25, મે 2025
5247 |
ઇસ્લામાબાદ, પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં કરાચી-ક્વેટા હાઇવે પર થયેલા આત્મઘાતી હુમલાએ દેશની સુરક્ષા વ્યવસ્થાને હચમચાવી નાખી. આ હુમલામાં પાકિસ્તાની સેનાના કાફલાને નિશાન બનાવવામાં આવ્યો હતો. જેમાં લગભગ ૩૨ સૈનિકોના મોત થયા હતા. જ્યારે ૩૦ થી વધુ ઘાયલ થયા હતા. તે જ સમયે, બલૂચ લિબરેશન આર્મીના માજીદ બ્રિગેડે આ હુમલાની જવાબદારી લીધી છે. આ હુમલો કરાચી-ક્વેટા હાઇવે પર થયો હતો. જ્યારે પાકિસ્તાની સેનાનો કાફલો કરાચીથી ક્વેટા જઈ રહ્યો હતો. આ હુમલામાં એક પછી એક ત્રણ વાહનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. શરૂઆતના અહેવાલોમાં ૫ સૈનિકો માર્યા ગયા અને ૩૦થી વધુ ઘાયલ થયા હોવાનું જણાવાયું હતું. પરંતુ બાદમાં બલૂચ લિબરેશન આર્મીએ દાવો કર્યો કે આ હુમલામાં ૩૨ સૈનિકો માર્યા ગયા હતા. બલૂચ લિબરેશન આર્મીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ હુમલો તેમની ગુપ્ત માહિતી અને વ્યૂહાત્મક આયોજનનું પરિણામ હતું. તેમણે દાવો કર્યો હતો કે કાફલામાં ફ્રન્ટિયર કોર્પ્સના સૈનિકો સહિત લશ્કરી કર્મચારીઓ હતા. હુમલામાં વપરાયેલા વિસ્ફોટકોની માત્રા અને હુમલાખોરોની તૈયારીએ તેની ગંભીરતામાં વધુ વધારો કર્યો.