30, મે 2025
નવી દિલ્હી |
5940 |
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ગુરુવારે જણાવ્યું હતું કે, ગયા નાણાકીય વર્ષમાં લોન ખાતાઓ અને ડિજિટલ ચુકવણીઓ સંબંધિત છેતરપિંડીના કુલ કેસોમાં ત્રણ ગણો વધારો થયો છે. જેનું મુખ્ય કારણ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ૧૨૨ કેસોનું પુનઃવર્ગીકરણ હતું. RBIએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં છેતરપિંડીની રકમ વધીને રૂ. ૩૬,૦૧૪ કરોડ થઈ ગઈ, જે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં લગભગ રૂ. ૧૨,૨૩૦ કરોડ હતી. જોકે, ગયા નાણાકીય વર્ષમાં છેતરપિંડીના કેસોની સંખ્યા ઘટીને ૨૩,૯૫૩ થઈ ગઈ, જે ૨૦૨૩.૨૪માં ૩૬,૦૬૦ હતી.
અહેવાલ મુજબ, પાછલા નાણાકીય વર્ષમાં છેતરપિંડીમાં સામેલ રકમમાં વધારો મુખ્યત્વે પાછલા નાણાકીય વર્ષો દરમિયાન નોંધાયેલા ૧૨૨ કેસોમાં છેતરપિંડીના વર્ગીકરણને દૂર કરવા અને વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન પુનઃતપાસ પછી અને ૨૭ માર્ચ, ૨૦૨૩ના સુપ્રીમ કોર્ટના નિર્ણયનું પાલન સુનિશ્ચિત કરવાને કારણે થયો હતો.
નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના અંત સુધીમાં છેતરપિંડીના લગભગ ૬૦ ટકા કેસ ખાનગી ક્ષેત્રની બેંકો (PSBs)નો હતો, જ્યારે મૂલ્યની દ્રષ્ટિએ, આ બેંકોનો હિસ્સો ૭૧ ટકાથી વધુ હતો. જ્યારે ખાનગી ક્ષેત્રની બેંકોમાં નોંધાયેલા છેતરપિંડીની સંખ્યામાં કાર્ડ/ઇન્ટરનેટ છેતરપિંડીનો સૌથી વધુ હિસ્સો હતો, ત્યારે જાહેર ક્ષેત્રની બેંકોમાં છેતરપિંડી મુખ્યત્વે લોન સેગમેન્ટમાં હતી. રિપોર્ટ અનુસાર લોન સંબંધિત છેતરપિંડીઓ સંખ્યાની દ્રષ્ટિએ ૩૩ ટકાથી વધુ અને મૂલ્યની દ્રષ્ટિએ ૯૨ ટકાથી વધુ કેસોમાં સામેલ છે.
ગયા નાણાકીય વર્ષના અંત સુધીમાં કાર્ડ અને ઇન્ટરનેટ છેતરપિંડીની શ્રેણી હેઠળ સંખ્યાની દ્રષ્ટિએ ૧૩,૫૧૬ છેતરપિંડીના કેસ હતા, જે કુલ ૨૩,૯૫૩ છેતરપિંડીના ૫૬.૫ ટકા હતા.