પાવર સેક્ટરમાં અદાણી ગ્રીન એનર્જીના ઈએસજી રેટિંગને સર્વોચ્ચ સ્થાન મળ્યું! ૧૦૦ લિસ્ટેડ કંપનીઓ પૈકી ટોચની પાંચ એન્ટિટીઓમાં એજીઈએલને એનએસઇએ સ્થાન આપ્યું એનએસઇએ તાજેતરમાં લિસ્ટેડ કંપનીઓ માટે તેના ઇએસજી રેટિંગ શરૂ કર્યા
17, જુન 2025 વડોદરા   |   3564   |  



અદાણી ગ્રીન એનર્જી સતત અવનવા વિક્રમો સ્થાપિત કરી રહી છે. તાજેતરમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ ને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. એનએસઇ સસ્ટેનેબિલિટી રેટિંગ્સ એન્ડ એનાલિટિક્સ લિમિટેડ દ્વારા યુટિલિટીઝ/પાવર સેક્ટરમાં પર્યાવરણીય, સામાજિક અને ગવર્નન્સ રેટિંગમાં એજીઈએલને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે.

એનએસઇએ તાજેતરમાં લિસ્ટેડ કંપનીઓ માટે તેના ઇએસજી રેટિંગ શરૂ કર્યા છે. જેમાં રેવન્યુના આધારે ટોચની ૧૦૦ લિસ્ટેડ કંપનીઓમાંથી મૂલ્યાંકન કરાયેલ ઈજીય્ રેટિંગમાં ટોચની પાંચ એન્ટિટીઓમાં પણ એજીઈએલને સ્થાન મળ્યું છે. એનએસઇ સસ્ટેનેબિલિટી રેટિંગ્સ અને એનાલિટિક્સ લિમિટેડ કેટેગરી રેટિંગ્સ પ્રદાતા તરીકે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા સત્તાવાર મંજૂરી પ્રાપ્ત છે.

એનએસઇના રેટિંગમાં જણાવાયું છે કે એજીઈએલ પર્યાવરણ, સામાજિક અને ગવર્નન્સ પરિમાણોમાં સારું પ્રદર્શન કરી રહી છે. પરિપક્વ ટકાઉપણાનો અભિગમ દર્શાવતા તે સામાજિક રીતે જવાબદાર પ્રથાઓ અને અસરકારક શાસન દ્વારા સમર્થિત છે. એનએસઇ સસ્ટેનેબિલિટી રેટિંગ્સ એન્ડ એનાલિટિક્સ લિમિટેડ અનુસાર એજીઈએલને ૭૪નો ઉલ્લેખનીય ઇએસજી સ્કોર મળ્યો છે.

એજીઈએલએ ૭૬ના સ્કોર સાથે ગવર્નન્સમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, જે કંપનીની મજબૂત પ્રથાઓ, સુવ્યવસ્થિત બોર્ડ માળખું અને નૈતિક આચરણ દર્શાવે છે. જાેખમ વ્યવસ્થાપન પ્રત્યેનો તેનો પરિપક્વ અભિગમ એજીઈએલની પારદર્શિતા અને જવાબદારી પ્રત્યેની પ્રતિબદ્ધતાઓને પ્રકાશિત કરે છે.

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ હ્લરૂ૨૫ વાર્ષિક અહેવાલમાં ગવર્નન્સ અને ટકાઉપણા પ્રત્યે એજીઈએલના સમર્પણ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, અમારું ગવર્નન્સ વૈશ્વિક ધોરણોનું છે અને અમારા પાલન માળખા મજબૂત છે.

કંપનીએ ૭૩નો ઉચ્ચ સામાજિક સ્કોર મેળવ્યો, જે કર્મચારીઓ માટે આરોગ્ય અને સલામતીના પગલાં, ગ્રાહક સલામતી અને સમુદાય કલ્યાણ પ્રત્યેનું ધ્યાન દર્શાવે છે. એજીઈએલના જવાબદાર સોર્સિંગ અને કાર્યક્ષમ સપ્લાય ચેઇન મેનેજમેન્ટે સામાજિક રીતે જવાબદાર પ્રથાઓમાં અગ્રણી તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત બનાવી છે.

એનએસઇ સસ્ટેનેબિલિટી રેટિંગ્સ અને એનાલિટિક્સ લિમિટેડ ૨,૦૦૦ થી વધુ ડેટા પોઈન્ટના આધારે કંપનીઓનું મૂલ્યાંકન કરે છે, જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે સંરેખિત પારદર્શક અને ભૌતિકતા-આધારિત પદ્ધતિ પ્રદાન કરે છે. એજીઈએલનું પ્રદર્શન તેની વ્યૂહરચના, સંસ્કૃતિ અને ટકાઉ પ્રથાઓ પર કેન્દ્રિત મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution