મહેસાણામાં વધુ ત્રણ સોસાયટીના મકાનોના દરવાજાએ તાળાં મારી દીધાં
21, જુલાઈ 2020 297   |  

મહેસાણા,તા.૨૦ 

મહેસાણામાં ટીબી રોડની સ્નેહકુંજ સોસાયટી બાદ હાઈવે વિસ્તારની કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવતી સોસાયટીઓમાં પણ અવરજવરના મુદ્દે મકાનના દરવાજા તેમજ ઝાંપે તાળા મારવા મુદ્દે વિવાદ ઊઠયો છે. રાધનપુર રોડ પર તુલસી બગ્લોઝમાં રહેતા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને સભ્ય ભાવેશ પટેલે કહ્યું કે, મને પોઝિટિવ આવે ૨૦ દિવસ થયા હું કે મારો પરિવાર ક્યાંય બહાર જતો નથી. છતાં રવિવારે બપોરે પોલીસ મકાનના ઝાંપે તાળુંં મારી ગયા છે.જ્યારે ગાયત્રી ૧૦૮ સોસાયટીમાં રહેતા ભાવેશ પ્રજાપતિએ કહ્યું કે, અમારા ઘરની બાજુમાં પોઝિટિવ કેસ આવ્યો છે. શનિવારે પોલીસ તમામ મકાનોના દરવાજે તાળા મારી ગઈ હતી. રાત્રે લાઈટો જતાં એક મકાનમાં મહિલાને ગભરામણ થતાં આરોગ્ય વિભાગને જાણ કરતાં રવિવારે સવારે તાળું ખુલ્યું હતું. શિવાલય વાટીકાના પાંચ મકાનોને પોલીસે તાળાં મારી રાત્રે ખોલી દીધા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution