ધ્રાંગધ્રાના મોટી માલવણ ગામના ખેડુતો દ્વારા સોલર પેનલ કંપની સામે વિરોધ
30, નવેમ્બર 2023 198   |  

ધ્રાંગધ્રા ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામે આશરે ૨૦થી વધુ ખેડુતોના કુલ ૩૦ જેટલા સવેઁ નંબરોને ગત પાંચેક દિવસ પહેલા જાહેર કરાયા હતા જેમા સોલર પેનલની ખાનગી કંપની દ્વારા આ તમામ ખેડુતોને વિશ્વાસમાં લીધા વગર અને કોઇપણ પ્રકારની જાણ કયાઁ વગર ખાનગી કંપની દ્વારા સવેઁ નંબર જાહેર કરી દેવામાં આવ્યા હતા. જેની સામે આશરે ૨૦થી વધુ ખેડુતો દ્વારા વિરોધ્ધ નોંધાવ્યો હતો અહિંના ખેડુતોએ જણાવ્યુ હતુ કે સોલર પેનલની ખાનગી કંપની સાથે તેઓને કોઇપણ જાતની વાતચીત થઇ નથી અને આ ખેડુતોમા મોટાભાગના ખેડુતોની ખેતી લાયક જમીન બેંકમાં ગીરવે પડી છે છતા આ પ્રકારે ખાનગી કંપની દ્વારા ખેડુતોને જાણ કયાઁ વગર જ સવેઁ નંબરોની વિગતો જાહેર કરી હતી. આ પ્રકારે ખેડુતોની જાણ બહાર સોલર કંપની જાહેરાત કરી ખેડુતોને અંધારામાં રાખી યેન-કેન પ્રકારે ખેડુતોની ઇચ્છા વિરુધ્ધ સોલર પેનલ નાખવાની ફરજ પડવા માટેનું કાવતરુ હોય તેવો સ્થાનિક ખેડુતો દ્વારા આક્ષેપ કરાયો છે. હાલ મોટી માલવણ ગામના ૨૦થી વધુ ખેડુતો દ્વારા સોલર પેનલની ખાનગી કંપની સામે કાયદાકીય લડાઇ માટે બ્યુગલ ફૂંક્યું છે અને વકીલ મારફતે ખાનગી કંપનીને નોટીસ પણ ફટકારાઇ છે ત્યારે હવે ખેડુતો અને સોલર કંપનીની કાયદાકીય લડાઇમાં હવે આગામી સમયમા કેવા પ્રકારના પગલા ભરાય છે તેના પર સૌની મીટ મંડાઇ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution