અમરેલી સમાચાર

  • ગુજરાત

    ગોંડલ યાર્ડમાં લસણનાં રેકોર્ડ બ્રેક ભાવ સૂકા મેવા કરતા પણ લસણ મોંઘું થયું

    અમરેલી સૌરાષ્ટ્રનાં જુદા જુદા યાર્ડમાં લસણની કિંમતમાં સુધારો જાેવા મળ્યો છે. એક સપ્તાહમાં ભાવમાં સરેરાશ વધારો થયો છે. સપ્તાહમાં સરેરાશ ૧૦૦ રૂપિયાથી ૨૦૦ સુધીનો વધારો થયો છે. રાજકોટ યાર્ડમાં લસણનો ભાવ ૫૦૦૦થી ૬૫૦૦ રૂપિયા, ગોંડલ યાર્ડમાં ૩૯૯૨ થી ૮૬૪૧ રૂપિયા અને જામનગર યાર્ડમાં ૬૭૦૦ રૂપિયા સુધી ભાવ રહ્યો છે.સૌરાષ્ટ્રમાં જામનગર યાર્ડમાં ખેડૂતોને લસણના સારા ભાવ મળી રહ્યાં છે. લસણના ભાવમાં સુધારો જાેવા મળ્યો છે.અમરેલી, જૂનાગઢ અને જામનગર જિલ્લામાં મોટાભાગના ખેડૂતોએ લસણનું વાવેતર કર્યું છે. લસણનું વાવેતર થકી ખેડૂત સારું ઉત્પાદન મેળવે છે. લસણનો ભાવ હાલ ૧૦૦થી ૨૦૦ રૂપિયાનો સુધારો જાેવા મળ્યો છે.લસણની બજારમાં મંદીનો દોર અટક્યો છે અને ભાવમાં ૧૮૦ રૂપિયથી ૨૦૦ રૂપિયાનો વધારો જાેવા મળ્યો છે. ગુજરાતમાં થોડા આવક વધતી અટકી છે અને રાજસ્થાન, એમપીમાં પણ લસણની આવકમાં ઘટાડો થયો હોવાથી આંશિક ભાવમાં વધારો થયો છે. લસણની બજારમાં સુધારો આગળ વધી રહ્યો છે.લસણની થોડી ઘટ હોવાથી બજારમાં માંગ સારી રહી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    દિવાળી નજીક આવી હોવા છતાં બજારમાં ગ્રાહકો ન દેખાતા વેપારીઓ ચિંતિત

    અમરેલી,તા.૪દિવાળીનો તહેવાર વર્ષ દરમ્યાન સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે આ દિવાળી તહેવાર દરમ્યાન લોકો પરિવાર સાથે ખરીદી કરતા હોય છે અને ઉજવણી કરતા હોય છે મહાનગરોમાં દિવાલીના કારણે ભારે ભીડ જાેવા મળી રહી છે પરંતુ અમરેલી જિલ્લામાં સ્થિતિ અલગ જાેવા મળી રહી છે લાઠી સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ ઓછો થવાના કારણે ખેતી નબળી થવાના કારણે કપાસનું વાવેતર નહિ થવાના કારણે તેની અસર સીધી લાઠી શહેરના વેપારીઓ પર પડી રહી છે વેપારીઓ દિવાળી તહેવાર સમયે ફ્રી જાેવા મળી રહ્યા છે અને સુમસાન માહોલ વચ્ચે ભીડ તો ન જાેવા મળી પરંતુ કોઈ માણસ ખરીદી કરવા પણ આવતું નથી જેના કારણે મંદીનો માહોલ લાઠી શહેરમાં જાેવા મળી રહ્યો છે.હાલમાં મોટાભાગની દુકાનદારો દિવાળી જેવા સમયે ખરીદી નહિ જાેવા મળતા ભારે મોટી મુંજવણમાં જાેવા મળી રહ્યા છે અને આ મંદીના કારણે વેપારીઓએ રાજય સરકાર સમક્ષ સહાય મદદની માંગ કરી રહ્યા છે. લાઠી શહેરમાં ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ મેઘાભાઈ ડાંગર એ કહ્યું હાલની વેપારીઓ માટે પરિસ્થિતિ કઠણ છે એટલી મારી લાઈફમાં ઘણા વર્ષોથી બિઝનેસ કરું છુ પણ અત્યારે હીરા ઉધોગમાં મંદી છે ખેતીમાં કપાસમાં કે કોઈ પણ વાવેતરમાં એટલું બધું નબળું છે એટલી બધી મંદી છે અમારી લાગણી હવે એવી છે સરકાર વેપારીઓ સામે જુએ અને થોડો સહયોગ કરે.
    વધુ વાંચો
  • ગુજરાત

    દેવાયત ખવડે માફી માગતા કહ્યું કે,મેં ભૂલ જાહેરમાં કરી હતી તેથી માફી પણ જાહેરમાં જ માંગવી પડે

    અમરેલી,તા.૩૧અમરેલી જીલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામના સરદાર પ્રેમી ઉધ્યોગપતિ ગોપાલ વસ્તરપરા દ્વારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૮મી જન્મ જયંતિની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ચમારડી ગામ ખાતે એક કાર્યક્રમમાં વલ્લભ નામ ધરાવતા ૧૪૮ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે સન્માનિત કરી સરદારને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ચમારડી ખાતે આયોજિત કાર્યક્રમમાં લોક સાહિત્યકાર દેવાયત ખવડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતી લોક સાહિત્યકાર દેવાયત ખવડે સરદાર પટેલ જ્યંતીના કાર્યક્રમમાં જાહેરમાં માફી માંગી. આ કાર્યક્રમમાં તેમણે માફી માગતા જણાવ્યુ કે, મેં ભૂલ જાહેરમાં કરી હતી તેથી માફી પણ જાહેરમાં જ માંગવી પડે. મને મારી ભૂલનું પ્રાયશ્ચિત કરવું છે. અમરેલીના ચમારડીમાં સરદાર જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી. ઉપરાંત દેવાયત ખવડે જાહેરાત કરી કે, હું ગુજરાત અને દુનિયાના દરેક ખૂણે જીવનભર સરદાર પટેલ જ્યંતી નિમિતે પૈસા લીધા વિના ડાયરા કરીશ. મોરબીમાં ઝૂલતાપૂલ દુર્ઘટનાના મૃતકોના સ્મરણાર્થે આયોજિત રામકથામાં દેવાયત ખવડનો કાર્યક્રમ નિર્ધારિત કરાયો હતો. જાેકે, દેવાયત ખવડ દ્વારા તાજેતરના એક કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઈ પટેલ વિશે કરાયેલી ટિપ્પણીને કારણે પાટીદાર સમાજ રોષે ભરાયાો હતો. જેના કારણે મોરબી કાર્યકમ રદ્દ કરી નાખવામાં આવ્યો હતો. આ અંગેની દેવાયત ખવડે જાહેર મંચ પરથી માફી માંગી છે.ચમારડી ગામમાં આયોજિત સરદાર પટેલ જન્મ જયંતિ નિમિત્તે વિવિધ જ્ઞાતિના વલ્લભભાઈ નામ ધરાવતા ૧૪૮ વ્યક્તિઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ હતો. ૧૪૮થી પણ વધુ એટલે કે લગભગ પોણા બસ્સો જેટલા વલ્લભ નામધારી લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.. વલ્લભ નામ ધરાવતા લોકો સન્માનિત થતી વેળાએ ગદગદ થયા હતા.
    વધુ વાંચો
  • ગુજરાત

    અમરેલીના નાગધ્રા ગામની શેલ નદીમાં ઘોડાપૂર આવતાં ગાંડીતૂર બની

    અમરેલી,પોરબંદર,કચ્છ, ગુજરાત પર છેલ્લા ૫ દિવસથી બિપોરજાેય વાવાઝોડાનું સંકટ ઘેરાયું હતું ત્યારે સૌરાષ્ટ્રના લોકોને આ વાવઝોડુ તાઉતેની યાદ તાજી કરાવી દેશે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં સવારથી ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. રાધનપુરમાં પણ અનરાધાર વરસાદ શરૂ થતાં રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે. ભારે પવનમાં ગેલાશેઠની શેરીમાં બંધ મકાનનું પતરું ઊડ્યું છે. ભાવનગરમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે, જેના પગલે રોડ પર પાણી ભરાયાં છે. પાણીમાંથી પસાર થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેર અને જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયાં છે.વાવાઝોડાને લઈને અમરેલી જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. અમરેલી, જાફરાબાદ, રાજુલા, ખાંભા, સાવરકુંડલા અને ધારી પંથકમાં ધોધમાર વરસાદથી ખેતરો પાણી પાણી થયાં છે તેમજ નદી-નાળાં વરસાદી પાણીથી છલકાયાં છે. ગીર પંથકના સરસિયા, જીરા, ડાભાળી, હીરાવા અને નાગધ્રામાં મુશળધાર વરસાદ વરસ્યો છે. આથી નાગધ્રા ગામની શેલ નદી ગાંડીતૂર બની છે અને ઘોડાપૂરથી બેઠા પુલ પર પૂરના પાણી ફરી વળ્યા છે વાવાઝોડાની અસર ભચાઉ અને જખૌમાં શરૂ થઈ ગઈ હોય એમ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે તેમજ ભુજમાં ધોધમાર વરસાદથી જૂના બસસ્ટેન્ડ પાસે રસ્તા પર પાણી ભરાયાં છે. જાફરાબાદમાં વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. જાફરાબાદ બંદર પર ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. હાલ જાફરાબાદ સહિત અમરેલી જિલ્લાના દરિયાકાંઠે ૪૨ ાદ્બॅરની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. હાલ લોકોને વાડાઝોડું- ‘તાઉતે’ની યાદ તાજી થઈ રહી છે. ભારે પવનથી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. કચ્છના પશ્ચિમ કાંઠા પર ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કચ્છના માંડવીમાં તોફાની પવન સાથે સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે, આથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૧ તાલુકામાં દોઢ ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. ખાસ કરીને આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જામનગરના દરિયાકિનારે ભારે પવનની સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. દરિયાકિનારે ડરામણાં દૃશ્યો જાેવા મળી રહ્યાં છે.પોરબંદરમાં આજે વહેલી સવારથી ભારે પવન સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે, આથી રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે તેમજ પવનની ગતિ વધુ હોવાથી રસ્તા પર પસાર થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.૨૪ કલાકના વરસાદની વાત કરીએ તો અંજારમાં ૩૦ મિમી, ભુજમાં ૩૩ મિમી, માંડવીમાં ૧૫ મિમી, મુંદ્રામાં ૧૫ મિમી, નખત્રાણામાં ૧૩ મિમી, રાપરમાં ૧૬ મિમી, અબડાસામાં ૧૧ મિમી, દાંતામાં ૧૦ મિમી, ભચાઉમાં ૯ મિમી સુધીનો વરસાદ નોંધાયો છે. આ સિવાય રાજકોટમાં પણ આજે સવારથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડું જ્યાં ટકરાવાનું છે ત્યાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, આથી અહીં ડરામણાં દૃશ્યો જાેવા મળી રહ્યાં છે. ગુજરાતમાં જખૌ બંદર પાસે આ વાવાઝોડું ટકરાવાનું છે. ૧૬ અને ૧૭ જૂનના રોજ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દરિયાઈ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. વરસાદ અને પવનની ગતિમાં વધારો થશે. ૧૬ જૂને બનાસકાંઠા, પાટણ અને કચ્છ આ ઉપરાંત મોરબીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ તથા સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને ગીર-સોમનાથ તેમજ દીવમાં ભારે વરસાદની સંભાવના છે.જ્યારે આ પ્રભાવિત વિસ્તારો સહિતમાં કચ્છ, મહેસાણા, સાબરકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને ગીર-સોમનાથ તેમજ દીવમાં ૬૨થી ૮૭ ાદ્બॅરની ગતિએ પવન ફુંકાવાની સાથે મધ્યથી ભારે વીજળી થવાની શક્યતા છે.
    વધુ વાંચો
  • ક્રાઈમ વોચ

    કોર્પોરેટ કલ્ચરના ઝાકમઝોળની વરવી અંધારી બાજુ આંતરરાષ્ટ્રીય કક્ષાની ફાર્મા કંપનીમાં ચાલતા સેક્સ કૈાભાંડથી ખળભળાટ કંપનીના રંગીન મિજાજના એમડીએ ૩૭થી વધુ ભારતીય અને વિદેશી યુવતીઓનું શારીરિક શોષણ

    વડોદરા, તા. ૯આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાણીતી અમદાવાદની એક ફાર્મા કંપનીમાં ભારતીય તેમજ વિદેશી યુવતીઓને વાર્ષિક લાખો –કરોડો રૂપિયાના પેકેજ પર નોકરીએ રાખ્યા બાદ યુવતીઓનું ખુદ કંપનીના એમડી દ્વારા વારંવાર શારીરિક શોષણ કરી સેક્સ કૈાભાંડ આચરવામાં આવ્યું હોવાની વાતે ખળભળાટ મચ્યો છે. કંપનીના એમડીની રાતો રંગીન કરવા માટે મજબુર બનેલી યુવતીઓ આ મુદ્દે કોઈ હોબાળો મચાવે તે અગાઉ તેઓને શામ-દામ-દંડ-ભેદની નિતીથી ચુપ કરાવી દેવામાં આવતી હોઈ અત્યાર સુધી આ સેક્સ રેકેટની કોઈ વિગતો બહાર આવી શકી નહોંતી. જાેકે આ જ ફાર્મા કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતી એક યુવતીને પણ શારીરિક શોષણ માટે ફરજ પાડી બળજબરી કરાતા આ સેક્સ કૈાભાંડને ઉજાગર કરવા માટે યુવતીએ પહેલ કરી હતી. જાેકે કંપનીના વગદાર સંચાલક સામે કાર્યવાહી કરવા માટે પોલીસ તંત્રના હાથ ધ્રુજતા હોઈ પોલીસે ફરિયાદ નોંધવા માટે સ્પષ્ટ નનૈયો ભણતા યુવતીને આ સેક્સ રેકેટમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે આખરે હાઈકોર્ટમાં દાદ માંગવાની ફરજ પડી હતી. થોડાક સમય પહેલા આવેલી દિગદર્શક મધુર ભંડારકરની જાણીતી હિન્દી ફિલ્મ ‘કોર્પોરેટ’માં મોટા ઉદ્યોગપતિઓ દ્વારા મની એન્ડ મસલ્સ પાવર સાથે લેધર કરન્સીનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે તેનો ચિતાર આપી ઝાકમઝાળ ભરેલે કોર્પોરેટ કલ્ચરના બીજી વરવી બાજુને ઉજાગર કરવામાં આવી હતી. જાેકે ફિલ્મના દ્રશ્યો અને સ્ટોરીને પણ ટક્કર મારે તેવો વાસ્તવિક કિસ્સો અમદાવાદની જ એક જાણીતી મલ્ટીનેશનલ ફાર્મા કંપનીમાં સપાટી પર આવ્યો છે અને તેને કંપનીની જ એક ઉચ્ચાધિકારી કર્મચારી યુવતીએ ઉજાગર કર્યો છે. અન્ય રાજયની વતની અને હાલમાં અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતી ૨૬ વર્ષીય યુવતી અમદાવાદની ફાર્મા કંપનીમાં ઉચ્ચાધિકારી તરીકે ફરજ બજાવે અને કંપનીમાં કામગીરીના ભાગરૂપે કંપનીના તમામ કર્મચારીઓ તેના સંપર્કમાં આવે છે. આ યુવતીની તેના જ વિભાગના વડાએ જાતિય સતામની શરૂ કરી હતી અને તેણે કંપનીના સંચાલક- એમડી જે વ્યભિચાર અને રંગીન મિજાજના આક્ષેપોમાં અગાઉ ઘેરાયેલા છે તેમના સેક્સ કૈાભાંડના સિલસિલાબધ્ધ કિસ્સા વર્ણવ્યા હતા અને યુવતીને પણ એમડી સાથે શારીરિક સંબંધ બાંધવા માટે સતત દબાણ શરૂ કરાયું હતું. પોતાના વિભાગના વડાએ કંપનીના એમડીના સેક્સ કૈાભાંડ અંગે એવી ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો કે કંપનીમાં ૨૪થી ૨૭ વર્ષની રશિયન, સ્પેનીશ અને યુરોપીયન યુવતીઓને વર્ક વિઝા નહી હોવા છતાં કંપનીમાં દોઢથી બે કરોડના વાર્ષિક પગારે પર્સનલ સેક્રેટરી તરીકે નોકરીએ રાખવામાં આવી હતી અને એફઆરઆરઓ (ફોરેનર્સ રિજયોનલ રજીસ્ટ્રેશન ઓફિસર) પ્રોસેસ વિના પરત મોકલી દેવામાં આવી છે. આ યુવતીઓને કંપનીના એમડીના વૈભવી રહેણાંક સ્થળે રાખવામાં આવતી હતી જયાં એમડી દ્વારા તેઓની પર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. એમડી દ્વારા યુવતીઓ સાથે ક્રુરતાપુર્વક અકુદરતી સેક્સ પણ આચરવામાં આવ્યું છે જેના કારણે અનેક યુવતીઓને શારિરીક પીડાઓ પણ થઈ હતી પરંતું મની અને મસલ્સ પાવરના જાેરે તેઓને ચુપ કરાવી દઈ તેઓને વતનમાં રવાના કરી દેવાઈ છે. આ યુવતીએ કંપનીમાં મહિલાઓની જાતિય સતામણી સામે રક્ષણ આપવા માટે બનાવેલી કમિટીમાં પોતાના જાતિય સતામની કરતા તેના વિભાગના વડાની ફરિયાદ કરી હતી જેના પગલે કંપનીના બોર્ડ ઓફ ડિરેકટરોમાં ખળભળાટ મચ્યો હતો અને યુવતી પર આ મુદ્દે ચુપકીદી રાખવા માટે તેમજ વિભાગીય વડા કે કંપનીના એમડી સામે કોઈ પણ પ્રકારની ફરિયાદ નહી કરવા માટે દબાણ કરી ધમકીઓ આપવાનો દોર શરૂ થયો છે. જાેકે આ અંગે યુવતીએ અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં અને પોલીસ ઉચ્ચાધિકારીઓને રજુઆતો કરી હતી પરંતું તેની કંપનીનું નામ અને કંપનીના એમડીનું નામ સાંભળતા જ મનોમન ફફડી ઉઠેલી પોલીસે આ કેસમાં ફરિયાદ નોંધવાની વાત તો ઠીક પરંતું ત્યારબાદ યુવતીના ફોન પણ રિસીવ કરવાનું બંધ કરી દેતા યુવતીએ આ કેસની પોલીસ ફરિયાદ નોંધે તેવો આદેશ કરાવવા માટે અમદાવાદના યુવાન ધારાશાસ્ત્રી મારફત હાઈકોર્ટમાં દાદ માંગી હતી. બોક્સ.. હાઈકોર્ટમાં દાખલ થયેલો કેસ સુનાવણી પુર્વે વીથ ડ્રો કરાયો આગામી સપ્તાહે ફરી દાખલ કરાશે ઃ ફરિયાદીના વકીલ ઉદ્યોગપતિ સામે શારીરિક શોષણનો આક્ષેપ કરનાર યુવતીએ તેના વકીલ મારફત તારીખ પાંચમીએ નામદાર હાઈકોર્ટમાં પોલીસ ફરિયાદ દાખલ કરે તેવી માંગ સાથે દાવો દાખલ કરેલ કરેલો જેની આજે શુક્રવારના રોજ સુનાવણી હાથ ધરાય તે પુર્વે જ ક્રિમીનલ મિસેલીનિયસ એપ્લીકેશનને આગામી દિવસોમાં ક્રિમીનલ રિવિઝન એપ્લીકેશન તરીકે દાખલ કરવાની ન્યાયાધીશની મંજુરી સાથે વીથ ડ્રો કરવામાં આવી હતી અને તે સિનિયર વકીલોને સાથે રાખી આગામી સપ્તાહમાં નવેસરથી દાખલ કરવામાં આવશે તેવું ફરિયાદીના વકીલે ‘લોકસત્તા જનસત્તા’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું. બોક્સ..  ૭૫ લાખમાં સમાધાન કરી નોકરી છોડી દેવા દબાણ યુવતીએ અરજીમાં આક્ષેપ કર્યો હતો કે તેણે કંપનીના એમડી અને વિભાગીય વડા સહિતના અધિકારીઓ વિરુધ્ધ કંપનીની ફરિયાદની તજવીજ કરતા જ કંપનીના અન્ય એક ઉચ્ચાધિકારીએ તેને હોટલ અને જાણીતા ક્લબમાં બોલાવીને કંપનીના આ કેસમાં સમાધાન કરી લેવા માટે જણાવ્યું હતું અને સમાધાન માટે ૭૫ લાખની ઓફર કરાઈ હતી. તેને પૈસા લઈ કંપનીમાં રાજીનામુ આપી દેવા માટે દબાણ કરી કંપની અધિકારીએ કંપનીના એમડી વગદાર છે માટે તું તેનું કંઈ બગાડી નહી શકે તેવી ગર્ભિત ધમકી આપી હતી. બોક્સ.. ફાર્મા કંપનીમાં યુવતીઓને ફલ્મી હિરોઈન જેટલી ફી કેમ ચુકવાઈ ? યુવતીએ જણાવ્યું હતું કે તેની કંપની ફાર્મા કંપની છે જેમાં દવાઓનું ઉત્પાદન થાય છે તેની કંપની ફિલ્મો નથી બનાવતી કે જેમાં થોડાક સમય માટે આવતી યુવતીઓને ફિલ્મી હિરોઈનની જેમ કરોડો રૂપિયા ચુકવવામાં આવ્યા છે. એરલાઈન્સમાં ફરજ બજાવતી વિદેશી યુવતી જેનો પગાર આશરે સાત લાખ હતો તે યુવતી તેની કંપનીમાં ૫૦ લાખના પગારે નોકરીએ જાેડાતા તેની પર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. યુવતીઓને આટલો જંગી પગાર કેમ ચુકવાયો તેની સીબીઆઈ અને પોલીસે તપાસ કરવાની માંગણી કરી છે. યુવતીએ કંપનીના એમડી દ્વારા ૩૫ જેટલી વિદેશી યુવતીઓનું શારીરિક શોષણ કર્યાનો આક્ષેપ કરી યુવતીનો ગણતરી દિવસો માટે ચુકવાયેલા તોતીંગ પગારની યાદી રજુ કરાઈ છે. બોક્સ.. અમદાવાદ ગ્રામ્ય પોલીસને વકીલની હાજરીમાં ફરિયાદ આપી છે છતાં કોઈ કાર્યવાહી નહી જે ફાર્મા કંપનીના એમડી અને ઉચ્ચાધિકારીઓ પર સેક્સ રેકેટ કૈાભાંડના આક્ષેપો કરાયા છે તે કંપની અમદાવાદના ગ્રામ્ય પોલીસની હદમાં છે. યુવતીએ આ અંગે ગત મે માસમાં જ ગ્રામ્ય વિસ્તારના એક પોલીસ મથકમાં પીઆઈને બે વકીલોની હાજરીમાં ફરિયાદ નોંધવા માટે કોપી આપી હતી જે એક પીઆઈએ સ્વીકારી કરી હતી પરંતું પીઆઈએ તેની સ્ટેશન ડાયરીમાં કોઈ નોંધ કરી નહોંતી કે ફરિયાદની નકલ પર કોપી મળ્યાનો સિક્કો મારી આપ્યો નહોંતો. ફરિયાદ વાંચીને જ પીઆઈએ કહ્યું હતું કે આ રેરેસ્ટ ઓફ રેર ક્રાઈમ પરંતું તે ડીએસપીની મંજુરી વિના ફરિયાદ નહી નોંધી શકે. જાેકે યુવતીએ ત્યારબાદ પીઆઈ, ડીવાયએસપી અને રાજયના પોલીસ વડાને પણ ઈમેલથી ફરિયાદ કરી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ નથી જેની હાઈકોર્ટમાં માંગેલી દાદમાં પુરાવા સાથે રજુઆત કરી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    રામનવમીએ કોમી ભડકોઃ ઠેરઠેર પથ્થરમારો ઃ ૧૭ની ધરપકડ

    વડોદરા, તા.૩૦રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ સહિતની કેટલીક ધાર્મિક સંસ્થાઓ દ્વારા આયોજીત શોભાયાત્રા પર બપોરે ફતેપુરા વિસ્તાર સહિત અનેક સ્થળે ભારે પથ્થરમારાના પગલે દહેશતનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં અનેકને ઈજાઓ પહોંચી હતી તથા પરિસ્થિત પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. દરમ્યાન પોલીસે ૩૫૦થી વધુ સીસીટીવી કેમેરાને આધારે મોડીરાત સુધીમા ૧૭ તોફાનીઓની ધરપકડ કરી લીધી હતી. આ તોફાનો દરમ્યાન અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યુ હતું. છેલ્લા અનેક વર્ષોથી શાંતિપૂર્ણ માહોલનો અહેસાસ કરી રહેલું વડોદરા આજે કોમી રમખાણોના છમકલાઓથી ફરી એકવાર અભડાયું હતું. આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત શ્રીરામની શોભાયાત્રા બપોરના સમયે ફતેપુરા વિસ્તારના કુભારવાડા ખાતેથી પસાર થઈ રહી હતી.આ તબક્કે ડીજે પર મોટા અવાજે હનુમાનચાલીસા વાગતા જ એ વિસ્તારના કેટલાં યુવાનો અને વિહિપના કાર્યકરો વચ્ચે બોલાચાલી થતાં વાતાવરણ ગરમાયુ હતું આ તબક્કે પોલીસે મધ્યસ્થી કરી બંને ટોળાઓને શાંત કરી વિખેરી નાંખ્યા હતા. પરંતુ થોડી જ વારમાં આ સમાધાન પડી ભાંગ્યુ હોય એમ અચાનક આજુબાજુની ગલીઓમાંથી પથ્થરમારો શરૂ થયો હતો. આ તબકકે શોભાયાત્રામાં સામેલ એક હજારથી વધુ વીએચપી કાર્યકરોમાં ઉશ્કેરાટનો માહોલ ફેલાયો હતો. જાે કે ઘટના સ્થળે ઉપસ્થિત પોલીસે તાત્કાલિક પરિસ્થિતિ પર કાબુ મેળવવા તોફાનીઓની દિશામાં ઘસી જતાં મામલો થોડા સમય માટે શાંત પડયો હતો. પરંતુ શ્રધ્ધેય ભગવાન રામની શોભાયાત્રા પરના પથ્થરમારાથી ઉશ્કેરાયેલા કાર્યકરોને માંડ માંડ શાંતિ જાળવવા સમજાવાયા હતા. એસ.એસ.જી. હોસ્પિટલની સામે આવેલ પંચમુખી હનુમાન મંદિરથી શરૂ થયેલી આ યાત્રા શાંતિપૂર્ણ રીતે અને ધાર્મિક માહોલ સાથે આગળ વધી રહી હતી. ત્યારે પાંજરીગર મહોલ્લા ખાતે તેના પર ભારે પથ્થરમારો થયો હતો. જાે કે આ યાત્રા એરપોર્ટ, સંગમ, ફતેપુરા, કારેલીબાગ પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી.ત્યાર બાદ એ યાત્રા જીવનભારતી સ્કુલ એલ એન્ડ ટી એરપોર્ટ થઈ ફરી પંચમુખી હનુમાન મંદિર ખાતે સંપન્ન થઈ હતી.દરમ્યાન ફતેપુરા કંુભારવાડા ખાતેથી નિકળેલી શ્રી રામની આવી જ એક અન્ય શોભાયાત્રા પર તલાટીની ઓફિસની બાજુની ગલીમાંથી તથા સામેની બાજુ આવેલા એક ધાર્મિક સ્થળ પરથી અચાનક ભારે પથ્થરમારો શરૂ થયો હતો. પોલીસે માંડ માંડ પરિસ્થિત થાળે પાડતા શોભાયાત્રા આગળ વધી હતી. પરંતુ ચાંપાનેર દરવજા પાસે ફરીથી આ શોભાયાત્રા પર ભારે પથ્થરમારો થયો હતો. યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે અગાઉ સમગ્ર માર્ગ પર ઠેર ઠેર પથ્થરમારો થતાં વડોદરામાં ભારેલો અગ્નિ છે તથા મોડીરાત્રે એ કોમી રમખાણોના જવાળામુખીમાં ન ફેલાય તે માટે સ્થાનિક પોલીસે કડક હાથે કામ લેવાનુ શરૂ કર્યું છે.આજે શ્રી રામની ત્રીજી શોભાયાત્રા ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા યોજાઈ હતી. જે પ્રતાપનગર વિસ્તારના રણમુકતેશ્વર મહાદેવ ખાતેથી નિકળી પથ્થરગેટ વિસ્તારના તાડફળિયા ખાતે આવેલા રામજીમંદિર ખાતે સંપન્ન થઈ હતી. આ સમગ્ર રૂટ સંવેદનશીલ વિસ્તાર હોવાથી પોલીસે અગાઉ બે શોભાયાત્રાઓ પર થયેલા ભારે પથ્થરમારાના પગલે અગમચેતીના પગલારૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો.એક તરફ પવિત્ર રમઝાન મહિનો ચાલુ છે તથા સમગ્ર લઘુમતી વિસ્તારોમાં સાંજ બાદ ધાર્મિક માહોલ સર્જાય છે ત્યારે આજે દિવસ દરમ્યાન થયેલા કોમી છમકલાઓ વધુ વકરે નહીં તે માટે પોલીસે ચારેબાજુ ઘોસ વધારી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ચલાલામાં સર્વજ્ઞાતિ સમુહલગ્નના મંડપમાં બે આખલાઓનું ઘમાસાણ

    અમરેલી અમરેલી જિલ્લામાં આખલાનો આતંક યથાવત જાેવા મળી રહ્યો છે. આખલાની સમસ્યા હવે ગંભીર બની રહી છે. ત્યારે ગઈકાલે ચલાલા શહેરમાં સર્વે જ્ઞાતિના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મંડપની અંદર બે આખલા ઘૂસી ગયા હતા અને અંદર ઘમાસાણ શરૂ કરી હતી. ઓચિંતા આખલા આવી ચડતા ભારે અફડા તફડી મચી હતી. લગ્નમાં આખલાઓએ યુદ્ધ શરૂ કરતા તમામ લોકોમાં ભય ફેલાયો હતો. તેમજ મહેમાનોને અને ઢોલ વાળા પણ ઢોલ લઈને ભાગ્યા હતા. ચારે તરફ લોકોએ આખલાને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાઓએ પાણીનો છટકાવ કરી આખાલ યુદ્ધ રોકવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે, સદનસીબે કોઈને જાનહાનીં થઈ ન હતી. જેના કારણે મોટી દૂર્ઘટના અટકી હતી. અહીં સમૂહ લગ્ન હોવાને કારણે મોટી સંખ્યામાં માનવ મહેરામણ વચ્ચે આખલાએ રીતસર ભાગદોડ મચાવી દીધી હતી. જેનો વીડિયો પણ સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થયો છે. મંડપમાં શાસ્ત્રીઓ દ્વારા આખલા હોવાને કારણે તકેદારી રાખવા માટેની પણ જાહેરાત કરવાની ફરજ પડી હતી. આખલા હવે રાજયભરમાં આતંક મચાવી રહ્યા છે. અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. તેમજ કેટલાય લોકોને ઈજા પણ પહોંચાડી છે. ત્યારે અમરેલીમાં તો અનેક વખત બાઇક સહિત વાહનોમાં આખલાઓએ નુકસાન પોહચાડ્યું હતું.
    વધુ વાંચો
  • ગુજરાત

    આંબરડી ગામમાં ખેતરમાં ૨૫૦ મણ ઘઉંનો તૈયાર પાક બળી ગયો

    સાવરકુંડલા, સાવરકુંડલા તાલુકાના આંબરડીમા આવેલ એક ખેતરમા વિજપોલમા શોકસર્કિટ થતા ૨૫૦ મણ ઘઉંનો તૈયાર પાક બળી જતા ખેડૂતને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. ખેતરમા આગની આ ઘટના સાવરકુંડલા તાલુકાના આંબરડીમા બની હતી. અહી રહેતા ખેડૂત ભરતભાઈ કસવાળાના ખેતરમા ૫ વિઘાના ઘઉંનો તૈયાર પાક આજે નજર સામે જ જાેતજાેતામાં બળીને ખાક થઈ ગયો હતો. આંબરડી ગામ નજીક આવેલ ભરતભાઈ કસવાળાની વાડીમાં ઘઉંના વાવેતર વચ્ચે પીજીવીસીએલનો વીજપોલ પસાર થતો હોય આજે બપોરે વીજપોલમાં એકાએક શોકસર્કિટ થતાં તૈયાર ઉભેલા ૨૫૦ મણ જેટલા ઘઉં બળી ગયા હતા. ઘઉંમાં આગ લાગવાની ઘટના બનતા જ ખેડૂત ભરતભાઈ કસવાળાએ ગામના સરપંચ પ્રેમજીભાઈ બગડા અને તલાટી કમ મંત્રી ભગવાનજીભાઈ ચાવડાને જાણ કરતા તેઓ દોડી ગયા હતા. ખેડૂતે વીજપોલમાંથી શોકસર્કિટના કારણે આગ લાગી હોય પીજીવીસીએલ પાસે નુકસાનીના વળતરની આશાએ માંગ કરી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    સૌથી મોટું રેતીચોરીનું રેકેટ ઝડપાયા બાદ ભાજપના નેતાએ પીએમને ટેગ કરતા ખળભળાટ

    અમરેલી તા.૧૪અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભાક્ષી ગામ પાસે ચાલી રહેલા રેતીચોરીના કૌભાંડનો મામલતદારે ગઈકાલે રાત્રે પર્દાફાશ કરી લાખો રૂપિયાની મશીનરી જપ્ત કરી છે. આ સમગ્ર મામલે ખાણખનીજ વિભાગને તપાસ સોંપી દેવામાં આવી છે. ત્યારે અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને ભાજપના નેતા ડો. ભરત કાનાબારે પીએમ મોદીને ટેગ કરી એક ટ્‌વીટ કરતા જિલ્લાની રાજનીતિ ગરમાઈ છે. સરકારી કામોમાં ભાગ રાખવાની ટેવ ધરાવતા લોકપ્રતિનિધિ દ્વારા પ્રામાણિક અધિકારીઓ પર દબાણ લાવવાના ધમપછાડા કરાતા હોવાનો ટ્‌વીટમાં આક્ષેપ કરાયો છે. રાજુલાના ભાક્ષી ગામ પાસે ચાલતું હતું કૌભાંડ રાજુલા તાલુકાના ભાક્ષી ગામ પાસે આવેલી નદીમાં બેરોકટોક રેતી ચોરી થતી હોવાની તંત્રને માહિતી મળ્યા બાદ ગતરાત્રિએ સંદિપસિંહ જાદવ અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો. મામલતદાર અને તેમની ટીમે ઘટનાસ્થળ પરથી રેતી કાઢવા માટેની મશીનરી સાથેની ચાર બોટ અને એક હિટાચી મશીન કબજે કર્યું હતું. આ ઉપરાંત કાંઠા વિસ્તારમાંથી મસમોટો રેતીનો જથ્થો પણ મળી આવ્યો હતો. અમરેલી જિલ્લામાંથી મસમોટા રેતીચોરી કૌભાંડનો પર્દાફાશ થયા બાદ અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને ભાજપના નેતા ડો. ભરત કાનાબારે આજે બપોરે ૧૨ વાગ્યે પીએમ મોદીને ટેગ કરી એક ટ્‌વીટ કર્યું હતું. જેમાં ભાક્ષી ગામ પાસેથી ઝડપાયેલા રેતીચોરીના કૌભાંડને જિલ્લાનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું હતું અને સાથે લખ્યું હતું કે,સરકારી કામોમાં ભાગો રાખવાની ટેવ ધરાવતા લોકપ્રતિનિધિ દ્વારા પ્રામાણિક અધિકારીઓ પર દબાણ લાવવાના ધમપછાડા. રાજુલાના પ્રાંત અધિકારી કુલદીપસિંહ વાળાએ કહ્યું હતું કે, ગતરાત્રે અમને રેતીચોરી બાબતે માહિતી મળતા મામલતદારની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ઘટનાસ્થળ પરથી ચાર બોટ અને એક હિટાચી મશીન સીઝ કરવામાં આવ્યું છે. અહીં કેટલી રેતી ચોરી કરવામાં આવી અને આ કૌભાંડ સાથે કોણ સંકળાયેલું છે તે અંગે ખાણખનીજ વિભાગને તપાસ સોંપવામાં આવી છે. અમરેલી ભાજપના નેતા પોતાના ટિ્‌વટર એકાઉન્ટ પરથી સમયાંતરે વિવિધ વિષયો પર ટ્‌વીટ કરતા રહે છે જે ચર્ચામાં પણ રહેતા હોય છે. ભૂતકાળમાં ચોમાસા દરમિયાન ધોવાઈ જતા રસ્તાઓને લઈ લેભાગુ કોન્ટ્રાક્ટરો, કટકીબાજ અધિકારીઓ અને ભ્રષ્ટ લોકસેવકોની ટોળકીને ટુકડે ટુકડે ગેંગ ગણાવી હતી. આ ઉપરાંત ન્યાયતંત્ર, ઈ-કોમર્સ કંપની, બિસ્માર રસ્તા, ગટરના પ્રશ્નો જેવા મુદ્દે આગવા અંદાજમાં કરેલા ટ્‌વીટ ચર્ચામાં રહ્યાં છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    અંધાપાકાંડના મહિના પછી પણ અધિકારીઓ ઊંઘમાં

    અમરેલી, અમરેલીની શાંતાબા જનરલ હોસ્પિટલમાં એક મહિના અગાઉ અધાપાકાંડ સર્જાયો હતો. મોતિયાના ઓપરેશન બાદ ૧૫થી વધુ લોકોની રોશની બંધ થઇ ગઇ હતી. જેમને વધુ સારવાર માટે અમદાવાદ અને અન્ય સ્થળે ખસેડાયા હતા. આ કાંડ સર્જાયો ત્યારે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે તપાસના આદેશ આપ્યા હતા અને અધિકારીઓને રિપોર્ટ તૈયાર કરવા કહ્યું હતું. જાેકે, ઘટનાને એક મહિનો વિત્યાબાદ પણ અધિકારીઓ ઉંઘમાં હોય એમ આરોગ્યમંત્રીને રિપોર્ટ આપ્યો નથી. આજે રાજૂલામાં આવેલા આરોગ્યમંત્રીને મીડિયાએ જ્યારે સવાલ કર્યો કે, અંધાપાકાંડનું શું થયું તો આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે ‘મને રિપોર્ટ હજુ નથી મળ્યો, રિપોર્ટ મળ્યા બાદ શું કારણ હતું એ તપાસ કરીને કસુરવારો સામે ચોક્કસથી પગલાં ભરીશું.’અમરેલી સ્થિત શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલમાં એકાદ મહિના અગાઉ મોતિયાના ઓપરેશન કર્યા બાદ કેટલાક દર્દીઓને આંખમાં દુઃખાવો અને જાખપ આવી હોવાનો તકલીફ હતી. આ દર્દીઓને ભાવનગરથી અમદાવાદ, રાજકોટ અને ભાવનગર ખાતે રિફર કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલો રાજ્ય સરકાર સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તપાસના આદેશ આપ્યા હતા અને અલગ-અલગ અધિકારીઓની તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. તપાસ ટીમે હોસ્પિટલમાં તપાસ કરી હતી. આ પછી આજદિન સુધી સમગ્ર મામલો બહાર આવ્યો નથી. ત્યારે આજે રાજુલામાં ખાનગી સમર્પણ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ આવ્યા હતા. જેમને સવાલ કરતાં તેઓએ રિપોર્ટ ન મળ્યો હોવાનું જણાવ્યું હતું. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પાસે હજુ સુધી તપાસ કમિટી દ્વારા રિપોર્ટ પહોંચાડવામાં નથી આવ્યો. એક મહિનાથી વધુ સમય વિતવા છતાં આજદિન સુધી રિપોર્ટ આરોગ્યમંત્રી સુધી નહીં પહોંચવાના કારણે ફરીવાર અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ તપાસ ક્યાં સુધી ચાલશે? સમગ્ર મામલે કોણ બે જવાબદારોને બચાવી રહ્યું છે? કેમ હજુ સુધી તપાસ કમિટી દ્વારા આરોગ્ય મંત્રીને રિપોર્ટ નથી સોંપાયો.. આવા અનેક સવાલો ફરીવાર ઉઠી રહ્યા છે. રાજુલા શહેરની ખાનગી સમર્પણ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે આજે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ આવ્યા હતા. જેમણે હોસ્પિટલ લોકાર્પણ કરીને હોસ્પિટલને ખુલ્લી મૂકી હતી. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
    વધુ વાંચો