14, ડિસેમ્બર 2023
198 |
ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખેત ઉત્પન્ન બજાર-માર્કેટિંગયાર્ડમાં ખરીફ ખેત જણસો પર વજન કપાત મુદ્દે ખેડૂતોએ વિરોધ કરતા કપાસ, ડુંગળી સહિતની જણસોની હરરાજી અઢી-ત્રણ કલાક બંધ થઈ જવા પામી હતી.કેન્દ્ર સરકારે ડુંગળી નિકાસ પર પ્રતિબંધ જાહેર કરતાં જ ખેડૂતો લાલઘૂમ થયા છે અને આ હુકમ તત્કાળ પાછો ખેંચી લેવાની ઉગ્ર માંગ સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં ફક્ત ભાવનગર માર્કેટિંગયાર્ડ ને બાદ કરતાં ભાવનગરના તાલુકામાં આવેલ એપીએમસી સેન્ટરો ઉપરાંત અન્ય જિલ્લાના માર્કેટિંગયાર્ડો મા હાલ ડુંગળી ની હરરાજી-ખરીદી સંપૂર્ણ પણે ઠપ્પ છે અને ભાવનગર એપીએમસી સેન્ટર ખાતે પણ બે દિવસના વિરોધ બાદ આજે ડુંગળી ની હરરાજી -વેચાણ શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે ઉઘડતી બજારે ફરી વિવાદ ઘેરો બનતા વેપારીઓ એ હરરાજી બંધ કરી હતી. આજનો મુદ્દો એવો હતો કે સરકારે અગાઉ પરીપત્ર જાહેર કર્યો હતો કે કોઈ પણ ખેડૂત ખેત જણસ લઈને માર્કેટિંગયાર્ડમાં વેચાણ માટે આવે ત્યારે તે ખેત ઝણસોનુ કાંટોકાંટ વજન કરી વેચાણના નાણાંની પૂરેપૂરી ચુકવણી કરવામાં આવે પરંતુ આ સિઝન શરૂ થતા જ ડુંગળી ના વેપારીઓ એ કપાત પ્રથા ફરી શરૂ કરતા કપાસની ખરીદી કરતા વેપારીઓ એ કપાસની ખરીદી પણ કપાત વજન સાથે કરવાનો હઠાગ્રહ રાખતા ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો અને વજન કપાત વિના જ કપાસની ખરીદી નો આગ્રહ રાખતા કપાસની ખરીદી બંધ કરી હતી. કપાસની હરરાજી-ખરીદી બંધ થતા ડુંગળીની પણ હરરાજી- ખરીદી બંધ કરવામાં આવતા ખેડૂતો-વેપારીઓ આમને-સામને આવ્યા હતા અને ઉગ્ર દલીલો શરૂ થઈ હતી.દરમ્યાન માર્કેટિંગયાર્ડ વહિવટી વિભાગના હોદ્દેદારો આ વિવાદમાં મધ્યસ્થી માટે ઉતર્યા હતા અને હાલ માર્કેટિંગયાર્ડમાં ખેડૂતોએ ઉતારેલ કપાસ-ડુંગળી ની જૂની પધ્ધતિ મુજબ ખરીદી શરૂ રાખવા અપીલ કરી હતી અને જયાં સુધી સરકાર વજન કપાત મુદ્દે સ્પષ્ટતા ન કરે ત્યાં સુધી હરરાજી ખરીદી કે વેચાણ ન કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. જે વાત સાથે વેપારીઓ-ખેડૂતો સહમત થતા ત્રણ કલાકથી પછી તરત જ હરાજી શરૂ થઈ હતી.