવા પામી છે. પ્લાસ્ટિકનો કચરો મનુષ્ય સહિત પૃથ્વી પરના તમામ જીવો માટે ખતરારૂપ છે. પ્લાસ્ટિકનો કચરો મનુષ્ય સહિત જાનવરો અને પક્ષીઓ માટે પણ સમસ્યારૂપ છે.આ હોટલો માંથી શંકાસ્પદ ઠલવાતો કચરો પર્યાવરણ અને વન્યજીવો સામે સૌથી મોટો પડકાર બની ગયો છે. તેમાંય આડેધડ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને તેને જેમ-તેમ જંગલોમાં ફેકતા હોય છે જેને કારણે વન્યજીવો પ્લાસ્ટીકની સુગંધથી આકર્ષાઇને તેને ખાઇને મૃત્યુ નોંતરતા હોય છે. કચરો ફેંકીને પર્યાવરણને ભારોભાર નુકસાન કરે છે.જંગલ અંદર પ્લાસ્ટિક સહિત હોટલ માંથી ગંદો એઠવાળ કચરો જંગલ અંદર ઠલવાય છે. જે સ્વાદ અને સુગંધથી વન્ય પ્રાણી આકર્ષાયઈ તેને ખાઈને વાનરો અને અન્ય પ્રાણીઓ કે પક્ષીઓ માંદા કે મૃત્યુ પામે છે. પ્લાસ્ટિક બેગો પર પ્રતિબંધ મૂકીને સ્વૈચ્છક અને પર્યાવરણના જતન માટે કાર્ય રેન્જ વિભાગના કર્મચારીઓ દ્વારા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.વધુ વાંચો -
વાંસદાના ખાટાઆંબા ગામની સ્મશાનભૂમિનો ઉપયોગ જ કરાતો નથી
- 21, એપ્રીલ 2021 01:30 AM
- 189 comments
- 3038 Views
ઉનાઇ, વાંસદા તાલુકામાં કેટલાક વર્ષોમાં ગામે-ગામ લાખો રૂપિયાના ખર્ચે સ્મશાન ભૂમિઓ બનાવવામાં આવી છે પરંતુ આ બાબતે તપાસ હાથ ધરી તો ચોંકાવનારી માહિતી બહાર આવવા પામી છે. વાંસદા તાલુકાના ખાટાઆંબા ગામે મોટાપાડા અને બોરીપાડામાં ૧૨૦ પરિવારના આશરે ૪૦૦ લોકો રહે છે. જેઓને કોઈકના અવસાન દરમિયાન અંતિમ સંસ્કાર માટે સ્મશાને લઈ જવા માટેનો રસ્તો વર્ષોથી આજદીન સુધી બન્યો નથી. જેના કારણે અહીંના લોકો ખુબજ મુશ્કેલી વેઠી રહ્યા છે તેમજ અંતિમ સંસ્કાર માટે બનાવવામાં આવેલ મુક્તિધામ બન્યાને આશરે ૩ વર્ષ વીતી ગયા હેવા છતા આજદિન સુધી અગ્નિદાહ માટેની સગડી પણ મૂકવામાં આવી નથી, જેના કારણે લોકોએ સ્મશાનની બાજુ ખુલ્લી જગ્યામાં અગ્નિદાહ કરવાની ફરજ પડી રહી છે. જેમાં અંતિમ સંસ્કાર કર્યા બાદ સફાઈ માટે પાણીની પણ સુવિધા ન હોવાના કારણે લોકોએ દૂર સુધી ડોલ અને કેન વડે પાણી લાવવાની ફરજ પડે છે. ચોમાસા દરમિયાન પણ ખુલ્લા વરસાદમાં અંતિમ સંસ્કાર માટે ખૂબજ હાલાકી ભોગવવાનો વારો આવે છે.તાલુકામાં આવેલ કેટલાય ગામોમાં અગ્નિસંસ્કાર નહિ કરવા પાછળ પાણીની સુવિધા ઉપલબ્ધ નહીં હોવાનું જાણવા મળ્યું છે.કોતરો માં પાણી સુકાય જવા પામ્યું હોય ત્યારે અન્ય સગવડના અભાવે સ્થાનિકો સુવિધાના અભાવે આ સમશાનભુમીનો ઉપયોગ કરવાનું ટાળે છે. સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ મેઇન પાકા રસ્તાથી સ્મશાન તરફ જવાનો રસ્તો અગાઉ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત મંજુર થઇ ગયો હોવા છતાં આજદિન સુધી કેમ બનાવવામાં આવ્યો નથી. એવી ચર્ચા લોકોમાં થઈ રહી છે. જેને લઇ વહેલી તકે ખાટા અંબા ના મોટાપાડા અને બોરીપાડાના લોકોને વર્ષોથી પડતી આ મુશ્કેલી સામે સંબંધિત અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરી સમસ્યાનો અંત લાવે એવી સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે.વધુ વાંચો -
વાંસદામાં વીજ બિલ ભરવામાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા
- 20, એપ્રીલ 2021 01:30 AM
- 6741 comments
- 1454 Views
વાંસદા. વાંસદા તાલુકામાં આવેલ જીઈબીમાં લાઈટ બિલ ભરવા માટે લોકોની ભીડ ઉમટી હતી.જેમાં કોરોના ગાઇડલાઇનનો ભંગ કરતા દ્રશ્યો સર્જાયા હતા.જીઈબી બિલ ભરવાના નામે જાણે સોશિયલ ડિસ્ટન્સના લીરા ઉડાવી રહ્યું હોય તેમ વાંસદા જીઈબી બિલો ભરવા માટે કચેરી ખાતે લોકોનું માનવ મહેરામણ ઉમટ્યું હતું હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના મહામારીથી બચવા દો ગજકી દૂરી માસ્ક હે જરૂરીનો સંદેશ આપી રહ્યા છે. ત્યારે વાંસદા જીઈબીમાં લાઈટ બિલ ભરવાની રામાયણ વચ્ચે આ સ્લોગન ના ધજાગરા ઉડ્યાના દ્રશ્ય સામે આવ્યા છે. ત્યારે આમ જનતા સવાલ કરી રહી છે કે, શુ કાયદો પ્રજા માટે જ છે? જીઈબી માટે નથી શુ.? હાલમાં કોરોના બેફામ બની રહ્યો છે અને જીઈબીના કર્મચારીઓ કોરોના મહામારીમાં નિયમોનું ઉલ્લંઘન કરીને ભીડ બિલ ભરવા માટે ભીડ ભેગી કરીને સંક્રમણ વધારી રહી છે જેવા અનેક પ્રશ્નો ઉભા થયા છે. ત્યારે પ્રજા માસ્ક ન પહેરે તો દંડ, સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરે તો દંડ પ્રસંગમાં ભીડ વધુ ભેગી કરે તો દંડ, પણ જીઈબીના કર્મચારીઓ નિયમોનું પાલન નહી કરે તો કોઈ કાર્યવાહી કે દંડ નહીં.આમ જનતા કરે તો દંડ, જેમાં હાલની પરિસ્થિતિ માં સામાન્ય માણસ ડરતા-ડરતા ઘરેથી બહાર નિકળી રહ્યા છે.વધુ વાંચો -
ગણદેવીના કછોલી ગામે આંબાવાડીમાંથી કેરીની ચોરી
- 20, એપ્રીલ 2021 01:30 AM
- 5534 comments
- 380 Views
વલસાડ, નવસારી જિલ્લા ના ગણદેવી તાલુકા ના કછોલી ગામે ગત ૧૭ તરીખે મીનેશ ભાઈ નાયક ની આંબાવાડી માંથી ગામ ના જ બે ત્રણ વ્યક્તિઓ એ લગભગ ૮ મણ જેટલી કેરી ની ચોરી કરી હોવાના આક્ષેપ સાથે માર માર્યો હતો જે બાદ માર નો ભોગ બનેલા વ્યક્તિ તેની કોમ ના લોકો સાથે આયોજન કરી ગત રાત્રે મીનેશ ભાઈ અને તેમના સમર્થકો ના ઘરો પર પથ્થરમારો કર્યો હતો પથ્થરમારો થતા ગભરાયેલા લોકો એ તત્કાલ ધોરણે ગણદેવી પોલીસ ને જાણ કરી હતી મામલા ને શાંત કરવા માટે ગણદેવી પીએસઆઇ તેમની ટીમ સાથે તત્કાલ ધોરણે કાછોલી પહોંચ્યા હતા પરંતુ મામલો વધુ ગરમ જાેઈ તેવો એ નવસારી પોલીસ ને જાણ કરી હતી કોઈ દુઃખદ ઘટના ન ઘટે એટલા માટે નવસારી ડી વાય એસપી એચ જે રાણા જાતે પોલીસ ટીમ સાથે કાછોલી ગામે ઘટના સ્થળે આવી પહોચ્યા હતા. પરંતુ માર ના ભોગ બનેલા ઉશ્કેરાયેલા ટોળાં એ પોલીસ પર પણ પથ્થરમારો કરતા જીવ બચાવવા પોલીસે ભાગવું પડ્યું હતું ડી વાય એસપી રાણા ને માથા ના ભાગે એક પથ્થર વાગતા તેવો ઘાયલ થયા હતાવધુ વાંચો -
વાંસદામાં આવતીકાલથી ૨૮ એપ્રિલ સુધી આંશિક લોકડાઉન
- 20, એપ્રીલ 2021 01:30 AM
- 2414 comments
- 6146 Views
વાંસદા. કોરોનાની બીજી લહેર ગ્રામ્ય વિસ્તારમાં કાળો કેર વર્તાવી રહી છે. વાંસદા તાલુકા ૮ દિવસનું આંશિક લોકડાઉન કરવાનો નિણર્ય ભાજપ કોંગ્રેસના આગેવાનો ની હાજરીમાં ર્નિણય લેવાયો હતો. દરરોજ મોટી સંખ્યામાં લોકો કોરોનાથી સંક્રમિત પણ થઈ રહ્યા છે ત્યારે વાંસદા તાલુકા પંચાયતની સભાખંડ માં મળેલ સર્વદળ બેઠકમાં તા.૨૧-એપ્રિલના રોજ થી તા-૨૮-૦૪-૨૧ સુધી ૮ દિવસ માટે લોકડાઉન જાહેર કર્યું હતું. જાેકે, કોરોનાનું સંક્રમણ હજી પણ યથાવત્ હોય જેને લઇ સમગ્ર વાંસદા તાલુકો લોકડાઉન જાહેર કર્યો છે આ દરમિયાન ફક્ત દૂધ અને દવાની દુકાનો શરૂ રહેશે.અને દૂધની દુકાનો સવારે ૮ કલાક સુધી ખુલ્લી રહેશે બાકી તમામ દુકાનો બંધ રહેશે હાલમાં વધી રહેલ કોરોના મહામારીને વિકટ પરિસ્થિતિને લઇ કેસોને ધ્યાનમાં રાખી તાલુકા પંચાયત કચેરીમાં મળેલી ભાજપ કોંગ્રેસના આગેવાનો મળીને વધતા જતા કોરોના ના કેસ ની ચેન તોડવા તારીખ ૨૧-૪-૨૦૨૧ થી ૨૮-૪-૨૦૨૧ સુધી લોકડાઉન કરવાનો મહત્વનો ર્નિણય લેવાયો ભાજપ-કોંગ્રેસના આગેવાનોએ લીધો હતો.જિલ્લા પંચાયત શાસક પક્ષ નેતા શિવેન્દ્ર સિંહ સોલંકીએ કહ્યું કે વાંસદા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં હાલમાં વધતા કોરોના કેસને લઇ દિવસે-દિવસે ડઝનથી વધુ લોકો કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. આવી પરિસ્થિતિ વચ્ચે ગ્રામજનો સાવચેત રહે અને કોરોનાનુ સંક્રમણ અટકે તે માટે આગામી-૨૮-એપ્રિલ સુધી લોકડાઉનનું પાલન કરે આવશ્યક દવા મેડિકલ અને દૂધ ની દુકાનો સવારથી ૮ કલાક જ ખુલ્લી રાખવાનો આદેશ કરાયો હતો.વધુ વાંચો -
વાંસદા તાલુકાની આદિવાસી પ્રજા અમૃતમ કાર્ડની યોજનાથી વંચિત
- 17, એપ્રીલ 2021 10:22 PM
- 9980 comments
- 6096 Views
વાંસદાવાંસદા તાલુકો એ આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે. સરકારે લોકોનાં આરોગ્ય માટે મા અમૃતમ યોજના ઉત્કર્ષ કરેલ છે. જેનો લાભ પરિવારના પાંચ સભ્યોને આપવામાં આવે છે. માં અમૃતમ કાર્ડ અને માં વાત્સલ્ય કાર્ડ એટલે ગરીબ પરિસ્થિતિ અને જેને આર્થીક પરિસ્થિતિ સારી નહોય તેવા લોકોને જટિલ રોગોની સારવાર મફત માં થઇ શકે છે પરંતુ ધણા સમયથી વાંસદા તાલુકા હેલ્થ ઓફિસનો અંધેર નગરી ને ગંડુ રાજા જેવો વહિવટ ચાલતો હોવાનો ઘાટ સર્જાયો છે. વાંસદ તાલુકા હેલ્થમાં ઓપરેટરનો અભાવ તંત્ર પાપે” ત્રણ-ત્રણ દિવસ ધક્કા ખાઈ ને અંતે ગરીબ આદિવાસી પ્રજાએ “મા અમૃતમ કાર્ડ બનાવવા પરિવાર સહિત ચીખલી સુધી ધક્કા ખાવા પડે છે. તંત્રની આવી આંધળી વહીવટનો સીધો ભોગ ગરીબ આદિવાસી પ્રજા ભોગવી રહી છે. તંત્રની ઘોર બેદરકારી સામે આવતા લોકોમાં રોષ જાેવા મળી રહ્યો છે. મહામારીમાં પણ આરોગ્ય દર વખતે ઉંઘતું ઝડપાઇ રહ્યું છે આ બનાવો થી સ્પષ્ટ થાય છે કે, ગરીબ મધ્યમવર્ગીયો માટે આશીર્વાદ રૂપ યોજના યોજના છે. ગ્રામ્ય વિસ્તારના ગરીબી આદિવાસી પ્રજા માટે સરકારની યોજના ખાડે ગઈ છે. વારંવાર બનાવો બન્યા છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી. આવા બનાવો બહાર આવ્યા બાદ પગલા લેવાની અને તપાસ કરવાના ઠાલા વચનો આપવામાં આવે છે, પણ કોઈ પગલા લેવાતા નથી. જેમાં આરોગ્ય વિભાગના સત્તાધીશોના પેટનું પાણી પણ હલતુ નથી સંકટ સમયે આરોગ્ય તંત્ર પોતાનો લુલો બચાવ કરતું હોય તેમ ગલ્લાતલ્લા કરી આ બાબતે મને કશું ખબર નથી તેમ પોતાનો બચાવ કરતું આવ્યું છે.તંત્ર દ્રારા મા અમૃતમ કાર્ડ બનાવતા પાર્ટ ટાઇમ ઓપરેટરને પૂરતું ભથ્થુ ન મળવાથી તદ્ ઉપરાંત મલ્ટિપલ કામ કરવાનું ભારણ આવતું હોઈ ઓપરેટરે છોડીને જતા રહ્યા હોવાની રાવ આવેલ છે. ઓપરેટરના અભાવનો ભોગ ગરીબ લોકો બને છે ઃ જશવંત પટેલ એડવોકેટ જશવંતભાઇ પટેલે કહ્યું કે ગરીબી મધ્યમવર્ગના લોકો માટે માં અમૃતમ યોજના કલ્યાણકારી યોજના છે.આ યોજનાથી આશ્રીતો પાંચ લાખ સુધી કેશલેશ લાભ એટલે કે ખિસ્સામાંથી પૈસા આપ્યા વગર શહેર તથા રાજ્યભરમાં માન્યતા પ્રાપ્ત નેટવર્ક હોસ્પીટલોમાં સારવાર મેળવી શકશે.વાંસદા તાલુકામાં જ તથા દરેક ગ્રા.પં મા અમૃતમ કાર્ડ વહેલી તકે બનાવાના ફરી શરૂ થાય અને આ યોજના માં કોરોના મહામારી માં પણ લાભ મળે વાંસદા તાલુકામાં જ મા’ અમૃતમ કાર્ડ વહેલી તકે બનાવાના ફરી શરૂ થાય એવી અપીલ કરી હતી.વધુ વાંચો -
ગુજરાતમાં આગામી 10 દિવસ કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બનશે ?
- 10, એપ્રીલ 2021 03:37 PM
- 3625 comments
- 4246 Views
વડોદરા-વડોદરા સહિત ગુજરાતની કોવિડ હોસ્પિટલોમાં રોજ દર્દીઓના દાખલ થવાની સંખ્યા વધતી જાય છે. આરોગ્ય વિભાગ બેડની સંખ્યા વધારે તો છે, પરંતુ દાખલ દર્દીઓની વધતી જતી સંખ્યા વધુ ચિંતાજનક છે. વડોદરામાં એક જ દિવસમાં ૬૩૦ દર્દીઓ હોસ્પિટલોમાં દાખલ થયા હતા. એટલે પ્રતિ કલાકે સરેરાશ ૨૬ દર્દીઓ દાખલ થયા હતા. જેથી ૬૭૮૦ બેડ ભરાયેલા રહ્યા હતાં અને ૨૬૯૨ બેડ જ ખાલી રહ્યાં હતાં. છેલ્લાં એક સપ્તાહથી હોસ્પિટલોમાં જે રીતે બેડની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે જાેતા આગામી ૧૦ દિવસ કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બનશે તેવુ જાણકારોનુ અનુમાન છે. લોકો તંત્રના ભરોશે બેસી ન રહે. લોકોએ માસ્ક અવશ્ય પહેરવુ જાેઈએ અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવુ જાેઈએ. બને તો કામ વિના ઘરની બહાર જ ન નીકળવુ જાેઈએ. આરોગ્ય વિભાગ કોરોનાના સરકારી આંકડા જાહેર કરે છે, પરંતુ તે આંકડા પાછળનુ સત્ય તેઓ પોતે સારી રીતે જાણે છે અને વડોદરાની આગામી ટૂંકા દિવસોની ભાવી સંભવિત ડરાવની પરિસ્થિતિથી તેઓ વાકેફ હશે. વિશ્વાસપાત્ર સૂત્રોએ કહ્યું હતું કે, શહેરમાં કોરોનાના કેસો માત્ર વધતા નથી, પરંતુ તે ચોંકાવી દે તે રીતે વધી રહ્યાં છે જે ચિંતાનો વિષય છે. તંત્ર તરફથી હોસ્પિટલોમાં બેડની સંખ્યા આગોતરા આયોજન પ્રમાણે સમ્યાંતરે વધારવામાં આવી રહી છે. તેમ છતાં પણ હોસ્પિટલામાં જે રીતે દર્દીઓની દાખલ થવાની સંખ્યા વધી છે તેના કારણે ચિંતાના વાદળો ઘેરી રહ્યાં છે. વડોદરામાં તા.૩જી એપ્રિલે ૮૪૪૮ બેડ ઉપલબ્ધ કરાવાયા હતા. તો તે દિવસે વિવિધ હોસ્પિટલોમાં મળીને કુલ ૫૮૬૯ દર્દીઓ દાખલ હતાં. એટલે કે ૨૫૭૯ બેડ ખાલી હતાં. તા. ૫મી એપ્રિલે ૪૫૮ દર્દીઓ એક જ દિવસમાં દાખલ થયા હતાં. જેથી ૬૩૨૭ બેડ ભરાઈ ગયા હતા. તંત્રએ તે દિવસે ૩૪૧ બેડ વધાર્યા હતા ત્યારે ૨૪૬૨ બેડ જ ખાલી રહ્યાં હતાં. ૬ઠ્ઠી એપ્રિલે ૮૯૯૯ બેડની વ્યવસ્થા કરાઈ હતી. જેમાં વધુ ૭૮ દર્દીઓ દાખલ થતા કુલ ૬૪૦૫ બેડ ભરાઈ ગયા હતા અને ૨૪૯૪ બેડ ખાલી હતા અને ૭મી એપ્રિલે ૯૪૭૨ બેડ ઉપલબ્ધ કરાવાયા હતા, પરંતુ તેની સામે ૩૭૫ દર્દીઓ આજે એક જ દિવસમાં દાખલ થયા હતાં. એક જ દિવસમાં ૩૯૫ દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા તે પૈકી ૩૭૫ દર્દીઓ તો હોસ્પિટલમાં જ દાખલ થયા હતાં. જેથી ૨૬૯૨ બેડ જ ખાલી રહ્યાં હતાં. જ્યારે તા.૮મી એપ્રિલે રાતે ૯.૩૦ કલાકની સ્થિતિએ જાેઈએ તો ૯૭૬૩ બેડ ઉપલબ્ધ હતાં. તે પૈકી ૭૦૨૫ બેડ ભરાઈ ગયા હતા અને ૨૭૩૯ બેડ જ ખાલી હતાં. એટલે કે મોતને ભેટેલા દર્દીઓ અને સ્વસ્થ્ય થઈને ડીસ્ચાર્જ કરી દીધેલા દર્દીઓને બાદ કર્યા પછી પણ બરોબર ૨૪ કલાક બાદ હોસ્પિટલમાં આજે વધુ ૬૨૦ દર્દીઓ દાખલ થયા હતા. એટલે કે પ્રતિ કલાકે સરેરાશ ૨૬ દર્દીઓ દાખલ થતા રહેતા હતા. તંત્ર બેડ વધારતુ જાય છે અને દાખલ થતા દર્દીઓની સંખ્યા પણ ચિંતાજનક રીતે વધતી જ જાય છે. આખરે તંત્ર બેડ વધારી વધારીને કેટલા વધારી શકશે ? એક સમય એવો આવશે કે હોસ્પિટલનુ ઈન્સ્ટ્રાક્ચર જ જવાબ આપી દેશે ત્યારે શું કરી શકાશે ? દર્દીઓની દાખલ થવાની સંખ્યા તો સતત વધી રહી છે. હાલની પરિસ્થિતિ અંગે જાણકારોએ કહ્યું હતું કે, આગામી ૧૦ દિવસ તંત્ર માટે ચેલેન્જીંગ રહેશે અને શહેર માટે ખુબ જ વિકટ બની રહેશે તેવા સંકેતો મળી રહ્યાં છે. શહેરમાં કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બને તો નવાઈ નહીં. લોકો તંત્રના ભરોશે બેસી ન રહે, જાતે જાગૃત્તતા દાખવે તે હવે ખુબ જરૂરી બન્યુ છે. તંત્ર પોતાનુ કામ કરે છે, પરંતુ જનતાએ ઘરની બહાર નીકળતી વખતે ફેસ માસ્ક અવશ્ય પહેરવુ જાેઈએ અને પૂરતા સમય માટે પહેરવુ જાેઈએ તેમજ સોશ્યલ ડિસ્ટન્સિંગનુ ખાસ ધ્યાન રાખવુ જાેઈએ. જેથી સંક્રમણથી બચી શકાય. તેમજ બને તો લોકોએ જરૂરી કામ વિના ઘરની બહાર જ નીકળવુ ન જાેઈએ અને ટોળે તો વળવુ જ ન જાેઈએ. હવે કોરોનાનુ સંક્રમણ રોકવુ પ્રજાના હાથમાં છે. આગામી ૧૦ દિવસ શહેર માટે ખુબ મુશ્કેલીભર્યા સાબિત થઈ શકે છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 4541 પોઝીટીવ કેસ, 42 ના મોત, કુલ 3,37,015 કેસ
- 10, એપ્રીલ 2021 03:13 PM
- 2809 comments
- 4481 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 4541 થી વધુ નોંધાયા છે. જેની સામે 2280 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 42 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4697 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 4541 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,37,015 થયો છે. તેની સામે 3,09,626 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. અમદાવાદમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 3500 થી વધુ થઈ જાય છે, જ્યારે રાજ્યના 3,37,015 ની સામે પોઝીટીવ કેસોની સંખ્યા 22692 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,37,015 જેટલી થઈ જાય છે. રાજ્યમાં હાલ 22692 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 187 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 22505 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,09,626 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4697 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 12 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 3575 પોઝીટીવ કેસ, 22 ના મોત, કુલ 3,28,453 કેસ
- 08, એપ્રીલ 2021 03:03 PM
- 4915 comments
- 1485 Views
ગાંધીનગર-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 3575 થી વધુ નોંધાયા છે. જેની સામે 2217 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 22 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4620 ઉપર પહોચી ગયો છે. ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 3280 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,28,453 થયો છે. તેની સામે 3,05,149 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. અમદાવાદમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 3200 થી વધુ થવા જાય છે, જ્યારે રાજ્યના 3,28,453 ની સામે પોઝીટીવ કેસોની સંખ્યા 18684 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,28,453 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 18684 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 175 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 18509 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,05,149 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4620 દર્દીઓના મોત થયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 3280 પોઝીટીવ કેસ, 17 ના મોત, કુલ 3,24,878 કેસ
- 07, એપ્રીલ 2021 03:05 PM
- 9858 comments
- 4366 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 3280 થી વધુ નોંધાયા છે. જેની સામે 2167 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા, તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 17 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4598 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 3280 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,24,878 થયો છે. તેની સામે 3,02,932 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 17348 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,24,878 જેટલી થઇ જાય છે. રાજ્યમાં હાલ 17,348 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 171 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 17177 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,02,932 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4598 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 07 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 3160 પોઝીટીવ કેસ, 15 ના મોત, કુલ 3,21,598 કેસ
- 06, એપ્રીલ 2021 02:45 PM
- 8373 comments
- 2639 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 3160 થી વધુ નોંધાયા છે. જેની સામે 2018 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 15 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4581 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 2410 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,21,598 થયો છે. તેની સામે 3,00,765 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા સામે એક્ટીવ કેસોની સંખ્યા 16252 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,21,598 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 16252 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 167 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 16085 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,00,765 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4581 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 06 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 2,875 પોઝીટીવ કેસ: 14 ના મોત, કુલ 3,18,238 કેસ
- 05, એપ્રીલ 2021 02:51 PM
- 4205 comments
- 1758 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 2875 થી વધુ નોંધાયા છે. જેની સામે 2024 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 14 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4566 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 2410 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,18,238 થયો છે. તેની સામે 2,98,737 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 3,18,238 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 15135 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,18,238 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 15135 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 163 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 14972 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,98,737 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4566 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 04 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગણિત - વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ
- 26, માર્ચ 2021 01:30 AM
- 3260 comments
- 4215 Views
નવસારી શાળા વિકાસ સંકુલમાં શ્રેષ્ઠ જાહેર થયેલ ૩૦ કૃતિમાંથી શ્રેષ્ઠ પાંચ કૃતિની પસંદગી માટે જીલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે પ્રક્રિયા કરવામાં આવી હતીવધુ વાંચો -
વાંસદાના વિદ્યાર્થીઓને પડતી સમસ્યા હલ કરવા એસટી વિભાગને ફરિયાદ
- 26, માર્ચ 2021 01:30 AM
- 3976 comments
- 4451 Views
વાંસદા. ગુજરાત એસ.ટી નિગમ દ્વારા જાહેર જનતા માટે વાહન વ્યવહારની સુવિધા આપવામાં આવે છે, જાે કે કેટલાક બસ ચાલકોની બેજવાબદારી ના લીધે વાંસદા પંથક ની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત લોકો આ સુવિધાથી વંચિત રહી જતા હોય છે. વહેલી સવારે શાળામાં જવા માટે સ્કુલ યુનિફોર્મ સાથે ઉભેલા વિદ્યાર્થીઓએ વલસાડથી આહવા જતી બસ અને બીલીમોરા આહવા બસને હાથ બતાવ્યો છતાં ચાલકે બસને ઉભી ન રાખી પુરપાટ ઝડપે દોડાવી મૂકી હતી. રોજ બરોજ આવી ફરિયાદને લઈને આવા બેદરકાર બસ ચાલકોને કારણે યોગ્ય સમયે શાળામાં ન પહોંચતા વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર અસર પડે છે અને લોકો સમયસર કામની જગ્યાએ પહોંચવા ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે. અવારનવાર જાેવા મળતી આ પ્રકારની સમસ્યા અને બસના ચાલકોની વર્તણુકને લઈને એસ.ટી મુસાફરી કરતા સ્થાનિક લોકોએ વાંસદાના આગેવાન અને જિલ્લા પંચાયતના શાસકપક્ષના નેતા શિવેન્દ્રસિંહ સોલંકીને રજુઆત કરતા તેઓએ એ.ટી વિભાગ વલસાડના ડિવિઝન કંટ્રોલર અધિકારીને આવા ચાલકો દ્વારા થતી આ પ્રકારની બેદરકારી ન ચલાવી લેવા યોગ્ય સૂચના આપી કાર્યવાહી કરવા જણાવ્યું હતું.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 890 પોઝીટીવ કેસ, 01 મોત, કુલ 2,79,097 કેસ
- 16, માર્ચ 2021 03:11 PM
- 9571 comments
- 5172 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 890 થી વધુ નોંધાયા છે. જેની સામે 594 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4425 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 890 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,79,097 થયો છે. તેની સામે 2,69,955 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,79,097 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 4717 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,79,097 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 4717 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 56 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 4661 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,69,955 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4425 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીનુ મૃત્યુ નોંધાયેલ છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 810 પોઝીટીવ કેસ, 02 ના મોત, કુલ 2,78,207 કેસ
- 15, માર્ચ 2021 02:49 PM
- 7983 comments
- 4346 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 810 થી વધુ નોંધાયા છે. જેની સામે 586 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 02 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4424 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 810 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,78,207 થયો છે. તેની સામે 2,69,361 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,78,207 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 4422 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,78,207 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 4422 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 54 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 4368 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,69,361 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4424 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 02 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
જોજો, કેબીસીના નામે તમારી સાથે ક્યાંક આવી છેતરપિંડી ન થઈ જાય
- 13, માર્ચ 2021 09:48 AM
- 3005 comments
- 8073 Views
નવસારી-નવસારી તાલુકાના ખેરગામમાં રહેતા આદિવાસી યુવાનના પ્રેમલગ્નના ૪ માસ બાદ કોઈ અગમ્ય કારણસર આંબાની વાડીમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેવાની ઘટનામાં નવો વળાંક આવ્યો છે, જેમાં આ યુવકના ફોન પર કેબીસીના નામે રૂ. ૨૫ લાખનું ઇનામ લાગ્યું હોવાનું કહી વિશ્વાસમાં લઈ ટેક્સના નામે નાણાં ભરવાનું જણાવતાં રૂ. ૧.૩૬ લાખથી વધુ રકમ ઓનલાઇન રકમ જમા કરાવવા છતાં પણ નાણાંની વધુ માગ કરાઈ હતી, જેથી દેવું થઈ જતા આ આદિવાસી યુવાને જીવન ટૂંકાવ્યું હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું. આ બાબતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. નવસારી તાલુકાના ખેરગામમાં રહેતા નિરલ નાનુભાઈ હળપતિ (ઉં.વ. ૨૨) માતાપિતા સાથે રહેતો હતો અને નવસારીમાં આવેલા શોપિંગ સેન્ટરમાં કામ કરતો હતો. તેણે ૪ માસ પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા. ૧૦મી માર્ચે સવારે ઘરેથી કામ પર જવા નીકળી ગયો હતો. તેની લાશ ખેરગામના સંતોષભાઈની વાડીમાં લટકતી જાેવા મળી હતી. આ બાબતે સ્થાનિકોએ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. આ ઘટનામાં બીજા દિવસે નવો વળાંક આવ્યો હતો, જેમાં નિરલ હળપતિએ દેવું વધી જતાં આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું હતું. મળતી માહિતી મુજબ, કેબીસીના નામે ૨૫ લાખ જીત્યા છો એમ અજાણ્યા લોકોએ ફોન પર વાતચીત કરીને ફોટા અને દસ્તાવેજાે મગાવીને વડાપ્રધાન મોદી અને અમિતાભ બચ્ચનના ફોટાવાળું સરકારી પ્રમાણપત્ર બનાવી આપીને ટેક્સના નામે નાણાંની ઉઘરાણી ફોન પર ચાલુ કરી હતી, જેમાં આ યુવાને ટુકડે ટુકડે અને લોકો પાસે ઉધાર માગી રૂ. ૧.૩૯ લાખ જેટલી માતબર રકમ અરુણ ગોબિંદ નામની વ્યક્તિના ખાતામાં ઓનલાઇન ભર્યા હતા. જેકપોટનાં નાણાં જમા ન થતાં નાણાભીડમાં આવી અંતે ૨૨ વર્ષીય નિરલ હળપતિએ જીવન ટૂંકાવ્યું હોવાનું તેમનાં પરિવારજનોએ જણાવ્યું હતું. આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. નિરલ હળપતિને એક ફોન આવ્યો હતો, જેમાં સોશિયલ મીડિયામાં હોઈ કોન બનેગા મહાકરોડપતિ સ્કીમમાં કમ્પ્યુટરમાં તમારા નંબરને રૂ. ૨૫ લાખનું ઇનામ લાગ્યું છે, એમ જણાવી પોતાની ઓળખ અરુણ તરીકે આપી તમે ઇનામ બાબતે કોઈ જાહેરાત કરશો નહીં અને જાણ કરશો તો તમારો નંબર કોઈ બંધ કરી તેમના નામે કરાવી લેશે અને ઇનામની રકમ તેમના ખાતામાં જમા થશે, જેથી આ વાત કોઈને કહેતા નહીં, એમ જણાવી વિશ્વાસમાં લીધો હતો.વધુ વાંચો -
પુત્રવધુ માટે સાસુ આવી ઉદારતા બતાવી શકે ખરી, જૂઓ અહીં
- 13, માર્ચ 2021 09:28 AM
- 7284 comments
- 9646 Views
નવસારી-હાલના ટેક્નોલોજી અને મોડર્ન જમાનામાં અનેક રૂઢિઓ નાબૂદ થઈ ગઈ છે, જાેકે હજુ પણ સમાજમાં અનેક રિવાજાે એવા છે કે, જેને તિલાંજલિ આપવાનો સમય પાકી ગયો છે. અમુક વય મર્યાદા વટાવ્યા બાદ જાે કોઈ પરિણીત મહિલા કે પુરુષનું મૃત્યુ થાય તો તેમને આખું જીવન વિધુર કે વિધવા તરીકે ગુજારવું પડે છે. ત્યારે નવસારીમાં અનાવિલ પરિવારે સમાજને નવી રાહ ચીંધતાં ૩ વર્ષ પહેલાં વિધુર બનેલા વિકેનભાઇ અને ગત વર્ષે વિધવા થયેલાં દીપ્તિબેનના મનમેળાપ કરાવી શિવરાત્રિએ લગ્નગ્રંથિ જાેડ્યા હતા, જેમાં સાળાએ બનેવી અને સાસુએ પુત્રવધૂને નવું લગ્નજીવન અપાવ્યું હતું. મૂળ તલિયારાના અને હાલ વલસાડ રહેતા વિકેનભાઇ નાયકનાં પત્નીનું ત્રણ વર્ષ અગાઉ અવસાન થયું હતું અને નવસારીના દીપ્તિબેન દેસાઇના પતિનું કોરોનાના કારણે ગત વર્ષે અવસાન થયું હતું. બન્નેના પરિવારોની સાથે તેમના શ્વસુરપક્ષને પણ તેમનું આ એકલવાયું જીવન જાેવાતું ન હતું. વિકેનભાઇ કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કરે છે અને દીપ્તિબેન બ્યૂટીપાર્લરનો વ્યવસાય કરે છે. દીપ્તિબેન વિકેનભાઇના સાળા હિરેનભાઇનાં પત્ની વંદનાબેનને ત્યાં ઘણીવાર બ્યૂટીપાર્લરના કામ માટે જતા હતા. આ દરમિયાન હિરેનભાઇ અને તેમના મામા કિરણભાઇને વિચાર આવ્યો કે વિકેનભાઇ અને દીપ્તિબેનના લગ્ન વિશે આપણે વાત કરવી જાેઈએ. હિરેનભાઇએ દીપ્તિબેનનાં સાસુ, નણંદ અને નણદોઇને આ બાબતે વાત કરી અને તેમને વિચાર સારો લાગ્યો. જાેકે શરૂઆતમાં દીપ્તિબેનને ફરી લગ્નગ્રંથિથી જાેડાવવાની કોઇ ઇચ્છા ન હતી, બાદમાં તેમને સાસુ અને નણંદ હેમાબેને સમજાવીને પ્રેરણા આપી. ત્યાર બાદ તેઓ માન્યાં હતાં. શિવરાત્રિના પાવન દિને ૪ પરિવારે એકસાથે મળીને વિકેનભાઇ નાયક અને દીપ્તિબેન દેસાઇના પુનઃલગ્ન કરાવી સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ આપ્યા હતા. દીપ્તિબેનનાં સાસુએ તેમને દીકરીની જેમ પરણાવીને ભાવુક થઇ ગયાં હતાં. આ સાથે જ હાજર દરેક સભ્યની આંખ પણ ભીની થી ગઈ હતી. વિકેનભાઇ નાયકનો એક પુત્ર પણ છે, જે ઓસ્ટ્રેલિયા છે અને તેણે પણ અનોખા લગ્ન ઓનલાઇન નિહાળ્યા હતા. વિકેનભાઇ અને દીપ્તિબેનના લગ્નએ અનાવિલ સમાજ અને અન્ય સમાજાેને માટે નવો રાહ ચીંધ્યો છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 700 પોઝીટીવ કેસ, કુલ 2,75,907 કેસ
- 12, માર્ચ 2021 03:01 PM
- 9427 comments
- 2819 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 700 થી વધુ નોંધાયા છે. જેની સામે 451 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4418 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 700 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,75,907 થયો છે. તેની સામે 2,67,701 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. અગર રાજ્યવાર માહિતી જોવા જઈએ તો રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,75,907 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3788 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,75,907 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3788 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 49 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3739 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,67,701 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4418 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે કોરોના થી કોઈ મૃત્યુ નોંધાયા નથી.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 675 પોઝીટીવ કેસ, કુલ 2,75,197 કેસ
- 11, માર્ચ 2021 02:50 PM
- 9927 comments
- 1842 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 675 થી વધુ નોંધાયા છે. જેની સામે 484 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4418 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 675 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,75,197 થયો છે. તેની સામે 2,67,250 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,75,197 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3529 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,75,197 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3529 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 47 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3482 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,67,250 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4418 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 00 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 581 પોઝીટીવ કેસ, 02 ના મોત, કુલ 2,74,522 કેસ
- 10, માર્ચ 2021 03:40 PM
- 8865 comments
- 9907 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 581 થી વધુ નોંધાયા છે. જેની સામે 453 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 02 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4418 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 581 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,74,522 થયો છે. તેની સામે 2,66,766 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,74,522 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3338 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,74,522 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3338 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 43 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3295 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,66,766 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4418 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીનુ મૃત્યુ નોંધાયેલ છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 555 પોઝીટીવ કેસ, 01 ના મોત, કુલ 2,73,941 કેસ
- 09, માર્ચ 2021 03:07 PM
- 7838 comments
- 2490 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 555 થી વધુ નોંધાયા છે. જેની સામે 482 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4416 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 555 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,73,941 થયો છે. તેની સામે 2,66,313 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,73,941 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3212 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,73,941 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3212 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 41 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3171 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,66,313 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4416 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
શેકાવા માટે તૈયાર રહેજો: ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રી આસપાસ પહોંચશે
- 09, માર્ચ 2021 02:13 PM
- 4154 comments
- 648 Views
ગાંધીનગર-રાજ્યમાં ધીમે ધીમે ગરમીનો પારો વધી રહ્યો છે. રાજ્યનાં ૧૪ શહેરોમાં ગરમીનો પારો ૩૫ ડીગ્રીને પાર પહોંચી ગયો છે. આગામી દિવસોમાં હજુ પણ ગરમીનો પારો વધુ ઊંચકાય એવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં માર્ચથી મે મહિના સુધી તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેશે. બીજી તરફ, રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆત થતાં જ અનેક જગ્યાએ કાળઝાળ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. રાજ્યનાં શહેરોમાં ગરમીના પારાની વાત કરીએ તો અમદાવાદમાં ગરમીનો પારો ૩૭.૫ ડીગ્રીએ પહોંચ્યો હતો. તો ગાંધીનગરમાં ગરમીનો પારો ૩૬.૮ ડીગ્રી સુધી પહોંચ્યો હતો. ડીસામાં ૩૬.૪ ડીગ્રી, વલ્લભવિદ્યાનગરમાં ૩૬.૭ ડીગ્રી, વડોદરામાં ૩૬.૬ ડીગ્રી, સુરતમાં ૩૫.૫ ડીગ્રી, અમરેલીમાં ૩૭.૮ ડીગ્રી, ભાવનગરમાં ૩૫.૨ ડીગ્રી, રાજકોટમાં ૩૭.૬ ડીગ્રી સુરેન્દ્રનગરમાં ૩૭.૮ ડીગ્રી, મહુવામાં ૩૫.૬ ડીગ્રી, કેશોદમાં ૩૫.૨ ડીગ્રી, ભુજમાં ૩૫ ડીગ્રી નોંધાયું હતું. માર્ચની શરૂઆતની સાથે જ અમદાવાદ સહિતનાં શહેરમાં ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. હાલમાં સવારના સમયે શિયાળા જેવી ગુલાબી ઠંડી અને બપોરના સમયે ગરમી એમ બવેડી ઋતુની અહેસાસ થઈ રહ્યો છે. આ વખતે ચોમાસામાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડ્યો હતો. અનેક વિસ્તારોમાં તો અતિ વૃષ્ટિ જેવી હાલત હતી. હવે હવામાન વિભાગે ઉનાળાને લઈને આ વખતે વધારે ગરમી પડવાનું પૂર્વાનુમાન કર્યું છે ત્યારે લોકોએ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું રહેવું પડશે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 575 પોઝીટીવ કેસ, 01 ના મોત, કુલ 2,73,386 કેસ
- 08, માર્ચ 2021 03:06 PM
- 6872 comments
- 8969 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 575 થી વધુ નોંધાયા છે. જેની સામે 459 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4415 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 575 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,73,386 થયો છે. તેની સામે 2,65,831 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,73,386 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3041 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,73,386 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3041 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 46 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3094 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,65,831 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4415 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીના મૃત્યુ નોંધાયેલ છે.વધુ વાંચો -
ઉનાળાની એન્ટ્રીઃ ગુજરાતમાં ધીમે ધીમે ગરમીના પારામાં વધારો
- 08, માર્ચ 2021 02:31 PM
- 2033 comments
- 6731 Views
ગાંધીનગર-ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે ગરમીના પારામાં વધારો થયો છે. રાજ્યમાં ગરમીના પ્રભુત્વમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે ૧૧ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો ૩૭ ડિગ્રીથી વધુ રહ્યો હતો જ્યારે ૩૯ ડિગ્રી સાથે ગાંધીનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ૩૮.૯ ડિગ્રી સાથે વર્તમાન સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૪.૯ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી ૩ દિવસ દરમિયાન અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન ૩૮ જ્યારે સરેરાશ લઘુતમ તાપમાન ૧૯ ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. રાજ્યમાંથી અન્યત્ર જ્યાં ૩૮ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું તેમાં ડીસા, વલ્લભ વિદ્યાનગર, વડોદરા, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં હાલ ઉત્તર પશ્ચિમ દિશાનો પવન છે. આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની કોઇ સંભાવના નથી. પરંતુ ઉત્તર ગુજરાત, સૌરષ્ટ્ર-કચ્છમાં આગામી ૨૪ કલાક દરમિયાન તાપમાન ૩૭થી ૩૯ ડિગ્રીની વચ્ચે રહેશે. આગામી ૪-૫ દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની પણ સંભાવના નથી.વધુ વાંચો -
વાંસદાના સિણધઇના લીલવણ ફળિયામાં સુવિધાનો અભાવ
- 08, માર્ચ 2021 01:30 AM
- 3336 comments
- 407 Views
વાંસદા. રાજયમાં ગતિશીલ ગુજરાત અને દેશમાં અચ્છેદિનની વાતો ફક્ત વાગોળવામાં જ આવે છે. તો વળી ગુજરાતના વિકાસ મોડેલને દેશનું વિકાસ મોડેલ ગણાવવામાં આવી રહ્યું છે. પણ અહીં વાંસદાના છેવાડે આવેલ લીલવણ ફળિયાની વાસ્તવિકતા કંઈક જુદી જ જાેવા મળી છે.વાંસદા તાલુકાના સિણધઈ ગામનું લીલવણ ફળિયું આઝાદીના છ દાયકા વીતી ગયા છતાં પણ રસ્તા પાણી આવાસ જેવી સુવિધાઓથી વંચિત રહી જવા પામ્યો. જેમાંનું એક લીલવણ ફળિયું આજે પણ રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઈટ, પાણી જેવી પાયાની સુવિધા નથી મળી. જેથી અહીં વસતા થી પરિવારો ખુબજ દયનીય સ્થિતિમાં જીવન વ્યતિત કરી રહ્યા છેઆઝાદીના વર્ષો બાદ પણ પાકા રસ્તાથી હજુ પણ વંચિત રહેવા પામ્યું છે. પાકો રસ્તો નહી હોવાથી વિદ્યાર્થીઓએ ભારે હાલાકી પડે છે.જ્યારે ચોમાસામાં કાદવ કીચડ માંથી ચાલીને ૩.કિલો મીટર સુધી જવું પડે છે. ભારે મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે. ત્યારે સત્વરે તંત્ર દ્વારા આ હાલાકી દૂર કરી ગ્રામજનો માટે પાકો રસ્તો બનાવાય તેવી માંગ ઉઠવા પામી છે. આઝાદીના દાયકાઓ બાદ પણ આ લીલવણ ગામ વિકાસ વિહોણું, ગ્રામજનો પરેશાન થયા છે જેમાં ગતિશીલ ગુજરાતમાં વિકાસની મોટી મોટી વાતો થઇ રહી છે ત્યારે વાંસદા તાલુકાના સિણધઈ આદિવાસી વિસ્તારનું એક એવું ફળિયું કે જ્યાં આઝાદી પછી ગ્રામજનોને પાકો રસ્તો મળ્યો નથી થી છુટા છવાયા ઘરની વસ્તી વાળું લીલવણ ફળિયા આવેલું છે. આ ગામ ના લોકો ને પોતાના દૈનિક કામકાજ માટે અને વિદ્યાર્થીઓ ને અભ્યાસ માટે લાંબો ચકરાવો કરીને ઉનાઈ આવવું પડે છે. આ ગામમાં આદિવાસી સમાજ ના લોકો વસવાટ કરે છે અને ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવેછે પોતાના કોઈપણ કામકાજ ખરીદી કે અન્ય કોઈ વ્યવહાર માટે ઉનાઈ ગામે આવવું પડે છે. આ લીલવણ ફળિયાનો રસ્તો સાવ કાચો છે.ત્યાંના લોકો ને ખરીદી કરવા કે અન્ય કોઈ ચીજ વસ્તુ લેવા આ રસ્તે થઇ ને જ જવું પડે છે. ચોમાસામાં ગટરનું પાણી આ રસ્તા પર ભરાઈ જવાના કારણે ગામ લોકો સંપર્ક વિહોણા થઇ જાય છે બીમારી ના સમયે દર્દી ને ખાટલા માં નાખી લઇ જવો પડે છે સરકાર ની આરોગ્ય લક્ષી ૧૦૮,સેવા પણ ગામ માં પહોંચી શકતી નથી.સ્થાનિક નેતા સહિત ગ્રામ પંચાયતના ચૂંટાયેલા મહિલા સભ્યએ તેના વિકાસ બાબતે આંખ આડા કાન કર્યા છે.વધુ વાંચો -
ચીખલીના રૂમલ ગામે વીજકંપની દ્વારા ગ્રાહકોની સરેઆમ લૂંટનો આક્ષેપ
- 06, માર્ચ 2021 01:30 AM
- 9270 comments
- 7441 Views
વલસાડ નવસારી જિલ્લા ના ચીખલી તાલુકા માં રૂમલા ગામે કાર્યરત વિજવિભાગ દ્વારા નડગધરી ગામ ના કેટલાક ગ્રાહકો ને આપવા માં આવેલ ઘર ના મીટર બીલો માં ભારે ગોબચારી થયા હોવાનો મામલો બહાર આવ્યો છે ગ્રાહકો ને આપવા માં આવતા બીલો માં લખવા માં આવેલ રકમ ના સરવાળા ની રકમ કરતા વધારે રકમ લખી ને બિલો પધરાવવા માં આવ્યા છે.રૂમલા વીજ વિભાગ ના બીલિંગ હેેેડ વિજયપારગી ની ભ્રષ્ટનીતિ ને કારણે વીજ વિભાગ ના ઉચ્ચ હોદ્દા પર રહેલ જવાબદાર નિષ્ઠાવાન અધિકારીઓ ને ગ્રાહકો બાન માં લઇ રહ્યા છે.મળેલી વીગતો પ્રમાણે નડગધરી પટેલ ફળિયા ના વીજ ગ્રાહક મહાલા જશવંતભાઈ નાગજી ભાઈ ના બીલ માં એનર્જી ચાર્જ ૧૧૬૭ રૂપિયા અને ફ્યુલ ચાર્જ ૧૩૮ રૂપિયા બતાવવામાં આવેલ છે અને ફિક્સ ચાર્જ ૩૦ રૂપિયા બીલ માં લખેલ છે કુલ રકમ નો સરવાળો રૂપિયા ૧૩૩૫ થાય છે પરંતુ બીલિંગ હેડ વિજય પારગી ના ઈસારે બીલ માં ૧૯૮૩ રૂપિયા લખી ક્રેડિટ ના ૧.૭ રૂપિયા બાદ કરી ૧૯૮૨ રૂપિયા વસુલ કરવા માં આવ્યો હતો ગ્રાહકે વિજવિભાગ માં જઈ રજુવાત પણ કરી હતી પરંતુ વિજય પારગી એ તેનું એક પણ વાત ન માની બીલ ની રકમ ભરવા મજબુર કરી દીધો હતો આખરે ગ્રાહક મીટર કપાઈ જવાના બીકે મજબુર થઈ બીલ ની ભરપાઈ કરી હતી. આ બાબત ની રજુવાત ગ્રાહકે તેમના સરપંચ ને કરતા તેમણે પણ પોતા નું બીલ ની ચકાસણી કરી તો તેમના બીલ માં પણ કુલ રકમ ના સરવાળા થાય તેના કરતાં વધારે રકમ લખેલ હોવાની માહિતી સામે આવી હતી. નડગધરી પટેલ ફળિયા ના જ ડાહ્યાભાઈ સોનજી ભાઈ પટેલબ ના બીલ માં એનર્જી ચાર્જ ૧૦૦ અને ફ્યુલ ચાર્જ ૬૮ રૂપિયા ના સરવાળો કરતા ૧૬૮ રૂપિયા થાય છે પરંતુ બીલ ની રકમ ૨૦૬ રૂપિયા નુ લખી તેમાં ૨ . ૭૪ ઝ્રઇ ની રકમ ઘટાડી ૨૦૩ રૂપિયા નું બીલ પધરાવ્યું છે.વધુ વાંચો -
શૈક્ષણિક સ્ટાફને સાતમા પગારપંચનો મળશે લાભ, શિક્ષણમંત્રી ચુડાસમાએ ગૃહમાં કરી જાહેરાત
- 05, માર્ચ 2021 03:53 PM
- 2066 comments
- 2531 Views
ગાંધીનગર-રાજ્યમાં આવેલી યુનિવર્સીટીના શૈક્ષણિક સ્ટાફ માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા યુનિવર્સીટીના શૈક્ષણિક સ્ટાફને સાતમા પગારપંચનો લાભ આપવાનું ગૃહમાં શિક્ષણમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. સરકારના અ નિર્ણયથી રાજ્યની તમામ યુનિવર્સીટીના શૈક્ષણિક સ્ટાફમાં આનંદ છવાઈ જવા પામ્યો હતો. રાજ્યમાં આવેલી યુનિવર્સીટીમાં ફરજ બજાવતા શૈક્ષણિક સ્ટાફ દ્વારા તેઓની પડતર માંગણીઓને લઈને અનેકવાર સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે તાજેતરમાં જ 6 મહાનગરપાલિકા તેમજ જીલ્લા-તાલુકા પંચાયત તેમજ નગરપાલીકાના પરિણામ આવી ગયા બાદ વિધાનસભા સત્ર શરુ થતા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગૃહમાં જાહેરાત કરી હતી. ત્યારે તા.1-1-૨૦૧૬ થી કર્મચારીઓને સાતમાં પગારપંચનો લાભ આપવાનું સરકારે નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે કર્મચારીઓને એરિયર્સના પ્રથમ હપ્તાના 50 ટકા ટૂંક સમયમાં આપવામાં આવશે. જેથી રાજ્યની તમામ યુનિવર્સીટીના શૈક્ષણિક સ્ટાફમાં ખુશી વ્યાપી જવા પામી હતી.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 480 પોઝીટીવ કેસ, કુલ 2,71,725 કેસ
- 05, માર્ચ 2021 03:48 PM
- 1657 comments
- 5943 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 480 થી વધુ નોંધાયા છે. જેની સામે 369 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4412 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 480 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,71,725 થયો છે. તેની સામે 2,64,564 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,71,725 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 2749 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,71,725 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 2749 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 40 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 2709 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,64,564 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4412 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 00 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 400 પોઝીટીવ કેસ, 01 મોત, કુલ 2,71,245 કેસ
- 04, માર્ચ 2021 03:43 PM
- 6883 comments
- 1229 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 400 થી વધુ નોંધાયા છે. જેની સામે 358 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીના મોત સાથે કુલ મૃત્યુ આંક 4412 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 400 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,71,245 થયો છે. તેની સામે 2,64,195 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,71,245 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 2638 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,71,245 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 2638 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 39 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 2599 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,64,195 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4412 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દી નું મૃત્યુ નોંધાયુ છે.વધુ વાંચો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ