ધારાવી રિડેવલપમેન્ટ : ૧૦ લાખથી વધુ લોકોને સ્થાનાંતરિત કરાશે
24, જુન 2025 4455   |  

અમદાવાદ: અદાણી એન્ટરપ્રાઇઝિસની વાર્ષિક સામાન્ય સભાને સંબોધતા મંગળવારે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ સમૂહના મજબૂત પ્રદર્શન પર ભાર મૂક્યો હતો. તેમણે રાષ્ટ્રીય મિશનને પુન:પુષ્ટિ આપતા ભારતમાં મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં રેકોર્ડબ્રેક મૂડી રોકાણોનું વચન આપ્યું હતું. ગૌતમ અદાણીએ ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતના સશસ્ત્ર દળોએ દાખવેલી હિંમત બિરદાવી તેમજ એર ઇન્ડિયા ફ્લાઇટ ૧૭૧ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં, નેતૃત્વ સાથે આવતી ઊંડી જવાબદારીઓ પર પ્રકાશ પાડ્યો હતો. ગૌતમ અદાણીએ ભારતના વધતા વૈશ્વિક કદ પાછળના પ્રયાસોને યાદ કરતા કહ્યું કે “શાંતિ ક્યારેય મફતમાં મળતી નથી, તેને હાંસલ કરવી પડે છે.

વૈશ્વિક અવરોધો વિશે ધ્યાન દોરતા તેમણે મધ્યપૂર્વમાં ભૂ-રાજકીય અસ્થિરતાથી લઈને પશ્ચિમમાં આર્થિક અશાંતિ સુધીના પડકારોની વાત કરી હતી. અદાણી ગ્રુપના ચેરમેને કહ્યું કે ભારત દૂરંદેશી નીતિનિર્માણ અને બોલ્ડ રાષ્ટ્રીય ઉદ્દેશ્યને કારણે વિકાસની દીવાદાંડી તરીકે ઉભરી આવ્યું છે. ભારત અબજાે સપનાઓનો ઇતિહાસ લખી રહ્યું છે.” યુએસ નિયમનકારી પૂછપરછ સહિત ચકાસણીથી ચિહ્નિત વર્ષમાં અદાણીએ જૂથ દ્વારા વૈશ્વિક ધોરણોનું પાલન કરવાની તેમણે પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે “અદાણી ગ્રુપમાંથી કોઈ પર હ્લઝ્રઁછનું ઉલ્લંઘન કરવાનો કે ન્યાયમાં અવરોધ ઊભો કરી કાવતરું ઘડવાનો આરોપ મૂકવામાં આવ્યો નથી, તેમણે ઉમેર્યુ હતું કે, સત્ય ઘણીવાર નકારાત્મકતા કરતાં નરમ બોલે છે પરંતુ તેનું વજન વધુ હોય છે.

અદાણી ગ્રુપે આવકમાં ૨.૭૧ લાખ કરોડ અને સમાયોજિત ઈમ્ૈં્ડ્ઢછમાં ૮૯,૮૦૬ કરોડ નોંધાવ્યા છે. આગામી પાંચ વર્ષમાં વાર્ષિક મૂડીખર્ચ ઇં૧૫-૨૦ બિલિયનને સ્પર્શવાનો અંદાજ હોવા છતાં, ૨.૬ટનો સ્વસ્થ ચોખ્ખો ઈમ્ૈં્ડ્ઢછ ગુણોત્તર જાળવી રાખવામાં આવ્યો હતો.

અદાની ગ્રુપના સીમાચિન્હોમાં અદાણી પાવર ૧૦૦ અબજ યુનિટથી વધુનું ઉત્પાદન કરે છે. અદાણી ગ્રીન ખાવડામાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક વિકસાવી રહ્યું છે. અદાણી એનર્જી સોલ્યુશન્સે નવા ઓર્ડરમાં ૪૪,૦૦૦ કરોડ મેળવે છે. અદાણી પોર્ટ્સ ૪૫૦ સ્સ્ કાર્ગો હેન્ડલ કરે છે. અદાણી એરપોર્ટ ૯૪ મિલિયન મુસાફરોને સેવા આપે છે અને નવી મુંબઈ એરપોર્ટ લોન્ચ થવાની નજીક છે. અદાણી ડિફેન્સના ડ્રોન અને એન્ટી-ડ્રોન ટેકનો ઉપયોગ ઓપરેશન સિંદૂરમાં થઈ રહ્યો છે. અદાણી સિમેન્ટે સમય પહેલાં ૧૦૦ સ્ઁછ ક્ષમતા પાર કરી રહી છે. અદાણી ટોટલ ગેસ હવે ૨૨ રાજ્યોમાં ૩,૪૦૦ ઈફ ચાર્જિંગ સ્ટેશન ચલાવી રહ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution