મહેસાણા,તા.૨૦
મહેસાણામાં ટીબી રોડની સ્નેહકુંજ સોસાયટી બાદ હાઈવે વિસ્તારની કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવતી સોસાયટીઓમાં પણ અવરજવરના મુદ્દે મકાનના દરવાજા તેમજ ઝાંપે તાળા મારવા મુદ્દે વિવાદ ઊઠયો છે. રાધનપુર રોડ પર તુલસી બગ્લોઝમાં રહેતા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને સભ્ય ભાવેશ પટેલે કહ્યું કે, મને પોઝિટિવ આવે ૨૦ દિવસ થયા હું કે મારો પરિવાર ક્યાંય બહાર જતો નથી. છતાં રવિવારે બપોરે પોલીસ મકાનના ઝાંપે તાળુંં મારી ગયા છે.જ્યારે ગાયત્રી ૧૦૮ સોસાયટીમાં રહેતા ભાવેશ પ્રજાપતિએ કહ્યું કે, અમારા ઘરની બાજુમાં પોઝિટિવ કેસ આવ્યો છે. શનિવારે પોલીસ તમામ મકાનોના દરવાજે તાળા મારી ગઈ હતી. રાત્રે લાઈટો જતાં એક મકાનમાં મહિલાને ગભરામણ થતાં આરોગ્ય વિભાગને જાણ કરતાં રવિવારે સવારે તાળું ખુલ્યું હતું. શિવાલય વાટીકાના પાંચ મકાનોને પોલીસે તાળાં મારી રાત્રે ખોલી દીધા હતા.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments