બે માર્કેટ લીડર એકસાથે: અદાણી ટોટાલ ગેસ અને જિયો-બીપી વચ્ચે ભાગીદારી
26, જુન 2025 3861   |  

બંને ભાગીદારો પસંદગીના આઉટલેટ્સ પર એકબીજાના ઇંધણ પૂરા પાડશે

અદાણી ટોટાલ ગેસ લિ. અને રિલાયન્સ બીપી મોબિલિટી લિ.ની ઓપરેટિંગ બ્રાન્ડ જિયો-બીપીએ ભારતીય ગ્રાહકો માટે છૂટક ઓટો ફ્યુઅલના બહોળા અનુભવનો લાભ ઉપલબ્ધ કરાવવા માટેના કરાર કર્યાની જાહેરાત કરી છે. ભાગીદારી હેઠળ ગ્રાહકોને એટીજીએલના પસંદગીના ફ્યુઅલ આઉટલેટ્સ ખાતે જિયો-બીપીના ઉંચી-ગુણવત્તાના પેટ્રોલ અને ડીઝલ ઉપલબ્ધ કરશે, જ્યારે જિયો-બીપીના પસંદગીના ફ્યુઅલ આઉટલેટ્સ ખાતે એટીજીએલના સીએનજી વિતરણ એકમોને અદાણી ટોટાલ ગેસના અધિકૃત ભૌગોલિક ક્ષેત્રોમાં એકીકૃત કરશે, જેનાથી વાહનધારક ગ્રાહકો માટે ઉંચી ગુણવત્તાવાળા ઇંધણનો પુરવઠો વધશે.

અદાણી અને ટોટાલ એનર્જીના સંયુક્ત સાહસ અદાણી ટોટાલ ગેસ લિ. ભારતની અગ્રણી સિટી ગેસ વિતરણ કંપની છે, જે આવાસો, ઉદ્યોગો, વાણિજ્યિક ગ્રાહકો અને વાહનચાલકોને કુદરતી ગેસનો પૂરવઠો પૂરો પાડવાની સેવા આપે છે. અદાણી ટોટાલ ગેસ પરિવહન ક્ષેત્ર માટે કમ્પ્રેસ્ડ બાયોગેસ, ઈવી ચાર્જિંગ અને એલએનજી પણ પૂરો પાડે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. અને બીપી વચ્ચેના સંયુક્ત સાહસ જિયો-બીપી, ભારતમાં એક અગ્રણી મોબિલિટી સોલ્યુશન્સના પ્રદાતા છે, જે ઇંધણનું છૂટક વેચાણ તેમજ ઓછી માત્રામાં કાર્બન ઓકતા વિકલ્પો ઉપલબ્ધ કરાવવા સાથે આધુનિક સુવિધાયુકત સ્ટોર્સમાં મજબૂત હાજરી ધરાવે છે.

આ પ્રસંગે જિયો-બીપીના ચેરમેન સાર્થક બેહુરિયાએ જણાવ્યું હતું કે અમે અમારા ગ્રાહકોને ઉચ્ચ-ગુણવત્તાયુક્ત ઇંધણની શ્રેષ્ઠ પસંદગી પૂરી પાડવા માટે એક સહિયારી દૂરંદેશી સાથે એક થયા છીએ. જિયો-બીપી ગ્રાહકોને હંમેશા એક અસાધારણ અનુભૂતિનો અહેસાસ કરાવવા માટે પ્રતિબદ્ધ રહી છે અને ભારતને પ્રદાન કરેલા મૂલ્યમાં વધુ ઉમેરો કરવા માટે પરસ્પરની શક્તિઓનો ઉપયોગ કરવાની આ સહયોગ અમોને મોકળાશ આપે છે.

અદાણી ટોટાલ ગેસ લિ.ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સી.ઇ.ઓ. સુરેશ પી. મંગલાણીએ જણાવ્યું હતું કે અમારા આઉટલેટ્સ ખાતે ઉંચી-ગુણવત્તાના ઇંધણની સંપૂર્ણ શ્રેણી પૂરી પાડવાનું આ અમારી સહિયારી દૂરદ્રષ્ટી છે. ભાગીદારી અમને એકબીજાની માળખાગત સુવિધાઓનો ફાયદો લેવા સક્ષમ બનાવવા સાથે સામાન્ય ગ્રાહકોને આ બન્નેના અનુભવ અને ઓફરિંગમાં ઉમેરો કરશે.અદાણી ટોટાલ ગેસ 650 સીએનજી સ્ટેશનોના નેટવર્કનું સંચાલન કરે છે જ્યારે જિયો-બીપી 2000 આઉટલેટ્સનું નેટવર્ક ધરાવે છે. આ વ્યૂહાત્મક ભાગીદારી બંને કંપનીઓની ટકાઉ વૃદ્ધિ અને નવીનતા તરફના પ્રયાણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution