બરતરફ IAS પૂજા ખેડકરના માતા-પિતા પર હુમલો-અપહરણનો આરોપ:બંને ફરાર
16, સપ્ટેમ્બર 2025 મુંબઈ   |   2871   |  

કાર ટ્રક સાથે અથડાયા પછી હેલ્પરને ઉઠાવી ગયા

બરતરફ કરાયેલા IAS અધિકારી પૂજા ખેડકરના પિતા દિલીપ ખેડકર, તેમની પત્ની મનોરમા અને બોડીગાર્ડ પ્રફુલ સાળુંકે પર ટ્રક હેલ્પરનું અપહરણ અને તેના પર હુમલો કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે. આ ઘટના 13 સપ્ટેમ્બરે સાંજે બની હતી, જ્યારે તેમની 2 કરોડ રૂપિયાની લેન્ડ ક્રુઝર એસયુવી નવી મુંબઈના ઐરોલીમાં સિમેન્ટ મિક્સર ટ્રક સાથે અથડાઈ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, ફરિયાદના આધારે જ્યારે તેઓ ખેડકરના ઘરે પહોંચ્યા, ત્યારે તેમના પત્ની મનોરમા ખેડકરે ટીમ સાથે ગેરવર્તન કર્યું અને કૂતરાને તેમના પર છોડી દીધો. જોકે, પોલીસે મદદગારને બચાવી લીધો. દરમિયાન, દિલીપ અને મનોરમાએ બીજા દિવસે પોલીસ સ્ટેશન આવવાનું વચન આપ્યું હતું, પરંતુ બંને એસયુવી લઈને ભાગી ગયા હતા. પોલીસે મનોરમા વિરુદ્ધ સરકારી કામમાં અવરોધ ઊભો કરવા, પુરાવાનો નાશ કરવા અને આરોપીઓને બચાવવાનો કેસ નોંધ્યો છે.

સુપ્રીમ કોર્ટે 21 મેના રોજ વિવાદાસ્પદ તાલીમાર્થી IAS અધિકારી પૂજા ખેડકરને આગોતરા જામીન આપ્યા હતા. જસ્ટિસ બી.વી. નાગરત્ના અને સતીશ ચંદ્ર શર્માની બેન્ચે પૂજાને તપાસમાં સહકાર આપવાનો આદેશ આપ્યો છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution