અરવલ્લી સમાચાર

  • ક્રાઈમ વોચ

    કોર્પોરેટ કલ્ચરના ઝાકમઝોળની વરવી અંધારી બાજુ આંતરરાષ્ટ્રીય કક્ષાની ફાર્મા કંપનીમાં ચાલતા સેક્સ કૈાભાંડથી ખળભળાટ કંપનીના રંગીન મિજાજના એમડીએ ૩૭થી વધુ ભારતીય અને વિદેશી યુવતીઓનું શારીરિક શોષણ

    વડોદરા, તા. ૯આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાણીતી અમદાવાદની એક ફાર્મા કંપનીમાં ભારતીય તેમજ વિદેશી યુવતીઓને વાર્ષિક લાખો –કરોડો રૂપિયાના પેકેજ પર નોકરીએ રાખ્યા બાદ યુવતીઓનું ખુદ કંપનીના એમડી દ્વારા વારંવાર શારીરિક શોષણ કરી સેક્સ કૈાભાંડ આચરવામાં આવ્યું હોવાની વાતે ખળભળાટ મચ્યો છે. કંપનીના એમડીની રાતો રંગીન કરવા માટે મજબુર બનેલી યુવતીઓ આ મુદ્દે કોઈ હોબાળો મચાવે તે અગાઉ તેઓને શામ-દામ-દંડ-ભેદની નિતીથી ચુપ કરાવી દેવામાં આવતી હોઈ અત્યાર સુધી આ સેક્સ રેકેટની કોઈ વિગતો બહાર આવી શકી નહોંતી. જાેકે આ જ ફાર્મા કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતી એક યુવતીને પણ શારીરિક શોષણ માટે ફરજ પાડી બળજબરી કરાતા આ સેક્સ કૈાભાંડને ઉજાગર કરવા માટે યુવતીએ પહેલ કરી હતી. જાેકે કંપનીના વગદાર સંચાલક સામે કાર્યવાહી કરવા માટે પોલીસ તંત્રના હાથ ધ્રુજતા હોઈ પોલીસે ફરિયાદ નોંધવા માટે સ્પષ્ટ નનૈયો ભણતા યુવતીને આ સેક્સ રેકેટમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે આખરે હાઈકોર્ટમાં દાદ માંગવાની ફરજ પડી હતી. થોડાક સમય પહેલા આવેલી દિગદર્શક મધુર ભંડારકરની જાણીતી હિન્દી ફિલ્મ ‘કોર્પોરેટ’માં મોટા ઉદ્યોગપતિઓ દ્વારા મની એન્ડ મસલ્સ પાવર સાથે લેધર કરન્સીનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે તેનો ચિતાર આપી ઝાકમઝાળ ભરેલે કોર્પોરેટ કલ્ચરના બીજી વરવી બાજુને ઉજાગર કરવામાં આવી હતી. જાેકે ફિલ્મના દ્રશ્યો અને સ્ટોરીને પણ ટક્કર મારે તેવો વાસ્તવિક કિસ્સો અમદાવાદની જ એક જાણીતી મલ્ટીનેશનલ ફાર્મા કંપનીમાં સપાટી પર આવ્યો છે અને તેને કંપનીની જ એક ઉચ્ચાધિકારી કર્મચારી યુવતીએ ઉજાગર કર્યો છે. અન્ય રાજયની વતની અને હાલમાં અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતી ૨૬ વર્ષીય યુવતી અમદાવાદની ફાર્મા કંપનીમાં ઉચ્ચાધિકારી તરીકે ફરજ બજાવે અને કંપનીમાં કામગીરીના ભાગરૂપે કંપનીના તમામ કર્મચારીઓ તેના સંપર્કમાં આવે છે. આ યુવતીની તેના જ વિભાગના વડાએ જાતિય સતામની શરૂ કરી હતી અને તેણે કંપનીના સંચાલક- એમડી જે વ્યભિચાર અને રંગીન મિજાજના આક્ષેપોમાં અગાઉ ઘેરાયેલા છે તેમના સેક્સ કૈાભાંડના સિલસિલાબધ્ધ કિસ્સા વર્ણવ્યા હતા અને યુવતીને પણ એમડી સાથે શારીરિક સંબંધ બાંધવા માટે સતત દબાણ શરૂ કરાયું હતું. પોતાના વિભાગના વડાએ કંપનીના એમડીના સેક્સ કૈાભાંડ અંગે એવી ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો કે કંપનીમાં ૨૪થી ૨૭ વર્ષની રશિયન, સ્પેનીશ અને યુરોપીયન યુવતીઓને વર્ક વિઝા નહી હોવા છતાં કંપનીમાં દોઢથી બે કરોડના વાર્ષિક પગારે પર્સનલ સેક્રેટરી તરીકે નોકરીએ રાખવામાં આવી હતી અને એફઆરઆરઓ (ફોરેનર્સ રિજયોનલ રજીસ્ટ્રેશન ઓફિસર) પ્રોસેસ વિના પરત મોકલી દેવામાં આવી છે. આ યુવતીઓને કંપનીના એમડીના વૈભવી રહેણાંક સ્થળે રાખવામાં આવતી હતી જયાં એમડી દ્વારા તેઓની પર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. એમડી દ્વારા યુવતીઓ સાથે ક્રુરતાપુર્વક અકુદરતી સેક્સ પણ આચરવામાં આવ્યું છે જેના કારણે અનેક યુવતીઓને શારિરીક પીડાઓ પણ થઈ હતી પરંતું મની અને મસલ્સ પાવરના જાેરે તેઓને ચુપ કરાવી દઈ તેઓને વતનમાં રવાના કરી દેવાઈ છે. આ યુવતીએ કંપનીમાં મહિલાઓની જાતિય સતામણી સામે રક્ષણ આપવા માટે બનાવેલી કમિટીમાં પોતાના જાતિય સતામની કરતા તેના વિભાગના વડાની ફરિયાદ કરી હતી જેના પગલે કંપનીના બોર્ડ ઓફ ડિરેકટરોમાં ખળભળાટ મચ્યો હતો અને યુવતી પર આ મુદ્દે ચુપકીદી રાખવા માટે તેમજ વિભાગીય વડા કે કંપનીના એમડી સામે કોઈ પણ પ્રકારની ફરિયાદ નહી કરવા માટે દબાણ કરી ધમકીઓ આપવાનો દોર શરૂ થયો છે. જાેકે આ અંગે યુવતીએ અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં અને પોલીસ ઉચ્ચાધિકારીઓને રજુઆતો કરી હતી પરંતું તેની કંપનીનું નામ અને કંપનીના એમડીનું નામ સાંભળતા જ મનોમન ફફડી ઉઠેલી પોલીસે આ કેસમાં ફરિયાદ નોંધવાની વાત તો ઠીક પરંતું ત્યારબાદ યુવતીના ફોન પણ રિસીવ કરવાનું બંધ કરી દેતા યુવતીએ આ કેસની પોલીસ ફરિયાદ નોંધે તેવો આદેશ કરાવવા માટે અમદાવાદના યુવાન ધારાશાસ્ત્રી મારફત હાઈકોર્ટમાં દાદ માંગી હતી. બોક્સ.. હાઈકોર્ટમાં દાખલ થયેલો કેસ સુનાવણી પુર્વે વીથ ડ્રો કરાયો આગામી સપ્તાહે ફરી દાખલ કરાશે ઃ ફરિયાદીના વકીલ ઉદ્યોગપતિ સામે શારીરિક શોષણનો આક્ષેપ કરનાર યુવતીએ તેના વકીલ મારફત તારીખ પાંચમીએ નામદાર હાઈકોર્ટમાં પોલીસ ફરિયાદ દાખલ કરે તેવી માંગ સાથે દાવો દાખલ કરેલ કરેલો જેની આજે શુક્રવારના રોજ સુનાવણી હાથ ધરાય તે પુર્વે જ ક્રિમીનલ મિસેલીનિયસ એપ્લીકેશનને આગામી દિવસોમાં ક્રિમીનલ રિવિઝન એપ્લીકેશન તરીકે દાખલ કરવાની ન્યાયાધીશની મંજુરી સાથે વીથ ડ્રો કરવામાં આવી હતી અને તે સિનિયર વકીલોને સાથે રાખી આગામી સપ્તાહમાં નવેસરથી દાખલ કરવામાં આવશે તેવું ફરિયાદીના વકીલે ‘લોકસત્તા જનસત્તા’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું. બોક્સ..  ૭૫ લાખમાં સમાધાન કરી નોકરી છોડી દેવા દબાણ યુવતીએ અરજીમાં આક્ષેપ કર્યો હતો કે તેણે કંપનીના એમડી અને વિભાગીય વડા સહિતના અધિકારીઓ વિરુધ્ધ કંપનીની ફરિયાદની તજવીજ કરતા જ કંપનીના અન્ય એક ઉચ્ચાધિકારીએ તેને હોટલ અને જાણીતા ક્લબમાં બોલાવીને કંપનીના આ કેસમાં સમાધાન કરી લેવા માટે જણાવ્યું હતું અને સમાધાન માટે ૭૫ લાખની ઓફર કરાઈ હતી. તેને પૈસા લઈ કંપનીમાં રાજીનામુ આપી દેવા માટે દબાણ કરી કંપની અધિકારીએ કંપનીના એમડી વગદાર છે માટે તું તેનું કંઈ બગાડી નહી શકે તેવી ગર્ભિત ધમકી આપી હતી. બોક્સ.. ફાર્મા કંપનીમાં યુવતીઓને ફલ્મી હિરોઈન જેટલી ફી કેમ ચુકવાઈ ? યુવતીએ જણાવ્યું હતું કે તેની કંપની ફાર્મા કંપની છે જેમાં દવાઓનું ઉત્પાદન થાય છે તેની કંપની ફિલ્મો નથી બનાવતી કે જેમાં થોડાક સમય માટે આવતી યુવતીઓને ફિલ્મી હિરોઈનની જેમ કરોડો રૂપિયા ચુકવવામાં આવ્યા છે. એરલાઈન્સમાં ફરજ બજાવતી વિદેશી યુવતી જેનો પગાર આશરે સાત લાખ હતો તે યુવતી તેની કંપનીમાં ૫૦ લાખના પગારે નોકરીએ જાેડાતા તેની પર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. યુવતીઓને આટલો જંગી પગાર કેમ ચુકવાયો તેની સીબીઆઈ અને પોલીસે તપાસ કરવાની માંગણી કરી છે. યુવતીએ કંપનીના એમડી દ્વારા ૩૫ જેટલી વિદેશી યુવતીઓનું શારીરિક શોષણ કર્યાનો આક્ષેપ કરી યુવતીનો ગણતરી દિવસો માટે ચુકવાયેલા તોતીંગ પગારની યાદી રજુ કરાઈ છે. બોક્સ.. અમદાવાદ ગ્રામ્ય પોલીસને વકીલની હાજરીમાં ફરિયાદ આપી છે છતાં કોઈ કાર્યવાહી નહી જે ફાર્મા કંપનીના એમડી અને ઉચ્ચાધિકારીઓ પર સેક્સ રેકેટ કૈાભાંડના આક્ષેપો કરાયા છે તે કંપની અમદાવાદના ગ્રામ્ય પોલીસની હદમાં છે. યુવતીએ આ અંગે ગત મે માસમાં જ ગ્રામ્ય વિસ્તારના એક પોલીસ મથકમાં પીઆઈને બે વકીલોની હાજરીમાં ફરિયાદ નોંધવા માટે કોપી આપી હતી જે એક પીઆઈએ સ્વીકારી કરી હતી પરંતું પીઆઈએ તેની સ્ટેશન ડાયરીમાં કોઈ નોંધ કરી નહોંતી કે ફરિયાદની નકલ પર કોપી મળ્યાનો સિક્કો મારી આપ્યો નહોંતો. ફરિયાદ વાંચીને જ પીઆઈએ કહ્યું હતું કે આ રેરેસ્ટ ઓફ રેર ક્રાઈમ પરંતું તે ડીએસપીની મંજુરી વિના ફરિયાદ નહી નોંધી શકે. જાેકે યુવતીએ ત્યારબાદ પીઆઈ, ડીવાયએસપી અને રાજયના પોલીસ વડાને પણ ઈમેલથી ફરિયાદ કરી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ નથી જેની હાઈકોર્ટમાં માંગેલી દાદમાં પુરાવા સાથે રજુઆત કરી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    રામનવમીએ કોમી ભડકોઃ ઠેરઠેર પથ્થરમારો ઃ ૧૭ની ધરપકડ

    વડોદરા, તા.૩૦રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ સહિતની કેટલીક ધાર્મિક સંસ્થાઓ દ્વારા આયોજીત શોભાયાત્રા પર બપોરે ફતેપુરા વિસ્તાર સહિત અનેક સ્થળે ભારે પથ્થરમારાના પગલે દહેશતનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં અનેકને ઈજાઓ પહોંચી હતી તથા પરિસ્થિત પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. દરમ્યાન પોલીસે ૩૫૦થી વધુ સીસીટીવી કેમેરાને આધારે મોડીરાત સુધીમા ૧૭ તોફાનીઓની ધરપકડ કરી લીધી હતી. આ તોફાનો દરમ્યાન અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યુ હતું. છેલ્લા અનેક વર્ષોથી શાંતિપૂર્ણ માહોલનો અહેસાસ કરી રહેલું વડોદરા આજે કોમી રમખાણોના છમકલાઓથી ફરી એકવાર અભડાયું હતું. આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત શ્રીરામની શોભાયાત્રા બપોરના સમયે ફતેપુરા વિસ્તારના કુભારવાડા ખાતેથી પસાર થઈ રહી હતી.આ તબક્કે ડીજે પર મોટા અવાજે હનુમાનચાલીસા વાગતા જ એ વિસ્તારના કેટલાં યુવાનો અને વિહિપના કાર્યકરો વચ્ચે બોલાચાલી થતાં વાતાવરણ ગરમાયુ હતું આ તબક્કે પોલીસે મધ્યસ્થી કરી બંને ટોળાઓને શાંત કરી વિખેરી નાંખ્યા હતા. પરંતુ થોડી જ વારમાં આ સમાધાન પડી ભાંગ્યુ હોય એમ અચાનક આજુબાજુની ગલીઓમાંથી પથ્થરમારો શરૂ થયો હતો. આ તબકકે શોભાયાત્રામાં સામેલ એક હજારથી વધુ વીએચપી કાર્યકરોમાં ઉશ્કેરાટનો માહોલ ફેલાયો હતો. જાે કે ઘટના સ્થળે ઉપસ્થિત પોલીસે તાત્કાલિક પરિસ્થિતિ પર કાબુ મેળવવા તોફાનીઓની દિશામાં ઘસી જતાં મામલો થોડા સમય માટે શાંત પડયો હતો. પરંતુ શ્રધ્ધેય ભગવાન રામની શોભાયાત્રા પરના પથ્થરમારાથી ઉશ્કેરાયેલા કાર્યકરોને માંડ માંડ શાંતિ જાળવવા સમજાવાયા હતા. એસ.એસ.જી. હોસ્પિટલની સામે આવેલ પંચમુખી હનુમાન મંદિરથી શરૂ થયેલી આ યાત્રા શાંતિપૂર્ણ રીતે અને ધાર્મિક માહોલ સાથે આગળ વધી રહી હતી. ત્યારે પાંજરીગર મહોલ્લા ખાતે તેના પર ભારે પથ્થરમારો થયો હતો. જાે કે આ યાત્રા એરપોર્ટ, સંગમ, ફતેપુરા, કારેલીબાગ પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી.ત્યાર બાદ એ યાત્રા જીવનભારતી સ્કુલ એલ એન્ડ ટી એરપોર્ટ થઈ ફરી પંચમુખી હનુમાન મંદિર ખાતે સંપન્ન થઈ હતી.દરમ્યાન ફતેપુરા કંુભારવાડા ખાતેથી નિકળેલી શ્રી રામની આવી જ એક અન્ય શોભાયાત્રા પર તલાટીની ઓફિસની બાજુની ગલીમાંથી તથા સામેની બાજુ આવેલા એક ધાર્મિક સ્થળ પરથી અચાનક ભારે પથ્થરમારો શરૂ થયો હતો. પોલીસે માંડ માંડ પરિસ્થિત થાળે પાડતા શોભાયાત્રા આગળ વધી હતી. પરંતુ ચાંપાનેર દરવજા પાસે ફરીથી આ શોભાયાત્રા પર ભારે પથ્થરમારો થયો હતો. યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે અગાઉ સમગ્ર માર્ગ પર ઠેર ઠેર પથ્થરમારો થતાં વડોદરામાં ભારેલો અગ્નિ છે તથા મોડીરાત્રે એ કોમી રમખાણોના જવાળામુખીમાં ન ફેલાય તે માટે સ્થાનિક પોલીસે કડક હાથે કામ લેવાનુ શરૂ કર્યું છે.આજે શ્રી રામની ત્રીજી શોભાયાત્રા ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા યોજાઈ હતી. જે પ્રતાપનગર વિસ્તારના રણમુકતેશ્વર મહાદેવ ખાતેથી નિકળી પથ્થરગેટ વિસ્તારના તાડફળિયા ખાતે આવેલા રામજીમંદિર ખાતે સંપન્ન થઈ હતી. આ સમગ્ર રૂટ સંવેદનશીલ વિસ્તાર હોવાથી પોલીસે અગાઉ બે શોભાયાત્રાઓ પર થયેલા ભારે પથ્થરમારાના પગલે અગમચેતીના પગલારૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો.એક તરફ પવિત્ર રમઝાન મહિનો ચાલુ છે તથા સમગ્ર લઘુમતી વિસ્તારોમાં સાંજ બાદ ધાર્મિક માહોલ સર્જાય છે ત્યારે આજે દિવસ દરમ્યાન થયેલા કોમી છમકલાઓ વધુ વકરે નહીં તે માટે પોલીસે ચારેબાજુ ઘોસ વધારી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય જાેષીયારાને ચેન્નાઈ ખસેડાયા

    ગાંધીનગર કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી ડૉ. અનીલ જાેષીયારા કોરોના સંક્રમિત થયા બાદ તેમને વધુ સારવાર માટે ચેન્નાઈ લઇ જવામાં આવ્યા છે. ડૉ. અનીલ જાેષીયારા છેલ્લા એક મહિનાથી કોરોનાથી સંક્રમિત થયેલા છે. કોરોનાથી તબિયત લથડતા દસ દિવસથી અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં વેન્ટિલેટરઉપર રખાયા હતા. તેમને તાત્કાલિક ધોરણે એર એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નાઈ ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની એકમો ટેકનીકથી સારવાર કરાશે
    વધુ વાંચો
  • ગુજરાત

    મોડાસામાં હોમગાર્ડ ભરતી મેળા બાદ મોટી ઇસરોલના યુવકનું મોત

    મોડાસા, હાલ ગુજરાતમાં સરકારી ભરતીની મોસમ ચાલી રહી છે. હોમગાર્ડ, જીઆરડી, એલઆરડી અને પીએસઆઈની ભરતી માટે યંગસ્ટર્સ કમર કરી રહ્યાં છે. પરંતુ ગણતરીની સંખ્યામાં સરકારી નોકરી માટે મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા છે. મોટી સંખ્યામા યુવકો ભરતી માટે પહોંચ્યા છે. ત્યારે સરકારી નોકરીની આશાએ આવેલા એક આશાસ્પદ યુવકનું ભરતી દરમિયાન મોત નિપજ્યુ છે. અરવલ્લી જિલ્લાના સરડોઇ ,ટીંટોઈ અને ધનસુરા વિસ્તારના હોમગાર્ડમાં ભરતી થવા માંગતા ઉમેદવારો માટે મોડાસાના સાકરીયા ખાતે આવેલા પોલીસ ગ્રાઉન્ડ ખાતે ભરતી કેમ્પ યોજાયો હતો. જેમાં ત્રણેય વિસ્તારોમાંથી ૨૪૩ ઉમેદવારો ભરતીમાં જાેડાવા માટે આવ્યા હતા. ત્યારે આ ભરતીમાં મોડાસા તાલુકાના મોટી ઈસરોલ પાસે આવેલા ભીલકુવા ગામનો રણજીતસિંહ રજુસિંહ પરમાર (ઉંમર ૨૫ વર્ષ) નામનો ઉમેદવાર પણ ભરતીમાં આવ્યો હતો. આ ઉમેદવારે ભરતીમાં ફિઝીલ ટેસ્ટ આપ્યા બાદ સર્ટિફિકેટ વેરિફિકેશન કરાવતો હતો. તેવામાં અચાનક ચક્કર આવી તબિયત લથડી હતી. જેથી સ્થળ ઉપર હાજર ડોક્ટરની ટીમ દ્વારા પ્રાથમિક તપાસ બાદ વધુ સારવાર માટે સ્થળ ઉપર હાજર એમ્બ્યુલન્સમાં મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. જ્યા આ યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ત્યારે યુવાનના મોતને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. મૃત્યુ પામનાર યુવક આર્થિક ગરીબ પરિસ્થિતિનો અને નિરાધાર હતો. યુવકને સંતાનમાં ત્રણ બાળકો છે. ત્યારે પરિવાર જાણો દ્વારા મૃતકના પરિવારને આર્થિક સહાય કરવામાં આવે તેવી માંગ કરી છે આ યુવક નોકરીની આશાએ ભરતી મેળામાં આવ્યો હતો. તેમણે નાનપણમાં જ માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. જેથી કાકાએ તેનો ઉછેર કર્યો હતો. આ વાતની માહિતી મળતા જ યુવકના મોતના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
    વધુ વાંચો
  • ગુજરાત

    મોડાસાના પ્રાંત અધિકારી મયંક પટેલના જામીન મંજૂર પરંતુ નોકરીમાંથી સસ્પેન્ડ

    અમદાવાદ મહિલા અધિકારીને અભદ્ર ફોટોગ્રાફ્સ મોકલવાના મામલે જામીન પર છૂટેલા મોડાસાના પ્રાંત અધિકારી મયંક પટેલને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મયંક પટેલની મંગળવારે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ધરપકડ કરાઈ હતી. તેમને બુધવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જાેકે, પોલીસે રિમાન્ડ ના માગતા કોર્ટે આરોપીની જામીન અરજી ગ્રાહ્ય રાખીને તેમને જામીન પર છોડવાનો આદેશ કર્યો હતો.મયંક પટેલ પર લાગેલા આરોપોની ગંભીરતા જાેતાં અરવલ્લી જિલ્લાના કલેક્ટરે આ મામલે ગુજરાત સરકારને રિપોર્ટ કર્યો હતો. કલેક્ટરે અગાઉ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર મયંક પટેલ સામે પગલાં લેવામાં આવશે. તેવામાં આજે તેમને નોકરી પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની વિગતો બહાર આવી છે. મયંક પટેલની ધરપકડ થઈ ત્યારે તેમણે આવક કરતાં વધારે સંપત્તિ ભેગી કરી હોવાના પણ આક્ષેપ થયા હતા. ફરિયાદ અનુસાર, મયંક પટેલ અને તેમણે જે મહિલાને અભદ્ર ફોટોગ્રાફ્સ મોકલ્યા હોવાનો આરોપ છે તે મહિલા અગાઉ સાથે નોકરી કરતાં હતાં. ગાંધીનગરમાં તેમને અવારનવાર મળવાનું પણ થતું હતું. આ દરમિયાન તેમણે એકબીજાના નંબર એક્સચેન્જ કર્યા હતા. ત્યારબાદ બંને વચ્ચે વાતચીત પણ થવા લાગી હતી. જાેકે, મહિલાએ મયંકને ફોન કે મેસેજ ના કરવાનું કહ્યા બાદ પણ તેણે અલગ-અલગ નંબરો પરથી તેને વોટ્‌સએપ પર અભદ્ર ફોટા મોકલ્યા હતા. એટલું જ નહીં, ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરાયો છે કે મહિલાના પરિવારજનોને પણ મયંકે ફોટા મોકલ્યા હતા.મયંક પટેલે પોતાની જામીન અરજીમાં એવો દાવો કર્યો હતો કે તેને ફરિયાદી મહિલા સાથે પ્રેમસંબંધ હતો. ખુદ ફરિયાદીએ આ વાતની કબૂલાત ફરિયાદમાં કરી હોવાનો ઉલ્લેખ પણ મયંકની જામીન અરજીમાં કરાયો હતો. એટલું જ નહીં, તેણે એવો પણ દાવો કર્યો હતો કે જાે પોતે દોઢ વર્ષથી મહિલાને પરેશાન કરતો હોય તો અત્યારસુધી તેના અંગે ક્યાંય ફરિયાદ કે અરજી કેમ નથી કરવામાં આવ્યા? એટલું જ નહીં, પોતે નિર્દોષ છે અને હનીટ્રેપમાં ફસાવાયો છે તેવો પણ મયંકે જામીન અરજીમાં દાવો કર્યો હતો. 
    વધુ વાંચો
  • ગુજરાત

    અરવલ્લી: આવતી કાલે વડાપ્રધાનના હસ્તે સરદારધામ ભવનનું ઈ-લોકાર્પણ કરાશે

    અરવલ્લી-સરદાર સાહેબના જીવનમાંથી પ્રેરણા લઈ સરદારધામ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ધ્યેયને ચરિતાર્થ કરવા મિશન-૨૦૨૬ અંતર્ગત તેના મિશન, વિઝન અને પાંચ લક્ષ્યબિંદુઓ સિદ્ધ કરવા કટિબદ્ધ અને સંકલ્પબદ્ધ છે. “સરદારધામ આઈકોનિક બિલ્ડિંગ"નું નિર્માણ ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્યનો આધાર બની રહેશે. સમાજના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત ૨૦૦ કરોડના સરદારધામ ભવનનું ઈ-લોકાર્પણ એવમ્ ૨૦૦ કરોડના કન્યા છાત્રાલય સરદારધામ ફેઝ-૨નું ઈ-ભૂમિપૂજન ભારતના યશસ્વી-તેજસ્વી વડાપ્રધાન તથા ગુજરાતના પનોતા પુત્ર માનનીય નરેન્દ્ર મોદીના વરદ હસ્તે તારીખ ૧૧ સપ્ટેમ્બરના રોજ યોજવામાં હોઈ સરદારધામ ના પ્રમુખ ગગજીભાઈ સુતરિયા દ્વારા મીડિયા સમિતિને આમંત્રણ આપવામાં આવ્યું છે. સવારે વર્ચ્યુઅલ લોકાર્પણ બાદ ૧૨.૦૦ થી ૧.૩૦ દરમ્યાન ભોજન સમારંભ યોજાશે. બપોરે ૩.૦૦ થી ૪.૦૦ વાગ્યે જીપીબીઓ યુવા તેજ તેજસ્વીની તેમજ નવીન નિમણૂક પામેલા અધિકારીઓ, કર્મચારીઓ અને મીડિયા કર્મીઓને સામુહિક સન્માનિત કરવામાં આવશે. સાંજે એક શામ અપનો કે નામ, ડાયરો અને રાસ ગરબા યોજાશે. સમગ્ર કાર્યક્રમ માં કોરોના ગાઈડ લાઈન મુજબ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    ભાજપની ભગીની સંસ્થા કિસાનસંઘે જ સરકાર સામે બાંયો ચઢાવી: પોષણક્ષમ ભાવના મુદ્દે વિરોધ પ્રદર્શન

    અરવલ્લી-ભાજપ પક્ષની પાંખ ગણાતા ભારતીય કિસાન સંઘે ખેડૂતો ના પ્રશ્નોને લઈને સરકાર સામે બાંયો ચડાવી છે. કૃષિકાયદાના મુદ્દે સમર્થન આપી કિસાનસંઘને સરકારના વહાલા થવું છે ને,ખેડૂતોના પ્રશ્ને સરકારનો કાન પણ આમળવો પડે તેવી સ્થીતીનું નિર્માણ થતા અરવલ્લી,સાબરકાંઠા સહીત સમગ્ર રાજ્યમાં કિસાનસંઘે પોષણક્ષમ ભાવ, સિંચાઈના પાણી સહીત અનેક પડતર પ્રશ્નોને પગલે ધરણા યોજ્યા હતા અરવલ્લી જીલ્લા આયોજીત ભારતીય કિસાન સંઘે કલેકટર કચેરીમાં ધરણા યોજી વડાપ્રધાનને સંબોધી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું અને ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં જલદ આંદોલનની ચીમકી કિસાનસંઘના અગ્રણીઓએ ઉચ્ચારી હતી.અરવલ્લી જીલ્લા કલેકટર કચેરી “કિસાન હીત કા કાજ કરેગા.....વોહી દેશ પે રાજ કરેગા” ના સૂત્રોથી પરીસર ગુંજી ઉઠ્યું હતું અરવલ્લી-સાબરકાંઠા જીલ્લા કલેકટર પરીસરમાં ખેડૂતોના પડતર માંગણીઓને લઈને કિસાનસંઘના અગ્રણીઓ,કાર્યકરો અને મહિલા પાંખના મોટી સંખ્યામાં કાર્યકરોએ ધરણા યોજ્યા હતા કિસાનસંઘના અગ્રણીઓના જણાવ્યા અનુસાર,દેશના ખેડૂતની દયનીય દશા બેઠી છે મોઘાદાટ ખાતર, જંતુનાશક દવા,બિયારણ ઉપરાંત ખેત મજૂરીનો ખર્ચ કર્યા બાદ જે ખેત ઉત્પાદન થાય તેના પોષણક્ષમ ભાવો જ મળતા નથી. બજારમાં ખેડૂતોએ પડતર કિંમત કરતાં ય ઓછા ભાવે અનાજ વેચવુ પડે છે. મગફળી,કપાસ,ડાંગર , કઠોળ, ઘઉં,શાકભાજી સહીત તમામ પાકોના પોષણક્ષમ ભાવ જ મળતા નથી જેથી ખેડૂતો આિર્થક રીતે ભાંગી પડયા છે. તેમજ જમીન રીસર્વેમાં થયેલી ભૂલો સુધારવી, ખેતીમાં જંગલી જાનવરોથી થતા ભેલાણમાં વળતર આપવું,વીજ ચેકીંગના નામે ચાર્જ ખોટા બીલો અને ફિક્સ ચાર્જ બંધ કરવામાં આવે, શાકભાજી તેમજ ખેત પેદાશના ટેકાના ભાવો ૧ કિલોથી નક્કી કરવામાં આવે,દૂધના પોષણક્ષમ ભાવ આપવામાં આવે પાણી પત્રક સમયસર કરવું સહીત અનેક પડતર મુદ્દે કિસાન સંઘે ખેડૂતોની હક્કની લડાઈ માટે આવેદનપત્ર આપ્યું હતું.      અત્રે ઉલ્લેખનીય છે કે કૃષિ કાયદા મુદ્દે કિસાન સંઘ સરકારની સાથે છે પણ સિંચાઇના પાણી, પોષણક્ષમ ભાવો મુદ્દે કિસાનસંઘ સરકાર સામે બાથ ભિડવા મેદાને પડી છે.બીજીબાજુ કૃષી કાયદાના સમર્થક ખેડૂત સંગઠનોનું કહેવુ છેકે, કૃષિ કાયદા મુદ્દે ચૂપ થઇ કિસાનસંઘને સરકારના વ્હાલા ય થવુ છે અને પોષણક્ષમ ભાવ મુદ્દે સરકારને કાન આમળવો છે તે શક્ય નથી. માખણ ખાવુ છે પણ દોણી સંતાડીને. આમ, ભાજપની ભગીની સંસૃથા કિસાનસંઘ હવે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તે માટે લડત લડવા તૈયાર છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    અરવલ્લી - સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન

    અરવલ્લી -એક મહિનાથી મેઘરાજાએ હાથતાળી આપી દીધા બાદ સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાએ પધરામણી કરતાં છેલ્લા ૪૮ કલાક દરમિયાન પોશીનામાં અઢી ઇંચ તલોદ અને પ્રાંતિજમાં બે ઇંચ, ઇડર અને વડાલીમાં એક ઇંચ તથા વિજયનગરમાં દોઢ ઇંચ અન્ય તાલુકાઓમાં ૧૨ મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. જરૂરના સમયે જ વરસાદની એન્ટ્રી થતાં મૂરઝાતી મોલાતને જીવતદાન મળ્યું છે અને વાદળો છવાયેલા જોઈ ખેડૂતોમાં આશા બંધાણી છે. ગત વર્ષની સરખામણીએ જિલ્લામાં હજુ પણ ૬૧.૪૪ ટકા વરસાદની ઘટ પ્રવર્તી રહી છે.રવિવારે પોશીનામાં એક ઇંચ અને વિજયનગરમાં પોણો ઇંચ જેટલો વરસાદ વરસ્યા બાદ સોમવારે બપોરે તલોદમાં બે ઇંચ અને પ્રાંતિજમાં એક ઇંચ વરસાદ તૂટી પડયો હતો. મંગળવારે પોશીનામાં દોઢ ઇંચથી વધુ ઇડર, પ્રાંતિજ, વડાલીમાં અડધા ઇંચ થી વધુ વરસાદ નોંધાયો હતો. માલપુરમાં અને તાલુકામાં મોડી સાંજે ઉભરાણ અને બાયડના ગાબટ પંથકમાં મંગળવાર સાંજે પોણો કલાકમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. જેના લીધે પાકોને જીવતદાન મળ્યું હતું. ગત વર્ષની સરખામણીએ સાબરકાંઠામાં ૬૧.૪૪ % વરસાદની ઘટગત વર્ષે ૩૧ ઓગસ્ટ સુધીમાં સાબરકાંઠા જિલ્લામાં ૯૭.૪૧ ટકા વરસાદ વરસી ચૂક્યો હતો તેની સરખામણીએ ચાલુ વર્ષે ૩૫.૯૭ ટકા જ વરસાદ નોંધાયો છે અને ૬૧.૪૪ ટકા વરસાદની ઘટ પ્રવર્તી રહી છે. ચાલુ સપ્તાહમાં પણ વરસાદની આગાહી બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બન્યા બાદ ચોમાસુ ફરી સક્રિય બન્યું છે. હવામાન વિભાગના વર્તારા મુજબ ચાલુ સપ્તાહમાં સામાન્યથી માંડી મધ્યમ વરસાદ વરસતો રહેશે જે ખેડૂતો માટે સારા સમાચાર છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    અરવલ્લી જિલ્લામાં હાઈપ્રોફાઈલ જુગાર ધામ ઝડપાયું,સરકારી કર્મચારી અને વેપારીઓ રમતા હતા જુગાર 

    મોડાસાઅરવલ્લી જિલ્લાના મોડાસા ગોધરા રોડ પર ફરેડી ગામમાં એક ઓરડીમાં તીન પત્તિના જુગાર ધામમાં 9 જુગારી પકડાયા. જેમાં શહેરના નામાંકિત અને માલેતુજાર પરિવારમાંથી હતા. મોડાસા રૂરલ પોલિસે ગુનો નોંધી 1190350 ના મુદ્દામાલ જપ્ત કર્યો. જેમાં ચાર મોંઘીદાટ કાર મોબાઈલ અને રોકડ 56650/-રૂપિયા સાથે જપ્તની કાર્યવાહી કરી ફરેડી ગામની સીમમાં એક ઓરડીમાં 9 શકુનિઓ માલેતુજારના દીકરાઓ બિલ્ડરો, સરકારી અધિકારીઓ અને વેપારીઓ તીન પત્તિના જુગાર રમતા હતા, ત્યારે મોડાસા રૂરલ ઈન્ચાર્જ પી આઈ એન જી ગોહિલને લાઈવ લોકેશનની બાતમી મળતાં ઘટના સ્થળે પહોંચીને હાઇ પ્રોફાઇલ 9 જુગારીઓને ગ્રામ્ય પૉલિસે ઝડપી પાડ્યા હતા.ચાર જેટલી મોંઘીદાટ કારમાં તમામ જુગારીઓને ગ્રામ્ય પોલિસ મથકે લવાયા હતા.1 મનીષ શકરલાલ ભાવસાર 5 વલ્લભ ટેર્નામેન્ટ મોડાસા 2 યોગેશભાઈ પ્રવીણભાઈ પંચાલ રહેવાસી સાકરીયા તાલુકો મોડાસા 3, રાજેશભાઈ મોહનભાઈ પટેલ રહેવાસી સાકરીયા તાલુકો મોડાસા,4, ભાવેશભાઈ પુજલાલ ભાવસાર રહેવાસી શુભ ડિવાઇસ મોડાસા 5,જીગરભાઈ મોહનભાઇ પ્રજાપતિ રહેવાસી પ્રમુખધામ સોસાયટી મોડાસા 6, કમલેશભાઈ અમરતભાઈ પટેલ ઓમનગર સોસાયટી મોડાસા 7 કેતનભાઈ ધીરેનભાઈ પ્રજાપતિ રત્નદીપ સોસાયટી મોડાસા 8, આનકુમાર હસમુખભાઈ પટેલ મઝુમનાગર સોસાયટી મોડાસા સરકારી નોકરી સિંચાઈ વિભાગ મોડાસા 9, હિમેશકુમાર મોહનભાઇ પટેલ વિદ્યાકુંજ સોસાયટી મોડાસા આ તમામની પાસે થી 1190350 નો કુલ મુદ્દામાલ સાથે મોડાસા ગ્રામ્ય પોલીસે પકડ્યા શહેરમાં હાહાકાર મચી ગયો
    વધુ વાંચો
  • ગુજરાત

    ગુરુ પૂર્ણિમાનાં પાવન પર્વે ભગવાન શામળીયાનાં દશૅન કરવા ઉમટ્યા ભક્તો

    અરવલ્લીઆજરોજ ગુરુ પૂર્ણિમાનાં પાવન પર્વે ભગવાન શામળીયાના દરબારમાં વહેલી સવારથી જ ભક્તો કાળીયા ઠાકોરના દર્શને આવ્યા હતા. ભગવાનનાં દશૅન કરવા માટે ભક્તો લાંબી લાઈનમાં ઉભા રહીને ભગવાન શામળીયાના આશીર્વાદ મેળવવા માટે વહેલી સવારથી ભક્તોની લાંબી લાઈન લાગી હતી. ભગવાન શામળીયાના દરબારમાં સન્મુખ દર્શન કરીને ધન્યતા અનુભવતા હતા. મંદિરનાં પુજારી પરેશભાઈ તથા વિનયભાઈ દ્વારા ભગવાન શામળીયાને સુંદર વાધામાં ભગવાન શામળીયાને સોના ચાંદી હીરા જડિત મુગટમાંથી ભગવાનને દાગીના પહેરાવી સુશોભિત કરવામાં આવ્યા હતા. ભગવાનની પ્રતિમા આગળથી ભક્તો હટવાનુ નામ જ નહોતા લેતા ભગવાનનાં સન્મુખ દર્શન કરીને ધન્યતા અનુભવતા હતા. ભગવાનનાં દશૅન કરીને ભક્તો ખાખચોક મંદિરનાં મહંત હરકિશોરદાસનાં આશીર્વાદ મેળવ્યા હતા. તે જ રીતે ભક્તો ગુરુનાં આશીર્વાદ મેળવવા માટે તેમનાં આક્ષૃમમા પહોંચી ગુરુનાં આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવતા હતા.
    વધુ વાંચો