એઆઇને કારણે પાંચ વર્ષમાં તમામ નોકરીઓ ખતમ થઈ જશે! ગૂગલ ડીપમાઇન્ડના સીઇઓનો ચોંકાવનારો દાવો
31, મે 2025 25938   |  


ન્યૂયોર્ક, ગૂગલ ડીપમાઇન્ડના સીઇઓ ડેમીસ હસાબિસે બાળકોને કહ્યું છે કે એઆઇથી નોકરીઓને ખતરો છે, અને તેથી તેઓ અત્યારથી એ માટે તૈયારી શરૂ કરી દે. એઆઇ હાલમાં ખૂબ જ ઝડપથી વિકસિત થઈ રહ્યું છે. એક પછી એક કામ માટે હવે એઆઇનો ઉપયોગ થઈ રહ્યો છે - સોફ્ટવેરથી લઈને ડ્રાઈવર અને બારટેન્ડર સુધી. તેથી, ડેમીસે યુવાનો, ખાસ કરીને બાળકોને, ભવિષ્ય માટે ચોક્કસ તૈયારી કરવા માટે જણાવ્યું છે. ડેમીસે હાલમાં જ ‘હાર્ડ ફોર્ક’ નામના જાણીતા પોડકાસ્ટમાં હાજરી આપી હતી અને આ દરમિયાન તેણે એઆઇ વિશે વાત કરી હતી.

ડેમીસ હસાબિસ અનુસાર એઆઇ દરેક ક્ષેત્રમાં ખૂબ જ ઝડપથી પ્રવેશી રહ્યું છે - મેડિકલ, સોફ્ટવેર, એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટથી લઈને હૉસ્પિટાલિટી સુધી. તેથી, બાળકો હવે એઆઇને મહત્વ આપે, એ બાબતે ડેમીસે ભાર મૂક્યો હતો. તેમના કહેવા મુજબ, જાે આજથી બાળકો એઆઇ પર ફોકસ નહીં કરે, તો તેઓ દુનિયામાં પાછળ રહી જશે. આજે સાચી શક્તિ એઆઇ છે. ગૂગલના જેમિની અને આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સના હેડ તરીકે, ડેમીસ કહે છે કે આગામી દસ વર્ષમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંપૂર્ણપણે માણસની જેમ બોલતું અને વિચારતું થઈ જશે.

ડોક્ટર્સની નોકરી પર જાેખમ છે કે નહીં એ વિશે પૂછતાં, ડેમીસ હસાબિસે કહ્યું: ‘આવતા પાંચ વર્ષમાં એઆઇના કારણે ઘણી નોકરીઓ ખતમ થઈ જશે. જાેકે, એના કારણે રોજગારીના અન્ય વિકલ્પ પણ ઉભા થશે.’ તેથી જ, ડેમીસે બાળકોને છૈં અને તેની મહત્વપૂર્ણ બાબતો વિશે અભ્યાસ કરવાની સલાહ આપી છે. ટેક્નોલોજીના ‘નિન્જા’ બનવું એ સાફ શબ્દોમાં ડેમીસે જણાવ્યું છે. આજનો સમય વિચારશીલતા, પરિસ્થિતિ અને ટેક્નોલોજી શીખવાની સાથે નવી-નવી કલ્પનાઓ માટે છે.

 ચેટજીપીટીના કારણે એઆઇ દુનિયાભરમાં ખૂબ જ પ્રચલિત થઈ ગયું છે. ત્યાર બાદ ડીપસીક પણ એઆઇ ચર્ચામાં હતું. ચેટજીપીટીના જીબ્લી ફોટોને લઈને દુનિયા આ ફીચરની પાછળ ઘેલી બની હતી. એઆઇ એક તરફ વિકસિત થઈ રહ્યું છે, જ્યારે બીજી તરફ લોકોની નોકરીઓ પર તેની અસર પડી રહી છે. ડેમીસ હસાબિસ કહે છે, ‘આજના યુવાનો માટે છૈં ને સમજવું, તેનો ઉપયોગ કરવો અને એમાં નવા પ્રયોગો કરવું ખૂબ જ મહત્વનું અને જવાબદારી ભર્યું કામ છે. એઆઇ ભવિષ્ય નથી, પરંતુ વર્તમાન છે. આજે જે વ્યક્તિ એઆઇનો ઉપયોગ કરશે, એ વ્યક્તિ આવતી કાલે સૌથી આગળ હશે. યુનિવર્સિટીનો સમય ફક્ત ડિગ્રી મેળવવા માટે નહીં, પરંતુ પોતાને નવી બાબતો શીખવા માટે હોવો જાેઈએ. એઆઇ ખૂબ જ ઝડપથી વિકસિત થઈ રહ્યું છે, તેથી આજના બાળકો માટે તેમની વિચારશક્તિને વધુ સારી અને ઝડપી બનાવવી અત્યંત જરૂરી છે.’

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution