ગાંધીનગરમાં આદિવાસી જનનાયક ‘બિરસા મુંડા’ની પ્રતિમાનું લોકાર્પણ
12, ઓક્ટોબર 2021 1386   |  

ગાંધીનગર, રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે આદિવાસી સમાજના જનનાયક એવા બિરસા મુંડાની પ્રતિમાનું સોમવારના રોજ રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રીના હસ્તે અને કેન્દ્રિય વન પર્યાવરણ રાજ્ય મંત્રીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આદિવાસી સમાજના જનનાયક ‘બિરસા મુંડા’ની ભવ્ય પ્રતિમાનું બિરસા મુંડા ભવન, સેકટર-૧૦, ગાંધીનગર ખાતે આજે ગુજરાતનાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલના હસ્તે તેમજ કેન્દ્રીય વન-પર્યાવરણ રાજ્ય મંત્રી અશ્વિની કુમાર ચૌબે અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી નિમિષા સુથારની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ લોકાર્પણ પ્રસંગે ઉચ્ચ અને તકનીકી શિક્ષણ રાજ્યમંત્રી કુબેર ડિંડોર, કુટિર ઉદ્યોગ-સહકાર મંત્રી જગદિશ પંચાલ, કલ્પસર-મત્સ્યોદ્યોગ રાજ્ય મંત્રી જીતુ ચૌધરી, ધારાસભ્ય મોહન ઢોડિયા અને અરવિંદ પટેલ, આદિજાતિ વિકાસ વિભાગના સચિવ ડૉ. એસ. મુરલીક્રિષ્ના, આદિજાતિ વિકાસ કમિશનર દિલીપ રાણા સહિત ઉચ્ચ અધિકારી-કર્મયોગીઓ ઉપસ્થિત રહી જનનાયક બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution