આંબરડી સફારી પાર્ક ખુલતાં જ ૭૦ પ્રવાસીઓએ સિંહદર્શન કર્યા
22, જુન 2021 297   |  

અમરેલી, ધારીથી ચાર કિમી દુર આવેલા આંબરડી સફારી પાર્ક કોરોનાની મહામારીને પગલે પ્રવાસીઓ માટે બંધ કરાયુ હતુ. જાે કે વનતંત્ર દ્વારા કોવિડની ગાઇડલાઇન સાથે ફરી સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાયુ છે. હાલ દરરોજ અહી ૬૦ થી ૭૦ પ્રવાસીઓ સિંહ દર્શનનો લાભ મેળવી રહ્યાં છે.ધારીમા આવેલ આંબરડી સફારી પાર્ક કોરોનાને પગલે પ્રવાસીઓ માટે બંધ કરાયો હતો અહીના કેટલાક કર્મચારીઓ પણ કોરોનાગ્રસ્ત થયા હતા. જેથી વનવિભાગ દ્વારા પાર્ક બંધ કરવાનોે ર્નિણય લેવાયો હતો. જાેકે અનલોક બાદ ફરી સરકારની સુચના મુજબ પાર્ક શરૂ કરાયાછે. હાલ જુદાજુદા શહેરોમાથી અહી પ્રવાસીઓ ધીમેધીમે સિંહ દર્શન માટે આવી રહ્યાં છે. અહી આવતા પ્રવાસીઓને કોરોનાની ગાઇડ લાઇનનુ પાલન કરાવી સિંહ દર્શન કરાવવામા આવી રહ્યાં છે.અહી આવતા પ્રવાસીઓ સિંહ દર્શનની સાથે નજીકમા આવેલ સુપ્રસિધ્ધ ગળધરા ખોડિયાર મંદિરે દર્શન તેમજ ખોડિયાર જળાશયની મુલાકાતનો પણ લ્હાવો લઇ રહ્યાં છે. હાલ અહી વરસાદી માહોલ હોય આ વિસ્તારમા કુદરતી સૌદર્ય ખીલી ઉઠયું છે. આરએફઓ બી.બી.વાળાએ જણાવ્યું હતુ કે હાલ સફારી પાર્કમા દરરોજ ૬૦ થી ૭૦ પ્રવાસીઓ મુલાકાત લઇ રહ્યાં છે. આગામી તહેવારોમા હજુ વધુ પ્રવાસીઓ આવે તેવી શકયતા જણાઇ રહી છે.રવિવારના દિવસે મોટી સંખ્યામા પ્રવાસીઓ સિંહ દર્શન માટે ઉમટી પડયા હતા. અહી ૨૦૦થી વધારે લોકોએ સિંહ દર્શનનો લ્હાવો લીધો હતો.
© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution