શિમલામાં ભૂસ્ખલન થતાં 5 માળની ઈમારત ધરાશાયી
30, જુન 2025 શિમલા   |   1980   |  

બિલ્ડીંગમાં તિરાડો પડતા ખાલી કરાવવામાં આવી હતી

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં ગઈકાલે મોડી રાતથી ધોધમાર વરસી રહેલા વરસાદના કારણે ભૂસ્ખલનની દુર્ઘટનામાં વધારો થયો છે. આજે સવારે જ ભૂસ્ખલનના કારણે શિમલાના ભટ્ટાકુફર માઠુ કોલોનીમાં એક 5 માળની ઈમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ હતી. જોકે,સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

રિપોર્ટ્સ અનુસાર, ફોરલેન નિર્માણના કારણે ઈમારતની નીચે મોટી-મોટી તિરાડો પડી હતી. જેથી આ ઈમારતને ગઈકાલે જ ખાલી કરાવી દેવામાં આવી હતી. આજે સવારે ઈમારત કડડભૂસ થઈ ગઈ હતી. જોકે, આ બિલ્ડીંગ ધરાશાયી થતાં અન્ય ઈમારતો પર પણ જોખમ ઉભુ થયું છે. લોકો ભય હેઠળ જીવવા મજબૂર બન્યા છે. લોકોને ઘર ખાલી કરાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

શિમલામાં ગઈકાલે મોડી રાતથી જિલ્લામાં આભ ફાટ્યું હોવાનું શિમલા આપત્તિ નિવારણ અધિકારીઓએ જણાવ્યું હતું. વીજ પુરવઠો પણ ખોટવાયો હતો. ભારે વરસાદના કારણે ચિમિયાન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નજીક માથુ કોલોનીમાં પણ એક ઈમારત ધરાશાયી થઈ હતી. જો કે, ઈમારત ખાલી હોવાથી જાનહાનિ થઈ નથી.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution