24, મે 2025
કર્ણાટક, એક મોટી ટેક કંપની કર્ણાટકની રાજધાની બેંગલુરુથી પૂણેમાં પોતાની ઓફિસ ખસેડવાની જાહેરાત કરી છે. આ ર્નિણય પાછળનું કારણ કોઈ વ્યવસાયિક નુકસાન નથી, પરંતુ ભાષાના વિવાદને કારણે સ્ટાફની સલામતી અને માનસિક શાંતિ છે. કંપનીના સ્થાપક કૌશિક મુખર્જીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં આ ર્નિણય જાહેર કરતા લખ્યું છે કે, આ વિચાર મારી ટીમ તરફથી આવ્યો હતો. હું તેમની સાથે સંમત છું. જાે આ ભાષાનો મુદ્દો ચાલુ રહેશે, તો હું નથી ઇચ્છતો કે મારી બિન-કન્નડ ભાષી ટીમ તેનો ભોગ બને.
વોત કંઈક એમ છે કે, બેંગલુરુની એસબીઆઈ સૂર્યનગર શાખા, ચાંદપુરામાં એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં એક બેન્ક મેનેજર ગ્રાહક સાથે કન્નડમાં વાત કરવાનો ઇનકાર કરતા જાેવા મળ્યા હતા. મેનેજરે તો એમ પણ કહ્યું, ‘હું ક્યારેય કન્નડ બોલીશ નહીં, મને નિયમો બતાવો.’ આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચાવ્યો હતો. આ વિવાદ પર ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘કર્ણાટકમાં બેન્કિંગ સેવાઓ કન્નડમાં હોવી જાેઈએ, આ નિયમ હોવો જાેઈએ.’ તેમણે આ મુદ્દો કેન્દ્રીય અધિકારીઓ સમક્ષ પણ ઉઠાવ્યો. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પણ મેનેજરના વર્તનની ટીકા કરી હતી અને એસબીઆઈ દ્વારા તેમની બદલી કરવાના ર્નિણયની પ્રશંસા કરી હતી અને કહ્યું કે, ‘હવે આ મામલાનો અંત આવ્યો તેવું કહી શકાય.’
જાેકે, સરકાર અને બેંકની કાર્યવાહી છતાં, સ્થાનિક કન્નડ સમર્થક સંગઠનોએ બેંક શાખાની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે કહ્યું કે, ‘ભાષાનું અપમાન સહન કરવામાં આવશે નહીં અને આ અંગે કડક કાયદા બનાવવા જાેઈએ.’ પોલીસના જણાવ્યા અનુસાર, આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી.