વડોદરા, તા. ૩૧ધોરણ બાર સામાન્ય પ્રવાહનું ઓનલાઈન માધ્યમથી આજે પરીણામ જાહેર થયુ હતું ત્યારે શિક્ષણ નગરી વડોદરાનું સૌથી ઓછા પરીણામ ધરાવતા જીલ્લામાં સ્થાન આવ્યું છે. આ વર્ષે ગત વર્ષ કરતા ૯.૩૦ ટકાના ઘટાડા સાથે ૬૭.૧૯ ટકા પરીણામ આવ્યુ છે. જેમાં આ વર્ષે એ વન ગ્રેડ મેળવનાર માત્ર પંચાવન વિદ્યાર્થીઓ જ જાેવા મળ્યા હતા.
ધોરણ બાર સામાન્ય પ્રવાહનું આજે જાહેર થયું છે ત્યારે સમગ્ર જીલ્લાનું પરીણામ ૬૭.૧૯ ટકા નોંધાવાની સાથે ગત વર્ષ કરતા ૯.૩૦ ટકાનો ધટાડો જાેવા મળ્યો હતો. શિક્ષણની નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં ૧૭,૮૩૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં ૧૧,૯૫૯ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જ્યારે અન્ય ૫૮૭૨ વિદ્યાર્થીઓ નાપાસ થતા કભી ખુશી કભી ગમ જેવો માહોલ વિદ્યાર્થીઓમાં જાેવા મળ્યો હતો. આ વર્ષે એ વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ માત્ર ૫૫ જ છે જ્યારે એ ટુ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યાં ૬૬૮ જાેવા મળી હતી. આમ , કોરોના કાળની વિદ્યાર્થીઓ પર અસર અને નબળાં શિક્ષણ સ્તરના કારણે વિદ્યાર્થીઓના પરીણામ પર અસર જાેવા મળી હતી. શહેરની વિવિધ શાળાઓ વિવિધ અદ્યતન સંસાધનોથી સજ્જ હોવા છતાં અનેેક સુવિધાઓ વિદ્યાર્થીઓને પુરી પાડવાં છતાં પણ પરીણામમાં ખાસ વધારો જાેવા મળ્યો ન હતો જેની અસર જીલ્લાના પરીણામ પર પણ જાેવા મળી હતી.
પરીક્ષાર્થીઓનું કેન્દ્ર અનુસાર પરિણામ
સયાજીગંજ ૬૬.૯૧%
રાવપુરા ૭૦.૧૨%
માંડવી ૬૮.૦૮
સમા ૭૫.૭૯%
ઈન્દ્રપુરી ૭૫.૦૫%
માંજલપુર ૬૮.૧૩%
ફતેગંજ ૬૫.૮૯%
અટલાદરા ૭૦.૧૨%
પ્રતાપનગર ૬૯.૩૪%
છાણી ૬૫.૧૫%
ફળની લારી ચલાવીને ગુજરાન ચલાવતા પિતાની પુત્રીએ એ-વન ગ્રેડ મેળવ્યો
લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં અભ્યાસ કરતી રોઝી ફાતિમાના પિતા ફળની લારી ચલાવીને પરિવારમાં રહેતા આઠ સભ્યોનું ગુજરાન ચલાવે છે ત્યારે તેમની દિકરીએ ધો.૧૨ (કોમર્સ)માં એ વન ગ્રેડ પ્રાપ્ત કરી હતી. તેને ૯૯.૯૬ પર્સન્ટાઈલ સાથે ૯૨.૫૩ ટકા પ્રાપ્ત કર્યા છે. તેઓ ભવિષ્યમાં સી.એ. બનાવાની ઈચ્છા ધરાવે છે.
છૂટક મજૂરી કરતી વિદ્યાર્થિનીએ ૯૨.૭૭ પર્સન્ટાઈલ પ્રાપ્ત કર્યા
કલાલી વિસ્તારમાં રહેતી કશીશ વાધેલાના પિતા છૂટક મજૂરી કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે. તેની સાથે વાતચિત્ત કરતા તેઓએ જણાવ્યુ હતુ કે, તેઓ રાત્રે જાગીને માત્ર શાળામાં ભણીને વગર ટ્યુશને ૯૨.૭૭ પર્સન્ટાઈલ મેેળવ્યા હતા.
મહેતા વ્રજે સમગ્ર શહેરમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો
સેલ્સ મેન તરીકે ફરજ બજાવતા રોહિતકુમાર મહેતાનો પૂત્ર વ્રજ માંજલપુર વિસ્તારમાં આવેલી શ્રેયસ વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. આજે જાહેર થયેલ પરીણામમાં તેને સમગ્ર શહેરમાં પ્રથમ નંબર મેળવીને શાળા, પરીવાર તેમજ પોતાનું નામ રોેશન કર્યું હતુ. તેને ગુજરાતીમાં ૯૧ , અગ્રેજીમાં ૯૪ , ઈકોનોમિકસમાં ૯૫, ઓર્ગેનાઈઝેશન ઓફ કોમ.માં ૯૮ , આંકડશાસ્ત્રમાં ૯૮ , એકાઉન્ટમાં ૯૯ ગુણ પ્રાપ્ત કરવાની સાથે કુલ ૯૯.૯૯ પર્સન્ટાઈલ પ્રાપ્ત કર્યા છે.
વડોદરા, તા.૩૧મેલડી માતામાં અપાર શ્રદ્ધા ધરાવતા શહેરના બે યુવાન મિત્રો આણંદ જિલ્લાના મલાતજ ગામે આવેલ મેલડી માતાના મંદિરે બાઈક પર ગયા બાદ દર્શન કરી પરત ફરતી વેળા આણંદ જિલ્લાના બાંધણી ગામ પાસે રવિપુરા રેલવે બ્રિજ પાસે લકઝરી બસના ચાલકે બાઈકને અડફેટમાં લેતાં બંને યુવાનોને શારીરિક ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવાનનું શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માત મોતના બનાવની જાણ પોલીસને કરવામાં આવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બંને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડયા હતા.
આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ વડોદરા શહેરના દુમાડ ગામે રહેતા વિષ્ણુ અને સમા ગામ વિસ્તારમાં રહેતો ક્રિશ પ્રકાશભાઈ ચૌહાણ (ઉં.વ.ર૧) બંને યુવાન મિત્રો આજે બાઈક લઈને આણંદ જિલ્લાના મલાતજ ગામે આવેલ મેલડી માતાના દર્શને ગયા હતા. આ બંને મિત્રો મેલડી માતાના દર્શન કરીને પરત આવી રહ્યા હતા, તે વખતે આણંદના બાંધણી ગામ પાસે આવેલ રવિપુરા રેલવે બ્રિજ નજીક પૂરઝડપે જતી ખાનગી લકઝરી બસના ચાલકે બંને યુવાન મિત્રોને બાઈકને અડફેટમાં લીધી હતી. જેમાં વિષ્ણુ અને ક્રિશને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતમાં વિષ્ણુ માથું ફાટી જવાથી તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ક્રિશને ઈજાઓ થતાં તેને સારવાર માટે શહેરની છાણી સ્થિત ખાનગી હોસ્પિટલમાં લવાયો હતો, જ્યાં તેનું પણ ટૂંકી સારવાર વેળા મોત નીપજ્યું હતું. અકસ્માત મોતના બનાવની જાણ પેટલાદ પોલીસને કરવામાં આવતાં પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયો હતો.
વડોદરા, તા.૩૧ વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષે એડવાન્સ વેરા ભરનાર માટે પ્રોત્સાહક વેરાવળ યોજના અમલમાં મૂકી છે. તા. ૧ એપ્રિલથી અત્યારે સુધી વડોદરા મ્યુનિ.કોર્પોરેશનને વેરા પેટે રૂા.૮૭.૧૭ કરોડ ની આવક થઈ છે. આમ આ યોજનાને સારો પ્રતિસાદ મળતા પ્રોત્સાહક વેરા વળતર યોજનાની મુદત એક માસ માટે એટલે તા.૬ જુલાઈ સુઘી કરવા દરખાસ્ત સ્થાયી સમિતીમાં રજૂ થઈ છે.
વડોદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા તા. ૬ મેથી પાંચ જૂન દરમિયાન એડવાન્સ પ્રોત્સાહક વેરા વળતર યોજના અમલમાં મૂકી છે. જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રહેણાંક બીલો માટે ૧૦ ટકા અને કોમર્શિયલ મિલકતોના બિલો માટે પાંચ ટકા વળતર તેમજ ઓનલાઈન બિલ ભરનારને એક ટકા વધારાનું વળતર આ યોજના અંતર્ગત આપવામાં આવી રહ્યું છે. ત્યારે તા.૧ એપ્રિલ થી અત્યાર સુધી એટલે તા.૩૧મી મે સુઘીમાં વેરા પેટે રૂા.૮૭.૧૭ કરોડની આવક થઈ છે જેમાં મિલકત વેરા પેટે રૂા.૭૦.૬૫ કરોડ, રૂા. ૬.૭૧ કરોડ વ્હિકલ ટેક્ષ અને પાણી ચાર્જ પેટે રૂા. ૬૮.૮૪ લાખ ની આવક થઈ છે. જ્યારે પ્રોફેશનલ ટેક્સ પેટે રૂપિયા ૯.૧૧ કરોડની આવક થઈ છે, ગત વર્ષે વેરાની આવક પેટે રૂા. ૬૦૦ કરોડ જેટલી આવક થઈ હતી.પાલિકાને પ્રોત્સાહક વેરા વળતર યોજનાને સારો પ્રતિસાદ મળતા આ યોજના તા.૫ મી જુને પૂરી થઈ રહી છે.ત્યારે આ યોજના વઘુ એક માસ માટે લંબાવવા દરખાસ્ત સ્થાયી સમિતીમાં રજૂ કરાઈ છે.
વડોદરા, તા. ૨૭દંતેશ્વર તળાવ સામે રામજી મંદિર પાછળ પરિવાર સાથે રહેતા પ્રિતીબેન ચેતનભાઈ ભૈયા વ્યવસાયે ગૃહિણી છે જયારે તેમના પતિ ઓટોરિક્ષા ડ્રાઈવીંગ કરે છે. ગત માર્ચ માસમાં તેમને જાણ થઈ હતી કે દંતેશ્વરના વચલા ફળિયામાં રહેતી વર્ષા મદનમોહન સક્સેના પર્સનલ લોન અપાવવાની કામગીરી કરે છે. પ્રિતિબેન તેમજ પાડોશી મહિલાઓ ગત ૮મી માર્ચે વર્ષાના ઘરે ગયા હતા જયાં તેણે જણાવ્યું હતું કે હું દરેક મહિલાને ઈન્ડિયા લેન્સ કંપનીમાંથી એક લાખથી માંડી પાંચ લાખની લોન અપાવું છું, કંપનીમાંથી લોન સેંકશન લેટર આવે એટલે ત્રણ હજાર ભરવા પડશે અને તે જ દિવસ મળવાપાત્ર લોન તમારા ખાતામાં જમા થઈ જશે.
તેની વાત પર ભરોસો મુકી પ્રિતીબેન સહિતની મહિલાઓએ આધારકાર્ડ, બેંક પાસબુકની કોપી સહિતના દસ્તાવેજાે વર્ષાને આપ્યા હતા. ત્યારબાદ ગત ૧૫મી માર્ચે વર્ષાએ લોનનો સેંક્શન લેટર આપતા પ્રિતીબેન સહિત પાડોશી મહિલાઓએ વર્ષાને ૩-૩ હજાર ગુગલ પે અને રોકડેથી આપ્યા હતા. જાેકે આખો દિવસ રાહ જાેવા છતાં ખાતામાં લોનની રકમ જમા નહી થતાં તેઓએ વર્ષાનો સંપર્ક કર્યો હતો જેમાં તેણે ૪થી એપ્રિલ સુધી રાહ જાેવા જણાવ્યું હતું અને ત્યારબાદ સમય પસાર કર્યો હતો. આ દરમિયાન પ્રિતીબેને તપાસ કરતાં તેમને જાણ થઈ હતી કે વર્ષા અને તેનો સાગરીત અંકિત બીપીન રાણા (ગુરુકૃપા સોસાયટી, સુલેમાની ચાલી સામે, પાણીગેટ)ઈન્ડિયા લેન્સ કંપનીના નામે લોન અપાવવાનું કહી ઠગાઈ કરી રહ્યા છે. પ્રિતીબેન અને અન્ય મહિલાઓ વર્ષાને મળી તે ઠગાઈ કરતી હોવાનું કહેતા વર્ષાએ જણાવ્યું હતું કે હું જે પૈસા તમારા પાસેથી લેતી હતી તે અંકિત રાણાને આપતી હતી અને અત્યાર સુધી તેને સાત લાખ આપ્યા છે. આ વાતના પગલે હોબાળો મચતા પ્રિતીબેનને જાણ થઈ હતી કે વર્ષા અને અંકીતે માત્ર દંતેશ્વર વિસ્તારમાં જ ૨૩૦થી વધુ મહિલાઓ સાથે આ રીતે ઠગાઈ કરી છે. આ બનાવના પગલે આજે છેતરાયેલી મહિલાઓનું ટોળું મકરપુરા ગયું હતું જયાં પ્રિતીબેનની ફરિયાદના પગલે પોલીસે વર્ષા સક્સેના અને અંકિત રાણા સામે ગુનો નોંધ તે પૈકીના અંકિતને ઝડપી પાડ્યો છે.
હજુ પણ ઠગાઈનો આંક વધવાની શક્યતા
વર્ષા અને અંકિતે લોન લેવા માંગતી મહિલાઓને એક જ નંબરના એપ્લીકેશન ફોર્મ આપ્યા બાદ બોગસ સેંકશન લેટર બનાવી ત્રણથી પાંચ હજાર પડાવ્યા છે. તેઓ મહિલાઓને એવી લાલચ આપતા હતા કે તમારા ખાતામાં પાંચ લાખ જમા થાય એટલે અમને પાંચ હજાર કમિશન આપવાનું રહેશે અને પાંચ લાખની લોનની ચુકવણી માટે દરમહિને ૧૦,૪૯૯નો હપ્તો પાંચ વર્ષ સુધી ભરવાનો રહેશે. વર્ષા અને અંકિતે શહેરના અન્ય વિસ્તારમાં પણ આ રીતે ઠગાઈ કરી હોઈ આ બનાવમાં ઠગાઈનો આંક હજુ પણ વધશે તેમ ભોગ બનેલી મહિલાઓએ જણાવ્યું હતું.
વડોદરા, તા. ૨૭
ગત એપ્રિલ માસમાં ભેદી સંજાેગોમાં ગુમ થયેલી વાઘોડિયા ચોકડી પર રહેતી વૃધ્ધાની લાશ કરજણના ધનોરા ગામની સીમમાં ઈજાગ્રસ્ત હાલતમાં મળી હતી જેમાં લાશની ઓળખ છતી નહી થતાં કરજણ પોલીસે અજાણી વૃધ્ધાનું દીપડાએ હુમલો કરતા મોત થયાની ફરિયાદ નોંધી હતી. બીજીતરફ વૃધ્ધાના ગુમ થવા અંગે તેના જમાઈએ પાણીગેટ પોલીસ મથકમાં જાણ કરી હતી જેની પાણીગેટ પોલીસે તપાસ કરતાં ખુદ જમાઈએ જ તેની વૃદ્ધ સાસુની હત્યા કરી લાશને ધનોરા ગામની સીમમાં ફેંકી દીધો હોવાનું સપાટી પર આવતા પોલીસે હત્યારા જમાઈની ધરપકડ કરી હતી.
વાઘોડિયારોડ પર શ્રીજીદ્વારા ફ્લેટમાં રહેતા ૬૩ વર્ષીય વિધવા ઈન્દુબેન રમણભાઈ ચૈાહાણની બે પુત્રીઓના લગ્ન થઈ જતા તે અત્રે એકલવાયું જીવન ગાળતા હતા. તેમની એક પુત્રીનું મુળ અડાસના વતની વિરલ ઉર્ફ લાલા અરવિંદ છાપરિયા સાથે લગ્ન થયું હતું પરંતું વિરલ વારંવાર નોકરી બદલતો હોઈ તેની પત્ની અડાસમાં સાસરીમાં રહેતી હતી. થોડાક સમય અગાઉ વિરલને પંચમહાલ જિલ્લાના હાલોલ સ્થિત રામેશ્વરારોડ પર હેરીટાઈઝ એન્ટરપ્રાઈઝ કંપનીમાં સિક્યુરીટી તરીકે નોકરી મળી હતી. ગત ૧૪મી એપ્રિલે તે અત્રે સાસુ ઈન્દુબેનના ઘરે આવ્યો હતો જયાં ઈન્દુબેને તેને નારેશ્વર ખાતે બાધા પુરી કરવા માટે લઈ જવાનું કહેતા તેઓ રાત્રે સાડા ત્રણ વાગે મોપેડ પર નારેશ્વર જવા માટે નીકળ્યા હતા. જાેકે રસ્તામાં ધનોરા ગામની સીમમાં ગણપતપુરારોડ પર તરસ લાગતા ઈન્દુબેને મોપેડ ઉભી રખાવી હતી અને જમાઈ વિરલને વ્યવસ્થિત નોકરી કરી તેની પત્નીને પણ સાથે ઘરે રાખવાનું કહ્યું હતું. આ મુદ્દે બોલાચાલી થતાં ઉશ્કેરાયેલા વિરલે વૃધ્ધ સાસુ ઈન્દુબેનના માથામાં સળીયાના ફટકા મારી હત્યા કરી અને લાશને રોડ સાઈડમાં નાખી ફરાર થયો હતો. વહેલી સવારે ઈન્દુબેનની લાશ મળતા કરજણ પોલીસે અજાણ્યા વાહન ચાલકે અથવા તો આ વિસ્તારમાં ફરતા દિપડાએ હુમલો કરી તેમને મારી નાખ્યા હોવાની શંકા સાથે ગુનો નોંધ્યો હતો અને લાશની ઓળખ છતી નહી થતાં તેનો નિકાલ કર્યો હતો. બીજીતરફ હત્યા બાદ વિરલે ઠેક ૭મી મેના રોજ પાણીગેટ પોલીસ મથકમાં તેની સાસુ ભેદી સંજાેગોમાં ગુમ થયાની જાણ કરી હતી. આ જાણકારીના પગલે પાણીગેટ પોલીસે તપાસ કરી હતી જેમાં હેકો શૈલેન્દ્રસિંહને માહિતી મળી હતી કે વિરલે જ તેની સાસુની હત્યા કરી છે. પાણીગેટ પોલીસ મથકના ઈન્ચાર્જ પીઆઈ એ.બી.મોરી સહિતની ટીમે ગઈ કાલે વિરલ છાપરિયાને કંપનીમાંથી ઝડપી પાડી અત્રે લાવી ઘનિષ્ટ પુછપરછ કરી હતી જેમાં તેણે સાસુની હત્યાની કબૂલાત કરી હતી. ઈન્દુબેનની અકસ્માતે મોતનો ગુનો કરજણ પોલીસ મથકમાં નોંધાયેલો હોઈ પાણગીટે પોલીસે વિરલને કરજણ પોલીસના સોંપવાની તજવીજ શરૂ કરી છે.
વડોદરા, તા.૨૭છેલ્લાં કેટલાંક દિવસથી આગઝરતી ગરમી અસહ્ય ઉકળાટ બાદ ગરમીના તાપમાનમાં ઘટાડો નોંધાતાં શહેરમાં અચાનક વાતાવરણે કરવટ બદલતાં નમતી બપોરે સમગ્ર શહેરમાં વરસાદી માહોલ સર્જાયો હતો. જેથી શહેરીજનોમાં વહેલા વરસાદની આશા બંધાઈ છે. ચોમાસાની સીઝનના ડાકલાં વાગી રહ્યાં છે ત્યારે આકાશમાં વરસાદી વાદળોની ફોજ આવી પહોંચતાં શહેરમાં ધૂપછાંવનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ હવામાન વિભાગે પણ આ વખતે ૧૪મી જૂને ચોમાસું વહેલું હોવાની આગાહી કરી છે. જાે કે, ઉત્તર ભારતમાં ચોમાસું શરૂ થયું છે, જેની અસર વર્તાવાની શકયતાને નકારી શકાય તેમ નથી. આ સાથે ગુજરાતમાં ચોમાસું સામાન્ય રહેવા સાથે ચાલુ વર્ષે ૯૬ ટકા સરેરાશ વરસાદ વરસી શકે છે.
આજે શહેરમાં દિવસ દરમિયાન હેરાન કરતી ગરમીનું મહત્તમ તાપમાન ૩૮.૮ ડિગ્રી સેલ્શિયસ અને લઘુતમ તાપમાન ર૮.ર ડિગ્રી સેલ્શિયસ નોંધાયું હતું. આ સાથે હવામાં ભેજનું પ્રમાણ સવારે ૭૧ ટકા અને સાંજે ૪૪ ટકા નોંધાયું હતું. જ્યારે દિવસ દરમિયાન પવનની ગતિ પ્રતિકલાક ૧૮ કિ.મી. નોંધાઈ હતી. આજે પવનની ગતિ વધુ હોવાથી જાહેર માર્ગો પર ધૂળની ડમરીઓ ઊડી રહી હતી. જેથી વાહનચાલકો હેરાનપરેશન થયા હતા. જાે કે, ગતિ સાથે ફૂંકાઈ રહેલા પવનને લીધે આજે અસહ્ય ગરમીનો ઓછો અહેસાસ થઈ રહ્યો હતો. ઉનાળાની વિદાયની સાથે ચોમાસાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે આજે બપોર બાદ શહેરમાં અચાનક વાતાવરણે કરવટ બદલતાં સમગ્ર શહેરમાં વરસાદી માહોલ સર્જાયો હતો અને વરસાદના આગમનનો અણસાર આવી રહ્યો હતો. દિવસ દરમિયાન છેલ્લાં બે દિવસથી તેજ ગતિથી ફૂંકાઈ રહેલા પવનોને કારણે આજે વોર્ડ નં.૧૧થી વાસણા રોડ પર જવાના માર્ગ પર આવેલ વર્ષોજૂનું મોટું વૃક્ષ ધરાશાયી થયું હતું, જેને કારણે એક તરફનો માર્ગ બંધ કરી દેવાતાં ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં હતાં. જાે કે, કોઈ જાનમાલને નુકસાન થવા પામ્યું ન હતું. આ અંગેની જાણ ફાયર બ્રિગેડને થતાં સ્ટાફ ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને જાહેર માર્ગ પર તૂટી પડેલ ઝાડને ખસેડીને ટ્રાફિક રાબેતા મુજબ કર્યો હતો.
વડોદરા, તા. ૨૭સોના ચાંદીની દાગીના ગીરેવે લઇ વ્યાજથી રૂપિયા આપ્યા બાદ ચેક રિટર્નની ખોટી ફરિયાદ કરી વધુ નાણાંની પઠાણી ઉઘરાણી કરનાર માથાભારે વ્યાજખોર વિરૂદ્ધ વારસીયા પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદો નોંધાઇ છે. જાે કે વારસીયા પોલીસે ગણતરીના કલાકોમાં જ માથાભારે વ્યાજખોરની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વીઆઇપી રોડ શાસ્ત્રીનગર ખાતે રહેતા અશ્વિનભાઇ ઉર્ફે રાજુભાઇ બચુભાઇ વાળા કોરોના સમય દરમિયાન તેમને નાણાંની જરૂરીયાત ઉભી થવા પામી હતી. જેથી તેમને વી.આઈ.પી રોડ પર સુપર બાકરી પાસે રહેતા બકુલેશ સુમંતલાલ જયસ્વાલ પાસે સોનાના દાગીના ગીરવે મુકી ૪.૯૭ લાખ ૪ ટકાના માસિક વ્યાજે લીધા હતાં. જે સોના ચાંદીના દાગીના છોડાવવા પેટે અશ્વિનભાઇએ ૧.૧૩ લાખ રોકડા તથા વ્યાજના બે લાખ ચૂકવવા છતા આરોપીએ સોના ચાંદીના દાગીના પરત ન આપી ગેરંટી પેટે આપાલે અશ્વિનભાઇના ચેક રિટર્ન કરાવી કોર્ટમાં કેસ કર્યો હતો. વ્યાજ ચક્રમાં ફસાવી આર્થિક નુકસાન પહોંચાડી માથાભારે માણસો લાવી ઉભા કરી દઇશ તેવી ધમકી આપી નાણાંની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. જયારે બીજી ફરિયાદમાં કૈલાશ પાર્ક પાસે, વી.આઇ.પી રોડ ખાતે રહેતા શાંતાબેન આત્મારામ સોલંકીએ ૨૦૧૯માં દિવાળી પહેલા સોના ચાંદીના દાગીના સહિત એલઇડી ટીવી બકુલેશ જયસ્વાલ પાસે ગીરવે મુકીને ૧૦ ટકા વ્યાજે ૬૧ હજાર રૂપિયાની લોન લીધી હતી. જયારે શાંતાબેને બકુલેશભાઇને મુદ્દલની સામે ૫૦ હજારનું વ્યાજ ચુકવવા છતા દાગીના કે ટીવી પરત ન આપી શાંતાબેને ગેરંટી તરીકે આપેલ ચેક રિટર્ન કરાવી કોર્ટમાં ખોટી રીતે કેસ કરી વધુ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી હતી. આ સમગ્ર બનાવની જાણ વારસીયા પોલીસને કરવામાં આવતા વારસીયા પોલીસે માથાભારે વ્યાજખોર બકુલેશ જયસ્વાલને ઝડપી પાડી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વ્યાજખોરે પડાવી લીધેલ ટી.વી, ચાંદીના દાગીના પોલીસે કબજે કર્યા
ભોગ બનનાર શાંતબેન સોલંકીની પડાવી લીધેલ એલઇડી ટીવી, ચાર ચાંદીના છડા તથા એક ચાંદીની માળા પોલીસે માથાભારે વ્યાજખોર બકુલેશ જયસ્વાલ પાસેથી કબજે કરી હતી. વધુમાં પોલીસે બકુલેશ જયસ્વાલ પાસેથી મળી આવેલ ખાનગી કંપનીમાં મુકેલ સોનાના દાગીનાની રીસીપ્ટને આધારે તપાસ કરતા વારસીયા રીંગ રોડ પર આવેલ બે અલગ અલગ ખાનગી કંપનીમાં કુલ નવ થી વધુ તોલા સોનાના દાગીના ગીરવે મુક્યા હોવાની ખરાઇ વારસીયા પોલીસ દ્વારા કરવામાં આવી હતી.
હજુ પણ કેટલાક વ્યાજખોર ૧૦ ટકા ડેઇલી બેઝ ઉપર નાણાં ધીરાણનો વેપાર કરે છે
શહેરમાં હજુ પણ કેટલાક વ્યાજખોરો દ્વારા ૧૦ ટકા વ્યાજે ડેઇલી બેઇઝ ઉપર નાણાં ધીરાણ કરવાનો વેપાર કરી રહ્યા છે. જેમાં કેટલાક નાના ધંધાદારી, રીક્ષા ચાલક, મંગળબજારના પથારાવાળા હોય કે લારી ધારકોને ટાર્ગેટ કરવામાં આવતા હોય છે. તે લોકોને એવી રીતે વ્યાજચક્રમાં ફસાવે છે કે જીંદગથી કંટાળીને આત્મહત્યા કરવા મજબુર બનતા હોય છે. આમા તો કેટલાક સરકારી કર્મચારીઓના હજુ પણ એટીએમ કાર્ડ પણ ગીરવે હોવાનું લોક મુખે ચર્ચાય રહ્યુ છે. પોલીસે પણ તે દિશામાં તપાસ કરીને માથાભારે વ્યાજખોર સામે કડકમાં કડક પગલા લે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
તમારંુ મુખ્ય કામ પ્રજાના કામો કરવાનું છે - પાર્ટીનું નહીં. પણ શરમજનક છે કે તમારું પ્રત્યેક કૃત્ય પાર્ટીના લાભ આધારિત હોય છે. ૫છી એ કામ તમારા સાક્ષાત ઈશ્વર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘મન કી બાત’ની સેન્ચુરીની ઉજવણી હોય કે તમારી પાર્ટીના એજન્ડાને આગળ ધપાવતા કોઈ ‘બાવા’નો જાહેર કાર્યક્રમ હોય. પાર્ટીના આકાઓની ચાપલુસી કરવા તમારી તમામ શક્તિ અને આવડતને આવા કામોમાં જેટલી વાપરો છો એમાંના ૧૦ ટકા પણ પ્રજાહિતના કામોમાં વાપરો એવી તમને મત આપીને વધુ એકવાર મુર્ખ સાબિત થયેલી પ્રજાની ‘મન કી બાત’ તમને સંભળાય છે ખરી ? (તસવીર ઃ કેયૂર ભાટીયા)
ડભોઇ, તા.૨૬વડોદરાના ચાંદોદ ગામની ગોદમાંથી પસાર થતી અને ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીમાં ગંગા દશાહરા પર્વની ઉજવણીનો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શુભારંભ કરાવ્યો હતો. ગંગા દશાહરાના પર્વના પ્રથમ પવિત્ર દિવસે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહી બ્રાહ્મણવૃંદ દ્વારા વેદ મંત્રોના પઠન સાથે માતા ગંગા-નર્મદાની ભવ્ય અને દિવ્ય આરતી કરી હતી. વડોદરા જિલ્લાના ડભોઇના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોદ ખાતે પ્રસિદ્ધ મલ્હાર રાવ ઘાટના કિનારે દસ દિવસીય ગંગા દશહરા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ મહોત્સવમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા. વેદોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજા અને મહાઆરતી થતાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ભાવિકોને મુખ્યમંત્રીશ્રીની સાલસતા અને મૃદુ સ્વભાવનો પરિચય થયો હતો. મહા આરતી બાદ ઘાટ ચઢતી વેળાએ મુખ્યમંત્રી ઉપસ્થિત ભાવિકોને મળ્યા હતા.બાળકો સાથે સ્નેહસભર વાર્તાલાપ કર્યો હતો.
મુખ્યમંત્રી ચાણોદ ખાતે ગંગા દશાહરા
પર્વમાં ઉપસ્થિત રહ્યા હોય તેવી પ્રથમ ઘટના
ચાણોદમાં ઉજવાતા ગંગા દશાહરા પર્વના છઠ્ઠા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ધારાસભ્ય શૈલેષ મહેતાએ ઉપસ્થિત રહી મહા આરતી, પૂજન, અભિષેકનો લાભ લીધો હતો. મુખ્યમંત્રી ચાણોદ ખાતે ગંગા દશાહરા પર્વમાં ઉપસ્થિત રહ્યા હોય તેવી આ પ્રથમ ઘટના છે. ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા તેમજ ચાંણોદના નગરજનોના આમંત્રણને માન આપી ભૂપેન્દ્રભાઈ પટેલ ચાણોદ ખાતે ઉપસ્થિત રહેતા શૈલેષભાઇ મહેતાએ આભાર વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા,જિલ્લા ભાજપ પ્રમુખ સતિષભાઈ નિશાળીયા,જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ(પોર),જિલ્લા મહામંત્રી ડો.બી.જે.બ્રહ્મભટ્ટ,જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન વકીલ અશ્વિનભાઈ પટેલ,શશીકાંતભાઈ પટેલ, ગંગા દશાહરા પર્વના મુખ્ય આયોજક સુરેશભાઈ જાેષી તેમજ ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
માન. નિલેશસિંહ રાઠોડ, આપ મેયર પછી છો - પણ એ પહેલાં તો આપના વોર્ડમાંથી ચૂંટાયેલા પ્રજાપ્રતિનિધિ છો. આપના જ વોર્ડની સરહદ પર આવેલું આ રૂા.૧ કરોડથી વધુનો ખર્ચ કરી બ્યૂટિફિકેશન કરાયેલું દંતેશ્વર તળાવ છે. લગભગ બે દિવસ અગાઉ આ તળાવ સાફ તો થયું, પરંતુ તેમાંની બધી જ ગંદકી-કચરો તળાવના પગથિયાઓ પર અને કાંઠા પર ઢગલા વાળી રખાયા છે. સ્વાભાવિક રીતે જ એ કચરો ફરી તળાવમાં જઈ રહ્યો છે. તળાવ ફરીથી એ જ કચરાથી ભરાઈ જાય એટલે ફરીથી એને સાફ કરાવવાનો, ફરી એકવાર ખર્ચ કરવાનો! બિચારા નાગરિકો વેરા ભરી-ભરીને મરી જાય... આપણે શું...? આપ પણ એવું જ વિચારશો? કે આ કચરો તત્કાળ ઉઠાવી લેવાના આદેશ આપશો? મેયર સાહેબ, બે જગ્યાએ દીપપ્રાગટ્યમાં નહીં જાવ તો ચાલશે, ચાર જગ્યાએ રિબીન કાપવા નહીં પહોંચો તો ચાલશે અને આપના રાજકીય પક્ષના અચાનક આવી ચઢેલા કોઈ મોવડીની ચાપલુસી કરવા બધા કામ પડતા મુકી એરપોર્ટ પર નહીં દોડી જાવ તો ચાલશે... પણ આમપ્રજાના પૈસે થયેલી કામગીરીમાં બેદરકારી દાખવનારાઓ સામે લાલ આંખ નહીં બતાવો તો નહીં ચાલે.. કારણ, અઢી દાયકાના આપના શાસનથી ત્રાસીને નિરાશ થઈ ગયેલી પ્રજા જાે વિરોધ-ધરણાંની તલવાર ઉગામશે તો આપણું ક્ષત્રિયપણું લાજશે નહીં?(તસવીર કેયુર ભાટીયા)
વડોદરા, તા. ૨૪હરણી વિસ્તારમાં આવેલ એક સોસયટીમાં યુવાન દંપતિએ પોતાના ઘરમાં દારૂ અને નોનવેજની પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં દંપતિની ત્રણ બહેનપણીઓને પણ પાર્ટીમા બોલાવામાં આવી હતી. આ પાર્ટીમાં દંપતિ વચ્ચે ઝઘડો થતા સમગ્ર મામલો હરણી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો. જેથી હરણી પોલીસે નશામાં ઘૂત ત્રણ મહિલાઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પોલીસમાં નોંધાયેલી ફરિયાદમાં હરણી પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે સમયે કંટ્રોલરૂમમાં વર્દી મળી હતી કે, શહેરના હરણી વિસ્તારમાં આવેલ હરણી પાર્ટી પ્લોટની પાછળ આવેલ અભિષેક વિલાના ગેટ પાસે ત્રણ યુવતિઓનો નશામાં ધુત દારૂપીને જાેરશોરથી બુમાબુમ કરીને ઝઘડો કરી રહી છે. જેના આધારે હરણી પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે જઇ તપાસ કરતા ત્રણ યુવતીઓ મળી આવી હતી. જેમાં યુવતિઓએ જણાવ્યું હતું કે, વિલામાં રહેતા માં યુવાન દંપતિ કે જેઓ હાલ અભ્યાસ પણ કરે છે. મંગળવારે તેઓએ પોતાના ઘરમાં દારૂ અને નોનવેજ પાર્ટીનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં નોનવેજ ખાવા દંપતિ દ્વારા વાઘોડીયા અને આજવા રોડ ઉપર રેહતી તેમની બહેનપણીને પણ બોલાવવામાં આવી હતી. દારૂ અને નોનવેજ પાર્ટી બાદ ત્રણે મહિલાઓ વચ્ચે કોઇ કારણોસર ઝઘડો થવા પામ્યો હતો. ત્રણે મહિલાઓ વચ્ચે થયેલા ઝઘડાનો અવાજથી વિલામાં પ્રસરતા વિલાના રહીશો દ્વારા તેમણે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ વિલાના લોકોની વાત સમજવાને બદલે તેઓ સાથે પણ ઝઘડો કરીને તેમણે પણ અપશબ્દો બોલ્યા હતાં. જેથી સમગ્ર મામલાની જાણ વિલાના રહીશ દ્વારા પોલીસ કંટ્રોલમાં કરવામાં આવી હતી. હરણી પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. વિલાના લોકો સાથે ઝઘડો કરી રહેલી અને નશામાં ધૂત ત્રણ યુવતી મળી આવતા ત્રણેય મહિલાઓને હરણી પોલીસ સ્ટેશન ખાતે લઇ આવ્યા હતાં. જાેકે મોડી સાંજે બનેલા આ બનાવના પગલે હરણી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. હરણી પોલીસે ત્રણેય મહિલાઓ સામે પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા, તા. ૨૪છાણી ખાતે આવેલ રૂત્વી વેલનેશ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા નોકરી વાચ્છુકોને ફોન કરીને બોલાવીને તેમની પાસે ૧૨ હજાર રૂપિયા ઉઘરાવીને લોભામણી સ્કીમો આપીને ગોંધી રખાય હોવાની જાણ ભાજપના પુર્વ કાઉન્સિલરને થતા તેમની સતર્કતાથી નોકરી વાચ્છુક ૧૦૦થી વધુ યુવક યુવતિઓને છુટકારો કરાવી પોતાના વતન જવા માટે રવાના કરાયા હતાં.
ભાજપના પુર્વ કાઉન્સિલર પ્રદિપ જાેષી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, છાણી જકાત નાકા પાસે આવેલ એક કોમ્પલેક્ષમાં ૨૦૪ નંબરના રૂમમાં ગાંધીનગરના રજીસ્ટ્રેશન વાળી રૂત્વી વેલનેશ પ્રાઇવેટ લિમિટેડ કંપની જે અલગ અલગ શહેરમાં ફ્રેન્ચાઇઝીસ આપીને નોકરી વાચ્છુક યુવક યુવતીઓને છેતરી રહી છે. તે કંપની કોઇ બીઝનેશ કરતી નથી પરંતુ ગરીબ આદિવાસી અભણ યુવક યુવતીઓને નોકરી આપવાની લાલચ આપીને તમને કોમ્પ્યુટરની ટ્રેનીંગ આપીશુ, કોમ્પ્યુટરની શિક્ષણ આપીશુ, ૧૫ થી ૨૦ હજાર રૂપિયાની નોકરી અપાવીશું , લીંક બનાવવાની ચેન બનાવવવાની અને તમે બીજા દશ છોકરા લાવશો તો તમારી ગ્રેડ ઉપર જશે મહિને લાખથી પાંચ લાખ રૂપિયાની કમાણી થશે તેવી લોભામણી લાલચ આપવામાં આવી હતી. ત્યારબાદ નોકરી વાચ્છુક યુવક યુવતીને ઓફિસમાં બોલાવીને ડોક્યુમેન્ટ જેમા આધારકાર્ડ, સ્કુલ એલસી જેવા ડોક્યુમેન્ટ લઇ લીધા હતા. જેમાં ઓછુ અને અભણ આદીવાસી વિસ્તારના પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ ગોધરા, પાલનપુર, જેવા વિસ્તારમાંથી ૬૦ થી ૭૦ છોકરાઓને છાણી ગામની અંદર નાનકડી ઓરડીમાં રાખે છે અને જુની ક્રિષ્ણા હોસ્પિટલ પણ ભાડે રાખીને તેમા બધા છોકરાઓને ગોંધી રાખે છે. ગોંધી રાખેલ યુવક યુવતીઓ પાસેથી બળજબરી પુર્વક રહેવા જમવાના ખર્ચા પેટે કે નોકરી પેટે ૧૨ હજાર રૂપિયા જમા કરાવવો જેથી નોકરી વાચ્છુક યુવક યુવતીઓ દ્વારા તેમણે ૧૨ ૧૨ હજાર રૂપિયા આપ્યા હતાં. કંપની દ્વારા લોભામણી લાલચ આપીને યુવક યુવતીઓ પાસેથી તેમના જ સગાવ્હાલા મિત્રોને ફોન કરાવીને યાદી બનાવીને ફોન કરી તેમને બોલાવીને તેમને ખોટી માહિતી આપવાની ટીમ લીડર દ્વારા જણાવવામાં આવતુ હતું. ત્યારબાદ તે લોકો પણ લોભામણી લાલચો સાંભળીને આવે એટલે તેમની પાસેથી પણ ૧૨-૧૨ હજાર રૂપિયા પડાવતા હતા. નોકરી વાચ્છુક યુવક યુવતીઓને કોઇ કમિશન કે પગાર પણ આપતા ન હતાં. જેણી જાણ મને થતા હું તાત્કાલીક જયા યુવક યુવતિઓને રાખયા હતા ત્યા ગયો હતો ત્યા લગભગ ૬૦થી ૭૦ જેટલા છોકરા છોકરીઓ એક ઓરડીમાં હતા. જેથી મે ભોગબનનાર બધા છોકરાઓને છાણી પોલીસ સ્ટેશન ખાતે લઇ આવ્યો હતો. રૂત્વી વેલનેશ કંપની સામે છાણી પોલીસ સ્ટેશનમાં જણા કરી હતી અને ભોગ બનનાર યુવક યુવતીઓએ છાણી પોલીસ સ્ટેશનમાં પોતાની આપવીતી વર્ણાવી હતી ત્યારબાદ ભોગબનનાર યુવક યુવતિઓ વતન જવા માટે રવાના કરાયા હતા.
સમાજમાં દાખલો બેસે તેવી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ
પૂર્વ કાઉન્સિલર પ્રદિપ જાેષી દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે આવી રૂત્વી વેલનેશ પ્રાઇવેટ કંપની જેવી લેભાગુ કંપનીના સંચાલક સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને સમાજમાં દાખલો બેસે તેવી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.
પોલીસે અમારી સાથે દુર્વ્યવહાર કર્યો
ભોગનનાર યુવકે જણાવ્યું હતું કે અમે આઠ દિવસ અહિયા હતા જેમાં પાંચ દિવસ ટ્રેનિંગ આપવામાં આવી હતી. ત્યાર બાદ અમને દરરોજ લોભામણી લાલચો આપવામાં આવી હતી. ત્યારબાદ અમે આજરોજ છાણી પોલીસ સ્ટેશન ખાતે આવ્યા હતા તે સમયે બપોર સુધી પોલીસે અમારી જાેડે સારૂ વર્તન કર્યુ ત્યારબાદ પોલીસે અમારી સાથે દુર્વવ્યવહાર કરવાનું શરૂ કર્યું હતું.
સુરત, તા. ૨૪ગુજરાત સરકારની વીજકંપનીમાં વિદ્યુત સહાયકની નિમણૂક માટે બે વર્ષ અગાઉ ઓનલાઈન લેવાયેલી પરીક્ષામાં થયેલા હાઇટેક ડમી કૌભાંડ થયાનો પર્દાફાશ કરનારી સુરત ક્રાઇમ બ્રાન્ચે વડોદરાના એક શખ્સ વધુ બે પન્ટરોની ધરપકડ કરી છે. આ બંને પેપર લીક મામલે જેલવાસ ભોગવી ચૂક્યા છે. આ બંનેના પાંચ દિવસનાં રીમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે.
સુરત ક્રાઈમ બ્રાંચના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર સને ૨૦૨૦ થી ૨૦૨૧ દરમિયાન રાજ્યની વીજ કંપનીઓમાં ૨૧૫૬ વિદ્યુત સહાયક (જુનિયર આસિસ્ટન્ટ)ની ભરતી માટે સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં ૮ સ્થળોએ ઓનલાઇન, ઇન કેમેરા પરીક્ષા લેવાઈ હતી. આ પરીક્ષામાં કેન્દ્ર સંચાલકોએ હાઇટેક ગોઠવણ કરી ઉમેદવારોનાં ડમી એ પ્રશ્નપત્ર સોલ્વ કર્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. વિદ્યુત સહાયકની નોકરી મેળવવા ડમી થકી પરીક્ષા પાસ કરવા ઇચ્છુક યુવકોને એજન્ટ શોધી લાવતાં હતાં. આ ઉમેદવારોનો કેન્દ્ર સંચાલકો સાથે સંપર્ક કરાવાતો હતો. આ માટે એજન્ટોને ઉમેદવાર દીઠ ૫૦,૦૦૦ રૂપિયા કમિશન અપાતું હતું. ત્યારબાદ કેન્દ્ર સંચાલકો ઉમેદવારો સાથે વાટાઘાટ કરતાં હતાં. જેમાં ૮ થી ૧૦ લાખમાં સોદો થતો હોવાનું ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે. આ કૌભાંડમાં ધરપકડ કરાઇ છે એ સારથી એકેડમીનાં સંચાલક મોહંમદ ઉવેશ મોહંમદ રફીક પઠાણ (રહે, વાડી ખત્રીપોળ, સ્વામિનારાયણ મંદિર પાછળ, વડોદરા) ૮૦ થી ૯૦ લાખ રૂપિયા કમાયો હોવાનું અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે ઇન્દ્રવદન અને ઓવેશ કાપડવાલા બાદ હવે વડોદરાનાં અટલાદરાની સ્ટેકવાઇઝ ટેકનોલોજીનાં ભાસ્કર ગુલાબચંદ ચૌધરી (રહે, સમસાસા લક્ઝરી એપાર્ટમેન્ટ, કેનાલ રોડ, છાણી જકાતનાકા પાસે, વડોદરા) અને ભરતસિંહ તખતસિંહ ઝાલા (હે, રામપુરા, નારાયણ નગર ચાર રસ્તા પાસે, વાસણા પાલડી, અમદાવાદ)ની ધરપકડ કરી છે.
ક્રાઇમ બ્રાન્ચે આ બંનેને કોર્ટમાં રજુ કરી ૧૦ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. રિમાન્ડ માટે રજુ કરાયેલા મુદ્દા ધ્યાને લઇ કોર્ટે ૨૯મી તારીખ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું જાણવા મળે છે.
વડોદરાના ભાસ્કર ચૌધરીએ ૨૪ ઉમેદવારોને મિસ્ટર ઇન્ડિયાથી પાસ કરાવ્યા
ભાસ્કર ગુલાબચંદ ચૌધરી વડોદરાના અટલાદરામાં આવેલી પ્રમુખ બજાર બિલ્ડીંગમાં સ્ટેકવાઇઝ ટેકનોલોજી નામથી કોમ્પ્યુટર એકેડમી ચલાવે છે. રાજ્યની વીજકંપનીઓ દ્વારા મુંબઇની એનએસએઆઇટી નામની આઇટી કંપનીને વિદ્યુત સહાયક એટલે કે જુનિયર આસિસ્ટન્ટની ઓનલાઇન ભરતી પરીક્ષા માટે કોન્ટ્રાક્ટ અપાયો હતો. મુંબઇની કંપનીએ ચૌધરીની સ્ટેકવાઇઝ ટેકનોલોજીને પેટા કોન્ટ્રાક્ટર આપ્યો હતો. આ વાતનો ગેરલાભ ઉઠાવી ચૌધરીએ ડમી કાંડ કર્યો હતો. તેણે નિશિકાંત સિન્હા, ચિરાયુ શાહ તથા ઇન્દ્રવદન પરમાર નામના એજન્ટ હસ્તક ૨૪ જેટલા ઉમેદવારોની બેઠક વ્યવસ્થા કરી ડમી થકી સાચા જવાબો લખાવી ગેરરીતિ આચરી હતી. જેના થકી તેણે ૪૦થી ૪૫ લાખ રૂપિયા મેળવ્યા હોવાનું ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે.
શિક્ષક ભરતસિંહ ઠાકોરે ૮ ઉમેદવારો પાસેથી ૮૫ થી ૯૦ લાખ લીધા
ભરતસિંહ ઝાલા ઉર્ફે ઠાકોર મૂળ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વરધાનામુવાડા ગામનો વતની છે. તે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. ઠાકોરે પણ આ પરીક્ષામાં ૧૧ ઉમેદવારોનું સેટિંગ ગોઠવ્યું હતું. તે ઇન્દ્રવદન પરમારના સંપર્કમાં રહયો અને પરીક્ષા કેન્દ્ર સંચાલક સાથે ડમીની ગોઠવણ કરી હતી. જેમાં ૮ જણા જ સફળ રહ્યા હતાં. ઠાકોરે તેની લાઇનમાં સેટ થયેલા પરીક્ષાર્થી દીઠ ૧૦થી ૧૨ લાખ રૂપિયા ઉસેટ્યા હતાં. આ રકમમાંથી ઇન્દ્રવદનને ૮ લાખ પેટે ૮ ઉમેદવારના ૬૪ લાખ રૂપિયા ચૂકવ્યા હતાં. હવે ક્રાઇમ બ્રાન્ચે આ કૌભાંડીઓ પાસેથી તેમણે ઉમેદવારો પાસે વસૂલ કરેલા લાખ્ખો રૂપિયા રીકવર કરવા કવાયત શરૂ કરી છે. આ માટે તેઓએ વસાવેલી મિલકતોની તપાસ પણ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
ચૌધરી જુનિયર ક્લાર્ક અને ઠાકોર લોકરક્ષક ભરતી કૌભાંડમાં આરોપી
વીજકંપનીની પરીક્ષામાં ડમી થકી પેપર સોલ્વ કરવાના કૌભાંડમાં ધરપકડ કરાઇ છે એ ભાસ્કર ગુલાબચંદ ચૌધરી રીઢો ખેલાડી છે. વર્ષ ૨૦૧૯માં તે રાજસ્થાનના હાઇપ્રોફાઇલ બીટ્સ પીલાની કોલેજના એડમિશન કૌભાંડમાં સંડોવાયેલો હતો. ડોક્યૂમેન્ટલ ફ્રોડ કરી ગેરકાયદે એડમિશન અપવવામાં તેની સીબીઆઈ દ્વારા ધરપકડ કરાઇ હતી, ત્યારબાદ ૨૦૨૩માં તેણે ગુજરાતમાં જુનિયર ક્લાર્ક પરીક્ષાના પેપર લીક કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ પ્રકરણે એટીએસ દ્વારા તેની ધરપકડ કરાઇ હતી. જ્યારે ભરતસિંહ વર્ષ ૨૦૧૮માં ગૃહ વિભાગની લોકરક્ષકની ભરતીના પેપર લીક કરવાના કૌભાંડમાં આ ઠાકોર સંડોવાયેલો હતો. જેમાં તેની સામે ગાંધીનગર સેક્ટર-૭ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ કેસમાં ત્રણ માસ જેલમાં રહ્યા બાદ તે જામીન મુક્ત થયો હતો.
રાજપીપળા, તા.૨૪ ડેડીયાપાડા તાલુકાના બોગજ ગામે વર્ષ ૨૦૨૧ ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે બબાલ થઈ હતી.બોગજ ગામના સતિષ કુંવરજી વસાવાએ ડેડીયાપાડાના હાલના ધારાસભ્ય એવા ચૈતર વસાવા સહિત ૧૦ જણા વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.નર્મદા જિલ્લાની રાજપીપળા સેશન્સ કોર્ટ ચૈતર વસાવા સહિત તમામ આરોપીઓને ૬ મહિનાની સાદી કેદ તથા ૧ હજાર રૂપિયા દંડની સજા ફટકારી છે.પરંતુ ચૈતર વસાવા સહિત અન્ય ૧૦ લોકોએ સજા ભોગવવાની જરૂરિયાત રહેશે નહીં.તેની જગ્યાએ આ આરોપીઓએ સી.આર.પી.સી ની કલમ ૩૬૦ મુજબ સારી વર્તુણક માટે શરતોને આધીન મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.અને દરેક આરોપીને રૂ.૨૦,૦૦૦/- ના જાત જામીન ઉપર આપવાની અને દંડની રકમ ૧૫ દિવસમા કોર્ટમાં જમા કરાવવાની રહેશે.આ પ્રકારનો ચુકાદો ૨૩ મે ૨૦૨૩ ના રોજ નર્મદાની સેશન્સ કોર્ટના જજ આર.એન.જાેશી દ્વારા ખુલ્લી કોર્ટમા સંભળાવવામાં આવ્યો હતો.સતિષ કુંવરજી વસાવાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ તારીખ ૧૯-૧૨-૨૦૨૧ ના રોજ વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં પોતાના ઘર આગળ ફળિયાના અન્ય ૬ માણસો સાથે બેસી તાપણું કરી રહ્યા હતા એ સમયે તેમના જ ગામના ચૈતરભાઈ દામજીભાઈ વસાવા સહિત અન્ય ૧૦ જણા ટોળા સ્વારૂપે ધસી આવી હુમલો કર્યો હતો.
આ બાબતે સતિષ કુંવરજી વસાવાએ ચૈતરભાઈ દામજીભાઈ વસાવા, શાંતિલાલ દામજીભાઈ વસાવા, સંજયભાઈ રૂપજીભાઈ વસાવા, જીતેન્દ્રભાઈ નાથાલાલ વસાવા, મુકેશભાઈ છત્રસિંહ વસાવા, ઈશ્વરભાઈ મૂળજીભાઈ વસાવા અને અન્ય વિજય ચુનીલાલ વસાવા, ગણેશ રાવલજી વસાવા, રતિલાલ મંગા વસાવા, અને જયરામ ગોવિંદ વસાવા સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.આ બાબતનો કેસ નર્મદા જિલ્લાની રાજપીપળા સેશન્સ કોર્ટ સમક્ષ ચાલી જતા, જજ આર.એન.જાેશીએ ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સહિત અન્ય ૧૦ લોકો સામે ભારતીય ફોજદારી ધારાની કલમ ૩૨૩ ના ગુના બદલ ક્રિમિનલ પ્રોસિઝર કોડની કલમ ૨૩૫ (૨) અન્વયે તકસીરવાન ઠરેવી દરેક આરોપીને ૬ માસની સાદી કેદ અને ૧ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.અને જાે દંડ ના ભરે તો વધુ એક માસની સાદી કેદની સજા ફરમાવતો હુકમ કરવામાં આવ્યા હતો.
વડોદરા, તા.૧૭વડોદરાની યુવતી નિશાકુમારીએ વિશ્વના સૌથી ઉંચા માઉન્ટ એવરેસ્ટની ટોચ પર પહોંચીને પ્રબળ પરિશ્રમથી પોતાનો અઘરો સંકલ્પ પૂરો કર્યો છે. ખૂબ વિકટ આર્થિક પડકારો સામે ઝઝુમીને અને થાક્યા વગર પરિશ્રમ કરીને તે આ સિદ્ધિને પામી છે.સૈનિક પરિવારનું સંતાન એવી નિશા એવરેસ્ટના શિખરે પહોંચનારી વડોદરાની પ્રથમ યુવા સાહસિક છે અને આ સિદ્ધિ મેળવનારી ગુજરાતની આંગળીના વેઢે ગણાય એટલી યુવતીઓની યાદીમાં એણે પોતાનું નામ ઉમેર્યું છે.
નેપાળની વ્યવસાયિક પર્વતારોહણ સંસ્થા ૮ કે એક્સપેડીશન્સની ૨૦૨૩ વસંત આરોહણની પ્રથમ ટુકડીમાં એવરેસ્ટ ચઢાણ માટે નિશાની પસંદગી થઈ હતી.તે છેલ્લા ૩ વર્ષથી સઘન તાલીમ, સાયકલિંગ,રનીંગ દ્વારા આ અભિયાનની તૈયારી કરી રહી હતી.હિમાલયના બરફથી છવાયેલા વિસ્તારોમાં તેણે આકરી મહેનત કરી હતી. સંસ્થાએ પ્રસારિત કરેલા સંદેશામાં જણાવ્યુ છે કે, આ અભિયાન દળના ૮ સદસ્યોએ તા.૧૭ મી મે ની સવારે એવરેસ્ટ પર્વત શિખર પર ( ઉંચાઈ ૮૮૪૮.૮૬ મીટર) સફળ આરોહણ કર્યું છે.
આ દળમાં નિશા ઉપરાંત વધુ એક ભારતીય પર્વતારોહી સંતોષ દેગાડે નો સમાવેશ થાય છે.ચીન,અમેરિકા, મોંગોલિયા, ફ્રાન્સ વગેરેદેશોના સાહસિકો નો દળમાં સમાવેશ થાય છે. ૮ કે એકસપેડીશન્સ ના ૧૦ જેટલા કુશળ શેરપાઓના માર્ગદર્શન હેઠળ આ સાહસને સફળતા મળી છે. નિશાના માર્ગદર્શક અને પ્રોત્સાહક નિલેશ બારોટે જણાવ્યું કે આ અભિયાનમાં એવરેસ્ટની સાથે તેના જાેડીયા પર્વત જેવા માઉન્ટ લહોત્સેને સર કરવાનું આયોજન છે.
એટલે નિશા એ એવરેસ્ટની ટોચ પરથી અવરોહણ કરીને કે ૪ કેમ્પથી ઉપરોક્ત બીજા પર્વતનું આરોહણ શરૂ કર્યું છે અને તેમાં સફળતા પછી તેનું આ અભિયાન પૂરું થશે.હિમાલયનો આ એવો પર્વત છે જેનું અત્યાર સુધી બહુધા આરોહણ થયું નથી.નિશા એ પર્વતરાજ હિમાલય ની ઊંચાઈ જેટલી જ ઊંચી આ સિદ્ધિ મેળવીને વડોદરાની સાથે ગુજરાતનું પણ ગૌરવ વધાર્યું છે.
ગટરનાં નવાં ઢાંકણાં નાંખવાને કારણે અથવા સાફસફાઈના કારણે ગટરમાંથી બહાર કઢાયેલી ગંદકી-માટીના આવા ઢગલાઓ ગટરની બાજુમાં પડેલા ઠેર-ઠેર જાેવા મળે છે. આ તસવીર રેસકોર્સ સર્કલ પાસેની છે. પાલિકાના તમામ કોર્પોરેટરો સહિતની ચૂંટાયેલી પાંખ અને સંગઠનના નેતાઓ આંતરિક જૂથબંધીથી ટાંટિયાખેંચમાં વ્યસ્ત છે તથા ‘સ્માર્ટ સિટી’ના કરોડોના વિકાસના કામોના નામે ટેન્ડરો બહાર પાડી જંગી કટકી કાઢવામાં સક્રિય છે. તેથી ભરચક જાહેર માર્ગ પર સામાન્ય પ્રજાને અડચણરૂપ બની રહેલા આવા ગંદકીના ઢગલાઓ બેદરકારીપૂર્વક છોડી દેનાર ‘ઈજારદારો’ને નોટિસ આપવાની વાત તો દૂર, એને ‘વિનંતી’ના સૂરમાં એને શહેરભરના આવા તમામ ઢગલાઓ તાત્કાલિક દૂર કરવાનું કહેતાં શબ્દો ખિસ્સું ગરમ કરી લેનારાઓના સિવાયેલા મોઢામાંથી નીકળતા નથી. આ શહેર પર ચૂંટાયેલી પાંખના તોડબાજ કોર્પોરેટરો-હોદ્દેદારો અને સંગઠનના ‘વહીવટદારો’ રાજ કરે છે એનાથી વધુ તો ઈજારદારો રાજ કરે છે. કારણ કે, પાલિકા દ્વારા હાથ ધરાતા એકેએક કામના તમામે-તમામ ઈજારદારો ઉપરોક્ત તમામના ચરણોમાં આવા જ ઢગલા ખડકીને કમાણી કરે છે. અલબત્ત, આ ઢગલા માટીના નહીં, ‘ગાંધીછાપ’ નોટોની થપ્પીઓના હોય છે. આથી જ હવે પ્રજાએ પોતે જ પોતાની આવી અડચણ દૂર કરવા પોતાના તરફથી ‘ઈજારો આપવાનો છે’ એવી ઝુંબેશ કરવી પડે એવા દિવસો આવી ગયા છે.
વડોદરા, તા.૧૭શહેરી ગરીબોનું શહેરમાં પોતાનું મકાન મળે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી હાઉસિંગ ફોર ઓલ યોજના અંતર્ગત વડોદરા કોર્પોરેશનના એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ દ્વારા કુલ ૩૧,૨૩૪ મકાનોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, અને ૯૭૬૧ મકાનોનું કામ હાલ ચાલુ છે. શહેરને સ્લમ ફ્રી બનાવવા માટે સરકારી માલિકીની જમીન પર આગામી પાંચ વર્ષમાં બીજા ૨૪,૨૯૮ મકાનો બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. વડોદરા કોર્પોરેશને મુખ્યમંત્રી ગૃહ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ફાળવેલા મકાનો પૈકી ૫૭૫ લાભાર્થીઓએ પોતાના ફાળાની બાકી આશરે ૩૯ કરોડ ની રકમ હજી સુધી જમા નહીં કરાવતા તે તા.૧૫ જૂન સુધીમાં ભરી દેવા નોટિસ આપવામાં આવી છે, અને જાે બાકી રૂપિયા નહીં ભરાય તો કોર્પોરેશન કોઈપણ જાતની જાણ કર્યા વગર ફાળવેલું મકાન રદ કરી દેશે ેતેવી સુચના પણ આપવામાં આવી છે.
જે મકાનના લાભાર્થી ફાળાની રકમ બાકી છે તેમાં ઇ ડબલ્યુ એસ સયાજીપુરા-સાંઈ રેસીડેન્સીની બાજુમાં, ગોત્રી-ચંદ્ર મોલેશ્વરની બાજુમાં, તાંદળજા-શુભમ પ્લોટની આગળ જતા, હરણી-અંબે વિદ્યાલયની બાજુમાં, એલઆઇજીના સયાજીપુરા-રુદ્રાક્ષ ફ્લેટની સામે, અટલાદરા-પ્રમુખસ્વામી હોસ્પિટલ પાસે, તાંદળજા-સન ફાર્માની પાછળ, માંજલપુર-લક્ષ્મી કૃપાની સામે, હરણી-સિગ્નસની પાછળ, ગોત્રી-પ્રત્યુશા ડુપ્લેક્સની પાસે, વાસણા રોડ-જકાતનાકા થી ગામ તરફ જતા તેમજ એમઆઈજી વાસણા રોડ-સોહમની સામે તથા સમા-ચાણક્યપુરી થી કેનાલ તરફ જતા મકાનોનો સમાવેશ થાય છે. લાભાર્થીઓએ આ મકાનો મેળવવા માટે અરજી કરતાં કોર્પોરેશન તરફથી પ્રોવિઝનલ ફાળવણી કરવામાં આવી છે. આ યોજનાના લાભાર્થીઓ દ્વારા આજ સુધી મકાનની બાકી રહેતી રકમ જમા કરાવેલ નથી. કોર્પોરેશને બાકી રકમ છે તેવા લાભાર્થીઓના નામ સાથેની યાદી કોર્પોરેશનની વેબસાઈટ ઉપર મૂકેલી છે.
વડોદરા, તા.૧૭
વડોદરા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સિનિયર કોંગી આગેવાન સુરેશભાઇ પટેલ ને ે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તાજેતરમાં આર.એસ.એસ દ્વારા આયોજિત કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે હાજર રહ્યા હતા. અને તેમણે કાર્યક્રમમાં પ્રવચન પણ આપ્યું હતું. જેથી તેમને ે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવતા રાજકીય મોરચે ખળભળાટ મચ્યો છે.
ગુજરાતમાં દિવસેને દિવસે કોંગ્રેસ તુટતી જાય છે. અને એક સાંઘતા તેર તૂટે તેવો ઘાટ ગુજરાત કોંગ્રેસમાં જાેવા મલી રહ્યો છે. મોટા ગજાના અનેક નેતાઓ ભાજપમાં જાેડાઇ ગયા છે. અને કેટલાય હજી જાેડાવવાની તૈયારી કરી રહ્યા છે. આવી સ્થિતી વચ્ચે વડોદરા શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સિનિયર આગેવાન સુરેશ પટેલને પક્ષમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સસ્પેન્શન લેટરમાં કહ્યુ છે કે, તાજેતરમાં વડોદરામાં આયોજિત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા આયોજિત પ્રશિક્ષણ વર્ગના ઉદ્ધાટન પ્રસંગે અતિથી વિશેષ તરીકે હાજર રહ્યા હતા. એટલું જ નહિ તેમણે પ્રસંગે પ્રવન પણ આપ્યું હતું.આ ઘટનાની પ્રદેશ કક્ષાએ ગંભીર નોંધ લેવાતા તેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
જાેકે,કોંગ્રેસના સિનિયર અગ્રણી અને પૂર્વ કોંગ્રેસ પ્રમુખ સુરેશ પટેલને સસ્પેન્ડ કરાતા કોંગ્રેસ વર્તુળોમાં ખળભળાટ મચ્યો છે.કેટલાક કોંગ્રેસના અગ્રણીઓએ તેમને સસ્પેન્ડ કરવાના નિર્ણય સામે આડકતરી રીતે નારાજગી પણ વ્યક્ત કરી હતી.
મને આવો કોઈ પત્ર મળ્યો નથી ઃ સુરેશ પટેલ
વડોદરા શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલે લોકસત્તા સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે,અત્યાર સુઘી મને આવો કોઈ પત્ર મળ્યો નથી.સસ્પેન્ડ કરતા પહેલા ખુલાસો પૂંછવો જાેઈએ, આ પદ્ધતી યોગ્ય લાગતી નથી.તેમણે એમ પણ કહ્યુ હતુ કે, હુ ૩ પેઢી થી કોંગ્રેસમાં છુ અને રહેવાનો છુ.ભાજપમાં જાેડાવવાની કોઈ ઈચ્છા નથી.
પાર્ટીના સિદ્ધાંત વિરુદ્ધ કામ કર્યુ છે ઃ નરેન્દ્ર રાવત
પ્રદેશ કોંગ્રેના અગ્રણી નરેન્દ્ર રાવતે કહ્યુ હતુ કે, તા.૮મીએ વડોદરામાં આર.એસ.એસ,ની કાર્યશાળાનો આરંભ થયો જેના ઉદ્ધાટન પ્રસંગે સુરેશ પટેલ અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા સાથે આર.એસ.એસ,ની તરફેણમાં વાતો પણ કરી,જે કોંગ્રેસની વિચારઘારા વિરૂદ્ધ છે. જે ચલાવી ના શકાય એ સંદર્ભે પ્રદેશ સમિતીનેે વિગતો મળતા તા.૯મીએજ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.આ પાર્ટીની શિસ્ત વિરૂદ્ધનુ નહી પરંતુ પાર્ટીના સિદ્ધાંત વિરૂદ્ધનુ કામ કર્યુ છે.જે નિર્ણય લીઘો છે તેને અમે આવકારીએ છે.
વડોદરા, તા. ૧૭ગોત્રી વિસ્તારમાં રહેતા જમીન દલાલ ચેતન વાળંદને વ્યાજે નાણાં આપ્યા બાદ તેમની પાસે પઠાણી ઉઘરાણી સાથે ધમકીઓ આપી તેમજ લક્ષ્મીપુરા પોલીસ મથકમાં અરજી કરીને જમીન દલાલને આપઘાતની દૂષ્પ્રેરણા આપનાર ત્રણેય માથાભારે વ્યાજખોર ભરવાડોને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી ગોત્રી પોલીસને સોંપ્યા હતા. ગોત્રી પોલીસે માથાભારે વ્યાજખોર ત્રિપુટીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે તેમના નવ દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજુર કર્યા હતાં.
ગોત્રી વિસ્તારના લક્ષ્મીનગર-૧માં રહેતા ચેતનભાઇ વાળંદે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. આપઘાત માટે ત્રણ માથાભારે વ્યાખોર સાજન ભરવાડ, વિઠ્ઠલ ભરવાડ અને સુરેશ ભરવાડ જવાબદાર હોવાનું તેમજ વ્યાજખોરોએ લક્ષ્મીપુરા પોલીસ મથકમાં પૈસા દબાવતા પોલસે પણ તેમણે વારંવાર ફોન કર્યો હોવાનો અંતિમ ચિઠ્ઠીમાં ઘટસ્ફોટ કર્યો હતો. જાે કે છ દિવસ બાદ ચેતન વાળંદનું મોત નિપજતા તેમના પુત્રની ફરિયાદના પગલે ગોત્રી પોલીસે ઇક્ત ત્રણેય વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. ગોત્રી પોલીસની નિષ્કાળજીથી ત્રણેય આરોપીઓ ફરાર થતા આ બનાવની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ કરી રહી હતી. જાે કે ગોત્રી પોલીસ હવામાં બાચકા ભરતી રહી ત્યારે ક્રાઇમ બ્રાન્ચે આ ગુનામાં સંડોવાયેલા વરજાંગ ઉર્ફ સુરેશ વસરામ છોટિયા, વિઠ્ઠલ વસરામ છોટિયા (વાલ્મિકીકૃપા સોસાયટી, કૃણાલ ચારરસ્તા,ગોત્રી) અને સાજન વસરામ છોટિયા (વિશ્રાંતી એસ્ટેટ, લક્ષ્મીપુરા)ને ગત રાત્રે વાઘોડિયા ચોકડી પાસેથી ઝડપી પાડી તેઓને ગોત્રી પોલીસના હવાલે કર્યા છે. ગોત્રી પોલીસે ત્રણેય માથાભારે વ્યાજખોર સામે વિવિધ મુદ્દાઓ જેવા કે આરોપીઓએ ૧૦ ટકા વ્યાજે આપેલ નાણાં પેટે મકાનનો દસ્તાવેજ આરોપીઓએ આજ દિન સુધી પરત કરેલ ના હોય તે કબ્જે કરવાનો, વ્યાજે આપેલ નાણાં બાબતે આરોપીઓને સાથે રાખીને ઉંડાણ પુર્વક તપાસ કરવાની હોવા સહિત આ ગુનાના મુળ સુધી પહોચવા માટે આરોપીઓની હાજરી જરૂર હોય તેવા અનેક મુદ્દાઓ પર કોર્ટમાં રજુ કરીને ૧૪ દિવસના પોલીસ કસ્ટડીના રીમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જેમા કોર્ટે ત્રણેય આરોપીઓના નવ દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતાં.
વડોદરા, તા.૧૨વડોદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના પ્રવેશ દ્વાર ગોત્રી-સેવાસી રોડ ઉપરના રસ્તા રેષામાં આવતી કાચી-પાકી દુકાનો.ઓટલા સહિતના ૮૦ થી વઘુ દબાણો પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરીને રસ્તો ખુલ્લો કર્યો હતો.૩૦ મીટરના ટીપી રોડ પર દબાણો દૂર કરવા માટે પહોંચેલી પાલિકાની ટીમ અને દુકાનદારો વચ્ચે ઘર્ષણ થયું હતું. જાેકે,પાલિકા તંત્ર દ્વારા તમામ દબાણો દૂર કર્યા હતા.
પાલિકાની દબાણ શાખાની ટીમ તાલુકા પોલીસના બંદોબસ્ત સાથે વડોદરાના પ્રવેશ દ્વાર સેવાસી-ગોત્રી રોડ ઉપર રસ્તા રેષામાં આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ઘરી હતી.સવારે ૮ જેટલા જે.સી.બી., ડમ્પરો સહિતના કાફલા સાથે સેવાસી ગામ ખાતે પહોંચેલી દબાણ શાખાની ટીમ દ્વારા મુખ્ય રસ્તાની બંને બાજુમાં આવેલી કાચી-પાકી ૨૦ જેટલી દુકાનો તેમજ રસ્તા રેષામાં આવતા મોટા કોમર્શીયલ કોમ્પલેક્સના ઓટલા સહિત વઘારાના કરાયેલા બાંઘકામો દૂર કરીને રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ઘરી હતી.
સેવાસી વાવ પાસે ગ્રામ પંચાયત દ્વારા વર્ષો પૂર્વે ફાળવેલી દુકાનો પણ રસ્તા રેષામાં આવતી હોઈ તેને તોડવાની કામગીરી હાથ ધરાતા દુકાનદારો કામગીરી અટકાવવા માટે ઘર્ષણમાં ઉતર્યા હતા. દુકાનદારોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા રસ્તાની એક બાજુનાજ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. જાેકે,રોડની માપણી સાથે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે.તેમ પાલિકા તંત્રએ કહ્યુ હતુ. સેવાસી રોડ ઉપરના ૩૦ મીટરમાં આવતા રસ્તાની બંને બાજુ દબાણો આવતા હશે તે દબાણો દૂર કરાયા હતા.
એક દુકાનદાર મહિલાએ વર્ષો જુની પોતાની દુકાન ઉપર જે.સી.બી. ફેરવવાનું શરૂ થતાં ભારે હોબાળો મચાવ્યો હતો. મહિલાએ કામગીરી અટકાવવા માટે પ્રયાસ કરતા મહિલા પોલીસ કાફલો મહિલાને બાજુ ઉપર લઇ જઇ સમજાવી મામલો થાળે પાડ્યો હતો. પાલિકા તંત્ર દ્વારા ગોત્રી કેનાલ થી સોનારકુઈ સુઘીના ૮૦ જેટલા દબાણો દૂર કર્યા હતા.પાલિકા દ્વારા સ્માર્ટ સીટી અંતર્ગત અહી સ્માર્ટ રોડ બનાવવામાં આવનાર હોંવાનુ જાણવા મળે છે.
આ એવરેસ્ટ માત્ર કચરાનો નથી - પણ, અઢી દાયકા દરમિયાન શાસક ભાજપાએ કરેલા બેફામ અને અક્ષમ્ય ભ્રષ્ટાચાર, શરમજનક ગેરરીતિઓ અને વિકાસ-સમાર્ટ સિટીના નામે પોતપોતાના ખિસ્સાઓ ભરી આર્થિક તગડા થવાના વૈયક્તિક પાપોનો સરવાળો છે. અલબત, વિપક્ષ તરીકે કોંગ્રેસે ખરેખર પ્રામાણિક પાઠ ભજવ્યો હોત તો આ એવરેસ્ટ આટલો ઊંચો થાત જ નહીં. ખેર! આજે તો એ વિપક્ષ તેનસિંગ-હિલેરીની અદામાં એ એવરેસ્ટની ટોચ પર ઊભા રહી પોતે આ પાપ માટે જવાબદાર નહીં હોવાનું પ્રમાણ આપી રહ્યો છે. સૌનો-સાથ-સૌનો વિકાસ વિના આ શક્ય છે? (તસવીર ઃ કેયુર ભાટીયા)
વડોદરા, તા. ૧૨ઓરેન્જ એલર્ટ વચ્ચે મહત્તમ તાપમાનનો પારામાં આંશિક ધટાડા વચ્ચે મહત્તમ તાપમાનનો પારો ૪૩.૨ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયો હતો. છેલ્લા ત્રણ દિવસથી અંગદઝાડતી ગરમીને કારણે બપોર દરમ્યાન અનેક લોકો ઘરની બહાર નિકળવાનું ટાળતા હોવાથી મોટાભાગના રોડ – રસ્તાઓ સૂમસામ નઝરે પડ્યા હતા.
રાજ્યભરમાં અસહ્ય ગરમીની આગાહી વચ્ચે આજે મહત્તમ તાપમાનમાં આંશિક રાહત જાેવા મળી હતી. છ રાજ્ય પૈકી વડોદરા શહેરમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવાની સાથે મહત્તમ તાપમાન ૪૩.૨ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાઈ હતી. અસહ્ય ગરમીને કારણે લૂ લાગવાના બનાવ , ચામડીના રોગો તેમજ ઝાડા ઉલ્ટી સહિતના વાયરલ બિમારીઓમાં વધારો જાેવા મળ્યો હતો. માનવીની સાથે પશી – પક્ષીઓમાં પણ ગરમીની અસર જાેવા મળી હતી. અસહ્ય તાપના કારણે તેમજ પીવાના પાણીના અભાવને કારણે મોટા પ્રમાણમાં પક્ષીઓ મૃત્યુ પામેલા જાેવા મળ્યા હતા. અસહ્ય તાપને પગલે મોટાભાગના રસ્તાઓ પર ડામર પીગળવાના કારણે અકસ્માતના બનાવમાં પણ વધારો જાેવા મળ્યો હતો. આજે દિવસ દરમ્યાન મહત્તમ તાપમાનમાં ૦.૬ ડીગ્રી સેન્ટીગ્રેડના ઘટાડા વચ્ચે તાપમાન ૪૩.૨ ડીગ્રી સેન્ટીગ્રેડ સાથે લધુત્તમ તાપમાન ૨૭ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. તે સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ દિવસ દરમ્યાન ૪૫ ટકાની સાથે સાંજે ૧૫ ટકા નોંધાયું હતું. તે સિવાય હવાનું દબાણ ૧૦૦૪.૧ મીલીબાર્સની સાથે પશ્ચિમ દિશા તરફથી નવ કિં.મી.ની ઝડપે પવન ફૂકાંયા હતા.
પાલિકા દ્વારા ઠેર-ઠેર પાણીની પરબો શરૂ કરવામાં આવી
અસહ્ય ગરમીને કારણે રાહદારીઓને શુધ્ધ પાણીની સુવિધા મળી રહે તે માટે પાલીકા દ્વારા વિવિધ વિસ્તારોમાં પાણીની પરબો શરુ કરવામાં આવી હતી. શહેરના મુખ્ય ત્રણ વિસ્તારો કારેલીબાગ , પાણીગેટ અને હરિનગર પાણીની ટાંકી પાસે પાણીની પરબો શરુ કરવામાં આવી હતી. તે સિવાય સયાજીબાગ ખાતે પણ પાણીની પરબ શરુ કરવામાં આવી છે. મેયર , સ્ટેન્ડીંગ કમિટી સહિતના અગ્રણીઓ દ્વારા પરબનો પ્રાંરભ કરવામાં આવ્યો હતો. પાલીકા સિવાય અન્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણીની સાથે છાશનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
વડોદરા, તા. ૧૨સેન્ટ્રલ માધ્યમિક શિક્ષા બોર્ડ (સી.બી.એસ.સી.) બોર્ડ દ્વારા આજે ધોરણ દસ અને બારનું પરીણામ જાહેર થયું હતું. સમગ્ર શહેરમાં ધોરણ દસનું ૯૩.૧૨ ટકા પરીણામ જ્યારે ધોરણ બારનું ૮૭.૩૩ ટકા પરીણામ જાહેર થવાની સાથે મોટાભાગની શાળાનું પરીણામ પણ સો ટકા આવતા શિક્ષકો , વાલીઓ તેમજ વિદ્યાર્થી વર્ગમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કોરોના કાળ બાદ શિક્ષણ પધ્ધતિમાં બદલાવ આવવાના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો વિદ્યાર્થીઓને કરવો પડી રહ્યો છે ત્યારે પરીણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ એકબીજા વચ્ચે સ્પર્ધા ન લગાવે તે માટે સી.બી.એસ.સી. બોર્ડ દ્વારા મેરીટ લીસ્ટ જાહેર કર્યું નથી તેમજ પ્રથમ , દ્વીતીય અને તૃતીય નંબર પણ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા નથી. સી.બી.એસ.સી.નુ ધોરણ દસ અને બારનું પરીણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો હતો. શહેરની મોટાભાગની શાળાઓનું સો ટકા પરીણામ આવ્યું હતું. જેમાં સમગ્ર શહેરમાં ધોરણ બાર વિજ્ઞાનપ્રવાહમાં પ્રથમ ક્રંમાકે ગુજરાત પબ્લીક સ્કુલ અટલાદરાનો વિદ્યાર્થી હિંમાશું પંચાલ આવ્યો હતો. તે સિવાય નવરચના ઈન્ટરનેશનલ સ્કુલ , પ્રીન્સ અશોકરાજે ગાયકવાડ સ્કુલ , ગુજરાત પબ્લીક સ્કુલ , ઈરા ઈન્ટરનેશનલ સ્કુલ તેમજ ભવન્સ સ્કુલ સહિતની અન્ય શાળાઓએ પણ સો ટકા પરીણામ પ્રાપ્ત કર્યું હતું. કોરોનાકાળ બાદ પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપવા બેઠેલા વિદ્યાર્થીઓએ મહેનત કરીને સો ટકા પરીણામ લાવતા અનેક શાળાઓના આચર્ય , શિક્ષક તેમજ વાલીઓમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો હતો.
હરીફાય ન સર્જાય તે માટે મેરિટ લીસ્ટ જાહેર ન કર્યું
આ વર્ષે સી.બી.એસ.સી. દ્વારા તેમની વેબસાઈટ પર મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવ્યુ નથી.આ બાબતે તેઓએ એક પ્રેસનોટના માધ્યમથી માહિતી આપી હતી કે વિદ્યાર્થીઓ વચ્ચે નાદુરસ્ત સ્પર્ધા યોજાતી હોય છે જેના પરીણામે આપધાત જેવા કિસ્સાઓ પણ વધતા જતા હોય છે આ પ્રકારના બનાવો ન બને તેમાટે તેઓ દ્વારા આ વર્ષે મેરીટ લીસ્ટ જાહેર કર્યું નથી. તે સિવાય વિદ્યાર્થીઓને પ્રથમ , દ્વિતીય ક્રમાંક પણ આપવામાં આવ્યા નથી
વડોદરા, તા. ૧૨ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થા અને વન વિભાગ દ્વારા બરાનપુરા વિસ્તારમાં રહેતા એક પુરુષના ઘરમાંથી સંગ્રહિત કરેલા જમીન પરના તેમજ દરીયાઈ વન્યજીવો સહિતના ૨૩ વન્ય જીવો મળી આવતા તમામ જીવોનું રેસ્કયુ કરીને વન્યજીવ સંગ્રહીત કરનાર વ્યક્તિની વિરુધ્ધમાં સીડ્યુઅલ - ૧માં આવતા જીવને અનુંસધાનમાં રાખીને ફરીયાદ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થા દ્વારા વન્યજીવોને મુક્ત કરવા માટેની પહેલ ચલાવવામાં આવી રહી છે ત્યારે સંસ્થાના વડા રાજેશ ભાવસારને મળેલ ગુપ્ત માહિતીને આધારે તપાસ હાથ ધરતા બરાનપુરા વિસ્તારમાં આવેલ વ્રજ સાંઈ એપાર્ટમેન્ટમાં રહેતા રાણા ધર્મવીર પ્રવિણસિંહના ઘરે વન્યજીવોને રસાયણમાં મુકીને સંગ્રહ કર્યો હોવાનું જણાઈ આવતા તેઓએ વન વિભાગને સાથે રાખીને રેઈડ પાડતા ત્યાંથી મોટી સંખ્યામાં વન્યજીવો મળી આવ્યા હતા. રસાયણમાં સંગ્રહીત કરવા માટેની પરવાનગી ઝૂઓલોજી વિભાગ કે અન્ય સંસ્થાઓ જેની પાસે અધિકૃત લાયસન્સ ધરાવતા લોકોને જ હોય છે ત્યારે લાયસન્સ વિના ઘરમાં સંગ્રહિત કરેલા બે જમીન પરના કાચબા જીવતા મળી આવ્યા હતા. જ્યારે દરિયાઇ વન્ય જીવ જે રસાયણ માં રાખવામાં આવ્યા હતા જેમાં દરિયાઇ ઘોડા, દરિયાઇ કોરલ, જેલી ફિશ, વાત ફિશ, ક્રેબ, સ્ટાર ફિશ, ફ્રોગ, ઓક્ટોપસ, મીની શાર્ક સહિતના ૨૩ વન્ય જીવો મળી આવ્યા હતા.જેથી તમામ વન્યજીવોનું રેસ્કયુ કરીને રાણા ધર્મવીરની વિરુધ્ધમાં વન્ય જીવ અધિનિયમ ૧૯૭૨ હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અગાઉ પણ અનેક વાર ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થા દ્વારા રેઈડ પાડીને અનેક વન્ય જીવોને બચાવવામાં આવ્યા હતા. તેઓએ અપીલ કરી છે કે કોઈ પણ વન્ય જીવોને પીંજરામાં પુરી રાખવા કે તેના પર ક્રુરતા કરવી એ એક ગુનો છે માટે કોઈ પણ વન્યજીવોને પાળ્યા હોય તો તેઓ સ્વંય વન વિભાગ ખાતે આવી વન્યજીવોને સોંપીને કડક કાર્યવાહીમાં રાહત મેળવીને જીવોને મુક્ત કરી શકે.
વાઘોડિયા, તા.૧૨
પંચમહાલ જીલ્લાના એક ગામનુ દંપતી પોતાના બે સંતાનો સાથે વાઘોડિયાની માડોધર વિસ્તારની એક સોસાયટીમા રહેતું હતું. ત્યારે પતિની ગેરહાજરીમા પરણીતા સાથે અવાર નવાર મિત્રતા સાઘી નિકટ આવી પરણીતા જાેડે આડા સંબધ બાંધી ત્રણ દિવસ પહેલા પરણીતાનો પતિ નોકરીએ જતા બે સંતાનની યુવાન પરીણીતાને વિધર્મી યુવક પ્રેમજાળમા પટાવી ફોસલાવી પરણીતાના નાના સંતાનોને નોંઘારા મુકાવી ભગાડી ગયો હતો. જે બાબતે પોલીસે અરજીના આધારે તપાસ હાથ ધરી હતી. પોલીસે મોબાઈલ લોકેશનના આધારે કાર્યવાહી હાથ ધરી હતી.નસવાડી તાલુકાના પંખાડા ગામમા ડુંગરાળ વિસ્તારમા વિધર્મી યુવકનું મોબાઈલ લોકેશન ટ્રેસ થતા તે ઠેકાણે પહોંચતા વિધર્મી યુવક અને પરીણીતા પોલીસના હાથે ઝડપાઈ જતા વાઘોડિયા પોલીસે આરોપીને વાઘોડિયા પોલીસ મથકે લાવી વધુ તપાસ હાથ ધરી છે પંચમહાલ જીલ્લાના એક ગામનુ દંપતી પોતાના બે સંતાનો સાથે વાઘોડિયાની માડોધર વિસ્તારની એક સોસાયટીમા રહેતા હતા.ત્યારે પતિની ગેરહાજરીમા સાદ્દિક નામના વિધર્મી યુલકે પરણીતા સાથે અવાર નવાર મિત્રતા સાઘી નિકટ આવી પરણીતા જાેડે આડા સંબધ બાંધી ત્રણ દિવસ પહેલા પરણીતાનો પતિ નોકરીએ જતા બે સંતાનની યુવાન માતાને વિધર્મી યુવક પ્રેમજાળમા પટાવી ફોસલાવી પરણીતાના નાના સંતાનોને નોંઘારા મુકાવી ભગાડી ગયો હતો. નોકરીથી પરત ફરેલા પતિને નાના દિકરાએ માતા ખંધા રોડ પર રહેતો વિધર્મી યુવક સાદ્દિક કપડા લત્તા પેક કરાવી મોટરસાયકલ પર બેસાડી ભગાડી ગયો હોવાની વાત કરતા પતિએ પત્ની અને સાદ્દિકનો મોબાઈલ ફોનથી સંપર્ક કરતા ફોન ઊઠાવ્યો ન હતો પરંતુ મોબાઈલ ઓન હોવાથી ભોગ બનનારના પતિએ સમૃધ્ધી સોસાયટીમા ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા સાબ્બીર પઠાણના પુત્ર ે સાદ્દિક પઠાણ સામે ગુન્હો નોંઘાવવા હિન્દુ સંગઠનોનો સંપર્ક કરતા હિન્દુ પરણીતાને લવજેહાદમા ફસાવી આડા સંબધ બાંઘી મોકો મળતા ભગાડી જવાનુ કૃત્ય કરનાર વિધર્મી યુવક સામે હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો હતો. મોબાઈલ લોકેશનના આધારે નસવાડી તાલુકાના પંખાડા ગામમા ડુંગરાળ વિસ્તારમા મોબાઈલ લોકેશન ટ્રેસ થતા તેના ઠેકાણે પહોંચતા વિધર્મી યુવક પોલીસને જાેઈ જંગલ અને ડુગરાળ વિસ્તારમા ભર બપોરે પોલીસને દોડાવી દોડાવી હંફાવી નાંખ્યા બાદ આખરે પોલીસના હાથે બન્ને ઝડપાઈ ગયા હતા.
વડોદરા, તા. ૧૨
વ્યાજખોર સામે પોલીસની ઝુંબેશમાં એક પછી એક વ્યાજખોરોના ચિઠ્ઠા બહાર આવી રહ્યા છે. વ્યાજખોરના ચક્રમા ફસાયેલા કેટલાક લોકોતો વ્યાજખોરની ઉઘરાણીથી ત્રાહિમામ પોકારી ગયા છે અને આપઘાતનો પ્રયાસ કરી રહ્યા છે. તેવામાં ફતેગંજ પોલીસે ૩ લાખની સામે ૩.૫૦ લાખ તથા ૭.૫૦ લાખની સામે ૮.૩૬ લાખની માતબર રકમ વ્યાજ સહિત ચુકવી દીધી છે. છતા પણ વ્યાજખોર દંપતિ સહિત ત્રણ લોકો વારંવાર ઉઘારણી કરતા ફતેગંજ પોલીસમાં યુવકે ફરિયાદ નોંધાવી હતી. જેથી ફતેગંજ પોલીસે યુવકના ફરિયાદના આધારે ગણતરીના કલાકોમા જ વ્યાજખોર દંપતિ સહિત ત્રિપુટીને ઝડપી પાડ્યા હતાં.
નિઝામપુરા વિસ્તારમાં રહેતા કમલનયન દેસાઇ ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે વર્ષ ૨૦૧૪માં નાણામી જરૂરીયાત ઉભી થતા વાસણા રોડ ખાતે રહેતા અલ્કેશ વસંતભાઇ ગજ્જર અને નિઝામપુરા વિસ્તારમાં રહેતા કિર્તી મયુરભાઇ પટેલ પાસેથી મહિને ત્રણ ટકાના વ્યાજે ૩ લાખ રોકડા રૂપિયા લીધા હતા. જેના સિક્યુરિટી પેટે મારા માલિકીની નવદુર્ગા શોપિંગ સેન્ટરમા આવેલ દુકાન રાખી લીધી હતી. જાેકે કતેની સામે આજદિન સુધી ૩.૫૦ લાખનું વ્યાજ ચુકવ્યુ છે તેમ છતા વધુ વ્યાજની માંગણી કરી મને પરેશાન કરે છે. તદંઉપરાંત વર્ષ ૨૦૧૮માં કિર્તીબેન પેટલ પાસેથી માસિક ત્રણ ટકાના વ્યાજે ૭.૫૦ લાખની રકમ લીધી હતી. આ રકમ સામે વર્ષ ૨૦૧૯માં પાંચ લાખ પરત ચુકવ્યા છે. કિર્તીબેન તથા તેમના પતિ મયુરભાઇ આઠ લાખની રકમ ઉપર માસિક ત્રણ ટકાનું વ્યાજ ગણી દર મહિને ૨૪ હજાર વસુલતા હતા. આમ, વ્યાજ ૩.૩૬ લાખ તથા અગાઉના પાંચ લાખ રોકડા રૂપિયા મળી કુલ ૮.૩૬ લાખની રકમ ચુકવી છે. તેમ છતા કિર્તીબેન અને તેનો પતિ મયુરભાઇ મારી પાસેથી વધુ આઠ લાખની ઉઘરાણી કરે છે. દંપતિ વારંવાર ફોન કરીને મને અપશબ્દો બોલી ઘરનો સામાન લઇ જવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપે છે. ફતેગંજ પોલીસે ઉપરોકત ફરિયાદના આધારે ગુનામાં સંડોવાયેલા અલ્કેશ વસંજભાઇ ગજ્જર, મયુરભાઇ પટેલ સહિત તેમની પત્નીને ઝડપી પાડી તેઓની પાસેથી કોરા ચેક તેમજ પ્રોમિસરી નોટ કબજે કરી હતી.
હજી તો મૂંછનો દોરો નથી ફૂટ્યો પણ પેટનો ખાડો પૂરવા સલામતીના સાધનો વિના ગટર સાફ કરવા ઉતરતાં આ સગીર સફાઈસેવકને કામ પર રાખનાર કોન્ટ્રાકટરની સામે ફરિયાદ કરાશે? કે પાલિકના સંબંધિત અધિકારીએ કોન્ટ્રાકટરને ‘દમ મારી’ રૂપિયા પડાવી લઈ આ શોષણ અને ગેરકાનૂની કૃત્ય સામે આંખ આડા કાન કરશે? (તસવીર ઃ કેયૂર ભાટીયા)
વડોદરા, તા.૧૧
સૂર્યદેવે રૌદ્રરૂપ ધારણ કરતાં વડોદરા શહેર-જિલ્લામાં આકાશમાંથી વરસી રહેલ અગનવર્ષાના કારણે આકરી ગરમીના પ્રકોપથી મનુષ્યજીવ સાથે અબોલા પશુ-પક્ષીઓ-પ્રાણીઓ પણ આકુળ-વ્યાકુળ થઈ ઊઠયાં છે. છેલ્લા ત્રણ દિવસમાં તાપમાનના પારામાં અંદાજે ૩.૪ ડિગ્રી સેલ્શિયસનો વધારો થતાં આજે ઉનાળાની સીઝનનો સૌથી વધુ તાપમાન ૪૩.૮ ડિગ્રી સેલ્શિયસ નોંધાયું છે. અબોલા પશુ-પક્ષીઓ-પ્રાણીઓ પણ વૃક્ષોનો છાંયડો શોધવા માટે માર્ગો પર આમ-તેમ ફરતાં નજરે પડી રહ્યાં છે.
ખાસ કરીને ફૂટપાથ પર રહેતાં ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્થિતિમાં જીવન ગુજારતાં ગરીબ લોકોની હાલત વધુ કફોડી બની છે. જાે કે, કેટલીક સેવાકીય સંસ્થાઓ દ્વારા ગરમીથી રક્ષણ મેળવવા માટે છાશ અને લીંબુ સરબત સહિત આરોગ્યપ્રદ ઠંડાપીણાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આજે દિવસ દરમિયાન શહેરમાં આકરી ગરમીનો પ્રકોપ રહેતાં લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠયા હતા. તદ્ઉપરાંત આ સાથે પવનની ગતિ પ્રતિકલાકના ૧૦ કિ.મી. નોંધાતાં ફૂંકાતા ગરમ પવનથી અંગ દઝાડતાં ટુ-વ્હીલરચાલકો, સાઈકલચાલકો, રાહદારીઓ, શ્રમજીવીઓ હેરાનપરેશાન થઈ ગયા હતા. એટલું જ નહીં, તેમને ફરજિયાત મોઢા પર રૂમાલ, ગોગલ્સ, ટોપી પહેરવાની ફરજ પડી હતી.
જાે કે, આકરી ગરમીમાં બહાર ન નીકળવા માટે તબીબો દ્વારા સલાહ આપવામાં આવી રહી છે. જેથી બપોરના સમયે શહેરના રાજમાર્ગો પર વાહનવ્યવહાર ઓછો જાેવા મળ્યો હતો. અલબત્ત, કુદરતી કરફયૂનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ ગરમીથી બચવા માટે મહત્તમ ગરમીનું તાપમાન ૪૩.૮ ડિગ્રી સે. નોંધાયું હતું, જે ગઈકાલ કરતાં આજે ૦.૪ પોઈન્ટ તાપમાનમાં વધારો થયો હતો, જે ઉનાળાની સીઝનનો સૌથી તાપમાન નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન રપ ડિગ્રી સેલ્શિયસ નોંધાયું હતું. આ સાથે હવામાં ભેજનું પ્રમાણ સવારે ૫૧ ટકા અને સાંજે ૧૬ ટકા રહ્યું હતું. જ્યારે પવનની ગતિ પ્રતિકલાકના ૧૦ કિ.મી. નોંધાઈ હતી. ગરમ લ્હાય જેવા ફૂંકાતા પવનને કારણે વાહનચાલકો અગનગોળાનો અહેસાસ કરી રહ્યા હતા. ખાસ કરીને હાથ અને હાથના પંજા ઉપર તેની વધુ અસર જાેવા મળી હતી. આકરી ગરમીમાં ઘરોમાં અને ઓફિસમાં એ.સી., કુલર અને પંખાનો સહારો લેવો પડી રહ્યો છે. જાે કે, પંખાની ગરમ હવાથી ગરમીનો વધુ અહેસાસ થઈ રહ્યો છે. ઉનાળાની સીઝનનો આ દિવસ આકરી ગરમીનો રહ્યો હતો.
વડોદરા, તા.૧૧વડોદરા મ્યુનિસિપલ કોર્પોેરેશનની તરસાલી બાયપાસ જામ્બુઆ સ્થિત લેન્ડફીલ સાઈટ પર બપોરે એકાએક આગ ફાટી નીકળી હતી. કચરાના મોટા મોટા ઢગલામાં આગ લાગતાં ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. આ અંગેની જાણ કરાતાં ફાયર બ્રિગેડના લાશ્કરો ૮ થી ૯ ફાયર ફાઈટરો સાથે દોડી ગયા હતા અને ચારથી પાંચ કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જાે કે, ધુમાડા નીકળવાના ચાલુ હોઈ મોડી રાત સુધી કુલિંગની કામગીરી કરવામાં આવી હતી. લેન્ડફીલ સાઈટ પર આગ લાગતાં મેયર પણ સભા છોડીને સ્થળ પર દોડી ગયા હતા.
વડોદરા કોર્પોેરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી દરરોજ એકત્ર કરાતો હજારો ટન કચરો જામ્બુઆ લેન્ડફીલ સાઈટ ખાતે ડમ્પ કરીને સાયન્ટિફિક રીતે તેનો નિકાલ કરવામાં આવે છે. જાે કે, આ સ્થળે કચરા પર કોઈ પ્રક્રિયા કરાતી નથી, માત્ર ડમ્પ કરવામાં આવે છે તેવા આક્ષેપો અનેક વખત થયા છે. આ સ્થળે અવારનવાર કચરામાં આગ લાગવાના બનાવો પણ બન્યા છે પરંતુ આગના કારણો અકબંધ રહ્યા છે.
ત્યારે આજે બપોરના સમયે જામ્બુઆ લેન્ડફીલ સાઈટ ખાતે કચરાના ઢગલામાં ફરી આગ લાગી હતી અને ક્ષણમાં જ આ આગ વિકરાળ બની હતી. કચરાના ઢગલામાં આગને પગલે ધુમાડાના ગોટેગોટા નીકળતાં આસપાસના ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ બનાવની જાણ થતાં જ જીઈઆડીસી, પાણીગેટ સહિતના ફાયર સ્ટેશનોથી ફાયર બ્રિગેડનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધર હતી.
જાે કે, પાલિકાની સભા શરૂ થાય તે પૂર્વે મેયરને જાણ થતાં તેઓ પણ સભા છોડીને સ્થળ પરછોડી ગયા હતા. ફાયર બ્રિગેડના લાશ્કરોએ ૮ થી ૯ ફાયર ફાઈટરોની મદદથી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જાે કે, ધુમાડાના ગોટેગોટા નીકળતાં હોઈ કુલિંગની કામગીરી મોડી રાત સુધી ચાલુ રહી હતી. જાે કે, આગ કયા કારણોસર લાગી તેનું કારણ બહાર આવશે કે આ વખતે પણ રહસ્ય જ રહેશે તેવી ચર્ચા પાલિકાના વર્તુળોમાં થઈ રહી છે.
રાજપીપળા, તા.૧૨ગુજરાતમાં ભાજપના જ નેતાઓ સરકારની વિવિધ યોજનાઓમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું કહી રહ્યા છે.હાલમાં જ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે નલ સે જલ યોજનામાં જ્યારે ભરત કાનાબારે અમરેલી આરટીઓ ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો લગાવ્યા છે ત્યારે હવે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ મનરેગા યોજનામાં અધિકારીઓ અને પદાધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાનો ગંભીર આક્ષેપ લગાવતા ખળભડાત મચ્યો છે.ભાજપ સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયાના માધ્યમથી આક્ષેપ લગાવતા જણાવ્યું છે કે નર્મદા જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી થકી ચાલુ વર્ષ ૨૦૨૩ ના મનરેગાના કામોનું ડેડીયાપાડા, તિલકવાડા, નાંદોદનું ઓનલાઈન ટેન્ડર મંગાવવામાં આવ્યું હતું, અને જાહેરાત મુજબ જે તે એજન્સીઓએ મટીરીયલ સપ્લાય માટે ટેન્ડર ભર્યા હતા.પરંતુ ટેન્ડર ખુલતા તાલુકા તથા જિલ્લાના અધિકારીઓ તથા કેટલાક પદાધિકારીઓના મળતીયાઓની એજન્સીઓના ટેન્ડર ન લાગતા ખોટી રીતે તાત્કાલિક ટેન્ડર રદ કરવામાં આવી અને તરત ખુબજ ઝડપથી નવા ટેન્ડરની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે.પ્રથમ વખત ટેન્ડરની જે ગાઈડલાઈન હતી તેમાં સુધારો વધારો કરી ગાઈડલાઈન હળવી કરી અધિકારીઓ, પદાધિકારીઓના મળતીયાઓને અનુકૂળ, ગાઈડલાઈનમાં સુધારો કર્યો.હવે ચિંતા એ બાબતની છે કે જેમની ક્ષમતા નથી તેવી એજન્સીઓ પણ ઓનલાઈન ટેન્ડર ભરશે અને ખુબજ નીચા ભાવ ભરાશે તો કામોમાં ગુણવત્તા જળવાશે નહીં અને મારી પાસે એ પણ માહિતી છે કે કેટલીક એજન્સીઓ, કોન્ટ્રાક્ટરોએ એડવાન્સમાં નાણાકીય વ્યવહાર કર્યા છે.આ બાબતે હું રાજ્ય સરકાર અને ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓને આ ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતી કરનારાઓ, જિલ્લા સ્તરના ઉચ્ચ અધિકારીઓ, ડીઆરડી નિયામક તથા તેમનો સ્ટાફ અને તાલુકામાં જેમણે ટેન્ડર પ્રક્રિયામાં સહયોગ આપ્યો છે તેવા કર્મચારીઓની સામે પણ પગલાં ભરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે મુજબની રજુઆત કરીશ.
વડોદરા, તા.૨૯વડોદરા શહેરના ન્યુ વીઆઇપી. રોડ ખોડિયારનગરમાં ભૂંગળાં-પાપડી બનાવતી ફેક્ટરીમાં સવારે ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઇ હતી. આગની જ્વાળા વચ્ચે પાપડી-ભૂંગળાં ચારે બાજુ ફેલાઈ ગયાં હતાં. બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા લાશ્કરો તુરંત સ્થળ પર દોડી આવ્યા હતા અને ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો.
ફાયર બ્રિગેડના સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના ખોડિયારનગરમાં ભૂંગળાં-પાપડી સહિતની ચીજવસ્તુઓ બનાવતી ફેક્ટરી આવેલી છે. આ ફેક્ટરીમાં સવારના સમયે એકાએક આગ ફાટી નીકળી હતી. આગ લાગતાં તુરંત સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને પાણીમારો ચલાવી આગને બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફેક્ટરીમાં ભૂંગળા, પાપડી તળવા તેલ હોંવાથી આગ વિકરાળ હોઈ આગ કાબૂમાં આવી ન હતી.
બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા પાણીગેટ ફાયરબ્રિગેડના લશ્કરો ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને પાણનો ીમારો ચલાવી ભારે જહેમતે આગ પર કાબૂ મેળવ્યો હતો. ફેક્ટરીમાં ભૂંગળાં-પાપડી જેવી વસ્તુઓ બનાવવા માટેનું રો-મટીરિયલ હોવાના કારણે આગ ક્ષણોમાંજ વિકરાળ બની હતી. જાેકે આગ વધુ પ્રસરે એ પહેલાં સ્થળ પર પહોંચી ગયેલી પાણીગેટ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા ચારબાજુથી પાણીમારો ચલાવી એને કાબૂમાં લેવાઈ હતી. આગથી મોટું નુકસાન થયું હોવાનું મનાય છે. આ બનાવમાં કોઈ જાનહાનિ થઇ નથી.
આગના આ બનાવની જાણ વીજ કંપનીને થતાં તરત જ સ્થળ પર પહોંચી ગઇ હતી અને સાવચેતીના ભાગરૂપે આસપાસનો વીજપુરવઠો બંધ કરી દીધો હતો. એ સાથે સ્થાનિક પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને આગ કયા કારણોસર લાગી તેની તપાસ હાથ ઘરી છે.
વડોદરા, તા. ૨૯ગોત્રી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પી.વી.આર સિનેમા, નિલામ્બર સર્કલ પહોચ્યાં હતા ત્યારે સિનેમાંની અંદરના ભાગે કેટલાક લોકો ઝઘડો કરતા હતા. ત્યાં હાજર વિરાજ પટેલનાઓએ પોલીસ સ્ટાફને જણાવેલ કે હું સી.એમ.ઓ ઓફિસનો માણસ છું અને હું તથા ફરહાના ઉર્ફે માહીખાન ઇઝહાર શેખના ફિલ્મ જાેવા માટે આવેલ હતા તે સમયે મારી સાથે પ્રદિપ નાયર ઝઘડો કરે છે. તેના આધારે વિરાજ પટેલ તથા પ્રદિપ નાયર તથા ફરહાના શેખને પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરતા તેઓ ગાંધીનગર ગિફટ સીટીમાં પ્રેસીડેન્ટ છે અને અમારી ગાંધીનગર ગિફ્ટ સિટીમાં ગુજરાત સરકાર દ્વારા આ અમારી સાથેના ફરહાના ઉર્ફે માહીખા નાઓની નિમણુંક બ્રાંડ એમ્બેસેડર તરીકે થયેલ છે. તેઓને ઉર્વશી સોલંકી તરફથી તેમજ તેના માણસો જક્ષય શાહ તથા અન્ય લોકો દ્વારા વારંવાર ગિફ્ટ સિટીમાં બ્રાંડ એમ્બેસેડરમાંથી નિકળી જવા ધમકી મળતી હોય જેથી અમો સેફ્ટી માટે વડોદરા ખાતે એક ખાનગી હોટલમાં રોકાયેલ હતા તેમ જણાવ્યું હતું. પોલીસ દ્વારા તેનું આધારકાર્ડ માંગતા જે આધારકાર્ડમાં તે ગાંધીનગર ખાતે રહેતા વિરાજ અશ્વિનભાઇ હતું. તેની પાસેથી પાનકાર્ડની નકલ જાેતા જેમા વિરાજ અશ્વીનભાઇ શાહ નામ હતું જે બાબતે તેને પુછતા તેને શાહ અટકનં ખોટુ પાનકાર્ડ બનાવેલ હતું. આ સમગ્ર બાબતની જાણ ગોત્રી પોલીસ દ્વારા પોલીસના ઉચ્ચઅધિકારીને જાણ કરતા તેમના દ્વારા સી.એમ.ઓ ઓફિસમાં આ બાબતે ખરાઇ કરવા તપાસ કરતા સી.એમ.ઓ ઓફિસનો માણસ નહી હોવાનું જણાઇ આવ્યું હતું. સી.એમ.ઓ ઓફિસનો માણસ નહી હોવા છતાય તેનું ખોટુ નામ ધારણ કરીને હોદ્દાનો દુર ઉપયોગ કરનાર ગાંધીનગર ખાતે રહેતા વિરાજ અશ્વિનભાઇ પેટલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
વડોદરા, તા. ૨૯વિશ્વ વિખ્યાત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ વિશ્વ વિદ્યાલયનો આવતીકાલે પંચોત્તેર વર્ષ પૂર્ણ થતા મ.સ.યુનિ. આ સુવર્ણ કાળની ઉજવણી ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવા માટેનું આયોજન કરશે ત્યારે યુનિ.ની બોયઝ હોસ્ટેલની દિવાલ પર મહારાજા સર સયાજીરાવ ગાયકવાડના શાશન કાળ દરમ્યાન શહેરની છબીને તેમજ તેમની પ્રતિકૃતિને ભીંત પર ચીતરવામાં આવી છે જે હાલમાં શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે.
ફતેગંજ વિસ્તારમાં આવેલ મ.સ.યુનિ.ની બોયઝ હોસ્ટેલની દિવાલ પર ફાઈન આર્ટસ ફેકલ્ટીની ભૂતપૂર્વ વિદ્યાર્થીની તેમજ વિદ્યાનગર ખાતે સરદાર પટેલ યુનિ.ના વિદ્યાર્થી ભાવેશ રાવલ દ્વારા માત્ર એક જ મહિનાના સમયગાળામાં સમગ્ર દિવાલ પર અદભૂત ચિત્રકારી કરવામાં આવી છે. ચિત્રકાર ભાવેશ રાવલ સાથે વાત્તચિત્ત કરતા જણાવ્યું હતું કે, ભર ઉનાળે ક્રેનની મદદથી દિવાલના ઉપરના ભાગ પર પહોંચી જઈને સમગ્ર દિવાલ પર ચિત્રકામ કરવામાં આવ્યું છે તેંમજ તેમાં સુંદર કલર કામ પણ કરવામાં આવ્યુ છે. આ ચિત્રમાં મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની છબી તેમજ શહેરનના જાણીતા સ્થળો ઉપરાંત તેની સંસ્કુતિ વિશેનું ચિત્રકામ કરવામાં આવ્યુ છે જે હાલમાં શહેરીજનો માટે સ્નેપશોર્ટ બનાવવા માટેનું કેન્દ્ર બન્યુ છે.
વડોદરા, તા.૨૯વડોદરા શહેર કોંગ્રેસ અગ્રણીઓની ઉપસ્થિતિમાં યૂથ કોંગ્રેસ દ્વારા આયોજિત લોકશાહી મશાલી રેલીને પોલીસ વિભાગ દ્વારા પરવાનગી આપવામાં નહીં આવતાં શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના અગ્રણીઓ-કાર્યકરો લક્કડીપુલ કોંગ્રેસ કાર્યાલયથી મશાલ લઈને રેલીસ્વરૂપે નીકળતાં જ પોલીસે પ૦થી વધુ કોંગ્રેસ અગ્રણીઓ-કાર્યકરોની અટકાયત કરી નંદેસરી પોલીસ મથકે લઈ જવાયા હતા.કોંગ્રેસના મધ્ય ગુજરાતના પ્રભારી, પ્રદેશના યૂથ કોંગ્રેસ પ્રમુખ સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં આજે લોકશાહી બચાવો મશાલ રેલીનું આયોજન શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જાેશીએ કહ્યું હતું કે, આ મશાલ રેલી માટે તા.ર૭મીએ પોલીસ પરવાનગી પણ માંગવામાં આવી હતી. જેમાં લોકશાહી બચાવો મશાલ રેલી તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આજે પણ અમે શહેશર પોલીસ કમિશનરને મળ્યા હતા પરંતુ સાંજે પોલીસ કોંગ્રેસ કાર્યાલય આવી અને મશાલ વગર રેલી કાઢો તેમ કહ્યું.સાંજે કોંગ્રેસના કાર્યકરો મશાલ સાથે નીચે ઉતરતા પોલીસે મશાલ પર પાણી રેડીને ઓલવી નાંખી હતા.
ભારત દેશના સંવિધાનના ઘડવૈયા ડૉ.બાબા સાહેબ આંબેડકરજીની ૧૩૨ મી જન્મજયંતિ નિમિત્તે મેયર નિલેશ રાઠોડ સહિત પાલિકાના હોદ્દેદારોએ પુષ્પાજંલી અર્પણ કરી હતી. તેમજ ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા સયાજીગંજ થી અલકાપુરી ડો.આંબેડકરજીની પ્રતિમાં સુઘી પદયાત્રાનું આયોજન કરાયું હતું.અને ડો.બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી.કોંગ્રેસના અગ્રણીઓ તેમજ પાલિકા દ્વારા પણ ડો.બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરાઈ હતી.
વડોદરા, તા. ૧૪છેલ્લા કેટલાક દિવસથી તાપમાનનાં પારામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે ગત રાત્રી દરમ્યાન વાદળછાયા વાતાવરણને કારણે શહેરમાં ઠંડકનો માહોલ જાેવા મળ્યો હતો. પરતું આજે સવારથી સૂર્યદેવે તેમનું ઉગ્ર રુપ ધારણ કર્યુ હોવાથી બપોર દરમ્યાન અસહ્ય તાપથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આજે પણ દિવસ દરમ્યાન મહત્તમ તાપમાનમાં એક ડીગ્રી સેન્ટીગ્રેડ જેટલો વધારો નોંધાવાની સાથે પારો ૩૯.૪ ડીગ્રી નોંધાતા શહેરીજનો વ્યાકુળ બન્યા હતા. અસહ્ય ગરમીને પગલે મોટાભાગના રોડ રસ્તા બપોર દરમ્યાન સુમસામ નઝરે પડયા હતા. ઠેકઠેકાણે સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણીની પરબો શરુ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા લૂ થી બચવા માટેના પ્રયાસો અને લૂ લાગે ત્યારે કેવા પ્રકારના ઉપચાર કરવા તે માટેની ગાઈડલાઈન પણ બહાર પાડી દેવામાં આવી છે. તે સિવાય અન્ય વાયરલ બિમારીઓ જેમકે તાવ , શરદી , ખાંસી અને પાણીજન્ય રોગોમાં વધારો નોંધાતા શહેરના વિવધ સરકારી અને ખાનગી હોસ્પીટલમાં દર્દીઓની ભારે ભીડ જાેવા મળી હતી. છાસ , ઠંડા પીણા , આઈસક્રીમ તેમજ બરફ ખાવા માટે લોકોની ઠેકઠેકાણે ભીડ જાેવા મળી હતી. આજે દિવસ દરમ્યાન મહત્તમ તાપમાન ૩૯.૪ ડીગ્રી સેન્ટીગ્રેડ સાથે લધુત્તમ તાપમાન ૨૬ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. તે સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ દિવસ દરમ્યાન ૪૭ ટકાની સાથે સાંજે ૨૩ ટકા નોંધાયું હતું. તે સિવાય હવાનું દબાણ ૧૦૦૭.૪ મીલીબાર્સની સાથે પશ્ચિમ દિશા તરફથી દસ કિં.મી.ની ઝડપે પવન ફૂકાંયા હતા.
વડોદરા, તા.૧૪વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસમાં નવો પાસપોર્ટ કઢાવવા, રીન્યૂ કરાવવવા માટે આજે રજાના દિવસે પણ લોકોને એપોઈન્ટમેન્ટ આપવામાં આવી હતી.એપોઈન્ટમેન્ટ મળતા અનેક લોકો પોતાના બાળકો સાથે પાસપોર્ટ ઓફીસ પહોંચ્યા હતા.પાસપોર્ટ ઓફીસ દ્વારા મોડીરાત્રે રજા હોંવાથી એપોઈન્ટમેન્ટ રદ્દ કરવાના મેસેજ મોકલવામાં આવ્યા હતા.પરંતુ મેસેજ જાેયા વગર સવારે પહોંચેલા લોકોએ વહીવટ સામે રોષ વ્યક્ત કરીને હોબાળો મચાવ્યો હતો.અને આગામી સપ્તાહમાં આજની તારીખે એપોઈન્ટમેન્ટ રીશીડ્યુલ કરી આપવામાં આવે તેવી માંગ કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ પાસપોર્ટ માટે ઓનલાઈન એપ્લિકેશન કર્યા બાદ લોકોને તારીખ અને સમય સાથેનો સ્લોટ ફાળવવામાં આવે છે.આજે તા.૧૪ એપ્રિલે ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિના કારણે જાહેર રજા હોવાથી લોકોને આજના દિવસના સ્લોટ પણ ફાળવી દેવામાં આવ્યા હતા. જેના કારણે સવારે અનેક લોકો નિઝામપુરા સ્થિત પાસપોર્ટ ઓફિસ ખાતે પહોંચ્યા હતા. તેમાં કેટલાક બહારગામથી આવ્યા હતા.
પાસપોર્ટ ઓફિસ બંધ જાેઈને લોકાએે રોષ વ્યક્ત કર્યો હતો. અનેકે કહ્યુ હતુ કે, ત્રણ દિવસથી તમારી એપોઈન્ટમેન્ટ કન્ફર્મ હોવાના મેસેજ આવી રહ્યા હતા.અને ગઈકાલે રાત્રે સાડા બાર વાગ્યા બાદ એપોઈન્ટમેન્ટ કેન્સલ હોવાની જાણ એસએમએસ દ્વારા કરવામાં આવી હતી. જેના કારણે ઘણાએ મેસેજ વાંચ્યા પણ નહોતા.આંબેડકર જયંતિની જાહેર રજા હોય છે છતા એપોઈન્ટમેન્ટ કેમ આપવામાં આવી? લોકોએ ફરિયાદ કરી હતી કે, ઓફિસ પર કોઈ જવાબદાર વ્યક્તિ પણ હાજર પણ નથી. જે ફોન નંબર બોર્ડ પર દર્શાવાયો છે તેના પર કોઈ ફોન ઉપાડતુ નથી. હવે અમારી એપોઈન્ટમેન્ટ એક મહિના બાદ રીશિડયુલ કરવામાં આવશે અને અમારે એક મહિનો રાહ જાેવી પડશે. તેની જગ્યાએ અમને બે ત્રણ દિવસમાં એપોઈન્ટમેન્ટ ફાળવવામાં આવે.લોકોના હોબાળાના કારણે ફતેગંજ પોલીસને પણ દોડી આવવુ પડયુ હતુ. પોલીસે માંડ માંડ રોષે ભરાયેલા લોકોને શાંત પાડયા હતા.
વડોદરા, તા.૧૪વડોદરા શહેરમાં બેફામ હંકારતા ડમ્પર ચાલકો પૈકી એક ડમ્ફર ચાલકે આજે વહેલી સવારે ઓન ડ્યુટી ઉપર ફરજ બજાવતા ગોત્રી પોલીસ મથક ના કર્મચારીને ટક્કર મારી તેઓના માથા ઉપર ડમ્પરના વ્હીલ ચઢાવી દેતાં પોલીસ કર્મચારી નું આજે સવારે અકાળે મોત નિપજ્યું હતું. બનાવને પગલે બંદોબસ્ત કરીને છૂટા પડેલા સહકર્મચારીઓમાં ઘેરા શોખની લાગતી ગઈ હતી.અને ચકચાર મચી જવા પામી હતી. અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થઈ જતા પોલીસે સીસીટીવી કેમેરામાં કેદ થયેલા ડમ્પર ના આધારે ડમ્પર ચાલકની ધરપકડનાર ચક્રો ગતિમાન કર્યા છે.તદ ઉપરાંત તેમના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે.
અરેરાટી ભર્યા બનાવની પ્રાપ્ત વિગત એવી છે કે સુરેન્દ્રનગરના અંતરિયાળ ગામે રહેતા લાલભા ભવાનસિંહ રાઠોડ પોલીસ કર્મચારી તરીકે પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. તેઓની છ માસ અગાઉ જ વડોદરા શહેરના ગોત્રી પોલીસ મથકે ટ્રાન્સફર થઈ હતી. ત્યારથી તેઓ ગોત્રી પોલીસ મથકે હેડ કોન્સ્ટેબલ તરીકે તેઓ ફરજ બજાવતા હતા.
આજે ડોક્ટર બાબા આંબેડકર ની જન્મ જયંતી હોવાથી ગોત્રી પોલીસ મથકનો સ્ટાફ વહેલી સવારથી જ બંદોબસમાં હતો. આ બંદોબસમાં લાલાભાઇ રાઠોડ પણ સામેલ હતા. બંદોબસ્ત પૂર્ણ થયા બાદ તેઓ ને સોંપવામાં આવેલી અન્ય કામગીરીમાં જાેતરાયા હતા. ઓન ડ્યુટી ઉપર તેમની ફરજ નિભાવવા ભાઈલી રોડ ઉપરથી સન ફાર્મા રોડ તરફ જઈ રહ્યા હતા. તે વખતે માતેલા સાંઢની જેમ દોડતા આવતા ડમ્ફરના ચાલકે પોલીસ કર્મચારીની એકટીવા ને અડફેટે લીધી હતી. જેથી એકટીવા પરથી ફંગોળાયેલા પોલીસ કર્મચારી લાલાભાઇ રાઠોડ ઉપર ડમ્પર ચાલાકે ઉપર કાબુ ગુમાવતા ડમ્પર પોલીસ કર્મચારી ના માથા ઉપર ચડાવી દીધું હતું. જેથી પોલીસ કર્મચારીની ખોપડી ફાટી જવાથી તેમનું અકાળે મોત ને ભેટ્યા હતાં.
આ અકસ્માતના બનાવ ને પગલે સ્થાનિક લોકોના ટોળા દોડી આવ્યા હતા. ડમ્પર ચાલકને ઝડપી પાડવા માટેના પ્રયાસ કર્યા હતા. પરંતુ ડમ્પર ચાલાક બનાવ સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ બનાવની જાણ તાલુકા પોલીસને કરવામાં આવતા તાલુકા પોલીસ બનાવ સ્થળે દોડી આવી હતી. મૃતક શહેર પોલીસ તંત્રના કર્મચારી હોવાનું જાણવા મળતા આ બનાવ ની જાણ પોલીસ બેડામાં વાયુવેગે પસરી ગઈ હતી. એટલું જ નહીં ગોત્રી પોલીસ મથકના અને સવારે સાથે બંદોબસ્તમાં રહેલા પોલીસ કર્મચારીઓને આ બનાવની જાણ થતા પોલીસ કર્મચારીઓમાં ભારે ઘેરા શોખની લાગણી આપી ગઈ હતી. અને આ સમગ્ર બનાવની તપાસ હાથ ધરી હતી. જાેકે બનાવ સ્થળે લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરવામાં આવી હતી. સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થતાં ફરાર થયેલા ડમ્પર ચાલકનો ડમ્પર નો નંબર સીસીટીવી કેમેરામાં મળી આવ્યો હતો. જે નંબરના આધારે પોલીસે ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
હપ્તા રાજમાં પોલીસની રહેમ નજર હેઠળ દોડતા ભારદારી વાહન ચાલાકે પોલીસનો જ ભોગ લીધો
વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા નાના મોટા વાહનો માટે ટ્રાફિક નિયમન માટેના કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. પરંતુ હપ્તા રાજમાં પોલીસના રહેમ નજર હેઠળ ભારદારી વાહન ચાલકો દ્વારા ટ્રાફિક નિયમનો સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. તેમ છતાં પણ પોલીસ અમુક પ્રેક્ષક બનીને અવરજવર કરી રહેલા બારદારી વાહનો સામે કોઈપણ પ્રકારની કાયદેસરની કાર્યવાહીક કરવામાં આવતી ન હોવાથી ભારધારી વાહન ચાલકો બિન્દાસથી અવરજવર કરી રહ્યા છે. વાહન ચાલકો પાસેથી હપ્તા ઉઘરાવવાનો લોકસત્તા જનસત્તા દ્વારા પડદા ફાસ કરવામાં આવ્યો હતો.
વડોદરા, તા.૧૪શહેરના ગોત્રી વિસ્તારમહી નગર ખાતે આવેલી આંગણવાડીને રોટરી ક્લબ ઓફ બરોડા જવાહર નગરના સહયોગ થી વયોવૃદ્ધ સિનિયર સિટીઝને એપગ્રેડ કરીને મોડેલ આંગણવાડી બનાવી આપી છે. આજે મેયરના હસ્તે આ મોડેલ આંગણવાડીનુ ઉદ્ધાટન કરવામાં આવ્યુ હતુ. શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી ૭ આંગણવાડી મોડેલ આંગણવાડી બનાવવામાં આવી છે. જેમા બાળકોને ગમ્મત સાથે જ્ઞાન મળે તે માટે તમામ સુવીઘા ઉભી કરવામાં આવી છે.દિલીપભાઈ શાહ દ્વારા બનાવાયેલી આ આંગવાડી જાેઈને ૯૫ વર્ષિય પી.ડી.બાંગડી પરીવારે પણ બે આંગણવાડી તેમના ખર્ચે તમામ સુવીઘા યુક્ત બનાવવા ઈચ્છા વ્યક્ત કરતા રોટરી ક્લબ ઓફ બરોડા જવાહર નગરના સહયોગ થી ગોત્રી વિસ્તારની આંગણવાડી મોડેલ આંગણવાડી બનાવવામાં આવી છે.આજે મેયર,સ્થાયી સમિતીના ચેરમેન.રોટરી ક્લબ ઓફ બરોડા જવાહર નગરના સુભાષ ભટનાગર, દિલીપ શાહની ઉપસ્થિતીમાં ઉદ્ધાટન કરવામાં આવ્યુ હતુ.
વડોદરા, તા.૧૪
વડોદરા શહેરની સીમા બહારથી પસાર થયેલા નેશનલ હાઈવે પર રોજબરોજ નાના મોટા વાહન અકસ્માતના બનાવો બની રહ્યા છે, ત્યારે ગઈકાલ રાત્રે વધુ એક બનાવ જીએસએફસી કંપનીના ગેટ પાસે બ્રિજ નજીક બ ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં હાઈડ્રોજન અકસ્માતમાં હાઈડ્રોજન ગેસના બોટલ માંથી ગેસ લીકેજ થતા ભાગદોડ નાં દ્રશ્યો સર્જાયા હતા્ જાે કે આ બનાવની જાણ છાણી ફાયર બ્રિગેડ તથા જીએસએફસી નું ફાયર બ્રિગેડ ને કરવામાં આવતા સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. અને હાઈડ્રોજન લીકેજ થઈ રહેલા ગેસ બોટલ ઉપર પાણી મારો ચલાવીને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. જ્યારે કેબિનમાં ફસાયેલા ટ્રક ચાલકને બહાર કાઢી તેને સારવાર માટે ૧૦૮ દ્વારા સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો.આ બનાવમાં ટ્રકને ભારે નુકસાન થવા પામ્યું હતું.
બનાવની પ્રાપ્તિ વિગત એવી છે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર રોજબરોજ નાના મોટા વાહન અકસ્માતોના બનાવો બનતા રહે છે અને નાની મોટી જાનહાનિ નો સિલસિલો ચાલુ રહે છે. ત્યારે ગઈકાલે રાત્રિના દસ વાગ્યાની આસપાસ જીએસએફસી કંપનીના ગેટ પાસે બ્રિજ નજીકથી રણોલી થી અંકલેશ્વર હાઈડ્રોજન ગેસ ભરાવવા માટે ટ્રકનો ચાલાક હરભજન સિંહ ખાલી ગેસના બોટલો ભરીને જઈ રહ્યો હતો. આ ચાલાક રોંગ સાઈડ હાઇવે ઉપર ટ્રક હંકારી રહ્યો હતો તે વખતે આ રોડ ઉપરથી પસાર ટ્રક સાથે અથડાયો હતો જેથી બ્રિજ જીએસએફસી કંપનીના ગેટ પાસે સામસામે બે ટ્રકનો અકસ્માત થયો હતો. જાેકે આ અકસ્માતમાં હાઈડ્રોજન ખાલી ગેસ બોટલના ટ્રકને નુકસાન થવા સાથે હાઇડ્રોજન ગેસ ના ખાલી બોટલમાં રહેલો કેટલોક ગેસ લીકેજ થયો હતો જેના કારણે સ્થાનિક લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી અને જીવ બચાવવા માટે ભાગદોડ કરી મૂકી હતી.
વડોદરા, તા.૧૪
શહેરના સૌથી લાંબા ફ્લાય ઓવર બ્રિજની નીચે બંઘારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાં આવતી હોઈ જેતે વખતે તેને ખસેડવાની વાતને લઈને વિવાદ થયો હતો.જાેકે, પાલિકા દ્વારા આજ વિસ્તારમાં સામેની જગ્યામાં આઈલેન્ડ બનાવીને ડો.બાબાસાહેબની પ્રતિમાં મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.પરંતુ ત્રણ વર્ષ પૂર્વે લેવાયેલો આ પ્રોજેક્ટ બ્રિજના નિર્માણ બાદ અભરાઈ પર ચઢી ગયો છે.અને નવી બનાવાયેલી ડો.બાબાસાહેબની પ્રતિમાં ગાર્ડન વિભાગના સ્ટોરમાં પડી રહી છે.
વડોદરા શહેરના સૌથી લાંબા ફ્લાય ઓવર બ્રિજની નીચે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાં આવતી હોઈ જે તે સમયે વિવાદ થયોહતો.જાેકે ત્રણ વર્ષ પૂર્વે તત્કાલીન ડેપ્યુટી મેયર ડો. જીવરાજ ચૌહાણ દ્વારા જીઈબી ઓફીસ ની સામે એટલે કે ડો.બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુની સામે ની જગ્યામાં એક ગાર્ડન જેવું આઈલેન્ડ બનાવી ત્યાં આ સ્ટેચ્યુ મુકવાનું આયોજન કરાયુ હતુ અને આ સ્ટેચ્યુ નો ખર્યે ઓએનજીસી દ્વારા સીએસઆરમાંથી આપવાનું હતુ. ઉપરાંત હાલમાં જે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા છે તેને કલ્યાણ નગર ખાતે બનનાર સંક્લ્પભૂમી સંલગ્ન ડો.આંબેડકના મ્યુઝિયમ ખાતે રાખવાની હતી. તે વખતે આ વાતને લઈને એવો વિવાદ સર્જાયો હતો કે, પુલની નીચે ડો.આંબેડકરજીની પ્રતિમા ના રખાય પરંતુ હવે પણ પુલ બન્યા પછી એ વિષય બંધ થઈ ગયો છયે અને જ્યાં ડો.બાબાસાહેબની પ્રતિમાં સ્થાપિત કરવા આઈલેન્ડ બનાવવાનું હતું ત્યાં હાઇકોર્ટના હુકમથી કેબીન માલિકોને તે જગ્યા આપવી પડી છે અને હાલ કેબીનો બની ગઈ છે એટલે હવે ત્યાં ગાર્ડન જેવું બની શકે કે તેમ નથી એટલે સુચીત આઈલેન્ડ પર પ્રસ્થાપિત કરવા બનાવાયેલી મૂર્તિ ગાર્ડન શાખાના સ્ટોરમાં મુકવામાં આવી છે. ઓએનજીસી સીએસઆરમાંથી કોઈ પણ આપ્યું નથી આનો ખર્ચ કોર્પોરેશન એ ભોગવેલો છે હવે આ મૂર્તિ ક્યાં મૂકવી તેનો કોઈ ર્નિણય લેવાયો નથી અને સમગ્ર વિષય અભરાઈ પર ચઢાવી દેવામાં આવ્યો છે.
મહાનુભાવોની જન્મજયંતીઓ અને ૫ુણ્યતિથિઓએ તેમની પ્રતિમાઓને હારતોરા કરી ફોટા પડાવવા પડાપડી કરતાં રાજકારણીઓને કચરાના અને ભંગારના ઢગલા વચ્ચે સયાજીબાગમાં પડેલી બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા કયારેય દેખાઈ જ નહીં! તસવીર ઃ કેયૂર ભાટીયા
વડોદરા, તા.૧૩શહેરના મકરપુરા જી.આઇ.ડી.સી.માં આવેલી અને કોરોગેટેડ બેક્સ બનાવતી સુમિત પેકેજીંગ કંપનીના ગોડાઉનમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. ગોડાઉનમાં પુઠ્ઠા હોવાના કારણે આગે ક્ષણોમાંજ વિકરાણ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ બનાવની જાણ મકરપુરા જી.આઇ.ડી.સી. ફાયરબ્રિગેડને કરાતા તુરંત જ લાશ્કરો ફાયર ફાઈટરો સાથે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાની કામગીરી હાથ ઘરી હતી. આગ ૫ કલાકની ભારે જહેમત બાદ કાબુમાં આવી હતી.સદ્નસીબે આગમાં કોઈનો ઈજા કે જાનહાની થઈ ન હતી.
ફા્રયર બ્રિગેડના સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર મકરપુરા જી.આઇ.ડી.સી.માં આવેલી સુમિત પેકેજીંગ કંપનીમાં પુઠ્ઠા બનાવવાનું કામ કરવામાં આવે છે. કંપની દ્વારા તૈયાર કોરોગેટેડ બોક્સ અને કાચો માલ ગોડાઉનમાં મુકવામાં આવે છે. આ ગોડાઉનમાં મળસ્કે ૪ વાગે આગ લાગી હતી.
આગનો કોલ મળતા મકરપુરા જી.આઇ.ડી.સી. ફાયર સ્ટેશનનો સ્ટાફ ફાયર ફાઈટરો સાથે દોડી ગયા હતા અને પ્રથમ આગને પ્રસરતા અટકાવવાની કામગીરી શરૂ કરી હતી. ગોડાઉનમાં પુઠ્ઠા હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જાેકે, ફાયરબ્રિગેડના લાશ્કરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરવા દીધી ન હતી. ૫ કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
સબ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, આગ કાબુમાં લીઘા બાદ કુલીંગની કામગીરી સાથે ૫ કાલાક સુધી પાણીમારો ચલાવ્યા બાદ આગ કાબુમાં આવી છે. ૭થી ૮ જેટલા ફાયર એન્જિનનો ઉપયોગ કરાયો હતો. આગના બનાવમાં કોઇ જાનહાની થઇ નથી. પરંતુ, પુઠ્ઠાનું ગોડાઉન બળીને ખાક થઇ ગયું છે.વહેલી સવારે લાગેલી આગને પગલે નોકરી ધંધાર્થે જનાર કર્મચારીઓ-મજૂરોના ટોળા એકઠા થયા હતા. આગનું લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યુ નથી, પરંતુ પ્રાથમિક તબક્કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળે છે.
ડભોઈ, તા.૧૩ડભોઇ ખાતે મજૂરી કામ અર્થે આવેલા માલુભાઈ વેલસિંગભાઈ કનાસિયા મૃતક મહિલાના ઘરમાં એક ઘરના સભ્ય તરીકે રહી મજૂરી કામ કરતો અને મૃતક મહિલાના ઘરના ઓટલે જ સૂઈ રહીને જીવન ગુજારતો હતો. આ યુવાને આ મહિલાનાં ઘરમાં રહેલાં રૂપિયા બે લાખ લૂંટી લીધા હતા અને મહિલાને ર્નિદયતાપૂર્વક મારી નાખી હતી. ત્યારબાદ યુવાન ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયો હતો.પોલીસે હત્યારાને ઝડપી પાડ્યો હતો આ ચકચારી બનાવ અંગેની ફરિયાદ ડભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. ફરિયાદના આધારે ડભોઈ પોલીસ સ્ટેશનનાં તત્કાલીન પી.આઈ. જે.એમ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ ડભોઈ પોલીસનાં જવાનોએ વિસ્તૃત તપાસ હાથ ધરી હતી.જેમા ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન રીસોર્સ, એફ.એસ.એલ. રીપોર્ટ, ડોગ સ્વોડ, પી.એમ.રીપોર્ટના આધારે પોલીસે ટૂંકા ગાળામાં જ ગૂનો ડીટેક્ટ કરી આરોપીને ઝડપી લીધો હતો અને આરોપી પાસેથી રૂપિયા ૮૨, ૭૯૦ કબજે લીધાં હતાં. આ સમગ્ર ઘટના અંગેના કેસમાં સામેલ આરોપીને સમાજમાં દાખલારૂપ સજા થાય તે માટે સરકારી વકીલ હિરેન ચૌહાણે કોર્ટમાં ધારદાર દલીલો કરી હતી. આ કેસમાં કોર્ટે ૧૫ સાહેદોને અને ૩૯ જેટલાં સંબંધિત પુરાવાઓ ચકાસ્યા હતાં અને આ પુરાવાઓને ધ્યાનમાં રાખી અદાલતે આરોપીને આજીવન કેદની સજા અને રૂપિયા ૫,૦૦૦ નો દંડ પણ ફટકાર્યો હતો. તેમજ દંડની રકમ ન ભરે તો વધુ છ વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી ડભોઈ સેશન્સ કોર્ટે ગુનામાં સંડોવાયેલા આ આરોપીને આજીવન કેદની સજા કડક સજા ફટકારી હતી.
વડોદરા, તા.૧૩વડોદરા જિલ્લામાં સહકારી ક્ષેત્રે અગ્રેસર બરોડા ડેરીમાં આગામી બે માસ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ તરીકે જિલ્લા ભાજપા પ્રમુખ સતીશ પટેલ (નિશાળિયા) તેમજ ઉપપ્રમુખ પદે ક્રિપાલસિંહ મહારાઉલની સર્વાનુંમતે વરણી કરવામાં આવી હતી. આજે બરોડા ડેરીના બોર્ડરૂમ ખાતે ચુંટણી યોજવામાં આવી હતી. આગામી જુલાઇ માસ બાદ બરોડા ડેરીના વર્તમાન બોર્ડના બાકીના ૨.૫ વર્ષ માટેના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ચૂંટણી યોજાશે.
વડોદરા જિલ્લા દૂઘ ઉત્પાદન સંઘ બરોડા ડેરીના પ્રથમ ૨.૫ વર્ષ માટેની મુદ્દત આગામી જુલાઈ માસમાં પૂર્ણ થાય છે પરંતુ, છેલ્લા કેટલાક સમયથી બરોડા ડેરીમાં ચાલતા વિવાદના પગલે અને ગત વિધાનસભાની ચૂંટણી માં પાદરાની બેઠક ઉપરથી બરોડા ડેરીના પ્રમુખ દિનેશ પટેલે (દિનુમામા) અપક્ષ ચૂંટણી લડ્યા બાદ તેઓએ બરોડા ડેરીનાં પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર પછી બરોડા ડેરીમાં શરૂ થયેલા વિવાદને પગલે ઉપપ્રમુખ જી.બી. સોલંકીએ પણ કાર્યકારી પ્રમુખ અને ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. જેથી પ્રમુખ અને ઉપપ્રમુખની ખાલી પડેલી જગ્યા માટે આજે ચૂંટણી યોજાઈ હતી.
પ્રદેશ ભાજપના અગ્રણી મેન્ડેટ લઈને આવ્યા હતા.જેમાં આગામી બે માસ માટે પ્રમુખ ઉપપ્રમુખની યોજાયેલી ચૂંટણીમાં જિલ્લા ભાજપા પ્રમુખ અને ડેરીના ડિરેક્ટર સતીશ પટેલ (નિશાળિયા) પ્રમુખ તરીકે અને બે દિવસ પૂર્વે જ કોંગ્રેસમાંથી ભાજપામાં જાેડાયેલા ક્રિપાલસિંહ મહારાઉલની ઉપપ્રમુખ પદે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
નવનિયુક્ત પ્રમુખ સતીશ પટેલ (નિશાળિયા)એ જણાવ્યું હતું કે તમામને સાથે રાખી બરોડા ડેરીના વિકાસને આગળ ધપાવવામાં આવશે. બરોડા ડેરીના દૂધની આવકમાં સતત વધારો થતો રહે તેવા પ્રયાસો કરવામાં આવશે. આ ઉપરાંત બરોડા ડેરીમાં ઉનાળાની સિઝનમાં દૂધની આવક જળવાઈ રહે તે માટે પ્રયાસ સાથે પશુપાલકોને પોષણક્ષમ ભાવ આપવામાં પણ વિચારણા કરાશે
આજે બરોડા ડેરી ખાતે યોજાયેલી પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં તત્કાલીન ડેરીના ડીરેક્ટરો સહિત મેયર,શહેર ભાજપ પ્રમુખ,સાસદ,ધારાસભ્યો અને સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને નવ નિયુક્ત પ્રમુખ ઉપ પ્રમુખને શુભેચ્છા આપી હતી.
વડોદરા, તા.૧૩રાજ્ય સરકારે ૧૦૦ ટકા જંત્રીનો ભાવવધારો ૧૫મી એપ્રિલ સુધી સ્થગિત રાખ્યો હતો, તેથી રજિસ્ટ્રાર કચેરીમાં ૧૫મી એપ્રિલ પહેલાં દસ્તાવેજ થાય તે માટે ભારે ભીડના દૃશ્યો જાેવા મળી રહ્યાં છે. રાજ્ય સરકારે બે માસ અગાઉ જંત્રીના દરમાં ૧૦૦ ટકાનો વધારો ઝીંકી દીધો હતો. જાે કે, બિલ્ડરો સહિત આમ નાગરિકોએ ભારે વિરોધ કર્યો હતો, જેથી જંત્રીના ભાવ વધારાનું અમલીકરણ ૧૫મી એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવ્યું હતું. જેથી લોકોને રાહત મળી હતી. જાે કે, આ બે માસ દરમિયાન દસ્તાવેજ કરવા માટે લોકોએ ભારે દોડધામ કરવી પડી હતી.
જાે કે, સરકાર પણ ૧૫મી એપ્રિલ પછી જંત્રીના દરનું ૧૦૦ ટકા અમલીકરણ કરવા મક્કમ જણાઈ રહી છે. તેથી છેલ્લી ઘડીએ દસ્તાવેજ માટે લોકો ભારે દોડધામ કરી રહ્યા છે. રજિસ્ટ્રાર કચેરીઓમાં પણ દસ્તાવેજ માટે ભારે ધસારો જાેવા મળી રહ્યો છે. કચેરીમાં પણ એક દિવસમાં ચોક્કસ સંખ્યામાં જ દસ્તાવેજ થઈ શકે છે તેથી કચેરી દ્વારા ઘણાને ટોકન પણ અપાય છે, જેથી આવા નાગરિકો ૧૫મી એપ્રિલ પછી પણ જૂની જંત્રી પ્રમાણે દસ્તાવેજ કરાવી શકે. બીજી તરફ સરકાર ૧૫મી એપ્રિલ પછી શું નિર્ણય લે છે તેના પર પણ સૌની મીટ મંડાઈ રહી છે. આ બધા વચ્ચે લોકોને જંત્રીના દર વધુ ચૂકવવા ન પડે તે માટે દસ્તાવેજ સહિતની કામગીરી માટે રજિસ્ટ્રાર કચેરીઓમાં ભારે ધસારો જાેવા મળી રહ્યો છે.
વડોદરા, તા.૧૨વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય વર્ગની ખાલી પડેલી એક બેઠકની ચૂંટણી તા. ૨૬ એપ્રિલે બપોરે ૧૨ થી ૩ સુધીમાં કોર્પોરેશન ખાતે યોજાવાની હોવાથી આ ચૂંટણી માટે આજે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભાજપમાંથી માત્ર એક જ ફોર્મ ભરાયું છે એટલે આ બેઠક પર ઉમેદવાર બિનહરીફ જાહેર થશે. આજે ભાજપના મહિલા ઉમેદવાર નીપાબેન પટણી કે જેઓ શિક્ષણ સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ હિતેશ પટણીના પત્ની છે, તેમણે સમિતીના પ્રમુખ અને ઉપ પ્રમુખની ઉપસ્થિતીમાં ઉમેદવારી ફોર્મ સુપ્રત કર્યુ હતુ. આમ એક માત્ર ફોર્મ ભરાતા તેઓ બિન હરીફ જાહેર થશે.જાેકે બિનહરીફ થયાની સત્તાવાર જાહેરાત તા.૧૯ મી એ ફોર્મની ચકાસણી વખતે કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. શિક્ષણ સમિતિમાં ૧૫ સભ્યો હોય છે .જેમાંથી ત્રણ સરકાર નિયુક્ત અને ૧૨ સભ્ય માટે ચૂંટણી યોજાતી હોય છે. અને મતદાન પાલિકામાં ચૂંટાયેલા કાઉન્સિલરો કરે છે.આ ૧૨ માંથી ૮ સભ્યો સામાન્ય વર્ગના હોય છે. આ આઠમાંથી એક સભ્ય હિતેશ પટણી જેઓ શિક્ષણ સમિતિના ચેરમેન બન્યા હતા અને તેમનું તાજેતરમાં અવસાન થયું હતું. તેમના અવસાનથી જગ્યા ખાલી પડતા ચૂંટણી યોજાઈ રહી છે. કોંગ્રેસના ૭ છે. કોંગ્રેસએ આ ચૂંટણી માટે ફોર્મ ભર્યું ન હતું.
વડોદરા, તા.૧૨અટલાદરા સ્થિત બીએપીએસ શ્રી સ્વામીનારાયણ મંદિરના અનેકવિધ પ્રકલ્પો પૈકીના એક એવા રપ હજાર લોકોની ક્ષમતા ધરાવતા મધ્ય ગુજરાતના સૌથી વિશાળ યજ્ઞપુરુષ સભાગૃહ આજરોજ બુધવારે સવારે ૧૧ કલાકે સંસ્થાના સદ્ગુરુ સંત પૂ.શ્રી ભક્તિપ્રિય સ્વામીએ મેયર, ધારાસભ્યો, ભાજપ શહેર પ્રમુખ, સાંસદની ઉપસ્થિતિમાં કરકમળો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
બીએપીએસ સંસ્થાની ૧૬૨ સામાજિક પ્રવૃત્તિઓ પૈકીની મુખ્ય ૧૫ હજાર લોકો મહાપ્રસાદી લઈ શકે તેવી ભોજનશાળાનું પણ નિર્માણ કરાશે.
યજ્ઞપુરુષ સભાગૃહ નવનિર્માણના ભૂમિપૂજન પ્રસંગે અટલાદરા મંદિરના કોઠારી સ્વામી સાથે મેયર નિલેશ રાઠોડ, ધારાસભ્યો ચૈતન્ય દેસાઈ, યોગેશભાઈ પટેલ, ભાજપ શહેર પ્રમુખ ડો. વિજય શાહ, સાંસદ રંજનબેન ભટ્ટ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરા, તા.૧૨વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમા ભારત સરકારના સ્ટેટ વિજિલન્સ કમિશનની ગાઈડલાઈન મુજબ ટેન્ડર પ્રક્રિયા થતી નથી .જે તે કામના વાર્ષિક ઇજારાની મુદત પૂરી થવાની હોય તેના છ મહિના પહેલાથી જ ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવા વિરોધ પક્ષ કોંગ્રેસે માગ કરી છે.
પાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતાએ કહ્યુ હતુ કે,વડોદરા કોર્પોરેશન દ્વારા ઝોન તેમજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા વિવિઘ કામોના વાર્ષિક ઇજારા કરવામાં આવે છે. આ વાર્ષિક ઇજારા દરેક કામ માટે ટેન્ડરની પ્રક્રિયા કરવી ન પડે, સમયના બગડે, કામ ઝડપથી થાય અને કોર્પોરેશનને આર્થિક ફાયદો થાય.તે માટે કરવામાં આવે છે. કોર્પોરેશનના તંત્ર દ્વારા વાર્ષિક ઈજારાઓ નિયત સમયમાં થતા નથી અને ચાલુ ઇજારાઓને મૂદત પુરી થયા બાદ પણ લંબાવવામાં આવી રહ્યા છે. જે કાયદા વિરૂધ્ધ છે. આ સંદર્ભે ભારત સરકારના સ્ટેટ વીજીલન્સ કમિશન દ્વારા તેના એક સરક્યુલર માં સ્પષ્ટ જણાવ્યુ છે કે ટેન્ડરનું ફાઇનલાઇઝેશન અને કોન્ટ્રાક્ટ આપવાની પ્રક્રીયા નિયત કરેલ સમય મર્યાદામાં કરી દેવી જાેઇએ. ટેન્ડરને એબ્સ્ટેઇન કરવાનુ વિચારવુ ન જાેઇએ. એવી પણ એડવાઇઝ આપી છે કે દરેક સંસ્થાએ ટેન્ડરની પ્રક્રીયા તેના માટે કરેલ નિર્ધારીત સમય મર્યાદામાં જ કરી દેવી જાેઇએ અને કોઈ તાર્કિક કે વાજબી કારણ હોય તો જ એક્સ્ટેસન આપવુ જાેઇએ. કોર્પોરેશનમાં વિજિલન્સ કમિશનરની આ ગાઇડલાઇન ફોલો થતી હોય તેમ લાગતું નથી. ઉત્તરઝોનમાં કેટલા ક ઇજારાઓ પૂર્ણ થઇ ગયેલ છે અને બાકી રહેલ ઇજારાઓ એક બે મહિનામાં પૂર્ણ થશે. છતા પણ નવા વાર્ષિક ઇજારાઓ કરવામાં આવેલ નથી. પૂર્વઝોનમાં વરસાદી ગટર નિભાવણી અને સફાઇ, રોડ કાર્પેટ-સીલકોટ, બિલ્ડીંગ અને પેવર બ્લોકના ઘણા કામો થયેલ નથી. દક્ષિણ ઝોનમાં પણ રોડ, વરસાદી ગટર, હાર્ડમુરમ, રોડ કાર્પેટ અને સીલકોટ, આર.સી.સીના ઇજારાઓ થયેલ નથી, જેના કારણે લોકોને તકલીફ પડશે.
વડોદરા, તા.૧૨
પ્રધાનમંત્રી ના ક્ષય મુક્ત ભારત આહ્વાન મુજબ ગત વર્ષે તા. ૩૦ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ વડોદરા ના સંસદ રંજનબેન ભટ્ટ દ્વારા વડોદરા ની વિવિધ સંસ્થાઓના સહયોગ થી વડોદરા ના ૨૪૦૦ જેટલા ક્ષય રોગ ના દર્દીઓને દત્તક લેવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ૧૨૦૦ થી વધુ સંસ્થાઓ તથા નાગરિકો દ્વારા વડોદરા ના ૨૪૦૦ જેટલા ક્ષય રોગ ના દર્દીઓને તેઓની સાર-સંભાળ તેમજ તેઓને મોરલ સપોર્ટ આપવા માટે દત્તક લેવામાં આવ્યા હતા. આ વર્ષે પણ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિ અધ્યક્ષ સ્થાને સાંસદ રંજનબેન ભટ્ટ અને શહેર પ્રમુખ ડો વિજય શાહ દ્વારા તથા વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇંડસ્ટ્રીઝ ના સહયોગ થી ૬૦૦ ક્ષય રોગના દર્દીઓને દત્તક લેવામાં આવ્યા છે. આ દર્દીઓને ૬ મહિના સુધી રાશન કીટ વિતરણ કરવામાં આવશે.જેમાં બાજરી ૩ કિલો, તુવેરદાળ ૩ કિલો, ચણા ૧ કિલો, તેલ ૫૦૦ ગ્રામ તથા ગોળ ૧ કિલો ૬ મહિના સુધી વિતરણ કરવામાં આવશે.આજે આ કાર્યક્રમમાં કાર્યક્રમમાં મેયર નિલેશરાઠોડ, ધારાસભ્યઓ યોગેશ પટેલ, ડો મનીષાબેન વકીલ , કેયુર રોકડીયા, ચૈતન્ય દેસાઈ તથા દર્શનાબેન દેશમુખ, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો હિતેન્દ્રભાઈ પટેલ સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા.