લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, માર્ચ 2026 |
1881
નવી દિલ્હી,
ભારત સરકારના વિદેશ, શિપિંગ, પેટ્રોલિયમ, સૂચના અને પ્રસારણ મંત્રાલયે ગુરુવારે દેશમાં ક્રૂડ ઓઇલ અને ગેસની અછત અંગે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. સરકારે જણાવ્યું કે ભારત તેની જરૂરિયાતનો લગભગ ૬૦% એલપીજી આયાત કરે છે, જેમાંથી લગભગ ૯૦% સપ્લાય સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી આવે છે. સરકારે કહ્યું કે દેશમાં સ્થિતિ પડકારજનક છે, પરંતુ સરકાર ગેસ સપ્લાય સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે. દેશમાં દરરોજ લગભગ ૫૦ લાખ એલપીજી સિલિન્ડરની ડિલિવરી કરવામાં આવે છે. તાજેતરમાં ગભરાટને કારણે સિલિન્ડર બુકિંગમાં અનેકગણો વધારો જાેવા મળ્યો છે. કેન્દ્રએ જણાવ્યું કે લોકોને ગભરાટભરી બુકિંગ ટાળવા અપીલ કરવામાં આવી છે. આ સાથે રાજ્ય સરકારોને જરૂરિયાતમંદ લાભાર્થીઓની યાદી તૈયાર કરવા જણાવાયું છે, જેથી ઘરેલું અને કમર્શિયલ સિલિન્ડરનો સપ્લાય પ્રાથમિકતાના આધારે સુનિશ્ચિત કરી શકાય.
પેટ્રોલિયમ મંત્રાલયના જાેઈન્ટ સેક્રેટરી (માર્કેટિંગ અને ઓઈલ રિફાઈનરી) સુજાતા શર્માએ કહ્યું હતું કે, દેશમાં પેટ્રોલ-ડીઝલ અને એલપીજીની ઉપલબ્ધતાને લઈને સ્થિતિ ઘણી સરળ અને સંતોષજનક છે. ભારત દરરોજ લગભગ ૫૫ લાખ બેરલ ક્રૂડ ઓઇલનો ઉપયોગ કરે છે અને વિશ્વનો ચોથો સૌથી મોટો રિફાઇનર હોવાને કારણે પેટ્રોલ-ડીઝલ જેવા ઉત્પાદનોની ઉપલબ્ધતા અંગે વિશ્વાસ જળવાઈ રહ્યો છે.
૯ માર્ચે પેટ્રોલિયમ મંત્રાલયે એસ્મા હેઠળ તમામ રિફાઇનરીઓને એલપીજી ઉત્પાદન મહત્તમ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ ઘરેલું ઉત્પાદનમાં વધારો થયો છે અને હવે તે ૨૫%થી વધીને ૨૮% થઈ ગયું છે. દેશભરમાં લગભગ ૧ લાખ રિટેલ આઉટલેટ એટલે કે પેટ્રોલ પંપ કાર્યરત છે, જેમાંથી મોટાભાગના જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓના છે. આ આઉટલેટ્સ પર ક્યાંય પણ ઇંધણની અછત કે ડ્રાય-આઉટની સ્થિતિ સામે આવી નથી. ભારત સરકાર દર ક્વાર્ટરમાં રાજ્યોને કેરોસીન ફાળવે છે. દર ત્રણ મહિને આશરે ૧ લાખ કિલોલિટર કેરોસીન રાજ્યોને આપવામાં આવે છે. આજે જારી કરાયેલા નવા આદેશ હેઠળ રાજ્ય સરકારોને વધારાનું ૪૮ હજાર કિલોલિટર કેરોસીન પણ જારી કરવામાં આવશે.
ઘરેલું બજારમાં એલપીજીનો પુરવઠો માગ અને પુરવઠા બંનેના વ્યવસ્થાપન પર આધાર રાખે છે. સરકાર તમામ મોરચે કાર્યવાહી કરી રહી છે. જ્યાં સુધી પુરવઠાનો સવાલ છે, અમે ઘરેલું એલપીજી ઉત્પાદન વધારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. દિલ્હી સરકારના મુખ્ય સચિવ સાથે ચર્ચા થઈ છે અને તે નક્કી કરવામાં આવ્યું છે કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ કેટલાક કમર્શિયલ સિલિન્ડર એટલે કે ૧૯ કિલોગ્રામવાળા સિલિન્ડર પણ જારી કરશે, પરંતુ આ સાથે રાજ્ય સરકાર અથવા કેન્દ્રશાસિત પ્રદેશની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી વિતરણ પારદર્શક અને પ્રાથમિકતાના આધારે સુનિશ્ચિત કરી શકાય.
આ બાજુ શિપિંગ મંત્રાલયના અધિકારી રાજેશ કુમાર સિંહાએ જણાવ્યું હતું કે, પર્શિયન ગલ્ફ ક્ષેત્રમાં ભારતીય જહાજાેની સંખ્યા હાલમાં ૨૮ છે અને આ સંખ્યા પહેલા જેવી જ જળવાઈ રહી છે. આ જહાજાેમાં કુલ ૭૭૮ ભારતીય નાવિકો સવાર છે. આ ૨૮ જહાજાેમાંથી ૨૪ હોર્મુઝ સ્ટ્રેટના પશ્ચિમી ભાગમાં છે, જેના પર ૬૭૭ ભારતીય નાવિકો હાજર છે. જ્યારે ચાર જહાજ હોર્મુઝના પૂર્વીય ભાગમાં છે, જેના પર ૧૦૧ ભારતીય નાવિકો સવાર છે. સરકાર આ તમામ જહાજાે અને તેમના ક્રૂની સુરક્ષા પર સતત નજર રાખી રહી છે.
અફવા ફેલાવનારા પર નજર રાખો, મોદીની મંત્રીઓને ટકોર
વૈશ્વિક સ્તરે વધી રહેલા ઈંધણના ભાવ અને સપ્લાય ચેઇનમાં વિક્ષેપની અસરો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટ બેઠકમાં મંત્રીઓને મહત્ત્વની સૂચના આપી છે. વડાપ્રધાને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, ન્ઁય્ના પુરવઠા અંગે જનતામાં ભય કે ગભરાટ પેદા કરનારા તત્ત્વો પર કડક નજર રાખવામાં આવે. વડાપ્રધાન મોદીએ મંત્રીઓને સલાહ આપી કે, સોશિયલ મીડિયા પર વિપક્ષ દ્વારા કરવામાં આવતા કથિત પ્રોપેગેન્ડાનો પૂરા આત્મવિશ્વાસ સાથે જવાબ આપવો જાેઈએ. કેટલાક તત્ત્વો વર્તમાન પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવીને સામાન્ય જનતામાં ડર પેદા કરવા માગે છે. આવી કોઈપણ ગતિવિધિ જે પરિસ્થિતિને ગંભીર બનાવવાનો પ્રયાસ કરતી હોય તેની પર બારીકાઈથી નજર રાખવી જરૂરી છે. વડાપ્રધાનના અનુસાર ઈંધણની સમસ્યા માત્ર ભારત પૂરતી મર્યાદિત નથી, પરંતુ વર્તમાન ભૌગોલિક-રાજકીય સ્થિતિને કારણે આખી દુનિયા અત્યારે આવી જ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. પીએમ મોદીએ ખાતરી આપી છે કે, ભારતની તૈયારીઓ અત્યંત મજબૂત છે. સરકાર પાસે પુરવઠાની સાંકળ જાળવી રાખવા માટે પૂરતા સંસાધનો ઉપલબ્ધ છે.
અમિત શાહના અધ્યક્ષપદે સમિતિની રચના દેશમાં પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસની અછત ન રહે તે માટે કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે. સરકારે દેશના સૌથી શક્તિશાળી મંત્રીઓને સોંપેલી એક ખાસ સમિતિની રચના કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં સમિતિની રચના પેટ્રોલ, ડીઝલ અને ગેસના પુરવઠા પર દેખરેખ રાખવા માટે કરવામાં આવી છે. ત્રણ મંત્રીઓની સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં વિદેશ મંત્રી જયશંકર અને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિમાં અમિત શાહ (ગૃહમંત્રી), એસ. જયશંકર (વિદેશ મંત્રી), હરદીપ સિંહ પુરી (પેટ્રોલિયમ મંત્રી) ચાંપતી નજર રાખશે.
બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો
ભારતમાં એલપીજી સિલિન્ડરના પુરવઠામાં અવરોધ આવવાની આશંકા વચ્ચે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન દ્વારા તમામ રાજ્યોના મુખ્ય સચિવો અને ડ્ઢય્ઁજ સાથે એક મહત્ત્વની બેઠક યોજવામાં આવી હતી. આશરે ૨ કલાક ચાલેલી આ બેઠકમાં દેશભરમાં એલપીજી ની ઉપલબ્ધતાની સમીક્ષા કરવામાં આવી હતી અને ઘરેલું ગેસનો પુરવઠો કોઈપણ અડચણ વગર ચાલુ રહે તે માટે જરૂરી નિર્દેશો આપવામાં આવ્યા હતા.કેન્દ્ર સરકારે રાજ્યોને ન્ઁય્ બોટલિંગ પ્લાન્ટ્સ, ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક અને પરિવહન વાહનોની સુરક્ષા સઘન બનાવવાના આદેશ આપ્યા છે. આ ઉપરાંત, સ્થાનિક સ્તરે ગેસના પુરવઠાનું રોજબરોજ મોનિટરિંગ કરવા અને કાળાબજારી કરનારાઓ સામે કડક હાથે કામ લેવા જણાવાયું છે. લોકોમાં ફેલાતી અફવાઓને ડામવા માટે ગૃહ મંત્રાલયે રાજ્યોને જનજાગૃતિ અભિયાન શરૂ કરવા તેમજ સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ કે જૂના વીડિયો દ્વારા ગભરાટ ફેલાવતા તત્વો વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી છે.