મહીસાગર સમાચાર
-
ગરમી ૪૩.ર ડિગ્રી ઃ લૂ લગાડતો ધગધગતો પવન અને આકરા તાપ વચ્ચે ગળાકાપ સ્પર્ધા
- 13, મે 2023 01:15 AM
- 4910 comments
- 2955 Views
વડોદરા, તા. ૧૨ઓરેન્જ એલર્ટ વચ્ચે મહત્તમ તાપમાનનો પારામાં આંશિક ધટાડા વચ્ચે મહત્તમ તાપમાનનો પારો ૪૩.૨ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયો હતો. છેલ્લા ત્રણ દિવસથી અંગદઝાડતી ગરમીને કારણે બપોર દરમ્યાન અનેક લોકો ઘરની બહાર નિકળવાનું ટાળતા હોવાથી મોટાભાગના રોડ – રસ્તાઓ સૂમસામ નઝરે પડ્યા હતા. રાજ્યભરમાં અસહ્ય ગરમીની આગાહી વચ્ચે આજે મહત્તમ તાપમાનમાં આંશિક રાહત જાેવા મળી હતી. છ રાજ્ય પૈકી વડોદરા શહેરમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવાની સાથે મહત્તમ તાપમાન ૪૩.૨ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાઈ હતી. અસહ્ય ગરમીને કારણે લૂ લાગવાના બનાવ , ચામડીના રોગો તેમજ ઝાડા ઉલ્ટી સહિતના વાયરલ બિમારીઓમાં વધારો જાેવા મળ્યો હતો. માનવીની સાથે પશી – પક્ષીઓમાં પણ ગરમીની અસર જાેવા મળી હતી. અસહ્ય તાપના કારણે તેમજ પીવાના પાણીના અભાવને કારણે મોટા પ્રમાણમાં પક્ષીઓ મૃત્યુ પામેલા જાેવા મળ્યા હતા. અસહ્ય તાપને પગલે મોટાભાગના રસ્તાઓ પર ડામર પીગળવાના કારણે અકસ્માતના બનાવમાં પણ વધારો જાેવા મળ્યો હતો. આજે દિવસ દરમ્યાન મહત્તમ તાપમાનમાં ૦.૬ ડીગ્રી સેન્ટીગ્રેડના ઘટાડા વચ્ચે તાપમાન ૪૩.૨ ડીગ્રી સેન્ટીગ્રેડ સાથે લધુત્તમ તાપમાન ૨૭ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. તે સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ દિવસ દરમ્યાન ૪૫ ટકાની સાથે સાંજે ૧૫ ટકા નોંધાયું હતું. તે સિવાય હવાનું દબાણ ૧૦૦૪.૧ મીલીબાર્સની સાથે પશ્ચિમ દિશા તરફથી નવ કિં.મી.ની ઝડપે પવન ફૂકાંયા હતા. પાલિકા દ્વારા ઠેર-ઠેર પાણીની પરબો શરૂ કરવામાં આવી અસહ્ય ગરમીને કારણે રાહદારીઓને શુધ્ધ પાણીની સુવિધા મળી રહે તે માટે પાલીકા દ્વારા વિવિધ વિસ્તારોમાં પાણીની પરબો શરુ કરવામાં આવી હતી. શહેરના મુખ્ય ત્રણ વિસ્તારો કારેલીબાગ , પાણીગેટ અને હરિનગર પાણીની ટાંકી પાસે પાણીની પરબો શરુ કરવામાં આવી હતી. તે સિવાય સયાજીબાગ ખાતે પણ પાણીની પરબ શરુ કરવામાં આવી છે. મેયર , સ્ટેન્ડીંગ કમિટી સહિતના અગ્રણીઓ દ્વારા પરબનો પ્રાંરભ કરવામાં આવ્યો હતો. પાલીકા સિવાય અન્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણીની સાથે છાશનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.વધુ વાંચો -
સૂર્યના શ્રાપથી શહેરીજનો સ્તબ્ધ તાપમાન ૩૮.૬ ઃ રસ્તાઓ સૂમસામ
- 08, એપ્રીલ 2023 01:15 AM
- 2521 comments
- 6136 Views
વડોદરા, તા. ૭ સાઈક્લોન સક્ર્યુલેશનના કારણે સતત એક મહિનાથી વાદળછાયા વાતાવરણ અને માવઠાંના કારણે ઉનાળામાં પણ ચોેમાસાનો અહેસાસ શહેરીજનોને થયો હતો. સાયકલોનનો વેગ ફંટાઈ જતા કાળઝાળ ગરમીની અનુભૂતિ શહેરીજનોને છેલ્લા બે દિવસથી થઈ રહી છે ત્યારે આજે ઉનાળાની ઋતુમાં સૌ પ્રથમવાર મહત્તમ તાપમાનનો પારો ૩૮.૬ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાતા બપોર દરમ્યાન મોટાભાગના રોડ – રસ્તા સુમસામ જાેવા મળ્યા હતા. તે સિવાય ઉત્તર - પશ્ચિમ દિશા તરફથી તેર કીમીની ઝડપે ગરમ પવન ફૂંકાતા લૂ સહિતની વાયરલ બિમારીઓમાં વધારો જાેવા મળ્યો હતો. ઉનાળાની શરુઆત બાદ સતત સાયકલોન સક્ર્યુલેશનના કારણે વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદને પગલે ઠંડકની સાથે બફારાની સ્થિતીનો અહેસાસ શહેરીજનોને થયો હતો. છેલ્લા બે દિવસથી મહત્તમ તાપમાનમાં સતત વધારો નોંધાતા બળબળતા તાપનો અહેસાસ શહેરીજનોને થયો હતો. આજે પણ દિવસ દરમ્યાન મહત્તમ તાપમાનમાં એક ડીગ્રી સેન્ટીગ્રેડ જેટલો વધારો મહત્તમ તાપમાનમાં નોંધાતા ઉનાળાની ઋતુ દરમ્યાન સૌ પ્રથમવાર તાપમાનનો પારો ૩૮.૬ ડીગ્રી નોંધાતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. અસહ્ય ગરમીને પગલે મોટાભાગના રોડ રસ્તા બપોર દરમ્યાન સુમસામ નઝરે પડયા હતા. ઠેકઠેકાણે સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણીની પરબો શરુ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા લૂ થી બચવા માટેના પ્રયાસો અને લૂ લાગે ત્યારે કેવા પ્રકારના ઉપચાર કરવા તે માટેની ગાઈડલાઈન પણ બહાર પાડી દેવામાં આવી છે. તે સિવાય અન્ય વાયરલ બિમારીઓ જેમકે તાવ , શરદી , ખાંસી અને પાણીજન્ય રોગોમાં વધારો નોંધાતા શહેરના વિવધ સરકારી અને ખાનગી હોસ્પીટલમાં દર્દીઓની ભારે ભીડ જાેવા મળી હતી. તે સિવાય કેરી , તડબૂચ , શક્કરટેટી જેવા ફળો બજારમાં જાેવા મળી રહ્યા છે જ્યારે લીલી શાકભાજીના ભાવમાં વધારો જાેવા મળ્યો હતો. આજે દિવસ દરમ્યાન તાપમાનના પારામાં ૧.૨ ડીગ્રી સેન્ટીગ્રેડના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૮.૬ ડીગ્રી સેન્ટીગ્રેડ સાથે લધુત્તમ તાપમાન ૨૩.૬ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. તે સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ દિવસ દરમ્યાન ૫૨ ટકાની સાથે સાંજે ૧૨ ટકા નોંધાયું હતું. તે સિવાય હવાનું દબાણ ૧૦૧૦.૨ મીલીબાર્સની સાથે ઉત્તર - પશ્ચિમ દિશા તરફથી ૧૩ કિં.મી.ની ઝડપે પવન ફૂકાંયા હતા.વધુ વાંચો -
શહેર રખડતાં કૂતરાઓના હવાલે ઃ ૧ દિવસમાં ૨૩ને કરડયાં!
- 08, એપ્રીલ 2023 01:15 AM
- 2673 comments
- 2644 Views
વડોદરા, તા.૭વડોદરા શહેર-જિલ્લામાં માર્ગો પર રખડતી ગાયોના અસહ્ય ત્રાસ બાદ હવે રસ્તાઓ પર રખડતાં કૂતરાઓનો ત્રાસ ચરમસીમાએ પહોંચી ગયો છે. આજે વિતેલા છેલ્લા ર૪ કલાક દરમિયાન રપથી વધુ લોકોને કૂતરાઓ કરડવા અને બચકાં ભરી હિંસક હુમલો કર્યાના બનાવો સત્તાવાર સયાજી હોસ્પિટલમાં નોંધાયા છે. આ તમામને એન્ટિ રેબિટસના ઈન્જેકશનો આપી સારવાર આપવામાં આવી રહી છે. કૂતરાઓના હુમલાઓમાં ત્રણ નાનાં બાળકોનો પણ સમાવેશ થાય છે. આજે સયાજી હોસ્પિટલમાં એક કરતાં વધુ કૂતરાઓના કેસો આવતાં તબીબો અને સ્ટાફના કર્મચારીઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો. વડોદરા શહેરમાં અને તેની આસપાસ તેમજ જિલ્લામાં છેલ્લાં કેટલાંય સમયથી રસ્તાઓ ઉપર રખડતાં ગાય-કૂતરાઓનો ત્રાસ શહેરીજનો અને નિર્દોષ પ્રજા સહન કરી રહી છે. આ મામલે ઉચ્ચકક્ષાએ રજૂઆતો અને ફરિયાદો થઈ ચૂકી છે. પરંતુ અત્યાર સુધી કોઈ નિર્ણાયક પરિણામ આવ્યું નથી. જાે કે, સ્થાનિક પાલિકાના સત્તાધીશો ગાયો અને કૂતરાઓ પકડવાની કામગીરીને સંતોષ માણી રહ્યા છે. પાલિકાના સત્તાધીશો રસ્તે રખડતી ગાયો પકડયાની કામગીરીની પ્રસિદ્ધિ જણાવી રહ્યા છે પરંતુ લોકોની સમસ્યા હલ થવામાં કોઈ સુધારો જાેવા મળતો નથી. ખાસ જાણવા જેવી બાબત એ છે કે રસ્તે રખડતી ગાયોના ત્રાસ અસહ્ય બની રહ્યો છે, જેને કારણે નિર્દોષ લોકોને જાનહાનિ પહોંચે છે. આ બનાવની હજુ શાહી સુકાઈ નથી ત્યાં શહેરમાં વરસોવરસ કૂતરાઓની વધી રહેલી સંખ્યાને કારણે ગાયોની સાથે સાથે હવે રસ્તે રખડતાં કૂતરાઓનો ત્રાસ પર ચરમસીમાએ પહોંચી રહ્યો છે. કૂતરાઓ કરડવાના અને હિંસક બચકાં ભરવાના બનાવોમાં રોજબરોજ વધારો જાેવા મળી રહ્યો છે, જે ખરેખર પાલિકાના સત્તાધીશો માટે પડકારરૂપ બની રહ્યો છે. શહેરની સયાજી હોસ્પિટલમાં વિતેલા છેલ્લા ર૪ કલાક દરમિયાન રપથી વધુ લોકોને કૂતરાઓ કરડવાના અને બચકાં ભરવાના બનાવો રજિસ્ટરમાં નોંધાયા છે જેમાં તા.૭ એપ્રિલે ર૩ નાના મોટા લોકો સારવાર માટે હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતા. જ્યારે ગત તા.૬ના રોજ સાત લોકો સારવાર માટે આવ્યા હતા. હાલ આ તમામ લોકોને એન્ટિ રેબિટસના ઈન્જેકશનો આપી સારવાર આપવામાં આવી રહી છે. હવે કૂતરાઓની વસતી ઓછી કરવાનો નિર્ણય લેવાનો સમય આવી ગયો હોય તેમ લાગી રહ્યું છે.વધુ વાંચો -
રામનવમીએ કોમી ભડકોઃ ઠેરઠેર પથ્થરમારો ઃ ૧૭ની ધરપકડ
- 31, માર્ચ 2023 01:15 AM
- 6066 comments
- 1135 Views
વડોદરા, તા.૩૦રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ સહિતની કેટલીક ધાર્મિક સંસ્થાઓ દ્વારા આયોજીત શોભાયાત્રા પર બપોરે ફતેપુરા વિસ્તાર સહિત અનેક સ્થળે ભારે પથ્થરમારાના પગલે દહેશતનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં અનેકને ઈજાઓ પહોંચી હતી તથા પરિસ્થિત પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. દરમ્યાન પોલીસે ૩૫૦થી વધુ સીસીટીવી કેમેરાને આધારે મોડીરાત સુધીમા ૧૭ તોફાનીઓની ધરપકડ કરી લીધી હતી. આ તોફાનો દરમ્યાન અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યુ હતું. છેલ્લા અનેક વર્ષોથી શાંતિપૂર્ણ માહોલનો અહેસાસ કરી રહેલું વડોદરા આજે કોમી રમખાણોના છમકલાઓથી ફરી એકવાર અભડાયું હતું. આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત શ્રીરામની શોભાયાત્રા બપોરના સમયે ફતેપુરા વિસ્તારના કુભારવાડા ખાતેથી પસાર થઈ રહી હતી.આ તબક્કે ડીજે પર મોટા અવાજે હનુમાનચાલીસા વાગતા જ એ વિસ્તારના કેટલાં યુવાનો અને વિહિપના કાર્યકરો વચ્ચે બોલાચાલી થતાં વાતાવરણ ગરમાયુ હતું આ તબક્કે પોલીસે મધ્યસ્થી કરી બંને ટોળાઓને શાંત કરી વિખેરી નાંખ્યા હતા. પરંતુ થોડી જ વારમાં આ સમાધાન પડી ભાંગ્યુ હોય એમ અચાનક આજુબાજુની ગલીઓમાંથી પથ્થરમારો શરૂ થયો હતો. આ તબકકે શોભાયાત્રામાં સામેલ એક હજારથી વધુ વીએચપી કાર્યકરોમાં ઉશ્કેરાટનો માહોલ ફેલાયો હતો. જાે કે ઘટના સ્થળે ઉપસ્થિત પોલીસે તાત્કાલિક પરિસ્થિતિ પર કાબુ મેળવવા તોફાનીઓની દિશામાં ઘસી જતાં મામલો થોડા સમય માટે શાંત પડયો હતો. પરંતુ શ્રધ્ધેય ભગવાન રામની શોભાયાત્રા પરના પથ્થરમારાથી ઉશ્કેરાયેલા કાર્યકરોને માંડ માંડ શાંતિ જાળવવા સમજાવાયા હતા. એસ.એસ.જી. હોસ્પિટલની સામે આવેલ પંચમુખી હનુમાન મંદિરથી શરૂ થયેલી આ યાત્રા શાંતિપૂર્ણ રીતે અને ધાર્મિક માહોલ સાથે આગળ વધી રહી હતી. ત્યારે પાંજરીગર મહોલ્લા ખાતે તેના પર ભારે પથ્થરમારો થયો હતો. જાે કે આ યાત્રા એરપોર્ટ, સંગમ, ફતેપુરા, કારેલીબાગ પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી.ત્યાર બાદ એ યાત્રા જીવનભારતી સ્કુલ એલ એન્ડ ટી એરપોર્ટ થઈ ફરી પંચમુખી હનુમાન મંદિર ખાતે સંપન્ન થઈ હતી.દરમ્યાન ફતેપુરા કંુભારવાડા ખાતેથી નિકળેલી શ્રી રામની આવી જ એક અન્ય શોભાયાત્રા પર તલાટીની ઓફિસની બાજુની ગલીમાંથી તથા સામેની બાજુ આવેલા એક ધાર્મિક સ્થળ પરથી અચાનક ભારે પથ્થરમારો શરૂ થયો હતો. પોલીસે માંડ માંડ પરિસ્થિત થાળે પાડતા શોભાયાત્રા આગળ વધી હતી. પરંતુ ચાંપાનેર દરવજા પાસે ફરીથી આ શોભાયાત્રા પર ભારે પથ્થરમારો થયો હતો. યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે અગાઉ સમગ્ર માર્ગ પર ઠેર ઠેર પથ્થરમારો થતાં વડોદરામાં ભારેલો અગ્નિ છે તથા મોડીરાત્રે એ કોમી રમખાણોના જવાળામુખીમાં ન ફેલાય તે માટે સ્થાનિક પોલીસે કડક હાથે કામ લેવાનુ શરૂ કર્યું છે.આજે શ્રી રામની ત્રીજી શોભાયાત્રા ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા યોજાઈ હતી. જે પ્રતાપનગર વિસ્તારના રણમુકતેશ્વર મહાદેવ ખાતેથી નિકળી પથ્થરગેટ વિસ્તારના તાડફળિયા ખાતે આવેલા રામજીમંદિર ખાતે સંપન્ન થઈ હતી. આ સમગ્ર રૂટ સંવેદનશીલ વિસ્તાર હોવાથી પોલીસે અગાઉ બે શોભાયાત્રાઓ પર થયેલા ભારે પથ્થરમારાના પગલે અગમચેતીના પગલારૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો.એક તરફ પવિત્ર રમઝાન મહિનો ચાલુ છે તથા સમગ્ર લઘુમતી વિસ્તારોમાં સાંજ બાદ ધાર્મિક માહોલ સર્જાય છે ત્યારે આજે દિવસ દરમ્યાન થયેલા કોમી છમકલાઓ વધુ વકરે નહીં તે માટે પોલીસે ચારેબાજુ ઘોસ વધારી છે.વધુ વાંચો -
મુખ્યમંત્રીના રૂટના રસ્તા બંધ કરાતાં ઠેર-ઠેર ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં ઃ લોકો અટવાયાં
- 13, ઓક્ટોબર 2022 01:15 AM
- 9396 comments
- 1506 Views
વડોદરા, તા.૭સંસ્કારી અને ઉત્સવ પ્રિય નગરી વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થાપિત કરાયેલા ગણેશજીના દર્શન માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી સાથે વિવિઘ મંડળો દ્વારા સ્થાપિત શ્રીજીના દર્શન કર્યા હતા.જ્યારે બીજી તરફ મુખ્યમંત્રીના આગમનને લઈને પોલીસ દ્વારા જેતે વિસ્તારોના રસ્તાઓ બંઘ કરાતા ટ્રાફીક જામના દ્રષ્યો સર્જાયા હતા. તેમજ પરીવાર સાથે દર્શનાર્થે નિકળેલા લોકો અચવાઈ ગયા હતા. ગણેશોત્સવ નિમિત્તે આજે વડોદરા શહેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને રાત્રે ૮ થી ૧૦ વાગ્યા સુધી વિવિધ પંડાલોમાં બિરાજમાન શ્રીજીના દર્શન કર્યા હતા.તેઓ સાથે પ્રદેશ ભાજપા મહામંત્રી ભાર્ગવ ભટ્ટ ,કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી રાજ્યના બાળ વિકાસ કલ્યાણ મંત્રી મનિષાબેન વકીલ, સાંસદ રંજનબેન ભટ્ટ મેયર કેયુર રોકડિયા તથા ધારાસભ્યો કાઉન્સિલરો તેમજ શહેરના હોદ્દેદારો,પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ ભારે ધામધૂમ પૂર્વક ઉજવાઈ રહ્યો છે ત્યારે વર્ષો ની પરંપરા મુજબ રાજ્યના મુખ્યમંત્રીઓ વડોદરાના ગણેશ ઉત્સવમાં ગણેશજી ના દર્શન માટે અચૂક હાજરી આપે છે આજે વડોદરા શહેરમાં રાજ્યના મુખ્યમંત્રી શ્ર ભુપેન્દ્ર પટેલ ખાસ દર્શન માટે આવ્યા હતા અને વિવિધ વિસ્તારોમાં સ્થાપિત કરાયેલા શ્રીજીના દર્શન કર્યા હતા. જાેકે, મુખ્યમંત્રીનો કાફલો જેજે રૂટ પરથી પસાર થઈને જે ગણેશજીના પંડાલ માં જવાનો હતો જે માર્ગ બંઘ કરાતા ટ્રાફીક જામના દ્રષ્યો સર્જાયા હતા સાથે પરીવારના સભ્યો સાથે ગણેશજીના દર્શનાર્થે નિકળેલા લોકો અટવાઈ ગયા હતા.મુખ્યમંત્રીએ હરણી રોડ, નવા બજાર, દાંડિયા બજાર એસવીપીસી ટ્રસ્ટ ખાતે મુખ્યમંત્રીના હસ્તે શ્રજીને સુવર્ણ માળા અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ પોલો ગ્રાઉન્ડ બગીખાના, વારસિયા રીંગ રોડ માંજલપુર , ઇલોરા પાર્ક તથા સુભાનપુરા હાઈ ટેન્શન વિસ્તારમાં સ્થાપના કરાયેલા ગણેશજીના દર્શન કર્યા હતા.વધુ વાંચો -
ઉપરવાસમાં વરસાદને કારણે કડાણા જળાશયની જળસપાટીમાં વધારો
- 23, સપ્ટેમ્બર 2021 01:00 AM
- 3321 comments
- 5983 Views
લુણાવાડામહીસાગર જિલ્લાાના ક્ડાણા જળાશયમાં ઉપરવાસમાં વરસાદના કારણે તથા રાજસ્થાનના બાંસવાડા ખાતેના મહીસાગર બજાજ ડેમમાંથી છોડવામાં આવી રહેલ પાણીના પ્રવાહને લઈને કડાણા જળાશયની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. આ અંગેની વિગતો આપતાં દિવડાકોલોની ફલ્ડ સેલના ઓપરેટર શૈલેષભાઇ ભોઇએ જણાવ્યું હતું કે, કડાણા બંધનું આજે તા. ૨૨/૯/૨૧ના રોજ બપોરના બે વાગ્યા સુધીનું લેવલ ૪૦૭.૧૧ ફુટ થયું છે. ક્ડાણા જળાશયની પૂર્ણ સપાટી ૪૧૯ ફૂટ છે. જેથી જળાશય ૭૩.૮૫ ટકાથી વધુ ભરાયો હોઇ વોર્નિંગ સ્ટેજ (ઉટ્ઠહિૈહખ્ત જીંટ્ઠખ્તી) જાહેર કરવામા આવેલ છે. જળાશયમાં ૬૪,૧૬૪ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જયારે ડેમમાં પાણીનો કુલ જથ્થો ૩૨,૫૮૬ એમ.સી.એફ.ટી છે.રાજસ્થાનના બાંસવાડા ખાતેના મહીસાગર બજાજ ડેમમાંથી છોડવામાં આવી રહેલ પાણીના પ્રવાહને લઈને કડાણા જળાશયની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.વધુ વાંચો -
બાલાસિનોર APMC ની ચૂંટણીમાં 15 બેઠકો સાથે ભાજપનો વિજય
- 10, સપ્ટેમ્બર 2021 03:04 PM
- 3381 comments
- 2054 Views
મહિસાગર- બાલાસિનોર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ APMC ની 16 બેઠકો માટે જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમમાં અગાઉ વેપારી વિભાગમાંથી 4 બેઠકો બિનહરીફ થતાં બાકીની 2 ખરીદ-વેચાણ વિભાગ અને 10 બેઠકો ખેડૂત મતદાર વિભાગની મળી હતી. 12 બેઠકની ચૂંટણી મતદાનની મતગણતરી થતાં તેમજ અગાઉ ચાર બેઠકો બિનહરીફ મેળવતા ભાજપના રાજેશ પાઠકના નેતૃત્વમાં વિકાસ પેનલનો કુલ 15 બેઠકો સાથે જવલંત વિજય થયો છે. જ્યારે બે ઉમેદવારને સરખા મત મળતાં ટાઇ પડી હતી. જેનો ચિઠ્ઠી ઉછાળીને નિર્ણય લેવાતા એ બેઠક કોંગ્રેસના તખતસિંહ ચૌહાણને મળી છે. કોંગ્રેસને ચીઠ્ઠીના સહારે એક બેઠક મળતાં આ ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હાર સહન કરવી પડી છે. બાલાસિનોર APMC ની 16 બેઠકમાંથી 15 બેઠકો ભાજપે મેળવી ઇતિહાસ સર્જ્યો છે. કોંગ્રેસને ચીઠ્ઠીના સહારે એક બેઠક મળતાં આ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે. ભાજપની વિકાસ પેનલનો વિજય રાજેશભાઈ પાઠકના નેતૃત્વમાં થતાં ભાજપ કાર્યકરો અને ટેકેદારોએ એકબીજાને ગુલાલ છાંટી વિજય મનાવ્યો હતો.વધુ વાંચો -
બાળકોને શાળામાં બોલાવાતાં લુણાવાડાની આદર્શ સ્કૂલ દ્વારા કોરોના નિયમોનું ઉલ્લંઘન
- 13, જુલાઈ 2021 01:30 AM
- 5222 comments
- 5894 Views
લુણાવાડા, ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ ને સ્કૂલમાં બોલાવી ભણતર આપવામાં આવે છે તેવી બાતમી ના આધારે તાપસ થતા આખો મામલો સામે આવ્યો છે કે છેલ્લા એક મહિના થી આદર્શ સ્કૂલ દ્વારા બાળકો ને સ્કૂલ માં બોલાવવામાં આવતા હતા અને બાળકો ને પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય કરાવવા માં આવતું હતું હજી તો જયારે સરકાર અને વૈજ્ઞાનિકો કોરોનાની ત્રીજી લહેર ને લઇ સંભવિત મહામારી માં કેવી રીતે બાળકો ને બચાવવા તેની તજવીજ માં લાગ્યા હોઈ ત્યારે કોઈ શાળા ના આવા જવાબદારી વિહીન કર્યો ને જાેતા તો એમ જ લાગે છે કે આવા લોકો કોરોનાની ત્રીજી લહેર લાવી ને જ જંપશે. શિક્ષણ અધિકારી સહિત સ્ટાફે બાતમીના આધારે સ્કૂલ માં રેડ કરી તો લુણાવાડા ની આદર્શ સ્કૂલ માં અભ્યાસ કરતા બાળકો ને શિક્ષક અભ્યાસ કરાવતા ઝડપાયા અને શાળા માં બાળકો ને બોલાવવાનો સિલસિલો તો છેક મહિના થી ચાલુ જ છે તેવું બહાર આવ્યું છે ત્યારે લાગે છે કે કોરોના ની ત્રીજી લહેર માં બાળકો ને જાેખમ હોવા છતાં સ્કૂલ સંચાલક ભાન ભૂલ્યા છે.વધુ વાંચો -
ચિતવામાં નરેગાના કામમાં કૌભાંડની આશંકા
- 13, જુલાઈ 2021 01:30 AM
- 8192 comments
- 8839 Views
સંતરામપુર, મહીસાગર જિલ્લાના ચિતાવા ગામે નરેગા યોજના અંતર્ગત ઘણા બધાં કામો કરવામાં આવી રહ્યા છે. તેમાં ચીતવા ગામે કોતર ઉડું કરવાનું કામ કરવામાં આવી રહ્યું હતું. પરતું તે યોજના મજૂરો દ્રારા કરવાંમાં આવતી હોય છે તેના બદલામાં ગામના સરપંચે જેસીબી દ્રારા કામ કરાવી લોકોની રોજગારી છીનવી હોવાની લોકચર્ચા એ ભારે જાેર પકડ્યું છે. ચિતવા ગામ લોકો દ્વારા મળતી માહિતી મુજબ,જે લોકો બહાર ગામ રહે છે તેવા લોકોના નામે પણ પૈસા જમા કરવા માં આવ્યા છે અને જે વૃદ્ધ લોકો ની ઉંમર થઈ ગઇ છે જેઓ મજૂરી કરી શકતા નથી તેવા લોકોના ખાતામાં પણ પૈસા જમા કરી સરકારના કીમતી નાણાંની ઉચાપત કરવામાં આવી હોવાનું પણ લોકોનાં મુખે જાેરશોરથી ચર્ચાઈ રહ્યું છે. મસ્ટરમાં હાજરી પુરવામાં માં સરપંચ - તલાટી અને ગ્રામ રોજગાર સેવક ય્ઇજી નો સિંહફાળો રહેલો જાેવા મળ્યો છે. અને વધુમાં ગામમાં જે વ્યક્તિઓ સરકારી નોકરીઓ કરે છે. તેમને પણ સરકાર દ્વારા ફાળવવામાં આવતા પ્રધાન મંત્રી આવાસ યોજનાનો લાભ આપવામાં આવી રહ્યા છે અને ગરીબ લોકોને ઘર માં રહેવાના કોઇ ઠેકાણા નથી, જે કેટલે અંશે વ્યાજબી ગણાય ?? ચિત્વા ગામ લોકોમાં ચાલતા ગણગણાટ મુજબ નાણાં પંચના કામોમાં ૩૦ ટકા કામ કરી ને ૭૦ ટકા રકમ સરપંચ શ્રી એ પોતાની કરી છે અને રસ્તાનું કોઈ જ કામ કર્યુ જ નથી અને રસ્તાના બધાં જ પૈસા ખવાઈ ગયા છે. એવી પણ ગામ લોકો માં જાેરશોર થી ચાલતી ચર્ચા ઓ ભારે જાેર પકડ્યું છે. આમ ચીતવા ગામ માં સરપંચ શ્રી દ્વારા ખોટા કામો કરી સરકાર શ્રી ના લાખો રૂપિયા ની ઉચાપત કરવામાં આવી રહી છે તેવુ ગામ લોકો માં જાેરશોરથી ચર્ચાઈ રહ્યું છે.વધુ વાંચો -
બાલાસિનોર એમજીવીસીએલ કચેરીના કર્મચારીઓ ઊંઘવામાં વ્યસ્ત અને પ્રજા ગરમીથી ત્રસ્ત
- 21, જુન 2021 01:30 AM
- 6939 comments
- 999 Views
બાલાસિનોર, બાલાસિનોર નગરમાં સામાન્ય પવન કે વરસાદમાં અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ જાય છે ત્યારે વિસ્તારના રહીશો એમજીવીસીએલ કચેરીમાં ગ્રાહક સેવા નમ્બર ઉપર ફોન કરીને કંટાળી ગયા હતા. ફોનની સતત રિંગ વાગવા છતાં કોઈ કર્મચારી ફોન ઉપડવાની તસ્દી લેતા નહતા. ત્યારે કેટલાક રહીશો એમ.જી.વી.સી.એલ. કચેરીમાં પહોંચ્યા ત્યારે કર્મચારીઓ ઘોર નિંદ્રામાં સુતા નજરે પડયા હતા. ત્યારે ત્યાં હાજર એક કર્મચારીને પૂછતાં જણાવેલ કે સ્ટાફ લાઇન ઉપર ગયો છે. રહીશો સતત એક કલાક સુધી જી.ઇ.બી. કચેરીએ બેસી રહ્યા તેમ છતાં પણ આ કચેરીમાં કોઈ પણ કર્મચારી આ સમય દરમિયાન આવ્યો નહતો. ત્યારે પ્રશ્ન એ છે કે રાત્રીના સુમારે કોઈ મોટો ફોલ્ટ થાય અને કોઈ ગ્રાહક આ અંગેની ફરિયાદ કરે તો કોને કરે, ક્યાં કરે ? આ અગાઉ ગયા મહિને પણ બાલાસિનોર ના એક રહીશ દ્વારા વારંવાર ફોન કરવા છતાં કોઈ કર્મચારી ફોન ઉપાડવાની તસ્દી લેતો નહતો. ત્યારે આ રહીશ રાત્રીના સમયે જી.ઇ.બી. કચેરીમાં પહોંચી જતા સમગ્ર સ્ટાફ મીઠી નીંદર માણી રહ્યો હતો. જેનો વીડિયો તેમજ ફોટા પાડી સોસીયલ મીડિયામાં વાયરલ થયો હતો. ઉલ્લેખનીય છે કે આંતરિક સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કચેરીના જવાબદાર કર્મચારીઓ પૈકીના કેટલાક રાત્રીના સમયે છાંટોપાણી કરવાની આદત વાળા હોવાથી રાત્રીના સમયે મીઠી નીંદર માણી રહ્યા હોય છે અને ગ્રાહકોની ફરિયાદ સામે આંખ આડા કાન કરતા હોય છે. તેવા સંજાેગોમાં એમજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગની તાતી જરૂરિયાત છે. વધુમાં રાત્રીના સમયે કાયમ માટે મહેફિલોમાં મસ્ત રહેતા કર્મચારીઓને બદલવાની જરૂર છે.વધુ વાંચો -
લુણાવાડા હોસ્પિ.ના તબીબો દ્વારા મહિલાના પેટમાંથી ૯ કિલોની ગાંઠ દૂર કરાઈ
- 31, મે 2021 01:30 AM
- 5296 comments
- 9163 Views
લુણાવાડા, કોરોનાની વૈશ્વિક મહામારીના સમયમાં તબીબો સહિત નર્સિંગ અને પેરા-નોન પેરામેડીકલ સ્ટાફ તેમની ફરજાે અદા કરી રાત-દિવસ જાેયા વગર તેમની સેવાઓ અવિરત આપી રહ્યા છે. આ તબીબો કોરોનાની સારવારની સાથોસાથ અન્ય રોગોની પણ સારવાર કરી રહ્યા છે. કોરોનાના આ કપરા કાળમાં તથા તબીબો અને આરોગય કર્મીઓ સેવા પરમો ધર્મ ના મંત્રને સાર્થક કરીને અનેક દર્દીઓને નવજીવન બક્ષીને તેમના જીવનમાં આશાનો દીપ પ્રગટાવી રહ્યા છે. તેમાંય ખાસ કરીને સરકારી હોસ્પિટલના તબીબો અને આરોગ્યકર્મીઓ પોતાની સંનિષ્ઠ કામગીરી બજાવીને રહ્યા હોવાનો કિસ્સો મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલી લુણાવાડાની જનરલ હોસ્પિટલના તબીબો નર્સિંગ સ્ટાફની આરોગ્ય ટીમે કોરોના મહામારી વચ્ચે પડકારજનક સર્જરી કરવામાં સફળતા પ્રાપ્ત કરી હોવાનો પ્રકાશમાં આવ્યો છે. અહીં કંઇક વાત એવી છે કે, ફતેપુરા તાલુકાની એક ૩૫ વર્ષીય ગરીબ પરિવારની મહિલાની. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વડવાસ ગામના મહિલા દર્દી સુમિત્રાબેન પારસિંગભાઈ ચરપોટ કે તેણીને તા. ર૭મીના રોજ લુણાવાડા ખાતેની જનરલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. આ મહિલાને દાખલ કરવામાં આવ્યા બાદ તેણીની પ્રાથમિક તપાસ કરવામાં આવતાં મહિલાના પેટમાં મ્યુસેનીસ સિસ્ટેડીનોમા પ્રકારની ગાંઠ હોવાનું જણાઇ આવતાં તેમની સારવાર સર્જરી વગર થઇ શકે તેમ નહોતી. તેમાંય કોરોનાની મહામારીના આ કપરાં સમયમાં ગાંઠનું પડકારજનક ઓપરેશન કરવાનો પડકાર તબીબો માટે હતો. પરંતુ જનરલ હોસ્પિટલના તબીબોએ હાર ન માનતાં કોઇપણ ભોગે આ મહિલાનું ઓપરેશન કરીને તેને નવજીવન બક્ષવાનો સંકલ્પ કરી લીધો. આ સંકલ્પને સાકાર કરવા લુણાવાડા જનરલ હોસ્પિટલના તબીબો ડૉ. પાર્થ પટેલ, ડૉ. કિંજલ પટેલ, ડૉ. શ્વેતા પટેલ, ડૉ. અમિત ટેઇલર, સ્ટાફ નર્સ કલ્પનાબેન પ્રણામી સહિતની આરોગ્ય ટીમે આ પડકારજનક ઓપરેશન કરવાનો ર્નિણય લઇ લીધો. ઓપરેશન કરવાનો ર્નિણય લીધા બાદ સૌ પ્રથમ મહિલાનું ઓપરેશન કરતાં પહેલાં તેણીના લોહીની જરૂરિયાત પૂર્ણ કરી તા. ર૯મી મે ના રોજ આ પડકારજનર ઓપરેશન હાથ ધરીને સફળતાપૂર્વક સર્જરી પુર્ણ કરીને મહિલાને નવજીવન બક્ષ્યું હતું. આ મહિલાના ઓપરેશન દરમિયાન મહિલાના પેટમાંથી ૪૧ ટ ૨૬ ટ ૬ સે.મી. સાઇઝની ૯ (નવ) કીલો વજનની ગાંઠ બહાર કાઢવામાં આવી હતી. મહિલાના પેટમાંથી આ બહાર કાઢવામાં આવેલ ગાંઠને વધુ તપાસ અર્થે હિસ્ટોપેથોલોજી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવી છે.વધુ વાંચો -
લુણાવાડા નગરપાલિકાના ૪ સભ્યોને સભ્ય પદેથી સસ્પેન્ડ કરવાનો હુકમ
- 28, મે 2021 01:30 AM
- 234 comments
- 1659 Views
લુણાવાડા, મહીસાગર જિલ્લા ની લુણાવાડા નગરપાલિકા આમ તો હંમેશા કોઈ ને કોઈ વિવાદો માં રહે જ છે. અને આ વિવાદો લુણાવાડા નગરપાલિકા નું જાણે ઘર જ બની ગયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગત વર્ષે જયારે લુણાવાડા નગરપાલિકા ની ચૂંટણી સમયેજ પક્ષપલટો અને એકબીજા ઉપર આક્ષેપો નો જાણે વરસાદ વર્ષતો હોઈ તેવો માહોલ સર્જાયો હતો ત્યાર થી જ લુણાવાડા નગરપાલિકા ના કર્યો અને વહીવટ બાબતે કોઈ ને કોઈ કારણોસર આક્ષેપ પ્રતિઆક્ષેપ થતા રહ્યા છે આજ રોજ મળતી માહિતી અનુસાર અરજદાર પ્રીતીબેન ઉમેશકુમાર સોની, સદસ્ય લુણાવાડા નગરપાલિકા ની વિવાદ અરજી નં-૧ ૨/૨૦૨૦ ગ્રાહ્ય રાખીને ગુજરાતનો, પક્ષાંતર બદલ સ્થાનિક સત્તા મંડળોનાં સભ્યોને ગેરલાયક ઠરાવવાની જાેગવાઈ કરતો અધિનિયમ -૧૯૮૬ અને તે હેઠળ બનાવવા માં આવેલ નિ ય મો ૧૯૮૭ ના નિયમ (૮) ની જાેગવાઈ અન્વયે લુણાવાડા નગરપાલિકાના સામાવાળા ઓ ક મ (૧) થી (૩) ભા.જ.પક્ષના નિશાન ઉપર ચુંટાયેલ સભ્ય હોવાછતાં સામાવાળા ક મ (૧) પરના હીનાબેન મુકેશકુમાર ભોઇએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના નિશાન ઉપર ચુંટાયેલા બ્રિન્દાબેન નિલાંજ કુ મા ર શુકલ ના ઉમેદવારી પત્ર માં ટેકો આપનાર તરીકે સહી કરીને, તેમજ સામાવાળા કમ (૧) પરના હીનાબેન મુકેશકુમાર ભોઇ, ક્રમ (૨)પરના જયશ્રીબેન નરેન્દ્રકુમાર ડાભી અને ક્રમ (૩) પરના કેતન કુમાર ફુલાભાઈ ડોડીયાર એ વ્હીપની બજવણી થયેલ હોવા છતાં લુણાવાડા નગર પાલિકા ની પ્રમુખ ની ચુંટણીની તા.૨૪/૦૮/૨૦૨૦ ની સામાન્ય સભામાં ભા.જ.પક્ષના મેન્ડેટ (હીપ) વિરૂધ્ધ વિરોધપક્ષના ઉમેદવારની તરફેણમાં વ્હીપ (આદેશ) ની વિરૂધ્ધ મતદાન કરી, પક્ષ વિરોધી પ્રવૃતિનું આવુ કૃત્ય કરીને આવું વર્તન આચરીને તેઓએ પોતાનો મૂળ રાજકીય પક્ષ ભા જ પક્ષ સ્વ ચ્છાએ છોડી દીધેલ હોવાનું પુરવાર થતા આ અંગેનું આવું વર્તન) લક્ષગત કરતાં તેમજ પોતાના રાજકીય પક્ષનું સભ્યપદ સ્વ ચ્છાએ છોડી દીધેલ હોય તેમ પુરવાર થતા આ અંગેનું આવું વર્તન) લક્ષગત કરતાં સામાવાળા મ (૧) હીનાબેન મુકેશ કુમાર ભોઇ, કે મ (૨) જયબેન નરેન્દ્રકુમાર ડાભી અને ક્રમ (૩) કેતનકુમાર ફુલાભાઈ ડોડીયાર (૪) બ્રિન્દા બેન નીલાજ કુમાર શુકલને લુણાવાડા નગરપાલિકા ના સભ્ય તરીકે ગેરલાયક (ઠરાવવા શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા હુકમ થતા હાલ કોંગ્રેસ પક્ષના ઉપપ્રમુખ એવા મીનાબેન પંડ્યા પ્રમુખનો ચાર્જ સંભાળી લીધેલો છે. હવે આ બાબતે ભાજપ અને કોંગ્રેસ બંને મરણિયો પ્રયાસ કરી રહ્યા છે પહેલા પણ ભાજપના મોઢામાં આવેલો કોળિયો છીણવાઇ ગયો હતો હવે જાેવાનું રહ્યું કે લુણાવાડા નગરપાલિકા ની સત્તા કોણ બાજી મારશે ?? આ સમગ્ર ઘટના થી લુણાવાડા માં કુતુહલની સાથે ચર્ચા નો વિષય બન્યો છે અને સાથે લુણાવાડા નું રાજકારણ પણ ગરમાયું છેવધુ વાંચો -
તાઉ તેની તારાજીનું નિરીક્ષણ કર્યા બાદ કેન્દ્રની ગુજરાતને 1000 કરોડ રૂપિયાની સહાય જાહેર
- 19, મે 2021 05:00 PM
- 3234 comments
- 9659 Views
અમદાવાદ-તાઉ તેની તારાજીનું નિરીક્ષણ કર્યા બાદ પીએમ મોદીએ સહાયની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર દ્વારા ગુજરાતને 1000 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ સિવાય મૃતકોના પરીજનોને 2 લાખ રૂપિયા આપવામાં આવશે. આ અંગે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી જાહેરાત કરી હતી. આ સાથે જ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું છે કે વાવાઝોડામાં ઘાયલ થયેલા છે તેમને 50,000 રૂપિયાની મદદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આજે સવારથી વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે હતા. તેમણે વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે નુકસાન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જેમાં ઉનાળુ પાકને પણ નુકસાન થયા છે. અને બાગાયતી ખેતીમાં કેસર કેરીને સૌથી મોટું નુકસાન સામે આવ્યું છે. જે બાદ અનેક લોકોના ઘરનું નુકસાન થયું છે. અનેક જગ્યાએ કાચા અને ઝૂપડાઓ તૂટી ગયા છે. આ પ્રકારના તમામ નુકસાનના તાત્કાલિક સર્વે બાદ સહાય ચૂકવવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ખેડૂતોને ત્રણ ચાર પ્રકારનું નુકસાન થયું છે. તેમજ ઉનાળુ પાકને અસર થઈ છે. કેરી અને નાળિયેરના પાકને પણ અસર થઈ છે. કાચા મકાનો અને ઝુપડા ઉડી ગયા છે. જે પશુઓના મોત થયા તેને સહાયતા તથા ચોથુ કેશડોલ આપવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, નુકસાનના સર્વેની કામગીરી તત્કાલ શરૂ કરવામાં આવશે અને બધાને સહાય ચુકવવામાં આવશે. માછીમારોને થયેલા નુકસાનનો પણ સર્વે કરવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આગામી બે દિવસમાં તંત્ર બધુ રાબેતા મુજબ થાય તે માટેની કામગીરી કરાશે.વધુ વાંચો -
ગુજરાતને ફરી પાટા પર લાવવા સરકારની કવાયત શરૂ, ક્યાં કેટલું નુકસાન? સર્વેની કામગીરી શરૂ
- 19, મે 2021 04:49 PM
- 8642 comments
- 781 Views
ગાંધીનગર-કોરોનાના ભયાનક મારનો સામનો કરી રહેલા ગુજરાતથી કુદરત જાણે કે રુઠી હોય તેવી રીતે 'તાઉતે' નામનું મહાભયાનક વાવાઝોડું આવી પડતાં સરકાર તેમજ લોકોના શ્વાસ અધ્ધર ચડી ગયા હતા. બે દિવસ સુધી ખૌફના મંજર ઉભા કરીને વાવાઝોડું હવે પસાર થઈ ગયું છે ત્યારે સરકાર દ્વારા પણ વાવાઝોડાને કારણે ક્યાં કેટલું નુક્સાન થયું છે તેના સર્વે સહિતની કામગીરી 'બંબાટ' શરૂ કરી દેવામાં આવી છે. એકંદરે રાજ્યને ફરી 'ધબકતું' કરવા માટે સરકારે મથામણ શરૂ કરી દીધી છે. વાવાઝોડાએ જે-જે જિલ્લાઓમાં વિનાશ વેર્યો છે તે જિલ્લાઓને બે દિવસની અંદર 'બેઠા' કરી દેવા સરકાર તેમજ સ્થાનિક તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.વાવાઝોડાએ ખાસ કરીને ખેતીવાડી, પશુપાલન અને મત્સ્યોદ્યોગને ખાસ્સું નુકસાન પહોંચાડ્યું હોય તેનો સર્વે કરવા પર સરકાર પ્રાથમિકતા આપી રહી છે. આ ઉપરાંત જે જિલ્લાઓમાં ઝુંપડા અને કાચા મકાનો તૂટી પડ્યા છે ત્યાં તાકિદે કેશડોલ્સ ચૂકવવાની કામગીરી શરૂ કરી દેવા સરકારે આદેશ આપ્યો છે. પત્રકાર પરિષદને સંબોધન કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે વાવાઝોડાએ ગુજરાતમાં 13 લોકોનો ભોગ લીધો છે. આગોતરા આયોજન, આગમચેની, સહિયારા અને સક્રિય પ્રયત્નો તેમજ લોકોના સહકારથી ગુજરાત વાવાઝોડારૂપી આફતમાંથી હેમખેમ બહાર આવી ગયું છે. વાવાઝોડાગ્રસ્ત જિલ્લાઓમાં બે દિવસમાં પરિસ્થિતિ પૂર્વવત થઈ જાય તે રીતે રિસ્ટોરેશન અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવશે. સરકાર દ્વારા અસરગ્રસ્ત જિલ્લાઓમાં નુકસાનીના સર્વેક્ષણની કામગીરી શરૂકરી દેવાઈ છે. પ્રાથમિક તબક્મે મકાનો, ખેતીવાડી, પશુપાલન અને મત્સ્યોદ્યોગને જે નુકસાન થયું છે તેનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવશે. જે જિલ્લાઓમાં વિશે નુકસાન થયું છે ત્યાં પાડોશી જિલ્લાઓના અધિકારીઓને પણ સર્વેક્ષણની કામગરીમાં સામેલ કરવામાં આવ્યા છે જેથી કામગીરીમાં ઝડપ આવી શકે. યોગ્ય તમામ વ્યક્તિઓને સરકારી ધારા-ધોરણ મુજબ કેશડોલ્સ, ઘરવખરી સહાય અને અન્ય આર્થિક સહાય તાત્કાલિક ચૂકવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. રાહતની વાત એ છે કે એક પણ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને વાવાઝોડાને કારણે કોઈ તકલીફ પડ નથી. રાજ્યમાં કુલ 425 કોવિડ હોસ્પિટલ પૈકી 122 હોસ્પિટલ વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં હતી અને તેમાંથી 83 હોસ્પિટલોમાં વીજ પૂરવઠો ખોરવાયો હતો આમ છતાં તંત્રની આગોતરી વ્યવસ્થા હોવાને કારણે ક્યાંય વીજ સપ્લાયને લઈને સમસ્યા સર્જાવા પામી નથી. વાવાઝોડાની સૌથી વધુ અસર ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ અને ગાંધીનગરમાં જોવા મળી છે તેથી સરકાર દ્વારા આ જિલ્લાના કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરીને વિસ્તૃત વિગતો મેળવવામાં આવી રહી છે.વધુ વાંચો -
ગુજરાતના 36 શહેરોમાં લગાવાયેલા રાત્રિ કર્ફ્યૂને લઈને જુઓ શું લેવાયો નિર્ણય, આ તારીખ સુધી કર્ફ્યૂ યથાવત
- 11, મે 2021 05:49 PM
- 7325 comments
- 5725 Views
ગાંધીનગર-ગુજરાતની 8 મનપા સહિત 36 શહેરોમાં કર્ફ્યૂનો સમય યથાવત રખાયો છે. આગામી 18 મે સુધી રાજ્યના 36 શહેરોમાં કર્ફ્યૂ યથાવત રહેશે. રાત્રીના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી આ શહેરોમાં કર્ફ્યૂ લંબાવવામાં આવ્યું છે. કોરોના સંક્રમણના પગલે સરકારે ગુજરાતના 36 શહેરોમાં લાગેલા કર્ફ્યૂને લંબાવ્યું છે, આગામી 18 મે સુધી કર્ફ્યૂનો સમય લંબાવવામાં આવ્યો છે. આજે ફરી ગુજરાત હાઈકોર્ટમાં કોરોનાને લઈને સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે લગ્ન સમારોહ અને ધાર્મિક કાર્યક્રમો ઉપર વધુ નિયંત્રણો મુકવા કરેલા સૂચનનો સરકાર સ્વીકાર કરી લગ્નો અને ધાર્મિક કાર્યક્રમો ઉપર વધુ કડક હાથે કામ લ્યે તેવી શકયતા છે. એટલુ જ નહિ લગ્ન સમારોહ ઉપર ૧૫ દિવસનો પ્રતિબંધ લાદવામાં આવે તેવી શકયતા છે. ધાર્મિક કાર્યક્રમોમા પણ સંખ્યા સીમીત કરવામાં આવે તેવી શકયતા છે. હાઈકોર્ટમાં એવી દરખાસ્ત થઈ હતી કે લગ્નોમાં લોકો ભેગા થાય તેવા કાર્યક્રમો ૧૫ દિવસ માટે પ્રતિબંધીત કરવામાં આવે. અનેક ધાર્મિક કાર્યક્રમો અને લગ્ન કાર્યક્રમોમાં ભીડ થાય છે તે બંધ થવુ જોઈએ. હાલ લગ્ન સમારોહમાં ૫૦ લોકોની હાજરી નિશ્ચિત કરવામાં આવી છે. તેમા ઘટાડો કરવામા આવે તેવુ સૂચન થયુ છે. સરકારે પણ આ સંખ્યા ઘટાડવા તૈયારી દર્શાવી છે.વધુ વાંચો -
મહીસાગર જિલ્લાના આયુર્વેદિક અને હોમીઓપેથીક ડોક્ટરો હડતાલ પર
- 11, મે 2021 01:30 AM
- 886 comments
- 2236 Views
લુણાવાડા, મહીસાગર જિલ્લા ના તમામ આયુર્વેદિક અને હોમીઓપેથીક ડોક્ટરો આજ રોજ બપોર બાદ હડતાલ પર ઉતર્યા છે. મળતી માહિતી અનુસાર મહીસાગર જિલ્લા ના બાલાસિનોર માં એક હોસ્પિટલ ના ડોક્ટર્સ ને તેમની હોસ્પિટલ બહાર સોશિયલ ડિસ્ટન્સીન્ગ ન જાળવવા માટે બાલાસિનોર પોલીસે ડૉક્ટર તથા એક દવાની દુકાન દાર ની અટકાયત કરેલ હતી અને જેના કારણે બાલાસિનોર ના ડોક્ટર્સ માં ભારે નારાજગી જાેવા મળેલ હતી કોરોના મહામારીંમાં જયારે ડોક્ટર્સ રાત દિવસ જાેયા વિના ફ્રન્ટલાઈન વર્કર્સ બની સેવા આપી રહ્યા છે ત્યારે કોઈ ડોક્ટર ને આવી રીતે હેરાન પરેશાન કરાય તે કેવી રીતે ચલાવાય ? પોલીસ દ્વારા જે કોઈ પગલાં લેવાયા તેનો ડોક્ટર્સ એશોશિએશન દ્વારા સખત વિરોધ કરેલ છે. જેના પગલે આયુષ અને હોમીઓપેથીક ડોક્ટર્સ એશોસિયેશન મહિસાગર દ્વારા અચોક્કસ મુદતની હળતાલ પાડવામાં આવી છે જેમાં મહીસાગર જિલ્લા ના તમામ આયુષ અને હોમીઓપેથીક ડોક્ટર્સ જાેડાયા છે અને આજે બપોર બાદ બધાજ ડોક્ટર્સ એ પોતાની હોસ્પિટલો બંધ કરેલ છે. જેના કારણે આ કોરોના મહામારી માં પડ્યા પર પાટા સમાન જયારે પ્રજા ને હોસ્પિટલો માં જગ્યા મળતી ન હતી અને જગ્યા માટે રઝળવું પડતું જ હતું ને હવે હોસ્પિટલો જ બંધ હશે તો મહીસાગર ની પ્રજા ને રઝળપાટ કરવાનો વારો આવ્યો છે કાંતો નજીક ના જિલ્લાઓ માં સારવાર માટે જવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે આ વિવાદ નો નિવેડો લાવવો જાેઈએ અને ડોક્ટર્સ પોતાની ફરજ પર પાછા ફરે અને લોકો ને સેવા મળી રહે તેવો પ્રયત્ન કરવો જાેઈએ.વધુ વાંચો -
ગુજરાતમાં આગામી 10 દિવસ કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બનશે ?
- 10, એપ્રીલ 2021 03:37 PM
- 8581 comments
- 3307 Views
વડોદરા-વડોદરા સહિત ગુજરાતની કોવિડ હોસ્પિટલોમાં રોજ દર્દીઓના દાખલ થવાની સંખ્યા વધતી જાય છે. આરોગ્ય વિભાગ બેડની સંખ્યા વધારે તો છે, પરંતુ દાખલ દર્દીઓની વધતી જતી સંખ્યા વધુ ચિંતાજનક છે. વડોદરામાં એક જ દિવસમાં ૬૩૦ દર્દીઓ હોસ્પિટલોમાં દાખલ થયા હતા. એટલે પ્રતિ કલાકે સરેરાશ ૨૬ દર્દીઓ દાખલ થયા હતા. જેથી ૬૭૮૦ બેડ ભરાયેલા રહ્યા હતાં અને ૨૬૯૨ બેડ જ ખાલી રહ્યાં હતાં. છેલ્લાં એક સપ્તાહથી હોસ્પિટલોમાં જે રીતે બેડની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે જાેતા આગામી ૧૦ દિવસ કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બનશે તેવુ જાણકારોનુ અનુમાન છે. લોકો તંત્રના ભરોશે બેસી ન રહે. લોકોએ માસ્ક અવશ્ય પહેરવુ જાેઈએ અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવુ જાેઈએ. બને તો કામ વિના ઘરની બહાર જ ન નીકળવુ જાેઈએ. આરોગ્ય વિભાગ કોરોનાના સરકારી આંકડા જાહેર કરે છે, પરંતુ તે આંકડા પાછળનુ સત્ય તેઓ પોતે સારી રીતે જાણે છે અને વડોદરાની આગામી ટૂંકા દિવસોની ભાવી સંભવિત ડરાવની પરિસ્થિતિથી તેઓ વાકેફ હશે. વિશ્વાસપાત્ર સૂત્રોએ કહ્યું હતું કે, શહેરમાં કોરોનાના કેસો માત્ર વધતા નથી, પરંતુ તે ચોંકાવી દે તે રીતે વધી રહ્યાં છે જે ચિંતાનો વિષય છે. તંત્ર તરફથી હોસ્પિટલોમાં બેડની સંખ્યા આગોતરા આયોજન પ્રમાણે સમ્યાંતરે વધારવામાં આવી રહી છે. તેમ છતાં પણ હોસ્પિટલામાં જે રીતે દર્દીઓની દાખલ થવાની સંખ્યા વધી છે તેના કારણે ચિંતાના વાદળો ઘેરી રહ્યાં છે. વડોદરામાં તા.૩જી એપ્રિલે ૮૪૪૮ બેડ ઉપલબ્ધ કરાવાયા હતા. તો તે દિવસે વિવિધ હોસ્પિટલોમાં મળીને કુલ ૫૮૬૯ દર્દીઓ દાખલ હતાં. એટલે કે ૨૫૭૯ બેડ ખાલી હતાં. તા. ૫મી એપ્રિલે ૪૫૮ દર્દીઓ એક જ દિવસમાં દાખલ થયા હતાં. જેથી ૬૩૨૭ બેડ ભરાઈ ગયા હતા. તંત્રએ તે દિવસે ૩૪૧ બેડ વધાર્યા હતા ત્યારે ૨૪૬૨ બેડ જ ખાલી રહ્યાં હતાં. ૬ઠ્ઠી એપ્રિલે ૮૯૯૯ બેડની વ્યવસ્થા કરાઈ હતી. જેમાં વધુ ૭૮ દર્દીઓ દાખલ થતા કુલ ૬૪૦૫ બેડ ભરાઈ ગયા હતા અને ૨૪૯૪ બેડ ખાલી હતા અને ૭મી એપ્રિલે ૯૪૭૨ બેડ ઉપલબ્ધ કરાવાયા હતા, પરંતુ તેની સામે ૩૭૫ દર્દીઓ આજે એક જ દિવસમાં દાખલ થયા હતાં. એક જ દિવસમાં ૩૯૫ દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા તે પૈકી ૩૭૫ દર્દીઓ તો હોસ્પિટલમાં જ દાખલ થયા હતાં. જેથી ૨૬૯૨ બેડ જ ખાલી રહ્યાં હતાં. જ્યારે તા.૮મી એપ્રિલે રાતે ૯.૩૦ કલાકની સ્થિતિએ જાેઈએ તો ૯૭૬૩ બેડ ઉપલબ્ધ હતાં. તે પૈકી ૭૦૨૫ બેડ ભરાઈ ગયા હતા અને ૨૭૩૯ બેડ જ ખાલી હતાં. એટલે કે મોતને ભેટેલા દર્દીઓ અને સ્વસ્થ્ય થઈને ડીસ્ચાર્જ કરી દીધેલા દર્દીઓને બાદ કર્યા પછી પણ બરોબર ૨૪ કલાક બાદ હોસ્પિટલમાં આજે વધુ ૬૨૦ દર્દીઓ દાખલ થયા હતા. એટલે કે પ્રતિ કલાકે સરેરાશ ૨૬ દર્દીઓ દાખલ થતા રહેતા હતા. તંત્ર બેડ વધારતુ જાય છે અને દાખલ થતા દર્દીઓની સંખ્યા પણ ચિંતાજનક રીતે વધતી જ જાય છે. આખરે તંત્ર બેડ વધારી વધારીને કેટલા વધારી શકશે ? એક સમય એવો આવશે કે હોસ્પિટલનુ ઈન્સ્ટ્રાક્ચર જ જવાબ આપી દેશે ત્યારે શું કરી શકાશે ? દર્દીઓની દાખલ થવાની સંખ્યા તો સતત વધી રહી છે. હાલની પરિસ્થિતિ અંગે જાણકારોએ કહ્યું હતું કે, આગામી ૧૦ દિવસ તંત્ર માટે ચેલેન્જીંગ રહેશે અને શહેર માટે ખુબ જ વિકટ બની રહેશે તેવા સંકેતો મળી રહ્યાં છે. શહેરમાં કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બને તો નવાઈ નહીં. લોકો તંત્રના ભરોશે બેસી ન રહે, જાતે જાગૃત્તતા દાખવે તે હવે ખુબ જરૂરી બન્યુ છે. તંત્ર પોતાનુ કામ કરે છે, પરંતુ જનતાએ ઘરની બહાર નીકળતી વખતે ફેસ માસ્ક અવશ્ય પહેરવુ જાેઈએ અને પૂરતા સમય માટે પહેરવુ જાેઈએ તેમજ સોશ્યલ ડિસ્ટન્સિંગનુ ખાસ ધ્યાન રાખવુ જાેઈએ. જેથી સંક્રમણથી બચી શકાય. તેમજ બને તો લોકોએ જરૂરી કામ વિના ઘરની બહાર જ નીકળવુ ન જાેઈએ અને ટોળે તો વળવુ જ ન જાેઈએ. હવે કોરોનાનુ સંક્રમણ રોકવુ પ્રજાના હાથમાં છે. આગામી ૧૦ દિવસ શહેર માટે ખુબ મુશ્કેલીભર્યા સાબિત થઈ શકે છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 4541 પોઝીટીવ કેસ, 42 ના મોત, કુલ 3,37,015 કેસ
- 10, એપ્રીલ 2021 03:13 PM
- 8272 comments
- 1255 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 4541 થી વધુ નોંધાયા છે. જેની સામે 2280 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 42 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4697 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 4541 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,37,015 થયો છે. તેની સામે 3,09,626 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. અમદાવાદમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 3500 થી વધુ થઈ જાય છે, જ્યારે રાજ્યના 3,37,015 ની સામે પોઝીટીવ કેસોની સંખ્યા 22692 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,37,015 જેટલી થઈ જાય છે. રાજ્યમાં હાલ 22692 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 187 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 22505 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,09,626 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4697 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 12 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 3575 પોઝીટીવ કેસ, 22 ના મોત, કુલ 3,28,453 કેસ
- 08, એપ્રીલ 2021 03:03 PM
- 5851 comments
- 4339 Views
ગાંધીનગર-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 3575 થી વધુ નોંધાયા છે. જેની સામે 2217 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 22 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4620 ઉપર પહોચી ગયો છે. ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 3280 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,28,453 થયો છે. તેની સામે 3,05,149 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. અમદાવાદમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 3200 થી વધુ થવા જાય છે, જ્યારે રાજ્યના 3,28,453 ની સામે પોઝીટીવ કેસોની સંખ્યા 18684 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,28,453 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 18684 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 175 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 18509 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,05,149 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4620 દર્દીઓના મોત થયા છે.વધુ વાંચો -
રાજયના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે રેમડેસિવીર ઈન્જેક્શનને લઈને શું કરી જાહેરાત, જાણો વધુ
- 08, એપ્રીલ 2021 02:31 PM
- 2291 comments
- 5248 Views
અમદાવાદ-કોરોનાની બીજી લહેરની શરૂઆતમાં સમગ્ર રાજ્યમાં 200-300 કેસથી થઇ હતી, તો એક્ટિવ કેસનો આંકડો પણ 1000 આસપાસ આવી પહોંચ્યો હતો પરંતુ ત્યારબાદ સ્થિતિ વણસણતા મહાનગરોમાં અમદાવાદ અને સુરતની સ્થિતિ વધુ કફોડી છે. ગણતરીના દિવસો પહેલા સમગ્ર રાજ્યમાં જેટલા કેસ નોઁધાતા હતા તેટલા કેસ આજે માત્ર અમદાવાદમાં નોંધાયા છે.કોરોના મુદ્દે નીતિન પટેલનું નિવેદન સામે આવ્યુ છે જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ફરી કેસ વધતા હોસ્પિટલમાં બેડ વધારવા પડ્યા છે. સુરત શહેરની સ્થિતિને રીવ્યુ કરી એક અધિકારીની નિમણૂંક કરી છે. રાજકોટ અને વડોદરાની પણ સમીક્ષા કરી હતી હતી. કિડની, યુ.એન.મહેતા હોસ્પિટલ કોવિડ માટે ચાલુ છે. પંકજકુમાર સંક્રમિત થતા અવંતિકા સિંહની નિમણૂંક કરાઈ છે. હવે રેમડેસિવર ઈન્જેક્શન લઈને દર્દી ઘરે જઈ શકશે. દર્દીએ દાખલ નહીં રહેવું પડે. 1-2 કલાક કોમ્યુનિટી હોલમાં દર્દી રોકાઈને ઘરે જઈ શકશે.કોમ્યુનિટી હોલમાં ઈન્જેક્શન લીધેલા દર્દીઓનું ધ્યાન નર્સિંગ સ્ટાફ રાખશે નર્સિંગ હોમમાં ઈન્જેક્શન લઈને દર્દી ઘરે જઈ શકશે. જેથી હોસ્પિટલમાં ખરેખર જરૂરિયાત વાળા દર્દીઓ માટે પથારી ખાલી રહી શકશે. ગુજરાતમાં રેકોર્ડબ્રેક કોરોના કેસ નોંધાઈ રહ્યા છે ત્યારેકોરોના મુદ્દે DyCM નીતિન પટેલનું નિવેદન સામે આવ્યુ છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 3280 પોઝીટીવ કેસ, 17 ના મોત, કુલ 3,24,878 કેસ
- 07, એપ્રીલ 2021 03:05 PM
- 5745 comments
- 5513 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 3280 થી વધુ નોંધાયા છે. જેની સામે 2167 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા, તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 17 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4598 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 3280 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,24,878 થયો છે. તેની સામે 3,02,932 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 17348 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,24,878 જેટલી થઇ જાય છે. રાજ્યમાં હાલ 17,348 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 171 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 17177 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,02,932 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4598 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 07 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 3160 પોઝીટીવ કેસ, 15 ના મોત, કુલ 3,21,598 કેસ
- 06, એપ્રીલ 2021 02:45 PM
- 1232 comments
- 9027 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 3160 થી વધુ નોંધાયા છે. જેની સામે 2018 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 15 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4581 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 2410 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,21,598 થયો છે. તેની સામે 3,00,765 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા સામે એક્ટીવ કેસોની સંખ્યા 16252 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,21,598 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 16252 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 167 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 16085 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,00,765 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4581 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 06 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 2,875 પોઝીટીવ કેસ: 14 ના મોત, કુલ 3,18,238 કેસ
- 05, એપ્રીલ 2021 02:51 PM
- 7467 comments
- 6354 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 2875 થી વધુ નોંધાયા છે. જેની સામે 2024 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 14 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4566 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 2410 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,18,238 થયો છે. તેની સામે 2,98,737 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 3,18,238 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 15135 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,18,238 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 15135 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 163 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 14972 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,98,737 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4566 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 04 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
લુણાવાડામાં નગરમા ટ્રાફિક પોલીસ જવાન દાદાગીરીનો બનાવ
- 22, માર્ચ 2021 12:00 AM
- 4922 comments
- 5660 Views
લુણાવાડામહિસાગર જિલ્લાના લુણાવાડામાં પોલીસ દ્વારા ટ્રાફિક પોલીસ જવાન સાથે થયેલ દાદાગીરી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ! મળતી માહિતી અનુસાર લુણાવાડામાં આવેલજુની મામલતદાર કચેરી પાસે ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ દ્વારા એક ફોરવીલ વેગેનાર ગાડી નંબર ય્ત્ન ૧૭ એન ૯૨૯૭ ૯૨ એસ ના ચાલક અને એક બુલેટ ગાડી નંબર ય્ત્ન ૬ એલ.એચ ૦૭૬૧ ના ચાલકો દ્વારા ટ્રાફિક પોલીસ કિરીટભાઈ જયંતીભાઈ માછી તેઓ ફરજ બજાવતા હતા તેઓને આરોપીઓને માસ્ક નહીં પહેરવા પોતાના કબજાની ગાડી તથા બુલેટના ચાલકોએ રોડની વચ્ચે અડચણ થાય તે રીતે ગાડી મૂકી ફરી ધાકધમકી અને ગાળાગાળી કરી કાયદેસરનું ફરજમાં અડચણ ઉભી કરી આ કામના ટ્રાફિક બ્રિગેડ વાળાને તું બ્રિગેડિયર નહીં બહુ ડાહ્યો થયો તો ગાડી નીચે નાખી ઉપર ચડાવી દેશે એવી ધમકી આપી અપશબ્દો અને અભદ્ર શબ્દો બોલી તને હું બતાવું છું તેમ કહી વાહન સાથે સ્થળ પરથી નાસી જઇ ગુનો કર્યો હતો આમાં લુણાવાડા પોલીસ દ્વારા ઈ.પી.કો.કલમ ૧૮૬.૧૮૯.૫૦૬(૨).૨૯૪(ખ).૨૬૯.૨૭૦.૧૧૪.તથા એમ.વી.એક્ટ કલમ.૨૮૩.૧૭૭.૧૩૪ તથા એપેડેમિક ડીસિસ એક્ટ ૧૮૭૯ ની કલમ ૩(૧) મુજબ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરી છે કોરોના મહામારી મા પોલીસ દ્વારા સતત કામગીરી માટે ખડે પગે ઉભા રહેતા ટ્રાફિક પોલીસ જેવા સતત કાર્યશીલ રહેતા લોકો ને ક્યાં સુધી આવી રીતે વગ ધરાવતા લોકો દબાવવાની કોશિશ કરશેવધુ વાંચો -
લુણાવાડા નગરમાં ચાર જવેલર્સની દુકાનમા ચોરીનો પ્રયાસ -ફફડાટ
- 22, માર્ચ 2021 12:00 AM
- 5194 comments
- 1861 Views
લુણાવાડામહીસાગર જિલ્લાના લુણાવાડા નગરમાં ચાર જવેલર્સની દુકાનના અને એક કાપડની દુકાનના તાળા તોડીને તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો જેમાં જવેલર્સની દુકાનમાંથી કોઇ ચોરી થઇ નહોતી જયારે કાપડની દુકાનમાંથી કપડાની ચોરી કરીને તસ્કરો પલાયન થઇ ગયા હતા. મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા નગરમાં મોડીરાત્રીના સુમારે તસ્કરો દ્વારા જવેલર્સની દુકાનોને નિશાન બનાવ્યા હતા જેમાં લુણાવાડા મુખ્ય હાર્દ સમા એવા પરા બજારમાં આજે મોડી રાત્રીએ તસ્કરોએ જવેલર્સની દુકાનોને નિશાન બનાવ્યા હતા જેમાં ચાર જવેલર્સ માં (૧)હેતલ જવેલર્સ (૨)માણેક જવેલર્સ (૩) ભગવતી જવેલર્સ (૪) અંબીકા જવેલર્સ ના તાળા તુટયા હતા જયારે શ્રીજીપેલેસ કપડાંની દુકાનમાંથી તસ્કરોએ કપડાં ની તસ્કરી કરીને પલાયન થઇ ગયા હતા. જાે કે જવલેર્સની દુકાનમાં તસ્કરો દ્વારા ચોરીનો પ્રયાસ કરવામાં આવતા જવેલરીના વેપારીઓની ઉંઘ હરામ થઇ ગઇ હતી. પોલીસ તંત્ર દ્વારા આ વિસ્તારના સીસીટીવી કેમેરાની તપાસ કરીને તસ્કરોની ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી.વધુ વાંચો -
લુણાવાડા નગરમાં તંત્રની ઘોર બેદરકારી લાખોના ખર્ચે બનાવેલા બગીચાઓ ઉજ્જડ
- 18, માર્ચ 2021 12:00 AM
- 6559 comments
- 491 Views
લુણાવાડાલુણાવાડા નગરના આબાસિય શાળા પાસે તથા દરકોલી તળાવ પાસે આવેલ નગર પાલિકા ના બગીચાઓ આવેલ છે આ બગીચા ઓ નગરજનો અને નાના મોટા બાળકોના આનંદ પ્રમોદ માટે થોડા સમય અગાઉ લાખોના ખર્ચે બગીચો બનાવવામાં આવ્યા હતા બગીચાઓ બનતા આસપાસના બાળકો તેમાં કિલ્લોલ કરતા રમતા હતા પરંતુ ત્યારબાદ દેખરેખ અને નિયમિત જતનના અભાવે વાવેલા વૃક્ષો અને ઘાસ સુકાઈ ગયેલ હતી અને તેની જગ્યાએ જાડી જાખરા અને વન્ય વૃક્ષો ઉગી નીકળી હતી હાલ ચારેતરફ જાખરા અને નકામાં ઝાડવાઓ ના કારણે બગીચામાં જવું શક્ય નથી અંદર મૂકેલા બાંકડા અને લાઈટ ની ચોરી તથા ભંગાર હાલત થઇ ગયેલ છે ત્યાંથી બગીચામાં જવાય છે તેના દરવાજા પાસે અને આસપાસના જંગલી વેલાઓ અને જાખરા ઊગી નીકળે છે જેને સમયે બગીચાઓ નો દરવાજાે મૂકવાને બદલે અવાવરું જગ્યાએ મૂકવામાં આવ્યો હતો બાળકો ભૂલેચૂકે આ બગીચામાં જાય તો સાપ જેવા જંગલી જાનવરો નો શિકાર બની જાય તેવું થઇ ગયેલ છે આના કારણે બગીચા ની અંદર જતા બીક લાગી રહેલ છે તો શું નગરપાલિકા દ્વારા બગીચાઓ પર ધ્યાન આપવામાં આવશે કે શું કે તેમાં આવેલી ગ્રાન્ટો બીજી જગ્યા પર ખર્ચ થઈ ન જાય તે માટે લુણાવાડાની નગરજનો આ બગીચાઓની ગ્રાંટ બગીચા માં ફરી વપરાશ થાય તેઓ લુણાવાડા ની પ્રજા ની માંગ રહેલી છે. ત્યારબાદ દેખરેખ અને નિયમિત જતનના અભાવે વાવેલા વૃક્ષો અને ઘાસ સુકાઈ ગયેલ હતી અને તેની જગ્યાએ જાડી જાખરા અને વન્ય વૃક્ષો ઉગી નીકળી હતી હાલ ચારેતરફ જાખરા અને નકામાં ઝાડવાઓ ના કારણે બગીચામાં જવું શક્ય નથી.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 890 પોઝીટીવ કેસ, 01 મોત, કુલ 2,79,097 કેસ
- 16, માર્ચ 2021 03:11 PM
- 1024 comments
- 6693 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 890 થી વધુ નોંધાયા છે. જેની સામે 594 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4425 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 890 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,79,097 થયો છે. તેની સામે 2,69,955 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,79,097 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 4717 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,79,097 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 4717 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 56 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 4661 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,69,955 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4425 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીનુ મૃત્યુ નોંધાયેલ છે.વધુ વાંચો -
મહિસાગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કૌભાંડનો આક્ષેપ, જાણો વધુ
- 16, માર્ચ 2021 02:32 PM
- 2050 comments
- 4159 Views
ગાંધીનગર-મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના સરસવા ઉત્તર ગામે પ્રધાનમંત્રી આવાસ યોજાનામાં સર્વે કરવામાં ગેરીરીતિ આચરી ગરીબોના નામો કંઈ કર્યાના આક્ષેપો સાથે ગ્રામજનો રજુઆત કરી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની મહત્વાકાંક્ષી યોજના એવી પ્રધાનમંત્રી આવાસ યોજના કે જે આવનાર વર્ષોમાં કોઈ પણ દેશવાસી ઘરવિહોણા ન રહે તે માટે કાર્યરત કરવામાં આવી પરંતુ તેમાં પણ ગેરરીતિની બુમો ઉઠવા પામી છે. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના સરસવા ઉત્તર ગામે પ્રધાનમંત્રી આવાસ યોજાનામાં સર્વે કરવામાં ગેરીરીતિ આચરી ગરીબોના નામો કંઈ કર્યાના આક્ષેપો સાથે ગ્રામજનો રજુઆત કરી .મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા તાલુકો આદિવાસી વસ્તી ધરાવતો અને ડુંગરાળ વિસ્તાર ધરાવતો તાલુકો છે અહીં ગરીબ આદિવાસીઓ વસવાટ કરે છે કડાણા તાલુકાના મોટાભાગના આદિવાસી લોકોને રહેવા માટે ઘર તો ઠીક પણ ઝુપડાના ઠેકાણા નથી ત્યારે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે લોકોને ઘર નથી તેવા ગરીબ લોકોને રહેવા માટે ઘર મળી રહે તે હેતુ સર યોજના અમલમાં મુકવામાં આવી હતી પરંતુ તેમાં પણ ગેરરીતિના આક્ષેપો થવા લાગ્યા છે. યોજના અમલમાં મુકાયા બાદ તંત્ર દ્વારા અરજીઓ મંગાવી તેની યાદી તૈયાર કરી બાદમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી જેમાં શિક્ષકોને પણ સામેલ કરાયા હતા સર્વે દરમ્યાન અરજદારને ઘર છે કે નહીં, કેવા પ્રકારનું ઘર છે, એક ઘરમાં કેટલા લોકો રહે છે નોકરી ધંધો કે કોઈ પણ પ્રકારનું વાહન છે અગાઉ કોઈ પણ યોજનામાં આવાસનો લાભ મળેલ છે કે નહીં જેવા મુદ્દાઓ ચેક કરી આ સર્વે તાલુકા પંચાયતમાં જમા કરાયો હતો ત્યાર બાદ હાલમાં આ પીએમ આવાસ યોજનામાં મંજુર થયેલ આવસોનું લિસ્ટ બહાર આવ્યું છે જેમાં અનેક જગ્યાએ ગેરરીતિ થયાના આક્ષેપો થઈ રહ્યા છે. હાલ કડાણા તાલુકાના સરસવા ઉત્તર ગામના ગ્રામજનો આ મંજુર લાભાર્થીઓનું લિસ્ટ જાેઈને રોષે ભરાયા છે કારણ કે જે લોકોને હાલવધુ વાંચો -
મહિસાગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કૌભાંડનો આક્ષેપ થતા ખળભળાટ મચી ગયો
- 16, માર્ચ 2021 01:30 AM
- 6353 comments
- 692 Views
ગાંધીનગર, મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના સરસવા ઉત્તર ગામે પ્રધાનમંત્રી આવાસ યોજાનામાં સર્વે કરવામાં ગેરીરીતિ આચરી ગરીબોના નામો કંઈ કર્યાના આક્ષેપો સાથે ગ્રામજનો રજુઆત કરી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની મહત્વાકાંક્ષી યોજના એવી પ્રધાનમંત્રી આવાસ યોજના કે જે આવનાર વર્ષોમાં કોઈ પણ દેશવાસી ઘરવિહોણા ન રહે તે માટે કાર્યરત કરવામાં આવી પરંતુ તેમાં પણ ગેરરીતિની બુમો ઉઠવા પામી છે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના સરસવા ઉત્તર ગામે પ્રધાનમંત્રી આવાસ યોજાનામાં સર્વે કરવામાં ગેરીરીતિ આચરી ગરીબોના નામો કંઈ કર્યાના આક્ષેપો સાથે ગ્રામજનો રજુઆત કરી .મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા તાલુકો આદિવાસી વસ્તી ધરાવતો અને ડુંગરાળ વિસ્તાર ધરાવતો તાલુકો છે અહીં ગરીબ આદિવાસીઓ વસવાટ કરે છે કડાણા તાલુકાના મોટાભાગના આદિવાસી લોકોને રહેવા માટે ઘર તો ઠીક પણ ઝુપડાના ઠેકાણા નથી ત્યારે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે લોકોને ઘર નથી તેવા ગરીબ લોકોને રહેવા માટે ઘર મળી રહે તે હેતુ સર યોજના અમલમાં મુકવામાં આવી હતી પરંતુ તેમાં પણ ગેરરીતિના આક્ષેપો થવા લાગ્યા છે. યોજના અમલમાં મુકાયા બાદ તંત્ર દ્વારા અરજીઓ મંગાવી તેની યાદી તૈયાર કરી બાદમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી જેમાં શિક્ષકોને પણ સામેલ કરાયા હતા સર્વે દરમ્યાન અરજદારને ઘર છે કે નહીં, કેવા પ્રકારનું ઘર છે, એક ઘરમાં કેટલા લોકો રહે છે નોકરી ધંધો કે કોઈ પણ પ્રકારનું વાહન છે અગાઉ કોઈ પણ યોજનામાં આવાસનો લાભ મળેલ છે કે નહીં જેવા મુદ્દાઓ ચેક કરી આ સર્વે તાલુકા પંચાયતમાં જમા કરાયો હતો ત્યાર બાદ હાલમાં આ પીએમ આવાસ યોજનામાં મંજુર થયેલ આવસોનું લિસ્ટ બહાર આવ્યું છે જેમાં અનેક જગ્યાએ ગેરરીતિ થયાના આક્ષેપો થઈ રહ્યા છે હાલ કડાણા તાલુકાના સરસવા ઉત્તર ગામના ગ્રામજનો આ મંજુર લાભાર્થીઓનું લિસ્ટ જાેઈને રોષે ભરાયા છે કારણ કે જે લોકોને હાલ આવાસની જરૂર છે તેવા અતિ ગરીબ લોકોનુ નામ યાદીમાં ન આવ્યુ પરંતુ અમુક પાત્રતા ન ધરાવતા નોકરિયાત વર્ગ અને અમુક ધંધાદારી લોકોના નામે આવાસ મંજુર થયા છે ત્યારે સર્વેની કામગીરી પર અનેક પ્રશ્નો ઉભા થયા છે અગાઉની જે યાદી હતી તેમાં થઈ ૪૫ જેટલા અરજદારોના નામ સર્વે પછી કમી કરી દેવામાં આવતા સરસવા ઉત્તર ગ્રામ પંચાયતના ધનસુરા ગામના ગરામજનો કડાણા ખાતે આવી તાલુકા વિકાસ અધિકારીને મળી રજુઆત કરી કયા કારણસર ૪૫ અરજદારોના નામ કંઈ થયા તેનું કારણ ઉપરાંત ગેરરીતિની તપાસ કરવાની માંગણી કરી હતીવધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 810 પોઝીટીવ કેસ, 02 ના મોત, કુલ 2,78,207 કેસ
- 15, માર્ચ 2021 02:49 PM
- 4840 comments
- 3679 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 810 થી વધુ નોંધાયા છે. જેની સામે 586 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 02 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4424 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 810 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,78,207 થયો છે. તેની સામે 2,69,361 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,78,207 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 4422 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,78,207 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 4422 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 54 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 4368 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,69,361 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4424 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 02 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 700 પોઝીટીવ કેસ, કુલ 2,75,907 કેસ
- 12, માર્ચ 2021 03:01 PM
- 6318 comments
- 5626 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 700 થી વધુ નોંધાયા છે. જેની સામે 451 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4418 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 700 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,75,907 થયો છે. તેની સામે 2,67,701 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. અગર રાજ્યવાર માહિતી જોવા જઈએ તો રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,75,907 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3788 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,75,907 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3788 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 49 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3739 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,67,701 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4418 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે કોરોના થી કોઈ મૃત્યુ નોંધાયા નથી.વધુ વાંચો -
લુણાવાડા પાલિકા દ્વારા દબાણો મુદ્દે અપાતી નોટિસને ઘોળીને પી જતા દબાણકર્તાઓ
- 12, માર્ચ 2021 01:30 AM
- 5815 comments
- 4900 Views
લુણાવાડા, ગુજરાત સરકાર દ્વારા ભૂમાફિયા ઉપર કમર કસવા માટે કાયદો પસાર કરવામાં આવ્યો જેના ભાગરૂપે ગુજરાત રાજ્યના કેટલાક ઠેકાણે આ નિયમોની અમલવારી શરૂ થઇ ગયેલ છે તેમાં મહિસાગર જિલ્લાના નામ મુખ્ય મથક લુણાવાડા નગરપાલિકા નોટિસ બજાવવામાં અગ્રેસર છે લુણાવાડા નગરના જનતા અને કોર્પોરેટરોને લુણાવાડા નગરપાલિકા દ્વારા નોટિસો આપવામાં તો આવે છે પરંતુ મગરમચ્છ ની જેમ બોલવાનું અને સત્તાના રૂટ ઉપર નોટિસનો અનાદર કરે છે લુણાવાડા નગરપાલિકા દ્વારા મે માસમાં તથા ડિસેમ્બર માસમાં એમ જુદી જુદી રીતે બેથી ત્રણ નોટિસો આપવામાં આવી હતી તેવી જ રીતે નઈમ શબ્બીર બકરાવાલા તથા મુસ્તાક શબ્બીર બકરાવાલા ને નગરપાલિકા દ્વારા તિરગર વાસ પાસે રેવન્યુ સર્વે નંબર ૧૨ પૈકી બિનખેતીની રહેણાંક ઉપયોગી ખુલ્લી જમીનમાં નગરપાલિકાની પૂર્વ મંજૂરી વગર રસ્તાની દક્ષિણ દિશાએ વાણિજ્ય પ્રકારનું બાંધકામ કરી ચાર જેટલી દુકાનો બનાવેલ હતી તેઓને પણ મે માસમાં નગરપાલિકા દ્વારા નોટિસ બજાવવામાં આવી હતી.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 675 પોઝીટીવ કેસ, કુલ 2,75,197 કેસ
- 11, માર્ચ 2021 02:50 PM
- 8833 comments
- 4088 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 675 થી વધુ નોંધાયા છે. જેની સામે 484 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4418 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 675 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,75,197 થયો છે. તેની સામે 2,67,250 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,75,197 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3529 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,75,197 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3529 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 47 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3482 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,67,250 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4418 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 00 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
મહીસાગર જિલ્લામાં ૨૨ આરોપીઓને સજા ફટકારતો પ્રથમ કિસ્સો
- 11, માર્ચ 2021 12:00 AM
- 6055 comments
- 4685 Views
લુણાવાડાતારીખ ૨૩/૦૩/૨૦૧૬ ના રોજ પોલીસ તથા હોમગર્ડ જવાનો નાના વડદલા ગામે હોળી/ ધુળેટી ના કાયદેસરના બંદોબસ્તમાં ના ફરજ પર હતા આરોપીઓએ ગેર કાયદેસરની મંડળી રચી તેમનાં કેટલાકે મારક હથિયારો ધારણ કરી પોલીસતેમજ હોમગાર્ડ જવાનો સાથે મારામારી કારી અહી કેમ આવ્યાં છો અમારે અહી પોલીસ કે બંદોબસ્ત ની જરૂર નથી તેમ કહી ખરાબ વર્તન કરી બે રહમી થી માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી ફરજ પર રહેલાં પોલીસ કર્મીઓને તેમજ હોમગાર્ડ જવાનોને હાથે તેમજ પગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેમા એ. એસ. આઇ દેવેન્દ્ર સિંહ ને પણ બે રહેમીથી માર મારતાં તેઓ ને માથા તેમજ પગના ભાગે ગંભીર ઈજાઓ કરી સરકારી કામમાં અડચણ કરી ખુંનની કોશિશ કરી ગુનો આચરવામાં આવ્યો હતો હોળીમાં ઉપયોગ માં લીધેલ લાકડીઓ સળગતી હોળી માં ફેંકી દઈ પૂરવાનો નાશ કરી જિલ્લા મેજિસ્ટ્રેટ લુણાવાડા ઓ નાં જાહેરનામનો ભંગ કરી ગુનો આચારવા માં અવ્યો હતો. જેમાં મહિસાગર જિલ્લા ન્યાયલય ખાતે સરકાર તરફથી સરકારી વકિલ તરિકે એસ. આર. ડામોર એ કેસ ચલવ્યો હતો જેમા કોર્ટે સમક્ષ રજુ થયેલ પૂરાવા તથા સરકારી વકીલની દલીલો ને ગ્રાહ્ય રાખીને મુખ્ય જિલ્લા ન્યાયધિશ અને સેંશન્સ જજ એચ. એ. દવે દ્વારા ૫૬ પૈકી નાં કુલ ૨૨ આરોપીઓ નેગુના માં આરોપી સાબિત થતાં જેઓને આજ રોજ અલગ અલગ સબબ સજા ફટકાવામાં આવી છે જેમા સજા પામેલ દરેક આરોપી ઓ ને કુલ ૫ વર્ષ ની કેદ તથા અલગ અલગ કલમ હેઠળ કુલ મળીને તમામ આરોપીઓ એ કુલ ૨૦,૫૦૦/- દંડ વસૂલ કરી સજા આપેલ છે જાે દંડ ન ભરે તો સજા વધૂ લબાવવા હુકમ કરેલ છે.તેમજ સજા આપતી વખતે કોર્ટેનું માનવીય વલણ સામે આવ્યુ જેમા ૨૨ પૈકી ૭૦ વર્ષ થી વધૂ વયના એક આરોપી ને ત્રણ વર્ષ ની સજા આપી જ્યારે ૨૧ આરોપીને ૫ વર્ષ ની સજા ફટકારવામાં આવી છે. . ૧ થી ૨૧ આરોપીઓ ને પાંચ વર્ષ ની સજા ફટકારી૧ઃ-રણછોડભાઈ અરજણભાઈ ખાંટ૨ઃ-સંજય કુમાર રણછોડભાઈ૩ઃ-રઘુભાઈ કોદરભાઈ ખાંટ૪ઃ- ભાવેશભાઈ અર્જુનભાઈ ખાંટ૫ઃ- ધીરાભાઈ કોદરભાઈ ખાંટ૬ઃ ભારૂભાઈ નાનાભાઈ ખાંટ૭ઃ- શૈલેષ ઉર્ફે લાલા પવૅતભાઈ ખાંટ૮ઃ- રણછોડભાઈ વિરાભાઇ પટેલ૯ઃ- રણછોડભાઈ રામાભાઇ પટેલ૧૦ઃ- રાકેશભાઈ કુબેર પટેલ૧૧ઃ- પરમાભાઇ કુબેર ભાઈ પરમાભાઇ પટેલ૧૨ઃ- છત્રાભાઈ શંકરભાઈ ખાંટ વિગેરેનો સમાવેશ થાય છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 581 પોઝીટીવ કેસ, 02 ના મોત, કુલ 2,74,522 કેસ
- 10, માર્ચ 2021 03:40 PM
- 8327 comments
- 8246 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 581 થી વધુ નોંધાયા છે. જેની સામે 453 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 02 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4418 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 581 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,74,522 થયો છે. તેની સામે 2,66,766 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,74,522 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3338 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,74,522 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3338 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 43 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3295 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,66,766 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4418 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીનુ મૃત્યુ નોંધાયેલ છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 555 પોઝીટીવ કેસ, 01 ના મોત, કુલ 2,73,941 કેસ
- 09, માર્ચ 2021 03:07 PM
- 9834 comments
- 4072 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 555 થી વધુ નોંધાયા છે. જેની સામે 482 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4416 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 555 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,73,941 થયો છે. તેની સામે 2,66,313 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,73,941 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3212 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,73,941 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3212 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 41 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3171 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,66,313 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4416 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
શેકાવા માટે તૈયાર રહેજો: ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રી આસપાસ પહોંચશે
- 09, માર્ચ 2021 02:13 PM
- 3759 comments
- 1066 Views
ગાંધીનગર-રાજ્યમાં ધીમે ધીમે ગરમીનો પારો વધી રહ્યો છે. રાજ્યનાં ૧૪ શહેરોમાં ગરમીનો પારો ૩૫ ડીગ્રીને પાર પહોંચી ગયો છે. આગામી દિવસોમાં હજુ પણ ગરમીનો પારો વધુ ઊંચકાય એવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં માર્ચથી મે મહિના સુધી તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેશે. બીજી તરફ, રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆત થતાં જ અનેક જગ્યાએ કાળઝાળ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. રાજ્યનાં શહેરોમાં ગરમીના પારાની વાત કરીએ તો અમદાવાદમાં ગરમીનો પારો ૩૭.૫ ડીગ્રીએ પહોંચ્યો હતો. તો ગાંધીનગરમાં ગરમીનો પારો ૩૬.૮ ડીગ્રી સુધી પહોંચ્યો હતો. ડીસામાં ૩૬.૪ ડીગ્રી, વલ્લભવિદ્યાનગરમાં ૩૬.૭ ડીગ્રી, વડોદરામાં ૩૬.૬ ડીગ્રી, સુરતમાં ૩૫.૫ ડીગ્રી, અમરેલીમાં ૩૭.૮ ડીગ્રી, ભાવનગરમાં ૩૫.૨ ડીગ્રી, રાજકોટમાં ૩૭.૬ ડીગ્રી સુરેન્દ્રનગરમાં ૩૭.૮ ડીગ્રી, મહુવામાં ૩૫.૬ ડીગ્રી, કેશોદમાં ૩૫.૨ ડીગ્રી, ભુજમાં ૩૫ ડીગ્રી નોંધાયું હતું. માર્ચની શરૂઆતની સાથે જ અમદાવાદ સહિતનાં શહેરમાં ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. હાલમાં સવારના સમયે શિયાળા જેવી ગુલાબી ઠંડી અને બપોરના સમયે ગરમી એમ બવેડી ઋતુની અહેસાસ થઈ રહ્યો છે. આ વખતે ચોમાસામાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડ્યો હતો. અનેક વિસ્તારોમાં તો અતિ વૃષ્ટિ જેવી હાલત હતી. હવે હવામાન વિભાગે ઉનાળાને લઈને આ વખતે વધારે ગરમી પડવાનું પૂર્વાનુમાન કર્યું છે ત્યારે લોકોએ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું રહેવું પડશે.વધુ વાંચો -
લુણાવાડામાં કોર્ટ પાસે શૌચાલયમાં દુર્ગંધથી રહીશો પરેશાન
- 10, માર્ચ 2021 01:30 AM
- 3100 comments
- 1227 Views
લુણાવાડા, લુણાવાડામાં બુરહાની કોમ્પલેક્ષ અને બીજી બાજુ સરકારી ડો.પોલનસ્કુલ,આને નજીકમાં ન્યાય મંદિર એટલે કે કોર્ટો આવેલી છે નાગરિકો ની ભારે અવરજવર થી ધમધમતા આ રોડ ઉપર આ શૌચાલય ની સ્વછતા બાબતે સ્થાનિકો દ્વારા લેખીત અને મૌખીક ની રજુઆતો વારંવાર કરવાં છતાં જાડી ચામડીના સત્તાધીશો દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.એક તરફ કોરોના મહામારી ના વ્યાપ ને કંટ્રોલ કરવા સરકારી તંત્ર દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સ્વછતા અભિયાન ના સુત્રો થકી પ્રજામાં જાગૃતિ લાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.ત્યારે આ શૌચાલય ની મુલાકાત કરવા માટે કે નિયમિત સાફસફાઈ કરવા માટે નગરપાલિકા ને જાણે કંઈ જ દરકાર ન હોય તેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. રાહદારીઓ આ દુર્દશા થી નાક મોઢું ઢાંકીને નિકળતા જાેવા મળી રહ્યછે,,અને આ થી મોટુ તેની બાજુ માં જ એક સરકારી સ્કૂલ પણ આવેલ હોય અને સ્કૂલ ચાલુ થતાં બાળકો ને કોઈ મોટી બીમારી ફેલાઈ તેવું પણ લાગી રહ્યું છે તો શું નગરપાલિકા કોઈ ભયંકર બિમારી ફેલાય તેની રાહ જાેઈ બેઠું છે કે પછી સ્વછતા અભિયાન માં સરકાર દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટ નો વહીવટ કરવામાં જ રસ છે આ શૌચાલય અને ગામના બીજા શૌચાલયો ની નિયમિત સાફસફાઈ કરવામાં નહીં આવે તો નગરપાલિકા આગળ દેખાવો કરવામાં આવશે તેવી ચિમકી દુકાનદારો દ્વારા કરવામાં આવી છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 575 પોઝીટીવ કેસ, 01 ના મોત, કુલ 2,73,386 કેસ
- 08, માર્ચ 2021 03:06 PM
- 7321 comments
- 7922 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 575 થી વધુ નોંધાયા છે. જેની સામે 459 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4415 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 575 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,73,386 થયો છે. તેની સામે 2,65,831 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,73,386 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3041 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,73,386 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3041 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 46 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3094 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,65,831 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4415 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીના મૃત્યુ નોંધાયેલ છે.વધુ વાંચો -
ઉનાળાની એન્ટ્રીઃ ગુજરાતમાં ધીમે ધીમે ગરમીના પારામાં વધારો
- 08, માર્ચ 2021 02:31 PM
- 6787 comments
- 2515 Views
ગાંધીનગર-ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે ગરમીના પારામાં વધારો થયો છે. રાજ્યમાં ગરમીના પ્રભુત્વમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે ૧૧ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો ૩૭ ડિગ્રીથી વધુ રહ્યો હતો જ્યારે ૩૯ ડિગ્રી સાથે ગાંધીનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ૩૮.૯ ડિગ્રી સાથે વર્તમાન સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૪.૯ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી ૩ દિવસ દરમિયાન અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન ૩૮ જ્યારે સરેરાશ લઘુતમ તાપમાન ૧૯ ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. રાજ્યમાંથી અન્યત્ર જ્યાં ૩૮ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું તેમાં ડીસા, વલ્લભ વિદ્યાનગર, વડોદરા, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં હાલ ઉત્તર પશ્ચિમ દિશાનો પવન છે. આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની કોઇ સંભાવના નથી. પરંતુ ઉત્તર ગુજરાત, સૌરષ્ટ્ર-કચ્છમાં આગામી ૨૪ કલાક દરમિયાન તાપમાન ૩૭થી ૩૯ ડિગ્રીની વચ્ચે રહેશે. આગામી ૪-૫ દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની પણ સંભાવના નથી.વધુ વાંચો -
માત્ર ત્રણ માસનું બાળક એક ગંભીર બીમારીના સકંજામાં
- 06, માર્ચ 2021 12:00 AM
- 9684 comments
- 3347 Views
લુણાવાડામહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કાનેસર ગામના એક મધ્યમવર્ગી કુટુંબમાં એક બાળકનો જન્મ થતા માતા-પિતા તેમજ કુટુંબીજનોમાં એક આનંદ પ્રસર્યો હતો આ બાળક જન્મ જાત એક ગંભીર બીમારી સાથે જન્મ લીધો છે જેનું નામ છે એસ.એમ.એ-૧ એટલે તરીકે ઓળખવામાં આવે છે જેને ગુજરાતીમાં કરોડરજ્જુની સ્નાયુબદ્ધ એટ્રોફી ફેકટશીટ કહેવામાં આવે છેખામી દર્શાવે છે ત્યારે આ રોગની સારવાર ખુબ મોઘી છે તેના માટેના ઈજેક્શન રૂપિયા ૧૬ કરોડમાં યુ.એસ થી માંગવું પડે છે લુણાવાડા તાલુકાના ખાનપુરના રહેવાસી એવા રાજદીપસિંહ સુરેન્દ્રસિંહ ને ડોકટરોના કેહવા પ્રમાણે બાળકના ઈલાજ માટે તમારી પાસે ૧ વર્ષ છે જેના માટે બાળકના પિતાએ ૧૬ કરોડ રૂપિયા જેવી માતબર રકમ ભેગી કરવાનો સમય આવ્યો છે ત્યારે તેઓ ચિંતા કર્યા વગર ધૈર્યરાજનું નામ ઈમ્પેક્ટ ગુરુ નામના એન.જી.ઓ માં પોતાનું ખાતું ખોલાવી તે ખાતામાં ડોનેશન ભેગું કરવાની નેમ ઉઠાવી છે ત્યારે તેઓ એ આ રકમ ભેગી કરવા સોસીયલ મીડીયાના માધ્યમથી મહીસાગર જિલ્લા અને ગુજરાત રાજ્યના તમામ ભામાશા પાસે પ્રાર્થના કરી છેવધુ વાંચો -
શૈક્ષણિક સ્ટાફને સાતમા પગારપંચનો મળશે લાભ, શિક્ષણમંત્રી ચુડાસમાએ ગૃહમાં કરી જાહેરાત
- 05, માર્ચ 2021 03:53 PM
- 2906 comments
- 709 Views
ગાંધીનગર-રાજ્યમાં આવેલી યુનિવર્સીટીના શૈક્ષણિક સ્ટાફ માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા યુનિવર્સીટીના શૈક્ષણિક સ્ટાફને સાતમા પગારપંચનો લાભ આપવાનું ગૃહમાં શિક્ષણમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. સરકારના અ નિર્ણયથી રાજ્યની તમામ યુનિવર્સીટીના શૈક્ષણિક સ્ટાફમાં આનંદ છવાઈ જવા પામ્યો હતો. રાજ્યમાં આવેલી યુનિવર્સીટીમાં ફરજ બજાવતા શૈક્ષણિક સ્ટાફ દ્વારા તેઓની પડતર માંગણીઓને લઈને અનેકવાર સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે તાજેતરમાં જ 6 મહાનગરપાલિકા તેમજ જીલ્લા-તાલુકા પંચાયત તેમજ નગરપાલીકાના પરિણામ આવી ગયા બાદ વિધાનસભા સત્ર શરુ થતા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગૃહમાં જાહેરાત કરી હતી. ત્યારે તા.1-1-૨૦૧૬ થી કર્મચારીઓને સાતમાં પગારપંચનો લાભ આપવાનું સરકારે નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે કર્મચારીઓને એરિયર્સના પ્રથમ હપ્તાના 50 ટકા ટૂંક સમયમાં આપવામાં આવશે. જેથી રાજ્યની તમામ યુનિવર્સીટીના શૈક્ષણિક સ્ટાફમાં ખુશી વ્યાપી જવા પામી હતી.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 480 પોઝીટીવ કેસ, કુલ 2,71,725 કેસ
- 05, માર્ચ 2021 03:48 PM
- 9941 comments
- 4857 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 480 થી વધુ નોંધાયા છે. જેની સામે 369 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4412 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 480 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,71,725 થયો છે. તેની સામે 2,64,564 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,71,725 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 2749 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,71,725 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 2749 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 40 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 2709 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,64,564 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4412 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 00 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 400 પોઝીટીવ કેસ, 01 મોત, કુલ 2,71,245 કેસ
- 04, માર્ચ 2021 03:43 PM
- 4768 comments
- 6295 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 400 થી વધુ નોંધાયા છે. જેની સામે 358 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીના મોત સાથે કુલ મૃત્યુ આંક 4412 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 400 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,71,245 થયો છે. તેની સામે 2,64,195 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,71,245 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 2638 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,71,245 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 2638 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 39 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 2599 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,64,195 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4412 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દી નું મૃત્યુ નોંધાયુ છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 454 પોઝીટીવ કેસ, કુલ 2,70,770 કેસ
- 03, માર્ચ 2021 02:38 PM
- 5449 comments
- 9508 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 454 થી વધુ નોંધાયા છે. જેની સામે 361 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4411 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 454 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,70,770 થયો છે. તેની સામે 2,63,837 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,70,770 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 2522 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,70,770 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 2522 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 37 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 2485 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,63,837 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4411 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 00 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ELECTION 2021: 31માંથી 28 જિલ્લા પંચાયતોમાં ભાજપની વિજય કૂચ
- 02, માર્ચ 2021 03:33 PM
- 9874 comments
- 1768 Views
અમદાવાદ-ગુજરાતની રાજકોટ સહિત 31 જિલ્લા પંચાયતોમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપ મતગણતરી યોજાઇ રહી છે તેમાં 31માંથી 28 જિલ્લા પંચાયતોમાં ભાજપની વિજય કૂચ હોવાના પ્રારંભીક સંકેતો સાંપડયા છે. સૌરાષ્ટ્રની 8 સહિત ગુજરાતની 28 જિલ્લા પંચાયતોમાં ભાજપના બહુમતી ઉમેદવારો જીતના માર્ગે હોવાથી ભાજપનું શાસન આવવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. 2015ની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપને માત્ર 7 જિલ્લા પંચાયતોમાં સત્તા મળી હતી. તેના બદલે આ વખતે બહુમતી જિલ્લા પંચાયતો પર ભાજપનો કબ્જો આવવાના એંધાણ પ્રારંભીક ટ્રેન્ડમાં મળી રહ્યા છે. સમગ્ર 31 જિલ્લા પંચાયતોમાં 74 બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત થઇ ગઇ છે ત્યારે કોંગ્રેસને માત્ર 15 બેઠકો જ મળી છે. તાલુકા પંચાયતોમાં 358 બેઠકોમાં ભાજપના ઉમેદવારોને સરસાઇ હતી. જયારે કોંગ્રેસના ફાળે 94 બેઠકો હતી. નગરપાલિકામાં આ બેઠકો અનુક્રમે 238 અને 60 હતી.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 427 પોઝીટીવ કેસ, 01 મોત, કુલ 2,70,316 કેસ
- 02, માર્ચ 2021 03:27 PM
- 5134 comments
- 5690 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 427 થી વધુ નોંધાયા છે. જેની સામે 360 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4411 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 427 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,70,316 થયો છે. તેની સામે 2,64,476 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,70,316 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 2429 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,70,316 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 2429 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 35 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 2394 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,64,476 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4411 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાતમાં પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં ભગવો લહેરાતા કમલમ્ ખાતે વિજયોત્સવ
- 02, માર્ચ 2021 03:01 PM
- 6568 comments
- 3968 Views
ગાંધીનગર-પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં ભગવો લહેરાતા ભાજપમાં આનંદ છવાયો છે. ગાંધીનગર ખાતે ભાજપના કાર્યાલય કમલમ પર વિજયોત્સવ મનાવવામાં આવ્યો. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી વિજય રુપાણીની હાજરીમાં ભાજપના કાર્યલય પર કાર્યકર્તાઓએ વિજય મનાવ્યો. ઢોલ નગારા સાથે ભાજપના કાર્યલય કમલમ્ પર જીતનો ઉત્સવ મનાવવામાં આવ્યો. મહાપાલિકા બાદ પંચાયતની ચૂંટણીમાં પણ ભાજપે જે રીતે કેસરીયો લહેરાવી દીધો છે અને મોટા ભાગની જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત તથા મહાપાલિકાઓમાં ભાજપ સત્તા પર આવશે તે નિશ્ર્ચિત બન્યુ છે. તેથી આ ભવ્ય વિજયની ઉજવણી કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓ ઉપસ્થિત રહી જીતની ખુશીનો વિજયોત્સવ મનાવ્યો હતો.વધુ વાંચો -
ગુજરાતમાં BJPનાં સારા દેખાવ બાદ CM રૂપાણી અને પ્રદેશ પ્રમુખ પહોચ્યા કમલમ
- 02, માર્ચ 2021 02:20 PM
- 9678 comments
- 2624 Views
ગાંધીનગર-ભાજપ માટે આ વખતની તાલુકા, જિલ્લા પંચાયત અને પાલિકાની ચૂંટણી પ્રતિષ્ઠા સભર બનીને રહી ગઈ હતી. રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકા માટે મતગણતરીનાં પ્રારંભ સાથે જ ભાજપે સપાટો બોલાવીને જિલ્લા પંચાયતની 31 સીટ પૈકી 30 પર , 231 પૈકી 158 તાલુકા પંચાયત, નગર પાલિકામાં 81 પૈકી 67 બેઠક પર આગળ નિકળી ગઈ હતી. મહત્વપૂર્ણ છે કે મનપાની ચૂંટણીની સરખામણીએ ગામડાઓની ચૂંટણીમાં સારૂ એવું મતદાન થયું હતું. જિલ્લા અને તાલુકા પંચાયતમાં 65 ટકા મતદાન, તો પાલિકા માટે 55 ટકા સરેરાશ મતદાન થયું હતું. જોકે ગત્ત ચૂંટણીની ટકાવારી કરતા આ મતદાન ઓછું છે પરંતુ મનપાની સરખામણીએ વધુ નોંધાયેલું મતદાન ભાજપ પક્ષને ફળતું જોવા મળ્યું છે. સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં પણ ભાજપે સારૂ પ્રદ્શન કરતા હાર્દિક પટેલ સહિત કોંગ્રેસનાં સ્ટાર પ્રચારકોની હવા નિકળી ગઈ છે. આ વર્ષે ખેડુતોનું આંદોલન, છેલ્લા સમયે ખાતરનો કોંગ્રેસે ઉભો કરેલો મુદ્દો પણ ચાલ્યો નોહતો તો મોંઘવારીમો મુદ્દો કોંગ્રેસ ફરી એકવાર વટાવી નોહતી શકી. શહેરી વિસ્તારો બાદ હેવ ગ્રામ્ય સ્તરે પણ ભાજપે ક્લીન સ્વીપ જેવી સ્થિતિનું નિર્માણ કર્યું છે. આવનારી વિધાનસભાની ચૂંટણી માટેનાં પગથિયું ગણાતા પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં મેળવેલા વિજયને વધાવી લેવા ટૂંક સમયમાં કમલમ કાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પહોચશે અને સાથે જ ભાજપ વિજયોત્સવની શરૂઆત પણ કરી દેશે.વધુ વાંચો -
કમળ ખીલશે કે પંજાના ઉદય થશેઃ આવતીકોલે જિલ્લા-તાલુકા પંચાયત ચૂંટણીનું પરિણામ
- 01, માર્ચ 2021 07:17 PM
- 8554 comments
- 8005 Views
ગાંધીનગર-૨૮ ફેબ્રુઆરીના રોજ રાજ્યની ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત અને ૮૧ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા ૧૫ નગરપાલિકાઓ અને ૩ તાલુકા પંચાયતોની પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં આવતીકાલે એટલે મંગળવારે પરિણામ આવશે. જાેવાનું એ રહેશે કે જે પ્રકારે છ મહાનગરપાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાયો છે તે જ પ્રકારે ભાજપ જિલ્લા-તાલુકા અને નગરપાલિકાઓમાં કબ્જે કરે છે કે પછી કોંગ્રેસ બચેલી શાખને બચાવે છે. લોકોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જાેવા મળ્યો. તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં મનપા ચૂંટણી કરતા ભારે મતદાન થયેલું જાેવા મળ્યું. ત્યારે જાેવાનું એ રહેશે કે આ વખતે થયેલું આ ભારે મતદાન કોને ફાયદો કરાવશે. આ વખતે ગુજરાતમાં પહેલીવાર આમ આદમી પાર્ટીને પણ મનપા ચૂંટણીમાં બેઠકો મળી છે. જેમાં તાલુકા પંચાયતો માટે સરેરાશ ૬૬.૬૦ ટકા મતદાન યોજાયું. જિલ્લા પંચાયતોની વાત કરીએ તો સરેરાશ ૬૫.૮૦ ટકા મતદાન જ્યારે નગરપાલિકાઓમાં ૫૮.૮૨ ટકા મતદાન થયું. વર્ષ ૨૦૧૫ની ચૂંટણીઓ કરતા મતદાનમાં સરેરાશ ૩ ટકાનો ઘટાડો જાેવા મળ્યો. જ્યારે નગરપાલિકાઓની પેટાચૂંટણીમાં ૪૭.૬૩ ટકા અને તાલુકા પંચાયતોની પેટાચૂંટણીમાં ૬૮.૬૫ ટકા મતદાન થયું છે. સરેરાશ મતદાનની વાત કરીએ તો ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત અને ૮૧ નગર પાલિકાની ચૂંટણીમાં સરેરાશ ૬૩.૩૪ ટકા મતદાન થયું છે. સૌથી વધુ નર્મદામાં ૭૮ ટકા મતદાન થયું. રાજ્યની ૩૧ જિલ્લા પંચાયતો, ૨૩૧ તાલુકા પંચાયત અને ૮૧ નગરપાલિકાની ચૂંટણીઓના પરિણામ ૨ માર્ચના રોજ આવશે. ૨૩૧ તાલુકા પંચાયતની ૪૭૭૪ બેઠકમાંથી ૧૧૭ બેઠક બિનહરીફ થઈ છે. ૮૧ નગરપાલિકાની ૨૭૨૦ બેઠકોમાંથી ૯૫ બેઠક બિનહરીફ થઈ છે. ૩૧ જિલ્લા પંચાયતની ૯૮૦ બેઠકોમાંથી ૨૫ બેઠક બિનહરીફ થઈ છે.વધુ વાંચો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ