05, જુન 2025
990 |
સુરત, સુરત શહેરમાં આવેલા સિંગણપોર ખાતે રહેતા રત્નકલાકારે બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આર્થિક સંકડામણને કારણે અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર મુળ ભાવનગરના વતની ભરતભાઈ દામજીભાઈ બોરીચા હાલમાં સીંગણપોર વિસ્તારમાં આવેલી ત્રિવેદી સંગમ સોસાયટીમાં રહેતા રહેતા હતા, અને રત્નકલાકાર તરીકે હીરાના કારખાનામાં કામ કરી પરિવારમાં પત્ની અને પુત્રનું ગુજરાન ચલાવતા હતા. રત્નકલાકાર ભરતભાઈએ ગત બુધવારે રાત્રે ઘરના પંખા સાથે દુપટ્ટો વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ભરતભાઈ આર્થિક સંકડામણને કારણે અંતિમ પગલું ભર્યું હોવાની શક્યતા છે. ઘરના મોભીનું મોત થતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું. આપઘાતના બનાવ અંગે સિંગણપોર પોલીસે આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી.