26, ઓગ્સ્ટ 2025
વોશીંગ્ટન |
2475 |
નવા ટેરિફ 27 ઓગસ્ટ આવતિકાલથી લાગુ પડશે.?
અમેરિકાએ ભારતથી આયાત થતી વસ્તુઓ પર વધારાના 25 ટકા મળી કુલ 50 ટકા ટેરિફને લઈને સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું છે. નવા ટેરિફ આવતિકાલ તા.27 ઓગસ્ટ ના રોજથી લાગુ પડશે.
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને વાટાઘાટો ચાલી રહી હતી જે નિષ્ફળ ગઈ. બીજી તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે ભારત રશિયાથી ઓઈલ ખરીદે છે જેના કારણે યુક્રેન યુદ્ધ રોકાઈ રહ્યું નથી. જે બાદ અમેરિકાએ ભારત પર કુલ 50 ટકા ટેરિફ ઝીંકવાની જાહેરાત કરી હતી. ભારતથી અમેરિકા જતાં સામાન પર 50 ટકા ટેરિફ વસૂલવામાં આવશે.
અમેરિકાએ જે ટેરિફ લગાટુયં છે તે ફાર્માસ્યુટિકલ્સ, સેમિકંડક્ટર્સ, ઉર્જા સંસાધન પર આ ટેરિફ લાગશે. ભારત પર અમેરિકાના ટેરિફની શું અસર જોતા ભારત અમેરિકામાં કુલ 87 બિલિયન ડોલરની નિકાસ કરે છે જે દેશના GDPનો 2.5 ટકા હિસ્સો છે.
ટેરિફના કારણે ટેક્સટાઈલ , રત્ન-આભૂષણ, ચામડું, સમુદ્રી ઉત્પાદન, રસાયણ, ઓટો પાર્ટ્સ વગેરે ક્ષેત્રો પર સૌથી વધુ અસર થશે?
જોકે, અમેરિકાના ટેરિફની સમીક્ષા તથા જરૂરી પગલાંની ચર્ચા કરવા માટે આજે PMOમાં તાકીદની બેઠક યોજાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.