30, જુન 2025
અમદાવાદ |
3069 |
ગરવી ગુજરાત માટે વધુ ગૌરવના સમાચાર આવ્યા છે. અદાણી વિદ્યામંદિર અમદાવાદ (એવીએમએ)ને ભારતની ટોચની 50 એસડીજી શાળાઓમાં સ્થાન પ્રાપ્ત થયું છે. નવી દિલ્હીમાં આયોજિત પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય શિક્ષણ નેતૃત્વ કોન્ક્લેવમાં અમદાવાદની એકમાત્ર શાળા તરીકે એવીએમએને આ સ્કૂલ એવોર્ડ -2025 એનાયત કરવામાં આવ્યો છે. દેશની ટોપ-50 એસડીજી શાળાઓમાં સ્થાન મેળવનારી એવીએમએ સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યો (એસડીજી) પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે. નેશનલ પોપ્યુલેશન એજ્યુકેશન પ્રોજેક્ટ (એનસીઇઆરટી)ના એસોસિયેટ પ્રોફેસર ડૉ.વિજયકુમાર મલિકના હસ્તે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. પુરસ્કાર ટકાઉ પરિવર્તનને પ્રોત્સાહન આપતા શિક્ષણ, નવીનતા અને અર્થપૂર્ણ સમુદાય જોડાણમાં શાળાની નોંધપાત્ર પહેલને પ્રકાશિત કરે છે.
ડૉ.વિજય કુમાર મલિકે જણાવ્યુ હતું કે, અદાણી વિદ્યામંદિર અમદાવાદ શ્રેષ્ઠતાની દીવાદાંડી તરીકે ઊભરી આવ્યું છે. તેના પ્રયાસો એસડીજીના વૈશ્વિક દ્રષ્ટિકોણ સાથે સંરેખિત થાય છે. એવીએમએના નેતૃત્વએ સન્માન બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. એસડીજીને આગળ વધારવા માટેની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી. શાળા પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે શિક્ષણ દ્વારા ટકાઉ પરિવર્તનનો વારસો બનાવવા સમર્પિત છીએ.