ગાંધીનગર,

દેશભરમાં 1 જુલાઈથી અનલોક-2 લાગુ થવા જઈ રહ્યું છે. તેવામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અનલોક 2 અંતર્ગત મોટી રાહત રાજ્યના વેપારી વર્ગને આપી છે. આવતી કાલ એટલે કે તા. 1 જુલાઈ અને બુધવારથી ગુજરાતમાં દુકાનોને રાત્રે 8 વાગ્યા સુધી કામકાજ ચાલુ રાખવા દેવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત હોટલ અને રેસ્ટોરન્ટ પણ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

મુખ્યમંત્રી વિજય રુપાણીએ એમ પણ જણાવ્યું છે કે, ભારત સરકારના દિશા નિર્દેશો અનુસાર સમગ્ર રાજ્યમાં રાત્રે 10 વાગ્યા થી સવારે 5 વાગ્યા સુધી કરફ્યુનો અમલ કરવાનો રહેશે. કેન્દ્ર સરકારે તારીખ 1 જુલાઈ થી અનલોક 2 અંતગર્ત જે નવા દિશા નિર્દેશો આપેલા છે તેને પગલે મુખ્યમંત્રીએ ગુજરાતમાં દુકાનો અને હોટલ રેસ્ટોરન્ટ માટે આ બે મહત્વપૂર્ણ કર્યા છે.