મધ્ય ગુજરાત સમાચાર

  • ગુજરાત

    નર્મદા કેનાલ પરની સૉલાર પૅનલમાં બાકોરું પડ્યું, યુવક કેનાલમાં ડૂબ્યો

    વડોદરા, રાજ્યમાં સૌ પ્રથમ વડોદરામાં સમા વિસ્તારમાંથી પસાર થઇ રહેલી નર્મદા કેનાલ પર સોલાર પેનલ લગાવવામાં આવી હતી. જેની સમયાંતરે સફાઈ કરવાનો કોન્ટ્રાન્ટ જે એજન્સીને આપવામાં આવ્યો હતો તે એજન્સીના કર્મચારી ગઈકાલે સાંજે સોલાર પેનલ સાફ કરી રહ્યા હતા. દરમિયાન અચાનક એક પ્લેટ તૂટી પડતા યુવક નર્મદા કેનાલમાં પડ્યો હતો. ઘટનાની જાણ અન્ય કર્મચારીઓ દ્વારા પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવી હતી. અંદાજે ૧૨ કલાકથી વધુ સમય સુધી કામગીરી બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. વડોદરા શહેરના સમાથી છાણી વિસ્તાર તરફ જતી નર્મદા કેનાલ પર સોલાર પેનલ લગાવામાં આવી છે. આ પ્રોજેક્ટ રાજ્યમાં સૌ પ્રથમ વખત વડોદરામાં જ હાથ ધરવામાં આવ્યો હતો. જે સોલં પેનલની સાફ સફાઈનો કોન્ટ્રાકટ ખાનગી એજન્સીને આપવમાં આવ્યો છે. જે કંપનીના કર્મચારીઓ ગઈકાલે સાંજે પેનલ સાફ કરી રહ્યા હતા. દરમિયાન પેનલની એક પ્લેટ અચાનક તૂટી પડતા સફાઈ કામગીરી કરી રહેલો યુવક કેનાલમાં ખાબક્યો હતો. કેનાલમાં પાણી વધારે હોવાથી યુવક પાણીમાં ડૂબી ગયો હતો. કેનાલમાં ડુબી ગયેલા ૩૧ વર્ષીય ચંદ્રેશ અગ્રવાલ ડૂબ્યા હોવાની જાણ અન્ય સાથીઓ દ્વારા પોલીસ તેમજ ફાયર વિભાગને કરવામાં આવી હતી. પોલીસ તેમજ ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી યુવકની શોધખોળ શરૂ કરી હતી. કેનાલમાં ડૂબી ગયેલા ખાનગી કોન્ટ્રાક્ટરના કર્મચારીના પરિવારજનોએ આક્ષેપો કર્યા છે કે, તે ઘણા વખતથી સોલાર પેનલ પર ક્લિનિંગ કરવાની કામગીરી કરતો હતો. પરંતુ કોન્ટ્રાકટર દ્વારા તેને સુરક્ષાના કોઈ જ સાધનો આપવામાં આવ્યા ન હતી. જેના કારણે ઘટના બની અને અમારે પરિવારજન ગુમાવવો પડ્યો છે. મૃત્યુ પામનાર યુવક અગ્રવાલ સમાજનો હોવાથી મોટી સંખ્યામાં સમાજના સભ્યો ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ ઘટનાની જાણ વોર્ડ નંબર ૨ના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિતને થતા તેઓ પણ તાત્કાલિક પહોંચી ગયા હતા. છાણી ટીપી ૧૩ ફાયર વિભાગ દ્વારા યુવકની શોધખોળ કરાઈ હતી. જેમાં અંદાજે ૧૨ કલાક કરતા વધારે કામગીરી બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે તપાસ અધિકારી પીએસઆઈ જે.ટી. દેસાઈએ જણાવ્યું હતું કે. ગતરાત્રે ૧૧ઃ૪૫ કલાક બાદ અમને ઘટનાની જાણ થઇ હતી. જેમાં એક યુવક કેનાલમાં ડૂબ્યો હોવાનો મેસેજ મળ્યો હતો. બનાવને લઈ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી અમે ઘટના સ્થળે પહોંચ્યા હતા.એકપણ સેફ્ટીના સાધન આપવામાં આવ્યાં નથી પ્રાપ્ત વિગત અનુસાર, વડોદરા શહેરના છેવાડે સમા-સાવલી રોડ પર આવેલી નર્મદા કેનાલ પર સોલાર પેનલ સાફ કરતા યુવક કેનાલમાં ડૂબ્યો હતો. ચંદ્રેશ અગ્રવાલ નામના આ આ યુવકની ઉંમર ૩૧ વર્ષની હતી. તે ગઈકાલે સાંજે કેનાલ ઉપરની પેનલ સાફ કરી રહ્યો હતો ત્યારે લથડી ગયેલી સોલાર પેનલ તૂટતા યુવાન કેનાલમાં ડૂબ્યો હોવાની વિગતો ફાયર અને પોલીસને મળી હતી. આ યુવક ખાનગી કોન્ટ્રાક્ટર તરફથી કામ કરતો હતો અને પરિવારજનોએ આક્ષેપો કર્યા છે કે, તે ઘણા વખતથી સોલાર પેનલ પર ક્લિનિંગ કરતો હતો. પરંતુ, એક પણ સેફ્ટીના સાધન આપવામાં આવ્યા નથી. ફાયર બ્રિગેડ નિષ્ફળ ગઈ ત્યારે સ્થાનિક તરવૈયા યુવકનો મૃતદેહ શોધવામાં સફળ શુક્રવારે મોડી સાંજે સમા -સાવલી રોડ વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલ પર લગાવેલ સોલાર પૅનલને ૩૧ વર્ષીય કર્મચારી પાણીની પાઈપ લગાવીને સાફ કરતો હતો. એકાએક સોલારની એક પૅનલ તૂટી પડતાં ચંદ્રેશ અગ્રવાલ નામનો આ યુવક કૅનાલમાં ખાબકી પડ્યો હતો. તંત્ર દ્વારા મોડી રાતથી જ તેને શોધવાની કામગીરી શરૂ કરાય હતી, પરંતુ ફાયર બ્રિગેડ આ કામમાં નિષ્ફળ નીવડ્યું હતું અને સ્થાનિકો દ્વારા ફક્ત ૫૦૦ મીટરનાં અંતરમાં જ યુવકના મૃતદેહને શનિવારે સાંજે શોધી કઢાવામાં આવ્યો હતો. તંત્રની આ રીતની કામગીરીથી પરિવારજનો અને સ્થાનિકો ખુબ જ રોષે ભરાયાં હતા.
    વધુ વાંચો
  • ગુજરાત

    પરિવારજનો કહે છે- ભક્તિનો રંગ લાગ્યો હતો, ઠાકોરજીને પામવાની ઇચ્છા હતી...

    વડોદરા, ૪૮ કલાક અગાઉ શહેરમાં આવેલી એક પ્રખ્યાત હવેલીના પૂજારીનો ૧૫ વર્ષીય સગીર દીકરો જીગર જગદીશભાઇ જાેષી ગુમ થયો હોવાની ફરિયાદ વિસ્તારના સ્થાનિક પોલીસ મથકમાં નોંધાઇ હતી. પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં ૧૫ વર્ષીય સગીર દીકરો મંદિરની હવેલીના સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જાેવા મળી રહ્યો છે, પછી તે સ્થાનિક વિસ્તારની ગલીમાં જતો હોવાનું દેખાય છે અને ત્યારબાદ તે ઉર્મી રોડ પર જતો હોવાનું પોલીસને સીસીટીવીમાં દેખાઇ રહ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર ૧૫ વર્ષીય સગીર દીકરો જીગર જાેષી ગુમ થઇ હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. તેના પરિવારજનો જ્યારે પોલીસ મથકે ફરિયાદ કરવા આવ્યા ત્યારે ખૂબ જ રડતા હતા. પરિવારજનોએ હવેલીમાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા તો સગીર દીકરો સ્પષ્ટ રીતે જાેઇ શકાતો હતો. વધુ તપાસ કરી તો ખબર પડી કે દીકરો હવેલીમાંથી નીકળીને તેમના જ વિસ્તારની કોઇ ગલીમાં જતો હોય તેવું જાણવા મળ્યું હતંુ. ત્યારબાદ દીકરો જીગર ઉર્મી રોડ પર એકલો જતો હોય તેવું પોલીસને સીસીટીવી ફૂટેજમાં જાેવા મળી રહ્યું છે, જેથી પોલીસે હવે ઉર્મી રોડથી આગળના સીસીટીવી ફૂટેજથી તેની શોધખોળ હાથ ધરી છે. બીજી તરફ પરિવારજનો દ્વારા ૪૮ કલાક બાદ પણ કોઇ પતો ન લાગતા પોતાના દીકાર જીગરના ફોટા સાથે એવી અપીલ કરી છે કે - દીકરા જીગર તંુ જ્યાંં છે ત્યાંથી તંુ ઘરે પરત આવી જા. જાેકે, ૪૮ કલાક વિત્યા બાદ પણ હજુ સુધી ૧૫ વર્ષીય સગીર દીકરાનો કોઇ પતો પરિવારજનોને લાગ્યો નથી. જાેકે, સગીર દીકરો જીગર જાેષી ગુમ થયો હોવાની તપાસમાં શહેર પોલીસનો ડીસીબી, પીસીબી, એસઓજી સહિતની સ્થાનિક પોલીસ સ્ટાફ પણ તેની શોધખોળ હાથ ધરી છે.બ્રાન્ડેડ કપડાંનો શોખીન સગીર ઘરેથી ફક્ત બે જાેડી જૂનાં કપડાં જ કેમ લઈ ગયો? મળતી માહિતી મુજબ પરિવારજનો દ્વારા તેને દીકરા જીગરને બ્રાન્ડેડ કપડા પહેરાવતા હતા, પરંતુ દીકરો જીગર જયારે ઘરેથી ૪૮ કલાક પહેલા ઘરેથી નીકળી ગયો હતો ત્યારે જીગર ફક્તા ઘરમાં પહેરવાના બે જાેડી જુના કપડા લઇને નીકળ્યો હોવાનુ જાણવા મળી રહ્યું છે. હવેલી બાદ તે ઊર્મી રોડ પર એકલો જતો દેખાઇ રહ્યો છે ૪૮ કલાક પહેલા ગુમ થયેલ જીગર જાેષીને શોધવા શહેર પોલીસની ડીસીબી, પીસીબી,એસઓજી સહિત સ્થાનિક પોલીસ વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરતા જીગર જાેષી પહેલાં હવેલીમાં સ્પષ્ટ દેખાયા બાદ તે બપોરના સમયે તે એકલો ઉર્મી રોડ પર જતો હોય તેવું સીસીટીવી ફૂટેજમાં જાેવા મળી રહ્યું છે. હવે પોલીસે ઉર્મી રોડથી આગળના સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી છે. આધ્યાત્મિક જીવનમાં રસ ધરાવતો જિગર મોબાઇલ ફોનનો ઉપયોગ કરતો નથી પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે આજના આધુનિક યુગમાં નાના બાળકોને મોબાઇલ ફોન તેમની પ્રાથમિક જરૂરિયાત છે. બીજી તરફ આધ્યાત્મિક જીવનમાં રસ ધરાવતા અને સંસારિક જીવનને ત્યાગ કરવાનો રસ ધરાવતા જીગર જાેષી ફોનનો ઉપયોગ કરતો ન હતો. ચિંતાતુર પરિવારજનોએ દીકરાને પરત આવવા સોશિયલ મીડિયામાં અપીલ કરી ફરિયાદ નોંધાવીને ચિંતાતુર બનેલા જીગર જાેષીના પરિવારજનઓએ સોશિયલ મીડિયાના માધ્યામ થકી તેમનો દીકરો વહેલો ઘરે આવી જાય તેની માટે એક પોસ્ટ શેર કરી હતી. લખ્યું હતું કે, દીકરા વહેલો ઘરે આવી જા અમે તારી રાહ જાેઇ રહ્યા છે તો ગમે ત્યાં હોય ત્યાંથી તું આવી જા, તેવી પોસ્ટ પણ કરી હતી, પરંતુ ચિંતાતુર પરિવારજનોને હજુ પણ ૧૫ વર્ષીય સગીર દીકરો જીગર જાેષીની કોઇ ભાળ મળી રહી નથી.
    વધુ વાંચો
  • ગુજરાત

    નાના ઉદ્યોગો ભારતની તાકાત નિર્મલા સીતારમણ

    વડોદરા, ૨૦૪૭ સુધી વિકસિત ભારતનું લક્ષ્ય સનરાઈઝ, કૃષિ, સૉલાર એનર્જી, મેન્યુફેક્ચરિંગ, કૃષિ અને સર્વિસ સેન્ટરના વિકાસની સાથે આત્મનિર્ભરતા દ્વારા હાંસિલ કરાશે. સરકારે તે માટે અનેક સુધારાવાદી નિર્ણય લીધા છે, તેમ વડોદરા ખાતે આવેલાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું.ફોરમ ફોર ઈન્ડસ્ટ્રીઝ એન્ડ ટ્રેડ એસોસિયેશન વડોદરા દ્વારા આયોજિત ફોર કાસ્ટ ફોર ઈન્ડિયન ઈકોનોમી ૨૦૪૭ને સંબોધતાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, કોવિડ બાદ રશિયા-યુક્રેન યુદ્ધ, ચીન-અમેરિકા વચ્ચેનો તણાવ જેવી સ્થિતિમાં પણ સરકારની નીતિઓના કારણે લોકોનો વિશ્વાસ જળવાઈ રહ્યો છે અને ગ્રોથરેટ ઘણો સારો રહ્યો છે. વૈશ્વિક સ્તરે ગ્રોથરેટમાં ભારત ફાસ્ટેસ્ટ ઈકોનોમી તરીકે ઊભરી આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ૨૦૪૭ સુધી વિકસિત ભારતનો સંકલ્પ પ્રાપ્ત કરવા માટે યોગ્ય લક્ષ્ય છે. લીડરશિપ અને વિઝનરી આઉટ લૂકના કારણે આજે તમામ ક્ષેત્રે ભારત આગળ વધી રહ્યું છે. તેમણે આત્મનિર્ભરતા પર ભાર મૂકતાં કહ્યું હતું કે, આપણે માત્ર વિવિધ વસ્તુઓની આયાત નહીં, પરંતુ આપણે જે જાેઈએ તેનું ઉત્પાદન પણ કરવું પડશે. નાણામંત્રીએ કહ્યું હતું કે, અત્યારે જે આર્થિક સુધારા થઈ રહ્યા છે, જેના કારણે ૨૦૪૭માં વિકસિત દેશની જગ્યાએ વિકાસશીલ દેશ બનવાનું છે એ લક્ષ્ય સાથે આગળ ચાલી રહ્યા છીએ. ૨૦૪૭ સુધીમાં ભારતમાં મધ્યમવર્ગની સંખ્યા વધીને ૭૦ કરોડ જેટલી થઈ જશે. વિકસિત ભારત બનાવવા માટે કૃષિક્ષેત્રમાં પણ સુધારા થઈ રહ્યા છે, તેમાં માર્કેટ ખૂલ્લું કરવું, કોલ્ડ સ્ટોરેજ વગેરેના આયોજન સાથે કૃષિ ફાયદાકારક બને તે માટનેા પ્રયાસો કરાયા છે. આ ઉપરાંત ભારત મેન્યુફેક્ચરિંગ હબ બની રહ્યું છે. નાના ઉદ્યોગો ભારતની તાકાત છે, સાથે મોટા ઉદ્યોગો પણ જરૂરી છે, જેથી એક્સપોર્ટ પણ કરી શકાય. તેમણે કહ્યું હતું કે, લોકોએ દેશમાં બનેલી વસ્તુઓનો આગ્રહ રાખવો જાેઈએ, જેથી આત્મનિર્ભર થઈ શકીએ. સરકારે આત્મનિર્ભર થવા માટે સંરક્ષણ ક્ષેત્રમાં અનેક પગલાં લીધાં છે. જ્યારે દેશમાં હવે વ્હીકલ બનવા લાગ્યાં છે. સોલાર ઈક્વિપમેન્ટ પણ દેશમાં જ બનવા લાગ્યાં છે. સેમિકન્ડકટરમાં પણ દેશના જ લોકો રોકાણ કરી રહ્યા છે. ગુજરાતમાં બે અને આસામાં એક પ્લાન્ટ એમ ત્રણ પ્લાન્ટ આગામી દિવસોમાં બનશે. તેમણે તમામના પ્રયાસથી ૨૦૪૭માં ભારત વિકસિત બનશે તેમ કહ્યું હતું.
    વધુ વાંચો
  • ગુજરાત

    કાનાબેડા ગામે પીવાના પાણી સિંચાઈના પ્રશ્નો બાબતેે ગ્રામજનોમાં રોષની લાગણી

    બોડેલી કવાંટ તાલુકાના કાનાબેડા ગામે પીવાના પાણી સિંચાઈના પ્રશ્નો ને પગલે ગ્રામજનોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. કુવા બોરમાં પાણી ઊંડા ગયા છે.નલસે જલમાં પાણી મળતા નથી. સિંચાઈના પાણી તો ક્યારે ય જાેયા જ નથી. હજારથી પંદરસો ની વસ્તીમાં અડધું ગામ કાઠીયાવાડ રોજગાર માટે હિજરત કરી જાય છે. અમે નેતાઓને ચૂંટ્યા! પણ કોઇએ પીવાના પાણી અને સિંચાઈ માટે અમારી દરકાર ન કરી .ગ્રામજનો હવે નેતાઓ ગામમાં આવે એટલે ડીંગા લઈ પાછળ પડવાના છે! આમ કહેતા ગ્રામજનોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. કવાંટ તાલુકાની આથાડુંગરી જૂથ ગ્રા.પં. હેઠળના કાનાબેડા ગામના રોડ ફળિયામાં એકત્રિત ગ્રામજનોએ લોકસભા ચૂંટણીને  ધ્યાને લઇ પોતાના પાયાના વણ ઉકલ્યા પ્રશ્નો તરફ લોક આગેવાનોનું ધ્યાન દોરતા વર્ષોથી તેમની તરફ અનદેખી કરવામાં આવતી હોવાની રજુઆત કરી હતી. ગામની નજીકના રામી ડેમમાં નર્મદાનું પાણી છોડવાનું વચન અપાયું હતું પણ તેનો પાલન થતું નથી. ગ્રામજનોએ જેઓ પીવાના પાણી અને સિંચાઈના પાણી પૂરું પાડવા નક્કર વચન આપશે તેમને અમે લોકસભા ચૂંટણીમાં વોટ આપીશું.
    વધુ વાંચો
  • ગુજરાત

    વીરપુર બસ સ્ટેશનના પાછળના ભાગે સેફટીના ભાગરૂપે લાકડાની આડસ ઉભી કરવામાં આવી

    વીરપુર, મહીસાગર જિલ્લાના વીરપુર માં હાલના સમયે નવીન બસસ્ટેશન બનાવાની કામગીરી પૂર જાેશમાં ચાલી રહી છે અને તે અર્થે બસ સ્ટેશનમાં ૮ થી ૧૦ ફૂટ જેટલાં ઊંડા ખાડા ખોદવામાં આવેલા છે પરંતુ તે ખાડાઓ ની ફરતે કોઈ સેફટી ન રખાતા રાત્રીના સમયે એક ગાયમાતા આ ઊંડા ખાડામાં ખાબકી હતી. તે વાતની જાણ સવારે ગાય ના માલિક ને થતા મહામહેનત કરવામાં આવી હતી તેમ છતાં ગાય બહાર કાડી શક્યા ન હતા અંતે જે સી બી મશીન ની મદદ લઇ ગાય માતા ને સુરક્ષિત બહાર કાડવામાં આવી હતી ત્યાંના બસ સ્ટેશન પર હાજર મુસાફરોનું કહેવું છે કે બસ સ્ટેશનના આગળના ભાગે બસ સ્ટેશનમાં આગળના ભાગે લાકડા બાંધવામાં આવ્યા છે જાે તે જ રીતે પાછળના ભાગે આ પ્રકારની સેફટી રાખી હોત તો આ દુર્ઘટના ન સર્જાઈ હોત. જે અંગેનો અહેવાલ સમાચાર પત્રમાં પ્રસિદ્ધ થતા તત્કાલીન બસ સ્ટેશનના પાછળના ભાગે સેફટી ના ભાગરૂપે લાકડા ની આળસ ઉભી કરવામાં આવી હતી..
    વધુ વાંચો
  • ગુજરાત

    ઝાલોદ તાલુકાના મોટીહાંડી ગામે તળાવમાં ડૂબી જતા બે બાળકના મોત

    દે.બારીયા, દાહોદ તાલુકાના ચોસાલા ગામે રહેતી ચાર વર્ષીય દીપીકાબેન કાળુભાઈ કટારા શાળામાં પરીક્ષાઓ પૂરી થઈ જતા વેકેશનની મજા માણવા ઝાલોદ તાલુકાના મોટી હાંડી ગામે મામાના ઘરે આવી હતી. અને ગઈકાલ શુક્રવાર તારીખ ૧૯- ૪- ૨૦૨૪ ના રોજ સવારે ૧૦ઃ૦૦ વાગ્યા ના સુમારે તે તેના મામાના દીકરા ૯ વર્ષીય રાધે દિલીપભાઇ બિલવાળ સાથે ગામના તળાવમાં ઢોરોને પાણી પીવડાવવા ગઈ હતી. અને ઢોરોને પાણી પીવડાવ્યા બાદ તે બંને જણા તળાવના પાણીમાં નહાવા પડ્યા હતા. અને નહાતે નહાતે તેઓ બંને જણા તળાવના ઊંડા પાણીમાં પહોંચી જતા બંને જણા તળાવના ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતા જ લીમડી પોલીસ મથકના જવાબદાર અધિકારી પીએસઆઇ વીજે ગોહેલ પોતાના સ્ટાફના માણસોને સાથે લઈ ઘટના સ્થળે દોડી ગયા હતા. અને ગામના તરવૈયાઓ તેમજ ગોતાખોરોની મદદથી તળાવના ઊંડા પાણીમાં ડૂબી ગયેલા રાધે દિલીપ બિલવાળ તથા દીપિકા કાળુ કટારા એમ બંનેની લાશને તળાવના પાણીમાંથી બહાર કઢાવી પંચો રૂબરૂ પોલીસે બંને બાળકોની લાશનું પંચનામું કરી પોસ્ટ મોટમ માટે બંને બાળકોની લાશને લીમડી સરકારી દવાખાને મોકલી આપી લીમડી પોલીસે આ મામલે સીઆરપીસી ૧૭૪ મુજબ આકસ્માત મોતના ગુનાના કાગળિયા કરી આગળ વધુ તપાસ હાથ ધરી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    અમિતનગર પર પોલીસનો ડ્રામા મોતનાં શટલિયાં બેરોકટોક અમિતનગર પાસે ચોરીછૂપીથી, તો દુમાડ ચોકડી, સોમા તળાવ પાસે સરેઆમ મુસાફરોની હેરફેર

    વડોદરા, તા. ૧૮કારેલીબાગ અમિતનગર સર્કલ પાસે આવેલા શટલિયા વાહનોના ગેરકાયદે સ્ટેન્ડ પરથી ગઈ કાલે ૧૦ મુસાફરોને ભરીને નીકળેલી અર્ટિકા કારને એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત થતાં કારચાલક અને તમામ ૧૦ નિર્દોષ મુસાફરો સહિત ૧૧ના મોતના બનાવના પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં ધમધમતા ગેરકાયદે સ્ટેન્ડનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. ગઈ કાલની દુર્ઘટના બાદ પોલીસ તંત્ર પર માછલા ધોવાતા આબરુ બચાવવા માટે સફાળી જાગેલી પોલીસે આજે સવારથી ગેરકાયદે સ્ટેન્ડ પરથી મુસાફરોની ગેરકાયદે હેરફેર બંધ કરાવી હતી. જાેકે આવા ગંભીર બનાવ બાદ પણ તંત્રની માનવતા જાણે મરી પરવારી હોય તેમ અમિતનગર સર્કલ પાસેના ગેરકાયદે સ્ટેન્ડના બદલે મંદિરની પાછળથી તેમજ થોડાક અંતરે ચોરી-છુપીથી તેમજ દુમાડચોકડી અને સોમતળાવ ચારરસ્તા સહિતના અન્ય વિસ્તારોમાં શટલિયા કારચાલકોએ બિન્ધાસ્ત પણે મુસાફરોને ઠાંસીઠાંસીને બેસાડીને અમદાવાદ-ડભોઈની ટ્રીપ મારી હતી. એક્સપ્રેસ હાઈવે પર અર્ટિકાકારને અકસ્માત નડતા કુલ ૧૧ના મોત નિપજયા હતા અને આ અર્ટિકા કાર વડોદરાના અમિતનગર સર્કલ પાસેથી ભરાઈ હોવાની વિગતો સપાટી પર આવતા અમિતનગર પાસે ચાલતું ગેરકાયદે સ્ટેન્ડ ફરી વિવાદમાં સપડાયું છે. જાેકે ગઈ કાલની ગોઝારી દુર્ઘટના બાદ હોબાળો મચતા શહેર ટ્રાફિક પોલીસ આજે સવારથી જ જાંઘ છુપાવવા માટે દોડતી થઈ હતી. કાયમ મુસાફરો અને ઈક્કો કારના જમાવડાથી ધમધમતા કારેલીબાગ અમિતનગર સર્કલ પાસે આજે પોલીસે શટલિયા ઈક્કો કારને ઉભી રહેવા દીધી નહોંતી અને કડક કામગીરીનો દેખાડો કર્યો હતો. જાેકે પોલીસની કામગીરી દેખાડો હોય તે ખુલ્લેઆમ નજરે ચઢતું હતું. અમિતનગર સર્કલ પાસે મહાદેવ મંદિરના પ્રાંગણમાં ગેરકાયદે સ્ટેન્ડ ચાલતું હોઈ અમદાવાદ જવા માટે અનેક મુસાફરો આજે પણ આ ગેરકાયદે સ્ટેન્ડ પર આવ્યા હતા, પરંતુ પોલીસે અગાઉથી સૂચના આપી હોવાના કારણે આ સ્થળે કોઈ વાહન ઊભું નહોતું. જાેકે, વાહનચાલકોએ તેઓની કારને ગેરકાયદે સ્ટેન્ડથી થોડાક જ અંતરે આગળની તરફ તેમજ મંદિરના પાછળ કમ્પાઉન્ડ વોલ પાસે તેઓની કાર પાર્ક કરીને સાઈડમાં ઉભી કરી હતી અને દરવાજા ખુલ્લા રાખ્યા હતા. દરમિયાન ગેરકાયદે સ્ટેન્ડ પર આંટાફેરા મારતા ઈક્કો અને અર્ટિગા કારના માથાભારે ચાલકોએ ખેડા, નડિયાદ અને અમદાવાદ તરફ જવા માગતાં મુસાફરો સાથે ભાવતાલ કરીને તેઓને થોડાક અંતરે આગળ તેમજ મંદિરની પાછળ કમ્પાઉન્ડ વોલ પાસે ઉભી રાખેલી પોતાની કારના નંબરો આપીને કારમાં જઈને બેસવા માટે સુચના આપી હતી જેથી મુસાફરો ત્યાંથી ચાલતા કારમાં બેસી ગયા હતા અને જેવી કાર ભરાઈ જતા કારચાલકો તુરંત ત્યાં જઈને કારને હંકારીને આગળ રવાના થયા હતા. માત્ર અમિતનગર સર્કલ જ નહી પરંતું દુમાડ ચોકડી, કીર્તિસ્તંભ અને સોમાતળાવ પાસેથી પણ ખાનગી વાહનચાલકોએ મુસાફરોને વાહનોમાં મર્યાદા કરતા વધુ મુસાફરોને ઠાંસીઠાંસીને બેસાડીને ગેરકાયદે હેરફેર કરી હતી. ઉલ્લેખનીય છે કે આ સ્થળોએ ટ્રાફિક પોલીસના જવાનો હોવા છતાં તેઓ આંખ આડા કાન કરતા નજરે ચઢ્યાં હતા અને લોકસત્તા-જનસત્તાની ટીમે ટ્રાફિક પોલીસ જવાનોને તેઓની સામે શટલિયા વાહનોમાં નિયત મર્યાદા કરતા વધુ મુસાફરોને બેસાડીને વાહનચાલકો અવરજવર કરતા હોવા છતાં કામગીરી કેમ નથી કરતા તેવો પ્રશ્ન કરતા તેઓએ કામગીરી કરીયે છે તેમ કહી વધુ કઈ કહેવાનો ઈનકાર કર્યો હતો.
    વધુ વાંચો
  • ગુજરાત

    નીલ ભોજવાણીના અંતિમસંસ્કારમાં ભરૂચથી તેના ૩૦૦ મિત્રો વાહનોમાં વડોદરા આવ્યા

    છેલ્લે અમારી સાથે જ ક્લાસ એટેન્ડ કર્યો હતો બે દિવસ પહેલા ઘરે જવાનો હતો, ત્યારે અમારી સાથે કલાસ એટેન્ડ કર્યો હતો. તે સમયે ક્યાં ખબર હતી કે, આ નિલ સાથેનો અતિંમ ક્લાસ હશે. તે અમારો ક્લાસ મોનીટર હતો. કોલેજના બધા છોકરા – છોકરીઓ સાથે સારુ બનતું હતું પછી તે સીનીયર કેમ ન હોય. તે ભણવામાં પણ ખુબ હોંશિયાર હતો. હવે અમને તેની ખુબ ખોટ અનુભવાશે.- પ્રિન્સી પટેલ, વિદ્ર્યાથિની, કચ્છવડોદરા, તા. ૧૮ વડોદરા-અમદાવાદ એકસપ્રેસ - વે ઉપર નડિયાદ નજીક ગત રોજ ગોઝારો અકસ્માત થયો હતો. જેમાં ૧૦ વ્યક્તિના મોત થયા હતા. જે પૈકી બે મુસાફરો વડોદરાના હોવાની ઓળખ ગઇકાલે થઇ હતી. જ્યારે એક વ્યક્તિની ઓળખ કાલે થઇ શકી ન હતી. જે આજે થતાં તે વ્યક્તિ પણ વડોદરાના ગાજરાવાડી વિસ્તારના એક વેપારી હોવાનું સામે આવ્યું હતું. જે પૈકી નીલ ભોજવાણીના મૃતદેહને વડોદરા લાવ્યા બાદ આજે ખાસવાડી સ્મશાનમાં તેના અંતિમ સંસ્કાર કરાયા હતાં. ત્યારે નીલને અંતિમ વિદાય આપવા તેની સાથે ભરૂચની કિરણ સી પટેલ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા સાથીઓ તેમજ તેના સિનિયર મળી હોસ્ટેલના ૩૦૦ જેટલા વિદ્યાર્થી ૩ લકઝરી બસ તેમજ ખાનગી વાહનમાં વડોદરા આવ્યા હતાં. ગેરકાયદે શટલિયાઓ વિરુદ્ધ સરકારમાં રજૂઆત કરીશું વડોદરાનો નીલ ભોજવાણીને ૬ મહિના પહેલા જ ભરૂચની કે. સી પટેલ કોલેજમાં મેડીકલમાં પ્રવેશ મળ્યો હતો. તે કોલેજમાં સિનિયર - જૂનિયર, ટીચર સાથે મળીને રહેતો હતો. તે ભણવામાં પણ ખુબ હોંેશિયાર હતો, પરંતુ જે રીતે તેનું અક્સ્માતમાં મોત થયું છે તે ખુબ દુઃખદ છે. ત્યારે સાથી વિદ્યાર્થીઓનું કહેવું છે કે, વડોદરા અમદાવાદ વચ્ચે ચાલતી ગેરકાયદે ખાનગી વાહન સામે પોલીસે કાર્યવાહી કરવી જાેઇએ અને સરકારે પણ આ વાતનું ધ્યાન રાખવું જાેઇએ. જરૂર પડશે તો અમે આ ગેરકાયેદ ચાલતા વાહન સામે સરકારેને રજૂઆત પણ કરીશું. પ્રથમ વર્ષનો વિદ્યાર્થી હોવા છતાં બીજા-ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ સાથે મિત્રતા હતી ઃ ડીન નિલ ભોજવાણી પ્રથમ વર્ષ ૨૦૨૩-૨૦૨૪નો વિદ્યાર્થી હતો. જે ખુબજ હોશીયાર અને બાહોશો વિદ્યાર્થી હતો. તે કલાસમાં ક્લાસ મોનીટર પણ હતો. તે એક દિવસ પહેલા જ અમદાવાદ ખાતે આઇપીએલની મેચ જાેવાનીકળ્યો હતો. મેં આ પહેલો એવો વિદ્યાર્થી જોયો કે જે પ્રથમ વર્ષનો વિદ્યાર્થી હોવા છતાં બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ સાથે ઘરોબો ધરાવતો હતો. એટલું જ નહીં બધાની સાથે તે પ્રેમ અને મળતાવળો રહેતો હતો. કોલેજમાં તેની હાજરી પણ ૯૦ ટકા રહેતી તેમજ તેના માર્કસ પણ ૮૦થી ૯૦ ટકા આવતા હતા. નિલ કોલેજનો એક આઇડલ વિદ્યાર્થી હતો. તેના મૃત્યુના સમાચાર સાંભળીને ઘણું દુઃખ થયું છે. - ડો. જયરામ પટેલ, ડીન, કિરણ સી પટેલ મેડિકલ કોલેજ, ભરૂચ સાચું નથી લાગતંુ કે હવે નીલ નથી અમને સાચું નથી લાગતું કે નીલ હવે અમારી સાથે નથી રહ્યો. તેણે બે દિવસ પહેલા જ એક ફ્રેન્ડશીપનો વિડીયો મોકલ્યો હતો અને કહ્યું હતું કે, બહુ જ દિવસ થયા આપણે મળ્યા નથી. અમે મળવાના જ હતા પણ તેની ટ્રેન મિસ થઇ જતાં અમે મળી શક્યા નહીં. હવે જીંદગી ભર મને તેને નહીં મળી શકવાનો અફસોસ રહેશે. યશોદીપ પાટીલ, વિદ્યાર્થી, ભરૂચ નીલ ટોપટેનમાં હતો કોલેજમાં તે ભણવામાં ખુબ હોંશિયાર તો હતો જ અને તાજેતરમાં લેવાયેલી કોલેજની ઇન્ટરનલ પરીક્ષામાં તેને સારા માર્કસ મેળવ્યા હતા. કોલજેમાંથી તે ટોપ ટેન આવતા ખુબ જ ખુબ હતો. પણ તેને પણ કયાં ખબર હતી કે મેચ જોવા તે વડોદરા આવશે પછી ક્યારેય તે પરીક્ષા જ નહીં આપી શકે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગોધરાના જીતપુરાનો પરિવાર પીંખાયો ઃ બે દીકરીઓ નોંધારી બની

    ગોધરા.તા.૧૮અમદાવાદ વડોદરા એક્સપ્રેસ-વે ઉપર પાકિર્ંગ લેનમાં ઉભેલા ટ્રેલર પાછળ ૧૨૦ કિ.મીની ઝડપે આવતી કાર અથડાઇ હતી. આ અકસ્માતમાં ૧૦ વ્યક્તિના મોત થયા હતા, જેમાં પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના જીતપુરા ગામે રહેતા એક જ પરિવારના ત્રણ સભ્યોનો પણ સમાવેશ થાય છે. સામાજિક પ્રસંગમાં હાજરી આપી પોતાના સંબંધીને ત્યાં હાલોલથી અમદાવાદ જતાં સમયે ડ્રાઇવરની ભૂલના પગલે મોતને ભેટ્‌યા હતા. અકસ્માતમાં માતા, પુત્ર સહિત પિતાનું ઘટના સ્થળે કરુણ મોત થતાં પરિવારજનોમાં માતમ છવાયો હતો. ગઇકાલે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ- વે- ઉપર ટ્રેલર પાછળ કાર ઘુસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ૧૦ વ્યક્તિના મોત નિપજ્યાં હતા. જેમાં મૂળ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના જીતપુરા ગામના વતની અને છેલ્લા બે દાયકાથી વાપી સ્થાયી થયેલા એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે. જેમાં માતા-પિતા અને પુત્રનો સમાવેશ થાય છે. ગોજારી ઘટનામાં માતા-પિતા અને પુત્રના મોત થતા બે દિકરીઓએ ભાઇ તેમજ માતા-પિતા ગુમાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગોધરા તાલુકાના જીતપુરા ગામે રહેતા અમિતભાઈ મનોજભાઈ સોલંકી પોતાના પત્ની અને ત્રણ બાળકો સાથે છેલ્લા બે દાયકાથી વાપી સ્થાયી થયા હતા. જ્યાં અમિત સોલંકી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. બે દિવસ પહેલા પોતાના ગામમાં સામાજિક પ્રસંગમાં હાજરી આપવા અમિતભાઇ પત્ની, બે દીકરીઓ અને દીકરા સાથે હાલોલ આવ્યા હતા. જ્યાંથી અમિતભાઈ પોતાની બહેનની તબિયત જાેવા માટે પત્ની ઉષાબેન અને દીકરા દક્ષ સાથે એક ખાનગી કારમાં અમદાવાદ જવાં નીકળ્યા હતા. તે સમયે અકસ્માતનો ભોગ બન્યા અને પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
    વધુ વાંચો
  • ગુજરાત

    પ્રાથમિક શાળા નજીક સ્પીડ બ્રેકર, સાઈન બોર્ડ અને વાઈટ પટ્ટાના અભાવથી અકસ્માતનો ભય

    ઝાલોદ દાહોદ જિલ્લાના ઝાલોદ શહેરમાં હાઇવે ઉપર આવેલા શાળાઓ આગળ સ્પીડ બ્રેકર અને વ્હાઇટ પટ્ટા દોરેલ અને સાઈન બોર્ડ ના હોવાના કારણે અકસ્માતનો ભય રહે છે આમ ઝાલોદ શહેરમાં આવેલ દાહોદ હાઇવે રોડ સરકારી કુમાર શાળા અને સંતરામપુર રોડ રોડ પર આવેલ આઇ પી.મિશન સ્કૂલ તેમજ અન્ય શાળાઓ આવેલ છે. હાઇવે રોડ હોવાના કારણે અહીંયા વાહન ચાલકો બેફામ હંકારી નીકળી જાય છે અહીંથી નાના બાળકો શાળાએ જવા રસ્તો ઓળંગવો પડે છે. જેથી અકસ્માતનો ભય રહે છે. આને કારણે સત્વરે હાઇવે ઓથોરિટી દ્વારા સ્પીડ બેકર અને સાઈન બોર્ડ મુકવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે. શાળા સમય દરમિયાન મેઈન હાઇવે રોડ હોઈ ખાનગી વાહનો દ્વારા અવારનવાર ઓવર સ્પીડ થી ગાડીઓ હંકારી જતા બાળકોના અકસ્માતનો ભય રહે છે જેથી શાળા આગળ સ્પીડ બ્રેકરો અને વ્હાઇટ પટ્ટા દોરવી, સ્કૂલ ના બોડ લગાવી દે તો અકસ્માત નો ભય રહે નહિ..જાે સત્વરે આ કામ ને ધ્યાને ન લેવામાં આવે તો આનો જવાબદાર કોણ તે પણ એક સવાલ છે, ત્યારે તંત્ર દ્વારા રોડ પર યોગ્ય નિયમોનુસાર સાઈનબોર્ડ લગાવે તે જરુરી બન્યુ છે.ઝાલોદ નેશનલ બાયપાસ હાઈવે ઉબડ-ખાબડ  વાહન ચાલકો ત્રસ્ત દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા માંથી પસાર થતો નેશનલ બાયપાસ હાઇવેનો રસ્તો છેલ્લા કેટલાય સમયથી તૂટવા માંડ્યો છે.કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલો હાઈવેનો રસ્તો ઠેક ઠેકાણેથી બિસ્માર બનતા હજારો ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જવાબદાર તંત્રની ઢીલી નીતિના કારણે રસ્તાઓ પર ફકત ખાડાઓનું સામ્રાજ્ય જાેવા મળે છે . આખો રસ્તો તૂટેલો હોવા છતાં કોઈ મરામત કરવામાં આવતી નથી.હાલમાં ઝાલોદથી લઈને છેક લીમડી પાસેના હાઈવેનો રસ્તો અસમતોલ બની જતા મોટા વાહન ચાલકોને હેરાન થવું પડી રહ્યું છે.ત્યારે નેશનલ હાઇવે વિભાગ દ્વારા નાના-મોટા ખાડાઓની દુરસ્તીકરણ કરવામાં ન આવતા રાત્રીના સમયે અકસ્માતોના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે.તાલુકામાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે.જેના કારણે હાઇવેનો રસ્તો ચોવીસ કલાક ધમધમતો રહે છે.ત્યારે રસ્તા પર ખાડાઓ ટાળવા જતા નાના-મોટા અકસ્માતોના બનાવો બની રહ્યા છે.નેશનલ હાઇવે બન્યો ત્યારથી અત્યાર સુધીમાં ૪૫ થી વધુ લોકો અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવી બેઠા છે.મોત ની ઘટનો બાદ પણ નેશનલ હાઇવે વિભાગનું નગરોળ તંત્ર એક્શનમાં આવીને અકસ્માતની ઘટના રોકવા માટેના પગલાં ન લેતું હોવાનું જાણવા મળેલ છે.હાઇવે પર ના ખાડાઓ અને તંત્ર ભોગે ચાલકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.
    વધુ વાંચો

વડોદરા સમાચાર

આણંદ સમાચાર

ભરૂચ સમાચાર

પંચમહાલ સમાચાર

દાહોદ સમાચાર

મહીસાગર સમાચાર

ખેડા સમાચાર

છોટા ઉદયપુર સમાચાર

નર્મદા સમાચાર

નડીયાદ સમાચાર