બોટાદ સમાચાર
-
બોટાદમાં નવ વર્ષની બાળકી પર બળાત્કાર કરી હત્યા કરનાર નરાધમને કડકમાં કડક સજાની માંગ
- 24, જાન્યુઆરી 2023 01:30 AM
- 4296 comments
- 6521 Views
બોટાદ બોટાદમાં વાસી ઉત્તરાયણના દિવસે પતંગ લૂંટવા ગયેલી એક ફૂલ જેવી માસૂમ બાળા ઉપર બોટાદના શિવનગરમાં રહેતા હવસખોર શખ્સે હેવાનિયતની હદ વટાવી બળાત્કાર ગુજારી ર્નિદયતાપૂર્વક હત્યા કરી નાંખી હતી. આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં જવાલારૂપી રોષ ભભુકી ઉઠયો છે.ત્યારે પોલીસે પણ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ ત્રણ ટીમ બનાવી ગણતરીના કલાકોમાં જ હવસખોર નરાધમ શખ્સને દબોચી લીધો હતો. બોટાદ ખાતે માત્ર ૯ વર્ષની ફુલ જેવી બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા કરનાર બળાત્કારી વિરૂધ્ધ કાયદાકીય સખ્તમાં સખ્ત આજીવન કેદની અથવા ફાસીની સજા આપી ન્યાય આપવા જુનાગઢ જિલ્લાના દેવી પૂજક સમાજમાં રોષની જવાળા ભભુકી ઉઠી છે. જૂનાગઢના વોર્ડ નંબર કોર્પોરેટર ચેતનાબેન ચુડાસમાએ જણાવ્યું હતું કે બોટાદમાં નરાધમ દ્વારા બાળકી પર જે ગુજારવામાં આવ્યો છે તે અતિ નિંદનીય છે અને આવા લોકોને ફાંસીની સજા કરતા પણ વધુ આકરી સજા આપવી જાેઈએ આવા બળાત્કારીઓને જાહેરમાં પ્રજાની વચ્ચે કડકમાં કડક સજા કરવી જાેઈએ કે આ સજાને જાેઈ આવું કૃત્ય કરતા પહેલા કોઈપણ વ્યક્તિ આવું પગલું ભરે નહિ.વધુ વાંચો -
સાળંગપુર હનુમાનજીને રંગબેરંગી ફુગ્ગાના શણગાર સાથે મીઠાઈનો અન્નકૂટ ધરાયો
- 22, જાન્યુઆરી 2023 01:30 AM
- 3000 comments
- 5783 Views
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકા માં આવેલ વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી દાદાનું ધામ જ્યાં ખૂબ મોટી સંખ્યા માં હનુમાનજી દાદાના હરિભક્તો દાદાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી ની પ્રેરણા તેમજ કોઠારી વિવેકસાગર સ્વામી ના માર્ગદર્શન હેઠળ આજે અમાસ તેમજ શનિવાર ના રોજ રંગ બેરંગી કલર ફૂલ ફુગ્ગા નો દિવ્ય શણગાર કરવામાં આવેલ છે. તેમજ અદભૂત શણગાર સાથે કાજુકતરી, બરફી,પેંડા,લાડુ જેવી વિવિધ મીઠાઈ નો અન્નકૂટ ધરાવી મંગળા આરતી તેમજ શણગાર આરતી કરવામાં આવી હતી હનુમાનજી દાદા ને કરાયેલ અદભૂત શણગાર સાથે ના દર્શન કરી હરિ ભક્તો એ આ દિવ્ય દર્શન નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.વધુ વાંચો -
ગીરગઢડામાં ટિસી ઉપર દીપડીએ શિકાર માટે છલાંગ મારતા વીજ કરંટથી મોત
- 22, નવેમ્બર 2022 01:30 AM
- 5674 comments
- 9914 Views
ગીરગઢડા, ગીરગઢડાના કરેણી ગામની સીમ વિસ્તારમાં આવેલા વીજ પોલના ટીસી ઉપર દીપડીએ શિકાર માટે જંપ મારતા વિજ શોટથી દીપડીનું ઘટનાસ્થળેજ મોત નિપજ્યું હતું. આ ઘટના અંગે વન વિભાગે આગળની વધુ તપાસ હાથ ધરી છે કરેણી ગામની સીમ વિસ્તારમાં બચુભાઈ બોધભાઈ મોરીની વાડીના સેઢા પાસે આવેલા ગૌચર જમીનમાં વીજ પોલ ઉપર ટીસી આવેલું છે. જેમાં વીજ પાવર સપ્લાઇ ચાલું હતો. ત્યારે વીજ ટીસી ઉપર બેઠેલા પક્ષીને જાેઈ દીપડીએ શિકારની લાલચમાં જંપ મારતાં ટીસી ઉપર ચડી શિકાર કરવા જતાં અચાનકજ વિજ શોટ લાગતા દીપડીનું ઘટનાસ્થળેજ ક્ષણવારમાં મોત નિપજ્યું હતું.આ ઘટના બનતા તાત્કાલિક પીજીવીસીએલ તેમજ વન વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને વીજ પૂરવઠો બંધ કરી દીપડીનો મૃતદેહ નીચે ઉતાર્યો હતો. વન વિભાગે દીપડીના મૃતદેહને જશાધાર એનિમલ કેર સેન્ટરમાં પીએમ અર્થે ખસેડી હતી જેમાં દીપડી અંદાજે ચારેક વર્ષની હોવાનુ વન વિભાગના ફોરેસ્ટ વી એમ ચાવડાએ જણાવ્યું હતું. આ ઘટના અંગે વનવિભાગે આગળની વધુ તપાસ હાથ ધરી છે.વધુ વાંચો -
ભામસરા ગામ પાસે બોલેરો ગાડીને ટેન્કરે ટક્કર મારતાં બે લોકોના મોત
- 15, નવેમ્બર 2022 01:30 AM
- 5867 comments
- 7880 Views
બોટાદ,ધોળકા તાલુકાના કોઠ ગામની ૨ વ્યકિત બોલેરો ગાડીમાં રાજકોટથી લસણની બોરીઓ ભરીને બાવળા આવી રહ્યા હતા ત્યારે ભમાસરા ગામ પાસે ગાડીના દોરડાના બંધ ચેક કરતાં હતા ત્યારે કોઇ અજાણ્યા ટેન્કર ચાલકે પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવીને ગાડીને અને બંને વ્યકિતને પાછળથી ટક્કર મારીને નાસી છૂટયો હતો. એક્સીડેન્ટમાં બંને વ્યક્તિને શરીરે ઇજા થતાં બંન્નેનાં સ્થળ ઉપર જ મોત થવા પામ્યા હતા. બગોદરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.ધોળકા તાલુકાના કોઠ ગામમાં આવેલા પશુ દવાખાના પાસે રહેતાં નરેન્દ્રભાઇ મોબતસંગ પરમારે બગોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે ૧૨ તારીખે અમારી બાજુમાં રહેતાં અનિલભાઈ અરવિંદભાઇ બેલદાર તેમની મહિન્દ્રા બોલેરો પીકઅપ લોડીંગ ગાડી લઇને વોડાફોનનો સામાન ભરવા જતાં હોવાથી અને મારા પિતા મોબતસંગ ધુધાભાઇ પરમાર કંપનીમાં રજા હોવાથી મારા પિતા તેઓની સાથે વહેલી સવારે ૫ વાગ્યે બોલેરોમાં બેસીને ગયા હતા. ૧૩ તારીખે વહેલી સવારના અનિલભાઇ બેલદારનાં મમ્મી અમારા ઘરે આવીને કહ્યું કે મારા મોબાઇલ ફોનમાં કોઇ ભાઇનો ફોન આવ્યો હતો કે ફોનમાં મારો દિકરો અનિલે કહ્યું કે હું તથા મોબતસંગ બંને જણા મારી બોલેરો લઇને વોડાફોનનો સામાનભરીને પોરબંદર ગયેલા અને પાછા આવતી વખતે રાજકોટથી લસણની બોરીઓ ભરીને બાવળા ખાલી કરવાનું હોવાથી બાવળા જતા હતા તે વખતે ભામસરા ગામનો બ્રીજ વટાવી થોડે આગળ બોલેરોમાં ભરેલી લસણની બોરીઓને બાંધેલા દોરડાના બંધ ચેક કરવા માટે બોલેરો રોડની સાઇડમાં ઉભી રાખીને બંન્ને જણા નીચે ઉતરી દોરડાના બંધ ચેક કરતાં હતા. તે વખતે વહેલી સવારે સાડા ૪ વાગ્યો બગોદરા તરફથી ૧ ટેન્કર સ્પીડમાં આવીને અમારી બોલેરોને ટક્કર મારી અમને અડફેટમાં લઈ એકસીડન્ટ કરીને ટેન્કરનો ડ્રાઇવર ટેન્કર લઇ બાવળા તરફ જતો રહ્યો હતો. અકસ્માતમાં બંનેને માથામાં અને શરીરે ગંભીર ઈજા થવા પામી હતી. મોબતસંગ બેભાન થઈ ગયા હતા. જેથી અમે ઇકો ગાડી લઇને ઘટના સ્થળે ગયા હતા ત્યારે કોઈએ ૧૦૮ની ઇમરજન્સી સેવાને ફોન કરતાં ૧૦૮ એમ્બ્યુલન્સ આવી ગઈ હતી.વધુ વાંચો -
સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને દિવ્ય વાઘા ધરાવાયાં
- 29, મે 2022 01:30 AM
- 8771 comments
- 5392 Views
બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે શનિવાર નિમિત્તે દાદાને દિવ્ય વાઘા ધરાવીને દાદાના સિંહાસનને ફુલનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે તા. ૨૮ મે, ૨૦૨૨ને શનિવારના રોજ સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘા ધરાયા હતા. તેમજ દાદાના સિંહાસનને ફુલનો દિવ્ય શણગાર કરી મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા સવારે ૭ કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી(અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી.વધુ વાંચો -
સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા
- 01, મે 2022 01:30 AM
- 845 comments
- 1173 Views
બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે શનિવાર નિમિતે દિવ્ય શણગાર કરી વાઘા તેમજ ગદા, તલવાર, ભાલા, કટાર વગરે શસ્ત્ર ધરાવવામાં આવ્યો હતો.વધુ વાંચો -
અમૃત મહોત્સવ યાત્રામાં રૂપાલા બોટાદથી અમદાવાદ સુધી બુલેટ પર રેલીમાં જાેડાયા
- 19, એપ્રીલ 2022 01:30 AM
- 7513 comments
- 2783 Views
બોટાદ,ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવે છે કે, ૭૫માં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના માર્ગદર્શનમાં અને યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો.પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં રાજયના યુવાનોમાં દેશ ભક્તિ વધે તે માટે બાઇક યાત્રા ૬ એપ્રિલેથી શરૂ થઇ છે. આજે બોટાદ જિલ્લાથી અમદાવાદ જિલ્લા તરફ જતા બાઇક યાત્રામાં બુલેટ પર કેન્દ્રીય મંત્રીશ્રી પરસોત્તમ રૂપાલા જાેડાયા હતા. યુવા મોરચાની બાઇક રેલીમાં કેન્દ્રીય મંત્રીશ્રી પરસોત્તમ રૂપાલાજી આવતા યુવા કાર્યકરોમાં ઉત્સાહમાં વધારો થયો હતો. યુવા મોરચાની બાઇક રેલી કર્ણાવતી મહાનગરથી પ્રસ્થાન થઇ હતી અને આશરે ૨૦ થી વધુ જીલ્લા-મહાનગરોમાં પસાર થઇ અંદાજે ૧૫૦૦ કિમીનો પ્રવાસ પુર્ણ કર્યો છે. યુવા મોરચાની બાઇક રેલી સુરત ખાતે પુર્ણ થશે અને આ યાત્રા કુલ આશરે ૩૫૦૦ કિમીનો પ્રવાસ કરશે. આ યાત્રા દ્વારા રાજયના યુવાનોને દેશ પ્રત્યે જાગૃતી લાવવા, દેશને આઝાદી અપાવવા જે યુવાનોએ બલીદાન આપ્યું છે તેમજ કોરોનાના કપરા કાળમાં જે કોરોના વોરિયર્સએ જીવ ગુમાવ્યો છે તેમને શ્રદ્ધાંજલી આપી તેમના ઘરના પરિવારના સભ્યને મળી, શહિદોની માટી એકત્ર કરવામાં આવનાર છે. રાજયના યુવાનોમાં દેશ પ્રત્યે લાગણી વધારવા ભાજપના યુવા મોરચાના કાર્યકરો દ્વારા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષશ્રી ડો.પ્રશાંતભાઇ કોરાટની આગેવાનીમાં નવી સિદ્ધી પ્રાપ્ત કરવા આગળ વધી રહ્યો છે.વધુ વાંચો -
બાળકો અત્યાચારનો ભોગ ન બને તે માટે દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો, નાટક દ્વારા ગુડ - બેડ ટચની સમજ અપાઈ
- 22, ફેબ્રુઆરી 2022 01:30 AM
- 803 comments
- 3863 Views
બોટાદ. બોટાદ જિલ્લા પોલીસ દ્વારા બાળકોની સુરક્ષા અને સલામતી સુનિશ્વિત કરતા આ અનેરા અભિયાન ‘સંવેદના એક અભિયાન અંતર્ગત આગામી સમયમાં જિલ્લાના તમામ બાળકોને આવરી લેવામાં આવશે અને તેમને તાલીમબદ્ધ ટીમ દ્વારા ગુડ ટચ અને બેડ ટચની સમજ આપવામાં આવશે. ‘સંવેદના-એક અભિયાન પાર્ટ-૨’ના શુભારંભ પ્રસંગે આ અભિયાનમાં જિલ્લાના પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની ઉપસ્થિતિ રહી હતી અને તેમના ઉદબોધન સાથે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાનમાં ઉપસ્થિત બાળકોને ટીમ દ્વારા દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો, નાટક અને રોલ પ્લે દ્વારા સારા અને ખરાબ સ્પર્શ વિશે સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ બાળકો, વાલીઓ અને શિક્ષકો માટે ઉપયોગી બની રહે તેવા પેમ્પ્લેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.આ અભિયાન અંતર્ગત હાલ બોટાદ ખાતેની અલગ-અલગ શાળાઓમાં આ તાલીમ ચાલુ છે અને આગામી સમયમાં જિલ્લાના તમામ વિસ્તારોને આ અભિયાન હેઠળ આવરી લેવાશે. જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ, આંગણવાડીઓ, બાળમંદીર તથા ઝુંપડપટીઓમાં ટીમ સંવેદના દ્વારા બાળકોને દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો દ્વારા ગુડ ટચ અને બેડ ટચની તાલીમ આપવામાં આવશે. દરેક શાળાઓને ભવિષ્યમાં ઉપયોગી બની રહે તાલીમ સાહિત્ય વાળી ડીવીડીનું પણ વિતરણ કરાશે. આજનું બાળક એ આવતી કાલનું ભવિષ્ય છે. જેથી દરેક બાળકનો મુક્ત અને ર્નિભય વાતાવરણમાં સર્વાંગી વિકાસ થાય તે ખુબ જરૂરી છે, પરંતુ અલગ-અલગ કારણોસર બાળકો સાથેના અપરાધોમાં દિન-પ્રતિદિન વધારો થઇ રહેલ છે. આ અપરાધો બનતા અટકાવવા વાલીઓ અને બાળકોમાં જાગૃતિ આવે તે અતિ આવશ્યક બાબત છે. બોટાદ જિલ્લામાં વર્ષ-૨૦૧૯ માં બોટાદ શહેર ખાતે છ વર્ષની બાળકીને પતંગની લાલચ આપી એક નરાધમ દ્વારા લલચાવીને અવાવરૂ જગ્યાએ લઇ જઇ દુષ્કર્મનો પ્રયાસ કરવાનો કિસ્સો સામે આવ્યો હતો.વધુ વાંચો -
બોટાદમાં લોકોએ કોરોનાના નિયમોને ધજાગરા ઉડાવ્યાં
- 28, ડિસેમ્બર 2021 01:30 AM
- 8917 comments
- 1447 Views
બોટાદ, રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યા છે, ત્યારે સોશિયલ મીડિયામાં આજે એક એવો વીડિયો સામે આવ્યો છે જેના કારણે ખળભળાટ મચ્યો છે. બોટાદમાં પૂર્વ મંત્રીની હાજરીમાં જ કોરોનાને ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું હોય તેવી સ્થિતિ ઉદ્દભવી છે. બોટાદમાં નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. પહેલી ડિસેમ્બરથી ક્રિકેટ ટૂર્નામેન્ટની શરૂઆત થઈ હતી અને ૨૫ ડિસેમ્બરે ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ હતી. ત્યારે ફાઈનલ મેચ જીતેલી ટીમે કોરોનાના નિયમો ભૂલીને જાેરદાર ઉજવણી કરી હતી. જેનો વીડિયો હાલ સામે આવ્યો છે.બોટાદમાં કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ આપતા દ્રશ્યો સામે આવ્યા છે. પૂર્વ મંત્રીની હાજરીમાં જ કોરોનાને આમંત્રણ આપવા હજારોની સંખ્યામાં ભીડ ઉમટી હતી. ઓમિક્રોન અને કોરોનાના ખતરા વચ્ચે બોટાદમાં એક મહિના જેટલી લાંબી નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજવામાં આવી હતી. જેની ફાઈનલમાં જીત મેળવ્યા બાદ ભીડ એવી રીતે એકઠી થઈ કે જેને જાેઈને સૌ કોઈ ચોંકી જશે. આ ભીડનો વીડિયો બીજાે કોઈ નહીં પણ ખુદ પૂર્વ મંત્રી સૌરભ પટેલે શેર કર્યો છે. મેચમાં ઉમટેલા લોકોના મોઢા પર ના તો માસ્ક હતું કે ના તો ક્યાંય સોશિયલ ડિસ્ટન્સ જાેવા મળ્યું. નવાઈની વાત તો એ છે કે આ ટૂર્નામેન્ટમાં ખુદ જિલ્લા પોલીસ વડા મુખ્ય મહેમાન હતા. ત્યારે સવાલ એ થાય છે ત્રીજી લહેરના ભણકારા વચ્ચે પણ આવી બેદરકારી કેમ. શું આવી રીતે ઓમિક્રોન સામે લડીશું. નેતાઓ જ કેમ ભાન ભૂલી આવી ભીડ એકઠી કરી રહ્યા છે. સામાન્ય લોકોને દંડ કરતી બોટાદ પોલીસને આ ભીડ કેમ ના દેખાણી. એક મહિના સુધી ટૂર્નામેન્ટ ચાલી તોય પોલીસને કેમ જાણ ના થઈ. આવી નિયમતોડ ભીડ પર ક્યારે લગામ લાગશે.અહીં હજારોની સંખ્યામાં ભીડ વચ્ચે પૂર્વ મંત્રી સૌરભ પટેલની હાજરી છે. ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે ચોંકાવનારો વીડિયો સામે આવતા હડકંપ મચી જવા પામ્યો છે. બોટાદમાં નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં યોજવામાં આવી હતી, જેમાં કોરોના ગાઈડ લાઈનના સરેઆમ ધજાગરા ઉડ્યા છે. અહીં ભીડમાં ના તો કોઈએ માસ્ક પહેર્યું છે અને ના તો સોશિયલ ડિસ્ટન્સ, ભીડ વચ્ચે ક્રિકેટનો કોહરામ વચ્ચે કોરોના વિસ્ફોટ થાય તો નવાઈ નહીં. એટલું જ નહીં, પૂર્વ મંત્રી સૌરભ પટેલે જ નિયમતોડ ભીડનો વીડિયો શેર કરીને ચર્ચા જગાવી છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, પૂર્વ ઊર્જામંત્રી અને ચાલુ ધારાસભ્ય સૌરભ પટેલે સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કર્યો છે. કોરોના બાદ ઓમિક્રોનના વધતા સંક્રમણ વચ્ચે સૌરભ પટેલનો વીડિયો સરકાર સામે પડકાર રૂપ સાબિત થયો છે. અહીં બોટાદમાં રમાયેલી નાઈટ ટૂર્નામેન્ટમાં હજારોની સંખ્યામાં સોશિયલ ડિસ્ટનસના સરેઆમ ધજાગરા ઉડાડતો વીડિયો પૂર્વ ઉર્જામંત્રી સૌરભ પટેલે ખુદ પોસ્ટ કર્યો છે. પોતાની હાજરીમાં હજારોની સંખ્યામાં નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં નિયમો ભંગ થયા છે. ભાજપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કોરોના ઓમિક્રોનને આમંત્રણ આપતા વીડિયોથી ચકચાર મચી જવા પામી છે. પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધી એ જ પોતાની સરકાર સામે વીડિયો પોસ્ટ કરી ખુલ્લો પડકાર ફેંક્યો છે. બોટાદમાં ફરી કોરોના માથું ઊંચકે તેવા સમીકરણો સૌરભ પટેલને કારણે ઉભા થવાની શક્યતાઓ દેખાઈ રહી છે.એક બાજુ સરકાર કોરોના વાયરસને નાથવા માટે રાતદિવસ પ્રયત્નો કરી રહી છે, ત્યારે બીજી બાજુ સરકાર ના પ્રતિનિધિઓ અને અધિકારીઓ કોરોનાને આમંત્રણ આપતા હોય એવું લાગી રહ્યું છે. બોટાદમાં ધારાસભ્ય સૌરભ પટેલ દ્વારા એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતા હોય તેવો દ્રષ્યમાં દેખાઈ રહ્યું છે. આ વીડિયો વાયરલ થયા બાદ વધુ કેટલાક ફોટાઓ પણ વાયરલ થયા છે. જે ફોટામાં બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક પણ જાેવા મળી રહ્યા છે. ત્યારે ધારાસભ્ય અને પોલીસના ઉચ્ચ અધિકારીની હાજરીમાં આ ટોળાઓ ભેગા થયા છે. એક બાજુ સામાન્ય પ્રસંગમાં થોડા પણ વ્યક્તિ ભેગા થયા હોય તો તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરાય છે. ત્યારે આટલી મોટી સંખ્યામાં ટોળાં ભેગા કરનાર સામે અને તેમાં હાજર રહેનાર અધિકારીઓ સામે કોઈ પગલાં લેવાશે કેમ તે પ્રશ્ન બનેલો છે.બોટાદમાં નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટ પ્રારંભ તા.૧ ડિસે.ના રોજ ખેલે યુવા જીતે યુવા, ખેલે બોટાદ જીતે બોટાદની વિચારધારા સાથે પૂર્વ ઉજામંત્રી સૌરભભાઈ પટેલે કરાવ્યો હતો. જેમાં વિધાનસભાની સીટની ૮૦ ગામોની ટીમ તેમજ બોટાદ શહેરની દરેક વોર્ડની ટીમો, વિવિધ એસોસીએશનની ટીમો, વિવિધ કર્મચારીઓની ટીમ એમ કુલ ૧૪૦ ટીમોએ ભાગ લીધો હતો.૧૫૪૦ ખેલાડીઓએ પોતાનું પરફોમન્સ બતાવ્યું હતું.તા.૨૫મીના રોજ રાત્રીના ૮ઃ૩૦ કલાકે ફાઈનલ મેચ રમાઈ હતી. વિજેતા ટીમને તેમજ શ્રેષ્ઠ ખેલાડીઓને સન્માનિત કરવા ધારાસભ્ય સૌરભભાઈ પટેલ, બોટાદ જીલ્લા પ્રભારી ટી.એમ.પટેલ તેમજ મંજુલાબેન દેત્રોજા, ભારતીય જનતા પાર્ટી બોટાદ જીલ્લા પ્રમુખ ભીખુભા વાઘેલા, ગુજરાત પ્રદેશ યુવા મોરચા પ્રમુખ ડો.પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ યુવા મોરચા મંત્રી જયભાઈ શાહ, બોટાદ જીલ્લા મહામંત્રી પોપટભાઈ અવૈયા, બ્રિજરાજસિંહ ઝાલા તેમજ અરવિંદભાઈ વનાળીયા, બોટાદ જીલ્લા યુવા મોરચાના પ્રમુખ જીજ્ઞેશભાઈ બોળીયા, પ્રદેશના આગેવાનો હાજર હતા.વધુ વાંચો -
કુંડળધામમાં ૧૦૦ નિસંતાન તેમજ વિધવા અને વિધુરોને કિટનું વિતરણ
- 30, નવેમ્બર 2021 01:30 AM
- 3719 comments
- 6554 Views
કુંડળધામ પરમ પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી સુપ્રસિદ્ધ તીર્થ સ્વામિનારાયણ મંદિર, કુંડળધામ દ્વારા અપાયેલાઆર્થિક સહયોગથી એક સો જેટલા નિઃસંતાન તેમજ વિધવા મહિલાઓ અને વિધુર વડિલોને રાશન કીટ તથા બ્લેન્કેટનું વિતરણ કરાયું હતું. કાર્ય તા. ૨૮મીના રોજ બોટાદ પોલીસ દ્વારા મહિલા પોલીસ સ્ટેશન બોટાદ ખાતેજરૂરિયાતમંદોને સહાયતાનું આ વિતરણ કરાયું હતું. બોટાદ જિલ્લા પોલીસ દાદા-દાદીના દોસ્ત પ્રોજેક્ટ અંતર્ગત ઇન્ડિયનરેડક્રોસ સોસાયટી જિલ્લા બ્રાન્ચ બોટાદના સહયોગથી આ સમગ્ર વિતરણ કાર્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોટાદ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી કિશોરભાઇ શાહ એવં અન્ય મહાનુભાવોના હસ્તે આ વિતરણ કરાયું હતું. એક સો જેટલા વિધવા – વિધુર વડિલોએ રાશન કીટતથા બ્લેન્કેટ પ્રાપ્ત કરી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ તથા બોટાદ જિલ્લા પોલીસ - સુરક્ષા સેતુ સોસાયટી એવં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીનો આભાર વ્યક્ત કર્યો હતો.વધુ વાંચો -
કાર્તિકી પૂર્ણિમાએ કષ્ટભંજનદેવને સુવર્ણ વાઘાનો દિવ્ય શણગાર
- 20, નવેમ્બર 2021 01:30 AM
- 1843 comments
- 4091 Views
બોટાદ, વિશ્વ વિખ્યાત અને આસ્થાનું પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના દર્શને રોજબરોજ મોટા સંખ્યામાં ભાવિકો આવે છે. હનુમાનજી દાદાને કાર્તિક પૂર્ણિમા નિમિતે શણગાર કરવામાં આવ્યો હતો. હનુમાનદાદાને સુવર્ણ વાઘાનો દિવ્ય શણગાર તેમજ સિંહાસનને ફુલોનો શણગાર કરવામાં આવ્યો હતો. સાંજે ષોડશોપચાર પૂજન, મારૂતિ યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં અનેક શ્રદ્ધાળુઓએ ભાગ લઈને ધન્યતા અનુભવી હતી. સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને કાર્તિક પૂર્ણિમાં નિમિતે તા.૧૯ને શુક્રવારના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી પૂજારી સ્વામી દ્વારા કષ્ટભંજનદેવને સુવર્ણ વાઘાનો દિવ્ય શણગાર અને સિંહાસનને ફુલોનો શણગાર કરવામાં આવ્યો હતો. હનુમાનજી દાદાને મંગળા આરતી પૂજારી સ્વામી ધર્મકિશોરદાસજી દ્વારા અને સવારે ૭ ક્લાકે શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી. સાંજના ૫ઃ૩૦ થી ૬ઃ૫૦ સુધી કષ્ટભંજનદેવ દાદાનું ષોડશોપચાર પૂજન કરી પુષ્પાભિષેક કરવામાં આવ્યો હતો. મંદિરની યજ્ઞશાળામાં મારૂતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્તિકી પૂર્ણિમાંના દિને મોટી સંખ્યામાં ભાવિકો દાદાના દર્શન માટે આવ્યા હતા. હનુમાજી દાદાને સુવર્ણ વાઘાનો દિવ્ય શણગાર અને સિંહાસનને ફુલોનો શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના શણગારનો ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દેશ-વિદેશમાં વસતા હરિભક્તોએ હનુમાનજીદાદાના શણગારનો ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. હજારો ભકતોએ આ અનેરા દર્શન તથા મહાપ્રસાદનો લાભ લઇ ધન્યતાનો અનુભવી હતી.વધુ વાંચો -
ગઢડાના ખોડિયાર મંદિરની બહાર ઝાડ પર પ્રેમી પંખીડાનો ફાંસો ખાઈ આપઘાત
- 22, જુન 2021 01:30 AM
- 1981 comments
- 7691 Views
બોટાદ, ગઢડામાં આવેલા મઘરીયા ખોડિયાર માતાના મંદિરની બહાર જ એક પ્રેમી પંખીડાઓએ આપઘાત કરી લીધો છે. પોતાના પ્રેમને અંજામ સુધી ન પહોંચાડી શકવાના કારણે યુવક-યુવતીઓએ આ પગલું ભર્યુ હોવાનું સામે આવ્યું છે. જાેકે, યુવક પાસેથી મળી આવેલા આધારકાર્ડના આધારે તેની ઓળખ થઈ છે. યુવતીએ બ્લેકકલરનો ડ્રેસ પહેર્યો હતો જ્યારે યુવકે લાલ શર્ટ પહેર્યો હતો. બંને પ્રેમીઓએ પહેલા દર્શન કર્યા હોય અને બાદમાં આપઘાત કરી લીધો હોવાની આશંકા સેવાઈ રહી છે. પ્રેમીઓ અગાઉ પણ આવી રીતે મંદિરમાં લગ્ન કરી અને આપઘાત કરી લેતા હોવાના બનાવો આવ્યા છે જાેકે, આ કિસ્સામાં એવું કઈ સામે આવ્યું નથી. પોલીસની પ્રાથમિક તપાસમાં બંને પ્રેમીઓ દોરી સાથે લીમડાના વૃક્ષ પર ફાંસો ખાધેલી હાલતમાં મળ્યા હતા. આધારકાર્ડના આધારે યુવકની ઓળખાણ થઈ જતા પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી અને આ દિશામાં તપાસ શરૂ કરાવી છે. જાેકે, યુવતી કોણ છે તેના અંગે કોઈ માહિતી મળી શકી નથી. યુવકની આધારકાર્ડના આધારે શક્તિના નામે ઓળખ થઈ છે.વધુ વાંચો -
તાઉ તેની તારાજીનું નિરીક્ષણ કર્યા બાદ કેન્દ્રની ગુજરાતને 1000 કરોડ રૂપિયાની સહાય જાહેર
- 19, મે 2021 05:00 PM
- 4598 comments
- 9867 Views
અમદાવાદ-તાઉ તેની તારાજીનું નિરીક્ષણ કર્યા બાદ પીએમ મોદીએ સહાયની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર દ્વારા ગુજરાતને 1000 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ સિવાય મૃતકોના પરીજનોને 2 લાખ રૂપિયા આપવામાં આવશે. આ અંગે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી જાહેરાત કરી હતી. આ સાથે જ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું છે કે વાવાઝોડામાં ઘાયલ થયેલા છે તેમને 50,000 રૂપિયાની મદદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આજે સવારથી વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે હતા. તેમણે વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે નુકસાન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જેમાં ઉનાળુ પાકને પણ નુકસાન થયા છે. અને બાગાયતી ખેતીમાં કેસર કેરીને સૌથી મોટું નુકસાન સામે આવ્યું છે. જે બાદ અનેક લોકોના ઘરનું નુકસાન થયું છે. અનેક જગ્યાએ કાચા અને ઝૂપડાઓ તૂટી ગયા છે. આ પ્રકારના તમામ નુકસાનના તાત્કાલિક સર્વે બાદ સહાય ચૂકવવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ખેડૂતોને ત્રણ ચાર પ્રકારનું નુકસાન થયું છે. તેમજ ઉનાળુ પાકને અસર થઈ છે. કેરી અને નાળિયેરના પાકને પણ અસર થઈ છે. કાચા મકાનો અને ઝુપડા ઉડી ગયા છે. જે પશુઓના મોત થયા તેને સહાયતા તથા ચોથુ કેશડોલ આપવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, નુકસાનના સર્વેની કામગીરી તત્કાલ શરૂ કરવામાં આવશે અને બધાને સહાય ચુકવવામાં આવશે. માછીમારોને થયેલા નુકસાનનો પણ સર્વે કરવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આગામી બે દિવસમાં તંત્ર બધુ રાબેતા મુજબ થાય તે માટેની કામગીરી કરાશે.વધુ વાંચો -
ગુજરાતને ફરી પાટા પર લાવવા સરકારની કવાયત શરૂ, ક્યાં કેટલું નુકસાન? સર્વેની કામગીરી શરૂ
- 19, મે 2021 04:49 PM
- 3492 comments
- 482 Views
ગાંધીનગર-કોરોનાના ભયાનક મારનો સામનો કરી રહેલા ગુજરાતથી કુદરત જાણે કે રુઠી હોય તેવી રીતે 'તાઉતે' નામનું મહાભયાનક વાવાઝોડું આવી પડતાં સરકાર તેમજ લોકોના શ્વાસ અધ્ધર ચડી ગયા હતા. બે દિવસ સુધી ખૌફના મંજર ઉભા કરીને વાવાઝોડું હવે પસાર થઈ ગયું છે ત્યારે સરકાર દ્વારા પણ વાવાઝોડાને કારણે ક્યાં કેટલું નુક્સાન થયું છે તેના સર્વે સહિતની કામગીરી 'બંબાટ' શરૂ કરી દેવામાં આવી છે. એકંદરે રાજ્યને ફરી 'ધબકતું' કરવા માટે સરકારે મથામણ શરૂ કરી દીધી છે. વાવાઝોડાએ જે-જે જિલ્લાઓમાં વિનાશ વેર્યો છે તે જિલ્લાઓને બે દિવસની અંદર 'બેઠા' કરી દેવા સરકાર તેમજ સ્થાનિક તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.વાવાઝોડાએ ખાસ કરીને ખેતીવાડી, પશુપાલન અને મત્સ્યોદ્યોગને ખાસ્સું નુકસાન પહોંચાડ્યું હોય તેનો સર્વે કરવા પર સરકાર પ્રાથમિકતા આપી રહી છે. આ ઉપરાંત જે જિલ્લાઓમાં ઝુંપડા અને કાચા મકાનો તૂટી પડ્યા છે ત્યાં તાકિદે કેશડોલ્સ ચૂકવવાની કામગીરી શરૂ કરી દેવા સરકારે આદેશ આપ્યો છે. પત્રકાર પરિષદને સંબોધન કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે વાવાઝોડાએ ગુજરાતમાં 13 લોકોનો ભોગ લીધો છે. આગોતરા આયોજન, આગમચેની, સહિયારા અને સક્રિય પ્રયત્નો તેમજ લોકોના સહકારથી ગુજરાત વાવાઝોડારૂપી આફતમાંથી હેમખેમ બહાર આવી ગયું છે. વાવાઝોડાગ્રસ્ત જિલ્લાઓમાં બે દિવસમાં પરિસ્થિતિ પૂર્વવત થઈ જાય તે રીતે રિસ્ટોરેશન અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવશે. સરકાર દ્વારા અસરગ્રસ્ત જિલ્લાઓમાં નુકસાનીના સર્વેક્ષણની કામગીરી શરૂકરી દેવાઈ છે. પ્રાથમિક તબક્મે મકાનો, ખેતીવાડી, પશુપાલન અને મત્સ્યોદ્યોગને જે નુકસાન થયું છે તેનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવશે. જે જિલ્લાઓમાં વિશે નુકસાન થયું છે ત્યાં પાડોશી જિલ્લાઓના અધિકારીઓને પણ સર્વેક્ષણની કામગરીમાં સામેલ કરવામાં આવ્યા છે જેથી કામગીરીમાં ઝડપ આવી શકે. યોગ્ય તમામ વ્યક્તિઓને સરકારી ધારા-ધોરણ મુજબ કેશડોલ્સ, ઘરવખરી સહાય અને અન્ય આર્થિક સહાય તાત્કાલિક ચૂકવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. રાહતની વાત એ છે કે એક પણ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને વાવાઝોડાને કારણે કોઈ તકલીફ પડ નથી. રાજ્યમાં કુલ 425 કોવિડ હોસ્પિટલ પૈકી 122 હોસ્પિટલ વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં હતી અને તેમાંથી 83 હોસ્પિટલોમાં વીજ પૂરવઠો ખોરવાયો હતો આમ છતાં તંત્રની આગોતરી વ્યવસ્થા હોવાને કારણે ક્યાંય વીજ સપ્લાયને લઈને સમસ્યા સર્જાવા પામી નથી. વાવાઝોડાની સૌથી વધુ અસર ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ અને ગાંધીનગરમાં જોવા મળી છે તેથી સરકાર દ્વારા આ જિલ્લાના કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરીને વિસ્તૃત વિગતો મેળવવામાં આવી રહી છે.વધુ વાંચો -
ગુજરાતમાં તોઉ તે વાવાઝોડાને કારણે 3 ના મોતઃ 2 લાખથી વધુ લોકોનું સ્થળાંતરણ, 40 હજારથી વધુ વૃક્ષો ધરાશાયી
- 18, મે 2021 03:45 PM
- 8593 comments
- 878 Views
ગાંધીનગર-મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે, મંગળવારે સવારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી રાજયમાં ખાસ કરીને દરિયા કિનારાના ૧૪ જિલ્લાઓમાં વાવાઝોડાની અને વરસાદની સ્થિતિની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ ગઈકાલે રાત્રે ગુજરાત પર ત્રાટકેલા વાવાઝોડા અને વરસાદની પરિસ્થિતિની પળેપળની માહિતી મેળવવા અને જિલ્લા તંત્રોનું માર્ગદર્શન કરવા ગઈકાલે મધ્યરાત્રિ સુધી ૪ કલાક કન્ટ્રોલ રૂમમાં જાતે ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ આજે સવારે પણ કન્ટ્રોલ રૂમ પહોંચીને રાત્રિની વાવાઝોડાને વરસાદની સ્થિતિ, નુકસાની અને રોડ રસ્તા બંદરો વગેરેને થયેલી અસરની વિગતો પણ પ્રાપ્ત કરી હતી અને માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીએ રાજયના જિલ્લાઓમાં વરસી રહેલા વરસાદ પવનની ગતિ અને હવામાન વિભાગની આગાહી અંગે પણ વિસ્તૃત સમીક્ષા હાથ ધરી હતી. મુખ્યસચિવ અનિલ મૂકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર અને એમ. કે. દાસ સહિતના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતા.વાવાઝોડા અંતર્ગત તા .૧૭/૦૫ /૨૦૨૧ ની રાતથી ૧૮/૦૫/૨૧ના રોજ સવારના ૦૯.૦૦ કલાક સુધીમાં થયેલા નુકશાન તેમજ કામગીરી નીચે પ્રમાણે છે. વાવાઝોડું તા.૧૭-૦૫-૨૦૨૧ ના રોજ ૨૦-૩૦ કલાકે ઉના અને દીવ વચ્ચે ટકરાયેલ છે. જેની ગતિ ૧૫૦થી ૧૭૫ પ્રતિ કલાકની હતી. જેનાથી જિલ્લાના ૧૧૨૭ ગામોમાં અસર થયેલ છે. જેના કારણે ગીર સોમનાથ, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લાઓમાં ભારે /અતિભારે વરસાદ પડ્યો છે.( ૨ ) રાજયમાં તા .૧૮ / ૦૫ / ૨૦૨૧ ના સવારના ૬.૦૦ કલાકથી ૦૮.૦૦ કલાક સુધીમાં ૨૨ જિલ્લાના ૧૦૬ તાલુકામાં કુલ ૯૪૩ મીમી વરસાદ નોંધાયો છે. ( ૩ ) રાજયના કુલ -૧૯ જિલ્લાના -૧૧૨૭ સ્થળાંતર કરવા પાત્ર ગામોમાંથી ૨,૨૮,૬૭૧ લોકોને ૨૫૦૦ આશ્રય સ્થળોમાં સ્થાળાંતરીત કરવામાં આવ્યા છે. ( ૪ ) વાવાઝોડાથી થયેલા નુકસાનને પહોંચી વળવા માટે ૨૭૬ ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ, ૨૮૭ માર્ગ અને મકાન વિભાગનીની ટીમો તૈયાર રાખવામાં આવી છે. વધુમાં વીજ પુરવઠો જળવાઇ રહે તે માટે ૬૫૬ ટીમો તૈયાર રાખેલ છે. આરોગ્ય માટે પ૩૧ ટીમો તથા ૩૬૭ ટીમો મહેસુલી અધિકારીઓને ત્વરીત પગલાં ભરવા માટે ડીપ્લોય કરવામાં આવી છે. ( ૫ ) રાજયમાં કોવિડની સ્થિતિને પહોંચી વળવા માટે ૧૪૮૯ પાવરબેક અપ રાખવામાં આવેલ છે. ૧૭૮ ICU એબ્યુલન્સ અને ૬૩૬ -૧૦૮ એબ્યુલન્સની વ્યવસ્થા રાખવામાં આવી છે. ( ૬ ) ઓકસિજન જરૂરીયાતને પહોંચી વળવા માટે તથા ઓકસીજનનું સરળતાથી વહન થાય તે માટે ૩૯ ગ્રીન કોરીડોર બનાવવામાં આવેલ છે. ( ૭ ) રાજયમાં કુલ ૫૦૮ ડીવોટરીંગ પંપ રાખવામાં આવેલ છે . ( ૮ ) ૧૦૩૩૭ હોર્ડીગ્સ શહેરી વિસ્તારમાં તથા ૧૪૮૯ હોડીંગ્સ ગ્રામ્ય વિસ્તારમાંથી ઉતારી લેવામાં આવ્યા છે. જેનાથી નુકશાન થઇ શકે તેવા ૧૩૫ હંગામી સ્ટકચર દૂર કરવામાં આવ્યા છે . ( ૯ ) અમરેલી જીલ્લાના શિયાળબેટ ગામમાં ૩ બોટ તણાઇ ગયેલ છે. (૧૦ ) રાજુલા પ્રાંત કચેરી તથા મામલતદાર કચેરીને નુકશાન થયેલ છે. ( ૧૧ ) જાફરાબાદ તાલુકામાં કોમ્યુનિકેશન બંધ છે તથા ધારી બગસરા, જાફરાબાદ અને ખાંભા તાલુકામાં વીજળી બંધ છે ( ૧૨ ) વાવાઝોડાના કારણે રાજયમાં કુલ ૧૯૪ રસ્તા બંધ કરવામાં આવ્યા છે. તે પૈકી ૪૦ રસ્તા ફરી શરૂ કરવામાં આવ્યા છે. ( ૧૩ ) રાજયમાં કુલ ૨૨૭૧ ગામોમાં વીજ પૂરવઠો બંધ થયેલ છે. જે પૈકી ૨૫૩ ગામોમાં વીજ પૂરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. ( ૧૪ ) વાવાઝોડાના કારણે ૧૪૮ પાકી ખાનગી ઈમારતો, ૨૨૧ સરકારી ઈમારતો / સ્ટ્રકચર, ૧૬૬૪૯ કાચાપાકા ઝૂંપડાં નુકસાન થયેલ છે. ( ૧૫ ) રાજયમાં કુલ ૩ માનવ મૃત્યુ થયા છે.વધુ વાંચો -
ગુજરાતમાં તોઉ તે વાવાઝોડાનું વિનાશકારી તાંડવ, 188 તાલુકામાં ધોધમાર વરસાદ, 3 નાં મોત
- 18, મે 2021 02:27 PM
- 3777 comments
- 2889 Views
અમદાવાદ-'તાઉ'તે વાવાઝોડું ગઈ કાલે રાત્રે રાજ્યમાં ઉના અને ભાવનગરમાં ટકરાયા પછી ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાને પગલે ગુજરાતમાં અનેક સ્થળોએ વરસાદના અહેવાલ છે. 'તાઉ'તે' વાવાઝોડાને પગલે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમરેલીના બગસરામાં પવન સાથે નવ ઈંચ વરસાદ પડ્યો હતો, જેમાંથી સાત ઇંચ વરસાદ તો માત્ર વહેલી સવારે 4થી 6 કલાકની વચ્ચે નોંધાયો છે. જ્યારે ગીર ગઢડામાં પણ સાત 7 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે વલસાડના ઉંમરગામમાં 7.64 ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજયમાં કુલ ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો છે. આ સાથે ભારે પવનને કારણે મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા છે. છેલ્લા 24 કલાકમાં 188 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 12 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રનાં 1000 ગામોમાં વીજપુરવઠો ઠપ થયો હતો.110 તાલુકામાં એક મિ.મીથી છ ઇંચ વરસાદ નોંધાયો હતો. હજુ ગુજરાત માટે 24 કલાક ભારે છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હવે વાવાઝોડું ધીમે-ધીમે નબળું પડી રહ્યું છે. આગામી બે-ત્રણ કલાક પછી ગમે તે સમયે અમદાવાદ જિલ્લાને સ્પર્શે તેવી શક્યતા છે. દરમિયાન લોકો સલામત રહે તેમજ જિલ્લામાં કોઈ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય તે માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજજ છે. કામ વગર કોઈપણ વ્યક્તિએ બહાર ના નીકળવાના જિલ્લા કલેકટરે તાકીદ કરી છે.વધુ વાંચો -
ગુજરાતમાં આગામી 10 દિવસ કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બનશે ?
- 10, એપ્રીલ 2021 03:37 PM
- 7299 comments
- 6678 Views
વડોદરા-વડોદરા સહિત ગુજરાતની કોવિડ હોસ્પિટલોમાં રોજ દર્દીઓના દાખલ થવાની સંખ્યા વધતી જાય છે. આરોગ્ય વિભાગ બેડની સંખ્યા વધારે તો છે, પરંતુ દાખલ દર્દીઓની વધતી જતી સંખ્યા વધુ ચિંતાજનક છે. વડોદરામાં એક જ દિવસમાં ૬૩૦ દર્દીઓ હોસ્પિટલોમાં દાખલ થયા હતા. એટલે પ્રતિ કલાકે સરેરાશ ૨૬ દર્દીઓ દાખલ થયા હતા. જેથી ૬૭૮૦ બેડ ભરાયેલા રહ્યા હતાં અને ૨૬૯૨ બેડ જ ખાલી રહ્યાં હતાં. છેલ્લાં એક સપ્તાહથી હોસ્પિટલોમાં જે રીતે બેડની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે જાેતા આગામી ૧૦ દિવસ કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બનશે તેવુ જાણકારોનુ અનુમાન છે. લોકો તંત્રના ભરોશે બેસી ન રહે. લોકોએ માસ્ક અવશ્ય પહેરવુ જાેઈએ અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવુ જાેઈએ. બને તો કામ વિના ઘરની બહાર જ ન નીકળવુ જાેઈએ. આરોગ્ય વિભાગ કોરોનાના સરકારી આંકડા જાહેર કરે છે, પરંતુ તે આંકડા પાછળનુ સત્ય તેઓ પોતે સારી રીતે જાણે છે અને વડોદરાની આગામી ટૂંકા દિવસોની ભાવી સંભવિત ડરાવની પરિસ્થિતિથી તેઓ વાકેફ હશે. વિશ્વાસપાત્ર સૂત્રોએ કહ્યું હતું કે, શહેરમાં કોરોનાના કેસો માત્ર વધતા નથી, પરંતુ તે ચોંકાવી દે તે રીતે વધી રહ્યાં છે જે ચિંતાનો વિષય છે. તંત્ર તરફથી હોસ્પિટલોમાં બેડની સંખ્યા આગોતરા આયોજન પ્રમાણે સમ્યાંતરે વધારવામાં આવી રહી છે. તેમ છતાં પણ હોસ્પિટલામાં જે રીતે દર્દીઓની દાખલ થવાની સંખ્યા વધી છે તેના કારણે ચિંતાના વાદળો ઘેરી રહ્યાં છે. વડોદરામાં તા.૩જી એપ્રિલે ૮૪૪૮ બેડ ઉપલબ્ધ કરાવાયા હતા. તો તે દિવસે વિવિધ હોસ્પિટલોમાં મળીને કુલ ૫૮૬૯ દર્દીઓ દાખલ હતાં. એટલે કે ૨૫૭૯ બેડ ખાલી હતાં. તા. ૫મી એપ્રિલે ૪૫૮ દર્દીઓ એક જ દિવસમાં દાખલ થયા હતાં. જેથી ૬૩૨૭ બેડ ભરાઈ ગયા હતા. તંત્રએ તે દિવસે ૩૪૧ બેડ વધાર્યા હતા ત્યારે ૨૪૬૨ બેડ જ ખાલી રહ્યાં હતાં. ૬ઠ્ઠી એપ્રિલે ૮૯૯૯ બેડની વ્યવસ્થા કરાઈ હતી. જેમાં વધુ ૭૮ દર્દીઓ દાખલ થતા કુલ ૬૪૦૫ બેડ ભરાઈ ગયા હતા અને ૨૪૯૪ બેડ ખાલી હતા અને ૭મી એપ્રિલે ૯૪૭૨ બેડ ઉપલબ્ધ કરાવાયા હતા, પરંતુ તેની સામે ૩૭૫ દર્દીઓ આજે એક જ દિવસમાં દાખલ થયા હતાં. એક જ દિવસમાં ૩૯૫ દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા તે પૈકી ૩૭૫ દર્દીઓ તો હોસ્પિટલમાં જ દાખલ થયા હતાં. જેથી ૨૬૯૨ બેડ જ ખાલી રહ્યાં હતાં. જ્યારે તા.૮મી એપ્રિલે રાતે ૯.૩૦ કલાકની સ્થિતિએ જાેઈએ તો ૯૭૬૩ બેડ ઉપલબ્ધ હતાં. તે પૈકી ૭૦૨૫ બેડ ભરાઈ ગયા હતા અને ૨૭૩૯ બેડ જ ખાલી હતાં. એટલે કે મોતને ભેટેલા દર્દીઓ અને સ્વસ્થ્ય થઈને ડીસ્ચાર્જ કરી દીધેલા દર્દીઓને બાદ કર્યા પછી પણ બરોબર ૨૪ કલાક બાદ હોસ્પિટલમાં આજે વધુ ૬૨૦ દર્દીઓ દાખલ થયા હતા. એટલે કે પ્રતિ કલાકે સરેરાશ ૨૬ દર્દીઓ દાખલ થતા રહેતા હતા. તંત્ર બેડ વધારતુ જાય છે અને દાખલ થતા દર્દીઓની સંખ્યા પણ ચિંતાજનક રીતે વધતી જ જાય છે. આખરે તંત્ર બેડ વધારી વધારીને કેટલા વધારી શકશે ? એક સમય એવો આવશે કે હોસ્પિટલનુ ઈન્સ્ટ્રાક્ચર જ જવાબ આપી દેશે ત્યારે શું કરી શકાશે ? દર્દીઓની દાખલ થવાની સંખ્યા તો સતત વધી રહી છે. હાલની પરિસ્થિતિ અંગે જાણકારોએ કહ્યું હતું કે, આગામી ૧૦ દિવસ તંત્ર માટે ચેલેન્જીંગ રહેશે અને શહેર માટે ખુબ જ વિકટ બની રહેશે તેવા સંકેતો મળી રહ્યાં છે. શહેરમાં કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બને તો નવાઈ નહીં. લોકો તંત્રના ભરોશે બેસી ન રહે, જાતે જાગૃત્તતા દાખવે તે હવે ખુબ જરૂરી બન્યુ છે. તંત્ર પોતાનુ કામ કરે છે, પરંતુ જનતાએ ઘરની બહાર નીકળતી વખતે ફેસ માસ્ક અવશ્ય પહેરવુ જાેઈએ અને પૂરતા સમય માટે પહેરવુ જાેઈએ તેમજ સોશ્યલ ડિસ્ટન્સિંગનુ ખાસ ધ્યાન રાખવુ જાેઈએ. જેથી સંક્રમણથી બચી શકાય. તેમજ બને તો લોકોએ જરૂરી કામ વિના ઘરની બહાર જ નીકળવુ ન જાેઈએ અને ટોળે તો વળવુ જ ન જાેઈએ. હવે કોરોનાનુ સંક્રમણ રોકવુ પ્રજાના હાથમાં છે. આગામી ૧૦ દિવસ શહેર માટે ખુબ મુશ્કેલીભર્યા સાબિત થઈ શકે છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 4541 પોઝીટીવ કેસ, 42 ના મોત, કુલ 3,37,015 કેસ
- 10, એપ્રીલ 2021 03:13 PM
- 8573 comments
- 2974 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 4541 થી વધુ નોંધાયા છે. જેની સામે 2280 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 42 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4697 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 4541 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,37,015 થયો છે. તેની સામે 3,09,626 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. અમદાવાદમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 3500 થી વધુ થઈ જાય છે, જ્યારે રાજ્યના 3,37,015 ની સામે પોઝીટીવ કેસોની સંખ્યા 22692 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,37,015 જેટલી થઈ જાય છે. રાજ્યમાં હાલ 22692 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 187 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 22505 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,09,626 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4697 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 12 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 3575 પોઝીટીવ કેસ, 22 ના મોત, કુલ 3,28,453 કેસ
- 08, એપ્રીલ 2021 03:03 PM
- 6593 comments
- 4440 Views
ગાંધીનગર-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 3575 થી વધુ નોંધાયા છે. જેની સામે 2217 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 22 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4620 ઉપર પહોચી ગયો છે. ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 3280 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,28,453 થયો છે. તેની સામે 3,05,149 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. અમદાવાદમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 3200 થી વધુ થવા જાય છે, જ્યારે રાજ્યના 3,28,453 ની સામે પોઝીટીવ કેસોની સંખ્યા 18684 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,28,453 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 18684 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 175 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 18509 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,05,149 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4620 દર્દીઓના મોત થયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 3280 પોઝીટીવ કેસ, 17 ના મોત, કુલ 3,24,878 કેસ
- 07, એપ્રીલ 2021 03:05 PM
- 854 comments
- 5364 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 3280 થી વધુ નોંધાયા છે. જેની સામે 2167 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા, તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 17 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4598 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 3280 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,24,878 થયો છે. તેની સામે 3,02,932 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 17348 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,24,878 જેટલી થઇ જાય છે. રાજ્યમાં હાલ 17,348 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 171 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 17177 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,02,932 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4598 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 07 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 3160 પોઝીટીવ કેસ, 15 ના મોત, કુલ 3,21,598 કેસ
- 06, એપ્રીલ 2021 02:45 PM
- 9733 comments
- 1600 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 3160 થી વધુ નોંધાયા છે. જેની સામે 2018 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 15 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4581 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 2410 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,21,598 થયો છે. તેની સામે 3,00,765 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા સામે એક્ટીવ કેસોની સંખ્યા 16252 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,21,598 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 16252 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 167 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 16085 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,00,765 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4581 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 06 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 2,875 પોઝીટીવ કેસ: 14 ના મોત, કુલ 3,18,238 કેસ
- 05, એપ્રીલ 2021 02:51 PM
- 6438 comments
- 7246 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 2875 થી વધુ નોંધાયા છે. જેની સામે 2024 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 14 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4566 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 2410 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,18,238 થયો છે. તેની સામે 2,98,737 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 3,18,238 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 15135 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,18,238 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 15135 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 163 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 14972 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,98,737 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4566 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 04 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 890 પોઝીટીવ કેસ, 01 મોત, કુલ 2,79,097 કેસ
- 16, માર્ચ 2021 03:11 PM
- 4283 comments
- 7141 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 890 થી વધુ નોંધાયા છે. જેની સામે 594 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4425 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 890 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,79,097 થયો છે. તેની સામે 2,69,955 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,79,097 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 4717 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,79,097 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 4717 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 56 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 4661 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,69,955 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4425 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીનુ મૃત્યુ નોંધાયેલ છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 810 પોઝીટીવ કેસ, 02 ના મોત, કુલ 2,78,207 કેસ
- 15, માર્ચ 2021 02:49 PM
- 1110 comments
- 3200 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 810 થી વધુ નોંધાયા છે. જેની સામે 586 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 02 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4424 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 810 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,78,207 થયો છે. તેની સામે 2,69,361 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,78,207 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 4422 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,78,207 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 4422 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 54 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 4368 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,69,361 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4424 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 02 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 700 પોઝીટીવ કેસ, કુલ 2,75,907 કેસ
- 12, માર્ચ 2021 03:01 PM
- 8489 comments
- 4729 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 700 થી વધુ નોંધાયા છે. જેની સામે 451 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4418 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 700 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,75,907 થયો છે. તેની સામે 2,67,701 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. અગર રાજ્યવાર માહિતી જોવા જઈએ તો રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,75,907 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3788 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,75,907 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3788 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 49 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3739 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,67,701 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4418 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે કોરોના થી કોઈ મૃત્યુ નોંધાયા નથી.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 675 પોઝીટીવ કેસ, કુલ 2,75,197 કેસ
- 11, માર્ચ 2021 02:50 PM
- 9655 comments
- 333 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 675 થી વધુ નોંધાયા છે. જેની સામે 484 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4418 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 675 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,75,197 થયો છે. તેની સામે 2,67,250 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,75,197 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3529 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,75,197 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3529 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 47 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3482 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,67,250 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4418 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 00 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 581 પોઝીટીવ કેસ, 02 ના મોત, કુલ 2,74,522 કેસ
- 10, માર્ચ 2021 03:40 PM
- 8720 comments
- 1636 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 581 થી વધુ નોંધાયા છે. જેની સામે 453 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 02 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4418 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 581 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,74,522 થયો છે. તેની સામે 2,66,766 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,74,522 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3338 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,74,522 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3338 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 43 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3295 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,66,766 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4418 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીનુ મૃત્યુ નોંધાયેલ છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 555 પોઝીટીવ કેસ, 01 ના મોત, કુલ 2,73,941 કેસ
- 09, માર્ચ 2021 03:07 PM
- 7924 comments
- 3319 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 555 થી વધુ નોંધાયા છે. જેની સામે 482 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4416 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 555 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,73,941 થયો છે. તેની સામે 2,66,313 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,73,941 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3212 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,73,941 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3212 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 41 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3171 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,66,313 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4416 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
શેકાવા માટે તૈયાર રહેજો: ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રી આસપાસ પહોંચશે
- 09, માર્ચ 2021 02:13 PM
- 1504 comments
- 1417 Views
ગાંધીનગર-રાજ્યમાં ધીમે ધીમે ગરમીનો પારો વધી રહ્યો છે. રાજ્યનાં ૧૪ શહેરોમાં ગરમીનો પારો ૩૫ ડીગ્રીને પાર પહોંચી ગયો છે. આગામી દિવસોમાં હજુ પણ ગરમીનો પારો વધુ ઊંચકાય એવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં માર્ચથી મે મહિના સુધી તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેશે. બીજી તરફ, રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆત થતાં જ અનેક જગ્યાએ કાળઝાળ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. રાજ્યનાં શહેરોમાં ગરમીના પારાની વાત કરીએ તો અમદાવાદમાં ગરમીનો પારો ૩૭.૫ ડીગ્રીએ પહોંચ્યો હતો. તો ગાંધીનગરમાં ગરમીનો પારો ૩૬.૮ ડીગ્રી સુધી પહોંચ્યો હતો. ડીસામાં ૩૬.૪ ડીગ્રી, વલ્લભવિદ્યાનગરમાં ૩૬.૭ ડીગ્રી, વડોદરામાં ૩૬.૬ ડીગ્રી, સુરતમાં ૩૫.૫ ડીગ્રી, અમરેલીમાં ૩૭.૮ ડીગ્રી, ભાવનગરમાં ૩૫.૨ ડીગ્રી, રાજકોટમાં ૩૭.૬ ડીગ્રી સુરેન્દ્રનગરમાં ૩૭.૮ ડીગ્રી, મહુવામાં ૩૫.૬ ડીગ્રી, કેશોદમાં ૩૫.૨ ડીગ્રી, ભુજમાં ૩૫ ડીગ્રી નોંધાયું હતું. માર્ચની શરૂઆતની સાથે જ અમદાવાદ સહિતનાં શહેરમાં ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. હાલમાં સવારના સમયે શિયાળા જેવી ગુલાબી ઠંડી અને બપોરના સમયે ગરમી એમ બવેડી ઋતુની અહેસાસ થઈ રહ્યો છે. આ વખતે ચોમાસામાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડ્યો હતો. અનેક વિસ્તારોમાં તો અતિ વૃષ્ટિ જેવી હાલત હતી. હવે હવામાન વિભાગે ઉનાળાને લઈને આ વખતે વધારે ગરમી પડવાનું પૂર્વાનુમાન કર્યું છે ત્યારે લોકોએ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું રહેવું પડશે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 575 પોઝીટીવ કેસ, 01 ના મોત, કુલ 2,73,386 કેસ
- 08, માર્ચ 2021 03:06 PM
- 3702 comments
- 9998 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 575 થી વધુ નોંધાયા છે. જેની સામે 459 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4415 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 575 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,73,386 થયો છે. તેની સામે 2,65,831 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,73,386 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3041 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,73,386 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3041 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 46 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3094 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,65,831 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4415 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીના મૃત્યુ નોંધાયેલ છે.વધુ વાંચો -
ઉનાળાની એન્ટ્રીઃ ગુજરાતમાં ધીમે ધીમે ગરમીના પારામાં વધારો
- 08, માર્ચ 2021 02:31 PM
- 2195 comments
- 7379 Views
ગાંધીનગર-ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે ગરમીના પારામાં વધારો થયો છે. રાજ્યમાં ગરમીના પ્રભુત્વમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે ૧૧ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો ૩૭ ડિગ્રીથી વધુ રહ્યો હતો જ્યારે ૩૯ ડિગ્રી સાથે ગાંધીનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ૩૮.૯ ડિગ્રી સાથે વર્તમાન સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૪.૯ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી ૩ દિવસ દરમિયાન અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન ૩૮ જ્યારે સરેરાશ લઘુતમ તાપમાન ૧૯ ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. રાજ્યમાંથી અન્યત્ર જ્યાં ૩૮ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું તેમાં ડીસા, વલ્લભ વિદ્યાનગર, વડોદરા, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં હાલ ઉત્તર પશ્ચિમ દિશાનો પવન છે. આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની કોઇ સંભાવના નથી. પરંતુ ઉત્તર ગુજરાત, સૌરષ્ટ્ર-કચ્છમાં આગામી ૨૪ કલાક દરમિયાન તાપમાન ૩૭થી ૩૯ ડિગ્રીની વચ્ચે રહેશે. આગામી ૪-૫ દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની પણ સંભાવના નથી.વધુ વાંચો -
શૈક્ષણિક સ્ટાફને સાતમા પગારપંચનો મળશે લાભ, શિક્ષણમંત્રી ચુડાસમાએ ગૃહમાં કરી જાહેરાત
- 05, માર્ચ 2021 03:53 PM
- 2888 comments
- 9395 Views
ગાંધીનગર-રાજ્યમાં આવેલી યુનિવર્સીટીના શૈક્ષણિક સ્ટાફ માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા યુનિવર્સીટીના શૈક્ષણિક સ્ટાફને સાતમા પગારપંચનો લાભ આપવાનું ગૃહમાં શિક્ષણમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. સરકારના અ નિર્ણયથી રાજ્યની તમામ યુનિવર્સીટીના શૈક્ષણિક સ્ટાફમાં આનંદ છવાઈ જવા પામ્યો હતો. રાજ્યમાં આવેલી યુનિવર્સીટીમાં ફરજ બજાવતા શૈક્ષણિક સ્ટાફ દ્વારા તેઓની પડતર માંગણીઓને લઈને અનેકવાર સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે તાજેતરમાં જ 6 મહાનગરપાલિકા તેમજ જીલ્લા-તાલુકા પંચાયત તેમજ નગરપાલીકાના પરિણામ આવી ગયા બાદ વિધાનસભા સત્ર શરુ થતા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગૃહમાં જાહેરાત કરી હતી. ત્યારે તા.1-1-૨૦૧૬ થી કર્મચારીઓને સાતમાં પગારપંચનો લાભ આપવાનું સરકારે નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે કર્મચારીઓને એરિયર્સના પ્રથમ હપ્તાના 50 ટકા ટૂંક સમયમાં આપવામાં આવશે. જેથી રાજ્યની તમામ યુનિવર્સીટીના શૈક્ષણિક સ્ટાફમાં ખુશી વ્યાપી જવા પામી હતી.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 480 પોઝીટીવ કેસ, કુલ 2,71,725 કેસ
- 05, માર્ચ 2021 03:48 PM
- 4058 comments
- 1461 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 480 થી વધુ નોંધાયા છે. જેની સામે 369 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4412 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 480 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,71,725 થયો છે. તેની સામે 2,64,564 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,71,725 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 2749 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,71,725 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 2749 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 40 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 2709 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,64,564 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4412 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 00 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 400 પોઝીટીવ કેસ, 01 મોત, કુલ 2,71,245 કેસ
- 04, માર્ચ 2021 03:43 PM
- 2369 comments
- 651 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 400 થી વધુ નોંધાયા છે. જેની સામે 358 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીના મોત સાથે કુલ મૃત્યુ આંક 4412 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 400 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,71,245 થયો છે. તેની સામે 2,64,195 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,71,245 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 2638 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,71,245 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 2638 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 39 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 2599 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,64,195 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4412 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દી નું મૃત્યુ નોંધાયુ છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 454 પોઝીટીવ કેસ, કુલ 2,70,770 કેસ
- 03, માર્ચ 2021 02:38 PM
- 5802 comments
- 3124 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 454 થી વધુ નોંધાયા છે. જેની સામે 361 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4411 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 454 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,70,770 થયો છે. તેની સામે 2,63,837 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,70,770 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 2522 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,70,770 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 2522 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 37 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 2485 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,63,837 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4411 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 00 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ELECTION 2021: 31માંથી 28 જિલ્લા પંચાયતોમાં ભાજપની વિજય કૂચ
- 02, માર્ચ 2021 03:33 PM
- 5916 comments
- 5535 Views
અમદાવાદ-ગુજરાતની રાજકોટ સહિત 31 જિલ્લા પંચાયતોમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપ મતગણતરી યોજાઇ રહી છે તેમાં 31માંથી 28 જિલ્લા પંચાયતોમાં ભાજપની વિજય કૂચ હોવાના પ્રારંભીક સંકેતો સાંપડયા છે. સૌરાષ્ટ્રની 8 સહિત ગુજરાતની 28 જિલ્લા પંચાયતોમાં ભાજપના બહુમતી ઉમેદવારો જીતના માર્ગે હોવાથી ભાજપનું શાસન આવવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. 2015ની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપને માત્ર 7 જિલ્લા પંચાયતોમાં સત્તા મળી હતી. તેના બદલે આ વખતે બહુમતી જિલ્લા પંચાયતો પર ભાજપનો કબ્જો આવવાના એંધાણ પ્રારંભીક ટ્રેન્ડમાં મળી રહ્યા છે. સમગ્ર 31 જિલ્લા પંચાયતોમાં 74 બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત થઇ ગઇ છે ત્યારે કોંગ્રેસને માત્ર 15 બેઠકો જ મળી છે. તાલુકા પંચાયતોમાં 358 બેઠકોમાં ભાજપના ઉમેદવારોને સરસાઇ હતી. જયારે કોંગ્રેસના ફાળે 94 બેઠકો હતી. નગરપાલિકામાં આ બેઠકો અનુક્રમે 238 અને 60 હતી.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 427 પોઝીટીવ કેસ, 01 મોત, કુલ 2,70,316 કેસ
- 02, માર્ચ 2021 03:27 PM
- 4624 comments
- 2354 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 427 થી વધુ નોંધાયા છે. જેની સામે 360 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4411 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 427 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,70,316 થયો છે. તેની સામે 2,64,476 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,70,316 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 2429 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,70,316 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 2429 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 35 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 2394 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,64,476 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4411 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાતમાં પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં ભગવો લહેરાતા કમલમ્ ખાતે વિજયોત્સવ
- 02, માર્ચ 2021 03:01 PM
- 2782 comments
- 8808 Views
ગાંધીનગર-પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં ભગવો લહેરાતા ભાજપમાં આનંદ છવાયો છે. ગાંધીનગર ખાતે ભાજપના કાર્યાલય કમલમ પર વિજયોત્સવ મનાવવામાં આવ્યો. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી વિજય રુપાણીની હાજરીમાં ભાજપના કાર્યલય પર કાર્યકર્તાઓએ વિજય મનાવ્યો. ઢોલ નગારા સાથે ભાજપના કાર્યલય કમલમ્ પર જીતનો ઉત્સવ મનાવવામાં આવ્યો. મહાપાલિકા બાદ પંચાયતની ચૂંટણીમાં પણ ભાજપે જે રીતે કેસરીયો લહેરાવી દીધો છે અને મોટા ભાગની જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત તથા મહાપાલિકાઓમાં ભાજપ સત્તા પર આવશે તે નિશ્ર્ચિત બન્યુ છે. તેથી આ ભવ્ય વિજયની ઉજવણી કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓ ઉપસ્થિત રહી જીતની ખુશીનો વિજયોત્સવ મનાવ્યો હતો.વધુ વાંચો -
ગુજરાતમાં BJPનાં સારા દેખાવ બાદ CM રૂપાણી અને પ્રદેશ પ્રમુખ પહોચ્યા કમલમ
- 02, માર્ચ 2021 02:20 PM
- 9396 comments
- 3792 Views
ગાંધીનગર-ભાજપ માટે આ વખતની તાલુકા, જિલ્લા પંચાયત અને પાલિકાની ચૂંટણી પ્રતિષ્ઠા સભર બનીને રહી ગઈ હતી. રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકા માટે મતગણતરીનાં પ્રારંભ સાથે જ ભાજપે સપાટો બોલાવીને જિલ્લા પંચાયતની 31 સીટ પૈકી 30 પર , 231 પૈકી 158 તાલુકા પંચાયત, નગર પાલિકામાં 81 પૈકી 67 બેઠક પર આગળ નિકળી ગઈ હતી. મહત્વપૂર્ણ છે કે મનપાની ચૂંટણીની સરખામણીએ ગામડાઓની ચૂંટણીમાં સારૂ એવું મતદાન થયું હતું. જિલ્લા અને તાલુકા પંચાયતમાં 65 ટકા મતદાન, તો પાલિકા માટે 55 ટકા સરેરાશ મતદાન થયું હતું. જોકે ગત્ત ચૂંટણીની ટકાવારી કરતા આ મતદાન ઓછું છે પરંતુ મનપાની સરખામણીએ વધુ નોંધાયેલું મતદાન ભાજપ પક્ષને ફળતું જોવા મળ્યું છે. સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં પણ ભાજપે સારૂ પ્રદ્શન કરતા હાર્દિક પટેલ સહિત કોંગ્રેસનાં સ્ટાર પ્રચારકોની હવા નિકળી ગઈ છે. આ વર્ષે ખેડુતોનું આંદોલન, છેલ્લા સમયે ખાતરનો કોંગ્રેસે ઉભો કરેલો મુદ્દો પણ ચાલ્યો નોહતો તો મોંઘવારીમો મુદ્દો કોંગ્રેસ ફરી એકવાર વટાવી નોહતી શકી. શહેરી વિસ્તારો બાદ હેવ ગ્રામ્ય સ્તરે પણ ભાજપે ક્લીન સ્વીપ જેવી સ્થિતિનું નિર્માણ કર્યું છે. આવનારી વિધાનસભાની ચૂંટણી માટેનાં પગથિયું ગણાતા પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં મેળવેલા વિજયને વધાવી લેવા ટૂંક સમયમાં કમલમ કાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પહોચશે અને સાથે જ ભાજપ વિજયોત્સવની શરૂઆત પણ કરી દેશે.વધુ વાંચો -
કમળ ખીલશે કે પંજાના ઉદય થશેઃ આવતીકોલે જિલ્લા-તાલુકા પંચાયત ચૂંટણીનું પરિણામ
- 01, માર્ચ 2021 07:17 PM
- 2008 comments
- 7886 Views
ગાંધીનગર-૨૮ ફેબ્રુઆરીના રોજ રાજ્યની ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત અને ૮૧ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા ૧૫ નગરપાલિકાઓ અને ૩ તાલુકા પંચાયતોની પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં આવતીકાલે એટલે મંગળવારે પરિણામ આવશે. જાેવાનું એ રહેશે કે જે પ્રકારે છ મહાનગરપાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાયો છે તે જ પ્રકારે ભાજપ જિલ્લા-તાલુકા અને નગરપાલિકાઓમાં કબ્જે કરે છે કે પછી કોંગ્રેસ બચેલી શાખને બચાવે છે. લોકોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જાેવા મળ્યો. તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં મનપા ચૂંટણી કરતા ભારે મતદાન થયેલું જાેવા મળ્યું. ત્યારે જાેવાનું એ રહેશે કે આ વખતે થયેલું આ ભારે મતદાન કોને ફાયદો કરાવશે. આ વખતે ગુજરાતમાં પહેલીવાર આમ આદમી પાર્ટીને પણ મનપા ચૂંટણીમાં બેઠકો મળી છે. જેમાં તાલુકા પંચાયતો માટે સરેરાશ ૬૬.૬૦ ટકા મતદાન યોજાયું. જિલ્લા પંચાયતોની વાત કરીએ તો સરેરાશ ૬૫.૮૦ ટકા મતદાન જ્યારે નગરપાલિકાઓમાં ૫૮.૮૨ ટકા મતદાન થયું. વર્ષ ૨૦૧૫ની ચૂંટણીઓ કરતા મતદાનમાં સરેરાશ ૩ ટકાનો ઘટાડો જાેવા મળ્યો. જ્યારે નગરપાલિકાઓની પેટાચૂંટણીમાં ૪૭.૬૩ ટકા અને તાલુકા પંચાયતોની પેટાચૂંટણીમાં ૬૮.૬૫ ટકા મતદાન થયું છે. સરેરાશ મતદાનની વાત કરીએ તો ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત અને ૮૧ નગર પાલિકાની ચૂંટણીમાં સરેરાશ ૬૩.૩૪ ટકા મતદાન થયું છે. સૌથી વધુ નર્મદામાં ૭૮ ટકા મતદાન થયું. રાજ્યની ૩૧ જિલ્લા પંચાયતો, ૨૩૧ તાલુકા પંચાયત અને ૮૧ નગરપાલિકાની ચૂંટણીઓના પરિણામ ૨ માર્ચના રોજ આવશે. ૨૩૧ તાલુકા પંચાયતની ૪૭૭૪ બેઠકમાંથી ૧૧૭ બેઠક બિનહરીફ થઈ છે. ૮૧ નગરપાલિકાની ૨૭૨૦ બેઠકોમાંથી ૯૫ બેઠક બિનહરીફ થઈ છે. ૩૧ જિલ્લા પંચાયતની ૯૮૦ બેઠકોમાંથી ૨૫ બેઠક બિનહરીફ થઈ છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 401 પોઝીટીવ કેસ, 01 મોત, કુલ 2,69,889 કેસ
- 01, માર્ચ 2021 03:02 PM
- 8421 comments
- 1663 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 401 થી વધુ નોંધાયા છે. જેની સામે 301 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4410 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 460 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,69,889 થયો છે. તેની સામે 2,63,116 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,69,889 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 2363 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,69,889 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 2363 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 32 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 2331 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,63,116 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4410 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દી નું મૃત્યુ નોંધાયુ છે.વધુ વાંચો -
ગુજરાતમાં 60 વર્ષથી ઉપરની વયના વરિષ્ઠ નાગરિકોને આજથી વેક્સિન આપવાનો પ્રારંભ
- 01, માર્ચ 2021 02:24 PM
- 8119 comments
- 7142 Views
ગાંધીનગર-રાજ્યમાં કોરોના વેક્સિન વરિષ્ઠ નાગરિકો ૬૦ વર્ષથી ઉપરની વયના વડીલોને ૧ માર્ચથી આપવાનો પ્રારંભ થઇ રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના ૬૦ લાખ જેટલા સૌ વરિષ્ઠ વડીલોને આ રસીકરણ અભિયાનનો લાભ લઈને કોરોના સામેની આપણી લડાઈના આ નિર્ણાયક અંતિમ તબક્કામાં પોતાનું યોગદાન અવશ્ય આપવા અપીલ કરી છે. મુખ્યમંત્રીએ આ અપીલ કરતા સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્ય સરકારે સૌના આરોગ્યની ચિંતા કરીને કોરોના સામે શરુઆતથી જ લોકસહયોગ અને આરોગ્ય કર્મીઓની કર્તવ્યનિષ્ઠાથી કોરોનાનો વ્યાપ વધતો અટકાવવામાં સફળતા મેળવી છે. હવે જ્યારે કોરોના સામે રસીકરણ અભિયાન પણ દેશભરમાં શરૂ થયું છે ત્યારે ગુજરાતના સૌ વરિષ્ઠ નાગરિકોના સહકારથી આપણું રાજ્ય એમાં પણ અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો છે. વિજય રૂપાણીએ કહ્યું છે કે રાજ્ય સરકારે આ રસીકરણ અભિયાનની સંપૂર્ણ તૈયારીઓ પૂરી કરી લીધી છે. રાજ્યભરની ૨૧૯૫ જેટલી સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો તેમજ ૫૩૬ જેટલા ખાનગી હોસ્પિટલ, દવાખાનાઓ મારફતે કોરોના રસીના ડોઝ આપવામાં આવશે. આ હેતુસર તાલીમબદ્ધ ડોક્ટર્સ તેમજ પેરા મેડિકલ સ્ટાફ સહિત અંદાજે ૩૦ હજાર જેટલા માનવ બળની સેવાઓ ઉપલબ્ધ બનવાની છે.તેમણે એમ પણ જણાવ્યું છે કે આ રસી પૂરી રીતે સુરક્ષિત છે તેમજ તેની કોઈ આડ અસર પણ નથી જ. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૬૦ વર્ષથી વધુની વયના હરેક વડીલ આ રસીના બે ડોઝ અવશ્ય સમયસર લે અને પોતાની જાતને કોરોનાથી સુરક્ષિત બનાવે તેવો અનુરોધ પણ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે ગુજરાત કોરોના સામેના જંગમાં સઘન આરોગ્ય ન્તરિ રથ, ૧૦૪ હેલ્પ લાઇન, વ્યાપક સરવેલન્સ સહિતના અનેક પરિણામ કારી પગલાંઓ અને ઉપાયોથી દેશનું માર્ગદર્શક બન્યું છે. મુખ્યમંત્રી રૂપાણીએ આ સંદર્ભમાં ઉમેર્યું કે હવે સૌ વરિષ્ઠ વડીલો અવશ્યપણે રસીના ડોઝ લઈને હારશે કોરોના જીતશે ગુજરાતના મંત્રને સાકાર કરી કોરોના સામેની લડાઈના આ અંતિમ તબક્કામાં વિજય મેળવે. મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોને પણ અપીલ કરી છે કે પોતાના ઘર પરિવાર અને આસપાસ ના આવા વરિષ્ઠ વડીલોને રસીકરણ માટે તેઓ પ્રેરિત કરે અને કોરોના મુક્ત ગુજરાતના નિર્માણમાં યોગદાન આપે.વધુ વાંચો -
ગુજરાતમાં માર્ચમાં કાળઝાળ ગરમી અને એપ્રિલમાં કરાં-વરસાદ પડશે, જાણો કોણે કરી આગાહી
- 01, માર્ચ 2021 02:11 PM
- 3199 comments
- 6043 Views
અમદાવાદ-રાજ્યમાં હાલ તો બેવડી ઋતુઓનો અહેસાસ થઈ રહ્યો છે. માર્ચ મહીનાથી ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ જશે. પરંતુ ઉનાળામાં વિપરીત હવામાન રહેવાની શકયતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ વ્યક્ત કરી છે. જાેકે, ફેબ્રુઆરીમાં ૨૭થી ૨૮માં દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં હિમ વર્ષા થશે. જેની અસર ગુજરાતમાં થશે. એટલે કે ઠંડા પવનને કારણે લઘુતમ તાપમાન ઘટશે અને રાત દરમિયાન ઠંડીનો અહેસાસ થશે. માર્ચ મહિનાની શરુઆતમાં ઠંડા પવન ફૂંકાશે પરંતુ મહત્તમ તાપમાન યથાવત રહશે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભુજ, ડીસા અને નલિયામાં ૧૪થી ૧૫ માર્ચ બાદ તાપમાન વધશે.૧૫ માર્ચ બાદ કેટલાક ભાગમાં ૪૧થી ૪૨ તાપમાન રહેવાની સંભાવના છે. સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં તો ગુજરાતમાં અગન વર્ષા થાય છે. મહત્તમ તાપમાન ઊંચું જવાના કારણે લોકો કાળઝાળ ગરમીનો અહેસાસ કરતા હોય છે. જાેકે આ વખતે જ્યોતિષાચાર્યોએ આગાહી કરી છે કે, એપ્રિલ મહિનામાં દેશના કેટલા ભાગમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા છે. જેની અસર ગુજરાતના તાપમાન પર થાય. તેમજ ગલ્ફ તરફથી આંધી ભર્યા પવન ફૂંકાય. જેના કારણે ઉત્તર ગુજરાત, રાજસ્થાનના કેટલાક ભાગે ધુળિયું વાતાવરણ રહશે. આ જ્યોતિષાચાર્યોએ વધુમાં જણાવ્યું છે કે, મે મહિનામાં તાપમાન ૪૫ ડિગ્રી રહેશે અને ઘણા ભાગોમાં રેકોડ બ્રેક ગરમી પડશે. પરંતુ મેં મહિનામાં પ્રિ મોન્સૂન ગતિવિધિઓ વધશે અને તેની અસર ચોમાસાના વરસાદ પર પડશે. અમદાવાદ, ડીસા, વડોદરા, દાહોદ, ઇડર, સુરત, ભાવનગર, ભુજ, નલિયા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢના વિસ્તારોમાં આકરી ગરમી પડશે. તેમજ રાજસ્થાનના અનેક ભાગોમાં આગ ઓકતી ગરમી પડી શકે છે. જેની અસર ગુજરાતના તાપમાન પર થશે.એટલે ઉનાળામાં પણ વાતાવરણ વિપરીત રહેવાના શકયતા છે. માર્ચ મહિનામાં ગરમીનું પ્રમાણ વધુ રહશે.તો એપ્રિલ મહિનામાં ધૂળની ભરી આંધી ફૂંકાશે અને મેં મહીનામ પ્રિ મોન્સૂન એક્ટિવિટી વધશે. તેમજ વધુમાં આ અરસામાં આકરી ગરમી પડશે અને કેટલાંક ભાગોમાં મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રી સેલ્સિયસને પાર કરશે. તો વળી કેટલાંક ભાગોમાં વિક્રમજનક ગરમી પડશે. એપ્રિલમાં ઉત્તરીય-પર્વતીય પ્રદેશોમાં વરસાદ, હિમવર્ષા થતા જમ્મુ કાશ્મીરની નદીઓના જળસ્તરમાં વધારો થશે.વધુ વાંચો -
ELECTION 2021: 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત 231 તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્ણ
- 28, ફેબ્રુઆરી 2021 06:34 PM
- 461 comments
- 4604 Views
ગાંધીનગર-ગુજરાતમાં આજે 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી ઉપરાંત 81 નગરપાલિકાઓની ચૂંટણી વહેલી સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરવામાં આવ્યું હતું. 8261 બેઠકો માટે 22216 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે. મતદાનને લઈને સવારથી જ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતાં. ગુજરાતમાં રવિવાર 28મી ફેબ્રુઆરી 2021ના રોજ, 31 જિલ્લા પંચાયત, 214 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકા માટે મતદાન યોજાશે. 31 જિલ્લાની 980 બેઠક, 231 તાલુકા પંચાયતની 4774 બેઠકો અને 81 નગરપાલિકાની 2720 બેઠકો સહીત કુલ 8474 બેઠકો માટે ચૂંટણી યોજાશે. મતદાન પૂર્વે જ કડી અને ઉના નગરપાલિકા ભાજપના ફાળે આવી ચૂકી છે. આ મતદાનની મતગણતરી આગામી 2 માર્ચને મંગળવારના રોજ સવારના 9 કલાકેથી હાથ ધરાશે. 2015માં પાટીદાર અનામત આંદોલનની પૃષ્ઠભૂમિમાં યોજાયેલી ચૂંટણીમાં, 31 જિલ્લા પંચાયતોમાંથી ભાજપ 23થી વધુ જિલ્લા પંચાયતો હારી ગઈ હતી. 231 તાલુકા પંચાયતમાંથી 165 તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે ગઈ હતી .જ્યારે 51 નગરપાલિકામાંથી 38 પાલિકા ભાજપ જીત્યું હતું.વધુ વાંચો -
ELECTION 2021: જિલ્લા-તાલુકા પંચાયતમાં સરેરાશ 55 ટકાથી વધુ મતદાન
- 28, ફેબ્રુઆરી 2021 06:01 PM
- 7361 comments
- 4064 Views
ગાંધીનગર-ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત અને ૮૧ નગરપાલિકા માટે મતદાન યોજાયું હતું. જેમાં વહેલી સવારથી જ મતદાન કેન્દ્રો પર મતદાતાઓની લાંબી કતારો જાેવા મળી હતી. મતદાન પ્રક્રિયા સાંજે છ વાગ્યા સુધી ચાલી હતી. કુલ ૨૨૧૭૦ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ થઇ ગયા છે. આ ચૂંટણીનું પરિણામ બે માર્ચે એટલે કે મંગળવારે જાહેર થશે. મતદાન પૂર્ણ થવા આવ્યું ત્યાં સુધી ૩૧ જિલ્લા પંચાયતમાં સરેરાશ ૫૨.૯૬ ટકા મતદાન નોંધાયું છે. તો ૨૩૧ તાલુકા પંચાયતમાં કુલ ૫૫.૩૪ ટકા નોંધાયું છે અને ૮૧ નગરપાલિકામાં મતદાનની વાત કરીએ તો કુલ ૫૦.૩૪ ટકા મતદાન નોંધાયું છે. સૌથી વધારે ડાંગમાં મતદાન નોંધાયું છે.વાત કરવામાં આવે તો છ મહાનગપાલિકાની ચૂંટણીમાં થયેલ મતદાન કરતાં ગામડાઓ સવાયા સાબિત થયા હોય તેવું દેખાઇ રહ્યું છે. મોટા ભાગની જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં મતદાન સારું નોંધાયું છે.વિવિધ જિલ્લા પંચાયતોની કુલ ૨૫ બેઠકો બિનહરીફ, વિવિધ તાલુકા પંચાયતોની ૧૧૭ બેઠકો બિનહરીફ, વિવિધ નગરપાલિકાઓની ૯૫ બેઠકો બિનહરીફ થઇ છે. વિરમગામ નગરપાલિકા ચૂંટણીના બુથ બહાર મારામારી બે જુથ વચ્ચે પથ્થર મારાની ઘટના બની હતી. વોર્ડ-૮ના એમ.જે.આઈસ્કૂલ બહાર ભાજપ અને અપક્ષ ઉમેદવારોના ટોળા વચ્ચે મારામારી થઈ હતી. પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.પાલનપુર અને વિરમગામમાં ભાજપ તેમજ અપક્ષના કાર્યકરો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. બંન્ને પક્ષો એકબીજાને લાતો મારતા જાેવા મળ્યા હતા. સ્થિતિ પર કાબુ મેળવવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આજે જિલ્લા, તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીમાં અનેક સ્થળોએ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. પંચમહાલના કાલોલ તાલુકા શક્તિપુરા વસાહત ૨ માં મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો. મતદાનને અડધો દિવસ વીત્યા બાદ પણ મતદાન મથકમાં એક પણ વોટ પડ્યો નથી. નર્મદા ડેમના વિસ્થાપીતોને આ મથકમાં વસાવવામાં આવ્યા છે. સ્થાનિકોને એક પણ સરકારી યોજનાઓનો લાભ નથી મળતો. ત્યારે પ્રાથમિક સુવિધાઓના અભાવ અને જમીન પોતાના નામે નહિ સ્થાનિકોએ વિરોધ વ્યક્ત કર્યો છે. વલસાડના ઉમરગામ તાલુકાના નારોગલ ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો. સ્થાનિક લોકો દ્વારા મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. બે દિવસ પહેલા ગામમાં લગ્નમાં ડીજે વગાડવા બાબતે પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવી હતી. જેથી ગુસ્સે થયેલા ગામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે.રાજ્યમાં બે દિવસ અગાઉ મહાનગર પાલિકાની ચૂંટણીઓ યોજાઈ જેમાં ભાજપને પોતાની શાખ યથાવત રાખવામાં સફળતા મળી છે. જ્યારે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. સુરતમાં તો કોંગ્રેસ પોતાનું ખાતું પણ નથી ખોલાવી શકી. આવામાં આપ એક નવા પક્ષ તરીકે ગુજરાતમાં એન્ટ્રી કરી છે. અને પંચાયતની ચૂંટણીમાં શું થાય છે તેના પર સૌની નજર છે. આ ચૂંટણીઓ રાજ્યના રાજકરણ પર ખૂબ મોટી અસર પાડી શકે છે. જેનાથી આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણી પહેલા જ જનતાનો મૂડ પરખાઈ જશે.વધુ વાંચો -
ELECTION 2021: બપોરે 2 વાગ્યા સુધીમાં કેટલું થયું મતદાન થયુ ? જાણો લેટેસ્ટ આંકડા
- 28, ફેબ્રુઆરી 2021 02:27 PM
- 4602 comments
- 9456 Views
અમદાવાદ- રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીમાટે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. અમુક બુથ પર વહેલી સવારથી જ લોકોએ લાઇન લગાવી દીધી છે. જ્યારે 2 માર્ચે મતગણતરી હાથ ધરાશે.અમદાવાદ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે 809 ઉમેદવાર મેદાનમાં છે. જિલ્લા અને તાલુકામાં 1 હજાર 199 મતદાન કેંદ્ર ઉભા કરાયા છે. જ્યારે ગાંધીનગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં કુલ 7 લાખ 15 હજાર 511 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. જયારે ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ૧ લાખ ૩૮ હજાર ૨૭૩ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. રાજકોટ જિલ્લાના 1 હજાર 146 મતદાન બુથ પૈકી 396 કેંદ્રને સંવેદનશીલ મતદાન કેન્દ્ર જાહેર કરાયા છે. રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠક માટે 111 ઉમેદવારો, જ્યારે 11 તાલુકા પંચાયતની 202 બેઠક માટે 586 ઉમેદવારો મેદાનમાં છેવધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 460 પોઝીટીવ કેસ, કુલ 2,69,031 કેસ
- 27, ફેબ્રુઆરી 2021 03:16 PM
- 1444 comments
- 7390 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 460 થી વધુ નોંધાયા છે. જેની સામે 315 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં કુલ મૃત્યુ આંક 4408 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 460 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,69,031 થયો છે. તેની સામે 2,62,487 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,69,031 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 2136 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,69,031 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 2136 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 38 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 2098 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,62,487 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4408 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 00 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ELECTION 2021: 55,000થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે
- 27, ફેબ્રુઆરી 2021 02:49 PM
- 8852 comments
- 5402 Views
ગાંધીનગર- 28 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બીજો તબક્કો શરૂ થઇ રહ્યો છે. જેમાં 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ 28 ફેબ્રુઆરીના રોજ યોજાશે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ ચૂંટણીમાં 55,000થી વધુ પોલીસ કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન બને તે માટે પણ ખાસ વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી છે.પોલીસ સુરક્ષાની બાબતે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, રવિવારના રોજ યોજાનારી ચૂંટણીમાં 12 CAPFની કંપની પણ ચૂંટણી વ્યવસ્થામાં હાજર રહેશે. આ ઉપરાંત 13 DYSP, 34 PSI કુલ મળીને 15,000 જેટલા પોલીસ કોન્સ્ટેબલ અને 64 SRPની કંપનીઓ પણ તૈનાત કરવામાં આવી છે. આમ આ ચૂંટણી બંદોબસ્તમાં 55 હજાર જેટલા હોમગાર્ડ અને GRDના સભ્યોને પણ ચૂંટણી બંદોબસ્તમાં ફરજો આપવામાં આવી છે. જ્યારે ચૂંટણી બંદોબસ્ત માટે કુલ 12 પેરામિલિટરીની કંપનીઓ પણ વિવિધ સ્થળો પર બંદોબસ્તમાં હાજર રહેશે.વધુ વાંચો -
ગુજરાતમાં ચૂંટણી બાદ વધ્યા કોરોનાના કેસ, 4 શહેરોમાં 15 માર્ચ સુધી કર્ફ્યૂ
- 27, ફેબ્રુઆરી 2021 02:38 PM
- 8751 comments
- 1222 Views
અમદાવાદ-ગુજરાતમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી સાથે જ કોરોના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં કર્ફ્યૂ હજી 15 દિવસ માટે વધારી દીધું છે. રાજ્ય સરકાર તરફથી કોવિડ-19 વેક્સિનના બીજા તબક્કાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ તબક્કામાં 60 વર્ષથી વધુની મહિલા, પુરુષો અને 45થી 59 વર્ષના ગંભીર રોગોથી પીડિત મહિલા-પુરૂષોને કોવિડ-19ની વેક્સિન આપવામાં આવશે. ગુજરાતમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી સાથે જ કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં 460 નવા કેસ સામે આવ્યા છે, એમાંથી વડોદરાના 109 અને અમદાવાદના 101 સામેલ છે. જોકે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી મોતનો એક પણ કેસ નોંધાયેલો નથી. ગુજરાતમાં અત્યાર સુધી કોરોના 4408 લોકોનાં મોત નીપજ્યાં છે, એમાંથી એકલા અમદાવાદના 2311 મોત સામેલ છે. ગુજરાતમાં અત્યાર સુધી 269031 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે, એમાંથી 262587 લોકો સ્વસ્થ થઈને ઘરે જઈ ચૂક્યા છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં બોલાવવામાં આવેલી કોર કમિટીની બેઠકમાં અમદાવાદ સહિત ચાર મહાનગર પાલિકાઓમાં નાઈટ કર્ફ્યૂ આગામી 15 માર્ચ સુધી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાની વેક્સિનના બીજા તબક્કાની તૈયારીઓની સમીક્ષા કરી અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓને જરૂરી માર્ગદર્શિકા બહાર પાડી છે. મુખ્યમંત્રીએ વેક્સિન આપવા બાદ એના પર થતી અસર અથવા વિપરીત અસર પર નજર રાખવા પર જોર આપ્યું છે. મીટિંગમાં બીજા તબક્કામાં કોરોના વૉરિયર્સને બીજી ડોઝ આપવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.વધુ વાંચો -
પાલિકા અને પંચાયતોમાં પ્રચાર પડઘમ થયો શાંતઃ 22,170 ઉમેદવારો મેદાને
- 26, ફેબ્રુઆરી 2021 06:44 PM
- 5954 comments
- 4554 Views
ગાંધીનગર-૬ મ્યુનિસિપલ કોર્પોરેશન બાદ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં બીજા તબક્કે પાલિકા- પંચાયતો માટે ૨૮ ફેબ્રુઆરીને રવિવારે ૫,૪૮૧ બેઠકો માટે મતદાન યોજનાર છે. આ ચૂંટણીમાં ભાજપ- કોંગ્રેસ સહિત ૨૨,૧૭૦ ઉમદેવારો મેદાને છે. મહાનગરોથી તદ્દન વિપરિત સમીકરણો વચ્ચે ગ્રામિણ અને અર્ધ શહેરી ક્ષેત્રોની ચૂંટણી હકિકતમાં વિધાનસભા ચૂંટણીની પારાશીશી કહેવાય છે. છ શહેરોમાં કોંગ્રેસના રકાશ અને ભાજપના યુવા ઉમદેવારોના વિજય પછી આ બંને પક્ષના ધારાસભ્યોએ પોતાના મુળિયા ઊંડા કરવા છેલ્લી ઘડીએ એડીચોટીનું જાેર અજમાવ્યુ છે. સુરતમાં આપ અને અમદાવાદમાં એઆઈએમઆઈએમની એન્ટ્રી બાદ ભાજપ- કોંગ્રેસના નેતાઓએ ૨૧ મહિના પછી ડિસેમ્બર- ૨૦૨૨માં યોજનારી વિધાનસભા ચૂંટણીને નજર સામે રાખીને ચૂંટણી પ્રચાર કર્યો હતો. શુક્રવારે પણ અનેક જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારોમાં બાઈક રેલી, સભાઓનું આયોજન કરવામા આવ્યુ છે. તો બીજી તરફ રવિવારે પોતાના તરફ મતદાન માટે બુથ લેવલે માઈક્રો પ્લાનિંગ થઈ રહ્યુ છે. ૩૧ જિલ્લા અને ૨૩૧ તાલુકા પંચાયત તેમજ ૮૧ નગર પાલિકાઓમાં રવિવારે યોજનારા મતદાન માટે ચૂંટણી ૨ કરોડ ૯૭ લાખ ૨૯ હજાર ૮૭૧ મતદારો નોંધાયેલા છે. આ ચૂંટણીમાં ૧૨,૩૩૪ મતદાન મથકો સંવેદનશીલ, અતિ સંવેદનશીલ છે. રવિવારે શાંતિપૂર્ણ માહોલમાં મુક્ત અને ન્યાયી મતદાન વ્યવસ્થા માટે ૭૪,૨૧૪થી વધુ પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવી રહ્યો છે. દોઢ- બે દાયકામાં ગુજરાતમાં પહેલીવાર પાલિકા- પંચાયતોમાં હરિફ પક્ષના ઉમેદવારોને ધાક- ધમકી આપીને, લોભ લાલચ આપીને મોટાપાયે ઉમેદવારી ફોર્મ પાછા ખેંચાવવામા આવ્યા છે. જેના કારણે ભાજપ- કોંગ્રેસ અને અન્ય અપક્ષ ઉમેદવારોના ટેકેદારો વચ્ચે પોલીસ ફરિયાદો પણ નોંધાઈ છે. કેટલાક કિસ્સાઓમાં તો ચૂંટણી અધિકારીઓની તટસ્થા સામે જ સવાલો ઉઠતા હાઈકોર્ટને આદેશો આપવા પડયા છે.વધુ વાંચો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ