ભરૂચ સમાચાર

  • ગુજરાત

    ગરમી ૪૩.ર ડિગ્રી ઃ લૂ લગાડતો ધગધગતો પવન અને આકરા તાપ વચ્ચે ગળાકાપ સ્પર્ધા

    વડોદરા, તા. ૧૨ઓરેન્જ એલર્ટ વચ્ચે મહત્તમ તાપમાનનો પારામાં આંશિક ધટાડા વચ્ચે મહત્તમ તાપમાનનો પારો ૪૩.૨ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયો હતો. છેલ્લા ત્રણ દિવસથી અંગદઝાડતી ગરમીને કારણે બપોર દરમ્યાન અનેક લોકો ઘરની બહાર નિકળવાનું ટાળતા હોવાથી મોટાભાગના રોડ – રસ્તાઓ સૂમસામ નઝરે પડ્યા હતા. રાજ્યભરમાં અસહ્ય ગરમીની આગાહી વચ્ચે આજે મહત્તમ તાપમાનમાં આંશિક રાહત જાેવા મળી હતી. છ રાજ્ય પૈકી વડોદરા શહેરમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવાની સાથે મહત્તમ તાપમાન ૪૩.૨ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાઈ હતી. અસહ્ય ગરમીને કારણે લૂ લાગવાના બનાવ , ચામડીના રોગો તેમજ ઝાડા ઉલ્ટી સહિતના વાયરલ બિમારીઓમાં વધારો જાેવા મળ્યો હતો. માનવીની સાથે પશી – પક્ષીઓમાં પણ ગરમીની અસર જાેવા મળી હતી. અસહ્ય તાપના કારણે તેમજ પીવાના પાણીના અભાવને કારણે મોટા પ્રમાણમાં પક્ષીઓ મૃત્યુ પામેલા જાેવા મળ્યા હતા. અસહ્ય તાપને પગલે મોટાભાગના રસ્તાઓ પર ડામર પીગળવાના કારણે અકસ્માતના બનાવમાં પણ વધારો જાેવા મળ્યો હતો. આજે દિવસ દરમ્યાન મહત્તમ તાપમાનમાં ૦.૬ ડીગ્રી સેન્ટીગ્રેડના ઘટાડા વચ્ચે તાપમાન ૪૩.૨ ડીગ્રી સેન્ટીગ્રેડ સાથે લધુત્તમ તાપમાન ૨૭ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. તે સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ દિવસ દરમ્યાન ૪૫ ટકાની સાથે સાંજે ૧૫ ટકા નોંધાયું હતું. તે સિવાય હવાનું દબાણ ૧૦૦૪.૧ મીલીબાર્સની સાથે પશ્ચિમ દિશા તરફથી નવ કિં.મી.ની ઝડપે પવન ફૂકાંયા હતા. પાલિકા દ્વારા ઠેર-ઠેર પાણીની પરબો શરૂ કરવામાં આવી અસહ્ય ગરમીને કારણે રાહદારીઓને શુધ્ધ પાણીની સુવિધા મળી રહે તે માટે પાલીકા દ્વારા વિવિધ વિસ્તારોમાં પાણીની પરબો શરુ કરવામાં આવી હતી. શહેરના મુખ્ય ત્રણ વિસ્તારો કારેલીબાગ , પાણીગેટ અને હરિનગર પાણીની ટાંકી પાસે પાણીની પરબો શરુ કરવામાં આવી હતી. તે સિવાય સયાજીબાગ ખાતે પણ પાણીની પરબ શરુ કરવામાં આવી છે. મેયર , સ્ટેન્ડીંગ કમિટી સહિતના અગ્રણીઓ દ્વારા પરબનો પ્રાંરભ કરવામાં આવ્યો હતો. પાલીકા સિવાય અન્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણીની સાથે છાશનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
    વધુ વાંચો
  • ગુજરાત

    સૂર્યના શ્રાપથી શહેરીજનો સ્તબ્ધ તાપમાન ૩૮.૬ ઃ રસ્તાઓ સૂમસામ

    વડોદરા, તા. ૭ સાઈક્લોન સક્ર્યુલેશનના કારણે સતત એક મહિનાથી વાદળછાયા વાતાવરણ અને માવઠાંના કારણે ઉનાળામાં પણ ચોેમાસાનો અહેસાસ શહેરીજનોને થયો હતો. સાયકલોનનો વેગ ફંટાઈ જતા કાળઝાળ ગરમીની અનુભૂતિ શહેરીજનોને છેલ્લા બે દિવસથી થઈ રહી છે ત્યારે આજે ઉનાળાની ઋતુમાં સૌ પ્રથમવાર મહત્તમ તાપમાનનો પારો ૩૮.૬ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાતા બપોર દરમ્યાન મોટાભાગના રોડ – રસ્તા સુમસામ જાેવા મળ્યા હતા. તે સિવાય ઉત્તર - પશ્ચિમ દિશા તરફથી તેર કીમીની ઝડપે ગરમ પવન ફૂંકાતા લૂ સહિતની વાયરલ બિમારીઓમાં વધારો જાેવા મળ્યો હતો. ઉનાળાની શરુઆત બાદ સતત સાયકલોન સક્ર્યુલેશનના કારણે વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદને પગલે ઠંડકની સાથે બફારાની સ્થિતીનો અહેસાસ શહેરીજનોને થયો હતો. છેલ્લા બે દિવસથી મહત્તમ તાપમાનમાં સતત વધારો નોંધાતા બળબળતા તાપનો અહેસાસ શહેરીજનોને થયો હતો. આજે પણ દિવસ દરમ્યાન મહત્તમ તાપમાનમાં એક ડીગ્રી સેન્ટીગ્રેડ જેટલો વધારો મહત્તમ તાપમાનમાં નોંધાતા ઉનાળાની ઋતુ દરમ્યાન સૌ પ્રથમવાર તાપમાનનો પારો ૩૮.૬ ડીગ્રી નોંધાતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. અસહ્ય ગરમીને પગલે મોટાભાગના રોડ રસ્તા બપોર દરમ્યાન સુમસામ નઝરે પડયા હતા. ઠેકઠેકાણે સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણીની પરબો શરુ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા લૂ થી બચવા માટેના પ્રયાસો અને લૂ લાગે ત્યારે કેવા પ્રકારના ઉપચાર કરવા તે માટેની ગાઈડલાઈન પણ બહાર પાડી દેવામાં આવી છે. તે સિવાય અન્ય વાયરલ બિમારીઓ જેમકે તાવ , શરદી , ખાંસી અને પાણીજન્ય રોગોમાં વધારો નોંધાતા શહેરના વિવધ સરકારી અને ખાનગી હોસ્પીટલમાં દર્દીઓની ભારે ભીડ જાેવા મળી હતી. તે સિવાય કેરી , તડબૂચ , શક્કરટેટી જેવા ફળો બજારમાં જાેવા મળી રહ્યા છે જ્યારે લીલી શાકભાજીના ભાવમાં વધારો જાેવા મળ્યો હતો. આજે દિવસ દરમ્યાન તાપમાનના પારામાં ૧.૨ ડીગ્રી સેન્ટીગ્રેડના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૮.૬ ડીગ્રી સેન્ટીગ્રેડ સાથે લધુત્તમ તાપમાન ૨૩.૬ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. તે સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ દિવસ દરમ્યાન ૫૨ ટકાની સાથે સાંજે ૧૨ ટકા નોંધાયું હતું. તે સિવાય હવાનું દબાણ ૧૦૧૦.૨ મીલીબાર્સની સાથે ઉત્તર - પશ્ચિમ દિશા તરફથી ૧૩ કિં.મી.ની ઝડપે પવન ફૂકાંયા હતા.
    વધુ વાંચો
  • ગુજરાત

    શહેર રખડતાં કૂતરાઓના હવાલે ઃ ૧ દિવસમાં ૨૩ને કરડયાં!

    વડોદરા, તા.૭વડોદરા શહેર-જિલ્લામાં માર્ગો પર રખડતી ગાયોના અસહ્ય ત્રાસ બાદ હવે રસ્તાઓ પર રખડતાં કૂતરાઓનો ત્રાસ ચરમસીમાએ પહોંચી ગયો છે. આજે વિતેલા છેલ્લા ર૪ કલાક દરમિયાન રપથી વધુ લોકોને કૂતરાઓ કરડવા અને બચકાં ભરી હિંસક હુમલો કર્યાના બનાવો સત્તાવાર સયાજી હોસ્પિટલમાં નોંધાયા છે. આ તમામને એન્ટિ રેબિટસના ઈન્જેકશનો આપી સારવાર આપવામાં આવી રહી છે. કૂતરાઓના હુમલાઓમાં ત્રણ નાનાં બાળકોનો પણ સમાવેશ થાય છે. આજે સયાજી હોસ્પિટલમાં એક કરતાં વધુ કૂતરાઓના કેસો આવતાં તબીબો અને સ્ટાફના કર્મચારીઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો. વડોદરા શહેરમાં અને તેની આસપાસ તેમજ જિલ્લામાં છેલ્લાં કેટલાંય સમયથી રસ્તાઓ ઉપર રખડતાં ગાય-કૂતરાઓનો ત્રાસ શહેરીજનો અને નિર્દોષ પ્રજા સહન કરી રહી છે. આ મામલે ઉચ્ચકક્ષાએ રજૂઆતો અને ફરિયાદો થઈ ચૂકી છે. પરંતુ અત્યાર સુધી કોઈ નિર્ણાયક પરિણામ આવ્યું નથી. જાે કે, સ્થાનિક પાલિકાના સત્તાધીશો ગાયો અને કૂતરાઓ પકડવાની કામગીરીને સંતોષ માણી રહ્યા છે. પાલિકાના સત્તાધીશો રસ્તે રખડતી ગાયો પકડયાની કામગીરીની પ્રસિદ્ધિ જણાવી રહ્યા છે પરંતુ લોકોની સમસ્યા હલ થવામાં કોઈ સુધારો જાેવા મળતો નથી. ખાસ જાણવા જેવી બાબત એ છે કે રસ્તે રખડતી ગાયોના ત્રાસ અસહ્ય બની રહ્યો છે, જેને કારણે નિર્દોષ લોકોને જાનહાનિ પહોંચે છે. આ બનાવની હજુ શાહી સુકાઈ નથી ત્યાં શહેરમાં વરસોવરસ કૂતરાઓની વધી રહેલી સંખ્યાને કારણે ગાયોની સાથે સાથે હવે રસ્તે રખડતાં કૂતરાઓનો ત્રાસ પર ચરમસીમાએ પહોંચી રહ્યો છે. કૂતરાઓ કરડવાના અને હિંસક બચકાં ભરવાના બનાવોમાં રોજબરોજ વધારો જાેવા મળી રહ્યો છે, જે ખરેખર પાલિકાના સત્તાધીશો માટે પડકારરૂપ બની રહ્યો છે. શહેરની સયાજી હોસ્પિટલમાં વિતેલા છેલ્લા ર૪ કલાક દરમિયાન રપથી વધુ લોકોને કૂતરાઓ કરડવાના અને બચકાં ભરવાના બનાવો રજિસ્ટરમાં નોંધાયા છે જેમાં તા.૭ એપ્રિલે ર૩ નાના મોટા લોકો સારવાર માટે હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતા. જ્યારે ગત તા.૬ના રોજ સાત લોકો સારવાર માટે આવ્યા હતા. હાલ આ તમામ લોકોને એન્ટિ રેબિટસના ઈન્જેકશનો આપી સારવાર આપવામાં આવી રહી છે. હવે કૂતરાઓની વસતી ઓછી કરવાનો નિર્ણય લેવાનો સમય આવી ગયો હોય તેમ લાગી રહ્યું છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    રામનવમીએ કોમી ભડકોઃ ઠેરઠેર પથ્થરમારો ઃ ૧૭ની ધરપકડ

    વડોદરા, તા.૩૦રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ સહિતની કેટલીક ધાર્મિક સંસ્થાઓ દ્વારા આયોજીત શોભાયાત્રા પર બપોરે ફતેપુરા વિસ્તાર સહિત અનેક સ્થળે ભારે પથ્થરમારાના પગલે દહેશતનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં અનેકને ઈજાઓ પહોંચી હતી તથા પરિસ્થિત પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. દરમ્યાન પોલીસે ૩૫૦થી વધુ સીસીટીવી કેમેરાને આધારે મોડીરાત સુધીમા ૧૭ તોફાનીઓની ધરપકડ કરી લીધી હતી. આ તોફાનો દરમ્યાન અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યુ હતું. છેલ્લા અનેક વર્ષોથી શાંતિપૂર્ણ માહોલનો અહેસાસ કરી રહેલું વડોદરા આજે કોમી રમખાણોના છમકલાઓથી ફરી એકવાર અભડાયું હતું. આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત શ્રીરામની શોભાયાત્રા બપોરના સમયે ફતેપુરા વિસ્તારના કુભારવાડા ખાતેથી પસાર થઈ રહી હતી.આ તબક્કે ડીજે પર મોટા અવાજે હનુમાનચાલીસા વાગતા જ એ વિસ્તારના કેટલાં યુવાનો અને વિહિપના કાર્યકરો વચ્ચે બોલાચાલી થતાં વાતાવરણ ગરમાયુ હતું આ તબક્કે પોલીસે મધ્યસ્થી કરી બંને ટોળાઓને શાંત કરી વિખેરી નાંખ્યા હતા. પરંતુ થોડી જ વારમાં આ સમાધાન પડી ભાંગ્યુ હોય એમ અચાનક આજુબાજુની ગલીઓમાંથી પથ્થરમારો શરૂ થયો હતો. આ તબકકે શોભાયાત્રામાં સામેલ એક હજારથી વધુ વીએચપી કાર્યકરોમાં ઉશ્કેરાટનો માહોલ ફેલાયો હતો. જાે કે ઘટના સ્થળે ઉપસ્થિત પોલીસે તાત્કાલિક પરિસ્થિતિ પર કાબુ મેળવવા તોફાનીઓની દિશામાં ઘસી જતાં મામલો થોડા સમય માટે શાંત પડયો હતો. પરંતુ શ્રધ્ધેય ભગવાન રામની શોભાયાત્રા પરના પથ્થરમારાથી ઉશ્કેરાયેલા કાર્યકરોને માંડ માંડ શાંતિ જાળવવા સમજાવાયા હતા. એસ.એસ.જી. હોસ્પિટલની સામે આવેલ પંચમુખી હનુમાન મંદિરથી શરૂ થયેલી આ યાત્રા શાંતિપૂર્ણ રીતે અને ધાર્મિક માહોલ સાથે આગળ વધી રહી હતી. ત્યારે પાંજરીગર મહોલ્લા ખાતે તેના પર ભારે પથ્થરમારો થયો હતો. જાે કે આ યાત્રા એરપોર્ટ, સંગમ, ફતેપુરા, કારેલીબાગ પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી.ત્યાર બાદ એ યાત્રા જીવનભારતી સ્કુલ એલ એન્ડ ટી એરપોર્ટ થઈ ફરી પંચમુખી હનુમાન મંદિર ખાતે સંપન્ન થઈ હતી.દરમ્યાન ફતેપુરા કંુભારવાડા ખાતેથી નિકળેલી શ્રી રામની આવી જ એક અન્ય શોભાયાત્રા પર તલાટીની ઓફિસની બાજુની ગલીમાંથી તથા સામેની બાજુ આવેલા એક ધાર્મિક સ્થળ પરથી અચાનક ભારે પથ્થરમારો શરૂ થયો હતો. પોલીસે માંડ માંડ પરિસ્થિત થાળે પાડતા શોભાયાત્રા આગળ વધી હતી. પરંતુ ચાંપાનેર દરવજા પાસે ફરીથી આ શોભાયાત્રા પર ભારે પથ્થરમારો થયો હતો. યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે અગાઉ સમગ્ર માર્ગ પર ઠેર ઠેર પથ્થરમારો થતાં વડોદરામાં ભારેલો અગ્નિ છે તથા મોડીરાત્રે એ કોમી રમખાણોના જવાળામુખીમાં ન ફેલાય તે માટે સ્થાનિક પોલીસે કડક હાથે કામ લેવાનુ શરૂ કર્યું છે.આજે શ્રી રામની ત્રીજી શોભાયાત્રા ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા યોજાઈ હતી. જે પ્રતાપનગર વિસ્તારના રણમુકતેશ્વર મહાદેવ ખાતેથી નિકળી પથ્થરગેટ વિસ્તારના તાડફળિયા ખાતે આવેલા રામજીમંદિર ખાતે સંપન્ન થઈ હતી. આ સમગ્ર રૂટ સંવેદનશીલ વિસ્તાર હોવાથી પોલીસે અગાઉ બે શોભાયાત્રાઓ પર થયેલા ભારે પથ્થરમારાના પગલે અગમચેતીના પગલારૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો.એક તરફ પવિત્ર રમઝાન મહિનો ચાલુ છે તથા સમગ્ર લઘુમતી વિસ્તારોમાં સાંજ બાદ ધાર્મિક માહોલ સર્જાય છે ત્યારે આજે દિવસ દરમ્યાન થયેલા કોમી છમકલાઓ વધુ વકરે નહીં તે માટે પોલીસે ચારેબાજુ ઘોસ વધારી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    મુખ્યમંત્રીના રૂટના રસ્તા બંધ કરાતાં ઠેર-ઠેર ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં ઃ લોકો અટવાયાં

    વડોદરા, તા.૭સંસ્કારી અને ઉત્સવ પ્રિય નગરી વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થાપિત કરાયેલા ગણેશજીના દર્શન માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી સાથે વિવિઘ મંડળો દ્વારા સ્થાપિત શ્રીજીના દર્શન કર્યા હતા.જ્યારે બીજી તરફ મુખ્યમંત્રીના આગમનને લઈને પોલીસ દ્વારા જેતે વિસ્તારોના રસ્તાઓ બંઘ કરાતા ટ્રાફીક જામના દ્રષ્યો સર્જાયા હતા. તેમજ પરીવાર સાથે દર્શનાર્થે નિકળેલા લોકો અચવાઈ ગયા હતા. ગણેશોત્સવ નિમિત્તે આજે વડોદરા શહેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને રાત્રે ૮ થી ૧૦ વાગ્યા સુધી વિવિધ પંડાલોમાં બિરાજમાન શ્રીજીના દર્શન કર્યા હતા.તેઓ સાથે પ્રદેશ ભાજપા મહામંત્રી ભાર્ગવ ભટ્ટ ,કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી રાજ્યના બાળ વિકાસ કલ્યાણ મંત્રી મનિષાબેન વકીલ, સાંસદ રંજનબેન ભટ્ટ મેયર કેયુર રોકડિયા તથા ધારાસભ્યો કાઉન્સિલરો તેમજ શહેરના હોદ્દેદારો,પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ ભારે ધામધૂમ પૂર્વક ઉજવાઈ રહ્યો છે ત્યારે વર્ષો ની પરંપરા મુજબ રાજ્યના મુખ્યમંત્રીઓ વડોદરાના ગણેશ ઉત્સવમાં ગણેશજી ના દર્શન માટે અચૂક હાજરી આપે છે આજે વડોદરા શહેરમાં રાજ્યના મુખ્યમંત્રી શ્ર ભુપેન્દ્ર પટેલ ખાસ દર્શન માટે આવ્યા હતા અને વિવિધ વિસ્તારોમાં સ્થાપિત કરાયેલા શ્રીજીના દર્શન કર્યા હતા. જાેકે, મુખ્યમંત્રીનો કાફલો જેજે રૂટ પરથી પસાર થઈને જે ગણેશજીના પંડાલ માં જવાનો હતો જે માર્ગ બંઘ કરાતા ટ્રાફીક જામના દ્રષ્યો સર્જાયા હતા સાથે પરીવારના સભ્યો સાથે ગણેશજીના દર્શનાર્થે નિકળેલા લોકો અટવાઈ ગયા હતા.મુખ્યમંત્રીએ હરણી રોડ, નવા બજાર, દાંડિયા બજાર એસવીપીસી ટ્રસ્ટ ખાતે મુખ્યમંત્રીના હસ્તે શ્રજીને સુવર્ણ માળા અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ પોલો ગ્રાઉન્ડ બગીખાના, વારસિયા રીંગ રોડ માંજલપુર , ઇલોરા પાર્ક તથા સુભાનપુરા હાઈ ટેન્શન વિસ્તારમાં સ્થાપના કરાયેલા ગણેશજીના દર્શન કર્યા હતા.
    વધુ વાંચો
  • ગુજરાત

    નર્મદા ડેમની જળ સપાટી વધતા પૂરનો ખતરો

    રાજપીપળા,તા.૧૬સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૧૩૪.૭૭ મીટરે નોંધાઈ છે.ઉપરવાસના જળાશયોમાં પાણીની આવકમાં વધારો થવાના કારણે નર્મદા ડેમમાં હાલમાં સરેરાશ આશરે ૩.૪૩ લાખથી પણ વધુ ક્યુસેક પાણીના જથ્થાની આવક થઈ રહી છે.ઉપરવાસના જળાશયોમાં પાણીની આવક વધવાને લીધે ડેમના ૨૩ દરવાજા ૨.૯૦ મીટર સુધી ખોલી આશરે ૪.૫ લાખ ક્યુસેક અને ભૂગર્ભ જળવિદ્યુત મથકમાંથી વિજ ઉત્પાદન બાદ છોડાઈ રહેલા પાણી સહિત કુલ-૪.૯૫ લાખ ક્યુસેક પાણીનો જથ્થો નદીમાં છોડાઇ રહ્યો છે.હાલ નર્મદા નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થઇ ચૂક્યું છે.નર્મદા ડેમ પર મધ્યપ્રદેશથી પાણીની આવકનું કારણ મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર તવા હોસંગાબાદ ઇન્દિરા સાગર ,ઓમકારેશ્વર તમામ ડેમો ભરાઈ ગયા છે, સાથે સાથે વરસાદ પડે છે એના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની પાણીની આવક વધી રહી છે.નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી ૧૩૮.૬૮ મીટર સુધી પહોંચવામાં ૪ મીટર બાકી છે.બીજી તરફ પાણીની આવક સતત થતી હોવાના કારણે ૨૪ કલાક વીજ મથક ચાલે છે જેના કારણે અત્યાર સુધીમાં ૧૦૦ કરોડથી પણ વધારે રૂપિયાની વીજળી પેદા થઈ ગઈ છે, મુખ્ય કેનાલની અંદર ૨૦ હજાર ક્યુસેક પાણી સીધું રાજ્યના અનેક વિસ્તારમાં સિંચાઈ અને પીવા માટે આપવામાં આવી રહ્યું છે.સતત પાણીની આવક વધવાના કારણે જે ભરૂચ નર્મદા નદી વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવે છે ખાસ કરીને જે ગામની વાત કરીએ તો નર્મદા ભરૂચ અને વડોદરાના ૬૭ જેટલાં ગામો એલર્ટ કરવામાં આવ્યા છે.સરદાર સરોવર નર્મદા ડેમમાં કુલ જીવંત જથ્થો ૪૫૦૨.૫૦ મિલીયન ક્યુબીક મીટર છે.મધ્ય પ્રદેશમાં ભોપાલ, નર્મદા પુરમ, જબલપુર, ગુના, શીવપુરી, સાગર જિલ્લાઓમા સતત વરસાદના પગલે નર્મદા ડેમમાં પાણીની આવક વધી શકે છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    જિલ્લાના બાકી ગામોમાં વીજ પુરવઠો ઝડપભેર પુનઃ સ્થાપિત કરવામાં આવશે ઃ મુખ્યમંત્રી

    બોડેલી, તા.૧૨મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મધ્ય ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદથી પૂરગ્રસ્ત અને સૌથી વધુ પ્રભાવિત બોડેલી વિસ્તારની મુલાકાત મંગળવારે લીધી હતી. મુખ્યમંત્રી વરસાદથી અતિ પ્રભાવિત વિસ્તારોની જાત નિરીક્ષણ મુલાકાત અંતર્ગત બોડેલીના અસરગ્રસ્તોને મળ્યા હતા અને તેમની સાથે વાતચીત કરી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા બચાવ રાહત કાર્યો, આશ્રય સ્થાનોની વ્યવસ્થા વગેરે અંગે વિગતો મેળવી હતી.ભૂપેન્દ્ર પટેલે બોડેલીના વર્ધમાન નગર વસાહતના અસરગ્રસ્તોને રૂબરૂ મળીને વરસાદે વેરેલા નુક્સાનની વિતક જાણી હતી.મુખ્યમંત્રીએ શિરોલાવાલા હાઈસ્કુલ ખાતેના આશ્રયસ્થાનમાં આશરો લઈ રહેલા અસરગ્રસ્ત લોકોની પણ મુલાકાત લઈ તેમને મળતી ભોજન, આરોગ્ય સેવાઓની જાણકારી મેળવી હતી અને સરકાર તેમની પડખે છે તેવો સધિયારો આપ્યો હતો. શિરોલાવાલા હાઈસ્કુલ ખાતે મુખ્યમંત્રી વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવાને પણ મળ્યા હતા. વિરોધપક્ષના નેતાએ છોટાઉદેપુર જિલ્લામાં વરસાદે વેરેલા વિનાશની વિગતો મુખ્યમંત્રીને આપી હતી. મુખ્યમંત્રીએ અસરગ્રસ્તોને મદદરૂપ થવાની હૈયાધારણા આપી પૂર અસરગ્રસ્તોને રાજ્ય સરકારના ધારાધોરણ મુજબ જરૂરી તમામ સહાય સમયમર્યાદામાં ચુકવવામાં આવશે તેમ ઉમેર્યું હતું રાચરચીલું પાણીમાં તણાઇ જતાં લોકોને મુશ્કેલી બોડેલી ઃ મુખ્યમંત્રી વરસાદ થી થયેલા નુકસાન વર્ધમાન નગર ,રજા નગર અને શિરોલાવાલા હાઈસ્કૂલની મુલાકાંતે પહોંચ્યા હતા.પાણી ઓસરરતા લોકોની હાલત કફોડી અનાજ, કપડા ઘરનું રાચ રચીલુ પાણી મા તણાઇ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે
    વધુ વાંચો
  • ગુજરાત

    કાંકરીયા ધર્માંતરણ કેસમાં ચાર આરોપીના પાંચ દિવસના રીમાન્ડ મજૂર

    ભરૂચ, ભરૂચ જિલ્લાના આમોદના કાંકરિયા ગામના ૩૭ પરિવારના ૧૦૦ જેટલા આદિવાસીઓને મુસ્લિમ બનાવવાના ષડયંત્રમાં એસ.સી.એસ.ટી.સેલના નાયબ પોલીસ અધિક્ષક કક્ષાએ તપાસ ચાલી રહી છે. આમોદના તાલુકાના કાંકરિયા ગામ સિવાય આસપાસના ગામોમાં પણ ધર્માંતરણ થયું છે કે નહીં તેની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. સાથે જ હાલના ૯ આરોપી સિવાય બીજા પણ અન્ય આરોપી છે કે નહીં તે તપાસનો વિષય બન્યો છે. આમોદ પોલીસ મથકે ગેરકાયદે રીતે હિન્દુ સમાજના ગરીબ વસાવા લોકોને ઘર, મકાન, રાશન, ધંધો-રોજગાર, શિક્ષણ, લગ્ન કરાવી આપવાની લાલચે મુસ્લિમ ધર્મ અંગિકાર કરવા અંગેની નોંધાયેલી ફરિયાદમાં નાયબ પોલીસ અધિક્ષક એમ.પી.ભોજાણીએ તપાસ હાથ ધરી છે. આ માટે ત્રણ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. ધર્માંતરણમાં સામેલ ૯ પૈકીના ૪ આરોપીઓ ઐયુબ બરકત પટેલ, ઇબ્રાહિમ પુના પટેલ, અબ્દુલ અઝીઝ પટેલ તેમજ યુસુફ જીવણ પટેલની ધરપકડ કરી તેમની પુછપરછ કરવામાં આવી હતી.પરંતુ પૂછપરછ માં કઈ ના મળતા તેમના આમોદ કોર્ટમાં ૧૪ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા જેમાં કોર્ટ વકીલોની દલીલો સાંભળ્યા બાદ પાંચ દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતાં.હિન્દુ સમાજના ગરીબ પરિવારોનું ગેરકાયદે ધર્માંતરણ કરાવવાના ષડયંત્રમાં આમોદના બેકરીવાલા બંધુ એટલે કે શબ્બીર બેકરીવાલા અને સમદ બેકરીવાલા મુખ્યસુત્રધાર હોવાનું મનાઇ રહ્યું છે. બેકરીવાલા બંધુઓએ પહેલાં અજીત છગન વસાવાને ભોળવી તેનું અબ્દુલ અઝીઝ પટેલના નામે ધર્માંતરણ કરાવ્યુ હોવાની વિગતો મળી રહી છે.જે બાદ અબ્દુલ અઝીઝે અન્ય લોકોનું ધર્માંતરણ કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આમોદના કાંકરિયા ગામે છેલ્લાં ઘણા વર્ષોથી એકલ-દોકલ લોકોનું ધર્માંતરણ કરાવાતું હોવાનું અને છેલ્લાં પાંચ-છ વર્ષથી આ પ્રવૃત્તિ વધુ તેજ બની હોવાનું જાણવા મળી રહ્યું છે. ગામના ૭ કે ૮ લોકોને ઇકો કારમાં સૂરત લઇ જઇ તેમના મુસ્લિમ નામો સાથે આધારકાર્ડ બનાવી આપવામાં આવતાં હોવાની વિગતો પણ સામે આવી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ભરૂચમાં તહેવાર ટાણે વાયરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો

    ભરૂચ -ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી જતાં શહેરનાં કેટલાય વિસ્તારોમાં મેલેરિયા અને ડેન્ગ્યુના કેસોમાં વધારો નોંધાયો છે.જેથી આવનારા ઉત્સાહના પર્વ દિવાળી પહેલાં શહેરમાં જૂદા જૂદા વિસ્તારમાં આવેલી ગંદકીવાળી જગ્યાને સ્વચ્છ બનાવવામાં આવે તેવી લોકએ માંગણી કરી છે નગરપાલિકા દ્વારા લોકોની સુખાકારી માટે દરેક વિસ્તારોમાં કચરા પેટીઓ મુકવામાં આવે છે.જેમાં આસપાસના રહીશો પોતાના ઘરોના કચરાનો નિકાલ કરે છે.પરંતુ નગરપાલિકા દ્વારા સફાઈ નહીં કરવામાં આવતા તેની કામગીરી સમય સર નહિ કરવામાં આવતી હોવાના કારણે કચરા પેટીઓ ઉભરાય જવાથી કચરો બહાર પડે છે.આ કચરો પવન અને પશુઓ ખોરાકની શોધમાં ખેંચી જવાના કારણે જાહેર માર્ગો પર ફેંકાય જાય છે.જેના કારણે માર્ગો પરથી પસાર થતા વાહન ચાલકો અને વટેમાર્ગુઓને તેની દુર્ગંધના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ કચરાના કારણે તેમાં મચ્છરોના ઉપદ્રવ બાંધવા કારણે કેટલાય ઘરોમાં માંદગીના ખાટલાઓ જાેવા મળે છે.રાજ્ય અને કેન્દ્રમાં ભાજપ સરકાર જયારથી સત્તામાં બેઠી છે ત્યારથી ભારતને સ્વચ્છ બનાવાનું મિશન હાથ ધર્યું છે. વર્ષ ૨૦૧૪થી ભાજપ ઠેર ઠેર લોકોને જાગૃત કરી રહો છે કે, સ્વચ્છતા જાળવો પણ શહેરોનું પાલિકા તંત્ર જાણે ઊંઘી રહ્યું છે તેમ ભરૂચ પાલિકાની હદ્દ વિસ્તારમાં આવેલા કેટલાક વિસ્તારમાં હાલ ગંદકીનું સામ્રાજ્ય જાેવા મળી રહ્યું છે. જેના કારણે હાલમાં શહેરમાં વાયરલ ફીવરના કેસ વધી રહ્યા છે. ભરૂચ શહેરમાં તાવ-શરદીના ૧૩૪૮ કરતા વધું કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં પણ ૧૬ કેસ તો ડેન્ગ્યુનાં હોવાનું સરકારી ચોપડે સત્તાવાર નોંધાયું છે. આગામી દિવસોમાં દિવાળીના શુભ પર્વની આવી રહ્યા હોય ત્યારે શહેરના ઘણા વિસ્તાઓમાં ગંદકી અને કચરાના ઢગ જાેવા મળી રહ્યા છે. જયારે કોઈ સત્તાધારી નેતા આવવાના હોય ત્યારે રાતોરાત રસ્તાઓ પાણીથી સાફ કરવામાં આવે છે અને એ વિસ્તારને ચમકાવી દેવામાં આવે છે ત્યારે શું શહેરની જાહેર જનતા સાથે અન્યાય નથી.ટેક્સ સામાન્ય જનતાથી ઉઘરાવામાં આવે છે અને સવલાતો મોટા નેતાઓને આપવામાં આવે છે.ભરૂચના એક માત્ર શક્તિનાથ વિસ્તારની જ વાત કરીએ તો કચરા પેટી હોવા છતાં રસ્તા પર કચરો ફેલાઈ રહ્યો છે અને પાલિકા દ્વારા તે વિસ્તારમાંથી કચરાપેટી તો ઉંચકી લેવામાં આવે છે પરંતુ આસપાસ પડેલા કચરાને ઉઠવામાં આવતો નથી. વાહનોની અવાર જવરથી ગંદકી વધુને વધુ ફેલાઈ રહી છે.જેથી વાહન ચાલકો પણ દુર્ગંધનો સામનો કરી રહ્યા છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    અંકલેશ્વર આર્ટસ અને કોમર્સ કોલેજમાં આઝાદીનો અમૃત મહોત્સવ નિમિત્તે સ્વચ્છ ભારત કાર્યક્રમનો શુભારંભ

    અંક્લેશ્વર-અંકલેશ્વર આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત આઝાદીનો અમૃત મહોત્સવ ની" સ્વચ્છ ભારત : ૧ ઓક્ટોબર થી ૩૧ ઓક્ટોબર ૨૦૨૧ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત કરતા એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર ડો. જયશ્રી ચૌધરી એ " સ્વચ્છ ભારત " કાર્યક્રમ વિશે વાત કરી હતી. કાર્યકારી આચાર્ય ડો.હેમંત દેસાઈએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. "આઝાદીનો અમૃત મહોત્સવ"ના કોર્ડિનેટર પ્રવીણકુમાર પટેલે સત્ય અને અહિંસાના પૂજારી ગાંધીજીના જન્મ જયંતી અને ઉત્સાહભેર ઉજવણી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. અર્થશાસ્ત્ર વિભાગના વડા ડો.કે.એસ.ચાવડાએ " ગાંધીજી અને સ્વચ્છતા અને યુવાનોની ભાગીદારી " વિશે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા કહ્યું હતુ કે " ગાંધીજી એક પોતળીધારી સંત હતા. અને મોહનચંદ ગાંધી થી શરૂ કરીને મહાત્મા સુધીની સફર તેમણે કરી જેમાં ભારત દેશ ને અહિંસક સ્વતંત્રતાની ભેટ તેમણે આપી. હકીકતમાં આઝાદીનો અમૃત મહોત્સવ એટલા માટે ઉજવવામાં આવી રહ્યો છે કે યુવાઓમાં આઝાદીમાં સ્વતંત્ર વીરો એ જે સમર્પણ અને ત્યાગ કર્યો હતો. તેની જાણકારી મળે અને " સ્વચ્છ ભારત " ૧ ઓક્ટોબર થી ૩૧ ઓક્ટોબર સુધીની ઉજવણી અંતર્ગત યુવાઓમાં સ્વચ્છતાના ગુણોનો વિકાસ થાય. એન.એસ.એસ.ના સ્વયંસેવકો એ બસ સ્ટેન્ડ કે જાહેર જગ્યાએ જ્યાં કચરો દેખાય ત્યાંથી ઉઠાવીને કચરા પેટીમાં નાખવો જોઈએ અને સમાજમાં સ્વચ્છતાનો સંદેશ ફેલાવવો જોઈએ. આવા સાંકેતિક કાર્યક્રમ અંતર્ગત આપણા જીવનમાં જે સુટેવો ઘડાય છે કે જીવનભર વણાઈ જાય એ એનો હેતુ છે. સહુએ આ સ્વચ્છતા વિરોધ કુટેવો માંથી સ્વચ્છતાના સિપાહી બનીને પરિવર્તનના વાહક બનવાનું છે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આઝાદીના સંઘર્ષોને યાદ કરીને નૂતન ભારતની ઉજ્જવળ છબી ઉજાગર કરવાની જવાબદારી આપણા શિરે છે. " ડો. વર્ષા પટેલે " ગાંધીજીનો સાહિત્ય પર પ્રભાવ " એ વિષય પર વક્તવ્ય આપતા કહ્યું હતું કે, " સાદગી સરળતા નિખાલસતા અને આત્મશ્રદ્ધાનો રણકાર ગાંધીજીના સાહિત્યમાં જોઈ શકાય છે. સત્ય , અહિંસા , નીડરતા જેવા અનેકવિધ ગુણોને જીવનમાં ઉતારીને પોતાની જાદુઈ લાકડી ફેરવીને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વતંત્રતાનો મંત્ર ગાંધીજીએ આપ્યો હતો. આ કાર્યક્રમનું સફળ સંચાલન અને આભારવિધિ ડો. જયશ્રી ચૌધરી એ કરી હતી.આ કાર્યક્રમ પૂર્ણ થયા પછી તમામ વિદ્યાર્થીઓ તથા અધ્યાપકોએ રેલી કરીને સ્વચ્છતા અને ગાંધીજીને બિરદાવતા સૂત્રોચ્ચાર કરતા કોલેજ કેમ્પસ થી કોલેજ બસ સ્ટેશન સુધી પદયાત્રા કરી હતી અને આ દરમિયાન પ્લાસ્ટિક રેપર તથા કચરો વીણીને એકત્રિત કર્યા હતા. એન.એસ.એસ.ના તમામ ગ્રુપ લીડર અને ક્લાસ મોનીટર સૌએ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપ્યો હતો. કાર્યક્રમની સફળતા માટે એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર રાજેશ પંડ્યા એ શુભેચ્છાઓ પાઠવી હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    નસવાડી તાલુકામાં બે વર્ષમાં બનેલા ૧૩૭ સામુહિક શૌચાલય બંધ હાલતમાં

    નસવાડીનસવાડી તાલુકાઓ આદિવાસી વસ્તી ધરાવતા તાલુકો છે જેને લઇને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ઘ્વારા દરેક ગ્રામ પંચાયતમાં બે વર્ષમાં ૨ કરોડો ૮૦ લાખની રકમ ફાળવી જેમાં ૬૭ સામુહિક સૌચાલયની કામગીરી ગત વર્ષ પુરી કરી દેવામાં આવી જયારે આ વર્ષ ૭૦ જેટલાં નવા સામુહિક સૌચાલયની બનવવાની કામગીરી ચાલુ છે અહીંયા મહત્વની બાબત એ છે કે જે ગામોમાં સામુહિક સૌચાલય આદિવાસી વિસ્તારની મહિલાઓ અને પુરુષો શોચ ક્રિયા માટે બહાર જતા હતા તેને અટકાવવા માટે અને ગામમાં ગંદકી ના થયા તે માટે સરકારે ગ્રાન્ટ ફાળવી પરંતુ એસ.બી.એમના અધિકારીઓ તેમજ ગ્રામ વિકાસ ઈજન્સીના અધિકારીઓ અને ગ્રામ પંચાયતના સત્તા ધીસો સામુહિક શોચાલયની કામગીરીમાં ધ્યાન ના આપતા હાલ તાલુકામાં જે સૌચાલય બન્યા છે તે સૌચાલયમાં પાણીની સુવિધા કરવામાં આવી નથી કેટલાક સૌચાલયોને તાળા મારી દેવામાં આવ્યા છે જયારે કેટલાક સૌચાલયઓના દરવાજા તૂટી ગયા છે.
    વધુ વાંચો
  • રાજકીય

    ભરૂચ: પોતાના જિલ્લામાંથી એક પણ ધારાસભ્યને સામેલ ન કરતા મનસુખ વસાવાનુ ટ્વીટ, જાણો શું કહ્યું

    ગાંધીનગર-રાજ્યમાં વિજય રૂપાણીના રાજીનામાં આપ્યા બાદ નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બન્યા, હવે આજે નવા મંત્રીઓના પણ શપથ પૂરા થઈ ગયા છે, ભૂપેન્દ્ર પટેલની ટીમમાં ૨4 ધારાસભ્યોનો સમાવેશ થયો છે, નવા મંત્રી મંડળમાં નવા સમાવીને સંપૂર્ણપણે નો-રિપીટ થિયરી અપનાવવાનો ભાજપે નિર્ણય લીધા બાદ, પોતાના જિલ્લામાંથી એક પણ ધારાસભ્યને સામેલ ન કરતા ભરૂચ લોકસભાના સંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ પોતાના ટ્વીટર અકાઉન્ટમાં ટ્વીટ કરીને તેમની નારાજગી વ્યક્ત કરી છે, જેમાં તેમને લખ્યું છે કે..
    વધુ વાંચો
  • ગુજરાત

    પેટ્રોલ-ડીઝલના ભાવવધારાથી થાકીને 40ની સ્પીડથી ચાલતી ઇ-સાઇકલ બનાવી

    ભરૂચ-દેશમાં સરકાર બદલાઈ પણ પેટ્રોલના ભાવ ઘટવાની જગ્યાએ દિન પ્રતિદિન વધી રહ્યા છે. દેશમાં કેટલાય રાજ્યોમાં પેટ્રોલના ભાવ ₹૧૦૦ને પાર કરી ચુક્યો છે. કોરોનાકાળમાં આર્થિક રીતે તૂટી ચૂકેલા અને ઓછી આવક સામે મહિનાના બજેટમાં પેટ્રોલના વધતા ભાવ સાથે જ પેટ્રોલિયમ પદાર્થના વધતા ભાવોના અસરના કારણે રોજમદારની બજારની ચીજ વસ્તુઓના ભાવ પણ આસમાને ચઢી ગયા છે. ત્યારે પેટ્રોલની ગાડીઓ હંકારવી ગરીબ તેમજ મધ્યમવર્ગીયને આર્થિક રીતે પરવડે તેમ ન હોવાની વાતને ધ્યાને લઇ નેત્રંગના લાલમંટોડી વિસ્તારના ઈમ્તીયાઝ ખત્રીએ બેટરીથી ચાલતી ઇ-સાયકલ બનાવી છે. પોતે ભંગારના વેપારી હોવાથી પોતાને ત્યાં પડી રહેલ ચીજ વસ્તુઓ તેમજ અન્ય ભંગારીઓના ત્યાંથી જરૂરી સમાન મેળવી એક ઇ-સાઇકલ બનાવી દીધી છે. જેની વિશેષતાની વાત કરીતો ચાર ટાયરની ઇ-સાઇકલ જેમાં ૨૪ વોલ્ટની મોટર સાથે ૧૨-૧૨ વોલ્ટની બે બેટરી જોડેલ છે. ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપ સુધી સાયકલ દોડી શકે છે. એક વખત બેટરી ફુલ ચાજઁ કયૉ બાદ આ સાઇકલ ૫૦ કિમી સુધી પ્રવાસ કરી શકે છે. સાયકલનું વજન ૬૦ કિ.ગ્રા ચાર ટાયરની આ સાઈકલને એક બાળકથી લઇને યુવકો પણ આસાનીથી હંકારી શકે છે. જેવી રીતે મોટરગાડીમાં પગથી એક્સીલરેટર અને બ્રેક મારી શકાય છે, તેવી જ રીતે આ ઇ-સાયકલને પણ એક્સીલીટર-બ્રેક મારી શકાય છે. પાછળના ભાગે એક બાસ્કેટ મૂક્યું છે જેમાં ૧૦ કિલોગ્રામ સુધીનો સામાન પણ મૂકી શકાય છે. આ સાયકલને બનાવવા માટે ભંગારનો વેપારીને ૨ મહિનાનો સમય લાગ્યો હતો. ભંગારના વેપારીએ વેસ્ટમાંથી બેસ્ટ એટલે ભંગારનો ઉપયોગ કરી રૂ.૫૦૦૦ જેટલા મામુલી ખર્ચે ઇ-સાઇકલ તૈયાર કરી બતાવી છે. નેત્રંગના રોડ ઉપર દોડતી ઇ-સાઇકલને જોઇ લોકોની નજર એકસમયે થંભી ગઈ હતી. જોકે વેસ્ટમાંથી બેસ્ટની કરામત કરનાર ભંગારના વેપારીની આવડતને નેત્રંગવાસીઓએ વધાવી લીધી હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    દહેજની SRF કંપનીમાં એસિડ ટેન્કમાં બ્લાસ્ટ થતા, 1નું મોત બે ગંભીર ઇજાગ્રસ્ત 

    ભરૂચ-દહેજની ઔદ્યોગિક વસાહતમાં આવેલી ઈન્ડસ્ટ્રીઝમાં સોમવારે મોડી સાંજે કંપનીના વેસલમાં રસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રેસર વધી જતા બ્લાસ્ટ થયો હતો. જેમાં એક કર્મચારીનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત કામદારોને સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ મળતી માહિતી પ્રમાણે, દહેજ જીઆઈડીસીમાં આવેલી એસઆરએફ કંપનીના સી-2 પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન સલ્ફ્યુરિક એસિડના ટેન્કમાં પ્રેસર વધી જતાં સલ્ફ્યૂરિક એસિડ ફૂવારા સાથે લીક થયું હતું. આ સમયે ફરજ પર પ્લાન્ટમાં કામ કરી રહેલા ઝુબેર રાણા, રાજેન્દ્ર પરમાર તેમજ ગુપ્તા પ્રસાદ એસિડથી ગંભીર રીતે દાઝી ગયા હતા. જે બાદ તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ઝુબેર રાણાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
    વધુ વાંચો
  • ગુજરાત

    અંકલેશ્વરના રહિયાદ ગામના જમીન વિહોણા ખેડૂતો આંદોલન પર ઉતર્યા,આ છે કારણ

    ભરૂચઔદ્યોગિક તળાવની રોજગારી સંદર્ભે જી.આઈ.ડી.સી.ના ત્રાસથી થાકેલા મોજે ગામ રહિયાદના જમીમ વિહોણા ખેડૂતો કેટલાક પ્રશ્નનો ઉકેલ ન આવે તો કુટુંબીજનો સાથે જન આંદોલન પર ઉતરે તેવી ચીમકી જી.આઈ.ડી.સી. ના પ્રબંધક મેનેજરને આપવામાં આવી હતી. આદ્યોગિક વિકાસના હેતુ માટે વાગરા તાલુકાના મોજે ગામના જમીમ વિહોણા ખેડૂતોએ વર્ષ 2008માં તેઓની સંપૂર્ણ ખેતીલાયક જમીન જી.આઈ.ડી.સી.ને સંમતિ એવોર્ડથી સંપાદન કરવામાં આવી હતી. જેમાં તે સમયે જી.આઈ.ડી.સી ના અધિકૃત અધિકારો દ્વારા ટૂંક સમયમાં જમીન વિહોણા ખેડૂતોને કાયમી ધોરણે રોજગારી આપવાનું અને ગામનો વિકાસ કરવાનું એક લેખિત વચન પત્ર વર્ષ 2008 માં જ આપવામાં આવ્યું હતું. જેમાં હાલ સુધી કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી. આવેદનપત્ર અનુસાર છેલ્લા આઠથી નવ વર્ષથી લખાણ લઈને ખેડૂતો જી.આઈ.ડી.સી માં રોજગારી અને વિકાસના કામો માટે ભટકી રહ્યા છે, ઘણી બધી રજુઆતો કરવામાં આવી છે, ઘણી બધી મીટીંગો સાથે ઘણા બધા પત્ર વ્યવહાર કરવામાં આવ્યા છે પરંતુ તેનો કોઈ ઉકેલ આવી રહ્યો નથી. રહિયાદ ગામે જી.આઈ.ડી.સી તળાવ છેલ્લા પાંચ વર્ષથી રહિયાદ ગામની સીમ રેખામાં કાર્યરત છે, જે જમીન પર તળાવ બનેલ છે તેમાં 59 થી વધુ રહિયાદ ગામના લેન્ડ લુઝરોએ જમીન ગુમાવેલ છે, વચન પત્ર મુજબ ત્યાં બહારનાં લોકો આવીને કામ કરે છે પણ તેમાં એક પણ લેન્ડ યુઝરોને આજદિન સુધીય રોજગારી બાબતે સમાવેશ કરવામાં આવ્યો નથી. રોજગારી અર્થે અગાઉ મોજે ગામે રહિયાદમાં ખેડૂતોએ 10-10-2017 ના રોજ રહિયાદ ચોકડી પર જન આંદોલન કર્યું હતું, જે વાતને આજે 41 મહિના કરતા વધુ સમય થઇ ગયો છે જેનો કોઈ નિશ્ચિત ઉકેલ આવી રહ્યો નથી, જેથી આ વર્ષે પણ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે 19/07/2021 ના રોજ જી.આઈ.ડી.સી ઔદ્યોગિક તળાવ રહિયાદ પર કુટુંબકબીલા સાથે જો લેન્ડ લુઝર તરીકે રોજગારી ન આપે તો તળાવને બંધ કરવા ખેડૂતો મજબુર થશે અને આંદોલન કરી રહ્યા છે. જેથી વહેલી તકે થઇ રહેલા અન્યાય સામે હક્ક માટેનો ન્યાય મળી રહે.
    વધુ વાંચો
  • ગુજરાત

    કોર કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય ગુજરાતમાં 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂની સમય મર્યાદા 31 જુલાઈ કરાઈ

    ગાંધીનગર-મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોનાના દૈનિક કેસોની પ્રર્વતમાન સ્થિતીના થઇ રહેલા સતત ઘટાડાની સમીક્ષા કરીને વધુ કેટલાક નિયંત્રણો હળવા કરવાના નિર્ણયો લેવામાં આવ્યા છે.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતીમાં મળેલી આ કોર કમિટીમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, રાજ્યના જે ૮ મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જુનાગઢમાં હાલ રાત્રિ કરફયુ રાત્રે ૧૦ થી સવારે 6 સુધી અમલમાં છે. આ રાત્રિ કરફયુની મુદત તા.ર૦ જુલાઇ-ર૦ર૧ મંગળવારે સવારે ૬ વાગ્યે પૂર્ણ થાય છે તેને હવે ૩૧ જુલાઇ-ર૦ર૧ સુધી લંબાવવામાં આવી છે. એટલે કે આ ૮ મહાનગરોમાં રાત્રિ કરફયુની સમયાવધિ હવે, તા.૧ ઓગસ્ટ-ર૦ર૧ સવારે ૬ કલાકે પૂરી થશે.રાજ્યમાં વોટર પાર્કસ અને સ્વિમીંગ પૂલ ૬૦ ટકા કેપેસિટી સાથે શરૂ કરી શકાશેકોર કમિટીમાં લેવાયેલા અન્ય નિર્ણયો મુજબ રાજ્યમાં વોટર પાર્કસ અને સ્વિમીંગ પૂલ તા.ર૦ જુલાઇ-ર૦ર૧ થી તેની ક્ષમતાના ૬૦ ટકા સાથે અને કોરોના ગાઇડલાઇનના નિયમોના પાલન સાથે નિયત એસ.ઓ.પી.ને આધિન શરૂ કરી શકાશે.પ્રાયવેટ અને પબ્લીક ટ્રાન્સપોર્ટમાં નોન એ.સી માં ૧૦૦ ટકા પેસેન્જર અને એ.સી.માં ૭પ ટકા પેસેન્જર કેપેસિટીમાં ચાલુ રહેશે. રાજ્યમાં પ્રાયવેટ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાઓ માટે પણ તા.ર૦ જુલાઇ-ર૦ર૧થી કેટલીક છૂટછાટો આપવાનો નિર્ણય કોર કમિટીમાં લેવામાં આવ્યો છે. પબ્લિક અને પ્રાયવેટ ટ્રાન્સપોર્ટમાં નોન એ.સી બસ સેવાઓ 100 ટકા કેપેસિટી સાથે શરૂ કરી શકાશે પરંતુ આવી સેવાઓમાં મુસાફરોને ઊભા રહી પ્રવાસ કરવાની મંજૂરી અપાશે નહી. એ.સી સેવાઓ તેની ક્ષમતાના ૭પ ટકા પેસેન્જરો સાથે શરૂ કરી શકાશે.
    વધુ વાંચો
  • ગુજરાત

    નર્મદા મૈયા બ્રિજનું લોકાર્પણ

    ભરૂચ - અંકલેશ્વર વચ્ચે નર્મદા નદી પર રૂા. ૪૩૦ કરોડના ખર્ચે નિર્મિત ચાર માર્ગીય નર્મદા મૈયા પુલ તેમજ એલિવેટેડ કોરીડોરના લોકાર્પણ તથા અન્ય વિવિધ રૂા. ૨૨૨ કરોડના ખર્ચે નિર્મિત થનાર રસ્તાના કામોનું ભૂમિપૂજન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે સોમવારના રોજ બપોરે ૨.૩૦ કલાકે કે.જે. પોલીટેકનીક કોલેજ ગ્રાઉન્ડ ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું. નર્મદા મૈયા પુલ તેમજ એલિવેટેડ કોરીડોર ચાર માર્ગીય પુલની લંબાઇ ૧૪૬૨ મીટર તથા ૨૦.૮૦ મીટર પહોળાઇ છે. એપ્રોચની લંબાઇ ૨૧૩૧ મીટર, એલિવેટેડ કોરીડરની લંબાઇ ૧૪૦૭ મીટર અને પહોળાઈ ૧૭.૨૦ મીટર છે. આજરોજ નર્મદા મૈયા ઉદ્ધાટન સમારોહમાં માનનીય નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલના વરદહસ્તે રીબીન કાપી અને નારિયેળ ફોડીને દીપ પ્રાગટય કરીને લોકાર્પણ કાર્યક્રમ પોલીસ બંદોબસ્ત વચ્ચે સફળ બનાવાયો હતો, સમગ્ર કાર્યકર્તાઓ દ્વારા કોરોના ગાઈડલાઇનનું પાલન કરવામાં આવ્યું હતું અને દરેક આગેવાનોએ માસ્ક ફરજિયાતપણે પહેરીને કાર્યક્રમને પાર પાડયો હતો. જેમાં સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરના ધારાસભ્ય અરુણસિંહ રણા, રાજ્યસભાના પૂર્વ સાંસદ ભારતસિંહ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબહેન પટેલ, ભાજપના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાના વિકાસમાં આ બ્રિજ એક મોરપીંછ સમાન સાબિત થશે. ભરૂચ જિલ્લો ઔદ્યોગિક જિલ્લો છે, ત્યારે નોકરિયાત વર્ગ માટે આ બ્રિજ આશીર્વાદરૂપ સાબિત થશે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ગોલ્ડન બ્રિજને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા સિટીઝન કાઉન્સિલની રજૂઆત

    ભરૂચ, ભરૂચમાં નર્મદા નદી ઉપર ગોલ્ડનબ્રિજને સમાંતર ફોરલેન નર્મદા મૈયા બ્રિજ તૈયાર થઈ ગયો છે અને ૧૨મી એ લોકાર્પણ થવા જઈ રહ્યું છે. ત્યારે ભરૂચ સિનિયર સિટીઝન કાઉન્સિલે ગોલ્ડનબ્રિજને દેશનું રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા કલેકટરને રજુઆત કરી છે. સાથે જ તેને વોકિંગ બ્રિજ બનાવવા પ્રસ્તાવ મુક્યો છે.નર્મદા નદી ઉપર નિર્માણ પામી રહેલ નર્મદામૈયા બ્રીજ પૂર્ણતાને આરે છે અને ટૂંક જ સમયમાં તેનું લોકાર્પણ થવા જઈ રહ્યુ છે. ભરૂચ સીટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ દ્વારા ગોલ્ડન બ્રિજને સમાંતર નવો બ્રીજ બને તે માટે વર્ષ ૨૦૧૧થી રજુઆતો કરવામાં આવતી હતી. પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ જયારે માર્ગ અને મકાન વિભાગના મંત્રી હતા ત્યારથી આ બ્રીજ બનાવવા અંગેની માંગ કરવામાં આવી હતી. બાદમાં સ્થાનિક નેતાઓની સહાયથી આ સ્વપ્ન સાકાર થયું છે અને ટૂંક જ સમયમાં તેનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. ભરૂચ સિનિયર સિટીઝન કાઉન્સીલે રજુઆતમાં કહ્યું છે કે, હાલ ભરૂચ તેમજ અંકલેશ્વર વચ્ચે અંગ્રેજાેના જમાનાથી સતત ૧૪૧ વર્ષથી સેવા આપી રહ્યો છે. નર્મદા મૈયા બ્રીજનું લોકાર્પણ થાય ત્યાર બાદ ગોલ્ડન બ્રિજને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવામાં આવે તેવી રજૂઆત ભરૂચ સીટીઝન કાઉન્સીલ દ્વારા કરવામાં આવી છે. ભરૂચમાં અનેક હેરીટેજ સ્થળો આવેલા છે ત્યારે તેમાં વધુ એક મોરપીંછ ઉમેરાશે. ગોલ્ડન બ્રીજ પરથી વાહનોની આવન-જાવન બંધ કરી તેને વોકિંગ બ્રીજ તરીકે જાહેર કરાય. જેથી ભરૂચ તેમજ અંકલેશ્વરની જનતા તેનો મહત્તમ ઉપયોગ મોર્નિંગ વોક માટે કરી શકે. ઉપરાંત આ બ્રીજ ઉપર બન્ને તરફ સલામતી માટે રેલીંગ પણ ઉભી કરાય જેથી અકસ્માત ન સર્જાય. આ ઉપરાંત બ્રિજની બન્ને તરફ વાહનોના પાર્કિંગ માટે પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી રજૂઆત ભરૂચ સીટીઝન કાઉન્સીલ દ્વારા કરવામાં આવી છે.ગોલ્ડનબ્રીજની સમાંતરે નવો બ્રિજ બન્યા બાદ પણ ઐતિહાસિક ગોલ્ડનબ્રિજ ઉપરથી ટુ, થ્રી વ્હિલર સહિતનાં નાના વાહનોને પસાર થવા જ દેવામાં આવશે. જાે કે કારચાલકોને નવા બ્રિજનો ઉપયોગ કરવા સૂચન કરાય તેવી રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટે થોડા વર્ષ પહેલા વિચારણા વ્યક્ત કરી હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    રથયાત્રાથી ભરૂચ-અંકલેશ્વર નર્મદા મૈયા બ્રિજનો આરંભ

    ભરૂચ : ભરૂચમાં ગોલ્ડનબ્રિજને સમાંતર બની રહેલા ૪ માર્ગીય નર્મદા મૈયા બ્રિજનું ડેપ્યુટી સી.એમ. નીતિન પટેલના હસ્તે રથયાત્રાના પવિત્ર દિવસ ૧૨ જુલાઈએ લોકાર્પણ થવા જઈ રહ્યું હોય ભરૂચ-અંકલેશ્વરની પ્રજા અને વાહનચાલકોની આતુરતાનો અંત આવશે. આ સાથે જ ૧૪૧ વર્ષ જુના ઐતિહાસિક ગોલ્ડનબ્રિજ ઉપર ટ્રાફિકની સમસ્યા કાયમ માટે ભૂતકાળ બની જતા ફાસ્ટેગ મોડના નવા યુગમાં સડસડાટ વાહન વ્યવહાર દોડશે.ઔદ્યોગિક ગઢ ભરૂચ અને અંક્લેશ્વર શહેર વચ્ચે ૧૪૧ વર્ષથી અડીખમ ઉભેલો અંગેજાેએ નિર્માણ કરેલો સાંકળો ગોલ્ડનબ્રિજ વધતી આબાદી તેમજ વાહનોની ભરમાર વચ્ચે નર્મદા નદી ઉપર નવા બ્રિજની તાતી જરૂરિયાત ઉભી થઇ હતી.છેલ્લા ૨૦ થી ૨૫ વર્ષ ઉપરાંતથી બન્ને શહેરની પ્રજા ગોલ્ડનબ્રિજ ઉપર સર્જાતા ટ્રાફિકજામમાં પીસાઈ રહી હતી. પ્રજા સાથે વાહન ચાલકો અને ગોલ્ડનબ્રિજને પણ વર્ષો જૂની ટ્રાફિકજામનું ભારણ વેઠવું પડતું હતું. કરોડરજ્જુ સમાન ગોલ્ડન બ્રિજ અંગેજાેના શાસનથી લઈ આઝાદી બાદ સ્વરાજમાં ૧૪૧ વર્ષથી અવિરત સેવા આપી રહ્યો છે. અને તેમાં વાહનોનું ભારણ વધતા નવા બ્રિજની જરૂરીયાત વર્તાતા ડિસેમ્બર ૨૦૧૫ માં નર્મદા મૈયા બ્રિજનું ખાતમુહુર્ત તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ભરૂચ-અંકલેશ્વરની જનતાએ વર્ષો સુધી ટ્રાફિકની વિકરાળ સમસ્યામાંથી પસાર થવું પડ્યું હતું પરંતુ હવે તેની આતુરતાનો અંત આવી ગયો છે અને નર્મદા મૈયા બ્રીજ સંપૂર્ણ રીતે તૈયાર થઇ જતા ૧૨ જુલાઈ રથયાત્રાના રોજ જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. આ બ્રીજ અંદાજીત રૂા. ૪૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામ્યો છે. અને તેના ઉદ્‌ઘાટન બાદ ટ્રાફિકની સમસ્યાનો નિવેડો આવી જશે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ભરૂચ જીલ્લામાં 3 સ્થળોએથી નીકળતી રથયાત્રા રદ્દ, મંદિર પરિસરમાં જ ફરશે રથ

    ભરૂચ-ભરૂચ જિલ્લામાં નીકળનાર રથયાત્રાને કોરોનાનું ગ્રહણ નડ્યું છે. ભરૂચ જિલ્લો કોરોના મુક્ત રહે તે માટે મીડીયાના માધ્યમથી ઓનલાઈન જ દર્શન કરે તે અંગે રથયાત્રાના આયોજકો સાથે વિચાર વિમક્ષ કરીને રથયાત્રા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોરોના મહામારીના કારણે સતત બીજા વર્ષે આ મંદિરોએથી રથયાત્રા નીકળશે નહીં. ભગવાનના રથ માત્ર મંદિર પરિસરમાં જ ફેરવવામાં આવશે અને પૂજન અર્ચન કરવામાં આવશે. ભક્તો માસ્ક અને શોશ્યલ ડિસ્ટન્સના પાલન સાથે ભગવાનના દર્શન કરી શકશે. ભરૂચ જીલ્લામાં દર વર્ષે ચાર અલગ અલગ જ્ગ્યાઓ પરથી ભગવાન જગન્નાથની યાત્રા યોજાતી હોય છે. અને આ વર્ષે વધુ એક જગ્યા પરથી રથયાત્રા નીકળવાની હતી. પરંતુ ભરૂચ જિલ્લાના પાંચેય આયોજકો જેમ કે ફુરજા વિસ્તાર, ઉકલીયા એસોશિએશન દ્વારા, અંકલેશ્વર ભરૂચીનાકા ખાતેથી, આમોદ ખાતેથી અને કસક ખાતેના આયોજકોએ યાત્રા સંદર્ભે એસ.પી. સાથે મીટિંગ કરીને કોરોના મહામારી અંતર્ગત વિચાર વિમર્શ કર્યો હતો. જેમાં વિસ્તૃત વાતચીતના અંતે તમામ આયોજકોએ યાત્રા નહીં કાઢી મંદિરના પરિસરમાં જ યાત્રા ફેરવીને રથયાત્રા સંપન્ન કરવાણી બાંહેધરી આપી હતી. ભરૂચ જિલ્લો કોરોના મુક્ત રહે તે માટે મીડીયાના માધ્યમથી ઓનલાઈન જ દર્શન કરે તે અંગે વિચાર વિમક્ષ કરીને રથયાત્રા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
    વધુ વાંચો
  • ગુજરાત

    CMના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, 8 મહાનગરોમાં જ રાત્રિ કરફયુ અમલમાં રહેશે

    અમદાવાદ-શાળા-કોલેજો અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇનના પાલન સાથે – નિયત એસ.ઓ.પી. સાથે યોજી શકાશે. ધોરણ-૯ થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓ માટેના કોચિંગ-ટયૂશન કલાસીસ સ્થળની ક્ષમતાના પ૦ ટકા વિદ્યાર્થીઓ સાથે બેચ વાઇઝ અને કોરોના એસ.ઓ.પી.ના પાલન સાથે શરૂ કરી શકાશે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દૈનિક કેસોમાં થઇ રહેલા સતત ઘટાડા અને પ્રવર્તમાન સ્થિતીની પૂન:સમીક્ષા કરીને કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.મુખ્યમંત્રીની અધ્યક્ષતાની આ કોર કમિટીમાં લેવાયેલા નિર્ણયો મુજબ રાજ્યમાં હવે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર એ આઠ મહાનગરોમાં જ રાત્રિ કરફયુનો અમલ કરાશે. અગાઉ આ આઠ મહાનગરો સહિત રાજ્યના ભૂજ, મોરબી, પાટણ, મહેસાણા, ભરૂચ, નવસારી, વલસાડ, અંકલેશ્વર અને વાપીમાં રાત્રી કરફયુ અમલમાં હતો તેમાંથી હવે આઠ મહાનગરો પૂરતો જ આ રાત્રિ કરફયુ અમલમાં રહેશે. આ રાત્રિ કરફયુ તા.૧૦મી જુલાઇ-ર૦ર૧ના રાત્રે ૧૦ કલાકથી તા.ર૦ જુલાઇ-ર૦ર૧ના સવારે ૬ કલાક સુધીના સમય દરમિયાન દરરોજ રાત્રે ૧૦ થી સવારે ૬ સુધી આ આઠ મહાનગરોમાં રહેશે. વિજયભાઇ રૂપાણી અને કોર કમિટીએ એવો પણ નિર્ણય કર્યો છે કે રાત્રિ કરફયુ અમલમાં છે તે શહેરોમાં તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, અઠવાડીક ગુજરી/બજાર/હાટ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ રાત્રિના ૦૯:૦૦ કલાક સુધી ખુલ્લા રાખી શકાશે.(તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા વાણિજ્યિક એકમો ચાલુ રાખી શકાશે નહી.રેસ્ટોરેન્ટ્સ રાત્રિના ૦૯:૦૦ કલાક સુધી બેસવાની ક્ષમતાના મહત્તમ ૬૦% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ચાલુ રાખી શકશે. તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા રેસ્ટોરેન્ટસ ચાલુ રાખી શકાશે નહી, તેમ પણ નિર્ણય કરવામાં આવ્યો છે.રેસ્ટોરેન્ટ્સ Home deliveryની સુવિધા રાત્રિના ૧૨:૦૦ કલાક સુધી ચાલુ રાખી શકશે. જીમ ૬૦% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ચાલુ રાખી શકશે.( તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા જીમ ચાલુ રાખી શકાશે નહી.જાહેર બાગ-બગીચાઓ રાત્રિના ૦૯:૦૦ કલાક સુધી જાહેર જનતા માટે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ખુલ્લા રાખી શકાશે. આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૧૫૦ (એકસો પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે.અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ ૪૦ (ચાળીસ) વ્યક્તિઓની મંજુરી રહેશે.તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન, ખુલ્લામાં મહત્તમ ૨૦૦ વ્યકિતઓ પરંતુ, બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના ૫૦% (મહત્તમ ૨૦૦ વ્યક્તિઓની મર્યાદામાં) વ્યકિતઓ એકત્રિત થઇ શકશે. ધો.૯ થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચીંગ/ટ્યુશન કલાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ ૫૦% વિદ્યાર્થીઓ સાથે બેચવાઇઝ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે ચાલુ રાખી શકાશે.શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે યોજી શકાશે. કોર કમિટીની આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રી મુખ્ય અધિક સચિવ એમ. કે. દાસ, આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ અને વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા. 
    વધુ વાંચો
  • ગુજરાત

    ભરૂચની પટેલ કોવિડ હોસ્પિટલની આગમાં કામગીરી કરનાર પોલીસને પાંચ લાખનું ઇનામ

    ગાંધીનગર-ભરૂચ ખાતેની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને બચાવવા માટે સંનિષ્ઠ કામગીરી કરનાર ભરૂચ પોલીસના જવાનોને રૂપિયા પાંચ લાખનું ઇનામ આપવામાં આવશે તેમ ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. ગૃહ રાજ્ય મંત્રી જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જવાનોની કામગીરીને બિરદાવીને તેમને પ્રોત્સાહન આપવા માટે આ જાહેરાત કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, હોસ્પિટલમાં જયારે આગ લાગી ત્યારે સમગ્ર કેમ્પસમાં અંધારૂં હતું, ત્યારે આ જવાનો ત્વરિત પહોંચી વોર્ડના કાચ તોડીને અંદર પ્રવેશ્યા હતાં અને કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓના જીવ બચાવવા સારૂ આ જવાનોએ પોતાના જાનની પરવા કર્યા સિવાય કોરોનાની સારવાર લઇ રહેલા ૨૫ જેટલાં દર્દીઓના જીવ બચાવ્યા છે અને અતિ વિકટ પરિસ્થિતિમાં કુનેહ પૂર્વક કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખી હતી. એટલા માટે એમને પ્રોત્સાહિત કરવા રાજય સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ભરૂચ પાલિકા પ્રમુખના જાતિ સર્ટિ ફિકેટ વિવાદ મુદ્દે કોર્ટનો પોલીસને ગુનો દાખલ કરવા આદેશ

    ભરૂચ, ભરૂચ નગરપાલિકાના પ્રમુખપદની બેઠક અનુ.જાતિ માટે અનામત હોવા છતાં હિંદુ દરજી જ્ઞાતિ તેમજ માહ્યાવંશી છે કે નહીં તે અંગેનું અમીત ચાવડાએ ખોટું જાતિનું પ્રમાણપત્ર રજૂ કરી પ્રમુખ બનવાનો ફરિયાદીના દાવા સામે સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો છે. કોર્ટે આ પ્રકરણમાં ખોટા દસ્તાવેજ ઉભા કરનાર સામે ફોજદારી ગુનો દાખલ કરવાનું ફરમાન કર્યુ છે. જે અંગેની સંપૂર્ણ માહિતી ધારાશાસ્ત્રી અશ્વિન ખંભાતાએ પત્રકાર પરિષદ થકી પૂરી પાડી હતી. ભરૂચ પાલિકાની ચૂંટણી તાજેતમાં યોજાઈ હતી. જેમાં પ્રમુખપદની બેઠક અનુ. જાતિની હોય અને આ જાતિના ચૂંટાયેલા ઉમેદવારો જ પ્રમુખપદ માટે દાવેદારી કરી શકતા હોય છે, પરંતુ પાલિકાના પ્રમુખપદે હિંદુ-દરજી જ્ઞાતિના અમિત શીવલાલ ચાવડાએ જાતિ અંગેના ખોટા પ્રમાણપત્ર રજૂ કરી પ્રમુખ બન્યા હોવાના આક્ષેપમાં ફરિયાદી દિનેશ ખુમાણે પોલીસ મથકે ફરિયાદ આપી હતી. પોલીસે રાજકીય કાવાદાવા વચ્ચે પુરાવા હોવા છતાં ગુનો દાખલ કરતી ન હોવાથી ફરિયાદીએ તેઓના ધારાશાસ્ત્રી અશ્વિન ખંભાતા દ્વારા ભરૂચની કોર્ટમાં પોલીસ ફરિયાદ દાખલ ન કરતી હોવાથી સી.આર.પી.સી. એક્ટની કલમ ૧૫૬(૩) મુજબની ફરિયાદ કરી હતી. જે કોર્ટમાં ચાલી જતા ફરિયાદમાં “સી” ડિવિઝન પોલિસ દ્વારા ફરિયાદીની ફરિયાદનો અસ્વીકાર કરવાના મુદ્દે પી.આઈ.ને પણ કોર્ટમાં સાંભળવામાં આવ્યા બાદ કોર્ટે પી.આઈ.ની ઝાટકણી કાઢી હતી. જે બાદ આ કેસમાં ફરિયાદીની ફરિયાદ સાચી હોવાનું ઠેરવી ભરૂચ કોર્ટે દ્વારા ગુનો દાખલ કરવા “એ” ડીવીઝન પોલીસ મથકને હુકમ કર્યો છે.કલમ ૧૬૬ (એ) મુજબ ફરિયાદ દાખલ કરીશુંઃ અશ્વિન ખંભાતા જ્યારે કોઈપણ ફરિયાદી પોલીસ મથકે ફરિયાદ આપે તો તેની સૌપ્રથમ એફઆઈઆરદાખલ કરી તપાસ કરવાની હોય છે પરંતુ પોલીસ મથકો પરથી ફરિયાદીને ખોખો રમાડવામાં આવી હતી. જેના કારણે પોલીસ સામે ફરજમાં બેદરકારી બદલ ૧૬૬ (એ) મુજબ કોર્ટમાં ફરિયાદ દાખલ કરીશું.
    વધુ વાંચો
  • ગુજરાત

    અંકલેશ્વરની સુરવાડી ફાટક પર ઓવરબ્રિજને ખુલ્લો મુકાયો  

    અંક્લેશ્વર,અંકલેશ્વર શહેર તેમજ ગડખોલ પાટીયા ને જાેડતા માર્ગ ઉપર સુરવાડી ફાટક પર રૂપિયા ૮૪.૪૪ કરોડ ના  ખર્ચે  નિર્માણ પામેલ બ્રિજનું ઈ-લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા કરવામાં આવ્યુ હતુ. અંકલેશ્વર શહેર તરફ થી જુના નેશનલ હાઈવે નંબર ૮ ને જાેડતા માર્ગ સુધી સુરવાડીરેલવે ફાટક ઉપર નવા ફ્લાય ઓવર નું નિર્માણ કરવામાં આવ્યુ છે. વાહનચાલકોને પડતી હાલાકી ને ધ્યાનમાં રાખીને આ બ્રિજની માંગ ઉઠતા વર્ષ ૨૦૧૬ માં તેનેપ્રાથમિક મંજુરી આપવામાં આવી હતી. અને ત્યાર બાદ ૫ વર્ષે  ૮૪.૪૪ કરોડ ના ખર્ચે૧૧૦૦ મીટર ના આ બ્રિજનું  નિર્માણ પૂર્ણ થયુ છે. જાેકે જુના નેશનલ હાઈવે નંબર ૮ઉપર  ભરૂચ તરફ જવાનો માર્ગનો એક તરફ નો ભાગ નિર્માણ કરવાનો બાકી છે , અનેઆગામી જુલાઈ મહિના માં તેનું કામ પૂર્ણ થઇ જતા લોકાર્પણ કરવામાં આવશે.અંકલેશ્વર ના ગડખોલ પાટીયા પાસે  નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે બ્રિજનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કરાયું હતુ.આ બ્રિજ ખુલ્લો મુકાતાવાહનચાલકો નો સમય હવે ફાટક ઉપર નહિ વેડફાય. ઈ લોકાર્પણ કાર્યક્રમમાં સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ ભરૂચના સાંસદ મનસુખ વસવા,ધારાસભ્ય દુષ્યંત પટેલ  વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા ઉપસ્થિત રહ્યા હતા.
    વધુ વાંચો
  • ગુજરાત

    વીજ કંપનીના શટડાઉનમાં સમારકામ વેળાએ રિવર્સ કરંટ મારતા બેને ઈજા

    ભરૂચ, ભરૂચ ઉદ્યોગનગર ભોલવમાં શુક્રવારે બપોરે વીજ કંપનીના શટડાઉન મેઇન્ટેન્સ વેળા રિવર્સ કરંટની સંભવિત ઘટનાને કારણે થાંભલે ચઢી કામ કરતા લાઈનમેન અને તેને બચાવવા ગયેલા હેલ્પરનો જીવ જાેખમમાં મુકાયો હતો. જાેકે અન્ય ૪ સાથી કર્મચારીઓએ તુરંત હાથ ધરેલા રેસ્ક્યુમાં બન્નેના જીવ બચાવી લેવાયા હતા. આ દિલધડક લાઈવ રેસ્ક્યુ કેમેરામાં કેદ થઈ ગયું હતું. હાલ ભરૂચ જિલ્લામાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા તબક્કાવાર પ્રિ-મોન્સૂન કામગીરી ચાલી રહી છે. જેના ભાગરૂપે ભરૂચ ઉદ્યોગનગર ભોળાવમાં શુક્રવારે શટડાઉન લઈ સમારકામ કરવામાં આવી રહ્યું હતું. લાઈનમેન, હેલ્પરો સહિતનો વીજ સ્ટાફ ટ્રાન્સફોર્મર ઉપર ચઢી મેઇન્ટેન્સ કરી રહ્યો હતો ત્યારે અચાનક બંધ વીજ લાઈન ઉપર ચઢેલા લાઈનમેન પ્રદીપ બારીયાને કરંટ લાગતા અફરાતફરી મચી હતી.લાઈનમેન ને બચાવવા હેલ્પર સરફરાજ પટેલ થાંભલા ઉપર ચઢવા જતા તે પણ પટકાઈ ઇજાગ્રસ્ત થયો હતો. સથી સ્ટાફ નરેન્દ્ર પંચાલ, હરીશ વસાવા, ઈકબલભાઈ અને ભરતભાઈએ તુરંત જ સમય સુચકતા વાપરી લાકડાના ૨ બામ્બુ વડે ડીપી ઉપરથી લાઈનમેનને ઉતારવા રેસ્ક્યુ હાથ ધર્યું હતું. લાઈનમેન અને હેલ્પરને બચાવી લઈ તુરંત સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં બન્નેની તબિયત સ્વસ્થ હોવા સાથે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    વાગરામાં ગોળીબાર કરી યુવકનુ મર્ડર કરનાર સાળો-બનેવી ગણતરીના કલાકોમાં ઝડપાયા

    ભરૂચ,ગત ગુરુવારના સમી સાંજના વગરા તાલુકાના સાયખા જી.આઈ.ડી.સી., ઈ.સી.મરીન કંપની રોડ પર સ્ટ્રીટ લાઈટ પાસે કોઈ અજાણ્યા ઇસમે કોઈ અગમય કારણસર ગન વડે છાતીના ભાગે બે બંદૂકની ગોળી તથા ગરદનના પાછળના ભાગે બંદૂકની ગોળી મારી ખૂન કરી હોય તેમ લાશ નજરે પડી હતી. ગુમરણ પામેલ ઈસમનું નામ અશ્વિનભાઇ ઉર્ફ શંભુ રમેશભાઈ પટેલ રહે. વિલાયત, ભરૂચ જેઓ જ્યુબીલિયન્ટ કંપનીમાં નોકરી કરતો હતો. મળતી માહીતી અનુસાર આરોપી આલમ જ્યુબીલિયન્ટ કંપનીમાં તથા ફમેટા બાયોટેક લી. તથા ઘરદા કેમિકલ કંપનીમાં ઇલેક્ટ્રિકલ જાેબનું કામ કરતો હતો. જેમાં જ્યુબીલિયન્ટ કંપનીમાં કામ કરતા અશ્વિનભાઇ ઉર્ફે શંભુભાઈ રમેશભાઈ પટેલ સાથે ૨૦૦૯ થી મિત્રતા હતી. ત્યારબાદ તેઓની સાથે પૈસાના લેવડદેવડનો વ્યવહાર ચાલતો હતો આ નાણાકીય લેવડદેવડમાં તેમની વચ્ચે કોઈ કારણસર ખટરાગ થયેલ જેથી આરોપી સરફે આલમે અશ્વિન પટેલનું ખૂન કરવા માટે તેના સગા સાળા જેનું નામ મશીહુલ આલમ રહેફુલ આઝમ ભોલેમિયાઓને હથિયાર સાથે બિહારથી બોલાવ્યો હતો. આ હથિયાર મશીહુલ આલમે પકડાઈ જવાનાં ડરથી બિહારથી બસમાં ચોખાની બોરીમાં સંતાડીને લાવ્યો હતો. સરફે આલમ તથા મશીહુલ આલમે ભેગા મળીને અશ્વિનભાઈને જાનથી મારી નાંખવાનું પૂર્વ આયોજિત કાવતરું રચેલું હતું. જેને માટે અશ્વિન પટેલને સાયખા જી.આઈ.ડી.સી. માં આવેલ ભેરસમ ગામ જવાનાં સુમસામ રસ્તા પર ધંધાકીય મિટિંગ માટે બોલાવીને અશ્વિન પટેલને વાતોમાં ફોસલાવીને આરોપી મશીહુલ આલમે અશ્વિન પટેલને પાછળથી ગરદન ઉપર ફાયરિંગ કર્યું હતું અને આગળથી બે બંદૂકની ગોળીઓનો પ્રહાર કર્યો હતો. એમ મળીને કુલ ત્રણ રાઉન્ડમાં ફાયર આમ્સથી પ્રહાર કરવામાં આવ્યો હતો.
    વધુ વાંચો
  • ગુજરાત

    ભરૂચ જી.આઇ.ડી.સીમા ગેરકાયદેસર રીતે ડીઝલ ઓઈલમાંથી બાયોડિઝલ બનાવવાનું કૌભાંડ

    ભરૂચ, ભરૂચ જિલ્લામાં બિલાડીના ટોપની જેમ તેમજ કરોડપતિ બનવાની હોડ લાગી હોય તેમ બાયો ડીઝલના પમ્પ લોકો ખોલી ચુક્યા છે. હોટલ કે એન.એ. થઈ હોય તેવી જગ્યાઓ ઉપર એકાદ પેટ્રોલ ટેન્ક મૂકી બાયો ડીઝલ પંપની હાટડીઓ જાેવા મળી છે. જેમાં ફાયર સેફટી વગર કે સરકારના કાયદાઓની ચિંતા કર્યા વગર જ બાયો ડીઝલ વેચાતું હોવાની બુમો વારંવાર ઉઠતી રહે છે, પણ જાણે એ બાયો ડીઝલ વેચનારાઓ ઉપર રાજકીય નેતા કે સરકારી બાબુઓના આશિર્વાદ હોય તેમ બિન્દાસપણે બાયો ડીઝલ વેચતા જાેવા મળ્યા છે. લોકોના જીવની ચિંતા વગર જ બાયો ડીઝલ વેચનારા અને બનાવનાર ઉપર અચાનક ઊંઘમાંથી આંખો ખુલી હોય તેમ રેડ કરતી પોલીસ જાેવા મળી છે. ભરૂચ એસ.ઓ.જી. પોલીસને બાતમી મળી હતી કે ભરૂચ જી.આઇ.ડી.સીમાં પ્લોટ નંબર- ૨૧ આર.કે.સ્ટીલ નામની કંપનીનો પ્લોટ ભાડે રાખી એકતા એન્ટરપ્રાઇઝ નામની કંપની સ્થાપી રાજકોટથી લાઈટ ડિઝલ ઓઈલ નામનું પ્રવાહી લાવી ગેરકાયદેસર સંગ્રહ કરાતો હતો. જેનું પ્રોસેસીંગ કરી તેને બાયોડીઝલ તરીકે બજારમાં છુટક સપ્લાય કરવામાં આવી રહ્યો હતો. બાતમી આધારે એસ.ઓ.જી. એ દરોડો પાડતા સ્થળ પરથી એક ટેન્કર જવલનશીલ પ્રવાહીનો જથ્થો ખાલી કરતા ઝડપાયું હતું. શેડમાં તપાસ કરતા ફાયર સેફટીના સાધનો વગર આ જાેખમી ગોરખ કારોબાર ધમધમાવવામાં આવતો હોવાની હકીકત ખુલી હતી. અન્યના જીવ જાેખમમાં મુકાય તે રીતે બાયોડિઝલના આ બે નંબરી વેપલમાં રાજકોટના વજુ નાનજી ડાંગરની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે એકતા એન્ટરપ્રાઇઝના માલીક મુનાફ રહિમ મેમણ રહે. સુરતને વોન્ટેડ જાહેર કરાયો હતો. સ્થળ પરથી જવલનશીલ પ્રવાહી ૨૪,૦૦૦ લિટર કિંમત રૂ.૧૩ લાખ અને ટેન્કર મળી કુલ રૂ.૨૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
    વધુ વાંચો
  • ગુજરાત

    અંકલેશ્વરના મેવાડા ફળીયામાં મકાન ધરાશાયી જાનહાની ટળી

    અંકલેશ્વર, અંકલેશ્વર શહેર ના મેવાડા ફળિયામાં એક મકાન ધરાશય થતા બે બાઈકો અને ઘરવખરી ના સામાન ને ભારે નુકશાન થવા પામ્યું હતું જાે કે મકાન માલીક પરિવાર સાથે બહારગામ હોવાથી કોઈ જાનહાની થવા પામી ન હતી પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વર ના મેવાડા ફળીયા માં રહેતા દિપક સોની ના મકાન ની બાજુમાં અન્ય એક મકાન નું બાંધકામ ચાલી રહ્યું હતું તે દરમ્યાન દિપક સોની નું મકાન અચાનક ધરાશય થતા આસપાસ ના રહીશો ઘર ની બહાર નીકળી ગયા હતા જાે કે દિપક સોની તેમના પરિવાર સાથે બહારગામ ગયા હોવાથી કોઈ જાનહાની થવા પામી ન હતી જાે કે મકાન ધરાશય થતા ઘરવખરી તેમજ મકાન પાસે પાર્ક કરેલ બે બાઈકો પર કાટમાળ પડતા મોટું નુકશાન થવા પામ્યું હતું ,
    વધુ વાંચો
  • ગુજરાત

    ભરૂચના કબીરવડ ખાતે નર્મદા નદીમાં નાહવા પડેલા ચાર યુવાનો ડૂબ્યા બેનાં મોત નીપજ્યા

    ભરૂચ, ગુજરાત સહિત ભરૂચ જિલ્લામાં કોરોના કેસોમાં ઘણો ઘટાડો થઈ રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દરેક વસ્તુઓ લગભગ ત્રણ મહિના બાદ ખુલ્લી મુકવામાં આવે છે. લોકો જાણે અકળાઈ ગયા હોય તે રીતે ઘરની બહાર નીકળી ગયા છે ત્યારે ગતરોજ બપોર પછીના સમયે કબીરવડ ખાતે ચાર યુવાનો ડૂબ્યા હોવાની હોનારત સર્જાઈ હોવાની વાતો ફેલાય હતી. ભરૂચ જિલ્લના કબીરવડ ખાતે લોકો કોરોના મહામારીથી જાણે મુક્ત થઈ ગયા હોય તે રીતે નર્મદા નદીમાં ચાર યુવાનો નાહવા માટે કૂદી પડ્યા હતા. તે ચારેય યુવાનો તેમની મોજમાં હોવાથી પાણીનો વેગ વધતાની સાથે ચાર યુવાનો પાણીના વહેણમાં તણાયા હતા. યુવાનો બૂમો પાડતા હોવાથી આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તરતા આવડતું હોય તેવા યુવાનોએ ભારે મહેનત કરી ચારમાંથી બે યુવાનોને કિનારા સુધી ખેંચી લાવ્યા હતા અને તેના શરીરમાંથી પાણી કાઢવાની કોશિશ કરી કરી હતી, પરંતુ બંને યુવકો મૃત્યુ પામ્યા હતા અને અન્ય બે ની શોધખોળ કરવામાં આવી પરંતુ તે લોકો સફળતા ન મળતા આખરે ગામ લોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને હવે ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચીને આગળની શોધખોળ પોતાના હસ્તે લેશે. ડૂબેલા યુવાનો મૂળ રાજસ્થાનના જાેધપુરના ફર્નિચરના કારીગર જેઓ હાલ ભોલાવ ગામમાં રહેતા હોવાનું બહાર આવ્યું છે. ભરૂચની એક હોટલમાં ફર્નિચર બનવવાના કામ અર્થે આવ્યા હોય હંમેશાની જેમ ગતરોજ અમાસના દિવસે કારીગરો કામ ઉપરથી રજા પાડતા હોય છે, રજાનો લાભ લઇ તેઓએ ફરવા જવાનું નક્કી કરતા તેઓ કબીરવડ ખાતે નહાવા આવી પહોંચ્યા હતા. જેમાં ડૂબેલા ચાર યુવાનો પૈકી દેવારામ અને ગણેશારામની લાશ મળી આવી હતી. જ્યારે બસ્તી રામ અને નેમા રામની શોધખોળ ભરૂચ ફાયર બ્રિગેડની ટિમ દ્વારા ચાલવાઈ રહી છે. ગતરોજ અમાસ હોય તેમજ નર્મદા નદીમાં મોટી ભરતી આવતી હોય પાણીના વેગનો કરંટ પણ ઘણો વધુ હોય છે તેમજ નદી હાલ બે કાંઠે વહેતી હોય ફાયર ફાઈટરોને ખોવાયેલ યુવાનો શોધવામાં તકલીફ પડી રહી છે સાથે જ આસપાસના ગામના માછીમારો પણ પોતાની બોટ લઈ શોધખોળ ચલાવી રહ્યા છે. બંને આશાસ્પદ યુવાનોની કોઈ ભાર મળી નથી. કોરોના કેસોમાં ઘણો ઘટાડો થઈ રહ્યો છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    મોરીયાણાનો અમરાવતી બ્રિજ બિસ્માર થતાં વાહનચાલકોમાં ભય

    ભરૂચ,ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં અમરાવતી નદી પર બનાવવામાં આવેલો ૩૭ વર્ષ કરતાં વધારે જુનો પુલ હવે સમારકામ માંગી રહયો છે. પુલના સળિયા પણ દેખાવા માંડયાં હોવાથી વાહનચાલકો અને રાહદારીઓ જીવના જાેખમે પુલ પરથી પસાર થઇ રહયાં છે. નેત્રંગ તાલુકાના મોરીયાણા ગામમાંથી અમરાવતી નદી પસાર થતી હોવાથી માર્ગ-મકાન વિભાગે ૩૭ વર્ષ કરતાં પણ પહેલાના સમયમાં પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. પુલનું નિર્માણ થયા બાદ તેનું નિયમિત સમારકામ કરવામાં નહિ આવતાં પુલ જર્જરિત બની ગયો છે. પુલના નીચેના ભાગથી સિમેન્ટ અને કોંક્રીટના પોપડા નીકળી પડતા સળીયા દેખાવા માંડતા ગમે ત્યારે તુટી પડવાની દહેશત વર્તાઇ રહી છે. વાહનચાલકો અને ગ્રામજનો જીવના જાેખમે પુલ ઉપરથી પસાર થવાની મજબુર બન્યા છે. પુલ જાેખમી હોવા છતાં આજદિન સુધી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સ્થળ પર ફરકયાં ન હોવાનો આક્ષેપ ગામલોકો કરી રહયાં છે. ચોમાસામાં અમરાવતી નદીમાં નવા નીર આવશે ત્યારે પુલનું વધુ ધોવાણ થાય તેવી સંભાવના છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    કોવિડ સ્મશાન ખાતે અંતિમદાહ માટે આવતાં મૃતદેહોમાં ઘટાડો

    ભરૂચ, ભરૂચમાં બે મહિના અગાઉ કોરોનાએ હાહાકાર મચાવી દીધો હતો અને કોવીડ સ્મશાન ખાતે રોજના સરેરાશ ૬૦થી વધારે મૃતદેહ અંતિમ સંસ્કાર માટે આવતાં હતાં ત્યાં હવે માંડના બે મૃતદેહ આવી રહયાં છે. કોરોનાનો કહેર ઓછો થતાં લોકોને તથા વહીવટીતંત્રને હાશકારો થયો છે. સમગ્ર રાજયમાં એક માત્ર ભરૂચ ખાતે કોવીડ સ્મશાન બનાવવામાં આવ્યું છે કે જયાં કોરોનાથી મૃત્યુ પામતાં લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. અત્યાર સુધી આ સ્મશાનમાં ૨ હજારથી વધારે લોકો પંચમહાભુતમાં વિલિન થયાં છે. બે મહિના અગાઉ કોરોનાની બીજી લહેરમાં કોવીડ સ્મશાન ખાતે રોજના સરેરાશ ૬૦ કરતાં વધારે મૃતદેહો અંતિમદાહ માટે આવતાં હતાં. સ્મશાન ખાતે સતત સળગતી ચિતાઓ કોવીડના કહેરનો અનુભવ કરાવતી હતી. સુર્યનું પહેલું કિરણ ઉગે તે પહેલાં તો કોવીડ સ્મશાનની બહાર મૃતદેહો લઇને આવેલી શબવાહિનીઓની કતાર લાગી જતી હતી. સવારથી શરૂ થતી અંતિમ સંસ્કારની કાર્યવાહી મોડી રાત સુધી ચાલતી હતી. મોતનો મંજર જાેઇ ભલભલાના કાળજા કંપી ગયાં હતાં. સ્મશાનના સ્વયંસેવકો પણ સતત અગ્નિદાહ આપી રહયાં હતાં. પણ સરકારે મીની લોકડાઉન અને નાઇટ કરફયુ સહિતના પગલાંઓ ભરતાં હવે કોરોનાના કેસ ઓછા થયાં છે. ભરૂચના કોવીડ સ્મશાન ખાતે હાલ માત્ર સરેરાશ બે મૃતદેહો અંતિમસંસ્કાર માટે આવે છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ભરૂચમાં વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો

    ભરૂચ,   ભરૂચ જીલ્લામાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા “નકલી ડોકટર” પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના તથા માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. બી.ડી.વાઘેલા નાઓના માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમના માણસો ઝઘડીયા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી આધારે સુધાંગશુ સશાંક બિસ્વાસ ઉ.વ. ૪૦ હાલ રહે. ફુલવાડી, ત્રણ રસ્તા તા.ઝઘડીયા જી.ભરૂચ મુળ રહે, ગોબીંદપુર કોલેની, પાલપરા જી. નદીયા થાણા- હાંસખલી (પશ્ચીમ બંગાળ) નાનો કોઈ પણ જાતની મેડીકલ ડીગ્રી વિના એલોપેથિક દવાઓ, મેડીકલના સાધનો તથા ઇન્જેક્શન સાથે મળી કુલ કિ.રૂ. ૧૬,૧૫૬ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને અટક તેના વિરૂધ્ધ ઝઘડીયા પો.સ્ટે. આઇ.પી.સી. કલમ ૪૧૯ તથા મેડીકલ પ્રેક્ટીસનર એકટ કલમ ૩૦ મુજબનો ગુન્હો દાખલ કરાવી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    વિશ્વ પર્યાવરણ દિવસે ભરૂચના નાગરિકોને ૧૨ સિટી બસની ભેટ

    ભરૂચ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વ પર્યાવરણ દિવસે ભરૂચ શહેરના નાગરિકોને ૧૨ સિટી બસની મહત્વપૂર્ણ ભેટ આપી છે.મુખ્યમંત્રીએ ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અંતર્ગત ‘મુખ્યમંત્રી શહેરી બસ સેવા અન્વયે ભરૂચ નગર પાલિકા દ્વારા શરૂ કરાયેલી સિટી બસ સેવાનું શનિવારે ગાંધીનગરથી ઈ-લોકાર્પણ કર્યું હતું.મુખ્યંત્રીએ કહ્યું કે, ભરૂચના લોકોની સુવિધા માટે તેમજ પર્યાવરણને ધ્યાનમાં રાખીને પ્રદુષણ અટકાવવા માટે સી.એન.જી બસ સેવાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચ શહેરમાં ૯ રૂટ પર કુલ ૧૨ સી.એન.જી શહેરી બસ, સેવા શહેરના નાગરિકો માટે શરૂ કરવામાં આવી છે.મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, સમગ્ર ગુજરાત પર્યાવરણના રક્ષણ માટે ક્લાયમેન્ટ ચેન્જના પડકારોનો સામનો કરવા પ્રતિબદ્ધ છે. એશિયાનું સૌથી મોટું કેમિકલ પોર્ટ દહેજનો વિકાસ પણ તેમના કાર્યકાળ દરમિયાન થયો છે. ન્દ્ગય્ ટર્મિનલ, જીએનએફસી સહિત કેમિકલ કંપનીઓના વિકાસ દ્વારા આધુનિક શહેરનો ઓપ આપ્યો છે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.આના પરિણામે ભરૂચમાં રોજગારી વૃદ્ધિ થવાથી અનેક લોકો આવીને વસ્યા છે તેમના માટે આ શહેરી બસ સેવા યાતાયાત માધ્યમ બનશે. રૂપાણીએ કહ્યું કે ગુજરાત સરકારે ભારત સરકારના સહયોગથી આ યોજના બનાવી છે. નગરપાલિકાઓમાં આ બસ સેવા શરૂ કરવા માટે રાજ્ય સરકાર ૫૦ ટકા નાણાકીય સહયોગ પૂરો પાડી રહી છે, બીજા ૫૦ ટકા ખર્ચ નગરપાલિકાઓ પોતે વહન કરવાનો હોય છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. રાજ્યની ૮ મહાનગરપાલિકા અને ૨૨ નગરપાલિકાઓ સહિત કુલ ૩૦ શહેરોમાં ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ‘મુખ્યમંત્રી શહેરી બસ સેવા ના અભિગમમાં હવે ભરૂચ શહેરનો તેમાં ઉમેરો થયો છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું. ભરૂચમાં પ્રદુષણની માત્રામાં ઘટાડો થાય, ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થાય તેમજ વ્યક્તિગત વાહનોનો ઉપયોગ ઘટે તે હેતુથી પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની સુવિધા વિકસાવવા માટે ભાર આપી રહ્યા છીએ. એમ તેમણે ઉમેર્યુ હતું. ભરૂચમાં સી.એન.જી બસો શરૂ થવાથી નાગરિકોને ઓછા ખર્ચે, સલામતી સાથે આરામદાયક મુસાફરી પ્રાપ્ત થશે તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.પર્યાવરણની રક્ષા માટે આ પ્રકારની બસ સુવિધા શરૂ કરવા માટે મુખ્યમંત્રીએ ભરૂચ નગરપાલિકાના સૌ પદાધિકારીઓ-અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
    વધુ વાંચો
  • ગુજરાત

    પર્યાવરણ દિને પ્રાણવાયુ આપનાર વૃક્ષોના જતનનું લક્ષ્ય

    અંકલેશ્વર. ભરૂચ સીટીઝન કાઉન્સિલ તથા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે ગોલ્ડન બ્રિજ થી ગડખોલ પાટીયા સુધી જુના નેશનલ હાઇવે નંબર ૮ અને રેલવે ટ્રેક વચ્ચેની જગ્યા ઓ પર ૪.૫ કિમી સુધીના વિસ્તારમાં રેવા અરણ્ય પ્રોજેકટ અંતર્ગત ગાઢ જંગલ ઉભુ કરવાની શરૂઆત કરવામાં આવી છે. હાલ ૬૫૦૦ જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે. જે પૈકી ૫૦૦૦ થી વધુ વૃક્ષો ઉછરી ગયા છે. ભરૂચ જીલ્લાના વિવિધ ઉદ્યોગો પી.આઈ. ઇન્ડ. પાનોલી, સુભાશ્રી પીગમેન્ટસ, અંકલેશ્વર, ડેક્કન ફાઈન કેમિકલ, અંકલેશ્વર, સોલ્વે ઇન્ડિયા પાનોલી, ગ્રાસીમ ઇન્ડ. વિલાયત, મહાવીર ઇન્ટરનેશનલ સહિતના ઉદ્યોગો અને સંસ્થાઓ દ્વારા સી.એસ.આર. અંતર્ગત આ પ્રોજેક્ટને સહાય કરવામાં આવી છે.અમરાવતી ખાડીમાં પર્યાવરણ દિને જ દુર્ગંધયુક્ત પાણી ઠલવાયું ભરૂચ અમરાવતી ખાડીમાં પ્રદુષિત કેમિકલ યુક્ત પાણી જાેવા મળતા પર્યાવરણ પ્રેમીઓમાં ભારે નારાજગી જાેવા મળી હતી. ભૂતકાળમાં પણ આ અમરાવતી ખાડી પ્રદુષિત થઈ હતી અને અસંખ્ય જળચર મોતને ભેટ્યા હતા.પ્રદુષણ ઓકતા ઉદ્યોગો સામે કડક કાર્યવાહી હાથ ધરાય તેવી માંગ ઉઠી છે. અંકલેશ્વર ય્ૈંડ્ઢઝ્ર પાછળ આવેલા પંપિંગ સ્ટેશનના પાળા ઉભરાઈ જવાથી આ લાલરંગનું કેમિકલયુક્ત પાણી અમરાવતી ખાડીમાં ફરી વળ્યું હતું. જેના કારણે જળ પ્રદુષણ થવાની અને જળચરોને ખતરાની દહેશત વ્યક્ત કરાઈ હતી. જીપીસીબીએ સેમ્પલ લીધા હતા. ઉમલ્લામાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણની જાળવણીની કટિબદ્ધતા વ્યક્ત કરાઇ ભરૂચ  વિશ્વ પર્યાવરણ દિવસ હોઇ,ઉમલ્લા દુ.વાઘપુરા ખાતે ઉજવણી કરવામાં આવી.ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય મહેન્દ્ર સિંહ વાસદીયાના સહયોગથી કાર્યક્રમની ઉજવણી કરાઇ હતી. જેમાં ઉમલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણની સુરક્ષા તેમજ વૃક્ષોનું જતન કરવાનો સંકલ્પ લઇને વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાઇ હતી.કાર્યક્રમમાં ઉમલ્લાના પીએસઆઈ વી.આર.ઠુમ્મર, ભારતીય જનતા પાર્ટીના આગેવાન રશ્મિકાંત પડ્યા,ઉમલ્લાના સરપંચ દશરથભાઈ વસાવા તેમજ દુ.વાઘપૂરાના તલાટી ઉદેસિંહ વસાવા હાજર રહ્યા હતા. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા વૃક્ષારોપણ ભરૂચ  વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કોરોનારૂપી મહામારીમાં ફ્રન્ટલાઈન વોરિયોર તરીકે કામ કરી રહેલ ૧૦૮ના કર્મચારીઓ તથા ઈસ્ઈ અશોક મિસ્ત્રી હાજર રહ્યા હતા. યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્ષ ૧૮૭૨માં સ્ટોકહોમ કોન્ફરન્સમાં ૫ જુનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો. વૈશ્વિક સ્તરે પર્યાવરણ સુરક્ષા માટે લોક જાગૃતિ ઊભી થાય તે હેતુસર દર વર્ષ ૫ જુનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવાનું નકકી કરવામાં આવ્યું હતું.
    વધુ વાંચો
  • ગુજરાત

    ભરૂચમાં પેવર બ્લોકથી બનેલા શહેરના પ્રથમ રસ્તાનું લોકાર્પણ

    ભરૂચ, ભરૂચ શહેરના પેવરબ્લોકથી રસ્તાનું રવિવારના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પેવરબ્લોકથી બનેલ પ્રથમ રસ્તો હોવાનું મનાય છે. જે જયોતિનગર ટર્નિંગથી નર્મદા કોલોની સુધી બનાવવામાં આવ્યો છે. ચોમાસાના આગમનની ઘડીઓ ગણાય રહી છે ત્યારે નવા બનાવાયેલા રસ્તાઓનું લોકાર્પણ કરવામાં આવી રહયું છે. ભરૂચના પુર્વ અને પશ્ચિમ વિસ્તારને જાેડતાં અને ખખડધજ બની ગયેલાં રસ્તાનું નવીનીકરણ કરાયું છે. આ રસ્તાને સિમેન્ટ- કોંક્રિટ ઉપરાંત પેવર બ્લોકથી બનાવવામાં આવ્યો છે. લાંબા સમયથી આ રસ્તો બનાવવાની કામગીરી ચાલી રહી હતી જેના કારણે વાહનચાલકોને હાલાકી ભોગવવી પડતી હતી. આખરે રવિવારના રોજ રસ્તાને વાહનચાલકો માટે ખુલ્લો મુકી દેવામાં આવ્યો છે. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનો હાજર રહયાં હતાં. આ રસ્તો જયોતિનગર ટર્નિંગથી નર્મદા કોલોની સુધી બનાવવામાં આવ્યો છે અને શહેરનો પ્રથમ પેવરબ્લોકથી બનેલો રસ્તો હોવાનો દાવો કરાયો છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    જંબુસરના અણખી ગામેથી બ્રાન્ડેડ દારૂનો જથ્થો ઝડપાયો

    ભરૂચ, ભરૂચ એલ.સી.બી.એ જંબુસરના અણખી ગામની સીમમાંથી ૬ લાખનો દારૂ મળી કુલ ૧૧.૪૫ લાખના મુદ્દામાલ સાથે બે બુટલેગરોને ઝડપી પાડ્યા છે.ભરૂચ પોલીસની ટીમ જંબુસર પોલિસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન બાતમી મળી હતી કે, જંબુસર તાલુકાના અણખી ગામની સીમમાં એક ટેમ્પામાં દારૂનું કટીંગ થઈ રહ્યું છે. જેના આધારે એલસીબીએ રેડ કરતા સ્થળ પરથી રોયલ ચેલેન્જ વ્હીસ્કીની ૭૫૦ મીલીની કુલ રૂા.૨,૧૧,૨૦૦ની કિંમતની ૫૨૮ બોટલો, ૧૮૦ મીલીની રૂા.૩,૪૦,૮૦૦ કિંમતની ૩૪૦૮ બોટલો, ટુરબોર્ગ પ્રીમિયમ બિયરના ૫૦૦ મીલીના રૂા.૫૨,૮૦૦ના ૫૨૮ ટીન, તથા ટેમ્પો નં. સ્ૐ-૪૩-છડ્ઢ-૦૫૦૩ અને મોબાઈલ મળી કુલ ૧૧.૪૫ લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. આ તમામ મુદ્દામાલ જંબુરસના અણખી ગામના વિક્રમભાઈ ઠાકોરે મોટાપાયે મંગાવી તેના ખેતરમાં રાખી અન્ય સાગરીતોના હાથે કટીંગ કરાવી રહ્યો હતો. પોલીસે આ સ્થળેથી આમોદના ભરતભાઈ છોટુભાઈ ઠાકોર અને લાતુર-મહારાષ્ટ્રના બંકટ શંકરભાઇ નિતલેનાઓની અટકાયત કરી મુખ્ય આરોપી વિક્રમ ઠાકોર અને અન્ય બે આરોપીની શોધખોળ આરંભી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    નર્મદા નદીમાં ૧ જૂનથી બે મહિના સુધી કુકરવાડાથી દરિયા કિનારા સુધી ખુટા મારવામાં મનાઈ હુકમ

    ભરૂચ,  તા.૦૧/૦૬/૨૦૨૧ થી તા.૩૧/૦૭/૨૦૨૧ સુધી આંતરદેશીય તથા પ્રાદેશિક જળક્ષેત્રમાં યાંત્રિક બોટો દ્વારા માછીમારી પર પ્રતિબંધ મુકવા આદેશ કરેલ છે. બંદર અને મત્સોદ્યોગ વિભાગ, ગાંધીનગરના નોટીફિકેશનમાં જણાવ્યા મુજબ કોઈ વ્યક્તિ સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય જાહેરક્ષેત્રમાં માછીમારી ઉપકરણો બેસાડેલ એન્જીન, સ્ટેઈક નેટસ, બેરિયર્સ વિગેરે અથવા એવી કોઈ રચના ઉભી કરી શકાશે નહી તે મતલબની પણ જાેગવાઈ છે. આમ, ઉક્ત જાેગવાઈથી બોટ તેમજ યાંત્રિક બોટ દ્વારા થતી માછીમારી ઉપર પ્રતિબંધ લાદવામાં આવેલ છે. તેમજ ક્લોઝ-૬(૮)(એફ) થી (૧) ટોર ટોર (૨) હિલ્સા તથા (૩) રોઝનબર્ગી માછલી અને ઝીંગાની પ્રજાતિઓને અલગ જૈવિક લાક્ષણિકતાઓને કારણે સંરક્ષિત રાખવામાં આવેલ છે. ચોમાસાની સીઝનમાં મોટા પ્રમાણમાં હિલ્સા માછલી પ્રજનન માટે દરીયાના પાણીથી ઓછી ખારાશવાળા નદીના મીઠા પાણીવાળા વિસ્તાર તરફ આવતી હોય છે. હિલ્સા માછલી જૈવિક લાક્ષણિકતા ધરાવે છે અને ખૂબ જ ઓછા જળાશયોમાં તે ઉપલબ્ધ થાય છે. જેથી ઉક્ત જણાવેલ પ્રતિબંધ અમલમાં હોવા છતાં ઘણા માછીમારો દ્વારા ભરૂચ જિલ્લામાંથીએ પસાર થતી નર્મદા નદીમાં બોટ તથા યાંત્રિક બોટથી માછીમારી કરવામાં આવે છે, તેમજ અનુભવે જણાયેલ છે
    વધુ વાંચો
  • ગુજરાત

    ઝઘડિયાનાં નાના વાસણા ગામ ખાતે નદીમાં નહાવા પડેલો યુવાન ડૂબ્યો

    ભરૂચ, ઝઘડીયા તાલુકાના નાના વાસણા ગામે નર્મદા નદીમાં ન્હાવા પડેલા યુવાનનું ડુબી જવાના કારણે મોત થયું હતું. ગરમીથી રાહત મેળવવા યુવાન નદીએ ન્હાવા ગયો હતો જયાં તેને મોત મળી ગયું હતું. ઝઘડીયા તાલુકાના નાના વાસણા ગામમાં રહેતા રોહિત માછીનો ૧૮ વર્ષીય પુત્ર હિતેશ ગરમીથી રાહત મેળવવા માટે ગામ નજીકથી પસાર થતી નર્મદા નદીમાં ન્હાવા માટે ગયો હતો. પાણીમાં ન્હાતી વેળા તેને ઉંડાઇનો ખ્યાલ ન રહેતાં તે ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. નદીમાં માછીમારી કરી રહેલાં માછીમારોએ યુવાનને ડુબતો જાેઇ તેમની બોટ લઇ ત્યાં પહોંચી ગયાં હતાં પણ હિતેશને બચાવી શકાયો ન હતો. ઘટનાની જાણ થતાં નદી કિનારે લોકોના ટોળા ભેગા થઇ ગયાં હતાં. સ્થાનિક માછીમારો અને તરવૈયાઓએ બે કલાકની જહેમત બાદ હિતેશના મૃતદેહને નદીમાંથી શોધી કાઢયો હતો. મૃતક હિતેશ એકનો એક પુત્ર હોવાથી પરિવારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ઝઘડિયાની મેટ્રોપોલિટીન એકઝિમકેમ કંપનીમાં થયેલી ચોરીમાં બે ઝડપાયા 

    અંક્લેશ્વર, ઝઘડિયા જીઆઇડીસીની મેટ્રોપોલિટીન એકઝિમકેમ કંપનીમાં રૂપિયા ૫ લાખ ઉપરાંત ના સમાન ની થયેલ ચોરી ના ગુનામાં ભરૂચ એલસીબી પોલીસે બે આરોપીની ધરપકડકરી હતી. અને  રૂપિયા ૫ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહીહાથ ધરી હતી.    પોલીસ સૂત્રીય માહિતી મુજબ ઝઘડિયા જીઆઇડીસી માં આવેલ મેટ્રોપોલિટીનએકઝીમકેમ  પ્રા.લી કંપનીમાં  એસએસ ના પાઇપો ,એસએસ ના  બોલવાલ્વ તેમજ ફલેન્ચ ની ચોરી થઇ હતી.જે અંગે કંપનીના સંચાલકો દ્વારા ઝઘડિયા પોલીસ મથકમાંરૂપિયા ૫,૦૨,૦૦૦ ઉપરાંત ના એસએસ ના સામાન ચોરી  અંગે ફરિયાદ નોંધાવી હતી.દરમ્યાન ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાંહતા.તે દરમ્યાન મળેલી  માહિતી ના આધારે  જીઆઇડીસીમાં હેક્ષોન પ્લાઝા માંથીઝઘડિયા ની મેટ્રોપોલિટીન એકઝીમકેમ કંપની ના  સામાન સાથે મૂળ રાજસ્થાન અનેહાલ ગડખોલ ની પાશ્વનાથ સોસાયટી માં રહેતા  પારસમલ હીરાસીંગ રામલાલ જૈનઅને મીરાનગર માં રહેતા અને મૂળ મધ્યપ્રદેશ ના સઈદ નૈકસેખાન પઠાણ  ને ઝડપીપાડ્યા હતા.એલસીબી પોલીસે તેઓ પાસે થી રૂપિયા ૫,૦૨,૦૦૦ ઉપરાંત ના એસએસનો સામાન કબ્જે કરી વધુ  કાર્યવાહી અર્થે આરોપીઓ ને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા.
    વધુ વાંચો
  • ગુજરાત

    ભરૂચ જિલ્લામાં ધોરણ ૧૧ના વર્ગોમાં પ્રવેશની વિકટ સમસ્યા સર્જાશે

    ભરૂચ, ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલ ધો.૧૦ના માસ પ્રમોશનના ર્નિણય અંગે ઘણી ઉણપો જાેવા મળી રહી છેॅ જે અંગે નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં કેટલીક માંગણીઓ કરવામાં આવી છે. જેના પણ રાજ્ય સરકાર ધ્યાન આપે તેવી માંગણી નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવી કરવામાં આવી છે.પ્રાપ્ત માહીતી અનુસાર આ વર્ષે સમગ્ર ગુજરાતમાં કુલ ૧૧ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાનાં હતા જેમાંથી ૮ લાખ વિદ્યાર્થોઓને માસ પ્રમોટ કરવામાં આવ્યા હતા. સમગ્ર ભરૂચ જિલ્લામાં ૨૧૩૦૭ વિદ્યાર્થીઓને માસ પ્રમોટ કરવામાં આવ્યા છે જેની સામે ભરૂચ જિલ્લામાં સરકારી શાળામાં ધો.૧૧ના વિદ્યાર્થીઓ માટે કુલ ૧૩૯ વર્ગો છે અને જેમાં ૮૦૦૦ વિધાર્થીઓનો સમાવેશ થઈ શકે છે જેથી સરકાર શાળાઓમાં વર્ગો વધારવા અંગે અને ખાનગી શાળાઓમાં પણ વર્ગ વધારવા અંગે આયોજનબદ્ધ જાહેરાત કરવા માંગણી કરવામાં આવી હતી. અન્ય રજુઆતમાં ૨૧૩૦૭ વિદ્યાર્થીઓ સામે ભણાવી શકે તેવા શિક્ષકો નથી આ વર્ષે માસ પ્રમોશનના કારણે ૩ ગણા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો હોવાથી ૪૯૨ શિક્ષકોની સામે ૯૦ શિક્ષકોની જગ્યા ખાલી પડેલી છે તેના પ્રવાસી શિક્ષકોનો પણ સમાવેશ કરવામાં આવે છે. જેથી શિક્ષકની ગુણવત્તાના રક્ષણ માટે જાહેરાત કરી જગ્યા પૂરી કરવા યોગ્ય ગ્રાન્ટ ફળવવાની પણ માંગ કરવામાં આવી. સરકારે વિદ્યાર્થીઓને માસ પ્રમોટ તો કરી દીધા પરંતુ તેની બાદની પ્રક્રિયા પર કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જેને કારણે શાળાઓમાં પ્રવેશ મેળવવા તેમજ ધો.૧૦ આધારિત નોકરી મેળવવા માટે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને અસમંજસ ઉભી થઈ રહી છે.સાથે બે દિવસ અગાઉ શિક્ષણમંત્રી દ્વારા કરવામાં આવેલ જાહેરાતમાં જણાવામાં આવ્યું હતું કે આઠલાખ વિદ્યાર્થીઓમાંથી ૩,૫૦,૦૦૦ વિદ્યાર્થીઓને પરીક્ષા ફી પરત કરવામાં આવશે.
    વધુ વાંચો
  • ગુજરાત

    અંકલેશ્વરની ઈએસઆઈસી હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત

    અંક્લેશ્વર, અંકલેશ્વર ખાતે આવેલી કોવિડ ઈએસઆઈસી  હોસ્પિટલમાં ઝઘડિયાની ડિસીએમશ્રીરામ કંપની દ્વારા રૂપિયા ૪૮ લાખનું યોગદાન આપવામાં આવ્યુ છે,જેના દ્વારાનિર્માણ પામેલ ઓક્સિજન ના વધુ બે પ્લાન્ટનું ઉદ્‌ઘાટન જિલ્લા કલેક્ટરડો.એમ.ડી મોડિયા ના હસ્તે કરવામાં આવ્યુ હતુ.  અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ઈએસઆઈસી કોવિડ હોસ્પિટલ ખાતે ઝઘડિયા જીઆઇડીસી ની ડીસીએમ શ્રીરામ કંપની દ્વારા રૂપિયા ૪૮ લાખના ખર્ચે નવા બે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં દર કલાકે ૭૦ દર્દીઓનેમળી શકે એટલા બે પ્લાન્ટમાં ૨૦,૦૦૦ લિટર ઓક્સિજનનું ઉત્પાદન થશે.આ બેપ્લાન્ટ નું  ભરૂચ જિલ્લા કલેક્ટર ડો.એમ.ડી.મોડિયા ના હસ્તે  ઉદ્‌ઘાટન કરવામાંઆવ્યુ હતુ.સાંપ્રત સમયમાં કોરોના સંક્રમિત દર્દીઓને સૌથી વધુ ઓક્સિજન તેમજઇન્જેક્શનની પણ અછત વર્તાઈ રહી છે, ત્યારે આવા કપરા સમયમાં કોરોનાની મહામારીમાં દર્દીઓ માટે આ ઉમદા કાર્ય આશીર્વાદ રૂપ સમાન પુરવાર થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. આ અગાઉ અંકલેશ્વર ઉદ્યોગ મંડળ ના પ્રમુખ રમેશ ગાબાણી અને તેમની ટીમનાઅથાગ પ્રયત્નો થકી  ઈએસઆઈસી હોસ્પિટલ ખાતે થી વધુ ૨ ઓક્સિજનટેન્ક કાર્યરત કરાઈ છે. આ  અગાઉ પણ કાર્ય કરવાના અથાગપ્રયત્નો થયા છે, જે સફળ નીવડ્યા હતા. આ પ્લાન્ટ ના ઉદ્‌ઘાટન પ્રસંગે ભરૂચ જિલ્લા સમાહર્તા ડો.એમ.ડી.મોડીયા,અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ રમેશ ગાબાણી, નાયબ કલેકટર રમેશ ભગોરા તેમજ( ૨ )ડીસીએમ શ્રીરામ કંપનીના  હેડ કમલ નાયક , કંપની ના સીએસઆર વિભાગ નાકલ્પેશ મહેતા સહિત હોસ્પિટલના  તબીબો અને કોરોના વોરિયર્સ સ્ટાફ ઉપસ્થિતરહયો હતો. 
    વધુ વાંચો
  • ગુજરાત

    ભરૂચ સબ જેલ દ્વારા મુકવામાં આવેલ જાહેર નોટિસ બોર્ડ હટાવવા માંગ

    ભરૂચ,ભરૂચ સબજેલ પાસે સંતોષી વસાહત પાસે રમતગમતના ગ્રાઉન્ડ પર સબજેલ દ્વારા જાહેર નોટિસનું બોર્ડ મારતા તેને હટાવવાની માંગ સાથે સ્થાનિક આગેવાનો સલીમ અમદાવાદી તેમજ શમશાદઅલી સૈયદની આગેવાનીમાં ક્રિકેટ પ્રેમી યુવાનો તેમજ સ્થાનિક રહીશો સાથે રહીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. સ્થાનિક આગેવાન સલીમ અમદાવાદી જણાવ્યું હતું કે ભરૂચ સબજેલ દવારા સંતોષી વસાહત પાસે આવેલ રમતગમતની જગ્યાએ જાહેર નોટીસ બોર્ડ મારવામાં આવેલ છે, જે ખોટી રીતે તેમજ કાયદા વિરૂધ્ધ છે. જાહેર હેતુ માટેના પ્લોટ કાયમ માટે ખુલ્લા રાખવાના હોઈ છે. આ જગ્યામાં જે બોર્ડ મારવામાં આવેલ છે, તે દુર કરાવી ટી.પી. સ્કીમ હેઠળ જે હેતુ માટે જમીન મળેલ છે તે મુજબનું બોર્ડ બૌડા કચેરી , મારફતે મારવામાં આવે તથા આ જગ્યાની ફરતે બૌડા કચેરી દ્વારા કમ્પાઉન્ડ ફેન્સીંગ કરી જાહેર હેતુ માટે ઉપયોગ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. પશ્ચિમ વિસ્તારમાં આવેલું આ એક માત્ર મોટું રમતગમત કે ધાર્મિક, સામાજિક કાર્યક્રમો માટેનું એકમાત્ર મેદાન હોય આ મેદાન ઉપર કોઈપણ જાતનું દબાણ કે અન્ય સંસ્થા દ્વારા કબજાે થાય તે યોગ્ય નથી. જેથી આ મેદાનને મેદાન જ રાખવાની અપીલ જિલ્લા કેલકટર ડૉ.એમ.ડી. મોડીયા સમક્ષ કરવામાં આવી હતી. ૨૦૦૪ થી આ મેદાન સ્થાનિક સત્તામંડળની ટી.પી.સ્કીમ-૩ માં સામેલ હોય ત્યારબાદ બૌડા અસ્તિત્વમાં આવતા નિયમ મુજબ માલિકી હોય તો જેલ પ્રસાશન પોતાનો હક કેવી રીતે જમાવી શકે. જેલ પ્રસાશન ખોટી રીતે જગ્યા ઉપર કબજાે જમાવવા માંગતી હોય તો જિલ્લા કેલકટર આ બાબતે ઊંડી તપાસ કરી ગેરકાયદેસર કબજાે જમાવવા બદલ કાયદેસરની કરીવાહી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. વર્ષ ૨૦૧૩માં ભરૂચ પોલીસ પ્રસાશન દ્વારા પણ માલિકીનો હક હોવાની માંગ કરી હતી ત્યારે બૌડા કચેરીએ આ બાબતે ચોખવટ કરીને પોલીસ પ્રસાશનને જણાવ્યું હતું કે આ ફક્ત બૌડાની માલિકીની જગ્યા છે. જેથી તે સમયે ભરૂચ પોલીસ પ્રસાશનનો આ મેદાન મેળવવાનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો. તો હવે અચાનક જેલ પ્રસાશન પોતાની માલિકીનો હક કેવી રીતે જમાવી શકે તે તપાસનો વિષય છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    જંબુસરના કાહનવા ગામે એ.જી કનેક્શન બંધ રહેતાં ખેડૂતો મુશ્કેલીમાં

    ભરૂચ, જંબુસર તાલુકાનાં કહાનવા ગામે જીઈબી અધિકારીના પાપે એ.જી. કનેક્શન એક અઠવાડિયાથી બંધ હોઈ ખેડુતો તથા પશુઓ મુશ્કેલીમાં મૂકાયા છે.જીઈબી દ્વારા એ જી કનેક્શન વહેલી તકે શરૂ કરવામાં આવે નહીં તો ગાંધી ચીધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારતાં ધરતીપુત્રો જંબુસર તાલુકાનાં કહાનવા ૯૭૦૦ ની વસ્તી ધરાવતું તાલુકામાં મોટું ગામ છે કાહનવા ગામે નવ પરા વિસ્તારમાં સિત્તેર ટકા વસ્તી ખેતરમાં રહે છે. જ્યાં ૯૭૨ હેક્ટર જમીનમાં ધરતીપુત્રો રવી પાક જેવાકે કપાસ, તુવેર, બાજરી, સુંઢીયુ સહિતના પાકો કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે. સરકારની યોજના મુજબ ખેતરોમાં એ.જી. કનેકશન આપવામાં આવેલ છે જેના થકી ખેડૂતો સમયસર પાક લઈ શકે તથા પશુધનને પીવાના પાણીની સગવડ મળી રહે તા.૧૫/૫/૨૧ થી આ તમામ વિસ્તારોમાં લાઈટ નથી તથા આ વિસ્તારના પોલ એટલા બધા નમી ગયા છે કે જીઈબીના વીજ વાયરો ખુબ જ નીચે આવી ગયાં છે. જેનાથી અકસ્માતનો ભય ધરતીપુત્રોને સતાવી રહ્યો છે. આ ઉપરાંત ધરમપુર વિસ્તારમાં સિંગલ ફેઝમાં પણ લો વોલ્ટેજ રહે છે. આ તમામ સમસ્યાઓને લઈ જંબુસર જીઇબી કચેરીના અધિકારીઓને અનેક વખત રજુઆતો કરી છે તથા ફરિયાદ નોંધાવી છે. છતાંય આજદિન સુધી જીઈબી દ્વારા લાઈટ, થાંભલા, વાયરો, લો વોલ્ટેજ વિગેરેની સમસ્યા દૂર કરવામાં આવી નથી. જીઈબી અધિકારીઓની બેદરકારી નિષ્ક્રિયતાને લઈ ધરતીપુત્રોને શોષવાનો વારો આવ્યો છે. માનવી તો ઠીક પરંતુ પશુધન પણ પીવાના પાણી માટે મુશ્કેલીમાં મુકાયું છે. કહાનવા ગામે આ સમસ્યાઓનો ઉકેલ આવતો જ નથી તે ખેડૂતો માટે એક મોટો પ્રશ્ન છે. જીઈબી દ્વારા વહેલી તકે ઘરતીપુત્રોનો પ્રશ્ન હલ કરે નહીં તો ધરતીપુત્રો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલ આગકાંડમાં નવ ટ્રસ્ટીની ધરપકડ

    ભરૂચ, ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવીડ કેર સેન્ટરમાં આગ લાગવાની ઘટનામાં પાલિકાના ત્રણ કર્મચારીઓ સસ્પેન્ડ થયા બાદ હવે બી ડીવીઝન પોલીસે હોસ્પિટલના ૯ ટ્રસ્ટીઓની ધરપકડ કરી છે.ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે ગત તારીખ ૧લી મેની રાત્રિના સમયે કોવીડ કેર સેન્ટરના આઇસીયુ વિભાગમાં આગ ફાટી નીકળી હતી જેમાં કોરોનાના ૧૬ દર્દીઓ અને બે ટ્રેઇની નર્સ મળી કુલ ૧૮ વ્યકતિઓ જીવતા ભુંજાય ગયાં હતાં. આગની ગંભીરતા પારખી રાજય સરકારે બે આઇએએસ અધિકારી રાજકુમાર બેનીવાલ અને વિપુલ મિત્રાને ભરૂચ દોડાવ્યાં હતાં અને તપાસ શરૂ કરવામા આવી હતી. આ મામલે બાદમાં ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાય હતી.હોસ્પિટલના ટ્રસ્ટીઓ સામે બેદકારી દાખવવા બદલ આઇપીસી ૩૦૪, ૩૩૭, ૩૩૮ હેઠળ ગુનો નોંધાયો છે.આ મામલે.ભરૂચ પોલીસે હોસ્પિટલના ૯ ટ્રસ્ટીઓની ધરપકડ કરી છે. ભરૂચ વિભાગીય પોલીસ વડા વિકાસ સુંડાએ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર ધી બોમ્બે પટેલ વેલફેર હોસ્પિટલનના સંચાલકોને જૂની બિલ્ડીંગમાં ડેઝીગનેટેડ કોવિડ હોસ્પિટલ શરૂ કરવા મંજૂરી આપવામાં આવી હતી. આમ છતા સંચાલકોએ તંત્રની પૂર્વ મંજૂરી અને બી.યુ.સર્ટિફિકેટ વગર નવા બિલ્ડીંગમાં હોસ્પિટલ શરૂ કરી હતી. આ ઉપરાંત ફાયર સેફટી અંગેના પણ કોઈ પગલા ન લેવાયા હતા જેના પગલે હોસ્પિટલમાં આગ ફાટી નીકળતા ૧૮ લોકોના મોત નિપજ્યા હતા. આ ગુનામાં ૯ ટ્રસ્ટીઓની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલાં ટ્રસ્ટીઓમાં જુબેર મોહમ્મદ યાકુબ પટેલ, મહમદ ઈશાવલી રૂવાલા, ફારુક અબ્દુલ્લા પટેલ, યુસુફ ઈબ્રાહિમ પટેલ, ફારૂક યુસુફ પટેલ, સલીમ અહેમદઅલી પટેલ, અહમદ મહંમદ પટેલ, ખાલીદ મહંમદ પટેલ અને હબીબ ઇસ્માઇલ પટેલનો સમાવેશ થવા જાય છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    કરમાડ ગામે ૧૦ ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીન આપાયા

    ભરૂચ, મૂળ કરમાડ ગામના અને હાલ ઇંગ્લેન્ડ વસતા દ્ગઇૈં સેવાભાવીઓ દ્વારા ઉમદા સેવાકાર્ય કરવામાં આવ્યું છે. જેમાં કરમાડના કોરોના સંક્રમિતોના સારા આરોગ્ય માટે જરૂરી સાધન સામગ્રી વિદેશનથી મોકલાવી પ્રેરણાદાયી કાર્ય કરાયું છે. મેડીકલ કીટમાં એક બાયપેપ મશીન, ૧૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન અને ૧૨૦૦ ઓક્સિમીટર સીધા ઈંગ્લેન્ડથી મોકલાવવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લાના દ્ગઇૈં લોકો ભરૂચના ગામડાઓ પર મહેરબાન થયા છે. કરમાડ ગામે ૧૦ ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીન અપાતા ગ્રામજનોમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ હતી. કોરોના દર્દીઓ માટે હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજન બોટલની ઉણપને જાેતા ભરૂચ જિલ્લાના એનઆરઆઇ લોકો ૫ોતાના માદરે વતન માટે કંઈ કરવાની તમન્ના સાથે કોરોનામાં ખૂબ જરૂરી સામગ્રી મોકલાવતા ગામવાસીઓમાં હર્ષની લાગણી ફેલાઈ છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ભરૂચમા કોરોના મહામારી વચ્ચે ઠેર ઠેર મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ

    ભરૂચ, કોરોના મહામારી વચ્ચે મેડિકલ વેસ્ટની સામગ્રી જાહેરમા કોઈ હોસ્પિટલની મેડિકલ ઉઠાવતી વાનમાંથી આ મેડિકલ વેસ્ટ પડ્યો હોય એવું હાલ પૂરતો જાેવાઈ રહ્યું છે જાેનાર વ્યક્તિ જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસથી ઇન્જેક્શન બોટલો બ્લડ વાળા ઇન્જેક્શન માર્ક્‌સ, હેગલોગ્લોસ જેવી વસ્તુઓ જાહેર માર્ગો પર પડી છે આવતા જતા લોકો પણ જાેઈ રહ્યા છે.આ પ્રકારના મેડીકલ વેસ્ટના કારણે પર્યાવરણને પણ નુકશાન પહોંચે તેવા કૃત્ય થતા હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યા હતા અને આવા તત્વો સામે જી.પી.સી.બી સહિતના વિભાગો લાલ આંખ કરે અને બેજવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ ઉચ્ચારવામા આવી છે. કોરોના મહામારી વચ્ચે મેડિકલ વેસ્ટની સામગ્રી જાહેરમાં ઠાલવવામાં આવતી હોવાની અનેકો ઘટનાઓ પ્રકાશમાં આવી છે, જેમાં વધુ એક ઘટના આજે ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નદી કાંઠા પાસેથી સામે આવી હતી, જાહેરમાં કચરાના ઢગ વચ્ચે પીપીઈ કીટ અને ઇન્જેક્શન જેવી મેડિકલ વેસ્ટના ઢગલા કોઈ બેજવાબદાર તત્વો દ્વારા નાંખી જવામાં આવતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્‌યો છે. જાહેરમાં નાખવામાં આવેલ આ પ્રકારના મેડીકલ વેસ્ટના કારણે દુર્ગંધ પ્રસરતા આસપાસ વસતા લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે તેવી સ્થિતીનું સર્જન થયું છે. જાહેરમાં આ પ્રકારે નાંખવામાં આવેલ મેડિકલ વેસ્ટમાં ઢગના કારણે જ્યાં નજીકમાં નર્મદા નદી હોય પર્યાવરણને પણ નુકશાન પહોંચે તેવા કૃત્ય થતા હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યા હતા અને આવા તત્વો સામે જી.પી.સી.બી સહિતના વિભાગો લાલ આંખ કરે અને બેજવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ ઉચ્ચારવામા આવી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    અંકલેશ્વર જીઆઇડીસીમાં કોરોના સામે સુરક્ષાકવચ રૂપ રસીનું ઉત્પાદન થશે

    અંક્લેશ્વર, કોરોના  મહામારીના કારણે હજારો લોકો સંક્રમિત થયા છે અને સેંકડો એ જાનથીહાથ ધોયા છે. હાલના સમયમાં કોરોનાની કોઈ દવા શોધાઈ નથી, ત્યારેપ્રિવેન્ટિવ સ્ટેપ્સ અને વેક્સિન કોરોના સામેની લડતમાં મજબૂત હથિયારમાનવામાં આવી રહ્યા છે.તેવામાં અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત ભારતબાયોટેક ની સબ્સિડિયરી કાયરોન બેહરિંગ વેક્સિન્સ પ્રાઇવેટ લિમિટેડ કોવેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે.ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન ની હાલમાં વેક્સીન અપાઈ રહી છે. દેશમાં દરેક નાગરિકને વેક્સિનનીજરૂર છે. ત્યારે ઉત્પાદન વધારવા ઉપર ભાર અપાઈ રહ્યો છે. હવે ભારત બાયોટેકની વેક્સિન કોવેક્સિન નું ઉત્પાદન અંકલેશ્વરમાં થવા જઈ રહ્યુ છે.ભારત બાયોટેકના કોફાઉન્ડર અને ત્નસ્ડ્ઢ સુચિત્રા એલ્લાએ ટ્‌વીટ દ્વારા જાણકારી આપી છે કેઅંકલેશ્વર સ્થિત કંપનીની સબ્સિડિયરી કાયરોન બેહરિંગ ેક્સિન્સ પ્રાઇવેટલિમિટેડ  અંકલેશ્વર માં ઉત્પાદન શરૂ કરશે.સૂત્રો અનુસાર જૂનના પહેલા સપ્તાહ થી ફોર્મ્યુલેશન અને પેકિંગ ની પ્રક્રિયા શરૂકરાઈ શકે છે. જયારે ટૂંક સમયમાં કંપનીની બે લાઈનમાં પ્રોડક્શનની પ્રક્રિયા પણશરૂ થઇ જશે.હાલમાં હૈદરાબાદ અને બેંગાલુરૂમાં મોટાપાયે વેક્સિનનું ઉત્પાદનકરાઈ રહ્યુ છે. દેશમાં વેક્સિનની મોટી માંગના કારણે હવે અંકલેશ્વરમાં પણવેક્સિનનું ઉત્પાદન શરુ કરશે. અંકલેશ્વર સ્થિત સબ્સિડિયરી કાયરોન બેહરિંગવેક્સિન્સ પ્રાઇવેટ લિમિટેડ  ની વાર્ષિક ૨૦૦ મિલિયન ડોઝ ઉત્પાદન ની ક્ષમતાછે.અંકલેશ્વર ની આ કંપની હાલમાં રેબિસની વેક્સિનના ઉત્પાદનને અટકાવી કોરોનાવેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે.ગુજરાતમાં શરૂ થનાર આ ઉત્પાદનના કારણેગુજરાતીઓને વિશેષ લાભ મળશે કે નહિ તે ઉપર હજુ કોઈ સ્પષ્ટતા થઇ નથી.જાેકે ગુજરાતની ધરા ઉપર વૈશ્વિક મહામારી ને નાથવા માટે મહત્વનું શસ્ત્ર મનાતીવેક્સિનનું ઉત્પાદન મહત્વની અને ગર્વની બાબત મનાઈ રહી છે.આ અંગે કાયરોન બેહરિંગ કંપની ના અધિકારી ઓ એ કંઈપણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.
    વધુ વાંચો
  • ગુજરાત

    પશ્ચિમ વિસ્તારમાં કોવિડ-૧૯ વેકસીન સેન્ટર શરૂ કરાયું

    ભરૂચ  ભરૂચ નગરપાલિકા દ્વારા પશ્ચિમ વિસ્તારમાં કોવિડ-૧૯ વેકસીનેશન સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. આ રસીકરણ સેન્ટરની કોંગ્રેસ કાર્યકરો દ્વારા ઘણા લાંબા સમયથી માંગણી કરવામાં આવી હતી જેની શરૂઆત થતાં બહોળા પ્રમાણમાં લોકોએ રસીકરણનો લાભ લીધો હતો.ભરૂચ જીલ્લામાં વિવિધ જગ્યાએ કોવિડ-૧૯ વેકસીનેશન સેન્ટરો કાર્યરત છે. પશ્ચિમ વિસ્તારમાં કોંગ્રેસી આગેવાનોની ઉગ્ર રજૂઆતો કરાઈ હતી. આ દરમિયાન વિપક્ષ અને આરોગ્ય અધિકારી વચ્ચે શાબ્દીક ઉગ્ર દલીલો થઈ હતી. હવે આ તમામ વચ્ચે પશ્ચિમ વિસ્તારના લોકોને રાહત મળી છે. વિપક્ષની ઉગ્ર રજુઆતના પગલે તંત્ર દ્વારા વિપક્ષની માંગ સંતોષવામાં આવી છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મદીના હોટલ પાસે આવેલી છીપવાડ સ્કૂલમાં રસીકરણ કેન્દ્ર ફાળવવામાં આવ્યુ છે. આ તકે તંત્ર દ્વારા શરૂ કરાયેલ પશ્ચિમ વિસ્તારમાં વેકસીન સેન્ટરમાં આ વિસ્તારના રહેવાસીઓએ બહોળા પ્રમાણમા કોવિડ-૧૯ ની રસીનો લાભ લીધો હતો. રસીકર કેન્દ્ર ખુલવાથી સ્થાનિક લોકોએ વિપક્ષના સભ્યો તંત્રનો આભાર વ્યકત કરાયો હતો. ભરૂચ જીલ્લા કોંગ્રેસે સરકાર દ્વારા વધુ રસીકરણ કેન્દ્રો ખોલવાની રજુઆત કરી હતી જેથી ઓછા સમયમાં વધુ લોકોને રસીનો લાભ મળી શકે. કોંગ્રેસે આ વિસ્તારમાં આવેલ ડેન્ટલ કોલેજ ખાતે પણ એક વેકસીન સેન્ટર શરૂ કરવાની માંગણી કરી છે. હાલ ભારત સરકાર દ્વારા ત્રીજા તબક્કાની વેકસીન કામગીરી પણ શરૂ કરવામાં આવી છે તો ૧૮ થી ૪૫ વર્ષ સુધીના યુવાનોને કોવિડ-૧૯ સેન્ટરો મળતા નથી
    વધુ વાંચો
  • ગુજરાત

    અંકલેશ્વર પોલીસે શખ્સનો ટ્રાન્સફર વોરંટથી કબજાે લઈ અટકાયત કરી

    અંક્લેશ્વર, પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ગોપાલ ડેરી પાસે રહેતાશાંતિલાલ પેથાભાઈ ધૌળુ ની બહેના પુત્રને કોરોના થતાં તેને નાસિકની ખાનગી હોસ્પિટલમાંખસેડવામાં આવ્યો હતો.જેને સારવાર દરમિયાન રેમડેસિવિર ઇન્જેક્શન ની જરૂર હતી. તે સમયેશાંતિલાલ ધૌળુ એ વોટ્‌સએપ ગ્રૂપમાં ઝાયડસ ફાર્મા સિટિકલ નામની લિન્ક ઓપન કરી હતીઅને અભિષેક નામના યુવાનનો સંપર્ક કર્યો હતો.જેણે તેઓને ઇન્જેક્શન બુક કરાવ્યુ હતુ અને બાદમાં રૂપિયા ૧૬,૮૦૦  નક્કી કરવામાં આવ્યાહતા.જે પેટે તેઓએ પ્રથમ ૯૦૦૦ ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા.જે બાદ યુવાને તેઓનેઇન્જેક્શન નહિ આપી છેતરપિંડી કરી હતી. છેતરપિંડી ના બનાવ અંગે જીઆઈડીસી પોલીસેગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.તે દરમિયાન અમદાવાદ સાયબર ક્રાઈમે મધ્યપ્રદેશ ના ભોપાલ ના પાતરા રોડ ઉપર નવી નગરમાં રહેતા અભિષેક રમેશ ગૌતમ ને ઝડપી પાડ્યોહતો. જેની વધુ પૂછપરછ કરતા તેણે અમદાવાદના ત્રણ અને નડિયાદ તેમજ મુંબઈ,મધ્ય પ્રદેશસહિત અંકલેશ્વર ના મળી કુલ ૬ લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું કબૂલ કર્યું હતુ.
    વધુ વાંચો
  • ગુજરાત

    મીની લોકડાઉન બાદ ભરૂચમાં પુનઃ ધંધા વ્યવસાય શરૂ

    ભરૂચ, રાજ્ય સરકારે કોરોનાના વધતા કેસોને ધ્યાને રાખીને તમામ શહેરોમાં આંશિક લોકડાઉન જેવા નિયમો લાદી દીધા હતા. જેને કારણે અત્યંત જરૂરિયાત સિવાયની દુકાનો બંધ રાખવી પડે તેવી સ્થિતી સર્જાઇ હતી. આખરે ૨૩ દિવસ બાદ શુક્રવારથી સરકાર દ્વારા ધંધા રોજગાર પુનઃ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવતા ભરૂચનાં બજારો ધમધમવા લાગ્યા હતા.રાજ્યમાં કોરોનાની સ્થિતી સુનામીમાં પરિવર્તિત થતા સરકાર અને હાઇ કોર્ટ એક્શનમાં આવી હતી. કોરોના સામેની નબળી તૈયારીઓને પગલે હાઇ કોર્ટે રાજ્ય સરકારને અનેક વખત ફટકાર પણ લગાવી હતી. જેને લઇને રાજ્ય સરકારે એક્શનમાં આવીને કોરોના પર નિયંત્રણ મેળવવાના આશયથી આંશિક લોકડાઉન અને કોરોના કર્ફ્‌યુ સહિતના નિયમો લાદી દીધા હતા. આંશિક લોકડાઉન લાગુ કરવાને કારણે છેલ્લા ૨૩ દિવસથી અત્યંત જરૂરીયાત સિવાયની તમામ દુકાનો બંધ હતી. ૩ દિવસનાં સમયગાળામાં બે વખત રાજ્ય સરકારે આંશિક લોકડાઉનની અમલવારીની મર્યાદા વધારી હતી. જેને લઇને વેપારીઓમાં કચવાટ ઉભો થયો હતો. કેટલીક વખત તો મજબુરીવશ લોકોએ દુકાનનું અડધું શટર પાડીને ધંધો કરવો પડ્યો હોય તેવા તથા તેવા દુકાનદારોને તંત્ર દ્વારા દંડિત કરવાના કિસ્સાઓ પણ સામે આવ્યા હતા.આખરે રાજ્ય સરકારે જાહેરાત કરીને સવારે ૯ થી ૩ વાગ્યા સુધી દુકાનો ખોલી શકાશે તેવી છુટ આપી દીધી હતી. જેના પગલે વેપારીઓએ આંશિક હાશકારો અનુભવ્યો હતો. વેપારીઓની તો માંગ હતી કે, દુકાનો અગાઉની જેમ નિયમીત રીતે ચાલુ કરવા દેવામાં આવે, પરંતુ રાજ્ય સરકારે અડધા દિવસની મંજુરી આપી હતી. જાેકે ૬ કલાકની છૂટ મળતા વેપારીઓએ સરકારની ગાઈડલાઇન અનુસાર નિયમોનું પાલન કરી ધંધો વ્યવસાય કરીશે તેમ જણાવ્યુ હતું. અત્રે ઉલ્લેખીય છે કે, કોરોના હજી ગયો નથી. આપણે બધા હજી પણ કોરોનાની મહામારીના કપરા સમયમાંથી પસાર થઇ રહ્યા છે. પ્રથમ વેવમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતા જ લોકો બેફિકર બની ગયા હતા. જેને કારણે કોરોનાની બીજી વેવમાં મુશ્કેલીઓ વધી હતી. આ ઘટના પરથી બોધપાઠ લઇને લોકોએ સરકારે આપેલી છુટમાં પણ માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવું તથા કોવિડ ગાઇનલાઇનનું ચુસ્ત પણે પાલન કરવું જાેઇએ. અને વેક્સીન લેવી જાેઇએ. કોરોના સામેની તકેદારી રાખવાથી જલ્દીધી તેનાથી છુટકારો મળી શકે તેમ છે.
    વધુ વાંચો