શિક્ષણ સમાચાર
-
રાજ્યની પહેલી દિવ્યાંગ દીકરી NIOS ની ધોરણ12ની પરીક્ષા આપશે
- 25, જાન્યુઆરી 2021 07:11 PM
- 5237 comments
- 9879 Views
અમદાવાદ - સામાન્ય વિદ્યાર્થીઓ પણ જે નથી કરી શકતા તે અમદાવાદની દિવ્યાંગ વિધાર્થીની કલગી રાવલ કરી રહી છે. કલગીએ પહેલા ધોરણથી જ અંધશાળાને બદલે સામાન્ય શાળામાં નોર્મલ વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કર્યો છે અને પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. એટલું જ નહિ કલગીની શૈક્ષણિક કારકિર્દીમાં તેણે કયારેય બ્રેઇલ લિપિમાં અભ્યાસ કર્યો નથી પણ ટેકનોલોજીના માધ્યમથી મોબાઈલ ફોન અને લેપટોપના ઉપયોગથી આપમેળે આગળ વધી છે. કલગી હવે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલીગની પહેલી દિવ્યાંગ પરિક્ષાર્થી બનશે. આમ તો કોરોના વાયરસના સંક્રમણ બાદ ગુજરાતમાં શૈક્ષણિક કાર્ય અટવાઈ પડ્યું હતું. જોકે વર્ષ 2021માં ગુજરાતમાં પહેલીવાર બોર્ડની પરીક્ષા યોજાઈ રહી છે. સમગ્ર દેશમાં શરૂ થઈ રહેલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગની ધોરણ12ની પરીક્ષામાં અમદાવાદની સૌ પહેલી દિવ્યાંગ કલગી રાવલ પરિક્ષાર્થી બનશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ કે સેન્ટ્રલ બોર્ડની પરીક્ષા તો મેમાં યોજાશે પણ ગુજરાત માં સૌથી પહેલા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ ની ધોરણ12 ની ઓક્ટોબરમાં મોકૂફ રહેલી પરીક્ષા 27 જાન્યુઆરીથી યોજાઈ રહી છે. કોરોનાના 9 મહિના દરમિયાન સામાન્ય વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે કલગીએ કોઈ પણ શિક્ષક કે શાળા વિના ઘેર બેસીને NIOSની અંગ્રેજી મીડીયમની પરીક્ષાની તૈયારી કરી હતી. આ પરીક્ષા માટે અમદાવાદની આ વિધાર્થીનીએ પણ ફોર્મ ભર્યું હતું અને કોરોનાના સમય દરમિયાન ઘેર બેસીને કોઈ પણ શિક્ષક કે શાળા સિવાય જાતે મોબાઈલના માધ્યમથી પરિક્ષાની સંપૂર્ણ તૈયારી કરી હતી. કલગીના પિતા જણાવે છે કે કલગીએ અમદાવાદની પહેલી વિદ્યાર્થીની છે કે, જે ધોરણ 10 પછી સીધી ધોરણ12ની પરીક્ષા આપશે. કલગી એ પહેલી વિદ્યાર્થીની છે કે જે કોરોના સમયમાં યોજાનારી ધોરણ12 ની નેશનલ ઓપન સ્કૂલિંગની પરીક્ષામાં બેસશે.વધુ વાંચો -
ધમડાછા હાઈસ્કૂલના શિક્ષિકા ઇનોવેશન ફેરમાં રાજ્યકક્ષાએ ભાગ લેશે
- 25, જાન્યુઆરી 2021 04:39 PM
- 6666 comments
- 2346 Views
ગણદેવી - ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ ,ધમડાછા દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ ચાલુ વર્ષે બીજી વખત રાજ્યકક્ષાએ ભાગ લેવા જઈ રહી છે. શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષિકા સારિકાબેન આર.નાયક એ શિક્ષકો માટે નવતર પ્રયોગ રજૂ કરવાના સરકારના ઇનોવેશન ફેરના આયોજનમાં સૌ પ્રથમ તાલુકા કક્ષાએ ભાગ લઈ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. ત્યારબાદ એમને જિલ્લા કક્ષાએ ભાગ લઈ 64 જેટલા શિક્ષકોમાં પ્રથમ ક્રમે વિજેતા બની રાજ્યકક્ષાએ ભાગ લેવા માટે પસંદ થયા છે. આ તબક્કે એમની આ વિશિષ્ટ સિદ્ધિ બદલ ધમડાછા વિભાગ શિક્ષણ મંડળના પ્રમુખ અનિલભાઈ આર.વશી, મંત્રી મુકેશભાઈ એમ.વશી, આચાર્ય અશ્વિનભાઈ આર.પટેલ, શાળા પરિવાર અને સમગ્ર વિભાગમાંથી અભિનંદન પાઠવવામાં આવ્યા છે. તેઓ રાજ્યકક્ષાએ પણ સફળતા પ્રાપ્ત કરે એ માટે પણ સૌએ એમને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. એમણે ધો.11 ના આંકડાશાસ્ત્ર વિષયના કઠિન મુદ્દાઓને સરલ બનાવવા માટે શૈક્ષણિક સાધનો અને જૂથકાર્યના સફળ પ્રયોગ પર પોતાનું ઇનોવેશન રજૂ કર્યું હતું.વધુ વાંચો -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થીનીએ ગાઈડ વિરૂદ્ધ અપશબ્દો ઉચ્ચારવાની નોંધાવી ફરિયાદ
- 25, જાન્યુઆરી 2021 04:26 PM
- 4393 comments
- 1631 Views
રાજકોટ- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થિનીએ યુનિવર્સિટીનાં ગાઈડ જયેશ ભાલાળા વિરુદ્ધ SC/ST સેલમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં ગાઈડ દ્વારા વિદ્યાર્થીનીની જ્ઞાતિ પ્રત્યે અપમાનિત શબ્દો બોલ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં PHDનો અભ્યાસ કરી રહેલી વિદ્યાર્થીનીએ ગાઈડ જયેશ ભાલાળા વિરુદ્ધ SC/ST સેલમાં ફરિયાદ નોંધાવી છે. વિદ્યાર્થીનીની ફરિયાદ અંતર્ગત SC/ST સેલ દ્વારા યુનિવર્સિટી પાસે આ અંગેનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે. આ મામલે એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા વિદ્યાર્થીનીની રજૂઆત પર ધ્યાન ન અપાતા અંતે વિદ્યાર્થીનીએ SC/ST સેલમાં અરજી કરી હતી. જેને લઇને સમગ્ર મામલો સામે આવ્યો હતો.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં PHDનો અભ્યાસ કરી રહેલી વિદ્યાર્થીનીએ SC/ST સેલમાં તેના ગાઈડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં ગાઈડે વિદ્યાર્થીનીને જ્ઞાતિવિષયક અપમાનજનક શબ્દો બોલી તેની સાથે દુર્વ્યવહાર કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.વધુ વાંચો -
UPSCની પરીક્ષા ન આપી શકનાર વિદ્યાર્થીઓને બીજો ચાન્સ મળશે ?
- 25, જાન્યુઆરી 2021 03:03 PM
- 196 comments
- 9976 Views
દિલ્હી-સુપ્રીમ કોર્ટે આજે આ અરજીની સુનાવણી કરી હતી, વિનંતી કરી હતી કે તે ઉમેદવારોને યુપીએસસીની સિવિલ સર્વિસીઝ પરીક્ષામાં હાજર રહેવાની બીજી તક આપવામાં આવે, જે ગયા વર્ષે કોવિડ -19 હતી. રોગચાળો (કોવિડ -19) ની સ્થિતિને કારણે, તેની છેલ્લી તકથી વંચિત હતા.કેન્દ્ર સરકાર વતી, એએસજી એસ.વી. રાજુએ ફરીથી કહ્યું કે સરકાર ઉમેદવારોને બીજી તક આપવા માટે હકદાર નથી, જ્યારે સોગંદનામું આનું કારણ જણાવે છે. અરજદારના વકીલે કહ્યું કે અમે સરકારના એફિડેવિટ પર જવાબ રજૂ કરવા માંગીએ છીએ, તેમણે કહ્યું, અમે 27 જાન્યુઆરી 2021 સુધીમાં જવાબ ફાઇલ કરીશું. સુપ્રીમ કોર્ટે અરજદારને તેનો જવાબ ફાઇલ કરવા માટેનો સમય આપ્યો હતો. આ સાથે સુપ્રીમ કોર્ટમાં આ કેસની આગામી સુનાવણી 28 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે કોર્ટ કેસ સુનાવણી કરી રહી છે ત્યારે નવા વર્ષ માટે કોઈ નવી સૂચના જારી ન કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે યુપીએસસી સિવિલ સર્વિસીસ પ્રારંભિક પરીક્ષા માટેના અંતિમ પ્રયાસ ઉમેદવારો માટે વધારાની તક માંગતી અરજી પર સુનાવણી કરી, જે કોરોના માટે તેમની છેલ્લી પ્રયાસ પરીક્ષામાં હાજર ન રહી શક્યા. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવેલ કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) ની સિવિલ સર્વિસિસ પ્રારંભિક પરીક્ષા માટે કોઈ વધારાના પ્રયત્નો ઓક્ટોબર અથવા કોવિડ -19 માં લેવાયેલી પરીક્ષામાં ભાગ લેનારા ઉમેદવારોને આપવામાં આવશે નહીં. રોગચાળાને કારણે પરીક્ષા. શુક્રવારે સુપ્રિમ કોર્ટમાં કેન્દ્ર સરકાર દ્વારા તેની માહિતી આપવામાં આવી હતી. કેટલાક ઉમેદવારોએ સુપ્રીમ કોર્ટની માંગ કરી છે કે કોરોના રોગચાળાની અસરને કારણે ઉમેદવારોને યુપીએસસી સિવિલ સર્વિસિસ પ્રારંભિક પરીક્ષા માટે વધારાની તક આપવામાં આવે.વધુ વાંચો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બિગ બોસ ૧૪
- બૉલીવુડ
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- ભારત - ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૦
- ભારત - ઈંગ્લેન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૧
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ