Gujarat Vidhansabhaની બે બેઠકો માટે ભાજપના 40 નેતાઓ મેદાને !! | BJP Political News |
05, જુન 2025 58608   |  

છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતમાં ભાજપનો દબદબો રહ્યો છે. અને ગુજરાતમાં પોતાનો આ જ દબદબો જાળવી રાખવા માટે કોઈ પણ ચૂંટણીમાં ઢીલ છોડવા નથી માંગતી જેમકે હાલ ગુજરાતમાં કડી અને વિસાવદરની વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે જેમાં પણ ભાજપ દ્વારા આ બન્ને બેઠકો પર જીતનું લક્ષ્યાંક રાખ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ગુજરાતમાં પણ બન્ને બેઠકો પર જંગી બહુમતીથી જીત મેળવવા માટે જોરદાર પ્રચાર થઈ રહ્યો છે. અને હવે આ પ્રચાર પ્રસારને વધુ મજબૂત બનાવવા માટે ભાજપે પોતાની પાર્ટીના મોટા માથાઓ , દિગ્ગ્જ્જો અને જૂનાજોગીઓને કમાન સોંપી છે. 


જીહા, ભાજપે આ બંને બેઠકો પર પ્રચાર કરવા માટે પોતાના જુના જોગીઓ સહીત ધારાસભ્યો અને સાંસદોને મેદાને ઉતારી દીધા છે. ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. જે કડી અને વિસાવદરમાં પ્રચાર કરશે. અને આ યાદીમાં ફરી એકવાર ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહીત જુના જોગીઓ જેવા કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જેવા દિગ્ગજ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નેતાઓની હાજરી પાર્ટીના પ્રચારને વધુ મજબૂત બનાવશે અને મતદારો સુધી પહોંચવામાં મદદરૂપ થશે. 


આ સિવાય મી.રી.મુ, આ યાદીમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, સાંસદ પરષોત્તમ રૂપાલા, નિમુબેન બાંભણિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, જીતુ વાઘાણી, ભરત બોઘરા, ગોરધન ઝડફિયા, નંદાજી ઠાકોર, વર્ષાબેન દોશી અને રજની પટેલનો પણ સમાવેશ થાય છે. જે પોતાના પ્રભાવ અને જનસંપર્કના આધારે મતદારોને આકર્ષવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ ઉપરાંત વિનોદ ચાવડા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા, ઋષિકેશ પટેલ, બળવંત રાજપૂત, કુંવરજી બાવળિયા, મયંક નાયક, જયેશ રાદડિયા, હીરા સોલંકી અને શંભુનાથ ટુંડિયા જેવા નેતાઓને પણ સ્ટાર પ્રચારક તરીકે નામાંકિત થયા છે. 


આ નેતાઓની વિવિધતા અને અનુભવ પાર્ટીની પ્રચાર રણનીતિને વધુ ગતિશીલ બનાવશે. આમ કહી શકાય કે, ચૂંટણીને ધ્યાને લઇ ભાજપ પણ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. ભાજપે કડી અને વિસાવદરની બંને બેઠકો માટે કુલ 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. અને એવા અહેવાલો છે કે,આ પ્રચારકો ગામડે-ગામડે, શહેરોમાં અને વિવિધ સામાજિક વર્ગો સુધી પહોંચીને ભાજપના ઉમેદવારોના સમર્થનમાં જનસભાઓ, રેલીઓ અને ઘરે-ઘરે સંપર્ક કરશે. પાર્ટીનો ઉદ્દેશ મતદારોમાં વિશ્વાસ જગાડવાનો અને ભાજપની નીતિઓ તેમજ વિકાસના એજન્ડાને રજૂ કરવાનો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution