14, જુન 2025
વડોદરા |
1881 |
અમદાવાદમાં સર્જાયેલી ગોઝારી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના અંતિમ સંસ્કાર માટે વડોદરામાં ક્રોફિન બોક્સ બનાવવામાં આવી રહ્યા છે. આ કામગીરી વડોદરાના ફતેગંજ કબ્રસ્તાન પરિસરમાં જોરાઈશોથી ચાલી રહી છે.
એર ઇન્ડિયા દ્વારા આ દુર્ઘટનાના મૃતકો માટે કુલ ૧૦૦ ક્રોફિન બોક્સની માગણી કરવામાં આવી છે. વડોદરાથી આજે સાંજ સુધીમાં ૫૦ ક્રોફિન બોક્સ તૈયાર કરીને મોકલવામાં આવશે, જેથી મૃતદેહોને તેમના વતન સુધી સન્માનપૂર્વક પહોંચાડી શકાય.
વર્ષોથી ક્રોફિન બોક્સ બનાવતા બોબીભાઈનું પણ આ કરુણ ઘટનાથી હૃદય દ્રવી ઉઠ્યું છે. તેઓ અને ખ્રિસ્તી સમુદાય દ્વારા આ મુશ્કેલ સમયમાં માનવતાની સેવા રૂપે આ ક્રોફિન બોક્સ બનાવવાની સેવા આપવામાં આવી રહી છે. આ ક્રોફિન બોક્સ, ખાસ કરીને જ્યારે મૃતદેહોની ઓળખ અને પરિવહન એક પડકાર હોય, ત્યારે અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.