01, ઓક્ટોબર 2024
297 |
વરસાદી આફત બાદ ગરબાની રાજધાની વડોદરાના આયોજીકો દ્વારા મહામહેનતે ગ્રાઉન્ડ, પાકિર્ંગ અને સિટિંગ અરેનાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ક્રેડાઇ વીએનએફના આયોજકોના મતે ગ્રાઉન્ડ, પાકિર્ંગ અને સિટિંગ અરેના તૈયાર છે. જ્યારે યુનાઇટેડ વેના આયોજકોના મતે પાકિર્ંગની ૫૦ ટકા જેટલી કામગીરી બાકી છે. તો ર્માં શક્તિ ગરબા મહોત્સવ ખાતે સિટિંગ અરેનાની ૫૦ ટકા કામગીરી બાકી છે. જાેકે, તમામ આયોજકોના મતે આગામી તા. ૩ ઓક્ટોબરના રોજ પહેલા નોરતે વડોદરાના ગરબા ખેલૈયાઓ મનમુકીને ગરબે ઘુમશે.
વરસાદી આફતના કારણે ગરબા કેપીટલ વડોદરામાં ગરબા આયોજકો તેમજ ખેલૈયાઓમાં મુંજવણમાં મુકાઇ ગયા હતા. પરંતુ બે દિવસથી વરસાદે વિરામ લેતા આજે તમામ આયોજકોને હાશકારો થયો હતો. એટલું જ નહીં મોટાભાગના ગ્રાઉન્ડ આયોજકો દ્વારા ગરબા રમવા માટે તૈયાર કરી દેવામાં આવ્યા છે. ૩જી ઓક્ટોબરના રોજ નવરાત્રિના પ્રથમ નોરતે વડોદરાના તમામ ગરબા ગ્રાઇન્ડ પર ખેલૈયા મન મુકીને ગરબે રમી શકશે. ગરબા ગ્રાઉન્ડની સાથે સાથે સિટિંગ અરેના અને પાકિર્ંગ પણ ઉપયોગમાં લેવા માટે તૈયાર કરી દેવામાં આવ્યા છે.
વડોદરામાં વરસાદી આફતે કહેર મચાવ્યો હતો. માત્ર બે મહિનામાં વડોદરાના શહેરીજનોએ ત્રણ વખત પૂરનો સામનો કરવો પડયો છે. ત્યારે તાજેતરમાં રવિવારે આવેલા ભારે વરસાદ બાદ બે દિવસ બાદ શરૂ થનાર માતાજીની આરાધનના પર્વ નવરાત્રિની ઉજવણીને લઇને ગરબા આયોજકો તેમજ ખેલૈયાઓમાં ભારે અસમંજસ જાેવા મળી રહી હતી. પરંતુ ગઇકાલથી મેઘરાજાએ વિરામ લેતા હવે, ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં હાશકારો થયો છે. આજરોજ ગરબા મહોત્સવના આયોજકો દ્વારા ગરબા ગ્રાઉન્ડ, પાકિર્ંગ અને સિટિંગ અરેનાની વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
ગરબા આયોજકો દ્વારા આવતીકાલ સાંજ સુધીનાં ગ્રાઉન્ડ, સીટિંગ અરેના અને પાકિર્ંગને યોગ્ય કરી ડેકોરેશન પૂર્ણ કરી આવતીકાલે સાઉન્ડ ચેક પણ કરી લેવામાં આવશે. બીજી તરફ માતાજીની પ્રતિમાને પણ હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગુરુવારે બપોરે ૧થી ૪માં માતાજીના ગઢ સ્થાપનનું મૂર્હુત હોય તમમા આયોજકો દ્વારા તે દિવસે માતાજીની સ્થાપના કરવામાં આવશે.
શહેરના વિવિધ ગરબા મહોત્સવના આયોજકો શું કહે છે?
• નવલખી ગ્રાઉન્ડ ખાતે આયોજીત ગરબા મહોત્સવની તમામ તૈયારીઓ આજ રાત સુધીમાં પૂર્ણ થઇ જશે. આવતીકાલે સાઉન્ડ ચેક પણ કરી લેવામાં આવશે. હાલ ગ્રાઉન્ડ, પાકિર્ંગ અને સીટિંગ અરેના બધું જ તૈયાર થઇ ગયું છે.
- મયંક પટેલ, ક્રેડાઇ-વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ
• યુનાઇટેડ વે ગરબા મહોત્સવમાં પ્રથમ નોરતે ગરબા રમાડવામાં આવશે. ગ્રાઉન્ડની કામગીરી આવતીકાલ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. આજે સીટિંગ અરેનાની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. જાે કે, હાલ પાકિર્ંગની કામગીરી ૫૦ ટકા જેટલી બાકી છે. જે પણ કાલ સાંજ સુધી પૂર્ણ કરવાની તૈયારીઓ છે.
- હેમંત શાહ, યુનાઇટેડ વે ગરબા મહોત્સવ
• બાળ ગરબા મહોત્સવ અડુકિયો દડુકિયોના બાળ ખેલૈયાઓને પહેલા નોરતે ગરબે રમાડવા માટે અમે તૈયાર છીએ. વરસાદના કારણે પાકિર્ંગ અને સિટિંગ અરેનામાં પાણી ભરાયા હતાં. જે પણ હવે, યોગ્ય થઇ ગયા છે. અમારા ગ્રાઉન્ડ પર તાડપત્રી પાથરી દેવામાં આવતી હોવાથી ગ્રાઉન્ડને નુકશાન ખુબ જ નહિવત્ થયું હતું. જેથી તેમાં કોઇ મુશ્કેલી નથી. આવતીકાલ સુધી બધું જ રાબેતા મુબજ થઇ જશે.
- ડો. દિનેશ યાદવ, અડુકિયો દડુકિયો ગરબા મહોત્સવ
• સમતા વિસ્તારમાં આયોજીત ર્માં શક્તિ ગરબા મહોત્સવમાં પાકિર્ંગના ભાગમાં પહેલાથી જ રોડા છારું નાખ્યું હતું. જેથી ત્યાં કોઇ જ નુકશાન થયું નથી. બીજી તરફ ગ્રાઉન્ડ સંપૂર્ણ તૈયાર થઇ ગયું છે. જાે કે, સીટિંગ અરેનાની કામગીરી હજી ૫૦ ટકા જેટલી બાકી છે. જે પણ આવતીકાલ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. પહેલા નોરતે વિના વિઘ્ન ગરબા રમાડીશું.
– ડો. જયેશ ઠક્કર, ર્માં શક્તિ ગરબા મહોત્સવ
• વરસાદે ખમૈયા કરતા જ અમે યુદ્ધના ધોરણે કામગીરી કરીને ગરબા મેદાન તૈયાર કરી દીધુ છે. પાર્કિંગ માટે અમને અમીત નગર બ્રિજની પાસે સરસ જગ્યા મળી ગઈ છે. ઉપરાંત, ગરબા મેદાનમાં સિટિંગ એરેજમેન્ટ સહિતનું ડેકોરેશન પણ લગભગ તૈયાર થઈ ચુક્યુ છે. અમે પહેલા નોરતે જ ગરબા ખેલૈયાઓને ગરબે રમાડવા માટે સંપૂર્ણ પણે તૈયાર છીએ. ખેલૈયાઓને કોઇ પણ મુશ્કેલી ન પડે તેનું પણ ખાસ ધ્યાન આપવામાં આવયું છે.
- કમલેશ પરમાર, નવશક્તિ ગરબા મહોત્સવ
વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત ઘટાડો છેલ્લા ૩૬ કલાકમાં ૮ ફૂટ સપાટી ઘટી
વડોદરા, તા.૧
વડોદરામાં રવિવારની રાતથી વરસાદનો વિરામ છે. જાેકે હજી આંશિક વાદળીયું વાતાવરણ છે, પરંતુ ઉઘાડ છે.જેથી વડોદરા માથે પૂરનું જે સંકટ ટળતા તંત્રએ તેમજ લોકોએ રાહત અનુભવી છે. ગઈકાલે બપોર થી વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે સવારે ૧૧ઃ૨૦ વાગે વિશ્વામિત્રીની સપાટી ૨૦.૪૭ ફૂટ હતી.જેમાં સતત ધટાડો થઈ રહ્યો છે.જાેકે, પાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ હાલ નદીની સપાટી ૧૮ ફૂટ થઈ છે. હજુ લેવલ ધટ્યા પછી આજવાનુ ૨૧૩ ફૂટનુ રૂલ લેવલ જાળવવા માટે દરવાજા ખોલવા સંદર્ભે નિર્ણય લેવાશે જેથી વરસાદ થાય તો આજવામાં પાણી સ્ટોરેજ માટે સ્પેસ મળી શકે.રવિવારે થયેલા ચાર ઈંચ વરસાદ બાદ વિશ્વામિત્રીની સપાટી ખૂબ ઝડપભેર વધતી હતી, અને ભયજનક સપાટી ૨૬ સુધી પહોંચે તેવી શક્યતા હતી, પરંતુ વરસાદ રોકાઈ જતા સપાટી ૨૫.૬ ફૂટ સુધી પહોંચી હતી અને ત્યારબાદ સોમવારે બપોર થી ધીમો ઘટાડો શરૂ થયો હતો. છેલ્લા ૩૬ કલાકમાં વિશ્વામિત્રીની સપાટી ૮ ફૂટ જેટલી ઘટી છે, જાેકે નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારો વડસર, કોટેશ્વર સહિત સ્થળે પણ પાણી ઉતરવાની શરૂઆત થતાં કાંઠા વિસ્તારના લોકોને પણ રાહત અનુભવી છે.
પાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ હાલ આજવાના દરવાજા ખોલવા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. પરંતુ નદીની સપાટીમાં હજુ ધટાડો થયા પછી આજવાનુ ૨૧૩ ફૂટનુ રૂલ લેવલ જાળવવા માટે દરવાજા ખોલવા સંદર્ભે નિર્ણય લેવાશે. આજવાની સપાટી આજે રાત્રે ૮ વાગે ૨૧૩.૩૩ ફૂટ નોંધાઈ હતી.
ગરબા આયોજકોએ કરોડોના વિમા લીધા
ગરબા આયોજકો દ્વારા કોઇ પણ ઘટના અનિચ્છનીય ઘટના બને તો તેની પૂર્વ તૈયારી રૂપે કરોડોના ઇન્શ્યોરન્સ પણ લઇ લેવામાં આવ્યા છે. જેમાં યુનાઇટેડ વે ગરબા મહોત્સવના આયોજકો દ્વારા રૂા. ૧૦ કરોડનો વિમો લેવાયો છે. ક્રેડાઇ વડોદરા નવરાત્રિ ફેસ્ટીવલના આયોજકો દ્વારા રૂા. ૫.૬૧ કરોડ, કેએસસીએ આયોજીત કારેલીબાગ ગરબા મહોત્સવના આયોજકો દ્વારા રૂા. ૫ કરોડ, ર્માં શક્તિ ગરબા મહોત્સવના આયોજકો દ્વારા રૂા. ૩ કરોડ, અડુકિયો દડુકિયો ગરબા મહોત્સવ, શ્રી નવશક્તિ ગરબા મહોત્સવના આયોજકો દ્વારા રૂા. ૨-૨ કરોડનો વિમો લેવામાં આવ્યો છે.