ભરૂચ સમાચાર
-
ELECTION 2021: બપોરે 2 વાગ્યા સુધીમાં કેટલું થયું મતદાન થયુ ? જાણો લેટેસ્ટ આંકડા
- 28, ફેબ્રુઆરી 2021 02:27 PM
- 4958 comments
- 2414 Views
અમદાવાદ- રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીમાટે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. અમુક બુથ પર વહેલી સવારથી જ લોકોએ લાઇન લગાવી દીધી છે. જ્યારે 2 માર્ચે મતગણતરી હાથ ધરાશે.અમદાવાદ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે 809 ઉમેદવાર મેદાનમાં છે. જિલ્લા અને તાલુકામાં 1 હજાર 199 મતદાન કેંદ્ર ઉભા કરાયા છે. જ્યારે ગાંધીનગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં કુલ 7 લાખ 15 હજાર 511 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. જયારે ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ૧ લાખ ૩૮ હજાર ૨૭૩ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. રાજકોટ જિલ્લાના 1 હજાર 146 મતદાન બુથ પૈકી 396 કેંદ્રને સંવેદનશીલ મતદાન કેન્દ્ર જાહેર કરાયા છે. રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠક માટે 111 ઉમેદવારો, જ્યારે 11 તાલુકા પંચાયતની 202 બેઠક માટે 586 ઉમેદવારો મેદાનમાં છેવધુ વાંચો -
ગુજરાતમાં આટલા મતદાન મથક સૂમસામ કેમ બન્યા, જાણો શું છે કારણ
- 28, ફેબ્રુઆરી 2021 02:21 PM
- 4919 comments
- 7956 Views
અમદાવાદ-રાજ્યમાં હાલ તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મતદાનને અડધો દિવસ પૂર્ણ થઇ ગયો છે. બપોરે એક વાગ્યા સુધીમાં અંદાજે 29 ટકા મતદાન નોંધાયું છે. બપોરે ગરમી હોવા છતા મતદાન મથકો બહાર લાંબી લાઇનો લાગી છે. જો કે રાજ્યાના ચાર જિલ્લાના કેટલાક ગામડા છે જ્યાં સંપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયાનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. વલસાડ અહીં ઉમરગામ નારગોલ ખાતે મતદારો દ્વારા ચૂંટણીનો સંપૂર્ણપણ બહિષ્કાર કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા જ ચૂંટણી અધિકારીઓ દ્વારા લોકોને વિવિધ રીતે સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સવારે 11.30 વાગ્યા સુધીમાં એકપણ મત પડ્યો ન હતો. ઉલ્લેખનીય છે કે આ ગામમાં અંદાજે 1200 મતદારો છે. તો ભરૂચના વાલિયા તાલુકાના કેસર ગામના લોકોએ પણ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હોવાની જાહેરાત કરી હતી. ગામમાં મતદાન મથક પર સંપૂર્ણ વ્યવસ્થા ઉભી કરાઇ હોવા છતા એકપણ ગ્રામજન મતઆપવા આવ્યો ન હતો. કેસર ગામના લોકોનું કહેવું છે કે ગામમાં એકપણ વિકાસના કામ થયા નથી. અમારું ગામ ઇટકલા ગ્રામ પંચાયત અંતર્ગત આવે છે. અમારા ગામમાં સસ્તા અનાજની દૂકાન નથી, બે નદીને જોડતો પૂલ ન હોવાને કારણે બાળકો જીવના જોખમે નદી પાર કરી અભ્યાસ કરવા જાય છે. અનેક રજૂઆત છતા આજદીન સુધી કોઇ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. આવી જ રીતે છોટાઉદ્દેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કુંડી ઉંચાકલમ ગામના લોકોએ પણ ચૂંટણી બહિષ્કાર કર્યો હોવાની જાહેરાત કરી છે. ગ્રામજનોની માગણી છે કે તેમના ગામને ગ્રામ પંચાયત જાહેર કરવામાં આવે. બપોરે એક વાગ્યા સુધીમાં એકપણ વ્યક્તિ મત આપવા આવ્યો ન હતો. આ સિવાય ભુજ તાલુકાનું વધુ વસ્તી ધરાવતું દેશલપુર ગામના લોકોએ પણ મતદાનનો બહિષ્કાર કર્યો હોવાનું સામે આવ્યું છે. અહીં વહીવટી તંત્ર દ્વારા ગામની મોટી જમીન એક ખાનગી ટ્રસ્ટને ફાળવી દેવામાં આવી છે જેના વિરોધમાં ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ચૂંટણીની આગલી રાત સુધી આ ગામના લોકોને સમજાવવા અનેક ટોચના નેતાઓએ ધક્કા ખાધા હતા.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 460 પોઝીટીવ કેસ, કુલ 2,69,031 કેસ
- 27, ફેબ્રુઆરી 2021 03:16 PM
- 3652 comments
- 8815 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 460 થી વધુ નોંધાયા છે. જેની સામે 315 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં કુલ મૃત્યુ આંક 4408 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 460 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,69,031 થયો છે. તેની સામે 2,62,487 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,69,031 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 2136 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,69,031 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 2136 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 38 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 2098 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,62,487 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4408 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 00 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ELECTION 2021: 55,000થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે
- 27, ફેબ્રુઆરી 2021 02:49 PM
- 1845 comments
- 8593 Views
ગાંધીનગર- 28 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બીજો તબક્કો શરૂ થઇ રહ્યો છે. જેમાં 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ 28 ફેબ્રુઆરીના રોજ યોજાશે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ ચૂંટણીમાં 55,000થી વધુ પોલીસ કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન બને તે માટે પણ ખાસ વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી છે.પોલીસ સુરક્ષાની બાબતે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, રવિવારના રોજ યોજાનારી ચૂંટણીમાં 12 CAPFની કંપની પણ ચૂંટણી વ્યવસ્થામાં હાજર રહેશે. આ ઉપરાંત 13 DYSP, 34 PSI કુલ મળીને 15,000 જેટલા પોલીસ કોન્સ્ટેબલ અને 64 SRPની કંપનીઓ પણ તૈનાત કરવામાં આવી છે. આમ આ ચૂંટણી બંદોબસ્તમાં 55 હજાર જેટલા હોમગાર્ડ અને GRDના સભ્યોને પણ ચૂંટણી બંદોબસ્તમાં ફરજો આપવામાં આવી છે. જ્યારે ચૂંટણી બંદોબસ્ત માટે કુલ 12 પેરામિલિટરીની કંપનીઓ પણ વિવિધ સ્થળો પર બંદોબસ્તમાં હાજર રહેશે.વધુ વાંચો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- ભારત - ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૦
- ભારત - ઈંગ્લેન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૧
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ