17, મે 2025
1089 |
ગાંધીનગર કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુજરાતના કચ્છની મુલાકાત લીધી હતી. ત્યારબાદ હવે પીએમ નરેન્દ્ર મોદી પણ આ મહિના અંતમાં કચ્છની મુલાકાતે આવે તેવી શક્યતા જાેવાઈ રહી છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર હાથ ધરાયું હતું. જેના કારણે પાકિસ્તાનની સરહદ પરના ગુજરાત સહિતના ભારતના વિસ્તારોમાં ભારે તંગ પરિસ્થિતિ જાેવા મળી રહી હતી. કારણ કે ઓપરેશન સિંદૂરના જવાબમાં પાકિસ્તાન દ્વારા કચ્છ સહિતના ભારતના સરહદી વિસ્તારો પર ડ્રોન દ્વારા હુમલા ફરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતાહ જાેકે ભારતી સેનાએ તેને નિષ્ફળ બનાવ્યા હતા. આ સંજાેગોમાં કચ્છના સરહદી વિસ્તારમાં પાકિસ્તાની ડ્રોન ના અવશેષો પડતા થોડું નુકસાન થયું હોવાનું વિગતો સામે આવી છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને ગુજરાતના સરહદી વિસ્તાર એવા કચ્છ જિલ્લાની મુલાકાત લેવા કેન્દ્રીય સરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આવ્યા હતા. તેમણે કચ્છ જિલ્લાની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કચ્છની મુલાકાત લીધા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતના કચ્છની મુલાકાત લઈ શકે છે તેવી વિગતો સામે આવી છે. સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ ૨૬ થી ૨૮ મે દરમિયાન કચ્છની મુલાકાતે આવી શકે છે. આ મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ જિલ્લામાં થયેલી નુકસાની અંગે બેઠક યોજી સમીક્ષા કરશે તેવું જાણવા મળ્યું છે.