06, જુન 2025
2376 |
નવી દિલ્હી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ની મોનેટરી પોલિસી કમિટી (એમપીસી) એ આજે એક મોટો ર્નિણય જાહેર કર્યો છે. આરબીઆઇ ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટમાં ૫૦ બેસિસ પોઈન્ટ એટલે કે ૦.૫૦ ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ વર્ષે આ સતત ત્રીજી વખતનો ઘટાડો છે, અને હવે રેપો રેટ ઘટીને ૫.૫૦ ટકા થઈ ગયો છે.
વર્ષ ૨૦૨૫ની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ૧૦૦ બેસિસ પોઈન્ટનો ઘટાડો કરાયો છે. ફેબ્રુઆરીમાં ૦.૨૫ ટકા અને એપ્રિલમાં ૦.૨૫ ટકાના ઘટાડા પછી, જૂનમાં કરાયેલો આ ૦.૫૦ ટકાનો ઘટાડો સૌથી મોટો માનવામાં આવે છે.
જાે તમે હોમ લોન, કાર લોન અથવા પર્સનલ લોન લીધી હોય, તો આ ર્નિણય તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આરબીઆઇનો આ ર્નિણય તમારા બજેટ સાથે સીધો સંબંધિત છે, કારણ કે આ પછી બેંકોના વ્યાજ દરોમાં ફેરફાર થઈ શકે છે, જેના કારણે ઈએમઆઈમાં ઘટાડો થઈ શકે છે. જાે તમે ફ્લોટિંગ રેટ પર લોન લીધી હોય, તો આ ઘટાડાની અસર થોડા અઠવાડિયામાં તમારા ઈસ્ૈં પર જાેવા મળી શકે છે. જાેકે, આ અસર ફિક્સ્ડ રેટ લોન પર જાેવા મળશે નહીં.
નાણાકીય નીતિ સમિતિના ર્નિણયની જાહેરાત કરતા, આરબીઆઇના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, આજે વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે દેશની અર્થવ્યવસ્થા મજબૂતી, સ્થિરતા અને તક તરીકે ઉભરી રહી છે. જાેકે, તેમણે એ પણ સ્વીકાર્યું કે આવનારા સમયમાં ભૂ-રાજકીય તણાવ અને હવામાન સંબંધિત અનિશ્ચિતતાઓ એક પડકાર બની શકે છે.
ગવર્નર સંજય મલ્હોત્રાએ વધુમાં જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે ફુગાવાનો અંદાજ ઘટાડીને ૩.૭ ટકા કરવામાં આવ્યો છે, જે પહેલા ૪ ટકા હતો. તેમણે પ્રકાશ પાડ્યો કે છૂટક ફુગાવો ઝડપથી નીચે આવ્યો છે અને એપ્રિલમાં તે ઘટીને ૩.૧૬ ટકા થઈ ગયો છે, જે છેલ્લા છ વર્ષમાં સૌથી નીચો સ્તર છે.
આરબીઆઇએ ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ ૬.૫ ટકા પર જાળવી રાખ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, સતત ત્રણ વખત દર ઘટાડ્યા પછી, હવે નાણાકીય નીતિમાં વૃદ્ધિને ટેકો આપવા માટે ખૂબ જ મર્યાદિત અવકાશ બાકી છે.
રૂા.૩૦ લાખની હોમ લૉન પર રૂા. ૯૪૨ ઓછા ચૂકવવા પડશે
એવી જ રીતે ૩૦ લાખની હોમ લોન પર ૨૦ વર્ષ માટે ૮.૫ ટકા વ્યાજ ચૂકવવાનું રહે છે. જેનો મહિને રૂ. ૨૬,૦૩૫નો હપ્તો ભરવાનો રહે છે. હવે રેપો રેટ ઘટતાં વ્યાજ ૮ ટકા થઈ જશે આથી મહિને રૂ. ૨૫,૦૯૩ ચૂકવવાના રહેશે એટલે કે રૂ. ૯૪૨ ઓછા ચૂકવવા પડશે.
૫૦ લાખની લૉન પર કેટલી રાહત મળશે?
જાે તમે ૩૦ વર્ષ માટે ૫૦ લાખની હોમ લોન લીધી છે અને તેના બદલામાં તમે ૯ ટકા વ્યાજ ચૂકવો છો તો તમારે મહિને રૂ. ૪૦,૨૩૧નો હપ્તો ભરવાનો રહે છે. એવામાં હવે આરબીઆઇએ ૫૦ બેસિસ પોઇન્ટ ઘટાડી દેતાં રૂ. ૩૮,૪૪૬ હપ્તો ભરવાનો રહેશે. આથી મહિને હપ્તામાં રૂ. ૧૭૮૫ ઓછા ભરવાના થશે.
રૂા.૨૦ લાખની લૉન પર ઈસ્ૈં કેટલો ઓછો થશે?
ધારો કે રૂ. ૨૦ લાખની લોન ૨૦ વર્ષ માટે ૯ ટકા વ્યાજે લેવામાં આવી હોય, તો માસિક ઈએમઆઈ રૂ. ૧૭,૯૯૫ થશે. હવે લોનના વ્યાજમાં ૫૦ બેસિસ પોઇન્ટના ઘટાડા પછી, તમારે રૂ.૧૭,૩૫૬ હપ્તો ભરવાનો થશે એટલે કે તમારે દર મહિને ઈસ્ૈંમાં રૂ. ૬૩૯ ઓછા ચૂકવવા પડશે.