04, ઓક્ટોબર 2024
99 |
અમદાવાદ વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં પેટા ચૂંટણી યોજવા મુદ્દે જૂનાગઢના વિસાવદર બેઠકના મતદાતા કૈલાસ સાવલિયા દ્વારા હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જેમાં સિનિયર એડવોકેટ પર્સી કાવિનાએ રજૂઆત કરી હતી કે, વર્ષ ૨૦૨૨માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિધાનસભા બેઠક ઉપર જીતેલા ઉમેદવારે રાજીનામું આપ્યું હોવા છતાં હજી સુધી આ બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાઈ નથી. બંધારણની જાેગવાઇ મુજબ ૬ મહિનાની અંદર આવી બેઠક ઉપર પેટા ચૂંટણી યોજવી પડે. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી વર્ષ ૨૦૨૭માં યોજાનાર છે. ત્યાં સુધી વિસાવદરને ધારાસભ્ય વિહીન રાખી શકાય નહીં. હાઇકોર્ટમાં વર્ષ ૨૦૨૨ યોજાયેલી ચૂંટણીમાં વિસાવદર બેઠક પરથી હારેલા ઉમેદવારે જીતેલા ઉમેદવારની જીતને પડકારી હતી. જેની ઇલેક્શન પિટિશન પેન્ડિંગ હોવાથી ચૂંટણી યોજાતી નથી. ઇલેક્શન કમિશન વતી ઉપસ્થિત થયેલા વકીલે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ઇલેક્શન પિટિશન પેન્ડિંગ હોય તો તેનો નિકાલ ના થયા ત્યાં સુધી પેટા ચૂંટણી યોજી શકાય નહિ. કોર્ટે કહ્યું હતું કે, ઇલેક્શન પિટિશન પરત ખેંચાય તો આગળ કાર્યવાહી થાય. પેટા ચૂંટણી નહીં યોજાવા પાછળ ઇલેક્શન કમિશન જવાબદાર નથી. આ એક ન્યાયિક પ્રક્રિયા છે. અરજદારે ઇલેક્શન પિટિશન ઉપર સમયસર સુનાવણી પૂર્ણ થવી જાેઈએ તેવી માગ કરી હતી.અરજદારે જણાવ્યું હતું કે, ઇલેક્શન પિટિશન ફાઇલ કરનાર અરજદારની પાર્ટીને જ જીતેલા અરજદારે જાેઈન કરી છે. કોઈપણ કારણ ના હોવા છતાં અરજદાર દ્વારા ઇલેક્શન પિટિશનને હાઇકોર્ટમાં પેન્ડિંગ રાખવામાં આવી છે. જેથી કરીને ચૂંટણી યોજાઈ શકે નહીં. હાઇકોર્ટે આવી જ એક મેટરમાં નોટિસ કાઢી છે. જાેકે, કોર્ટે કહ્યું હતું કે, જાે જીતેલા ઉમેદવારનું મૃત્યુ થાય તો પણ ઇલેક્શન પિટિશન રદ થાય નહીં. ઇલેક્શન પિટિશન ઉપર ઇલેક્શન કમિશન કે સરકારનું કોઈ નિયંત્રણ હોતું નથી. હાઇકોર્ટે આ અરજીનો નિકાલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં જૂનાગઢની વિસાવદર બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી વિજયી થયા હતા. જેમની જીતને ભાજપના હર્ષદ રીબડીયા ઉપરાંત અન્ય એક ઉમેદવાર મોહિત માલવિયાએ હાઇકોર્ટમાં પડકારી હતી. જાેકે, બાદમાં ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જાેડાઈ ગયા છે. જેથી વિસાવદર વિધાનસભા ઉપર ધારાસભ્ય પદ ખાલી પડ્યું હતું. ગત લોકસભાની ચૂંટણી સાથે વિસાવદર વિધાનસભા ઉપર પેટા ચૂંટણી જાહેર થવાની હતી.