અમરેલી સમાચાર
-
ધારી હોસ્પિટલ ખખડધજ નવા મકાનની મંજૂરી છતાં કામગીરી શરૂ ન થતાં સ્થાનિકોનો રોષ
- 07, મે 2022 01:30 AM
- 3105 comments
- 1398 Views
ધારી, અમરેલી જિલ્લામાં આવેલા ધારી તાલુકામાં ૭૨ ગામડાં આવેલાં છે. સૌથી મોટો ગ્રામીણ વિસ્તાર આ વિસ્તારમાં આવેલો છે. પરંતુ આરોગ્ય સુવિધાના નામે મીંડું સર્જાયું છે. અહીં મોટા પ્રમાણમાં આસપાસના ગામડાના દર્દીઓ આરોગ્ય સેવા લેવા માટે આવી રહ્યા છે. પરંતુ સુવિધાના નામે મીંડું છે. જર્જરિત હાલતમાં હોસ્પિટલ હોવાને કારણે દર્દીઓ સહિત ડોક્ટરો પણ પરેશાની ભોગવી રહ્યા છે. ભયના ઓથારે નાછૂટકે દર્દીઓ સારવાર લેવા માટે અવર જવર કરતા હોય છે. દીવાલો જર્જરિત હોવાને કારણે સાવધાની રાખવા સહિતના અલગ અલગ સરકારી પોસ્ટરો લગાવવામાં આવ્યા છે, જેથી સબ સલામત જાેવા મળે છે.જ્યારે અહીં આટલી મોટી હોસ્પિટલમાં માત્ર એક ડોક્ટર ફરજ બજાવે છે અને અહીં હોસ્પિટલની છત પર પોપડા જાેવા મળી રહ્યા છે. આખી બિલ્ડીંગ જર્જરિત હાલતમાં છે ત્યારે સમગ્ર વિસ્તારના લોકોની રાજ્ય સરકાર દ્વારા તાકીદે નવું બિલ્ડીંગ બનાવવામાં આવે તેવી માંગ છે. સ્થાનિક પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ આ અંગે જણાવતાં કહ્યું હતું કે સરકારી દવાખાના માટે આરોગ્ય મંત્રી સુધી રજૂઆતો કરવામાં આવી છે. ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સાડા ચાર કરોડ રૂપિયા જેવી માતબર રકમ મંજૂર કરવામાં આવી છે. પરંતુ આજદિન સુધી નવું સરકારી બિલ્ડીંગ બનાવવામાં આવ્યું નથી. ધારી વિસ્તારના એક જાગૃત નાગરિક કે. કે. ચૌહાણે કહ્યું હતું કે હોસ્પિટલ જર્જરિત હાલતમાં છે. મંજૂરી મળી ગઈ છે તો હવે સરકારે નવું મકાન બનાવવું જાેઈએ. જાે દર્દીઓ ઉપર છત પડશે તો જવાબદારી કોની? ઉપરાંત ત્યાં સારવાર લેવા જવાનો પણ ડર લાગે છે.વધુ વાંચો -
સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટાં
- 03, મે 2022 01:30 AM
- 5230 comments
- 7259 Views
અમરેલી ગુજરાતમાં ચારેબાજુ કાળઝાળ ગરમી પડી રહી છે, જેના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. સોમવારના રોજ બપોર પછી એકાએક ભારે ગરમી વચ્ચે અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારમા વાતાવરણમાં પલટો આવ્યો છે. સાવરકુંડલાના કેટલાક ગામોમાં મીની વાવાઝોડુ ફુંકાયું છે. ત્યારબાદ આદસંગ, થોરડી, ઘનશ્યામનગર જેવા ગામોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું છે.આ વિશે મળતી માહિતી પ્રમાણે, ખાંભા તાલુકાના ભાણીયા, નાનુડી, પીપળવા ગામમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. આ સિવાય રાજુલાના ધુડિયા આગરિયા, મોટા આગરીયા, નવા આગરિયા ગામમાં વરસાદ પડી રહ્યો છે. કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે કેરીના પાકને નુકસાનની સંભાવના સેવવામાં આવી છે. ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.ઉલ્લેખનીય છે કે, રાજ્યભરના કેટલાક વિસ્તારમાં આગામી ત્રણ દિવસ વાતાવરણમાં પલટો જાેવા મળવાનો છો. ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સહિતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે પવન અને માવઠુ થાય તેવી શક્યતા વ્યકત્ કરી છે. જેથી માર્કેટયાર્ડે વેપારીઓ-ખેડૂતોને સાવચેત રહેવા સૂચના આપીછે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. રાજ્યમાં વૈશાખી વાયરા લોકોને દઝાડી રહ્યા છે, એટલું જ નહીં તેજ પવન સાથે લૂ વર્ષા અને ધૂળની ડમરીઓ ઉડી રહી છે. અમદાવાદમાં આજે ૪૪ ડિગ્રી તાપમાનનું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ અને કંડલામાં હવામાન વિભાગ દ્વારા હીટ વેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે દરિયાઇ વિસ્તારમાં ગરમીથી આંશિક રાહત લોકોને મળી છે.વધુ વાંચો -
બાબરામાં ગર્ભગૃહમાં માતાજી સામે પશુ બલિ ચઢાવ્યો
- 27, એપ્રીલ 2022 01:30 AM
- 5070 comments
- 1880 Views
અમરેલી, બાબરા નિલવડા રોડ પર આવેલ આસ્થાના કેન્દ્ર સમા સુપ્રસિદ્ધ મેલડી માતાના મંદિરમાં ૨૨મી તારીખની રાત્રે કેટલાક શખસોએ પશુ સાથે ગર્ભગૃહમા પ્રવેશી પશુનું ગળું કાપી બલિ ચડાવતાં લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમા પણ કેદ થઇ છે. બનાવ અંગે પોલીસે ૧૦ શખસ સામે ગુનો નોંધ્યો છે.નીલવડા રોડ પરનુ મેલડી માતાજીનું મંદિર પંચાળ પંથકની પ્રજા માટે આસ્થાનુ સ્થાન છે. અહીં દરરોજ મોટી સંખ્યામા શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. ખાસ કરીને સૌથી વધુ લોકો માનતા પૂરી કરવા આવે છે. રાજકોટના રાજેશભાઇ જેઠવાએ અહી શ્રદ્ધાળુઓ અને માનતા પૂરી કરવા આવતા લોકો માટે રોકાણ તથા રસોડાની વ્યવસ્થા કરી છે. અહી માતાજીને કોઇએ પશુ બલિ ચડાવવો નહીં તેવા બોર્ડ પણ ચારે તરફ લગાવેલા છે. એટલું જ નહી કોઇ આવું કૃત્ય ન કરે તે માટે ચારે તરફ સીસીટીવી કેમેરા પણ લગાવેલા છે. આમ છતાં ૨૨મીની મધરાતે અહી પશુ બલિની ઘટના બની હતી. રાજેશભાઇ જેઠવાએ આ બારામા બાબરાના લક્ષ્મણ મગનભાઇ ડાભી, વિહા નારણભાઇ, નારણ પાંચાભાઇ ઝિંઝુવાડિયા, સંજય ખોડુભાઇ કરકર, ભૂપત તળસીભાઇ ઝિંઝુવાડિયા, બચુ નારણભાઇ, દેવા ગભાભાઇ, બીજલભાઇ ડાભી અને અન્ય બે અજાણ્યા શખસો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમા તેમણે જણાવ્યું છે કે તારીખ ૨૨/૪ને મધરાતે મેલડી માતાના મુળ સ્થાનકે આ શખસોએ બોકડા જેવા દેખાતા પશુનો બલિ ચડાવ્યો હતો. મધરાતે મંદિર બંધ હતુ ત્યારે આ શખસો જાળી ખોલીને અંદર પ્રવેશ્યા હતા અને ગર્ભગૃહમાં પશુને લઇ જઇ એનું ગળું કાપી બલિ ચડાવ્યો હતો. સીસીટીવી ફૂટેજમા આ તમામ શખ્સોની હરકત કેદ થતા પોલીસમા ફરિયાદ નોંધાવાઇ છે. બાબરા પેાલીસે આ અંગે કેટલાક શખ્સોને રાઉન્ડઅપ પણ કર્યા છે. આધુનિક યુગમા કેટલાક શખ્સોનો આવા કૃત્યથી લોકોની ધાર્મિક લાગણી દુભાતી હોય આવુ કૃત્ય કરનાર સામે ફિટકાર વરસી રહ્યો છે. આસ્થાના આ કેન્દ્ર પર ૧૦ વર્ષ સુધીના અખંડ યજ્ઞનુ આયોજન થયુ છે. સવા બે વર્ષથી અહી અખંડ યજ્ઞ ચાલી રહ્યો છે. ચિત્રકુટના આચાર્યો અહી રોજ યજ્ઞ કરાવી રહ્યાં છે. તેની વચ્ચે આ કૃત્યથી લોકોમા રોષ છે. અહીના ઉપાસક રાજેશભાઇ જેઠવાએ જણાવ્યું હતુ કે ૧૦ વર્ષના યજ્ઞમા કેાઇએ વિઘ્ન ન નાખવુ, બલિપ્રથા કાયદાથી પ્રતિબંધિત છે. મંદિરમા ચારે તરફ સીસીટીવી કેમેરા પણ છે. આવા કોઇ કૃત્યને સાંખી નહિ લેવાય. અહી પાંચેક વર્ષ પહેલાં પણ કેટલાક લોકોએ પશુ બલી ચડાવી હતી. જાેકે એ સમયે મંદિરના ગર્ભગૃહમાં બલી ચડાવાઇ ન હતી. પણ થોડે દૂર આ કૃત્ય કરાયું હતું અને સ્થાનિક તંત્રએ દરોડો પાડયો હતો. પોલીસે પશુ બલીની ઘટનાના આરોપીઓને પકડતા વિવિધ સમાજના લોકો મોટી સંખ્યામા બાબરા પોલીસ મથકે ઊમટયા હતા. સુવાળીયા ઠાકોર સમાજના અગ્રણી સુરેશભાઇ ધાખડા અને ભરવાડ સમાજના પ્રમુખ ખોડાભાઇ રાતડીયાએ જણાવ્યું હતુ કે આ અંગે મંદિરના સંચાલકો સાથે બેઠક કરી સમાધાનનો પ્રયાસ કરાયો હતો. પરંતુ સફળતા મળી ન હતી.વધુ વાંચો -
સંરક્ષિત એવા મેંગૃવ્ઝના વૃક્ષોને કેમિકલ નાંખીને બાળી નાંખવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં
- 07, એપ્રીલ 2022 01:30 AM
- 3592 comments
- 2804 Views
અમરેલી, અમરેલીના રામપરા-૨ ગામના દરિયાકાંઠે કેમીકલ નાખી મેન્ગ્રુવ્ઝને બાળી નાખવામા આવ્યા છે. સંરક્ષિત વિસ્તારમા આ રીતે મેન્ગ્રુવ્ઝને બાળી નાખવા છતા તંત્ર દ્વારા આંખ આડા કાન કરી રહ્યુ છે. રાજુલા જાફરાબાદના દરિયાકાંઠાના વિસ્તારમા કુદરતી રીતે જ મેન્ગ્રુવ્ઝના વૃો ઉગી નીકળેલા છે.પ્રકૃતિ પોતાની રીતે જ અહી આ વૃોનુ સર્જન કરે છે. કારણ કે આ વૃો દરિયાઇ પાણીથી જમીનનુ રક્ષણ કરે છે. જાે આ વૃોને હટાવવામા આવે તો અહીનુ પ્રાકૃતિક સંતુલન ખોરવાય છે અને દરિયાના ખારા પાણીથી આગળની જમીનને રક્ષણ મળતુ નથી. રાજુલા જાફરાબાદ પંથકમા હવે આવુ પ્રાકૃતિક સંતુલન ખોરવાઇ રહ્યું છે. કારણ કે વિકાસની લ્હાયમા સરકારી તંત્ર દ્વારા અહી મેન્ગ્રુવ્ઝના વૃોનુ જે રીતે નિકંદન નીકળી રહ્યું છે. તેને નજર અંદાજ કરવામા આવી રહ્યું છે. અહી પીપાવાવ પોર્ટ ઉપરાંત મોટી મોટી અનેક કંપનીઓ કાર્યરત છે.આ મહાકાય ઉદ્યોગો પ્રકૃતિ સાથે ખુલ્લી છેડછાડ કરી રહ્યાં છે. રાજુલા તાલુકાના રામપરા-૨ ગામ તથા આસપાસના વિસ્તારમા મોટા પ્રમાણમા મેન્ગ્રુવ્ઝનુ જંગલ છે. પરંતુ અહીના ઉદ્યોગો દ્વારા તેનો નાશ કરવામા આવી રહ્યો છે. આ વિસ્તારમા મેન્ગ્રુવ્ઝના ઘટાદાર જંગલ પર ઝેરી કેમીકલ છાંટી તેનો નાશ કરવામા આવી રહ્યો છે. જે સમયે અગાઉના વર્ષોમા મેન્ગ્રુવ્ઝની ઘટાદાર પટી દરિયાકાંઠે છવાયેલી હતી તેનો ક્રમશ નાશ કરી દેવામા આવ્યો છે.આ મહાકાય કંપનીઓ પર્યાવરણને નુકશાન પહોંચાડતી હોવા છતા તંત્ર કોઇ જ કાર્યવાહી કરતુ નથી. રામપરાના ભીખાભાઇ વાઘ દ્વારા ગુજરાત ઇકોલોજી કમીશન અને અન્ય વિભાગોને રજુઆત કરી હતી. આમપણ રાજુલા પંથકમા દરિયાની ખારાશ અંદર સુધી ૧૦ થી ૧૫ કિલોમીટર સુધી ફરી વળી છે. ચુનાના પથ્થરોની લહેરને તોડી નખાતા ભુતળમા દરિયાના ખારા પાણી ઘુસી ગયા છે.વર્ષ ૨૦૧૯મા ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરીટી દ્વારા નેશનલ સેન્ટર ફોર સસ્ટેનેબલ કોસ્ટલ મેનેજમેન્ટની મદદથી દરિયાકાંઠાનો દરિયો બનાવાયો હતેા. જેમા આ વિસ્તારમા મેન્ગ્રુવ્ઝના ઘટાદાર વૃક્ષો દર્શાવાયા હતા. જેનો ત્રણ જ વર્ષમા નાશ કરી દેવાયો છે.સુપ્રિમ કોર્ટ તથા ગુજરાત હાઇકોર્ટે અગાઉ આદેશ કરી મેન્ગ્રુવ્ઝના વૃક્ષોથી ૫૦ મીટર અંદર સુધી બફર ઝોન જાહેર કરવાની સુચના આપી હતી. બફર ઝોન વિસ્તારમા કોઇ પ્રકારની બાંધકામ કે ખનન પ્રવૃતિ ન થઇ શકે. અહી બાંધકામ અને ખનન પણ થઇ રહ્યું છે અને મેન્ગ્રુવ્ઝને પણ ખતમ કરાઇ રહ્યાં છે.રામપરાના ભીખાભાઇ વાઘે ગુજરાત ઇકોલોજી કમીશનને લેખિત રજુઆત કરી અહી કઇ રીતે મેન્ગ્રુવ્ઝનો નાશ કરાયો છે અને બફર ઝોનમા ખનન તથા બાંધકામની પ્રવૃતિ કરાઇ રહી છે તે અંગે ઉચ્ચ અધિકારીઓની તપાસ ટીમ બનાવી અહેવાલ તૈયાર કરાવી જવાબદારો સામે પગલા લેવા માંગ કરી છે.વધુ વાંચો -
ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે જેની ઠુમ્મરની નિમણુક
- 28, માર્ચ 2022 01:30 AM
- 6502 comments
- 6361 Views
ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા પ્રદેશ મહિલા પ્રમુખ તરીકે યુવા મહિલા અગ્રણીની નિમણુક કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે કોંગ્રેસ મોવડીમંડળ દ્વારા યુવા અગ્રણી એવા કુ. જેન્ની ઠુમ્મરની નિમણુક કરવામાં આવી છે. મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે યુવાન અને શિક્ષિત મહિલાની નિમણુક કરવામાં આવી છે, જેના કારણે આગામી વિધાનસભાની ચૂંટણીમાં યુવા મહિલાઓમાં કોંગ્રેસ તરફી ઝુકાવ વધારી શકાય. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખની મુદ્દત પૂર્ણ થઈ ગયા બાદ નવા મહિલા પ્રદેશ પ્રમુખ તરીકે દિલ્હી મોવડીમંડળ દ્વારા પસંદગીની પ્રક્રિયા ચાલી રહી હતી. જે અંગે ગત પખવાડિયામાં દિલ્હી ખાતે રાષ્ટ્રીય મહિલા કોંગ્રેસના પ્રમુખ સહિતની ટીમ દ્વારા ગુજરાતની મહિલાઓના ઈન્ટરવ્યું લેવામાં આવ્યા હતા. જેમાં પ્રબળ દાવેદારોમાં અમદાવાદના ગીતા પટેલ, વડોદરાના તૃપ્તિ ઝવેરી અને અમરેલીના કુ. જેન્ની ઠુમ્મરનો સમાવેશ થયો હતો.યુવક કોંગ્રેસ દ્વારા આજે ગાંધીનગરમાં યુવા સ્વાભિમાન સંમેલન ગાંધીનગર રાજ્યના યુવાનોના વિવિધ પ્રશ્નોને વાચા આપવા માટે તેમજ પેપર ફૂટવા, નોકરીઓની ભરતી રદ થવી, બેરોજગારી સહિતના મુદ્દે વિરોધ પ્રદર્શિત કરવા માટે ગાંધીનગર ખાતે યુવક કોંગ્રેસ દ્વારા ‘યુવા સ્વાભિમાન સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યુવાનોને લગતા પ્રશ્નોને વાચા અપાશે. પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા દ્વારા રાજ્યના યુવાનોના વિવિધ પ્રશ્નોને વાચા આપવા તેમજ સરકારી નોકરીઓની ભરતીઓમાં પેપર ફૂટવાની ઘટનાઓ, સરકારી નોકરીની ભરતીઓ રદ થવી, રાજ્યમાં વધી રહેલી બેરોજગારી જેવા મુદ્દાઓના વિરોધમાં તારીખ ૨૮ માર્ચને ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના નેજા હેઠળ ‘યુવા સ્વાભિમાન સંમેલન’ નું આયોજન કરવામાં આવ્યું છે.વધુ વાંચો -
લાઠીના નારણ સરોવરમાં ન્હાવા પડેલા દૂધાળાના પાંચ કિશોરના ડૂબી જતાં મોત
- 27, માર્ચ 2022 01:30 AM
- 5571 comments
- 5351 Views
અમરેલી અમરેલીમાં લાઠી નજીક દુધાળા ગામના નારાયણ સરોવરમાં બપોરના પાંચ કિશોરો ન્હાવા આવ્યા હતા. ત્યારે આ કિશોરો પાણીમાં ડૂબી ગયા હતા. જેથી તંત્ર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન આ તમામ કિશોરના મૃતદેહ મળી આવ્યાં છે. કિશોરોના મોતના પગલે તેના પરિવારજનોમાં માતમ છવાયો છે. લાઠીના દુધાળા ગામ નજીક નારણ સરોવરમાં ૫ કિશોરો ન્હાવા ગયા બાદ ડૂબી ગયા હતા. જેથી તંત્રના અધિકારીઓ સહિત તરવૈયાઓ મારફતે શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ત્યારે તમામ કિશોરના મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટનાને લઈ ઇન્ચાર્જ મામલતદાર સહિત સ્થાનીક પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા છે. તેમજ શહેરના અગ્રણીઓ સેવાભાવી લોકો પણ દોડી ગયા હતા. તરવૈયાઓ શોધખોળ શરૂ કરી હતી. જે દરમિયાન તમામના મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો નારાયણ સરોવર પહોંચી ગયા હતા. કિશોરો ડૂબ્યાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા અગ્રણીઓ સહિતના લોકો અહીં આવી મદદ કરી રહ્યા છે. ન્હાવા પડેલા તમામ કિશોર વયના હતા. આ તમામ લાઠી શહેરના રહેવાસી છે. દુધાળા ખાતે આવેલા તળાવમાં ન્હાવા પડતા ડૂબી ગયા હતા. જેથી તરવૈયાની મદદથી શોધખોળ હાથ ધરાઈ હતી. ત્યારે તમામના મૃતદેહો મળી આવ્યા છે.મૃતકોના નામ વિશાલ મનીષભાઈ મેર(ઉં. વર્ષ ૧૬) નમન અજયભાઇ ડાભી (ઉં. વર્ષ ૧૬) રાહુલ પ્રિવીણભાઈ જાદવ (ઉં.વર્ષ ૧૬) મિત ભાવેશભાઈ ગળથીયા(ઉં.વર્ષ ૧૭) હરેશ મથુરભાઈ મોરી (ઉ.વર્ષ ૧૮)વધુ વાંચો -
રાજુલાની કન્યા શાળામાં ચાલુ વર્ગખંડમાં પોપડાં પડતાં બે વિદ્યાર્થિનીઓને ગંભીર ઈજા
- 17, ફેબ્રુઆરી 2022 01:30 AM
- 5609 comments
- 329 Views
અમરેલી, અમરેલી જિલ્લાના રાજુલામાં આવેલી કન્યા શાળા નંબર-૧માં ચાલુ વર્ગખંડમાં છતમાંથી પોપડાં પડતાં બે વિદ્યાર્થિની ઈજાગ્રસ્ત થઈ હતી. બે પૈકીની એક વિદ્યાર્થિનીને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી વધુ સારવાર માટે ભાવનગર ખેસડવામાં આવી છે. શાળામાં દુર્ઘટના સર્જાયા બાદ જર્જરિત વર્ગખંડો બંધ કરવાનો ર્નિણય લેવાયો છે. રાજુલામાં આવેલી કન્યા શાળા નંબર- શાળા ચાલી રહી હતી. ત્યારે ધોરણ ૮ના ક્લાસમાં છતમાંથી અચાનક પોપડાં ખરી પડતાં નીચે અભ્યાસ કરી રહેલી વિદ્યાર્થિનીઓ પર પડ્યાં હતાં, જેમાં રિયા વાઢેર અને શ્રુતિ મોઠિયા નામની વિદ્યાર્થિનીઓને ઈજાઓ પહોંચી હતી. ઘટનાના પગલે શિક્ષકો દોડી આવ્યા હતા અને ઘાયલ વિદ્યાર્થિનીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખેસડવામાં આવી હતી. એમાં શ્રૃતિને મહુવાની હોસ્પિટલમાં અને રિયાને વધુ ઈજાઓ પહોંચી હોવાથી ભાવનગર સારવાર માટે ખસેડવામાં આવી છે. રાજુલાની જે કન્યા શાળામાં આ ઘટના બની છે એ શાળા ૬૦ વર્ષ જૂની હોવાનું જાણવા મળ્યું છે. વર્ષ ૨૦૧૫માં શાળાના ઓરડાઓનું રિનોવેશન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. શાળાના આચાર્ય દિનેશ વાળાએ કહ્યું હતું કે જે છતમાંથી પોપડાં પડ્યાં એ જર્જરિત ન હતી. તેમ છતાં કોઈ કારણોસર આ ઘટના બની હતી. ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને એ માટે હવે આ બિલ્ડિંગમાં શિક્ષણકાર્ય બંધ કરી સામે આવેલા બિલ્ડિંગમાં ખસેડવાનો ર્નિણય કર્યો છે. રાજુલા તાલુકા શિક્ષણ અધિકારી હિનાબેન ચાંઉએ કહ્યું હતું કે જે વર્ગખંડમાં આ ઘટના બની એ બંધ કરવાની સૂચના આપવામાં આવી છે. ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટના ન બને એ માટે શાળાઓને તકેદારી રાખવા પણ સૂચના આપવામાં આવી છે.વધુ વાંચો -
યાર્ડમાં કપાસની સિઝનની શરૂઆતથી કપાસની આવકમાં સતત વધારો
- 30, જાન્યુઆરી 2022 01:30 AM
- 508 comments
- 1008 Views
બાબરા, બાબરા પંથકમાં ગત વર્ષ કરતા કપાસની સારી એવી આવક જાેવા મળી રહી છે. યાર્ડમાં કપાસની સિઝનની શરૂઆતથી કપાસની આવકમાં સતત વધારો જાેવા મળી રહૃાો છે અને ભાવમાં પણ સતત સારો એવો વધારો આવતા રહેતા ખેડૂત વર્ગમાં આનંદની લાગણી જાેવા મળી રહી છે. બાબરામાર્કેટીંગયાર્ડમાં ખેડૂતને પુરતો ભાવ મળી રહેતા સૌરાષ્ટ્રના મોટાભાગનાં જિલ્લા અને તાલુકા સેન્ટર પરથી ખેડૂતો કપાસ વેચાણ કરવામાં લાઈન લગાવી રહૃાા છે અને યાર્ડમાં થતી વધુ આવક જિલ્લા બહારથી આવતો કપાસ પણ છે. બાબરામાં માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા એક પખવાડિયાથી કપાસની સારીએવી આવક જાેવા મળી રહી છે અને તેમાં ઉત્તરોત્તર વધારો પણ જાેવા મળી રહૃાો છે અને યાર્ડમાં સારો કપાસ મળતા વેપારીઓએ પણ ખરીદીમાં હોડ લગાવતા ખેડૂતોને ભાવ પણ સારો મળી રહૃાો છે જેના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જાેવા મળી રહી છે.આજે રૂા. ૧૬૦૦ તેમજ ર૦૭પ સુધી ઊંચો કપાસનો ભાવ બોલાયો હતો અને ૩૦ હજાર મણ જેટલી આવક પણ જાેવા મળી હતી.વધુ વાંચો -
મહિલા કોલેજના સમયમાં ફેરફાર ના થતાં એબીવીપીના કાર્યકરો સાથે મળી કોલેજને તાળાબંધી
- 18, જાન્યુઆરી 2022 01:30 AM
- 5858 comments
- 564 Views
અમરેલી, અમરેલી શહેરમાં આવેલી એમ. એમ. મહિલા કોલેજ ટ્રસ્ટ સંચાલિત ચાલી રહી છે. અહીં મોટા પ્રમાણમાં વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરવા માટે આવી રહી છે જ્યારે અગાઉ સવારે ૮ વાગ્યાનો સમય હતો તે કોલેજના મેનેજમેન્ટ દ્વારા ફેરફાર કરી સમય બદલાવતા વિદ્યાર્થિનીઓ સમયસર ઘરે પહોંચી શકતી ના હોવાની ફરિયાદ છે. જેના કારણે કોલેજના પ્રિન્સિપાલ અને મેનેજમેન્ટ સુધી રજૂઆતો કરાઈ પરંતુ કોઈ પરિણામ મળ્યું નહિ આખરે આજે વિદ્યાર્થિનીઓની વ્હારે અમરેલી ના કેટલાક યુવાનો મદદ માટે આવતા તમામ વિધાર્થિનીઓએ એકઠા થઇ કોલેજને તાળું મારી દીધું હતું. જયશ્રી નામની વિધાર્થિનીએ કહ્યું કે, કોલેજમાં બપોરનો ટાઈમ છે તે ટાઈમ અમારે અનુકૂળ નથી આવતો સવારનો ટાઈમ કરવો છે પણ કોઈ નથી કરી આપતું. અગાઉ ૩ દિવસ પહેલા પણ અમે આંદોલન કર્યું હતું અને લેખિત મેનેમેન્ટ ને રજૂઆતો કરી છે છતાં એમ કહે છે ટાઈમ તો ચેન્જ નહી જ થાય. અમારે સવારનો ટાઈમ કરવો છે કેમ કે ગામડા વાળા ને આ ટાઈમે ઘરે પોહચવામાં રાત પડી જાય છે. અમને જાણ પણ ન કરી અને સવારનો ટાઈમ ચેન્જ કરી બપોરનો કરી દીધો છે. ઇન્ચાર્જ પ્રિસિપાલ બી.આર.ચુડાસમા એ કહ્યું સમયમાં થોડો ફેરફાર કર્યો છે મેનેજમેન્ટ કહે છે વહેલી સવારે કેટલાક વિદ્યાર્થીઓ નથી પહોંચી શકતા. મેં આજે મેનેજમેન્ટ ને પણ જાણ કરી હતી મેનેજમેન્ટ વિધાર્થીઓ ને મળ્યા છે સમજાવ્યા છે.વધુ વાંચો -
અમરેલી પોલીસની દેશી દારુની ભઠ્ઠીઓ પર તવાઈ ડ્રોનથી ભઠ્ઠીઓ શોધી નાશ કરી દેવાઇ
- 10, જાન્યુઆરી 2022 01:30 AM
- 277 comments
- 8711 Views
અમરેલી, અમરેલી જિલ્લામાં દારૂબંધીના કડક અમલ અને ગેરકાયદેસર વેચાણ/સેવન/વહન અટકાવવા અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયની સુચનાથી દારૂ ગાળવા માટે ભઠ્ઠી ચલાવવાની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામા આવ્યો હતો. જેને લઈને સ્પેશિયલ ભઠ્ઠી અંગેની પ્રોહિબિશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવ દરમિયાન અમરેલી જિલ્લા પોલીસને દારૂ બનાવવા માટે ભઠ્ઠી ચલાવતા ઇસમો સામે ડ્રોનનો ઉપયોગ કરીને દારૂ બનાવવાની ભઠ્ઠીઓ શોધી કાઢવામાં સફળતા મળી છે.અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ડ્રાઇવ દરમ્યાન કુલ ૬૫ કેસો કરવામાં આવ્યા છે. જેમાં ભઠ્ઠીના ૯, દેશી દારૂ કબ્જાના ૨૩ તથા કેફી પીણુ પીવા અંગેના ૩૩ કેસો કરવામાં આવ્યા છે. ઉપરાંત ડ્રોન દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં પોલીસ દ્વારા અમરેલી તાલુકા વિસ્તારનાં ચિતલ ગામે ડ્રોન ઉડાડી ડ્રોનની મદદથી ત્રણ જગ્યાએથી ચાલુ દેશી દારૂની ભઠ્ઠીઓ પકડવામાં આવી હતી. જેમાં એક જગ્યાએથી રૂ. ૬૬૦ની કિંમતનો ૩૩ લિટર દેશી દારૂ, ૨૭૦ રૂપિયાની કિંમતનો ૧૩૫ લિટર આથો, દારૂ બનાવવા માટે રૂપિયા ૭૧૦ની કિંમતના ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ. ૧૬૪૦ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને પકડી પાડવામાં આવ્યા હતા. અન્ય જગ્યાએથી રૂ. ૨૨૮૦ની કિંમતનો ૧૨૪ લિટર દેશી દારૂ, ૩૬૪ રૂપિયાની કિંમતનો ૧૮૨ લિટર આથો, દારૂ બનાવવા માટે રૂપિયા ૧૮૨૫ની કિંમતના ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ. ૪૪૬૯ના મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે ડ્રાઇવ દરમ્યાન દારૂ બનાવવા માટે ભઠ્ઠી ચલાવવાની અને દારૂ વેચાણની પ્રવૃતિ કરતા તેમજ કેફી પીણુ પીધેલા કુલ ૪૯ આરોપીઓને પકડી પાડી તેમની સામે ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.વધુ વાંચો -
વડીયા એસટી બસ સ્ટેન્ડમાં સીસી રોડમાં ગાબડાં પડતા સળિયા બહાર નીકળ્યા
- 09, જાન્યુઆરી 2022 01:30 AM
- 4368 comments
- 5018 Views
અમરેલી, અમરેલી જિલ્લાના વડીયા બસ સ્ટેન્ડમાં સીસી રોડ બિસ્માર બનતા સળિયા બહાર નીકળી આવ્યા છે જેના કારણે અકસ્માતનું જાેખમ ઉભું થયું છે. સ્થાનિક લોકોએ તાત્કાલીક રસ્તાનું સમારકામ કરાવવાની માગ કરી છે. વડીયા એસટી બસ સ્ટેન્ડ બન્યાને ૫ વર્ષ થયા છે. બસ સ્ટેન્ડની અંદર બનાવવામાં આવેલા સીસીરોડમાં ગાબડાઓ પડતા સળિયાઓ બહાર નીકળી આવ્યા છે જેના કારણે અકસ્માતનું જાેખમ સર્જાયું છે. બસ સ્ટેન્ડના બિસ્માર રસ્તાઓ મુદ્દે અનેકવાર રજૂઆતો કર્યા બાદ પણ સમારકામ થયું નથી. ત્યારે લોકોએ તાત્કાલીક રસ્તાને રિપેરીંગ કરવાની માગ કરી છે.વધુ વાંચો -
ચિત્તલ ગામે હથિયારો વેચનાર પાંચ ઝડપાયા
- 01, જાન્યુઆરી 2022 01:30 AM
- 5204 comments
- 2431 Views
અમરેલી, અમરેલીના ચિતલ ગામે રહેતા એક યુવકને તેજ ગામે રહેતા હરેશ પરશોતમભાઈ પંડયા તથા મનિષ હરેશ પંડયા નામના ઈસમો એક અઠવાડિયા પહેલા રિવોલ્વર જેવું કંઈક હથિયાર બતાવી મારી નાખવાની ધમકી આપેલ હોય, આ અંગે અમરેલી તાલુકા પોલીસમાં ગત તા.૨૩ના રોજ પોલીસ ફરિયાદ નોંધાયેલ જે બનાવમાં બન્ને આરોપી નાશી ગયા હોય, અને આરોપીને શોધી કાઢવા અમરેલી એલ.સી.બી. પોલીસ ઠેર ઠેર તપાસ કરતી હોય, ત્યારે તેમને મળેલ બાતમીના આધારે આ બનાવના બે આરોપી મળી કુલ ૪ ઈસમો ગેરકાયદેસરના હથિયારોની ખરીદ વેચાણ કરવા ભેગા થયેલાઓને વિદેશી બનાવટની રિવોલ્વર, દેશી તમંચા નંગ-ર, નાના મોટા કાર્ટીસ નંગ-૮૬, ફોન નંગ-૩ તથા કાર મળી કુલ ૫,૩૯,૮૦૦નો મુદામાલ કબ્જે લઈ પોલીસે ઝડપાયેલ હરેશ પંડયા, મનિષ પંડયા, જયપાલસિંહ ફોરનસિંહ ચૌહાણ તથા સુજાનસિંહ બનવારીલાલ કુસવાહ સામે ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.મારામારી થોરડી ગામે રહેતા અને ખેતમજૂરી કામ કરતા લક્ષ્મણભાઈ મધુભાઈ પરમાર તથા તેમના ભત્રીજા શૈલેશભાઈ બેચરભાઈ પરમાર વચ્ચે સહિયારી જમીન હોય અને આંબરડી ગામે સહકારી બેન્કમાંથી રૂા. ૧,૦૨,૦૦૦ લોન લીધેલ હોય જેના હપ્તાઓ શૈલેશ પરમાર સહિતનાં લોકો ભરતા ન હોય. જેથી તેમને હપ્તા ભરવાનું કહેતા તેમના ભાભી સહિત ૪ લોકોએ લક્ષ્મણભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી મુંઢમાર મારી ઈજા કર્યાની ફરિયાદ ટાઉન પોલીસમાં નોંધાઈ છે. આપઘાત અમરેલીનાં રોકડીયાપરામાં રહેતા વર્ષાબેન રમેશભાઈ મકવાણા નામનાં ૪૧ વર્ષીયમહિલાએ ગત તા. ર૭નાં રાત્રીનાં સમયથી તા. ર૮નાં બપોર સુધીનાં સમયગાળા દરમિયાન કોઈ અગમ્ય કારણોસર પોતાની મેળે ગળાફાંસો ખાઈ લેતા તેણીનું મોત નિપજયાનું અમરેલી તાલુકા પોલીસમાં જાહેર થવા પામેલ છે. ગૌવંશની હત્યા મોટા ખાટકીવાડમાં રહેતા વલીભાઈ કાલવા, ફારૂક કાલવા નામનાં બે ઈસમોએ પોતાનો આર્થિક ફાયદો મેળવવાનાં ઈરાદે ગૌવંશ વાછરડાની કતલ કરી તેનું લોહી તથા અન્ય ખરાબ ખરાબ કચરો પાલિકાની ખુલ્લી ગટરમાં નાખી જાહેરમાં ઉપદ્રવ ફેલાવી તથા પશુ પાડાને ઘાસચારા કે પાણીની સગવડતા કર્યા વગર કતલ કરવાનાં ઈરાદે ક્રુરતાપૂર્વક બાંધી રાખેલ હોય. આ અંગે સીટી પોલીસે આ બન્ને ઈસમ સામે ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.વધુ વાંચો -
અમરેલીના વડીયા નજીક ટ્રકને ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડી
- 27, ડિસેમ્બર 2021 01:30 AM
- 5427 comments
- 2085 Views
અમરેલી અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી ઓવર લોડ વાહનોની અવર જવર વધી રહી છે. જેના કારણે નાના મોટા અકસ્માતની ઘટનાઓ પણ બની રહી છે. ત્યારે આજે વહેલી સવારે વડીયા શહેરમાં ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં એક ટ્રક ચાલક ઓવર લોડ ભરીને જઈ રહ્યો હતો જેને ઝડપી લીધો હતો. ટ્રક ચાલક રાજકોટ જિલ્લા માંથી વડીયા વિસ્તારમાં પ્રવેશ કરતા ટ્રક ચાલકને ઝડપી પાડ્યો હતો. ટ્રકમાં નંબર પ્લેટ પણ હતી નહિં. ખાણ ખનીજ વિભાગ દ્વારા ૧૦ લાખનો મુદ્દામાલ કબજે કરી વડીયા પોલીસ સ્ટેશનને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા, રાજુલા જાફરાબાદ પીપાવાવ કોસ્ટલમાં ટ્રકો ઓવર લોડ ફરી રહ્યા છે. અહીં ટ્રાન્સપોર્ટનો મોટો ઉદ્યોગ હોવાને કારણે સતત અવર લોડ ભરી ટ્રક ચલાવવામાં આવી રહી છે. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ આ.ટી.ઓ.વિભાગની મીઠી નજર હેઠળ ઓવર લોડ ટ્રકો ચાલી રહી છે. સાથે સાથે ખાનગી ટ્રાવેલ્સ બસમાં પણ નિયમ કરતા વધુ મુસાફરો જાેવા મળી રહ્યા છે. ત્યારે આર.ટી.ઓ.વિભાગ કેમ કાર્યવાહી નથી કરતું તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે.વધુ વાંચો -
અમરેલી-વેરાવળ મીટરગેજ ટ્રેન શરૂ
- 18, ડિસેમ્બર 2021 01:30 AM
- 8731 comments
- 2631 Views
અમરેલી, યાત્રિઓની માંગ અને સુવિધાને ઘ્યાનમાં રાખીને રેલ્વે બોર્ડ પશ્ર્વિમ રેલ્વે ભાવનગર ડિવિઝનની અમરેલી- વેરાવળ- અમરેલી (૦૦૯પ૦૮/ ૦૯પ૦પ) અને અમરેલી- જૂનાગઢ- અમરેલી (૦૯પ૩૯/ ૦૯પ૪૦) મીટરગેજ દૈનિક વિશેષ ટ્રેન ચલાવવાનો ર્નિણય લીધો છે. આ વિશેષ ટ્રેનોનું ભાડું મેલ/ એકસપ્રેસ ટ્રેનના જનરલ કોચના ભાડા જેટલું હશે. ઉપરોકત બંને વિશેષ ટ્રેનોની વિગત નીચે મુજબ છે. ૧) અમરેલી- વેરાવળ- અમરેલી (૦૯પ૦૮/ ૦૯પ૦પ) મીટરગેજ દૈનિક વિશેષ ટ્રેન ટ્રેન નંબર ૦૯પ૦પ વેરાવળ - અમરેલી ૧૬ મી ડિસેમ્બર, ર૦ર૧થી દરરોજ બપોરે ૧રઃપ૦ કલાકે વેરાવળ સ્ટેશનથી ઉપડશે અને ૧૮ઃ૦૦ કલાકે અમરેલી સ્ટેશને પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર ૦૯પ૦૮ અમરેલી- વેરાવળ ૧૭મી ડિસેમ્બર, ર૦ર૧થી દરરોજ બપોરે ૧રઃ૦પ કલાકે અમરેલી સ્ટેશનેથી ઉપડશે અને ૧૭ઃર૦ કલાકે વેરાવળ સ્ટેશન પહોંચશે. ર) અમરેલી- જૂનાગઢ- અમરેલી (૦૯પ૩૯/ ૦૯પ૪૦) મીટરગેજ દૈનિક વિશેષ ટ્રેન ટ્રેન નંબર ૦૯પ૩૯ અમરેલી- જૂનાગઢ ૧૭મી ડિસેમ્બર, ર૦ર૧થી દરરોજ ૬ઃરપ કલાકે અમરેલી સ્ટેશનથી ઉપડશે અને જૂનાગઢ સ્ટેશને ૧૦ઃ૧પ કલાકે પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર ૦૯પ૪૦ જૂનાગઢ- અમરેલી ૧૭મી ડિસેમ્બર, ર૦ર૧ થી દરરોજ ૧૭ઃ૪૦ કલાકે જૂનાગઢ સ્ટેશનથી ઉપડશે અને ર૧ઃ૩૦ કલાકે અમરેલી સ્ટેશન પહોંચશે.વધુ વાંચો -
રાજુલામાં વિદ્યાર્થીઓ દ્વારા બસ સ્ટેશન પર ચકકાજામ
- 13, ડિસેમ્બર 2021 01:30 AM
- 3750 comments
- 2547 Views
અમરેલી, રાજુલા તાલુકાનાં આજુબાજુનાં ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓને મુસાફરી કરવી કઠીન બની છે. અને વિદ્યાર્થીઓને સમયસર બસ ન મળતા ભારે રોષ જાેવા મળ્યો હતો અને વિદ્યાર્થીઓ દ્વારા બસ સ્ટેશન પર ચકકાજામ કરવામાં આવ્યો હતો. રાજુલા બસ સ્ટેશન ખાતે વિદ્યાર્થીની અને કોંગ્રેસ કાર્યકરો તેમજ એનએસયુઆઈની ટીમ સાથે મળીને ચકકાજામ કરતા ડેપો મેનેજર દોડી આવ્યા હતા અને જાંજરડા, બારપટોળી તેમજ કુંડલીયાળા ગામોની બસ નિયમિત ન આવતા વિદ્યાર્થીઓ હેરાન-પરેશાન થતાં અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી. છતાં પણ એસ.ટી. તંત્ર ઘ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હતા.વિદ્યાર્થીનીઓ ઘ્વારા ચકકાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો અને ડ્રાઈવર દ્વારા ઉંડાઉ જવાબ આપતા ભારે રોષ જાેવા મળ્યો હતો અને રાજુલાનાં ધારાસભ્ય અંબરિષ ડેરને જાણ થતાં તાત્કાલિક તેમની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ધારાસભ્ય ઘ્વારા એસ.ટી. વિભાગના ઉચ્ચ અધિકારી સાથે ટેલિફોનીક વાતચીત કરી હતી અને એસ.ટી. ડેપો મેનેજર સાથે જે બસો બંધ છે તેની ચર્ચાઓ કરી હતી. બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહૃાાં હતા. આ તકે હિતેષભાઈ વાળા, ઘનશ્યામભાઈ લાખણોત્રા, રવીરાજભાઈ ધાખડા, સંકલ્પભાઈ જીવાણી, ધવલભાઈ લાખણોત્રા, કરણભાઈ કોટડીયા, હિતેષભાઈ સોલંકી સહિત કોંગ્રેસ કાર્યકરો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહૃાા હતા.વધુ વાંચો -
થોરડી ગ્રામ પંચાયત સમરસ બની
- 13, ડિસેમ્બર 2021 01:30 AM
- 7511 comments
- 6756 Views
સાવરકુંડલા, સાવરકુંડલા તાલુકાની થોરડી ગ્રામ પંચાયત આઝાદી બાદ કયારેય બિનહરીફ બની ન હતી. અને જ્ઞાતિવાદ અને કુટુંબવાદના કારણે ગામની છાપ હંમેશા વિવાદાસ્પદ રહી હતી. જાે કે પાછલા ચારેક વર્ષથી ગામના ડો.પ્રકાશભાઇ બરવાળીયાએ ગામનો વિકાસ કરવાનુ બીડુ ઝડપી લીધુ હતુ અને ગામના આગેવાનોની સમજાવટ કરતા આ વખતે થોરડી ગ્રામ પંચાયત બિનહરીફ બની હતી.ડો.પ્રકાશભાઈ બાબુભાઈ બરવાળીયાએ ગામનો વિકાસ કરવાનું બીડું ઝડપ્યું છે. તેમણે ગામના જ ઉત્સાહી યુવાનોની ટીમ બનાવીને ગામની એક પછી એક સમસ્યાઓ બાબતે અભિયાન હાથ ધર્યું. સૌપ્રથમ તેમણે એક પણ પ્રકારની સરકારી સહાય વિના ગામમાં જળક્રાંતિ અભિયાન ચલાવ્યું અને ગામમાં ૧૨ જેટલા નાના મોટા ચેકડેમ બનાવ્યાં. જેના કારણે ગામમાં ભૂગર્ભ જળસ્તર પહેલાં હજાર ફૂટે હતું તે આજે ચાલીસ પચાસ ફૂટે આવી ગયું છે. ત્યારબાદ તેમણે ગામમાં ગામને નંદનવન બનાવવા દસ હજાર જેટલા વૃક્ષો વાવ્યા અને આ વૃક્ષોની યોગ્ય માવજત કરીને મોટા કર્યાં. આ ઉપરાંત ગામમાં લોકોએ હાંકી કાઢેલી ગાય બળદ માટે ગૌશાળા શરૂ કરી. આ તમામ કામોમાં થોરડી ગામનાં લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો. ડો.પ્રકાશભાઈને ધ્યાનમાં આવ્યું કે ગ્રામ પંચાયતની ચૂંટણીનાં કારણે ગામમાં વિવાદો ઉભા થાય છે. અને એનાં લીધે ગામની એકતા અને શકિત બગડે છે. એટલે હાલ આવનારી ગ્રામ પંચાયતની ચૂંટણી બાબતે તેઓ સુરતથી થોરડી જઈને ગામ લોકોની જાહેર મીટીંગ કરી હતી. ગામ લોકોને પ્રેમથી સમજાવ્યા હતાં. અને બિનહરીફ ચૂંટણી કરવા સહકાર આપવા સહકાર આપવા વિનંતી કરી હતી. ગામનાં તમામ લોકોએ પણ ડોક્ટરનાં આ ર્નિણયને આવકાર્યો હતો. અને બિનહરીફ ચૂંટણી માટે પૂરો સાથ આપ્યો. આખરે સર્વસંમતિથી ગામ લોકોએ ગામનાં વડીલ એવાં જયાબેન પ્રાગજીભાઈ કસવાળાને બિનહરીફ સરપંચ જાહેર કર્યા હતાં. આ સમય ગામ માટે એક નવા યુગની શરૂઆત બની ગઈ અને ઐતિહાસિક ઘટના બની ગઈ છે. હંમેશા એવું કહેવાતું હતું કે થોરડીમાં કોઈ દિવસ બિનહરીફ ચૂંટણી ન થઈ શકે એ આજે થોરડીનાં લોકોએ કરી બતાવ્યું છે કે હવે થોરડી કોઈ એવું મહેણું ન મારી શકે. બિનહરીફ સરપંચ જાહેર કરીને ગામમાં ચૂંટણી થતી અટકાવીને સરકારી મશીનરી અને લોકોનો સમયનો દુર્વ્યય અટકાવ્યો છે. ગામની એકતા અને સંગઠન મજબૂત બન્યાં છે.વધુ વાંચો -
હીરા સોલંકી અને પરષોત્તમ સોલંકીની મુલાકાત બાદ રણનીતિ ઘડાયાની ચર્ચા
- 07, ડિસેમ્બર 2021 01:30 AM
- 3845 comments
- 2742 Views
અમરેલી, અમરેલીના ૯૮ રાજુલા, જાફરાબાદ અને ખાંભા વિધાનસભા વિસ્તારમાં કોળી સમાજનું પ્રભુત્વ છે. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ છેલ્લા કેટલાય દિવસોથી ભાજપના પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી કોળી સમાજનું વર્ચસ્વ વધારવા અને સંગઠન મજબૂત કરવા માટે યુવાનો સાથે સતત દોડધામ કરી રહ્યા છે. આ દરમિયાન રવિવારે મોડી રાતે હીરા સોલંકીના નિવાસસ્થાને તેમના મોટા ભાઈ પૂર્વ મંત્રી ઘોઘાના ધારાસભ્ય પરષોત્તમ સોલંકીએ ઓચિંતી મુલાકાત કરી હતી. જેને લઈ રાજકારણ ગરમાયું છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ રણનીતિ ઘડાય હોવાની ચર્ચા થઈ હોવાની શક્યતા છે. બીજી તરફ આ સમાચાર મળતા કોળી સમાજના યુવાનો હોદ્દેદારો પરષોત્તમ સોલંકીને મળવા પહોંચી ગયા હતા. આ વિસ્તારમાં કોળી સમાજના સંગઠનને લઈ કેટલીક ચર્ચાઓ થઈ હોવાની શક્યતા છે. પરષોત્તમ સોલંકી કોળી સમાજના સીનિયર દિગ્ગજ નેતા છે. રાજુલા અને જાફરાબાદ પંથકમાં ખાસ કરીને કોળી સમાજમાં પરષોત્તમ સોલંકીની લોકપ્રિયતા હોવાને કારણે તેમની અવર-જવર વધી હોવાનુ સામે આવ્યું છે. આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે તે પહેલા કોળી સમાજની રણનીતી ફરી તેજ થઈ હોવાનુ મનાય છે. હીરા સોલંકીના નિવાસ સ્થાને કોળી સમાજ સંગઠન સાથે જાેડાયેલા અનેક યુવાનો પહોંચ્યાં હતા.વધુ વાંચો -
મધરાતે ધારાસભ્ય અંબરીશ ડેર અને વેપારીઓએ બેઠક બોલાવી
- 20, નવેમ્બર 2021 01:30 AM
- 4015 comments
- 8816 Views
અમરેલી, અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા શહેરના છતડીયા રોડ પર આવેલા ક્રિષ્ના જવેલર્સના સોની વેપારી દુકાન ખોલે તે પહેલા ૨ શખ્સે બાઇક લઈ આવી રેકી કરી હતી અને સોની વેપારી જેવા દુકાને પહોંચ્યા ત્યારે તેમની આંખમાં મરચું નાખી વેપારી પાસેથી દાગીનાની બેગ લૂંટવાનો પ્રયાસ કરાયો હતો. જાે કે આ વેપારીએ તેમનો હિંમતભેર સામનો કરી ઝપાઝપી કરતાં નજીકના અન્ય લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને લૂંટનો પ્રયાસ નિષ્ફળ બન્યો હતો. જાે કે આ ઘટના બાદ લૂંટારુંઓ નાસી છૂટ્યા હતા. ત્યારબાદ શહેરના વેપારીઓમાં આ બનાવના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. જેના પગલે ગઈ કાલે ગુરૂવારે રાતે રાજુલા નગરપાલિકા પ્રમુખ સહિત ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા ધર્મશાળા ખાતે વેપારીઓ અને સર્વપક્ષી બેઠક બોલાવાઈ હતી. જેમાં ચેમ્બર ઓફ કોમર્સ અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં ચોરી તેમજ લૂંટના પ્રયાસની વધતી ઘટનાઓ અટકાવવા બાબતે ચર્ચા વિચારણા કરાઈ હતી. આ ઉપરાંત શહેરમાં સીસીટીવી લગાવવા માટે પણ ચર્ચા કરાઈ હતી. આ ઉપરાંત સુરક્ષિત રહેવા માટે પણ ચર્ચા વિચારણા કરાઈ હતી. ઘરફોડ ચોરીઓના પગલે બનેલા ત્રણથી ચાર ચોરીના બનાવમાં માત્ર ૧ ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે, ત્યારે બધાએ એક થઈ આગળ આવવું પડશે એવી ચર્ચાઓ કરાઈ હતી. બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર, નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ લાખણોત્રા, શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત જાેશી, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બકુલ વોરા, માર્કેટીંગ યાર્ડના પૂર્વ પ્રમુખ ભાજપ અગ્રણી જીજ્ઞેશ પટેલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.છતડીયા રોડના વેપારી મનીષ વાળાએ કહ્યું હતું કે ઘરફોડ ચોરીની સતત ઘટનાઓ બને છે અને આજે તો લૂંટના પ્રયાસની ઘટના બની હતી. જેથી ઘરફોડ ચોરી અને લૂંટના પ્રયાસની ઘટનાના મૂળ સુધી પ્રશાસન પહોંચે અને યોગ્ય કાર્યવાહી થાય તેવી ભાવના બધા વેપારી વતી તેમણે વ્યક્ત કરી હતી. આ બનાવને પગલે કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેરે કહ્યું હતું કે મંદી, બેરોજગારી તેમજ મોંઘવારીના કારણે ગુજરાતની અંદર ચોરી, લૂંટ, ધાડના બનાવ બને છે તેવી જ ઘટના રાજુલા શહેરમાં બની છે, જેમાં ૨ વેપારીઓને છરી વાગી છે. ત્યારે ગુજરાત સરકારનો મંજુર થયેલો વિશ્વાસ પ્રોજેક્ટ પાસ કરવામાં નહિ આવે તો લોકો સાથે મળી અમે ૩૦ દિવસની અંદર મોટાભાગે સીસીટીવી કેમેરા લગાવીશું તેવું આ બેઠકમાં નક્કી થયું છે.વધુ વાંચો -
રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર માટે ભાજપમાં ખાલી જગ્યા રાખી છે પાટીલ
- 19, નવેમ્બર 2021 01:30 AM
- 4523 comments
- 7507 Views
અમરેલી, વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપનું રાજકારણ ગરમાયું છે. ત્યારે આ વચ્ચે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કોંગ્રેસના એક ધારાસભ્યને પોતાના પક્ષમાં આવવા ખુલ્લુ આમંત્રણ આપ્યું છે. જાહેર મંચ પર પાટીલે આપેલા એક રાજકીય નિવેદનથી બંને રાજકીય પાર્ટીઓ વચ્ચે ગણગણાટ શરૂ થયો છે. આહીર સમાજના બાબરીયા ધાર સમૂહ લગ્નમાં પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે કોંગ્રેસના રાજુલાના ધારાસભ્ય અમરીષ ડેર પ્રત્યે લાગણી વ્યક્ત કરી છે. કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર માટે ભાજપમાં ખાલી જગ્યા રાખી છે તેવું સ્ફોટક નિવેદન ભાજપ પ્રદેશ અધ્યક્ષે આપ્યું છે. કાર્યક્રમમાં સી. આર. પાટીલે કહ્યું કે, ધારાસભ્ય ડેરને ખખડાવવા મારો અધિકાર છે. મારી પાર્ટીના ઘણા લોકો તેમના મિત્ર છે અને તેમનો ઉદય પણ ભાજપમાંથી જ થયો છે. અમે હજુ પણ તેમના માટે ખાસ જગ્યા રાખી છે. પહેલા અમે સાથે હતા, એટલે થોડીથોડી ભૂલ થઈ જાય છે. આમ કહી તેમણે કાર્યક્રમમાં રમૂજી માહોલ બનાવ્યો હતો. મહત્વનું છે કે, હજુ બે દિવસ પહેલા જ રાજ્યના ઊર્જા મંત્રી મુકેશ પટેલ અને અમરીશ ડેર સાથે મુલાકાત થઈ હતી. જે બાદ પાટીલનું આ નિવેદન સૂચક માનવામાં આવે છે.અમરિષ ડેર યુવા કોંગ્રેસનો મજબૂત ચહેરો ગણાય છે. ત્યારે સીઆર પાટીલનું આવું જાહેરમાં તેમના વિશે નિવેદન આપવું મોટી વાત કહેવાય. સમગ્ર મામલે અમરિષ ડેરે જણાવ્યું કે, ભૂતકાળમાં પણ રાજ્યસભા, વિધાનસભાની ચૂંટણીમાં કે અન્ય ચૂંટણીમાં ભાજપમાં જાેડાયા ત્યારે મારુ નામ ચાલતું હતું. ભાજપના પ્રદેશ અધ્યક્ષ વાણી સ્વતંત્રતા અંતર્ગત આવું બોલવા સ્વતંત્ર છે. મારા સંબંધો મારી સાથે બહુ જ સારા છે. તેથી તેમણે પોતીકાપણાના ભાવથી આવું નિવેદન આપ્યું હશે. મેં એક સમયે ભાજપમાં કામ કર્યુ છે, તેની હું ના પાડતો નથી. મારી કાર્યશૈલી જાેઈને તેમણે આવું નિવેદન આપ્યું હોઈ શકે છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આ વિશે જણાવ્યું કે, ભાજપ પાસે કોઈ સક્ષમ ચહેરો નથી, ભાજપને હવે યુવા ચહેરાની જરૂર છે. મને પૂર્વ મુખ્યમંત્રી, નીતિન પટેલ પર દયા આવે છે. તેમણે વર્ષો સુધી કામ કરીને ભાજપને સત્તા પર પહોંચાડી. હવે ભાજપને આ નેતાઓ ગમતા નથી. તેથી તેઓ કોંગ્રેસના નેતાઓને લઈ જવાનો પ્રયાસ કરે છે. હાલ કોરોનાની બીજા લહેર પછી ગુજરાતની જનતા તેઓને સ્વીકારે તેમ નથી. તેથી ક્યાંક આવી વાહિયાત વાતો કરે છે. અમરિષભાઈ અમારા મજબૂત સાથી છે. ભાજપ સામે ૨૦૨૨ ના મુખ્ય સંઘર્ષ માટેના તેઓ અમારા સાથી છે.વધુ વાંચો -
ભમર ગામમાં એક જ પરિવારના ૪ વ્યક્તિઓએ ઝેરી દવા ગટગટાવી
- 19, નવેમ્બર 2021 01:30 AM
- 1621 comments
- 1025 Views
સાવરકુંડલા, સાવરકુંડલા તાલુકાના ભમર ગામે મોડી રાત્રે એક જ પરિવારના ૪ વ્યક્તિઓએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી હતી. જેમને પ્રથમ સાવરકુંડલા હોસ્પિટલમાં અને ત્યારબાદ મોડી રાત્રે વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ભમર ગામના એક જ પરિવારના ૪ વ્યક્તિઓએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં આ તમામ લોકોએ ઘર કંકાસના કારણે પગલું ભર્યું હોવાનુ જાણવા મળ્યું હતું. જેમાં ૨૩ વર્ષીય રેખાબેન હકાભાઈ ખીમસૂરિયા, ૩૦ વર્ષીય હકાભાઇ ભીમાભાઈ ખીમસૂરિયા, ૫૦ વર્ષીય ભીમાભાઈ ભાણાભાઈ ખીમસૂરિયા અને ૪૫ વર્ષીય સોમીબેન ભીમાભાઈ ખીમસૂરિયાનો સમાવેશ થાય છે. આ સમગ્ર ઘટનામાં એક જ પરિવારના ૪ વ્યક્તિએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તમામ લોકોને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.વધુ વાંચો -
પાક નુકસાનીનો સર્વે કર્યા છતાં પણ સહાય નહીં ચૂકવતા ખેડૂતોમાં રોષ
- 18, નવેમ્બર 2021 01:30 AM
- 3869 comments
- 7092 Views
અમરેલી, જિલ્લામાં અતિવૃષ્ટિને લીધે કપાસ મગફળી સહિતના ફરીફ પાકને નુકસાન થયું હતું. પાછોતરો વરસાદ ખેડૂતો માટે મુસીબત બની ગયો હતો. શેત્રુંજી નદીના કાંઠા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડતા કપાસ અને મગફળીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું હતું. જેને લઇને સરકાર દ્વારા નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી ખેડૂતોને સહાય મળી નથી. આથી તાત્કાલિક ખેડૂતોના ખાતામાં સહાય જમા કરાવવામાં આવે તેવી ખેડુતો માગ કરી રહ્યા છે.સરકાર દ્વારા આઠ જિલ્લામાં સર્વેની કામગીરી પૂરી કરવામાં આવી છે. રાજ્યના કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, સર્વે પૂરો થઈ ગયો છે પણ વિચારણા હેઠળ છે. અગાઉ સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, અન્ય જિલ્લાઓને પણ પાક નુકશાનીની સહાય આપવામાં આવશે ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા તાત્કાલીક વિચાર કરે અને પાક નુકસાની સહાય આપવામાં આવે. ભારે વરસાદને લઈને સાવરકુંડલા તાલુકાના ઘોબા,પીપરડી,શેલણા,ફિફાદ સહિતના શેત્રુજી નદીના કાંઠા વિસ્તારના ખેડૂતોના પાકને સારૂએવું નુકશાન થયું હતું.વધુ વાંચો -
નાનકડા કાર્યકરનો પણ ફોન ઉપાડવો પડશે સી.આર. પાટીલ
- 16, નવેમ્બર 2021 01:30 AM
- 6277 comments
- 9378 Views
અમરેલી, લાઠીમાં ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર પાટીલ એક કાર્યક્રમના સંબોધન દરમિયાન અધિકારીઓને કડક અંદાજમાં ટકોર કરી હતી. તેમણે જણાવ્યું કે, અધિકારીઓએ કામ કરવું પડશે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના ફોન પણ ઉપાડવા પડશે. સી.આર. પાટીલે સરકારી અધિકારીઓને ટકોર કરતા જણાવ્યું કે, મુખ્યમંત્રીએ અધિકારીઓને સુચના આપી છે કે, તમામ ધારાસભ્યોના નંબર તમારા મોબાઇલમાં સેવ હોવા જાેઇએ. કોઇ પણ ધારાસભ્ય ફોન કરે તો ફોનનો જવાબ આપો. ગઇકાલે મુખ્યમંત્રીને ફરી એકવાર વિનંતી કરી છે કે, સાહેબ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, પાલિકાઓમાં પણ અધિકારીઓએ ચૂંટાયેલા પદાધિકારીઓના ફોનનો જવાબ નથી આપતા. પરંતુ હવે અધિકારીઓએ કામ કરવું પડશે અને જનપ્રતિનિધિઓનાં જવાબ પણ આપવા પડશે. થોડા દિવસો અગાઉ સુરતના કડોદરામાં યોજાયેલા ભાજપના સ્નેહમિલનના કાર્યક્રમમાં પ્રમુખ સી.આર પાટીલે અધિકારીઓને ટકોર કરી હતી. કાર્યકર્તાઓને સંબોધિત કરતા સમયે અધિકારીઓને ચૂંટાયેલા પ્રતિનિધિઓના નંબર સેવ રાખીને તેનો જવાબ આપવા પણ સુચના આપી હતી. જ્યારે જરૂર પડે ત્યારે ગમે ત્યારે અધિકારીઓએ ફોન ઉઠાવવા પડશે. સોમ-મંગળ સિવાય સચિવાલયમાં કામ માટે તમામ અધિકારીઓ અને મંત્રીઓને પણ હાજર રહેવા માટે સુચન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ગુજરાતમાં અધિકારી રાજ હોવાની ફરિયાદો ઉઠી ચુકી છે. અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગણકારતા નહી હોવાનું અને ફોન ઉપાડતા નહી હોવાની ફરિયાદો ઉઠી હતી. હવે અધિકારીઓએ ધારાસભ્ય, સાંસદ કે અન્ય ચૂંટાયેલા નેતાઓનો ફોન ઉપાડવા માટે ટકોર કરી હતી. સી.આર પાટીલે કડક અંદાજમાં જણાવ્યું કે, અધિકારીઓએ માત્ર ફોન ઉપાડીને જવાબ આપવાનું નહી પરંતુ તેમના જરૂરી કામ પણ કરવા પડશે. કોઇ પ્રકારની દાદાગીરી ચલાવી નહી લેવાય.વધુ વાંચો -
પેરા સેલિંગ દરમિયાન દોરડું તૂટી જતા દંપતી દરિયામાં ખાબક્યું
- 15, નવેમ્બર 2021 01:30 AM
- 7321 comments
- 6685 Views
દીવ, સંઘપ્રદેશ દીવના પ્રખ્યાત નાગવા બીચ પર રવિવારના રોજ પેરા સેલિંગ દરમિયાન બોટ સાથે બાંધેલું દોરડું તૂટી જતા દંપતી દરિયામાં ખાબક્યું હતું. સદનસીબે જાનહાનિ થતા અટકી હતી. જાે કે, દીવના પ્રખ્યાત બીચ પર ચાલતી વોટર સ્પોર્ટસ એક્ટિવિટીમાં પ્રવાસીઓની સુરક્ષાને લઈ ગંભીર સવાલો ઉઠ્યા છે. પેરા સેલિંગ દરમિયાન સર્જાયેલા અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સંઘપ્રદેશ દીવનો નાગવા બીચ પ્રવાસીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. અહીં ફરવા આવતા લોકો અહીં ચાલતી વોટર સ્પોર્ટસ એક્ટિવીટની મજા પણ લેતા હોય છે. આજે પણ એક દંપતી અહીં ચાલતા પેરા સેલિંગની મજા લઈ રહ્યું હતું ત્યારે જ અચાનક સ્પીડ બોટ સાથે બલૂનની દોરી તૂટી જતા દંપતી દરિયામાં પટકાયું હતું. બાદમાં બોટ મારફત બંનેને દરિયામાંથી હેમખેમ બહાર કાઢવામા આવ્યા હતા. દીવના પ્રખ્યાત નાગવા બીચ પર પેરા સેલિંગ સમયે સર્જાયેલા અકસ્માતની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. સદનસીબે આ ઘટનામાં જાનહાનિ થતા અટકી છે. પરંતુ, અકસ્માતની ઘટનાને લઈ અહીં ચાલતી વિવિધ સ્પોર્ટસ એક્ટિવિટીને લઈ સવાલો ઉઠ્યા છે.વધુ વાંચો -
તાલુકાના ૨૨ ગામોના ૮૦ જરૂરિયાતમંદ પરિવારોને લેન્ડ કમિટી દ્વારા મફત પ્લોટ ફાળવાયા
- 04, નવેમ્બર 2021 01:30 AM
- 386 comments
- 3180 Views
અમરેલી, અમરેલી તાલુકાના ૨૨ ગામોના વિવિધ સમાજના ૮૦ જેટલા જરૂરિયાતમંદ પરિવારોને તાલુકા લેન્ડ કમિટી દ્વારા પ્લોટની ફાળવણી કરી દિવાળીની અમૂલ્ય ભેટ અર્પણ કરવામાં આવી હતી. જેને કમિટીના અધ્યક્ષ અને પ્રાંત અધિકારી સી. કે. ઉંધાડ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. કમિટીની બેઠકમાં તાલુકા પંચાયતના પ્રમુખ પ્રજ્ઞાબેન સાવલિયા અને ઉપપ્રમુખ વનરાજ કોઠીવાળ ઉપસ્થિત રહ્યા હતા.લાભાર્થી ભવાનભાઈ માધડે પોતાનો હર્ષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેમણે સપને પણ નહોતું વિચાર્યું કે તેમને પણ ક્યારેય પોતાનો પ્લોટ મળે, જેમાં તેઓ પોતાના સપનાનું ઘર બાંધી શકે. વધુમાં ભવાનભાઈએ કહ્યું હતું કે અમે વર્ષોથી પતરાના મકાનમાં ભાડે રહીએ છીએ, પરંતુ આજનો પ્લોટની ફાળવણીનો દિવસ અમારા માટે જીવનભર યાદગાર બની રહેશે. રાજ્ય સરકારે અમારા સપનાને સાકાર કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે દિવાળીના પાવન તહેવારોમાં મળેલા પ્લોટ અમારા અંધકારમય જીવનમાં નવો ઉજાસ પાથરશે.અન્ય લાભાર્થી હિંમતભાઈ મોરવાડીયાએ પ્લોટની ફાળવણીની પ્રક્રિયામાં સહકાર આપનારા તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર માનતા જણાવ્યું હતું કે, અમરેલીના દરેક અધિકારીઓએ ફોર્મ ભરવાથી માંડી દરેક તબક્કે અમને પૂરો સહકાર આપ્યો છે. પ્લોટની ફાળવણી કરી સરકારે ખરા અર્થમાં અમારી દિવાળી સુધારી દીધી છે. આ દિવાળી અમારા પરિવારની આજ સુધીની શ્રેષ્ઠ દિવાળી છે.આંકડાકીય વિગતો આપતાં અમરેલી તાલુકા વિકાસ અધિકારી કે.જે. આચાર્યએ જણાવ્યું હતું કે, અમરેલી તાલુકાના કુલ ૨૨ જેટલા ગામડામાંથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત, અનુસૂચિત જાતિ જેવા વિવિધ સમાજના પરિવારો તરફથી ૧૪૬ જેટલી અરજીઓ મળી હતી. જેમાં વિવિધ માપદંડોને ધ્યાનમાં રાખી કુલ ૮૦ જેટલી અરજીઓ માન્ય રાખી આજે તેમને મંજૂરી આપવામાં આવી હતી.વધુ વાંચો -
નવા ખીજડીયા ગામમાં ૧૦૮ની ટીમે જાેડિયા બાળકોને કૃત્રિમ શ્વાસ આપી જીવ બચાવ્યો
- 25, ઓક્ટોબર 2021 01:30 AM
- 7150 comments
- 564 Views
અમરેલી, અમરેલી તાલુકાના નવા ખીજડીયા ગામની પ્રસૂતાને પ્રસૂતિની પીડા ઉપડતા ૧૦૮ની ટીમ અહીં દોડી ગઈ હતી. મહિલાએ જાેડિયા બાળકોને જન્મ આપ્યો હતો. જાે કે ૧૦૮ની ટીમે બાળકોને કૃત્રિમ શ્વાસ આપી જીવ બચાવ્યો હતો. નવા ખીજડીયા ગામે રહેતા લળીબેન નત્રુભાઈ મકવાણા નામની ૨૬ વર્ષીય સગર્ભાને પ્રસુતીની પીડા ઉપડી હતી. જેના કારણે પરિવારજનોએ ૧૦૮ની ટીમનો સંપર્ક કર્યો હતો. આ અંગેની જાણ થતા ૧૦૮ના ઈએમટી મહેશભાઈ સોલંકી અને પાયલોટ યોગેશભાઈ વૈધ ગણતરીની મિનીટોમાં જ નવા ખીજડીયા ગામે પહોંચી ગયા હતા.સગર્ભા મહિલા વાડી વિસ્તારમાં રહેતા હતા. અને પ્રસુતીની પીડા ખુબ જ વધુ હતી. જેના કારણે ૧૦૮ની ટીમે તપાસ કરતા બે બાળકો હોવાનું માલુમ પડ્યું હતું. અહી ૧૦૮ની ટીમે મહિલાની સ્થળ પર જ પ્રસુતિ કરાવી હતી. મહિલાએ એક સાથે બે બાળકોને જન્મ આપ્યો હતો. પણ ડીલેવરી બાદ એક બાળક હલનચલન કરતું ન હતું. હદયના ધબકારાનો દર પણ ઓછો હતો. જેના કારણે ૧૦૮ની ટીમે બાળકને કૃત્રીમ શ્વાસ આપી જીવ બચાવ્યો હતો. અંતે મહિલાને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સ્થિતિ સારી હોવાનું ૧૦૮ના પ્રોગ્રામ ઓફિસર ચેતનભાઈ ગાધેએ જણાવ્યું હતુંવધુ વાંચો -
બેટરીથી ચાલતી સાયકલ અને મિની ટ્રેકટર માર્કેટમાં વેચાણ અર્થે મુકાયું
- 16, ઓક્ટોબર 2021 01:30 AM
- 1891 comments
- 1518 Views
અમરેલી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેકિંગ ઈન્ડિયાની જે વાત કરી હતી તે વાતને અમરેલીના ૨ નવયુવાનોએ સાર્થક કરી છે. બેટરીથી ચાલતી સાયકલ અને બેટરીથી ચાલતું મિની ટ્રેકટર માર્કેટમાં મૂક્યુ છે. આ બંને વાહનો સંપૂર્ણ રીતે બેટરીથી ચાલે છે. બહારથી સાયકલ અને મિની ટ્રેક્ટરના પાર્ટ્સ લાવીને અમરેલી શહેરમાં બેટરી સંચાલિત સાયકલ અને મિની ટ્રેકટર બનાવ્યા છે.અમરેલી શહેરના બે નવયુવાનોએ મેક ઇન ઇન્ડિયાનું સૂત્ર સાર્થક કર્યું છે. અમરેલી શહેરના બે નવયુવાનો પિયુષભાઈ અને હિતેશભાઈએ અમરેલી શહેરમાં બેટરીથી ચાલતી સાયકલ અને બેટરીથી ચાલતું ટ્રેક્ટર બનાવ્યું છે. ત્યારે અમરેલીમાં આ બંને વાહનો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. બેટરીથી ચાલતી સાયકલ પેડલથી પણ ચાલે છે. સાયકલની બેટરી બેથી ત્રણ કલાક ચાલે છે. આ બેટરી ફરી પાછી એકથી દોઢ કલાકમાં ચાર્જ થઈ જાય છે. દેશમાં પ્રથમ વખત અમરેલી શહેરમાં ૨ યુવાનોએ પેરકોર્ન નામની કંપની બનાવી છે. બેટરીથી ચાલતી સાયકલ અલગ અલગ પ્રકારની છે. આ સાઇકલ પહાડી વિસ્તારમાં પણ ચલાવી શકાય છે. આ યુવાનોએ દેશને નવી ભેટ આપી છે. ત્યારે સહકારી ક્ષેત્રના નેતા દિલીપભાઈ સંઘાણીએ આ યુવાનોની સરાહના કરી હતી.ભવિષ્યમાં ઇલેક્ટ્રીક સાયકલ લોકો ઉપયોગ કરવાના છે આ વાતને ધ્યાનમાં રાખીને અમરેલી શહેરના બંને યુવાનોએ સાયકલ અને ટ્રેક્ટર બેટરીથી સંચાલિત અને ઝડપથી ચાર્જ થાય એ બાબતનું સંપૂર્ણ ધ્યાન રાખીને નાની એવી કંપની બનાવી તેને લોકો સમક્ષ મૂક્યા છે. પેટ્રોલ-ડીઝલના ભાવ હજુ પણ વધશે આ વાતને ધ્યાનમાં અમરેલી શહેરના પિયુષભાઈ અને હિતેશભાઇ મેકિંગ ઇન્ડિયાના સૂત્રને સાર્થક કર્યું છે. મિની ટ્રેક્ટરનો ભાવ રૂપિયા ૪ લાખથી ૫ લાખ સુધીનો છે. અમરેલીના બંને યુવાનોએ કંપની શરૂ કરતાં જિલ્લામાં રોજગારીની તક પણ સ્થાનિક લોકોને રહેશે.વધુ વાંચો -
વિધાનસભા વિપક્ષના નેતાપદથી પરેશ ધાનાણીની વિદાય નિશ્ચિત
- 12, ઓક્ટોબર 2021 01:30 AM
- 5482 comments
- 6996 Views
રાજકોટ ગુજરાત કોંગ્રેસને લાંબા સમયે પ્રભારી મળ્યા છે અને તે પણ ‘ડોકટર’ જાે કે કોંગ્રેસનું દર્દ જાણીતું છે અને તેનો ઈલાજ તો દિલ્હી જ કરી શકે છતા નવા પ્રભારી રઘુ શર્માએ પ્રથમ મુલાકાતમાં જ તેઓ ‘બોસ’ તરીકે આવ્યા છે તેવું જણાવી દીધું છે.ગઈકાલે ગાંધીનગરમાં તેઓએ પક્ષના નેતાઓ સાથે બેઠક કરી અને ધારાસભ્યોને એક-એક મળીને તેમના મંતવ્ય લીધા હતા. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના શિષ્ય જેવા રઘુ શર્માને જયપુરથી જ ટીપ્સ મળી હતી તેથી તેઓની માહિતી ભરપુર હતી જે જાણીને કોંગ્રેસના સ્થાનિક નેતાઓ પણ આશ્ર્ચર્યમાં પડી ગયા હતા અને તેઓએ ડેટલાઈન પણ આપી દીધી કે આગામી બે સપ્તાહમાં રાજય કોંગ્રેસના માળખામાં ફેરફાર થશે.જાે કે પ્રદેશ પ્રમુખ અંગે તેઓએ મૌન સેવ્યું પણ વિપક્ષના નેતા બદલાશે તેવા સંકેત આપી દીધો હતો. આમ પરેશ ધાનાણીની છુટ્ટી નિશ્ર્ચિત છે. હવે તેના સ્થાને સૌરાષ્ટ્રમાંથી પુંજાભાઈ વંશને આ પદ મળે છે કે પછી કોઈ પાટીદારને તેના પર નજર છે. કોંગ્રેસની ચિંતા એ છે કે પાટીદારો કેટલા તેની સાથે છે તે પ્રશ્ન છે. સૌરાષ્ટ્રમાં કોળી સમાજમાં કુંવરજી બાવળીયાની સાથે ભાજપે જે રીતે વર્તન કર્યુ તેનાથી આ સમાજ નારાજ છે અને કોંગ્રેસ તેનો ફાયદો કઈ રીતે ઉઠાવી શકે છેતેના પર સૌની નજર છે. પાટીદારોમાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યને નેતા બનાવાથી કોઈ મોટો ફર્ક પડતો નથી અને ગુજરાત સાઈડના બે ત્રણ સીનીયર ધારાસભ્યો છે પણ તે વિશાળ જ્ઞાતિનું પ્રતિનિધિત્વ કરતા નથી. આથી પ્રથમ ર્નિણય જ પેચીદો બની શકે છે. હવે પક્ષનું પુરુ ધ્યાન તા.૧૮ના રોજ દિલ્હીમાં પક્ષની કારોબારી મળનાર છે તેના પર છે અને તે પછી જ કોઈ ર્નિણય આવશે.વધુ વાંચો -
અમરેલીના ઉજળામાં વહેણમાં ટ્રેક્ટર તણાયું ડ્રાઇવરનો બચાવ
- 12, ઓક્ટોબર 2021 01:30 AM
- 3849 comments
- 909 Views
અમરેલી, સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગની આગાહીને પગલે સમગ્ર અમરેલી જિલ્લામાં ત્રણ દિવસથી છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. રવીવાર દિવસ દરમિયાન કેટલાય વિસ્તારમો વરસાદ પડ્યો હતો. જ્યારે મોડી સાંજે વડીયા વિસ્તારમાં ૩ ઇંચ જેટલો વરસાદ પડતાં ઉજળા ગામમાં મગફળી ભરેલું ટ્રેકટર તણાયુ હતું. જાેકે, ડ્રાઇવર છલાંગ મારી કુદી જતાં સદનસીબે જીવ બચ્યો હતો.વડીયા નજીક આવેલા મોટા ઉજળા ગામે મુશળધાર ૩ ઇંચ વરસાદ ખાબકતા ગામ આસપાસ મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ વહેતો થતાં લોકોની મુશ્કેલી વધી હતીં. અહીં બે ટ્રેક્ટર પાણીના પ્રવાહ નજીક આવતા એક મગફળી ભરેલું ટ્રેકટર પાણીના પ્રવાહમાં તણાયુ હતું. ધસમસતા પ્રવાહમાં ટ્રેકટર તણાતાં ડ્રાઇવરે છલાંગ લગાવતાં જીવ બચી ગયો હતો. જ્યારે ટ્રેક્ટરને મોડી રાતે જેસીબીની મદદથી બહાર કઢાયું હતું.અહીં સ્થાનિક નદી નજીક બેઠો પુલ હોવાને કારણે આ પ્રકારની ઘટના બની હતી. સ્થાનિક લોકો આ પુલના કારણે ઘણી હાલાકીનો સામનો કરી રહ્યાં છે. ત્યારે આ ઘટના બનતાં પુલ ઉંચો કરવા લોકોની માંગ ઉઠી છે.વધુ વાંચો -
ઘેડ પંથકમાં ઓઝત નદીના પાણીથી વિનાશ અનેક ગામોમાં જમીન ત્યાં જળની સ્થિતિ
- 02, ઓક્ટોબર 2021 01:30 AM
- 8981 comments
- 2581 Views
જૂનાગઢ, જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં માણાવદર તાલુકામાં ઓઝત નદીના પાણી ફરી વળતા અનેક ગામોમાં ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાયો છે. થોડા સમય પહેલા જ ઓઝત નદીમાં આવેલા પૂરના કારણે ગ્રામ્ય વિસ્તારમાં ખેતીની જમીનનું મોટાપાયે ધોવાણ થયું હતું. ત્યારબાદ ફરી એકવાર ઓઝતના પાણી આ વિસ્તારમાં ફરી વળતા ખેતીના પાક અને જમીનને વ્યાપક નુકસાન થયાની ફરિયાદો ઉઠી છે. ઘેડ પંથકની હાલ સ્થિતિ એવી છે કે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. જૂનાગઢના ઘેડ પંથકમાં માણાવદર તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં નજર કરતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જાેવા મળી રહ્યું છે. ઘેડ પંથકમાં ઓઝત નદીના પાણી ફરી વળવાના કારણે કપાસ અને મગફળીના પાકને વ્યાપક નુકસાન થયાની ફરિયાદો ઉઠી છે. ઓઝત નદીના પાણીએ ખેડૂતોની સારા પાકની આશા પર પાણી ફેરવી દીધા છે. ગઈકાલે ગીરનાર પર્વત અને જૂનાગઢ જિલ્લામાં વરસેલ ભારે વરસાદના પગલે ડેમો ઓવરફ્લો થઈ છલકાતા નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. જેમાં માણાવદર પંથકની ઓઝત નદી ગાંડીતૂર થઈને રોદ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં ઘેડ પંથક જ્યાં નજર પડે ત્યાં પાણી પાણી થઈ ગયું છે. ત્યારે હજુ થોડા સમય પહેલાં જ આ પંથકમાં ઘોડાપૂર આવતા હજારો એકર ખેતીની જમીનનું મોટાપાયે ધોવાણ થયું હતું. આજે ફરીવાર ઓઝત નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં પંથકના પીપલાણા, આંબલીયા, કોયલાણા, મટીયાણા, બાલાગામ, બામણાસા પાદરડી સહિત ઘેડ પંથકને ધમરોળી નાખ્યું છે ત્યારે આ વિસ્તારમાં મુખ્યત્વે કપાસ અને મગફળીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.વધુ વાંચો -
ખડકાળા પાસે પાણી ભરાતાં વિદ્યાર્થીઓ ટ્રેક્ટરમાં બેસીને શાળાએ પહોંચ્યા
- 02, ઓક્ટોબર 2021 01:30 AM
- 3441 comments
- 2732 Views
સાવ૨કુંડલા, સાવ૨કુંડલા ખડકાળા માર્ગમાં પાણી ભ૨ાતા વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવા ટ્રેકટ૨નો સહા૨ો લેવો પડે છે. સાવ૨કુંડલાના ભુવા ૨ોડ બાયપાસ ચોકડી પાસે ખડકાળા ગામનો માર્ગ પસા૨ થાય છે બાયપાસનો માર્ગ ઉંચો બનતા પાણી નિકાલના ભુંગળા નહી મુક્તા ખડકાળા માર્ગમાં પાણી ભ૨ાતા વિદ્યાર્થીઓ અને ખેડૂતોને પાણીમાંથી પસા૨ થવુ પડે છે ભા૨ે વ૨સાદ આ માર્ગમાં પાણી ભ૨ાતા વાલીઓ ગામના વિદ્યાર્થીઓને ટ્રેકટ૨માં બેસાડી શાળાએ મુક્વા જવુ પડે છે. છેલ્લા ત્રણ વર્ષથી પ૨ેશાન થતા ખેડૂતો વિદ્યાર્થીઓની વેદના બાબતે તંત્ર આવતા નથી અનેક લેખિત-મૌખીક ૨જુઆતો એળે ગઈ છે.વધુ વાંચો -
દરેડ ગામે રંગમતી નદીમાં ખોડિયાર માતાજીનું મંદિર પાણીમાં ગરકાવ
- 01, ઓક્ટોબર 2021 01:30 AM
- 5028 comments
- 952 Views
જામનગર સૌરાષ્ટ્રના દરિયાકાંઠે શાહીન વાવાઝોડાની અસર થવાની છે. ત્યારે વાવાઝોડાની અસરને પગલે દ્ગડ્ઢઇહ્લ ની ટીમો તૈનાત કરી દેવાઈ છે. પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, અમરેલી, જામનગર, દિવ અને રાજકોટમાં ટીમો તૈનાત કરાઈ છે. દ્ગડ્ઢઇહ્લની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સંભવિત વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ પર છે. ત્યારે જામનગરમાં ભારે વરસાદ વચ્ચે ભયાવહ દ્રશ્યો સામે આવી રહ્યાં છે. દરેડ ગામે રંગમતી નદીમાં ખોડિયાર માતાજીનું મંદિર પાણીમાં ગરકાવ થયું છે. રંગમતી ડેમના ૩ દરવાજા ખોલવામાં આવતા રંગમતી નદીમાં પાણીના ધસમસતા પ્રવાહ આગળ વધી રહ્યા છે. જેથી રંગમતી ડેમ નીચેના વિસ્તારોને એલર્ટ કરાયા છે. જાેકે, અનેક વિસ્તારો ડૂબાણમાં જતા લોકો પર સંકટ આવી ચઢ્યુ છે.બીજી તરફ, જામનગરમાં વરસાદી વીજળી પડવાનો નજારો ઝ્રઝ્ર્ફ કેમેરામાં કેદ થયો છે. જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં વીજળી પડવાની ઘટના બની હતી. બેડ ટોલનાકાના ઝ્રઝ્ર્ફ માં અદભૂત નજારો કેદ થયો છે. જામનગર નજીક વીજળી પડવાની ગઈકાલ બપોરની ઘટના બની હતી.મધરાત્રે સાડા ત્રણ કલાકની જહેમત બાદ વડોદરા ટીમે બન્નેને બચાવ્યા અમરેલી, ગુલાબ વાવાઝોડાની અસરને પગલે રાજ્યના અમરેલી જિલ્લામાં અતિ ભારે વરસાદ થયો છે. સંકટની સંભાવનાને અનુલક્ષીને વડોદરા દ્ગડ્ઢઇહ્લની એક ટીમ અમરેલી જિલ્લામાં તૈનાત રાખવામાં આવી છે. આ ટીમની સમયસરની મદદથી બુધવારે મધરાત્રે કારી નદીમાં ઉમટેલા ઘોડાપૂરમાંથી બે યુવાનોને ઉગારી લેવામાં આવ્યા હતા.દ્ગડ્ઢઇહ્લના પ્રવક્તા અનુપમના જણાવ્યા અનુસાર અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ભોરીંગડા ગામ નજીક મધ્યપ્રદેશના બે યુવાનો કારી નદીના ઉછળતા જળમાં ફસાઇ ગયા હતા. આ ઘટનાની ખબર મળતાં દળની ટીમે મધ્યરાત્રિના પોણા એક વાગે બચાવ કામગીરી હાથ ધરી બંનેને પૂરના પાણીમાંથી ઉગારી સલામત સ્થળે પહોંચાડ્યા હતા. બચાવ કામગીરી લગભગ સાડા ત્રણ કલાક ચાલી હતી. ૨૮ અને ૩૦ વર્ષની ઉંમરના આ યુવાનો મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાની પેટલાવદ તહેસીલના એક ગામના નિવાસી હતા. ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. દરિયામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો હોવાના કારણે માછીમારોને પરત બોલાવી લેવામા આવ્યા છે. જાફરાબાદ બંદર પર પરત ફરી રહેલી શિયાળ બેટની બોટે જાફરાબાદથી ૭૦ નોટિકલ માઈલ દૂર જળસમાધિ લીધી હતી. જાે કે, બોટ પર સવાર ૮ માછીમારોને અન્ય બોટ દ્વારા બચાવી લેવાયા હતા. દરિયાકાંઠાના રાજુલા જાફરાબાદ પંથક પર ૨૪ કલાક સુધી સતત આકાશમાથી અનરાધાર પાણી વરસ્યુ હતું જેને પગલે આ બંને તાલુકામા છ ઇંચ વરસાદ ખાબકતા તમામ નદીઓ ગાંડીતુર બની હતી. રૂપેણ, રાયડી અને ધાતરવડી સહિતની નદીમા ભારે પુરથી અનેક રસ્તાઓ બંધ થયા હતા.વધુ વાંચો -
ભાવનગરનો શેત્રુંજી ડેમ એક જ સપ્તાહમાં ૫મી વખત ઓવરફ્લો
- 28, સપ્ટેમ્બર 2021 01:30 AM
- 9389 comments
- 8774 Views
ભાવનગર, ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં આવેલો સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ શેત્રુંજી ડેમ એક જ સપ્તાહમાં સતત પાંચમી વખત ઓવરફ્લો થયો છે. રવિવારે મોડીરાત્રીથી જ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થતાં ડેમ ઓવરફ્લો થયો છે. પાણીના સતત આવકને લઈ ડેમ સત્તાવાળને જળસપાટી જાળવી રાખવા આજે સોમવારે સવારે એક ફૂટ સુધી ૫ દરવાજા ખોલવામાં આવ્યાં હતા.સૌરાષ્ટ્રમાં સૌથી મોટા જળાશય તરીકે ખ્યાતનામ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં આવેલો શેત્રુંજી ડેમ એક જ અઠવાડિયામાં સતત પાંચમી વખત છલકાયો છે. જેમાં તારીખ ૨૦ ના રોજ ૬ દરવાજા ખોલવામાં આવ્યાં હતા. ત્યારબાદ તારીખ ૨૧ના રોજ ૧૫ દરવાજા ખુલ્યા, તારીખ ૨૨ નારોજ ૬ દરવાજા ખુલ્યા, તારીખ ૨૩ના રોજ ૧૫ દરવાજા ખુલ્યાં, તારીખ ૨૪ના રોજ ૬ દરવાજા ખુલ્યાં, તારીખ ૨૬ના રોજ ૬ દરવાજા ખોલવામાં આવ્યાં બાદ આજે તારીખ ૨૭ના રોજ એક ફૂટ સુધી ૫ દરવાજા ખોલવામાં આવ્યાં છે.પાણીની આવક પર ટીમ સતત નજર રાખી રહી છેઆ અંગે માહિતી આપતાં ડેમ સ્થિત નાયબ કાર્યપાલક ઈજનેર આશિષ બાલધીયાએ જણાવ્યું હતું કે, ઉપરવાસમાંથી આવતી પાણીની આવક પર ટીમ સતત નજર રાખી રહી છે. આવક ઘટે એટલે દરવાજા બંધ કરવામાં આવે છે અને આવક વધતા ફરી દરવાજા ખોલવામાં આવે છે. મોડીરાત્રે પાણીનો ભારે પ્રવાહ ડેમમાં આવી રહ્યો હતો જેને પગલે ડેમની સપાટી એક નિયત અંકે જાળવી રાખવા માટે આજે સવારે ડેમના ૫ દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યાં હતાં. આજે વહેલી સવારે ૫ દરવાજા ખોલવામાં આવ્યા છે. નદીઓમાં ૪૫૦ ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે, ઉપરથી વધારાની આવક બંધ થશે. ત્યારે દરવાજા પુનઃ બંધ કરવામાં આવશે.રાજુલામા ચાર કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ નદીમાં ફેરવાઇ ગયા અમરેલી રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને લઈ ઠેર-ઠેર વરસાદ વરસી રહ્યો છે. સોમવારે અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના રાજુલા શહેરમાં ૪ કલાકમાં ૪ ઈંચ ધોધમાર વરસાદ ખાબકતા રસ્તાઓ પાણી પાણી થયા હતા. વરસાદના પગલે કેટલાક નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. જ્યારે મુખ્ય બજારમાં પણ પાણી ભરાયા હતા. જેના કારણે રહીશો તેમજ વેપારીઓ પરેશાન બન્યા હતા. રાજુલાના હિંડોરણા, છતડીયા, કડીયાળી, ખાખબાઈ, મોટા આગરીયા, નવા આગરીયા, જાપોદર સહિત આસપાસના કેટલાક ગામડામાં પણ વરસાદ વરસ્યો હતો. જાેકે, સતત વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. હાલમાં કપાસ, બાજરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાય રહી છે. હાલ ખેડૂતોને વધુ વરસાદની જરૂર ન હોવા છતા સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કરાણે મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાય રહી છે. જિલ્લાના લાઠી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને પગલે મુખ્ય બજારોમાં પાણી વહેતા થયા હતા. તેમજ શેખપિરિયા, પ્રતાપગઢ, અકાળા, રામપર, તાજપર સહિત મોટાભાગના ગામડામાં પણ વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જાેવા મળી રહ્યો છે.હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં લઈ અમરેલી જિલ્લામા સતત વરસાદ પડવાના કારણે બાબરા માર્કેટીંગ યાર્ડ દ્વારા મહત્વનો ર્નિણય લેવાયો છે. યાર્ડમાં જ્યાં સુધી બીજી જાહેરાત ન થાય ત્યા સુધી રજા જાહેર કરવામાં આવી છે. હાલ પુરતી ખેત જણસોની આવક બંધ કરી દેવામાં આવી છે, તેમજ ખેડૂતોને પણ માલ લઈને ન આવવા અપીલ કરવામાં આવી છે. ખેડૂતોના માલ યાર્ડમાં વધુ આવતો હોવાને કારણે નુકસાન ન જાય તે માટે મહત્વનો ર્નિણય લેવાયો છે. અમરેલી જિલ્લામાં રાજુલા, જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલમા મુશળધાર વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જાફરાબાદ તાલુકાના ટીબી ગામની રૂપેણી નદીમાં પુર આવ્યું છે. જેના કારણે ગામ વચ્ચે અવર જવરના કોઝવે પરથી પાણી જઈ રહ્યું છે. જેના કારણે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. જાફરાબાદના ટીંબીમાં પણ ૩ ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે.વધુ વાંચો -
અમરેલીનાં રાજુલામાં મહિલાએ 4 બાળકને જન્મ આપ્યો,તબીબો થયા આશ્ચર્યચકિત
- 23, સપ્ટેમ્બર 2021 12:29 PM
- 3595 comments
- 3404 Views
અમરેલી-આજ સુધી આપણે બધાએ એ એક-બે કે પછી ત્રણ બાળક એક સાથે જન્મ લે તે સાંભળ્યું હશે.પરંતુ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મહિલાએ એક સાથે 4 બાળકોને જન્મ આપ્યો છે.જી.હા વાત એકદમ સાચી છે.અમરેલી જિલ્લાનાં રાજુલામાં એક આશ્ચર્ય પામે તેવી ઘટના બની છે.જેમાં એક 22 વર્ષીય માતાએ એક સાથે ચાર બાળકને જન્મ આપ્યો છે.આ જોઇને ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થયા છે.હાલા આ ચારેય બાળક તંદુરસ્ત છે.જન્મ આપ્યા બાદ માતાની પણ તબિયત સ્થિર હોવાનું જણાઇ રહ્યું છે.આ જન્મ લેનાર બાળકોમાં બે પુત્ર અને બે પુત્રી છે.ડોક્ટરનાં જણાવ્યા મુજબ આ મહિલાને કુદરતી રીતે જ ચાર બાળકો રહ્યા હતા અને મહિલાનું બીપી વત્તુ-ઓછુ થવાને કારણે સિઝિરીયન ડિલીવરી દ્વારા ચાર બાળકોનો જન્મ થયો છે.પરંતુ હાલ તમામની તબીયત સારી છે.વધુ વાંચો -
ગુજરાતના આ પંથકમાં 3.4ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, લોકો ઘરની બહાર દોડી આવ્યા
- 21, સપ્ટેમ્બર 2021 03:40 PM
- 7591 comments
- 8018 Views
રાજકોટ-આજે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અમરેલી જીલ્લાના કેટલાક વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ખાંભા અને ગ્રામ્ય વિસ્તારોમાં આંચકાઓનો અનુભવ થયો હતો. ઘૂઘવાણા, બોરાળા, હનુમાનપર,પચપચીયા,ખાડાધાર સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચઓ અનુભવાયા હતા. ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેર નજીક ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બપોરે 2.30 વાગ્યાના સુમારે અનુભાવાયેલ ધરતીકંપના આંચકાની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.4 નોંધાઈ હતી. જોકે અચાનક ભુકંપના આંચકાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.વધુ વાંચો -
અમરેલીમાં લેન્ડ ગ્રેબિંગ કેસમાં જિલ્લા મેજિસ્ટ્રેટને કેમ રસ નથી: હાઈકોર્ટ નારાજ
- 25, ઓગ્સ્ટ 2021 01:36 PM
- 912 comments
- 9112 Views
અમદાવાદ-લેન્ડ ગ્રેબિંગના કેસોમાં કલેક્ટરને પાસા કરવાની સત્તા છે પરંતુ હાઇવેની બન્ને બાજુ ગૌચરની જમીનો પર હોટેલો ખૂલી છે, તે સરકારના ધ્યાનમાં નહીં હોય? સરકાર એવી જાહેરાત કરે છે કે અમે લેન્ડ ગ્રેબિંગની આટલી ફરિયાદો કરી છે, પરંતુ તેમાંથી ખાનગી જમીનોની ફરિયાદો કેટલી અને સરકારી જમીનોની ફરિયાદો કેટલી તેનો જવાબ સરકાર પાસે છે? કલેક્ટરોઓ ખાનગી જમીનમાં વિવાદમાં કાર્યવાહી ન કરવી જાેઇએ તેવું નથી કહેતા પરંતુ તેઓ ગૌચર અને સરકારી જમીનના દબાણો અંગે કાર્યવાહી કરવા માટે પણ આટલાં જ ઉત્સાહિત છે? પાસાના આદેશ માટે કલેક્ટરે આપેલા આદેશની નોંધ લીધી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે અમરેલીની કોર્ટ દ્વારા આરોપીને જામીન આપવામાં આવ્યા છે. રાજ્ય સરકારના અધિકારીઓ નવા લેન્ડ ગ્રેબિંગ એકટનો સહારો લઈ રહ્યા છે તેવી હાઇકોર્ટે ટકોર કરી અમરેલીમાં લેન્ડ ગ્રેબિંગ કેસમાં પાસા અંગે કાર્યવાહી પર હાઇકોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે, સરકારી જમીનમાં લેન્ડ ગ્રેબિંગ મામલે કાર્યવાહી કરવામાં કેમ જિલ્લા મેજિસ્ટ્રેટને રસ નથી. સરકાર દ્વારા પાસા અંગેની કાર્યવાહી માટે રજૂ કરેલા જવાબથી હાઇકોર્ટ નારાજગી વ્યક્ત કરી હતી. સરકાર તરફથી રજૂ કરેલા જવાબમાં તર્ક આપવામાં આવ્યો. જાે આ મહિલાને તડીપાર કરવામાં આવે તો પણ એ વકીલની મદદ લઇ શકે છે. પણ પાસા કરવામાં આવે તો એને કાર્યવાહી કરવામાં લાંબો સમય નીકળી જાય. કોર્ટે ટકોર કરી કે ન્યાયના વહીવટમાં અવરોધ ઉભો કરવા બદ્દલ આ અધિકારી સામે આપરાધિક તિરસ્કારની કાર્યવાહી કેમ ન કરવી. ખાનગી કેસમાં શા માટે કલેક્ટર આટલો રસ ધરાવે છે. એક પણ એવો કેસ બતાવો જેમાં સરકારી જમીનમાં લેન્ડ ગ્રેબિંગ અંગે કાર્યવાહી થઈ હોય. રાજ્ય સરકારના અધિકારીઓ નવા લેન્ડ ગ્રેબિંગ એકટનો સહારો લઈ રહ્યા છે તેવી હાઇકોર્ટે ટકોર કરી છે.અમરેલીમાં લેન્ડ ગ્રેબિંગ મામલે થયેલી ૪ અરજીઓ પર સુનાવણી દરમિયાન હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે સુનાવણી દરમિયાન રાજ્ય સરકારને ટકોર કરી હતી કે ખાનગી લેન્ડ ગ્રેબિંગના કિસ્સાઓમાં પોલીસ ફરિયાદ અને પાસાના કિસ્સાઓ જ કોર્ટ સામે આવે છે. સરકારી જમીન કે ગૌચરની જમીનમાં પાસા થયા હોય તેવી બે ફરિયાદ તો બતાવો. હવે આરોપી બહાર નીકળી જાહેર વ્યવસ્થા માટે ખતરારૃપ બને તેવી શક્યતા છે. તેને તડીપાર કરવામાં આવે તો તે વકીલની મદદ લઇ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલુ રાખે તેવી શક્યતા છે. કોર્ટે આ સોગંદનામાની ગંભીર નોંધ લઇ કે અધિકારી સામે સિવિલ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ નહીં પરંતુ ક્રિમીનલ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી શા માટે ન થવી જાેઇએ તેનો જવાબ જરૂરી છે. અમે આ અધિકારીને કન્ટેમ્પ્ટ નોટિસ નથી આપતા કારણ કે આ પ્રકારની નોટિસ એ ડિવીઝન બેન્ચની બાબત છે પરંતુ તેની સામે કન્ટેમ્પ્ટની નોટિસ શા માટે જારી ન કરવામાં આવે તેનો જવાબ આપવામાં આવે. સરકાર પાસાના કાયદાનો આટલો દુરૂપયોગ કરે છે કે આરોપી વકીલની મદદ ન લઇ શકે તે માટે તેને જેલમાં મોકલવામાં આવે.વધુ વાંચો -
ગોઝારો સોમવાર: ઝૂંપડપટ્ટીમાં સુઈ રહેલા લોકો પર ફરી વળ્યો ટ્રક, 8 વર્ષની બાળકી સહિત 8 ના મોત
- 09, ઓગ્સ્ટ 2021 10:26 AM
- 8944 comments
- 4681 Views
અમરેલી- જિલ્લામાં આવેલા સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામ નજીક રાત્રે આશરે 2:30 કલાક આસપાસ રેલવે ફાટકની નજીક હોટલ દત પાસે ઝૂંપડાઓ પર એક ટ્રક ઘૂંસી જતા અકસ્માત સર્જાયો હતો..આ ઘટનામાં એક સા થે 8 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે અને 4થી વધુ લોકો સારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે. મહુવા તરફ જઈ રહેલા ટ્રકના ડ્રાઇવરે કાબુ ગુમાવતા ટ્રક ઝૂંપડપટ્ટીઓ તરફ બેકાબુ થયો હતો અને ઊંડા ખાડામાં ખાબકી ગયો હતો. જેમાં રસ્તાની સાઇડમાં ઝૂંપડા બાંધી રહેતા લોકો પર ટ્રક ફરી વળતા 8 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે અન્ય કેટલાક લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જેમાં 10 થી 12 લોકોને નાની મોટી ઇજાઓ થઈ છે.મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વીટ કરી મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી છે અને મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાને શોક વ્યક્ત કરતા જણાવ્યું કે, અમરેલી જિલ્લાના સાવરકુંડલાના બાઢડા ગામ નજીક થયેલા ગમખ્વાર અકસ્માતની ઘટનાથી શોકગ્રસ્ત છું. અકસ્માતનો ભોગ બનેલા લોકોને ત્વરિત અને યોગ્ય મદદ પુરી પાડવા તંત્રને તમામ સૂચનાઓ આપી છે. રાજ્ય સરકાર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય આપશે. આ સાથે 12 લોકોને નાની મોટી ઇજા થઇ છે. આ ઘટનાની જાણ થતા જ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. હાલ પોલીસ આ અંગે તપાસ કરી રહી છે કે, આ ટ્રક ક્યાંથી આવી હતી ક્યાં જઇ રહી હતી. પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કાર્યવાહી દરમિયાન ટ્રકના ડ્રાઈવરની પોલીસ દ્વારા ધરપકડ કરવવામાં આવી છે.વધુ વાંચો -
કોર કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય ગુજરાતમાં 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂની સમય મર્યાદા 31 જુલાઈ કરાઈ
- 16, જુલાઈ 2021 09:07 PM
- 6204 comments
- 5221 Views
ગાંધીનગર-મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોનાના દૈનિક કેસોની પ્રર્વતમાન સ્થિતીના થઇ રહેલા સતત ઘટાડાની સમીક્ષા કરીને વધુ કેટલાક નિયંત્રણો હળવા કરવાના નિર્ણયો લેવામાં આવ્યા છે.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતીમાં મળેલી આ કોર કમિટીમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, રાજ્યના જે ૮ મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જુનાગઢમાં હાલ રાત્રિ કરફયુ રાત્રે ૧૦ થી સવારે 6 સુધી અમલમાં છે. આ રાત્રિ કરફયુની મુદત તા.ર૦ જુલાઇ-ર૦ર૧ મંગળવારે સવારે ૬ વાગ્યે પૂર્ણ થાય છે તેને હવે ૩૧ જુલાઇ-ર૦ર૧ સુધી લંબાવવામાં આવી છે. એટલે કે આ ૮ મહાનગરોમાં રાત્રિ કરફયુની સમયાવધિ હવે, તા.૧ ઓગસ્ટ-ર૦ર૧ સવારે ૬ કલાકે પૂરી થશે.રાજ્યમાં વોટર પાર્કસ અને સ્વિમીંગ પૂલ ૬૦ ટકા કેપેસિટી સાથે શરૂ કરી શકાશેકોર કમિટીમાં લેવાયેલા અન્ય નિર્ણયો મુજબ રાજ્યમાં વોટર પાર્કસ અને સ્વિમીંગ પૂલ તા.ર૦ જુલાઇ-ર૦ર૧ થી તેની ક્ષમતાના ૬૦ ટકા સાથે અને કોરોના ગાઇડલાઇનના નિયમોના પાલન સાથે નિયત એસ.ઓ.પી.ને આધિન શરૂ કરી શકાશે.પ્રાયવેટ અને પબ્લીક ટ્રાન્સપોર્ટમાં નોન એ.સી માં ૧૦૦ ટકા પેસેન્જર અને એ.સી.માં ૭પ ટકા પેસેન્જર કેપેસિટીમાં ચાલુ રહેશે. રાજ્યમાં પ્રાયવેટ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાઓ માટે પણ તા.ર૦ જુલાઇ-ર૦ર૧થી કેટલીક છૂટછાટો આપવાનો નિર્ણય કોર કમિટીમાં લેવામાં આવ્યો છે. પબ્લિક અને પ્રાયવેટ ટ્રાન્સપોર્ટમાં નોન એ.સી બસ સેવાઓ 100 ટકા કેપેસિટી સાથે શરૂ કરી શકાશે પરંતુ આવી સેવાઓમાં મુસાફરોને ઊભા રહી પ્રવાસ કરવાની મંજૂરી અપાશે નહી. એ.સી સેવાઓ તેની ક્ષમતાના ૭પ ટકા પેસેન્જરો સાથે શરૂ કરી શકાશે.વધુ વાંચો -
અમરેલી હાઇવે પર પાંચ સિંહો ટહેલતા નજરે પડ્યા, લોકોએ આ અનોખો નજારો માણ્યો
- 06, જુલાઈ 2021 12:39 PM
- 4059 comments
- 3526 Views
રાજુલાજોકે સિંહોનું ઘર જંગલ છે, પરંતુ જ્યારે મનુષ્ય તેમના ઘરોમાં પ્રવેશવાનું શરૂ કરે છે ત્યારે સિંહો માટે શહેરો અથવા ગામોમાં આવવું અનિવાર્ય છે. અમરેલી ગુજરાતના એકદમ સમાન દૃશ્ય જોવા મળ્યા, જ્યાં એક નહીં બે નહીં પરંતુ પાંચ સિંહો એક સાથે હાઈવે પર ચાલતા જોવા મળ્યા. ગુજરાતના રાજુલા-અમરેલી-પીપાવાવ હાઇવે પર અચાનક પાંચ સિંહો એક સાથે રસ્તા પર ચાલતા જોવા મળ્યા. કોરોનાને કારણે રાત્રે રસ્તાઓ પર લોકોની અવરજવર ઓછી થાય છે, જેના કારણે સિંહો જેવા પ્રાણીઓ હાઇવે પર ચાલતા જોવા મળે છે. જો કે આવા દ્રશ્યો ભાગ્યે જ જોવા મળે છે.ચાલો અમે તમને જણાવી દઈએ કે આ સમયે ચોમાસાનું વાતાવરણ છે અને સિંહોના સમાગમનો સમય ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં તેઓ જંગલ છોડીને રસ્તાઓ પર આવે છે, પરંતુ જો સિંહને આ રીતે કોઈ હાઇવે પર જોવામાં આવે તો તે ભાગ્યે જ જોવા મળે છે. સમજાવો કે સમાગમ સમયે સિંહોનું વર્તન ખૂબ જોખમી છે. ગુજરાતના અમરેલીમાં સિંહોની સંખ્યામાં 400 થી વધુનો વધારો થયો છે. આવી સ્થિતિમાં શિકારની પણ અછત રહે છે. પછી સિંહ માનવ વસવાટમાં આવે છે અને તેની ભૂખ સંતોષવા માટે ઘરેલું પ્રાણીઓનો શિકાર કરે છે.વધુ વાંચો -
ઉનાનાં કોંગી ધારાસભ્યની આગેવાનીમાં ધરણા કરી પ્રાંત અધિકારીને આવેદનપત્ર
- 24, જુન 2021 01:30 AM
- 1907 comments
- 4346 Views
ઉના,રાજુલાના કોંગી ધારાસભ્ય અંબરીશ ડેરના રેલવેની જમીનનો કબ્જાે લેવા ૧૬ દિવસથી ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. જેના સમર્થનમાં અને ગીર સોમનાથ જિલ્લાના ઉનાનાં રેલવેના પ્રશ્નો બાબતે ઉનાનાં કોંગી ધારાસભ્ય પૂંજાભાઈ વંશની આગેવાનીમાં ધરણા કરી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું.ઉનામાં ધારાસભ્ય પૂંજાભાઈ વંશની આગેવાનીમાં ઉના-ગીરગઢડા પંથકના કોંગી આગેવાનો અને કાર્યકરોએ પ્રથમ ઉનામાં રેલવે સ્ટેશનના પાટા પર ધરણા પર બેસી “રાજુલામાં રેલવેની જમીન પાલીકાને સોપો.... ઉનાને રેલવે સુવિધા પૂરી પાડો” ના સૂત્રોચ્ચાર કર્યા હતા. બાદમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવેલ કે, રાજુલા શહેરની મધ્યમાં રેલ્વેની પડતર જમીનમાં બગીચો અને વોક-વે બનાવવા રાજુલા પાલીકા સાથે રેલ્વેએ કરાર કરેલ હોવા છતાં જમીનનો કબજાે ન મળેલ હોવાથી રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર ૧૬ દિવસથી ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે. પ્રજાના હિતાર્થે ચાલુ કરેલ આંદોલનને અમારો સંપૂર્ણ ટેકો છે.રાજુલા પાલિકાને રેલ્વેની પડતર જમીનનો કબજાે મળે તેવી માંગણી છે. ઉપરાંત ગીર સોમનાથ અને ઉના પંથકના રેલ્વેને લગતા નીચેના મુજબના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ કરવા માંગણી છે.જેમાં ઉના રેલ્વે સ્ટેશનની બાજુમાં રેલ્વે ફાટક આવેલ છે જે સાંકડું હોવાના કારણે ટ્રાફિકની સમસીયા રહે છે જેથી આ ફાટકને પહોળું કરવા અથવા ઓવરબ્રિજ કે અન્ડરબ્રિજ બનાવી ટ્રાફીક સમસીયા હલ કરી શકાય તેમ છે. ઉનાની બાજુમાં કેન્દ્રશાસિત પ્રદેશ અને પ્રવાસન સ્થળ દિવ આવેલ છે. હાલ દેલવાડા સુધી રેલ્વે લાઈન છે ત્યારે આ મીટરગેજ લાઈનનું બ્રોડગેજમાં રૂપાંતર કરી દિવ સુધી રેલ લાઈન લંબાવવાથી દિવ ખાતે પ્રવાસીઓ સરળતાથી પહોંચી શકે. જુના સમયપત્રક મુજબ વર્ષોથી અમરેલી-વેરાવળ ટ્રેન બપોરના ૧ કલાકે ઉપડતી અને વેરાવળ-દેલવાડા, અમરેલીથી આવતી ટ્રેનોનું તાલાલા રેલ્વે સ્ટેશન પર સાંજના ૫ કલાકે કોસીંગ થતું હતું. જેનાથી વેરાવળ, ઉના, જુનાગઢ, અમરેલી તરફ જવાનું કનેકશન મુસાફરોને મળતું હતું. ટ્રેન નં. ૧૨૯૪૯ - વેરાવળ-દેલવાડા અગાઉ જૂના સમય મુજન ૪ કલાકે ચાલતી જેનો સમય બદલી નાંખીને વહેલો કરવામાં આવેલ છે. ટ્રેનનો સમય વહેલો થવાથી આ ટ્રેનનો ઉપયોગ કરનાર મુસાફરો, કર્મચારીઓ, વેપારીઓ, વિદ્યાર્થીઓ સહિતનાને મુશ્કેલીઓ સહન કરવી પડે છે. આ ટ્રેનના સમયમાં ફેરફાર કરી જૂના સમય મુજબ જ ટ્રેન દોડાવી જરૂરી છે. તેની સ્પીડ વધારી વેરાવળથી દેલવાડા ૯-૩૦ કલાક પહેલાં પહોંચી શકાય તે મુજબનું આયોજન કરવું જાેઈએ. વધુમાં જૂનાગઢ-દેલવાડા-જૂનાગઢ અને વેરાવળ-દેલવાડા-વેરાવળ ટ્રેનો ઘણા લાંબા સમયથી બંધ હોવાથી ઉના અને ગીરગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોને સામાજીક, આર્થિક, આરોગ્ય વગેરે કામસર જુનાગઢ- વેરાવળ-ઉના ખાતે જવામાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વેરાવળ-કોડીનાર બંધ કરેલ પેસેન્જર ટ્રેન પણ પુનઃ ચાલુ કરવી જાેઈએ. રેલ્વે તંત્ર દ્વારા દેશના વિવિધ રેલ્વે સ્ટેશનોને અપગ્રેડ કરી આધુનિક બનાવવામાં આવી રહ્યા છે ત્યારે ઉના રેલ્વે સ્ટેશનને પણ અપગ્રેડ કરી આધુનિક સુવિધાઓવાળું બનાવવું જાેઈએ. અગાઉ ઉના મુખ્ય રેલ્વે સ્ટેશન હતું તેને બદલીને ઉનાને ફલેગ સ્ટેશન બનાવી દેવામાં આવેલ છે. ઉના એ મુખ્ય સેન્ટર છે ત્યારે ઉનાને પુનઃ મુખ્ય રેલ્વે સ્ટેશન બનાવવું જાેઈએ. કોરોનાના કારણે દેશભરમાં લદાયેલ લોકડાઉનથી સમગ્ર દેશમાં ટ્રેનો મર્યાદિત સંખ્યામાં ચાલુ હતી. ઉના ખાતે આવતી લોકલ ટ્રેનો કોરોના મહામારીના સમયથી આજદિન સુધી બંધ છે. જેના કારણે અપડાઉન કરતા મુસાફરોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હવે જ્યારે સ્થિતિ ધીમેધીમે પૂર્વવત થઈ રહી છે ત્યારે ઉના અને દેલવાડા ખાતે આવતી લોકલ ટ્રેનો તાત્કાલિક અસરથી કોરોનાની ગાઈડલાઈન મુજબ પુનઃ ચાલુ કરવા માંગણી છે. ધારાસભ્ય અંબરીશ ડેરના સમર્થનમાં એનએસયુઆઇઅને કોંગી કાર્યકરોએ રેલ્વે ટ્રેક પર ધરણાં કર્યા રાજકોટમાં આજે એનએસયુઆઇ અને કોંગી કાર્યકરો દ્વારા રેલવે ટ્રેક પર બેસી ધારાસભ્ય અંબરીશ ડેરના સમર્થનમાં ધરણા કર્યા હતા. આ ધરણામાં કાર્યકરો દ્વારા ભાજપ સરકાર હાય હાયના નારા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ કોઈ અઘટિત બનાવ બને એ પહેલા જ પોલીસ દ્વારા એનએસયુઆઇ અને કોંગી કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી. રાજુલામાં શહેરની વચ્ચોવચ આવેલી રેલવેની જમીન છેલ્લા ૨૫ વર્ષોથી પડતર પડેલી બિનઉપયોગી જમીનનાં કારણે માર્કેટિંગ યાર્ડ સામે ટ્રાફિક સમસ્યાઓ અને અકસ્માત સર્જાય છે. આ મુદ્દે કોંગી ધારાસભ્ય અંબરીશ ડેરની માગણી કરી હતી કે, રાજુલામાં રેલવેની બિનઉપયોગી જમીન નગરપાલિકાને ચિલ્ડ્રન પાર્ક, સર્કલ,રસ્તાઓ, સિનિયર સિટીઝન પાર્ક, સાઇકલ ટ્રેક,વોક વે, સહિતના વિકાસ કામો માટે જમીન સોંપવામાં આવે. પરંતુ રાજુલા રેલવે વિભાગ દ્વારા નગરપાલિકા ને વિકાસ કાર્યો માટે જમીનનો કબજાે સોંપવામાં ના આવતા અને રસ્તામાં બેરીકેટ ઉભા કરવામાં આવતા ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા છેલ્લા ૧૨થી વધુ દિવસોથી ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. આ બનાવ મુદ્દે આજે રાજકોટમાં કોંગી કાર્યકરો દ્વારા ભાજપના સાંસદ અને સ્થાનિક નેતાઓના ઈશારે રાજુલાની જનતાને અન્યાય કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. પ્રદેશ કોંગ્રેસની સૂચનાથી આ બાબતે સમ્રગ ગુજરાતમા રેલવે રોકોનો કાર્યક્રમ હોવાથી આજે એનએસયુઆઇ ,યુવક કોંગ્રેસ અને સેવાદળના કાર્યકરો ધારાસભ્યના સમર્થનમા અમીનમાર્ગ પાસે રેલવે ટ્રેક પર ધરણા પ્રદર્શન કરી વિરોધ દર્શાવ્યો હતો. જાે કે પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરતા ભાજપ સરકાર અને રેલવે વિભાગ હાય હાયના નારા લાગ્યા હતા.વધુ વાંચો -
રાજુલા રેલ્વે જમીન વિવાદ મુદ્દે કોંગ્રેસ આક્રમકઃ ઉગ્ર આંદોલનની ચિમકી
- 23, જુન 2021 01:30 AM
- 6606 comments
- 8957 Views
અમરેલી, રાજુલા રેલવે જમીનનો વિવાદ ફરી આગળ આવ્યો છે. રાજુલા શહેરમાં કોંગ્રેસ શાસિત નગરપાલિકા અને કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા માંગ ઉઠાવી હતી અને ટ્રેન રોકી આંદોલન ઉગ્ર બનાવ્યુ તેમ છતા આ જમીનનો સખુદ અંત આવ્યો નથી. આ મામલે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે અંગત રસ લઈ કેન્દ્રીયમંત્રીને રજુઆત કરી છે અને જણાવ્યું છે કે, કોંગ્રેસના ધારાસભ્ય ભાજપના સાંસદને બોલાવી ખાત મુહૂર્ત કરશે.ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષા નેતા પરેશ ધાનાણીએ રાજ્યભરના કોંગ્રેસના જિલ્લા પ્રમુખોને પત્ર લખીને જણાવ્યું છે કે, ‘રાજુલા શહેર મધ્યમાં રેલ્વેની પડતર જમીનમાં બગીચો અને વોક વે બનાવવા રાજુલા નગરપાલિકાએ રેલ્વે સાથે કરાર કર્યો છે, તેમ છતાં જમીનનો કબ્જાે ન મળતાં ધારાસભ્ય અંબરીશ ડેર છેલ્લા ઘણા દિવસથી ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે. આવતીકાલે તા.૨૩ જૂનના રોજ રાજુલાના પ્રશ્નો માટે અંબરીશ ડેરને સમર્થન આપવા અને આપના વિસ્તારના રેલ્વેને લગતાં સ્થાનિક પ્રશ્નોને આવેદનમાં જાેડીને સ્થાનિક કક્ષાએ આવેદનપત્ર આપવા તેમજ ધારાસભ્યોને પોતાના વિસ્તારમાં સ્થાનિક કક્ષાએ રેલ રોકોના આંદોલનાત્મક કાર્યક્રમ આપવાના રહેશે.’ રાજુલા ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા આ રેલવેની જમીન બાબતે ચાલતા આંદોલનનો જલ્દી અંત નહીં આવે તો આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર ભરમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન થઇ શકે છે. જેમાં કોંગ્રેસના મોટા માથાઓ પણ અંગત રસ લઇને મેદાનમાં આવી શકે છે.વધુ વાંચો -
નજીવી બાબતે પતિએ પત્નીની કરપીણ હત્યા કર્યા બાદ લાશને ખાડામાં દાટી દીધી
- 22, જુન 2021 01:30 AM
- 4810 comments
- 8398 Views
અમરેલી, અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ભાણિયા ગામે સામાન્ય બોલાચાલીમાં પતિએ પત્નીની હત્યા કરીને લાશને દાટી દીધી હોવાની ઘટનાનો એક મહિને પર્દાફાશ થયો છે. મીડિયા રિપોર્ટ મુજબ એક મહિના પહેલા વાવાઝોડામાં ઘરનો માલ-સામાન મુકવા બાબતે પતિ-પત્ની સામાન્ય બોલાચાલી થઈ હતી. જેમાં પતિએ ઉશ્કેરાઈને પત્નીને મોતને ઘાટ ઉતારી હતી અને બાદમાં લાશને વાડીની બાજુમાં ખાડો ખોદી દાટી દીધી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહને ખાડામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે અને આરોપી પતિની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ ખાંભાના ગીદરડી ગામની વિલાસબેન કાપરીયા નામની યુવતીએ ૬ વર્ષ પહેલા ભાણિયા ગામનાં હનુ ભીખા ખસીયા નામનાં યુવાન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. થોડા સમય પહેલા ત્રાટકેલા વાવાઝોડામાં વાડીએ આવેલી ઓરડી પડી ગઈ હતી. જેમાં દટાઈ ગયેલો ઘરનો સામાન બહાર કાઢવા અંગે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં પતિએ ઉશ્કેરાઈ જતાં પત્નીની હત્યા કરી નાખી હતી. જાે કે, પુરાવાનો નાશ કરવા માટે પતિએ પત્નીની લાશને વાડીની બાજુમાં ખાડો ખોદીને દાટી દીધી હતી. હત્યાને અંજામ આપ્યા બાદ કોઈને શંકા ન થાય તે માટે પતિ કામ-ધંધો કરવા લાગ્યો, આ દરમિયાન મૃતક વિલસબેનના ભાઈ અશ્વિન ૫ દિવસ પહેલા બહેનને મળવા આવ્યા હતા. ત્યારે બનેવીએ જણાવ્યું હતું કે તમારી બહેન વાવાઝોડા બાદ કયાંક જતી રહેલ છે. જાે કે ભાઈએ બહેનની તપાસ કરતાં તેના બનેવીએ જ હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ભાઈએ બહેનની હત્યા થઈ હોવાની આશંકા તપાસ માટે કરવા પોલીસમાં અરજી આપી હતી. અરજી મળ્યા બાદ ખાંભા પોલીસે તપાસ હાથ ધરતા વિલાસબેનની હત્યા કર્યા બાદ લાશને વાડીનાં શેઢા પાસે દાટી દીધી હોવાની હકીકત જાણવા મળી હતી. ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ખાડો ખોદી લાશને બહાર કાઢી પીએમ અર્થે મોકલી હતી અને હત્યારા પતિની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી હતી. જેમાં પતિએ કબૂલ્યું કે, તેણે જ હત્યા કરીને લાશને ખાડામાં દાટી દીધી હતી. સમગ્ર મામલે ફરિયાદ નોંધીને પોલીસે હત્યારા પતિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વધુ વાંચો -
અમરેલી જિલ્લામાં વીજળી મુદ્દે ખેડૂતો અને કોંગી કાર્યકરોના ધરણા
- 22, જુન 2021 01:30 AM
- 475 comments
- 293 Views
અમરેલી, સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દૂઘાતએ સોમવારના રોજ ખેડૂતોને ખેતીવાડીના વીજ પુરવઠો હજુ સુધી કાર્યરત ન થતા તે મુદે વિજપડીની પીજીવીસીએલ કચેરી ખાતે ખેડૂતો અને કોંગી કાર્યકરો સાથે પહોંચી ધરણા કર્યા હતા. પોલીસે ધરણા કરી રહેલા દુઘાતની અટકાયત કરી હતી. દૂધાતએ આંદોલન ગાંધીનગર સુધી પહોંચશે અને ઉર્જા મંત્રીની ઓફિસ બહાર ધરણા કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. ભાજપના નેતાઓ પણ ખેડૂતોના પ્રશ્ને આગળ આવવા આહવાન કર્યું હતું.અમરેલી જીલ્લામાં તોકતે વાવઝોડાને ૧ મહિના જેવો સમય વીતવા આવ્યો છતા સાવરકુંડલા અને લીલીયા વિસ્તારના ખેડૂતોના ખેતરોમાં વીજપુરવઠો કાર્યરત નહિ થતા ધારાસભ્યએ ધરણાની ચીમકી ઉચ્ચારી હતી. જેને પગલે ધારાસભ્ય પ્રતાપ દુધાત સહિત આસપાસના ગામોના ખેડૂતો અને કોંગી કાર્યકરો તેમજ કેટલાક ગામોના સરપંચો સાથે પીજીવીસીએલ કચેરીમાં ધરણા કરી કચેરીનો ઘેરાવ કર્યો હતો.દુધાત સહિતના ખેડૂતોએ પીજીવીસીએલને સ્થાનિક અધિકારીઓ તેમજ ટેલિફોનિક માધ્યમથી ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરી હતી.ધરણાને પગલે પોલીસે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને દુધાતની પોલીસે અટકાયત કરી હતી અને તેમને સાવરકુંડલાના રૂરલ પોલીસ સ્ટેશમ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ધારાસભ્યની અટકાયત થતા કોંગી કાર્યકરો અને ખેડૂતોએ સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચારો કરી વિરોધ દરાશાવ્યો હતો અને પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ડેરો જમાવ્યો હતો.દુધાતએ આગામી દિવસોમાં આંદોલન વધુ વેગ આપશે અને આવતી કાલે સાવરકુંડલા અને ત્યાર બાદ ગાંધીનગર ખાતે ઉર્જા મંત્રીની ઓફિસ બહાર ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી. તો સરકાર અને પીજીવીસીએલની કામગીરી સામે પણ દુધાતએ સવાલો ઉઠાવી આડેહાથ લીધી હતી.તો ભાજપના નેતાઓ ને પણ સરકારને આવકારવાને બદલે ખેડૂતોની વ્યથા સાથે સહકાર આપવા આગળ આવે તેમ જણાવ્યું હતું.તોકતે વાવાઝોડાને ૧ મહિનો થઈ ગયો છે. પરંતુ હજુ સુધી વિજપડી અને આસપાસના ગ્રામ્યવિસ્તારોમાં ખેતીવાડી વિસ્તારોમાં વિજળી ના આવતા ખેડૂતો પરેશાન છે. ત્યા સોમવારના રોજ સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્રારા વિજપડી પીજીવીસીએલની કચેરીએ જઈને ધરણા કર્યા હતા ત્યારબાદ પ્રતાપ દુધાતની પોલિસ દ્રારા અટકાયત કરવામાં આવી હતી.વધુ વાંચો -
અમરેલીના લીલીયાના બવાડામાં તીક્ષ્ણ હથિયારથી વૃદ્ધ દંપતીની હત્યા
- 20, જુન 2021 01:30 AM
- 5395 comments
- 4225 Views
અમરેલી, અમરેલી જિલ્લાના લીલીયાના બવાડા ગામે વૃદ્ધ દંપતીની કરપીણ રીતે હત્યા કરાઈ છે. તીક્ષ્ણ હથિયારના ઘા મારીને વૃદ્ધ દંપતીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. એક દિવસ વિતવા છતાં વૃદ્ધ દંપતી ઘરની બહાર ન આવતા સ્થાનિકોને વૃદ્ધ દંપતીની હત્યાની થઇ હોવાની જાણ થઈ હતી. અમરેલી જિલ્લાની પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. લીલીયાના બવાડા ગામના વૃદ્ધ દંપતી ભીમજીભાઇ ભગવાનભાઈ દુઘાત (ઉ.વ.૭૨) અને તેમના પત્ની લાભુબેન દુધાત (ઉ.વ.૬૭) રહે છે. વૃદ્ધ દંપતી પોતાની ૧૨ વિઘાની જમીનમાં ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા. તેમને ૪ સંતાનો છે. જેમાં ૧ પુત્ર અને ૩ પુત્રીઓ છે. તેમનો પુત્ર સુરત ખાતે ટેક્સટાઇલ કંપનીમાં નોકરી કરે છે અને તે સુરત ખાતે જ રહે છે. ૩ દીકરીઓ પરણિત હોવાથી સાસરિયે છે. જેથી આ બંને વૃદ્ધ દંપતી ગામડે ખેતી કરી એકલા રહી જીવન ગુજારતા હતા. એક દિવસ એવો આવ્યો કે, આ બંને વૃદ્ધોની હત્યાને અંજામ આપી દેવામાં આવ્યો હતો. ૧૭ જુનના રોજ સાંજના સાડા ૭ વાગ્યાથી લઈને તારીખ ૧૮ જુનના રોજ સાંજના ૬ વાગ્યા પહેલા હત્યાને અંજામ આપી દેવામાં આવ્યો હતી. મૃતકોના ભત્રીજા અને ફરિયાદી હિમતભાઈ દુધાતને તેમના કાકાનું કામ હોવાથી તેમના ઘરે જતા કોઈ જવાબ મળ્યો ન હતો. મકાનમાં અંદર જઈને જાેતા કાકા અને કાકીની હત્યા નિપજાવી કાઢવામાં આવી હતી. બંનેની લાશ મળી આવી હતી.ઓસરીમાં લોહીલુહાણ હાલતમાં બંને વૃદ્ધ દંપતીની લાશ મળી હતી. મોટા તીક્ષ્ણ અને બોથડ હથિયારોના ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી બંનેની હત્યા કરાઈ હતી. ઘરવખરી તેમજ સરસામાન વેરવિખેર કરેલી હાલતમાં મળી આવ્યો હતો. જેને લઈને તેમના ભત્રીજાએ સ્થાનિક સરપંચ સહિતના ગામ લોકોને જાણ કરી હતી. મૃતદેહોને પીએમ અર્થે લીલીયા અને ત્યારબાદ ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા. બંને વૃદ્ધની લાશ ઓસરીના ખાટલામાં લોહીથી લથપથ હાલતમાં મળી આવતા સમગ્ર ગામના લોકો ચોંકી ઉઠ્યા હતા. સરપંચ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો, ડોગ સ્કોવર્ડ અને એફએસએલનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. આ ઘટનાને લઈને પોલીસે આગળની તપાસ શરૂ કરી હતી. ઘરમાં સામાન વિખરાયેલો હોવાથી પોલીસને હાલ પ્રાથમિક દ્રષ્ટિએ લૂંટના ઇરાદે હત્યા કરાઈ હોય તેવું લાગી રહ્યું છે. જાેકે, સ્થાનિકોમાં ડબલ મર્ડરની ઘટનાથી દર વ્યાપી ગયો છે.વધુ વાંચો -
પેટ્રોલપંપના માલિક પાસે ૧૦ લાખની ખંડણી માગનાર અને એસપીને પડકાર ફેંકનાર છત્રપાલ વાળા ઝડપાયો
- 13, જુન 2021 01:30 AM
- 1102 comments
- 4377 Views
અમરેલી,અમરેલી શહેરમાં પેટ્રોલ પંપ માલિક હિતેશભાઈને છત્રપાલ વાળા દ્વારા ફોન પર રૂ.૧૦ લાખની ખંડણીની માગણી કરાઈ હતી. આની સાથે જાનથી મારી નાખવાની તથા ફાયરિંગ કરવાની ધમકી આપવામાં હતી. આ પ્રકારની ઓડિયો-ક્લિપ પણ વાઇરલ થતાં સમગ્ર જિલ્લામાં ચકચાર મચી હતી. જ્યારે આ ઓડિયો-ક્લિપમાં અમરેલીના એસપીને પણ ખુલો પડકાર ફેંક્યો હતો અને આરોપીએ ચેલેન્જ ફેંકી હતી. ત્યારબાદ ફરિયાદી હિતેશભાઈ દ્વારા સિટી પોલીસમાં પોલીસ ફરિયાદ આપતાં અમરેલી પોલીસની ટીમોએ અલગ અલગ દોડી તપાસ હાથ ધરી હતી. મોડી રાતે આરોપી છત્રપાલ વાળાને અમરેલી એલસીબી દ્વારા પકડી પડાયો હતો.ખંડણી માટે ફોન કરનાર અને એસપી નિરલિપ્ત રાયને ખુલ્લો પડકાર ફેંકનાર છત્રપાલ વાળા મોડી રાતે અમરેલી એલસીબીના હાથે પકડાયો છે. ત્યારબાદ મોડી રાતે આરોપીને અમરેલી એલસીબી ખાતે લઈ આવ્યો હતો અને પૂછપરછ હાથ ધરાઇ હતી. બપોર બાદ પોલીસ માહિતી જાહેર કરશે. અમરેલી શહેરમાં આવેલા ગુરુદત્ત પેટ્રોલ પંપના માલિક હિતેશ આડતિયાને ફોન કરી છત્રપાલ વાળાએ ૧૦ લાખ રૂપિયાની ખંડણી માગી હતી. શાંતિથી પેટ્રોલ પંપ ચલાવવો હોય તો દસ લાખ રૂપિયા આપવાની માગ કરી હતી, અન્યથા પેટ્રોલ પંપના માલિક પર ફાયરિંગ કરવાની ધમકી આપી હતી.છત્રપાલ વાળા અને પેટ્રોલ પંપના માલિક હિતેશભાઈ વચ્ચેની વાતચીત વાઈરલ થયેલી સાડાત્રણ મિનિટની ઓડિયો-ક્લિપમાં છત્રપાલ વાળાએ અમરેલી એસપી અને સાંસદ નારણ કાછડિયાના નામોનો ઉલ્લેખ કરી બેફામ વાણીવિલાસ કર્યો હતો. છત્રપાલ વાળાએ પોતાને અમરેલીનો બાપ ગણાવ્યો હતો અને દસ લાખની માગ કરી હતી. પેટ્રોલ પંપના માલિકે ના પાડતાં ત્રણ દિવસમાં ફાયરિંગ કરવાની ધમકી પણ આપી હતી.વધુ વાંચો -
ધારાસભ્યના સમર્થનમાં અર્ધનગ્ન હાલતમાં છાવણીમાં પહોંચે એ પહેલા વકીલની અટકાયત
- 13, જુન 2021 01:30 AM
- 6706 comments
- 4443 Views
અમરેલી, રાજુલામાં રેલવેની જમીન પાલિકાએ બગીચા બનાવવા માટે માંગી હતી. પરંતુ રેલવે સતાધીશો દ્વારા અહી હદ બાંધવાની પ્રક્રિયા શરૂ થતા ધારાસભ્ય અંબરીશ ડેરે કામગીરી અટકાવી હતી. જેને પગલે તેમની અટકાયત કરાઇ હતી. જાે કે ધારાસભ્ય દ્વારા અહી ઉપવાસ આંદોલન શરૂ કરાયુ છે. ત્યારે તેમના સમર્થનમા અર્ધનગ્ન હાલતમાં વકીલ છાવણી સુધી પહોચે તે પહેલા તેમની પોલીસે અટકાયત કરી લીધી હતી. આજે પ્રદેશ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાએ ઉપવાસી છાવણીની મુલાકાત લઇ રેલરોકો આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.રેલવેની જમીન મુદે ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરાયુ છે. તેના સમર્થનમા વકીલ નવેચતન પરમારે ધારાસભ્યના સમર્થનમા સુત્રોચ્ચાર કર્યા હતા જાે કે તે છાવણી સુધી પહોંચે તે પહેલા યાર્ડ નજીકથી પોલીસે તેની અટકાયત કરી લીધી હતી. બીજી તરફ આજે પ્રદેશ કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયા રાજુલા દોડી આવ્યા હતા અને ઉપવાસી છાવણીની મુલાકાત લીધી હતી. અહી તેમણે રેલવેની જમીનનુ નિરીક્ષણ પણ કર્યુ હતુ. અર્જુન મોઢવાડીયાએ આક્ષેપો કરી જણાવ્યું હતુ કે ભાજપના નેતાઓ રેલવેના અધિકારીઓને દબાવે છે. રેલવે જમીન સાચવવા માટે પાલિકાને આપે અને પાલિકા દ્વારા અહી બગીચા સહિત સુવિધા ઉભી કરવામા આવે તો સુવિધામાં વધારા થાય તેમ છે. જાેકે ભાજપના નેતાઓ હવનમા હાડકાં નાખવાનુ કામ કરી રહ્યાં છે. તેમણે એમપણ જણાવ્યું હતુ કે રેલવે તંત્ર દ્વારા સહકાર આપવામા નહી આવે તો રેલરોકો આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારવામા આવી હતી.બીજી તરફ બાબરામા આહિર એકતા મંચ દ્વારા ધારાસભ્ય ડેરના સમર્થનમા મામલતદારને આવેદન પાઠવ્યુ હતુ.વધુ વાંચો -
આ તારીખે સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદની કરી આગાહી
- 01, જુન 2021 07:23 PM
- 7009 comments
- 1735 Views
ગાંધીનગર-ગુજરાતના અમુક ભાગમાં હવામાન વિભાગની હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવે છે. જેના કારણે રાજ્યના અલગ અલગ ભાગોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના મતે રાજ્યના વલસાડ, નવસારી, ડાંગમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. ભાવનગર, અમરેલી, રાજકોટમાં ૩ – ૪ જૂને વરસાદની આગાહી કરવામાં આવી છે. કેરળમાં ૩ જૂન સુધી ચોમાસું આગમન થઈ શકે છે. અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાંથી દક્ષિણ ગુજરાત સુધી એક સિસ્ટમ (ટ્રફ) છે જેને કારણે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.અરબી સમુદ્ર પરથી ભેજયુક્ત પવનના કારણે લાગે છે કે ગરમી હવે ૪૦ ડિગ્રીને વળોટશે નહીં, આજે અમદાવાદમાં ૩૭,૬ ડિગ્રી ગરમી નોંધાઈ હતી. હવામાન વિભાગે પણ ગરમી વધશે તેવી આગાહી કરી નથી. ઉલ્ટાનું આગામી ચારથી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર નહીં થવાની આગાહી કરી છે. તેમજ રાજ્યના અમુક ભાગમાં મધ્યમથી ભારે વરસાદ અને ગાજવીજ થવાની આગાહી કરી છે.વધુ વાંચો -
CM રૂપાણીએ તાઉતે વાવાઝોડાથી અગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત
- 20, મે 2021 02:12 PM
- 5296 comments
- 6399 Views
રાજકોટ-તાજેતરમાં તાઉતે વાવાઝોડાએ સમગ્ર ગુજરાતને તહેશ નેહત કરી દીધુ હતું. ત્યારે સૌથી વધારે પ્રભાવિત સૌરાષ્ટ્રના જિલ્લાઓ પ્રભાવિત થયા છે. ત્યારે ગુજરાતમાં કરોડો રૂપિયાનું નુકસાન અને અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આવી સ્થિતિમાં વડાપ્રધાન મોદીએ પણ હવાઈ નિરિક્ષણ કર્યું હતું. જોકે, આજે ગુરુવારે ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ અસગ્રસ્ત વિસ્તારોની મુલાકત લીધી હતી. સાથે સાથે અગ્રસ્ત વિસ્તારોના પીડિતો સાથે પણ વાત કરી હતી. સીએમ રૂપાણીને સરપંચ અને ગરડા ગામનાં લોકોએ આ મહામુસિબતથી પડેલું દુખ અને વ્યથા વર્ણવી હતી. જેની સામે સીએમે તેમને આશ્વાસન આપ્યું હતું કે, સરકાર તમારી મદદ કરશે. નોંધનીય છે કે, વાવાઝોડાના કારણે સ્થળાંતર થયેલાઓને આજથી કેશડોલ ચૂકવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. 16 અને 17મી મેના રોજ સ્થળાંતર થયેલા લોકોને રાજ્ય સરકાર સાત દિવસની કેશડોલ ચૂકવશે. પુખ્ત વયના વ્યક્તિને 100 રૂપિયા અને બાળકોને રૂ. 60 પ્રતિ દિવસ ચૂકવવામાં આવશે. કેન્દ્ર સરકાર વાવાઝોડામાં મોતને ભેટેલા લોકોના પરિવારજનોને 2-2 લાખની તથા ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે રાજ્ય સરકાર મૃતકોના પરિવારને ચાર-ચાર લાખ આપવાની જાહેરાત કરવામાં આવી છે. સોમવારે પીએમ મોદીએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર તૌક્તે વાવાઝોડાને કારણે જે લોકો પ્રભાવિત થયા છે તેમની સાથે છે અને તેમને જરૂરી તમામ મદદ કરશે. પીએમ મોદીએ જણાવ્યું કે અમદાવાદમાં બેઠક દરમ્યાન તોકતે વાવાઝોડાને કારણે ઉદ્દભવેલી સ્થિતિની સમીક્ષા કરી હતી. વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોમાં ચાલી રહેલા રાહત અને બચાવ કાર્યની પણ માહિતી મેળવી હતી.વધુ વાંચો -
તાઉ તેની તારાજીનું નિરીક્ષણ કર્યા બાદ કેન્દ્રની ગુજરાતને 1000 કરોડ રૂપિયાની સહાય જાહેર
- 19, મે 2021 05:00 PM
- 510 comments
- 8791 Views
અમદાવાદ-તાઉ તેની તારાજીનું નિરીક્ષણ કર્યા બાદ પીએમ મોદીએ સહાયની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર દ્વારા ગુજરાતને 1000 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ સિવાય મૃતકોના પરીજનોને 2 લાખ રૂપિયા આપવામાં આવશે. આ અંગે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી જાહેરાત કરી હતી. આ સાથે જ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું છે કે વાવાઝોડામાં ઘાયલ થયેલા છે તેમને 50,000 રૂપિયાની મદદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આજે સવારથી વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે હતા. તેમણે વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે નુકસાન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જેમાં ઉનાળુ પાકને પણ નુકસાન થયા છે. અને બાગાયતી ખેતીમાં કેસર કેરીને સૌથી મોટું નુકસાન સામે આવ્યું છે. જે બાદ અનેક લોકોના ઘરનું નુકસાન થયું છે. અનેક જગ્યાએ કાચા અને ઝૂપડાઓ તૂટી ગયા છે. આ પ્રકારના તમામ નુકસાનના તાત્કાલિક સર્વે બાદ સહાય ચૂકવવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ખેડૂતોને ત્રણ ચાર પ્રકારનું નુકસાન થયું છે. તેમજ ઉનાળુ પાકને અસર થઈ છે. કેરી અને નાળિયેરના પાકને પણ અસર થઈ છે. કાચા મકાનો અને ઝુપડા ઉડી ગયા છે. જે પશુઓના મોત થયા તેને સહાયતા તથા ચોથુ કેશડોલ આપવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, નુકસાનના સર્વેની કામગીરી તત્કાલ શરૂ કરવામાં આવશે અને બધાને સહાય ચુકવવામાં આવશે. માછીમારોને થયેલા નુકસાનનો પણ સર્વે કરવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આગામી બે દિવસમાં તંત્ર બધુ રાબેતા મુજબ થાય તે માટેની કામગીરી કરાશે.વધુ વાંચો -
ગુજરાતને ફરી પાટા પર લાવવા સરકારની કવાયત શરૂ, ક્યાં કેટલું નુકસાન? સર્વેની કામગીરી શરૂ
- 19, મે 2021 04:49 PM
- 9703 comments
- 8001 Views
ગાંધીનગર-કોરોનાના ભયાનક મારનો સામનો કરી રહેલા ગુજરાતથી કુદરત જાણે કે રુઠી હોય તેવી રીતે 'તાઉતે' નામનું મહાભયાનક વાવાઝોડું આવી પડતાં સરકાર તેમજ લોકોના શ્વાસ અધ્ધર ચડી ગયા હતા. બે દિવસ સુધી ખૌફના મંજર ઉભા કરીને વાવાઝોડું હવે પસાર થઈ ગયું છે ત્યારે સરકાર દ્વારા પણ વાવાઝોડાને કારણે ક્યાં કેટલું નુક્સાન થયું છે તેના સર્વે સહિતની કામગીરી 'બંબાટ' શરૂ કરી દેવામાં આવી છે. એકંદરે રાજ્યને ફરી 'ધબકતું' કરવા માટે સરકારે મથામણ શરૂ કરી દીધી છે. વાવાઝોડાએ જે-જે જિલ્લાઓમાં વિનાશ વેર્યો છે તે જિલ્લાઓને બે દિવસની અંદર 'બેઠા' કરી દેવા સરકાર તેમજ સ્થાનિક તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.વાવાઝોડાએ ખાસ કરીને ખેતીવાડી, પશુપાલન અને મત્સ્યોદ્યોગને ખાસ્સું નુકસાન પહોંચાડ્યું હોય તેનો સર્વે કરવા પર સરકાર પ્રાથમિકતા આપી રહી છે. આ ઉપરાંત જે જિલ્લાઓમાં ઝુંપડા અને કાચા મકાનો તૂટી પડ્યા છે ત્યાં તાકિદે કેશડોલ્સ ચૂકવવાની કામગીરી શરૂ કરી દેવા સરકારે આદેશ આપ્યો છે. પત્રકાર પરિષદને સંબોધન કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે વાવાઝોડાએ ગુજરાતમાં 13 લોકોનો ભોગ લીધો છે. આગોતરા આયોજન, આગમચેની, સહિયારા અને સક્રિય પ્રયત્નો તેમજ લોકોના સહકારથી ગુજરાત વાવાઝોડારૂપી આફતમાંથી હેમખેમ બહાર આવી ગયું છે. વાવાઝોડાગ્રસ્ત જિલ્લાઓમાં બે દિવસમાં પરિસ્થિતિ પૂર્વવત થઈ જાય તે રીતે રિસ્ટોરેશન અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવશે. સરકાર દ્વારા અસરગ્રસ્ત જિલ્લાઓમાં નુકસાનીના સર્વેક્ષણની કામગીરી શરૂકરી દેવાઈ છે. પ્રાથમિક તબક્મે મકાનો, ખેતીવાડી, પશુપાલન અને મત્સ્યોદ્યોગને જે નુકસાન થયું છે તેનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવશે. જે જિલ્લાઓમાં વિશે નુકસાન થયું છે ત્યાં પાડોશી જિલ્લાઓના અધિકારીઓને પણ સર્વેક્ષણની કામગરીમાં સામેલ કરવામાં આવ્યા છે જેથી કામગીરીમાં ઝડપ આવી શકે. યોગ્ય તમામ વ્યક્તિઓને સરકારી ધારા-ધોરણ મુજબ કેશડોલ્સ, ઘરવખરી સહાય અને અન્ય આર્થિક સહાય તાત્કાલિક ચૂકવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. રાહતની વાત એ છે કે એક પણ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને વાવાઝોડાને કારણે કોઈ તકલીફ પડ નથી. રાજ્યમાં કુલ 425 કોવિડ હોસ્પિટલ પૈકી 122 હોસ્પિટલ વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં હતી અને તેમાંથી 83 હોસ્પિટલોમાં વીજ પૂરવઠો ખોરવાયો હતો આમ છતાં તંત્રની આગોતરી વ્યવસ્થા હોવાને કારણે ક્યાંય વીજ સપ્લાયને લઈને સમસ્યા સર્જાવા પામી નથી. વાવાઝોડાની સૌથી વધુ અસર ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ અને ગાંધીનગરમાં જોવા મળી છે તેથી સરકાર દ્વારા આ જિલ્લાના કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરીને વિસ્તૃત વિગતો મેળવવામાં આવી રહી છે.વધુ વાંચો -
ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાએ કર્યો વિનાશ, કોરોડોનું નુકસાન, મૃત્યુઆંક 45 પર પહોંચ્યો
- 19, મે 2021 02:47 PM
- 6809 comments
- 616 Views
અમદાવાદ- ગુજરાતમાં એક દિવસની તારાજી સર્જીને રાજસ્થાન તરફ આગળ વધી ગયું છે. પરંતુ ગુજરાતમાં પાછળ કોરોડનું નુકસાન અને અનેક લોકોનો ભોગ લેતું ગયું છે. વાવાઝોડાના કારણે ગુજરાતમાં મૃત્યું આંક ધીમે ધીમે વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 45 લોકોના મોતના સમચારા મળી રહ્યા છે. આ મૃત્યુ મકાન ધસી પડવાથી, ઝાડ પડવાથી દીવાલ તૂટવાથી, તો કરંટ લાગવાથી થયાના સમાચાર મળી રહ્યાં છે. અમરેલીમાં 15 મોત થયા છે. જેમાં મકાન ધસી પડવાથી 2, દીવાલ પડવાથી 13 લોકોનાં મોત થયા છે. ભાવનગરમાં 8 મોત નીપજ્યાં છે. જેમાં ઝાડ પડવાથી 2, મકાન ધસી પડવાથી 2, દીવાલ પડવાથી 3, છત પડવાથી 1 મોત થયા છે. ગીર સોમનાથમાં 8 મોત નીપજ્યાં છે. જેમાં ઝાડ પડવાથી 2, મકાન ધસી પડવાથી 1, દીવાલ પડવાથી 4, છત પડવાથી 1 મોત થયા છે. અમદાવાદમાં કુલ 5 મોત થયા છે. જેમાં વીજ કરંટથી 2, દીવાલ પડવાથી 2 અને છત પડવાથી 1નું મોત થયું છે. ખેડામાં 2ના મોત થયા છે જેમા વીજ કરંટથી બંન્નેના મોત થયા છે. આણંદમાં 1 મૃત્યુ વીજ કરંટથી, વડોદરામાં 1 મૃત્યું ટાવર પડી જવાથી, સુરતમાં 1 મૃત્યુ ઝાડ પડી જવાથી, વલસાડમાં 1 મૃત્યુ દીવાલ પડવાથી, રાજકોટમાં 1 મૃત્યુ દીવાલ પડવાથી, નવસારીમાં 1 મૃત્યુ છત પડવાથી, પંચમહાલમાં 1 મૃત્યુ ઝાડ પડી જવાથી થયું છે.આ વાવાઝોડાથી સૌથી વધારે નુકશાન ખેડૂતોને થયું છે. બાગાયતી પાકના ખેડૂતોને તો રોવાનો વારો આવ્યો જ છે, સાથે ઉભો પાક લોકોનો વાવાઝોડામાં નષ્ટ થઈ ગયો છે. હવે વાવાઝોડાની આફત ધીમે ધીમે ઓછી થઈ રહી છે, ત્યારે સરકાર આવતીકાલથી નુકશાનીનો સર્વે હાથ ધરશે, તથા રિસ્ટોરેશન અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવશે તેવી સરકારે ખાતરી આપી છે. વાવાઝોડાથી સમગ્ર ગુજરાતમાં ભારે તારાજીના દ્રશ્યો સામે આવ્યાં છે. આ વાવાઝોડાને કારણે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. આજે રાજ્યમાં વાવાઝોડાના કારણે મૃત્યુ આંકમાં વધારો થયો છે. ગુજરાતમાં આ વાવાઝોડાના કારણે મૃત્યુઆંક સીધો 45 પર પહોંચી ગયો છે. આ મૃત્યુ મકાન ધસી પડવાથી, ઝાડ પડવાથી દીવાલ તૂટવાથી, તો કરંટ લાગવાથી થયાના સમાચાર મળી રહ્યાં છે.વધુ વાંચો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ