અરવલ્લી સમાચાર
-
કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય જાેષીયારાને ચેન્નાઈ ખસેડાયા
- 11, ફેબ્રુઆરી 2022 01:30 AM
- 2718 comments
- 7350 Views
ગાંધીનગર કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી ડૉ. અનીલ જાેષીયારા કોરોના સંક્રમિત થયા બાદ તેમને વધુ સારવાર માટે ચેન્નાઈ લઇ જવામાં આવ્યા છે. ડૉ. અનીલ જાેષીયારા છેલ્લા એક મહિનાથી કોરોનાથી સંક્રમિત થયેલા છે. કોરોનાથી તબિયત લથડતા દસ દિવસથી અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં વેન્ટિલેટરઉપર રખાયા હતા. તેમને તાત્કાલિક ધોરણે એર એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નાઈ ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની એકમો ટેકનીકથી સારવાર કરાશેવધુ વાંચો -
મોડાસામાં હોમગાર્ડ ભરતી મેળા બાદ મોટી ઇસરોલના યુવકનું મોત
- 29, નવેમ્બર 2021 01:30 AM
- 3582 comments
- 5166 Views
મોડાસા, હાલ ગુજરાતમાં સરકારી ભરતીની મોસમ ચાલી રહી છે. હોમગાર્ડ, જીઆરડી, એલઆરડી અને પીએસઆઈની ભરતી માટે યંગસ્ટર્સ કમર કરી રહ્યાં છે. પરંતુ ગણતરીની સંખ્યામાં સરકારી નોકરી માટે મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા છે. મોટી સંખ્યામા યુવકો ભરતી માટે પહોંચ્યા છે. ત્યારે સરકારી નોકરીની આશાએ આવેલા એક આશાસ્પદ યુવકનું ભરતી દરમિયાન મોત નિપજ્યુ છે. અરવલ્લી જિલ્લાના સરડોઇ ,ટીંટોઈ અને ધનસુરા વિસ્તારના હોમગાર્ડમાં ભરતી થવા માંગતા ઉમેદવારો માટે મોડાસાના સાકરીયા ખાતે આવેલા પોલીસ ગ્રાઉન્ડ ખાતે ભરતી કેમ્પ યોજાયો હતો. જેમાં ત્રણેય વિસ્તારોમાંથી ૨૪૩ ઉમેદવારો ભરતીમાં જાેડાવા માટે આવ્યા હતા. ત્યારે આ ભરતીમાં મોડાસા તાલુકાના મોટી ઈસરોલ પાસે આવેલા ભીલકુવા ગામનો રણજીતસિંહ રજુસિંહ પરમાર (ઉંમર ૨૫ વર્ષ) નામનો ઉમેદવાર પણ ભરતીમાં આવ્યો હતો. આ ઉમેદવારે ભરતીમાં ફિઝીલ ટેસ્ટ આપ્યા બાદ સર્ટિફિકેટ વેરિફિકેશન કરાવતો હતો. તેવામાં અચાનક ચક્કર આવી તબિયત લથડી હતી. જેથી સ્થળ ઉપર હાજર ડોક્ટરની ટીમ દ્વારા પ્રાથમિક તપાસ બાદ વધુ સારવાર માટે સ્થળ ઉપર હાજર એમ્બ્યુલન્સમાં મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. જ્યા આ યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ત્યારે યુવાનના મોતને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. મૃત્યુ પામનાર યુવક આર્થિક ગરીબ પરિસ્થિતિનો અને નિરાધાર હતો. યુવકને સંતાનમાં ત્રણ બાળકો છે. ત્યારે પરિવાર જાણો દ્વારા મૃતકના પરિવારને આર્થિક સહાય કરવામાં આવે તેવી માંગ કરી છે આ યુવક નોકરીની આશાએ ભરતી મેળામાં આવ્યો હતો. તેમણે નાનપણમાં જ માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. જેથી કાકાએ તેનો ઉછેર કર્યો હતો. આ વાતની માહિતી મળતા જ યુવકના મોતના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.વધુ વાંચો -
મોડાસાના પ્રાંત અધિકારી મયંક પટેલના જામીન મંજૂર પરંતુ નોકરીમાંથી સસ્પેન્ડ
- 13, નવેમ્બર 2021 01:30 AM
- 7911 comments
- 2122 Views
અમદાવાદ મહિલા અધિકારીને અભદ્ર ફોટોગ્રાફ્સ મોકલવાના મામલે જામીન પર છૂટેલા મોડાસાના પ્રાંત અધિકારી મયંક પટેલને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મયંક પટેલની મંગળવારે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ધરપકડ કરાઈ હતી. તેમને બુધવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જાેકે, પોલીસે રિમાન્ડ ના માગતા કોર્ટે આરોપીની જામીન અરજી ગ્રાહ્ય રાખીને તેમને જામીન પર છોડવાનો આદેશ કર્યો હતો.મયંક પટેલ પર લાગેલા આરોપોની ગંભીરતા જાેતાં અરવલ્લી જિલ્લાના કલેક્ટરે આ મામલે ગુજરાત સરકારને રિપોર્ટ કર્યો હતો. કલેક્ટરે અગાઉ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર મયંક પટેલ સામે પગલાં લેવામાં આવશે. તેવામાં આજે તેમને નોકરી પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની વિગતો બહાર આવી છે. મયંક પટેલની ધરપકડ થઈ ત્યારે તેમણે આવક કરતાં વધારે સંપત્તિ ભેગી કરી હોવાના પણ આક્ષેપ થયા હતા. ફરિયાદ અનુસાર, મયંક પટેલ અને તેમણે જે મહિલાને અભદ્ર ફોટોગ્રાફ્સ મોકલ્યા હોવાનો આરોપ છે તે મહિલા અગાઉ સાથે નોકરી કરતાં હતાં. ગાંધીનગરમાં તેમને અવારનવાર મળવાનું પણ થતું હતું. આ દરમિયાન તેમણે એકબીજાના નંબર એક્સચેન્જ કર્યા હતા. ત્યારબાદ બંને વચ્ચે વાતચીત પણ થવા લાગી હતી. જાેકે, મહિલાએ મયંકને ફોન કે મેસેજ ના કરવાનું કહ્યા બાદ પણ તેણે અલગ-અલગ નંબરો પરથી તેને વોટ્સએપ પર અભદ્ર ફોટા મોકલ્યા હતા. એટલું જ નહીં, ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરાયો છે કે મહિલાના પરિવારજનોને પણ મયંકે ફોટા મોકલ્યા હતા.મયંક પટેલે પોતાની જામીન અરજીમાં એવો દાવો કર્યો હતો કે તેને ફરિયાદી મહિલા સાથે પ્રેમસંબંધ હતો. ખુદ ફરિયાદીએ આ વાતની કબૂલાત ફરિયાદમાં કરી હોવાનો ઉલ્લેખ પણ મયંકની જામીન અરજીમાં કરાયો હતો. એટલું જ નહીં, તેણે એવો પણ દાવો કર્યો હતો કે જાે પોતે દોઢ વર્ષથી મહિલાને પરેશાન કરતો હોય તો અત્યારસુધી તેના અંગે ક્યાંય ફરિયાદ કે અરજી કેમ નથી કરવામાં આવ્યા? એટલું જ નહીં, પોતે નિર્દોષ છે અને હનીટ્રેપમાં ફસાવાયો છે તેવો પણ મયંકે જામીન અરજીમાં દાવો કર્યો હતો.વધુ વાંચો -
અરવલ્લી: આવતી કાલે વડાપ્રધાનના હસ્તે સરદારધામ ભવનનું ઈ-લોકાર્પણ કરાશે
- 10, સપ્ટેમ્બર 2021 03:07 PM
- 8186 comments
- 1639 Views
અરવલ્લી-સરદાર સાહેબના જીવનમાંથી પ્રેરણા લઈ સરદારધામ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ધ્યેયને ચરિતાર્થ કરવા મિશન-૨૦૨૬ અંતર્ગત તેના મિશન, વિઝન અને પાંચ લક્ષ્યબિંદુઓ સિદ્ધ કરવા કટિબદ્ધ અને સંકલ્પબદ્ધ છે. “સરદારધામ આઈકોનિક બિલ્ડિંગ"નું નિર્માણ ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્યનો આધાર બની રહેશે. સમાજના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત ૨૦૦ કરોડના સરદારધામ ભવનનું ઈ-લોકાર્પણ એવમ્ ૨૦૦ કરોડના કન્યા છાત્રાલય સરદારધામ ફેઝ-૨નું ઈ-ભૂમિપૂજન ભારતના યશસ્વી-તેજસ્વી વડાપ્રધાન તથા ગુજરાતના પનોતા પુત્ર માનનીય નરેન્દ્ર મોદીના વરદ હસ્તે તારીખ ૧૧ સપ્ટેમ્બરના રોજ યોજવામાં હોઈ સરદારધામ ના પ્રમુખ ગગજીભાઈ સુતરિયા દ્વારા મીડિયા સમિતિને આમંત્રણ આપવામાં આવ્યું છે. સવારે વર્ચ્યુઅલ લોકાર્પણ બાદ ૧૨.૦૦ થી ૧.૩૦ દરમ્યાન ભોજન સમારંભ યોજાશે. બપોરે ૩.૦૦ થી ૪.૦૦ વાગ્યે જીપીબીઓ યુવા તેજ તેજસ્વીની તેમજ નવીન નિમણૂક પામેલા અધિકારીઓ, કર્મચારીઓ અને મીડિયા કર્મીઓને સામુહિક સન્માનિત કરવામાં આવશે. સાંજે એક શામ અપનો કે નામ, ડાયરો અને રાસ ગરબા યોજાશે. સમગ્ર કાર્યક્રમ માં કોરોના ગાઈડ લાઈન મુજબ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.વધુ વાંચો -
ભાજપની ભગીની સંસ્થા કિસાનસંઘે જ સરકાર સામે બાંયો ચઢાવી: પોષણક્ષમ ભાવના મુદ્દે વિરોધ પ્રદર્શન
- 08, સપ્ટેમ્બર 2021 02:55 PM
- 8682 comments
- 6768 Views
અરવલ્લી-ભાજપ પક્ષની પાંખ ગણાતા ભારતીય કિસાન સંઘે ખેડૂતો ના પ્રશ્નોને લઈને સરકાર સામે બાંયો ચડાવી છે. કૃષિકાયદાના મુદ્દે સમર્થન આપી કિસાનસંઘને સરકારના વહાલા થવું છે ને,ખેડૂતોના પ્રશ્ને સરકારનો કાન પણ આમળવો પડે તેવી સ્થીતીનું નિર્માણ થતા અરવલ્લી,સાબરકાંઠા સહીત સમગ્ર રાજ્યમાં કિસાનસંઘે પોષણક્ષમ ભાવ, સિંચાઈના પાણી સહીત અનેક પડતર પ્રશ્નોને પગલે ધરણા યોજ્યા હતા અરવલ્લી જીલ્લા આયોજીત ભારતીય કિસાન સંઘે કલેકટર કચેરીમાં ધરણા યોજી વડાપ્રધાનને સંબોધી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું અને ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં જલદ આંદોલનની ચીમકી કિસાનસંઘના અગ્રણીઓએ ઉચ્ચારી હતી.અરવલ્લી જીલ્લા કલેકટર કચેરી “કિસાન હીત કા કાજ કરેગા.....વોહી દેશ પે રાજ કરેગા” ના સૂત્રોથી પરીસર ગુંજી ઉઠ્યું હતું અરવલ્લી-સાબરકાંઠા જીલ્લા કલેકટર પરીસરમાં ખેડૂતોના પડતર માંગણીઓને લઈને કિસાનસંઘના અગ્રણીઓ,કાર્યકરો અને મહિલા પાંખના મોટી સંખ્યામાં કાર્યકરોએ ધરણા યોજ્યા હતા કિસાનસંઘના અગ્રણીઓના જણાવ્યા અનુસાર,દેશના ખેડૂતની દયનીય દશા બેઠી છે મોઘાદાટ ખાતર, જંતુનાશક દવા,બિયારણ ઉપરાંત ખેત મજૂરીનો ખર્ચ કર્યા બાદ જે ખેત ઉત્પાદન થાય તેના પોષણક્ષમ ભાવો જ મળતા નથી. બજારમાં ખેડૂતોએ પડતર કિંમત કરતાં ય ઓછા ભાવે અનાજ વેચવુ પડે છે. મગફળી,કપાસ,ડાંગર , કઠોળ, ઘઉં,શાકભાજી સહીત તમામ પાકોના પોષણક્ષમ ભાવ જ મળતા નથી જેથી ખેડૂતો આિર્થક રીતે ભાંગી પડયા છે. તેમજ જમીન રીસર્વેમાં થયેલી ભૂલો સુધારવી, ખેતીમાં જંગલી જાનવરોથી થતા ભેલાણમાં વળતર આપવું,વીજ ચેકીંગના નામે ચાર્જ ખોટા બીલો અને ફિક્સ ચાર્જ બંધ કરવામાં આવે, શાકભાજી તેમજ ખેત પેદાશના ટેકાના ભાવો ૧ કિલોથી નક્કી કરવામાં આવે,દૂધના પોષણક્ષમ ભાવ આપવામાં આવે પાણી પત્રક સમયસર કરવું સહીત અનેક પડતર મુદ્દે કિસાન સંઘે ખેડૂતોની હક્કની લડાઈ માટે આવેદનપત્ર આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે કૃષિ કાયદા મુદ્દે કિસાન સંઘ સરકારની સાથે છે પણ સિંચાઇના પાણી, પોષણક્ષમ ભાવો મુદ્દે કિસાનસંઘ સરકાર સામે બાથ ભિડવા મેદાને પડી છે.બીજીબાજુ કૃષી કાયદાના સમર્થક ખેડૂત સંગઠનોનું કહેવુ છેકે, કૃષિ કાયદા મુદ્દે ચૂપ થઇ કિસાનસંઘને સરકારના વ્હાલા ય થવુ છે અને પોષણક્ષમ ભાવ મુદ્દે સરકારને કાન આમળવો છે તે શક્ય નથી. માખણ ખાવુ છે પણ દોણી સંતાડીને. આમ, ભાજપની ભગીની સંસૃથા કિસાનસંઘ હવે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તે માટે લડત લડવા તૈયાર છે.વધુ વાંચો -
અરવલ્લી - સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન
- 01, સપ્ટેમ્બર 2021 12:52 PM
- 179 comments
- 1580 Views
અરવલ્લી -એક મહિનાથી મેઘરાજાએ હાથતાળી આપી દીધા બાદ સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાએ પધરામણી કરતાં છેલ્લા ૪૮ કલાક દરમિયાન પોશીનામાં અઢી ઇંચ તલોદ અને પ્રાંતિજમાં બે ઇંચ, ઇડર અને વડાલીમાં એક ઇંચ તથા વિજયનગરમાં દોઢ ઇંચ અન્ય તાલુકાઓમાં ૧૨ મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. જરૂરના સમયે જ વરસાદની એન્ટ્રી થતાં મૂરઝાતી મોલાતને જીવતદાન મળ્યું છે અને વાદળો છવાયેલા જોઈ ખેડૂતોમાં આશા બંધાણી છે. ગત વર્ષની સરખામણીએ જિલ્લામાં હજુ પણ ૬૧.૪૪ ટકા વરસાદની ઘટ પ્રવર્તી રહી છે.રવિવારે પોશીનામાં એક ઇંચ અને વિજયનગરમાં પોણો ઇંચ જેટલો વરસાદ વરસ્યા બાદ સોમવારે બપોરે તલોદમાં બે ઇંચ અને પ્રાંતિજમાં એક ઇંચ વરસાદ તૂટી પડયો હતો. મંગળવારે પોશીનામાં દોઢ ઇંચથી વધુ ઇડર, પ્રાંતિજ, વડાલીમાં અડધા ઇંચ થી વધુ વરસાદ નોંધાયો હતો. માલપુરમાં અને તાલુકામાં મોડી સાંજે ઉભરાણ અને બાયડના ગાબટ પંથકમાં મંગળવાર સાંજે પોણો કલાકમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. જેના લીધે પાકોને જીવતદાન મળ્યું હતું. ગત વર્ષની સરખામણીએ સાબરકાંઠામાં ૬૧.૪૪ % વરસાદની ઘટગત વર્ષે ૩૧ ઓગસ્ટ સુધીમાં સાબરકાંઠા જિલ્લામાં ૯૭.૪૧ ટકા વરસાદ વરસી ચૂક્યો હતો તેની સરખામણીએ ચાલુ વર્ષે ૩૫.૯૭ ટકા જ વરસાદ નોંધાયો છે અને ૬૧.૪૪ ટકા વરસાદની ઘટ પ્રવર્તી રહી છે. ચાલુ સપ્તાહમાં પણ વરસાદની આગાહી બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બન્યા બાદ ચોમાસુ ફરી સક્રિય બન્યું છે. હવામાન વિભાગના વર્તારા મુજબ ચાલુ સપ્તાહમાં સામાન્યથી માંડી મધ્યમ વરસાદ વરસતો રહેશે જે ખેડૂતો માટે સારા સમાચાર છે.વધુ વાંચો -
અરવલ્લી જિલ્લામાં હાઈપ્રોફાઈલ જુગાર ધામ ઝડપાયું,સરકારી કર્મચારી અને વેપારીઓ રમતા હતા જુગાર
- 26, જુલાઈ 2021 12:18 PM
- 6344 comments
- 696 Views
મોડાસાઅરવલ્લી જિલ્લાના મોડાસા ગોધરા રોડ પર ફરેડી ગામમાં એક ઓરડીમાં તીન પત્તિના જુગાર ધામમાં 9 જુગારી પકડાયા. જેમાં શહેરના નામાંકિત અને માલેતુજાર પરિવારમાંથી હતા. મોડાસા રૂરલ પોલિસે ગુનો નોંધી 1190350 ના મુદ્દામાલ જપ્ત કર્યો. જેમાં ચાર મોંઘીદાટ કાર મોબાઈલ અને રોકડ 56650/-રૂપિયા સાથે જપ્તની કાર્યવાહી કરી ફરેડી ગામની સીમમાં એક ઓરડીમાં 9 શકુનિઓ માલેતુજારના દીકરાઓ બિલ્ડરો, સરકારી અધિકારીઓ અને વેપારીઓ તીન પત્તિના જુગાર રમતા હતા, ત્યારે મોડાસા રૂરલ ઈન્ચાર્જ પી આઈ એન જી ગોહિલને લાઈવ લોકેશનની બાતમી મળતાં ઘટના સ્થળે પહોંચીને હાઇ પ્રોફાઇલ 9 જુગારીઓને ગ્રામ્ય પૉલિસે ઝડપી પાડ્યા હતા.ચાર જેટલી મોંઘીદાટ કારમાં તમામ જુગારીઓને ગ્રામ્ય પોલિસ મથકે લવાયા હતા.1 મનીષ શકરલાલ ભાવસાર 5 વલ્લભ ટેર્નામેન્ટ મોડાસા 2 યોગેશભાઈ પ્રવીણભાઈ પંચાલ રહેવાસી સાકરીયા તાલુકો મોડાસા 3, રાજેશભાઈ મોહનભાઈ પટેલ રહેવાસી સાકરીયા તાલુકો મોડાસા,4, ભાવેશભાઈ પુજલાલ ભાવસાર રહેવાસી શુભ ડિવાઇસ મોડાસા 5,જીગરભાઈ મોહનભાઇ પ્રજાપતિ રહેવાસી પ્રમુખધામ સોસાયટી મોડાસા 6, કમલેશભાઈ અમરતભાઈ પટેલ ઓમનગર સોસાયટી મોડાસા 7 કેતનભાઈ ધીરેનભાઈ પ્રજાપતિ રત્નદીપ સોસાયટી મોડાસા 8, આનકુમાર હસમુખભાઈ પટેલ મઝુમનાગર સોસાયટી મોડાસા સરકારી નોકરી સિંચાઈ વિભાગ મોડાસા 9, હિમેશકુમાર મોહનભાઇ પટેલ વિદ્યાકુંજ સોસાયટી મોડાસા આ તમામની પાસે થી 1190350 નો કુલ મુદ્દામાલ સાથે મોડાસા ગ્રામ્ય પોલીસે પકડ્યા શહેરમાં હાહાકાર મચી ગયોવધુ વાંચો -
ગુરુ પૂર્ણિમાનાં પાવન પર્વે ભગવાન શામળીયાનાં દશૅન કરવા ઉમટ્યા ભક્તો
- 24, જુલાઈ 2021 12:59 PM
- 928 comments
- 9179 Views
અરવલ્લીઆજરોજ ગુરુ પૂર્ણિમાનાં પાવન પર્વે ભગવાન શામળીયાના દરબારમાં વહેલી સવારથી જ ભક્તો કાળીયા ઠાકોરના દર્શને આવ્યા હતા. ભગવાનનાં દશૅન કરવા માટે ભક્તો લાંબી લાઈનમાં ઉભા રહીને ભગવાન શામળીયાના આશીર્વાદ મેળવવા માટે વહેલી સવારથી ભક્તોની લાંબી લાઈન લાગી હતી. ભગવાન શામળીયાના દરબારમાં સન્મુખ દર્શન કરીને ધન્યતા અનુભવતા હતા. મંદિરનાં પુજારી પરેશભાઈ તથા વિનયભાઈ દ્વારા ભગવાન શામળીયાને સુંદર વાધામાં ભગવાન શામળીયાને સોના ચાંદી હીરા જડિત મુગટમાંથી ભગવાનને દાગીના પહેરાવી સુશોભિત કરવામાં આવ્યા હતા. ભગવાનની પ્રતિમા આગળથી ભક્તો હટવાનુ નામ જ નહોતા લેતા ભગવાનનાં સન્મુખ દર્શન કરીને ધન્યતા અનુભવતા હતા. ભગવાનનાં દશૅન કરીને ભક્તો ખાખચોક મંદિરનાં મહંત હરકિશોરદાસનાં આશીર્વાદ મેળવ્યા હતા. તે જ રીતે ભક્તો ગુરુનાં આશીર્વાદ મેળવવા માટે તેમનાં આક્ષૃમમા પહોંચી ગુરુનાં આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવતા હતા.વધુ વાંચો -
શામળાજીમાં બાઇક તસ્કરોનો તરખાટ,ત્રણ મહિનામાં દસથી વધુ બાઈક ચોરાઈ !
- 24, જુલાઈ 2021 12:44 PM
- 6397 comments
- 8803 Views
અરવલ્લીયાત્રાધામ શામળાજીમાં છેલ્લા કેટલાક સમયથી બાઇક ચોરોએ શામળાજી વિસ્તારમાં તરખાટ મચાવ્યો છે. નવી તથા મોંઘી બાઇકને ટાર્ગેટ બનાવી ગણતરીની સેકન્ડમાં બાઇક ચોરીને ભાગી જાય છે. દર પુનમે ભગવાનનાં દશૅન કરવા આવતા ભક્તો મંદિરનાં ચાર નંબરનાં ગેટ પાસે બાઇક મુકીને ભગવાન શામળીયાના દરબારમાં દશૅન કરવા જાય અને પરત આવી ત્યારે તેનું બાઇક મળે નહીં. આજરોજ પુનમના દશૅન કરવા આવેલા બે ભક્તોનાં બાઇક ચોરાયા હતાં. મંદિરનાં સી.સી ટી.વી કેમેરામાં બાઇક ચોરની તસ્વીર કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ તસવીરનાં આધારે શામળાજી પી એસ આઇ તથા એલસીબી પોલીસ ઉંડો રસ દાખવી તપાસ કરવામાં આવે તો આખી બાઇક ચોર ગેંગ ઝડપાઈ જાય તેમ છે. આ વિસ્તારમાંથી કેટલાય બાઇકો ચોરાયા છે તેનો ભેદ પણ ખુલે તેમ છે તેથી આ વિસ્તારની જનતાની માંગણી છે કે આ તરખાટ મચાવતી તસ્કર ટોળકીને ઝડપી પાડે તેમ આમ જનતા ઇચ્છે છે. તસ્કરોએ અરવલ્લી પોલીસને ચેલેન્જ કરી છે કે શું આટલા બધા બાઈકો ચોરાય છે તે છતાં અરવલ્લી એલસીબી શાખા શું કરે છે. જિલ્લામાં ગુનાખોરી પ્રમાણ વધી રહ્યું છે. જિલ્લા પોલીસ વડા દ્વારા આ બાઇક તસ્કરોને ઝડપી પાડે તેવી જિલ્લાની જનતા ઇચ્છી રહી છેવધુ વાંચો -
ગુજરાતમાં અહિંયા તાલિબાની સજાઃ યુવકને માર મરી મુંડન કરી નાંખ્યું અને પછી..
- 21, જુલાઈ 2021 06:58 PM
- 3738 comments
- 7070 Views
અરવલ્લી-અરવલ્લીમાં તાલિબાની સજાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં દેખાઇ રહ્યું છે કે, ગામ લોકો ભેલા થઇને યુવકને માર મારી રહ્યાં છે અને તેનું મુંડન પણ કરવામાં આવ્યું છે. આ યુવક પર આક્ષેપ છે કે, તે સગીરાને લલચાવીને ડુંગર વિસ્તારમાં લઇ ગયો હતો. તેને સગીરા સાથે શારિરીક સંબંધ બનાવવા હતા તેથી તે તેને ત્યાં લઇ જવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે. આ પહેલા પણ બનાસકાંઠાના કોટડા ગામે એક પ્રેમી યુવકનું મુંડન કરી તાલીબાની સજા આપી હોવાની ઘટના સામે આવી હતી. અવારનવાર આવા તાલિબાની સજાનાં વીડિયો સામે આવી રહ્યાં છે. ત્યારે સવાલ એ થાય કે, કોઇને પણ સજા આપવા માટે પહેલા પોલીસની મદદ કેમ લેવામાં આવતી નથી. કાયદો લોકો હાથમાં લઇને વારંવાર તેનું ઉલ્લંઘન કરી રહ્યાં છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, એક વાયરલ વીડિયોમાં એક યુવકને માર મારવામાં આવ્યો છે અને તેનું મુંડન પણ કરવામાં આવ્યું છે. અરવલ્લીના માલપુરની એક સગીરાને લલચાવીને ડુંગર વિસ્તારમાં લઇ જવુ એક યુવકને ભારે પડ્યુ છે. મેવાડા ગામના લોકોએ યુવકને તાલિબાની સજા આપીને વીડિયો સાોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.યુવક એક સગીરાને ડુંગર વિસ્તારમાં લઈ ગયો હતો. તે દરમિયાન આ લોકોએ તેને પકડી પાડ્યો હતો. જે બાદ માલપુરના મેવાડા ગામના અમુક લોકોએ યુવકને તાલિબાની સજા આપી છે. તાલિબાની સજા આપીને યુવકને માર મારીને મુંડન કરતો વીડિયો ઉતારીને વાયરલ પણ કરવામાં આવ્યો છે.વીડિયોમાં લોકો આ યુવક પર આક્ષેપ કરી રહ્યાં છે કે, તે સગીરાને લલચાવીને શારિરીક સંબંધ બાંધવા માટે ડુંગર વિસ્તારમાં લઇ ગયો હતો. આ યુવાન પરણીત છે અને છોકરી સગીરા છે. આ ઘટના સામે આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. સ્થાનિક આગેવાનોએ આ યુવાન પાસેથી લેખિતમાં લીધું હતું કે, આવું ફરીથી તે નહીં કરે. જાેકે, જે રીતે વીડિયો વાયરલ થયો છે તેને જાેતા લાગી રહ્યું છે કે, માલપુર પોલીસ દ્વારા આ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.વધુ વાંચો -
ગુજરાતના આ જીલ્લામાં મેઘો મહેરબાન: ભારે બફારા થી રાહત,વાતાવરણમાં ઠંડક પ્રસરી
- 28, જુન 2021 04:31 PM
- 3994 comments
- 2597 Views
અરવલ્લી-અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ વિરામ ફરમાવતાં સૌના મનમાં ચિંતાના વાદળો છવાયા હતા.પરંતુ રવિવારે જિલ્લામાં વરસાદી વાતાવરણ બનતાં સર્વત્ર મેઘમહેર થઈ હતી જિલ્લામાં સર્વત્ર વરસાદ વરસતાં ખેડૂતોમાં રાહત વર્તાઈ હતી.અને ખેડૂતોએ કરેલ વાવણીને જીવતદાન મળતાં ખેડૂતોમાં આનંદ છવાયો હતો જયારે શામળાજી અને મોડાસા શહેરમાં મૂશળધાર વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.એક ઈંચથી વધુ વરસાદ થતાં વાતવરણમાં ઠંડક પ્રસરી હતી. મોડાસા,માલપુરમાં અર્ધો ઈંચ વરસાદ ખાબક્યો હતો. આમ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં ખેડૂતોમાં ખુશાલીનો માહોલ જોવા મળી રહયો હતો. અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા યથાવત છે.જિલ્લાના મોડાસા, શામળાજી ધનસુરા બાયડ, માલપુર સહિત ના તાલુકાઓ માં ધોધમાર વરસાદ પડતા લોકો માં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો હજુ સુધી ખેતી લાયક વરસાદ ન થતા ખેડૂતો તેમજ જિલ્લાવાસીઓ ચિંતામાં મુકાયા હતા જો રવિવારે જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા લોકો માં ખુશી છવાઈ હતી.તો સાથે જ સમગ્ર જિલ્લામાં શ્રીકાર વરસાદ થતાં ખેડૂતો એ મહામહેનતે વાવેલ ખરીફપાક જે ખેતરમાં મુરજાતો હતો તેને પણ જીવનદાન મળ્યું હતું.વધુ વાંચો -
અરવલ્લી ભાજપમાં ડખો: જાણો એવું તે શું છે પત્રમાં જે સોશ્યલ મીડિયામાં વાયરલ થતા છવાયો રાજકીય ગરમાવો
- 08, જુન 2021 03:30 PM
- 2730 comments
- 6768 Views
અરવલ્લી-ભારતીય જનતા પાર્ટીને કેડરબેઝ કે શિસ્તબદ્ધ પાર્ટી ગણવામાં આવે છે. પરંતુ ૨૦૧૪માં નરેન્દ્ર મોદી ગુજરાતની ગાદી છોડી દિલ્હી ગયા બાદ ગુજરાતમાં ભાજપની પ્રતિષ્ઠા ધોવાયાના હોવાના અનેક બનાવો સમયાંતરે બહાર આવતા રહે છે. ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ હોદ્દો મળ્યા પછી મનમાની કરતા હોવાનો આક્ષેપ લગાતાર ઉઠી રહ્યા છે રાજ્યમાં છાસવારે ભાજપના મંત્રીથી લઇ સંત્રી સામે લેટર બૉમ્બ બહાર આવતા હોય છે. ત્યારે અરવલ્લી જીલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ સામે ધનસુરા તાલુકાના મહામંત્રી નરેન્દ્ર પટેલે મનસ્વી રીતે વર્તી રહ્યા હોવાની સાથે કોંગ્રેસના સંકલનમાં રહી કામગીરી કરતા હોવાના આક્ષેપ સાથે પ્રદેશ મહામંત્રી અને જીલ્લા પ્રભારી મંત્રીને લેખીત રજુઆત કરી હોવાનો પત્ર સોશ્યલ મીડિયામાં વાયરલ થતા જીલ્લા ભાજપના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. આમ તો ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી હોવાના બણગા ફૂંકતી હોય છે, પરંતુ ભાજપના જ નેતાઓ શિસ્તના લીરેલીરા ઉડાવતા હોય તેવા બનાવો એક પછી એક સામે આવી રહ્યા છે. અરવલ્લી ભાજપમાં આંતર કલહ સામે આવ્યો છે. જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ મનમાની કરતા હોવાનો આક્ષેપ લાગ્યો છે.અરવલ્લી ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ કોંગ્રેસના સંકલનમાં હોવાનો અને ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણી લડવા માંગતા હોય તે રીતે તેમના માણસોને ગોઠવી રહ્યા છે અને પાયાના કાર્યકરોની અવગણના કરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ ધનસુરા તાલુકા ભાજપના મહામંત્રીએ લગાવ્યો છે. ધનસુરા તાલુકા ભાજપ મહામંત્રી નરેન્દ્ર પટેલે જીલ્લા ભાજપ પ્રમુખ વિરુદ્ધ સનસનાટી ભર્યો આક્ષેપ કરવાની સાથે પ્રદેશ મહામંત્રીને પત્ર લખી જાણ કરી છે જેમાં જીલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ તમારાથી થાય એ કરી લેવું ત્રણ વર્ષ માટે જિલ્લાનો હું જ બોસ છું પ્રદેશમાં રજુઆત કરવી હોય તો કરી શકો છો મને કોઈ ફર્ક પાડવાનો નથી પત્રમાં જે આક્ષેપ કરવામાં આવ્યા છે તેના પરથી અનેક સવાલો ઉઠી રહ્યા છે. શું આવી દાદાગીરી જીલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ કાયમ કરે છે.? શું જીલ્લા સંગઠન પ્રદેશ નેતાગીરીના કહ્યામાં નથી? પત્રમાં જે આક્ષેપ કરવામાં આવ્યા છે તેના પરથી અનેક સવાલો ઉઠી રહ્યા છે.વધુ વાંચો -
લો બોલો, એક પંખો, એક ટ્યૂબલાઇટ અને બિલ પકડાવ્યું અધધ...6 લાખ રુપિયા
- 07, જુન 2021 03:41 PM
- 4232 comments
- 4734 Views
અરવલ્લી-મોડાસામાં વીજ વિભાગનો મોટો છબરડો સામે આવ્યો છે. મોડાસાનાં એક શ્રમિક સિરાજભાઇ શેખનાં ઘરમાં એક પંખો અને એક ટ્યુબલાઇટ છે છતાં તેમના ઘરનું વીડ બિલ ૬.૩૨ લાખ રૂપિયા આવ્યું છે. મોડાસામાં એલાયન્લ નગરમાં રહેતા પરિવારે જ્યારે આ બિલ જાેયું તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. વિજ વિભાગની બેદરકારીને કારણે આ શ્રમિક પરિવારમાં ચિંતા વ્યાપી છે કે, હવે શું કરીશું? હાલ આ મુદ્દો આખા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે મળતી માહિતી પ્રમાણેસ મોડાસાનાં એલાયન્સ નગરમાં રહેતા શ્રમજીવી સિરાજ શેખને ત્યાં અત્યાર સુધી ૩૦૦થી ૪૦૦ રૂપિયા વીજ બિલ આવતું હતું. પરંતુ આ મહિને અચાનક ૬.૩૨ લાખ રૂપિયા વીજ બિલ પોતાના નામે આવેલું જાેઇને આંખો પણ ફાટી ગઇ હતી.તેમના ઘરમાં એક પંખો અને ટ્યુબલાઇટ જ છે. તો પણ આટલું બધું બિલ આવત તેઓ ચિંતામાં મુકાઇ ગયા હતાં. આ પરિવાર એક રૂમમાં જ રહે છે. આ અંગે સિરાજભાઇ શેખનાં જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધી મારું લાઇટ બિલ આટલું બધું આવ્યું નથી. અમારે ૩૦૦ - ૪૦૦ લાઇટ બિલ આવતું હતું પરંતુ અત્યારે ૬ લાખ અને ૩૨ હજાર રુપિયા લાઇટ બિલ આવ્યું છે. હું કોઇ મિલમાલિક નથી. મારા ઘરમાં પંખા અને લાઇટ સિવાય કાંઇ ફરતું નથી. તો આટલું બિલ આવ્યું ક્યાંથી? થોડા મહિનાઓ પહેલા અંકલેશ્વરના હસ્તી તળાવ વિસ્તારમાં પણ આવો જ એક છબરડો સામે આવ્યો હતો. માતૃ હર સલૂન નામના વાળંદની દુકાનનું બિલ ૫.૭૦ લાખ આવ્યું હતું. જેના કારણે દુકાન ધારક ગણેશ વાળંદને હાર્ટ એટેક આવે તેવી પરિસ્થિતિ ઉદ્દભવી છે. એક વ્યક્તિની દાઢી કરી ૩૦ થી ૫૦ રૂપિયા મેળવતા સલૂન સંચાલક ને મહિનાએ સરેરાશ ૧૦ થી ૧૨ હજાર રૂપિયાનું આવતું હોય છે. જે વચ્ચે વીજ નિગમએ વીજ બિલ આપતા તેવો જાેઈ પણ ચોકી ઉઠ્યા હતા એક બે રૂપિયા બિલ નહિ પણ પુરા ૫.૭૦ લાખ ઉપરાંતનું વીજ બિલ ભટકાયું હતું.વધુ વાંચો -
ગાડીની સીટ નીચેથી રૂા.૪.૫ કરોડ મળ્યા
- 24, મે 2021 01:30 AM
- 4401 comments
- 8196 Views
અરવલ્લી, કોરોના લોકડાઉન દરમિયાન ડુંગરપુર જિલ્લામાં એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે ગુજરાતની સીમા પર એક કાર પકડી હતી, જેમાંથી સાડા ચાર કરોડ રૂપિયા મળી આવ્યા છે. આ કાર દિલ્હીથી ગુજરાત જઈ રહી હતી. સરહદ પર સર્ચ દરમિયાન કારની સીટ નીચે છુપાયેલા નોટોના બંડલ જાેઇને પોલીસકર્મીઓના હોશ ઉડી ગયા હતા. પોલીસે કારમાં સવાર બે લોકોની અટકાયત કરી છે.જિલ્લાના બિછીવાડા પોલીસે આ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતની બોર્ડર રતનપુર ખાતે નાકાબંધી દરમિયાન પોલીસે કારમાંથી સાડા ચાર કરોડની રોકડ રકમ મળી. પોલીસ અધિકારી મનોજ સમરીયાના જણાવ્યા અનુસાર, સરહદ પર પોલીસે પકડેલા બંને લોકો ગુજરાતના છે. આરોપી રણજીત રાજપૂત પાટણનો રહેવાસી છે, જ્યારે નીતિન પટેલ ઉંઝાનો રહેવાસી છે. આ બંને મોટી રકમ લઈને ગુજરાત જઇ રહ્યા હતા અને દિલ્હીથી કાર લઇને આવી રહ્યા હતા.સમરીયાના જણાવ્યા મુજબ, આ કેસ હવાલાના વ્યવસાય સાથે સંબંધિત હોવાનું જણાય છે. પોલીસે બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે. બિછીવાડા પોલીસ અધિકારી રિઝવાન ખાને જણાવ્યું કે, રતનપુર બોર્ડર પર ઉદેપુરથી આવી રહેલી એક કારને અટકાવી તલાશી લેતાં સીટોની નીચે બનેલા ગુપ્ત ખાનામાં નોટોનાં બંડલ દેખાયાં હતાં. જ્યારે કાર ચાલકોની રોકડ અંગે પુછપરછ કરવામાં આવી હતી ત્યારે તેમની પાસેથી સંતોષકારક જવાબ મળ્યો ન હતો. આ પછી પોલીસે નોટોથી ભરેલી કાર કબજે કરી બંનેની અટકાયત કરી હતી. પોલીસે કબજે કરેલી કાર અને આરોપીઓની સાથે પોલીસ મથકે પહોંચી હતી અને નોટોની ગણતરી શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું કે, કારમાંથી ૪ કરોડ ૪૯ લાખ ૯૯ હજાર ૫૦૦ રૂપિયા કબજે કરવામાં આવ્યા છે.વધુ વાંચો -
ગુજરાતમાં આગામી 10 દિવસ કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બનશે ?
- 10, એપ્રીલ 2021 03:37 PM
- 7845 comments
- 9584 Views
વડોદરા-વડોદરા સહિત ગુજરાતની કોવિડ હોસ્પિટલોમાં રોજ દર્દીઓના દાખલ થવાની સંખ્યા વધતી જાય છે. આરોગ્ય વિભાગ બેડની સંખ્યા વધારે તો છે, પરંતુ દાખલ દર્દીઓની વધતી જતી સંખ્યા વધુ ચિંતાજનક છે. વડોદરામાં એક જ દિવસમાં ૬૩૦ દર્દીઓ હોસ્પિટલોમાં દાખલ થયા હતા. એટલે પ્રતિ કલાકે સરેરાશ ૨૬ દર્દીઓ દાખલ થયા હતા. જેથી ૬૭૮૦ બેડ ભરાયેલા રહ્યા હતાં અને ૨૬૯૨ બેડ જ ખાલી રહ્યાં હતાં. છેલ્લાં એક સપ્તાહથી હોસ્પિટલોમાં જે રીતે બેડની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે જાેતા આગામી ૧૦ દિવસ કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બનશે તેવુ જાણકારોનુ અનુમાન છે. લોકો તંત્રના ભરોશે બેસી ન રહે. લોકોએ માસ્ક અવશ્ય પહેરવુ જાેઈએ અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવુ જાેઈએ. બને તો કામ વિના ઘરની બહાર જ ન નીકળવુ જાેઈએ. આરોગ્ય વિભાગ કોરોનાના સરકારી આંકડા જાહેર કરે છે, પરંતુ તે આંકડા પાછળનુ સત્ય તેઓ પોતે સારી રીતે જાણે છે અને વડોદરાની આગામી ટૂંકા દિવસોની ભાવી સંભવિત ડરાવની પરિસ્થિતિથી તેઓ વાકેફ હશે. વિશ્વાસપાત્ર સૂત્રોએ કહ્યું હતું કે, શહેરમાં કોરોનાના કેસો માત્ર વધતા નથી, પરંતુ તે ચોંકાવી દે તે રીતે વધી રહ્યાં છે જે ચિંતાનો વિષય છે. તંત્ર તરફથી હોસ્પિટલોમાં બેડની સંખ્યા આગોતરા આયોજન પ્રમાણે સમ્યાંતરે વધારવામાં આવી રહી છે. તેમ છતાં પણ હોસ્પિટલામાં જે રીતે દર્દીઓની દાખલ થવાની સંખ્યા વધી છે તેના કારણે ચિંતાના વાદળો ઘેરી રહ્યાં છે. વડોદરામાં તા.૩જી એપ્રિલે ૮૪૪૮ બેડ ઉપલબ્ધ કરાવાયા હતા. તો તે દિવસે વિવિધ હોસ્પિટલોમાં મળીને કુલ ૫૮૬૯ દર્દીઓ દાખલ હતાં. એટલે કે ૨૫૭૯ બેડ ખાલી હતાં. તા. ૫મી એપ્રિલે ૪૫૮ દર્દીઓ એક જ દિવસમાં દાખલ થયા હતાં. જેથી ૬૩૨૭ બેડ ભરાઈ ગયા હતા. તંત્રએ તે દિવસે ૩૪૧ બેડ વધાર્યા હતા ત્યારે ૨૪૬૨ બેડ જ ખાલી રહ્યાં હતાં. ૬ઠ્ઠી એપ્રિલે ૮૯૯૯ બેડની વ્યવસ્થા કરાઈ હતી. જેમાં વધુ ૭૮ દર્દીઓ દાખલ થતા કુલ ૬૪૦૫ બેડ ભરાઈ ગયા હતા અને ૨૪૯૪ બેડ ખાલી હતા અને ૭મી એપ્રિલે ૯૪૭૨ બેડ ઉપલબ્ધ કરાવાયા હતા, પરંતુ તેની સામે ૩૭૫ દર્દીઓ આજે એક જ દિવસમાં દાખલ થયા હતાં. એક જ દિવસમાં ૩૯૫ દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા તે પૈકી ૩૭૫ દર્દીઓ તો હોસ્પિટલમાં જ દાખલ થયા હતાં. જેથી ૨૬૯૨ બેડ જ ખાલી રહ્યાં હતાં. જ્યારે તા.૮મી એપ્રિલે રાતે ૯.૩૦ કલાકની સ્થિતિએ જાેઈએ તો ૯૭૬૩ બેડ ઉપલબ્ધ હતાં. તે પૈકી ૭૦૨૫ બેડ ભરાઈ ગયા હતા અને ૨૭૩૯ બેડ જ ખાલી હતાં. એટલે કે મોતને ભેટેલા દર્દીઓ અને સ્વસ્થ્ય થઈને ડીસ્ચાર્જ કરી દીધેલા દર્દીઓને બાદ કર્યા પછી પણ બરોબર ૨૪ કલાક બાદ હોસ્પિટલમાં આજે વધુ ૬૨૦ દર્દીઓ દાખલ થયા હતા. એટલે કે પ્રતિ કલાકે સરેરાશ ૨૬ દર્દીઓ દાખલ થતા રહેતા હતા. તંત્ર બેડ વધારતુ જાય છે અને દાખલ થતા દર્દીઓની સંખ્યા પણ ચિંતાજનક રીતે વધતી જ જાય છે. આખરે તંત્ર બેડ વધારી વધારીને કેટલા વધારી શકશે ? એક સમય એવો આવશે કે હોસ્પિટલનુ ઈન્સ્ટ્રાક્ચર જ જવાબ આપી દેશે ત્યારે શું કરી શકાશે ? દર્દીઓની દાખલ થવાની સંખ્યા તો સતત વધી રહી છે. હાલની પરિસ્થિતિ અંગે જાણકારોએ કહ્યું હતું કે, આગામી ૧૦ દિવસ તંત્ર માટે ચેલેન્જીંગ રહેશે અને શહેર માટે ખુબ જ વિકટ બની રહેશે તેવા સંકેતો મળી રહ્યાં છે. શહેરમાં કોરોનાની પરિસ્થિતિ વધુ સ્ફોટક બને તો નવાઈ નહીં. લોકો તંત્રના ભરોશે બેસી ન રહે, જાતે જાગૃત્તતા દાખવે તે હવે ખુબ જરૂરી બન્યુ છે. તંત્ર પોતાનુ કામ કરે છે, પરંતુ જનતાએ ઘરની બહાર નીકળતી વખતે ફેસ માસ્ક અવશ્ય પહેરવુ જાેઈએ અને પૂરતા સમય માટે પહેરવુ જાેઈએ તેમજ સોશ્યલ ડિસ્ટન્સિંગનુ ખાસ ધ્યાન રાખવુ જાેઈએ. જેથી સંક્રમણથી બચી શકાય. તેમજ બને તો લોકોએ જરૂરી કામ વિના ઘરની બહાર જ નીકળવુ ન જાેઈએ અને ટોળે તો વળવુ જ ન જાેઈએ. હવે કોરોનાનુ સંક્રમણ રોકવુ પ્રજાના હાથમાં છે. આગામી ૧૦ દિવસ શહેર માટે ખુબ મુશ્કેલીભર્યા સાબિત થઈ શકે છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 4541 પોઝીટીવ કેસ, 42 ના મોત, કુલ 3,37,015 કેસ
- 10, એપ્રીલ 2021 03:13 PM
- 7744 comments
- 563 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 4541 થી વધુ નોંધાયા છે. જેની સામે 2280 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 42 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4697 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 4541 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,37,015 થયો છે. તેની સામે 3,09,626 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. અમદાવાદમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 3500 થી વધુ થઈ જાય છે, જ્યારે રાજ્યના 3,37,015 ની સામે પોઝીટીવ કેસોની સંખ્યા 22692 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,37,015 જેટલી થઈ જાય છે. રાજ્યમાં હાલ 22692 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 187 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 22505 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,09,626 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4697 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 12 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 3575 પોઝીટીવ કેસ, 22 ના મોત, કુલ 3,28,453 કેસ
- 08, એપ્રીલ 2021 03:03 PM
- 6934 comments
- 1327 Views
ગાંધીનગર-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 3575 થી વધુ નોંધાયા છે. જેની સામે 2217 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 22 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4620 ઉપર પહોચી ગયો છે. ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 3280 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,28,453 થયો છે. તેની સામે 3,05,149 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. અમદાવાદમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 3200 થી વધુ થવા જાય છે, જ્યારે રાજ્યના 3,28,453 ની સામે પોઝીટીવ કેસોની સંખ્યા 18684 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,28,453 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 18684 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 175 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 18509 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,05,149 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4620 દર્દીઓના મોત થયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 3280 પોઝીટીવ કેસ, 17 ના મોત, કુલ 3,24,878 કેસ
- 07, એપ્રીલ 2021 03:05 PM
- 5630 comments
- 4845 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 3280 થી વધુ નોંધાયા છે. જેની સામે 2167 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા, તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 17 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4598 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 3280 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,24,878 થયો છે. તેની સામે 3,02,932 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 17348 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,24,878 જેટલી થઇ જાય છે. રાજ્યમાં હાલ 17,348 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 171 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 17177 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,02,932 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4598 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 07 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 3160 પોઝીટીવ કેસ, 15 ના મોત, કુલ 3,21,598 કેસ
- 06, એપ્રીલ 2021 02:45 PM
- 3349 comments
- 3816 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 3160 થી વધુ નોંધાયા છે. જેની સામે 2018 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 15 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4581 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 2410 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,21,598 થયો છે. તેની સામે 3,00,765 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા સામે એક્ટીવ કેસોની સંખ્યા 16252 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,21,598 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 16252 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 167 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 16085 કેસો હાલમાં સ્ટેબલ છે, 3,00,765 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4581 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 06 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 2,875 પોઝીટીવ કેસ: 14 ના મોત, કુલ 3,18,238 કેસ
- 05, એપ્રીલ 2021 02:51 PM
- 6384 comments
- 2032 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 2875 થી વધુ નોંધાયા છે. જેની સામે 2024 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 14 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4566 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 2410 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 3,18,238 થયો છે. તેની સામે 2,98,737 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 3,18,238 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 15135 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 3,18,238 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 15135 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 163 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 14972 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,98,737 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4566 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 04 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
શામળાજી મંદિરમાં ટ્રસ્ટ દ્વારા હવે આવો નિર્ણય લેવાયો
- 20, માર્ચ 2021 11:16 AM
- 584 comments
- 6464 Views
અરવલ્લી-અરવલ્લીની ગિરિમાળાઓમાં બિરાજમાન ભગવાન શામળિયાના મંદિરમાં આજથી ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા દર્શનાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. યાત્રાધામ શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા આ ઐતિહાસિક ર્નિણય લેવામાં આવ્યો છે. ટૂંકી ચડ્ડી, બરમુડો અથવા ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિર આવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આવા વસ્ત્રો પહેરીને આવતા દર્શનાર્થીઓ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા પુરુષો માટે ધોતી તથા પીતાંબર વૈકલ્પિક વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. મહિલાઓ માટે પણ લેંઘા જેવા લાંબા વસ્ત્રોની વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરાઇ છે. ભગવાન શામળીયાના દર્શન કરવા માટે આવતાં યાત્રિકો માટે આ નિયમ આજથી અમલી કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાંથી હજારો પ્રવાસીઓ શામળાજી મંદિર ખાતે આવતા હોય છે. લોકો ભગવાન કાળીયા ઠાકોરના દર્શન કરી ધન્ય બનતા હોય છે, ત્યારે હવે મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરમાં એક મર્યાદા સાથે સંકૃતિનું પાલન થાય તે માટે મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. દેશમાંથી અલગ અલગ સ્થળો પરથી આવતા શ્રદ્ધાળુઓ બરમુડા, સ્કર્ટ જવા ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા હોય છે. આ કારણે મંદિરમાં અન્ય લોકો પણ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાતા હોય છે. સમગ્ર મામલો શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટના ધ્યાન આવતા ટ્રસ્ટની બેઠકમાં ટૂંકા વસ્ત્રો પહેરીને દર્શન પર પ્રતિબંધનો ર્નિણંય લેવામાં આવ્યો છે. હવે જાે કોઈ પ્રવાસી ટૂંકા વસ્ત્રો પહેરીને આવશે અને દર્શન કરવા હશે તો તેને પીતામ્બરી આપવામાં આવશે. મહિલાઓ માટે પણ અલગ કપડાંની વ્યવસ્થા કરવામાં આવી છે. ભગવાન સન્મુખ દર્શન કરવા આવતા યાત્રિકો ભગવાનનું સન્માન જળવાય તેવા કપડાં પહેરે તેવી આશા મંદિર ટ્રસ્ટ રાખી રહ્યું છે. આ અંગે મંદિરના પ્રવેશદ્વારા પર એક બોર્ડ પર લગાવી દેવામાં આવ્યું છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 890 પોઝીટીવ કેસ, 01 મોત, કુલ 2,79,097 કેસ
- 16, માર્ચ 2021 03:11 PM
- 3513 comments
- 6828 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 890 થી વધુ નોંધાયા છે. જેની સામે 594 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4425 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 890 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,79,097 થયો છે. તેની સામે 2,69,955 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,79,097 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 4717 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,79,097 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 4717 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 56 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 4661 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,69,955 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4425 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીનુ મૃત્યુ નોંધાયેલ છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 810 પોઝીટીવ કેસ, 02 ના મોત, કુલ 2,78,207 કેસ
- 15, માર્ચ 2021 02:49 PM
- 7061 comments
- 4342 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 810 થી વધુ નોંધાયા છે. જેની સામે 586 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 02 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4424 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 810 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,78,207 થયો છે. તેની સામે 2,69,361 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,78,207 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 4422 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,78,207 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 4422 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 54 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 4368 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,69,361 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4424 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 02 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 700 પોઝીટીવ કેસ, કુલ 2,75,907 કેસ
- 12, માર્ચ 2021 03:01 PM
- 6008 comments
- 3458 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 700 થી વધુ નોંધાયા છે. જેની સામે 451 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4418 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 700 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,75,907 થયો છે. તેની સામે 2,67,701 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. અગર રાજ્યવાર માહિતી જોવા જઈએ તો રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,75,907 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3788 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,75,907 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3788 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 49 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3739 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,67,701 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4418 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે કોરોના થી કોઈ મૃત્યુ નોંધાયા નથી.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 675 પોઝીટીવ કેસ, કુલ 2,75,197 કેસ
- 11, માર્ચ 2021 02:50 PM
- 3145 comments
- 9647 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 675 થી વધુ નોંધાયા છે. જેની સામે 484 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4418 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 675 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,75,197 થયો છે. તેની સામે 2,67,250 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,75,197 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3529 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,75,197 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3529 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 47 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3482 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,67,250 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4418 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 00 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 581 પોઝીટીવ કેસ, 02 ના મોત, કુલ 2,74,522 કેસ
- 10, માર્ચ 2021 03:40 PM
- 528 comments
- 7040 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 581 થી વધુ નોંધાયા છે. જેની સામે 453 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 02 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4418 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 581 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,74,522 થયો છે. તેની સામે 2,66,766 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,74,522 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3338 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,74,522 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3338 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 43 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3295 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,66,766 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4418 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીનુ મૃત્યુ નોંધાયેલ છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 555 પોઝીટીવ કેસ, 01 ના મોત, કુલ 2,73,941 કેસ
- 09, માર્ચ 2021 03:07 PM
- 2245 comments
- 3159 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 555 થી વધુ નોંધાયા છે. જેની સામે 482 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4416 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 555 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,73,941 થયો છે. તેની સામે 2,66,313 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,73,941 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3212 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,73,941 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3212 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 41 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3171 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,66,313 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4416 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
શેકાવા માટે તૈયાર રહેજો: ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રી આસપાસ પહોંચશે
- 09, માર્ચ 2021 02:13 PM
- 3809 comments
- 6378 Views
ગાંધીનગર-રાજ્યમાં ધીમે ધીમે ગરમીનો પારો વધી રહ્યો છે. રાજ્યનાં ૧૪ શહેરોમાં ગરમીનો પારો ૩૫ ડીગ્રીને પાર પહોંચી ગયો છે. આગામી દિવસોમાં હજુ પણ ગરમીનો પારો વધુ ઊંચકાય એવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં માર્ચથી મે મહિના સુધી તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેશે. બીજી તરફ, રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆત થતાં જ અનેક જગ્યાએ કાળઝાળ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. રાજ્યનાં શહેરોમાં ગરમીના પારાની વાત કરીએ તો અમદાવાદમાં ગરમીનો પારો ૩૭.૫ ડીગ્રીએ પહોંચ્યો હતો. તો ગાંધીનગરમાં ગરમીનો પારો ૩૬.૮ ડીગ્રી સુધી પહોંચ્યો હતો. ડીસામાં ૩૬.૪ ડીગ્રી, વલ્લભવિદ્યાનગરમાં ૩૬.૭ ડીગ્રી, વડોદરામાં ૩૬.૬ ડીગ્રી, સુરતમાં ૩૫.૫ ડીગ્રી, અમરેલીમાં ૩૭.૮ ડીગ્રી, ભાવનગરમાં ૩૫.૨ ડીગ્રી, રાજકોટમાં ૩૭.૬ ડીગ્રી સુરેન્દ્રનગરમાં ૩૭.૮ ડીગ્રી, મહુવામાં ૩૫.૬ ડીગ્રી, કેશોદમાં ૩૫.૨ ડીગ્રી, ભુજમાં ૩૫ ડીગ્રી નોંધાયું હતું. માર્ચની શરૂઆતની સાથે જ અમદાવાદ સહિતનાં શહેરમાં ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. હાલમાં સવારના સમયે શિયાળા જેવી ગુલાબી ઠંડી અને બપોરના સમયે ગરમી એમ બવેડી ઋતુની અહેસાસ થઈ રહ્યો છે. આ વખતે ચોમાસામાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડ્યો હતો. અનેક વિસ્તારોમાં તો અતિ વૃષ્ટિ જેવી હાલત હતી. હવે હવામાન વિભાગે ઉનાળાને લઈને આ વખતે વધારે ગરમી પડવાનું પૂર્વાનુમાન કર્યું છે ત્યારે લોકોએ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું રહેવું પડશે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 575 પોઝીટીવ કેસ, 01 ના મોત, કુલ 2,73,386 કેસ
- 08, માર્ચ 2021 03:06 PM
- 7794 comments
- 8111 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 575 થી વધુ નોંધાયા છે. જેની સામે 459 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4415 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 575 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,73,386 થયો છે. તેની સામે 2,65,831 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,73,386 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 3041 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,73,386 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 3041 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 46 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 3094 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,65,831 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4415 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીના મૃત્યુ નોંધાયેલ છે.વધુ વાંચો -
ઉનાળાની એન્ટ્રીઃ ગુજરાતમાં ધીમે ધીમે ગરમીના પારામાં વધારો
- 08, માર્ચ 2021 02:31 PM
- 4574 comments
- 5639 Views
ગાંધીનગર-ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે ગરમીના પારામાં વધારો થયો છે. રાજ્યમાં ગરમીના પ્રભુત્વમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે ૧૧ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો ૩૭ ડિગ્રીથી વધુ રહ્યો હતો જ્યારે ૩૯ ડિગ્રી સાથે ગાંધીનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ૩૮.૯ ડિગ્રી સાથે વર્તમાન સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૪.૯ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી ૩ દિવસ દરમિયાન અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન ૩૮ જ્યારે સરેરાશ લઘુતમ તાપમાન ૧૯ ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. રાજ્યમાંથી અન્યત્ર જ્યાં ૩૮ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું તેમાં ડીસા, વલ્લભ વિદ્યાનગર, વડોદરા, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં હાલ ઉત્તર પશ્ચિમ દિશાનો પવન છે. આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની કોઇ સંભાવના નથી. પરંતુ ઉત્તર ગુજરાત, સૌરષ્ટ્ર-કચ્છમાં આગામી ૨૪ કલાક દરમિયાન તાપમાન ૩૭થી ૩૯ ડિગ્રીની વચ્ચે રહેશે. આગામી ૪-૫ દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની પણ સંભાવના નથી.વધુ વાંચો -
શૈક્ષણિક સ્ટાફને સાતમા પગારપંચનો મળશે લાભ, શિક્ષણમંત્રી ચુડાસમાએ ગૃહમાં કરી જાહેરાત
- 05, માર્ચ 2021 03:53 PM
- 7695 comments
- 2318 Views
ગાંધીનગર-રાજ્યમાં આવેલી યુનિવર્સીટીના શૈક્ષણિક સ્ટાફ માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા યુનિવર્સીટીના શૈક્ષણિક સ્ટાફને સાતમા પગારપંચનો લાભ આપવાનું ગૃહમાં શિક્ષણમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. સરકારના અ નિર્ણયથી રાજ્યની તમામ યુનિવર્સીટીના શૈક્ષણિક સ્ટાફમાં આનંદ છવાઈ જવા પામ્યો હતો. રાજ્યમાં આવેલી યુનિવર્સીટીમાં ફરજ બજાવતા શૈક્ષણિક સ્ટાફ દ્વારા તેઓની પડતર માંગણીઓને લઈને અનેકવાર સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે તાજેતરમાં જ 6 મહાનગરપાલિકા તેમજ જીલ્લા-તાલુકા પંચાયત તેમજ નગરપાલીકાના પરિણામ આવી ગયા બાદ વિધાનસભા સત્ર શરુ થતા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગૃહમાં જાહેરાત કરી હતી. ત્યારે તા.1-1-૨૦૧૬ થી કર્મચારીઓને સાતમાં પગારપંચનો લાભ આપવાનું સરકારે નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે કર્મચારીઓને એરિયર્સના પ્રથમ હપ્તાના 50 ટકા ટૂંક સમયમાં આપવામાં આવશે. જેથી રાજ્યની તમામ યુનિવર્સીટીના શૈક્ષણિક સ્ટાફમાં ખુશી વ્યાપી જવા પામી હતી.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 480 પોઝીટીવ કેસ, કુલ 2,71,725 કેસ
- 05, માર્ચ 2021 03:48 PM
- 6103 comments
- 4629 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 480 થી વધુ નોંધાયા છે. જેની સામે 369 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4412 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 480 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,71,725 થયો છે. તેની સામે 2,64,564 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,71,725 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 2749 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,71,725 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 2749 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 40 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 2709 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,64,564 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4412 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 00 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 400 પોઝીટીવ કેસ, 01 મોત, કુલ 2,71,245 કેસ
- 04, માર્ચ 2021 03:43 PM
- 3545 comments
- 1733 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 400 થી વધુ નોંધાયા છે. જેની સામે 358 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીના મોત સાથે કુલ મૃત્યુ આંક 4412 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 400 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,71,245 થયો છે. તેની સામે 2,64,195 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,71,245 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 2638 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,71,245 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 2638 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 39 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 2599 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,64,195 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4412 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દી નું મૃત્યુ નોંધાયુ છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 454 પોઝીટીવ કેસ, કુલ 2,70,770 કેસ
- 03, માર્ચ 2021 02:38 PM
- 9375 comments
- 6795 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 454 થી વધુ નોંધાયા છે. જેની સામે 361 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4411 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 454 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,70,770 થયો છે. તેની સામે 2,63,837 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,70,770 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 2522 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,70,770 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 2522 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 37 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 2485 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,63,837 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4411 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 00 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ELECTION 2021: 31માંથી 28 જિલ્લા પંચાયતોમાં ભાજપની વિજય કૂચ
- 02, માર્ચ 2021 03:33 PM
- 5449 comments
- 5759 Views
અમદાવાદ-ગુજરાતની રાજકોટ સહિત 31 જિલ્લા પંચાયતોમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપ મતગણતરી યોજાઇ રહી છે તેમાં 31માંથી 28 જિલ્લા પંચાયતોમાં ભાજપની વિજય કૂચ હોવાના પ્રારંભીક સંકેતો સાંપડયા છે. સૌરાષ્ટ્રની 8 સહિત ગુજરાતની 28 જિલ્લા પંચાયતોમાં ભાજપના બહુમતી ઉમેદવારો જીતના માર્ગે હોવાથી ભાજપનું શાસન આવવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. 2015ની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપને માત્ર 7 જિલ્લા પંચાયતોમાં સત્તા મળી હતી. તેના બદલે આ વખતે બહુમતી જિલ્લા પંચાયતો પર ભાજપનો કબ્જો આવવાના એંધાણ પ્રારંભીક ટ્રેન્ડમાં મળી રહ્યા છે. સમગ્ર 31 જિલ્લા પંચાયતોમાં 74 બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત થઇ ગઇ છે ત્યારે કોંગ્રેસને માત્ર 15 બેઠકો જ મળી છે. તાલુકા પંચાયતોમાં 358 બેઠકોમાં ભાજપના ઉમેદવારોને સરસાઇ હતી. જયારે કોંગ્રેસના ફાળે 94 બેઠકો હતી. નગરપાલિકામાં આ બેઠકો અનુક્રમે 238 અને 60 હતી.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 427 પોઝીટીવ કેસ, 01 મોત, કુલ 2,70,316 કેસ
- 02, માર્ચ 2021 03:27 PM
- 8728 comments
- 5933 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 427 થી વધુ નોંધાયા છે. જેની સામે 360 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4411 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 427 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,70,316 થયો છે. તેની સામે 2,64,476 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,70,316 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 2429 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,70,316 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 2429 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 35 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 2394 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,64,476 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4411 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ગુજરાતમાં પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં ભગવો લહેરાતા કમલમ્ ખાતે વિજયોત્સવ
- 02, માર્ચ 2021 03:01 PM
- 2224 comments
- 2241 Views
ગાંધીનગર-પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં ભગવો લહેરાતા ભાજપમાં આનંદ છવાયો છે. ગાંધીનગર ખાતે ભાજપના કાર્યાલય કમલમ પર વિજયોત્સવ મનાવવામાં આવ્યો. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી વિજય રુપાણીની હાજરીમાં ભાજપના કાર્યલય પર કાર્યકર્તાઓએ વિજય મનાવ્યો. ઢોલ નગારા સાથે ભાજપના કાર્યલય કમલમ્ પર જીતનો ઉત્સવ મનાવવામાં આવ્યો. મહાપાલિકા બાદ પંચાયતની ચૂંટણીમાં પણ ભાજપે જે રીતે કેસરીયો લહેરાવી દીધો છે અને મોટા ભાગની જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત તથા મહાપાલિકાઓમાં ભાજપ સત્તા પર આવશે તે નિશ્ર્ચિત બન્યુ છે. તેથી આ ભવ્ય વિજયની ઉજવણી કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓ ઉપસ્થિત રહી જીતની ખુશીનો વિજયોત્સવ મનાવ્યો હતો.વધુ વાંચો -
ગુજરાતમાં BJPનાં સારા દેખાવ બાદ CM રૂપાણી અને પ્રદેશ પ્રમુખ પહોચ્યા કમલમ
- 02, માર્ચ 2021 02:20 PM
- 2762 comments
- 9185 Views
ગાંધીનગર-ભાજપ માટે આ વખતની તાલુકા, જિલ્લા પંચાયત અને પાલિકાની ચૂંટણી પ્રતિષ્ઠા સભર બનીને રહી ગઈ હતી. રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકા માટે મતગણતરીનાં પ્રારંભ સાથે જ ભાજપે સપાટો બોલાવીને જિલ્લા પંચાયતની 31 સીટ પૈકી 30 પર , 231 પૈકી 158 તાલુકા પંચાયત, નગર પાલિકામાં 81 પૈકી 67 બેઠક પર આગળ નિકળી ગઈ હતી. મહત્વપૂર્ણ છે કે મનપાની ચૂંટણીની સરખામણીએ ગામડાઓની ચૂંટણીમાં સારૂ એવું મતદાન થયું હતું. જિલ્લા અને તાલુકા પંચાયતમાં 65 ટકા મતદાન, તો પાલિકા માટે 55 ટકા સરેરાશ મતદાન થયું હતું. જોકે ગત્ત ચૂંટણીની ટકાવારી કરતા આ મતદાન ઓછું છે પરંતુ મનપાની સરખામણીએ વધુ નોંધાયેલું મતદાન ભાજપ પક્ષને ફળતું જોવા મળ્યું છે. સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં પણ ભાજપે સારૂ પ્રદ્શન કરતા હાર્દિક પટેલ સહિત કોંગ્રેસનાં સ્ટાર પ્રચારકોની હવા નિકળી ગઈ છે. આ વર્ષે ખેડુતોનું આંદોલન, છેલ્લા સમયે ખાતરનો કોંગ્રેસે ઉભો કરેલો મુદ્દો પણ ચાલ્યો નોહતો તો મોંઘવારીમો મુદ્દો કોંગ્રેસ ફરી એકવાર વટાવી નોહતી શકી. શહેરી વિસ્તારો બાદ હેવ ગ્રામ્ય સ્તરે પણ ભાજપે ક્લીન સ્વીપ જેવી સ્થિતિનું નિર્માણ કર્યું છે. આવનારી વિધાનસભાની ચૂંટણી માટેનાં પગથિયું ગણાતા પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં મેળવેલા વિજયને વધાવી લેવા ટૂંક સમયમાં કમલમ કાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પહોચશે અને સાથે જ ભાજપ વિજયોત્સવની શરૂઆત પણ કરી દેશે.વધુ વાંચો -
કમળ ખીલશે કે પંજાના ઉદય થશેઃ આવતીકોલે જિલ્લા-તાલુકા પંચાયત ચૂંટણીનું પરિણામ
- 01, માર્ચ 2021 07:17 PM
- 6483 comments
- 8671 Views
ગાંધીનગર-૨૮ ફેબ્રુઆરીના રોજ રાજ્યની ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત અને ૮૧ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા ૧૫ નગરપાલિકાઓ અને ૩ તાલુકા પંચાયતોની પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં આવતીકાલે એટલે મંગળવારે પરિણામ આવશે. જાેવાનું એ રહેશે કે જે પ્રકારે છ મહાનગરપાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાયો છે તે જ પ્રકારે ભાજપ જિલ્લા-તાલુકા અને નગરપાલિકાઓમાં કબ્જે કરે છે કે પછી કોંગ્રેસ બચેલી શાખને બચાવે છે. લોકોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જાેવા મળ્યો. તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં મનપા ચૂંટણી કરતા ભારે મતદાન થયેલું જાેવા મળ્યું. ત્યારે જાેવાનું એ રહેશે કે આ વખતે થયેલું આ ભારે મતદાન કોને ફાયદો કરાવશે. આ વખતે ગુજરાતમાં પહેલીવાર આમ આદમી પાર્ટીને પણ મનપા ચૂંટણીમાં બેઠકો મળી છે. જેમાં તાલુકા પંચાયતો માટે સરેરાશ ૬૬.૬૦ ટકા મતદાન યોજાયું. જિલ્લા પંચાયતોની વાત કરીએ તો સરેરાશ ૬૫.૮૦ ટકા મતદાન જ્યારે નગરપાલિકાઓમાં ૫૮.૮૨ ટકા મતદાન થયું. વર્ષ ૨૦૧૫ની ચૂંટણીઓ કરતા મતદાનમાં સરેરાશ ૩ ટકાનો ઘટાડો જાેવા મળ્યો. જ્યારે નગરપાલિકાઓની પેટાચૂંટણીમાં ૪૭.૬૩ ટકા અને તાલુકા પંચાયતોની પેટાચૂંટણીમાં ૬૮.૬૫ ટકા મતદાન થયું છે. સરેરાશ મતદાનની વાત કરીએ તો ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત અને ૮૧ નગર પાલિકાની ચૂંટણીમાં સરેરાશ ૬૩.૩૪ ટકા મતદાન થયું છે. સૌથી વધુ નર્મદામાં ૭૮ ટકા મતદાન થયું. રાજ્યની ૩૧ જિલ્લા પંચાયતો, ૨૩૧ તાલુકા પંચાયત અને ૮૧ નગરપાલિકાની ચૂંટણીઓના પરિણામ ૨ માર્ચના રોજ આવશે. ૨૩૧ તાલુકા પંચાયતની ૪૭૭૪ બેઠકમાંથી ૧૧૭ બેઠક બિનહરીફ થઈ છે. ૮૧ નગરપાલિકાની ૨૭૨૦ બેઠકોમાંથી ૯૫ બેઠક બિનહરીફ થઈ છે. ૩૧ જિલ્લા પંચાયતની ૯૮૦ બેઠકોમાંથી ૨૫ બેઠક બિનહરીફ થઈ છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 401 પોઝીટીવ કેસ, 01 મોત, કુલ 2,69,889 કેસ
- 01, માર્ચ 2021 03:02 PM
- 2643 comments
- 9529 Views
અમદાવાદ- ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 401 થી વધુ નોંધાયા છે. જેની સામે 301 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4410 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 460 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,69,889 થયો છે. તેની સામે 2,63,116 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,69,889 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 2363 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,69,889 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 2363 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 32 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 2331 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,63,116 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4410 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દી નું મૃત્યુ નોંધાયુ છે.વધુ વાંચો -
ગુજરાતમાં 60 વર્ષથી ઉપરની વયના વરિષ્ઠ નાગરિકોને આજથી વેક્સિન આપવાનો પ્રારંભ
- 01, માર્ચ 2021 02:24 PM
- 8318 comments
- 3072 Views
ગાંધીનગર-રાજ્યમાં કોરોના વેક્સિન વરિષ્ઠ નાગરિકો ૬૦ વર્ષથી ઉપરની વયના વડીલોને ૧ માર્ચથી આપવાનો પ્રારંભ થઇ રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના ૬૦ લાખ જેટલા સૌ વરિષ્ઠ વડીલોને આ રસીકરણ અભિયાનનો લાભ લઈને કોરોના સામેની આપણી લડાઈના આ નિર્ણાયક અંતિમ તબક્કામાં પોતાનું યોગદાન અવશ્ય આપવા અપીલ કરી છે. મુખ્યમંત્રીએ આ અપીલ કરતા સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્ય સરકારે સૌના આરોગ્યની ચિંતા કરીને કોરોના સામે શરુઆતથી જ લોકસહયોગ અને આરોગ્ય કર્મીઓની કર્તવ્યનિષ્ઠાથી કોરોનાનો વ્યાપ વધતો અટકાવવામાં સફળતા મેળવી છે. હવે જ્યારે કોરોના સામે રસીકરણ અભિયાન પણ દેશભરમાં શરૂ થયું છે ત્યારે ગુજરાતના સૌ વરિષ્ઠ નાગરિકોના સહકારથી આપણું રાજ્ય એમાં પણ અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો છે. વિજય રૂપાણીએ કહ્યું છે કે રાજ્ય સરકારે આ રસીકરણ અભિયાનની સંપૂર્ણ તૈયારીઓ પૂરી કરી લીધી છે. રાજ્યભરની ૨૧૯૫ જેટલી સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો તેમજ ૫૩૬ જેટલા ખાનગી હોસ્પિટલ, દવાખાનાઓ મારફતે કોરોના રસીના ડોઝ આપવામાં આવશે. આ હેતુસર તાલીમબદ્ધ ડોક્ટર્સ તેમજ પેરા મેડિકલ સ્ટાફ સહિત અંદાજે ૩૦ હજાર જેટલા માનવ બળની સેવાઓ ઉપલબ્ધ બનવાની છે.તેમણે એમ પણ જણાવ્યું છે કે આ રસી પૂરી રીતે સુરક્ષિત છે તેમજ તેની કોઈ આડ અસર પણ નથી જ. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૬૦ વર્ષથી વધુની વયના હરેક વડીલ આ રસીના બે ડોઝ અવશ્ય સમયસર લે અને પોતાની જાતને કોરોનાથી સુરક્ષિત બનાવે તેવો અનુરોધ પણ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે ગુજરાત કોરોના સામેના જંગમાં સઘન આરોગ્ય ન્તરિ રથ, ૧૦૪ હેલ્પ લાઇન, વ્યાપક સરવેલન્સ સહિતના અનેક પરિણામ કારી પગલાંઓ અને ઉપાયોથી દેશનું માર્ગદર્શક બન્યું છે. મુખ્યમંત્રી રૂપાણીએ આ સંદર્ભમાં ઉમેર્યું કે હવે સૌ વરિષ્ઠ વડીલો અવશ્યપણે રસીના ડોઝ લઈને હારશે કોરોના જીતશે ગુજરાતના મંત્રને સાકાર કરી કોરોના સામેની લડાઈના આ અંતિમ તબક્કામાં વિજય મેળવે. મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોને પણ અપીલ કરી છે કે પોતાના ઘર પરિવાર અને આસપાસ ના આવા વરિષ્ઠ વડીલોને રસીકરણ માટે તેઓ પ્રેરિત કરે અને કોરોના મુક્ત ગુજરાતના નિર્માણમાં યોગદાન આપે.વધુ વાંચો -
ગુજરાતમાં માર્ચમાં કાળઝાળ ગરમી અને એપ્રિલમાં કરાં-વરસાદ પડશે, જાણો કોણે કરી આગાહી
- 01, માર્ચ 2021 02:11 PM
- 6569 comments
- 563 Views
અમદાવાદ-રાજ્યમાં હાલ તો બેવડી ઋતુઓનો અહેસાસ થઈ રહ્યો છે. માર્ચ મહીનાથી ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ જશે. પરંતુ ઉનાળામાં વિપરીત હવામાન રહેવાની શકયતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ વ્યક્ત કરી છે. જાેકે, ફેબ્રુઆરીમાં ૨૭થી ૨૮માં દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં હિમ વર્ષા થશે. જેની અસર ગુજરાતમાં થશે. એટલે કે ઠંડા પવનને કારણે લઘુતમ તાપમાન ઘટશે અને રાત દરમિયાન ઠંડીનો અહેસાસ થશે. માર્ચ મહિનાની શરુઆતમાં ઠંડા પવન ફૂંકાશે પરંતુ મહત્તમ તાપમાન યથાવત રહશે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભુજ, ડીસા અને નલિયામાં ૧૪થી ૧૫ માર્ચ બાદ તાપમાન વધશે.૧૫ માર્ચ બાદ કેટલાક ભાગમાં ૪૧થી ૪૨ તાપમાન રહેવાની સંભાવના છે. સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં તો ગુજરાતમાં અગન વર્ષા થાય છે. મહત્તમ તાપમાન ઊંચું જવાના કારણે લોકો કાળઝાળ ગરમીનો અહેસાસ કરતા હોય છે. જાેકે આ વખતે જ્યોતિષાચાર્યોએ આગાહી કરી છે કે, એપ્રિલ મહિનામાં દેશના કેટલા ભાગમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા છે. જેની અસર ગુજરાતના તાપમાન પર થાય. તેમજ ગલ્ફ તરફથી આંધી ભર્યા પવન ફૂંકાય. જેના કારણે ઉત્તર ગુજરાત, રાજસ્થાનના કેટલાક ભાગે ધુળિયું વાતાવરણ રહશે. આ જ્યોતિષાચાર્યોએ વધુમાં જણાવ્યું છે કે, મે મહિનામાં તાપમાન ૪૫ ડિગ્રી રહેશે અને ઘણા ભાગોમાં રેકોડ બ્રેક ગરમી પડશે. પરંતુ મેં મહિનામાં પ્રિ મોન્સૂન ગતિવિધિઓ વધશે અને તેની અસર ચોમાસાના વરસાદ પર પડશે. અમદાવાદ, ડીસા, વડોદરા, દાહોદ, ઇડર, સુરત, ભાવનગર, ભુજ, નલિયા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢના વિસ્તારોમાં આકરી ગરમી પડશે. તેમજ રાજસ્થાનના અનેક ભાગોમાં આગ ઓકતી ગરમી પડી શકે છે. જેની અસર ગુજરાતના તાપમાન પર થશે.એટલે ઉનાળામાં પણ વાતાવરણ વિપરીત રહેવાના શકયતા છે. માર્ચ મહિનામાં ગરમીનું પ્રમાણ વધુ રહશે.તો એપ્રિલ મહિનામાં ધૂળની ભરી આંધી ફૂંકાશે અને મેં મહીનામ પ્રિ મોન્સૂન એક્ટિવિટી વધશે. તેમજ વધુમાં આ અરસામાં આકરી ગરમી પડશે અને કેટલાંક ભાગોમાં મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રી સેલ્સિયસને પાર કરશે. તો વળી કેટલાંક ભાગોમાં વિક્રમજનક ગરમી પડશે. એપ્રિલમાં ઉત્તરીય-પર્વતીય પ્રદેશોમાં વરસાદ, હિમવર્ષા થતા જમ્મુ કાશ્મીરની નદીઓના જળસ્તરમાં વધારો થશે.વધુ વાંચો -
ELECTION 2021: 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત 231 તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્ણ
- 28, ફેબ્રુઆરી 2021 06:34 PM
- 6131 comments
- 379 Views
ગાંધીનગર-ગુજરાતમાં આજે 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી ઉપરાંત 81 નગરપાલિકાઓની ચૂંટણી વહેલી સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરવામાં આવ્યું હતું. 8261 બેઠકો માટે 22216 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે. મતદાનને લઈને સવારથી જ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતાં. ગુજરાતમાં રવિવાર 28મી ફેબ્રુઆરી 2021ના રોજ, 31 જિલ્લા પંચાયત, 214 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકા માટે મતદાન યોજાશે. 31 જિલ્લાની 980 બેઠક, 231 તાલુકા પંચાયતની 4774 બેઠકો અને 81 નગરપાલિકાની 2720 બેઠકો સહીત કુલ 8474 બેઠકો માટે ચૂંટણી યોજાશે. મતદાન પૂર્વે જ કડી અને ઉના નગરપાલિકા ભાજપના ફાળે આવી ચૂકી છે. આ મતદાનની મતગણતરી આગામી 2 માર્ચને મંગળવારના રોજ સવારના 9 કલાકેથી હાથ ધરાશે. 2015માં પાટીદાર અનામત આંદોલનની પૃષ્ઠભૂમિમાં યોજાયેલી ચૂંટણીમાં, 31 જિલ્લા પંચાયતોમાંથી ભાજપ 23થી વધુ જિલ્લા પંચાયતો હારી ગઈ હતી. 231 તાલુકા પંચાયતમાંથી 165 તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે ગઈ હતી .જ્યારે 51 નગરપાલિકામાંથી 38 પાલિકા ભાજપ જીત્યું હતું.વધુ વાંચો -
ELECTION 2021: જિલ્લા-તાલુકા પંચાયતમાં સરેરાશ 55 ટકાથી વધુ મતદાન
- 28, ફેબ્રુઆરી 2021 06:01 PM
- 6841 comments
- 3925 Views
ગાંધીનગર-ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત અને ૮૧ નગરપાલિકા માટે મતદાન યોજાયું હતું. જેમાં વહેલી સવારથી જ મતદાન કેન્દ્રો પર મતદાતાઓની લાંબી કતારો જાેવા મળી હતી. મતદાન પ્રક્રિયા સાંજે છ વાગ્યા સુધી ચાલી હતી. કુલ ૨૨૧૭૦ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ થઇ ગયા છે. આ ચૂંટણીનું પરિણામ બે માર્ચે એટલે કે મંગળવારે જાહેર થશે. મતદાન પૂર્ણ થવા આવ્યું ત્યાં સુધી ૩૧ જિલ્લા પંચાયતમાં સરેરાશ ૫૨.૯૬ ટકા મતદાન નોંધાયું છે. તો ૨૩૧ તાલુકા પંચાયતમાં કુલ ૫૫.૩૪ ટકા નોંધાયું છે અને ૮૧ નગરપાલિકામાં મતદાનની વાત કરીએ તો કુલ ૫૦.૩૪ ટકા મતદાન નોંધાયું છે. સૌથી વધારે ડાંગમાં મતદાન નોંધાયું છે.વાત કરવામાં આવે તો છ મહાનગપાલિકાની ચૂંટણીમાં થયેલ મતદાન કરતાં ગામડાઓ સવાયા સાબિત થયા હોય તેવું દેખાઇ રહ્યું છે. મોટા ભાગની જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં મતદાન સારું નોંધાયું છે.વિવિધ જિલ્લા પંચાયતોની કુલ ૨૫ બેઠકો બિનહરીફ, વિવિધ તાલુકા પંચાયતોની ૧૧૭ બેઠકો બિનહરીફ, વિવિધ નગરપાલિકાઓની ૯૫ બેઠકો બિનહરીફ થઇ છે. વિરમગામ નગરપાલિકા ચૂંટણીના બુથ બહાર મારામારી બે જુથ વચ્ચે પથ્થર મારાની ઘટના બની હતી. વોર્ડ-૮ના એમ.જે.આઈસ્કૂલ બહાર ભાજપ અને અપક્ષ ઉમેદવારોના ટોળા વચ્ચે મારામારી થઈ હતી. પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.પાલનપુર અને વિરમગામમાં ભાજપ તેમજ અપક્ષના કાર્યકરો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. બંન્ને પક્ષો એકબીજાને લાતો મારતા જાેવા મળ્યા હતા. સ્થિતિ પર કાબુ મેળવવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આજે જિલ્લા, તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીમાં અનેક સ્થળોએ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. પંચમહાલના કાલોલ તાલુકા શક્તિપુરા વસાહત ૨ માં મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો. મતદાનને અડધો દિવસ વીત્યા બાદ પણ મતદાન મથકમાં એક પણ વોટ પડ્યો નથી. નર્મદા ડેમના વિસ્થાપીતોને આ મથકમાં વસાવવામાં આવ્યા છે. સ્થાનિકોને એક પણ સરકારી યોજનાઓનો લાભ નથી મળતો. ત્યારે પ્રાથમિક સુવિધાઓના અભાવ અને જમીન પોતાના નામે નહિ સ્થાનિકોએ વિરોધ વ્યક્ત કર્યો છે. વલસાડના ઉમરગામ તાલુકાના નારોગલ ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો. સ્થાનિક લોકો દ્વારા મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. બે દિવસ પહેલા ગામમાં લગ્નમાં ડીજે વગાડવા બાબતે પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવી હતી. જેથી ગુસ્સે થયેલા ગામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે.રાજ્યમાં બે દિવસ અગાઉ મહાનગર પાલિકાની ચૂંટણીઓ યોજાઈ જેમાં ભાજપને પોતાની શાખ યથાવત રાખવામાં સફળતા મળી છે. જ્યારે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. સુરતમાં તો કોંગ્રેસ પોતાનું ખાતું પણ નથી ખોલાવી શકી. આવામાં આપ એક નવા પક્ષ તરીકે ગુજરાતમાં એન્ટ્રી કરી છે. અને પંચાયતની ચૂંટણીમાં શું થાય છે તેના પર સૌની નજર છે. આ ચૂંટણીઓ રાજ્યના રાજકરણ પર ખૂબ મોટી અસર પાડી શકે છે. જેનાથી આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણી પહેલા જ જનતાનો મૂડ પરખાઈ જશે.વધુ વાંચો -
ELECTION 2021: બપોરે 2 વાગ્યા સુધીમાં કેટલું થયું મતદાન થયુ ? જાણો લેટેસ્ટ આંકડા
- 28, ફેબ્રુઆરી 2021 02:27 PM
- 8390 comments
- 1416 Views
અમદાવાદ- રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીમાટે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. અમુક બુથ પર વહેલી સવારથી જ લોકોએ લાઇન લગાવી દીધી છે. જ્યારે 2 માર્ચે મતગણતરી હાથ ધરાશે.અમદાવાદ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે 809 ઉમેદવાર મેદાનમાં છે. જિલ્લા અને તાલુકામાં 1 હજાર 199 મતદાન કેંદ્ર ઉભા કરાયા છે. જ્યારે ગાંધીનગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં કુલ 7 લાખ 15 હજાર 511 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. જયારે ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ૧ લાખ ૩૮ હજાર ૨૭૩ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. રાજકોટ જિલ્લાના 1 હજાર 146 મતદાન બુથ પૈકી 396 કેંદ્રને સંવેદનશીલ મતદાન કેન્દ્ર જાહેર કરાયા છે. રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠક માટે 111 ઉમેદવારો, જ્યારે 11 તાલુકા પંચાયતની 202 બેઠક માટે 586 ઉમેદવારો મેદાનમાં છેવધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 460 પોઝીટીવ કેસ, કુલ 2,69,031 કેસ
- 27, ફેબ્રુઆરી 2021 03:16 PM
- 9465 comments
- 6085 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 460 થી વધુ નોંધાયા છે. જેની સામે 315 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં કુલ મૃત્યુ આંક 4408 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 460 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,69,031 થયો છે. તેની સામે 2,62,487 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,69,031 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 2136 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,69,031 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 2136 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 38 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 2098 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,62,487 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4408 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 00 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો -
ELECTION 2021: 55,000થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે
- 27, ફેબ્રુઆરી 2021 02:49 PM
- 3634 comments
- 5568 Views
ગાંધીનગર- 28 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બીજો તબક્કો શરૂ થઇ રહ્યો છે. જેમાં 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ 28 ફેબ્રુઆરીના રોજ યોજાશે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ ચૂંટણીમાં 55,000થી વધુ પોલીસ કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન બને તે માટે પણ ખાસ વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી છે.પોલીસ સુરક્ષાની બાબતે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, રવિવારના રોજ યોજાનારી ચૂંટણીમાં 12 CAPFની કંપની પણ ચૂંટણી વ્યવસ્થામાં હાજર રહેશે. આ ઉપરાંત 13 DYSP, 34 PSI કુલ મળીને 15,000 જેટલા પોલીસ કોન્સ્ટેબલ અને 64 SRPની કંપનીઓ પણ તૈનાત કરવામાં આવી છે. આમ આ ચૂંટણી બંદોબસ્તમાં 55 હજાર જેટલા હોમગાર્ડ અને GRDના સભ્યોને પણ ચૂંટણી બંદોબસ્તમાં ફરજો આપવામાં આવી છે. જ્યારે ચૂંટણી બંદોબસ્ત માટે કુલ 12 પેરામિલિટરીની કંપનીઓ પણ વિવિધ સ્થળો પર બંદોબસ્તમાં હાજર રહેશે.વધુ વાંચો -
ગુજરાતમાં ચૂંટણી બાદ વધ્યા કોરોનાના કેસ, 4 શહેરોમાં 15 માર્ચ સુધી કર્ફ્યૂ
- 27, ફેબ્રુઆરી 2021 02:38 PM
- 715 comments
- 7080 Views
અમદાવાદ-ગુજરાતમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી સાથે જ કોરોના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં કર્ફ્યૂ હજી 15 દિવસ માટે વધારી દીધું છે. રાજ્ય સરકાર તરફથી કોવિડ-19 વેક્સિનના બીજા તબક્કાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ તબક્કામાં 60 વર્ષથી વધુની મહિલા, પુરુષો અને 45થી 59 વર્ષના ગંભીર રોગોથી પીડિત મહિલા-પુરૂષોને કોવિડ-19ની વેક્સિન આપવામાં આવશે. ગુજરાતમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી સાથે જ કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં 460 નવા કેસ સામે આવ્યા છે, એમાંથી વડોદરાના 109 અને અમદાવાદના 101 સામેલ છે. જોકે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી મોતનો એક પણ કેસ નોંધાયેલો નથી. ગુજરાતમાં અત્યાર સુધી કોરોના 4408 લોકોનાં મોત નીપજ્યાં છે, એમાંથી એકલા અમદાવાદના 2311 મોત સામેલ છે. ગુજરાતમાં અત્યાર સુધી 269031 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે, એમાંથી 262587 લોકો સ્વસ્થ થઈને ઘરે જઈ ચૂક્યા છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં બોલાવવામાં આવેલી કોર કમિટીની બેઠકમાં અમદાવાદ સહિત ચાર મહાનગર પાલિકાઓમાં નાઈટ કર્ફ્યૂ આગામી 15 માર્ચ સુધી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાની વેક્સિનના બીજા તબક્કાની તૈયારીઓની સમીક્ષા કરી અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓને જરૂરી માર્ગદર્શિકા બહાર પાડી છે. મુખ્યમંત્રીએ વેક્સિન આપવા બાદ એના પર થતી અસર અથવા વિપરીત અસર પર નજર રાખવા પર જોર આપ્યું છે. મીટિંગમાં બીજા તબક્કામાં કોરોના વૉરિયર્સને બીજી ડોઝ આપવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.વધુ વાંચો -
પાલિકા અને પંચાયતોમાં પ્રચાર પડઘમ થયો શાંતઃ 22,170 ઉમેદવારો મેદાને
- 26, ફેબ્રુઆરી 2021 06:44 PM
- 7201 comments
- 9990 Views
ગાંધીનગર-૬ મ્યુનિસિપલ કોર્પોરેશન બાદ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં બીજા તબક્કે પાલિકા- પંચાયતો માટે ૨૮ ફેબ્રુઆરીને રવિવારે ૫,૪૮૧ બેઠકો માટે મતદાન યોજનાર છે. આ ચૂંટણીમાં ભાજપ- કોંગ્રેસ સહિત ૨૨,૧૭૦ ઉમદેવારો મેદાને છે. મહાનગરોથી તદ્દન વિપરિત સમીકરણો વચ્ચે ગ્રામિણ અને અર્ધ શહેરી ક્ષેત્રોની ચૂંટણી હકિકતમાં વિધાનસભા ચૂંટણીની પારાશીશી કહેવાય છે. છ શહેરોમાં કોંગ્રેસના રકાશ અને ભાજપના યુવા ઉમદેવારોના વિજય પછી આ બંને પક્ષના ધારાસભ્યોએ પોતાના મુળિયા ઊંડા કરવા છેલ્લી ઘડીએ એડીચોટીનું જાેર અજમાવ્યુ છે. સુરતમાં આપ અને અમદાવાદમાં એઆઈએમઆઈએમની એન્ટ્રી બાદ ભાજપ- કોંગ્રેસના નેતાઓએ ૨૧ મહિના પછી ડિસેમ્બર- ૨૦૨૨માં યોજનારી વિધાનસભા ચૂંટણીને નજર સામે રાખીને ચૂંટણી પ્રચાર કર્યો હતો. શુક્રવારે પણ અનેક જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારોમાં બાઈક રેલી, સભાઓનું આયોજન કરવામા આવ્યુ છે. તો બીજી તરફ રવિવારે પોતાના તરફ મતદાન માટે બુથ લેવલે માઈક્રો પ્લાનિંગ થઈ રહ્યુ છે. ૩૧ જિલ્લા અને ૨૩૧ તાલુકા પંચાયત તેમજ ૮૧ નગર પાલિકાઓમાં રવિવારે યોજનારા મતદાન માટે ચૂંટણી ૨ કરોડ ૯૭ લાખ ૨૯ હજાર ૮૭૧ મતદારો નોંધાયેલા છે. આ ચૂંટણીમાં ૧૨,૩૩૪ મતદાન મથકો સંવેદનશીલ, અતિ સંવેદનશીલ છે. રવિવારે શાંતિપૂર્ણ માહોલમાં મુક્ત અને ન્યાયી મતદાન વ્યવસ્થા માટે ૭૪,૨૧૪થી વધુ પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવી રહ્યો છે. દોઢ- બે દાયકામાં ગુજરાતમાં પહેલીવાર પાલિકા- પંચાયતોમાં હરિફ પક્ષના ઉમેદવારોને ધાક- ધમકી આપીને, લોભ લાલચ આપીને મોટાપાયે ઉમેદવારી ફોર્મ પાછા ખેંચાવવામા આવ્યા છે. જેના કારણે ભાજપ- કોંગ્રેસ અને અન્ય અપક્ષ ઉમેદવારોના ટેકેદારો વચ્ચે પોલીસ ફરિયાદો પણ નોંધાઈ છે. કેટલાક કિસ્સાઓમાં તો ચૂંટણી અધિકારીઓની તટસ્થા સામે જ સવાલો ઉઠતા હાઈકોર્ટને આદેશો આપવા પડયા છે.વધુ વાંચો -
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 424 પોઝીટીવ કેસ, 01 મોત, કુલ 2,68,571 કેસ
- 26, ફેબ્રુઆરી 2021 02:57 PM
- 3875 comments
- 2650 Views
અમદાવાદ-ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 424 થી વધુ નોંધાયા છે. જેની સામે 301 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4408 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 424 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,68,571 થયો છે. તેની સામે 2,62,172 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,68,571 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 1991 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,68,571 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 1991 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 35 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 1956 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,62,172 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4408 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીના મૃત્યુ નોંધાયા છે.વધુ વાંચો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ