13, જુન 2025
1683 |
આણંદ, આણંદના પુત્રને મળવા માટે હાલાણી પરિવારના માતાપિતા અને કાકી લંડન જવા નીકળ્યા હતા. જયાં પ્લેન ક્રેશ થતાં ત્રણે દર્ઘટનાનો ભોગ બન્યા હતા. આણંદ શહેરના જાણીતા બિલ્ડર રાજુભાઇ હાલાણીના ભાઇ બદરૂદીન હસનઅલી હાલાણી, યાસ્મીન બદરૂદીન હાલાણી, મલેકબેન રજબઅલી હાલાણી લંડન ખાતે રહેતા દિકરાને મળવા માટે ગુરૂવારે સવારે ત્રણેય નીકળ્યા હતા. તેઓને મુકવા માટે ગાડી લઇને નીકળ્યા હતા. જાે કે પરિવારમાં તમામ લોકો બહાર રહે છે. જ્યારે ભાઇનો પરિવાર વેપાર સાથે સંકળાયેલો છે. ઘટનાના પગલે સલાટીયાપુરા વિસ્તારમાં આવેલા તેમના મકાન બંધ હોવા છતાં સગાસંબંધીઓ દોડી આવ્યાં હતા. તેમજ રાજુભાઇ હાલાણી આ બનાવની જાણ થતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દોડી ગયા હતા. આખો પરિવાર શોકમાં હોવાથી કંઇ કહેવા તૈયાર ન હતા. જ્યારે આણંદના ડો હિમાંશુ વસંતલાલ શેઠ પણ લંડન કામ અર્થે જવા નીકળ્યા હતા. જાે કે તેમનો પરિવાર અમદાવાદ હોવાથી કોઇ માહિતી મળી નથી