બોગસ ખેડૂત પ્રકરણમાં તબીબના બે દિવસના રિમાન્ડ મંજૂર
27, જુલાઈ 2024 693   |  

ઈડર, સાબરકાંઠા જીલ્લાના ઈડરના જાણીતા તબીબ અને તેનની પત્ની બનાવટી ખેડૂત ખાતેદાર હોવાનું પ્રમાણપત્ર રજૂ કરી બોગસ ખેડૂત બની જતા સમગ્ર મામલો બહાર આવી જતા ઈડરના ઈનચાર્જ મામલતદારે તબીબ અને તેમના પત્ની બંનેની વિરૂદ્ધ જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે તબીબને વધુ તપાસ મામલે જાદર પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા ત્યારબાદ ન્યાયાધીશના નિવાસસ્થાને પોલીસે તબીબના રિમાન્ડની માંગણી કરી હતી અને તબીબના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ સમગ્ર મામલે જાે વિગતવાર વાત કરવામાં આવે તો ઈડરના વલાસણા હાઈવે રોડ પર આવેલી ભાવના હોસ્પિટલ ચલાવતા ડૉ.કીરીટ શાહ અને તેમના પત્ની બોગસ ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર રજૂ કરી ખેડૂત ખાતેદાર બની જતા સાબરકાંઠા કલેકટર કચેરીની ચકાસણીમા ડૉ.શાહ દ્વારા રજૂ કરાયેલા બંને પ્રમાણપત્રો બનાવટી હોવાનુ સામે આવતા ઈડરના ઈનચાર્જ મામલતદાર દ્વારા કલેકટરના પત્રના આધારે બંને પતિ પત્ની સામે જાદર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી હતી જેમાં ઈડર તાલુકાના કપોડા પાસે ડૉ.કીરીટ શાહે તેમના અને તેમની પત્નીના નામે ખેતીની જમીન ખરીદી બિનખેતી પરવાનગી મેળવવા આઈ. ઓ.આર.એ પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરતા શાહ કિરીટકુમાર બાબુલાલનુ ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર અપલોડ કરવામા આવેલ જે આધારે કલેકટર કચેરી દ્વારા રજૂ કરેલ પ્રમાણપત્રની ખરાઈ કરતા બંને પ્રમાણપત્રો બનાવટી હોવાનુ સામે આવ્યુ હતુ બંને પ્રમાણપત્રો ખેરાલુ પ્રાંત અધિકારી દ્વારા ચકાસણી કરાતા ડૉ.શાહ દ્વારા રજૂ કરાયેલા બંને પ્રમાણપત્રો ખેરાલુ ખાતે (૧) મોદી કિરીટકુમાર ચીમનલાલ તેમજ (૨) ચૌધરી ડાહ્યાભાઈ વીરમભાઈના નામના દર્શાવતા ડૉ.શાહ દ્વારા બંને પ્રમાણપત્રો બનાવટી હોઈ ડૉ.કીરીટ શાહ અને તેમના પત્ની ભાવના શાહ બોગસ ખેડુત ખાતેદાર હોવાનુ બહાર આવતા સમગ્ર મામલનો ભાંડો ફૂટ્યો હતો જ્યારે ઈડરના નામાંકીત ડોકટર દ્વારા ખોટા આર્થિક લાભ મેળવવા બોગસ ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર રજૂ કરતા સાબરકાંઠા કલેકટર દ્વારા પ્રમાણપત્રોની ખરાઈ કરાતા બંને પ્રમાણપત્રો બનાવટી હોવાનુ બહાર આવતા સમગ્ર પ્રકરણ બહાર આવ્યુ હતુ અને ઈડર ઈનચાર્જ મામલતદાર દ્વારા નોંધાવાયેલી ફરીયાદ બાદ જાદર પોલીસ દ્વારા ડૉ.કીરીટ શાહ અને તેમના પત્નીને જાદર પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની વધુ તપાસ હાથ ધરી છે જેમાં તપાસ મામલે જાદર પોલીસ તબીબને ખોટા દસ્તાવેજ અંગે ખેરાલુની કચેરી ખાતે લઈ જવાયા હતા તેવું જાણવા મળ્યુ હતુ જ્યારે શનિવારના રોજ તબીબને ન્યાયાધીશના નિવાસસ્થાને રજુ કરાયા હતા અને પોલીસે રિમાન્ડની માંગણી કરી હતી જે બાદ તબીબના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જ્યારે રિમાન્ડ દરમિયાન વધુ સ્ફોટક વિગતો બહાર આવે તેવી શકતા જાેવામાં આવી રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution