દાહોદમાં વડાપ્રધાન મોદીના આગમનની ચાલી રહેલ તડામાર તૈયારીઓ
24, મે 2025 દાહોદ   |   2079   |  



દાહોદમાં આગામી તારીખ ૨૬મી મેના રોજ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યાં છે જેની તૈયારીઓના ભાગરૂપે અને ખાસ કરીને સુરક્ષાને ધ્યાને રાખી ઈન્ડીયન એર ફોર્સ દ્વારા દાહોદ નજીક આવેલ હેલીપેડ ખાતે હેલીકોપ્ટર મારફતે રિહર્સલ કરવામાં આવ્યું હતું. સુરક્ષા દળો દ્વારા હેલીપેડ તેમજ વડાપ્રધાનના કાર્યક્રમ સ્થળે હાલ બાજ નજર પણ રાખવામાં આવી રહી છે.

દાહોદમાં વડાપ્રધાન મોદીના આગમનને લઈ દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદી દ્વારા દાહોદમાં રેલ્વેના પ્રોડક્શનનું ઉદ્ઘાટન સહિત કેટલાંક કામોનું ખાતમુહુર્ત પણ કરવામાં આવનાર છે. દાહોદમાં વડાપ્રધાન મોદીના આગમનની ખબર સાથે દાહોદ જિલ્લાવાસીઓમાં આતુરતા સાથે આનંદ પણ જાેવા મળી રહ્યો છે. ત્યારે તૈયારીઓના ભાગ રૂપે દાહોદના ખરોડ (ડોકી) મુકામે જ્યાં વડાપ્રધાન જંગી જન મેદનની સંબોધશે તે જાહેર સભાના સ્થળ પર તેમજ દાહોદ જિલ્લા તેમજ દાહોદ શહેરમાં વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેની સાથે સાથે દાહોદ શહેરમાં જ્યાં જ્યાંથી વડાપ્રધાન મોદીનો રોડ શો પણ યોજાનાર છે તે સ્થળો પર પણ સુરક્ષા સહિતની વ્યવસ્થાઓ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ દાહોદ નજીક આવેલ પાંડવવન ખાતે આવેલ હેલીપેડ ખાતે ઈન્ડીયન એર ફોર્સ દ્વારા હેલીકોપ્ટનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. વડા પ્રધાનની સુરક્ષામાં કોઈ ચુક ન થાય તેની તકેદારીના ભાગરૂપે આ રિહર્સલ કરવામાં આવ્યું છે. આ હિલેપેડના આસપાસના વિસ્તારમાં પણ સુરક્ષા દળો દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution