ડાંગ સમાચાર

  • ક્રાઈમ વોચ

    કોર્પોરેટ કલ્ચરના ઝાકમઝોળની વરવી અંધારી બાજુ આંતરરાષ્ટ્રીય કક્ષાની ફાર્મા કંપનીમાં ચાલતા સેક્સ કૈાભાંડથી ખળભળાટ કંપનીના રંગીન મિજાજના એમડીએ ૩૭થી વધુ ભારતીય અને વિદેશી યુવતીઓનું શારીરિક શોષણ

    વડોદરા, તા. ૯આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાણીતી અમદાવાદની એક ફાર્મા કંપનીમાં ભારતીય તેમજ વિદેશી યુવતીઓને વાર્ષિક લાખો –કરોડો રૂપિયાના પેકેજ પર નોકરીએ રાખ્યા બાદ યુવતીઓનું ખુદ કંપનીના એમડી દ્વારા વારંવાર શારીરિક શોષણ કરી સેક્સ કૈાભાંડ આચરવામાં આવ્યું હોવાની વાતે ખળભળાટ મચ્યો છે. કંપનીના એમડીની રાતો રંગીન કરવા માટે મજબુર બનેલી યુવતીઓ આ મુદ્દે કોઈ હોબાળો મચાવે તે અગાઉ તેઓને શામ-દામ-દંડ-ભેદની નિતીથી ચુપ કરાવી દેવામાં આવતી હોઈ અત્યાર સુધી આ સેક્સ રેકેટની કોઈ વિગતો બહાર આવી શકી નહોંતી. જાેકે આ જ ફાર્મા કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતી એક યુવતીને પણ શારીરિક શોષણ માટે ફરજ પાડી બળજબરી કરાતા આ સેક્સ કૈાભાંડને ઉજાગર કરવા માટે યુવતીએ પહેલ કરી હતી. જાેકે કંપનીના વગદાર સંચાલક સામે કાર્યવાહી કરવા માટે પોલીસ તંત્રના હાથ ધ્રુજતા હોઈ પોલીસે ફરિયાદ નોંધવા માટે સ્પષ્ટ નનૈયો ભણતા યુવતીને આ સેક્સ રેકેટમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે આખરે હાઈકોર્ટમાં દાદ માંગવાની ફરજ પડી હતી. થોડાક સમય પહેલા આવેલી દિગદર્શક મધુર ભંડારકરની જાણીતી હિન્દી ફિલ્મ ‘કોર્પોરેટ’માં મોટા ઉદ્યોગપતિઓ દ્વારા મની એન્ડ મસલ્સ પાવર સાથે લેધર કરન્સીનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે તેનો ચિતાર આપી ઝાકમઝાળ ભરેલે કોર્પોરેટ કલ્ચરના બીજી વરવી બાજુને ઉજાગર કરવામાં આવી હતી. જાેકે ફિલ્મના દ્રશ્યો અને સ્ટોરીને પણ ટક્કર મારે તેવો વાસ્તવિક કિસ્સો અમદાવાદની જ એક જાણીતી મલ્ટીનેશનલ ફાર્મા કંપનીમાં સપાટી પર આવ્યો છે અને તેને કંપનીની જ એક ઉચ્ચાધિકારી કર્મચારી યુવતીએ ઉજાગર કર્યો છે. અન્ય રાજયની વતની અને હાલમાં અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતી ૨૬ વર્ષીય યુવતી અમદાવાદની ફાર્મા કંપનીમાં ઉચ્ચાધિકારી તરીકે ફરજ બજાવે અને કંપનીમાં કામગીરીના ભાગરૂપે કંપનીના તમામ કર્મચારીઓ તેના સંપર્કમાં આવે છે. આ યુવતીની તેના જ વિભાગના વડાએ જાતિય સતામની શરૂ કરી હતી અને તેણે કંપનીના સંચાલક- એમડી જે વ્યભિચાર અને રંગીન મિજાજના આક્ષેપોમાં અગાઉ ઘેરાયેલા છે તેમના સેક્સ કૈાભાંડના સિલસિલાબધ્ધ કિસ્સા વર્ણવ્યા હતા અને યુવતીને પણ એમડી સાથે શારીરિક સંબંધ બાંધવા માટે સતત દબાણ શરૂ કરાયું હતું. પોતાના વિભાગના વડાએ કંપનીના એમડીના સેક્સ કૈાભાંડ અંગે એવી ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો કે કંપનીમાં ૨૪થી ૨૭ વર્ષની રશિયન, સ્પેનીશ અને યુરોપીયન યુવતીઓને વર્ક વિઝા નહી હોવા છતાં કંપનીમાં દોઢથી બે કરોડના વાર્ષિક પગારે પર્સનલ સેક્રેટરી તરીકે નોકરીએ રાખવામાં આવી હતી અને એફઆરઆરઓ (ફોરેનર્સ રિજયોનલ રજીસ્ટ્રેશન ઓફિસર) પ્રોસેસ વિના પરત મોકલી દેવામાં આવી છે. આ યુવતીઓને કંપનીના એમડીના વૈભવી રહેણાંક સ્થળે રાખવામાં આવતી હતી જયાં એમડી દ્વારા તેઓની પર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. એમડી દ્વારા યુવતીઓ સાથે ક્રુરતાપુર્વક અકુદરતી સેક્સ પણ આચરવામાં આવ્યું છે જેના કારણે અનેક યુવતીઓને શારિરીક પીડાઓ પણ થઈ હતી પરંતું મની અને મસલ્સ પાવરના જાેરે તેઓને ચુપ કરાવી દઈ તેઓને વતનમાં રવાના કરી દેવાઈ છે. આ યુવતીએ કંપનીમાં મહિલાઓની જાતિય સતામણી સામે રક્ષણ આપવા માટે બનાવેલી કમિટીમાં પોતાના જાતિય સતામની કરતા તેના વિભાગના વડાની ફરિયાદ કરી હતી જેના પગલે કંપનીના બોર્ડ ઓફ ડિરેકટરોમાં ખળભળાટ મચ્યો હતો અને યુવતી પર આ મુદ્દે ચુપકીદી રાખવા માટે તેમજ વિભાગીય વડા કે કંપનીના એમડી સામે કોઈ પણ પ્રકારની ફરિયાદ નહી કરવા માટે દબાણ કરી ધમકીઓ આપવાનો દોર શરૂ થયો છે. જાેકે આ અંગે યુવતીએ અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં અને પોલીસ ઉચ્ચાધિકારીઓને રજુઆતો કરી હતી પરંતું તેની કંપનીનું નામ અને કંપનીના એમડીનું નામ સાંભળતા જ મનોમન ફફડી ઉઠેલી પોલીસે આ કેસમાં ફરિયાદ નોંધવાની વાત તો ઠીક પરંતું ત્યારબાદ યુવતીના ફોન પણ રિસીવ કરવાનું બંધ કરી દેતા યુવતીએ આ કેસની પોલીસ ફરિયાદ નોંધે તેવો આદેશ કરાવવા માટે અમદાવાદના યુવાન ધારાશાસ્ત્રી મારફત હાઈકોર્ટમાં દાદ માંગી હતી. બોક્સ.. હાઈકોર્ટમાં દાખલ થયેલો કેસ સુનાવણી પુર્વે વીથ ડ્રો કરાયો આગામી સપ્તાહે ફરી દાખલ કરાશે ઃ ફરિયાદીના વકીલ ઉદ્યોગપતિ સામે શારીરિક શોષણનો આક્ષેપ કરનાર યુવતીએ તેના વકીલ મારફત તારીખ પાંચમીએ નામદાર હાઈકોર્ટમાં પોલીસ ફરિયાદ દાખલ કરે તેવી માંગ સાથે દાવો દાખલ કરેલ કરેલો જેની આજે શુક્રવારના રોજ સુનાવણી હાથ ધરાય તે પુર્વે જ ક્રિમીનલ મિસેલીનિયસ એપ્લીકેશનને આગામી દિવસોમાં ક્રિમીનલ રિવિઝન એપ્લીકેશન તરીકે દાખલ કરવાની ન્યાયાધીશની મંજુરી સાથે વીથ ડ્રો કરવામાં આવી હતી અને તે સિનિયર વકીલોને સાથે રાખી આગામી સપ્તાહમાં નવેસરથી દાખલ કરવામાં આવશે તેવું ફરિયાદીના વકીલે ‘લોકસત્તા જનસત્તા’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું. બોક્સ..  ૭૫ લાખમાં સમાધાન કરી નોકરી છોડી દેવા દબાણ યુવતીએ અરજીમાં આક્ષેપ કર્યો હતો કે તેણે કંપનીના એમડી અને વિભાગીય વડા સહિતના અધિકારીઓ વિરુધ્ધ કંપનીની ફરિયાદની તજવીજ કરતા જ કંપનીના અન્ય એક ઉચ્ચાધિકારીએ તેને હોટલ અને જાણીતા ક્લબમાં બોલાવીને કંપનીના આ કેસમાં સમાધાન કરી લેવા માટે જણાવ્યું હતું અને સમાધાન માટે ૭૫ લાખની ઓફર કરાઈ હતી. તેને પૈસા લઈ કંપનીમાં રાજીનામુ આપી દેવા માટે દબાણ કરી કંપની અધિકારીએ કંપનીના એમડી વગદાર છે માટે તું તેનું કંઈ બગાડી નહી શકે તેવી ગર્ભિત ધમકી આપી હતી. બોક્સ.. ફાર્મા કંપનીમાં યુવતીઓને ફલ્મી હિરોઈન જેટલી ફી કેમ ચુકવાઈ ? યુવતીએ જણાવ્યું હતું કે તેની કંપની ફાર્મા કંપની છે જેમાં દવાઓનું ઉત્પાદન થાય છે તેની કંપની ફિલ્મો નથી બનાવતી કે જેમાં થોડાક સમય માટે આવતી યુવતીઓને ફિલ્મી હિરોઈનની જેમ કરોડો રૂપિયા ચુકવવામાં આવ્યા છે. એરલાઈન્સમાં ફરજ બજાવતી વિદેશી યુવતી જેનો પગાર આશરે સાત લાખ હતો તે યુવતી તેની કંપનીમાં ૫૦ લાખના પગારે નોકરીએ જાેડાતા તેની પર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. યુવતીઓને આટલો જંગી પગાર કેમ ચુકવાયો તેની સીબીઆઈ અને પોલીસે તપાસ કરવાની માંગણી કરી છે. યુવતીએ કંપનીના એમડી દ્વારા ૩૫ જેટલી વિદેશી યુવતીઓનું શારીરિક શોષણ કર્યાનો આક્ષેપ કરી યુવતીનો ગણતરી દિવસો માટે ચુકવાયેલા તોતીંગ પગારની યાદી રજુ કરાઈ છે. બોક્સ.. અમદાવાદ ગ્રામ્ય પોલીસને વકીલની હાજરીમાં ફરિયાદ આપી છે છતાં કોઈ કાર્યવાહી નહી જે ફાર્મા કંપનીના એમડી અને ઉચ્ચાધિકારીઓ પર સેક્સ રેકેટ કૈાભાંડના આક્ષેપો કરાયા છે તે કંપની અમદાવાદના ગ્રામ્ય પોલીસની હદમાં છે. યુવતીએ આ અંગે ગત મે માસમાં જ ગ્રામ્ય વિસ્તારના એક પોલીસ મથકમાં પીઆઈને બે વકીલોની હાજરીમાં ફરિયાદ નોંધવા માટે કોપી આપી હતી જે એક પીઆઈએ સ્વીકારી કરી હતી પરંતું પીઆઈએ તેની સ્ટેશન ડાયરીમાં કોઈ નોંધ કરી નહોંતી કે ફરિયાદની નકલ પર કોપી મળ્યાનો સિક્કો મારી આપ્યો નહોંતો. ફરિયાદ વાંચીને જ પીઆઈએ કહ્યું હતું કે આ રેરેસ્ટ ઓફ રેર ક્રાઈમ પરંતું તે ડીએસપીની મંજુરી વિના ફરિયાદ નહી નોંધી શકે. જાેકે યુવતીએ ત્યારબાદ પીઆઈ, ડીવાયએસપી અને રાજયના પોલીસ વડાને પણ ઈમેલથી ફરિયાદ કરી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ નથી જેની હાઈકોર્ટમાં માંગેલી દાદમાં પુરાવા સાથે રજુઆત કરી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    રાહુલ, શાહ અને કેજરીવાલનો સૌરાષ્ટ્રમાં હુંકાર

    રાજકોટ રાહુલ ગાંધીએ રાજકોટમાં વિશાળ જનમેદની સામે કોંગ્રેસનો પ્રચાર કર્યો હતો. સાથે જ મંચ પરથી ભાજપ પર ઉદ્યોગપતિઓને લ્હાણી કરાવતો આરોપ પણ મૂક્યો. સંબોધનની શરૂઆત પહેલા તેમણે મોરબી દુર્ઘટના મુદ્દે ૨ મિનિટનું મૌન પાળ્યુ હતું. મોરબી દુર્ઘટના પર ગાંધીએ કહ્યું કે, મને પત્રકારોએ પૂછ્યુ કે તમે શુ વિચારો છો. મેં કહ્યું કે, ૧૫૦ લોકોના મોત થયા છે, આ રાજકીય મુદ્દો નથી. આ વિશે હુ નહિ બોલું. પરંતુ આજે સવાલો ઉઠે છે. જેઓએ આ કામ કર્યું તેની સામે કોઈ કાર્યવાહી નહિ. કોઈ એફઆઈઆર નહિ. બીજેપી સાથે તમારો સારો નાતો છે. તો તેમને કંઈ નહિ થાય કે શું. ચોકીદારોને પકડીને અંદર કર્યાં. પરંતુ જવાબદારો સામે કંઈ ન થયું. ગુજરાત સ્મોલ એન્ડ મીડિયમ ઈન્ડસ્ટ્રીઝનુ હાડકુ છે. નાના વેપારીઓ રોજગાર આપતા હતા, પરંતુ સરકાર કાળાધનના નામે નોટબંધી લાવી, પરંતુ નાના અને મધ્યમ કદના ઉદ્યોગો બંધ થઈ ગયા. પાંચ અલગ અલગ ટેક્સ લાવ્યા. જે વેપાર બચ્યા હતા તે પણ નાબૂદ થયા, અરબપતિઓ માટે રસ્તો બનાવવાનો હતો. કોરોનાના સમયે પણ એવુ જ કર્યું. જીએસટી બાદ કોરોના આવ્યો, તેમાં પણ સરકારે મદદ ન કરી. આ કોઈ પોલિસી નથી. નોટબંધી, જીએસટી, કોવિડ કોઈ પોલિસી નથી. તે ખેડૂત, મજબૂર, વેપારીઓને નાબૂદ કરવાના હથિયાર છે. હિન્દુસ્તાનના બે-ચાર ઉદ્યોગપતિઓ માટે રસ્તો બનાવવાના હથિયાર છે. આ અરપતિઓ પોર્ટ, એરપોર્ટ, ઈન્ફ્રસ્ટ્‌ર્કચર, ખેતી, ગ્રોસરી સ્ટોરમાં ઘૂસી રહ્યાં છે. પરંતુ હિન્દુસ્તાનનો યુવા સપનુ જાેવા માંગતો હોય તો તેના માટે લાખો રૂપિયા આપવા પડે છે.કોડિનારમાં અમિત શાહનું સંબોધન ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ, કાૅંગ્રેસ અને આપ સહિતની પાર્ટીઓએ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે ભાજપના પ્રચાર માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં અને ગીર સોમનાથના કોડીનારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સભા યાજાેઈ હતી. અમિત શાહ સભા સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ કહે છે અમારું કામ બોલે છે, હું તેમને પુછવા માગુ છું કે તમે ૨૫-૩૦ વર્ષથી તમારી સરકાર જ નથી તો તમારું કયો કામ બોલે છે. ભાજપ સરકારે એક જ ઝાટકે ૩૭૦ ની કલમને હટાવી. આમ આદમી પાર્ટીને લઈ લોકોને કહ્યું કે, મેધા પાટકરને લઈને છછઁ સામે જવાબ માંગવાનો છે. કે જેઓએ સૌરાષ્ટ્રમાં નર્મદાનું પાણી પહોંચાડવામાં વિલંબ ઉભો કર્યો હતો.
    વધુ વાંચો
  • ગુજરાત

    પૂર્ણેશ મોદીએ તમામ રસ્તા દિવાળી પહેલા બનાવવાનો લક્ષ્ય પૂર્ણ કર્યો

    ડાંગ-ડાંગ જિલ્લામાંથી એક માત્ર નેશનલ હાઈ વે નંબર ૯૫૩ પસાર થાય છે. સોનગઢ થી સાપુતારા સુધીના આ માર્ગની કુલ ૧૦૫ કિલોમીટરની લંબાઈ પૈકી ૮૨.૨ કિલોમીટરનો આ નેશનલ હાઈ વે ડાંગ જિલ્લામાથી પસાર થાય છે. જે બરડીપાડા થી લશ્કરિયા, આહવા, શામગહાન થઈ ગિરિમથક સાપુતારા થઈ મહારાષ્ટ્રને જાેડે છે. ગુજરાત મહારાષ્ટ્રને જાેડતા આ માર્ગ ઉપર ભારે વરસાદને કારણે કેટલેક ઠેકાણે ખાડાઓ પડી જતા તેના ઉપર ડામર પેચવર્કનુ કાર્ય પણ ઝડપભેર શરૂ કરી દેવામા આવ્યુ છે. એન.એચ. ભરૂચ ડિવિઝનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર હિતેશ સોલિયાના માર્ગદર્શન હેઠળ નવસારી સબ ડિવિઝનના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર ધર્માં ભટ્ટ દ્વારા આ નેશનલ હાઈ વે ઉપર હાથ ધરાયેલુ આ 'માર્ગ સુધારણા અભિયાન' પૂર્ણ થતા, વાહન ચાલકોને મોટી રાહત મળશે, તેમ એક મુલાકાતમા જણાવાયુ છે.ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન પડેલા અનરાધાર વરસાદને પગલે રાજ્યના મોટાભાગના જાહેર માર્ગો ઉપર ભારે નુકશાન થવા પામ્યુ હતુ. જેને લઈને વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. રાજ્યના વાહન ચાલકો અને પ્રજાજનોની આ મુશ્કેલી નિવારવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારે વિશેષ 'માર્ગ સુધારણા અભિયાન' હાથ ધર્યું છે. ત્યારે રાજ્યના છેવાડે આવેલા, અને મહારાષ્ટ્ર રાજ્ય સાથે આંતરરાજ્ય ધોરી માર્ગોથી જાેડાયેલા ડાંગ જિલ્લામા પણ આ અભિયાન આગળ વધી રહ્યુ છે. ડાંગમા જિલ્લા પંચાયત, વન વિભાગ, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) સહિત નેશનલ હાઈ વે ઓથોરિટીનો પણ એક માર્ગ આવેલો છે. જેના ઉપર પણ ડામર પેચવર્કનું કામ પુરજાેશમાં ચાલી રહ્યું છે. રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદીએ પણ દિવાળી પહેલા રાજ્યના તમામ માર્ગોની સુધારણાનો લક્ષ નિર્ધાર કર્યો છે. જે ધ્યાને લેતા ડાંગ કલેકટર ભાવિન પંડ્યાએ જિલ્લા પંચાયત, વન વિભાગ, માર્ગ અને મકાન વિભાગ સહિત ડાંગમાંથી પસાર થતા એક માત્ર નેશનલ હાઈ વે નંબર ૯૫૩ ઉપર પણ ઝુંબેશરૂપે કામગીરી હાથ ધરવાની સૂચના આપી છે. જે મુજબ આ તમામ વિભાગોએ તેમના હસ્તકના માર્ગોની સુધારણાનુ કાર્ય પુરજાેશમા શરૂ કરી દીધુ છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    સરકાર અયોધ્યા યાત્રા માટે આદિવાસી સમાજને રૂા.૫૦૦૦ની સહાય આપશે

    આહવા, ગુજરાતના આદિવાસી વિસ્તારના માતા શબરીના વંશજાે એવા આદિવાસી સમાજના પ્રજાજનોને, રામ જન્મભૂમિ અયોધ્યાની યાત્રા માટે પ્રત્યેક યાત્રાળુ દીઠ રૂપિયા પાંચ હજારની આર્થિક સહાય આપવામા આવશે, તેવી શબરી ધામ ખાતેથી જાહેરાત કરતા રાજ્યના પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પુર્ણેશભાઈ મોદીએ કૈલાશ માનસરોવર યાત્રા, સિંધુ દર્શન યાત્રા સહિત શ્રવણ તીર્થ યાત્રા જેવી યોજનાઓમા અપાતી આર્થિક સહાયનો ખ્યાલ આપ્યો હતો.દંડકારણયની પાવન ભૂમિ ઉપર વિજયા દશમીની ઉજવણીની સાથે હવેથી પ્રતિવર્ષ પ્રભુ રામ સાથે જાેડાયેલા ગુજરાતના તીર્થ સ્થાનો ઉપર ’દશેરા મહોત્સવ’નુ આયોજન કરવાની નેમ વ્યક્ત કરતા મંત્રીએ, ઉચ્ચત્તમ શાસ્ત્રોક્ત પદ્ધતિ, અને યુગ યુગાન્તરની ગણના પદ્ધતિનો ખ્યાલ આપી, પ્રભુ રામ, રામાયણ, અને રામસેતુને કાલ્પનિક કહેનારા લોકોને વૈજ્ઞાનિક પ્રમાણો મળી ચુક્યા છે તેમ જણાવ્યુ હતુ.નવ નવ દિવસની શક્તિ આરાધનાની મા જગદંબાના ધામ શક્તિપીઠ અંબાજીથી પ્રારંભાયેલી યાત્રાનુ સમાપન ’શબરી ધામ’ ખાતે થઈ રહ્યુ છે, તેમ જણાવતા પ્રવાસન મંત્રીએ ’સાપુતારા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સુધીની પ્રવાસન સર્કિટ વિકસાવવા બાબતે પણ કાર્યારંભ થયો છે તેમ ઉમેર્યું હતુ.શબરી ધામ ખાતે મહાઆરતી અને રાવણ દહનના કાર્યક્રમમા ભાગ લેતા મંત્રીએ ખાસ કરીને આદિવાસ વિસ્તારોમા દશેરા મહોત્સવની ઉજવણી અધર્મ પર ધર્મના વિજયના નારાને બુલંદ કરવા સાથે, પવિત્ર સ્થાનોની ગરિમા વધારીને, સાંસ્કૃતિક તથા ઐતિહાસિક વિરાસતને ઉજાગર કરશે તેમ જણાવ્યુ હતુ.શબરી ધામનુ માહાત્મ્ય વર્ણવતા આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલે પ્રવાસન પ્રવૃતિના વિકાસ સાથે સ્થાનિક રોજગારીનુ પણ વિપુલ માત્રામા સર્જન કરાઇ રહ્યુ છે તેમ જણાવી ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારોમા શ્રેણીબદ્ધ વિકાસ કામો હાથ ધરીને પ્રજાજનોના વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેમ તેમના પ્રાસંગિક વક્તવ્યમા જણાવ્યુ હતુ.
    વધુ વાંચો
  • ગુજરાત

    ડાંગ: સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઓક્ટોબર માસ દરમિયાન આ કાર્યક્રમોનુ કરાયુ આયોજન 

    આહવા-આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વિશેષ કરીને ગ્રામીણ ક્ષેત્રોમા વ્યાપક સફાઈ ઝુંબેશ સાથે,સ્વચ્છ જીવનશૈલીનો સંદેશ આપતા ડાંગ કલેક્ટર ભાવિન પંડયા એ આહવા ખાતેના એસ.ટી. ડેપોએ થી ક્લિન ઈન્ડિયાનુ બ્યૂગલ ફૂંકયુ છે. ભારત સરકાર દ્વારા તારીખ 1 થી 31મી ઓક્ટોબર દરમિયાન આયોજિત ‘ક્લિન ઈન્ડિયા’ મુવમેન્ટના ભાગરૂપે આયોજિત સ્વચ્છ ભારત મિશનના શુભારંભ કાર્યક્રમનો પ્રારંભ કરાતા કલેક્ટર પંડયા એ પ્રજાજનોના સહયોગ સાથે વિવિધ સંસ્થાઓના સ્વયંસેવકો, જનપ્રતિનિધિઓ, ગ્રામીણ કર્મચારીઓ વિગેરેની ભાગીદારીથી આખા માસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરાયુ છે તેમા સહયોગી બનવાની અપીલ કરી હતી. આહવા એસ.ટી. ડેપો ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન પ્રજાજોગ સંદેશમા કલેક્ટર પંડયા એ ‘પ્લાસ્ટિક મુક્ત ભારત’ ની વિભાવના સ્પષ્ટ કરી માસ દરમિયાન દરેક સરકારી કચેરીઓ, સ્કૂલ કોલેજો,જાહેર સ્થળો, સ્મારકો, જિલ્લાના જળ સ્ત્રોતો વિગેરેની વ્યાપક સ્વચ્છતા હાથ ધરી જનજનમા સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ કેળવવામા આવશે તેમ જણાવ્યુ હતુ. આ કાર્યક્રમ વેળા જિલ્લા વિકાસ અધિકારી ડો.વિપિન ગર્ગ, જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજા, નાયબ વન સંરક્ષક નિલેષ પંડયા,નિવાસી અધિક કલેક્ટર પદ્મરાજ ગામિત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી.એન.ચૌધરી,પ્રયોજના વહીવટદાર કે.જી.ભગોરા સહિતના અધિકારીઓ એ ઉપસ્થિત રહી જનચેતના જગાવી હતી. નહેરુ યુવા કેન્દ્રના સંયોજક અનુપ ઇંગોલે એ કાર્યયોજના રજૂ કરી મહાનુભાવોનું સ્વાગત કર્યુ હતુ. આહવાના સરપંચ શ્રી હરિરામ સાવંતે સફાઈ કર્મચારીઓની ટિમ સાથે ઉપસ્થિત રહી યોગદાન આપ્યુ હતુ. આ વેળા મહાનુભાવો તથા પ્રજાજનોએ સ્વચ્છતાના શપથ લઈને ક્લિન ઈન્ડિયા મુવમેન્ટમા પોતાનુ યોગદાન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
    વધુ વાંચો
  • ગુજરાત

    રાજ્યના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ, ડાંગમાં ૨૪ કલાકમાં ૧૧ ઇંચ વરસાદ

    વલસાડ-વલસાડ જિલ્લામાં પણ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે ગઈકાલથી જ વરસાદી માહોલ જામ્યો છે. ગઈકાલે દિવસ દરમિયાન છુટાછવાયા વરસાદી ઝાપટા બાદ મોડી રાત્રે જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ કપરાડા અને મહારાષ્ટ્ર બોર્ડરમાં રાત્રે ૧૨ વાગ્યાથી સવાર ૮ વાગ્યા સુધી ૧૫.૯૪ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ મધુબનડેમમાં પાણી ૯ લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે. ૮ કલાકમાં કુલ મધુબનડેમ ૭ દરવાજા ૨ મીટરે ખોલાયા છે. તો ડેમમાંથી ૯ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. આ કારણે વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લામાં એક એનડીઆરએફની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. તો બીજી તરફ, અધિકારીઓને હેડક્વાટર્સ ન છોડવાની સૂચના અપાઈ છે. વલસાડ શહેરમાં ૬.૫ ઇંચ અને કપરાડા તાલુકામાં ૬ ઇંચ વરસાદ ખાબકી ચૂકયો છે. ત્યારે આજે પણ સવાર બાદ પણ જિલ્લાના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે વલસાડ શહેરના છીપવાડ અને મોગરાવાડી રેલવે ગરનાળામાં પાણી ભરાઇ જતા રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ભારે વરસાદથી જિલ્લાના તમામ નદી-નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે. ગઈ મોડીરાત્રે વલસાડ શહેરમાં ધોધમાર વરસાદને કારણે શહેરના નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. તો શહેરની રોજીંદી સમસ્યા સમાન છીપવાડ અને મોગરાવાડી રેલવે ગરનાળામાં પાણી ભરાઇ જતા વહેલી સવારે નોકરી ધંધે જતા રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. આમ જિલ્લાના તમામ તાલુકાઓ વલસાડ, કપરાડા, ધરમપુર, પારડી, વાપી અને ઉંમરગામ તાલુકામાં પણ વરસાદ વરસ્યો હતો. ચોમાસામાં ડાંગ જિલ્લો વરસાદના પાણીથી સોળે કળાએ ખીલી જાય છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ડાંગમાં ભારે વરસાદ વરસ્યો છે. જિલ્લાના સુંદર હિલસ્ટેશન સાપુતારામાં ૧૦.૭૨ ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે આહવામાં ૬.૫૨ ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે જિલ્લાની અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદીમાં ઘોડાપુર આવી ગયુ છે. જિલ્લાના ૧૪ જેટલા લોલેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઇ ગયા છે. જિલ્લાના ૧૪ લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થવાને કારણે વહીવટી તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. અંબિકા નદીમાં પૂરની સ્થિતિને લઈ નવસારી જિલ્લાના ઘણા ગામો પણ પ્રભાવિત થયા છે. ડાંગમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર બની છે. ૨૪ કલાકમાં સાપુતારામાં ૧૦.૭૨ ઇંચ વરસાદ, આહવામાં ૬.૫૨ ઇંચ, વઘઇમાં ૫ ઇંચ, સુબિરમાં ૪ ઇંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. પરંતુ કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું છે. મંગળવારે દિવસ દરમિયાન ગુજરાતના ૪૫થી વધુ તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ નોધાયો હતો. જેમાં ડાંગમાં સૌથી વધુ ૩, નવસારીના ગણદેવી-વાંસદા- ભરૃચના હાંસોટ-વડોદરામાં ૨.૧૬, ડાંગના વઘઇમાં ૧.૮૫, સુરતના મહુવામાં ૧.૮૧, આણંદના ખંભાત-સુરતના પલસાણા-છોટા ઉદેપુરના નસવાડીમાં ૧.૫૭ ઈંચ સાથે સૌથી વધુ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય અન્યત્ર જ્યાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો તેમાં બારડોલી, છોટા ઉદેપુર, વાલોદ, તારાપુર, ગરૃડેશ્વર, આંકલાવ, ચીખલી, સોનગઢ, નીઝર, વાપીનો સમાવેશ થાય છે. ડાંગ જિલ્લામાં આજથી પહેલી તારીખ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને ધ્યાને લેતા ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા અધિકારીઓને તેમનું કાર્યમથક નહીં છોડવાની સુચના અપાઇ છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુજરાતના ચેરાપુંજી ગણાતા આ જિલ્લામા ધોધમાર વરસાદ, 30થી વધુ ગામડાઓ સંર્પક વિહોણા

    ડાંગ-રાજ્યના ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામા ધોધમાર વરસાદ થયો છે. વરસાદને કારણે ડાંગ જિલ્લાના 19 માર્ગો અવરોધાયા છે, જેમાં 33 ગામોનાં હજારો લોકોના જીવનને અસર થઈ છે. આવા લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની ડાંગ વહિવટી તંત્રએ અપીલ કરી છે. જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, ડાંગ જિલ્લામાં આજે સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન આહવા તાલુકામા 107 મી.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે વઘઈમાં 136 મી.મી., સુબીરમાં 80 મી.મી., અને ગિરિમથક સાપુતારામાં 135 મી.મી. વરસાદ નોંધાયો છે. આમ, જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ 114.5 મી.મી. વરસાદ થયો છે. આ સાથે આહવા તાલુકાનો મોસમનો કુલ વરસાદ 1488 મી.મી., વઘઈનો 1562 મી.મી., સુબિરનો 889 મી.મી., અને સાપુતારાનો મોસમનો કુલ વરસાદ 1719 મી.મી. નોંધાતા ડાંગ જિલ્લામા મોસમનો કુલ સરેરાશ વરસાદ 1414.5 મી.મી. નોંધાવા પામ્યો છે. ડાંગ જિલ્લામા નોંધાયેલાં આ વરસાદને કારણે જિલ્લાના 19 જેટલા લો લેવલ કોઝ વે તથા માર્ગો ઓવર ટોપિંગ થવાને કારણે આવાગમન માટે બંધ કરાયા છે. જેને કારણે જિલ્લાના 33 ગામો અસરગ્રસ્ત થવા પામ્યા છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    જાણો, ધોરણ 12નું દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનું ઓવરઓલ પરીણામ કેવું રહ્યું?

    સુરતઆજે ધોરણ 12 સાયન્સમાં એક લાખ 7 હજાર 264 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત 100 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં 3245 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.જ્યારે 15 હજાર 284 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે.A ગ્રૂપમાં 466 વિદ્યાર્થીઓએ 99 ટકાથી વધુ માર્ક્સ મેળવ્યા છે. જ્યારે B ગ્રૂપમાં 657 વિદ્યાર્થીઓએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે.અમદાવાદ શહેરમાં 109 વિદ્યાર્થીઓ અને અમદાવાદ ગ્રામ્યમાં 73 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.સૌથી વધુ 26831 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે.જ્યારે સુરત શહેરમાં પણ 546 વિદ્યાર્થીને એ-વન ગ્રેડ મળ્યો છે...આ સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનું ઓવરઓલ પરીણામની વધુ માહિતી નીચે મુજબ છે.દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનું ઓવરઓલ પરીણામજિલ્લો વિદ્યાર્થી સંખ્યા એ-વન ગ્રેડસુરત  13733  546નવસારી  4463  107વલસાડ  4446  20ડાંગ  296  00તાપી  1186  1ભરૂચ  3142  41નર્મદા  812  06સુરત શહેરનું ઓવરઓલ પરીણામગ્રેડ સંખ્યાએ-વન 546એ-ટુ 2547બી-વન 3628બી-ટુ 3416સી-વન 2387સી-ટુ 1053ડી 144
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુજરાતના આ પર્યટન સ્થળે પ્રવાસીઓની ભીડ થતાં વહીવટી તંત્ર એલર્ટ, જાણો શું લેવાયો નિર્ણય

    ડાંગ- જિલ્લામાં ચોમાસાની ઋતુમાં દર વર્ષે અનેક પ્રવાસીઓએ આવતા હોય છે. ત્યારે આ વર્ષે પણ પ્રવાસીઓ આવશે. જોકે, આ વખતે તમામ પ્રવાસીઓએ કોરોના ગાઈડલાઈન નું પાલન કરવું પડશે તેવો જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા એ અનુરોધ કર્યો હતો. પ્રવાસીઓની સુરક્ષા અંગે તમામ પ્રકારની તૈયારી પોલીસ અને વહીવટી તંત્રએ કરી લીધી છે. વહીવટી તંત્રનાં જણાવ્યા મુજબ, ગિરિમથક સાપુતારા ખાતે એક પાર્કિંગ સ્પોટ ઉપર પ્રવાસી વાહનો દ્વારા લીધેલી પાર્કિંગની ટિકીટ સાપુતારાનાં તમામ પાર્કિંગ સ્પોટ ઉપર એક દિવસ માટે માન્ય રહેશે. આથી સાપુતારા ખાતે આવતા પ્રવાસીઓ હવે તમામ જોવાલાયક સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થાનો લાભ મેળવી શકશે. ગિરિમથક સાપુતારા ખાતે શનિ અને રવિવારેમાં મોટા વાહનોની અરાજકતા ન સર્જાય તે માટે આ લકઝરી વાહનો માટે હેલિપેડ ઉપર વ્યવસ્થા કરવામાં આવી છે. આવનારા શનિવારે અને રવિવારથી વિકેન્ડમાં ટ્રાફિકનું નિયમન થાય તથા પ્રવાસીઓમાં કોરોનાનું સંક્રમણ થતા અટકાવવા માટે સોશિયલ ડિસ્ટનસિંગ નું પાલન સહ માસ્કનો ફરજિયાત ઉપયોગ થાય તેવા જનજાગૃતિનાં વ્યવસ્થામાં પોલીસ વિભાગના DySP કક્ષાનાં અધિકારીઓ તમામ સ્થળોએ સુપરવિઝન કરશે અને કાયદાનો ભંગ કરતા પ્રવાસીઓ દંડાશેનું જણાવ્યું છે.
    વધુ વાંચો
  • ગુજરાત

     આ જીલ્લા તેમજ પર્યટન સ્થળ સહિત કોઈ પણ સ્થળે સેલ્ફી લેવા પર મૂકાયો પ્રતિબંધ, જાણો કારણ

    અમદાવાદ-હવે જ્યારે તમે ગુજરાતના એક માત્ર હિલ સ્ટેશન સાપુતારા અથવા મનોહર ડાંગ જિલ્લાના કોઈ અન્ય પર્યટન સ્થળની મુલાકાત લો ત્યારે ભૂલથી પણ સેલ્ફી ક્લિક ન કરતાં. જાે તમે સેલ્ફી લેતા ઝડપાયા તો, તે ગુનો ગણાશે અને તમારી સામે પોલીસ કાર્યવાહી થશે. ડાંગ એ ગુજરાતનો પહેલો એવો જિલ્લો બન્યો છે, જ્યાં જિલ્લાના કોઈ પણ સ્થળે સેલ્ફી લેવા પર પ્રતિબંધ મૂકાયો છે અને ખાસ કરીને પર્યટન સ્થળ પર. સેલ્ફી પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું ૨૩ જૂનના રોજ એડિશનલ મેજિસ્ટ્રેટ ટી.કે. ડામોર દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. જાહેરનામામાં ચોમાસા દરમિયાન કોઈ પણ નદી અથવા અન્ય જળાશયોમાં સ્થાનિકો પર પણ કપડા ધોવાથી ન્હાવા સુધીનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોઈ પણ અણધારી ઘટના ન બને તે માટે આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. ૨૦૧૯માં વહીવટીતંત્રએ વાઘાઈ-સાપુતારા હાઈવે અને ધોધ પર સેલ્ફી લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો. 'ચોમાસું શરૂ થતાં જ, ડાંગમાં પર્યટકોનો ભારે ધસારો જાેવા મળી રહ્યો છે. પ્રકૃતિની મજા માણતી વખતે ઘણા બેદરકારીભર્યું વર્તન કરે છે અને સેલ્ફી લે છે, જે ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે તેવા અકસ્માત તરફ દોરી જાય છે. આ જાહેરનામું આવી જ ઘટનાઓને રોકવા માટે બહાર પાડવામાં આવ્યું છે', તેમ ડામોરે જણાવ્યું હતું. વહીવટીતંત્રએ નોંધ્યું હતું, સેલ્ફી લેવી તે માત્ર પર્યટકના મનપસંદ સ્થાન પૂરતી મર્યાદિત નથી, પરંતુ આમ રોડ, ખડકો, ધોધ તેમજ નદીઓ જેવા સ્થળે પણ જાેવા મળે છે. 'આવા જાેખમી વર્તનને ધ્યાનમાં લેતા, સમગ્ર જિલ્લા માટે પ્રતિબંધિત આદેશો જાહેર કરવામાં આવ્યા છે', તેમ ડામોરે ઉમેર્યું હતું. કોવિડ-૧૯ના કેસ ઓછા છતાં અને પ્રતિબંધ હળવા કરાતા ડાંગમાં પ્રવાસીઓનો ભારે ધસારો જાેવા મળી રહ્યો છે. ભૂતકાળમાં, સેલ્ફી લેતી વખતે લોકો મૃત્યુ પામ્યા હોય અથવા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોવા તેવા અનેક કિસ્સા જિલ્લામાંથી સામે આવ્યા હતા. કેટલાક પર્યટન સ્થળો એટલા જાેખમી છે કે, ત્યાં લાઈફગાડ્‌ર્સને તૈનાત કરવામાં આવ્યા હતા.
    વધુ વાંચો