અમરેલી સમાચાર
-
રામનવમીએ કોમી ભડકોઃ ઠેરઠેર પથ્થરમારો ઃ ૧૭ની ધરપકડ
- 31, માર્ચ 2023 01:15 AM
- 8470 comments
- 713 Views
વડોદરા, તા.૩૦રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ સહિતની કેટલીક ધાર્મિક સંસ્થાઓ દ્વારા આયોજીત શોભાયાત્રા પર બપોરે ફતેપુરા વિસ્તાર સહિત અનેક સ્થળે ભારે પથ્થરમારાના પગલે દહેશતનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં અનેકને ઈજાઓ પહોંચી હતી તથા પરિસ્થિત પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. દરમ્યાન પોલીસે ૩૫૦થી વધુ સીસીટીવી કેમેરાને આધારે મોડીરાત સુધીમા ૧૭ તોફાનીઓની ધરપકડ કરી લીધી હતી. આ તોફાનો દરમ્યાન અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યુ હતું. છેલ્લા અનેક વર્ષોથી શાંતિપૂર્ણ માહોલનો અહેસાસ કરી રહેલું વડોદરા આજે કોમી રમખાણોના છમકલાઓથી ફરી એકવાર અભડાયું હતું. આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત શ્રીરામની શોભાયાત્રા બપોરના સમયે ફતેપુરા વિસ્તારના કુભારવાડા ખાતેથી પસાર થઈ રહી હતી.આ તબક્કે ડીજે પર મોટા અવાજે હનુમાનચાલીસા વાગતા જ એ વિસ્તારના કેટલાં યુવાનો અને વિહિપના કાર્યકરો વચ્ચે બોલાચાલી થતાં વાતાવરણ ગરમાયુ હતું આ તબક્કે પોલીસે મધ્યસ્થી કરી બંને ટોળાઓને શાંત કરી વિખેરી નાંખ્યા હતા. પરંતુ થોડી જ વારમાં આ સમાધાન પડી ભાંગ્યુ હોય એમ અચાનક આજુબાજુની ગલીઓમાંથી પથ્થરમારો શરૂ થયો હતો. આ તબકકે શોભાયાત્રામાં સામેલ એક હજારથી વધુ વીએચપી કાર્યકરોમાં ઉશ્કેરાટનો માહોલ ફેલાયો હતો. જાે કે ઘટના સ્થળે ઉપસ્થિત પોલીસે તાત્કાલિક પરિસ્થિતિ પર કાબુ મેળવવા તોફાનીઓની દિશામાં ઘસી જતાં મામલો થોડા સમય માટે શાંત પડયો હતો. પરંતુ શ્રધ્ધેય ભગવાન રામની શોભાયાત્રા પરના પથ્થરમારાથી ઉશ્કેરાયેલા કાર્યકરોને માંડ માંડ શાંતિ જાળવવા સમજાવાયા હતા. એસ.એસ.જી. હોસ્પિટલની સામે આવેલ પંચમુખી હનુમાન મંદિરથી શરૂ થયેલી આ યાત્રા શાંતિપૂર્ણ રીતે અને ધાર્મિક માહોલ સાથે આગળ વધી રહી હતી. ત્યારે પાંજરીગર મહોલ્લા ખાતે તેના પર ભારે પથ્થરમારો થયો હતો. જાે કે આ યાત્રા એરપોર્ટ, સંગમ, ફતેપુરા, કારેલીબાગ પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી.ત્યાર બાદ એ યાત્રા જીવનભારતી સ્કુલ એલ એન્ડ ટી એરપોર્ટ થઈ ફરી પંચમુખી હનુમાન મંદિર ખાતે સંપન્ન થઈ હતી.દરમ્યાન ફતેપુરા કંુભારવાડા ખાતેથી નિકળેલી શ્રી રામની આવી જ એક અન્ય શોભાયાત્રા પર તલાટીની ઓફિસની બાજુની ગલીમાંથી તથા સામેની બાજુ આવેલા એક ધાર્મિક સ્થળ પરથી અચાનક ભારે પથ્થરમારો શરૂ થયો હતો. પોલીસે માંડ માંડ પરિસ્થિત થાળે પાડતા શોભાયાત્રા આગળ વધી હતી. પરંતુ ચાંપાનેર દરવજા પાસે ફરીથી આ શોભાયાત્રા પર ભારે પથ્થરમારો થયો હતો. યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે અગાઉ સમગ્ર માર્ગ પર ઠેર ઠેર પથ્થરમારો થતાં વડોદરામાં ભારેલો અગ્નિ છે તથા મોડીરાત્રે એ કોમી રમખાણોના જવાળામુખીમાં ન ફેલાય તે માટે સ્થાનિક પોલીસે કડક હાથે કામ લેવાનુ શરૂ કર્યું છે.આજે શ્રી રામની ત્રીજી શોભાયાત્રા ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા યોજાઈ હતી. જે પ્રતાપનગર વિસ્તારના રણમુકતેશ્વર મહાદેવ ખાતેથી નિકળી પથ્થરગેટ વિસ્તારના તાડફળિયા ખાતે આવેલા રામજીમંદિર ખાતે સંપન્ન થઈ હતી. આ સમગ્ર રૂટ સંવેદનશીલ વિસ્તાર હોવાથી પોલીસે અગાઉ બે શોભાયાત્રાઓ પર થયેલા ભારે પથ્થરમારાના પગલે અગમચેતીના પગલારૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો.એક તરફ પવિત્ર રમઝાન મહિનો ચાલુ છે તથા સમગ્ર લઘુમતી વિસ્તારોમાં સાંજ બાદ ધાર્મિક માહોલ સર્જાય છે ત્યારે આજે દિવસ દરમ્યાન થયેલા કોમી છમકલાઓ વધુ વકરે નહીં તે માટે પોલીસે ચારેબાજુ ઘોસ વધારી છે.વધુ વાંચો -
ચલાલામાં સર્વજ્ઞાતિ સમુહલગ્નના મંડપમાં બે આખલાઓનું ઘમાસાણ
- 14, માર્ચ 2023 01:30 AM
- 8647 comments
- 623 Views
અમરેલી અમરેલી જિલ્લામાં આખલાનો આતંક યથાવત જાેવા મળી રહ્યો છે. આખલાની સમસ્યા હવે ગંભીર બની રહી છે. ત્યારે ગઈકાલે ચલાલા શહેરમાં સર્વે જ્ઞાતિના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મંડપની અંદર બે આખલા ઘૂસી ગયા હતા અને અંદર ઘમાસાણ શરૂ કરી હતી. ઓચિંતા આખલા આવી ચડતા ભારે અફડા તફડી મચી હતી. લગ્નમાં આખલાઓએ યુદ્ધ શરૂ કરતા તમામ લોકોમાં ભય ફેલાયો હતો. તેમજ મહેમાનોને અને ઢોલ વાળા પણ ઢોલ લઈને ભાગ્યા હતા. ચારે તરફ લોકોએ આખલાને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાઓએ પાણીનો છટકાવ કરી આખાલ યુદ્ધ રોકવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે, સદનસીબે કોઈને જાનહાનીં થઈ ન હતી. જેના કારણે મોટી દૂર્ઘટના અટકી હતી. અહીં સમૂહ લગ્ન હોવાને કારણે મોટી સંખ્યામાં માનવ મહેરામણ વચ્ચે આખલાએ રીતસર ભાગદોડ મચાવી દીધી હતી. જેનો વીડિયો પણ સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થયો છે. મંડપમાં શાસ્ત્રીઓ દ્વારા આખલા હોવાને કારણે તકેદારી રાખવા માટેની પણ જાહેરાત કરવાની ફરજ પડી હતી. આખલા હવે રાજયભરમાં આતંક મચાવી રહ્યા છે. અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. તેમજ કેટલાય લોકોને ઈજા પણ પહોંચાડી છે. ત્યારે અમરેલીમાં તો અનેક વખત બાઇક સહિત વાહનોમાં આખલાઓએ નુકસાન પોહચાડ્યું હતું.વધુ વાંચો -
આંબરડી ગામમાં ખેતરમાં ૨૫૦ મણ ઘઉંનો તૈયાર પાક બળી ગયો
- 05, માર્ચ 2023 01:30 AM
- 4571 comments
- 4534 Views
સાવરકુંડલા, સાવરકુંડલા તાલુકાના આંબરડીમા આવેલ એક ખેતરમા વિજપોલમા શોકસર્કિટ થતા ૨૫૦ મણ ઘઉંનો તૈયાર પાક બળી જતા ખેડૂતને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. ખેતરમા આગની આ ઘટના સાવરકુંડલા તાલુકાના આંબરડીમા બની હતી. અહી રહેતા ખેડૂત ભરતભાઈ કસવાળાના ખેતરમા ૫ વિઘાના ઘઉંનો તૈયાર પાક આજે નજર સામે જ જાેતજાેતામાં બળીને ખાક થઈ ગયો હતો. આંબરડી ગામ નજીક આવેલ ભરતભાઈ કસવાળાની વાડીમાં ઘઉંના વાવેતર વચ્ચે પીજીવીસીએલનો વીજપોલ પસાર થતો હોય આજે બપોરે વીજપોલમાં એકાએક શોકસર્કિટ થતાં તૈયાર ઉભેલા ૨૫૦ મણ જેટલા ઘઉં બળી ગયા હતા. ઘઉંમાં આગ લાગવાની ઘટના બનતા જ ખેડૂત ભરતભાઈ કસવાળાએ ગામના સરપંચ પ્રેમજીભાઈ બગડા અને તલાટી કમ મંત્રી ભગવાનજીભાઈ ચાવડાને જાણ કરતા તેઓ દોડી ગયા હતા. ખેડૂતે વીજપોલમાંથી શોકસર્કિટના કારણે આગ લાગી હોય પીજીવીસીએલ પાસે નુકસાનીના વળતરની આશાએ માંગ કરી છે.વધુ વાંચો -
સૌથી મોટું રેતીચોરીનું રેકેટ ઝડપાયા બાદ ભાજપના નેતાએ પીએમને ટેગ કરતા ખળભળાટ
- 14, ફેબ્રુઆરી 2023 10:10 PM
- 4639 comments
- 4909 Views
અમરેલી તા.૧૪અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભાક્ષી ગામ પાસે ચાલી રહેલા રેતીચોરીના કૌભાંડનો મામલતદારે ગઈકાલે રાત્રે પર્દાફાશ કરી લાખો રૂપિયાની મશીનરી જપ્ત કરી છે. આ સમગ્ર મામલે ખાણખનીજ વિભાગને તપાસ સોંપી દેવામાં આવી છે. ત્યારે અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને ભાજપના નેતા ડો. ભરત કાનાબારે પીએમ મોદીને ટેગ કરી એક ટ્વીટ કરતા જિલ્લાની રાજનીતિ ગરમાઈ છે. સરકારી કામોમાં ભાગ રાખવાની ટેવ ધરાવતા લોકપ્રતિનિધિ દ્વારા પ્રામાણિક અધિકારીઓ પર દબાણ લાવવાના ધમપછાડા કરાતા હોવાનો ટ્વીટમાં આક્ષેપ કરાયો છે. રાજુલાના ભાક્ષી ગામ પાસે ચાલતું હતું કૌભાંડ રાજુલા તાલુકાના ભાક્ષી ગામ પાસે આવેલી નદીમાં બેરોકટોક રેતી ચોરી થતી હોવાની તંત્રને માહિતી મળ્યા બાદ ગતરાત્રિએ સંદિપસિંહ જાદવ અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો. મામલતદાર અને તેમની ટીમે ઘટનાસ્થળ પરથી રેતી કાઢવા માટેની મશીનરી સાથેની ચાર બોટ અને એક હિટાચી મશીન કબજે કર્યું હતું. આ ઉપરાંત કાંઠા વિસ્તારમાંથી મસમોટો રેતીનો જથ્થો પણ મળી આવ્યો હતો. અમરેલી જિલ્લામાંથી મસમોટા રેતીચોરી કૌભાંડનો પર્દાફાશ થયા બાદ અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને ભાજપના નેતા ડો. ભરત કાનાબારે આજે બપોરે ૧૨ વાગ્યે પીએમ મોદીને ટેગ કરી એક ટ્વીટ કર્યું હતું. જેમાં ભાક્ષી ગામ પાસેથી ઝડપાયેલા રેતીચોરીના કૌભાંડને જિલ્લાનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું હતું અને સાથે લખ્યું હતું કે,સરકારી કામોમાં ભાગો રાખવાની ટેવ ધરાવતા લોકપ્રતિનિધિ દ્વારા પ્રામાણિક અધિકારીઓ પર દબાણ લાવવાના ધમપછાડા. રાજુલાના પ્રાંત અધિકારી કુલદીપસિંહ વાળાએ કહ્યું હતું કે, ગતરાત્રે અમને રેતીચોરી બાબતે માહિતી મળતા મામલતદારની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ઘટનાસ્થળ પરથી ચાર બોટ અને એક હિટાચી મશીન સીઝ કરવામાં આવ્યું છે. અહીં કેટલી રેતી ચોરી કરવામાં આવી અને આ કૌભાંડ સાથે કોણ સંકળાયેલું છે તે અંગે ખાણખનીજ વિભાગને તપાસ સોંપવામાં આવી છે. અમરેલી ભાજપના નેતા પોતાના ટિ્વટર એકાઉન્ટ પરથી સમયાંતરે વિવિધ વિષયો પર ટ્વીટ કરતા રહે છે જે ચર્ચામાં પણ રહેતા હોય છે. ભૂતકાળમાં ચોમાસા દરમિયાન ધોવાઈ જતા રસ્તાઓને લઈ લેભાગુ કોન્ટ્રાક્ટરો, કટકીબાજ અધિકારીઓ અને ભ્રષ્ટ લોકસેવકોની ટોળકીને ટુકડે ટુકડે ગેંગ ગણાવી હતી. આ ઉપરાંત ન્યાયતંત્ર, ઈ-કોમર્સ કંપની, બિસ્માર રસ્તા, ગટરના પ્રશ્નો જેવા મુદ્દે આગવા અંદાજમાં કરેલા ટ્વીટ ચર્ચામાં રહ્યાં છે.વધુ વાંચો -
અંધાપાકાંડના મહિના પછી પણ અધિકારીઓ ઊંઘમાં
- 22, જાન્યુઆરી 2023 01:30 AM
- 5374 comments
- 1127 Views
અમરેલી, અમરેલીની શાંતાબા જનરલ હોસ્પિટલમાં એક મહિના અગાઉ અધાપાકાંડ સર્જાયો હતો. મોતિયાના ઓપરેશન બાદ ૧૫થી વધુ લોકોની રોશની બંધ થઇ ગઇ હતી. જેમને વધુ સારવાર માટે અમદાવાદ અને અન્ય સ્થળે ખસેડાયા હતા. આ કાંડ સર્જાયો ત્યારે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે તપાસના આદેશ આપ્યા હતા અને અધિકારીઓને રિપોર્ટ તૈયાર કરવા કહ્યું હતું. જાેકે, ઘટનાને એક મહિનો વિત્યાબાદ પણ અધિકારીઓ ઉંઘમાં હોય એમ આરોગ્યમંત્રીને રિપોર્ટ આપ્યો નથી. આજે રાજૂલામાં આવેલા આરોગ્યમંત્રીને મીડિયાએ જ્યારે સવાલ કર્યો કે, અંધાપાકાંડનું શું થયું તો આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે ‘મને રિપોર્ટ હજુ નથી મળ્યો, રિપોર્ટ મળ્યા બાદ શું કારણ હતું એ તપાસ કરીને કસુરવારો સામે ચોક્કસથી પગલાં ભરીશું.’અમરેલી સ્થિત શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલમાં એકાદ મહિના અગાઉ મોતિયાના ઓપરેશન કર્યા બાદ કેટલાક દર્દીઓને આંખમાં દુઃખાવો અને જાખપ આવી હોવાનો તકલીફ હતી. આ દર્દીઓને ભાવનગરથી અમદાવાદ, રાજકોટ અને ભાવનગર ખાતે રિફર કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલો રાજ્ય સરકાર સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તપાસના આદેશ આપ્યા હતા અને અલગ-અલગ અધિકારીઓની તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. તપાસ ટીમે હોસ્પિટલમાં તપાસ કરી હતી. આ પછી આજદિન સુધી સમગ્ર મામલો બહાર આવ્યો નથી. ત્યારે આજે રાજુલામાં ખાનગી સમર્પણ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ આવ્યા હતા. જેમને સવાલ કરતાં તેઓએ રિપોર્ટ ન મળ્યો હોવાનું જણાવ્યું હતું. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પાસે હજુ સુધી તપાસ કમિટી દ્વારા રિપોર્ટ પહોંચાડવામાં નથી આવ્યો. એક મહિનાથી વધુ સમય વિતવા છતાં આજદિન સુધી રિપોર્ટ આરોગ્યમંત્રી સુધી નહીં પહોંચવાના કારણે ફરીવાર અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ તપાસ ક્યાં સુધી ચાલશે? સમગ્ર મામલે કોણ બે જવાબદારોને બચાવી રહ્યું છે? કેમ હજુ સુધી તપાસ કમિટી દ્વારા આરોગ્ય મંત્રીને રિપોર્ટ નથી સોંપાયો.. આવા અનેક સવાલો ફરીવાર ઉઠી રહ્યા છે. રાજુલા શહેરની ખાનગી સમર્પણ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે આજે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ આવ્યા હતા. જેમણે હોસ્પિટલ લોકાર્પણ કરીને હોસ્પિટલને ખુલ્લી મૂકી હતી. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.વધુ વાંચો -
રાજુલાના કડીયાળી ગામમાં બે જૂથો વચ્ચે અથડામણ
- 17, જાન્યુઆરી 2023 11:12 PM
- 8691 comments
- 9617 Views
અમરેલી,તા.૧૭ અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના કડીયાળી ગામ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બે જૂથો વચ્ચે અથડામણની ઘટના સામે આવતા પોલીસ તંત્ર એલર્ટ થયું છે અહીં સામાન્ય બોલાચાલીના ભાગરૂપે થોડીવાર માટે મામલો ઉગ્ર બની જતા સ્થિતિ વધુ વણસે તે પહેલા પોલીસ પોહચી જતા વધુ ઘર્ષણ થતા અટક્યું હતુ. આ ઘટનામાં બે જૂથોની સામ સામે પોલીસ ફરિયાદો નોંધાય છે જેમાં ભુપતભાઇ ભાભલુભાઈ ધાખડા દ્વારા ૬ લોકો સામે પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેમાં પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે સરપંચ ગંભીરભાઈ ભગુભાઈ બારૈયાના દીકરા અને ફરિયાદીના સમાજના રવિભાઈ ધાખડા વચ્ચે બંને સામાન્ય બોલાચાલી થયેલ તેનું મનદુઃખ રાખી તેમજ રવિભાઈ ધાખડા ફરિયાદીના સમાજના હોય જેથી જીલુભાઈ ભુપતભાઇ બારૈયા તથા ગંભીરભાઈ ભગુભાઈ બારૈયા તથા કુલદીપભાઈ ગંભીરભાઈ બારૈયા તથા વિદુરભાઈ જાેરુભાઈ બારૈયા તથા કાળુભાઇ ભગુભાઈ બારૈયા તથા રામભાઈ ગંભીરભાઈ બારૈયા તમામ રેહવાસી કડીયાળી ગેરકાયદેસર મંડળી રચી કુહાડી જેવા પ્રાણ ઘાતક હથિયાર ધારણ કરી ત્યાં પેકી કોઈ એક આરોપી ધાબા ઉપરથી કુહાડીનો છૂટો ઘા સામે વાળા ઉપર કરતા બે વ્યક્તિ ઘાયલ થયાની ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદી ગંભીરભાઈ ભગુભાઈ બારૈયા ગામના સરપંચ તરીકે ફરજ બજાવે છે તેમણે પણ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેમાં ફરીયાદના જણાવ્યા પ્રમાણે તેમનો દીકરો કુલદીપ ગામની કરિયાણાની દુકાનમાં કરીયાણુ લેવા ગયો હતો ત્યારે ગામના રવિભાઈ ધાખડાને અડી જતા બોલાચાલી થયા બાદ કુલદીપને ઢીકા પાટુ માર માર્યા બાદ આરોપીઓ દ્વારા ગેરકાયદેસર મંડળી રચી પ્રાણ ઘાતક હથિયારો લઈ ફરિયાદી ઘર પાસે આવી ગાળો આપી ફરિયાદીના વાહનોમાં તોડફોડ કરી બજારમાં પથરના છુટા ઘા કરી વાહનોમાં નુકસાન કર્યાની ફરિયાદ નોંધાય છે આમ બને જૂથોની આમને સામને પીપાવાવ મરીન પોલીસ દ્વારા ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે આરોપી જાેરુભાઈ ધાખડા, ભુપતભાઇ ધાખડા, દિલુભાઈ ધાખડા, ભગીભાઈ ધાખડા, હકુભાઈ ધાખડાનો સમાવેશ. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અટકાયતનો દોર શરૂ કર્યો ઘટનાની ગંભીરતા દાખવી અમરેલી એસપી હિમકર સિંહની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડ્ઢરૂજીઁ હરેશ વોરા ઘટના સ્થળે દોડી આવ્યા અને કોમ્બિગ શરૂ કર્યું જેમાં બંને જૂથના ચાર ચાર આરોપીઓની ધરપકડ કરી છે ઉપરાંત પોલીસ બંદોબસ્ત કડીયાળી ગામમાં રાખવામાં આવ્યો છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે કુલ ૮ જેટલા આરોપીની ધરપકડ કરી લીધી છે કોઈએ અહીં ભેગું થવું નહિ- ડ્ઢરૂજીઁ ડ્ઢરૂજીઁ હરેશ વોરાએ જણાવ્યું હાલ માં બંને જૂથોના ચાર ચાર આરોપી ઝડપી લીધા છે અહીં બે જ્ઞાતિ વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ ઘટના બની છે મીડિયાના માધ્યમથી બને જૂથોને અપીલ કરું છું કોઈ જ્ઞાતિના લોકો એકત્ર થાય નહિ સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવામાં આવશે.વધુ વાંચો -
ખાંભા-તુલશીશ્યામ રેન્જમાં આવેલો ખુલ્લો કૂવો સિંહ-સિંહણ માટે મોતનો કૂવો બન્યો
- 08, જાન્યુઆરી 2023 01:30 AM
- 7267 comments
- 2376 Views
અમરેલી, અમરેલીની ખાંભા-તુલશીશ્યામ રેન્જમાં કોટડા ગામના ખેડૂતની વાડીમાં ખુલ્સા કૂવામાં સિંહ અને સિંહણ પડી જતા મોત થયા હોવાનું સામે આવ્યું છે. વનવિભાગની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી બંનેના મૃતદેહ બહાર કાઢી આંબરડી સફારી પાર્કમાં પીએમ માટે ખસેડ્યા છે. સિંહ અને સિંહણ શિકારની પાછલ દોટ લગાવતી સમયે અકસ્માતે કૂવામાં પડ્યા હોવાની આશંકા વ્યકત કરવામાં આવી છે. દેશની શાન ગણાતા એશિયાટિક સિંહોની સંખ્યા અમરેલીમાં વધી રહી છે. એજ રીતે તેમના મોતની સંખ્યા પણ વધી રહી છે. અમરેલી જિલ્લામાં આવેલ ધારી ગીર પૂર્વ ડિવિઝન હેઠળ ખાંભા તુલસી શ્યામ રેન્જમાં આવેલા કોટડા ગામના ખેડૂતની વાડીમાં આવેલા ખુલ્લા કૂવામાંથી સિંહ અને સિંહણના મૃતદેહ મળી આવ્યા છે.વધુ વાંચો -
અમરેલીમાં અચરજ પમાડે તેવી રાજકીય ઘટના બની
- 30, નવેમ્બર 2022 01:30 AM
- 3524 comments
- 1769 Views
ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે અમરેલીમાં એક અચરજ પમાડે તેવી રાજકીય બની હતી. જેમાં કોંગ્રેસના નેતા અને અમરેલી બેઠકના ઉમેદવાર પરેશ ધાનાણી આજે ભાજપ કાર્યાલય પર પહોંચી ગયા હતા અને ભાજપના નેતાઓ સાથે ચાની ચૂસકી લગાવી હતી. જાે કે આ ઘટનાએ નાગરિકોનું દિલ જીતી લીધું હતું. ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે અમરેલીમાં એક રાજકીય ઘટના બની હતી, ખેલદિલીની ભાવનાને ઉજાગર કરતી આ ઘટનાએ લોકોનું દિલ જીતી લીધું છે. સૌરાષ્ટ્રની અમરેલી વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી, ભાજપમાંથી કૌશિક વેકરિયા અને આમ આદમી પાર્ટી-’આપ’માંથી રવિ ધાનાણી ચૂંટણી લડી રહ્યા છે. પ્રથમ તબક્કાની ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે એટલે કે મંગળવારે કોંગ્રેસના નેતા અને ઉમેદવાર પરેશ ધાનાણી અચાનક અમરેલી ભાજપના કાર્યાલય પહોંચી ગયા હતા.વધુ વાંચો -
વણાકબારામાં મકાનમાં અચાનક આગ લાગતા કરીયાણા સહિતનો સામાન બળીને ખાખ
- 22, નવેમ્બર 2022 01:30 AM
- 1172 comments
- 3042 Views
દિવ, દિવના વણાકબારામાં એક મકાનના રસોડામાં રાત્રિના અશાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. આગની ઘટનાને પગલે રસોડામાં સૂતેલો શખ્સે નજીકની અગાસીમાંથે કૂદી પોતાનો જીવ બચાવ્યો હતો. આ દુર્ઘટનામાં રસોડામાં રહેલો તમામ માલસામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો. પરિવારની પરિસ્થિતીને ધ્યાને રાખી સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી લોકોએ અપીલ કરી છે. કેન્દ્રશાસિત પ્રદેશ દિવના વણાકબારા ગામે મીઠી વાડી વિસ્તારમાં આવેલ રહેણાંક વિસ્તારમાં એક મકાનના રસોઈ ઘરમાં રાત્રિના બાર વાગ્યાના સમયે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેથી આજુબાજુમાં રહેતાં લોકો જાગી જતાં ઘરની બહાર નીકળી પોત પોતાની મોટર ચાલું કરી પાણીનો મારો ચલાવી આગને બુઝાવી હતી. આ બનાવ બનતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતાં. આ આગની ઘટનામાં રસોડામાં રહેલ પલંગ પર સૂતેલા જગાભાઈ રસોઈ ઘર નજીકની અગાસીમાંથે કૂદી પોતાનો જીવ બચાવ્યો હતો. આગ ભભૂકતા જ આસપાસના લોકો એકઠા થઇને આગને કાબુમાં લીધી હતી. સ્થાનિકોની સૂઝબૂઝથી સમયસર રસોડામાં રહેલ ગેસની બોટલને બહાર કાઢી લેવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી. આ આગના ઘટનામાં રસોડામાં ભરેલ આખા વર્ષનું અનાજ, રેફ્રીઝરેટર, પલંગ, ઘોડીયુ તેમજ માછીમારીની ઝાળી જેવી અનેક ખાદ્યચીજ વસ્તુ સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ મકાનમાં જગાભાઈ ભાડે રહેતા હતા સાથે આગની ઘટનાથી તેમને લાખોનું નુકસાન થયું હતું. માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવતા હોવાથી તેઓના નુકશાનની ભરપાઈ થાય તે માટે તેઓએ પ્રશાસન પાસે સહાયની ગુહાર લગાવી છે.વધુ વાંચો -
કાર્યકરોએ કોઈનાથી સહેજ પણ બીવાની જરૂર નથી ઃ હિરા સોલંકી
- 22, નવેમ્બર 2022 01:30 AM
- 1814 comments
- 5085 Views
રાજુલા, હજૂ તો વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ વિવાદ શાંત થયો નથી અને મામલો ચૂંટણી પંચ સુધી પહોંચ્યો છે ત્યારે હવે હિરા સોલંકીએ વિવાદીત નિવેદન બળતામાં ઘી હોમ્યું છે. અમરેલી જિલ્લાની રાજુલા બેઠકના ભાજપના ઉમેદવાર હીરા સોલંકીનો પણ ખુલ્લેઆમ ચેતવણી આપતો વીડિયો વાઇરલ થયો છે. તેઓ વીડિયોમાં કાર્યકર્તાઓને કહી રહ્યા છે કે કોઈના બાપથી બીતા નહીં, હીરા સોલંકી અહીં બેઠો છે, ધાકધમકી દેવાવાળાના હું ડબ્બા ગુલ કરી નાખીશ.અમરેલી જિલ્લાની બેઠકો કબજે કરવા તમામ રાજકીય પક્ષોએ પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગઈકાલે અમરેલીમાં જાહેરસભા સંબોધી હતી. ત્યારે ઉમેદવારો પણ પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. આ વચ્ચે ગઈકાલે જાફરાબાદમાં ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન સમયે ભાજપના પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતા તરીકે ઓળખાતા હીરા સોલંકીનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમા હીરા સોલંકી ધમકી આપી રહ્યા હોવાનું જાેવા મળી રહ્યું છે. વીડિયોમાં હીરા સોલંકીએ કાર્યકર્તાઓને જણાવી રહ્યા છે કે, કોઈના બાપથી બીતા નહીં, અહીં હીરાલાલ સોલંકી બેઠો છે. આ ધાક ધમકી દેવા વારા અહીં જે નીકળ્યાં છે ને તે બધાના હું ડબ્બા ગુલ કરી નાખવાનો છું. જે લોકો માહોલ ડહોળવા નીકળ્યાં છે તેનું ધ્યાન રાખજાે. તમે ખાલી જાફરાબાદનું સાચવી લેજાે બાકી બધુ મારી પર છોડી દો. બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે ખુબ સારા મતોથી જીતવા જઇ રહ્યા છીએ. માહોલ બગાડવાનો પ્રયત્ન જે કરતા હોય તેને કરવા દેજાે. ચૂંટણી પુરી થશે પછી, એ છે અને હું છું. રાજુલા ભાજપના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી પૂર્વ મંત્રી પુરષોતમ સોલંકીના નાના ભાઈ છે. તેમજ ગુજરાતમાં કોળી સેનાના પ્રમુખ છે. ૨૦ વર્ષ સુધી હીરા સોલંકીએ રાજુલા વિસ્તારમાં પ્રતિનિધિત્વ કર્યું છે. વર્ષો પહેલા મુંબઇથી પહેલી વખત ચૂંટણી લડવા આવ્યાં ત્યારે હીરા સોલંકી અને પુરષોતમ સોલંકી બંનેની ‘ભાઈ’ તરીકેની છાપ હતી. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરના અક્ષરધામમાં આતંકવાદીઓના હુમલા વખતે હીરા સોલંકી જીવની પરવા કર્યા વગર પોતાની રિવોલ્વર લઈને લોકોને બચાવવા અંદર ઘૂસી ગયા હતા. આ ઘટનાને થોડા દિવસ પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ પોતાના ભાષણ દરમિયાન યાદ કરી હતી. સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, આ એ જ ભાજપના ઉમેદવાર હીરા સોલંકી છે કે જેણે ગાંધીનગરના અક્ષર ધામમાં આતંકવાદીઓનો હુમલો થયો ત્યારે તેમની પાસે જે રિવોલ્વર હતી તે રિવોલ્વર લઈને આંતકવાદીઓ સામે પોતાની જીવની પરવા કર્યા વગર જે હિરલો અંદર ઘુસી ગયો હતો તે આપડો આ હિરલો હતો. આવા મજબુત ઉમેદવારને જીતાડવા માટે મારે તમને વિનંતી કરવાની ન હોય આપણી બધાની ફરજ છે તેને જીતાડવાની. વર્ષ ૨૦૧૭ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય અંબરીષ ડેરનો વિજય થયો હતો. જ્યારે ભાજપના હીરા સોલંકીનો પરાજય થવાના કારણે ભાજપને આ બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે. જાેકે, ફરી ભાજપ આ બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લેવા માટે દોડધામ કરી રહી છે. જેને કારણે ભાજપ આ બેઠક જીતવા આકાશ પાતાળ એક કરી રહી છે. હિરા સોલંકી પરસેવો પાડી રહ્યા છે. નિવેદન બહાર આવ્યું હતું.વધુ વાંચો -
૫ નેસના મતદારોએ મતદાન માટેજંગલ બહાર આવવું પડશે
- 20, નવેમ્બર 2022 01:30 AM
- 2162 comments
- 9988 Views
અમરેલી, ચુંટણી તંત્ર શિયાળબેટ જેવા ટાપુ પર સ્ટાફ પહોંચાડીને મતદાન કરાવે છે. કે બાણેજ જેવા મધ્ય ગીરમા માત્ર એક મતદાર માટે બુથ ઉભુ કરી શકે છે. પરંતુ અમરેલી જિલ્લાની બોર્ડર પર ગીર જંગલની અંદરના નેસડાઓમા વસતા લોકો માટે જંગલમા બુથ તૈયાર કરાતા નથી. નેસમા વસતા લોકોને મતદાન કરવા માટે જંગલમાથી બહાર નીકળી નજીકના ગામોમા મતદાન માટે જવુ પડે છે. જંગલમા વસતા લોકોને મતદાન કરાવવા માટે વર્ષોથી ચુંટણી તંત્રનુ વિચિત્ર વલણ સ્પષ્ટ નજરે પડે છે. જંગલમા કેટલાક નેસ એવા છે જયાં બુથ ઉભા કરાય છે.બાણેજમા તો માત્ર એક મતદાર માટે બુથ ઉભુ કરાતુ હતુ પરંતુ ધારી અને ખાંભા તાલુકાને અડીને આવેલા જંગલની અંદર નેસમા વસતા માલધારીઓ માટે તંત્ર દ્વારા કોઇ બુથ ઉભુ કરવામા આવતુ નથી. આ નેસમા પશુપાલકો વસે છે. જંગલમા તેમનો માત્ર આ એક જ વ્યવસાય છે. મોટાભાગના પશુપાલકો અશિક્ષિત છે. જેથી તંત્ર પણ તેમની સુવિધાએા માટે કોઇ ધ્યાન આપતુ નથી. આવુ જ ચુંટણીની બાબતમા પણ જાેવા મળી રહ્યું છે. ખાંભા નજીકના જંગલમા રેબડીપાટ નેસમા ૪૦થી વધુ લોકોનો વસવાટ છે. જાે કે આ નેસના ગામના લોકોના નામ જંગલ બહાર ત્રણ કિમી દુર આવેલા ભાણીયા ગામની મતદાર યાદીમા બોલી રહ્યાં છે જેથી તેમને મતદાન કરવા ભાણીયા આવવુ પડે છે. આવી જ રીતે પાડાગાળામા ૨૦થી વધુ મતદાર છે જે બોરાળા ગામે મત દેવા આવે છે. રાવણાપાટના ૧૫થી વધુ મતદારો ભાણીયા ગામે વોટ દેવા આવે છે. જયારે શીરનેસના ૫૦ મતદારો પીપળવા ગામે મત દેવા આવે છે. લીલાપાણી નેસના ૬૦થી વધુ મતદારો આઠ કિમી દુર પાણીયા ગામે મત દેવા આવે છે. જંગલના આ પાંચ નેસના મતદારોને ધારી બગસરા સીટ માટે મતદાન કરવાનુ હોય છે. આ ઉપરાંત કેટલાક નેસ એવા છે જેના મતદારો ઉના સીટ માટે મતદાન કરે છે. અને આ નેસના મતદારોને ઉના તરફની બોર્ડરના નજીકના ગામે મત આપવા જવુ પડે છે. અહી કેટલાક સેટલમેન્ટના ગામો પણ છે. જયાં પાકા રોડ, સ્કુલ જેવી સુવિધાઓ પણ છે અને સેટલમેન્ટના આ ગામોમા બુથ પર ઉભા કરાય છે. જંગલની અંદર આવેલુ સોઢાપરા ગામ એવુ છે જયાં બુથ ઉભુ કરાશે. અહીના લોકોને ચુંટણી કયારે હોય છે તેની મોટાભાગનાને ખબર પણ હોતી નથી. મતદાનના દિવસે મોટાભાગે ઉમેદવારો વાહન મોકલતા હોય છે. વાહનના પહેલા ફેરામા પુરૂષ મતદારો વોટ આપવા જાય છે અને બીજા ફેરામા મહિલા મતદારો મત આપવા જતા હોવાનુ જાેઇ શકાય છે. મધ્યગીરમા આવેલો હડાળા નેસ જંગલખાતાની ચોકી પણ ધરાવે છે. અહી વનવિભાગના સરકારી કવાર્ટરો પણ આવેલા છે. ચુંટણી તંત્ર દ્વારા હડાળા નેસમા આ કવાર્ટરમા બુથ ઉભુ કરવામા આવે છે. જયારે કેટલાક નેસના મતદારો તુલસીશ્યામ ખાતેના બુથ પર મત આપવા જાય છે. ગીરપુર્વમા પુર્વના જંગલમા ૧૩ નેસ એવા છે કે જયાંના મતદારો ગીર સોમનાથ જિલ્લાની સીટો માટે મતદાન કરે છે. બેરીયાનેસ, મીંઢા નેસ, ખજુરી નેસ, માંડવી નેસ, કણેક નેસ, સરાકડીયા નેસ, લોકી નેસ, રાજસ્થળી નેસ, છાપરા નેસ, ઘુડજીંજવા નેસ, આસુંદ્રાળી નેસ, દોઢી નેસ અને હડાળા નેસનો તેમા સમાવેશ થાય છે.વધુ વાંચો -
પીજીવીસીએલના ધાંધીયા વાંકિયામાં વિજપોલના બદલે ઝાડ સાથે જ તારને બાંધી દેવાયા
- 15, નવેમ્બર 2022 01:30 AM
- 5410 comments
- 8277 Views
અમરેલી, ખાંભા તાલુકાના વાંકીયા ગામની સીમમા એક ખેતરના શેઢા નજીક વિજ તંત્ર દ્વારા વિજપોલ ઉભો કરવાના બદલે ઝાડ સાથે જ વિજતાર બાંધી દઇ કામગીરી કરાતા વિજ તંત્રના જવાબદાર કર્મચારીઓ સામે પગલા લેવા માંગ ઉઠી છે. ખાંભાના વાંકીયા ગામની સીમમા ખાંભા તાલુકા ભાજપ પ્રમુખની વાડીના શેઢે પીજીવીસીએલના કોન્ટ્રાકટરો દ્વારા વિજ લાઇન પસાર કરવાની કામગીરી કરી હતી.જાે કે અહી કર્મચારીઓએ બુધ્ધિનુ પ્રદર્શન કરી વિજપોલ ઉભો કરવાના બદલે અહી ઉભેલા ઝાડ સાથે જ વિજ તાર બાંધી દેવામા આવ્યા છે. આવી ઘોર બેદરકારી દાખવનાર કર્મચારીઓ અને કામગીરી કરનાર કોન્ટ્રાકટર સામે પગલા લેવામા આવે તેવી માંગ ઉઠી છે. આ રીતે ઝાડ સાથે ચાલુ વિજ તાર બાંધી દેવામા આવ્યા હોય અહી કોઇ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ તેવા સવાલો પણ ઉઠી રહ્યાં છે.વધુ વાંચો -
સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદથી નદીઓ ગાંડીતૂર
- 14, જુલાઈ 2022 01:30 AM
- 3249 comments
- 4772 Views
ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના અને ગીર જંગલ પંથકમાં વરસાદી માહોલ વચ્ચે ઠંડા પવન સાથે ભારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું, જે સવારથી પણ ધીમી ધારે વરસી રહ્યો છે. જિલ્લામાં રાત્રિથી લઈ સવાર સુધીમાં સૌથી વધુ ગીર-ગઢડામાં ૫ ઈંચ તથા બાકીના પાંચેય તાલુકામાં સરેરાશ ૨થી ૩ ઈંચ વરસાદ વરસી ગયો છે. આજના ભારે વરસાદને પગલે ગીર-ગઢડાની રૂપેણ સહિતની નદીઓમાં ઘોડાપૂર આવતાં ગ્રામ્ય વિસ્તારોને તાલુકા મથકે જાેડતા અનેક રસ્તાઓ અને પુલો પર પૂરના પાણી ફરી વળેલા નજરે પડ્યા છે. તો જિલ્લાના ડેમોમાં પણ ધીમી ધારે નવા નીરની આવક જાેવા મળી રહી છે. ગઈકાલથી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી મુજબ ગીર સોમનાથ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં ઠંડો પવન ફૂંકાવવાની સાથે ઘટાટોપ વાદળો બંધાયાં બાદ છએય તાલુકાઓમાં ક્રમશઃ વારાફરતી ધીમી ધારે વરસાદ વરસવાનું ચાલુ થયો હતો. આખી રાત દરમિયાન ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારનો વરસાદ અવિરત વરસ્યા બાદ સવારથી પણ સૂર્ય નારાયણની ગેરહાજરી વચ્ચે મેઘાવી માહોલમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ગતરાત્રિના ધીમી ધારે વરસ્યા બાદ વહેલી સવારના પાંચેક વાગ્યાથી ગીર-ગઢડા શહેર-પંથકમાં ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું, જેમાં રાત્રિના એકાદ ઈંચ બાદ સવારે ચાર કલાકમાં વધુ ૪ ઈંચ વરસાદ ખાબકી જતાં પંથકમાં સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું. ભારે વરસાદના પગલે ગીર-ગઢડા પંથકની નાની-મોટી તમામ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હોય એમ બર કાંઠે વહેતી જાેવા મળતી હતી. પંથકની મછુન્દ્રી, સાંગવાડી, સાહી અને રૂપેણ જેવી મુખ્ય નદીઓમાં ઘોડાપૂર આવેલું નજરે પડતું હતું. આ નદીઓમાં આવેલા પૂરના પાણી પંથકના ગ્રામ્ય વિસ્તારોને તાલુકા મથકે જાેડતા માર્ગો અને તેના પુલો પર ફરી વળતાં વાહનવ્યવહાર અમુક સમય માટે બાધિત થયો હતો, જેમાં ગીર-ગઢડાથી હરમડિયા અને ઘોકડવાને જાેડતા બન્ને મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતાં બેએક કલાક સુધી વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો. આ માર્ગે પર ઠેરઠેર ધસમસતા વરસાદી પાણી વહેતા જાેવા મળી રહ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે અને હવામાન વિભાગે હજુ પણ ગુજરાતમાં બે દિવસની ધોધમાર વરસાદની આગાહી આપી છે. ચારે બાજુ હજુ પાણી ઉતર્યુ નથી એ વચ્ચે ભારે વરસાદની આગાહીથી તંત્રપણ સતર્ક બની ગયુ છે.ઠેર-ઠેર રસ્તાઓ પર પાણી ભરાયાનાં દૃશ્યો જાેવા મળતાં પ્રી-મોન્સૂનની કામગીરીની પોલ ખુલી. રાજકોટ શહેરમાં ગઈકાલે ભારે વરસાદને પગલે ચારેબાજુ પાણી જ પાણી ભરાઈ ગયા હતા.એ સમયે પ્રી-મોન્સૂનની કામગીરીની પોલ ખુલી હતી. જ્યાં શહેરમાં ઠેર-ઠેર રસ્તાઓ પર પાણી ભરાયાનાં દૃશ્યો જાેવા મળ્યાં હતાં. આથી વાહનચાલકોમાં મુશ્કેલી જાેવા મળી હતી. આ અંગે આજે મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ અમે શહેરના લગભગ તમામ રાજમાર્ગ અને મુખ્ય વિસ્તારોમાં ઉભા કરવામાં આવેલા ઝ્રઝ્ર્ફ નેટવર્કનો ઉપયોગ રસ્તાના ખાડાઓ શોધવા માટે કરી રહ્યા છીએ. અને ખાડા શોધીને તેને બુરવાની સૂચના પણ મે ત્રણે ઝોનના સીટી ઇજનેરોને આપી દીધી છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે,ગઈકાલથી જ તમામ ઇજનેરોને પોતપોતાના ઝોન અને વોર્ડમાં ઝ્રઝ્ર્ફમાંથી નિહાળીને ખાડા બુરવાનું શરૂ કરી દીધું હતું. જેમાં મેટલ, મોરમ જે પ્રકારે ખાડા બુરાતા હોય તે કેમેરામાંથી જાેઇને તુરંત સુચના આપવા અને વાહન ચાલકોને ઓછામાં ઓછી તકલીફ પડે તે બાબત ધ્યાને રાખવા સૂચનાઓ જાહેર કરી હતી.રાજકોટના વીરપુર-જસદણમાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસતા પાણીપાણી રાજકોટ, રાજકોટના. વીરપુર અને જસદણ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ ચાલુ થયો હતો. જસદણ અને આટકોટમાં સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાયા હતા. તેમજ ખેતરો પણ પાણી પાણી થયા છે. જયારે રાજકોટ શહેરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં વરસાદી ઝાપટા અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. વીરપુર સહિત પીઠડીયા,મેવાસા,જેપુર, હરિપર,ઉમરાળી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટના ઉપલેટા તાલુકાના સાજડીયારી ગામ પાસેથી પસાર થતા પૂલની એક સાઈડમાં ધોવાણ થયું હોવાનું સામે આવ્યું છે. વોકળામાં પાણીની પુષ્કળ આવકને લઈ અને પૂલના એક સાઈડનું ધોવાણ થયું છે. જેને કારણે પૂલનો અમુક ભાગ ધરાશાયી થયો છે. હાલ સાજડીયારીથી ટીબડી જવા માટેના વાહન ચાલકો હેરાન થયા છે. ગત વર્ષે પણ આ પુલના ભાગનું થયું હતું ધોવાણ તેવી પણ વિગતો સામે આવી છે. એ સમયે ઇદ્ગમ્ વિભાગ દ્વારા માત્ર માટી નાખીને કામચલાઉ રીપેરીંગ કરવામાં આવ્યું હતું. હાલ વરસાદી વાતાવરણ છે. જાે ધોધમાર વરસાદ પડશે તો દુર્ઘટના સર્જાય શકે છે. હાલ વરસાદને પગલે શહેરના માંડાડુંગર વિસ્તારમાંથી એક અજગર મળી આવ્યો હતો. જેનો રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. જેમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.જામનગર-દ્વારકામાં સાડાચાર ઇંચ વરસાદ વરસ્યો જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં એક ઇંચથી લઈ સાડા ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેને લઈ રસ્તા પર પાણી ફળી વળ્યા હતા. બીજી તરફ ભારે વરસાદની આગાહીના પગલે જામનગર અને દેવભૂમિ દ્વારકામાં એનડીઆરએફની એક-એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં વરસેલા વરસાદના સતાવાર આંકડાઓ જાેઈએ તો આજે સવારે પૂર્ણ થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાલીયામાં ૨ ઇંચ, કલ્યાણપુરમાં ૧ ઇંચ, ભાણવડ અને દ્વારકામાં પોણો-પોણો ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જામનગર જિલ્લામાં તાલુકા મથકે વાત કરવામાં આવે તો કાલાવડમાં સવા ઇંચ, જામજાેધપુરમાં અડધો ઇંચ, જામનગર શહેરમાં ૨ ઇંચ, જાેડીયામાં સાડા ચાર ઇંચ, ધ્રોલમાં પોણા બે ઇંચ, લાલપુરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.વધુ વાંચો -
સુત્રાપાડામાં ૧૩ અને કોડીનારમાં ૯ ઈંચ વરસાદ
- 07, જુલાઈ 2022 01:30 AM
- 7718 comments
- 5454 Views
ગીર સોમનાથ, ગીર સોમનાથ જિલ્લામાં આભ ફાટ્યું બાદ સવાર સુધીમાં સાંબેલાધાર વરસાદ વરસાવી દેતાં પાણી પાણી કરી દીધું હતું. એમાં સુત્રાપાડામાં નવ કલાકમાં ૧૩ ઇંચ, કોડીનારમાં નવ કલાકમાં ૧૧ ઇંચ અને વેરાવળ-સોમનાથમાં છ કલાકમાં ૫ ઇંચ વરસાદ ખાબક્યો છે. એને પગલે સુત્રાપાડા અને કોડીનાર શહેર તથા પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. તો ભારે વરસાદને પગલે વેરાવળ-કોડીનાર વચ્ચે પેઢાવાડા પાસે હાઇવેનાં કામ અંતર્ગત કઢાયેલા રસ્તાઓ સોમત નદીના પૂરના પાણીમાં ગરકાવ થતાં વાહન-વ્યવહાર ખોરવાઇ જતાં બંન્ને તરફ વાહનોની લાઇનો લાગી હતી. તો ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ અને ખેતરો પાણીમાં ગરકાવ થયાં છે. રાજ્યના હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, ગીર સોમનાથના દરિયાકાંઠે વસેલા વેરાવળ, સુત્રાપાડા અને કોડીનાર તાલુકામાં ગત રાત્રિથી મેઘરાજાએ મુકામ કરી હેત વરસાવવાનું શરૂ કર્યું છે. આ ત્રણેય તાલુકામાં વરસેલા વરસાદની વાત કરીએ તો સૌથી વધુ સુત્રાપાડામાં રાત્રિના શરૂ થયેલી મેઘસવારીએ સવારે પણ ચાલુ રહી હતી. સૂત્રાપાડામાં ૩૦૨મિમી (૧૨ ઇંચ), કોડીનારમાં ૨૭૯ મિમી (૧૧ ઇંચ) અને વેરાવળમાં ૧૨૪ મિમી (૫ ઇંચ) વરસાદ વરસાવી દીધો હતો. એને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. તો ખેતરોમાં પાકને જરૂરી એવા ખરા સમયે જ વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ હતી. તો કોડીનાર અને સુત્રાપાડા શહેર-પંથકમાં વરસેલા સાંબલેધાર વરસાદને પગલે લોકો અને વાહનચાલકોને અનેક પ્રકારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સુત્રાપાડા શહેર-પંથકમાં ગત રાત્રિના અઢી વાગ્યા આસપાસ મેઘરાજાએ પધરામણી કર્યા બાદ વહેલી સવારે સાત વાગ્યા સુધી અનરાધાર વરસાદ વરસ્યો હતો. આ બાદ પણ વરસાદ ધીમી ધારે વરસવાનું ચાલુ જ હતું. આમ, સાત કલાકમાં ૧૨ ઇંચ જેવો વરસાદ વરસી જતાં શહેર-પંથકમાં ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતા. સુત્રાપાડા પંથકમાં આભ ફાટ્યું હતું, ભારે વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાઇ જતાં બેટમાં ફેરવાઇ ગયાનો નજારો જાેવા મળતો હતો. પંથકના મટાણા સહિતનાં અનેક ગામો બેટમાં ફેરવાઇ ગયાનાં દૃશ્યો સામે આવ્યાં છે. મટાણા ગામને જાેડતા બ્રિજ પર વરસાદી પાણી ફરી વળતાં વાહનવ્યવહાર અટકી જવાની સાથે ગામની અંદર રસ્તા-શેરીઓમાં નદી વહેતાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા. જ્યારે પ્રશ્નાવડા, લોઢવા, સીંગસર સહિતનાં ગામોની શેરીમાં નદી વહેતી થતાં બેટમાં ફેરવાયા જેવો નજારો જાેવા મળતો હતો. સુત્રાપાડાનો વાડી વિસ્તાર સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. સુત્રાપાડા તાલુકાનાં અન્ય ગામોને જાેડતા ઉંબરી સહિતના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા બંધ થઇ જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. કોડીનાર પંથકમાં પણ ગત રાત્રિથી જ મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે, જે સવારે પણ અવિરત ચાલુ હતા. એને લીધે કોડીનાર શહેર-પંથકમાં ૧૧ ઇંચ જેટલો વરસાદ વરસી જતાં જળમગ્ન જેવી સ્થિતિ અનેક જગ્યાએ જાેવા મળી હતી. કોડીનાર શહેરની અનેક સોસાયટીઓ, રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. તો પંથકના દરિયાકાંઠાના મૂળ દ્વારકા, માલાશ્રમ સહિતનાં ગામોની અંદર નદીઓ વહેતી થઇ હતી. તો અનેક લોકોનાં ઘરોમાં પાણી ઘૂસી જતાં ગ્રામજનો પરેશાન થયાં હતાં. ભારે વરસાદને પગલે કોડીનાર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં અનેક જગ્યાએ જળમગ્ન જેવી પરિસ્થિતિ જાેવા મળી રહી છે.દ્વારકામાં ભારે વરસાદથી જગત મંદિરની ધજા અડધી કાઠીએ ફરકાવાઈ દ્વારકામાં મુશળધાર વરસાદ તૂટી પડ્યો છે. જેમાં સૌથી વધુ કલ્યાણપુરમાં ૬.૬ ઈંચ વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે સમગ્ર દ્વારકા જિલ્લો પાણી પાણી થઈ ગયો છે. જેને કારણે દ્વારકામાં જગત મંદિરનાં શિખરે અડધી કાઠીએ ધજા ફરકાવાઈ છે. અબોટી બ્રાહ્મણ પરિવારની સુરક્ષા માટે આ ર્નિણય લીધો હતો. વાતાવરણ યોગ્ય ન થાય ત્યાં સુધી અડધી કાઠીએ ધજા ફરકાવાશે. કલ્યાણપુરમાં સાડા છ ઈંચ વરસાદથી પાણી પાણી બની ગયુ છે. તો દ્વારકામાં ૪ અને ખંભાળિયામાં ૩ ઈંચ વરસાદ તૂટી પડ્યો છે. મૂશળધાર વરસાદથી દ્વારકા જિલ્લામાં સર્વત્ર પાણી પાણી થઈ ગયુ છે. દ્વારકામાં અનેક જગ્યાએ રસ્તાઓ બંધ થયા થયા છે. રાવલ-સુર્યાવદર વચ્ચેનો રસ્તો પાણીમાં ગરકાવ થતા બંધ થયો છે. સાની નદીમાં પૂર આવતા રસ્તાઓ બંધ થયા છે. લોકો જીવના જાેખમે રસ્તાઓ પાર કરી રહ્યા છે. ભારે વરસાદથી જિલ્લાના નદી, નાળા અને ચેકડેમો છલકાયા છે. તો બીજી તરફ સીમાની કાલાવડથી બારા તરફ જતાં માર્ગ પર પુલ પર પાણી ફરી વળતા લોકોને જીવના જાેખમે દોરડા વડે પુલ પાર કરવાનો વારો આવ્યો છે. દ્વારકામાં જગત મંદિરનાં શિખરે ધજા અડધી કાઠીએ ફરકાવાઈ છે. અબોટી બ્રાહ્મણ પરિવારની સુરક્ષા માટે આ ર્નિણય લેવાયો છે. ખરાબ હવામાન, વરસાદની આગાહીને પગલે વાતાવરણ યોગ્ય ન થાય ત્યાં સુધી ધજા અડધી કાઠીએ ફરકાવાશે. મહત્વનું છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. હાલમાં સતત ભારે વરસાદ પણ વરસી રહ્યો છે. જેના પગલે સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકાના જગતમંદિરના શિખર પર ફરકાવવામાં આવતી ધજાને અડધી કાઠીએ ફરકાવવામાં આવી છે. જામનગરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જામનગર જામનગર જિલ્લા અને શહેરમાં મેઘરાજાએ વ્હેલી સવારથી ધમાકેદાર બેટિંગ કરવાનું શરૂ કરી દીધું. સતત વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે. હવામાન વિભાગે જામનગરને ઓરેન્જ એલર્ટ આપ્યું છે. ત્યારે આજે સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. આ ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજા દેધનાધન વરસાદ વરસાવી રહ્યા છે. સૌથી વધારે પડાણા ગામમાં ચાર ઇંચ વરસાદ પડ્યો છે. જામનગર સહિત રાજ્યભરમાં વરસાદની આગાહીની પગલે વરસાદી માહોલ જામ્યો છે. શહેર અને જિલ્લાને મેઘરાજાએ મુકામ બનાવ્યો છે. તેમજ ગ્રામ્ય પંથકમાં કાળા ડિબાંગ વાદળો વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. બાળકોએ વરસાદમાં નાહવાની મોજ માણી હતી. ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે. જામનગર જિલ્લા અને શહેરમાં વહેલી સવારથી જ સતત વરસાદને કારણે શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યાં છે. હવામાન વિભાગની આગાહી મુજબ જામનગરને ઓરેન્જ એલર્ટ અપાયું છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારી એવી મેઘમહેર જાેવા મળી રહી છે.જામનગરમાં મકાનની અગાસી પર વિજળી પડી જામનગરના ગુલાબનગર વિસ્તાર નજીક મોહનનગરમાં આવેલા આવાસના ૧૨ નંબરના બિલ્ડીંગની અગાસીના ખૂણા પર વીજળી પડતાં બિલ્ડીંગનો ખૂણો નીચે ધસી પડ્યો હતો. સદભાગ્યે મોટી દુર્ઘટના ટળી હતી. પરંતુ ત્યાં વસવાટ કરતા સેંકડો પરિવારનો જીવ તાળવે ચોંટ્યો હતો. જામનગરના ગુલાબ નગર નજીક મોહનનગર વિસ્તારમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા આવાસ નું નિર્માણ કરાયું છે. જેમાં ૧૨ નંબરની બિલ્ડીંગની અગાસીના એક ખૂણા પર આજે ભારે વરસાદની સાથે વિજળી પડી હતી. જે વીજળીના કારણે બિલ્ડીંગનો અગાસીના ખૂણાનો કેટલોક હિસ્સો નીચે ધસી પડ્યો હતો. સદભાગ્યે બિલ્ડીંગમાં વસવાટ કરતા અનેક લોકો પોતાના ઘરમાં જ હતા, પરંતુ કોઈ જાનહાનિના અહેવાલો મળ્યા નથી. પરંતુ સેકડો પરિવારનો જીવ તાળવે ચોંટ્યો હતો. હજુ પણ વરસાદી વાતાવરણ ચાલુ હોવાથી અન્ય સ્થાનિકોમાં ભયનું વાતાવરણ જાેવા મળી રહ્યું છે.વધુ વાંચો -
મોટા ઝીંઝુડામાં એસટીના પ્રશ્નો અંગે રજૂઆત અંતે વિદ્યાર્થીઓએ બસો રોકી આંદોલન કર્યું
- 05, જુલાઈ 2022 01:30 AM
- 8859 comments
- 2553 Views
સાવરકુંડલા, અમરેલી જિલ્લામાં આવેલા સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામના વિદ્યાર્થીઓ રોજ પીઠવડી હાઈસ્કૂલ ખાતે અભ્યાસ કરવા જાય છે. પરંતુ એસ.ટી બસ અનિયમિત હોવાના કારણે લોકોમાં રોષનો માહોલ જાેવા મળ્યો હતો. જેના લીધે આ વિસ્તારમાંથી પસાર થતી તમામ એસ.ટી.બસો રોકી દેવાઇ હતી, જેના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. જાેકે આ મામલે એસ.ટી.વિભાગના કર્મચારીઓ-અધિકારીઓ સામે પણ વિદ્યાર્થીઓમાં રોષ જાેવા મળ્યો હતો. વિદ્યાર્થીઓ આક્રમક મૂડમાં જાેવા મળ્યા હતા અને રસ્તા રોકી આંદોલન કર્યુ હતું, જેમની સાથે સરપંચ સહિત કેટલાક આગેવાનો પણ જાેડાયા હતા.વિદ્યાર્થીઓ અને લોકોના ટોળાએ જણાવ્યું હતું કે અનેક વખત બધા રજૂઆતો કરીને છેલ્લે સાંસદને પણ રજૂઆત કરવામાં આવી હતી, જે તેમણે સાંભળી નથી. આમ વિદ્યાર્થીઓના ટોળામાં સાંસદ સામે પણ નારાજગીભર્યું વાતાવરણ જાેવા મળ્યું હતું. અમરેલી જિલ્લા પંચાયત સદસ્ય રાહુલભાઈ રાદડીયાએ કહ્યું હતું કે વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લીધા નથી. ૧૫૦ ઉપરાંતના વિદ્યાર્થીઓ છે. ડેપો મેનેજરને અનેક વખત રજૂઆતો કરી, જ્યારે અત્યારે પણ અમે ફોન કર્યો તો ડેપો મેનેજર કહે છે હું પોલીસને કહીને ભરાવી લઉ છું. સાંસદને પણ રજૂઆતો કરી છે છતાંય કોઈ આનો ર્નિણય આવતો નથી વિદ્યાર્થી પિયુષ મોલડીયાએ કહ્યું હું મોટા ઝીંઝુડાથી પીઠવડી અપડાઉન કરું છું.વધુ વાંચો -
ધારી હોસ્પિટલ ખખડધજ નવા મકાનની મંજૂરી છતાં કામગીરી શરૂ ન થતાં સ્થાનિકોનો રોષ
- 07, મે 2022 01:30 AM
- 4116 comments
- 7329 Views
ધારી, અમરેલી જિલ્લામાં આવેલા ધારી તાલુકામાં ૭૨ ગામડાં આવેલાં છે. સૌથી મોટો ગ્રામીણ વિસ્તાર આ વિસ્તારમાં આવેલો છે. પરંતુ આરોગ્ય સુવિધાના નામે મીંડું સર્જાયું છે. અહીં મોટા પ્રમાણમાં આસપાસના ગામડાના દર્દીઓ આરોગ્ય સેવા લેવા માટે આવી રહ્યા છે. પરંતુ સુવિધાના નામે મીંડું છે. જર્જરિત હાલતમાં હોસ્પિટલ હોવાને કારણે દર્દીઓ સહિત ડોક્ટરો પણ પરેશાની ભોગવી રહ્યા છે. ભયના ઓથારે નાછૂટકે દર્દીઓ સારવાર લેવા માટે અવર જવર કરતા હોય છે. દીવાલો જર્જરિત હોવાને કારણે સાવધાની રાખવા સહિતના અલગ અલગ સરકારી પોસ્ટરો લગાવવામાં આવ્યા છે, જેથી સબ સલામત જાેવા મળે છે.જ્યારે અહીં આટલી મોટી હોસ્પિટલમાં માત્ર એક ડોક્ટર ફરજ બજાવે છે અને અહીં હોસ્પિટલની છત પર પોપડા જાેવા મળી રહ્યા છે. આખી બિલ્ડીંગ જર્જરિત હાલતમાં છે ત્યારે સમગ્ર વિસ્તારના લોકોની રાજ્ય સરકાર દ્વારા તાકીદે નવું બિલ્ડીંગ બનાવવામાં આવે તેવી માંગ છે. સ્થાનિક પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ આ અંગે જણાવતાં કહ્યું હતું કે સરકારી દવાખાના માટે આરોગ્ય મંત્રી સુધી રજૂઆતો કરવામાં આવી છે. ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સાડા ચાર કરોડ રૂપિયા જેવી માતબર રકમ મંજૂર કરવામાં આવી છે. પરંતુ આજદિન સુધી નવું સરકારી બિલ્ડીંગ બનાવવામાં આવ્યું નથી. ધારી વિસ્તારના એક જાગૃત નાગરિક કે. કે. ચૌહાણે કહ્યું હતું કે હોસ્પિટલ જર્જરિત હાલતમાં છે. મંજૂરી મળી ગઈ છે તો હવે સરકારે નવું મકાન બનાવવું જાેઈએ. જાે દર્દીઓ ઉપર છત પડશે તો જવાબદારી કોની? ઉપરાંત ત્યાં સારવાર લેવા જવાનો પણ ડર લાગે છે.વધુ વાંચો -
સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટાં
- 03, મે 2022 01:30 AM
- 3166 comments
- 2764 Views
અમરેલી ગુજરાતમાં ચારેબાજુ કાળઝાળ ગરમી પડી રહી છે, જેના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. સોમવારના રોજ બપોર પછી એકાએક ભારે ગરમી વચ્ચે અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારમા વાતાવરણમાં પલટો આવ્યો છે. સાવરકુંડલાના કેટલાક ગામોમાં મીની વાવાઝોડુ ફુંકાયું છે. ત્યારબાદ આદસંગ, થોરડી, ઘનશ્યામનગર જેવા ગામોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું છે.આ વિશે મળતી માહિતી પ્રમાણે, ખાંભા તાલુકાના ભાણીયા, નાનુડી, પીપળવા ગામમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. આ સિવાય રાજુલાના ધુડિયા આગરિયા, મોટા આગરીયા, નવા આગરિયા ગામમાં વરસાદ પડી રહ્યો છે. કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે કેરીના પાકને નુકસાનની સંભાવના સેવવામાં આવી છે. ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.ઉલ્લેખનીય છે કે, રાજ્યભરના કેટલાક વિસ્તારમાં આગામી ત્રણ દિવસ વાતાવરણમાં પલટો જાેવા મળવાનો છો. ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સહિતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે પવન અને માવઠુ થાય તેવી શક્યતા વ્યકત્ કરી છે. જેથી માર્કેટયાર્ડે વેપારીઓ-ખેડૂતોને સાવચેત રહેવા સૂચના આપીછે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. રાજ્યમાં વૈશાખી વાયરા લોકોને દઝાડી રહ્યા છે, એટલું જ નહીં તેજ પવન સાથે લૂ વર્ષા અને ધૂળની ડમરીઓ ઉડી રહી છે. અમદાવાદમાં આજે ૪૪ ડિગ્રી તાપમાનનું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ અને કંડલામાં હવામાન વિભાગ દ્વારા હીટ વેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે દરિયાઇ વિસ્તારમાં ગરમીથી આંશિક રાહત લોકોને મળી છે.વધુ વાંચો -
બાબરામાં ગર્ભગૃહમાં માતાજી સામે પશુ બલિ ચઢાવ્યો
- 27, એપ્રીલ 2022 01:30 AM
- 7853 comments
- 7637 Views
અમરેલી, બાબરા નિલવડા રોડ પર આવેલ આસ્થાના કેન્દ્ર સમા સુપ્રસિદ્ધ મેલડી માતાના મંદિરમાં ૨૨મી તારીખની રાત્રે કેટલાક શખસોએ પશુ સાથે ગર્ભગૃહમા પ્રવેશી પશુનું ગળું કાપી બલિ ચડાવતાં લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમા પણ કેદ થઇ છે. બનાવ અંગે પોલીસે ૧૦ શખસ સામે ગુનો નોંધ્યો છે.નીલવડા રોડ પરનુ મેલડી માતાજીનું મંદિર પંચાળ પંથકની પ્રજા માટે આસ્થાનુ સ્થાન છે. અહીં દરરોજ મોટી સંખ્યામા શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. ખાસ કરીને સૌથી વધુ લોકો માનતા પૂરી કરવા આવે છે. રાજકોટના રાજેશભાઇ જેઠવાએ અહી શ્રદ્ધાળુઓ અને માનતા પૂરી કરવા આવતા લોકો માટે રોકાણ તથા રસોડાની વ્યવસ્થા કરી છે. અહી માતાજીને કોઇએ પશુ બલિ ચડાવવો નહીં તેવા બોર્ડ પણ ચારે તરફ લગાવેલા છે. એટલું જ નહી કોઇ આવું કૃત્ય ન કરે તે માટે ચારે તરફ સીસીટીવી કેમેરા પણ લગાવેલા છે. આમ છતાં ૨૨મીની મધરાતે અહી પશુ બલિની ઘટના બની હતી. રાજેશભાઇ જેઠવાએ આ બારામા બાબરાના લક્ષ્મણ મગનભાઇ ડાભી, વિહા નારણભાઇ, નારણ પાંચાભાઇ ઝિંઝુવાડિયા, સંજય ખોડુભાઇ કરકર, ભૂપત તળસીભાઇ ઝિંઝુવાડિયા, બચુ નારણભાઇ, દેવા ગભાભાઇ, બીજલભાઇ ડાભી અને અન્ય બે અજાણ્યા શખસો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમા તેમણે જણાવ્યું છે કે તારીખ ૨૨/૪ને મધરાતે મેલડી માતાના મુળ સ્થાનકે આ શખસોએ બોકડા જેવા દેખાતા પશુનો બલિ ચડાવ્યો હતો. મધરાતે મંદિર બંધ હતુ ત્યારે આ શખસો જાળી ખોલીને અંદર પ્રવેશ્યા હતા અને ગર્ભગૃહમાં પશુને લઇ જઇ એનું ગળું કાપી બલિ ચડાવ્યો હતો. સીસીટીવી ફૂટેજમા આ તમામ શખ્સોની હરકત કેદ થતા પોલીસમા ફરિયાદ નોંધાવાઇ છે. બાબરા પેાલીસે આ અંગે કેટલાક શખ્સોને રાઉન્ડઅપ પણ કર્યા છે. આધુનિક યુગમા કેટલાક શખ્સોનો આવા કૃત્યથી લોકોની ધાર્મિક લાગણી દુભાતી હોય આવુ કૃત્ય કરનાર સામે ફિટકાર વરસી રહ્યો છે. આસ્થાના આ કેન્દ્ર પર ૧૦ વર્ષ સુધીના અખંડ યજ્ઞનુ આયોજન થયુ છે. સવા બે વર્ષથી અહી અખંડ યજ્ઞ ચાલી રહ્યો છે. ચિત્રકુટના આચાર્યો અહી રોજ યજ્ઞ કરાવી રહ્યાં છે. તેની વચ્ચે આ કૃત્યથી લોકોમા રોષ છે. અહીના ઉપાસક રાજેશભાઇ જેઠવાએ જણાવ્યું હતુ કે ૧૦ વર્ષના યજ્ઞમા કેાઇએ વિઘ્ન ન નાખવુ, બલિપ્રથા કાયદાથી પ્રતિબંધિત છે. મંદિરમા ચારે તરફ સીસીટીવી કેમેરા પણ છે. આવા કોઇ કૃત્યને સાંખી નહિ લેવાય. અહી પાંચેક વર્ષ પહેલાં પણ કેટલાક લોકોએ પશુ બલી ચડાવી હતી. જાેકે એ સમયે મંદિરના ગર્ભગૃહમાં બલી ચડાવાઇ ન હતી. પણ થોડે દૂર આ કૃત્ય કરાયું હતું અને સ્થાનિક તંત્રએ દરોડો પાડયો હતો. પોલીસે પશુ બલીની ઘટનાના આરોપીઓને પકડતા વિવિધ સમાજના લોકો મોટી સંખ્યામા બાબરા પોલીસ મથકે ઊમટયા હતા. સુવાળીયા ઠાકોર સમાજના અગ્રણી સુરેશભાઇ ધાખડા અને ભરવાડ સમાજના પ્રમુખ ખોડાભાઇ રાતડીયાએ જણાવ્યું હતુ કે આ અંગે મંદિરના સંચાલકો સાથે બેઠક કરી સમાધાનનો પ્રયાસ કરાયો હતો. પરંતુ સફળતા મળી ન હતી.વધુ વાંચો -
સંરક્ષિત એવા મેંગૃવ્ઝના વૃક્ષોને કેમિકલ નાંખીને બાળી નાંખવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં
- 07, એપ્રીલ 2022 01:30 AM
- 7198 comments
- 2493 Views
અમરેલી, અમરેલીના રામપરા-૨ ગામના દરિયાકાંઠે કેમીકલ નાખી મેન્ગ્રુવ્ઝને બાળી નાખવામા આવ્યા છે. સંરક્ષિત વિસ્તારમા આ રીતે મેન્ગ્રુવ્ઝને બાળી નાખવા છતા તંત્ર દ્વારા આંખ આડા કાન કરી રહ્યુ છે. રાજુલા જાફરાબાદના દરિયાકાંઠાના વિસ્તારમા કુદરતી રીતે જ મેન્ગ્રુવ્ઝના વૃો ઉગી નીકળેલા છે.પ્રકૃતિ પોતાની રીતે જ અહી આ વૃોનુ સર્જન કરે છે. કારણ કે આ વૃો દરિયાઇ પાણીથી જમીનનુ રક્ષણ કરે છે. જાે આ વૃોને હટાવવામા આવે તો અહીનુ પ્રાકૃતિક સંતુલન ખોરવાય છે અને દરિયાના ખારા પાણીથી આગળની જમીનને રક્ષણ મળતુ નથી. રાજુલા જાફરાબાદ પંથકમા હવે આવુ પ્રાકૃતિક સંતુલન ખોરવાઇ રહ્યું છે. કારણ કે વિકાસની લ્હાયમા સરકારી તંત્ર દ્વારા અહી મેન્ગ્રુવ્ઝના વૃોનુ જે રીતે નિકંદન નીકળી રહ્યું છે. તેને નજર અંદાજ કરવામા આવી રહ્યું છે. અહી પીપાવાવ પોર્ટ ઉપરાંત મોટી મોટી અનેક કંપનીઓ કાર્યરત છે.આ મહાકાય ઉદ્યોગો પ્રકૃતિ સાથે ખુલ્લી છેડછાડ કરી રહ્યાં છે. રાજુલા તાલુકાના રામપરા-૨ ગામ તથા આસપાસના વિસ્તારમા મોટા પ્રમાણમા મેન્ગ્રુવ્ઝનુ જંગલ છે. પરંતુ અહીના ઉદ્યોગો દ્વારા તેનો નાશ કરવામા આવી રહ્યો છે. આ વિસ્તારમા મેન્ગ્રુવ્ઝના ઘટાદાર જંગલ પર ઝેરી કેમીકલ છાંટી તેનો નાશ કરવામા આવી રહ્યો છે. જે સમયે અગાઉના વર્ષોમા મેન્ગ્રુવ્ઝની ઘટાદાર પટી દરિયાકાંઠે છવાયેલી હતી તેનો ક્રમશ નાશ કરી દેવામા આવ્યો છે.આ મહાકાય કંપનીઓ પર્યાવરણને નુકશાન પહોંચાડતી હોવા છતા તંત્ર કોઇ જ કાર્યવાહી કરતુ નથી. રામપરાના ભીખાભાઇ વાઘ દ્વારા ગુજરાત ઇકોલોજી કમીશન અને અન્ય વિભાગોને રજુઆત કરી હતી. આમપણ રાજુલા પંથકમા દરિયાની ખારાશ અંદર સુધી ૧૦ થી ૧૫ કિલોમીટર સુધી ફરી વળી છે. ચુનાના પથ્થરોની લહેરને તોડી નખાતા ભુતળમા દરિયાના ખારા પાણી ઘુસી ગયા છે.વર્ષ ૨૦૧૯મા ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરીટી દ્વારા નેશનલ સેન્ટર ફોર સસ્ટેનેબલ કોસ્ટલ મેનેજમેન્ટની મદદથી દરિયાકાંઠાનો દરિયો બનાવાયો હતેા. જેમા આ વિસ્તારમા મેન્ગ્રુવ્ઝના ઘટાદાર વૃક્ષો દર્શાવાયા હતા. જેનો ત્રણ જ વર્ષમા નાશ કરી દેવાયો છે.સુપ્રિમ કોર્ટ તથા ગુજરાત હાઇકોર્ટે અગાઉ આદેશ કરી મેન્ગ્રુવ્ઝના વૃક્ષોથી ૫૦ મીટર અંદર સુધી બફર ઝોન જાહેર કરવાની સુચના આપી હતી. બફર ઝોન વિસ્તારમા કોઇ પ્રકારની બાંધકામ કે ખનન પ્રવૃતિ ન થઇ શકે. અહી બાંધકામ અને ખનન પણ થઇ રહ્યું છે અને મેન્ગ્રુવ્ઝને પણ ખતમ કરાઇ રહ્યાં છે.રામપરાના ભીખાભાઇ વાઘે ગુજરાત ઇકોલોજી કમીશનને લેખિત રજુઆત કરી અહી કઇ રીતે મેન્ગ્રુવ્ઝનો નાશ કરાયો છે અને બફર ઝોનમા ખનન તથા બાંધકામની પ્રવૃતિ કરાઇ રહી છે તે અંગે ઉચ્ચ અધિકારીઓની તપાસ ટીમ બનાવી અહેવાલ તૈયાર કરાવી જવાબદારો સામે પગલા લેવા માંગ કરી છે.વધુ વાંચો -
ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે જેની ઠુમ્મરની નિમણુક
- 28, માર્ચ 2022 01:30 AM
- 2547 comments
- 2572 Views
ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા પ્રદેશ મહિલા પ્રમુખ તરીકે યુવા મહિલા અગ્રણીની નિમણુક કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે કોંગ્રેસ મોવડીમંડળ દ્વારા યુવા અગ્રણી એવા કુ. જેન્ની ઠુમ્મરની નિમણુક કરવામાં આવી છે. મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે યુવાન અને શિક્ષિત મહિલાની નિમણુક કરવામાં આવી છે, જેના કારણે આગામી વિધાનસભાની ચૂંટણીમાં યુવા મહિલાઓમાં કોંગ્રેસ તરફી ઝુકાવ વધારી શકાય. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખની મુદ્દત પૂર્ણ થઈ ગયા બાદ નવા મહિલા પ્રદેશ પ્રમુખ તરીકે દિલ્હી મોવડીમંડળ દ્વારા પસંદગીની પ્રક્રિયા ચાલી રહી હતી. જે અંગે ગત પખવાડિયામાં દિલ્હી ખાતે રાષ્ટ્રીય મહિલા કોંગ્રેસના પ્રમુખ સહિતની ટીમ દ્વારા ગુજરાતની મહિલાઓના ઈન્ટરવ્યું લેવામાં આવ્યા હતા. જેમાં પ્રબળ દાવેદારોમાં અમદાવાદના ગીતા પટેલ, વડોદરાના તૃપ્તિ ઝવેરી અને અમરેલીના કુ. જેન્ની ઠુમ્મરનો સમાવેશ થયો હતો.યુવક કોંગ્રેસ દ્વારા આજે ગાંધીનગરમાં યુવા સ્વાભિમાન સંમેલન ગાંધીનગર રાજ્યના યુવાનોના વિવિધ પ્રશ્નોને વાચા આપવા માટે તેમજ પેપર ફૂટવા, નોકરીઓની ભરતી રદ થવી, બેરોજગારી સહિતના મુદ્દે વિરોધ પ્રદર્શિત કરવા માટે ગાંધીનગર ખાતે યુવક કોંગ્રેસ દ્વારા ‘યુવા સ્વાભિમાન સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યુવાનોને લગતા પ્રશ્નોને વાચા અપાશે. પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા દ્વારા રાજ્યના યુવાનોના વિવિધ પ્રશ્નોને વાચા આપવા તેમજ સરકારી નોકરીઓની ભરતીઓમાં પેપર ફૂટવાની ઘટનાઓ, સરકારી નોકરીની ભરતીઓ રદ થવી, રાજ્યમાં વધી રહેલી બેરોજગારી જેવા મુદ્દાઓના વિરોધમાં તારીખ ૨૮ માર્ચને ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના નેજા હેઠળ ‘યુવા સ્વાભિમાન સંમેલન’ નું આયોજન કરવામાં આવ્યું છે.વધુ વાંચો -
લાઠીના નારણ સરોવરમાં ન્હાવા પડેલા દૂધાળાના પાંચ કિશોરના ડૂબી જતાં મોત
- 27, માર્ચ 2022 01:30 AM
- 3520 comments
- 1238 Views
અમરેલી અમરેલીમાં લાઠી નજીક દુધાળા ગામના નારાયણ સરોવરમાં બપોરના પાંચ કિશોરો ન્હાવા આવ્યા હતા. ત્યારે આ કિશોરો પાણીમાં ડૂબી ગયા હતા. જેથી તંત્ર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન આ તમામ કિશોરના મૃતદેહ મળી આવ્યાં છે. કિશોરોના મોતના પગલે તેના પરિવારજનોમાં માતમ છવાયો છે. લાઠીના દુધાળા ગામ નજીક નારણ સરોવરમાં ૫ કિશોરો ન્હાવા ગયા બાદ ડૂબી ગયા હતા. જેથી તંત્રના અધિકારીઓ સહિત તરવૈયાઓ મારફતે શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ત્યારે તમામ કિશોરના મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટનાને લઈ ઇન્ચાર્જ મામલતદાર સહિત સ્થાનીક પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા છે. તેમજ શહેરના અગ્રણીઓ સેવાભાવી લોકો પણ દોડી ગયા હતા. તરવૈયાઓ શોધખોળ શરૂ કરી હતી. જે દરમિયાન તમામના મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો નારાયણ સરોવર પહોંચી ગયા હતા. કિશોરો ડૂબ્યાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા અગ્રણીઓ સહિતના લોકો અહીં આવી મદદ કરી રહ્યા છે. ન્હાવા પડેલા તમામ કિશોર વયના હતા. આ તમામ લાઠી શહેરના રહેવાસી છે. દુધાળા ખાતે આવેલા તળાવમાં ન્હાવા પડતા ડૂબી ગયા હતા. જેથી તરવૈયાની મદદથી શોધખોળ હાથ ધરાઈ હતી. ત્યારે તમામના મૃતદેહો મળી આવ્યા છે.મૃતકોના નામ વિશાલ મનીષભાઈ મેર(ઉં. વર્ષ ૧૬) નમન અજયભાઇ ડાભી (ઉં. વર્ષ ૧૬) રાહુલ પ્રિવીણભાઈ જાદવ (ઉં.વર્ષ ૧૬) મિત ભાવેશભાઈ ગળથીયા(ઉં.વર્ષ ૧૭) હરેશ મથુરભાઈ મોરી (ઉ.વર્ષ ૧૮)વધુ વાંચો -
રાજુલાની કન્યા શાળામાં ચાલુ વર્ગખંડમાં પોપડાં પડતાં બે વિદ્યાર્થિનીઓને ગંભીર ઈજા
- 17, ફેબ્રુઆરી 2022 01:30 AM
- 2189 comments
- 787 Views
અમરેલી, અમરેલી જિલ્લાના રાજુલામાં આવેલી કન્યા શાળા નંબર-૧માં ચાલુ વર્ગખંડમાં છતમાંથી પોપડાં પડતાં બે વિદ્યાર્થિની ઈજાગ્રસ્ત થઈ હતી. બે પૈકીની એક વિદ્યાર્થિનીને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી વધુ સારવાર માટે ભાવનગર ખેસડવામાં આવી છે. શાળામાં દુર્ઘટના સર્જાયા બાદ જર્જરિત વર્ગખંડો બંધ કરવાનો ર્નિણય લેવાયો છે. રાજુલામાં આવેલી કન્યા શાળા નંબર- શાળા ચાલી રહી હતી. ત્યારે ધોરણ ૮ના ક્લાસમાં છતમાંથી અચાનક પોપડાં ખરી પડતાં નીચે અભ્યાસ કરી રહેલી વિદ્યાર્થિનીઓ પર પડ્યાં હતાં, જેમાં રિયા વાઢેર અને શ્રુતિ મોઠિયા નામની વિદ્યાર્થિનીઓને ઈજાઓ પહોંચી હતી. ઘટનાના પગલે શિક્ષકો દોડી આવ્યા હતા અને ઘાયલ વિદ્યાર્થિનીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખેસડવામાં આવી હતી. એમાં શ્રૃતિને મહુવાની હોસ્પિટલમાં અને રિયાને વધુ ઈજાઓ પહોંચી હોવાથી ભાવનગર સારવાર માટે ખસેડવામાં આવી છે. રાજુલાની જે કન્યા શાળામાં આ ઘટના બની છે એ શાળા ૬૦ વર્ષ જૂની હોવાનું જાણવા મળ્યું છે. વર્ષ ૨૦૧૫માં શાળાના ઓરડાઓનું રિનોવેશન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. શાળાના આચાર્ય દિનેશ વાળાએ કહ્યું હતું કે જે છતમાંથી પોપડાં પડ્યાં એ જર્જરિત ન હતી. તેમ છતાં કોઈ કારણોસર આ ઘટના બની હતી. ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને એ માટે હવે આ બિલ્ડિંગમાં શિક્ષણકાર્ય બંધ કરી સામે આવેલા બિલ્ડિંગમાં ખસેડવાનો ર્નિણય કર્યો છે. રાજુલા તાલુકા શિક્ષણ અધિકારી હિનાબેન ચાંઉએ કહ્યું હતું કે જે વર્ગખંડમાં આ ઘટના બની એ બંધ કરવાની સૂચના આપવામાં આવી છે. ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટના ન બને એ માટે શાળાઓને તકેદારી રાખવા પણ સૂચના આપવામાં આવી છે.વધુ વાંચો -
યાર્ડમાં કપાસની સિઝનની શરૂઆતથી કપાસની આવકમાં સતત વધારો
- 30, જાન્યુઆરી 2022 01:30 AM
- 3515 comments
- 5613 Views
બાબરા, બાબરા પંથકમાં ગત વર્ષ કરતા કપાસની સારી એવી આવક જાેવા મળી રહી છે. યાર્ડમાં કપાસની સિઝનની શરૂઆતથી કપાસની આવકમાં સતત વધારો જાેવા મળી રહૃાો છે અને ભાવમાં પણ સતત સારો એવો વધારો આવતા રહેતા ખેડૂત વર્ગમાં આનંદની લાગણી જાેવા મળી રહી છે. બાબરામાર્કેટીંગયાર્ડમાં ખેડૂતને પુરતો ભાવ મળી રહેતા સૌરાષ્ટ્રના મોટાભાગનાં જિલ્લા અને તાલુકા સેન્ટર પરથી ખેડૂતો કપાસ વેચાણ કરવામાં લાઈન લગાવી રહૃાા છે અને યાર્ડમાં થતી વધુ આવક જિલ્લા બહારથી આવતો કપાસ પણ છે. બાબરામાં માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા એક પખવાડિયાથી કપાસની સારીએવી આવક જાેવા મળી રહી છે અને તેમાં ઉત્તરોત્તર વધારો પણ જાેવા મળી રહૃાો છે અને યાર્ડમાં સારો કપાસ મળતા વેપારીઓએ પણ ખરીદીમાં હોડ લગાવતા ખેડૂતોને ભાવ પણ સારો મળી રહૃાો છે જેના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જાેવા મળી રહી છે.આજે રૂા. ૧૬૦૦ તેમજ ર૦૭પ સુધી ઊંચો કપાસનો ભાવ બોલાયો હતો અને ૩૦ હજાર મણ જેટલી આવક પણ જાેવા મળી હતી.વધુ વાંચો -
મહિલા કોલેજના સમયમાં ફેરફાર ના થતાં એબીવીપીના કાર્યકરો સાથે મળી કોલેજને તાળાબંધી
- 18, જાન્યુઆરી 2022 01:30 AM
- 2457 comments
- 4587 Views
અમરેલી, અમરેલી શહેરમાં આવેલી એમ. એમ. મહિલા કોલેજ ટ્રસ્ટ સંચાલિત ચાલી રહી છે. અહીં મોટા પ્રમાણમાં વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરવા માટે આવી રહી છે જ્યારે અગાઉ સવારે ૮ વાગ્યાનો સમય હતો તે કોલેજના મેનેજમેન્ટ દ્વારા ફેરફાર કરી સમય બદલાવતા વિદ્યાર્થિનીઓ સમયસર ઘરે પહોંચી શકતી ના હોવાની ફરિયાદ છે. જેના કારણે કોલેજના પ્રિન્સિપાલ અને મેનેજમેન્ટ સુધી રજૂઆતો કરાઈ પરંતુ કોઈ પરિણામ મળ્યું નહિ આખરે આજે વિદ્યાર્થિનીઓની વ્હારે અમરેલી ના કેટલાક યુવાનો મદદ માટે આવતા તમામ વિધાર્થિનીઓએ એકઠા થઇ કોલેજને તાળું મારી દીધું હતું. જયશ્રી નામની વિધાર્થિનીએ કહ્યું કે, કોલેજમાં બપોરનો ટાઈમ છે તે ટાઈમ અમારે અનુકૂળ નથી આવતો સવારનો ટાઈમ કરવો છે પણ કોઈ નથી કરી આપતું. અગાઉ ૩ દિવસ પહેલા પણ અમે આંદોલન કર્યું હતું અને લેખિત મેનેમેન્ટ ને રજૂઆતો કરી છે છતાં એમ કહે છે ટાઈમ તો ચેન્જ નહી જ થાય. અમારે સવારનો ટાઈમ કરવો છે કેમ કે ગામડા વાળા ને આ ટાઈમે ઘરે પોહચવામાં રાત પડી જાય છે. અમને જાણ પણ ન કરી અને સવારનો ટાઈમ ચેન્જ કરી બપોરનો કરી દીધો છે. ઇન્ચાર્જ પ્રિસિપાલ બી.આર.ચુડાસમા એ કહ્યું સમયમાં થોડો ફેરફાર કર્યો છે મેનેજમેન્ટ કહે છે વહેલી સવારે કેટલાક વિદ્યાર્થીઓ નથી પહોંચી શકતા. મેં આજે મેનેજમેન્ટ ને પણ જાણ કરી હતી મેનેજમેન્ટ વિધાર્થીઓ ને મળ્યા છે સમજાવ્યા છે.વધુ વાંચો -
અમરેલી પોલીસની દેશી દારુની ભઠ્ઠીઓ પર તવાઈ ડ્રોનથી ભઠ્ઠીઓ શોધી નાશ કરી દેવાઇ
- 10, જાન્યુઆરી 2022 01:30 AM
- 8556 comments
- 4172 Views
અમરેલી, અમરેલી જિલ્લામાં દારૂબંધીના કડક અમલ અને ગેરકાયદેસર વેચાણ/સેવન/વહન અટકાવવા અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયની સુચનાથી દારૂ ગાળવા માટે ભઠ્ઠી ચલાવવાની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામા આવ્યો હતો. જેને લઈને સ્પેશિયલ ભઠ્ઠી અંગેની પ્રોહિબિશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવ દરમિયાન અમરેલી જિલ્લા પોલીસને દારૂ બનાવવા માટે ભઠ્ઠી ચલાવતા ઇસમો સામે ડ્રોનનો ઉપયોગ કરીને દારૂ બનાવવાની ભઠ્ઠીઓ શોધી કાઢવામાં સફળતા મળી છે.અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ડ્રાઇવ દરમ્યાન કુલ ૬૫ કેસો કરવામાં આવ્યા છે. જેમાં ભઠ્ઠીના ૯, દેશી દારૂ કબ્જાના ૨૩ તથા કેફી પીણુ પીવા અંગેના ૩૩ કેસો કરવામાં આવ્યા છે. ઉપરાંત ડ્રોન દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં પોલીસ દ્વારા અમરેલી તાલુકા વિસ્તારનાં ચિતલ ગામે ડ્રોન ઉડાડી ડ્રોનની મદદથી ત્રણ જગ્યાએથી ચાલુ દેશી દારૂની ભઠ્ઠીઓ પકડવામાં આવી હતી. જેમાં એક જગ્યાએથી રૂ. ૬૬૦ની કિંમતનો ૩૩ લિટર દેશી દારૂ, ૨૭૦ રૂપિયાની કિંમતનો ૧૩૫ લિટર આથો, દારૂ બનાવવા માટે રૂપિયા ૭૧૦ની કિંમતના ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ. ૧૬૪૦ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને પકડી પાડવામાં આવ્યા હતા. અન્ય જગ્યાએથી રૂ. ૨૨૮૦ની કિંમતનો ૧૨૪ લિટર દેશી દારૂ, ૩૬૪ રૂપિયાની કિંમતનો ૧૮૨ લિટર આથો, દારૂ બનાવવા માટે રૂપિયા ૧૮૨૫ની કિંમતના ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ. ૪૪૬૯ના મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે ડ્રાઇવ દરમ્યાન દારૂ બનાવવા માટે ભઠ્ઠી ચલાવવાની અને દારૂ વેચાણની પ્રવૃતિ કરતા તેમજ કેફી પીણુ પીધેલા કુલ ૪૯ આરોપીઓને પકડી પાડી તેમની સામે ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.વધુ વાંચો -
વડીયા એસટી બસ સ્ટેન્ડમાં સીસી રોડમાં ગાબડાં પડતા સળિયા બહાર નીકળ્યા
- 09, જાન્યુઆરી 2022 01:30 AM
- 9573 comments
- 718 Views
અમરેલી, અમરેલી જિલ્લાના વડીયા બસ સ્ટેન્ડમાં સીસી રોડ બિસ્માર બનતા સળિયા બહાર નીકળી આવ્યા છે જેના કારણે અકસ્માતનું જાેખમ ઉભું થયું છે. સ્થાનિક લોકોએ તાત્કાલીક રસ્તાનું સમારકામ કરાવવાની માગ કરી છે. વડીયા એસટી બસ સ્ટેન્ડ બન્યાને ૫ વર્ષ થયા છે. બસ સ્ટેન્ડની અંદર બનાવવામાં આવેલા સીસીરોડમાં ગાબડાઓ પડતા સળિયાઓ બહાર નીકળી આવ્યા છે જેના કારણે અકસ્માતનું જાેખમ સર્જાયું છે. બસ સ્ટેન્ડના બિસ્માર રસ્તાઓ મુદ્દે અનેકવાર રજૂઆતો કર્યા બાદ પણ સમારકામ થયું નથી. ત્યારે લોકોએ તાત્કાલીક રસ્તાને રિપેરીંગ કરવાની માગ કરી છે.વધુ વાંચો -
ચિત્તલ ગામે હથિયારો વેચનાર પાંચ ઝડપાયા
- 01, જાન્યુઆરી 2022 01:30 AM
- 4160 comments
- 4984 Views
અમરેલી, અમરેલીના ચિતલ ગામે રહેતા એક યુવકને તેજ ગામે રહેતા હરેશ પરશોતમભાઈ પંડયા તથા મનિષ હરેશ પંડયા નામના ઈસમો એક અઠવાડિયા પહેલા રિવોલ્વર જેવું કંઈક હથિયાર બતાવી મારી નાખવાની ધમકી આપેલ હોય, આ અંગે અમરેલી તાલુકા પોલીસમાં ગત તા.૨૩ના રોજ પોલીસ ફરિયાદ નોંધાયેલ જે બનાવમાં બન્ને આરોપી નાશી ગયા હોય, અને આરોપીને શોધી કાઢવા અમરેલી એલ.સી.બી. પોલીસ ઠેર ઠેર તપાસ કરતી હોય, ત્યારે તેમને મળેલ બાતમીના આધારે આ બનાવના બે આરોપી મળી કુલ ૪ ઈસમો ગેરકાયદેસરના હથિયારોની ખરીદ વેચાણ કરવા ભેગા થયેલાઓને વિદેશી બનાવટની રિવોલ્વર, દેશી તમંચા નંગ-ર, નાના મોટા કાર્ટીસ નંગ-૮૬, ફોન નંગ-૩ તથા કાર મળી કુલ ૫,૩૯,૮૦૦નો મુદામાલ કબ્જે લઈ પોલીસે ઝડપાયેલ હરેશ પંડયા, મનિષ પંડયા, જયપાલસિંહ ફોરનસિંહ ચૌહાણ તથા સુજાનસિંહ બનવારીલાલ કુસવાહ સામે ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.મારામારી થોરડી ગામે રહેતા અને ખેતમજૂરી કામ કરતા લક્ષ્મણભાઈ મધુભાઈ પરમાર તથા તેમના ભત્રીજા શૈલેશભાઈ બેચરભાઈ પરમાર વચ્ચે સહિયારી જમીન હોય અને આંબરડી ગામે સહકારી બેન્કમાંથી રૂા. ૧,૦૨,૦૦૦ લોન લીધેલ હોય જેના હપ્તાઓ શૈલેશ પરમાર સહિતનાં લોકો ભરતા ન હોય. જેથી તેમને હપ્તા ભરવાનું કહેતા તેમના ભાભી સહિત ૪ લોકોએ લક્ષ્મણભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી મુંઢમાર મારી ઈજા કર્યાની ફરિયાદ ટાઉન પોલીસમાં નોંધાઈ છે. આપઘાત અમરેલીનાં રોકડીયાપરામાં રહેતા વર્ષાબેન રમેશભાઈ મકવાણા નામનાં ૪૧ વર્ષીયમહિલાએ ગત તા. ર૭નાં રાત્રીનાં સમયથી તા. ર૮નાં બપોર સુધીનાં સમયગાળા દરમિયાન કોઈ અગમ્ય કારણોસર પોતાની મેળે ગળાફાંસો ખાઈ લેતા તેણીનું મોત નિપજયાનું અમરેલી તાલુકા પોલીસમાં જાહેર થવા પામેલ છે. ગૌવંશની હત્યા મોટા ખાટકીવાડમાં રહેતા વલીભાઈ કાલવા, ફારૂક કાલવા નામનાં બે ઈસમોએ પોતાનો આર્થિક ફાયદો મેળવવાનાં ઈરાદે ગૌવંશ વાછરડાની કતલ કરી તેનું લોહી તથા અન્ય ખરાબ ખરાબ કચરો પાલિકાની ખુલ્લી ગટરમાં નાખી જાહેરમાં ઉપદ્રવ ફેલાવી તથા પશુ પાડાને ઘાસચારા કે પાણીની સગવડતા કર્યા વગર કતલ કરવાનાં ઈરાદે ક્રુરતાપૂર્વક બાંધી રાખેલ હોય. આ અંગે સીટી પોલીસે આ બન્ને ઈસમ સામે ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.વધુ વાંચો -
અમરેલીના વડીયા નજીક ટ્રકને ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડી
- 27, ડિસેમ્બર 2021 01:30 AM
- 8896 comments
- 7310 Views
અમરેલી અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી ઓવર લોડ વાહનોની અવર જવર વધી રહી છે. જેના કારણે નાના મોટા અકસ્માતની ઘટનાઓ પણ બની રહી છે. ત્યારે આજે વહેલી સવારે વડીયા શહેરમાં ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં એક ટ્રક ચાલક ઓવર લોડ ભરીને જઈ રહ્યો હતો જેને ઝડપી લીધો હતો. ટ્રક ચાલક રાજકોટ જિલ્લા માંથી વડીયા વિસ્તારમાં પ્રવેશ કરતા ટ્રક ચાલકને ઝડપી પાડ્યો હતો. ટ્રકમાં નંબર પ્લેટ પણ હતી નહિં. ખાણ ખનીજ વિભાગ દ્વારા ૧૦ લાખનો મુદ્દામાલ કબજે કરી વડીયા પોલીસ સ્ટેશનને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા, રાજુલા જાફરાબાદ પીપાવાવ કોસ્ટલમાં ટ્રકો ઓવર લોડ ફરી રહ્યા છે. અહીં ટ્રાન્સપોર્ટનો મોટો ઉદ્યોગ હોવાને કારણે સતત અવર લોડ ભરી ટ્રક ચલાવવામાં આવી રહી છે. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ આ.ટી.ઓ.વિભાગની મીઠી નજર હેઠળ ઓવર લોડ ટ્રકો ચાલી રહી છે. સાથે સાથે ખાનગી ટ્રાવેલ્સ બસમાં પણ નિયમ કરતા વધુ મુસાફરો જાેવા મળી રહ્યા છે. ત્યારે આર.ટી.ઓ.વિભાગ કેમ કાર્યવાહી નથી કરતું તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે.વધુ વાંચો -
અમરેલી-વેરાવળ મીટરગેજ ટ્રેન શરૂ
- 18, ડિસેમ્બર 2021 01:30 AM
- 9656 comments
- 6615 Views
અમરેલી, યાત્રિઓની માંગ અને સુવિધાને ઘ્યાનમાં રાખીને રેલ્વે બોર્ડ પશ્ર્વિમ રેલ્વે ભાવનગર ડિવિઝનની અમરેલી- વેરાવળ- અમરેલી (૦૦૯પ૦૮/ ૦૯પ૦પ) અને અમરેલી- જૂનાગઢ- અમરેલી (૦૯પ૩૯/ ૦૯પ૪૦) મીટરગેજ દૈનિક વિશેષ ટ્રેન ચલાવવાનો ર્નિણય લીધો છે. આ વિશેષ ટ્રેનોનું ભાડું મેલ/ એકસપ્રેસ ટ્રેનના જનરલ કોચના ભાડા જેટલું હશે. ઉપરોકત બંને વિશેષ ટ્રેનોની વિગત નીચે મુજબ છે. ૧) અમરેલી- વેરાવળ- અમરેલી (૦૯પ૦૮/ ૦૯પ૦પ) મીટરગેજ દૈનિક વિશેષ ટ્રેન ટ્રેન નંબર ૦૯પ૦પ વેરાવળ - અમરેલી ૧૬ મી ડિસેમ્બર, ર૦ર૧થી દરરોજ બપોરે ૧રઃપ૦ કલાકે વેરાવળ સ્ટેશનથી ઉપડશે અને ૧૮ઃ૦૦ કલાકે અમરેલી સ્ટેશને પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર ૦૯પ૦૮ અમરેલી- વેરાવળ ૧૭મી ડિસેમ્બર, ર૦ર૧થી દરરોજ બપોરે ૧રઃ૦પ કલાકે અમરેલી સ્ટેશનેથી ઉપડશે અને ૧૭ઃર૦ કલાકે વેરાવળ સ્ટેશન પહોંચશે. ર) અમરેલી- જૂનાગઢ- અમરેલી (૦૯પ૩૯/ ૦૯પ૪૦) મીટરગેજ દૈનિક વિશેષ ટ્રેન ટ્રેન નંબર ૦૯પ૩૯ અમરેલી- જૂનાગઢ ૧૭મી ડિસેમ્બર, ર૦ર૧થી દરરોજ ૬ઃરપ કલાકે અમરેલી સ્ટેશનથી ઉપડશે અને જૂનાગઢ સ્ટેશને ૧૦ઃ૧પ કલાકે પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર ૦૯પ૪૦ જૂનાગઢ- અમરેલી ૧૭મી ડિસેમ્બર, ર૦ર૧ થી દરરોજ ૧૭ઃ૪૦ કલાકે જૂનાગઢ સ્ટેશનથી ઉપડશે અને ર૧ઃ૩૦ કલાકે અમરેલી સ્ટેશન પહોંચશે.વધુ વાંચો -
રાજુલામાં વિદ્યાર્થીઓ દ્વારા બસ સ્ટેશન પર ચકકાજામ
- 13, ડિસેમ્બર 2021 01:30 AM
- 2765 comments
- 8516 Views
અમરેલી, રાજુલા તાલુકાનાં આજુબાજુનાં ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓને મુસાફરી કરવી કઠીન બની છે. અને વિદ્યાર્થીઓને સમયસર બસ ન મળતા ભારે રોષ જાેવા મળ્યો હતો અને વિદ્યાર્થીઓ દ્વારા બસ સ્ટેશન પર ચકકાજામ કરવામાં આવ્યો હતો. રાજુલા બસ સ્ટેશન ખાતે વિદ્યાર્થીની અને કોંગ્રેસ કાર્યકરો તેમજ એનએસયુઆઈની ટીમ સાથે મળીને ચકકાજામ કરતા ડેપો મેનેજર દોડી આવ્યા હતા અને જાંજરડા, બારપટોળી તેમજ કુંડલીયાળા ગામોની બસ નિયમિત ન આવતા વિદ્યાર્થીઓ હેરાન-પરેશાન થતાં અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી. છતાં પણ એસ.ટી. તંત્ર ઘ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હતા.વિદ્યાર્થીનીઓ ઘ્વારા ચકકાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો અને ડ્રાઈવર દ્વારા ઉંડાઉ જવાબ આપતા ભારે રોષ જાેવા મળ્યો હતો અને રાજુલાનાં ધારાસભ્ય અંબરિષ ડેરને જાણ થતાં તાત્કાલિક તેમની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ધારાસભ્ય ઘ્વારા એસ.ટી. વિભાગના ઉચ્ચ અધિકારી સાથે ટેલિફોનીક વાતચીત કરી હતી અને એસ.ટી. ડેપો મેનેજર સાથે જે બસો બંધ છે તેની ચર્ચાઓ કરી હતી. બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહૃાાં હતા. આ તકે હિતેષભાઈ વાળા, ઘનશ્યામભાઈ લાખણોત્રા, રવીરાજભાઈ ધાખડા, સંકલ્પભાઈ જીવાણી, ધવલભાઈ લાખણોત્રા, કરણભાઈ કોટડીયા, હિતેષભાઈ સોલંકી સહિત કોંગ્રેસ કાર્યકરો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહૃાા હતા.વધુ વાંચો -
થોરડી ગ્રામ પંચાયત સમરસ બની
- 13, ડિસેમ્બર 2021 01:30 AM
- 9068 comments
- 6781 Views
સાવરકુંડલા, સાવરકુંડલા તાલુકાની થોરડી ગ્રામ પંચાયત આઝાદી બાદ કયારેય બિનહરીફ બની ન હતી. અને જ્ઞાતિવાદ અને કુટુંબવાદના કારણે ગામની છાપ હંમેશા વિવાદાસ્પદ રહી હતી. જાે કે પાછલા ચારેક વર્ષથી ગામના ડો.પ્રકાશભાઇ બરવાળીયાએ ગામનો વિકાસ કરવાનુ બીડુ ઝડપી લીધુ હતુ અને ગામના આગેવાનોની સમજાવટ કરતા આ વખતે થોરડી ગ્રામ પંચાયત બિનહરીફ બની હતી.ડો.પ્રકાશભાઈ બાબુભાઈ બરવાળીયાએ ગામનો વિકાસ કરવાનું બીડું ઝડપ્યું છે. તેમણે ગામના જ ઉત્સાહી યુવાનોની ટીમ બનાવીને ગામની એક પછી એક સમસ્યાઓ બાબતે અભિયાન હાથ ધર્યું. સૌપ્રથમ તેમણે એક પણ પ્રકારની સરકારી સહાય વિના ગામમાં જળક્રાંતિ અભિયાન ચલાવ્યું અને ગામમાં ૧૨ જેટલા નાના મોટા ચેકડેમ બનાવ્યાં. જેના કારણે ગામમાં ભૂગર્ભ જળસ્તર પહેલાં હજાર ફૂટે હતું તે આજે ચાલીસ પચાસ ફૂટે આવી ગયું છે. ત્યારબાદ તેમણે ગામમાં ગામને નંદનવન બનાવવા દસ હજાર જેટલા વૃક્ષો વાવ્યા અને આ વૃક્ષોની યોગ્ય માવજત કરીને મોટા કર્યાં. આ ઉપરાંત ગામમાં લોકોએ હાંકી કાઢેલી ગાય બળદ માટે ગૌશાળા શરૂ કરી. આ તમામ કામોમાં થોરડી ગામનાં લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો. ડો.પ્રકાશભાઈને ધ્યાનમાં આવ્યું કે ગ્રામ પંચાયતની ચૂંટણીનાં કારણે ગામમાં વિવાદો ઉભા થાય છે. અને એનાં લીધે ગામની એકતા અને શકિત બગડે છે. એટલે હાલ આવનારી ગ્રામ પંચાયતની ચૂંટણી બાબતે તેઓ સુરતથી થોરડી જઈને ગામ લોકોની જાહેર મીટીંગ કરી હતી. ગામ લોકોને પ્રેમથી સમજાવ્યા હતાં. અને બિનહરીફ ચૂંટણી કરવા સહકાર આપવા સહકાર આપવા વિનંતી કરી હતી. ગામનાં તમામ લોકોએ પણ ડોક્ટરનાં આ ર્નિણયને આવકાર્યો હતો. અને બિનહરીફ ચૂંટણી માટે પૂરો સાથ આપ્યો. આખરે સર્વસંમતિથી ગામ લોકોએ ગામનાં વડીલ એવાં જયાબેન પ્રાગજીભાઈ કસવાળાને બિનહરીફ સરપંચ જાહેર કર્યા હતાં. આ સમય ગામ માટે એક નવા યુગની શરૂઆત બની ગઈ અને ઐતિહાસિક ઘટના બની ગઈ છે. હંમેશા એવું કહેવાતું હતું કે થોરડીમાં કોઈ દિવસ બિનહરીફ ચૂંટણી ન થઈ શકે એ આજે થોરડીનાં લોકોએ કરી બતાવ્યું છે કે હવે થોરડી કોઈ એવું મહેણું ન મારી શકે. બિનહરીફ સરપંચ જાહેર કરીને ગામમાં ચૂંટણી થતી અટકાવીને સરકારી મશીનરી અને લોકોનો સમયનો દુર્વ્યય અટકાવ્યો છે. ગામની એકતા અને સંગઠન મજબૂત બન્યાં છે.વધુ વાંચો -
હીરા સોલંકી અને પરષોત્તમ સોલંકીની મુલાકાત બાદ રણનીતિ ઘડાયાની ચર્ચા
- 07, ડિસેમ્બર 2021 01:30 AM
- 5846 comments
- 2235 Views
અમરેલી, અમરેલીના ૯૮ રાજુલા, જાફરાબાદ અને ખાંભા વિધાનસભા વિસ્તારમાં કોળી સમાજનું પ્રભુત્વ છે. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ છેલ્લા કેટલાય દિવસોથી ભાજપના પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી કોળી સમાજનું વર્ચસ્વ વધારવા અને સંગઠન મજબૂત કરવા માટે યુવાનો સાથે સતત દોડધામ કરી રહ્યા છે. આ દરમિયાન રવિવારે મોડી રાતે હીરા સોલંકીના નિવાસસ્થાને તેમના મોટા ભાઈ પૂર્વ મંત્રી ઘોઘાના ધારાસભ્ય પરષોત્તમ સોલંકીએ ઓચિંતી મુલાકાત કરી હતી. જેને લઈ રાજકારણ ગરમાયું છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ રણનીતિ ઘડાય હોવાની ચર્ચા થઈ હોવાની શક્યતા છે. બીજી તરફ આ સમાચાર મળતા કોળી સમાજના યુવાનો હોદ્દેદારો પરષોત્તમ સોલંકીને મળવા પહોંચી ગયા હતા. આ વિસ્તારમાં કોળી સમાજના સંગઠનને લઈ કેટલીક ચર્ચાઓ થઈ હોવાની શક્યતા છે. પરષોત્તમ સોલંકી કોળી સમાજના સીનિયર દિગ્ગજ નેતા છે. રાજુલા અને જાફરાબાદ પંથકમાં ખાસ કરીને કોળી સમાજમાં પરષોત્તમ સોલંકીની લોકપ્રિયતા હોવાને કારણે તેમની અવર-જવર વધી હોવાનુ સામે આવ્યું છે. આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે તે પહેલા કોળી સમાજની રણનીતી ફરી તેજ થઈ હોવાનુ મનાય છે. હીરા સોલંકીના નિવાસ સ્થાને કોળી સમાજ સંગઠન સાથે જાેડાયેલા અનેક યુવાનો પહોંચ્યાં હતા.વધુ વાંચો -
મધરાતે ધારાસભ્ય અંબરીશ ડેર અને વેપારીઓએ બેઠક બોલાવી
- 20, નવેમ્બર 2021 01:30 AM
- 9445 comments
- 3699 Views
અમરેલી, અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા શહેરના છતડીયા રોડ પર આવેલા ક્રિષ્ના જવેલર્સના સોની વેપારી દુકાન ખોલે તે પહેલા ૨ શખ્સે બાઇક લઈ આવી રેકી કરી હતી અને સોની વેપારી જેવા દુકાને પહોંચ્યા ત્યારે તેમની આંખમાં મરચું નાખી વેપારી પાસેથી દાગીનાની બેગ લૂંટવાનો પ્રયાસ કરાયો હતો. જાે કે આ વેપારીએ તેમનો હિંમતભેર સામનો કરી ઝપાઝપી કરતાં નજીકના અન્ય લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને લૂંટનો પ્રયાસ નિષ્ફળ બન્યો હતો. જાે કે આ ઘટના બાદ લૂંટારુંઓ નાસી છૂટ્યા હતા. ત્યારબાદ શહેરના વેપારીઓમાં આ બનાવના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. જેના પગલે ગઈ કાલે ગુરૂવારે રાતે રાજુલા નગરપાલિકા પ્રમુખ સહિત ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા ધર્મશાળા ખાતે વેપારીઓ અને સર્વપક્ષી બેઠક બોલાવાઈ હતી. જેમાં ચેમ્બર ઓફ કોમર્સ અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં ચોરી તેમજ લૂંટના પ્રયાસની વધતી ઘટનાઓ અટકાવવા બાબતે ચર્ચા વિચારણા કરાઈ હતી. આ ઉપરાંત શહેરમાં સીસીટીવી લગાવવા માટે પણ ચર્ચા કરાઈ હતી. આ ઉપરાંત સુરક્ષિત રહેવા માટે પણ ચર્ચા વિચારણા કરાઈ હતી. ઘરફોડ ચોરીઓના પગલે બનેલા ત્રણથી ચાર ચોરીના બનાવમાં માત્ર ૧ ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે, ત્યારે બધાએ એક થઈ આગળ આવવું પડશે એવી ચર્ચાઓ કરાઈ હતી. બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર, નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ લાખણોત્રા, શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત જાેશી, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બકુલ વોરા, માર્કેટીંગ યાર્ડના પૂર્વ પ્રમુખ ભાજપ અગ્રણી જીજ્ઞેશ પટેલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.છતડીયા રોડના વેપારી મનીષ વાળાએ કહ્યું હતું કે ઘરફોડ ચોરીની સતત ઘટનાઓ બને છે અને આજે તો લૂંટના પ્રયાસની ઘટના બની હતી. જેથી ઘરફોડ ચોરી અને લૂંટના પ્રયાસની ઘટનાના મૂળ સુધી પ્રશાસન પહોંચે અને યોગ્ય કાર્યવાહી થાય તેવી ભાવના બધા વેપારી વતી તેમણે વ્યક્ત કરી હતી. આ બનાવને પગલે કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેરે કહ્યું હતું કે મંદી, બેરોજગારી તેમજ મોંઘવારીના કારણે ગુજરાતની અંદર ચોરી, લૂંટ, ધાડના બનાવ બને છે તેવી જ ઘટના રાજુલા શહેરમાં બની છે, જેમાં ૨ વેપારીઓને છરી વાગી છે. ત્યારે ગુજરાત સરકારનો મંજુર થયેલો વિશ્વાસ પ્રોજેક્ટ પાસ કરવામાં નહિ આવે તો લોકો સાથે મળી અમે ૩૦ દિવસની અંદર મોટાભાગે સીસીટીવી કેમેરા લગાવીશું તેવું આ બેઠકમાં નક્કી થયું છે.વધુ વાંચો -
રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર માટે ભાજપમાં ખાલી જગ્યા રાખી છે પાટીલ
- 19, નવેમ્બર 2021 01:30 AM
- 9773 comments
- 6643 Views
અમરેલી, વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપનું રાજકારણ ગરમાયું છે. ત્યારે આ વચ્ચે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કોંગ્રેસના એક ધારાસભ્યને પોતાના પક્ષમાં આવવા ખુલ્લુ આમંત્રણ આપ્યું છે. જાહેર મંચ પર પાટીલે આપેલા એક રાજકીય નિવેદનથી બંને રાજકીય પાર્ટીઓ વચ્ચે ગણગણાટ શરૂ થયો છે. આહીર સમાજના બાબરીયા ધાર સમૂહ લગ્નમાં પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે કોંગ્રેસના રાજુલાના ધારાસભ્ય અમરીષ ડેર પ્રત્યે લાગણી વ્યક્ત કરી છે. કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર માટે ભાજપમાં ખાલી જગ્યા રાખી છે તેવું સ્ફોટક નિવેદન ભાજપ પ્રદેશ અધ્યક્ષે આપ્યું છે. કાર્યક્રમમાં સી. આર. પાટીલે કહ્યું કે, ધારાસભ્ય ડેરને ખખડાવવા મારો અધિકાર છે. મારી પાર્ટીના ઘણા લોકો તેમના મિત્ર છે અને તેમનો ઉદય પણ ભાજપમાંથી જ થયો છે. અમે હજુ પણ તેમના માટે ખાસ જગ્યા રાખી છે. પહેલા અમે સાથે હતા, એટલે થોડીથોડી ભૂલ થઈ જાય છે. આમ કહી તેમણે કાર્યક્રમમાં રમૂજી માહોલ બનાવ્યો હતો. મહત્વનું છે કે, હજુ બે દિવસ પહેલા જ રાજ્યના ઊર્જા મંત્રી મુકેશ પટેલ અને અમરીશ ડેર સાથે મુલાકાત થઈ હતી. જે બાદ પાટીલનું આ નિવેદન સૂચક માનવામાં આવે છે.અમરિષ ડેર યુવા કોંગ્રેસનો મજબૂત ચહેરો ગણાય છે. ત્યારે સીઆર પાટીલનું આવું જાહેરમાં તેમના વિશે નિવેદન આપવું મોટી વાત કહેવાય. સમગ્ર મામલે અમરિષ ડેરે જણાવ્યું કે, ભૂતકાળમાં પણ રાજ્યસભા, વિધાનસભાની ચૂંટણીમાં કે અન્ય ચૂંટણીમાં ભાજપમાં જાેડાયા ત્યારે મારુ નામ ચાલતું હતું. ભાજપના પ્રદેશ અધ્યક્ષ વાણી સ્વતંત્રતા અંતર્ગત આવું બોલવા સ્વતંત્ર છે. મારા સંબંધો મારી સાથે બહુ જ સારા છે. તેથી તેમણે પોતીકાપણાના ભાવથી આવું નિવેદન આપ્યું હશે. મેં એક સમયે ભાજપમાં કામ કર્યુ છે, તેની હું ના પાડતો નથી. મારી કાર્યશૈલી જાેઈને તેમણે આવું નિવેદન આપ્યું હોઈ શકે છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આ વિશે જણાવ્યું કે, ભાજપ પાસે કોઈ સક્ષમ ચહેરો નથી, ભાજપને હવે યુવા ચહેરાની જરૂર છે. મને પૂર્વ મુખ્યમંત્રી, નીતિન પટેલ પર દયા આવે છે. તેમણે વર્ષો સુધી કામ કરીને ભાજપને સત્તા પર પહોંચાડી. હવે ભાજપને આ નેતાઓ ગમતા નથી. તેથી તેઓ કોંગ્રેસના નેતાઓને લઈ જવાનો પ્રયાસ કરે છે. હાલ કોરોનાની બીજા લહેર પછી ગુજરાતની જનતા તેઓને સ્વીકારે તેમ નથી. તેથી ક્યાંક આવી વાહિયાત વાતો કરે છે. અમરિષભાઈ અમારા મજબૂત સાથી છે. ભાજપ સામે ૨૦૨૨ ના મુખ્ય સંઘર્ષ માટેના તેઓ અમારા સાથી છે.વધુ વાંચો -
ભમર ગામમાં એક જ પરિવારના ૪ વ્યક્તિઓએ ઝેરી દવા ગટગટાવી
- 19, નવેમ્બર 2021 01:30 AM
- 6092 comments
- 2321 Views
સાવરકુંડલા, સાવરકુંડલા તાલુકાના ભમર ગામે મોડી રાત્રે એક જ પરિવારના ૪ વ્યક્તિઓએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી હતી. જેમને પ્રથમ સાવરકુંડલા હોસ્પિટલમાં અને ત્યારબાદ મોડી રાત્રે વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ભમર ગામના એક જ પરિવારના ૪ વ્યક્તિઓએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં આ તમામ લોકોએ ઘર કંકાસના કારણે પગલું ભર્યું હોવાનુ જાણવા મળ્યું હતું. જેમાં ૨૩ વર્ષીય રેખાબેન હકાભાઈ ખીમસૂરિયા, ૩૦ વર્ષીય હકાભાઇ ભીમાભાઈ ખીમસૂરિયા, ૫૦ વર્ષીય ભીમાભાઈ ભાણાભાઈ ખીમસૂરિયા અને ૪૫ વર્ષીય સોમીબેન ભીમાભાઈ ખીમસૂરિયાનો સમાવેશ થાય છે. આ સમગ્ર ઘટનામાં એક જ પરિવારના ૪ વ્યક્તિએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તમામ લોકોને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.વધુ વાંચો -
પાક નુકસાનીનો સર્વે કર્યા છતાં પણ સહાય નહીં ચૂકવતા ખેડૂતોમાં રોષ
- 18, નવેમ્બર 2021 01:30 AM
- 9116 comments
- 9512 Views
અમરેલી, જિલ્લામાં અતિવૃષ્ટિને લીધે કપાસ મગફળી સહિતના ફરીફ પાકને નુકસાન થયું હતું. પાછોતરો વરસાદ ખેડૂતો માટે મુસીબત બની ગયો હતો. શેત્રુંજી નદીના કાંઠા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડતા કપાસ અને મગફળીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું હતું. જેને લઇને સરકાર દ્વારા નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી ખેડૂતોને સહાય મળી નથી. આથી તાત્કાલિક ખેડૂતોના ખાતામાં સહાય જમા કરાવવામાં આવે તેવી ખેડુતો માગ કરી રહ્યા છે.સરકાર દ્વારા આઠ જિલ્લામાં સર્વેની કામગીરી પૂરી કરવામાં આવી છે. રાજ્યના કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, સર્વે પૂરો થઈ ગયો છે પણ વિચારણા હેઠળ છે. અગાઉ સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, અન્ય જિલ્લાઓને પણ પાક નુકશાનીની સહાય આપવામાં આવશે ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા તાત્કાલીક વિચાર કરે અને પાક નુકસાની સહાય આપવામાં આવે. ભારે વરસાદને લઈને સાવરકુંડલા તાલુકાના ઘોબા,પીપરડી,શેલણા,ફિફાદ સહિતના શેત્રુજી નદીના કાંઠા વિસ્તારના ખેડૂતોના પાકને સારૂએવું નુકશાન થયું હતું.વધુ વાંચો -
નાનકડા કાર્યકરનો પણ ફોન ઉપાડવો પડશે સી.આર. પાટીલ
- 16, નવેમ્બર 2021 01:30 AM
- 3459 comments
- 1305 Views
અમરેલી, લાઠીમાં ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર પાટીલ એક કાર્યક્રમના સંબોધન દરમિયાન અધિકારીઓને કડક અંદાજમાં ટકોર કરી હતી. તેમણે જણાવ્યું કે, અધિકારીઓએ કામ કરવું પડશે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના ફોન પણ ઉપાડવા પડશે. સી.આર. પાટીલે સરકારી અધિકારીઓને ટકોર કરતા જણાવ્યું કે, મુખ્યમંત્રીએ અધિકારીઓને સુચના આપી છે કે, તમામ ધારાસભ્યોના નંબર તમારા મોબાઇલમાં સેવ હોવા જાેઇએ. કોઇ પણ ધારાસભ્ય ફોન કરે તો ફોનનો જવાબ આપો. ગઇકાલે મુખ્યમંત્રીને ફરી એકવાર વિનંતી કરી છે કે, સાહેબ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, પાલિકાઓમાં પણ અધિકારીઓએ ચૂંટાયેલા પદાધિકારીઓના ફોનનો જવાબ નથી આપતા. પરંતુ હવે અધિકારીઓએ કામ કરવું પડશે અને જનપ્રતિનિધિઓનાં જવાબ પણ આપવા પડશે. થોડા દિવસો અગાઉ સુરતના કડોદરામાં યોજાયેલા ભાજપના સ્નેહમિલનના કાર્યક્રમમાં પ્રમુખ સી.આર પાટીલે અધિકારીઓને ટકોર કરી હતી. કાર્યકર્તાઓને સંબોધિત કરતા સમયે અધિકારીઓને ચૂંટાયેલા પ્રતિનિધિઓના નંબર સેવ રાખીને તેનો જવાબ આપવા પણ સુચના આપી હતી. જ્યારે જરૂર પડે ત્યારે ગમે ત્યારે અધિકારીઓએ ફોન ઉઠાવવા પડશે. સોમ-મંગળ સિવાય સચિવાલયમાં કામ માટે તમામ અધિકારીઓ અને મંત્રીઓને પણ હાજર રહેવા માટે સુચન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ગુજરાતમાં અધિકારી રાજ હોવાની ફરિયાદો ઉઠી ચુકી છે. અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગણકારતા નહી હોવાનું અને ફોન ઉપાડતા નહી હોવાની ફરિયાદો ઉઠી હતી. હવે અધિકારીઓએ ધારાસભ્ય, સાંસદ કે અન્ય ચૂંટાયેલા નેતાઓનો ફોન ઉપાડવા માટે ટકોર કરી હતી. સી.આર પાટીલે કડક અંદાજમાં જણાવ્યું કે, અધિકારીઓએ માત્ર ફોન ઉપાડીને જવાબ આપવાનું નહી પરંતુ તેમના જરૂરી કામ પણ કરવા પડશે. કોઇ પ્રકારની દાદાગીરી ચલાવી નહી લેવાય.વધુ વાંચો -
પેરા સેલિંગ દરમિયાન દોરડું તૂટી જતા દંપતી દરિયામાં ખાબક્યું
- 15, નવેમ્બર 2021 01:30 AM
- 300 comments
- 6874 Views
દીવ, સંઘપ્રદેશ દીવના પ્રખ્યાત નાગવા બીચ પર રવિવારના રોજ પેરા સેલિંગ દરમિયાન બોટ સાથે બાંધેલું દોરડું તૂટી જતા દંપતી દરિયામાં ખાબક્યું હતું. સદનસીબે જાનહાનિ થતા અટકી હતી. જાે કે, દીવના પ્રખ્યાત બીચ પર ચાલતી વોટર સ્પોર્ટસ એક્ટિવિટીમાં પ્રવાસીઓની સુરક્ષાને લઈ ગંભીર સવાલો ઉઠ્યા છે. પેરા સેલિંગ દરમિયાન સર્જાયેલા અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સંઘપ્રદેશ દીવનો નાગવા બીચ પ્રવાસીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. અહીં ફરવા આવતા લોકો અહીં ચાલતી વોટર સ્પોર્ટસ એક્ટિવીટની મજા પણ લેતા હોય છે. આજે પણ એક દંપતી અહીં ચાલતા પેરા સેલિંગની મજા લઈ રહ્યું હતું ત્યારે જ અચાનક સ્પીડ બોટ સાથે બલૂનની દોરી તૂટી જતા દંપતી દરિયામાં પટકાયું હતું. બાદમાં બોટ મારફત બંનેને દરિયામાંથી હેમખેમ બહાર કાઢવામા આવ્યા હતા. દીવના પ્રખ્યાત નાગવા બીચ પર પેરા સેલિંગ સમયે સર્જાયેલા અકસ્માતની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. સદનસીબે આ ઘટનામાં જાનહાનિ થતા અટકી છે. પરંતુ, અકસ્માતની ઘટનાને લઈ અહીં ચાલતી વિવિધ સ્પોર્ટસ એક્ટિવિટીને લઈ સવાલો ઉઠ્યા છે.વધુ વાંચો -
તાલુકાના ૨૨ ગામોના ૮૦ જરૂરિયાતમંદ પરિવારોને લેન્ડ કમિટી દ્વારા મફત પ્લોટ ફાળવાયા
- 04, નવેમ્બર 2021 01:30 AM
- 6819 comments
- 2658 Views
અમરેલી, અમરેલી તાલુકાના ૨૨ ગામોના વિવિધ સમાજના ૮૦ જેટલા જરૂરિયાતમંદ પરિવારોને તાલુકા લેન્ડ કમિટી દ્વારા પ્લોટની ફાળવણી કરી દિવાળીની અમૂલ્ય ભેટ અર્પણ કરવામાં આવી હતી. જેને કમિટીના અધ્યક્ષ અને પ્રાંત અધિકારી સી. કે. ઉંધાડ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. કમિટીની બેઠકમાં તાલુકા પંચાયતના પ્રમુખ પ્રજ્ઞાબેન સાવલિયા અને ઉપપ્રમુખ વનરાજ કોઠીવાળ ઉપસ્થિત રહ્યા હતા.લાભાર્થી ભવાનભાઈ માધડે પોતાનો હર્ષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેમણે સપને પણ નહોતું વિચાર્યું કે તેમને પણ ક્યારેય પોતાનો પ્લોટ મળે, જેમાં તેઓ પોતાના સપનાનું ઘર બાંધી શકે. વધુમાં ભવાનભાઈએ કહ્યું હતું કે અમે વર્ષોથી પતરાના મકાનમાં ભાડે રહીએ છીએ, પરંતુ આજનો પ્લોટની ફાળવણીનો દિવસ અમારા માટે જીવનભર યાદગાર બની રહેશે. રાજ્ય સરકારે અમારા સપનાને સાકાર કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે દિવાળીના પાવન તહેવારોમાં મળેલા પ્લોટ અમારા અંધકારમય જીવનમાં નવો ઉજાસ પાથરશે.અન્ય લાભાર્થી હિંમતભાઈ મોરવાડીયાએ પ્લોટની ફાળવણીની પ્રક્રિયામાં સહકાર આપનારા તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર માનતા જણાવ્યું હતું કે, અમરેલીના દરેક અધિકારીઓએ ફોર્મ ભરવાથી માંડી દરેક તબક્કે અમને પૂરો સહકાર આપ્યો છે. પ્લોટની ફાળવણી કરી સરકારે ખરા અર્થમાં અમારી દિવાળી સુધારી દીધી છે. આ દિવાળી અમારા પરિવારની આજ સુધીની શ્રેષ્ઠ દિવાળી છે.આંકડાકીય વિગતો આપતાં અમરેલી તાલુકા વિકાસ અધિકારી કે.જે. આચાર્યએ જણાવ્યું હતું કે, અમરેલી તાલુકાના કુલ ૨૨ જેટલા ગામડામાંથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત, અનુસૂચિત જાતિ જેવા વિવિધ સમાજના પરિવારો તરફથી ૧૪૬ જેટલી અરજીઓ મળી હતી. જેમાં વિવિધ માપદંડોને ધ્યાનમાં રાખી કુલ ૮૦ જેટલી અરજીઓ માન્ય રાખી આજે તેમને મંજૂરી આપવામાં આવી હતી.વધુ વાંચો -
નવા ખીજડીયા ગામમાં ૧૦૮ની ટીમે જાેડિયા બાળકોને કૃત્રિમ શ્વાસ આપી જીવ બચાવ્યો
- 25, ઓક્ટોબર 2021 01:30 AM
- 1462 comments
- 5375 Views
અમરેલી, અમરેલી તાલુકાના નવા ખીજડીયા ગામની પ્રસૂતાને પ્રસૂતિની પીડા ઉપડતા ૧૦૮ની ટીમ અહીં દોડી ગઈ હતી. મહિલાએ જાેડિયા બાળકોને જન્મ આપ્યો હતો. જાે કે ૧૦૮ની ટીમે બાળકોને કૃત્રિમ શ્વાસ આપી જીવ બચાવ્યો હતો. નવા ખીજડીયા ગામે રહેતા લળીબેન નત્રુભાઈ મકવાણા નામની ૨૬ વર્ષીય સગર્ભાને પ્રસુતીની પીડા ઉપડી હતી. જેના કારણે પરિવારજનોએ ૧૦૮ની ટીમનો સંપર્ક કર્યો હતો. આ અંગેની જાણ થતા ૧૦૮ના ઈએમટી મહેશભાઈ સોલંકી અને પાયલોટ યોગેશભાઈ વૈધ ગણતરીની મિનીટોમાં જ નવા ખીજડીયા ગામે પહોંચી ગયા હતા.સગર્ભા મહિલા વાડી વિસ્તારમાં રહેતા હતા. અને પ્રસુતીની પીડા ખુબ જ વધુ હતી. જેના કારણે ૧૦૮ની ટીમે તપાસ કરતા બે બાળકો હોવાનું માલુમ પડ્યું હતું. અહી ૧૦૮ની ટીમે મહિલાની સ્થળ પર જ પ્રસુતિ કરાવી હતી. મહિલાએ એક સાથે બે બાળકોને જન્મ આપ્યો હતો. પણ ડીલેવરી બાદ એક બાળક હલનચલન કરતું ન હતું. હદયના ધબકારાનો દર પણ ઓછો હતો. જેના કારણે ૧૦૮ની ટીમે બાળકને કૃત્રીમ શ્વાસ આપી જીવ બચાવ્યો હતો. અંતે મહિલાને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સ્થિતિ સારી હોવાનું ૧૦૮ના પ્રોગ્રામ ઓફિસર ચેતનભાઈ ગાધેએ જણાવ્યું હતુંવધુ વાંચો -
બેટરીથી ચાલતી સાયકલ અને મિની ટ્રેકટર માર્કેટમાં વેચાણ અર્થે મુકાયું
- 16, ઓક્ટોબર 2021 01:30 AM
- 6730 comments
- 1035 Views
અમરેલી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેકિંગ ઈન્ડિયાની જે વાત કરી હતી તે વાતને અમરેલીના ૨ નવયુવાનોએ સાર્થક કરી છે. બેટરીથી ચાલતી સાયકલ અને બેટરીથી ચાલતું મિની ટ્રેકટર માર્કેટમાં મૂક્યુ છે. આ બંને વાહનો સંપૂર્ણ રીતે બેટરીથી ચાલે છે. બહારથી સાયકલ અને મિની ટ્રેક્ટરના પાર્ટ્સ લાવીને અમરેલી શહેરમાં બેટરી સંચાલિત સાયકલ અને મિની ટ્રેકટર બનાવ્યા છે.અમરેલી શહેરના બે નવયુવાનોએ મેક ઇન ઇન્ડિયાનું સૂત્ર સાર્થક કર્યું છે. અમરેલી શહેરના બે નવયુવાનો પિયુષભાઈ અને હિતેશભાઈએ અમરેલી શહેરમાં બેટરીથી ચાલતી સાયકલ અને બેટરીથી ચાલતું ટ્રેક્ટર બનાવ્યું છે. ત્યારે અમરેલીમાં આ બંને વાહનો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. બેટરીથી ચાલતી સાયકલ પેડલથી પણ ચાલે છે. સાયકલની બેટરી બેથી ત્રણ કલાક ચાલે છે. આ બેટરી ફરી પાછી એકથી દોઢ કલાકમાં ચાર્જ થઈ જાય છે. દેશમાં પ્રથમ વખત અમરેલી શહેરમાં ૨ યુવાનોએ પેરકોર્ન નામની કંપની બનાવી છે. બેટરીથી ચાલતી સાયકલ અલગ અલગ પ્રકારની છે. આ સાઇકલ પહાડી વિસ્તારમાં પણ ચલાવી શકાય છે. આ યુવાનોએ દેશને નવી ભેટ આપી છે. ત્યારે સહકારી ક્ષેત્રના નેતા દિલીપભાઈ સંઘાણીએ આ યુવાનોની સરાહના કરી હતી.ભવિષ્યમાં ઇલેક્ટ્રીક સાયકલ લોકો ઉપયોગ કરવાના છે આ વાતને ધ્યાનમાં રાખીને અમરેલી શહેરના બંને યુવાનોએ સાયકલ અને ટ્રેક્ટર બેટરીથી સંચાલિત અને ઝડપથી ચાર્જ થાય એ બાબતનું સંપૂર્ણ ધ્યાન રાખીને નાની એવી કંપની બનાવી તેને લોકો સમક્ષ મૂક્યા છે. પેટ્રોલ-ડીઝલના ભાવ હજુ પણ વધશે આ વાતને ધ્યાનમાં અમરેલી શહેરના પિયુષભાઈ અને હિતેશભાઇ મેકિંગ ઇન્ડિયાના સૂત્રને સાર્થક કર્યું છે. મિની ટ્રેક્ટરનો ભાવ રૂપિયા ૪ લાખથી ૫ લાખ સુધીનો છે. અમરેલીના બંને યુવાનોએ કંપની શરૂ કરતાં જિલ્લામાં રોજગારીની તક પણ સ્થાનિક લોકોને રહેશે.વધુ વાંચો -
વિધાનસભા વિપક્ષના નેતાપદથી પરેશ ધાનાણીની વિદાય નિશ્ચિત
- 12, ઓક્ટોબર 2021 01:30 AM
- 5994 comments
- 891 Views
રાજકોટ ગુજરાત કોંગ્રેસને લાંબા સમયે પ્રભારી મળ્યા છે અને તે પણ ‘ડોકટર’ જાે કે કોંગ્રેસનું દર્દ જાણીતું છે અને તેનો ઈલાજ તો દિલ્હી જ કરી શકે છતા નવા પ્રભારી રઘુ શર્માએ પ્રથમ મુલાકાતમાં જ તેઓ ‘બોસ’ તરીકે આવ્યા છે તેવું જણાવી દીધું છે.ગઈકાલે ગાંધીનગરમાં તેઓએ પક્ષના નેતાઓ સાથે બેઠક કરી અને ધારાસભ્યોને એક-એક મળીને તેમના મંતવ્ય લીધા હતા. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના શિષ્ય જેવા રઘુ શર્માને જયપુરથી જ ટીપ્સ મળી હતી તેથી તેઓની માહિતી ભરપુર હતી જે જાણીને કોંગ્રેસના સ્થાનિક નેતાઓ પણ આશ્ર્ચર્યમાં પડી ગયા હતા અને તેઓએ ડેટલાઈન પણ આપી દીધી કે આગામી બે સપ્તાહમાં રાજય કોંગ્રેસના માળખામાં ફેરફાર થશે.જાે કે પ્રદેશ પ્રમુખ અંગે તેઓએ મૌન સેવ્યું પણ વિપક્ષના નેતા બદલાશે તેવા સંકેત આપી દીધો હતો. આમ પરેશ ધાનાણીની છુટ્ટી નિશ્ર્ચિત છે. હવે તેના સ્થાને સૌરાષ્ટ્રમાંથી પુંજાભાઈ વંશને આ પદ મળે છે કે પછી કોઈ પાટીદારને તેના પર નજર છે. કોંગ્રેસની ચિંતા એ છે કે પાટીદારો કેટલા તેની સાથે છે તે પ્રશ્ન છે. સૌરાષ્ટ્રમાં કોળી સમાજમાં કુંવરજી બાવળીયાની સાથે ભાજપે જે રીતે વર્તન કર્યુ તેનાથી આ સમાજ નારાજ છે અને કોંગ્રેસ તેનો ફાયદો કઈ રીતે ઉઠાવી શકે છેતેના પર સૌની નજર છે. પાટીદારોમાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યને નેતા બનાવાથી કોઈ મોટો ફર્ક પડતો નથી અને ગુજરાત સાઈડના બે ત્રણ સીનીયર ધારાસભ્યો છે પણ તે વિશાળ જ્ઞાતિનું પ્રતિનિધિત્વ કરતા નથી. આથી પ્રથમ ર્નિણય જ પેચીદો બની શકે છે. હવે પક્ષનું પુરુ ધ્યાન તા.૧૮ના રોજ દિલ્હીમાં પક્ષની કારોબારી મળનાર છે તેના પર છે અને તે પછી જ કોઈ ર્નિણય આવશે.વધુ વાંચો -
અમરેલીના ઉજળામાં વહેણમાં ટ્રેક્ટર તણાયું ડ્રાઇવરનો બચાવ
- 12, ઓક્ટોબર 2021 01:30 AM
- 5919 comments
- 4890 Views
અમરેલી, સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગની આગાહીને પગલે સમગ્ર અમરેલી જિલ્લામાં ત્રણ દિવસથી છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. રવીવાર દિવસ દરમિયાન કેટલાય વિસ્તારમો વરસાદ પડ્યો હતો. જ્યારે મોડી સાંજે વડીયા વિસ્તારમાં ૩ ઇંચ જેટલો વરસાદ પડતાં ઉજળા ગામમાં મગફળી ભરેલું ટ્રેકટર તણાયુ હતું. જાેકે, ડ્રાઇવર છલાંગ મારી કુદી જતાં સદનસીબે જીવ બચ્યો હતો.વડીયા નજીક આવેલા મોટા ઉજળા ગામે મુશળધાર ૩ ઇંચ વરસાદ ખાબકતા ગામ આસપાસ મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ વહેતો થતાં લોકોની મુશ્કેલી વધી હતીં. અહીં બે ટ્રેક્ટર પાણીના પ્રવાહ નજીક આવતા એક મગફળી ભરેલું ટ્રેકટર પાણીના પ્રવાહમાં તણાયુ હતું. ધસમસતા પ્રવાહમાં ટ્રેકટર તણાતાં ડ્રાઇવરે છલાંગ લગાવતાં જીવ બચી ગયો હતો. જ્યારે ટ્રેક્ટરને મોડી રાતે જેસીબીની મદદથી બહાર કઢાયું હતું.અહીં સ્થાનિક નદી નજીક બેઠો પુલ હોવાને કારણે આ પ્રકારની ઘટના બની હતી. સ્થાનિક લોકો આ પુલના કારણે ઘણી હાલાકીનો સામનો કરી રહ્યાં છે. ત્યારે આ ઘટના બનતાં પુલ ઉંચો કરવા લોકોની માંગ ઉઠી છે.વધુ વાંચો -
ઘેડ પંથકમાં ઓઝત નદીના પાણીથી વિનાશ અનેક ગામોમાં જમીન ત્યાં જળની સ્થિતિ
- 02, ઓક્ટોબર 2021 01:30 AM
- 8101 comments
- 5576 Views
જૂનાગઢ, જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં માણાવદર તાલુકામાં ઓઝત નદીના પાણી ફરી વળતા અનેક ગામોમાં ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાયો છે. થોડા સમય પહેલા જ ઓઝત નદીમાં આવેલા પૂરના કારણે ગ્રામ્ય વિસ્તારમાં ખેતીની જમીનનું મોટાપાયે ધોવાણ થયું હતું. ત્યારબાદ ફરી એકવાર ઓઝતના પાણી આ વિસ્તારમાં ફરી વળતા ખેતીના પાક અને જમીનને વ્યાપક નુકસાન થયાની ફરિયાદો ઉઠી છે. ઘેડ પંથકની હાલ સ્થિતિ એવી છે કે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. જૂનાગઢના ઘેડ પંથકમાં માણાવદર તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં નજર કરતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જાેવા મળી રહ્યું છે. ઘેડ પંથકમાં ઓઝત નદીના પાણી ફરી વળવાના કારણે કપાસ અને મગફળીના પાકને વ્યાપક નુકસાન થયાની ફરિયાદો ઉઠી છે. ઓઝત નદીના પાણીએ ખેડૂતોની સારા પાકની આશા પર પાણી ફેરવી દીધા છે. ગઈકાલે ગીરનાર પર્વત અને જૂનાગઢ જિલ્લામાં વરસેલ ભારે વરસાદના પગલે ડેમો ઓવરફ્લો થઈ છલકાતા નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. જેમાં માણાવદર પંથકની ઓઝત નદી ગાંડીતૂર થઈને રોદ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં ઘેડ પંથક જ્યાં નજર પડે ત્યાં પાણી પાણી થઈ ગયું છે. ત્યારે હજુ થોડા સમય પહેલાં જ આ પંથકમાં ઘોડાપૂર આવતા હજારો એકર ખેતીની જમીનનું મોટાપાયે ધોવાણ થયું હતું. આજે ફરીવાર ઓઝત નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં પંથકના પીપલાણા, આંબલીયા, કોયલાણા, મટીયાણા, બાલાગામ, બામણાસા પાદરડી સહિત ઘેડ પંથકને ધમરોળી નાખ્યું છે ત્યારે આ વિસ્તારમાં મુખ્યત્વે કપાસ અને મગફળીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.વધુ વાંચો -
ખડકાળા પાસે પાણી ભરાતાં વિદ્યાર્થીઓ ટ્રેક્ટરમાં બેસીને શાળાએ પહોંચ્યા
- 02, ઓક્ટોબર 2021 01:30 AM
- 1505 comments
- 867 Views
સાવ૨કુંડલા, સાવ૨કુંડલા ખડકાળા માર્ગમાં પાણી ભ૨ાતા વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવા ટ્રેકટ૨નો સહા૨ો લેવો પડે છે. સાવ૨કુંડલાના ભુવા ૨ોડ બાયપાસ ચોકડી પાસે ખડકાળા ગામનો માર્ગ પસા૨ થાય છે બાયપાસનો માર્ગ ઉંચો બનતા પાણી નિકાલના ભુંગળા નહી મુક્તા ખડકાળા માર્ગમાં પાણી ભ૨ાતા વિદ્યાર્થીઓ અને ખેડૂતોને પાણીમાંથી પસા૨ થવુ પડે છે ભા૨ે વ૨સાદ આ માર્ગમાં પાણી ભ૨ાતા વાલીઓ ગામના વિદ્યાર્થીઓને ટ્રેકટ૨માં બેસાડી શાળાએ મુક્વા જવુ પડે છે. છેલ્લા ત્રણ વર્ષથી પ૨ેશાન થતા ખેડૂતો વિદ્યાર્થીઓની વેદના બાબતે તંત્ર આવતા નથી અનેક લેખિત-મૌખીક ૨જુઆતો એળે ગઈ છે.વધુ વાંચો -
દરેડ ગામે રંગમતી નદીમાં ખોડિયાર માતાજીનું મંદિર પાણીમાં ગરકાવ
- 01, ઓક્ટોબર 2021 01:30 AM
- 4093 comments
- 574 Views
જામનગર સૌરાષ્ટ્રના દરિયાકાંઠે શાહીન વાવાઝોડાની અસર થવાની છે. ત્યારે વાવાઝોડાની અસરને પગલે દ્ગડ્ઢઇહ્લ ની ટીમો તૈનાત કરી દેવાઈ છે. પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, અમરેલી, જામનગર, દિવ અને રાજકોટમાં ટીમો તૈનાત કરાઈ છે. દ્ગડ્ઢઇહ્લની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સંભવિત વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ પર છે. ત્યારે જામનગરમાં ભારે વરસાદ વચ્ચે ભયાવહ દ્રશ્યો સામે આવી રહ્યાં છે. દરેડ ગામે રંગમતી નદીમાં ખોડિયાર માતાજીનું મંદિર પાણીમાં ગરકાવ થયું છે. રંગમતી ડેમના ૩ દરવાજા ખોલવામાં આવતા રંગમતી નદીમાં પાણીના ધસમસતા પ્રવાહ આગળ વધી રહ્યા છે. જેથી રંગમતી ડેમ નીચેના વિસ્તારોને એલર્ટ કરાયા છે. જાેકે, અનેક વિસ્તારો ડૂબાણમાં જતા લોકો પર સંકટ આવી ચઢ્યુ છે.બીજી તરફ, જામનગરમાં વરસાદી વીજળી પડવાનો નજારો ઝ્રઝ્ર્ફ કેમેરામાં કેદ થયો છે. જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં વીજળી પડવાની ઘટના બની હતી. બેડ ટોલનાકાના ઝ્રઝ્ર્ફ માં અદભૂત નજારો કેદ થયો છે. જામનગર નજીક વીજળી પડવાની ગઈકાલ બપોરની ઘટના બની હતી.મધરાત્રે સાડા ત્રણ કલાકની જહેમત બાદ વડોદરા ટીમે બન્નેને બચાવ્યા અમરેલી, ગુલાબ વાવાઝોડાની અસરને પગલે રાજ્યના અમરેલી જિલ્લામાં અતિ ભારે વરસાદ થયો છે. સંકટની સંભાવનાને અનુલક્ષીને વડોદરા દ્ગડ્ઢઇહ્લની એક ટીમ અમરેલી જિલ્લામાં તૈનાત રાખવામાં આવી છે. આ ટીમની સમયસરની મદદથી બુધવારે મધરાત્રે કારી નદીમાં ઉમટેલા ઘોડાપૂરમાંથી બે યુવાનોને ઉગારી લેવામાં આવ્યા હતા.દ્ગડ્ઢઇહ્લના પ્રવક્તા અનુપમના જણાવ્યા અનુસાર અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ભોરીંગડા ગામ નજીક મધ્યપ્રદેશના બે યુવાનો કારી નદીના ઉછળતા જળમાં ફસાઇ ગયા હતા. આ ઘટનાની ખબર મળતાં દળની ટીમે મધ્યરાત્રિના પોણા એક વાગે બચાવ કામગીરી હાથ ધરી બંનેને પૂરના પાણીમાંથી ઉગારી સલામત સ્થળે પહોંચાડ્યા હતા. બચાવ કામગીરી લગભગ સાડા ત્રણ કલાક ચાલી હતી. ૨૮ અને ૩૦ વર્ષની ઉંમરના આ યુવાનો મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાની પેટલાવદ તહેસીલના એક ગામના નિવાસી હતા. ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. દરિયામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો હોવાના કારણે માછીમારોને પરત બોલાવી લેવામા આવ્યા છે. જાફરાબાદ બંદર પર પરત ફરી રહેલી શિયાળ બેટની બોટે જાફરાબાદથી ૭૦ નોટિકલ માઈલ દૂર જળસમાધિ લીધી હતી. જાે કે, બોટ પર સવાર ૮ માછીમારોને અન્ય બોટ દ્વારા બચાવી લેવાયા હતા. દરિયાકાંઠાના રાજુલા જાફરાબાદ પંથક પર ૨૪ કલાક સુધી સતત આકાશમાથી અનરાધાર પાણી વરસ્યુ હતું જેને પગલે આ બંને તાલુકામા છ ઇંચ વરસાદ ખાબકતા તમામ નદીઓ ગાંડીતુર બની હતી. રૂપેણ, રાયડી અને ધાતરવડી સહિતની નદીમા ભારે પુરથી અનેક રસ્તાઓ બંધ થયા હતા.વધુ વાંચો -
ભાવનગરનો શેત્રુંજી ડેમ એક જ સપ્તાહમાં ૫મી વખત ઓવરફ્લો
- 28, સપ્ટેમ્બર 2021 01:30 AM
- 7548 comments
- 9839 Views
ભાવનગર, ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં આવેલો સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ શેત્રુંજી ડેમ એક જ સપ્તાહમાં સતત પાંચમી વખત ઓવરફ્લો થયો છે. રવિવારે મોડીરાત્રીથી જ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થતાં ડેમ ઓવરફ્લો થયો છે. પાણીના સતત આવકને લઈ ડેમ સત્તાવાળને જળસપાટી જાળવી રાખવા આજે સોમવારે સવારે એક ફૂટ સુધી ૫ દરવાજા ખોલવામાં આવ્યાં હતા.સૌરાષ્ટ્રમાં સૌથી મોટા જળાશય તરીકે ખ્યાતનામ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં આવેલો શેત્રુંજી ડેમ એક જ અઠવાડિયામાં સતત પાંચમી વખત છલકાયો છે. જેમાં તારીખ ૨૦ ના રોજ ૬ દરવાજા ખોલવામાં આવ્યાં હતા. ત્યારબાદ તારીખ ૨૧ના રોજ ૧૫ દરવાજા ખુલ્યા, તારીખ ૨૨ નારોજ ૬ દરવાજા ખુલ્યા, તારીખ ૨૩ના રોજ ૧૫ દરવાજા ખુલ્યાં, તારીખ ૨૪ના રોજ ૬ દરવાજા ખુલ્યાં, તારીખ ૨૬ના રોજ ૬ દરવાજા ખોલવામાં આવ્યાં બાદ આજે તારીખ ૨૭ના રોજ એક ફૂટ સુધી ૫ દરવાજા ખોલવામાં આવ્યાં છે.પાણીની આવક પર ટીમ સતત નજર રાખી રહી છેઆ અંગે માહિતી આપતાં ડેમ સ્થિત નાયબ કાર્યપાલક ઈજનેર આશિષ બાલધીયાએ જણાવ્યું હતું કે, ઉપરવાસમાંથી આવતી પાણીની આવક પર ટીમ સતત નજર રાખી રહી છે. આવક ઘટે એટલે દરવાજા બંધ કરવામાં આવે છે અને આવક વધતા ફરી દરવાજા ખોલવામાં આવે છે. મોડીરાત્રે પાણીનો ભારે પ્રવાહ ડેમમાં આવી રહ્યો હતો જેને પગલે ડેમની સપાટી એક નિયત અંકે જાળવી રાખવા માટે આજે સવારે ડેમના ૫ દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યાં હતાં. આજે વહેલી સવારે ૫ દરવાજા ખોલવામાં આવ્યા છે. નદીઓમાં ૪૫૦ ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે, ઉપરથી વધારાની આવક બંધ થશે. ત્યારે દરવાજા પુનઃ બંધ કરવામાં આવશે.રાજુલામા ચાર કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ નદીમાં ફેરવાઇ ગયા અમરેલી રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને લઈ ઠેર-ઠેર વરસાદ વરસી રહ્યો છે. સોમવારે અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના રાજુલા શહેરમાં ૪ કલાકમાં ૪ ઈંચ ધોધમાર વરસાદ ખાબકતા રસ્તાઓ પાણી પાણી થયા હતા. વરસાદના પગલે કેટલાક નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. જ્યારે મુખ્ય બજારમાં પણ પાણી ભરાયા હતા. જેના કારણે રહીશો તેમજ વેપારીઓ પરેશાન બન્યા હતા. રાજુલાના હિંડોરણા, છતડીયા, કડીયાળી, ખાખબાઈ, મોટા આગરીયા, નવા આગરીયા, જાપોદર સહિત આસપાસના કેટલાક ગામડામાં પણ વરસાદ વરસ્યો હતો. જાેકે, સતત વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. હાલમાં કપાસ, બાજરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાય રહી છે. હાલ ખેડૂતોને વધુ વરસાદની જરૂર ન હોવા છતા સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કરાણે મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાય રહી છે. જિલ્લાના લાઠી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને પગલે મુખ્ય બજારોમાં પાણી વહેતા થયા હતા. તેમજ શેખપિરિયા, પ્રતાપગઢ, અકાળા, રામપર, તાજપર સહિત મોટાભાગના ગામડામાં પણ વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જાેવા મળી રહ્યો છે.હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં લઈ અમરેલી જિલ્લામા સતત વરસાદ પડવાના કારણે બાબરા માર્કેટીંગ યાર્ડ દ્વારા મહત્વનો ર્નિણય લેવાયો છે. યાર્ડમાં જ્યાં સુધી બીજી જાહેરાત ન થાય ત્યા સુધી રજા જાહેર કરવામાં આવી છે. હાલ પુરતી ખેત જણસોની આવક બંધ કરી દેવામાં આવી છે, તેમજ ખેડૂતોને પણ માલ લઈને ન આવવા અપીલ કરવામાં આવી છે. ખેડૂતોના માલ યાર્ડમાં વધુ આવતો હોવાને કારણે નુકસાન ન જાય તે માટે મહત્વનો ર્નિણય લેવાયો છે. અમરેલી જિલ્લામાં રાજુલા, જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલમા મુશળધાર વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જાફરાબાદ તાલુકાના ટીબી ગામની રૂપેણી નદીમાં પુર આવ્યું છે. જેના કારણે ગામ વચ્ચે અવર જવરના કોઝવે પરથી પાણી જઈ રહ્યું છે. જેના કારણે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. જાફરાબાદના ટીંબીમાં પણ ૩ ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે.વધુ વાંચો -
અમરેલીનાં રાજુલામાં મહિલાએ 4 બાળકને જન્મ આપ્યો,તબીબો થયા આશ્ચર્યચકિત
- 23, સપ્ટેમ્બર 2021 12:29 PM
- 2710 comments
- 6994 Views
અમરેલી-આજ સુધી આપણે બધાએ એ એક-બે કે પછી ત્રણ બાળક એક સાથે જન્મ લે તે સાંભળ્યું હશે.પરંતુ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મહિલાએ એક સાથે 4 બાળકોને જન્મ આપ્યો છે.જી.હા વાત એકદમ સાચી છે.અમરેલી જિલ્લાનાં રાજુલામાં એક આશ્ચર્ય પામે તેવી ઘટના બની છે.જેમાં એક 22 વર્ષીય માતાએ એક સાથે ચાર બાળકને જન્મ આપ્યો છે.આ જોઇને ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થયા છે.હાલા આ ચારેય બાળક તંદુરસ્ત છે.જન્મ આપ્યા બાદ માતાની પણ તબિયત સ્થિર હોવાનું જણાઇ રહ્યું છે.આ જન્મ લેનાર બાળકોમાં બે પુત્ર અને બે પુત્રી છે.ડોક્ટરનાં જણાવ્યા મુજબ આ મહિલાને કુદરતી રીતે જ ચાર બાળકો રહ્યા હતા અને મહિલાનું બીપી વત્તુ-ઓછુ થવાને કારણે સિઝિરીયન ડિલીવરી દ્વારા ચાર બાળકોનો જન્મ થયો છે.પરંતુ હાલ તમામની તબીયત સારી છે.વધુ વાંચો -
ગુજરાતના આ પંથકમાં 3.4ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, લોકો ઘરની બહાર દોડી આવ્યા
- 21, સપ્ટેમ્બર 2021 03:40 PM
- 3538 comments
- 2483 Views
રાજકોટ-આજે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અમરેલી જીલ્લાના કેટલાક વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ખાંભા અને ગ્રામ્ય વિસ્તારોમાં આંચકાઓનો અનુભવ થયો હતો. ઘૂઘવાણા, બોરાળા, હનુમાનપર,પચપચીયા,ખાડાધાર સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચઓ અનુભવાયા હતા. ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેર નજીક ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બપોરે 2.30 વાગ્યાના સુમારે અનુભાવાયેલ ધરતીકંપના આંચકાની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.4 નોંધાઈ હતી. જોકે અચાનક ભુકંપના આંચકાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.વધુ વાંચો -
અમરેલીમાં લેન્ડ ગ્રેબિંગ કેસમાં જિલ્લા મેજિસ્ટ્રેટને કેમ રસ નથી: હાઈકોર્ટ નારાજ
- 25, ઓગ્સ્ટ 2021 01:36 PM
- 3637 comments
- 9531 Views
અમદાવાદ-લેન્ડ ગ્રેબિંગના કેસોમાં કલેક્ટરને પાસા કરવાની સત્તા છે પરંતુ હાઇવેની બન્ને બાજુ ગૌચરની જમીનો પર હોટેલો ખૂલી છે, તે સરકારના ધ્યાનમાં નહીં હોય? સરકાર એવી જાહેરાત કરે છે કે અમે લેન્ડ ગ્રેબિંગની આટલી ફરિયાદો કરી છે, પરંતુ તેમાંથી ખાનગી જમીનોની ફરિયાદો કેટલી અને સરકારી જમીનોની ફરિયાદો કેટલી તેનો જવાબ સરકાર પાસે છે? કલેક્ટરોઓ ખાનગી જમીનમાં વિવાદમાં કાર્યવાહી ન કરવી જાેઇએ તેવું નથી કહેતા પરંતુ તેઓ ગૌચર અને સરકારી જમીનના દબાણો અંગે કાર્યવાહી કરવા માટે પણ આટલાં જ ઉત્સાહિત છે? પાસાના આદેશ માટે કલેક્ટરે આપેલા આદેશની નોંધ લીધી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે અમરેલીની કોર્ટ દ્વારા આરોપીને જામીન આપવામાં આવ્યા છે. રાજ્ય સરકારના અધિકારીઓ નવા લેન્ડ ગ્રેબિંગ એકટનો સહારો લઈ રહ્યા છે તેવી હાઇકોર્ટે ટકોર કરી અમરેલીમાં લેન્ડ ગ્રેબિંગ કેસમાં પાસા અંગે કાર્યવાહી પર હાઇકોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે, સરકારી જમીનમાં લેન્ડ ગ્રેબિંગ મામલે કાર્યવાહી કરવામાં કેમ જિલ્લા મેજિસ્ટ્રેટને રસ નથી. સરકાર દ્વારા પાસા અંગેની કાર્યવાહી માટે રજૂ કરેલા જવાબથી હાઇકોર્ટ નારાજગી વ્યક્ત કરી હતી. સરકાર તરફથી રજૂ કરેલા જવાબમાં તર્ક આપવામાં આવ્યો. જાે આ મહિલાને તડીપાર કરવામાં આવે તો પણ એ વકીલની મદદ લઇ શકે છે. પણ પાસા કરવામાં આવે તો એને કાર્યવાહી કરવામાં લાંબો સમય નીકળી જાય. કોર્ટે ટકોર કરી કે ન્યાયના વહીવટમાં અવરોધ ઉભો કરવા બદ્દલ આ અધિકારી સામે આપરાધિક તિરસ્કારની કાર્યવાહી કેમ ન કરવી. ખાનગી કેસમાં શા માટે કલેક્ટર આટલો રસ ધરાવે છે. એક પણ એવો કેસ બતાવો જેમાં સરકારી જમીનમાં લેન્ડ ગ્રેબિંગ અંગે કાર્યવાહી થઈ હોય. રાજ્ય સરકારના અધિકારીઓ નવા લેન્ડ ગ્રેબિંગ એકટનો સહારો લઈ રહ્યા છે તેવી હાઇકોર્ટે ટકોર કરી છે.અમરેલીમાં લેન્ડ ગ્રેબિંગ મામલે થયેલી ૪ અરજીઓ પર સુનાવણી દરમિયાન હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે સુનાવણી દરમિયાન રાજ્ય સરકારને ટકોર કરી હતી કે ખાનગી લેન્ડ ગ્રેબિંગના કિસ્સાઓમાં પોલીસ ફરિયાદ અને પાસાના કિસ્સાઓ જ કોર્ટ સામે આવે છે. સરકારી જમીન કે ગૌચરની જમીનમાં પાસા થયા હોય તેવી બે ફરિયાદ તો બતાવો. હવે આરોપી બહાર નીકળી જાહેર વ્યવસ્થા માટે ખતરારૃપ બને તેવી શક્યતા છે. તેને તડીપાર કરવામાં આવે તો તે વકીલની મદદ લઇ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલુ રાખે તેવી શક્યતા છે. કોર્ટે આ સોગંદનામાની ગંભીર નોંધ લઇ કે અધિકારી સામે સિવિલ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ નહીં પરંતુ ક્રિમીનલ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી શા માટે ન થવી જાેઇએ તેનો જવાબ જરૂરી છે. અમે આ અધિકારીને કન્ટેમ્પ્ટ નોટિસ નથી આપતા કારણ કે આ પ્રકારની નોટિસ એ ડિવીઝન બેન્ચની બાબત છે પરંતુ તેની સામે કન્ટેમ્પ્ટની નોટિસ શા માટે જારી ન કરવામાં આવે તેનો જવાબ આપવામાં આવે. સરકાર પાસાના કાયદાનો આટલો દુરૂપયોગ કરે છે કે આરોપી વકીલની મદદ ન લઇ શકે તે માટે તેને જેલમાં મોકલવામાં આવે.વધુ વાંચો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ